________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ગળ આવરણને લીધે ચક્ષુદર્શનમાં ઝાંબ પડે છે, તેને મેતિયારૂપ, પગલાવરણને દાક્તરીયપ્રગથી નાશ થતાં ચક્ષુદર્શનને સ્પષ્ટભાસ થાય છે. તે પ્રમાણે આત્મગુણોની પ્રગટતામાં પણ સમજવું. ક્ષપશમ ભાવોગે મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ ગુણોની ઉત્પત્તિ થાય છે. ક્ષાયિકભાવે કેવલજ્ઞાન અને કેવલ દર્શનાદિ ગુણોની ઉત્પત્તિ જાણવી.
શુદ્ધસ્વભાવે રમણું કરવાથી, આત્મામાં અનંત ઋદ્ધિને પ્રકાશ થાય છે. તે આત્મા ! તારી શુદ્ધસત્તાનું સ્મરણ કર. તું અજ્ઞાનાંધકારમાં સ્વભાન ભૂલી કેમ આથડે છે? પિતે સિંહ છતાં, કેમ અજવૃન્દમાં પિતાને અજ કલ્પી બેઠે છે? આ શું અંતમાં સમજાતું નથી ? આટલે શા માટે મેહ ? શા માટે આટલી ચિત્તની અસ્થિરતા? શા માટે તું ધૂમાડાના બાચકાસમાન માચાને ગ્રહણ કરવા ઈચ્છે છે? અહે ! આત્મા છેલ્લી બાજી જીતી લે. સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ છે, અમૂલ્ય ક્ષણ જાય છે, ચેત !! કઈ પણ મનુષ્ય અનેકકલેશદ્વેષ સંતતિ દાયકપરસ્વભાવ રમણથી કિંચિત્ પણ સત્ય સુખ પામ્યા નથી, અને પામશે પણ નહિ. સ્વપ્ન પદાર્થ વત્ ક્ષણિપૌદ્ગલિક પદાર્થસાર્થમાં, ઈષ્ટ વા અનીષ્ટબુદ્ધિ અજ્ઞાનથી કલ્પીને જીવે, ગટ-નિષ્ફળ જીવન ગાળે છે. અહીં કેટલી મૂર્ખતા !!! રાજા સમાન આત્માને રંક સમાન,
For Private And Personal Use Only