________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ક્ષત્રિય છું. એ અજ્ઞાનમૂલક દઢાધ્યાસ બંધાઈ જાય છે. તેથી ક્ષત્રિયાભિમાની બની ભ્રમજાળમાં સપડાય છે. બ્રાહ્યણીની કૂખે જન્મતાં, હું બ્રાહ્મણ છું. વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ મિથ્યાદઢાધ્યાસ અજ્ઞાનતઃ બંધાઈ જાય છે, અને તે મહાપ્રયને સશુરૂસંગથી છૂટે છે ત્યારે હું તે આત્મા છું, એમ સત્યજ્ઞાન પ્રગટે છે. વૈશ્યને ત્યાં જન્મ થતાં, હું વૈશ્ય છું, મારાં અમુક કાર્ય છે, એમ બહિરાત્મપણાથી વૈશ્ય જાતિમાં અહંવૃત્તિની જાગૃતિ થાય છે. ક્ષુદ્રને ત્યાં જન્મ થતાં હું શુદ્ર છું, એમ દઢ અધ્યાસ બંધાય છે. યવનને ત્યાં જન્મ થતાં, હું યવન છું, એમ અહંવૃત્તિરૂપ દઢ અધ્યાસ બંધાય છે. ચીનાને ત્યાં જન્મ થતાં હું ચીને છું, એ દ્રઢ અધ્યાસ બંધાઈ જાય છે. વળી ઉત્તમ કુળમાં જન્મ થાય, તે મનમાં અહંકારથી વિચારે કે સર્વ મનુષ્યમાં હું શ્રેષ્ઠ છું; એવી રીતે આત્મા અહે! બહિરાત્મભાવથી પિતાને જ્યાં જન્મે,
ત્યાં તે માની લે છે. અહ! સદાકાળ અજ્ઞાનમૂળ અહંવૃતિની જાગૃતિમાં, આત્મા પિતાની જાગ્રતવસ્થા સ્વીકારે છે; અહો ! આવી રીતે આત્મા જ્યારે બાહાભાવમાં પિતાને કલ્પી લે છે, તે તે પરમાત્મસ્વરૂપ શીરીતે પ્રાપ્ત કરી શકે? જેમ કે મનુષ્ય પોતાને રાજા છતાં, ભિક્ષુક કલ્પી લે, તે તેની કેટલી અજ્ઞાનાવસ્થા ! તેમ આ આત્મા બહિરાત્મભાવમાં, પિતાને કલ્પી, મહાદુખપાત્ર બન્યા છે. જેમ
For Private And Personal Use Only