________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
મહાદુ:ખ પ્રાપ્ત થશે. અને એવી તેા ઘેન ચડશે, કે તેથી મરણુ શરણુ થવુ પડશે. વળી હું ચેતન ! માર્ગોમાં ચાલતાં મેહરૂપ પલ્લિપતિ આવે છે, તે અનેક પ્રકારે તને છેતરવા પ્રયત્ન કરશે; પણ તેથી તુ છેતરાઇશ નહીં. અભિમાનરૂપ અજગર માર્ગમાં પડયા છે, તેથી સાવધાન થઈ ચાલજે, મા માં જતાં પરભાવરૂપસિંહ, મેાહકાનનમાં વસે છે, તેનાથી દૂર રહી ચાલજે. પ્રમાદદશારૂપ પિશાચિનીને અપ્રમત્ત મંત્રથી જીતી લેજે. વિવેકરૂપચક્ષુથી, સિદ્ધા માગે જોઇ જોઇને ચાલતાં, તુ આત્માસ ખ્યપ્રદેશરૂપ નગરને પ્રાપ્ત કરીશ. આ નગર પ્રતિ કેટલાક પુરૂષા ગમન કરવાની ઇચ્છા ધરાવે છે, પણ ગમન કરતા નથી. વળી કેટલાક પુરૂષા કઇક સમજીને ગમન કરે છે, પણ પથમાં પૂર્વોકત ચારા વગેરેથી સપડાઇ જાય છે. કેટલાકભળ્યેા પ્રમાદ દશામાં પૂૉકત નગરનું સ્વરૂપ પણ સમજી શકતા નથી. કેટલાક આસન ભવ્યજીવા! આવા સત્યનગરપ્રતિ ગમન કરી, સ્વવાસ પ્રાપ્ત કરે છે, માટે હે ભવ્યજીવ ! તુ ચેત, અને આ છેલ્લી આજી જીતી લે. શા માટે મેહમાયાથી જન્મ મરણ કરે છે ? અમરપદ પ્રાપ્ત કરવું પુરૂષાર્થાંધીન છે. હે જીવ ! હવે ઝટપટ ચેતી લે, અને શુદ્વૈતના તને કરગરીને કહે છે કે પેાતાના સ્વરૂપની પ્રાપ્તિ કર. આવી શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી, આત્મા નિર્વાણ પ્રતિ લક્ષ આપવા લાગ્યા.
For Private And Personal Use Only