________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ ) જ્યાં સુધી કેઈપણ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી મુક્તાત્મા કહેવાતું નથી. ઈચ્છા તે અધુરાને હોય છે. શું તમોએ મુક્તાત્મામાં કપેલી ઈચ્છા -જડ પદાર્થ સંબંધી છે કે ચૈતન્ય પદાર્થ સંબંધી છે ? પ્રથમ પક્ષ ગ્રહી કહેશો કે મુક્તાત્માને જડપદાર્થ સંબંધી ઈચ્છા છે, તે જડ પદાર્થમાં જે સુખ માને છે, તે બહિરા
મા કહેવાય; મુક્તામાં કહેવાય નહી. જડમાં સુખની ઈરછા વાળે અજ્ઞાની કહેવાય, સુખ તે આત્માનો ગુણ છે, જડને ગુણ નથી. બીજે પક્ષ ચડશે પુછવાનું કે, ચૈતન્ય સ્વરૂપ આત્માની પરિપૂર્ણતાની મુતાત્માએ પ્રાપ્તિ કરી છે, તે હવે કાર્ય સિદ્ધિ કર્યા બાદ ઈચ્છાની નિવૃત્તિ થવી જોઈએ. જેમ કે ઈ મનુષ્યને જલ પીવાની ઈચ્છા થઈ છે, અને જ્યારે જલ મળ્યું અને પીધું, ત્યારે જલપાનેચછાની શાંતિ થાય છે, તે પ્રમાણે જીવાત્માને પણ અનંત સત્ય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. જ્ઞાન કિયાથી જીવાત્મા પોતે મુક્તાત્મા થઈ, અનંત સત્ય સુખ પામે, તે ઘછી ઈચ્છાને નાશ થવો જોઈએ. કારણ કે, સુખ પ્રાપ્તિ રૂપ કાર્યનું કારણ સુખેછા છે, તે કાર્ય પૂર્ણ થયા બાદ રહેતું નહી. પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થએલાને કોઇ સુખની ન્યૂનતા નથી કે જેથી સુખેચ્છા પણ હેય. એ પ્રમાણે ઈચ્છાને નિષેધ મુક્તાત્માને જાણ. ત્રીજો પક્ષ પણ મુક્તાત્માને ઘટતું નથી. મુક્તા
For Private And Personal Use Only