________________
૪૯૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ રહી શકતું નથી. યદ્યપિ અગ્નિને સળગાવનાર તેમાં લાકડાં કે કેલસા નાખનાર તો પોતાના આશય પ્રમાણે કર્મબંધન કરવાનું જ છે, પરંતુ અગ્નિકાય પોતે પણ બીજાને બાળતો હેવાથી મહાકિયાવાન છે, બીજાના પ્રાણને સમાપ્ત કરનાર હેવાથી મહા આશ્રવાલે છે, બીજા જીવોને હણનાર હોવાથી મહાભયંકર જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધનારે છે. સ્થાવર નિમાં પણ ભયંકર કર્મોને કરનારે અગ્નિકાય આવતા ભવને માટે મહાભયંકર વેદનાને ભેગવવાલો હોય છે. આમ કર્મ બાંધવાની પરંપરા અને પ્રક્રિયા પ્રત્યેક એનિમાં, પ્રત્યેક સ્થાનમાં જીવાત્માઓને માટે નિર્ણત છે. પોતાની મેળે બુઝાતા અગ્નિમાં દાહક શક્તિ ઓછી થતી જાય છે, અને યાવત્ રાખ રૂપે થયા પછી તો બાળવાની શક્તિ ન હોવાના કારણે અગ્નિકાય કમબંધન કરતું નથી. ભાવ અગ્નિ
આ તે દ્રવ્ય-અગ્નિની વાત કરી પણ ઉપચારથી ભાવ અગ્નિ (કાધ, શેષ, અસહિષ્ણુતા, અદેખાઈ) તે તેનાથી પણ “ ભયંકર છે. દ્રવ્ય–અગ્નિ તે પોતાની મર્યાદામાં રહેલા છાને જ સમાપ્ત કરે છે. જ્યારે કષાય-અગ્નિ તો પૂરા સંસારને વૈર-ઝેરની આગમાં ધકેલી દે છે. જેના કારણે સંસારની–અર્થાત જીવમાત્રની શાનિત–સમાધિ અને સમતા જ ખાટવાઈ જાય છે, ક્રોધની જવાળા જ્યારે પ્રગટે છે ત્યારે તેની સાથે રહેલા એની બુદ્ધિમાં પણ અકળામણ, મુંઝવણ, કિંકર્તવ્યતા, અને મૂઢતા જેવી સ્થિતિ થઈ જાય છે અને પછી તે “ભડકેલે. ક્રોધરૂપી અગ્નિ બીજાને, અને એક દિવસે જાતિમાં, સમાજમાં,
ધર્મમાં, સંપ્રદાયમાં પણ પ્રવેશ કરીને સૌની સદ્દબુદ્ધિને . દુબુદ્ધિમાં પરિવર્તિત કરી દે છે.”