________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ચારિત્ર અવસ્થા ગાળી હતી, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું. તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા તમેએ જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, માતેલા સાંઢની પેઠે અહનિશ ચિત્તવૃત્તિને દુનીચાના વ્યવહારમાં ગમે ત્યાં ફરવા દે, તેથી તમારે અને શુદ્ધ પરિણતિને આકાશ અને પાતાળ જેટલું અંતર રહે છે. શુદ્ધ પરિણતિ તમારા આત્માથી દૂર નથી, તમારી પાસે જ સદા કાલ વસે છે. પણ તમારાજ પ્રમાદથી તે તિભાવે વર્તે છે. જે તમે આત્માભિમુખતા સાધવા અર્થે શુદ્ધજ્ઞાન અને જ્ઞાનવડે બાહ્ય પ્રપંચથી તથા રાગદ્વેષાદિ આંતર પ્રપંચથી દૂર રહી, પ્રયત્ન કરે, તે તે પ્રગટ થયા વિના રહેવાની નથી. તમારા ઉદ્યમમાં ખામી છે, તમે શુદ્ધપરિણુતિ કરવા અર્થે આજ સુધી દ્રઢ સંકલ્પ કરી, ખરા પ્રેમ તથા પ્રયત્નથી જોડાયા નથી. શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મસ્વભાવમાં પરિણમે, અને પરસ્વભાવમાં પરિણમે નહીં તેની તે હું દાસી થઈને રહું છું. પણ જે જીવ અશુદ્ધ પરિણતિનું સેવન કરે છે, અને તેનામાં જ રાગદ્વેષથી પરિભુમી રહે છે, તેનાથી હું તેની પાસે છતાં દૂર છું. વળી શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મધ્યાનથી સ્વસ્વભાવમાં રમણતા-લીનતા-એકતા કરે છે. તેની હું રાગીણી થાઉં છું. મારી પ્રાપ્તિ કરનાર આત્માને સદાકાળ અખંડ અનંત સુખ સમયે સમયે મળે છે. મારી પ્રાપ્તિ
For Private And Personal Use Only