________________
૧૫૬ ]
| [ ભગવતીસૂત્ર સારસંગ્રહ તે પછી નમસ્કાર કરી હર્ષિત થએલા શ્રાવકે તુંબિકા નગરીમાં આવ્યા, અને તે સ્થવિર પુષ્પવતી ચૈત્યથી વિહાર કરી ગયા.
આ વખતે ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી છઠ છઠની તપસ્યા કરી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવતા વિચરતા હતા. ભગવાન મહાવીર
સ્વામીની સાથે તેઓ રાજગૃહ પાસેના ગુણશીલ મૈત્યમાં આવ્યા છે. તેઓ પ્રથમ પૌરુષીએ સ્વાધ્યાય કરે છે. બીજી પૌરૂષીએ ધ્યાન કરે છે અને જ્યારે આહાર કરવાનો હોય ત્યારે ત્રીજી પૌરૂષીએ શારીરિક અને માનસિક ચપળતાથી રહિત મુહપત્તિને પડિલેહી, વસ્ત્ર–પાત્રની પડિલેહણા કરી, પાત્ર લઈ ગોચરીએ નિકળે છે.
ગૌતમસ્વામી રાજગૃહ નગરીમાં ગોચરી ગયા. તેઓ ઉચ્ચ, નીચ કે મધ્યમ કુલેમાં વિધિ પૂર્વક ભિક્ષા લેવાને વિચરે છે.
રાજગૃહમાં ભિક્ષા માટે આવેલા ગૌતમસ્વામીએ લેકેના મુખથી સાંભળ્યું કે–તુંગિકા નગરીથી બહાર પુષ્પવતી નામ ના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્ય પધારેલા અને તંગિકાના શ્રાવકોને તેમણે ઉપર પ્રમાણે ઉપદેશ આપ્યું અને પ્રશ્નોત્તર
થયા,
ગૌતમસ્વામી બધું વૃત્તાન્ત સાંભળી લઈ ભગવાન મહાવીરસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં આવીને જવા-આવવા સંબંધી અતિચારોનું ચિતંન કર્યું. ભિક્ષા લેતા લાગેલા દોષનું આલોચન કર્યું. લાવેલા આહાર અને પાણી ભગવા