Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 602
________________ શતક–૫ મું ઉદ્દેશક-૮] [૫૪૯ ભરેલે આ સંસાર જીવ વિનાને થવાનું નથી. અને મુફત જીવો પણ સંસારમાં ફરીથી આવવાના નથી. બીજ– . તત્ત્વ દગ્ધ થયા પછી જેમ અંકુરોત્પત્તિની શકયતા નથી તેવી રીતે કર્મબીજ સર્વથા દગ્ધ થયા પછી સંસારભ્રમણ માટે જન્મ ( અવતાર) લેવાની શકયતા હોઈ શકે જ નહી. “તિ મૂઢે તો જ્ઞાત્યાયુ. આ પાતંજલ ચગસૂત્ર ઉપર વ્યાસ ભાષ્યમાં આ પ્રમાણે અર્થ કરાય છે, જ્યાં સુધી અવિદ્યા, અમિતાં, રાગ, દ્વેષ અને અભિનિવેશ (હઠાગ્રહ-કદાગ્રહ) નામે પાંચે કલેશેની સત્તા આત્મામાં વિદ્યમાન હોય છે, ત્યાં સુધી કર્મોની શક્તિ ફળપ્રદા હોય છે, પરંતુ કલેશેને ઉછેર્દૂ થયા પછી કમેં ફળ આપી શકતા નથી વારંવાર જન્મવું, આયુષ્ય ભેગવવું, અને શારીરિકાદિ ભોગે કૃત કર્મ અને ક્રિયમાણ કર્મોના ફળી છે, માટે જેમના કર્મો કલેશે નાશ થયા હોય તેમને જન્મ નથી, મરણ નથી, સારાંશ કે કર્મોને સમૂળ નાશ થાય પછી મુક્ત થયેલા છે સંસારમાં પાછા આવી શક્તા નથી.” બધા એ જી મુક્ત થયા પછી સંસાર ખાલી થઈ જશે આવી શંકા પણ રાખવાની જરૂરત નથી. કેમકે પૃથ્વી. કાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈ– ન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જે ષટૂકાયને નામે લખાય છે. તે જીથી ભરેલે આ સંસાર છે, જેમાં ત્રસકાય એટલે બેઇન્દ્રિય, ત્રેઈન્દ્રિય. ચતુરિન્દ્રિય અને પંચે. ન્દ્રિય તથાપંચેન્દ્રિયમાં નારક, દેવ, જરાયુજ, અંડજ તથા પિતજ જીવે તથા તિય જીવોની સંખ્યા ચરાચર સંસારમાં સૌથી છેડી છે.

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614