________________
શતક–૫ મું ઉદ્દેશક–૪]
[૪૪૩ • પરંતુ આવી માન્યતામાં તે પ્રત્યક્ષરૂપે દેખાતે, અનુ. ભવાતે, સ્પશીભૂત થતા, સંભલાતે અને તે દ્વારા આત્માને થતે આનંદ અનુભવ અકિંચિકર જ સિદ્ધ થશે. વ્યવહારમાં પ્રત્યેક માનવને આ પ્રમાણે અનુભવ થાય છે કે – હું છું, મારૂં શરીર છે, મને આંખ છે, નાક છે, કાન છે, ભૂખ લાગે છે, ખેરાક લઉં છું, તરસ લાગે છે,–પાણી પીઉં છું, વિષયવાસના થાય છે.-સ્ત્રી સહવાસ કરું છું, તેનાથી આનન્દ આવે છે, સ્ત્રીને ગર્ભ રહે છે, માટે થાય છે, જમે છે, પરણવું છું તેને પણ સંતાન થાય છે. આ બધાએ અનુભવને ખાટા શી રીતે કરાશે ? માટે પરપદાર્થ શશશૃંગની જેમ અસત નથી પણ સર્વદા વિદ્યમાન છે. આ કારણથી સમ્યગ જ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે તેમ સંસારના પદાર્થ માત્રને પણ યથાર્થરૂપે પ્રકાશિત કરે છે.
જેમના મતમાં જ્ઞાન સ્વપ્રકાશક નથી તે તેમને પૂછી એ કે વરસયુને ઘર આ પ્રમાણે ચક્ષુને અને ઘટને સંબંધ થતાં, ઘટનું જ્ઞાન શાથી થયું ? સમવાય સંબંધથી? એટલે કે આ ઘડે છે, આનું જ્ઞાન સમવાયના કારણે થાય છે પણ આ માન્યતા બાધિત છે. જેમકે આંખ ઉઘડી અને ઘડો દેખાય કે તરત જ ઘડાનું જ્ઞાન થાય છે, આમાં સમવાય કયાંથી આવ્યો ? માટે આ બધી દુતરા અનવસ્થા દેશની નદી સામે જ આવે છે. જેમકે ચક્ષુ સંગથી ઘડો દેખાય હવે તમે ઘટમાં “રત્વ' ને સમવાય સંબંધીથી સિદ્ધ કરવાની માથાકૂટ કરશે તે પછી “વ” ને સિદ્ધ. શી રીતે કરશે? આમ વાઘણની જેવી અનવસ્થા તમને કયાંય પણ વિરામ આપશે નહી જ્યારે ઘટમાં સ્વતઃ એવી