________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) કેઈ એમ કહે છે કે–જેવાં આપણે કર્મ ક્યોં છે, તે તે કર્માનુસારે ઈશ્વર સારી અગર બેટી બુદ્ધિ ન્યાયપૂર્વક આપે છે. આમ જે કહે છે, તેને અમે પૂછીએ છીએ કે આત્માઓમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે, કે તે ઈશ્વરની બુદ્ધિ થીજ કર્મ કર્યા કરે છે? પ્રથમપક્ષ ગ્રહી કહેશે કે જેમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે તે સિદ્ધ ઠર્યું કે જીવમાંજ સ્વાભાવિક સારી અગર બેટી બુદ્ધિ રહી છે તેમાં કઈ ઈશ્વરને વચમાં લાવવાનું કારણ રહ્યું નથી. બીજે પક્ષ ગ્રહણ કરી કહેશે કે ઈશ્વરની બુદ્ધિથી જ કર્મ કર્યા કરે છે, તે અહીં તમારા માનેલા ઈશ્વરની લીલાને પાર રહ્યો નહીં કારણ કે વ્યભિચાર, જૂઠ, હિંસાબુદ્ધિ આપનાર ઈવર ઠર્યો તેમજ લડાઈ, વૈર, વિશ્વાસઘાત બુદ્ધિ આપનાર ઈશ્વર ઠર્યો. સારી અગર બેટી બુદ્ધિ ઈશ્વરની તે તેનું ફળ પણ ઈશ્વરને થવું જેઈએ. મૂર્ખ મનુષ્ય પણ સારી અને બેટી બુદ્ધિ આપનારને ઈવર માની શકે નહિ. ઇવર કર્માનુસાત વા કર્મ વિના પણ કેઈને સારી અગર ખોટી બુદ્ધિ આપી શકતા નથી. ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે તે ઈશ્વર ઉપર આવા દે લગાડવાને પ્રસંગ આવે નહીં. ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કમસ્વરૂ૫, જગસ્વરૂપ બરાબર સમજવામાં નહીં આવે ત્યાં સુધી અજ્ઞાનપણું જાણવું. જે ભવ્ય, આત્મા અને કર્મનું સ્વરૂપ સમજાતું નથી, ધર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only