________________
શતક-૨ નું ઉદ્દેશક-૧ ]
[ ૧૨૩ જાઉં, વાંદુ, નમસ્કાર કરું અને સત્કાર; સમ્માનપૂર્વકની એમની પર્ય પાસના કરીને આ બધા પ્રશ્નોના ખુલાસા મેળવું..
તે પરિવ્રાજકના મઠમાં ગયા અને ત્યાંથી ત્રિદંડ, કુંડી. રુદ્રાક્ષની માળા, માટીનું વાસણ, આસન, વાસણાને સાફસૂફી રાખવાનો કપડાનો ટુકડો, ત્રિગડી, અંકુશક વીંટી, ગણોત્રિકા. (એક પ્રકારનું કલાઈનું ઘરેણું). છત્ર, પગરખાં પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્ર–આટલી વસ્તુઓ લઈને નીકળ્યા. તે. શ્રાવસ્તીની વચ્ચે થઈને નીકળે અને કૃતગંલા નગરીની જે તરફ છત્ર પલાશક મૈત્ય છે, કે જ્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, ત્યાં જવા નિકળે.
બીજી તરફ ભગવાન મહાવીરે ગૌતમને સંબોધી કહ્યું - “ગૌતમ ! તું આજ તારા પૂર્વના સંબંધીને જઈશ.”
ગૌતમ-કેને જોઈશ! મહાવીર–સ્કર્દક નામના તાપસને જોઈશ. ગૌતમ-ક્યારે, કેવી રીતે, અને કેટલા સમયે જોઈશ?
મહાવીર–તે પરિવ્રાજકે આ તરફ આવવા સંકલ્પ કર્યો છે. અને લગભગ નજીક જ આવી પહોંચ્યું છે. તેમને તું આજેજ જોઈશ.
ગૌતમ–ભગવન! શું તે કાત્યાયન ગાત્રીય કંટક તાપસ આપની પાસે મુંડ થઈને અણગારપણું લેવાને શક્તિ છે ?
મહાવીર–હા, તે અણગારપણું લેવાને શક્તિ છે. આ વાત થતી હતી, એટલામાં તો તે કંઇક તાપસ તે ઠેકાણે આવી પહોંચે છે.