________________
૧૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
નેટ–ટીકાકારે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વના ભેદે આમ બતાવ્યા છે:
બે, ત્રણ ચાર ઈન્દ્રિયવાળા છ પ્રાણ કહેવાય છે. વૃક્ષે-ભૂતે કહેવાય. પાંચ ઈન્દ્રિયવાળા જ કહેવાય.
પૃથ્વી વગેરેના જીવે સત્વે કહેવાય. કિયા
હવે બીજા મતવાળાએ માનેલ કિયા સંબંધી પ્રશ્ન છેઅર્થાત્ એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે–એયપથિકી અને સાંપરાયિકી. ભગવાન આ વાતને ઇન્કાર કરે છે. એક જીવ અયપથિકી અને સાંપરાચિકી એમ બે કિયા ન કરે. બેમાંથી કોઈ પણ એક ક્રિયા કરે.
અહિં ઈયપથિકી અને સાંપરાયિકી ક્રિયા શી છે, તે જોઈએ ઈયા એટલે જવું અને પથ એટલે માર્ગ. અર્થાત્ જે જવાને માર્ગ તે ઈર્યાપથ કહેવાય. તેમાં થયેલી જે કિયા તે ઈપથિકી ક્રિયા અથ–માત્ર શરીરના વ્યાપારથી થતો કર્મબંધ.”
હવે જેનાવડે પ્રાણી સંસારમાં ભમે તે સંપાય અર્થાત કષાય કહેવાય. તે કષાયથી જે કિયા થાય તે સાંપરાયિકી અર્થાત્ કષાયથી થતે કર્મબંધ.
હવે વિચારવાનું તે એ છે કે-ઈરિયાપથિકી ક્રિયાનું કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકી ક્રિયાનું કારણ કષાયવાળી સ્થિતિ છે. માટે આ બન્ને પરસ્પર વિરુદ્ધક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જીવમાં કેમ હોઈ શકે? કારણ કે તે બન્ને ક્રિયા પરસ્પર વિરુદ્ધ છે (એક