________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજી શકતું નથી, તેની ધર્મમાં અધર્મબુદ્ધિ રહે તેમાં શક નથી. અને તેથી ઉલટું અધર્મ માં ધર્મબુદ્ધિ રહે છે. મિથ્યાત્વથી ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા રહે છે. જ્ઞાનના ચારઝાલા મોક્ષમ જ્ઞાનદર્શન ચારિત્ર મોક્ષમાર્ગ છે. તેથી વિપરીત માર્ગને ઉન્માર્ગ કહેવાય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરવાના માર્ગને મોક્ષમાર્ગ માનવ, તે ઉન્માગ જાણ. રાગ, દ્વેષ, કૌધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અવિરતિ યેગ, હિંસા, જૂઠ, ચારો, સ્ત્રીસેવન, મૂછ, એ કાન્તપક્ષપાત, પરસ્વભાવરમણ, અજ્ઞાન ઈત્યાદિ સર્વ ઉન્માર્ગ છે. અર્થાત્ તે થકી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્ર મણ કરવું પડે છે. તેમાં મેક્ષમાર્ગની બુદ્ધિ જેને હોય છે. તે મિથ્યાત્વીજીવ જાણુ. તથા સંવરરૂપ મોક્ષમાર્ગ, અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ મોક્ષમાર્ગ છે. એવા સમ્યગ મોક્ષમાર્ગમાં ઉન્માર્ગ બુદ્ધિ જેની છે, તે જીવ મિથ્યાદષ્ટિ અજ્ઞાની જાણવા, સાહસુ અસાહસન્ના સાધુઓમાં અસાધુપણાની બુદ્ધિ, જે જનાજ્ઞાપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પંચમહાવ્રત પાળતા હોય, અને ચરણસિત્તરિ અને કરણસિત્તરીનું સમ્યફપ્રતિપાલન કરનારા હોય, તેમજ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચારિત્રના આરાધક હોય, એવા સાધુઓમાં અસાધુપણાની જે બુદ્ધિ તે મિથ્યાત્વ જાણવું. કેટલાક કહે છે કે હાલના કાળમાં સાધુપણું નથી તેમ કહે
For Private And Personal Use Only