________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) નારૂપસેવાથી કેવલજ્ઞાન પામ્યાં. શ્રી ગૌતમસ્વામી અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપસેવા કરતા છતાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામી મુકત થયા. શ્રી સનતકુમાર અંતરાત્મપ્રભુની તારૂપ સેવાથી, લબ્ધિધારક થયા. શ્રી નદિષેણ અંતરાત્મપ્રભુની સેવાથી જ બોધ દેવાની શક્તિ પામ્યા. શ્રી વિષ્ણુકુમાર મુનિએ મેટું શરીર બનાવી, નમુચિને દાબી દીધો, તે પણ અંતરાત્મપ્રભુની તપરૂપ સેવાથી જ. વાલીએ રાવણને બગલમાં ઘાલી દેર, તથા અષ્ટાપદ ચાંપી રાવણને બૂમ પાડવાની પ્રેરણા કરાવી, તે પણ અંતરાત્મપ્રભુની સેવા કૃપાથી, શ્રી ભરતરાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરામપ્રભુની ભાવના ધ્યાનરૂપ સેવાને મહિમા જાણો. શ્રી પ્રસન્નચંદ્રરાજષિ કેવલજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી જ. શ્રી ગજસુકુમાલે મસ્તકે અગ્નિની વેદના સહન કરી તે પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ, ધર્મ ધ્યાન અને શુકલધ્યાનથી અંતરાત્મપ્રભુની સેવા ચાકરી થઈ શકે છે અને બહિરામપ્રભુની સેવા ચાકરી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી થાય છે. ગિયો અનેક પ્રકારની લબ્ધિશકિત પ્રાપ્ત કરે છે, તે પણ અંતરામપ્રભુની સેવાના માહામ્યથીજ સમજવું. અષ્ટસિદ્ધિ અને નવનિધિનું - કતાપણું પણું અંતરાત્મપ્રભુની સેવાની પ્રસાદી સમજવી.
For Private And Personal Use Only