________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ )
વિસ્તારથી વર્ણવ્યા છે, તેવા સંયમમાં ધર્મ છે. સયમથી ક્રમના ક્ષય થાય છે, અને આત્મગુણ્ણાના આવિર્ભાવ થાય છે. માટે ધર્મ તેજ ઉત્કૃષ્ટમંગલ છે. પૂર્વોક્ત ધર્મોમાં મિથ્યાત્વીને અધમ બુદ્ધિ રહે છે. ખાવું, પીવું, મેાજમઝાહ મારવી, એટલુ જ સ્વકર્તવ્ય સમજે છે, વા અજ્ઞાનીજીવ પેાતાના આત્માને પંચભૂતથી ભિન્ન માનતા નથી. તેથી તે નાસ્તિકવાદમાં પ્રવેશી સદાને માટે ક્રુતિમા કબૂલ કરે છે. કેટલાક એમ સમજે છે કે સર્વ પાપ કરીને એક દિવસ પ્રભુપાસે પશ્ચાત્તાપ કરીશું', એટલે સવ પાપ ક્ષય થઇ જશે. એમ માનનારાની પણ ભૂલ છે. કારણ કે જે જે કમ કરવામાં આવેછે તેનુ ફળ અવસ્ય ભેગવવુ પડે છે. જાણી જોઈને પાપ કરી પશ્ચાતાપ કરવાથી કંઇ પાપથી છૂટી શકાતું નથી. કેટલાક એમ કહે છે કે આપણને સારી અગર ખેાટી બુદ્ધિ આપનાર ઇશ્વર છે, તેથી આપણે સારાં કર્મ અગર નઠારાં ક્રમ કરીએ તેનું ફળ ઇશ્વરને છે, આપણને નથી, આમ જે અજ્ઞાની લેાકા કહે છે, તેની પણ ભૂલ છે. કારણ કે ઈશ્વર કાઇને સારી અગર ખેાટી બુદ્ધિ આપતા નથી, ઇશ્વરને કોઇને સારી અગર ખોટી બુદ્ધિ આપવાનું પ્રત્યેાજન નથી. ઇશ્વર કાઈને સારી ખેાટી બુદ્ધિ આપે, એમ માનીએ તે એકના ઉપર રાગ અને ખીજાના ઉપર દ્વેષ અને તેથી ઇશ્વરમાં રાગદ્વેષ રૂપપક્ષપાત રૂપ દોષ લાગવાથી ઇંવરપણું કહેવાય નહીં.
For Private And Personal Use Only