________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮) નેજ એક લય લક્ષી ચિત્ત અત્યંત સ્થિર થઈ જાય છે,
ત્યારે જ્ઞાનદર્શનચારિત્રગુણધારકઆત્માભિમુખતાને આત્મા વિર્યશક્તિથી સાધી શકે છે. એમ પ્રતિદિન મનની લીનતા આત્મસ્વરૂપમાં થવાથી, આત્મા, કર્મરૂપ પડદે ચીરીને સૂર્યની પેઠે કેવલજ્ઞાનવડે લોકાલોકને પ્રકાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિથી આત્મા પરમાત્મતત્વની સિદ્ધિ કરે છે. અષ્ટાંગયેગમાં પણ ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. મલીન જળમાં કતકનું ચૂર્ણ નાખ્યા વિના તથા ગન્યાવિના જલ જેમ સ્વચ્છ થતું નથી, તેમ મન પણ જ્ઞાનવૈરાગ્યરૂપ કતકચૂર્ણ તથા આત્મપ્રેમ વિવેકરૂપ ગરણીથી ગળ્યા વિના શુદ્ધ થતું નથી, માટે ચિત્ત આત્માને લક્ષ્યમાં લાગે તેવા ઉપાયેનું સેવન કરવું, તે વિના ધમપણું શોભતું નથી. મનઃ સંયમ કરીને, આત્મામાં રમણ કરવું તેથી અનુભવ થાય છે, અને સમ્યગૂઅનુભવજ્ઞાનથી આત્માની જાગૃતિ થાય છે, તે અહંવૃત્તિને ક્ષણમાં નાશ થાય છે, અને સમ્યગ્રજ્ઞાન વિના અનુભવજ્ઞાન થતું નથી, તે દર્શાવે છે.
સુરા | सम्यग अनुभव प्राप्तिथी, अहंवृत्तिनो नाश; सम्यग्ज्ञानी जो मळे, तो तत्त्वे विश्वास. १०१ दीर्घ विकटशिवपन्थमां, स्थिर लक्ष्ये जो वृत्ति शक्तिभक्ति संयोगथी, अल्पकालमा मुक्ति. १०२
For Private And Personal Use Only