________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭ ). તેને સુખ ભાસતું નથી. જ્ઞાની આત્મા વિના અન્યત્ર સુખને લેશ પણ દેખી શકતા નથી. અજ્ઞાની પુગલાનંદી હોય છે, અને તે પુદ્ગલાનંદીનાં લક્ષણ શ્રી અધ્યાત્મસારમાં પરમજ્ઞાની ઉપાધ્યાયજીએ સારી રીતે વર્ણવ્યાં છે. જ્ઞાની થવાથી કંઇ શરીરમાં ફેરફાર થઈ શક્તા નથી. જ્ઞાનીને ઓળખવા માટે બાહા લક્ષણ આભૂષણાદિક નથી, પણ જ્ઞાનીને ઓળખાવનાર આત્મજ્ઞાન છે. માટે જે આત્મજ્ઞાનીએ આત્મસ્વરૂપમાં સુખ દીઠું છે, તેને બહારના કોઈપણ પદાર્થમાં સુખ પ્રતિભાસતું નથી અને બાહાના પદાર્થોમાં થાવત્ પયંત સુખબુદ્ધિ છે, તાવત્ પર્યત આત્મતત્ત્વમાં સુખની બુદ્ધિ થઈ નથી; એમ સમજવું. બાહ્યાના ભેગાદિક પદાર્થોમાં સુખબુદ્ધિ જેને હેય છે, તે મિથ્યાત્વી કહેવાય છે. સત્ય અનંતસુખ આત્મામાં જ છે. એવી પૂર્ણ શ્રદ્ધા થઈ નથી, ત્યાં સુધી જીવ અજ્ઞાની જાણ. આત્મામાં જ જ્ઞાનીને પૂર્ણ સુખની શ્રદ્ધા હોય છે. તેથી તે સમકિતી કહેવાય છે. તેથી જ્ઞાનીની કિયા મોક્ષમાર્ગ સાધનારી થાય છે. આત્મામાં જ સત્ય પૂર્ણ સુખની દ્રઢ અવિચળ શ્રદ્ધા થવાથી જ્ઞાની ચારિત્રહનીયાદિ કર્મને ક્ષય કરવા માટે, ઉપાધિભૂત સંસારાવસ્થા ત્યાગી, પંચમહાવ્રત અંગીકારરૂપ વ્યવહારચારિત્ર અંગીકાર કરી, નિર્વત્તિપદ સેવે છે. હવે વિચારે કે એવા જ્ઞાનીને બાહ્યપૌગલિક ભેગ તે
For Private And Personal Use Only