________________
શતક-૫ મું ઉદ્દેશક-૭]
[પ૨૧ રહે. એ પ્રમાણે યાવત્ અસંખેય પ્રદેશાવગાઢ પુદ્ગલ માટે પણ જાણવું.
પુદ્ગલ એકગણું કાળું, જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી રહે. એ પ્રમાણે ચાવત્ અનંત ગુણ કાળા પુદ્ગલ માટે જાણવું.
એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. અને એ પ્રમાણે સૂક્ષ્મ પરિણત પુદ્ગલ માટે અને બાદર પરિણત પુદ્ગલ માટે પણ જાણવું.
શબ્દ પરણિત પુગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્ય ભાગ સુધી રહે.
અશબ્દ પરિણત પુદ્ગલ, જેમ એક ગુણ કાળું પુદ્ગલ કહ્યું, તેમ સમજવું.
પરમાણુરૂપ પુગલને પરમાણુપણું છોડી ફરીવાર પરમાણુપણું પ્રાપ્ત કરતાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ લાગે. આ અંતરમાં તે પરમાણુપણું છેડી કંધાદિ રૂપ પરિણમે. અને પાછું તે પરમાણપણું પ્રાપ્ત કરે. આમ કરવામાં આટલો સમય લાગે.
બે પ્રદેશવાળા કંધને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. એ પ્રમાણે યાવત્ અનંત પ્રાદેશિક કંધ સુધી જાણવું.
એક પ્રદેશમાં સ્થિત સકંપ પુદ્ગલને, પોતાનું કંપન -પડતું મેલી, ફરીથી કંપન કરતાં જઘન્યથી એક સમય અને