________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૫ ) ના નાશથી, શ્રાવક વિરપે નથી. તેમ ત્રસ જીવોની પણ હિંસા શ્રાવક કરે છે. માટે શ્રાવકને તે સવારસાની દયા શાસ્ત્રકારે કહી છે. તેમ હિંસા, જૂઠ, ચોરી, મૈથુનથી પણ શ્રાવક સર્વથા વિરામ પામ્યું નથી. પચંદ્રિયના વિપયગથી પણ શ્રાવક વિરામ પામ્યો નથી. આશ્રવના કારણથી શ્રાવક દેશથકી વિરામ પામે છે, પણ સર્વ થકી વિરામ પામ્યો નથી. ઘણું કરી શ્રાવક પુગલ વસ્તુઓમાં લીન રહે છે. શ્રાવકને અનેક પ્રકારના વ્યાપારની ઉપાધિ કરવી પડે છે. અનેક પ્રકારનાં વ્યાપારનાં-હિંસક સાધન શ્રાવકને સેવવાં પડે છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી, પુત્ર, ભાઈ, બેન વિગેરેના સંબંધથી પ્રભુભજન તથા જ્ઞાન ધ્યાન કરવાને સમય પણ મળતું નથી. સંસારમાં ધર્મસાધનનાં કારણે વિશેષતઃ નથી. જરા જે રિતિક જ્ઞાનનું ફળ વિરતિ છે. અપવિરતિપણું શ્રાવક ધારણ કરી શકે છે. સંસારનો ત્યાગ કર્યાવિના સર્વથકી વિરતિપણું પ્રાપ્ત થતું નથી. તે માટે વીશતીર્થકરભગવાને ગૃહસ્થાવાસને ત્યાગ કરી, સાધુપણું અંગીકાર કર્યું છે. ગૃહસ્થાવાસમાં છીંડી માર્ગે કદાપિ કોઈને કેવલજ્ઞાન થયું સાંભળીએ છીએ, પણ તે છીંમાર્ગ ગ્રહણ કરવાનું નથી. સાધુપદ ગ્રહણ કરવાથી કર્મક્ષય થાય છે. આ રાજમાર્ગનું સેવન કરવું જેઈએ. સાધુ થવા રૂપ વ્યવહારમાને છે મન કલપનાએ
For Private And Personal Use Only