________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૩).
અવિદ્યા નષ્ટ થઈ જાય છે, અને અવિદ્યાના નાશથી મુકતાત્મા પુનઃ જન્મ ધારણ કરતા નથી. ત્યારે હવે દેખો કે જ્યારે તે જન્મ ધારણ કરતો નથી, ત્યારે તે સંસારમાં શામાટે આવે છે ? જે તે પાછો આવે છે, તેમ માનશે તે, તમારા સત્યાર્થ પ્રકાશનું લખવું ભાંગ પીનારા મનુષ્યના વચનની પેઠે બકવાદરૂપ અસત્ય થયું. તેથી મુક્તિમાંથી સંસારમાં આવવું સિદ્ધ થયું નહીં. વળી અત્ર વિચાર કરે કે જન્મમરણરૂપ જે સંસારકાર્ય છે, તેનું કારણ અવિદ્યા છે, તે તે જ્ઞાનથી નષ્ટ થઈ ગઈ, તે તેથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કારણ રહ્યું નહીં. તેથી મેક્ષની સ્થિતિ સાદિ અનંતમા ભાગે સિદ્ધ કરી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
दग्ध बीजे यथात्यंत, मादुर्मवति नांकुरः ॥ कर्मवीजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १॥
બીજ બળે છે અને જેમ અંકુરો બીજમાંથી ઉગીનીકળતાં નથી; તેમ કર્મરૂપ બીજ બળે છતે સંસારમાં જન્મ મરણરૂપ ભવ પ્રાપ્ત થતું નથી. વળી મુક્તાત્માને ઈચ્છા માનવી તે પણ અગ્ય છે. જે મુક્તાત્માએ કૃત્ય કૃત્ય થયા છે, તેમને કોઈપણ પદાર્થની ઇચ્છા રહેતી નથી અને
For Private And Personal Use Only