________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) રાગ ભગવંતે આ છ દ્રવ્ય કથન કર્યો છે. દુનિયાનાં દરેક તને આ પડ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વૈશેષિકર્શન, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, આ સાત પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિગૂ, આત્મા, મન આ નવ દ્રવ્યના ભેદ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, જે સચિત્ત હોય તે તેઓને જીવમાં સમાવેશ થાય છે, અને અચિત્ત હેય તે, તેઓને અજીવમાં સમાવેશ થાય છે. આકાશ તે દ્રવ્યજ ભિન્ન છે. દિકને આકાશ દ્રવ્યમાં સમાવેશ થાય છે. કાલ દ્રવ્ય ભિન્ન છે. આત્મા દ્રવ્ય ભિન્ન છે. અને મનના બે ભેદ છે, તેમાં દ્રવ્ય મન જે પગલા સ્વરૂપ છે, તેને પુગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે, ગુણ એ કંઈ દ્રવ્યને ત્યાગ કરી અન્યત્ર રહેતું નથી, તેથી તેને ભિન્ન પદાર્થ કલ્પ વ્યર્થ છે. કર્મને સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં થાય છે. સામાન્ય અને વિશેષ એ બે તે વસ્તુના ધર્મ છે, તેથી તેને છ દ્રવ્યના ધર્મમાં જ સમાવેશ થાય છે, તેથી અન્ય પદાર્થ કલ્પના કરવી વ્યર્થ છે. સમવાય એક જાતને સંબંધ છે. તેને પણ પડ દ્રવ્યમાંજ સમાવેશ થાય છે. અભાવ એ નાસ્તિ સ્વરૂપ છે. અને નાસ્તિતા રૂપ ધર્મ છે. તે ધર્મ વિના રહી શકે નહીં. પડદ્રમાં પરસ્પર નાસ્તિતા રહી છે. માટે અભાવ પણ પદ્રવ્યમાં પ્રવિષ્ટ થાય છે. નૈયાયિક મતમાં પ્રમાણુ પ્રમેયાદિ શેલ
For Private And Personal Use Only