________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) લીનતા થતાં, અખંડ સુખની ધારા વહે છે. અનન્ય શરય આત્મસ્વરૂપમાં સદાકાળ મગ્ન રહેવાથી,આત્મા પિતાની પરમાભદશા પ્રાપ્ત કરી જન્મજરામરણનાં દુઃખથી રહિત થાય છે.
દીર્ધ વિકટ શિવપન્થમાં ચાલતાં, લક્ષ્યમાં સ્થિરવૃત્તિ હોય, અને આત્મશકિત તથા ભક્તિને સાગ થાય તે અલ્પકાલમાં મુક્તિ થાય છે.
વૃત્તિનું વહન જે બાહ્યભાવમાં થાય નહીં, અને લલયમાં વૃત્તિ વિશ્રામ પામે, ત્યારે આત્માની અલખદશા જાગે છે. પરમાત્મપદમાં વાસ કરવાથી, બાહ્યવાસને અંત આવે છે.
જ્યાં સુધી આત્મસ્વરૂપમાં એકતન્મયતા થવી તરૂપી તાળી જે લાગી નહીં, અને સદગુરૂ સંગ કર્યો નહીં. ત્યાં સુધી મિથ્યાત્વ ભાવ હોવાથી, ભગવતી સત્રમાં મિથ્યા અજ્ઞાનીનું તપજપ ક્રિયા ફેક કહી છે. જ્યાં સુધી ચેતનતત્ત્વસ્વરૂપનું જ્ઞાન વિવેથી ગ્રહણ કર્યું નહીં, ત્યાં સુધી ભવભ્રમણ રહે છે, અને સંસારનાં આધિવ્યાધિ ઉપાધિનાં દુઃખ ટળતાં નથી, અને શાન્તાવસ્થાથી થતા સુખનું ભાન હેતું નથી. જ્ઞાન પ્રગટતાં બાહ્ય ઉપાષિ સુખકર લાગતી નથી, અને અન્તરાત્મસ્વરૂપ વેદનમાં બાહ્યો પાધિ, અસ્થિરતા કરાવે છે. માટે જ્ઞાનિ પુરૂષોએ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ જાણીને સંયમપન્થ ગ્રહણ કરવો જોઈએ તે દર્શાવે છે–
For Private And Personal Use Only