________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨) કાળીચૌદશના જેવું અંધારું વ્યાપી રહ્યું છે. અર્થાત્ દુનિયાના જીવમાં અજ્ઞાનરૂપી અંધારૂં મહાઘેર વતી રહ્યું છે, તે પણ અહંવૃત્તિનું જ ઘેર જાણવું. જેમ અંધકારથી વસ્તુને દેખી શકાય નહીં, તેમ મિથ્યાત્વરૂપ અંધકાર છતાં આત્મદર્શન થવું દુર્લભ છે. જેમ અંધકારથી એક બીજાને ઓળખી શકાતું નથી, તેમ અજ્ઞાનરૂપ અંધકારથી જડ અને ચિંતન સ્વરૂપ જાણી શકાતું નથી. માટે તે પણ અહંવૃત્તિને ઉદય જાણુ, અહંવૃત્તિને ઉદય મહા બળવાનું છે. અહંવૃત્તિરૂપ સમુદ્રમાં સર્વછ બૂડે છે, વિરલા તરી શકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે અહંવૃત્તિનાશક કેઈ બળવાનું શરણ છે ? કઈ બળવાન વસ્તુ છે કે જેના આધારે અહંવૃત્તિને છતી શકાય ? એવા પ્રશ્નનો ઉત્તર નીચેના દુહાથી આપે છે,
ज्ञानप्रकाशक ज्ञानिना, वाणीनो आधार ॥ जगमा वर्ते जीवने, पञ्चमआरमझार ।। ४१ ॥ ज्ञानी सद्गुरु सेवतां, अहंकृत्तिनो नाश ॥ सत्यज्ञान प्रगटे हृदि, करतुं तत्त्वप्रकाश ॥ ४२ ॥
ભાવાર્થ-જ્ઞાનને પ્રકાશ કરનાર જ્ઞાની સદ્ગુરૂને આધાર આ જગમાં ભવ્યજીને વતે છે. પંચમ આરામાં જ્ઞાની સદ્દગુરૂની ઉપાસનાથી અહંવૃત્તિનો નાશ થાય છે. શ્રીસદ્દગુરૂની ઉપાસના થયા વિના અહંવૃત્તિની વૃદ્ધિ થયા કરે
For Private And Personal Use Only