________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશારૂપ દાસીના પુત્રો જગમાં દાસજ જાણવા. આ શાથી લેશમાત્ર પણ સુખ મળતું નથી. આશાને નાશ થતાં, કશું અવશેષ રહેતું નથી. અહે ! આ જીવ આશાના
ગે અનેક પ્રકારના વિકલપ સંક૯પ કરે છે, તેમજ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ સુખ નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે
आशा मारी आसन घरघटमें, अजपाजाप जपाये । आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे ॥
ઇત્યાદિ-અનાદિકાળથી મહના વશથી આ જીવ પરપુદ્દગલ વસ્તુમાં સુખની આશા રાખે છે, તેનું કારણ અજ્ઞાન છે; જે આત્મજ્ઞાન થાય, તો પરવસ્તુમાં અહંપણું જીવ શા માટે ધારણ કરે? જે પુદગલ વસ્તુઓ એક ક્ષણમાં અન્ય રૂપ ધારણ કરે છે, તેવી જડ વસ્તુઓમાં જીવ પિતાપણું કપે નહીં. તે તે સુખી છે, જે વસ્તુઓની આશા રાખવામાં આવે છે, તે વસ્તુઓ સર્વ પ્રાપ્ત થાય એ કાંઈ નિયમ નથી. તેમ તે વસ્તુઓથી સુખ પણ થતું નથી, એમ અનુભવથી જોવામાં આવે છે. આશારૂપ દાસીના પ્રેમથી ફસાએલ આ જીવે અનેક શરીર ધારણ કરી, અનેક સંકટે વેઠયાં, તે પણ હજી તેને કંઈ સુખ પ્રાપ્ત થયું નહીં. અને થનાર પણ નથી. માટે ભવ્યજીએ આશાથી દૂર રહેવું. પાણી વાવતાં કદી માખણ નીકળનાર નથી. જેમ
For Private And Personal Use Only