________________
૩૫૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ ભરેલું હૃદય છે. માટેજ આજને પંડિત–વક્તા, આચાર્ય, ઉપાધ્યાય, સંગીતકાર, શ્રીમંતસત્તાધીશ આદિમાં પરસ્પર એક બીજા સાથે મૈત્રીભાવ એટલા માટેજ નથી. કારણ કે સૌના હૃદયમાં જુદી જુદી લાલસા છે, આંખમાં પૂર્વગ્રહનું અંજન છે, તેથી એક બીજાની આંખ એક બીજા સાથે મલતી નથી. તે પછી હાથથી હાથ મલવાની આશા કયાં રહી? અને જે આંખથી આંખ, કે હાથથી હાથ ન મલે તે એક બીજાના હૃદય એક બીજાથી કેમ મળશે? આવી આશા કેણ રાખી શકશે? તેથી જ આવાઓનું ધાર્મિક જીવન, પંડિતાઈ, શ્રીમંતાઈ અને સત્તા કેવળ સમાજ, સંપ્રદાય, સંઘ, નગર, દેશને આપસમાં લડાવી મારવા સિવાય બીજા કામે આવી શકે તેમ નથી. આજના આખાએ ભારતવર્ષની દશા જ સ્પષ્ટ ઉદાહરણ છે. આ બધા પુરુષ જાતિના આન્તરે સ્ત્રીમાં માતૃત્વ ભાવ નાના હાસના કારણે વધ્યા છે, ફળ સ્વરૂપે માનવના ખેળીયામાં દેવતાઈ ગુણ વસાવી શક્યાં નથી.
આજે એક માનવ બીજા માનવને શત્રુ છે, એક જાતિ બીજી જાતિ સાથે સંબંધિત નથી અને એક સંપ્રદાય બીજા સંપ્રદાયને સમૂળ નેસ્ત નાબુદ કરવા માંગે છે. | મગજશક્તિ જે ઉંધા માર્ગે ન ગઈ હોય તો સમજવું સરળ છે કે આપણે બધાએ પૃથ્વી ઉપર જન્મેલા છીએ, અને જ્યાંસુધી જીવતા રહીશું ત્યાંસુધી, મહાજનને સુતાર, લુહાર, ઘાંચી, ભંગી, દરજી, ધોબી, નાઈ, બ્રાહ્મણ, રજપુત આદિ વિના એક પળ પણ ચાલી શકે તેમ નથી મકાન બનાવવા માટે સુતાર, રસોઈ કરવાના સાધન માટે લુહાર, તેલ માટે ઘાંચી, સંડાસ સાફ કરવા માટે ભંગી,