________________
૧૮૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ, અજીવ દ્રવ્ય છે. છતાં પણ એની શક્તિ કેટલી જોરદાર છે.. એ જાણવાનું અત્યન્ત રસપ્રદ છે.
જૈનશાસન એટલાજ માટે અજોડ છે કે તેની પદાર્થ વ્યવસ્થા અને પ્રરૂપણ સર્વથા યથાર્થ અને અનુભવ ગમ્ય છે. શરીર, વાણી, મન પ્રાણ અને અપાનની રચના શાથી થાય છે? આને જવાબ યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામી આમ. આપે છે કે–ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારનું નિર્માણ કરી શકે તેમ નથી. કેમકે કઈ પણ વસ્તુના નિર્માણમાં રાગદ્વેષને સંભવ અવશ્યમેવ હોય છે. જ્યારે ઈશ્વર તો નિરજંન સ્વરૂપે છે; માટે સંપૂર્ણ રાગ-દ્વેષ-કામાં કાધને નાશ કરનાર ઈશ્વર સંસારને બનાવી શકે તેમ નથી.
શરીર વિનાને ઈશ્વર કયા સાધનથી સંસાર બનાવશે ? જેની પાસે શરીર ન હોય, તેને હાથ–પગ પણ કયાંથી, હોય? એવી સ્થિતિમાં કોઈ પણ માનવ કઈ પણ વસ્તુ નિર્માણ કરી શકતો હોય, એ અનુભવ કેઈને પણ નથી. ઈશ્વર નિરાકાર છે અર્થાત્ “સિદ્ધાણં ન0િ તે
આ પ્રમાણે આગમ વચનને અનુસારે પણ ઈશ્વર શરીર વિનાને છે, માટે અનંત સંસારની એક પણ રચના. ઈશ્વરને આધીન નથી. છતાંએ અનાદિકાળથી સંસાર છે, માનવ છે, પુલે છે, અને સંસારનું સંચાલન પોતાની રીતે બરાબર ચાલી રહ્યું છે.
સંસારના પ્રત્યક્ષ દેખાતા ઘણા પદાર્થો જેવા કે – આકાશના વાદળા, વિજળીના ચમકારા, જમીનમાં નાખેલા બીજના આધારે મેટા મેટા ઝાડે, તેના ઉપર આવનારા.