________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) છે. શ્રી વીરભગવાન્ સંસારાવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન સહિત હતા. તે પણ ગૃહસ્થાવાસમાં ભોગાવલિ કર્મના ઉદયે રહ્યા હતા, અને પંચંદ્રિય વિષયભેગની સામગ્રી ભોગવતા હતા, પણ વૈરાગ્યબળ અને જ્ઞાનબળથી અંતથી ન્યારાવર્તી, ઉદાસીનપણે જલપંકજવત અલેપ રહેતા હતા, અને જ્યારે ભેગાવલીકર્મને ઉદય ક્ષીણ થઈ ગયે, ત્યારે લીંટની પેઠે ગૃહસ્થાવાસને ત્યાગ કર્યો. ક્ષપશમની ઇન્દ્રિયો દરેક પોતપોતાનું કાર્ય કરી શકે છે, પણ તે ઈન્દ્રિયોના વિષયમાં રાગ વા શ્વેષભાવ ધારણ કરવાથી કર્મબંધ થાય છે. અજ્ઞાનીને ઈન્દ્રિયગ્રાહ્મવિષયમાં રોચક વા અચકભાવ બંધાઈ ગયા છે. જ્ઞાનીને એમાંનું કશું નથી. જ્ઞાની પણ ખાય છે, અજ્ઞાની પણ ખાય છે, જ્ઞાની પણ ચાલે છે, અજ્ઞાની પણ ચાલે છે, જ્ઞાની જળ પીએ છે, અજ્ઞાની પણ જલ પીએ છે, જ્ઞાની દરેક રંગ દેખે છે, અને અજ્ઞાની પણ અનેક રંગ દેખે છે. પણ બંનેમાં એટલે ફેર છે કે, જ્ઞાનીની ભેદદષ્ટિ ખૂલી છે, અને અજ્ઞાનીની ભેદદષ્ટિ ખૂલી નથી. અજ્ઞાનીની દષ્ટિમાં બાહ્ય પદાર્થોમાં સુખ ભાસે છે, ત્યારે જ્ઞાનીની દૃષ્ટિમાં અંતરુ આત્મસ્વરૂપમાં સુખ ભાસે છે, અજ્ઞાની, બાહ્ય પ્રતિષ્ઠામાં પિતાના જીવનની સાફલ્યતા સમજે છે, ત્યારે જ્ઞાની બાહ્યપ્રતિષ્ઠાને નાકના મેલ સમાન ગણ, આત્મસ્વરૂપની સ્થિ
For Private And Personal Use Only