________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮) સમા છે. હે આત્મન ! અન્ય જડવસ્તુમાં તું કદિ નથી, તે તેમાં પિતાને શા માટે શોધે છે? માટે આત્મજ્ઞાનથી સ્વસ્વરૂપનું દર્શન કર દેહ વાણુ આદિ ઔદયિકામાં તું તટસ્થ સાક્ષીરૂપે વર્ત. આત્મજ્ઞાનીને પિતાની ભ્રાંતિ, જ્ઞાન નથી દૂર થાય છે, અને તેથી કોઈ સાંસારિક પદાર્થમાં સ્વાર્થ પરાયણ થઈ મુંઝાતું નથી. માટે હે ચેતન ! તું તારું જ્ઞાન કર અને સ્ત્રીવિષયાદિકમાં સુખની બુદ્ધિ થઈ છે, તેને દૂર નિવાર. કારણકે સ્ત્રીવિગેરેમાં મોહ કર રેગ્ય નથી. એક અસંગ આત્માને બંધ કર. ઈન્દ્રિયાદિકના જે જે વિકારે છે, તે મોહજનિત છે. અને તે આત્મન્ ! તું તે તેવા વિકારોથી રહિત છે. જેમ સ્ફટિકરનમાં રાતા પુલ અને શ્યામ પુષ્પને પ્રતિભાસ પડે છે, તેથી સ્ફટિક રત્ન હું રાતું છું, વા કાળું છું, એમ માને, તો તે તેની સ્ફટિક બ્રાંતિ છે. તેમ આત્મારૂપ સ્ફટિકરત્નમાં પ્રતિભાસ રૂપે થયેલા રાગ અને દ્વેષાદિકને આત્મા પિતાના માને, તેમાં તેની ભ્રાંતિ છે. રાગ દ્વેષાદિ વિકારો આત્માના નથી, અને આત્મા તેથી સફટિકની પેઠે ત્યારે છે. વળી બીજું દૃષ્ટાંત નીચે મુજબ છે. જેમ કે એક તળાવ છે, તળાવની બાજુમાં ઘર છે, અને ઉપર ચંદ્ર સૂર્ય તારાઓ વિગેરે છે. સરેવરનું જળ પવનની લહેરેથી હાલક ડોલક થાય છે. તે વખતે ઘર ચંદ્રને પડછાયો જલમાં પડે છે, તેથી ઘર ચંદ્ર
For Private And Personal Use Only