________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫ )
સેરૂ પવ તને કપાવવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ પ્રગટે છે. પૃથ્વીનું છત્ર કરવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવામાં સમાયું છે. અવધિજ્ઞાન તથા મનઃ૫વજ્ઞાનની સંપદા પમાડનાર પણ અંતરાત્મપ્રભુની સેવાજ છે. શ્રીકૃષ્ણ અને શ્રેણિક નૃપને મુક્તિપદની પ્રાપ્તિ થશે, તે પણ અંતરાત્મપ્રભુના ધ્યાનથીજ સમજવું. રામ તથા પાંચ પાંડવાએ મુક્તિપદ પ્રાપ્ત કર્યું' તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાનું માહાત્મ્ય જાણવું. પેાતાની ભગિનીના ભાક્તા ચંદ્રશેખર રાજા પરમપદ પામ્યા, તે પણુ અંતરાત્મપ્રભુની સેવાથીજ. જાલી, મયાલી, અને ઉવયાલી, પણ શત્રુના જય કરનાર અંતરાત્મપ્રભુની સેવાથી મુક્તિપદ પામ્યા. સ્ક ંધકસૂરિના પંચશત શિષ્યા ઘાણીમાં પીલાતા છતા મુક્તિપદ પામ્યા, તે પણ અ- - તરાત્મ પ્રભુની ધ્યાનરૂપ સેવાથીજ જેટલા જીવ સિદ્ધ થયા થાય છે, અને થશે, તે સવ' તરાત્મપ્રભુની સેવાનુ માહાત્મ્ય જાણવુ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગયોગથી પણ આત્મપ્રભુનું સેવન કરવુ પડે છે. એ અષ્ટાંગયેાગનુ સાધન કરતાં, અનેક પ્રકારની શક્તિયા જાગે છે, તે પણ આત્મપ્રભુસેવનનું માહાત્મ્ય જાણવું. અષ્ટદૃષ્ટિપણું અંતરાત્મપ્રભુની સેવનારૂપ જાણવી. મુનિરાજનાં પાંચ મહાવ્રત ઉચ્ચરવાં, અને શ્રાવકનાં ખાર વ્રત ઉચ્ચરવાં, ઇત્યાદિ વ્રત
For Private And Personal Use Only