________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬) 'ગના , સાપથળો વિ સંતોષિ जिणभणियं जइधम्म, सावयधम्मंच विहिपुवं. ॥२॥
જ્ઞાનરહિત કેઈ ચારિત્રમાં તત્પર હોય, તે પણ તે મક્ષ નહીં પામતાં, આંધળાની માફક દોડતે થકે સંસારકૂવામાં પડે છે. સંવેગમાં પરાયણ અને શાંત એ અજ્ઞાની જીનેશ્વર કથિત અતિધર્મ અને શ્રાવકધર્મનું શી રીતે આરાધન કરી શકે? અર્થાત નજ કરી શકે, માટે હમેશાં જ્ઞાન આપવું. દ્રવ્યાનુગ આદિના જ્ઞાની એવા મુનિરાજોને અનુસરવા, અને જ્ઞાનીની નિંદા કરવી નહીં. આત્મજ્ઞાની મુનિરાજેના ચરણકમળની ઉપાસના કરવી. આત્મજ્ઞાન વિના ભવાંત થવાને નથી, માટે શુદ્ધસુગુરૂની સંગતિ કરી જ્ઞાનની પ્રાપ્તિ કરવી. સદૂગુરૂ ગમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સફળ જાણવું. સદગુરૂ પાસે જ્ઞાન શિખતાં વિવેક દ્રષ્ટિની જાગૃતિ થાય છે, અને તેથી પિતાના સ્વરૂપનું ભાન આવે છે, અને જ્યારે પોતાના આત્મસ્વરૂપનું ભાન આવ્યું, ત્યારે સત્ય જ્ઞાનને પ્રકાશ હૃદયમાં ભાસે છે, અને આત્માનુભવને આત્મસ્થિરતાથી અનંત સુખની લહરીનો વેદક આત્મા બને છે, અને આત્મસુખ વેદતાં, આત્મતત્વને પૂર્ણ પણે વિશ્વાસ થાય છે, અને જડ વાદને દેશવટો મળે છે. અનુભવજ્ઞાનથી, આત્મ સુખને ભેગ મળે છે, અને તેથી આત્મસ્વરૂપ રમણતામાં
For Private And Personal Use Only