________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦).
જોઈ લેવું. અત્ર તે સામાન્યતઃ વર્ણન કર્યું છે. પુણ્ય અને પાપનાં પુદ્ગલે પણ આત્માથી જુદાં છે. આત્મા, પુણ્ય અને પાપથી ભિન્ન છે એમ સમજીને તેમાં રમણતા કરવી, પુગલ દ્રવ્યના સ્કંધે અગ્ય અને અગ્રાહ્યા છે, પણ ચેતન વિભાવદશાથી, તેને ગ્રહણકર્તા તથા ભોક્તા અનાદિકાળથી આત્મા બન્યા છે, અભવી જીવને પુણ્ય પાપ અનાદિ અનંતમે ભાંગે છે, અને ભવ્યજીવને પુણ્ય ને પાપ અનાદિસાંત ભાંગે છે. પુણ્ય સુવર્ણની બેડી છે, અને પાપ લેહની બે છે. પુણ્ય છાયા સમાન છે, અને પાપ તડકાસમાન છે. પુણ્ય વ્યવહારથી આદરવા લાયક છે અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે. પુદગલ છે જે જે આત્માની સાથે લાગ્યા છે, તે સર્વ રાગ અને દ્વેષથી લાગ્યા છે. જ્યારે રાગ અને દ્વેષને ત્યાગ કરવામાં આવે છે, ત્યારે કર્મ રૂપ પુગલ
ધોનું આવાગમન આત્માની સાથે થતુ નથી. રાગદ્વેષ પરિણતિથી કર્મ ગ્રહણ થાય છે, માટે તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરી જોઈએ, રાગ અને દ્વેષના પણ ચાર ભેદ છે. શુભરાગ, અને અશુભરાગ; અને શુભદ્રેષ, અને અશુભદ્રેષ, એ ચાર ભેદે છે તે પણ નિશ્ચયથી અગ્રાહ્ય સમજવા. રાગ અને દ્વેષ ગુણસ્થાનકની હદે નાશ થાય છે, માટે તેને નાશ કરવા વ્યવહાર ચારિત્રને અંગીકાર કરવું. શુભ રાગથી અશુભ રાગને નાશ થાય છે, અને શુભ દ્રષ
For Private And Personal Use Only