________________
૨૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ. સમયે નવા નવા પાપે ઉપાર્જન કરશે. ચારે કષા અને હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, તથા પરિગ્રહ જે મેટામાં મોટાં પાપો કહેવાયા છે. તેમની અવિરતિ તથા જેમની ઉપર સચ્યજ્ઞાન તથા સમ્મચારિત્રને પડછાયો પડયો નથી તેવા મન, વચન અને કાયાના ગે પણ આપણે આત્મા પ્રતિ સમયે જે પાપસ્થાનકે સેવે છે. સેવરાવે છે અને સેવનારને અનુદે છે, તે આશ્રવ કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ સાધક જે આશ્રવતત્વને ત્યાગ નથી કરી શકતું તથા આર્યદેશ, આયખાનદાનીમાં જન્મીને જે મહાવીર સ્વામીના શાસનની મર્યાદામાં નથી આવતા તેવા શ્રીમત્તે, સત્તાધારીઓ, પણ ભયંકરમાં ભયંકર પાપકર્મો ઉપાર્જન કરે છે. અને ભવ–ભવાન્તરમાં અત્યંત દુઃખદાયી અસાતાવેદનીય કર્મને વારંવાર બાંધે છે, જેને લઈને તેમનો સંસાર અત્યન્ત દુઃખદાયી બનવા ઉપરાંત પ્રત્યેક માં ભયંકર અસાતા, ભૂખ, તરસ, દરિદ્રતા, માતાપિતાને વિયેગ, પરણેતર જીવન પછી અત્યન્ત હાડમારિઓ વગેરે દુખે ભેગવવાની લાયકાત મેળવે છે. જ્યારે ગૃહસ્થાશ્રમીઓના સંસર્ગથી દૂર. રહીને આત્મસાધનામાં મસ્ત રહેનાર મુનિ તથા ગૃહસ્થાશ્રમમાં રહીને સમ્યકત્વ તથા દેશવિરતિને સ્વીકાર કરી, વ્રત પચ્ચક્ખાણમાં શ્રદ્ધા બનેલે ગૃહસ્થ નવાં પાપના દ્વાર બંધ કરીને જૂના પાપને છોડતા જાય છે. તે ખૂબ ખૂબ શાતા વેદનીય કમને બાંધતે ભવ-ભવાન્તરમાં સુખી બને છે.
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીની અમૃત દેશનાને સાંભળીને ગૌતમસ્વામી તથા પર્ષદા પૂર્ણ આનંદને પામતી પુનઃ પુનઃ દેવાધિદેવને વંદન નમન કરતી પિત. પિતાના સ્થાને ગઈ.