________________
શતક ૩: સંપાદકનું પૂરવચન]
[૨૦૯ (૨૮) મેચક-કર્મ પિંજરામાંથી સદુપદેશહિતોપદેશ આપીને બીજા જીવને પણ મુક્ત કરાવનાર અરિહંત ભગવાન છે. કેમકે રાગ-દ્વેષ–પરિગ્રહ તથા પુનઃ પુનઃ અવતાર ધારણ કરનારને જે પિતે કર્મના બંધનથી બંધાયેલ છે તે બીજાઓને કઈ કાળે પણ મુક્ત કરાવી શકે તેમ નથી. વીતરાગદેવ તેવા નથી માટે જ દેવાધિદેવ–શરણ્ય ભગવાન કહેવાય છે.
(૨૯) સર્વજ્ઞ–સર્વદશી–ત્રિકાલવતી દ્રવ્ય તથા પર્યાયાત્મક પદાર્થ માત્રને વિશેષ રૂપે જુએ–જાણે તે સર્વજ્ઞ કહેવાય છે અને સામાન્ય પ્રકારે જાણે તે સર્વદશી કહેવાય છે. અર્થાત્ છદ્રસ્થ પહેલા જુએ અને પછી જાણે છે. જ્યારે તીર્થંકરદેવ પહેલા જાણે છે અને પછી જુએ છે.
કમેની જાલ છેદીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અરિ હંત પરમાત્માઓ અનંતજ્ઞાની છે અર્થાત્ સર્વજ્ઞ છે. આનાથી જેઓ મુક્તાવસ્થામાં જ્ઞાનની માત્રા સ્વીકારતા નથી તેમનું ખંડન થઈ જાય છે. કેમકે જ્ઞાન આત્માને ગુણ હોઈને ગુણથી જૂદ પડતો નથી. તેમજ ગુણ કેઈ કાળે પણ ગુણ વિના કયાંય પણ અર્થાત્ નિગેદ, નરક,તિયચ, મનુષ્ય,દેવદેવેન્દ્ર ચકવતી અને સિદ્ધશિલામાં પણ રહેતો નથી.
(૩૦)શિવસંપૂર્ણપણે સર્વ જાતનીદ્રવ્ય અને ભાવબાધાએથી રહિત હોવાના કારણે અરિહંતદેવ મંગળભૂત હોય છે.
(૩૧) અચલ–સિદ્ધશિલા પ્રાપ્ત કર્યા પછી સાદિ અનંત ભાંગે તેઓ સર્વથા અચલ હોય છે, કમેને સંપૂર્ણ નાશ થવાથી સ્વાભાવિક અને પ્રાગિક ગતિ પણ તેમને નથી.
(૩૨) અરુજ-દ્રવ્ય અને ભાવ રેગ જેમને નથી કેમકે આ બંને રોગનું કારણ શરીર અને મન હોય છે. પરમાત્મા