________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯ર) ભાવાર્થ-સુગમ છે, તેથી વિવેચન કરવાની જરૂર નથી. અંતરાત્મપ્રભુ મનુષ્ય દેહમાં બહુ પુણ્યપુંજથી આવી વસ્યા છે, તેનું કારણ કર્મ છે. દેહમાં અંતરાત્મપ્રભુ છે, એમ જ્ઞાનથી જાણી કયાં જડ વસ્તુઓમાં પોતાને શોધે છે ? નિશ્ચય હવે થયે હશે કે અંતરાત્મપ્રભુ આપણી પાસે છે, માટે તેને ધ્યાનથી દેખી તેની સેવા કરે. પ્રેમભાવથી તેની દિલમાં સેવા કરવાથી, પોતે પોતાના ઉપર પ્રસન્ન થાય છે. અને તેથી તાઢ તડકાનાં તથા ક્ષુધાતૃષાનાં દુઃખ સવર નાશ પામે છે, અને અંતર્યામી અન્તરાત્મપ્રભુની સેવાથી સહજ સ્વભાવે સત્યાનંદની પ્રાપ્તિ થાય છે. માટે અન્તરાત્મપ્રભુની સેવા તેજ મેક્ષના મેવા જાણવા. વળી બને સ્વામિને તફાવત કહે છે. બહિર સ્વામી સાહેબ કઈ કારણસર કોપાયમાન થાય છે, તે ઘણા ઉપાયે તેને રીઝવવાના કરવામાં આવે છે, પણ સંતુષ્ટ થતું નથી. ત્યારે અંતરાત્મ પ્રભુતે ચિદાનંદમાં મગ્ન રહે છે, તેથી તે કદાપિકાળે કોપાયમાન થતા નથી. જેમ જેમ અન્તરાત્મપ્રભુની પ્રેમ ભક્તિથી, ધ્યાનથી વિશેષતઃ સેવા કરવામાં આવે છે, તેમ તેમ રીઝીને વિશેષ વિશેષ જ્ઞાનદશન ચારિત્રરૂપ ઋદ્ધિને અર્પે છે. માટે અન્તરાત્મા પ્રભુની સેવામાં આનંદમહોદધિ છે, અને જરા માત્ર પણ ભય નથી. વળી બેનું અંતરું કહે છે સોની જિજતાં વિત્તે મરે તીન ધંધે લા ! અન્ય
For Private And Personal Use Only