________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
થયાં છે એવા આ વિષમ કલિકાળ પંચમા આરામાં સૂર્યસમાન; સ્વપરપ્રકાશક, અપસદગુરૂએ હોય છે. બાકી ધામધમ અને ઢાંગમાં, ગીતાર્થ પરતંત્રતા વિના અજ્ઞાની છ વર્તે છે, અને અન્યને પણ પોતાની માયાજાળમાં ફસાવે છે. કેટલાક તો ગ્રહસ્થાવાસમાં વસી પિતાને ગુરૂ મનાવી, ખમાસમણ દેવરાવે છે. તેવા માન પૂજાના અભિલાષી પામરજી જનાજ્ઞાવિરાધકગથી પુન:પુનઃ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અન્યોને પરિભ્રમણ કરાવે છે. જનાજ્ઞાનું આરાધન કરનાર સદગુરૂનું શરણ કરવું. તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. તેમને વિનય કરવામાં ખામી રાખવી નહીં, દેવ ગુરૂ અને ધર્મની પ્રાપ્તિ મહા દુર્લભ જાણું, ધર્મારાધક થવા માટે સદગુરૂઉપદેશનું વારંવાર શ્રવણ કરવું, અજ્ઞાનીઓના પાસમાં ફસાવું નહીં. સદ્દગુરૂનાં ઉપદેશવચને હૃદયમાં ધારણ કરી, અંતમાં રમણતા કરવી. બાહ્યશૂન્યદશાભરપૂર કુગુરૂઓની સંગતિ કરવી નહીં. શ્રી મુનિસુંદરસૂરિમહારાજાએ ઉપદેશરત્નાકરગ્રંથમાં કુગુરૂ અને સુગુરૂઓનાં લક્ષણ બતાવ્યાં છે. તે જાણું સુગુરૂનું શરણ કરવું. બાહ્યગમાં અથવા બાહ્મચારમાં ધમ માની અંતરઆત્મસ્વરૂપમાં રમણ નહિ કરવાથી આત્મગુણરૂપ ધનનું આચ્છાદન થાય છે, તે જણાવે છે,
For Private And Personal Use Only