________________
શતક-૧ હું ઉદ્દેશક-૪]
[ ૪૯ કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય છે, પંડિત વીર્યતાથી. નથી થતું વળી આ પ્રકરણમાં એ પણ કહેવામાં આવ્યું છે હોય છે ત્યારે તારતમ્યભાવે જીવાત્માને સુખ–દુઃખરૂપ. વેદનાને અનુભવ થાય છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મને પ્રબળ ઉદય વર્તતો હોય છે ત્યારે અરેરે, હું કંઈ પણ. જાણતો નથી, મને કંઈ પણ આવડતું નથી, આમ આ. જીવાત્મા બીજા જ્ઞાની પુરુષને જોઈને દુઃખને જ અનુભવ. કરતે હેાય છે, જયારે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉદય હોય છે, ત્યારે જીવને સુખશાંતિનો અનુભવ થાય છે.
તથા દશનાવરણીય કર્મના પ્રબળ ઉદયે જાત્યબ્ધતા, બધિરતા, તથા આંખ, કાન નાક, અને સ્પર્શેન્દ્રિયની કમજોરીને જ્યારે આ જીવ અનુભવ કરે છે ત્યારે પણ બહુ જ દુઃખને અનુભવ થાય છે. અને તેનાથી વિપરીત પાંચે. ઈન્દ્રિયની પટુતાને લઈને આ જીવને સુખની પ્રાપ્તિ પણ સ્પષ્ટ દેખાય છે. માટે જ આ બંને કર્મોની પછી આ વેદનીયકર્મ મૂકવામાં આવ્યું છે.
ઈન્દ્રિયોને ગમતાં અને નહિ ગમતાં પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સંસારી જીવને રાગ-દ્વેષાદિ થયાં વિના રહેતાં નથી, અને જ્યાં રાગ-દ્વેષ હોય છે, ત્યાં મેહનીયકર્મની સત્તા અવશ્યમેવ હોય જ છે. તે કારણે આ કર્મને ચોથા સ્થાને મૂકવામાં આવ્યું છે.. .
શરાબપાન જેવા આ કર્મને લઈને અત્યંત મૂઢ બનેલા જીને આરંભ-સમારંભ તથા પરિગ્રહ વધારવામાં જ અને તેના ભેગવટામાં જ સંપૂર્ણ રસ હોય છે. તેથી તેમને નરકાદિ ગતિઓનું આયુષ્ય કર્મ બંધાવવું અનિવાર્ય છે." માટે જ આયુષ્ય કર્મને પાંચમા સ્થાને મૂકયું છે. અને ત્યાર