________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪ ) કે જેથી ધર્મ વ્યવહારમાં પણ મારા ગુરૂ, મારા શિષ્ય, મારા દેવ, એમ વ્યવહાર કરતાં દેષ સમજાય નહીં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, ગુરૂ અને ધર્મમાં પણ મારા સાધુ, મારા દેવ, વિગેરે શબ્દો બોલતાં કઈ જાતને દોષ નથી, વા તે શબ્દ દોત્પાદક નથી. પરંતુ ઉલટા ગુણોત્પાદક છે. જ્ઞાની પુરૂષ આવી રીતે ધર્મમાર્ગમાં શબ્દવ્યવહાર કરે છે, પણ બંધાતા નથી. કારણ કે તે સ્વ અને પરવસ્તુના ભેદને જાણનાર હોય છે. અધર્મવસ્તુ કરતાં ધર્મોત્પાદકનિમિત્તકારણભૂત દેવગુરૂ ઉપર પ્રશસ્ય રાગ થાય, તે તે વ્યવહારમાં પ્રશસ્ય છે કારણ કે તેથી ઉપાદન કારણરૂપ જ્ઞાન દર્શનચારિત્રને લાભ મળે છે. સાધુમાર્ગમાં તે પ્રમાણે વ્યવહારધર્મ પ્રવર્તન અર્થે અમુકના શિષ્ય અમુક વિગેરે નામ પાડવામાં આવે છે, તેથી કંઈ દોષ થી. શબ્દવ્યવહાર વિના વ્યવહારધર્મમાં પ્રવેશ થતો નથી અને વ્યવહારધમ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ થતા નથી. માટે આવા પ્રકારના શખવ્યવહાર કરતાં, જ્ઞાની ધર્મવૃદ્ધિ સાપેક્ષપણે કરે છે એમ જે ન માને, તે નામ નિક્ષેપોનુ ઉત્થાપન કરે છેઅત્રે પ્રસંગનુસાર લખવાનું થયું છે તે અહંવૃત્તિરૂપ પરિણામ કરવાથી કર્મબંધ છે, તેને ઉદ્દેશ છે, પણ તેથી શબ્દ માટે કોઈએ વિપરીત અર્થ ગ્રહણ કરે નહીં. અહંવૃત્તિરૂપ અશુદ્ધપારણુતિની વ્યાખ્યાને જ અત્ર ઉદ્દેશ છે.
For Private And Personal Use Only