________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
શુદ્ધ પરિણતિના ધારક સિદ્ધાત્મા છે, અને કેવળજ્ઞાનીઓ છે. નિત્ય આનંદના આધારભૂત તે શુદ્ધપરિણતિ કોઈ પણ કાળે પિતાનું સ્વરૂપ ત્યાગતી નથી. શુદ્ધપરિણતિ સાદિ અનંતમાં ભાંગે છે. એવી શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવા આત્માથી ભવ્યજીએ આત્મસન્મુખતા સેવવારૂપકિયા કરવી જોઈએ, જીવ અને પુદગલની વહેંચણી કરી, આત્મા દ્રવ્યને પુદ્ગલથી ભિન્ન ધારી, તેના સ્વરૂપમાં એક સ્થિર ચિત્તથી રમણતા કરવાથી, શુદ્ધ પરિણતિ સન્મુખ ગતિ કિંચિત્ કિંચિત્ અંશે થશે. અને જે જે અંશે આત્મ સ્વરૂપમાં લીનતા થશે, તે તે અંશે શુદ્ધ પરિણતિને અનુભવ આત્માને થશે. શુદ્ધ પરિણતિ એ અરૂપી છે, અને અરૂપી શુદ્ધ પરિણતિને અનુભવ પ્રાપ્ત કરે એ દુર્લભ વાત છે. અરૂપી આત્મસ્વરૂપમાં રમણતા કરે, તે તેથી અરૂપી શુદ્ધ પરિણતિ શી વસ્તુ છે, તેને અનુભવ થઈ શકે. બાહા પદાર્થોમાં અહનિશ મનમર્કટ પરિભ્રમણ કર્યા કરે, અને શુદ્ધ પરિણતિને અનુભવ કરવો એ વાત ભસવું અને આટે ફાકવા બરાબર છે, માટે અરૂપી એવા આત્માનું ધ્યાન કરે, ચિત્તને બાઢામાં એક પરમાણુ માત્રને વિચારમાં પણ જવાદે નહી. એમ એક મીનીટ, બે મીનીટ, અર્ધ
કલાક, પિણે કલાક, એમ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ થિરેગ કરવાને અભ્યાસ કરે. અને પછી જુઓ કે પ્રથ
For Private And Personal Use Only