________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯). ઉપાધ્યાય, સ્થવિર વિગેરે પણ સાધુપદમાં રમાય છે, અને શ્રાવક ભક્ત કહેવાય છે, અને ભકતોને ઉદ્ધાર તે સ્વામિની આજ્ઞા માનવાથી થાય છે. ગુરૂરૂપસાધુમહારાજે બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારની ગ્રંથીને ત્યાગ કર્યો છે, માટે તે નિગ્રંથ કહેવાય છે, એવા નિર્ણયને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. નરપતિ, ચક્રવર્તિ અને સુરપતિ પણ, જેમના ચરણકમલ સેવે છે, એવા નિર્ચથને નમસ્કાર કરવાથી ચારિત્રમોહનીયને નાશ થાય છે, અને આત્મા ચારિત્રસમુખતાને ભજે છે. જેણે સમંતિ અયું છે, એવા સાધુરૂપસદ્દગુરૂષાર્થ મણિસમાન છે, જેમ પાW. મણિને સંગ થતાં, લેહ સુવર્ણતાને પામે છે, તેમ સદગુરૂ મુનિરાજની સંગતિથી, છેવરૂપલેહ તે પરમાત્મરૂપસુવર્ણતાને પામે છે. સર્વઉપકારી શિરોમણિ સદગુરૂ મુનિરાજ છે. અન્નદાન, વસ્ત્રદાન, પ્રાણુદાન, અનુકંપાદાન, ઉચિતદાન, સુપાત્રદાનાદિ સર્વ દાનમાં સમકિતનું દાન તે મોટામાં મોટું છે. એવા સમકિતદાનદાતાર તથા ચારિત્ર દાન દાતાર નિગ્રંથને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. ધર્મદાન દાતાર સદગુરૂનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સદ્દગુરૂને વિનય કેવી રીતે કરે, તે સંબંધી વિશેષ વર્ણન અમદીયકૃત અનુભવપશ્ચિી નામના ગ્રંથમાંથી જોઈ લેવું.
For Private And Personal Use Only