________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) ધારક જીવ જાણ. કારણ પામી આત્મા જ્યારે સ્વસ્વરૂપને જ્ઞાતા બને છે, ત્યારે અહંવૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરે છે. અહંવૃત્તિ મહાકેફી વહુ કરતાં પણ બૂરી છે. અહવૃત્તિ મહા માયાનું સ્વરૂપ છે. જ્યાં આત્મા નથી, તેવી પરવસ્તુમાં અહંભાવવાળી અહંવૃત્તિ મહા રાક્ષસી સરખી જાણે તેને નાશ કરે. અહંવૃત્તિ મમતારૂપ છે. જગના નવરપદાર્થોને મારી કલ્પના અહંવૃત્તિને જ આ સર્વ પ્રમંચ છે અહંવૃત્તિને નાશ થતાં, સમભાવની પ્રાપ્તિ આત્મામાં પ્રગટે છે. માટે હે ચેતન ! મમતાનું કારણ જે અહંવૃત્તિ તેને દૂર કર!! અહંવૃત્તિનું સેવન કરવાથી, હે ચેતન ! તું અનેક દેષપાત્ર બન્યો છું. અનેક પ્રકારના પદાર્થોમાં અહંવૃત્તિ કલ્પી અજ્ઞાનથી આત્મા નરકનિગદનાં મહાદુઃખ પામ્યા. અનંત જીની સાથે અનંત જન્મ ધારણ કરી, આ જીવે વૈર ઝેર કર્યું, તે પણ અહંવૃત્તિના ગેજ સમજાય છે. જેમ કાષ્ઠપુતળીઓને મદારી દેરી ફેરવી, મરછમાં આવે તેમ નચાવે છે, તેમ અહંવૃત્તિએ જીવને અજ્ઞાનથી ગમે તેમ નચાવ્યા અને જી પણ નાચ્યા કરે છે. નાટકીયાની પેઠે જીવ અનેક પ્રકારનાં શરીર ગ્રહી નાચે, તેનું કારણ પણ અહંવૃત્તિ છે. આત્મા શુદ્ધ સ્વભાવને છે નિશ્ચયથી જોતાં સ્વગુણ ભકતા છે, પરંતુ અહંવૃત્તિના ગે પરમાં પરિણમી પરને ભકત. બન્યો છે. અને હજી પણ પરસ્વભાવથી વિરામ પામતે
For Private And Personal Use Only