________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધ છે અને તે
૨ થશે
( ૧૧ ) થી અશુભ શ્રેષને નાશ થાય છે. અનુક્રમ દશાએ રાગદ્વેષને નાશ કરવા પ્રયત્ન કરે. કોધ, માન, માયા અને લેભાને પણ રાગ દ્વેષમાં સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ શ્રી યશવિજયજી ઉપાધ્યાકૃત અધ્યાત્મમત પરીક્ષામાં સારી રીતે વર્ણવ્યું છે. વિભાવ દશાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. વિભાવ દશામાં રમણતા કરવાથી, અશુદ્ધ ષકારકને કર્તા આત્મા અનાદિકાળથી થયો છે, તેથી જ પરવસ્તુમાં અહંઅને મમત્વ અધ્યાસ બંધાયે છે. માટે વિભાવદશા પણ અગ્રાહા સમજી, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. મિથ્યાત્વ, અવિરતિ આદિ પણ અગ્રાહ્ય જાણું, ત્યાગ કરવા ચગ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ અને કાલ આ પંચદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન ઉપાદેય છે. નવતત્વમાં પણ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તત્વત્યાગ કરવા લાયક છે. અને પુણ્ય વ્યવહારથી ગ્રાહ્ય છે, અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે, સંવર, મેક્ષ અને નિર્જરાતત્ત્વ ઉપાદેય છે. વિવેકદષ્ટિથી જોતાં શુદ્ધ આત્મ તત્વ ઉપાસ્ય છે, તેની ઉપાસના કરવાથી આત્મા તેજ પરમાત્મા રૂપ થાય છે, આત્માના ગુણપર્યાયનું સ્મરણ, ધ્યાન, નિદિધ્યાન કરવું. આત્મા એજ પ્રભુ છે. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ ઉપયોગથી મરવું. તે સંબંધી તાકિક ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ગાવે છે કે –
For Private And Personal Use Only