________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩). સ્વામી તથા સાહેબની ચિંતા ચિત્તમાંથી મટતી નથી, રખેને વાંક આવશે, તે કંઈ થઈ જશે, મારો કાંઈ વાંક આવશે તે નશીબ પરવારશે. ગમે તેવી વામીની ચાકરી કરવામાં આવી હાય, તે પણ જરા વાંક આવતાં નોકરી રદ થઈ જાય છે. શેઠ તથા સાહેબ કે જે ઢોલામારૂ સરખા હોય તે પણ તેને નીચા નમીને સ્વાર્થને માટે સલામ કે નમસ્કાર કરવા પડે છે. જે શેઠાણું કે જેના હાથનાં બેર પણ બીજા લે નહીં, તેવી મૂર્બાિણીને પણ ચાટુક વચનથી ગરીબ ગાય જેવું મુખ કરી કરગરવું પડે છે. તથા બાહ્યસ્વામિ રાજા વિગેરેની સેવા ચાકરી કરતાં સર્વ દિન ધંધામાં ચાલ્યા જાય છે. અર્થાત્ પરતંત્રતાની બેમાં સદાકાળ રીબાવું પડે છે, તેથી જરા માત્ર પણ બાહ્યશાંતિ ભોગવાતી નથી તે અત્યંતરશાંતિ તો હોયજ કયાંથી ! બાહ્ય સ્વામિની સેવામાં સ્થિરતા તથા સુખ સમાયું નથી, અને અંતરાત્મપ્રભુની સેવા ભક્તિમાં તે આત્મા, અપૂર્વસ્થિરતા અને પૂર્ણ સુખમાં ખેલે છે, તેથી દુઃખ ચિંતા તથા પરતંત્રતાનું તે નામ પણ રહેતું નથી. અંતરાત્મ પ્રભુની સેવા ભક્તિ તે આત્મસ્વભાવમાં રમણતા કરવાથી મળે છે, અને એવી સેવા, મહાપુણ્યદય હોય તો પ્રાપ્ત થાય છે. અંતરાત્મપ્રભુની સેવામાં જ સત્યસ્થિરતા હોય છે, અને જેમ જેમ નિરપાધિગે અન્તરાત્મપ્રભુનું સ્થિ13.
For Private And Personal Use Only