________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩) ત્ત્વની ઉપાસના-સેવના-ભક્તિ કરી, તેજ તત્ત્વજ્ઞાની કહેવાય છે. આનંદઘનજી મહારાજ કહે છે કે-હે મુનિસુવ્રત સ્વામી ! આપ કૃપા કરે તે પરમાત્મતત્વ પામીએ, એકાંતનયવાદને પરિહાર કરી, અનેકાંતનયવાદ ગ્રહણ કરી, આત્મા સ્વરૂપાલંબન કરવું. શબ્દબ્રહ્મ અને, પરબ્રહ્મ એ બે બ્રહ્નનું સ્વરૂપ ગુરૂગમથી અવધારવું. અનુભવજ્ઞાનમાં ગુરૂગમ વિના પ્રવેશ થતો નથી. સદગુરૂ મુનિરાજની ઉપાસના કરવી, તેમને વિનય કર. તેમની વૈયાવચ્ચ કરવી. ગુરૂની આજ્ઞા મન વચન અને કાયાએ કરી પાળવી. સદ્દગુરૂ મુનિ રાજને આહારદિક વહેરાવવાં. ગુરૂ ગામની નજીક આવ્યા હોય, તે વાજતે ગાજતે તેલ લાવવા. ગુરૂરાજ અન્યત્ર વિહાર કરે, ત્યારે પિતાની શક્તિ મુજબ પહોંચાડવા જવું. ગુરૂ ઉભા હોય તે બેસવું નહીં, બેઠા હોય તે શયન કરવું નહીં. ગુરૂ ઉભા થાય તે સર્વ શિષ્યએ ઉભા થવું. ગુરૂશ્રી વહરવા આવ્યા હોય, તે સર્વ કાર્ય પડતાં મૂકી સામા જવું. ગુરૂની પાછળ ગુરૂના ગુણ ગાવા તથા સર્વ લોકેની આગળ ગુરૂની સ્તુતિ કરવી, ગુરૂનું બહુમાન કરવું, કોઈ ગુરૂરાજના અવર્ણવાદ બેલતે હેાય, તે તેને અટકાવી, નિરૂત્તર કર. ગુરૂરાજની નિંદા શ્રવણ કરવી નહીં. ગુરૂને ત્રણ પ્રદક્ષિણ તથા ત્રણ ખમાસમણ દઈને શાતા પુછવી, પશ્ચાત્ ખમાસમણ દઈને અભુઠ્ઠિઓ અભિંતર પામવું..
For Private And Personal Use Only