________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૨) સંતતિથી સમયે સમયે ઘણું કર્મ વગંણાએ ખેરવી દેતાં આમા પોતાના ગુણ પ્રગટાવી,પિતાને જ આપે છે. આત્મા પોતાના સ્વરૂપમાં રમતા કરે, તે તે પોતાના પર રીઝી, પરમાત્મદશા પ્રગટાવે. અહા ! આત્મા જીન છે. આત્મા તે પરમાત્મારૂપ છે. સર્વ કર્મને જય કરનાર. આત્મા માટે આત્માને જીન કહેવામાં આવે છે; હવે તે જીન સમાન આત્મા પિતાના સ્વરૂપને ભક્તા હોઈ પોતાનું પદ ગ્રહણ કરતાં કેમ દીન એટલે રંક બને ! અર્થાત્ વિલાસ પરિણામની વધતી ધારાએ કદી દીન થાય નહીં, અને સ્વધ્યાનમાં રહી, અનંતજ્ઞાન રૂપ ઝગઝગ કરતી જ્યોતિ જગાવે. અનંતા છએ આવી પૂર્ણતિ પ્રગટ કરી અને કરે છે. આ અસંખ્યપ્રદેશી આત્મા તે નિર્ભય છે. આત્મપ્રદેશમાં કંઈ પણ ભય નથી, અભયરૂપ અસંખ્ય પ્રદેશમાં વાસ કરતાં અનંત સુખની ખુમારી પ્રગટે છે. જે ભવ્ય આત્માનુભવથી આવું સ્વરૂપ સમજે છે, તે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે, આત્મધ્યાનને જે ભવ્ય કરે છે, તે આ સંસારચક્રમાં જન્મ મરણ ધારણ કરતું નથી. આત્માની અનંતશક્તિની ઉપાસના મૂકી, અન્ય કાર્યમાં લક્ષ દેવું, તેનું ભાષણ કરવું તે નિશ્ચય નયની અપેક્ષાએ વાગજાલ જાણવું. આત્માથી જીવેનું આત્મ તત્ત્વમાંજ લક્ષ્ય લાગે છે; અને તેની જ ચાહના આત્માર્થીઓને રહે છે; જેણે સત્ય વિવેક ધારણ કરી, આત્મત
For Private And Personal Use Only