________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) મીનું વર્ણન લેશ માત્ર કર્યું, હવે અશુદ્ધ પરિણતિનું સ્વરૂપ કહે છે.
રા, काल अनादि प्राणीने, वर्ते छे अज्ञान ।। वृद्धिगत थातां क्रमे, प्रगटे लौकीक भान ॥१८॥ अहंकृत्युद्भव थतां, अशुद्ध परिणति पोष । अहंवृत्ति छ ज्यां लगे, मिटे न तावद्दोष ॥ १९ ॥
ભાવાર્થ-અનાદિકાળથી પ્રાણીને અજ્ઞાન વર્તે છે, અનંતકાળથી નિગોદમાં જીવી રહ્યા છે. ત્યાં પણ અજ્ઞાન વર્તે છે. જેમ જેમ છવ નિગોદમાંથી નીકળી ઉચ્ચગતિ એકેન્દ્રિય બેન્દ્રિય વિગેરેમાં આવ્યું, તેમ તેમ અવ્યક્તભાવે રહેલું જે અજ્ઞાન, તે કિંચિત્ વ્યક્તપણે પ્રગટવા લાગ્યું ક્રમે ક્રમે વ્યક્તપણે અજ્ઞાનની વૃદ્ધિ થવા લાગી. પંચેન્દ્રિય અવતારમાં પણ અજ્ઞાન વર્તી રહ્યું છે. અને તે અજ્ઞાનથી દુનિયાના વ્યવહારના અભ્યાસમાં પ્રવર્તતાં લૌકિક અજ્ઞાન વૃદ્ધિ પામી, આ હું અને આ મારો, એવું લૌકિકભાન થવા લાગ્યું અને તે અજ્ઞાન દ્વારા અહંવૃત્તિને ઉદ્દભવ થવા લાગે, અને તેથી હું અને મારૂં એવા પ્રપંચથી અહંવૃત્તિ સંસ્કારની પુષ્ટિ થવા લાગી. અને તેથી જીવ દુનીયાના વ્યવહારમાં સગાં વહાલાં, ધન, કુટુંબ, પુત્ર, સ્ત્રી
For Private And Personal Use Only