Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005228/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘટાગાણવાચક વિચિત વસુદેવભાષાંતર: પ્રો.ભોગીલાલ જ. સાંડેસરા ' - પથમ ખંડ. પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સંભા ભાવનગર 0 0 0 0 O- TO SA Jain Education Internatione stere wa Page #2 -------------------------------------------------------------------------- ________________ વકીલ કેશવલાલભાઈ પ્રેમચંદ ગ્રંથમાળા પુષ્પ૧ STON2020101NNNNNNN2020 શ્રીસંઘદાસગણિ વાચક-વિરચિત વસુદેવ-હિંડી (ભાષાંતર ) પ્રથમ ખંડ મૂળ પ્રાકૃત ઉપરથી અનુવાદક છે. ભેગીલાલ જયચંદભાઈ સાંડેસરા, એમ. એ. અર્ધમાગધી અને ગુજરાતીના અધ્યાપક, શેઠ જે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ( ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)–અમદાવાદ, ને -: પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા : ભાવનગર Zરા ગ ગ ગ . ગ ગ થી આત્માન જૈન ગ્રંથમાળા પુષ્પ ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ -: પ્રકાશક :ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. ઍન. સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર. આવૃત્તિ ૧ લી પ્રત : ૧૦૦૦ વિક્રમ સં. ૨૦૦૭ વીર સં. ૨૪૭૭ આત્મ સં. ૫૧ – મુદ્રકશાહ ગુલાબચંદ લલુભાઈ. શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર, Page #4 -------------------------------------------------------------------------- ________________ 0600००० था 0000000000 poroOOD0000 50000 hino006 88 ન્યાયાનિધિ શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનન્દસૂરિ. (असिनाम श्रीमात्माराम महा२।०४. ) सदरातयामाम्मानिवि जैनाचार्य श्री श्री 20 भीमादजमानन्द रिजात्मारामजी) मशराज म . . song oOOOOOOOOOOOOOOOOOOOOOOOOOooooooOOOOOOOOOOOOOOOOOOOOOOOops Cooooooooooooooooooooooooo0000000000000000000000000000000000000000. 145507 MUS प्रगउकता श्री जैन आत्मानंद समा भावनगर SUBTECCO 10000000000000 000000000000COOO4 200000 .. 9 00000000 શ્રી મહાલ્ય ગેસ-ભાવનગર Jain Educa Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત શ્રીસંધદાસગણિ વાચક–રચિત “વસુદેવ-હિંડી”પ્રથમ ખંડ જૈન સાહિત્યના સવ ઉપલબ્ધ આગમેતર કથાગ્રન્થમાં પ્રાચીનતમ છે. સામાન્ય રીતે રૂઢ, પણ વર્ણનાત્મક ભાગોમાં સમાસપ્રચુર એવા પ્રાકૃત ગદ્યમાં રચાયેલે લગભગ સાડાદશ હજાર કપ્રમાણને એ વિશાળ કથામન્ય છે એ પણ તેની એક મોટી વિશેષતા છે. પ્રાકૃત સાહિત્યના સમસ્ત ગ્રન્થમાં “વસુદેવ-હિંડી ”ની ભાષા પિતાની અસાધારણ પ્રાચીનતાને કારણે અનેક વિશિષ્ટતાઓ અને વિલક્ષણતાઓ દર્શાવતાં આર્ષ લક્ષણો વડે જુદી તરી આવે છે. કથાનુયોગને ગ્રન્થ હોઈ લોકવાર્તાના તુલનાત્મક અભ્યાસ માટે પણ ઘણી અગત્યની સામગ્રી તેમાંથી પ્રાપ્ત થાય છે. આમ સમસ્ત પ્રાકૃત સાહિત્યમાં “વસુદેવ-હિંડી” અનેકવિધ દૃષ્ટિએ જોતાં પણ અસાધારણ મહત્વનું સ્થાન ધરાવે છે. મથકર્તા અને તેમને સમય વસુદેવ-હિંડી” પ્રથમ ખંડના સંખ્યાબંધ લંભકની અંતિમ પુષ્પિકાઓમાં તેના કર્તા સંધદાસગણિ વાચકને નામનિર્દેશ છે, તેમજ “વસુદેવ-હિંડી' મધ્યમ ખંડના પ્રારંભે આચાર્યશ્રી ધર્મસેનગણિ મહત્તરે પણ પ્રથમ ખંડના કર્તા સંધદાસગણિ વાચક હોવાનું જણાવ્યું છે." સંધદાસગણિ વાચકના જીવન વિષેની કોઈ ઐતિહાસિક માહિતી આપણને તેમાંથી પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં પણ તેમને સમયનિર્ણય કરી શકાય એવું પણ કોઈ પ્રમાણુ એમાંથી મળતું નથી. પરન્તુ અન્યત્ર પ્રાપ્ત થતા કેટલાક ઉલ્લેખો ઉપરથી સંધદાસગણિ વાચકની વિદ્યમાનતાના અને વસુદેવ-હિંડી” ની રચનાને કાળ વિષે ચોક્કસ અનુમાન ઉપર આવી શકાય છે. વસુદેવ-હિંડી” એ કથાસાહિત્યને ગ્રન્થ હોવા છતાં એની પ્રાચીનતાને કારણે એ ખૂબ જ પ્રમાણભૂત ગ્રન્થ મનાય છે અને શ્રીજિનદાસગણિ મહત્તરે પિતાના આવશ્યકચૂર્ણિ જેવા મહત્વના ચૂર્ણિગ્રન્થમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના ચરિત્રનિરૂપણના પ્રસંગમાં તથા વકલગીરી અને પ્રસન્નચંદ્રના કથાપ્રસંગમાં “વસુદેવ-હિંડી'ને આધારે ટાંક્યા છે, અને “વસુદેવ-નહિંડી માંની ધમ્મિલની કથા ( “ધમિલહિંડી” ) ને ઉલ્લેખ કર્યો છે. १. सुव्वइ य किर वसुदेवेणं वाससतं परिभमंतणं इमम्मि भरहे विजाहरिंदणरवतिवाणरकुलवंससंभवाणं कण्णाणं सतं परिणीतं, तत्थ य सामाविययमादियाणं रोहिणीपज्जवसाणाणं एगुणतीसलंभता संघदासवायएणं उवणिबद्धा। ૨. તાહે સો સેલિ અqળો સામા ચ મમવાળ વાતિ, ના કુવરી ( આવશ્યક ચૂર્ણિ, પૂર્વભાગ, પ. ૧૬૪; gવમા ના ઘpહંકી તદ્દા માળિગ્યે ( એજ, પૂર્વભાગ, પૃ. ૪૬૦); વાર્ષિ #રું, તું સુવિહેં-હૃો ઘમિત્રોવાળ ન વરવટૂિંકીu (એજ, ઉત્તરભાગ, પૃ. ૨૪). આચાર્ય મલયગિરિએ પિતાની આવશ્યકવૃત્તિમાં પણ આ પૈકી પહેલા બે આધારે ટાંક્યા છે. ઉત્તરાધ્યયન ઉપરની શાત્યાચાર્યની વૃત્તિમાં (અધ્ય. ૪, પૃ. ૨૧૩-૧૬) અંગડદત્તની કથા આપી છે તે હિંડી ” માંની કથાને જ સારોદ્ધાર છે; આખીયે કથાનું “વસુદેવહિંડી’ સાથે અસાધારણું શાબ્દિક સાય છે. કે ટીકાકારે “વસુદેવહિડી ને નામે લેખ કર્યો નથી, પણ તેથી હકીક્તમાં કંઈ ફેર પડતો નથી, Page #7 -------------------------------------------------------------------------- ________________ જિનદાસગણિની નચૂિર્ણિને અંતે તેને રચનાકાળ શકાબ્દ ૫૯૮ (વિ. સં. ૭૩૨) આ હેઈ તેમને સમય વિક્રમના આઠમા સૈકાના પ્રારંભમાં સુનિશ્ચિત બને છે. એટલે કે “વસુદેવ-હિંડી'ની રચના ત્યાર પહેલાં થયેલી હોવી જોઈએ. વસુદેવ-હિંડી'ના રચનાકાળને એથીયે પ્રાચીનતર પુરવાર કરનારું પ્રમાણુ તે બીજું એક છે. વિશેપાવશ્યક ભાષ્ય અને બીજા અનેક ગ્રન્થોના સુપ્રસિદ્ધ પ્રણેતા આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના વિશેષણવતી' નામના પ્રકરણગ્રન્થમાં “વસુદેવચરિત'-વસુદેવ-હિંડી' ના ઉલ્લેખ કરેલા છે? सामाइयजुत्तीए उसभस्स धणादओ भवा सत्त । होंति अ पिडिजंता बारस वसुदेवचरिअम्मि ॥ ३१ ॥ संखेवत्था जुत्तीए सत्त इयरे सहाणुभूइ त्ति । सिजंसेणऽक्खाया दोसु वि संपिंडिआ सवे ॥ ३२॥ सीहो सुदाढनागो आसग्गीवो य होइ अण्णेसि । सिद्धो मिगद्धओ त्ति य होइ वसुदेवचरिअम्मि ॥ ३३ ॥ અર્વાચીન પટ્ટાવલીઓને આધારે અત્યારસુધી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણના સ્વર્ગવાસને કાળ વીર સં. ૧૧૧૫-વિ. સં. ૬૪૫ માનવાનું વિધાનનું વલણ હતું, પણ હમણાં “વિશેષાવશ્યક ભાષ્યની એક અતિ પ્રાચીન તાડપત્રીય હાથપ્રતમાંના ઉલેખને આધારે એ ગ્રન્થને રચનાકાળ શકાબ્દ પ૩૧-વિ. સં. ૬૬૬ ના ચિત્ર સુદ ૧૫ ને બુધવાર હોવાનું આચાર્ય જિનવિજ્યજીએ નિશ્ચિતપણે બતાવી આપ્યું છે. “વિશેષાવશ્યક ભાષ્ય'ની પ્રરતુત હાથપ્રતને અંતે ગાથારૂપે એ ઉલેખ પ્રાપ્ત થતો હાઈ જિનભદ્રગુણિને પિતાને જ હોવાને પૂરો સંભવ છે. આમ “વસુદેવ-હિંદડી'ના રચનાકાળની ઉત્તરમર્યાદા નિશ્ચિત બને છે. વસુદેવ-હિંડીની રચના વિક્રમના સાતમા સૈકા પૂર્વે થઈ હતી એમાં શક નથી. “વસુદેવ-હિંડી ” આમ વિક્રમના છઠ્ઠા સૈકામાં રચાઈ હોય એમ બને ખરું, પરંતુ તેના રચનાકાળની પૂર્વમર્યાદા નક્કી કરવાનાં કઈ સાધને આપણી પાસે નથી. તેની પ્રાકૃત ભાષાની ખૂબ ધ્યાન ખેંચે એવી આર્ષતા વિચારતાં તેને રચનાકાળ વિક્રમના છઠ્ઠા સૈકા કરતાં યે એકાદ-બે શતાબ્દી એટલે જૂને હેય તે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. હવે પછી “વસુદેવ-હિંડીની ભાષાની મુખ્ય લાક્ષણિક્તાઓ આપણે જોઈશું ત્યારે આ મુદ્દો સ્પષ્ટતર થશે. વસુદેવ-હિંડીના કર્તા સંધદાસગણિ વાચક અને વ્યવહાર ભાષ્ય,” “બૃહતકલ્પભાષ્ય, “પંચકલ્પભાષ્ય' આદિ ભાષ્યગ્રન્થના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ એક નથી-ભિન્ન છે, એટલું જ નહીં પણ સંપદાસગણિ ક્ષમાશ્રમણ સંધદાસગણિ વાચકની તુલનાએ કંઈક અર્વાચીન કાળમાં થયેલા છે, એવું પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું મંતવ્ય છે." ૩. જુઓ “ભારતીય વિદ્યા', ભાગ ૩, સિંધી સ્મૃતિ અંકમાં “શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો સુનિશ્ચિત સમય ” એ લેખ. ૪. આ વિષયની સાધાર ચર્ચા માટે જુઓ બહ૫સૂત્ર, ગ્રન્થ ૬, પ્રસ્તાવના, પૃ. ૨૦-૨૩. જ્યારે આપણે વસુદેવ-હિડા” ના કવ તથા તેના સમયને લગતી ચર્ચા કરીએ છીએ ત્યારે એક આનુષગિક મુદ્દો તપાસવા જેવો છે. સં. ૧૧૬૦ માં સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં ખંભાતમાં પ્રાકૃત “શાન્તિનાથચરિત્ર' લખનાર આચાર્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ “વસુદેવ-હિંડી” કે “વસુદેવચરિત'? આ ગ્રન્થનું સાચું નામ “વસુદેવ-હિંડી ” કે “વસુદેવ ચરિત, એ એક વિચારવા જે પ્રશ્ન છે. વસુદેવ-હિંડી' પ્રથમ ખંડના સંપાદકે સદગત પૂ. મુનિશ્રી ચતરવિજયજી મહારાજ તથા વિદ્યમાન પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પિતાના સંપાદનકાર્યમાં ઉપયોગમાં લીધેલી સર્વે હાથમાં , માત્ર એક અપવાદ સિવાય, સર્વોત્ર “વસુદેવ-હિંડી' નામ આપેલું છે. ‘ આવશ્યકચૂણિમાં તેમજ આચાર્ય મલયગિરિની “આવશ્યકવૃત્તિમાં પણ એ જ નામનો ઉલ્લેખ છે. પ્રચલિત નામ પણ “વસુદેવ-હિંડી ” જ છે. આ બધાં કારણોથી સંપાદકોએ તે નામ સ્વીકાર્યું છે. પણ મૂળ ગ્રંથકર્તાને “વસુદેવચરિત' નામ જ ઉદ્દિષ્ટ છે એ નીચેના ઉલ્લેખ પરથી જોઈ શકાશે– પ્રારંભમાં વિષયમાં અનુમાન દેવચન્દ્રસૂરિએ પિતાના એ કાવ્યના પ્રારંભમાં તથા મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત' નામની સુપ્રસિદ્ધ ટીકા લખનાર અને વસ્તુપાલના સમકાલીન આચાર્ય માણિજ્યચન્ટે પોતાના સંસ્કૃત “શાન્તિનાથચરિત્ર” ના પ્રારંભમાં ભદ્રબાહુસ્વામીકૃત સવાલાખ શ્લેકપ્રમાણુ “વસુદેવચરિત નો નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે वंदामि भहबाहुं ज़ेण य अइरसियबहकहाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥ –દેવચંદ્રસૂરિકૃત “શાન્તિનાથચરિત્ર” (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૩૭૫) रसोर्मिरम्यं बहुसत्कथं यः सपादलक्षं वसुदेववृत्तम् । चकार संसारविकारभेदि स भद्रबाहुर्भवतु श्रिये वः ॥ –માણિચન્દ્રત “શાન્તિના ચરિત્ર” (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૨૦૪) આ ઉપરાંત, અમદાવાદની હંસવિજયજી જૈન લાયબ્રેરીએ પ્રસિદ્ધ કરેલી ૨૪૬ શ્લોકની સંક્ષિપ્ત “નર્મદાસુન્દરીકથા ને અંતે એ કથા ભદ્રબાહુસ્વામીપ્રણીત “વસુદેવ-હિંડી ’માંથી લેવામાં આવી હોવાનો નિર્દેશ છે. કૃતિના પ્રારંભમાં કે અંતે ર્તાનું નામ કે રચનાકાળ નથી તેમજ પ્રકાશકોએ હાથપ્રત વિશે પણ કંઈ માહિતી આપેલી નથી, એટલે એ વિષયમાં અનુમાન કરવાનું કોઈ સાધન નથી. પ્રસ્તુત અંતિમ લેક નીચે પ્રમાણે છે– इति. हरिपितृहिण्डेर्भद्रबाहुप्रणीतेविरचितमिह लोकश्रोत्रपत्रिकपेयम् । चरितममलमेतन्नर्मदासुन्दरीयं, भवतु शिवनिवासप्रापकं भक्तिभाजाम् ॥ હવે, ભદ્રબાહસ્વામીએ “વસુદેવચરિત' રચ્યું હોવાની કઈ પ્રાચીન શ્રતપરંપરા જાણવામાં નથી તેમજ એ ગ્રન્થ વિષેના નિદેશે પણ ઉપર જણાવ્યા તે સિવાય બીજા કોઈ મળતા નથી. સંધદાસગણિએ પ્રથમાનુયોગમાંના “વસુદેવચરિત'ને ઉલ્લેખ કર્યો છે, પણ ભદ્રબાહસ્વામીની એ વિષેની કઈ કૃતિ હવા વિષે મૌન સેવ્યું છે. સવાલાખ કપ્રમાણુના વિરાટ ગ્રન્થની પછીના સાહિત્યમાં ક્યાંય અસર ન હોય એ ન સમજાય એવું છે. એટલે આ ઉલ્લેખ કેટલે અંશે પ્રમાણભૂત ગણવા એ એક પ્રશ્ન રહે છે. આ સાથે બીજી એક વસ્તુ પણ ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત “નર્મદાસુન્દરીકથા” “વસુદેવ-હિંડી ” માંથી લેવાઈ હોવાનો ઉલ્લેખ એ કથાના અંતિમ એકમાં મળે છે એ આપણે જોયું. દેવચન્દ્રસૂરિએ “મૂલશુદ્ધિ 'ઉપરની પિતાની ટીકામાં આપેલી સંખ્યાબંધ કથાઓમાં પ્રાકૃત “નર્મદાસુન્દરી કથા” પણ છે. એમાં તેમણે એ કથા “વસુદેવ-હિંડી” માંથી ઉદ્ધત કરી હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે– इय पवरसईए णम्मयासुंदरीए, चरियमइपसत्थं कारयं निव्वुईए। हरिजणयसुहिंडीमज्झयाराउ किंचि, लिहियमणुगुणाणं देउ सोक्खं जणाणं ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ अणुजाणंतु मं, गुरुपरंपरागयं वसुदेवचरियं णाम संगहं वनइस्सं । –વસુદેવ-હિંડી, પ્રથમ ખંડ, મૂલ, પૃ. ૧ तत्थ ताव सुहम्मसामिणा जंबुनामस्स पढमाणुओगे तित्थयर-चक्रवट्टि-दसारवंसपरंपरागयं वसुदेवचरियं कहियं ति तस्सेव पभवो कहेयन्वो। -એજ, પૃ. ૨ ततो भगवया सेणियस्स रण्णो सधन्नुमग्गेण वसुदेवचरियं कहियं । –એજ, પૃ. ૨૬ ધમ્મિલ-હિંડી નું નામ પણ મૂળ ગ્રન્થમાં ધમ્મિલ્લચરિત” આપ્યું છે. જુઓ– સતો મા સેળિયા જળ સઘળુમો પgિવરિ મારો-એજ પૃ. ૨૭ આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે મધ્યમ ખંડમાં પણ ગ્રંથનું નામ “વસુદેવચરિત' આપ્યું છે– (१) नमिऊण त विणएणं संघमहारयणमंदरगिरिस्स । वोच्छामि सुणह णिहुया खंडं वसुदेवचरियस्स ॥ - (२) तं सुणह इमं धम्मत्थकामकुसुमियमायाऽऽसाफलभरियणमितसारं सिंगारवत्थललितकिसलयाकुलं सुतणसोभावमुइयमधुकरविविहगुणविहितसेवियं वसुदेवचरितलताविताणं । (३) निसुव्वति य आयरितपरंपरगतं अवितहं दिट्टिवादणीसंदं अरहंत-चक्कि-बलवासुदेव-गणिताणुओगकमनिद्दिटुं वसुदेवचरितं ति । આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાથમણે પણ, આપણે અગાઉ જોયું તેમ, ગ્રન્થને નામનિર્દેશ “વસુદેવચરિત' એ પ્રમાણે કર્યો છે. આમ જે મૂળ ગ્રન્થકર્તાને પણ “વસુદેવચરિત' નામ જ ઉદ્દિષ્ટ છે તે પછી “વસુદેવ-હિંડી ” નામ શાથી પ્રચલિત બન્યું એ વિચારવાનું રહે છે. હિંદી શબ્દમાં પ્રાકૃત દિંર ધાતુ છે અને વરિયં માં સંસ્કૃત વર ધાતુ છે. એ બને ધાતુઓ સમાનાર્થ હોઇ “હિંડી” તેમજ “ ચરિત' બનેને છંદ તેમજ શબ્દરચના એ બને બાબતમાં આ પદ્યનું સંસ્કૃત “નર્મદાસુન્દરીકથાના અંતિમ શ્લોક સાથેનું સામ્ય આપણને એમ અનુમાન કરવા પ્રેરે છે કે “મૂલશુદ્ધિ ટીક”—અંતર્ગત “નર્મદાસુદરીકથા” ઉપરથી એ સંસ્કૃત “નર્મદાસુન્દરીકથા”ની રચના કદાચ થઈ હોય. “મૂલશુદ્ધિટીકા’–અંતર્ગત કથાના અંતિમ પદ્યમાં “વસુદેવ-હિંડીના કર્તા તરીકે ભદ્રબાહુનો ઉલ્લેખ નથી, તે સંસ્કૃત કથામાં છે. પણ દેવચંદ્રસૂરિએ પિતાની બીજી એક કૃતિ–શાન્તિનાથચરિત્ર'-માં “વસુદેવ-હિંડી ”ના કર્તા ભદ્રબાહુસ્વામી હોવાનું જણાવ્યું છે, તેથી તેમની જ મૂલશુદ્ધિ ટીકા”માંની કથાનું સંસ્કૃત રૂપાન્તર કરનારે એ ઉલ્લેખનો પિતાની રચનાને અંતે વિનિયોગ કર્યા હોય એમ બને. ગમે તેમ હોય, પણ “વસુદેવ-હિંડી” પ્રથમ ખંડને જે ભાગ પ્રાપ્ત થયું છે અને છપાયો છે તેમાં “નર્મદાસન્દરી કથા” નથી. અદ્યાપિ અમુદ્રિત મધ્યમ ખંડમાં પણ એ કથા ક્યાંય નથી. સંભવ છે કે પ્રથમ ખંડના જે બે લંભકો-૧૯ અને ૨૦–નષ્ટ થઈ ગયા છે એમાં એ કથા હોય. Page #10 -------------------------------------------------------------------------- ________________ અથ એક જ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યમાં હિંદી શબ્દ ‘ પરિભ્રમણુકથા 'ના અથ'માં સુપરિચિત હતા. બ્રહ્મદત્ત ચક્રવર્તીના ભ્રમણ સંબંધમાં ઉત્તરાધ્યયન નિયુક્તિમાં કહ્યું છે–સા ૩ નહિંદી મોઢવ્વા યંમત્તા ( ગા. ૩૫૩ ), અને તે ઉપર ટીકાકાર શાન્તિસૂરિ લખે છે-ત્ત્વ ૨ પ્રાપ્તાવસરા શ્રાવિડી ( પૃ. ૭૭૮ ). વળી ગ્રન્થમાં વસુદેવને તેમના અનુભવે સંભળાવવાને વીનવતાં પ્રદ્યુમ્ન કહે છે—ભનય ! કુળદ મે વસાયું, હેદ ના હિંડીય સ્થ (મૂલ, પૃ. ૧૧૦). આમાંના હિઁક્રિય સ્થ પ્રયાગને કારણે પણ ગ્રન્થનું ‘ વસુદેવ-હિંડી ' એ નામ પ્રચલિત થવામાં કેટલીક સરલતા થઇ હાય. અને સૌથી વધારે સંભવિત એ છે કે તે કાળે વસુદેવની લેાકપ્રચલિત કથા, તેમાં મુખ્યત્વે વસુદેવનાં પરિભ્રમણાનું વષઁન આવતુ હાવાને કારણે, લેકામાં ‘વસુદેવ હિ‘ડી ' એ નામથીજ જાણીતી હોય. . ગ્રન્થના વિષય અને તેની રચનાપદ્ધતિ . ગૂજરાતી તેમજ પ્રાકૃતમાંના હિંડ' ધાતુને અથ · ચાલવું-ફરવું–પરિભ્રમણુ કરવું' એવા થાય છે. એટલે ‘ વસુદેવ-હિંડી ' એટલે · વસુદેવનું પરિભ્રમણુ. ' શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા, અને વર્ષોંના પરિભ્રમણુ દરમ્યાન તેમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યા સાથે લગ્ન કર્યાં હતાં તથા અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુભવ લીધા હતા તેને વૃત્તાન્ત એ ‘ વસુદેવ-હિંડી'ના કથાભાગનું મુખ્ય કલેવર છે. પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધ કથાઓ, લાકકથાઓ અને વાદસ્થળેા તેમજ તીર્થંકરો, ધર્મપરાયણ સાધુએ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્ર તથા બીજી અનેક વસ્તુઓનું નિરૂપણ કરીને, ક્વચિત્ સાહિત્યિક સપ્રમાણતાનેા ભાગ આપીને પણ, આ ગ્રન્થને એક મહાકાય ધર્માંકથા તરીકે રજૂ કર્યાં છે. વસુદેવહિંડી ની કથા મહાવીરસ્વામીએ શ્રેણિક રાજાને તથા સુધર્માસ્વામીએ શ્રેણિકના પુત્ર કણિકને સંભળાવી હતી, અને તે જ કથા વળી સુધર્માંસ્વામીએ પોતાના શિષ્ય જંબૂવામીને કહી હતી. પશુ વસુદેવનાં પરિભ્રમણાના મુખ્ય કથાભાગ ખુદ વસુદેવના મુખમાં જ મૂકવામાં આવ્યે છે. યૌવનકાળના અનેકવિધ અનુભવા અને પરિભ્રમણા દરમ્યાન પોતે ભોગવેલાં સુખદુઃખેા વસુદેવ સ્વમુખે પોતાના યુવાન પૌત્રાને, તેમની વિનંતી ઉપરથી, કહી સભળાવે છે. અર્થાત્ ગ્રન્થની મુખ્ય કથા વસુદેવની આત્મકથારૂપે જ ચાલે છે. . આ ગ્રંથની રચનાપતિ ભારતીય સાહિત્યમાં જોકે અપવાદરૂપ નહીં તે પણ એક રીતે વિશિષ્ટ તે છે જ. વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને ‘લભ-લભક’ ( પ્રા. રુમ્મો ) નામ આપવામાં આવ્યું છે. જે કન્યા સાથે વસુદેવનુ લગ્ન થયું હોય તેના નામ અનુસાર તે તે લંભકનુ પણ નામકરણ થયેલું છે; જેમ કે શ્યામા-વિજયા લંભક, શ્યામલી લંભક, ગન્ધદત્તા લંભક, નીલયશા લંભક, ઇત્યાદિ. ‘ લલક ' શબ્દ સંસ્કૃત રુમ ધાતુ ઉપરથી આવેલા છે, એટલે આ કથાવિભાગે વસુદેવને થયેલી તે તે કન્યાની પ્રાપ્તિના સૂચક છે. ગ્રન્થની આ પ્રકારની યેાજના ભારતીય સાહિત્યમાં અન્યત્ર માત્ર એક જ પ્રાચીન ગ્રંથમાં થયેલી અત્યાર સુધીમાં માલૂમ પડેલી છે, અને તે ગુણુાઢ્ય કવિએ પૈશાચી પ્રાકૃતમાં રચેલી ‘ બૃહત્કથા ’માં. એ કથા સવીસનની પહેલી અથવા ખીજી શતાબ્દીમાં રચાઈ હાવાનુ વિદ્વાનો માને છે. બૃહત્કથા 'ના એ સંસ્કૃત રૂપાન્તરકારો સેામદેવભટ્ટ અને ક્ષેમેન્દ્ર ગુણાઢ્ય કવિને પ્રતિષ્ઠાનના રાજા સાતવાહનના સમકાલીન તરીકે વર્ણવ્યેા છે અને સાતવાહનને, વાજખી રીતે જ, શકપ્રવર્તક શાલિવાહનથી અભિન્ન ગણતાં, આ માન્યતા સમુક્તિક ઠરે છે. આ કથામન્ય એક કાળે ભારતીય સાહિત્યમાં ખૂબ જ લોકપ્રિય હોવા જોઇએ, Page #11 -------------------------------------------------------------------------- ________________ કેમકે સંખ્યાબંધ સંસ્કૃત નાટકે અને કથાગ્રન્થા એને આધારે રચાયેલ છે અને તેમાંની કથાઓની અસરો પ્રાંતિક ભાષાએમાં રચાયેલ સાહિત્ય સુધી પણ કાયમ રહેલી છે. પ્રાચીન ભારતની લૌકિક વાર્તાએને એક આકગ્રન્થ હાવા છતાં બૃહત્કથા ’એ કાઇ ધમાઁગ્રન્થની સાથે સરખાવી શકાય એટલાં આદર અને લોકપ્રિયતા આપણા દેશમાં પ્રાપ્ત કર્યાં હતાં. અનેક સંસ્કૃત કવિએ પોતાની રચનાઓમાં * : બૃહત્કથા ' વિષે માનભેર ઉલ્લેખા કર્યા છે તે પણુ આ દૃષ્ટિએ આપણુ ખાસ ધ્યાન ખેંચે છે. - બૃહત્કથા 'ના નાયક નરવાહનદત્તના પિતા ઉદયનની કથામાં નિપુણુ એવા અવન્તિવાસી ગ્રામોને ઉલ્લેખ મહાકવિ કાલિદાસે કર્યા છે ( પ્રાપ્યાયન્તીનુવચનથાજોનિપ્રામગૃહાર્ । ‘- મેધદૂત, ' પૂ་મેધ, શ્લાક ૩૧ ). મહાકવિ બાણે ‘ બૃહત્કથા'ને એક શ્લિષ્ટ શ્લોકમાં મહાદેવની લીલા સાથે સરખાવી છે ( સમુદ્રીવિતર્યા હતૌરીપ્રસાધના | ઢરહીછેવ નો ચ વિસ્મયાય નૃથા । · હરિત, ' મંગલાચરણુ, શ્લોક ૧૭ ). ‘ વાસવદત્તા 'ના કર્તા સુક્ષ્મએ પણ એક ઉપમામાં બૃહત્કથા 'તા નિર્દેશ કર્યા છે. ( વૃત્તથાજનૈરિત સામજ્ઞિાનિવહૈ:। ). કાવ્યાદર્શ 'કાર દંડીએ અદ્ભુત અથવાળી બૃહત્કથાના ઉલ્લેખ કર્યા છે ( થા દ્દેિ સર્વમામિ: સંસ્કૃતન ચ ચધ્યતે। મૂતમાળામાં પ્રાદુસ્ક્રુતાર્થો હૃદયાત્ ॥ ‘ કાવ્યાદર્શ, ’ ૧-૩૮. ). ‘ નિશીથસૂત્ર ' ઉપરની ચૂર્ણિમાં લૌકિક કામકથા તરીકે નરવાહનદત્તતા કથાની નિર્દેશ છે ( મળેથિીર્દિના જામન્હા । तत्थ लोइया णरवाहणदत्तकथा । लोउत्तरिया તરંગવતી મનપસેળાવીf । ); તથા સ. ૮૩૫ માં પ્રાકૃત ‘કુવલયમાલાકથા ’ રચનાર દાક્ષિણ્યાંક ઉદ્યોતનસૂરિએ એ કથાના મગલાચરણમાં એક ગાથા વડે ગુણાત્મ્ય અને તેની ‘ બૃહત્કથા ’ની પ્રશંસા કરી છે ( सकलकलागमनिलया सिक्खावियकइयणा सुमुहयंदा | कमलासणो गुणड्ढो सरस्सई जस्स वड्डकहा ॥ ). 4 k * દર્શરૂપક 'ના કર્તા અને માલવપતિ મુ ંજના સભાસદ ધનંજયે રામાયણાદિની સાથે ‘ બૃહત્કથા ’ ઉલ્લેખ કર્યાં છે ( સ્ત્યાચશે મિટ્ટુ વસ્તુનિમવજ્ઞાત રામાયળાવિ૨ વિમાન્ય નૃથાં ૨૪ આસૂત્રયેત્તવનુ નેતૃરસાનુનુયાચિત્રાં થામુચિતચાહવશ્વપ્રવઐ: ॥ નિયસાગરનું સંસ્કરણ, ચોથી આવૃત્તિ, પૃ. ૩૩-૩૪) તથા તેના ટીકાકાર અને ભાઈ ધનિક ‘ બૃહત્કથા 'ને મુદ્રારાક્ષસ 'નું મૂળ કહી છે ( તંત્ર વૃથામૂરું મુદ્રારાક્ષસમ્ । એજ, પૃ. ૩૪ ). ભાજરાજના વિનેદાથૅ તિલકમંજરી ' રચનાર કવિ ધનપાલે એ કૃતિના પ્રારંભમાં જ કહ્યું છે કે બૃહત્કથા'ની આગળ ખીજી કથા કથા જેવી લાગે છે ( સત્સ્ય નૃથામ્નોવિવુમાવાય સંòતા:। તેનેતરથાઃ સ્થા; પ્રતિમાન્તિ તપ્રતઃ । પૃ. ૭ ). આચાર્ય હેમચન્દ્રે કાવ્યાનુશાસન 'ની સ્નાપન્ન વૃત્તિમાં કથાના પ્રભેદેમાં બૃહત્કથા 'ના ઉલ્લેખ કર્યા છે ( દ્વિત્તા-દ્રુતાf નાનાત્તાવિચરિતયત્ વૃથા । અધ્યાય ૮, સૂ. ૮). ઇસવીસનની છઠ્ઠી શતાબ્દીના દક્ષિણ હિન્દના એક તામ્રપત્રમાં તથા નવમી શતાબ્દીના કાંઠેાડિયાના એક શિલાલેખમાં પણુ ‘ બૃહત્કથા ’ના આદરપૂર્વક ઉલ્લેખ કરેલા છે. k k . t પણ ભારતીય સાહિત્યને એ અદ્ભુત કથાગ્રન્થ કાળના પ્રવાહમાં ખેંચાઈ ગયા છે; સૈકાઓ પૂર્વે તેને નાશ થઇ ગયા છે. એનાં ત્રણ સક્ષિપ્ત સંસ્કૃત રૂપાન્તરો આજે પ્રાપ્ત થાય છે—બુધસ્વામીકૃત બૃહત્કથાલેાકસંગ્રહ ' ( અનુમાને પાંચમા અથવા છઠ્ઠો સૈકા ), સામદેવભટ્ટકૃત કથાર્તારસાગર ’ ( અગિયારમા સૈકા ) અને ક્ષેમેન્દ્રકૃત * બૃહત્કથામંજરી ' ( અગિયારમા સૈકા ). બુધસ્વામીની કૃતિ નેપાળમાં રચાયેલી છે, જ્યારે સામદેવ અને ક્ષેમેન્દ્રની રચનાએ કાશ્મીરમાં થયેલી છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતમાં વામનભટ્ટની ‘ બૃહત્કથામંજરી ’ રચાયેલી છે, પણ તેને જૂજ ભાગ જ અત્યાર સુધીમાં પ્રાપ્ત થયા છે. અગિયારમા સૈકામાં ‘ બૃહત્કથા ’નાં સંસ્કૃત રૂપાન્તર થયાં છે, એ બતાવે છે કે એક અથવા ખીજા સ્વરૂપમાં એ ગ્રન્થ ત્યાં સુધી તેા વિદ્યમાન હતા. એ પછીના કાષ્ટ ગ્રન્થકારે મૂળ પૈશાચી Page #12 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કથા ' પેાતાની નજર જોઇ હાય એવા પુરાવા મળતા નથી. ગમે તેમ, પણ મૂળ ગ્રન્થને અભાવૈં તેના વિષયને તથા રચનાપતિને કેટલેક ખ્યાલ આપણને પ્રસ્તુત રૂપાન્તરો ઉપરથી આવે છે. જો કે એક બાજુ બુધસ્વામીનું રૂપાન્તર તથા બીજી બાજુ સામદેવ અને ક્ષેમેન્દ્રનાં રૂપાન્તરા—એ એમાં પણ કેટલાક મહત્ત્વને તફાવત છે. * * એમાં કૌશાંખીપતિ વત્સરાજ ઉદયનના પુત્ર નરવાહનદત્તનાં અનેકવિધ પરિભ્રમણ, પરાક્રમે તથા અનેક વિદ્યાધર અને માનવ કન્યાઓ સાથેનુ તેનું પાણિગ્રહણ વર્ણવેલુ છે. એમાં પણ ‘ વસુદેવ-હિંડી ’ની જેમ સેંકડા નાની-મોટી આડકથાએ આવે છે. અરે, ‘ વૈતાલપચીશી'ની આખીયે વાર્તા પણ ‘ કથાસરિત્સાગર ’માં એક આડકથારૂપે જ મૂકેલી છે ! વળી કાશ્મીરી રૂપાન્તરામાં કથાના વિભાગોને ‘લેખક ’ નામ આપવામાં આવ્યું છે, એટલું જ નહીં પણ જે કન્યા સાથે નરવાહનદત્તનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર ધણીવાર તેને લખકનું નામકરણ થયેલુ છે—જેમકે મદનમજીકા લખક, રત્નપ્રભા લેખક, અલંકારવતી લખક, સુરતમ’જરી લખક, ઇત્યાદિ પરન્તુ ‘ લીંબક ’ જેવા કાઇ શબ્દ સંસ્કૃત ભાષામાં નથી, અને ધારો કે એવા શબ્દ હાય તા પણ તેને અથ · પ્રાપ્તિ' એવા થઇ શકે નહીં. આથી એમ અનુમાન થાય છે કે સામદેવભટ્ટ અને ક્ષેમેન્દ્ર જેવા સંસ્કૃત રૂપાન્તરકારોએ મૂળ ‘બૃહત્કથા'ના કથાવિભાગ સૂચવતા હંમો અથવા તેને મળતા પૈશાચી ભાષાના કાઇ શબ્દને, સંસ્કૃત ગ્રન્થકારો લેાકભાષાના શબ્દોની બાબતમાં ઘણીવાર કરે છે તેમ, ‘લખક’ એવું બનાવટી સંસ્કૃત રૂપ આપી દીધું હાય. (દિગંબર વિદ્વાન વાદીસિંહે પોતાના ગદ્ય-ચિન્તામણિ’ ગ્રન્થમાં નાયકને પત્નીની પ્રાપ્તિ વર્ણવતા કથાપરિચ્છેદેને ‘લખ’ નામ આપ્યું છે, એ વસ્તુ પણ આ સંભિવતતાનું સમર્થન કરે છે.) અલબત, જ્યાં કન્યાની પ્રાપ્તિના પ્રસંગ નથી એવા કેટલાક કથાભાગાને પણ ‘કથાસરિત્સાગર’માં 'લખક' નામ આપેલુ છે, જેમકે લાવાણુક લખક, સ પ્રભ લખક, મહાભિષેક લખક ઇત્યાદિ; પરન્તુ અહીં ‘ લખક ’ શબ્દ ઉપત્તિરહિત છે, કારણ કે એ વડે ક્રાઇ પ્રાપ્તિનું સૂચન થતું નથી. સંભવ છે કે આ ફેરફાર કદાચ સંસ્કૃત રૂપાન્તરકારોના હાય, અને રુક્ષ્મ શબ્દા વ્યુત્પત્તિમૂલક અર્થ વીસરાયાને કારણે એ શબ્દને તેમણે એ રીતે માત્ર કથાવિભાગ સૂચવવા માટે રૂઢિથી પ્રયાગ કર્યાં હાય. ગમે તેમ, પણ કથાના કલેવરની એકંદર યાજનાની બાબતમાં ‘ બૃહત્કથા' અને ‘ વસુદેવહૂંડી ' નુ અસાધારણ સામ્ય છે એ તે આ ઉપરથી સહેલાઇથી જોઇ શકાશે. : વળી સંખ્યાબંધ પાત્રાનાં નામે અને પ્રસ ંગાની ખાખતમાં પણ ‘ બૃહત્કથા ’ અને ‘વસુદેવ’િડી’ વચ્ચે નોંધપાત્ર સામ્ય છે. આ સબંધમાં વિશેષ વિસ્તાર અહીં અનાવશ્યક છે, પરન્તુ જિજ્ઞાસુ વાચકને ‘ બૃહત્કથામંજરી ’ કે ‘ કથાસરિત્સાગર ’ ની એકાદ વિસ્તૃત અનુક્રમણિકા ઉપર ઊડતી નજર નાખવા મારી ભલામણ છે. બૃહત્કથા * એક લૌકિક કથા હતી. એના કર્તાના ઉદ્દેશ કેવળ સાહિત્યિક આનંદ આપવાને હતા. ‘ વસુદેવ-હિંડી ’તે પણ તેના પ્રધાન કથાઅંશની બાબતમાં–વસુદેવનાં પ્રણયવિષયક પરાક્રમેની બાબતમાં જોઇએ તો તે પણ એક ઐતિહાસિક લૌકિક કથા જેવી જ લાગશે; શ્રમણ ગ્રન્થકર્તાતી ધમ બુદ્ધિએ જ એ લૌકિક કથાના ઉત્તમ ધમકથારૂપે પરિણામ નીપજાવ્યેા છે એમ કહીએ તે વધારે પડતુ નથી. ' બૃહત્કથા ' ઈસવીસનના પ્રારંભકાળમાં રચાયેલી છે. ‘ વસુદેવ-હિંડી નેા રચનાકાળ તેનાથી ખે ત્રણ સૈકા પછીને છે. સંભવ છે કે સધદાસણને ‘ બૃહત્કથા ’ જેવી ઉચ્ચ સાહિત્યક ગુણવત્તાવાળી અને વિપુલ વિસ્તારવાળી લૌકિક કથા જોઇને એવી એક ધર્માંકથા રચવાની ઇચ્છા થઇ હોય, અને પરિણામે Page #13 -------------------------------------------------------------------------- ________________ . બૃહત્કથા 'ની. આયાજનાના મુખ્ય અશા ધ્યાનમાં રાખીને તેમણે ‘ વસુદેવ—હિ'ડી'ની રચના કરી હાય.પ ગ્રન્થકારે પ્રારંભમાં કહ્યું છે તેમ, મૂળ વસ્તુ પરત્વે તે ‘ વસુદેવ-હિંડી’ પ્રાચીનતર એવા ‘પ્રથમાનુયાગ ’ ગ્રન્થની ઋણી છે, પછી એ વસ્તુની આયેાજના અને વિસ્તાર પરત્વે ‘ બૃહત્કથા ' સાથેનું તેનુ અસાધારણ સામ્ય આપણને આમ માનવા પ્રેરે છે. . ' . . · વસુદેવહિડી પ્રથમ ખંડ નીચે પ્રમાણે છ વિભાગામાં વહેંચાયેલા છે—કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસહાર. કથાની ઉત્પત્તિ, પીઠિકા અને મુખ એટલામાં કથાને પ્રસ્તાવ આવે છે. એમાં વળી કથાની ઉત્પત્તિ એ વિભાગમાં તપશ્ચર્યાનાં ફળરૂપે આ લોકમાં જ ખત્રીસ કન્યાએ પરણીને અનેક પ્રકારે સુખ ભોગવનારા સાવાહપુત્ર ધમ્મિલનો કથા ધમ્મિલ—હિ'ડી' એ નામથી વિસ્તારપૂર્વક આપવામાં આવી છે એ પણ શૃંગારકથાના બ્યપદેશથી કહેવાયેલી ધર્માંકથા જ છે. એમાં શ્રેણિકના વસુદેવ વિષેના પ્રશ્નના ઉત્તરમાં, “ આ પછી ભગવાને શ્રેણિકને, સત્ત કહી શકે તેવી રીતે, વસુદેવચરિત કહ્યું ” (પૃ. ૩૨ ) એવા સ્પષ્ટ નિર્દેશ પછી વસુદેવચરિતને બલે લગભગ ૫૫ પાનાનુ મ્મિલરિત આવે છે, એથી એક માઢુ વિષયાન્તર થાય છે. જો કે વિષયાન્તરે અને અવાન્તર કથાઓની આ ગ્રન્થમાં કાઇ નવાઇ નથી. પ્રતિમુખમાં વસુદેવ પોતાની આત્મકથાને પ્રારંભ કરે છે. રુકિમણીના પુત્ર સાંખનું લગ્ન સત્યભામાના પુત્ર સુભાનુ માટે એકત્ર કરવામાં આવેલી ૧૦૮ કન્યાઓ સાથે થયું હતું. આથી પ્રદ્યુમ્ને વસુદેવને કહ્યું, “ આ તમે સે। વર્ષ સુધી ભમ્યા ત્યારે અમારી દાદીઓને મેળવી, પણુ સાંબના અંતઃપુરમાં જીએ; સુભાનુ માટે એકત્ર કરેલી કન્યાએ એકી સાથે સાંબને પરણી ગઇ '' (પૃ. ૧૩૯ ). વસુદેવે પ્રદ્યુમ્નને કહ્યું”, ‘‘ સાંભ કૂવાના દેડકાની જેમ સહેલાઈથી પ્રાપ્ત થયેલા ભાગથી સંતુષ્ટ થયેલા • છે. હું તે। માનુ છું કે મેં પરિભ્રમણ કરતાં કરતાં જે સુખ અથવા દુ:ખ અનુભવ્યાં છે તે બીજા ક્રાઇ પુરુષે ભાગ્યે જ અનુભવ્યાં હશે ( પૃ. ૧૩૯-૪૦ ). આથી પ્રદ્યુમ્નની વિનંતી ઉપરથી વસુદેવે પોતાનાં પરિભ્રમણુના વૃત્તાન્ત કહી સંભળાવ્યેા. એ વૃત્તાન્ત તે ‘ વસુદેવ-હિ’ડી ’. ' વસુદેવની આત્મકથાના ખરા અર્થાંમાં વિસ્તાર ‘રારીર’એ વિભાગથી થાય છે. લલકાના પ્રારંભ પશુ ત્યાંથી જ થાય છે. ‘વસુદેવ–હિડી’ના આ પ્રથમ ખંડમાં કુલ ૨૮ લભક છે; તેમાંથી ૧૯-૨૦ એ એ લંભક ઉપલબ્ધ થતા નથી૬ તથા ૨૮ મે લલક અપૂર્ણાં મળે છે. અપૂર્ણ ૨૮ મા લભકને છેવટના ભાગ ૫. ‘ વસુદેવ-હિંડી ’– મધ્યમ ખંડના કર્તા શ્રીધર્મસેનગણિ મહત્તરે પેાતાના એ ગ્રન્થના પ્રારંભમાં જ • અહમ્થા 'ના નાચક નરવાહનન્તત્તના નામનિર્દેશ નીચે પ્રમાણે કર્યાં છે.—મુળરૢ વાળારાં ૨ | સોળ છોડ્યાળઙળેાળદુલ-ખ-ધુંધુમાર-ળિસદ્-બુહ્મવ-મંધાતામ-રામળ-ઝાળમેયા-ઢોરવ-જંતુજીય-વાદળટ્ત્તાફાળું દ્દાઓ ામિયાઓ જોશો તેનું હામાપુ રન્નતિ | આ પ્રમાણે લેાકા કામક્થાઓમાં રસ લેતા હાવાથી પાતે શૃંગારકથાના બ્યપદેશથી ધર્મી કહે છે એમ પણ તેમણે સ્પષ્ટ કહ્યુ` છે—ામજદ્વારજ્ઞદ્વિતયરસ બળસ સિંગારાવવજ્ઞેળ ધમ્મ ચૈવ રિહેમિ ॥ વળી આગળ કહ્યુ છે—દુળ હારમેળ મળમિ-જામન્ના વિ વિકલનયિબિહિત્તા ઉગામવસેળ ધમ્મમંદાર્ સંવ્રુતિ । અર્થાત્ ‘વસુદેવ−હિંડી ’ની કથાનું ખાપુ ‘બૃહત્કથા ની જેમ શૃંગારકથાનુ છે અને તેમાં ગ્રન્થકર્તાએએ ધર્મપદેશના સભાર ભર્યાં છે એમ માનવામાં બાધ નથી. ૬. આ અનુપલબ્ધ લલકા પૈકી એકનું નામ · પ્રિયદર્શીના લલક' હોવુ જોઇએ, કારણ કે છેલ્લા ‘દેવકીલલક ’માં * Page #14 -------------------------------------------------------------------------- ________________ તથા ગ્રન્થને ઠ્ઠો અને છેલ્લે વિભાગ-ઉપસંહાર પણ પ્રાપ્ત થતા નથી. અર્થાત્ ત્રુટક ૨૮ મા લભક સુધીને જ આ ગ્રન્થ મળે છે. અલબત, ૨૮ મે લંભક એ સ્વતંત્ર લ'ભક છે કે ઉપસંહારને પ્રારભને ભાગ છે એ એક પ્રશ્ન છે ( જુએ ટિપ્પણ ૮ ). જ્યાંસુધી ગ્રન્થની સ ંપૂર્ણ હસ્તપ્રત મળે નહીં ત્યાંસુધી તેને નિર્ણય થઈ શકે એમ નથી. વસુદૈવ-હિંડી’ અને ‘બૃહત્કથા' ૧૯ મી આંતરરાષ્ટ્રીય પ્રાચ્યવિદ્યા પરિષદ સમક્ષ રજૂ કરેલા Eine neve Version der Verlorenen Brhatkatha des Guṇadhya (A new version of the lost Brhatkathā of Gunādhya ) એ નામના એક નિબંધમાં જર્મન વિદ્વાન ડૉ. આલ્સડે ફે ‘ વસુદેવહિંડી ' પ્રથમ ખંડને આધારે બૃહત્કથા ' અને ‘ વસુદેવ–હિંડી ’ના સંબંધ વિષે કેટલુંક મહત્ત્વનું સંશોધન કર્યુ` છે, તથા · બૃહત્કથા ' ના મૂળ સ્વરૂપ વિષે કેટલાંક અગત્યનાં પ્રમાણે રજૂ કર્યાં છે. ‘ વસુદેવ—હિંડી 'ના અભ્યાસીઓ માટે એ લેખ ખાસ મહત્ત્વ ધરાવતો હોઇ તેને સારભાગ અહીં આપવાની લાલચ હું રોકી શકતે નથીઃ— . ગુણાજ્યની ‘ બૃહત્કથા ' એ નિઃશંકપણે પ્રાચીન ભારતીય સાહિત્યને એક અતિ રસપ્રદ અને મહત્ત્વને ગ્રન્થ છે. આથી એ વિનષ્ટ થયેલા ગ્રન્થની શક્ય તેટલી ચેાસ પુનઃટનાનું કાર્ય પણ અત્યંત રસિક છે. સામદેવને ‘ કથાસરિત્સાગર' અને ક્ષેમેન્દ્રની ‘ બૃહત્કથામ ંજરી ' એ એ પરસ્પર સંપૂર્ણ પણે મળતી આવતી એવી કાશ્મીરી લેખકોની માત્ર એ જ કૃતિ જાણવામાં હતી ત્યાંસુધી આ કાર્ય પ્રમાણમાં સરલ હતું. આશ્ચર્ય જનક અને સારી રીતે ભિન્ન એવા, કહેવાતા નેપાલી રૂપાન્તર-બુધસ્વામીના ‘બૃહત્કથા— શ્લોકસંગ્રહ 'ની શોધ થતાં આ વસ્તુ પહેલી જ વાર એક કાયડારૂપ બની ગઇ. ફ્રેન્ચ વિદ્વાન લાકાતેએ Essay sur Gunadhya et la Brhatkatha ( ગુણાઢ્ય અને તેની બૃહત્કથા વિષે નિબંધ ) એ નામના, ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં આ કાયડાના આશ્ચર્યજનક નિપુણતાથી ઉકેલ કરવાને પ્રયાસ કર્યાં છે. લાકાતે નીચેના નિણ્ય ઉપર આવ્યેા હતેા ઃ "" C બન્ને કાશ્મીરી રૂપાન્તરા( ‘ કથાસરિત્સાગર' અને ‘બૃહત્કથામ ંજરી ' )નું મૂળ ગુણાક્યની બૃહત્કથા ' ની એક અત્યંત ભ્રષ્ટ અને અવ્યવસ્થિત કાશ્મીરી કૃતિમાં રહેલું છે. આ કૃતિમાં ઘણું સ્થળે મૂળ ગ્રન્થની હકીકતા તદ્દન સક્ષિપ્ત સારાહારરૂપે મૂકવામાં આવી હતી; એમાં મૂળના કેટલાક ભાગો તદ્દન લુપ્ત થઇ ગયા હતા અને પુષ્કળ પ્રક્ષેપો નવેસરથી દાખલ કરવામાં આવ્યા હતા. આ રીતે મૂળ ગ્રન્થના વસ્તુ અને આયેાજનમાં કઢંગા ફેરફારો થઈ ગયા હતા, જેને પરિણામે કૃતિમાં ધ્યાન ખેંચતી અસંગતિએ ઉપસ્થિત થઇ હતી અને છેવટે, મુખ્યત્વે આગતુક ઉમેરાઓને પરિણામે, એ કાશ્મીરી કૃતિમાં મૂળ ગ્રન્થ પુષ્કળ ભ્રષ્ટતા પામી ચૂકયા હતા. આ સામે બુધવામી વસ્તુની આયેાજના તેમજ રજુઆત પરત્વે મૂળ પ્રાચીન ‘ બૃહત્કથા 'નું સાચું ચિત્ર રજૂ કરે છે; પરન્તુ ખેદની વાત એટલી જ છે કે એ ચિત્ર સંપૂર્ણ નથી, કારણ એના ગ્રન્થના એક ચતુર્થાંશ ભાગ જ ઉપલબ્ધ છે. આમ છતાં પેલાં એ કાશ્મીરી રૂપાન્તર સાથે તેની તુલના કરવાનું શક્ય છે, ' * મસુદેવની પત્નીઓનાં નામ ગણાવેલાં છે. તેમાં પ્રિયદર્શ‘નાનું નામ છે, પણ તેના નામના કાઇ લંભક ગ્રન્થમાં અત્યારે નથી. અર્થાત્ નષ્ટ થયેલા એ લલકામાં એક પ્રિયદર્શીનાનેા હશે. ૭. મૂળ જન લેખનેા અંગ્રેજી સાર કરી આપવા માટે હું પ્રેા. રસિકલાલ છે. પરીખને ઋણી છું. ' Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦. “લાકે તેના ઉપર્યુક્ત મુખ્ય નિર્ણ સાથે . વિન્ટરનિટ્સ સંમત થાય છે (History of Indian Literature, vol. III), પણ અત્યાર સુધી જાણવામાં આવેલાં રૂપાન્તરે ઉપરથી મૂળ ગ્રન્થની પુનર્ધટના કરવાના પ્રયત્નને તેઓ વ્યર્થ ગણે છે. તેમના મત પ્રમાણે લોકો તેને પ્રયત્ન સંદિગ્ધ છે અને અપર્યાપ્ત સામગ્રીની સહાયથી તે કરવામાં આવેલ છે. અલબત, વિન્ટરનિટ્સના કથયિતવ્યમાં એટલું યથાર્થ છે કે વધુ સામગ્રી મળે નહીં ત્યાં સુધી લાકે તેના નિર્ણયમાં વધુ સુધારા સૂચવવાનું શક્ય નથી. ખરું જોતાં ૧૯૦૮માં લોકો તેને ગ્રન્થ પ્રસિદ્ધ થયો ત્યાર પછી “બૃહત્કથા 'ના કેયડાના વિષયમાં ઉપયોગી થાય એવું કશું બહાર લાવવામાં આવ્યું નથી. પણ જેને પાસે પ્રાચીન, વિસ્તૃત અને અન્ય બે રૂપાન્તરો–કાશ્મીરી અને નેપાલીથી સ્વતંત્ર એવું “બૃહત્કથા 'નું રૂપાન્તર છે એ વસ્તુ સંપૂર્ણપણે ધ્યાન બહાર રહી છે, એ આશ્ચર્યજનક છે. નરવાહનદત્તનાં પરાક્રમો જેનોએ કૃષ્ણના પિતા વસુદેવ ઉપર આરોપ્યાં છે. “વસુદેવ-હિંડી” (વસુદેવનું પરિભ્રમણ) એ જૈન પુરાણકથાને અને પૌરાણિક વિશ્વ-ઈતિહાસને (કથાનુયોગને) એક મહત્વને અંશ છે. વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા હેમચન્દ્રના “ ત્રિષષ્ટિ શલાકાપુરૂષચરિત્ર ”માં, શ્રી નેમિનાથના ચરિત્રમાં વસુદેવનું ચરિત્ર પણ આવે છે ત્યાં જૈન “બૃહત્કથા”ની રૂપરેખા જોવામાં આવે છે. તેમાં તથા શ્રીકૃષ્ણની પુરાણકથાને લગતા જેન ગ્રન્થમાં એને સંક્ષિપ્ત સારોદ્ધાર આપવામાં આવેલ છે, પણ ડાંક વર્ષ ઉપર હિન્દમાં પ્રસિદ્ધ થયેલ એક ગ્રન્થ, સંધદાસગણિકૃત “વસુદેવ-હિંડી , તેના વિસ્તાર અને વિગતોને કારણે જેને “બૃહત્કથા” પર અનશુદ્ધ અભિપ્રાય આપવાનું આપણે માટે શક્ય બનાવે છે. “ આવશ્યકચૂર્ણિ'માં ત્રણ વાર મળતા “વસુદેવ-હિંડી અને ઉલ્લેખ ઈસવી ૬૦૦ની આસપાસ તેની રચનાની ઉત્તર મર્યાદા સ્થાપિત કરી દે છે. ગ્રન્થની અત્યંત પ્રાચીન ભાષા તે કરતાં યે જૂને રચનાકાળ સૂચવે છે. ગમે તેમ, પણ આ નવપ્રાપ્ત પ્રાકૃત ગ્રન્થમાં અત્યાર સુધી જાણવામાં આવેલું “બ્રહકથા'નું પ્રાચીનતમ રૂપાન્તર મળે છે. આ ગ્રન્થમાં પણ “બૃહત્કથા નું વસ્તુ શ્રીકૃષ્ણની પુરાણકથાની આસપાસ ગૂંથાયેલું મળે છે, કે જે કથા ઈસવી સન પૂર્વે ૩૦૦ની આસપાસમાં જેને અપનાવી હોવાનું ઑ. યાકોબીએ નકકી કર્યું છે. ડે. યાકોબી માને છે કે ઈસવી સનના પ્રારંભ સુધીમાં જૈન પુરાણકથા સંપૂર્ણ બની ચૂકી હતી. જ્યારે જૈનાએ “બૃહકથા 'ને પિતાની પુરાણકથાના કલેવરમાં દાખલ કરી ત્યારે તે એક સુપ્રસિદ્ધ કવિની કૃતિ હોવા ઉપરાંત વધારે તે દેવકથાની ભવ્યતાથી પ્રકાશમાન એવા એક પ્રાચીનતર યુગની રચના હતી, જેની મહત્તા પુરાણ અને મહાકાવ્યની કથાઓ જેટલી જ હતી. આને અર્થ એ થયો કે “બ્રહકથા નું જૈન રૂપાન્તર મૂળ “બૃહત્કથા 'ને રચના-કાળ વળી કેટલીક સદીઓ જેટલું પ્રાચીનતર માનવાની આપણને ફરજ પાડે છે. ડૅ. બુહરની જેમ ગુણાત્યને ઈસવી સનની પહેલી કે બીજી શતાબ્દીમાં અથવા લાકાતેની જેમ ત્રીજી શતાબ્દીમાં મૂકવાને બદલે-વધારે પ્રાચીન સમયમાં નહીં–તે ઈસવી સનની પૂર્વે પહેલી અથવા બીજી શતાબ્દીમાં આપણે જવું જોઈએ. લાકાતેના મત મુજબ, નષ્ટ થયેલ “બૃહત્કથા ની આજના નીચે પ્રમાણે હતીઃ પ્રાસ્તાવિક ભાગમાં ઉદયન અને તેની રાણીઓ વાસવદત્તા અને પદ્માવતીની જાણીતી કથાઓ હતી. વાસવદત્તાને પુત્ર નરવાહનદત્ત યુવાન રાજકુમારની અવસ્થામાં હતું ત્યારે ગણિકાપુત્રી મદનમંજુકા સાથે પ્રેમમાં પડે છે અને પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ તેને પરણે છે. એક વિદ્યાધર રાજા મદનમંજુકાનું હરણ કરી ગયો હતો; મદનમંજુકાની શેધ કરતાં નરવાહનદત્ત વિદ્યાધરલેક અને માનવકમાં નવાં નવાં પરાક્રમે કરતે ગયો, અને દીર્ઘ પ્રયત્ન પછી મદનમંજુકાને પાછી મેળવ્યા બાદ તે વિદ્યાધરચક્રવર્તી તરીકે સ્થાપિત થયે અને મદનમંજુકા તેની પટરાણુ થઈ આ પૂર્વેનાં તેના કાર્યોમાં પરાક્રમોની હારમાળા આવે છે, જે Page #16 -------------------------------------------------------------------------- ________________ થકી પ્રત્યેકમાં તેને એક પત્નીની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક પરાક્રમના આ પ્રમાણે આવતા અંતને ગુણાર્થે “લંભ” એવું નામ આપ્યું હતું; અને એ રીતે નરવાહનદત્તની કથા વેગવતીલંભ, અજિનાવતીલંભ, પ્રિયદર્શનાલંભ ઇત્યાદિ પ્રકરણમાં વહેંચાયેલી હતી. “જૈન પરંપરા અનુસાર ( “વસુદેવ-હિંડી'માં ) શ્રીકૃષ્ણની પુરાણકથાની આજના એવી છે કેવસુદેવ પોતાના મોટા ભાઈ સાથેના કલહને કારણે ઘેરથી નાસી છૂટે છે અને પછી લાંબા પરિભ્રમણ દરમિયાન નરવાહનદાના જેવાં જ પરાક્રમ કરે છે, અને છેવટે પિતાની છેલ્લી પત્ની તરીકે રોહિણીને પ્રાપ્ત કરે છે. એ સમયે આકરિમક રીતે વસુદેવનું પિતાના મોટા ભાઈ સાથે મિલન થાય છે અને તે પિતાના કુટુંબની છાયામાં પાછા વળે છે. મદનમંજુકાને પાછી મેળવવાને દીર્ધ પ્રયત્ન અને રાજ્યાભિષેક એ પ્રસંગો અહીં છોડી દેવામાં આવ્યા છે, કારણ કે શ્રીકૃષ્ણની કથાને પ્રસંગે સાથે તે સુસંગત નથી. બધી જ વિગતે સહ મદનમંજીકા સાથે પ્રણયપ્રસંગ, જેનું છેવટ લગ્નમાં આવે છે તે શ્રીકૃષ્ણના પુત્ર સાંબ ઉપર કેમ આરોપવામાં આવ્યું છે એ સમજી શકાતું નથી. હરણવાળો પ્રસંગ અન્યત્ર વસુદેવનાં પરાક્રમોના વર્ણન પ્રસંગે મૂકવામાં આવ્યું છે, જેથી મદનમંજુકાનું મૂળ પાત્ર અહીં બે પાત્રોમાં વિભક્ત થઈ જાય છે-ગણિકાપુત્રી સહિરણ્યા અને રાજકન્યા સમશ્રી. “આ પ્રમાણે “બ્રહકથા’ના વસ્તુની અને તેના આયોજનની કંઈક બેકાળજીભરી ઘટના અહીં હોવા છતાં પણ નષ્ટ મૂળ ગ્રન્થકલેવર પર જેન રૂપાન્તર આપણને મહત્ત્વની નવી હકીકતે પૂરી પાડે છે. અગાઉ જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કાશ્મીરી રૂપાન્તરોમાં ૧૮ “લંબકે'માં કથા વહેંચાયેલી છે. અહીં આપણે ભ્રષ્ટ શબ્દ “લંબકની તે વાત જ નથી કરતા; મ ને બદલે વ ધરાવતે એ શબ્દ, લાકેતેએ બતાવ્યું છે તે પ્રમાણે, સ્વાભાવિક રીતે જ મૂળને નથી. લંબક' (લંભક)ને અર્થ “જેમાં નરવાહનદત્તને પત્ની પ્રાપ્ત થાય છે એવું પ્રકરણ” એ જ થઈ શકે, પણ ઉદયનની કથા અને પ્રાસ્તાવિક ભાગમાં આપી છે તે ગુણાઢ્યની કથા સુધી તેને અર્થ વિસ્તારી શકાય નહીં. બુધસ્વામીને “બૃહત્કથાશ્લોકસંગ્રહ સર્વસામાન્ય કાવ્યોની જેમ નાના સર્ગોમાં વહેંચાયેલું છે, અને તેના ઉપલબ્ધ થયેલા અંશમાં ૨૮ સર્ગ આવે છે. બધા નહીં, તે પણ ઘણા સર્ગોને અંતે ૪મશબ્દને બદલે તેને જ પર્યાય ગ્રામ મળે છે, અને ઇરાદાપૂર્વકના એક નિયમ તરીકે એક ઢામમાં સંખ્યાબંધ સર્ગોને સમાવેશ થઈ જાય છે. લાકે તે માને છે કે ગુણાત્યની કૃતિ “રામાયણ”ની જેમ જુદા જુદા કાંડમાં વહેંચાયેલી હોવી જોઈએ, અને મુખ્ય કથા ભાગ “લંભ” સહિત એવા કાંડેને બનેલે હેવો જોઈએ. જેન રૂપાન્તરમાં લંભનો પ્રયોગ તેના મૂળ અર્થમાં એક અંતિમ લયસ્થાન તરીકે-અર્થાત નરવાહનદત્તના (અહીં વસુદેવના ) વિજયને વર્ણવતા મુખ્ય કથાભાગનાં પ્રકરણના નામકરણના જ થયેલ છે. આ મુખ્ય કથા ભાગને “શરીર” કહેલ છે, અને ગ્રન્થના છ અધિકાર પૈકી તે પાંચમે છે; કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ અને પ્રતિમુખ એ ચાર અધિકારો તેની પૂર્વે આવે છે. શરીરની પછી ઉપસંહાર આવવો જોઈએ, પણ ગ્રન્થનો અંતભાગ ત્રટક હોવાથી તે ઉપલબ્ધ થતું નથી. મુખ્ય કથાભાગ “શરીરની અપેક્ષાએ “સંભોનો સમૂહ સંભવતઃ ગૌણ છે. મૂળ પ્રાચીન “બૃહત્કથા'માં આમૂલચૂડ વિભાગીકરણ નહોતું; પ્રાસ્તાવિક કથાપ્રકરણ પછી બીજાં નામકરણ સાથેના સંખ્યાબંધ ‘લંભ” હતા, અને તે પછી “ઉપસંહાર' આવતે. સંસ્કૃત રૂપાન્તરો પૈકી માત્ર “બહકથામંજરી'માંજ “ઉપસંહાર અને નિર્દેશ છે, અને લાકેતેએ પણ “ઉપસંહારને મૂળ કથાનું તદ્દન ગૌણ અંગ ગણ્યું છે. “વસુદેવ–હિંડી” પુરવાર કરે છે કે મૂળ “ બૃહત્કથા ”માં “ઉપસંહાર' હતે. સોમદેવે પોતાની કૃતિમાંથી “ઉપસંહાર” કાઢી નાખ્યો છે, પણ વધારામાં સેમેન્ટે સાચવેલી કેટલીક પ્રકીર્ણ બાબતે ઉપરાંત નરવાહનદત્તના તમામ સંભકેની એક સંપૂર્ણ સૂચિ પિતાના ગ્રન્થના પ્રારંભમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ જ આપી છે તે ઉપરથી એ નક્કી થાય છે કે બૃહત્કથામંજરી’ના પ્રારંભમાંથી મૂળ ગ્રન્થની વિષયસૂચિ નષ્ટ થયેલ છે. આપણા ગ્રન્થમાં ‘કથા-ઉત્પત્તિ' એ શુદ્ધ જૈન કથાભાગ છે, પણ પીઠિકા અને મુખની બાબતમાં એમ નથી. બુધસ્વામીની કૃતિમાં ‘કથામુખ' એ ત્રીજા સર્વાંનુ નામ છે, પણ ખરું જોતાં પહેલા એ નામ વગરના સર્ગા પણુ એ ‘કથામુખ’નેા જ પ્રારંભિક ભાગ છે. અસંગતિની દૃષ્ટિએ ‘કથામુખ’માં જે હાવાની અપેક્ષા રહે તે જ તેમાં છે-કથા કહેનારને પરિચય. કથા કહેવાને પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયા એ તેમાં બતાવ્યું છે. નરવાહનદન પોતાના સંપૂર્ણ વૃત્તાન્ત પહેલા પુરુષમાં કહી સભળાવે છે. કાશ્મીરી લેખકાએ ખીજા ‘ લેખક ’નું નામ ‘ કથામુખ લખક ' આપ્યું છે. એમાં ઉદયનની કથા આવે છે! બુધસ્વામીના * te १२ કથામુખ ’ માં જે ભાગ આવે છે તે ( કથાસુખના લેખકાએ ? ) ત્યાં ગ્રન્થને અંતે મૂકેલા છે, અને નરવાહનત્ત આત્મવૃત્તાન્ત કહે છે એવું સ્પષ્ટ વિધાન છતાં તે પોતે એમ કરતા નથી, એટલુ જ નહીં પણ એ કથા તે ત્રીજા પુરુષમાં તટસ્થ તરીકે કહે છે! નેપાલી રૂપાન્તરની સચ્ચાઇનુ અને કાશ્મીરી રૂપાન્તરાની ભ્રષ્ટતાનું લાધેતેએ આપેલું આ મુખ્ય પ્રમાણ છે. આ અનુમાનને જૈન રૂપાન્તર પણ ટકા આપે છે. એમાં વસુદેવ પોતાના આખાયે વૃત્તાન્ત આત્મકથારૂપે પહેલા પુરુષમાં વર્ણવે છે. ‘ કથામુખ ’– અથવા તેમાંથી તૈયાર થયેલુ ‘ પ્રતિમુખ ’કયારે અને કેવી રીતે તેમણે આત્મકથા કહી તે જણાવે છે. < ' “ કાશ્મીરી લેખકે સેામદેવ અને ક્ષેમેન્દ્રે કથાપીઠે 'તે પહેલા ' લખક ' કહ્યો છે. ગુણાત્મ્ય કવિ વિષેનું કથાનક એ તેને વિષય છે. એ તે દેખીતી જ વસ્તુ છે કે ગુણુાઢ્ય કવિ વિષેનું કથાનક મૂલ બૃહત્કથા 'માં હાઇ જ ન શકે. બુધસ્વામીના રૂપાન્તરમાં પણ ‘ કથાપી ' શીક કર્યાંય જોવામાં આવતુ નથી; ઉપર જોયું તેમ, બુધવાનીમાં પ્રારતાવિક ભાગ–‘ કથામુખ ' છે. આ ઉપરથી લાકાતે તે નિશ્ચિતપણે એમ માને છે કે ગુણાજ્યના મૂલગ્રન્થમાં કથાપીઠ ' નહેતું. પણ વસુદેવ-હિંડી ’માં માનવાની ફરજ પાડે છે કે બૃહત્કથા 'માં કથાપીઠ' હશે. પણ એ * કથાપીઠ 'નુ' વસ્તુ શુ હશે? એ એક પ્રશ્ન થાય છે. પીઠિકા ' છે તે આપણને ગુણાઢ્ય વિષેનું કથાનક તા એમાં ન જ હાય; C ‘ વસુદેવ-હિંડી ’ ની ‘ પીઠિકા ' માં શ્રીકૃષ્ણ વિષેની કથાના જે ભાગ છે તે પણ તેમાં ન હેાય. તેપાલી રૂપાન્તરમાં પીઠે ' નથી, જ્યારે કાશ્મીરી રૂપાન્તરામાં પીઠે ' ( · કથાપીઠ ′ ) છે, તે જોતાં સંભવિત છે કે નેપાલી રૂપાન્તરના વસ્તુમાં મૂળ પીઠે 'ના કેટલાક અંશને સમાવેશ થઇ ગયા હોય. કાશ્મીરી રૂપાન્તરમાં ઉયન, વાસવદત્તા અને પદ્માવતીની સપૂર્ણ કથાઓ છે, જ્યારે બુધસ્વામીમાં એ નથી. કેટલાક વિદ્યાનાએ માન્યું છે કે બુધસ્વામીના ગ્રન્થને પ્રારંભના ભાગ કદાચ ખંડિત હોય; બીજી બાજુ, ઉદયનની કથા મૂળ પ્રાચીન બૃહત્કથા 'તા એક ભાગ હોવા વિષે જ કેટલાક વિદ્વાનોએ શંકા ઊઠાવેલી છે (જીએ Winternitz: History of Indian Literature, Vol. III ). કંઇક સંકુલ એવી કથાઘટનાઓનું વિવરણ અહીં શકય નથી, પણ ‘ વસુદેવ–હિંડી ’ને આધારે હું ચાક્કસપણે એમ માનું છું કે પ્રાચીન બૃહત્કથા 'માં ઉદયનને લગતી કથા કથામુખ ' પૂર્વેના કથાપીઠે ' માં આવતી હતી. આ જ કારણસર બુધવાનીએ એ કથાએ જતી કરી છે. મૂળ પ્રાચીન · બૃહત્કથા ’ની વસ્તુ––આયેાજનાને પરિણામે ઉપસ્થિત થતી કેટલીક કાલાનુક્રમવિષયક મુશ્કેલીઓથી બચવા માટે કાશ્મીરી લેખકાએ મૂળના ‘કથાપીઠ' માં આવતા વસ્તુને જુદી રીતે વિનિયોગ કર્યો. મૂલ પ્રાચીન ‘ બૃહત્કથા ’ માં વસ્તુની આયેાજના નીચે પ્રમાણે હાવી જોઇએઃ (૧) કથાપી–ઉદ્દયન અને તેની રાણીઓની કથાઓ, ( ૨ ) કથામુખ–કથા કહેનાર તરીકે નરવાહનદત્તને પરિચય, ( ૭ ) નરવાહનદત્તે વર્ણવેલ ‘ લાંભા ’નો હારમાળા, ( ૪ ) ઉપસંહાર. * ( Page #18 -------------------------------------------------------------------------- ________________ “બુધસ્વામીના “બહત્કથામ્ભસંગ્રહ” દ્વારા “બહકથા’નું જે નેપાલી રૂપાન્તર આપણને પ્રાપ્ત થાય છે તેના ઘણા કથાપ્રસંગનું “વસુદેવ-હિંડી” સાથે સામ્ય હેઈ, કાશ્મીરી રૂપાન્તરોને મુકાબલે નેપાલી રૂપાન્તર મૂળનું સાચું ચિત્ર રજૂ કરતું હોવાનું લાકે તેનું વિધાન વધારે શ્રદ્ધેય બને છે. ઉદાહરણ તરીકે–“વસુદેવ-હિંડી ની ગણિકાપુત્રી સુહિરણ્યાની જેમ “બહત્કથાકસંગ્રહ’ની મદનમંજુકા પણ એક વારાંગના પુત્રી છે, જ્યારે કાશ્મીરી રૂપાન્તરમાં મદનમંકા એક બૌદ્ધ રાજાની દૌહિત્રી છે. વસુદેવની પત્ની ગધર્વદત્તા એક વણિકની દત્તક પુત્રી છે, બુધસ્વામીએ પણ પ્રસંગ એ જ પ્રમાણે આ છે; જ્યારે કાશ્મીરી રૂપાન્તરમાં ગાધ ૨ દેશને રાજા ઊભું કરી દેવામાં આવ્યો છે ! ગધર્વદત્તાના પાલક પિતાની આત્મકથા એ દરિઆઈ સફરનાં પરાક્રમની એક અતિ રસપ્રદ કથા છે અને એના અમુક અંશે “અરેબીઅને નાઈટ્રસ ” ની ચોક્કસ વાર્તાઓના મૂળ તરીકે પુરવાર થયા છે–એ આખીયે કથા કાશ્મીરી રૂપાન્તરોએ દૂર કરી દીધી છે ! “વસુદેવ-હિંડી' નું કથાનક આ અંશમાં બુધસ્વામીને મળતું આવે છે, પણ એમાં કેટલેક રસિક તફાવત પણ છે. “ બહત્કથાશ્લોકસંગ્રહ’ ના કેટલાક વ્યાપક અને આવશ્યક અંશે કાશ્મીરી રૂપાન્તરોમાં લુપ્ત થઈ ગયેલા છે, તે “વસુદેવ-હિંડી' માં જોવા મળે છે. વળી સામી બાજુએ એ પણ ઉમેરવું જોઈએ કે કાશ્મીરી રૂપાન્તરના જે અંશેને લાકેતેએ મૂલ પ્રાચીન “બૃહત્કથા' ની અપેક્ષાએ સંદિગ્ધ અને પ્રક્ષિપ્ત ગયા હતા અને એવા અંશે કાશ્મીરી રૂપાન્તરોમાં ૯/૧૧ જેટલા છે–તેમની સાથે સરખાવી શકાય એવું કંઈ “વસુદેવ-હિંડી' માંથી મળ્યું નથી. અર્થાત અત્યાર સુધી જે તદ્દન સંભવિત ગણાતું હતું, પણ “બ્રહકથાકસંગ્રહ”ની અપૂર્ણ સ્થિતિને કારણે પુરવાર કરી શકાતું નહતું તે હવે પુરવાર થઈ ગયું છે: તે એ કે એક તરફ, પ્રાચીન મૂલ “બહકથા’ને એક મોટો અંશ કાશ્મીરી રૂપાન્તરમાં લુપ્ત થઈ ગયો છે; બીજી તરફ, કાશ્મીરી રૂપાન્તરોને એક મોટો અંશ મૂલ “બૃહકથા ”માંથી ઉદ્ભવ પામેલે નથી. છેવટે, એ પણ પુરવાર થાય છે કે કાશ્મીરી લેખકે સમક્ષ હતા એવા મૂળ “બૃહત્કથા”ના માત્ર હાડપિંજરની તુલનાએ વિગત–ભરપૂર, નર્મયુક્ત અને જીવનભર્યું એવું મૂલ “બૃહકથા નું સ્વરૂપ આ બન્ને રૂપાન્તરના (“વસુદેવ-હિંડી” અને “બૃહત્કથાલેખસંગ્રહ”ના) કર્તાઓ સમક્ષ સમાનપણે હતું. કાશ્મીરી રૂપાન્તરોની ઉપરકહી ખામીઓને કારણે તે, બુધસ્વામીએ ગુણાત્યના મૂલ ગ્રન્થની વસ્તુસંધટનાનો અને તેના સરવને વારસો કેટલે અંશે સાચવ્યો છે એની વાસ્તવિકતા પણ તપાસી શકાય એમ નહોતું. અહીં પણ બુધસ્વામીમાં આપણે વિશ્વાસ સારા પ્રમાણમાં વધે છે, કેમકે “બહત્કથાશ્લેકસંગ્રહ” અને “વસુદેવ-હિંડી” વચ્ચેના સંખ્યાબંધ તફાવતને કારણે એ બન્ને ગ્રન્થો વચ્ચેના પારસ્પરિક આધારની દલીલ પ્રારંભથી જ ટકી શકે એમ નથી. પણ ગણનાપાત્ર અંશેમાં “બૃહત્કથાશ્લેકસંગ્રહ” અને “વસુદેવ-હિંડી ” વચ્ચે નાનામાં નાની વિગતોની બાબતમાં અને રજુઆતની સમગ્ર કલામાં એટલું પ્રતીતિજનક સામ્ય છે કે બંનેના કર્તાઓની સન્મુખ ઓછામાં ઓછા અંતરે કવિ ગુણાઢ્ય ઊભેલે હતા એમાં શંકાને કોઈ સ્થાન રહેતું નથી. નિદાન, તેના અમુક કથા ભાગોમાં તે “વસુદેવ-હિંડી ” એ પ્રાચીન “બહકથા અને વિશિષ્ટપણે રસપ્રદ અને લાક્ષણિક નમૂને છે અને સર્વ અંશમાં અવલોકન કરવામાં આવતાં મૂળ “ બહત્કથા ની લાક્ષણિકતા અને ગુણાત્યની કાવ્યશક્તિનું વધારે ચોક્કસ અને જીવંત-અને તે કારણે વધારે નક્કર અને પ્રતીતિજનક ચિત્ર તે રજૂ કરે છે. “બહકથાલેકસંગ્રહ” ઉપર વિન્ટરનિસે જે ભારભાર પ્રશંસા વેરી છે તેને ભાગ હવે ગુણયને ફાળે જઈ શકે.” વસુદેવ-હિંડી' : મધ્યમ ખંડ “ વરૂદેવ-હિંડી' ગ્રન્થ બે ખંડોમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડની રચના સંદદાસગણિ વાચકે કરેલી Page #19 -------------------------------------------------------------------------- ________________ १४ છે, જ્યારે અદ્યાપિ અપ્રકાશિત એવા સત્તર હજાર લેકપ્રમાણ બીજા ગ્રન્થની રચના આચાય ધ સેનગણિ મહત્તરે કરેલી છે. એ બીજા ખંડને સામાન્ય રીતે મધ્યમ ખંડ કહેવામાં આવે છે, કારણ કે તેને આરંભ પ્રથમ ખંડના છેલ્લા લભકના અનુસધાનમાં નહીં, પણ ૧૮મા પ્રિયંગુસુન્દરી લભકના અનુસધાનમાં થાય છે. કથાના સન્દર્ભ આ રીતે કર્તાએ પ્રથમ ખંડના અંતભાગ સાથે નહીં, પણ મધ્ય ભાગ સાથે જોડ્યો હાવાથી તે મધ્યમ ખંડ તરીકે ઓળખાય છે. એમાં કર્તાએ ૭૧ લંભક આપ્યા છે, અને પ્રથમ ખંડના ૨૯ લભકની ( પત્નીઓની પ્રાપ્તિની ) સંખ્યામાં તે ઉમેરીને કુલ ૧૦૦ લભકની સંખ્યા કરી આપી છે. વસુદેવે સે। વર્ષ પરિભ્રમણુ કરીને સા પત્નીએ મેળવી હતી એમ તેમાં કહ્યું છે. વસુદેવ સે। વર્ષ સુધી કર્યા હતા, એમ તે પ્રથમ ખંડમાં પણ કહ્યું છે ( પૃ. ૧૩૯ ); પણ તેમને સે। પત્નીએ હતી એમ ઉપલબ્ધ ગ્રન્થભાગમાં ક્યાંય કહ્યું નથી. વળી સધદાસગણુ વાચકના ઉદ્દેશ સે। લભક લખવાના હતા એવું સૂચન પણ તેમાં ક્યાંય મળતુ નથી—બલ્કે ગ્રન્થને અ ંતે આવનાર ઉપસંહારને નિર્દેશ કર્યાં હોવાથી ૨૯ લભકના સ્વયંસંપૂર્ણ ગ્રન્થ તેમણે રચ્યો હાવાનુ અનુમાન થાય છે. પ્રથમ ખંડને અ ંતે ઉપસ ંહાર આવેલા હાઇ તેમાં કાઇ લભક ઉમેરવાનું ધર્મસેનગણ માટે શક્ય નહતું, આથી ૧૮માં લંભકના સન્દર્ભ સાથે તેમણે મધ્યમ ખંડના કથાસબંધ જોડ્યો હાય એવું અનુમાન થાય છે. ८ सुव्बाइ य किर वसुदेवेणं वाससतं परिभमंतेणं इमम्मि भरहे विज्ज हरिंदणरवतिवाणरकुलवंससंभवाणं कण्णाणं सतं परिणीतं, तत्थ य सामा- विययमादियाणं रोहिणीपजवसाणाणं एगुणतीस लंभता संघदासवायपणं उवणिबद्धा । एगसत्तरिं च वित्थारभीरुणा कहामज्झे छड़िता । ततो भो लोइयसिंगार कहा पसंसणं असह्माणो आयरियसया से अवधारेऊणं पवयणाणुरागेणं आयरितनिओएण य तेसिं मझिललंभाणं गंथणत्थे अब्भुज्जओ हं । तं सुणह इतो पुव्वकहाणुसारेणं चेव । અહીં એક વસ્તુનુ સ્પષ્ટીકરણ જરૂરી છે. પ્રથમ ખંડમાં ૨૮ લભકા અર્થાત્ કથાપરિચ્છેદો છે, પણ તેમાં ‘ લ`ભક ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થમાં વસુદેવને પ્રાપ્ત થયેલી પત્નીઓની સંખ્યા ૨૯ હુંાવી જોઇએ. એમ હુંય તે જ · વસુદેવે સે। કન્યાઓ સાથે લગ્ન કર્યું હતું. તેમાંથી રત્ની પ્રાપ્તિ સંધદાસગણિએ વર્ણવેલી છે, બાકીની ૭૧ કન્યાઓની પ્રાપ્તિનું વર્ણન વિસ્તારભયથી તેમણે કર્યું' નથી, તે હું કરું છું' એ આશયના ધર્મસેનગણિ મહત્તરના કથનની સંગતિ સમજી શકાય. પ્રથમ ખંડમાં કુલ ૨૮ લંભક ખરા, પણ અનુપલબ્ધ બે લંભક ખાદ કરતાં અત્યારે ઉપલબ્ધ થતા ગ્રન્થમાં થાપરિચ્છેદ તરીકે ૨૬ લભક વિદ્યમાન છે; ૧૩મા અને ૧૫મે એ એ લભક વસુ દેવની એક જ પત્ની વેગવતી સંબંધમાં છે, અને ૧લા, ૬ઠ્ઠા અને ૨૩મા લાકમાં પ્રત્યેકમાં વસુદેવને બે પત્નીઓની પ્રાપ્તિ થાય છે, એ રીતે ગણતરી કરતાં ઉપલબ્ધ ગ્રન્થભાગમાં વસુદેવને ‘ લભક’ શબ્દના વ્યુત્પત્તિ-અર્થમાં કુલ ૨૮ પત્નીએ પ્રાપ્ત થાય છે. નષ્ટ થયેલા લલકા પૈકી એક લલકનું નામ પ્રિયદર્શીનાલ ભક’હાવુ જોઈએ એ આપણે અગાઉ જોઇ ગયા છીએ. એમાં વસુદેવને પ્રિયદર્શીના નામે પત્નીની પ્રાપ્તિ થતી હોવી જોઇએ. હવે, ૧૩-૧૫ એ એ લલક જેમ એક જ પત્ની-વેગવતી સબધમાં છે, તેમ નષ્ટ થયેલ એ લભકા પૈકી બાકીના એક લલકમાં વસુદેવને કાઈ નવીન પત્નીની પ્રાપ્તિ નહીં થતાં પૂર્વપરિણીત પત્નીએ પૈકી કાઇનું પુનર્મિલન થતુ હશે એમ માનવુ સયુક્તિક છે. એમ ગણતાં પ્રાપ્ત લલકામાં વર્ણવાયેલી વસુદેવની ૨૮ પત્ની, અને ૨૯મી પ્રિયદર્શનાએ રીતે ધ સેનગણિમહત્તરે સૂચવેલ પ્રથમ ખડમાંની ર૯ની સંખ્યા મેળવી શકાય. ખાકીના લલક મધ્યમ ખંડમાં વર્ણવી પેાતાના ગ્રન્થ-પ્રસ્તાવમાં જેને નિર્દેશ કર્યા છે તે ૧૦૦ લભક ( પત્નીપ્રાપ્તિ )ની સંખ્યા તેમણે પૂરી કરી આપી છે. અલબત, ‘ દેવકીલ'ભક ને ઉપસ'હારના ન ભાગ ગણતાં સ્વતંત્ર લંભક ગણીએ તે જ ઉપર પ્રમાણે નિય થાય; નહીંતર અનુપલબ્ધ લ ́લકા પૈકી · પ્રિયદર્શીના લભક ' ઉપરાંત ખીન્ન લ લકમાં પણ વસુદેવને નવીન પત્ની જ પ્રાપ્ત થતી હશે એમ માનવુ જોઇએ. ધર્મસેનગણિએ રોહિણીને વસુદેવની ર૯મી પત્ની કહી છે તેથી આટલા વિકલ્પ વિચારવા જોઇએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ १५ ་ આચાય હેમચન્દ્રે ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર ’માં, દિગ ંબર કવિ પુષ્પદંતે અપભ્રંશ ‘ મહાપુરાણુ ’માં, જિનસેને હરિવ’શપુરાણ 'માં, ગુણભદ્રે ‘ ઉત્તરપુરાણુ 'માં, અને કવિ હકલશે સ. ૧૫૫૭ માં જૂની ગૂજરાતીમાં રચેલી ‘ વસુદેવચરિત ચાપાઇ ’માં, ક્યાંય વસુદેવનો સા પત્નીએના નિર્દેશ કર્યા નથી, એટલું જ નહીં પણુ એ સમાં પત્નીઓની સ ંખ્યા તેમજ તેમનાં નામ પણ ભિન્નભિન્ન છે. ધ સેનણુએ ‘ વસુદેવ– હિંડી'ના પ્રથમ ખંડની પૂર્તિ કરવા માટે ૭૧ લભકતા મધ્યમ ખંડ લખ્યા છે, એટલે વસુદેવે ૧૦૦ વર્ષી પરિભ્રમણ કર્યું" હતુ માટે તેમની પત્નીઓ પણ સા હોવા વિષેની કાઇ પરંપરા હોવી જોઇએ—સિવાય કે આપણે એમ માનીએ કે સેાની સંખ્યાની પૂર્તિ કરવાના ઇરાદાથી લેકપ્રચલિત શૃંગારકથાઓને આશ્રય લઇને ધર્માંસેનણુિએ એ ૭૧ લભક લખ્યા હોય. C ધ સેનગંણુ મહત્તરના સમય નિર્ણીત કરવાનું ક્રાઇ ઐતિહાસિક પ્રમાણે તે સધદાસણ વાચકની પછી થયા છે એ જેમ નિશ્ચિત છે તેમ અનેક આ મધ્યમ ખંડની ભાષા જોતાં તેએ સાતમા–આઠમા સૈકાથી અર્વાચીન હોય એ મધ્યમ ખંડ હજી અપ્રકાશિત છે, એટલે તેના વિષય તેમજ ભાષા આદિનુ વિગતથી અવલાકન કરવાનું શક્ય નથી તેમજ એ માટેનુ આ સ્થાન પણ નથી. આપણી પાસે નથી. લક્ષણે વ્યક્ત કરતી અસંભવિત જણાય છે. ‘ વસુદૈવ-હિંડી ’ની ભાષા : માત્ર પ્રથમ ખંડની જ વાત કરીએ તે પણુ, કેવળ ભાષાની દૃષ્ટિએ જોતાં ‘- વસુદેવ-હિંડી ’ એ જૈન સાહિત્યને એક વિરલ ગ્રન્થ છે. આટલા પ્રાચીન કાળમાં લખાયેલે લગભગ સાડાદસ હજાર શ્લેાકપ્રમાણને સળંગ કથાત્મક પ્રાકૃત ગદ્યગ્રન્થ સમસ્ત ભારતીય સાહિત્યમાં ખીને કાઇ શધ્યા જડે તેમ નથી. ગદ્યમાં રચાયેલ હોવાને કારણે તેા ભાષાવિષયક અન્વેષણની દૃષ્ટિએ તેનુ સવિશેષ મહત્ત્વ છે. વિક્રમની આઠમી શતાબ્દીના અરસામાં રચાયેલી સૂત્રપ્રન્થા ઉપરની ચૂર્ણિમાં આપણને ગદ્યાત્મક પ્રાકૃત કથા મળે છે ખરી, પરન્તુ તેમાં અને વસુદેવ–હિંડી ની કથાઓમાં એક ધ્યાન ખેંચનારા તફાવત છે. ચૂર્ણિમાંની કથાએ, થેડાણા અપવાદોને બાદ કરતાં, સાહિત્યિક ગુણુવત્તા અથવા નિરૂપણસૌન્દર્યની દૃષ્ટિએ લખાયેલી નથી; એમાંની કેટલીકમાં તે। કથાભાગથી સામાન્યપણે પરિચિત હાય એવા વાચકજ સમજી શકે એવી તદ્દન મિતાક્ષરી શૈલી પ્રયેાજેલી હાય છે. આથી ઉલટું જ, કથાવણૅનની દૃષ્ટિએ ‘ વસુદેવ-હિંડી ’ને વિસ્તાર અને યાજનાએવાં તે વિપુલ છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં એને જોઢે જડે તેમ નથી. લેખનશૈલી સંક્ષિપ્ત કે શુષ્ક નથી; જીવતી ભાષાનું લાક્ષણિક ચેતનવંતું અને અત્યંત રસપ્રદ એવું ચિત્ર તે ખડું કરે છે. સામાન્ય રીતે · વસુદેવ-હિંડી ’ની ભાષા સરલ રૂઢ અને ઘરગયુ છે; પ્રાકૃત જ્યારે જનસમાજમાં ખેલાતી ભાષા હશે ત્યારે એ લખાયેલ હોવાથી કેવળ સાહિત્યિક ધારણે પ્રાકૃતમાં રચાયેલા પછીના કાળના ગ્રન્થાની તુલનાએ ‘વસુદેવ-હિંડી ’માં ભાષાનો સ્વભાવસિદ્ધ નૈસગિકતા માલૂમ પડે છે, અને સવાદો તે ઘણીવાર કઇ પ્રકારના એપ વગર ખરેખરી વાતચીતની ભાષામાં જ લખાયેલા જણાય છે. આમ છતાં પ્રસંગોપાત્ત અલંકારમય અને સમાસપ્રચુર વનાની ફૂલગૂથણી પણ ગ્રન્થકર્તાએ કરી છે. : ‘ વસુદેવ-હિંડી ’ એ પ્રધાનપણે ગદ્યગ્રન્થ છે, પણ તેમાં વચ્ચે વચ્ચે ઘણીવાર પદ્યો પણ આવે છે. તેમાં યે પ્રિયંગુસુન્દરી લભક અને કેતુમતી લભકમાં આવાં પદ્યો એકી સાથે સંખ્યાબંધ નજરે પડે છે. આ પદ્યો પ્રાસંગિક સુભાષિતા નથી, પણ કથાનુ પોતાનું જ અવિનાભાવી અંગ છે. વળી ઉપયુ ક્ત એ લભકામાં તેમજ અન્યત્ર પણ અનેક સ્થળે ગદ્યભાગમાં યે કેટલાંક પદ્યગધી વાયેા જોવામાં આવે છે. ΟΥ Page #21 -------------------------------------------------------------------------- ________________ કાઈ સળંગ છંદ ભ્રષ્ટ થઈ જવાને કારણે, તેના ટુકડાઓ છૂટા પડી જતાં બન્યાં હોય એવાં એ વાકયે છે. “વસુદેવ-હિંડી'ની રચના થઈ તે પૂર્વે લેકમાં અથવા અનુગધર આચાર્યોને મુખે કોઈ પઘાત્મક વસુદેવચરિત અથવા વસુદેવચરિતના અમુક ખડે પ્રચલિત હોય એવું અનુમાન આ ઉપરથી થાય છે. વસુદેવ-હિંડીની ભાષા એકંદરે જોતાં સરલ અને પ્રાસાદિક છે, પણ આજે એ પ્રખ્ય દુર્ગમ લાગે છે; કારણ કે એ અતિપ્રાચીન ગ્રન્થનું પઠન પાઠન વચ્ચેના કાળમાં લુપ્તપ્રાય: થઈ ગયું હતું, કેટલાક લંકે અને કેટલાયે પાઠો નાશ પામી ગયા હોવાથી અને સંખ્યાબંધ પાઠ ભ્રષ્ટ થઈ ગયા હોવાથી અમુક સ્થાનેએ-ખાસ કરીને પ્રિયંગસુન્દરી અને કેતુમતી સંભકમાં–અર્થસન્દર્ભનું અનુસંધાન કરવું પણ મુશ્કેલ થઈ પડે છે. “વસુદેવ-હિંડી ”માં પ્રયોજાયેલા કેટલાયે શબ્દો કઈ પણ શબ્દકેશમાં મળતા નથી અથવા કાળાન્તરે અપભ્રષ્ટ બન્યા હોવાને કારણે એ શબ્દોના મૂળ સ્વરૂપની કલ્પના થઈ શકતી નથી, અને પરિણામે અનુમાનથી અર્થ કરવો પડે છે અથવા મુદ્દલ અર્થ થઈ શકતું નથી. જૂનામાં જૂની તાડપત્રીય હાથપ્રતમાં પણ પાઠોની દષ્ટિએ આ સ્થિતિ છે. મૂળ રચનાની દૃષ્ટિએ જોતાં “વસુદેવ-હિંડી ” એક સરળ ગ્રન્થ હોવા છતાં આ પ્રકારનાં ઐતિહાસિક કારણોને લીધે વર્તમાન કાળમાં તેને અભ્યાસ ઠીક ઠીક શ્રમ માંગી લે છે. “વસુદેવ-હિડી'ની ભાષા એ આ પ્રાકૃત છે, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તે ચૂર્ણિપ્રન્થો આદિમાં મળે છે તેવી આર્ષ જૈન મહારાષ્ટ્ર પ્રાકૃત છે. આચાર્ય હેમચન્ટે પોતાનાં વ્યાકરણુસૂત્રાના પ્રારંભમાં આર્ષ પ્રાકૃતનો માત્ર નામનિર્દેશ કર્યો છે, પણ એ ભાષાના સ્વરૂપનું વિશેષતયા નિર્વચન જૂના વ્યાકરણગ્રન્થોમાં કયાંય મળતું નથી. આ રીતે વસુદેવ-હિંડી'ની ભાષાનો અભ્યાસ આપણી સમક્ષ અનેક ભાષાકીય નવીનતાઓ રજૂ કરે છે. પ્રાકૃત વૈયાકરણોએ જેની નોંધ લીધી નથી તેમ પછીના કાળના પ્રાકત ગ્રન્થોમાં ભાગ્યેજ નજરે પડે છે એવાં નાનાં રૂપે “વસુદેવ-હિંડીમાં મળે છે. “વસુદેવ-હિંડીની ભાષા પ્રાચીન ભૂમિકા રજૂ કરતી હોવાથી સામાન્ય જૈન મહારાષ્ટ્રની તુલનાએ સૂત્રગ્રન્થોની ભાષાની વધારે નજદીક છે; અને તેમાં એવાં જૂનાં રૂપો મળે છે કે તેના રચનાકાળની ઉત્તરમર્યાદા આપણે વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં નિર્મીત કરી હોવા છતાં એની સાચેસાચ રચના એ કરતાંયે બે-ત્રણ શતાબ્દી પૂર્વે થઈ હોય એ અસંભવિત નથી. “વસુદેવ-હિડીની ભાષાનાં મુખ્ય લક્ષણે આપણે અહીં સંક્ષેપમાં જોઈ લઈએ. પ્રથમ ક્રિયાપદનાં રૂપ લઈએ. ક્રિયાપદનાં સંખ્યાબંધ જૂનાં અને રસપ્રદ રૂપ “વસુદેવ-હિંડીમાં મળે છે. વસુદેવ-હિંડી'માં સંખ્યાબંધ સ્થાનોએ વર્તમાનકાળના નિશ્ચયાર્થ પહેલા પુરુષ એકવચનમાં શામિને બદલે –અંતવાળું રૂ૫ મળે છે. ભવિષ્યકાળમાં તો આવાં રૂપે સામાન્ય છે જ ( દા. ત. મવિલં), પણ વર્તમાન કાળમાં ૯પીશલે તે નોંધ્યાં નથી. આ પ્રકારનાં રૂપ સૂત્રની ભાષામાં મળે છે, ઉદાહરણ તરીકે જુઓ આચારદશામાં-વંતિ સુવે માગો માસત્ત, ગઠ્ઠા નાળ વા “ના” નાલં વા “નો ગાળે ” વળી જુઓ “મહાનિશીથ સૂત્ર”માં–શું રેઢું સુવં ૩É પાર્વ નાલં પૂજાય ૩. વળી રે, ન નિugવું, (=રાક્ટોfમ ?) એવાં રૂપે પણ તેમાં છે ( શુબ્રિગનું “મહાનિશીથ સૂત્ર', પૃ. ૯૦ ). “વસુદેવ-નહેડી’માં ૯ અહીં તથા હવે પછી પીશલના નિર્દેશથી જર્મન વિદ્વાન ડો. પીશલે પ્રાપ્ત પ્રાકૃત વ્યાકરણ તેમજ ગ્રન્થસ્થ અને ઉત્કીર્ણ પ્રાકૃત ઉપરથી લખેલે પ્રાકૃત વ્યાકરણને પ્રમાણભૂત ગ્રન્થ-Grammatik Der Prakrit Sprachen ઉદ્દિષ્ટ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ १७ આ પ્રકારના સંખ્યાબંધ પ્રયોગો મળે છે, તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે—ગાળ ( ૧૭૪–૨૬ ),૧o ન બાળ ( ૧૪૫–૨૩, ૧૭૪-૮, ૩૫૭-૨૭), ૬ ચાળ ( ૧૯-૩,૧૧ ૮૩–૨૨, ૧૧૫–૨૬, ૧૪૪–૨૪, પાઠાન્તર ને ચાળામિ ), ફ્′ ( ૪-૩, ૧૭–૧૭, ૨૨૯–૨૨, ૩૫૦ ૨૮ ), તથૅ ય છેૢ વાર્સ (૨૮૩– ૧૬ ), વિષ્મ ( કમણુિ રૂપ, ૧૦૯-૭), નવં (૯૧-૧૪ ). એમાં નીચેનાં એ ઇચ્છાદર્શક રૂપે પણ ઉમેરી શકાય: વાશિમાં ( ૬-૧૮ ) અને વાલેર્ઝા (૧૨૫-૩ ). પહેલા પુરુષ એકવચનનું – ંતવાળુ ઇચ્છાદર્શોક રૂપ પીશલમાં નથી; ત્યાં તે ', -ન્ન અને -જ્ઞામિઅ તવાળાં રૂપો આપ્યાં છે. આ બન્ને પ્રકારનાં ( નિશ્ચયાથ --, ઇચ્છાદ'ક - ) રૂપો સાચાં આષ રૂપે છે એમાં શક નથી, કારણ કે એને મળતાં રૂપે આપણુને પાલીમાં મળે છે (દા. ત. ા ં, મેચ્યું, જીએ ગાગરકૃત Pali Literature and Language §§૧૨૨, ૧૨૭, ૧૨૮). પાલીમાં પણ ગાથાની ભાષામાં—એટલે કે ભાષાના જૂનામાં જૂના થરમાં “જ્ઞામિને બદલે ગંવાળું રૂપ લાક્ષણિક છે. સૂત્રગ્રન્થામાં કેટલીક વાર ક્રિયાપદનુ પહેલા પુરુષ બહુવચનનું રૂપ પહેલા પુરુષ એકવચનના સર્વનામ અહં સાથે પ્રયેાજાયેલું અથવા ખીજી રીતે એકવચન તરીકે જ વપરાયેલુ નજરે પડે છે. ઉદાહરણ તરીકે જીએ ‘ મહાનિશીથ સૂત્ર 'માં-ચં...અણુવિટ્ટિમો, નાનૢ વ્રુષિમો ઇત્યાદિ પ્રયાગે. આ પ્રકારના પ્રયાગા ‘ વસુદેવ—હિ’ડી ’માં પણ જોવામાં આવે છે:-દું...વ્ઝ્ઝામો ( ૮૪-૭), તો હું તાો વામો (૨૯૦-૨૮), સવર્ ચ મે ‘ફ્ફ્કામો...' (૨૯૧-૨૪), સંચરમાળી...મુળમો ( ૧૭૨-૧૧), મયા મળિયા ‘ ગાળીદામો ત્તિ । તો પિયા ‘ગાળિદ્દિસિ ' fત્ત યોળ (૧૭૮–૨૨ ). < પીશલ ( $૪૫૭ ) પ્રમાણે, પ્રાકૃતમાં પહેલા પુરુષ બહુવચનનું આત્મનેપદી રૂપ નથી. પશુ વસુદેવ–હિંડી ’માં એવું રૂપ અનેકવાર વપરાયેલું છે, એટલું જ નહીં પણ તે પહેલા પુરુષ એકવચનમાં જ-બે વાર તા અě ની સાથે—પ્રયેાજાયેલુ છે. ઉદાહરણ તરીકે-મદું...પત્તુિચ્છામà ( ૧૪૭–૧૮ ), મરું...અણુવત્તામદે ( ૨૦૬-૧૮ ), sફ઼િલો મિ‘ ઋથ મળે યજ્ઞામઢે ' ત્તિ ચિંતયંતો ( ૧૪૪-૭ ), ચિંતેમિ ‘જમ્મિ વલમ્મિ વત્તામહે ?' (૩૫૨-૨૨), રમામદે સર્ફે તૌ૬ (પાઠાન્તર રમામિ ચ...! ૧૯૩-૨૪), કવમુંઝામુત્તમોચો ચ (૧૫૫-૧૬), મળર્...‘ધંધામદે ’(૩૩૦-૧૯, ગાથામાં). દે પહેલા પુરુષ એકવચન તરીકે વપરાયેલું ( પણ મૂળે બહુવચનનું ) -શ્રામદેવાળું આ રૂપ બીજા એક વિરલ પ્રયાગના ખુલાસા આપવામાં પણ સહાયભૂત થાય છે. ‘ વસુદેવ હિંડી'માં હૈ અંતવાળુ પહેલા પુરુષ એકવચનનું રૂપ ઘણી વાર પ્રયેાાયેલું છે: મસ્જીદ્દે (૧૮૦-૧૪, ૨૦૬-૧૨, ૨૪૭–૧ ), મતિજ્જી, (૩૧૯-૨૪), ગામડ઼ે (૨૮૯-૧૩, ૧૭–૨૯), વિશ્લà( ક`ણુિ, ૧૯૯–૬ ), વર્શીદે (૨૧૮–૧૦), વાસદે (૨૯૩-૫), વત્તફે (ર૪૭-૧૨). બીજો કાઇ ખુલાસા શકય નહીં હોવાથી એમ અનુમાન થાય છે કે –ત્રદેવાળું રૂપ -શ્રામઢે ઉપરથી સાદૃશ્ય(analogy)ને પરિણામે વ્યુત્પન્ન થયુ હાવુ જોઇએ. . ૧૦. કૌસમાંના પહેલા અંક ‘વસુદેવ-હિંડી” મૂળનું પૃષ્ઠ તથા બીજો અંક પ ંક્તિ સૂચવે છે. ૧૧. ન ચાળું માર વળદું ( સ. ન જ્ઞાનામિ માર્ં પ્રનદમ્ ) એ પાઠ માત્ર એકજ પ્રતમાં છે. ખીજી પ્રતામાં લહિયાઓએ ‘ સુધારેલા ’ પાઠ ન ચ ળાયું એ પ્રમાણે છે, પણ દ્વિતીયાના રૂપ કુમાર વળતૢ સાથે તે અસગત હાવાને કારણે એ પાઠ અશુદ્ધ છે એ દેખીતુ છે. અહીં તેમજ બીન કેટલાક સ્થળેએ ( ૧૯-૩, ૮૩–૨૨, ૧૦૯-૭, ૧૧૫-૨૬, ૧૪૪–૨૪) ખેલનાર વ્યક્તિ સ્ત્રી છે, એટલે -અંવાળુ રૂપ વમાન કૃદંતનું પ્રથમા એવચનનુ રૂપ હાવાની ભ્રાન્તિ થવાના પણ સંભવ નથી. ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ વન્નામ: =વંરામદેઃ વૈ. અને “વસુદેવ-હિંડી'માંથી એવું એક રૂ૫ પ્રાપ્ત થયું છે જે (ભૂલ ન હોય તો) – અને વચ્ચેની સંક્રાન્તિનું સ્વરૂપ રજુ કરે છે. એ રૂપ તે પહેલે પુરુષ એકવચન છેને બદલે કરછ (૬માચાઇ ચ સવ્વરી યરિમો મથાળrદ્દે અછા, ૧૫૬-૧૭). પીથલ ( 6 ૪૫૫ ) પ્રમાણે, –મો અંતવાળાં નિશ્ચયાર્થી પહેલા પુરુષ બહુવચનનાં રૂ૫ (જે આજ્ઞાર્થ પહેલા પુરુષ બહુવચનમાં પણ વપરાય છે-જુઓ 6 ૪૭૦–તે )ને સ્થાને માત્ર પદ્યમાં મુવાળાં રૂપે આવી શકે. પરંતુ “ વસુદેવ-હિંડી”ના ગદ્યમાં પણ –સુવાળાં રૂપ આવે છે. ઉદાહરણ તરીકે નિશ્ચયાર્થ–સામુ (૧૦૮-૧૧), ન ચાળામુ (૧૧૭-૮), મચ્છામુ (૧૧૫-૨૪ ), મુ (૧૧૭–૧૭); આજ્ઞાથે–વવાનું (૮૨-૩), ટ્રામુ (૧૦૦-૨), અણુવરામુ (૧૩૮-૨), મજુમમુ (૧૩૮-૧૨), જમુ ( ૮૫-૧૫, ૧૦૯-૧૨, ૧૫૩-૧૫), ઇત્યાદિ. આજ્ઞાથે પહેલા પુરુ બહુવચનનું –મુવાળું રૂ૫, જેને પ્રયાગ (મૂળે તે માનાર્થી પ્રજાતા બહુવચન તરીકે ) એકવચનમાં પણ તે તે રૂઢિથી એકવચનમાં વધુ વ્યાપક રીતે પ્રજાવા લાગ્યું. આના પુરાવા તરીકે -મોવાળે ઓછામાં ઓ છો આ એક પ્રયોગ “વસુદેવ-હિંડી'માંથી ટાંકી શકાય : ન મે સોમરૂ ૬ મછિયું, અવમાનો ત્તિ (૧૨૨–૫). ૧૨ અત્યાર સુધી સામાન્ય રીતે એમ માનવામાં આવેલું છે કે અદ્યતન ભૂત (Aorist)નાં રૂપે માત્ર અર્ધમાગધીમાં જ ટકી રહેલાં છે. પણ “વસુદેવ-હિંડી” ઉપરથી આર્ષ જૈન મહારાષ્ટ્રીમાં પણ એવાં રૂપે રહેલાં નજરે પડે છે. ૧૩ “વસુદેવ-હિંડી”માં એવાં કેટલાંક રૂપે મળે છે, જે કાં તે તદ્દન નવાં છે અથવા કાં તે વૈયાકરણના ઉલ્લેખો ઉપરથી જ માત્ર જે જાણવામાં આવેલાં છે. અદ્યતન ભૂતનું પહેલા પુરુષ એકવચનનું કર્તરિ રૂ૫ વિરલ છે અને તે –ાં અંતવાળું હોય છે ( દા. ત. ગરિ, પીશલ 5 ૫૧૬ ). પાલીની જેમ એ રૂપમાં પણું -દસ- આવે છે ( જે કે પાલીમાં પણ વધારે વ્યાપક રૂપ તે -1- વાળું છે; જાઓ ગાઇગર ૪ ૧૫૯ ). આવું એક રૂપ “વસુદેવ-હિંડી'માં પણ મળે છે–નાદું તુદમ યુgિટ્સ “તમારા ઉપર કાપ કર્યો નથી ' (૨૨૫-૧૭). કથાસન્દર્ભ જ એ છે કે આ રૂપને ભવિષ્યકાળના રૂપ તરીકે લઈ શકાય એમ નથી. આમ છતાં અદ્યતન ભૂત પહેલા પુરુષ એકવચનના રૂપમાંના -સંના, ભવિષ્યકાળ પહેલા પુરુષ એકવચનના રૂપ સાથેના બાહ્ય સામ્યની અવગણના કરી શકાય તેમ નથી. સંભવ છે કે સનું ધિત્વ (જેને માટે પીશલે અથવા ગાઈગરે કઈ કારણું આપ્યું નથી ) ભવિષ્યકાળના લગભગ સમાન રૂપની અસરને લીધે નીપજ્યું હોય. પ્રાકૃત અથવા પાલીમાં જે હજી મળ્યું નથી એવા, અદ્યાવધિ અજ્ઞાત એક રૂપના “વસુદેવ-હિંડીમાંના અસ્તિત્વથી આ અનુમાનનું સમર્થન થાય છે–છીરું જ કહ્યું, “અને મેં જોયું ” (૨૮૯-૨૭). હવે, એ વસ્તુ જાણીતી છે કે બ્રહ્માનિ (-ટ્સ ), - , -#ામો ઈત્યાદિ સંતવાળાં ભવિષ્યકાળનાં સર્વ સાધારણ રૂપ ઉપરાંત પ્રાકતમાં -હામિ ( - ), --દિર, -દામોવાળાં ભવિષ્યકાળનાં બીજા રૂપે પણ છે. આ રૂપમાં દૃ જે સંસ્કૃત – સ> નમાંથી આવ્યો હોય–અને વસ્તુતઃ એમજ છે-તે સંગલેપને કારણે માત્રાપરિપૂરણાર્થે પૂર્વવર દીર્ઘ થતાં ટૂ ની પૂર્વે આપણે હવે ને બદલે દીર્ધ દૃની અપેક્ષા રાખવી જોઈએ. ૧. આજ્ઞાર્થ પહેલા પુરુષ એકવચનમાં ટેમુ રૂપ “મહાનિશીથ'માં મળે છે ( જુઓ , હ). ૧૩. કદાચ એવી દલીલ કરવામાં આવે કે આવાં રૂપને અર્ધમાગધીની ચકખી અસર તરીકે ગણવા-જૈન મહારાષ્ટી સાથે તેમને કંઇ લેવાદેવા નથી. “વસુદેવ-હિંડીને વિષય સાધુ-સાધ્વીઓના આચારને લગતે અથવા કોઈ આગમિક વિષયને લગતે હેત તે આ દલીલ કદાચ ટકી શક્ત ખરી, પણ અમુક ગ્રન્થભાગને બાદ કરતાં વસુદેવ-હિંડીને વિષય કથાત્મક હોઈ તેની ભાષા પણ જૈન મહારાષ્ટ્રી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આવાં દઈ ફેવાળાં રૂપ, જેની જૂના વૈયાકરણએ કે પીશલે પણ નોંધ લીધી નથી તે “વસુદેવ-હિંડી માં પ્રત્યક્ષ થાય છે-ઘદર્દ (૫૧-૨૨ ), મુંગીરું ( ૨૨-૨૮), ગાળીણામો (૭૮-૨૨ ); ગુચ્છામો ( ૮૯-૨૧ ); બીવીટ્ટામો (૯૧-૮), ટ્રછામ (૧૩૮-૭), ઇત્યાદિ.૧૪ આ પૈકી છેલ્લા રૂપનું પહેલા પુરુષ એકવચનનું રૂ૫ રૂછીદ્દે થશે–અર્થાત એજ રૂપ કે જે આપણે હમણાં જ અદ્યતન ભૂત પહેલા પુરુષ એકવચનના ઉદાહરણ તરીકે નેધ્યું છે. ભવિષ્યકાળના પહેલા પુ. એક વ. ના રૂછીઠુંને અદ્યતન ભૂ. પહેલા પુ. એ. વ. ના રૂપ તરીકેને આ પ્રયોગ એમ તે પુરવાર કરે છે કે ભવિષ્ય ૫. પુ. એ. વ. અને અધ. . ૫. પુ. એ. વનાં –ટૂસંવાળાં રૂપે વચ્ચે અમુક પ્રકારને સંબંધ મનાય હતો; અને આવાં રૂપના એકવને પરિણામે ભવિષ્ય ૫. પુ. એ. વ. નાં રૂપને અદ્ય. ભૂ. ૫. પુ. એ. વ. તરીકેને પ્રયોગ ન્યાય મનાય . અલબત, આ વસ્તુને વધારે ચોકકસ રીતે રજૂ કરવા માટેની પૂરતી સામગ્રી હજી આપણી પાસે નથી. અર્ધમાગધીનું અદ્યતન ભૂતનું બીજું એક સર્વસામાન્ય રૂ૫ વયાસી છે, જે માસીની જેમ, ખાસ કરીને ત્રીજા પુરુષમાં પ્રયોજાય છે. ત્રીજા પુરુષ એકવચન તરીકે ( ૩૫૧-૨૮) તેમજ બહુવચન તરીકે ( ૩૩–૧૭ ) “ વસુદેવ-હિંડી ”માં એને પ્રયોગ થયો છે. એજ રૂ૫ના ધાતુનું સંપ્રસારણ થવાથી બનેલું, બીજું એક અજાયું ગૌણરૂપ ત્રણ વાર પ્રયોજાયું છે. ત્રીજો પુરુષ એકવચનવાણી (૨૮૪-૯, અને ૧૩; ૨૮૪–૯નું એક હાથમતમાં હું વાણી એ પ્રમાણે પાઠાન્તર છે ); ત્રીજો પુરુષ બહુવચન-મું વચળ લહાણી (૩૨૪–૩). ત્રીજો પુ. એ. વ. વેલ ( ૨૯૧-૨૦, વૈઢવ ઉપરથી ) અને ત્રીજો પુ બ. વ. વિવિંg (૨૧૬-૨, વિઘવ< વિજ્ઞાપતિ ઉપરથી ) એ બીજા બે નેંધપાત્ર રૂપે છે. બીજું એક શંકાસ્પદ ઉદાહરણ ૨૯-૧૧માં મળે છે. ધમિલનો પિતા ધમિલની માતાને કહે છે-“હવે શું કામ રડે છે ? તે દિવસે હું તને કહેતે હવે તે તે તેં સાંભળ્યું નહીં.”વિં ફાનિ રોય ? મમં તથા ન પુ િમમાળી | અલબત, કુળસિને નિશ્ચયાર્થી વર્તમાન બીજા પુ. એ.વ. ના રૂપ તરીકે લઈ શકાય; પણ અધતન ભૂત બી. . એ. વ. (જે ત્રીજા પુ. એ. વ. થી રૂપદષ્ટિએ અભિન્ન છે)માં પણ એ જ રૂપ પ્રાપ્ત થાય (જુઓ પીશલ, 6 ૫૧૬, સી, ઈત્યાદિ; અંત્ય હું હવ પણ હોઈ શકે, દા. ત. માસિ, ગતિ, ઇત્યાદિ ); અહીં અર્થ સન્દર્ભ પણ નિશ્ચિતપણે ભૂતકાળનું જ રૂ૫ માગે છે. એટલે આ પુસિ રૂ૫ ખાસ વિચારણીય છે. –મ અંતવાળાં કેટલાંક તદ્દન અજ્ઞાત ક્રિયાપદિક રૂપો પીશલ ( 5 ૪૬ ૬ને અંતે) નોંધે છે. તેના મત મુજબ, સાહિત્યમાં એ રૂપે પ્રયેાયેલાં મળતાં નથી, પણ ભૂતકાળને જુદા જુદા અર્થોમાં કેવળ પ્રાચીન વૈયાકરણોએ તે ઉદાહરણ તરીકે નોંધ્યાં છે, જેમકે- છીણ, ગ, ગ, મારીગ, સુક્ષીગ, દુવીમ, વેદીબ, જાણીગ, થાદીગ, હોદ્દીગ, ઈત્યાદિ. આવાં રૂપોને સાહિત્યમાં રીતસરનો પ્રયોગ આપણને “વસુદેવ-હિંડી”માં મળે છે એ વસ્તુ ખૂબ જ મહત્વની છે–ાછીય (૨૮૯-૧૭, “ હું ગ” ), વિશે મેણીય ( ૨૮૯-૨૮, “મેં દિવસ ગાળ્યા ”), વોરછીચ ( ૨૭૮-૩૨, “તે બોલ્યો ”), વાણીય (૧૧૧-૨૨, “તેણે કર્યું). ૧૫ આ પ્રકારનાં રૂપ સૂત્રગ્રન્થોમાં પણ કયાંક મળે છે. ઉદાહરણ તરીકે “ઉત્તરાધ્યયન જેવા પ્રાચીન સૂત્રમાં-ઝહિં વચં સન્નનળ વેરા વર્ષ સોયા નિવેસુ ( ૧૩–૧૮). ૧૪-અનેરું વચ્ચેની ખૂટતી કડી “મહાનિશીથ સૂત્ર”માંથી મળે છે. એ ગ્રન્થમાં ભવિષ્યકાળનાં -સંવાળાં રૂપે પ્રાપ્ત થાય છે. દા. ત. વિમશી, સુખીસં ( “મહાનિશીથ, ' પૃ. ૯૧). ૧૫. “વસુદેવ-હિંડીમાં . ૨, ત્તિ, તિ વગેરે ઘણી વાર એવાં સ્થાને આવે છે જ્યાં તે વધારે પડતા Page #25 -------------------------------------------------------------------------- ________________ ગત્ “હેવું'નાં રૂપે કેટલીક નોંધ માંગી લે છે. બીજા પુજ્ય બહુવચનમાં પ્રાકૃતમાં આવતા તેના રૂપને પીશલે (૬ ૪૯૮) “ અત્યંત વિરલ’ કહ્યું છે. આનું એક માત્ર ઉદાહરણ તેણે પ્રવરસેનના સેતુબંધ’માંથી આપ્યું છે અને માગધીમાં તેને પ્રયોગ થતો હોવાને નિર્દેશ રૂપાખ્યાનોમાં કર્યો છે. પણ વસુદેવ-હિંડી'માં તે આ રૂપની અસામાન્ય વિપુલતા છે ! એનાં ચાલીસ કરતાં પણ વધારે ઉદાહરણ છે-દા. ત. ૮૬-૬, ૮, ૧૬: ૯૨-૨૧, ૨૩; ૯૩–; ૬-૨, ૬; ૧૦૨–૧૭; ૧૦૩–૧૦; ૧૦–૨૧ ૧૧૦-૫, ૭, ૨૪, ઇત્યાદિ. પહેલા અને બીજા પુ. એ. વ. નાં તથા પહેલા પુ. બ. વ. નાં રૂપે વધારે પ્રમાણમાં વપરાયાં છે. પ્રાકૃતમાં ધીરે ધીરે લુપ્તપ્રાયઃ બનતાં જતાં જાનાં રૂપની આ વાત છે, તેથી “વસુદેવ હિંડી’માં એવાં રૂપનું વ્યાપક અસ્તિત્વ તેની ભાષાની અસામાન્ય પ્રાચીનતા વ્યક્ત કરે છે. સામાન્ય રીતે ઉજ, તિ, મો, રથ જેવાં રૂપ જે શબ્દ સાથે તેઓ સંબદ્ધ હોય તે શબ્દ (મોટે ભાગે ભૂતકૃદન્ત ની પછી મૂકવામાં આવે એવી અપેક્ષા આપણે રાખીએ; અને “વસુદેવ-હિંડીમાં પણ ઘણુંખરું આ જ પ્રકારના પ્રયોગો છે : દા. ત. જગો મિ (૧૮૨-૨૦), પત્તો સિ (૧૪૬-૧૬), ઉત્તમ (૧૪-૧૫), નાય (૮૬-૧૬), ઈત્યાદિ. પણ આ કરતાંયે વધારે સંખ્યામાં એવાં ઉદાહરણો મળે છે, જેમાં એવાં રૂને સંબદ્ધ શબ્દની પૂર્વે મૂકવામાં આવ્યાં હોય એટલું જ નહીં પણ એ બન્નેની વચ્ચે એક અથવા વધારે શબ્દ આવતા હોય ઉદાહરણ તરીકે–ત્તમ મિ નિજો (૨૮૧-૧૬ ), તસ્ય ચ મિ જમો (૧૯૬-૨), તો મિ ગુovi૩૪ જયા (૨૮૩–૧૬ ), ગ શ સટ્ટો પુરવાળે (૨૨૯-૨૫), સુમરસિ કં તિ વામાવે હો લવ અમુળ જમવારણ માયા..( ૮૦-૧૮); તત્ય ૧ મો મનામી કુથાગો ૨૧૪–૧૯ ), જમો થ હૃદમાયા (૮૬-૬), ગોત્થમાયા ( ૮૬-૮), ગં ય તેવી માળા (૨૩૮-૪), થ ગમમરાવદુરું સંસારં છિદ્રિકામાં (૨૩૮-૪), તુ રથ મથા સંજામાળો દિળિચત્તા સ્વયસરીરા રિટ્ટા (૧૨૫-૨ ), ઇત્યાદિ. fમ, સિ, મો. રઈ ને સ્થાને મહું, તર્ક, ભટ્ટ. તુ એ સર્વનામો મૂકવામાં આવે તે ઉપરનાં વાક્યમાં અર્થ તે એને એ જ રહેશે, એટલું જ નહીં પણ વાક્યરચના વધારે નૈસર્ગિક લાગશે. આ ઉપરથી સહેલાઈથી અનુમાન કરી શકાય છે કે ને આ જુદાં જુદાં રૂપે પુwવાચક સર્વનામોના પ્રથમા એકવચનનાં સમાનાર્થ રૂપ તરીકે ગણાતાં હતાં. અઢું ના પર્યાય તરીકે વૈયાકરણએ જે ચાર રૂપે આપેલાં છે તે ઉપરથી પણ આજ વસ્તુનું સમર્થન થાય છે. પીશલે (૬૪૧૭) બતાવ્યું છે કે મિ, મન્મિ, મ=સં. રિમ છે, જ્યારે અમિ =મહું મિક્સ. અદ્દે અશ્મિ છે. આ ચારે રૂપે મર્દ ના અર્થમાં વપરાતાં હતાં, એ વૈયાકરણીઓના વિધાનમાં શંકા કરવાનું કશું જ કારણ નથી, “વસુદેવહિંડી માં એ પૈકી કેટલાંકના પ્રયોગ મળે છે–મષ્ઠિ પરચા સુમરમાળી સુમં પાયમીવં (૨૧૭–૧૯ ), તો તેજ ગઠ્ઠિ માળો (૧૪૬-૨), તેમાં બ્દિ મહુરમામો (૧૮૨–૨૨), તેના ચ પ્ટિ મળિયો (૨૧૦-૪), તય (સ્ત્રી) અમિ મદુરમાદદ્દો (૨૧૨–૭), વિટ્ટો ચ મિમ (૨૧૮-૫), તેદિ ચ મમિ તુર્દિ માોિ (૨૩૦-૧૬ ), તક્ષ અમિ ઝરું વત્તો ( ૨૭૯-૩). તુરતજ જોઈ શકાશે કે આ વાને ઉપર હમણાંજ ટાંકેલાં વાયથી ભિન્ન પાડી શકાય એમ નથીઅદ્ધિ અને સન્મ નો હોય અને કવચિત નકામા પણ હોય. આથી આવાં રૂપને અંતે આવતો ય કેટલાક દાખલાઓમાં આવો વધારાને હોય અને તે ક્રિયાપદના મૂળ રૂપનું અંગ ન હોય એવી દલીલ કદાચ કરવામાં આવે, પણ આપણી પાસે પ્રાચીન વ્યાકરણનાં ઉદાહરણે પુરાવા તરીકે છે, એટલે છીય આદિ અખંડ રૂપ છે એમ માનવામાં બાધ નથી. ૧૬ પીશલ ( ૨૪૧૭) ટાંકેલા કથિના વિશિષ્ટ પ્રયાગનાં કેટલાક ઉદાહરણ ‘વસુદેવ-હિંડી” માં મળે છે: મરિય વાદ...રિવસ૬ (૫૭-૧૦ ), નથિ વોર વાઈ-ફોલો સીદ (૧૦-૨૯), કથિ પુળો -સિરી તોગા (૧૨૫-૫), Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ નિ, , મો, ૧ ના પ્રયોગની સાથે બરાબર સમાનતા ધરાવે છે. વળી એ ઉદાહરણોમાં નાં રૂપને પુરુષવાચક સર્વનામ તરીકે લેવાનું શક્ય છે ખરું, પણ તેમ કરવું કંઈ આવશ્યક નથી. આ કરતાં પણ ઓછા સંદિગ્ધ બીજા પ્રયોગો “વસુદેવ-હિંડી ” માં છેઃ રિસો સિ સુ મg મારી = દિરારંવં પુ મડ્યારીઃ (૧૬૫-૧૮), તો fમ નો વીમામ=સતોડદું કરીને વિશ્રમામિ (૨૧૭–૨૯ ). અહીં સિ અને મિની છાયા હૂં અને મર્દ વડે આપવો આવશ્યક થઈ પડે છે. તુમં હિ ને માયા #ળિો ગાતી (૨૪-૩) એ વાક્યમાં ઈસ ને પ્રક્ષિપ્ત માનવાનું અનિવાર્ય થઈ પડે છે. પરનું આ વાકય પણ શુદ્ધ હોઈ શકે, કેમકે તુમતિ= હું એ વૈયાકરણીઓએ પ્રથમાં એકવચન તરીકે આપેલા કન્મિ=મહું નું બરાબર પ્રતિરૂપ હોઈ શકે. પહેલા પુરુષ એકવચન કેમિ ઉપરથી સત્રમો અને જૈન મહારાષ્ટ્રમાં ત્રીજા પુરુષ બહુવચનનું રૂપ નિત વ્યુત્પન્ન થયેલું છે (પીશલ, હું ૪૯૪; વળી જુઓ “વસુદેવ-હિંડી ” ૧૧૮-૧૧, ૨૨૩-૧૫). પીશલે જેની નોંધ કરી નથી એવું ત્રીજા પુરૂષ એકવચનનું રૂપ વે “ વસુદેવ-હિંડી માં રે -સુદ્દિો મ મચä પુત્ર ધર્મ અવનિ (૭૫-૧૮) સંસ્કૃતમાં પણ કેટલીકવાર મળે (જે મૂળે એક ક્રિયાપદનું રૂપ છે) કેવળ એક અવ્યય તરીકે વપરાય છે. “વસુદેવ-હિંડી'માં (તેમજ અન્ય પ્રાકૃત સાહિત્યમાં પણું ) મને વિમર્શ સૂચક અવ્યય તરીકે પ્રશ્નાર્થક સર્વનામની પછી વપરાયેલ છે. થોડાંક ઉદાહરણ જોઈએ: કિં મv (૧૩-૨), તો મને (૧૮-૨૭), #ા મળે (૧૦૧-૮), લેગ મળે ચારોળ (૧૩૩-૧૫, ૨૮), ક્ષે મને વાળો (૮૩-૨૮), જીત મm (૧૪-૨૭), વરંથ મને (૨૦-૧૦), વિઠ્ઠ માને (૩૧૦-૧૫), ક્યાં મળે (૧૭૬-૨૬), ચરો મને ga તેવો (૭૮–૧૩). આચાર્ય હેમચન્દ્ર પિતાનાં વ્યાકરણુસૂત્રોમાં (૮-૨-૨૦૬) નિશ્ચય, વિકલ્પ અને અનુકંપાના અર્થમાં આપેલા અવ્યય વગેની વ્યુત્પત્તિ ઉપર પણ મuો પ્રકાશ પાડે છે. મન્વેમાળ ==ળે એ રીતે વળ વ્યુત્પન્ન થયે હે જોઈએ. મળે ને પણ હેમચન્ટે જુદા અવ્યય તરીકે આ છે (૮-૨-૨૦૭). હવે, આપણે નામનાં રૂપાખ્યાને જોઈએ. આ ગ્રન્થમાં નરજાતિનાં સકારાન્ત અંગેનું પ્રથમ એકવચનનું રૂપ એક નિયમ તરીકે લોકારાન્ત છે. આખાયે ગ્રન્થમાં માત્ર બે જ સ્થળે આવાં રૂ૫ અર્ધમાગધીની જેમ તુકારાન્ત માલૂમ પડે છે; જુઓ ૩૦-૩ અને ૨૩૪-૨૪. આ બન્ને સ્થળે –$ કારાન્ત પ્રયોગ પધમાં મળે છે, તેથી કોઈ અન્ય (સંભવતઃ અર્ધમાગધી) રચનાના અવતરણરૂપ તે હોય એમ માનવામાં વાંધો નથી. કહેવાતી અર્ધમાગધીની બીજી એક લાક્ષણિકતા, સપ્તમીને -હિં પ્રત્યય વસુદેવ-હિંડી' માં મળે છે; પણ એને જે ડાક પ્રયોગ મળે છે તેમાંને માટે ભાગ શ્રી ઋષભદેવના ચરિત્રમાં આવતું હોઈ તેને પણ અર્ધમાગધીની સીધી અસર માની શકાય.૧૭ સામાન્ય રીતે અર્ધમાગધી અને જેને મહારાષ્ટ્રમાં –અકારાન્ત અંગેનું નર અને નાન્યતર જાતિનું ચતુર્થી એકવચનનું અને નારી જાતિનું તૃતીયા, ષષ્ટી અને સપ્તમી એકવચનનું રૂપ –માણ અંતવાળું બને છે, તથા કારાન્ત અને હકારાન્ત નારી જાતિનાં અંગેનું તૃતીયા, ષષ્ટી અને સપ્તમી એકવચનનું રૂ૫ –ા અને– ૧૭. શ્રીકષભદેવના ચરિત્રમાં નીચેનાં રૂપે મળે છે: યુરિંસિ (૧૫૯-૧૬), ૩ોયંસિ (૧૬૧-૧૫), Time (૧૬–૧૭). એક અર્ધમાગધી વાક્યખંડ: કૃછિંતિ પુત્તત્તાણ...(૭૬-૧૩, ૯૧-૨૫). આ ઉપરાંત અન્યત્ર નીચેનાં રૂપે મળે છે: મણિ (૨૪૬-૨૦), તંતિ જાય (૧૫૦-૨૦), સોળંત્તિ (૩૬-૨૫), gવંસિ (પાઠાન્તર ઇન્મિ , ૧૪–૧૬). Page #27 -------------------------------------------------------------------------- ________________ २२ લઇ અંતવાળુ બને છે. પીશલ (૬ ૩૬૧) માને છે કે–ગાય અંતવાળું ચતુર્થી એકવચનનું રૂપ અર્ધમાગધી અને માગધી પ પૂરતું જ મર્યાદિત છે. નારી જાતિનાં તૃતીયા, પછી અને સપ્તમી એકવચનનાં રૂપમાં તે માગધી પુરતું -સાવાળું રૂપ સ્વીકારે છે (૬ ૩૭૪, ટિપણ), અને જયાં બંધની દૃષ્ટિએ હૂર્વ સ્વર આવશ્યક હોય એવાં પદ્યોમાં જ –ગ અને -કમવાળું રૂપ સ્વીકારે છે (૬ ૩૮૫). આમ છતાં ડૉ. લ્યુમેને આવશ્યક’ ઉપરનાં પિતાના વિવરણમાં બતાવ્યું છે કે ચૂણિઓ અને ભાગ્યે જેવા જૂના ગ્રન્થોમાં વારંવાર પ્રાપ્ત થતાં નારીજાતિનાં –માર,-રેય અને -કચવાળાં રૂપે શુદ્ધ છે, અને (-gવાળાં રૂપની તુલનાએ ) –ચવાળાં રૂપે, પ્રાકૃત તેમજ પાલીમાં સમાન હેઇ, પ્રાચીનતર છે. આવાં રૂપના વિષયમાં “વસુદેવ-હિંડી' માં શી સ્થિતિ પ્રવર્તમાન છે એ જોઈએ. ચતુર્થીના - gવાળા રૂપ ઉપરાંત (દા. ત. વા ૩૬૨-૭, કટ્ટા મટ્ટા ચ ૧૨૪-૧૪, પુત્તરાણ ૭૬–૧૩ તથા ૯૧-૨૧, ઈત્યાદિ )-ગાયવાળું રૂપ પણ તેમાં મળે છેઃ વદાચ (=વધાય, ૧૬૯-૧૯, ૨૪૫-૨ તથા ૪, ૩૧૩-૫ તથા ૭ ), યાય (૨૬૮-૫ ), ૩વારાય (૧૬ ૩-૪ ), વિજારા (૩૧૩-૮). નારીજાતિનાં –માણ અને – સંતવાળાં સામાન્યપણે પ્રચલિત રૂપને મુકાબલે –ગાય અને – વાળા રૂપ વિરલ હેવા છતાં આ ગ્રન્થમાં તેના સંખ્યાબંધ પ્રયોગો તે છેજ (દા. ત. તૃતીયા કિટ્ટારીય qયાય ૨૧૩–૧૩, તઝિયમરાજપરાય ૨૨૫-૧૯; પછી ગાળીચ ૯૩–૨૫, સુર ૨૩૦-૬, viાય ૩૧૧–૧ (આ છેલ્લા બનને પ્રવેગોને સંસ્કૃતવત ચતુર્થીના પણ ગણી શકાય); તૃતીયા જાનવુદ્ધી ૧૦- ૨૪, કુતીય ૧૭૦-૨૫ સદ્ભનિહીં, ૩૪૬-૨૮, તુટ્ટીય ૧૨૧-૩૧, યુદ્ધી, ૧૦-૨૪, સારોળિય ૨૧૬-૨૮; સપ્તમી વેકાચ ૧૫૦-૨૦, પપાય ૧૩–૭, પરિમો વિટ્ટીંગ ૨૨૯-૨, સંક્રાય ૩૦૬-૨૬, વળિયાસંતીય-આ પ્રયોગને તૃતીયા તરીકે પણ લઈ શકાય, ૧૭૩-૧, ઇત્યાદિ.) રય (સં. ) ૧૪૦-૩ એ પ્રયોગ નિઃશંકપણે ચતુર્થીને છે. આ સિવાય બીજા થોડાક દાખલાઓમાં “વસુદેવ-હિંડીએ એવાં રૂપે જાળવી રાખ્યાં છે, જે ઉપરથી પ્રાકૃત વળાય સાથે પાલી જગ્ગાની ડૉ. યુએને કરેલી તુલના તદ્દન વાસ્તવિક હતી એમ લાગ્યા સિવાય રહેતું નથી. ગાઈગરના વ્યાકરણ પ્રમાણે (૬ ૮૧, ૮૬ ), પાલીમાં નારીજાતિનાં –બકારાન્ત અંગેનું તૃતીયા અને પછીનું એકવચનનું રૂ૫ –બાથવાળું થાય છે, પણ સપ્તમીનું રૂ૫ -ગાય અને -આયં (=સંસ્કૃત -ગાયામૂ ) વાળું બને છે; એજ પ્રમાણે પાલીમાં નારીજાતિનાં કારાન્ત અંગેનું તૃતીયા અને પછી એકવચનનું રૂપ –ાવાળું બને છે, પણું સપ્તમીના રૂપને અંતે -ફયા અથવા યં આવે છે. -માયે અને -ચંવાળાં સપ્તમીનાં આ રૂપનાં પ્રાકૃત પ્રતિરૂપે “વસુદેવહિંડી ” માં નીચેનાં ઉદાહરણોમાં જળવાઈ રહ્યાં છે. વિદે ૨ ળિયેરે, વિરત્તાઠ્ય સંજ્ઞાય (૨૮૦–૨૬), ૩રા હિસાચું (૨૦૦-૨૭), ઉત્તરાર્થે સેઢીચે (૩૨૩-૧૮ ), ૩ત્તરાયં સેઢીચ (૩૧૦-૨૨), હાથે (our) ૧ વમવદ્ સયળો સાચા વા ( ૩૧૨-૮), રાઠ્ય ( “રાત્રે,' ૨૧૦-૧ ), મંજરાયું નથી (૩૧૦-૨૪), માયાએ જ બરાણ (૨૨૮-૨૭). અત્યાર પહેલાં કોઈ પણ સાહિત્યિક પ્રાકૃતમાં માર્ગ અને ચંવાળાં સ્ત્રીલિંગ સપ્તમીનાં રૂપે જાણવામાં આવ્યાં નથી. પરંતુ તેને મળતાં પાલી રૂપ વડે એ રૂપની સચ્ચાઈ પુરવાર થઈ જાય છે. પીશલે ( ૩૮૮ ) તેને મળતું એકમાત્ર રૂપ એક પલ્લવ રાજાના લેખમાંથી આપ્યું છે. સામી એકવચન આપિટ્ટાચ, એટલે કે કાવિડ્રિયંકમાંfપટ્ટામ્. હવે, જે –મા અને ચંવાળાં રૂપે ખરેખર આર્ષ રૂપ છે તે –અને -રંગવાળાં રૂપને પણ આર્ષ તરીકે માન્ય રાખવાં જોઈએ—અલબત, ચતુર્થીના -ગજની શદિ સંબંધમાં તે શંકા ઉઠાવવામાં આવેલી જ નથી. આ પ્રમાણે આપણને થવાળું આર્ષરૂપ અને –ાવાળું સર્વસામાન્ય રૂપ મળે છે, અને તેથી દીધ સ્વરની પછી આવતા અંત્ય –ાને જ -૫ તરીકે Page #28 -------------------------------------------------------------------------- ________________ વાગૂવ્યાપારગત વિકાસ કદાચ થયે હેય એવી કલ્પના થાય છે. આથી ચતુર્થી એકવચનના આપને ખુલાસે આપવામાં રહેલી મુશ્કેલીઓ ( જુઓ પીશલ, 6 ૩૬૪) દૂર થઈ જશે અને પ્રાકૃત રૂપ માત્રાપુની વ્યુત્પત્તિ આપવા માટે બ્રાહ્મણ રૂપ માત્રાને આશ્રય લેવાની જરૂર પડશે નહીં. આ નિર્વચનને સ્વીકાર કરવામાં આવે કે નહીં, તોપણ એટલું તે ખરું કે ચતુર્થીના માને સ્થાને –ગાના આગમનને સ્ત્રીલિંગના -ગાય અને ચને સ્થાને થયેલા –ગg, -ના આગમનથી અલગ પાડી શકાય નહીં; જે બને ફેરફારો એકજ વાગવ્યાપારગત નિયમનું પરિણામ ન હોય તે આ બીજી ઘટનાના સદસ્યથી પહેલી ઘટના બની હોય એ સંભવિત છે. વસુદેવ-હિંડી'માં સચવાયેલાં આર્ષ રૂપે પૈકી સૌથી વધુ મહત્વનાં રૂપમાને એક નર અને નાન્યતરજાતિ પંચમી એકવચનમાં – સંતવાળે પ્રયોગ છે. “વસુદેવ-હિંડી ”માં તે ત્રણ વાર મળે છેઃ તો નિસૂરતો ટુર્વમર તો નિરાધ્ય૮િ સુમરાતુ (૬–૧૩), qવ્યય વિળિયા=પર્વતવન્દ્રત વિનિતૌ (૧૪૬–૨૯), ૧૯ ગુf fસ માયા=ભ્રષ્ટાસ્યાચારાત (૨૨૭–૨૪)–મમવાળાં આ રૂપે પંચમીનાં છે એમાં શંકા નથી, કારણકે નિઃસાતિ. વિનિછતિ, TEઝરતિ, એ ક્રિયાપદ બીજી કેદ વિભક્તિ સાથે આવી શકે નહીં. “ઉત્તરાધ્યયન' જેવા પ્રાચીન સૂત્રગ્રન્થમાં –ગં અંતવાળું પંચમીનું એક રૂપ આશ્ચર્યજનક રીતે સચવાયેલું છે, તેથી પણ “વસુદેવ-હિંડી માંનાં આ રૂપની સચ્ચાઈનું સમર્થન થાય છે. જુઓઃ મુ fમ વિરમયai= સં. મુજstહ્મ વિષમક્ષાત્ (ઉત્તરાધ્યયન, ૨૩-૪૬). નર અને નાન્યતર જાતિ પંચમી એકવચનમાં -અન્ન પ્રત્યય પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર અને શંકાસ્પદ લાગશે; પરન્તુ સંસ્કૃત પંચમીના અંતિમ –માતને પ્રાકૃત - રૂપે વિકાસ પ્રાકૃતના વાગવ્યાપારગત નિયમો સાથે સંગત છે. (જુઓ પીશલ, ૬ ૩૩૯, ૭૫, ૧૧૪, ૧૮૧). હું ૧૧૪ માં પીશલ કહે છેઃ અર્ધમાગધી સવં=સાક્ષાત્ (હેમચન્દ્ર ૮-૧-૨૪; “ ઉત્તરાધ્યયન ” ૧૧૬, ૩૭૦, “પપાતિક” ), એ ઉપરાંત શૌરસેની સહા ( “મલિકામકરન્દ–પ્રકરણ', ૧૯૦, ૧૯ ). અર્ધમાગધી અને જૈન મહારાષ્ટ્રી દેદા ઉપરાંત અર્ધમાગધી દેટું એ પંચમી ઉપરાંત દ્વિતીયાનું પણ રૂપ છે; સર્વે રૂપની બાબતમાં પણ એજ કહી શકાય.” “વસુદેવ-હિંડી ”માંનાં ત્રણ રૂપે ઉપરથી નિઃશંકપણે એમ પુરવાર થાય છે કે સર્વે અને ઘેટું એ રીતસરનાં પંચમીનાં રૂપ છે અને તે મૂળે સાક્ષાત્ અને અધતાત માંથી નીકળેલાં છે. ભાષામાં આ બે રૂપે ટકી શક્યાં તેનું કારણ એ કે ક્રિયાવિશેષણ તરીકે વપરાવાને કારણે મૂળે એ પંચમીના પ્રયોગો હોવાનું વિસ્મરણ થઈ ગયું. આ વરસ્તુસ્થિતિને એક વધુ પુરા પાલીમાંથી મળે છે. પચમી એકવચનના –ગં ને પ્રયોગ ૧૮. આચાર્ય હેમચન્દ્ર જેની નોંધ કરી છે (૪-૩-૧૮૦) તે ક્રિયાતિપત્તિના અર્થમાં વર્તમાન કૃદંતના પ્રયોગ વસવહિંડી ”માં વારંવાર મળે છે, એમાંના ડાક અહીં જોઈએ: ૬ નાતો, ન ઈન્ત (૧૪૯-૧૧); ઘસ વધો તો, પરિયે મમ ઘેતો-7 gષ વધી (૧૨૬-૬);.વિંદં પુi તુમ fસ અળસિં સાહૂિંતો, તો મે પુળો વાણિિિત (૧૧૦-૨૫); કહું નટ્ટુ પમાન નિરમાતો હૈતો, તો મિ વંધે પાવૅતો (૧૨-૧૪); ગર્ સિ ન હૂંતી તીરે વા હવે ન સંભેંતી, તો મિ વિવઘળો તો ( ૨૨૮-૨૫); ગ તે પ્રિયા ગીવંતો, તુમ વા {a-56-70 कुसलो होतो, तो न एस एरिससिरीए भायणं होतो, एवं वा सिंघाडग-तिय-चउक-रच्छामुहेसु उचललंतो વિઝ રિ (૩૧-૧૨ ). બીજું ઉદાહરણ માટે જુઓ; ૧૩-૨૬, ૧૨-૨૫, ૨૧-૨૧, ૦૧-૨૨, ૧૩૫-૧૬, ૧૩–૨ અને ૧, ૧૬૮-૧૪, ૧૬૯-૨, ૨૨૮-૧, ૨૪-૧૯, ૧૯. આ વાકયખંડને અનુવાદ “ અનુક્રમે પર્વતની ગુફામાં પેસી..(પૃ. ૧૯૦ ) ” એ પ્રમાણે છપાય છે, પણ ખરું જોતાં તે “અનુક્રમે પર્વતની ગુફામાંથી નીકળી...” એ પ્રમાણે જોઈએ. Page #29 -------------------------------------------------------------------------- ________________ પાલીમાં મળે છેજો કે પ્રચલિત વ્યાકરણમાં એ પ્રયોગને રીતસર સ્વીકાર કરવામાં આવ્યો નથી. ઉદાહરણ તરીકે “ધમ્મપદ નું પદ્ય (નરક વર્ગ-૮) જુઓઃ __ अकतं दुक्कतं सेय्यो, पच्छा तपति दुक्तं । कतं च सुक्कतं सेय्यो, यं कत्वा नानुतप्पति ॥ આ પઘના પહેલા ચરણની છાયા “ઉદાનવગ' (૩૦૫-૫૩) માં શુદ્ધ રીતે જ અજ્ઞાત સુરતજેય: એ પ્રમાણે આપેલી છે. આ પદ્યની સંસ્કૃત છાયા નીચે પ્રમાણે થાયઃ अकृतं दुष्कृतात् श्रेयः पश्चात् तप्यति दुष्कृतात् । कृतं च सुकृतं च श्रेयः यत् कृत्वा नानुतप्यति ॥ વળી જાતક ૪૫૮–૧૩ માં -શિ પત્રો ર મા ? (“ કયી સ્થિતિમાં રહેવાથી પરલોકન ડર ન લાગે?”) એ વાક્ય આવે છે. પણ મી ધાતુને પ્રયોગ દ્વિતીયામાં કદી થતું નથી. સામાન્ય રીતે પંચમીમાં અને અપવાદરૂપે પછીમાં તે પ્રયોજાય છે એ જાણીતું છે. એટલે અહીં પણ રહ્યો એ પંચમી એકવચનનું રૂપ સિદ્ધ થાય છે. “ધમ્મપદનું પદ્ય (સુખવર્ગ-૫) આ પ્રમાણે છે: जयं वरं पसवति, दुक्खं सेति पराजितो । उपसंतो सुखं सेति, हित्वा जयपराजयं ॥ એના પહેલા ચરણનો અનુવાદ “વિજ્ય અથવા વિજયી મનુષ્ય (કચઃ અથવા નયન) વૈરને જન્મ આપે છે ” એ કરવામાં આવે છે; પણ દિલ્લા વયજુર કર્યું આ છેલ્લા ચરણ સાથે સુસંગત એવો અર્થ તે ગયાદ્ વૈ પ્રસવતિ (વિજયમાંથી વૈર જમે છે) એવો હોઈ શકે. ધમ્મપદ ” નું એક પદ્ય (પુષ્પવર્ગ-૧) નીચે પ્રમાણે છેઃ यथापि भमरो पुप्फ वण्णगन्धं अहेठयं । पलेति रसमादाय एवं गामे मुनी चरे ॥ એને અર્થ આ પ્રમાણે થાય—“ જેવી રીતે ભમરે રસ લઈને, (પુષ્પના) વર્ણ અને ગંધને નુકશાન કર્યા સિવાય પુષ્પ ઉપરથો (પુ-પુષ્પાત ) ઊડી જાય છે તેવી રીતે મુનિએ ગામમાં પરિભ્રમણ કરવું જોઈએ.” આ સર્વ ઉદાહરણો ઉપરથી એમ અનુમાન થઈ શકે ખરું કે મૂળ જે બેલીમાંથી પાલી પિટકે અનૂદિત થયાં હતાં તેમાં પંચમીમાં -4 ને પ્રયોગ વધારે વ્યાપક હતું. પ્રાકૃતમાં –સંવાળાં માત્ર એવાંજ રૂપે મોટે ભાગે ટકી શકયાં છે, જે કાં તે વિભક્તિરૂપને બદલે અવ્યય તરીકે સમજાયાં અને કાં તે “વસુદેવ-હિંડી” જેવા અતિપ્રાચીન અને વચ્ચેના સમયમાં જેનું પઠન પાઠન ઝાઝું નહોતું એવા ગ્રન્થમાં જળવાઈ રહ્યાં. વસુદેવ-હિંડી ” મળતાં કેટલાંક સાર્વનામિક રૂપે પણ નોંધપાત્ર છે. સમૂના તૃતીયા એકવચનના સર્વસામાન્યરૂ૫ તરીકે મયા = સંસ્કૃત માને પ્રયોગ “વસુદેવ-હિંડી માં સેંકડો વાર થયેલું છે. આ રૂપની નોંધ પશલમાં કયાંય નથી, જો કે યાકેબીએ તે નોંધ્યું છે. યાકેબીને મહારાષ્ટ્ર પ્રાકૃત વિષેના ગ્રન્થમાં મથા એક જ વાર નોંધાયું હોવાથી પીશલે કદાચ તેને સંસ્કૃતરૂપ તરીકે જ ગણી લીધું હાય. દ્વિતીયા એકવચનમાં મેને પ્રયોગ પીશલે અર્ધમાગધી પૂરતે, અને દ્વિતીયા એકવચનમાં તેને પ્રયોગ Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્ધમાગધી, શૌરસેની અને માગધી પૂરતું મર્યાદિત ગણ્યો છે; પણ એ બન્નેના પ્રયોગ આપણને “વસુદેવ-હિંડી માં મળે છે. દિ. એ. વ.માં છે માટે જુઓ: ૪૩–૨૬, ૪૪–૮, ૧૦૫-૧૮, ૧૪૦-૭, ઇત્યાદિ. દ્ધિ. એ. વ.માં તે માટે જુઓ: ૬૫–૧૧, ૮૧-૨૯, ૮૪–૭, ૮૭-૩૦, ૨૨૧-૨૦. સપ્તમી એકવચન મને પ્રયોગ પીશલે શૌરસેનીમાં નોંધ્યું છે, પણ “વસુદેવ-હિંડી” ૧૫૦-૨૫ તથા ૨૪૧-૧૩માં તે મળે છે. આ મહું સં. મચિમાંથી વ્યુત્પન્ન થયેલ છે. આ ઉપરાંત “વસુદેવ-હિડી” ૨૮૨–૨૧માં મમટ્ટિ (= સં. મમ 1 મિન, મારા વિષયમાં-મારે માટે”) રૂ૫ મળે છે, જે પીશલમાં નોંધાયું નથી. પીશલ (૬૪૧૯, ૪૨૨ ) પ્રમાણે, ને અને મેં એ બહુવચનનાં બે સાર્વનામિક રૂપે નીચે મુજબ વપરાયેલાં છે : છે, દ્વિતીયા, માગધી અને અર્ધમાગધીમાં; તૃતીયા અને પછી, માત્ર અર્ધમાગધીમાં. મે, પ્રથમ વિભક્તિ (માત્ર એકજ વૈયાકરણ ચંડે પ્રથમામાં તેનો ઉલ્લેખ કર્યો છે ); દ્વિતીયા અને તૃતીયા, માત્ર અર્ધમાગધીમાં; ષષ્ટી, અર્ધમાગધી અને જેને મહારાષ્ટ્રીમાં. આ સર્વ પ્રગો આપણને વસુદેવ-હિંડી” માં મળે છે : છે, દ્વિતીયા, ૧૨૧-૧૩, ૧૩૪–૨૭; તૃતીયા ૨૩૩-૨૭; ષષ્ટી ૪૩-૩, ૭૦-૨૪; ૭૩–૨૩; ૯૪–૧૬. આ ઉપરાંત દ્વિતીયા બહુવચન " ( વાંચી શકાય?), ૭૦–૨૩, ૨૦૦-૨૩. મે, પ્રથમ ૯૯-૨૬, ૧૨૫–૧૩; દ્વિતીયા ૧૧૮-૪ અને ૮, ૧૫૩-૨૩, ૩૬૭–૧૭; તૃતીયા ૧૦૧–૪, ૧૦૮-૩, ૧૧૨-૧૦, ૧૧૫-૨૬, ઈત્યાદિ. મને ષષ્ટીમાં પ્રયોગ તે સામાન્ય છે. પીશલ (૬૪૨૨ ) પ્રમાણે પછી બહુવચન વોકવેઃ ને પ્રયાગ માગધી અને શૌરસેનીમાં તથા પલ્લવ રાજાઓના લેખોમાં છે, પણ બીજી પ્રાકૃતમાં તે મળતો નથી. “વસુદેવ-હિંડી' માં આ પ્રયોગ મળે છે, જુઓઃ ૨૧૧-૨૭, ૨૨૪-૩ (ચતુર્થીને અર્થ પણ લઈ શકાય છે; ઉપરાંત વોને નિઃશંકપણે પ્રથમામાં પ્રયોગ ૮૮-૨૧ માં મળે છે. વરભારના અભાવને કારણે તુને લાગેલા ઘસારાને પરિણામે એ પ્રયોગ વ્યુત્પન્ન થયો છે, એ ખુલાસે પીશલે આપ્યો છે (૪૨૨ ). વસુદેવ-હિંડી” માંથી પ્રાપ્ત થયેલા એક અજ્ઞાત રૂપથી આ ખુલાસાનું સમર્થન થાય છે: ષષ્ટીના પ્રયોગ ને તુર્થે સાથે બરાબર એજ પ્રકારને સંબંધ છે કે જેવો મેને તુઝ્મ સાથે છે. આથી મૂળ ગ્રન્થમાં એક સ્થળે ત્રીસ પંક્તિઓમાં જ એ પ્રયોગ માત્ર ચાર વાર મળતો હોવા છતાં તેની સચ્ચાઈ સંબંધમાં શંકા લેવાનું કેાઈ પ્રયોજન નથી. જુઓ–મવા તો (1ળે) મૂળ ન દેર° ો (૨૧૩-૮); ન ૩ા સરીર (૨૧૩–૧૫); રિસં ૨૧ રીક્સ (૨૧૩-૧૮); મમ ઘસાઈ હેર સિદ્ધી ( ૨૧૪-૨ ). હાથપ્રતામાં મળતા પાઠ એમ બતાવે છે કે જે પ્રયોગ લહિયાઓને અજાણ્યો હોવો જોઈએ અને તેથી તેમણે દેને દૂર કરી તે તે સ્થાનોએ બીજા પ્રત્યેગે મૂકવાનો પ્રયાસ કર્યો છે. ટ્રે પ્રયોગની શુદ્ધતા તેમજ પ્રાચીનતાનું એથી તે સમર્થન થાય છે. વસુદેવ-હિંડી ”માંનું વાર્ષિ વિ૦ (૩૪) એ પદ સાહિત્યમાં પ્રયોજાયેલા અપભ્રંશને એક અતિપ્રાચીન નમને રજૂ કરે છે. એમાં જcs અને જે gિ એ અપભ્રંશ સંબંધક ભૂતકદંતનાં રૂપ છે. વાર્ષિ ૨૦. માત્ર એક જ પ્રતમાં જે પાઠ છે; બાકી સર્વેમાં લે છે, ૨૧. એક જ પ્રતમાં વ્હે પાઠ છે; બાકી સર્વમાં દે છે. ૨૨. એક સિવાયની સર્વ પ્રતમાં બ્રૂિ પાઠ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ २६ સં. પાર્શ્વ-ગુ. “પાસે '(કાઠિયાવાડમાં), એ સપ્તમી એકવચનનું રૂપ છે. આ સાનુનાસિક રૂપ આચાર્ય હેમચન્દ્ર આપ્યું નથી; પણ પછીના સાહિત્યમાં તેને પ્રયોગ વિપુલ પ્રમાણમાં છે. અi<{. રાયને પણ સપ્તમી એકવચનનું એજ પ્રકારનું રૂપ છે. આમ આ ગ્રંથમાંનું ઉપયુક્ત ચાર પંક્તિનું પદ્ય અને તેમાંના ચાર પ્રયોગો સાહિત્યિક અપભ્રંશના અભ્યાસમાં એક પ્રારંભિક સીમાચિહ્ન પૂરું પાડે છે. અલબત્ત, આ સાથે અપભ્રંશનાં બીજાં પણ પ્રારંભિક સીમાચિને તુલનાત્મક દૃષ્ટિએ જેવાં જોઈએઃ બૌદ્ધ કવિ અશ્વઘોષ (બીજી શતાબ્દી) ના “સારિપુત્રપ્રકરણમાં મશ્નો રૂપ છે, જે સં. મરચનું અપભ્રંશ રૂપ હોઈ શકે. ભાસ કવિના “પાંચરાત્ર’ નાટકમાં ગવાળના વાર્તાલાપની માગધીમાં અપભ્રંશને લાક્ષણિક હકાર મળે છે. ઉદાહરણ તરીકે–પૂઢમં હુ પુઓ સં. રાતમંદ: સૂર્યઃ | gવંશોધું વિવંત ગોઝા=સં. સર્વોઉં વિદ્યારિત ચૌરાઃ | જો કે કેટલાક વિદ્વાને આ રૂપ પર શંકા વ્યકત કરે છે. “કચ્છકટિક' (ચોથી અથવા છઠ્ઠી શતાબ્દી ) ના બીજા અંકમાં માથુર નામના પાત્રની માગધી બોલીમાં પણ અપભ્રંશને ૩કાર મળે છે. પહેલી અને આઠમી શતાબ્દી વચ્ચેના જુદા જુદા સમયમાં જેના જુદા જુદા અંશે રચાયા હોવાનું મનાય છે તે બૌદ્ધ ગ્રન્થ “ લલિતવિસ્તર” આખોયે અપભ્રંશમિશ્રિત સંસ્કૃતમાં (કહેવાતી “બૌદ્ધ સંસ્કૃતમાં છે.) સૌથી વધુ નોંધપાત્ર તે એ છે કે “ઉત્તરાધ્યયન' જેવા, પ્રાકૃત સાહિત્યના પણ સૌથી જૂના થરના ગ્રન્થમાં અછર્દિ સં. છત્તિ (વાસ અદ્દે મે ના રૂમે વચ્ચે સિળ વાર્દિ પંડુિં ચ સંનિદ્ધા ૨ સરછર્દિ # ૨૨-૧૬ ) એવું એક વિરલ, સાચું અપભ્રંશ રૂપે મળે છે તે બતાવે છે કે ઘણા પ્રાચીન કાળથી પ્રાકૃતની સાથોસાથ જ અપભ્રંશને પ્રવાહ પણ વહતે આવતું હતું. અને અપભ્રંશના પ્રવાહનું આ સાતત્ય જોતાં કાલિદાસના “વિક્રમોર્વશીય’ નાટકના ચોથા અંકમાંનાં અપભ્રંશ પધોને ક્ષેપક ગણવાનું જે સામાન્ય વલણ વિદ્વાનોમાં ચાલુ રહેલું છે તેને હવે સ્વીકારવું કે કેમ એ પ્રશ્ન થાય છે. વસુદેવ-હિંડી ” અને આર્ષ પ્રાકૃતના બીજા ગ્રન્થની ભાષાનું એક નોંધપાત્ર લક્ષણ તેમાં નજરે પડતી “ત શ્રતિ” છે. આર્ષ પ્રાકતની એક ખાસ વિશેષતા એ છે કે જેમ સાધારણ પ્રાકૃતમાં અનાદિસ્થ અને અસંયુક્ત એવા ૧, ૪, ૨, , , ૮, ૧, ૨, ૨ અને ૫ પામે છે અને તેને બદલે કેટલાક પ્રયોગોમાં “શ્રતિ” થાય છે અને કેટલાક પ્રયોગોમાં ઉદવૃત્ત સ્વર–શેષ સ્વર-કાયમ રહે છે તેમ આ પ્રાકતમાં થતું નથી. તેમાં તે કેટલાક પ્રયોગોમાં તે વ્યંજને કાયમ રહે છે, કેટલાક પ્રયાગોમાં તે તે વ્યંજનોને બદલે કોઈ બીજા જ વ્યંજને સંભળાય છે અને વધારે પ્રયોગોમાં તે બધા વ્યંજનાને બદલે “ત્ત શ્રેતિ' સંભળાય છે.”૨૩ અનાદિમાં રહેલા અસંયુક્ત વ્યંજને પાલીમાં કાયમ રહે છે તેમ આ પ્રાકૃતમાં પણ તેવા અનેક પ્રયોગોમાં સંસ્કૃતવત્ અવિકૃત રહેલા માલૂમ પડે છે. ૨૪ પાલીની જેમ આર્ષ પ્રાકતમાં પણ વ્યંજનોને ઘસારો પ્રમાણમાં ઓછા છે; એ વિષયમાં બનેની સમાનતા છે. પરંતુ ઉપર કહી તેવી “ત શ્રુતિ ”ને પાલીમાં સદંતર અભાવ હોઈ તે આ પ્રાકૃતની એક આગવી વિશિષ્ટતા છે. ' '૨૩. પં. બેચરદાસ દેશીકૃત “ ગુજરાતી ભાષાની ઉત્કાન્તિ, પૃ. ૧૧૦ ૨૪. આ પ્રકારના પ્રયોગો “વસુદેવ-હિં ડી'માં પણ પુષ્કળ છે. તેમાંથી ઉદાહરણ રૂપે થોડાક જોઈએ: વિતરું (૧૯૦-૨૬), ૩વાતો (૨૨૫-૧૪ અને ૨૯), મિતપુ (૨૨૫-૧૩), વઢાવિત (૨૦૫-૧), વરિતો (૨૦૪૨૫), માતો (૩૫૬-૧૬), નિમિતં (૩૫૬-૧૬), મત્તwોવિઝા (૧૨૩-૨), રવાના (૧૨૩-૧૪), ઇત્યાદિ. બાજ વ્યંજનોની તુલનાએ અષ* પ્રાકતમાં તે મેડો ઘસા હોય એમ જણાય છે. તકારપ્રધાન ભાષાની એ અસર હશે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૭. વસુદેવ-હિંડીમાંથી 7 શ્રુતિ નાં કેટલાંક ઉદાહરણો જોઈએઃ વિતાવમોરા (=વિસગોવમોચ, ૮-૨૫), ાિાતિ (ાિ , ૭-૬), પસવસમતો (=વસવસમો, ૧૦-૧૧), સાણયા (= જાળા, ૧૦–૧૩), મનાતો (કમનામો, ૧૦-૧૭), કેદૃાતો (=ટ્ટાબો, ૨૨-૧૬), સાતો (=સામો, ૨૫-૧૬), મજ્ઞાને (=મના, ૩૧-૨), તામચિત્તોનયરી (="નચર, ૧૪–૧૨), ક્રિયાતો (ત્રક્રિયા, ૭૧–૨૪), ગતિચડ્યા (==ä, ૧૯૦-૨૬), વારિા (=વાયKસં. વાવ, ૨૦૨-૨૫), નિરાóવાતો (નિરાઢવાનો ૩૦૯-૭), વિમોતિયો ( વિમોઢ્યો, (સં. વિમોચિતઃ ૧૩૮-૨૮), રાતેા (=ાયરIgM (સં. નાનrોળ, ૨૧૨–૩૧), કુઢિયાતો ( દિયામો, ૨૦૬–૩), સોમસિરી દિયિતો (="હિચમો, ૨૨૫–૧૩), મિrોયતો (=રમાવોચો, ૨૪૩–૭), gવ્યતિતો (=વવો , ૨૯૮–૧૧), ૩વતાસિ (=વચાઉસમો, ૨૦૮-૨), જતો (=Tયો, (સં. : ૨૦૧૬, ૨૦૫–૧૯ અને ૨૩), રાતીર્દિ (=રાદિ, Kસં. રાગમ:, ૨૦૬–૩), ગતિ (Gr૬, ૨૩૧-૨૧, આ સાથે ગડુ રૂપ પણ મળે છે: ૨૩૨-૧૫, ૨૧૮-૧૪), જતિ (=રર રરર–૨૫), ઈત્યાદિ.૨૫ મૂળ વ્યંજનને સ્થાને કવચિત તેથી ભિન્ન એ જુદો જ વ્યંજન સંભળાય છે તેના ઉદાહરણ તરીકે જુઓ–કવાન (=સં. સન ૧૮૮-૩૦), ઇ ડયુ (=સં. વધુ તપુ ૧૩-૩), યદુકુળ (=સં. તુસુવાનિ). જો કે આ છેલ્લા ઉદાહરણને શૌરસેનની અસર પણ ગણી શકાય. મધ્યમ ખંડમાં પણ “ત શ્રુતિવાળા સેંકડો પ્રયોગો છે. સંખ્યા દષ્ટિએ તે પ્રથમ ખંડ કરતાં મધ્યમ ખંડમાં આવા પ્રયોગોનું પ્રમાણ ઘણું વધારે છે. પાલીમાં નથી એવી આ “ત શ્રતિ કયારે, કેમ અને કયાંથી આવી એ એક પ્રશ્ન છે. આ પ્રાકૃતમાં બૌદ્ધ માગધીને મળતા પ્રવાહ ઉપરાંત તેનાથી ભિન્ન એ બીજે કઈ ભાષાપ્રવાહ ભળેલે હોવો જોઈએ, જેમાં આ પ્રકારનું ઉચ્ચારણ હશે. “ નાટ્યશાસ્ત્ર "કાર ભરતે “ તકારબહુલ ભાષા ” વિષે એક સ્થળે કહ્યું છે કે चर्मण्वतीनदीपारे ये चार्बुदसमाश्रिताः । तकारबहुलां नित्यं तेषु भाषां प्रयोजयेत् ॥ (નિર્ણયસાગરનું સંસ્કરણ, અધ્યાય ૧૭, બ્લેક, ૬૨) ૨૫. શ્રી ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલે આવા “ત કૃતિવાળા પ્રયોગને કાં તો હાથપ્રતની કે કાં તો સંપાદનની અશુદ્ધિ તરીકે ગણવાનું વલણ બતાવ્યું હતું ( જુઓ “બુદ્ધિપ્રકાશ, જાન્યુ-ફેબ્રુ. ૧૯૩૨ માં તેમને લેખ વસુદેવ-હિંડીનું અવલોકન”). પણ જૈન સૂત્રો ઉપરની ચૂર્ણિમાં તથા જૂની ટીકાઓમાં “ત શ્રુતિ” બહોળા પ્રમાણમાં જોવામાં આવે છે; છેદસૂત્રો ઉપરના ભાગે આદિમાં પણ તે નજરે પડે છે તેમજ સૂત્રગ્રન્થની જૂની હાથપ્રતમાં પણ વિદ્યમાન છે, એટલે એવા પ્રયોગોને અશુદ્ધ ગણવા એ અર્થ વગરનું છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રાગે જોઈએ: પ્રયાતો ( થાય, વ્યવહાર ભાષ્ય, પૃ. ૩૩), ચૂંટાતો (=વૂઢાગો, નંદીચૂર્ણિ, પૃ. ૪૯), તાતો (=સ્તાયો, આવશ્યકચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૩૦૧), ifળતામો (કાળિયારો, એજ), તૃતિયા (=વશ્વરૂયા, એજ), વાળિયતો (વાળિયો, એજ), અતિચાતો (=ાગો, એજ), રાતો (વારો, એજ), મરિયવ્યતા (=મવિત્રયાણ, એજ), અતીતો (=રો, એજ), પરમાર્તિ (=૧૩મારું, એજ, પૃ. ૨૮૩), મતો (=fgો સં. મઃિ એજ, પૃ. ૨૮૩), સતં (=સયં, એજ, પૃ. ૧૮૮), રતન (=રયદુરા, એજ, પૃ. ૨૦૪), ઇત્યાદિ. જ્યાં મૂળમાં ત હોય ત્યાં તેને સ્થાને કોઈ બીજો જ વ્યંજન આવે એમ પણ બને છે, દા. ત. યોવાઇf ( સં. મનનીf>ગોરાળા). અહીં તો આ લખતી વખતે જે ગ્રન્થ હાથ આવ્યો તેમાંના જ શેડાં ઉદાહરણ નેધ્યાં છે; બાકી આવા પ્રયોગો આગમસાહિત્યમાં સર્વત્ર વ્યાપક છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ક અર્થાત જે લેકે ચમવતી નદીની પેલી પાર રહેનારા છે અને જેઓ અબ્દની પાસે રહેનારા છે તેઓમાં “ તકારબલ ભાષા ને પ્રયોગ કરવો. પ્રાચીન ભારતમાં “ Hકાર બહુલ ” ઉચ્ચારણનું અસ્તિત્વ અને અમુક લોકોમાં તેને પ્રચાર એ તે આ ઉપરથી સિદ્ધ થાય છે, પરંતુ આષ પ્રાકૃતમાંની “ત કૃતિ 'ને સંબંધ તેની સાથે જોડનારી કડીઓ હજી અંધારામાં જ છે. પ્રાચીન વૈયાકરણએ આપેલા નિયમો અનુસાર પૈશાચી પ્રાકૃતનાં ગણી શકાય એવાં કેટલાંક રૂપે વસુદેવ-હિંડી'માં છે. વિ (સં. 1) વરરુચિના “ પ્રાકૃતપ્રકાશ ' (૧૦-૪) અનુસાર પૈશાચીનું રૂપ છે, પણ આચાર્ય હેમચન્દ્ર (૮-૨-૧૮૨) તેને મહારાષ્ટ્ર પ્રાકૃતનું ગયું છે. “વસુદેવ-હિંડીમાં તે બે વાર પ્રયોજાયેલ છેઃ છું વિવ વિતિ (૭૯–૧૪), પરમસર પિવ અગ્ઝિ (૩૨૭–૨૭). વરરુચિ (૧૦-૩) તથા હેમચન્દ્ર (૮-૪-૩૨૫) પ્રમાણે, પૈશાચીમાં દરેક વર્ગના ત્રીજા અને ચોથા વ્યંજનને સ્થાને અનુક્રમે પહેલા અને બીજો વ્યંજન આવે છે. આ પ્રકારના સંખ્યાબંધ પ્રાગે “વસુદેવ–હિંડીમાં છે. નતીતે (સં. નાના:, ૧૮૬-૧૬), ટ્રિોતિમો (=સં. બ્રિગદ્વિતઃ, ૧૯૪–૨૩), પતિવીĖિ (=સં. વીથિં, ૧૮-૬), ગિળવચળવિસારતો (સં. વિરાર, ૨૫-૬), નતીf (સં. નથી , ૪૪-૯), સાસુરસ (સં. સ્વાદુરસ, ૧૫–૮). વળી જુઓ ૧૪૧-૩૦, ગતિ (સં. ચઢિ) વિરં વિનાશે; ૨૨૬–૭, તેમાં મે નિરાહારોસેળ કપુત્રયાણ મારો મતો (સં. મર:); ૩૦૯-૬, તેમાં મુો ઘામિ હૃર્ત (=સં. દૂ > વિશ્લેષથી ટૂર) ; ૨૨૧–૩, ગુરુ-હવ-ગોવૂળ-વિમવંત હિતા (સં. દૂ°) રાયTI માયા; ૨૧૮-૪, બળતોવાળ (સં. ધનોપમાનં) vસમિ પુરવાં. ૨૬ આવાં ઉદાહરણે મધ્યમ ખંડમાં પણ પુષ્કળ છે. માત્ર નમૂના દાખલ તેમાંથી ત્રણ–ચાર પ્રયોગ અહીં આપું છું: પાતાળ (=સં. :) તે ઘનવટામિ, મમ હૃપૂસિતતિય (સં. દુલ્ય રિસા; દંપતા દુ માં કમ્પાત (=સં. સન્માઢ) કિસાઈ; પાતતામરસ (=સં. પાતામરસ), ઇત્યાદિ. અલબત્ત, ‘ત શ્રુતિને આશ્રય લઈ આ પ્રયોગોનું બીજી રીતે નિર્વચન થઈ શકે ખરું. જેમકે– નવી ઉપરથી ઢ ત થઈ સીધેસીધે નતી વ્યુત્પન્ન થયો હોય, અથવા નક્>ન થયા પછી તેમાં તને પ્રક્ષેપ થયું હોય. આવાં ઉદાહરણ મોટે ભાગે ત વર્ગનાં મળે છે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. ગમે તેમ પણ પ્રાચીન વૈયાકરણના મતને અનુસરીને ઉપર ટાંક્યા છે તેવા પ્રયોગોને પૈશાચી પ્રાકતના ગણીએ, તો જે પૈશાચી “બહત્કથા’ની રચનાપદ્ધતિને “વસુદેવ-હિંડી’ની રચનાપદ્ધતિમાં સમાશ્રય કરવામાં આવ્યું છે તેની ભાષાની કેટલીક અસરો પણ “વસુદેવ-હિંડી ” ઉપર થઈ હશે એમ માની શકાય. અન્યથા તેમને સમાવેશ “ત શ્રુતિ'માં કરવો પડશે. વસુદેવ-હિંડી” માં એવા પણ કેટલાક શબ્દપ્રયોગ છે, જેમની નેધ હેમચન્દ્રની “દેશીનામ ૨૬. આ પ્રકારના પ્રાગે ચૂણિએમાં પણ મળે છે. જુઓને ય કોવિ સારા (=સં. મનકારી) રિવાળે સમg gવો ચિંતેતિ (આવશ્યકચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૧૯૦), સાદુ atતતો (=સં. રાતિઃ ) વિસ વા રવાફત (એજ, પૃ. ૯૬), IT U સામરં (=સ. સામ7) જૂચવવારૂત્તા ધાવિત (એજ, પૃ. ૨૦૫), gવમાતીર્દિ (=સં. શારીમિ:) #ારનેહિં (એજ, પૃ. ૨૯૦), વિટિતિલ (સં. દછિયાવહ્ય) વા (નન્દીચૂર્ણિ, પૃ. ૪૯), ઇત્યાદિ. Page #34 -------------------------------------------------------------------------- ________________ २९ માલા ' માં નથી તેમજ પ્રાકૃત કાશકારાએ પણ જે નેાંધ્યા નથી. ‘ક્રોસ રેફરન્સ ’ના અભાવે એ પૈકી કેટલાક શબ્દોના અથ નક્કી કરવાનું મુશ્કેલ થઇ પડે છે એ પણ તેમની વિરલતાને એક પુરાવા છે. એવા શબ્દોનું એક તારણુ હું અહીં આપું છું: ચમ્મદ્િ (પ્રતારણા, નજર ચુકાવવી તે, ૫૦–૧૮), Vમ૪ ( અવમન કરવું તે; મા દૃષિળા ચઢિિિદત્તિ, ૯૮-૨૭ ),૨૭ વત્તજિયાસળ ( ચેપડે ? ૧૦૨–૧ ), લારા ( અથ અસ્પષ્ટ છે, ૧૨૩-૧૪, ૧૫ અને ૧૬ ), મંડુ ( થેલી; ચમ્મચળમજુરી, ૧૩૮–૧૯ ), પત્તિસિરા ( કનાત, ૬૪–૧૧, ૧૪૮-૩), ળિયારી ( માવત, ૨૦૨-૧), ઢિળ— ટિળ ( તાપસનું એક ઉપકરણ-પાત્ર, ૨૧૬-૧૭ અને ૩૨, ૨૩૭-૧૨), ૨૮ દિયતિો ( ધાડા પલાણ્યા, જીએ સો મળ્યા પરંતુળ માલો વિવ દિતિો, ૨૨૯-૧૯ )૨૯ આપણે જોયુ કે ‘ વસુદેવ-હિંડી 'ની ભાષા અનેક દૃષ્ટિએ અભ્યસનીય છે. એમાંનાં રૂપે પાલી અને આર્ષ પ્રાકૃતના સબંધ ઉપર નવા જ પ્રકાશ પાડે છે. સાધારણ જૈન મહારાષ્ટ્રીને મુકાબલે સૂત્રગ્રન્થાની ભાષા ( જેને આપણે સરલતાની ખાતર અર્ધમાગધી કહીએ છીએ) સાથેનુ કેટલુંક લાક્ષણિક સામ્ય તે રજુ કરતી હાઇ આપણુને એવા સમયમાં લઇ જાય છે, જ્યારે જૈન મહારાષ્ટ્રીને પોતાનુ આગવું ભાષાકીય અને સાહિત્યિક વ્યક્તિત્વ પ્રાપ્ત થયાંને કદાચ લાંબે કાળ નહીં વીત્યા હોય. પીશલે જેમની મુલૢ નોંધ કરી નથી અથવા જેમને અ માગધી પૂરતા જ મર્યાદિત ગણ્યા છે, એવા શબ્દ પ્રયોગા અને રૂપોની એક લાંખી યાદી ‘ વસુદેવ-હિંડી ' માંથી તૈયાર થઇ શકે એમ છે.૩૦ એવા ૨૭. હેમચન્દ્રે પ્રાકૃત વ્યાકરણ( ૪-૧૧૦ )માં આ ક્રિયાપદ માત્ર · ભાજન કરવા' ના અર્થમાં નોંધ્યુ છે. જો કે ‘ અવમન કરવા ' ના અર્થ ખીજા પ્રાકૃત ગ્રન્થેામાંના પ્રયાગામાં છે ખરે ( જીએ ૫. હરગોવિન્દદાસકૃત ‘ પાઇઅસદ્-મહુવા ' ). * ૨૮. પ્રાકૃત કાશામાં આ શબ્દ નથી, પણ મહાભારત”, ‘ધ્રુવંશ ’ આદિમાં તાપસના પાત્ર’ ના અર્થાંમાં ઝિન વપરાયેલ છે. તુઓ-કિર્તાને સમાવાય ચીરાગનગટાધરાઃ । મય: વધૈર્યુત્તીર્થાન્યપરસ્તુતઃ ॥ ( મહાભારત, કુભકામની આવૃત્તિ, વનપર્વ, અધ્યાય ૧, શ્લાક ૨૮ ) આ શબ્દ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં લેવાયા હાય એમ બનવુ' અસંભિવત નથી. ૨૯. હેમચન્દ્રે દેશી નામમાલા 'માં (૪-૯) હિલની શબ્દ ‘સ્થૂણા’ એ અર્થાંમાં આપ્યા છે. ‘ વસુદેવહિ'ડી માંને રિયતિો કણ ભૂતકૃદન્તનુ રૂપ છે, અને સન્દર્ભ જોતાં, તેને અહેમચન્દ્રે નાંધેલા શબ્દના અર્થથી ભિન્ન છે. ૩૦. આ ગ્રન્થમાંથી એક મહત્વના પ્રયાગ અહીં રજુ કરું' છુંઃ પોષળસચળ (=સ. શોમનવગન, ૩૬૫-૩૦). અહીં મ ના ધ થયેલા છે. પ્રાકૃત ભાષામાં યથા ગદા-નધા, તથા >જ્જા-તા ( હેમચન્દ્ર ૮-૪-૨૬૦) એવાં રૂપે મળે છે. આ ગ્રન્થમાં પણ ના મળધ ( ૮ પાલી મથ, ૧૭-૨૯), સંવર૪ ( ૩૦૮–૨૫), શાષ ( સ. પ્રનાથ, ૩૪૬-૩૦) જેવા પ્રયાગ છે. મારું અનુમાન છે કે નટ્ટાના જેવાં રૂપાના સાદશ્યથી શોમન સોર્ળસોધળ એમ બન્યુ હોય; અથવા સંસ્કૃત મેં ને પ્રાકૃતમાં હૈં બને છે તે કારણે એક પ્રકારની અન્યથાખુદ્ધિથી સોદ્દળનુ' ઉલટા ક્રમે સોધળ બન્યુ હોય. આ કાટિમાં મૂકી શકીએ એવા પ્રયાગે એમાં સખ્યાબંધ મળે છે. ઉદાહરણ તરીકે ‘ આવશ્યકણિ ’ (ઉત્તરભાગ, પૃ. ૨૮૦–૨૦૧)માં નષવાળ ( <નાળ <સ. નમોવાન ) છે. એજ ગ્રન્થમાં ઉત્તરભાગ, પૃ. ૯૬ ) અધિળા (<સ. દિના ) જેવું રૂપ છે. કેટલેક સ્થળે વેર્દૂિ ને બદલે વેધિ જોવા મળે છે. ‘ ભગવતી સૂત્ર' ની એક પ્રાચીન તાડપત્રીય હાથપ્રતમાંથી પૂ. પુણ્યવિજચજી મહારાજને મહાવીરને સ્થાને મધાવીર તથા એજ પ્રકારનાં ખીન્ન સંખ્યાબંધ રૂપે। મળ્યાં છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગોમાંના ઘણાક છેદસૂત્રે ઉપરનાં ભાષ્યમાંથી અને ચૂર્ણિમાંથી પણ પ્રાપ્ત થતા હોઈ “વસુદેવહિંડી ” માં પ્રયોજાઈ છે તેવી આર્ષ જૈન મહારાષ્ટ્રની એક સતત પરંપરા ઐતિહાસિક દષ્ટિએ ખડી કરવામાં સહાયભૂત થાય છે. “વસુદેવ-હિંડ' માંના સંખ્યાબંધ આર્ષ પ્રયોગો અને રસપ્રદ લાક્ષણિકતાઓ પ્રાકૃત વિષેના આપણુ જ્ઞાનમાં ગણનાપાત્ર ઉમેરો કરે છે, એટલું જ નહીં પણ પ્રાકૃત વ્યાકરણ અને ભાષાકીય ઈતિહાસના કેટલાય અંધકારમય પ્રદેશ ઉપર નો પ્રકાશ ફેકે છે. આચાર્ય ધર્મસેનગણિ મહત્તકૃત “વસુદેવ-હિંડી'ના મધ્યમ ખંડનું સંપાદન અને પ્રકાશન પણ આ રીતે અનેક દૃષ્ટિએ આવકારપાત્ર થઈ પડશે.૩૧ વસુદેવ-હિંડી માંથી પ્રાપ્ત થતી સામાજિક-સાંસ્કૃતિક માહિતી વસુદેવ-હિંડી” એ કથાનુયોગનો ગ્રન્થ હાઈ સ્વાભાવિક રીતે જ તેમાંની કથાઓમાં સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ એવા સંખ્યાબંધ ઉલ્લેખ મળી આવે છે. એમાંના કેટલાક ઉલેખ તદ્દન નવી જ હકીકતે રજુ કરતા હોઈ ઘણા મહત્તવના છે, જ્યારે બાકીના ઉલ્લેખો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અભ્યાસ માટે સારી એવી પૂરક માહિતી પૂરી પાડે છે. આવી માહિતીને સંકલિત સ્વરૂપમાં બનતા સંક્ષેપમાં અહીં રજુ કરવાનો પ્રયાસ કર્યો છે. સૌ પહેલાં સામાજિક પરિસ્થિતિને લગતા ઉલેખો લઈએ. સિક્કાઓમાં “પણ” (૧૯) ૨ અને “કાપણુ” (૬૯, ૩૫૦) નામના સિક્કાઓના ઉલ્લેખ મળે છે. લેવડદેવડની અનુકૂળતા માટે પરચુરણ તરીકે તેમનો ઉપયોગ થતો (પૃ. ૧૯). “દીનાર’ નામના મોટા સિકકાઓ પણ હતા (પર, ૩૭૮ ). આ સિક્કાઓ સેનાના હતા. મેટા ચલણી સિક્કાને માટે “ દીનાર ' શબ્દ મુસ્લીમ રાજયઅમલ પછી પ્રચારમાં આવ્યું હતું એ કેટલાક વિદ્વાનોને મત છે. પણ તે બરાબર નથી. સંસ્કૃત સાહિત્યમાં તેમજ જૈન સૂત્રની પ્રાકૃત ચૂર્ણિ અને સંસ્કૃત ટીકાઓમાં દીનાર ' સેંકડો વાર વપરાયેલું છે. દીનાર એ મન મૂળને શબ્દ છે અને લૅટિને Denarius ઉપરથી ઊતરી આવેલ છે. રોમ અને હિન્દના વ્યાપારી અને આર્થિક સંપર્કને પરિણામે ઈસવી સનની પહેલી અથવા બીજી સદીના અરસામાં ભારતમાં તે વપરા શરૂ થયું હોવાની માન્યતા છે. વિવિધ પ્રકારનાં વસ્ત્રોને લગતા પણ સંખ્યાબંધ ઉલ્લેખ મળે છે. તેમાં પીઠીથી રંગેલાં ચીનાઈ વસ્ત્રો (૧૦૪), શુભ્ર, સૂક્ષ્મ અને ધવલ “ હંસલક્ષણ’ વસ્ત્ર (૨૩૩, ૨૮૩, ૪૫૮), ઈન્દ્રધ્વજ ઉપર વીંટાળવા માટે “ પલાશપટ' નામે વસ્ત્ર (૨૪૩), તળાઈ ઉપરના છાડ માટે “પદ્રવૂલિકા” નામે વસ્ત્ર (૨૯૯), તથા દુકૂલ, ચીનાંશુક, કૌશય તથા કસવર્ધન (?) આદિ વસ્ત્રો( ૨૮૩)નાં આ સાથે સરખાવી શકાય એવા બે પ્રયોગ “વસુદેવ-હિંડી ” મધ્યમ ખંડમાથી પણ પ્રાપ્ત થાય છે : મfમા ( =મદિન (સં. મદિષ) અને સંનમિતું ( =સંનહિ (સં. સંનર્દૂ ) સંસ્કૃત મ ને (અથવા ગમે તે મહાપ્રાણ સ્પર્શ વ્ય જનને ) પ્રાકૃતમાં ૮ બને છે, તેથી અહીં પણ ઉપર કહ્યું તેમ અન્યથાબુદ્ધિને પરિણામે પ્રાકૃત ને સ્થાને પાછો મ પ્રયોજાયો હોય. આ રીતે અત્યારે મળતા આ છૂટાછવાયા પ્રયોગો કદાચ એક કાળે પ્રાકૃતમાં પ્રમાણમાં વધુ વ્યાપક રીતે પ્રવર્તમાન પરિસ્થિતિનું સૂચન કરે છે એમ કહેવું વધારે પડતું નથી. ૩૧. “વસુદેવ-હિંડી” ની ભાષા વિષેનું આ વિવરણ લખવામાં Bulletin of the School of Oriental Studies, Vol. VIII માં પ્રસિદ્ધ થયેલા . આલ્સડેફના લેખમાંથી કેટલીક વિશિષ્ટ સહાય પ્રાપ્ત થઇ છે, એ હકીક્તની હું સાભાર નેંધ લઉં છું. ૩૨. આ તથા હવે પછી કૌંસમાં મૂકેલા અંકવડે આ અનુવાદનાં પાનાને અંક સમજવાને છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ३१ નામ મળે છે. શહેરની બજારમાં વેચાતાં વિવિધ દ્રબ્યાનું ટૂંકું પણુ રસિક વર્ણન પણ એક સ્થળે મળે છે (૨૮૩-૮૪). * * વેપારીએ જુદા જુદા પ્રકારનેા માલ ભરીને સમુદ્રમાર્ગે દેશપરદેશ ફરતા. સમુદ્રગમન કરતાં પહેલાં રાજ્યશાસનને પટ્ટક લેવામાં આવતા અને પવન તથા શકુન અનુકૂળ હોય ત્યારે ધૂપદીપ કરીને વહાણુ ચલાવવામાં આવતું ( ૧૮૮-૮૯ ). આ રીતે ચીન, સુવર્ણભૂમિ ( સુમાત્રા ), યવી ( જાવા ), સિંહલ, ખર તથા યવન દેશ સાથે વેપાર ચાલતો હાવાના ઉલ્લેખ મળે છે ( ૧૮૯ ). આ સિવાય જમીન માગે પણ અનેક વિકટ ધાંટીએ વટાવીને છુ, ખસ અને ચીનભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતા ( ૧૯૧ ). ટંકણુ દેશ અને ત્યાંની ટંકણુ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયની રીતનું સૂચન પણુ આમાંથી મળે છે. જુઓઃ વેત્રલતાએ વડે વિકટ એવા પર્વતનાં શિખરોમાં શેાધ કરતા અમે રસ્તા ઉપર પહાંચ્યા અને ઢાંકણુ દેશમાં પહોંચ્યા. ત્યાં અમે એક પહાડી નદીના કિનારા ઉપર રહ્યા અને સીમાડા ઉપર સાથે મુકામ કર્યા. ભામિયાની સૂચનાથી નદીના કિનારે જુદો જુદો માલ મૂકવામાં આવ્યા, એક કાઇરાશિ સળગાવ્યે અને અમે એકાન્તમાં ચાલ્યા ગયા. ધુમાડા સહિત અગ્નિને જોઇને ટાંકણુ લેકા આવ્યા, માલ લીધે અને તેમણે પણ ધુમાડે કર્યાં. પછી ભોમિયાના કહેવાથી તે પોતાના સ્થાને ગયા. તેમણે બાંધેલાં બકરાં અને મૂકેલાં ફળ સાર્થના માણસાએ લીધાં (૧૯૨ ). ટંકણુ લેકૈા સાથેના માલના વિનિમયનાં વર્ણન અન્યત્ર જૈન સૂત્રાની ટીકાએકમાં મળે છે. ટંકણુ નામની પહાડી પ્રજા વિષેના ઉલ્લેખે। મહાભારતાદિમાં પણ છે. યવન દેશના, અને યવન પ્રજા–શ્રીકા સાથે સંપર્કના વધુ ઉલ્લેખેા મળે છે. કૌશાંખીના રાજદરખરમાં યવન દેશમાંથી આવેલા તે પ્રધાનપુત્રને થયેલા કાઢને ઉપાય બતાવ્યેા હતેા ( ૪૭ ). જૈન કથાઓમાં અદ્ભુત કલાધર તરીકે જે પ્રસિદ્ધ છે તે કાક્કાસ યવન દેશમાં જઈને તે દેશના સાવાહ અને વહાણવટીઓના એક સુતાર પાસેથી ઊડતાં યંત્ર બનાવવાની કળા શીખી લાબ્યા હતા, અને પછી પોતાના દેશમાં આવી. તેણે ઊડતાં પારેવાં તથા આકાશગામી યંત્રા તૈયાર કર્યાં હતાં ( ૭૫-૭૬ ). આકાશગામી યંત્રાને લગતા બીજા સ ંખ્યાબંધ રસપ્રદ ઉલ્લેખા શિલ્પશાસ્ત્રના ગ્રન્થામાંથી તેમજ પાલી, પ્રાકૃત અને સ`સ્કૃત સાહિત્યમાંથી મળે છે; તે માટે એ મારા લેખ · પ્રાચીન ભારતમાં વિમાન ’ (" · ઇતિહાસની કેડી ', પૃ. ૨૬૨-૬૬ ). અમુક પ્રસગાએ રાજાની આજ્ઞાથી શહેરના લેાકેારા હેરની બહાર નગર ઉજાણીએ જતા (૫૬). વૈશ્યા અને ક્ષત્રિયામાં કન્યાશુલ્ક લેવામાં આવતુ (૬૧ ). કેટલાંક રાજકુટુંખામાં પણ કન્યાશુક લેવાના રિવાજ હતા ( ૩૦૯, ૩૭૩ ). ક્ષત્રિયામાં મામાની દીકરી સાથે લગ્ન થતાં (૧૨૪–૨૫, ૧૮૦, ૩૮૯ ). વિષ્ણુકા (૧૮૧-૮૨ ) અને બ્રાહ્મણામાં ( ૧૪૫ ) પણ આ રિવાજ હોવાનો ઉલ્લેખ મળે છે. સ્ત્રી પોતાની સાસુને ‘ ફોઇ ' કહીને ખેાલાવતી હોવાની પ્રથાનું સૂચન આ સંબંધમાં ખાસ નોંધપાત્ર છે ( ૧૮૨ ). કાઠિયાવાડના કાઠીઓમાં સાસુને ‘ ફાઇ ’ કહીને સમેધવાને રિવાજ હજી ચાલુ છે. એક સ્થળે બ્રાહ્મણામાં ફાઇની દીકરી સાથે લગ્ન થતુ હોવાનું સૂચન છે ( ૪૧૪ ). મામા-ફાઇનાં સંતાનેાનાં લગ્ન પ્રાચીનકાળમાં ખાસ કરીને ક્ષત્રિયે। અને વૈશ્યામાં ખૂબ વ્યાપક હતાં, અને આજે પણુ હિન્દમાં જુદે જુદે સ્થળે એ પ્રથાના અવશેષો જોવા મળે છે. વિરહિણી સ્ત્રીએ માથાના વાળ જુદી જુદી વેણી ગૂંથ્યા સિવાય અને સેંથી પાડ્યા વિના એક Page #37 -------------------------------------------------------------------------- ________________ વેણીમાં બાંધી રાખતી (૮૬, ૨૦૦). પતિની ગેરહાજરીમાં સ્ત્રીને માટે કેશસસ્કાર નિષિદ્ધ ગણેલો છે.૩૩ સભાસ્થાનમાં સ્ત્રીએ જનિકાની પાછળ બેસતી ( ૧૬૩, ૧૬૯). કેટલાક દાખલાઓમાં ‘ મૃચ્છકટિક ’ની વસતસેનાની જેમ કાપુત્રો પણ કુલવધૂ ખતી શકતી (૨૩, ૧૩૬). ગણિકા ઉપર રાજાને અધિકાર ગણાતા. રાજા કાઇ મનુષ્યને ગણિકાનું દાન આપી શકતા (૩૩૮). રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટે ગણિકાને નિષ્ય આપવા પડતા (૨૦૦). આ પ્રકારના ધારાઓનું વિગતથી વર્ણન આપણને કૌટલીય ‘· અર્થાંશાસ્ત્ર ’ આદિ ગ્રન્થામાંથી મળે છે. ચાંડાલે વીણા વેચવાને ધંધા કરતા (૧૨૪). ઇન્દ્રમહાત્સવ એ એક સુપ્રચલિત ઉત્સવ હતા. ઇન્દ્રષ્ટિના પણ નિર્દેશ મળે છે (૨૮૭). · દોરી તૂટેલા ઇન્દ્રધ્વજની જેમ જમીન ઉપર પડ્યો ' (૩૨૧) એ ઉપમા પણ સૂચક છે. કૌમુદી-ચાતુસિકા મહેાત્સવ (૧૭૨) અને ક°ટ-દેવતા નિમિત્તે ધરમાં થતા ઉત્સવને (૪૧) પણ ઉલ્લેખ છે. અધિરાજાએ વવમાની કરતા, જ્યારે રાજદરબારમાં ધર્મોપદેશક-ધર્માધિકારી રહેતા (૨૨૧). બધા માંડલિક રાજાએ હાજર રહેતા (૨૨૫). જેમના ઉપર અન્યાય ગુજર્યા હાય ઍવા અનાથા માટે ફરિયાદ કરવાનું સ્થળ અનાથસ્તંભ નામથી ઓળખાતુ (૩૫૩). ફરિયાદીનું લેખિત નિવેદન એ કાળમાં પણ લેવામાં આવતુ (૩૩૦). એક સ્થળે તુલાદિત્યથી અપરાધનો નિર્ણય કરવાના ઉલ્લેખ છે (૩૮૫), પણ તેની વિગતે પૂરતી સ્પષ્ટ નથી. કારણિકન્યાયાધીશને પણ ઉલ્લેખ છે (૩૮૫). અપરાધની તપાસ માટે ચારપુરુષો-ગુપ્તચરાના નિર્દેશ પણ વારવાર આવે છે. અનાથેાને માટે આશ્રયસ્થાન–અનાથશાળા બંધાવવાના રિવાજ હતા (૪૮૦). રાજકન્યાના સ્વયંવર થતા, તેમાં એકત્ર થયેલા રાજાના પરિચય કન્યાને લેખિકા કરાવતી (૪૭૬). આ કા પ્રતિહારી કરતી હોવાનો ઉલ્લેખ પણ સરકૃત સાહિત્યમાં છે ( રઘુવંશ, ૬-ર૦ ). જમ્યા પછી હાથ-માંની ચીકાશ ચણાના લોટથી સાક્ કરવામાં આવતી (૨૮૪). વિકટ પદ્માડી માર્ગ ચઢતી વખતે હાથે પરસેવે વળવાથી લપસી ન પડાય તે માટે હાથે તુંબનું ચૂર્ણ મસળવાને ઉલ્લેખ છે, જેથી ક્ષતાને કારણે હાથને પકડવાના આધાર રહે (૧૯૨). છૂત રમવા માટેના જુદાં સ્થાને હતાં. આ દ્યૂતશાળાને અધિપતિ પુરુષ ત્યાં રહેતા (૩૨૩). ત્યાં અમાત્યે, શ્રેષ્ઠીઓ, સાÖવાડા, પુરોહિત, નગરરક્ષકા અને દંડનાયકા જેવા માટા માણસા દ્યૂત રમતા (૨૭૩, ૩૨૨). · મૃચ્છકટિક'ના વર્ણન અનુસાર, દ્યૂતાગારના અધ્યક્ષ દ્યૂત રમનારની જીતમાંથી અમુક ભાગ પડાવતા. મસાણુમાં એક સ્તંભ રાખવામાં આવતા. વસુદેવે પોતાને ક્ષમાપના—લેખ એવા સ્તંભ ઉપર બાંધ્યા હતા (૧૫૩). સ્મશાનમાં સ્તંભ રાખવાની સૂચકતા આ ગ્રન્થમાંના ઉલ્લેખ ઉપરથી સમજાતી નથી, પણ આવતા જતા લાકા સહેલાઇથી સ્મશાનનું સ્થળ જાણી શકે તે માટે કદાચ એ રાખેલ હશે. ૩૩, જીએ—વસને વરિધૂસરે વસાના નિયમક્ષામમુલી ધૃતૈવેળિ: अतिनिष्करुणस्य शुद्धशीला मम दीर्घ विरहब्रतं बिभर्त्ति ॥ —શકુન્તલા, અર્ક છ Page #38 -------------------------------------------------------------------------- ________________ રમશાનમાં મુડદું બાળતી વખતે બાજુમાં અળતે મૂકવાનો ઉલ્લેખ છે (૧૫૩). માત્ર સ્ત્રીના મૃતકની બાજુમાં જ અળતા મુકાતો હોવાનો સંભવ વધારે છે. ચોરો અને ધૂર્તો કેટલીક વાર પરિવ્રાજકના વેશમાં ફરતા અને લોકોને ફસાવતા (૪૮-૪૯, પરપ૩). દુષ્ટ પુરુષો અને ચરોનાં આશ્રયસ્થાનમાં પાનાગાર–મધની દુકાન, ધૂતશાલા, કંદોઈની દુકાન, પરિવ્રાજકના મઠે, દાસીગૃહો, સભા, ઉદ્યાન, શૂન્ય દેવકુલ, વિહાર વગેરે ગણાવ્યાં છે (૪૮). વિષમ જંગલ અને પહાડી પ્રદેશમાં આવેલી ચોર૫લીઓ-ચેરનાં ગામના પણ સંખ્યાબંધ નિર્દેશ છે. ચોરીનાં સાધનોમાં ખાતર પાડવા માટેના આરાવાળા હથિયાર નારણ )ને તથા ચર્મવસ્ત્ર અને યોગવર્તીનો ઉલ્લેખ છે (૪૯, ૧૯૧). ગુપ્ત રાખી શકાય એવા ચોર દીવાને- દીપસમુદ્ગક”ને પણ ઉલ્લેખ છે. એ સમુદગક-દાબડો ઉઘાડીને દી બહાર કાઢી શકાતે અને પાછો અંદર મૂકી શકાતે (૫૮-૫૯). શ્રીવત્સના આકારના ખાતરનો નિર્દેશ એક સ્થળે કરે છે (૪૯).૩૪ ૩૪ પ્રાચીન ભારતમાં ચોરીનું પણ એક શાસ્ત્ર બન્યું હતું અને ચેરના પણ અધિષ્ઠાયક દેવ હતા એમ સંસ્કૃત સાહિત્યમાં મળતા ઉલ્લેખ ઉપરથી જણાય છે. “દશકુમારચરિત’માં ચેરીનાં ઉપકરણનું એક નાનું પણ ઝીણવટભર્યું વર્ણન છે. એમાં એક ચેર પોતાના કાર્ય માટે કાળી રાત્રિએ અંધારપછેડે એટી નીકળે છે. સાથે તીક્ષ્ણ તલવાર, ખેરવા માટે સર્ષની ફેણ જેવું હથિયાર, સિટી, સાણસી, ઘરનાં માણસે ઊઠે છે કે જાગે છે તે જાણવા માટે બનાવટી મસ્તક, ગચૂર્ણ (ત્રણમુક્તિ આપે એવું ચૂર્ણ ), યોગવર્તિકા, ખાતર પાડવા માટે માપવાની દેરી, ઉપર ચઢવા માટે હુક અને દોરડું, દીપભાજન-ચેરદી અને બળતે દી હેલવી નાખવા માટે પતંગિયાંની દાબડી –એટલાં સાધને લઈ જાય છે. “મૃચ્છકટિક’માં તે એને “સ્કન્દપુત્રો” અર્થાત કાત્તિકેયના પુત્ર તરીકે વર્ણવ્યા છે. કેવા પ્રકારની ઈંટનું મકાન હોય ત્યાં ખાતર કેવી રીતે પાડવું તે પણ એમાં—અલબત્ત, ભગવાન કાત્તિકેયના ઉપદેશ તરીકે-સૂચવ્યું છે. ખાતરોની જુદા જુદા પ્રકારની આકૃતિ પણ તેમાં વર્ણવી છે એટલું જ નહીં પણ પિતે પાડેલા ખાતરની કલાત્મક આકૃતિ જોઈને સવારમાં લોકો વિસ્મય પામી જશે એવો પણ વિચાર એમાંને ચેર શર્વિલક કરે છે. વસુદેવ-હિંડી”મને ચેર જેમ શ્રીવત્સના આકારનું ખાતર પાડે છે તેમ “મૃચ્છકટિકને શર્વિલક પૂર્ણકુંભની આકૃતિનું ખાતર પાડે છે. ‘દાકુમારચરિત’ તેમજ ‘મૃચ્છકટિક એ બન્નેનાં ઉદ્ધરણે અહીં આપું છું— (१) तन्मुखेन च सारतः कर्मतः शीलतश्च सकलमेव नगरमवधार्य धूर्जटिकण्ठकल्माषकालतमे तमसि नीलनिवसना?रुकपरिहितो बद्धतीक्ष्णकौक्षयकः फणिमुख-काकली-संदंशक-पुरुषशीर्षक-योगचूर्ण-योगवर्तिकामानसूत्र-कर्कटक-रज्जु-दीपभाजन-भ्रमरकरण्डकप्रभृत्यनेकोपकरणयुक्तो गत्वा कस्यचिल्लुब्धेश्वरस्य गृहे सन्धिं छित्त्वा पटभाससूक्ष्मच्छिद्रालक्षितान्तर्गृहप्रवृत्तिरव्यथो निजगृहमिवानुप्रविश्य नीवीं सारमहतीमादाय निरगाम् ।દેશકુમારચરિત, ઉશ્વાસ ૨. (૨) શર્વિઢવા–xxx (મિત્તિ પરાય) નિત્યાહિત્યનોરને હૃત્તેિયં મૂઃ લાક્ષીળા मषिकोत्करश्चेह । हन्त, सिद्धोऽयमर्थः । प्रथममेतत्स्कन्दपुत्राणां सिद्धिलक्षणम् । अत्र कर्मप्रारम्भे कीदृशमिदानीं संधिमुत्पादयामि । इह खलु भगवता कनकशक्तिना चतुर्विधः सन्ध्युपायो दर्शितः । तद्यथा-पक्वेष्टकानामाकर्षणम्, आमेष्टकानां छेदनम् , पिण्डमयानां सेचनम् , काष्ठमयानां पाटनमिति । तदत्र पक्वेष्टक इष्टिकाकर्षणम् । तत्र पद्मव्याकोशं भास्कर बालचन्द्र वापी विस्तीर्ण स्वस्तिकं पूर्णकुम्भम् । तत्कस्मिन् देशे दर्शयाम्यात्मशिल्पं दष्ट्वा श्वो यं यद्विस्मयं यान्ति पौराः ।। तदत्र पक्वष्टके पूर्णकुम्भ एव शोभते। तदुत्पाटयामि । Page #39 -------------------------------------------------------------------------- ________________ ३४ ગણિકાને ત્યાં, સભામાં અથવા બીજા કોઇ સ્થળે એકત્ર થતી વિદગ્ધ યુવાનોની મ`ડળી ગેષ્ઠિ અથવા લલિત ગોષ્ટિ નામથી એળખાતી ( ૩૪, ૭ ). એ યુવાનેા કાવ્ય અને કલાના વિનેદમાં પોતાના સમય ગાળતા. અમુક સમયે ગાર્ક્ટિકા પેાતાની પત્નીએ સાથે ઉદ્યાનયાત્રાએ જતા અને આખા દિવસ આનંદિવનેદમાં ગાળી સાંજે પાછા આવતા ( ૭૧-૭૨ ). કેટલીક વાર રાજકુમારોની આસપાસ પણ ગોષ્ઠિ એકત્ર થતી (૭૦-૮૧ ). ગાકિના અમુક નાયકા અથવા આગેવાના રહેતા ( ૩૫, ૭૧ ). રાજા લલિતકળાના વિષયમાં ગેષ્ઠિકાનુ સન્માન કરતા. વસન્તતિલકા ગણિકાના પ્રથમ નૃત્યપ્રદર્શન સમયે રાજાએ પરીક્ષા માટે ગોષ્ઠિકામાંથી એકને બોલાવ્યા હતા ( ૩૫ ). ગણિકાને ત્યાં કૂકડા વગેરે પ્રાણીઓની સાઠેમારી થતી, ત્યાં પણ આવા શોખીનેને મધ્યરથ બનાવવામાં આવતા ( ૩૭૮ ). ગ્રન્થમાં એક સ્થળે એ अन्यासु भित्तिषु मया निशि पाटितासु क्षारक्षतासु विषमासु च कल्पनासु । दृष्ट्वा प्रभातसमये प्रतिवेशिवर्गो दोषाच मे वदति कर्मणि कौशलं च ॥ नमो वरदाय कुमारकार्त्तिकेयाय नमः कनकशक्तये ब्रह्मण्यदेवाय देवत्रताय, नमो भास्करनन्दिने, नमो योगाचार्याय यस्याहं प्रथमः शिष्यः । तेन च परितुष्टेन योगरोचना मे दत्ता । अनया हि समालब्धं न मां द्रक्ष्यन्ति रक्षिणः । शस्त्रं च पतितं गात्रे रुजं नोत्पादयिष्यति ॥ ( તથા રોતિ । )વિષ્ટમ્ । પ્રમાળસૂત્ર મે વિસ્મૃતમ્ । ( વિધિસ્થ્ય ।) આવું ચોપવીત પ્રમાળસૂત્રં મવિષ્યતિ । x x x —મૃચ્છકટિક, ત્રીજો અક ઉત્તરાધ્યયન સૂત્રની ચર્ણિમાંની એક કથામાં લશાકૃતિ, નધાવઆકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ અને કપિશીષ ક ( કાશીસાં ) આકૃતિના ખાતરનો ઉલ્લેખ છે. એક ચારે પિશીર્ષક આકૃતિનુ ખાતર પાડચુ' હતું, પણ ઘરના માલિકે અંદરથી ચારના પગ ખેંચ્યા અને ચારના સાથીએ બહારથી તેનુ માથુ ખે ંચ્યું. એવી સ્થિતિમાં તે પોતેજ બનાવેલાં કાશીસાંની અણીઓથી વીંધાઇ ગયા. જીએ-મિ નગરે છ્યો ચોરો, તેન મળતો ઘાસ વાળાरकविसीसगं खणित्तुं खत्तं खतं खत्ताणि य अणेगागाराणि - कलसागिती, नंदियावत्तसंट्ठितं (ताणि), पयुमागिति, पुरिसा किति वा, सोय तं कविसीसगसंठितं खतं खणतो घणसामितेण विन्नातो, ततो तेण अद्धपविट्ठो पाएस गहितो, मा पवि संतो आयुधेण वावाइस्सति, पच्छा चोरेण बाहिरठिएण हत्थे गिहितो, सो तेहिं दोहिं वि बलवंतेहिं उभयथा कडेज्जमाणो सतंकितपागारकविसीसगेहिं फालेज्जमाणो अत्ताणो विरवति- उत्तराध्ययन ચૂર્ણિ, પૃ. ૧૧૧. આ જ કથા નવા પાઠાન્તર સાથે શાન્તિસૂરિ ( પૃ. ૨૦૭–૮ ) અને નેમિચન્દ્ર( પૃ. ૮૧ )ની ટીકામાં છે. ચારશાસ્ત્રના રચયિતા તરીકે સ ંસ્કૃત સાહિત્યમાં કર્ણીસુત મૂલદેવનુ નામ મળે છે (ખાણની ‘કાદખરી ’ માં વિન્ધ્યાટવીના વનમાં–વીદ્યુતથય સંનિતિત્રિપુરુષજા શોષાતા ૨, તથા તે ઉપરની ભાનુચંદ્ર-સિદ્ધિચદ્રની ટીકા-અતવ ‘વીસુત: ટ:સ્તેયાશ્ત્રપ્રવર્તેજઃ । ન્યાતો તથ્ય સલાૌ ઢૌવિપુત્ઝાચસંજ્ઞા । શરો માન્નવસ્તસ્ય ' રૂતિ નૃત્વથામાં વથા નિવૃદ્ધા -કાદંબરી, નિ. સા. પ્રેસની છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૩૯. ‘ દશકુમારચરિત ' માં- પુતઽતે પાંચ મતિમરવત્ ।નિ. સા. પ્રેસની આડમી આવૃત્તિ, પૃ. ૯૪. જુદા જુદા કાશામાં પણ મૂલદેવને સ્પેયરાસ-ચારશાસ્ત્રના પ્રવર્તક કહેવામાં આવ્યા છે તથા કરટક, મૂલભદ્ર, ક્લાંકુર વગેરે તેનાં નામે। હ।વાનું જણાવ્યું છે; જીએ ‘ દશકુમારચરિત ’ના પ્રસ્તુત અવતરણ ઉપર ન્રુદી જુદી ટીકાઓ. ) Page #40 -------------------------------------------------------------------------- ________________ ગણિકાઓના કૂકડાઓની સાઠમારી વર્ણવેલી છે (૩૭૮), તે બીજે સ્થળે એક ગણિકા અને એક રાણીના કૂકડાઓનું યુદ્ધ વર્ણવ્યું છે (૪૩૬ ).૫ નાટક” (રાય) શબ્દ કેવળ નૃત્ય માટે પણ વપરાયેલો છે: “જમ્યા પછી શાન્ત થઈને હું બેઠે તથા તંબળ લીધું, એટલે મને નાટક બતાવવામાં આવ્યું ” (૪૬૦). એક સ્થળે બર્બરી, ચિલાતિકા (કિરાત જાતિની ) આદિ દાસીઓને ઉલ્લેખ છે અને તેઓ સંગીતનૃત્યનું કાર્યો કરતી એમ જણાવ્યું છે (૪૨૫). “ કુજ, વામન, ચિલાત આદિ નાટકિયાઓ ને નિર્દેશ પણ બીજે સ્થળે છે. (૪૭૮). વસંતતિલકા ગણિકાના પ્રથમ નૃત્યપ્રદર્શનના પ્રસંગમાં વિગતભરપૂર કહી શકાય એવું વર્ણન છે (૩૫). નાલિકાગલક નામના નૃત્યના પ્રકારને એક સ્થળે ઉલેખ છે (૧૨૫ ). વર્ણન ઉપરથી એમ જણાય છે કે અમુક પ્રકારની નળીમાં પાણી ભરેલું હોય તેમાંથી પાણી અમુક રીતે ગળતું જાય અને બીજી બાજુ નૃત્ય ચાલે, અને પાણી અમુક પ્રમાણમાં મળી રહે (“ઉદકપરિક્ષય ” થાય) તે સાથે નૃત્ય પણ પૂરું થાય. નળીમાં વધેલા પાણીથી ઉપાધ્યાય નાટ્યાચાર્ય નર્તિકાને સ્નાન કરાવતા (૧૨૫). આ ઉપરાંત બત્રીસ નાયભેદને મોઘમ ઉલ્લેખ છે (૧૨૫), કે જે આપણને અન્યત્ર પણ મળે છે. એક સ્થળે “પ્રેક્ષક” પખણાને ઉલ્લેખ છે (૪૦). “સૂચિનાટ્ય” નામના અદભૂત નૃત્યને ઉલ્લેખ બીજે એક સ્થળે છે. એમાં નૃત્યસ્થાન ઉપર સો મૂકવામાં આવતી અને નર્તિક પિતાની ચતુરાઈથી સોય સ્થાનભ્રષ્ટ ન થાય અને પિતાને ઈજા પણ ન થાય એ રીતે નૃત્ય કરતી.૩૬ ખરપટ એ પણ ભૂલદેવનું જ નામ જણાય છે ( નમઃ વપરાત વચ્ચે ચેન ચોરા પ્રીતમ્ -મહેન્દ્રવિક્રમવર્મીકૃત “મિત્તવિલાસપ્રહસન ', પૃ. ૧૫. મહેન્દ્રવિક્રમવર્મા ઈસવીસનને સાતમા સૈકાના પૂર્વાર્ધમાં થયે છે). ચેરશાસ્ત્રના કર્તા આ મૂલદેવની વિદગ્ધતા, ધૂર્તતા અને ચાતુરીની તથા ઉજયિનીની દેવદત્તા ગણિકા સાથેના તેના પ્રણયપ્રસંગની સંખ્યાબંધ કથાઓ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં મળે છે. શુદ્ધક કવિના “પપ્રાભૃતક ભાણ” માં તે તે નાયક તરીકે આવે છે. મૂલદેવ એ એક ઐતિહાસિક વ્યક્તિ હોવાને પૂરે સંભવ છે. ૩૫. વાસ્યાચન “કામસૂત્ર ના નાગરકવૃત્ત ”માં આપેલાં ગોષ્ટિ અને તેના વિવિધ વિનેદને લગતાં સૂત્રો આ સાથે સરખા-વૈરયામવને સમાયામતમોઢવસિતે વા સમાનવિયાવુદ્ધિશત્રવિત્તવણાં સદ્ વેરયામિરનુર્ધरालापैरासनबन्धो गोष्ठी ॥ ३४ ॥ तत्र चैषां काव्यसमस्या कलासमस्या च ॥ ३५ ॥ तस्यामुज्ज्वला लोककान्ताः पूज्या: प्रीतिसमानाश्चाहारिताः ॥ ३६ ॥ परस्परभवनेषु चापानकानि ॥ ३७॥ तत्र मधुमेरेयासवान् विविधलवणफलहरितशाकतिक्तकटुकाम्लोपदंशान् वेश्याः पाययेयुरनुपिबेयुश्च ॥ ३८॥ एतेनोद्यानगमनं व्याख्यातम् ॥ ३९ ॥ पूर्वाह्न एव स्वलंकृतास्तुर गाधिरूढा वेश्याभिः सह परिचारकानुगता गच्छेयुः, देवसिकी च यात्रां तत्रैवानुभूय कुक्कुटलावकमेषयुद्धद्यूतैः प्रेक्षाभिरनुकूलैश्च चेष्टितैः कालं गमयित्वाऽपराह्ने गृहीततदुद्यानोपभोगचिह्नास्तथैव प्रत्याव्रजेयुः ॥ ४० ॥ एतेन रचितोद्धाहकोदकानां ग्रीष्मे जलक्रीडागमनं व्याख्यातम् ॥ ४१॥કામસૂત્ર, અધિકરણ ૧, અધ્યયન ૪, ૩૬. જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવી કથાઓ પૈકી એકમાં સૂચિનાને ઉલ્લેખ આવે છે: સ્થૂલિભદ્રે દીક્ષા લીધા પછી નંદ રાજાએ કોશા વેશ્યા કઈ રથિકને અર્પણ કરી હતી, પણ તેમાં આસકત નહીં થતાં કેશા નિરંતર સ્થૂલિભદ્રના ગુણોનું વર્ણન કરતી હતી. એક વાર તેનું મનોરંજન કરવા રથિકે ઉદ્યાનમાં બેસી બાથી આંબાની લંબ વધી, તે બાણની પંખ બીજા બાણથી વીંધી, તેની ત્રીજાથી–એ પ્રમાણે પિતાના હાથ સુધી લક્ષ્યવેધની શ્રેણિ કરી. પછી એક બાણથી તે લુંબને મૂળમાંથી છેદી નાખીને ત્યાં બેઠાં જ પિતાને હાથે લઈને કોશાને સમર્પણ કરી. પછી કોશાએ પિતાની ચતુરાઈ બતાવવા માટે સરસવના દાણાને ઢગલે કરાવ્યું અને તેના ઉપર સેય રાખી, અને તેને પુષ્પથી ઢાંકી તે ઉપર નૃત્ય કર્યું છતાં પોતે સમયથી ઈજા પામી નહીં અને સરસવને ઢગલો અસ્તવ્યસ્ત Page #41 -------------------------------------------------------------------------- ________________ રાજકુમારોની ક્રીડાઓમાં મેના-પોપટ જેવાં પક્ષીઓ પાસે ચિત્રવિચિત્ર વાણી બોલાવવાની હોડ પણ થતી. એવાં પક્ષીઓનું એકાદ રેમ અગાઉથી ઉખાડી નાખવામાં આવતું અને એ ક્ષત ઉપર ખાર સિંચવામાં આવતા. પક્ષી બલવાની આનાકાની કરે એટલે તુરત એ ક્ષતને સ્પર્શ કરવામાં આવતા જેથી વેદનાને કારણે તે બેલવા પ્રેરાય (૧૩૧-૩૨). જેના પ્રારંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત (પક્ષીઓની વાણી જાણું વાની કળા) જેના અંતમાં છે એવી બેતર કળાઓને મોઘમ ઉલ્લેખ મળે છે (૩૩). આવા ઉલ્લેખ બીજા ગ્રન્થમાં પણું મળે છે. શિલ્પ–સ્થાપત્ય સંબંધી ખાસ નોંધપાત્ર ઉલેખો આ ગ્રન્થમાંથી મળતા નથી. એક સ્થળે દેવમન્દિરના લાકડાની કોતરણીવાળા મંડપને નિદેશ છે ( ૩૫૧ ). પ્રાચીન ભારતમાં દેવરથાનમાં પત્થર મેટા પ્રમાણમાં વપરાવો શરૂ થયો ત્યાર પહેલાં લાકડાનાં મન્દિર બંધાતાં એ જાણીતું છે. સોમનાથનું મન્દિર તથા ગિરનાર ઉપરનાં જૈન મન્દિરો પણ લાકડાનાં હતાં. પત્થરના મુકાબલે લાકડું વહેલે વિનાશ પામી જતું હોવાથી એવાં મન્દિરોનાં કઈ અવશેષ બચવા પામ્યાં નથી. વસુદેવ-હિંડી ના પ્રારંભમાં “પ્રથમાનુયોગ અને આધાર ટાંકેલે છે અને “વસુદેવ-હિંડી ની કથાનો સારાંશ એ ગ્રન્થમાંથી ઉદ્ધત થયા હોવાનું સૂચન કરવામાં આવ્યું છે (૩). સંદદાસગણિના “પંચક૫ભાષ્ય' પ્રમાણે, તેના કર્તા આર્ય કાલક હતા. બારમા અંગ દષ્ટિવાદઅંતર્ગત “મૂલ પ્રથમાનુગ” જેનો સવિસ્તર ઉલ્લેખ “નંદીસૂત્ર'માં શ્રતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવતાં કરે છે તે સુસંબદ્ધ ગ્રન્થરૂપે નષ્ટ થતાં તેને પુનરુદ્ધાર આર્ય કાલકે કર્યો હોય એમ અનુમાન થાય છે. પરંતુ આર્ય કાલકને એ પ્રથમાનુયોગ ” ગ્રન્થ પણ આજે ધણું સૈકાઓ થયાં નાશ પામી ગયેલ છે. અર્થશાસ્ત્રને લગતે એક રસિક અને મહત્વને ઉલ્લેખ મળે છે (૫૫. મૂળ પ્રાકૃત ઉલેખ નીચે પ્રમાણે છે: અથવાઘે ૨ મળિયું-“ વિશેષ માચાg સત્યેન ચ દંતવ્યો મMળો વિવમાનો સત્ત” ઉત્તા મૂળ, પૃ. ૪૫ ). તે ઉપરથી અનુમાન થાય છે કે એક કાળે પ્રાકૃત ભાષામાં કોઈ અર્થશાસ્ત્ર' હોવું જોઈએ, જે આજે અનુપલબ્ધ છે.૩૭ એવા જ મહત્ત્વના બીજા ત્રણ ઉલ્લેખો પરાગમ–પાકશાસ્ત્ર (પ્રાકૃત રામ)ને લગતા છે (૨૭૪, ૩૩૯, ૪૬૦). એમાં એક સ્થળે તે સ્પષ્ટ રીતે કહ્યું છેઃ “પછી અમે વિદેશમાં પાકશાસ્ત્ર (પરાગમ) શીખીને “પાકશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્રને અધીન છે' એમ વિચારીને ચિકિત્સાશાસ્ત્ર શીખ્યા” (૨૭૪). થો નહીં. આથી રથિક વિસ્મય પામે. કોશાએ કહ્યું, “મારું કે તમારું બેમાંથી એકેનું કાર્ય દુષ્કર નથી, પણ સ્થૂલિભદ્રે જે વ્રત ધારણ કર્યું છે તે દુષ્કર છે” (આવશ્યક ચૂર્ણિ, પૂર્વભાગ, પૃ. ૫૫૪-૫૫; પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮). ૩૭, “એ નિર્યુક્તિ” ટીકામાંના એક પ્રાકૃત અવતરણથી આ અનુમાનનું સમર્થન થાય છે: કા વાળા વિ મનચું–‘ગર્ કાર્ચ ન વોસિરર્ તતો ગોસો ” (પત્ર ૧૫ર). અત્યારે જે સંસ્કૃત “ અર્થશાસ્ત્ર” ઉપલબ્ધ છે તેમાં આ બેમાંથી એકે અવતરણ મળતું નથી, એથી પણ પ્રાકૃતમાં બીજું “અર્થશાસ્ત્ર ' હશે એવા અનુમાનને ટેકે મળે છે. જો કે સંસ્કૃત “ અર્થશાસ્ત્ર”માં “વસુદેવ-હિંડી'વાળા અવતરણના જેવો અર્થ વ્યક્ત કરતા એક લૈંક મળે છે ખરે मन्त्रभैषज्यसंयुक्ता योगमायाकृताश्च ये । ૩પદસ્થામિત્રજૈઃ સ્તન મિજાજીત -અધિકરણ ૧૪, અધ્યાય છે, Page #42 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતમાં પાકશાસ્ત્રને લગતા સંખ્યાબંધ ગ્રન્થ પછીના કાળમાં રચાયેલા છે ખરા, પરંતુ અહીં “પરાગમ” શબ્દ પાકશાસ્ત્રના સામાન્ય અર્થમાં છે કે એ વિષયના એ નામના કેઈ વિશિષ્ટ ગ્રન્થનું નામ છે એ કહેવું મુશ્કેલ છે. પણ એટલું સ્પષ્ટ છે કે એ સમયમાં પાકશાસ્ત્રને ખાસ અભ્યાસ થતો, એ માટે દૂર દેશાવર પણ જવું પડતું અને ઉત્તમ રસોઇયાઓ માટે પાકશાસ્ત્ર ઉપરાંત ચિકિત્સાશાસ્ત્રને અભ્યાસ કરવાનું પણ જરૂરી હતું. ભ્યપુત્ર “ સાગરચંદ્ર પરમ ભાગવતની દીક્ષા લઈ સૂત્રથી તેમજ અર્થથી ભગવદગીતાને પરમાર્થ જાણનારે થયો(૬૦)-એમાં મળ “ભગવદ્ગીતાને પાંચમા સૈકા જેટલું જૂને ઉલ્લેખ પણ અગત્યને છે. કથાના બે પ્રકારે વર્ણવવામાં આવ્યા છેઃ “ચરિતા અને કલ્પિતા. એમાં ચરિતા બે પ્રકારની છે. સ્ત્રીની અથવા પુરુષની. ધર્મ અર્થ અને કામવિષયક કાર્યોમાં જોયેલ, સાંભળેલ અને અનુભવેલ વસ્તુ તે ચરિત કહેવાય છે. એનાથી ઉલટું, કુશલ પુરુષોએ પહેલાં જેને ઉપદેશ કરેલ હોય અને જે સ્વમતિથી યોજેલું હોય તે કલ્પિત કહેવાય છે. પુરુષો અને સ્ત્રીઓને તમે ત્રણ પ્રકારનાં જાણો–ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ. તેમનાં ચરિતે પણ એ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે.” (૨૭૧). ચિકિત્સાશાસ્ત્રને લગતા ઉલ્લેખમાં-એક સ્થળે વૈદ્યના શસ્ત્રકાશને નિર્દેશ છે (૧૦૬), જે તે કાળના વિઘોમાં શસ્ત્રક્રિયા(Surgery)ને પ્રચાર બતાવે છે. ગૂઢ શલ્ય બહાર કાઢવા શરીર ઉપર માટી પડી, તે સુકાવી, શલ્યને બહાર કાઢી, ધાને ઘી અને મધ ભરી રુઝાવવાને ઉલેખ પણ છે (૬૪-૬૫). શતસહસ્ત્રતલના અત્યંગથી શરીરમાંના કૃમિઓ બહાર કાઢવાની નોંધ છે (૨૩૦). એક સ્થળે વૃક્ષાયુર્વેદને પણ ઉલ્લેખ છે (૬૧). તાપસોમાં દિશા પ્રોક્ષક નામના તાપને ઉલ્લેખ છે (૨૧). સાંખ્યવાદી પરિવ્રાજકે કપડાનું ઉત્તરાસંગ કરતા, વસ્ત્રના ટુકડાથી કેડ બાંધતા, ડાબા ખભા ઉપર ત્રિદંડ અને કમંડળ રાખતા તથા હાથમાં માળા રાખતા (૪૯). “ત્રિદંડ અને કંડિકા ધારણ કરનારી અને જેણે સાંખ્ય અને યોગમાં પ્રવેશ કર્યો છે એવી પરિવાજિકાને નિર્દેશ પણ છે (૩૦૨). સેવાલી ઋષિએ ઉપદેશેલા ધર્મનો ઉલેખ એક સ્થળે છે (૩૪૭). સેવાલી, કૌડિન્ય અને દત્ત એ નામના ત્રણ તાપસ કુલપતિઓએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી હોવાની કથા જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એક સ્થળે જીવંતવામીની પ્રતિમાને ઉલ્લેખ છે (૭૪). મહાવીર પૂર્વકાલીન ચાતુર્યામ ધર્મચાર મહાવ્રતવાળા ધર્મનું સંક્ષિપ્ત વિવરણ એક રથને છે (૩૪૮). વસુદેવ-હિંડી’માંથી શસ્ત્રવિદ્યાને અને યુદ્ધવિદ્યાને લગતા પણ કેટલાક ઉલ્લેખો મળે છે. પ્રાચીન કાળમાં ચઢી આવતા સૈન્યને હણવા માટે નગરના દરવાજા ઉપર શિલા, શતદિની, કાલચક્ર વગેરે યાંત્રિક શો લટકાવવામાં આવતાં (૫). અગડદત્ત બાણવિદ્યા અને શસ્ત્રવિદ્યા શીખવાને પ્રારંભ કર્યો. પછી “શલાકા કાઢી, પાંચ પ્રકારની મુષ્ટિ શીખ્યો, પુનાગને જીયે, મુષ્ટિબંધ શીખે, લક્ષ્યવેધી અને દઢ પ્રહાર કરવાની શક્તિવાળો બન્ય, છૂટાં ફેંકવાનાં અને યંત્રથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થયો અને અન્ય પ્રકારનાં તપતન, છેદ્ય, ભેદ તથા યંત્રવિધાનોને... પારગામી થયો.” પ્રાચીન શસ્ત્રવિદ્યાની પરંપરા સેંકડો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગઈ હોવાને કારણે આ અવતરણમાંના સંખ્યાબંધ શબ્દ અને ક્રિયાઓના અર્થ આજે સમજી શકાતા નથી. કપિલા લંભકમાં રાજકુમારને વસુદેવ કહે છે. “અસ્ત્ર, વ્યસ્ત્ર અને અખાસ્ત્ર જાણું છું. પગે ચાલતા Page #43 -------------------------------------------------------------------------- ________________ ३८ અથવા હાથી ઉપર બેઠેલા ધાને માટે અસ્ત્ર છે, ઘેડેસવારને માટે અપાત્ર છે, તથા ખેડૂગ, કનક, તમર, લિંડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું.” (૨૬૨). આમાં પણ યુદ્ધવિદ્યાના જુદા જુદા પ્રકારો વર્ણવેલા છે. હાથીને ચતુરાઈપૂર્વક ખેલાવવાનાં વિવિધ વર્ણનો ગ્રન્થમાં છે (૬૬, ૮૪, ૧૫૬, ૨૬૧). રોષે ભરાયેલા હાથીને દમવાની અને ભમાવવાની રીતમાં સિંહાવલિ, દંતાવલિ, ગાત્રીન, શાર્દૂલબંધન, પુચ્છગ્રહણુ વગેરે છે (૨૮૮), જેમના ચોક્કસ અર્થે આજે આપણે સમજી શકીએ તેમ નથી. શત્રુ ઉપર ઘા કરવાને માટે યોદ્ધો પહેળા પગ કરીને ઊભા રહે તે સ્થિતિને “વિશાખાસ્થાન' નામ આપેલું છે (૮૧). ૩૮ વસુદેવ-હિંડી'માં છે તેવાં કથાનકો અને પ્રસંગે એક યા બીજા સ્વરૂપે ભારતીય સાહિત્યના બીજા કેટલાક સુપ્રસિદ્ધ ગ્રન્થમાં પણ મળે છે. પોતાની પત્નીને ભૂલી ગયેલા અને પુત્રને નહીં સ્વીકારનારા શિલાયુધ રાજાનો તાપસી સાથે સંવાદ મહાભારતમાંના દુષ્યન્ત અને શકુન્તલાના સંવાદની યાદ આપે છે (૩૯૦-૯૧). વસન્તતિલકા ગણિકા અને બસ્મિલ્લના પ્રણયપ્રસંગના સ્થાનકને, ભાસકૃત “ચાસદા” અને શુદ્રકકૃત “મૃચ્છકટિકમાં વર્ણવાયેલી વસન્તસેના અને ચારુદત્તની પ્રણયકથા સાથે સરખાવી શકાય. વલ્કલગીરી કુમારને મુગ્ધ અરણ્યવાસ અને ત્યાં ગણિકાપુત્રીઓ દ્વારા થયેલા તેના પ્રલોભનની કથા પુરાણોમાંના ઋષ્યશૃંગ અને બૌદ્ધ સાહિત્યમાંના ઇસિસિંગની કથાને મળતી જ છે. વહાણુમાં બેસીને દૂર દેશાવર ગયેલા ઇભ્યપુત્રના મરણના સમાચાર આવતાં તેના ભાઈઓએ તેની વિધવા પત્ની પાસે કરેલી ધનની માગણી, પત્નીએ પિતે સગર્ભા હોવાનું કરેલું સૂચન, ગર્ભમાં રહેલો પુત્ર પણ પિતાના પિતાના ધનનું આમ સંરક્ષણ કરે છે એ જોઈને રાજાને પોતાની અપુત્રતા માટે થયેલે પરિતાપ-એ પ્રસંગો કાલિદાસના “અભિજ્ઞાન શાકુન્તલ' અને યશપાલના “મેહરાજપરાજ્યમાંના એવા જ પ્રસંગે સાથે સરખાવી શકાય. પદ્મશ્રી લંભકમાં પદ્માવતીથી વિયોગ પામેલા વસુદેવનો પ્રલા૫ “વિક્રમવશય ”માં ઉર્વશીથી વિયોગ પામેલા પુરુરવાના પ્રલાપની બરાબર યાદ આપે છે. સુપ્રસિદ્ધ સાહિત્યગ્રન્થની પરસ્પર આવી અસર થાય એમાં જરાયે આશ્ચર્ય પામવા જેવું નથી. આચાર્ય વૃદ્ધવાદીએ એક સ્થળે કહ્યું છે કે–ચારિત્ર્યની આકાંક્ષા કરતાં એવાં બાળકે, સ્ત્રીઓ, મન્દ બુદ્ધિવાળાઓ અને મૂર્ખના અનુગ્રહ માટે તત્વજ્ઞોએ જૈન સિદ્ધાન્તની રચના લોકભાષા પ્રાકૃતમાં કરી છે. લોકસમાજને ખાતર જ તૈયાર કરવામાં આવેલા ધર્મગ્રન્થમાં લૌકિક સામગ્રીને ઉપયોગ પણ પુષ્કળ પ્રમાણમાં થાય એ સ્વાભાવિક છે. બૌદ્ધ સાહિત્યની બાબતમાં પણ આ વરતુ એટલી જ સાચી છે. આજ કારણથી જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રન્થમાં દષ્ટાન્ત તરીકે અને બીજી રીતે પ્રચલિત લોકસાહિત્યને બહાળો વિનિયોગ થયો છે અને એજ કારણથી તુલનાત્મક લેકવાર્તાના અભ્યાસમાં અનિવાર્ય મહત્વની સામગ્રી એ બન્ને સંપ્રદાયના ગ્રન્થમાંથી મળે છે. વસુદેવ-હિંડી ” એ થાનુગનો ગ્રન્થ હોઈ તેમજ એની કથા બુતપરંપરાએ ચાલતી આવેલી ૩૮. “ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપરની શાત્યાચાર્યની વૃત્તિમાં વૈદ્ધાનાં પાંચ સ્થાનવિશેષ વર્ણવ્યાં છે તેમાં વૈશાખ અથવા વિશાખા સ્થાન પણ છે. તેનો ઉલ્લેખ બે મલ્લના યુદ્ધ પ્રસંગમાં આવે છે. જુઓ વીદિવસે સમા , તરંચરિવણે સંપદા નોકરો ઘરૂણારું હિતો મતિ (પૃ ૧૯૭). તેની સમજુતી-રાહં પુનઃ પા અગ્રન્તરતઃ ત્યાં કમખ્યા વસ્થાતિ, અગ્રિમતૌ વર્મિત જાય (એજ, પૃ. ૨૦૫). Page #44 -------------------------------------------------------------------------- ________________ હાઈ (૨) એમાંથી પણ એવી સામગ્રી મળે છે. ગ્રન્થને કેટલેક ભાગ જૈન પુરાણકથા (Mythology)થી રોકાયેલે છે, પણ બાકીના ભાગમાં જેને શુદ્ધ લોકવાર્તા તરીકે વર્ણવી શકાય એવી ઘણી વસ્તુઓ છે. એવી બધી જ વસ્તુઓનું વિવરણ અહીં અસ્થાને છે તેમજ એમ કરતાં ઘણો વિસ્તાર થવાને પણ ભય રહે છે, તેથી કેટલાંક સ્થાનોને માત્ર નમૂનારૂપે નિર્દેશ કરીને જ સંતોષ માનીશું. થોડી વાર પહેલાં જ આપણે “વસુદેવ-હિંડી” અને ભારતીય સાહિત્યના બીજા સુપ્રસિદ્ધ ગ્રન્થ વચ્ચેનાં કેટલાંક સામ્ય નોંધ્યાં તે સર્વનાં મૂળ છેવટે કદાચ લોકવાર્તામાં જ હોય એ અસંભવિત નથી. પરંતુ એ વસ્તુ હાલ બાજુએ રાખીએ તો પણ “લેકશ્રતિ ”—લેકવાર્તા તરીકે જ આપવામાં આવેલી કૃતન કાગડાઓની વાતો (૪૦-૪૧), “ જેવાની સાથે તેવા ” થઈને ગાડાવાળાએ નગરવાસીઓને કેવી રીતે છેતર્યા તેની વાર્તા ( ૬૯-૭૦), ગોમુખની અવલોકનચાતરીની વાર્તા (૧૭-૧૭૯), નબાપા છોકરાની બે માતાઓમાંથી ખરી માતા કાણુ અને ખોટી માતા કણ એને નિર્ણય (૪૬૨-૬૩), લંગડી મૃગલીને વાઘની સામે ઊભેલી જોઈને આ ક્ષેત્રનો પ્રભાવ છે” એમ જાણીને પુલિને કંડિની નગરી વસાવ્યાની વાત (૪૬૭)-એ બધી શબ્દ લોકવાર્તાઓ છે એટલું જ નહીં પણ અત્યારે વ્યાપક રીતે પ્રચલિત એવી વાર્તાઓ કેટલી પ્રાચીન છે એનું પણ સૂચન કરે છે. “ધમ્મિલ-હિંડી' એ સળંગ લેકવાર્તા જ છે; પ્રાકૃત ગદ્યની વચ્ચે જ ઉતારેલું અપભ્રંશ પદ્ય અને પ્રાકૃત ગાથાઓ પણું એજ બતાવે છે. ગધવદત્તા સંભકમાંનું ય ચિંટાવાળું હાસ્ય-કટાક્ષાત્મક પદ્ય (૧૬૨) અને વિષ્ણુગીતિકામાંનું ૩વરમ સાંgવરિયા પદ્ય (૧૬૭) પણ લોકપ્રચલિત પઘોની કોટિમાંજ મૂકી શકાય. સાંબ અને પ્રદ્યુમ્નની ક્રીડાઓના પ્રસંગમાં મેના-પોપટનાં મુખમાં મૂકેલાં પદ્યો પણ લોકપ્રચલિત સુભાષિત છે. ગન્ધર્વદત્તા સંભકમાં ચારુદત્તનાં પરિભ્રમણની વાર્તાઓ, અગાઉ આપણે જોયું તેમ, સિન્ડબાદ ખલાસીની વાર્તા ઉપર અસર નીપજાવેલી છે. આ સિવાય “વસુદેવ-હિંડી ”માં જુદાં જુદાં પાત્રોએ પ્રસંગોપાત્ત એકબીજાને કહેલી સંખ્યાબંધ કથાઓને પણ શબ્દ લેકવાર્તાની કટિમાંજ મૂકવી પડશે અને તેથી તુલનાત્મક લેકસાહિત્યના રસિકને આ ગ્રન્થ સાદ્યત વાંચી જવાની ભલામણ છે. અનુવાદ વિષે “વસુદેવ-હિંડી ” પ્રથમ ખંડના સંપાદકો પૈકી વિદ્યમાન, મારા વિદ્યાગુરુ પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે પ્રાકૃત ભાષાના અભ્યાસ અંગે આ ગ્રન્થ કેટલાંક વર્ષ પહેલાં મેં વાંચ્યો હતો. એ વખતે તેને ગૂજરાતી અનુવાદ કરવાનો સંકલ્પ થયો હતો, જે આજે કાર્યરૂપે બહાર આવે છે. અગાઉ કહ્યું છે તેમ, આ ગ્રન્થ વારતવમાં બહુ કઠિન ન હોવા છતાં વચ્ચેના કાળમાં તેના પઠનપાઠનનો અભાવ, પ્રાચીન અને વિશ્વસનીય હાથપ્રતાની ગેરહાજરી, શતાબ્દીઓ થયાં ગ્રન્થની ત્રુટિત સ્થિતિ, અને એવાં બીજાં કારણોને લીધે અમુક અમુક સ્થાનોએ તે ફૂટ અને સદિગ્ધ બની ગયો છે. કેટલીક પંક્તિઓ તે કેવળ અર્થરહિત બની ચૂકી છે. પ્રિયંગુસુન્દરી સંભક અને કેતુમતી લંભકમાં તે એવાં સ્થાને ડગલે ને પગલે મળે છે. મૂળ સંપાદકોએ એવાં રથાનોને નિર્દેશ ઘણું ખરું કર્યો છે, અને મેં પણ વિશિષ્ટ સ્થળોએ એ વસ્તુ પાદટિપ્પણિમાં દર્શાવી છે. બની શકયું છે ત્યાં આસપાસના સન્દર્ભની સહાયથી અથવા અનુમાનથી સંતોષકારક અર્થ કાઢવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે કેટલીક વાર આપણે મૂળ ગ્રન્થકારને દુષ્ટ એવા પાઠ અને અર્થની લગોલગ કદાચ પહોંચી શકીએ, પરંતુ દશમી શતાબ્દી જેટલી અથવા તે કરતાંયે જૂની એવી આ ગ્રન્થની વિશ્વત તાડપત્રીય હાથપ્રતો મળે નહીં Page #45 -------------------------------------------------------------------------- ________________ અર્થાત અત્યારના ભ્રષ્ટ પાઠોને સ્થાને સાચા પાઠે ઉપલબ્ધ થાય નહીં ત્યાં સુધી અમુક સ્થાનના તે સાચા અર્થો સમજી શકાશે નહીં એમ મને લાગે છે. છતાં અહીં આપેલા અર્થો કરતાં બીજા કોઈ વધારે સારા અર્થો વિદ્વાને સૂચવશે તે તેને આભાર સાથે સ્વીકાર કરવામાં આવશે. પ્રાકૃત ભાષાસાહિત્યના અભ્યાસીઓને આ પ્રાચીન ગ્રન્થનો પરિચય કેળવવામાં સરળતા થાય તેમજ સામાન્ય ગુજરાતી વાચકને પણ તે સુલભ થાય-એવો બેવડે ઉદ્દેશ આ અનુવાદના પ્રકાશન પાછળ રહેલે છે. મૂળ પાઠ સાથે છૂટછાટ લીધા સિવાય, અર્થની સરળતાપૂર્વક અભિવ્યક્તિ થાય એ રીતે ગ્રન્થને ગુજરાતીમાં ઉતારવાને પ્રયાસ મેં કર્યો છે. આશા છે કે આ બંને વર્ગના વાચકોને તે સ તેષ આપી શકશે. આખું પુસ્તક ભાવનગર છપાયેલું હોઈ હું માત્ર એક વાર પ્રફ જોઈ શકો છું. તેથી કેટલાક મુદ્રણદોષ પુસ્તકમાં રહી જવા પામ્યા છે. મુદ્રણદોષનું એક શુદ્ધિપત્રક આ સાથે જોડ્યું છે, તે પ્રમાણે ભૂલ સુધારી લેવા વિનંતી છે. અમદાવાદ તા. ૧૩-૧૦-૪૬ ઈ. ભેગીલાલ જ. સાંડેસરા Page #46 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. ||||||||||||||| સેાળ વર્ષ પહેલાં કેાને ખબર હતી કે જૈન કથા સાહિત્યના પ્રાચીનમાંપ્રાચીન શ્રી વસુદેવ હિડી ગ્રંથ કે જેના માટે જૈન, જૈનેતર વિદ્વાના, સાક્ષરા, સાહિત્યકારો બહુમાન ધરાવે છે, તે મૂળ ગ્રંથ તેના અનુવાદ સહિત સુંદર રીતે આ સભા તરફથી પ્રકાશન થવા પામશે ? આ મહત્વશાળી ગ્રંથ લગભગ ચાથા પાંચમા સૈકામાં વિદ્વાન શામણિ પૂર્વાચાર્ય શ્રી સ`ઘદાસ ગણુએ પ્રથમ ખંડ પ્રાચીન પ્રાકૃત ભાષામાં ૧૦૪૮૦ લેાક પ્રમાણમાં રચેલા છે, અને તેની પ્રાચીનતાને કારણે તે અનેક રીતે પ્રમાણભૂત મનાયેલા છે. તેનું સ ંÀાધનકાર્ય અતિ વિકટ હાઇ પ્રકાશન માટે અત્યાર સુધી કાઇ પણ હાથમાં લઇ શકયુ નહાતું. થાડા વર્ષ પહેલાં શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર ડના કાર્યવાહકોને તેનુ સ ંશેાધન કાર્ય કરાવી પ્રકટ કરવાની ઇચ્છા થઇ હતી, છતાં તેમને જોઇએ તેવી સગવડ પ્રાપ્ત ન થવાથી તેમણે તે કાર્ય પડતું મૂકયુ અને આ સભાના સદ્ભાગ્યે પ્રાત:રમરણીય પ્રવ`કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના સદ્ગત વિદ્વાન સુશિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા વિદ્યમાન સાક્ષરશિરામણ કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથના સંશાધનનુ કાર્ય હાથમાં લીધું અને ઘણા જ પરિશ્રમપૂર્વક તેનુ સ ંશાધન સુંદર રીતે કરી તેઓ બ ંને ગુરુશિષ્ય પૂજ્ય પુરુષાએ તેનુ મૂળ રૂપે પ્રકાશન કરવા આ સભાને કૃપાની રાહે સુપ્રત કર્યું, જેના પ્રથમ ખંડ એ અંશ( ભાગ )માં આ સભા તરફથી સંવત ૧૯૮૬ની સાલમાં પ્રકટ કરવામાં આવ્યે, અને તે માટે વિદ્વાન મુનિમહારાજો અને જૈન જૈનેતર સાક્ષરા તરફથી સુંદર આવકાર મળ્યા, જે જૈન સમાજ માટે અતિ ગૌરવ લેવા જેવું છે, તેના પ્રથમ ખંડ( એ અ ંશ)નું પ્રકાશન થયા પછી સ. ૧૯૯૯ ની સાલમાં સાક્ષરોત્તમ શ્રીયુત્ આનદશંકર બાપુભાઇ ધ્રુવ સાહેબ તથા સદ્ગત નામદાર પ્રભાશ કરભાઇ પટ્ટણી સાહેબને સભાની વીઝીટ લેવા અને સાહિત્યના પ્રકટ થયેલા અનેક ગ્રંથૈાનું અવલેાકન કરવા સભા તરફથી આમંત્રણ થતાં સભામાં પધારી, લાયબ્રેરીની વ્યવસ્થા અને જૈન સાહિત્યના મૂલ અને કેટલાકના અનુવાદના અનેક પ્રકાશન થયેલા ગ્રંથા જોઇ, પેાતાના આનંદ વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું કે, જૈન સાહિત્યના ઉચ્ચકોટીના પ્રાકૃત ભાષામાં રચાયેલા આ પ્રાચીનતમ ગ્રંથ શ્રી વસુદેવ હિંડી સાહિત્યના અપૂર્વ ગ્રંથ છે, તેનું સંશાધન થઇ મૂલ અને તેના અનુવાદ પ્રકટ કરવાની હું ખાસ જરૂર જોઉં છું, અને આ સભાના કાર્ય વાકાને તે માટે સૂચના કરું છું. તેમ જણાવ્યા ખાદ સભાના મુખ્ય સેક્રેટરીએ આ સભા તરફથી પ્રકાશન થયેલા શ્રી વસુદેવ હિંડી મૂલ પ્રથમ ખંડના અને અંશેા, તેઓની પાસે રજૂ કર્યો, જેથી બંને મહાશયાએ કહ્યું કે ખરેખરી સાહિત્યની સેવા આ જૈન સભા કરે છે, તે જોઇ આ સભાને ધન્યવાદ આપ્યા સિવાય અમેા રહી શકતા નથી. અને તેનું ભાષાંતર શુદ્ધ-સરલ કરાવી પ્રકાશન માટે સૂચના કરી તેઓશ્રીએ વિદાયગિરિ લીધી; ત્યારબાદ Page #47 -------------------------------------------------------------------------- ________________ આ હકીકત પરમ કૃપાળુ શ્રી પુણ્યવિજયજી મહારાજને સભાએ પત્ર દ્વારા જણાવી, પરંતુ તે મહાપુરૂષની ઈરછા તો ઘણા વખતથી હોવા છતાં, અન્ય અનેક સંશોધનના કાર્યો તેઓશ્રીના હાથે થતું હોવાથી ઢીલમાં પડેલું, છતાં આ અનુવાદ કરવાનું કાર્ય સભાની વિનંતિથી હાથમાં લીધું અને પ્રાકૃત સંસ્કૃત ભાષાના પ્રખર અભ્યાસી અને સાહિત્યરસિક શ્રીયુત ભેગી લાલભાઈ જે. સાંડેસરા એમ. એ. કે જેમણે આ ગ્રંથના મૂળનું વાંચન કેટલાક વખત પહેલાં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે કર્યું હતું, તેઓશ્રીને જ સુપ્રત કરવામાં આવ્યું, જેથી તેઓશ્રીએ થોડા વખતમાંજ આ ગ્રંથનો શુદ્ધ અને સરલ વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી આપે, જેથી તેનું પ્રકાશન સુંદર રીતે આ સભા આજે જૈન સમાજની સેવામાં મૂકી પિતાને અપૂર્વ આનંદ વ્યકત કરે છે. અનુવાદક શ્રીયુત ભેગીલાલભાઈએ બહુજ ખંત અને કાળજીપૂર્વક અનુવાદ કરી આપવાથી આ સભા તેને ધન્યવાદ આપ્યા વગર રહી શકતી નથી. અને તેમણે આ ગ્રંથને મહત્વપૂર્ણ ઉપદ્યાત એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકે લખી આ ગ્રંથની સુંદરતામાં અતિ વૃદ્ધિ કરી છે, જે મનનપૂર્વક ખાસ વાંચવાની વાચકો ભલામણ કર્યા સિવાય અમે રહી શકતા નથી. આ ગ્રંથનું પ્રકાશન થયા પછી આ સભાના માન સભ્ય ભાઈ અનુપચંદ ઝવેરભાઈને મુ બઈ જાણ થતાં તેઓના નેહી શ્રીયુત બબલચંદભાઈ કેશવલાલ પ્રેમચંદ મેદીને તેઓએ જણાવ્યું, જેથી શ્રી બબલચંદભાઈએ પોતાના સદ્દગત પૂજ્ય પિતાશ્રી અને જૈન સમાજમાં વિદ્વાન અને અગ્રેસર ગણાતાં શ્રીયુત કેશવલાલભાઈ પ્રેમચંદ મોદીના સમરણાર્થે આ ગ્રંથ સાથે નામ જોડવા, તેમજ આ ઉકેટીના સાહિત્યના પ્રકાશનના કાર્યમાં આર્થિક સહાય આપવાની ઈચ્છા જણાવતાં આ સભાએ તેને હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. સદ્દગત કેશવલાલભાઈ પણ આ સભાના સભ્ય હોવા સાથે સભાના સાહિત્યના સંશોધનકાર્યમાં કોઈ કોઈ વખત સેવા આપતા હતા, તેટલું જણાવવું અસ્થાને નથી, જેથી શ્રી અનુપચંદભાઈને ધન્યવાદ આપવા સાથે શ્રી બબલચંદભાઈને આભાર માનવામાં આવે છે. આ મૂળ ગ્રંથનું મુશ્કેલીભર્યું સંશોધન કાર્ય સાક્ષરવર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને તેઓશ્રીના સદગત ગુરૂ મહારાજ વગેરેની કૃપા વગર બની શકે તેમ ન હતું, જેથી આ સભા તે મહામુનીશ્વરની સદા માટે રૂણી છે. આ ગ્રંથના બીજા ખંડ સુમારે સત્તર હજાર લેકપ્રમાણ છે, તેના કર્તા મહાપુરુષ શ્રી ધર્મસેન ગણિ છે, તેનું સંશોધનકાર્ય, મૂલ અને તે પછી તેના અનુવાદકનું પ્રકાશન કાર્ય પણ હવે પછી થશે. વિશ્વવ્યાપી યુદ્ધ ચાલતા દરમ્યાનમાં અને બંધ પડતા છતાં હાલમાં છાપવાનાં કાગળ, છાપકામ, ચિત્ર, બ્લેક અને બાઈડીંગના સાધનોની હજી પણ વિશેષ મેઘવારી થતી જતી હોવા છતાં, બને તેટલો વિશેષ ખર્ચ કરી ઊંચા કાગળ, સુંદર ટાઈપ, મજબૂત બાઈડીંગ, આકર્ષક કલર ઝેકેટ વગેરેનું બાહ્ય સ્વરૂપ પણ સુંદર બનાવેલ છે, તે માટે વિશેષ જણાવવા જરૂર નથી. શ્રી જેન આત્માનંદ સભા.) આત્માનંદ ભવન ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ આત્મ સંવત. ૫૧ વિક્રમ સં૨૦૦૩ (ભાવનગર) શ્રાવણ પૂર્ણિમા. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત કેશવલા લ ભા ઈ પે મ ચ દ મા દી બી. એ. એલએલ. બી. – નુ ઃ જીવન ચરિત્ર. ધ વીરા, પરમ શ્રદ્ધાવતા, ધર્માંશાસ્ત્રનાં અભ્યાસીએ, સાક્ષરા, સાહિત્યરસિકા અને સેવાભાવી મનુષ્યેાના જીવનમાંથી કોઈને કોઈ જાણવા જેવુ અને અનુકરણીય મળી શકે છે. જે પુરુષનુ આ જીવનવૃત્તાંત લખવામાં આવે છે તેમનુ જીવન સેવાભાવી, જૈનશાસ્ત્રોના અભ્યાસથી સુવાસિત થયેલું અને સાહિત્યકાર તરીકે સુપ્રસિદ્ધ હતુ. શ્રીયુત્ કેશવલાલ પ્રેમચંદ મેાદી-અમદાવાદ. રળીયામણી ગુજરાતનું પાટનગર અમદાવાદ જૈનપુરી ગણાય છે, જ્યાં અનેક સુંદર, રમણીય જૈનમ ંદિર, અનેક જ્ઞાનભંડારા, જૈન સંસ્થાએ, પૌષધશાળાએ વગેરે છે, તે ભૂમિ અનેક વિદ્વાન આચાર્ય મહારાજોની જન્મભૂમિ તરીકે પવિત્ર પણ ગણાય છે. નિરંતર ******10**** Page #49 -------------------------------------------------------------------------- ________________ અનેક વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસ વગેરે ત્યાગી મહાત્માઓનુ આવાગમન અને ચાતુર્માસ થતા હોવાથી તેઓના ઉપદેશામૃતવડે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો જે ભૂમિમાં થયા કરે છે, જ્યાં ધર્મના ઉપાસકો અને ધર્મારાધના માટે અનેક સાધના છે, જ્યાં પર પરાથી ખાર વ્રતધારી શ્રાવકે અને જૈન શ્રીમત કુટુ વસે છે, જે નગરમાં વપર પરાથી નગરશેઠાઇ અને ભારતના અનેક તીર્થોનું રક્ષણ કરવા સાચવવા માટે શેડ આણુ કલ્યાણુની સે વ ઉપરાંતની વહીવટી પેઢી છે વગેરે કારણોથી અમદાવાદ શહેર જૈન પુરી તરીકે સુપ્રસિદ્ધ છે. અનેક જૈન જૈનેતર સાક્ષરો, સાહિત્યકાર, વિદ્વાનો, પ્રકાશક સયા, વ્યવહારિક, ઔદ્યોગિક, કેળવણી માટે સ્કુલ, વિદ્યા, કાલેજે વગેરેવડે વિદ્યાધામ ગણાય છે. અનેક શ્રીમ તેવરે જ્યાં સરસ્વતી અને લક્ષ્મી બંના સુમેળ થયેલે છે, મીલ વગેરે ઉદ્યોગ, હુન્નરાવર્ડ તે ઉદ્યોગ-નગર કહેવાય પણ છે, વ’માનકાળમાં થતી જતી પ્રતિશીલપણા વડે કરીને તે રાજનગર કહેવાતુ હોવાથી એક પ્રાંત બનવા જેવુ કેન્દ્રનગર થયેલુ છે. તે શહેરમાં શ્રીયુત્ ફેશવલાલભાઇનો જન્મ સંવત ૧૯૩૧ ના કાગળુ સુદિ ૬ તા. ૧૩-૧-૧૮૭પ ના રાજ થયા હતા. શ્રાવકકુળભૂષણ તેમના પિતાશ્રી પ્રેમચંદ દોલતરામ જૈન સમાજમાં ધ પુરષ તરીકે ગણાતા હોવા છતાં કેળવણીપ્રિય હોવાથી પોતાના બંને પુત્રોને ધાર્મિક, વ્યવહારિક બંને પ્રકારની કેળવણી આપી હતી, પ્રથમ સરકારી કરીમાં એલ. બી. પરીક્ષા પસાર શ્રી કરાવલાલભાઈ ને પરંપરાથી કુટુંબ સરકાર અને રિક્ષણના વારસા મળ્યા હતા, જેથી થોડા વખતમાં મુબઇ વોલ્સન કૅલેજમાં બી. એ. થયા. દરમ્યાન પિતાના સ્વવસ થવાથી કાર સ્થળે નાફરી કરવાની ફરજ આવી પડી તેથી દાખલ થયા, દરમ્યાન કાયદાનો અભ્યાસ ચાલુ રાખી. છેવટે એલ. કરી, ધારાશાસ્ત્રી બની પોતાના વતનમાં વકીલાતનો ધંધો શરૂ કર્યો. ધમ ઉપર અનુપમ પ્રેમને લઈને પ્રાકૃત-સરકૃતનો અભ્યાસ કરી તે ભાષાશાસ્ત્રી પણ બન્યા. પોતાના કાયદાના અભ્યાસના દરમ્યાનમાં તેમણે જૈન ધર્મના તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક એ ગ્રંથા તત્ત્વાધિગમ અને પ્રશમતિ પ્રકરજીનુ એડીટ કરી પ્રકાશન કર્યું, જે આજથી લગભગ પચાસ વર્ષ ઉપર છપાયેલ છે. ત્યારબાદ કેટલાક પુરતકા તૈયાર કર્યાં હતા. લીંબડી શહેરના જ્ઞાનભંડારનું લીસ્ટ પણ કર્યું . આ સભા તરફથી પ્રગટ થયેલ શ્રી ગૂજર કાવ્ય સંચય ગ્રંથના કેટલાક કાવ્યોનું સંપાદન કાર્ય કર્યું". છેવટે ઝિંકલ્પ છપાવવાનું કાર્ય શરૂ કરતાંના દરમ્યાન તેએ શ્રીને સ્વર્ગવાસ થતાં અધૂરૂ રહેલુ તે કાય' તેમના સુપુત્ર શ્રી અમલચંદભાઈએ Page #50 -------------------------------------------------------------------------- ________________ v ooooooo '| V | - - - - - મ સાક્ષરવર્ય પુણ્યવિજયજી મહારાજશ્રી પાસે એડીટ કરાવી પૂરૂં છપાવ્યું એટલે શ્રીયુત કેશવલાલભાઈ ધારાશાસ્ત્રી, ભાષાશાસ્ત્રી, સાક્ષર, સાહિત્યરસિક અને જૈન દર્શનના સતત અભ્યાસી હતા. ધાર્મિક પ્રવૃત્તિઓ વંશપરંપરાથી, દેવ, ગુરુ, ધર્મના આરાધનની પ્રણાલિકા ચાલતી આવતી હોવાથી અને ધર્મગુરૂઓના પરિચયવડે સવારનાં ચાર વાગે ઉઠી અભ્યાસ કરતા. તેઓ સત્ય વક્તા અને ધાર્મિક પ્રવૃત્તિવાળા જ હોવાથી પ્રભુપૂજન, ગુરઉપાસના, સામાયિક વગેરે નિયમિત કરતા અને ધાર્મિક અભ્યાસ તે તેમનો નિરંતરનો વ્યવસાય હતે. આવા કેટલાક કારણોને લઈને દરેક આચાર્ય મહારાજના ખાસ પરિચયમાં આવતા હતા. વળી યુરોપ, અમેરિકાના ઑલર, દર્શનશાસ્ત્રના અભ્યાસકના સંપર્કમાં આવતા હોવાથી, પરિચય વધતાં તેમની સાથે શાસ્ત્રીય બાબતમાં પત્ર વ્યવહાર પણ ચાલતો હતો. પિતાની જાહેરાત તેમને બીબુલ પસંદ નહતી. પંડિત હરગોવિંદદાસને પણ પ્રાકૃત શબ્દકેપ તૈયાર કરવામાં પિતે મદદરૂપ થયા હતા, અને મી. મીથને કાલકાચાર્યનું જીવનચરિત્ર તૈયાર કરવામાં મદદ કરવાથી તેમને પણ તેઓ ખાસ ઉપયોગી થઈ પડ્યા હતા. કમ્પની એકટના તેઓ ખાસ નિષ્ણાત હતા તેથી તેઓ ધારાશાસ્ત્રી પણ ગણાતા હતા. મ મ મ મ મ મ * મ મ મ * મ - * સામાજિક કાર્યો. પોતાની કમાણીમાંથી એક જેન Employment બુર જે રામ્સને સહાય કરે તેની દુકાને નિરંતર જઈ તેના ધંધાની (કાર્યની) તપાસ કરી સલાહ આપી તેમના કાર્યમાં તે રીતે પણ સહાયરૂપ થતાં હતા, પરંતુ આ કાર્યમાં અન્યની સહાય નહિ મળવાથી તે સુમારે બે વર્ષ પછી તે ખાતું બંધ કરવું પડયું હતું. હિંદની તીર્થરક્ષક કમીટી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મેનેજીંગ કમીટીના તેઓ સભ્ય હતા અને working મેમ્બર તરીકે પણ વખત સુધી (ખાસ કાર્યવાહક તરીકે) રહી સેવા આપતા હતા. શ્રી સમેત્તશિખર તીર્થના કેસ માટે તેઓ પેઢી તરફથી વિલાયત ગયા હતા અને કેસ જીત્યા હતા. પેઢીનાં સધળા કાર્યમાં તેમની ચીવટ, ખંત અને એકસાર જાણતી હોવાથી પેઢીમાં તેમની બેટ કોઈ કોઈ વખત જણાઈ આવે છે, પરદેશમાં સર થોમ્સ, સર જહોન લીંડસે, સર હેન સાઇમન, મા. પાલેક વગેરે ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા, અમેરિકા વગેરેમાં ઘણું મિત્ર હતા. ઈંગ્લાંડ ગયા ત્યારે આખું યુરેપ ફર્યા છતાં પણ કંદમૂળ કે જૈન ધર્મને બાર આવે તેવું કંઈ પણ ? Page #51 -------------------------------------------------------------------------- ________________ છે ૭.com ૨૦ 00 0 - - - - - - - - - - - - નર નામના રાજા રામ રામ રામ રામ રામ - {K} - - - - - - - - - ખાધું પીધું નહોતું, કારણકે રસાય સાથે લઈ ગયા હોવાથી તેમજ દિધ, ફળાહાર ઉપર ત્યાં ઘણા ભાગે રહેવાથી ધર્મ સાચવી શકયા હતા. યુરોપીય વિદ્વાન કે સાધુ-સાધ્વી મહારાજાઓને કે કામ પુસ્તક જોઈએ તે પૂરા પાડતા હતા, અને કોઈ પુસ્તક કયાં કયાં ભંડારમાં છે તેની પૂર્ણ માહિતી હોવાથી તેઓ સર્વની તેવી સગવડ પૂરી પાડતા હતા; કારણકે કેટલાક ભંડારના લીસ્ટોની નકલે પણ શ્રી કેશવલાલભાઈ પોતાની પાસે રાખતા હતા. Reference બુકસ વસાવાને પણ તેમના ખાસ વિષય હતો; કારણકે ખરૂં નાણું જ શાસ્ત્ર હોવાથી તેને જ માનતા હતા. શ્રીયુત કેશવલાલભાઈને મુસાફરોને ખાસ શેખ હોવાથી અને ભૂળ અને સંશોધનકાર્ય એ તેમના પ્રિય વિષય હોવાથી હિમાલયના પ્રવાસ અને ઉત્તરાપથની યાત્રા ઘણી જ મુશ્કેલીના પ્રસંગોને વિતાવી કરેલી હતી. તેમના સુપુત્ર શ્રી બબલચંદભાઇ પાસેથી તેની નોંધ ખોવાઈ જવાથી મલી નથી પરંતુ તે મલી હોત તો વાંચકને ખાસ તેમાંથી જાણવા જેવું ઘણું મળ્યું હોત. ભૂગોળમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વગેરે માટે તેમને અભ્યાસ પણ હતું, જેથી ભારતવર્ષના વિભાગેવિભાગના સુમારે ૨૫૦) નકશા તેમની પાસે હતા. તેમની અંગત લાયબ્રેરીમાં શુમારે ૧૫૦૦) પુસ્ત હતા. શ્રીયુત કેશવલાલભાઈ જેવા પરમ શ્રદ્ધાવત, શાસ્ત્રના અભ્યાસી, સેવાભાવિ અને સાહિત્યરસિક નરરત્નનું નામ સમાજમાં સારી પ્રતિષ્ઠા પામેલ હોવાથી આ કથા સાહિત્યના અનુપમ ગ્રંથ શ્રી વસુદેવહિંડી સાથે જોડાય છે તે માટે આ સભા ગૌરવ અનુભવે છે. - આ ગ્રંથમાં ઘણું જ માટે ખર્ચ થયેલ છે જેમાં રૂા. ૨૦૦૦) બે હજાર રૂપિયા શેઠ બાલચંદભાઈએ આર્થિક સહાય તરીકે આવ્યા છે, માટે તેમને આભાર માનવામાં આવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ઉપાદ્યાત • • • • - • • • • • ગ્રન્થર્તા અને તેમને સમચ-૧; “ વસુદેવ-હિં ” કે “ વસુદેવ-ચરિત’ ૧-૭; ગ્રન્થને વિષય અને તેની રચનાપદ્ધતિ–૫; “વસુદેવ-હિંડી” અને “બહાકથા'-૯; “વસુદેવ-હિંડી ” મધ્યમ ખંડ-૧૩; “ વસુદેવ-હિંડી ”ની ભાષા-૧૫; “વસુદેવ-હિંડી ”માંથી પ્રાપ્ત થતી સામાજિક-સાંસ્કૃતિક માહિતી-૩૦; અનુવાદ વિષે-૩૯. વસુદેવ-હિંડી : ભાષાંતર મંગળાચરણ-૧; પ્રસ્તાવના–૨. કથાની ઉત્પત્તિ ... • . • • • • • • •. .. પૃ. ૩-૩૨ - જંબુસ્વામી-ચરિત-૩; માતપિતા અને જે બુકમારને સંવાદ-૫; વિશેષ પરિક્ષાના વિષયમાં ઇભ્યપુત્રનું કથાનક૬; દુર્લભ ધર્મપ્રાપ્તિના વિષયમાં મિત્રોની કથા-૬; ઈન્દ્રિયવિષયેની આસક્તિ સંબંધમાં વાંદરાની કથા-૮; પ્રભવસ્વામીને સંબંધ-૯; જંબુ અને પ્રભાવને સંવાદ-૯; વિષયસુખ સંબંધમાં મધુબિન્દુનું દષ્ટાન્ત-૧૦; ગર્ભવાસના દુખ વિષે લલિતાંગનું દષ્ટાન્ત-૧૧; એક ભવના વિચિત્ર સંબંધો વિષે કુબેરદત્ત-કુબેરદત્તાનું સ્થાનક-૧૩; અર્થના અનુચિત ઉપયોગ વિષે ગેપ યુવકનું દૃષ્ટાન્ત-૧૬; લોકધર્મની અસંગતિ વિષે મહેશ્વરદત્તની કથા-૧૭; દુઃખમાં સુખકલ્પના વિષે વાણિયાનું દૃષ્ટાન્ત–૧૯; પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીને સંબંધ-૨૦; જબુસ્વામીની પૂર્વભવકથામાં ભવદત્ત અને ભવદેવને સંબંધ-૨૫; ભેગપિપાસાથી પાડાનો અવતાર પામેલા બ્રાહ્મણપુત્રની કથા-૭; સાગરદત્ત અને શિવકુમારના ભવને વૃત્તાન્ત-૨૮; અણઢિય દેવની ઉત્પત્તિ-૩૧; વસુદેવચરિતની ઉત્પત્તિ-૩ર. ધમિલનહિંડી ... ... ... ... ... ... ... ...", ૩૩–૯૧ ધમ્મિલ્લચરિત-૭૩; વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ–૩૫; સુરેન્દ્રદત્ત અને સુભદ્રાને પરિતાપયુક્ત સંવાદ-૩૫; સ્વકર્મના ફળ વિષે કેકણક બ્રાહ્મણની કથા-૩૧; વસુભૂતિ બ્રાહ્મણનું કથાનક-૩૭; વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ-૩૮; કૃતધ્ધ કાગડાઓની કથા-૪૦; ધમિલ્લને ગણિકાની માતાએ હાંકી કાઢયો-૪૧; વસન્તતિલકાની પ્રતિજ્ઞા૪૨; ધમ્મિલ અગડદત્ત મુનિ સાથે સમાગમ-૪૩; અગડદત્ત મુનિની આત્મકથા-૪૪; અગડદત્તને શ્યામદત્તા સાથે પરિચય-૪૫; જિતશત્રુ રાજાને પૂર્વભવ-૪૭; અગડદત્ત ચેરને માર્યો--જ૮; અગડદત્તનું શ્યામદત્તાની સાથે સ્વદેશગમન-૫૦; અગડદત્તને અટવીમાં પ્રવેશ-પર; અગડદત્તનું ગૃહાગમન-૫૫; દઢધર્મ આદિ ૭ મુનિઓને વૃત્તાન્ત-૫૮; દઢ શીલ વિષે ઘનશ્રીનું દૃષ્ટાન્ત-૬૦; બસ્મિલની તપશ્ચર્યા અને ફલપ્રાપ્તિ-૬૩; વિમલસેનાનો પરિચય-૬૫; નગરજને છેતરેલા ગાડાવાળાનું દૃષ્ટાન્ત-૬૯; ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના-૧૯; યુવરાજ રવિસેન સાથે પસ્મિલ્લની મિત્રી-૭૦; સ્વછંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ-૭૨; સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક–૭૪; ધમ્મિલની ઉઘાનયાત્રા અને વિમલસેનાની ધરિમલમાં પ્રેમાસક્તિ-૭૭; નાગદત્તા સાથે મિલનાં લગ્ન-૭૮; રાજકન્યા કપિલાને સ્વયંવર-૭૯; કામોન્મત્ત વિદ્યાધરને વૃત્તાન્ત-૮૦; પદ્માવતીનું પાણિગ્રહણ-૮૩; ધમ્મિલ્લનું ચંપામાં આગમન અને મત્ત હાથીને નિગ્રહ-૮૩; વિઘુમતી, વિધુદ્ધતા અને બીજી સેળ કન્યાઓનું પાણિગ્રહણ-૮૫; વસન્તતિલકાનું પુનર્મિલન-૮૫; મેધમાલા વિદ્યાધરી સાથે ધમ્મિલનું ગાંધર્વ લગ્ન-૮૭; વિમલસેનાને પુત્ર જન્મ-૮૮; ધમિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદને ભવ-૮૯; બસ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સરહને ભવ-૯૦. પીઠિકા... . • • .. ... ... ... ... પૃ. ૯ર-૧૩૦ પ્રધુમ્ન અને સાંબકુમારની કથા-૯૨; રામ અને કૃષ્ણની પટ્ટરાણીઓને પરિચય-૩; પ્રદ્યુમ્નકુમારને જન્મ, . અલ્લામાં પ્રેમાસસિદ્ધિ રાજા રિપદ જય વર-૭૯; કા Page #53 -------------------------------------------------------------------------- ________________ તેનું હરણ અને શેઠ-૯૯: પ્રધનુના હરણ વિષે સીમંધર જિનને નારદને પ્રશ્ન-૧૦૧; પ્રધગ્નના પૂર્વભવ વિષે પ્રશ્ન-૧૦૨; પ્રધાન અને સાંબના પૂર્વજન્મની કથામાં અગ્નિભૂતિનો ભવ-૧૦૨; પાડાનું ઉદાહરણ-૧૦૩; અગ્નિભૂતિ-વાયુભૂતિના પૂર્વભવને વૃત્તાન્ત-૧૦૪; મૂંગા થયેલા રાહુકને વૃત્તાન્ત-૧૦૪; રાહુના પૂર્વભવની કથા-૧૦૪; પ્રધુમ્ન અને સાંજના પૂર્વજન્મની કથામાં પૂર્ણભદ્ર-માણિભદ્રને ભવ-૧૦૮; પ્રધાન અને સાંબના પૂર્વજન્મની કથામાં મધુકૈટભને ભવ-૧૦૯; પ્રદ્યુમ્નને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પ્રાપ્તિ-૧૧૧; માતાપિતા સાથે પ્રદ્યુમ્નને સમાગમ-૧૧૩; સાબકુમારને જન્મ-૧૧૯; રુકમીની પુત્રી વંદભ સાથે પ્રધાનનાં લગ્ન-૧૨૧; સહિરણ્યાનું નૃત્ય-૧૨૫; પુરુના ભેદ-૧૨૬; બુદ્ધિસેનનું આત્મકથન ભેગમાલિનીને સમાગમ-૧૨૧; સહિરચાનો પરિચય-૧૨૮; ગણિકાઓની ઉત્પત્તિ-૧૨૮. સુખ . . . . . . . . . ૧૩૧-૧૩૮ સાંબ અને સુભાનુની ક્રીડાઓ-૩૧; સાંબને દેશવટ-૧૩૫; એકસો આઠ કન્યાઓ સાથે સાંબનાં લગ્નન૩૬. પ્રતિમુખ • • • • • • • ૫ ૧૩૯-૧૪૩ અંધકવૃષ્ણિને પરિચય-૧૪૦; જેને અવધિજ્ઞાન થયું છે તે સાધુની આત્મકથા-૧૪૧; વસુદેવના પૂર્વભવ વિષે પ્રશ્ન-૧૪૩. શરીર . ... . .. .. ... ... ૫. ૧૪૪–૪૮૪ ( ૧ ) શ્યામા-વિજયા સંભક, ૫. ૧૪૪-૧૨૫: સમુદ્રવિજય આદિ નવ જણના તથા વસુદેવના પૂર્વભવ૧૪૪; વસુદેવના પૂર્વભવની કથામાં નંદિને ભવ-૧૪૫; પરલોકના અને ધર્મના પ્રમાણ વિશે સુમિત્રાની કથા૧૪૬; બે ઇભ્યપુત્રની કથા-૧૪૭; દેવેએ કરેલી નંદિની પરીક્ષા-૧૪૯; સિંહરને પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ-૧૫૧; વસુદેવને ગૃહત્યાગ-૧૫૨; શ્યામા-વિજયા સાથે વસુદેવનાં લગ્ન-૧૫૪. (૨) શ્યામલી સંભક, પૃ. ૧૫૫-૧૨૧શ્યામલી સાથે લગ્ન-૫૬; અંગારક અને અશનિવેગને પરિચય-૧૫૮. (૩) ગન્ધર્વદત્તા સંભક, પૃ. ૧૬૧-૨૦૨: વિકુમારનું ચરિત અને વિષ્ણુગીતિકાની ઉત્પત્તિ-૧૬૪; ગન્ધર્વદત્તાનું પાણિગ્રહણ–૧૬૯; ચાદત્તની આત્મકથા-૧૭૧; અમિતગતિ વિદ્યાધરને વૃત્તાન્ત–૧૭૯; ચારુદત્તનાં લગ્ન-૧૮૧; ચાદરને ગણિકાગ્રહમાં પ્રવેશ-૧૮૩; ધનપ્રાપ્તિ માટે ચારુદત્તનું વિદેશભ્રમણ-૧૮૭; અમિતગતિને શેષ વૃત્તાંત-૧૯૪; અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદને વૃત્તાન્ત-૧૯૬; ચારુદત્તનું ગૃહાગમન–૧૯. ( ૪ ) નીલયશા સંભક, ૫. ૨૦૨-ર૩પ : શ્રી ઋષભદેવનું ચરિત્ર-૨૦૩; મરુદેવાનું સ્વપનદર્શન અને શ્રી ઋષભદેવને જન્મ-૨૦૦૫; દિશાકુમારીઓએ કરેલે શ્રી ઋષભદેવને જન્મોત્સવ-૨૦૧; દેવેએ કરેલ શ્રીષભદેવને જન્મોત્સવ-૨૦૮; શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક-૨૧૦: શ્રી ઋષભદેવની દીક્ષા-૧૧; નમિ અને વિનમિતે વિદ્યાધરરિદ્ધિની પ્રાપ્તિ-૨૧૨ શ્રેયાંસે શ્રી ઋષભદેવને કરેલું શેરડીના રસનું દાન-૨૧૩; શ્રેયાસને સેમપ્રભ આદિએ પૂછેલો પ્રશ્ન૨૧૪; શ્રેયાંસે કહેલું શ્રી ઋષભદેવનું પૂર્વભવનું ચરિત્ર-૨૧૪; યુગલિક સ્ત્રીએ કહેલી પૂર્વભવની આત્મકથા-ર૧૫; લલિતાંગ દેવે કહેલી પૂર્વભવની આત્મકથા-૨૧૫; કાગડાનું દૃષ્ટાન્ત-૨૧૮; શિયાળનું દૃષ્ટાન્ત-૨૧૮; મહાબલ અને સ્વચબુદ્ધના પૂર્વજોનું વૃત્તાન્ત-૨૧૯; શ્રીમતીએ કહેલી પોતાના નિર્નામિકાના ભાવની આત્મકથા-૨૨૩; મનુષ્યજન્મ • પામેલા લલિતાંગકની શોધ-૨૨૪; વજસેને કરાવેલો લલિતાગક દેવને પરિચય–૨૨૬; નીલયશાનું પાણિગ્રહણ-૨૩૧. (૫) સેમથી સંભક, પૃ. ર૩પ-ર૩: આર્યવેદની ઉત્પત્તિ-૨૩૭, કીષભદેવનું નિર્વાણ-ર૩૯; અનાચંવેદની ઉત્પત્તિઃ સગરને વૃત્તાન્ત-૨૪૦, બાહુબલિનું ભારત સાથે યુદ્ધ, દીક્ષા અને જ્ઞાનોત્પત્તિ-૨૪૨; નારદ, પર્વતક અને વસુને વૃત્તાન્ત-૨૪૬; વસુદેવનું વેદાધ્યયન અને તેની પરીક્ષા-૨૫૨; સેમીનું પાણિગ્રહણ-૨૫૩. (૬) મિત્રશ્રી–ધન શ્રી લંભક, પૃ. ૧૫૩-૫૮ : મનુષ્યભક્ષક સેદાસની પૂર્વકથા-૨૫૬; મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ ૨૫૭. (૭) કપિલા સંભક, પૃ. ૨૫૮-૨૬૦: કપિલાનું પાણિગ્રહણ–ર૬૦. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮) ધા સંભક, પૃ. ર૦૧-૨૧૮: ધનુર્વેદની ઉત્પત્તિ-ર૬૨; પદ્યાનું પાણિગ્રહણ-૨૬૫. (૯) અશ્વસેના તંભક, પૃ. ૨૬૮-૬૭૧ : મેધસેનને પરાજય-ર૬૮; અશ્વસેના સાથે લગ્ન-૨૭૦. (૧૦) પંા સંભક, પૃ. ર૦૧-૨૮૨ : વીણાદત્તને પરિચય-૨૭૧; સુનંદને વૃત્તાન્ત-ર૭૪; અંશુમાનનાં સુતારા સાથે લગ્ન-૨૭૫; પંડ્રાનું પાણિગ્રહણુ-૨૭૭; પુંડ્રાને પૂર્વવૃત્તાન્ત- ૨૭૮; ચિત્રગાની આત્મકથા-૨૭૯; મહાપંડ્રકમારને જન્મ-૨૮૨. (૧૧) રક્તવતી સંભક, પૃ. ૨૮૨૨૮૭: રક્તવતી અને લનિકાને પરિચય-૨૮૫; રક્તવતી અને લશનિકાને પૂર્વભવ-૨૮૫; રક્તવતીનું પાણિગ્રહણ-૮૬. (૧૨) સેમથી સંભક, પૃ. ૨૮૭-૯૧: સમશ્રીને પરિચય અને તેને પૂર્વભવ-૨૮૯; સેમીનું પાણિગ્રહણ–૨૯. (૩) વેગવતી સંભક, ૫, ૨૯૧-૯૭: વેગવતીનું પાણિગ્રહણ–ર૯૩; વેગવતીની આત્મકથા-રલ્પ. (૧૪) મદનગા સંભક, પૃ. ૨૯૮-૩૨૧ : મદનગાનું પાણિગ્રહણ-૨૯૯; પિતાશ્રીને વૃત્તાન્ત-૩૦૦; પવશ્રીના પૂર્વભવ-૩૦૧; સનકુમાર ચક્રવર્તીને વૃત્તાન્ત-૩૦૩; સુસૂમ ચક્રવર્તીને વૃત્તાન્ત-૩૦૬; જમદગ્નિ અને પરશુરામને વૃત્તાન્ત-૩૦૬; અશ્રુતદેવ અને વૈશ્વાનદેવે કરેલી જમદગ્નિની પરીક્ષા-૩૦૭; અમ્યુતદેવ અને વૈશ્વાનરદેવે કરેલી પરથની પરીક્ષા-૩૦૮; રામાયણ-૩૧૩. * (૧૫) વેગવતી તંભક, પૃ. ૨૧-૩ર૬: વેગવતીનું પુનર્મિલન-૩૨૪. (૧૬) બાલચન્દ્રા લંભક, પૃ. ૩ર૬-૩૪૧: વિધુ વિધાધરને વૃત્તાન્ત-૩૨૭; સંજયંત અને જયંતને વૃત્તાન્ત–૩૨૮; વિટ અને સંજયંતને પૂર્વભવને વૈરસંબંધ-૩૨૯; સિહચંદ્ર-પૂર્ણચન્દ્રને સંબંધ અને તેમના પૂર્વભવ-૩૩૧; સુમિત્ર રાજાનું દષ્ટાન્ત-૩૩૮; માંસભક્ષણ વિષે ચર્ચા-૩૩૯. (૧૭) બંધુમતી સંભક, ૫, ૩૪-૩૬૮: પ્રિયંગુસુન્દરીને પરિચય-૩૪૭૬ વસુદેવે તાપ ને કરેલો ઉપદેશ૩૪૮; મહાવ્રતનું વ્યાખ્યાન–૩૪૮; વનસ્પતિની વસિદ્ધિ-૩૪૯; મૃગધ્વજકુમાર અને ભદ્રક મહિષનું ચરિત્ર-૩૫૧; મંત્રીએ કહેલું નરકનું સ્વરૂપ-૩૫૪; મૃગધ્વજ અને ભદ્રકને પૂર્વભવ : ત્રિપૃષ્ઠ અને અગ્રીવને વૃત્તાન્ત-૩૬૦; બંધુમતીનું પાણિગ્રહણ-૩૬૬. (૧૮) પ્રિયસુન્દરી સંભક, ૫. ૨૬૮-૪૦૪: વિમલાભાં અને સુપ્રભા આર્યાની આત્મકથા-૩૭૧; આદિત્ય આદિ ચાર મુનિની કથા-૩૭૨; ગંગરક્ષિતને વૃત્તાન્ત-૯૭૮; પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દષ્ટાન્ત-૩૮૨ કામપતાકાને સંબંધ-૩૮૩; સ્વામિદત્તને વૃત્તાન્ત-૩૮૪; અણુવ્રતોના ગુણદોષ-૩૮૪; પહેલા વ્રતના ગુણુદેષ વિષે મમ્મણ અને ચમા શનું દષ્ટાન્ત-૩૮૪; બીજા વ્રતના ગુણદેષ વિષે ધારણ અને વિતિનું દૃષ્ટાન્ત-૩૮૫; ત્રીજા વ્રતના દેષ વિષે મેરુનું અને ગુણ વિષે જિનદાસનું દૃષ્ટાન્ત-૨૮૬; ચેથા વ્રતના દેષ વિષે કરાલાપંગનું અને ગુણ વિષે જિનપાલિતનું દૃષ્ટાન્ત-૩૮૬; સગરના પુત્રોએ અષ્ટાપદમાં ખાઈ ખેરવી–તેમનું દહન-૩૯૧; અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ અને સિદ્ધગંડિકા-૩૯૨; ભાગીરથકુમારે ગંગાને સમુદ્રગામિની કરી-૪૦૦; પ્રિયંગુસુન્દરીને પૂર્વભવ-૪૦૧; પ્રિયંગુસુન્દરીનું પાણિગ્રહણ-૪૦૪. (૧૯) ... ... ભભક ( નષ્ટ થયો છે ) . (૨૦) ... ... ભભક ( નષ્ટ થયા છે ) (ર૧) કેતુમતી સંભક, ૫. ૦૪-૫૭: શ્રીશાન્તિનાથનું ચરિત્ર-અશ્વગ્રીવ અને ત્રિપુષ્ટને વૃત્તાન્ત-૪૦૭ શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં અમિતતેજને ભવ, શ્રી વિજય આદિને સંબંધ-૪૧૧; અમિતતેજ, પ્રીવિજય, અશનિઘોષ અને સુતારાને પૂર્વભવ-૪૧૯; ઇન્દુસેન અને બિન્દુસેનનો સંબંધ-૪૨૧; મણિકુંડલી વિદ્યાધરને સંબંધ-૪૨૧; મણિકંડલી, ઇન્દસેન અને બિન્દુસેનને પૂર્વભવ-૪૨૨; શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં અપરાજિતનો ભવ-૪૨૫; કનકકીને પૂર્વભવ-૪૨૭; રાજકન્યા સુમતિને સંબંધ-૪૨૮; શ્રીશાન્તિનાથની પૂર્વભવકથામાં વાયુધને ભવ-૪૩૧; શાન્તિમતી તથા અજિતસેનને સંબંધ અને તેમને પૂર્વભવ-૪૩૨; શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં મેઘરથને ભવ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫; બે કકડાઓ અને તેમને પૂર્વભવ-૪૩૬; ચંદ્રતિલક-વિદિતતિલકનો સંબધ અને તેમને પૂર્વભવ-૪૩૭; સિંહરથ વિદ્યાધરને સંબંધ અને તેને પૂર્વભવ-૪૩૯; પારેવા અને બાજનું આગમન-૪૪૦; પારેવા અને બાજને પૂર્વભવ-૪૪૧; સુરૂપ યક્ષને સંબંધ અને તેને પૂર્વભવ-૪૪૧; શ્રીશાન્તિનાથનું ચરિત્ર-૪૪૩; શ્રીકુન્થનાથનું ચરિત્ર-૪૪૮; શ્રીઅરનાથનું ચરિત્ર-૪૫૨; ઈન્દ્રસેનાને સંબઈ-૪૫૫; કેતુમતીનું પાણિગ્રહણ-૪૫૫. (૨૨) પ્રભાવતી સંભક, ૫. ૪૫૭-૪૬૦ : વસુદેવને કેદ કરવા માટે જરાસંધને પ્રયત્ન-૪૫૭; પ્રભાવતીનું પાણિગ્રહણ-૪૫૯, (૨૩) ભદ્રમિત્રા-સત્યરક્ષિત સંભક, પૃ. ૪૬–૪૬૪: ભદ્રમિત્રા-સત્યરક્ષિતાનું પાણિગ્રહણ-૪૬૩. (૨૪) પદ્માવતી લભક, પૃ. ૪૬૪-૬૮: હરિવંશની ઉત્પત્તિ-૪૬૬; પદ્માવતીનું પાણિગ્રહણ-૪૬૭. (૨૫) પદ્માવતી સંભક, પૃ. ૪૬૮-૪૭૦: અમેધપ્રહારને પૂર્વવૃત્તાન્ત-૪૭૦. (૨૬) લલિત શ્રી સંભક, પૃ. ૪૭૦-૪૭૫: પ્રકૃતિ-પુરુષને વિચાર-૪૭૧; લલિતકીને પૂર્વભવ-૪૭૩. (૨૭) હિણી તંભક, ૫.૪૭૫-૪૭૯ રહિણીને સ્વયંવર-૪૭૫ વસુદેવ અને સમુદ્રવિજયનું મિલન-૪૭૬. (૨૮) દેવકી લંભક (), પૃ. ૯-૮૪: વસુદેવનું ગૃહાગમન-૪૯; કંસને પૂર્વભવ-૪૮૦; દેવકીનું પાણિગ્રહણ-૪૮૧. ઉપસંહાર . .. ... ( નષ્ટ થયું છે ). સુધારા અને ઉમેરા - - - - - - ૫ ૪૮૫ અનુવાદકનાં અન્ય પુસ્તકો સંશોધન વાઘેલાઓનું ગૂજરાત ( ૧૯૩૯ ). પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના (૧૯૪૧ ) ઇતિહાસની કેડી-લેખસંગ્રહ ( ૧૯૪૫ ) જૈન આગમ સાહિત્યમાં ગૂજરાત ( હવે પછી ) સંપાદન સંઘવિજયકૃત સિંહાસનબત્રીસી ( ૧૯૩૩ ) માધવકૃત રૂપસુન્દરકથા ( ૧૯૩૪ ) વીરસિંહકૃત ઉષાહરણ (૧૯૩૭ ) મતિસારકૃત કપૂરમંજરી ( ૧૯૪૧ ) સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય ( છપાય છે ). નેમિચન્દ્રકૃત પઝિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સાથે ( છપાય છે ) અનુવાદ હિન્દમાં આય ભાષાવિકાસ અને હિન્દી ( છપાય છે ). પંચતંત્ર-સંગ્રહ ( છપાય છે ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ॥ णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स || ॥ ॐ श्रीमद्विजयानंदसूरीश्वर पादपद्मेभ्यो नमः ॥ શ્રીસ ધદાસગણિ વાચક–વિરચિતા વસુદેવનહંડી ( ભાષાંતર ) >> પ્રથમ ખંડ > માંગળાચરણ વિકાસ પામેલાં નલિન, કુવલય, શતપત્ર આદિ કમળનાં કાંગરાવાળાં પત્રા ઉપર ચરણ મૂકીને ચાલતા અને મદઝરતા ગજેન્દ્રના સમાન મનેાહર પવિન્યાસવાળા ભગવાન ઋષભદેવ જય પામે છે. વિનયથી નમેલા સુરેન્દ્રોના સમૂહ વડે વન્દન કરાયેલાં છે. ચરણુ જેમનાં એવા અરહાને નમસ્કાર હે ! પરિશુદ્ધ જ્ઞાન અને દર્શનથી યુક્ત એવા સિદ્ધોને નમસ્કાર હે ! જિનેશ્વરાએ ઉપદેશેલી આચારવિધિમાં ચતુર એવા આચાર્યને નમસ્કાર હે ! શિષ્યસમુદાયને પરમ શ્રુતસંપત્તિ પ્રાપ્ત કરાવતા ઉપાધ્યાયોને નમસ્કાર હો ! સિદ્ધિસ્થાનના ગમનના હેતુરૂપ યોગના સાધક સાધુઓને નમસ્કાર હા ! # તીર્થંકરો નવ દિવ્ય કમળો ઉપર થઈને ચાલે છે એવી માન્યતા છે. જીએ નેમિચન્દ્રસૂરિષ્કૃત ‘પ્રવચનસારાદ્વાર ’ની ગાથા ૪૪૦ મી— चउमुहमुत्तिचकं मणिकंचणताररइयसालतिगं । नवकणय पंकयाइं अहोमुहा कंटया हुंति ॥ એમાંના નવાયવાચારૂં એ શબ્દો ઉપર સિદ્ધસેનસૂરિની ટીકા નીચે મુજબ છે—તથા ‘ નવનપજ્જનનિ ’ नवसङ्ख्यानि काञ्चनकमलानि नवनीतस्पर्शानि क्रियन्ते, तत्र च द्वयोर्भगवान् स्वकीयक्रम कमलयुगं विन्यस्य Page #57 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : પ્રસ્તાવના પંચ નમસકારરૂપ પરમ મંગલ કરવા વડે જેને ઉત્સાહ વૃદ્ધિ પામે છે એવો હું અનુયૉગધર મહાત્માઓને મસ્તકથી પ્રણામ કરીને વીનવું છું કે મને અનુજ્ઞા આપે, જેથી કરીને વસુદેવચરિત નામને ગુરુપરંપરાએ કરીને સાંભળેલું ગ્રન્ય હું વર્ણવું. એ ગ્રન્થમાં નીચે પ્રમાણે અધિકાર છે—કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસંહાર, विचरति, अन्यानि च सप्तपद्मानि पृष्ठतस्तिष्ठन्ति तेषां च यद्यपश्चिमं तत्तत्पादन्यासं कुर्वतो भगवतः पुरतो भवति * * (દે. લા. ફંડની આવૃત્તિ, પૂર્વભાગ, પત્ર ૧૦૯). તથા પદ્મવિજયજીકૃત સુપ્રસિદ્ધ સ્તવનમાંના શબ્દો “ કનક-કમલ નવ ઉપરે અરિહંતાજી, વિચરે પાય ઠવંતા ભગવંતાજી. ” Page #58 -------------------------------------------------------------------------- ________________ થાની ઉત્પત્તિ એમાં પહેલાં તે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પ્રથમાનુગ ગ્રન્થમાં તીર્થકર, ચાવતી અને દશાર વંશને વ્યાખ્યાનના પ્રસંગમાં આવેલું વસુદેવચરિત કહેલું હતું, તેથી પ્રથમ જંબુસ્વામીની અને તેમના શિષ્ય પ્રભવની ઉત્પત્તિ પણ કહેવી જોઈએ. જંબુસ્વામી-ચરિત ધન-ધાન્યવડે સમૃદ્ધ તથા દાનમાં શ્રદ્ધા રાખનારા ગૃહપતિઓના બહાળા સમૂહવાળાં સેંકડો ગામડાંઓથી યુક્ત, જેમની છાયા, પુષ્પ તેમજ ફળ ઉપભેગા કરવા લાયક છે એવાં વૃક્ષોવાળાં વને વડે અલંકૃત, વિવિધ પ્રકારનાં કમળો વડે સુશોભિત, તળાવો તથા પુષ્કરિઓવાળે મગધા નામને જનપદ છે. એ મગધા જનપદમાં પાણીથી ભરેલી ઊંડી પહોળી ખાઈવાળા, મજબૂત અને ઊંચા તથા શત્રુન્યને ભય પમાડનારા કિલ્લા વડે વીંટળાયેલું, અનેક પ્રકારની બાંધણુવાળાં, નયનમનહર તથા જલના ભારથી ગુરુક એવા મેઘાના આકાશમાગે થતા ગમનમાં પિતાની અત્યંત ઊંચાઈવડે વિન કરનાર એવાં મકાનેથી ભરેલું, અનેક હાથીઓ વડે કરીને જાણે પર્વતેથી યુક્ત હોય તેવું જણાતું, દિવ્ય આચારનું ઉત્પત્તિસ્થાન, વિવિધ પ્રકારનાં કરિયાણુને સંગ્રહ તથા વિનિયોગ-વ્યાપાર કરવાને શક્તિમાન તથા સુશીલ બ્રાહમણ-શ્રમણ અને સજજન અતિથિઓની પૂજામાં નિરત એવા વણિક જ વડે વસાયેલું, રથ, ઘોડા અને મનુષ્યના સમૂહને કારણે ઊડતી રજવાળું, મદઝરતા હાથીઓના મદ-જળવડે છંટાયેલા વિસ્તૃત રાજમાર્ગોવાળું રાજગૃહ નામે નગર છે. એ નગરમાં શ્રેણિક નામે રાજા હતો. “પ્રજાના સુખમાં જ મારું સુખ છે” એ રીતે તે પ્રયત્નશીલ હતો. પરાજિત થયેલા તથા પગે પડેલા શત્રુસામંતના મુકુટમણિની કાન્તિથી એનાં પ્રશસ્ત ચરણકમળ રંગાયેલાં હતાં અને “આ તે સત્વ, ગંભીરતા, કાન્તિ, દીપ્તિ અને વૈભવમાં અનુક્રમે સિંહ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય અને કુબેર તુલ્ય છે” એ રીતે સેંકડે લેકેને મુખે તેની નિર્મળ કીર્તિની વિભાવના થતી હતી. એ રાજાની પટ્ટરાણી ચિલણ નામે હતી. તેમને પુત્ર કેણિક નામે હતે. ૧. આ અર્થ અનુમાનથી કરેલ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એ મગધાપુર( રાજગૃહ )માં પૂર્વ પુરુષાએ ઉપાર્જિત કરેલા ધન વડે કરીને સમૃદ્ધ, વિનય અને વિદ્યામાં ચતુર, દયાવાળા, સત્યપ્રતિજ્ઞ, દાનશૂર અને જિનશાસનમાં રત એવા ઋષભદત્ત નામે શાહૂકાર હતા. તેને નિષ્કલ`ક સ્ફટિક મણુિના જેવા નિર્મળ સ્વભાવવાળી અને શીલી અલંકાર ધારણ કરનારી ધારિણી નામે પત્ની હતી. તે એક વાર અર્ધ જાગ્રત અવસ્થામાં પાંચ સ્વપ્ના જોઇને જાગી. તે પાંચ સ્વપ્ના નીચે પ્રમાણે હતાં— ધમાડા વગરના અગ્નિ, વિકાસ પામેલાં અનેક પ્રકારનાં કમળા વડે સુશેાભિત પદ્મસરાવર, ફૂલભારથી નમેલુ શાલિવન ( ડાંગરનુ` ખેતર ), જેમાંનુ પાણી વરસી ગયું છે એવા મેઘના સમાન ધવલ તથા જેણે પેાતાના ચાર દંતુશળ ઊંચા કર્યા છે એવા હાથી, અને વર્ણ, રસ તથા ગંધથી યુક્ત એવાં જાબુ. પેાતે જોયેલાં સ્વપ્ના ધારિણીએ ઋષભદત્તને જણાવ્યાં. ઋષભદત્તે કહ્યું... ભગવાન અરહતે આવાં સ્વપ્નાનુ ફળ દર્શાવ્યું છે તે પ્રમાણે, તને પ્રભાવશાળી પુત્ર થશે. ’ એટલે સન્તાષવડે વિકસિત થયેલા હૃદયવાળી તે ધારણીએ ‘તમે કહેા છે. તે પ્રમાણે થાએ ' એ પ્રમાણે અભિલાષા કરી. બ્રહ્મલેાકમાંથી ચુત થયેલા દેવ તેના ગર્ભામાં આવ્યા. પછી જિન અને સાધુની પૂજાના દોહદ તેને ઉત્પન્ન થયા; એ દાદને વૈભવ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યે. જેના દાહદ પૂર્ણ થયા છે એવી તે ધારિણીએ નવ માસ પૂર્ણ થતાં શરદકાળના ચંદ્ર અને સૂર્ય જેવી કાન્તિ અને દીપ્તિથી યુક્ત, શુદ્ધ થયેલા સુવર્ણના કમળ અને ક િકારની સરસ કેસરાએ જેવા વણુ વાળા, વિષાદરહિત તથા ઉત્તમ સામુદ્રિક લક્ષણૈાથી યુક્ત હાથ, પગ અને મુખવાળા પુત્રને જન્મ આપ્યા. એનુ જાતકમ કર્યાં ખાદ, તેની માતાએ સ્વપ્નમાં જાખુફળનું દર્શન કર્યું હાવાથી તથા જબુદ્વીપના અધિપતિ દેવે તેનુ સાન્નિધ્ય કર્યું " હવાને કારણે તેનું ‘ જંબુ ' એવું નામ પાડવામાં આવ્યું. ધાત્રી વડે ઉછેરાતા એવા તે સુખપૂર્વક વધવા માંડ્યો, પૂર્વ ભવમાં પિરિચત એવી કલાઓને તે તેણે જોતાંવેંત જ ગ્રહણ કરી લીધી. યુવાવસ્થામાં આવતાં ‘આ જંબુકુમાર દયાવાન, પ્રિયંવદ, પૂર્વાભાષી અને સાધુજનની સેવા કરનાર છે' એ પ્રમાણે સન્તાષથી વિસ્તૃત થયેલાં છે લેાચને જેમનાં એવા લેાકેા વડે પ્રશંસા કરાતા, મગધા જનપદના અલંકારરૂપ તે યથેષ્ટ આનંદ કરવા લાગ્યા. એ કાળે ભગવાન સુધર્માસ્વામી ગણધર જિનેશ્વરની જેમ ભવ્ય જનાનાં અંતરને પ્રસન્ન કરતા રાજગૃહ નગરમાં ગુણશીલ ચૈત્યમાં સમેટસર્યાં. સુધર્માસ્વામીનું આગમન સાંભળીને, મેઘની ગજ ના સાંભળતા મેારની જેમ, પરમ િત થયેલ જંબુકુમાર વાહનમાં એસીને નીકળ્યેા. થાડેક દૂર ગાડીમાંથી ઉતરીને પરમ સવિગ્ન એવા તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી, મસ્તકથી નમસ્કાર કરીને બેઠા. તે વખતે ગણુધરે જ બુકુમારને તથા પદાને જીવ-અજીવનું, આસ્રવ, બંધ, સંવર, Page #60 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ પ ] નિર્જરા તથા અનેક પર્યાયવાળા મોક્ષનું સ્વરૂપ કહ્યું. ભગવાનનાં વચનને આ વિસ્તાર સાંભળીને જંબુકુમાર વૈરાગ્ય પામ્યો. અત્યંત સંતુષ્ટ થયેલ એ તે ઊડ્યો અને ગુરુને વંદના કરીને તેણે વિનંતી કરી “ સ્વામી! તમારી પાસે મેં ધર્મ સાંભળે. હવે માતા-પિતાની આજ્ઞા લઈને આપના ચરણમાં મારું હિત આચરીશ (દીક્ષા લઈશ).” ભગવાને કહ્યું “ભયજનોનું એ કર્તવ્ય છે.” પછી જંબુકુમાર પ્રણામ કરીને ગાડીમાં બેઠે, તથા જે માગે આવ્યો હતો તે જ માગે પાછો વળી નગરદ્વારે પહોંચે. પણ તે નગરદ્વારમાં ગાડીઓની સામસામી ભીડ જોઈને વિચાર કરવા લાગ્યું કે-“જે રાહ જોઈશ તે વિલંબ થશે, માટે બીજા નગરદ્વારમાં થઈને જલદી પ્રવેશ કરે મારે માટે ઉચિત છે.” એમ વિચારીને સારથિને કહ્યું-“સૌમ્ય ! રથ પાછો વાળ. બીજા દ્વારે થઈને પ્રવેશ કરીશું. એટલે સારથિએ ઘોડા હાંક્યા અને સૂચવેલા દ્વાર આગળ રથ લીધો. ત્યાં શત્રુસેન્યને હણવાને માટે દેરડે બાંધીને લટકાવેલાં શિલા-શતદની-કાલચક્ર એ શસ્ત્રો જ બુકુમારે જેયાં. એ જોઈને તેને ચિન્તા થઈ, “આ શસ્ત્રો કદાચ રથ ઉપર પડે તો વ્રત લીધા સિવાય જ મૃત્યુ થતાં મારી દુર્ગતિ થાય.” આમ સંકલ્પ કરીને તેણે સારથિને કહ્યું–“સારથિ ! રથ પાછો હાંક હું ગુરુ પાસે ગુણશીલ ચેત્યમાં જઈશ.” “ભલે” એ પ્રમાણે કહીને તેણે રથ પાછો વાળ્યો. ગુરુ પાસે જઈને જંબુકુમારે વિનયપૂર્વક કહ્યું–“ભગવદ્ ! જીવન પર્યત બ્રહ્મચારી રહીશ.” આ પ્રમાણે વ્રત ગ્રહણ કરીને રથમાં બેસીને તે નગરમાં આવ્યો અને પિતાને ઘેર પહોંચે. માતા-પિતા સાથે જંબુકુમારને સંવાદ પ્રસન્ન મુખવાળા તેણે રથમાંથી ઉતરી માતાપિતાને પ્રણામ કરીને કહ્યું, “વડીલે ! મેં આજે સુધર્માસ્વામીની પાસે જિનપદેશ સાંભળે. તેથી જ્યાં જરા, મરણ, રોગ, શેક નથી એવા પદને પામવા ઉત્સુક હું પ્રત્રજ્યા લેવા ઈચ્છું છું. મને રજા આપે.” તેનું આ નિશ્ચય વચન સાંભળીને અથુજળથી જેમનાં વદન ભરાઈ ગયાં છે એવાં તેઓ કહેવા લાગ્યાં “તે ધર્મ ભલે સાંભળે, અમારા પણ અનેક પૂર્વજે જિનશાસનમાં રત હતા, પણ, તેમાંના કોઈએ “પ્રવ્રજ્યા લીધી” એમ સાંભળ્યું નથી. અમે પણ બહુ કાળ સુધી ધર્મ સાંભળ્યો છે, પણ આ નિશ્ચય કદિ ઉત્પન્ન થયા નથી. તે તને કયી વિશેષતા આજે જ પ્રાપ્ત થઈ, જેથી “પ્રવ્રજ્યા લઈશ” એમ કહે છે?” ત્યારે જંબુકુમાર કહેવા લાગ્યો-“હે વડિલો ! કેટલાક લેકે ઘણે કાળે ધર્મને નિશ્ચય કરી શકે છે, જ્યારે બીજા કેટલાકને અલ્પ કાળમાં જ વિશેષ પરિજ્ઞા (જ્ઞાન) થાય છે. જુઓ, સાધુની પાસે આજે મેં જે અપૂર્વ જાણ્યું તે સાંભળે Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વિશેષ પરિજ્ઞાના વિષયમાં ઈલ્યપુત્રનું કથાનક આ એક નગરમાં રૂપવતી અને ગુણવતી એવી કાર્ય ગણિકા રહેતી હતી. તેની પાસે કેટલાયે ધનાઢ્ય રાજપુત્રા, અમાત્યપુત્રા અને ઇલ્ય( શાહૂકાર )પુત્રા આવતા હતા, અને વભવ ક્ષીણ થતાં પાછા જતા હતા. તેમના ગમનકાળે એ ગણિકા કહેતી “ આપે મારા ત્યાગ કર્યાં, પણ નિર્ગુણુ એવી મારી પાસેથી કંઇક સ્મરણચિહ્ન લેતા જાઓ. ” પ્રમાણે કહેવામાં આવતાં તે લેાકેા તે ગણિકાએ ભાગવેલા હાર, અહાર, કડાં, બાજુબંધ વગેરે લઈને ત્યાંથી જતા. એક વાર એક ઇશ્યપુત્રને જવાના વખતે ગણિકાએ તે જ પ્રમાણે કહ્યું. તે રત્નપરીક્ષામાં કુશળ હતા. તેણે ગણિકાનું પચરત્ન વડે અલંકૃત અમૂલ્ય કનકમય પાદપીઠ ( બાજઠ ) જોયું અને કહ્યું “ સુન્દર! જો મારે અવશ્ય લેવાનુ જ હાય તા તારા પગના સ ંસર્ગથી સુભગ એવુ આ પાદપીઠ મને આપીને મારા ઉપર કૃપા કર ગણિકાએ કહ્યું, “ આવી અલ્પ મૂલ્યવાળી વસ્તુથી શું ? બીજું કંઇક માગેા. ” પરન્તુ પેલાને તેા સાર વસ્તુની ખબર હતી. આખરે ગણિકાએ તે પાદ્યપીઠ આપ્યું. તે લઈને પેાતાના વતનમાં આવી રત્નાના વેપાર કરતા તે લાંબાકાળ સુધી સુખભાગી થયા. આ ષ્ટાન્ત છે. .. તેના ઉપસંહાર આ પ્રમાણે છે—ગણિકા તે ધર્મ શ્રવણુ, રાજપુત્રાદિ તે દેવ-મનુષ્ય આદિ સુખભાગી પ્રાણીએ, જે આભરણેા તે દેશ-વિરતિ આદિ તપ અને ઉપધાના, ઇલ્મ્સપુત્ર તે મેાક્ષની આકાંક્ષાવાળા પુરુષઆત્મા, રત્નપરીક્ષાની કુશળતા તે સમ્યક્ જ્ઞાન, રત્નનું પાદપીઠ તે સમ્યગ્ દર્શન, રત્ના તે મહાવ્રતા અને રત્નાના વિનિયોગ તે નિર્વાણુસુખના લાભ. આ વસ્તુ વિચારીને મને રજા આપે. ” તેઓ કહેવા લાગ્યાં—“ હે વત્સ ! જ્યારે સુધર્માસ્વામી વિહાર કરતા પાછા અહીં આવે ત્યારે પ્રત્રજ્યા લેજે. ” ત્યારે જ મુકુમાર કહેવા લાગ્યા દુર્લભ ધ પ્રાપ્તિના વિષયમાં મિત્રાની કથા “ પૂર્વકાળમાં કેટલાક મિત્રા ઉદ્યાનમાં ગયા. ત્યાંથી થાક દૂર તીથંકર સમાસર્યો છે એવુ' તેમણે સાંભળ્યું. તેઓ કુતૂહલથી એ તરફ ગયા. વિસ્મિત મનવાળા તેમણે ગગનતલને સ્પર્શી કરતા સિંહુચક્ર ધ્વજ, બાલસૂર્યના જેવુ ધર્મચક્ર, છત્રાતિછત્ર વડે શાલતુ આકાશ, હુંસ જેવા ધવલ તથા આકાશસંચારી એવા ચામર અને કલ્પવૃક્ષ જેવું નયનમનેાહર ચૈત્યપાદપ જોયુ. દેવ, અસુર અને મનુષ્યા વડે શાલતા સમેસરણમાં તેએ ગયા, અને દેવનિર્મિત સિંહાસન ઉપર સુખપૂર્વક બેઠેલા ભગવાનને તેમણે જોયા. તેમને વંદન કરીને, અત્યંત વિસ્મિત થયેલા તેઓ પદામાં બેઠા. હૃદય અને કાનને મનેાહર એવુ લગવાનનું ધર્મ કથાવિષયક વચન તેમણે સાંભળ્યું. તે સાંભળીને સ ંતાષથી વિકસિત થયેલા મુખવાળા તે ઘેર ગયા. પછી તેમને અંદરઅંદર વાતચીત થઈ. Page #62 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૭ ] એમાંનાં એકે કહ્યું-“વયસ્ય ! અહો! આજે આપણે આ અતિશયવાળા તીર્થકરનાં દર્શન કર્યા તથા સર્વે ભાવોની અભિવ્યક્તિ-સ્પષ્ટતા કરનાર ઉપદેશ સાંભળે, તેથી મનુષ્ય જન્મનું સઘળું ફળ આપણને મળ્યું. આથી વિશેષ જોવા લાયક કે સાંભળવા લાયક બીજુ કંઈ નથી, એવો મારો મત છે. આ સંસારમાંથી મોક્ષ પામવાનો ઉપાય ભગવાને હસ્તામલકવત્ દર્શાવ્યા, તે તેમજ છે, એમાં કંઈ શંકા નથી. મુશ્કેલીએ કરીને પણ આ યોગ પ્રાપ્ત થઈ શકે એમ નથી, તેથી તીર્થંકરના ચરણમાં વિના વિલંબે આપણે દીક્ષા લઈએ.” બીજાએ કહ્યું-“તું કહે છે તે સત્ય છે. આપણે ભાવપૂર્વક ધર્મ સાંભળ્યું છે. આ અથવા બીજા તીર્થકરનાં આપણે ફરી વાર દર્શન કરીશું ત્યારે દીક્ષા લઈશું.” ત્રીજાએ કહ્યું-“અમેહ તથા જેમણે કમેને ક્ષય કર્યો છે એવા તીર્થકરને કંગાલ માણસો જેમ રનરાશિ જુએ તેમ, આપણે જોયા છે. માટે નિશ્ચય કરે.” ચેથાએ કહ્યું-“ તીર્થકરના દર્શનને અનુલક્ષીને તમે સંદેહ કર્યો છે, માટે આપણે પાછા જઈએ. સર્વજ્ઞ અરિહંત સંશયને નાશ કરશે.” તેઓ પાછા ગયા અને તીર્થકરને વંદન કરીને પૂછવા લાગ્યા–“ભગવન્! શું અતીત કાળમાં ધર્મદેશના આપનાર તીર્થકર થયા છે અને ભવિષ્ય કાળમાં થશે?” ભગવાને કહ્યું– “ભરત–રવતમાં અવસર્પિણી–ઉત્સર્પિણના દશમા-દશમાં કાળભાગમાં ચોવીસ તીર્થંકર થાય છે. વિદેહમાં જઘન્યપદે ચાર-ચાર એકી સાથે થાય છે, અને ઉત્કૃષ્ટપદે બત્રીસ. આ પ્રમાણે તીર્થકરનું દર્શન દુર્લભ છે. દર્શનથી પણ વચન દુર્લભ છે. એ વચનને સાંભળીને કર્મની ગુરુક્તાને કારણે કેટલાક માણસો તેમાં શ્રદ્ધા રાખતા નથી, કર્મની વિશુદ્ધિએ કરીને શ્રદ્ધા રાખવા છતાં તેઓ સંયમ લેવામાં નિરુત્સાહ થાય છે. ચક્ષુવાળો જે માણસ સૂર્યને ઉદય થતાં મૂઢતાને કારણે આંખો મીંચીને બેસી રહે છે તેને માટે સૂર્યોદય નિરર્થક છે. એ જ પ્રમાણે જે અરિહંતનું વચન સાંભળવા ઈચ્છતું નથી, સાંભળીને તેમાં શ્રદ્ધા રાખતું નથી અથવા શ્રદ્ધા રાખવા છતાં તેને સફળ કરતો નથી તેને માટે અરિહંતનું દર્શન નિષ્ફળ જાય છે.” ભગવાન વડે આ પ્રમાણે ઉપદેશ કરાયેલા તેઓએ એ સમવસરણમાં જ દીક્ષા લીધી અને સંસારનો અંત કરનારા થયા. એ પ્રમાણે છે વડિલે! પણ જે સુધર્માસ્વામીના ઉપદેશને અત્યારે જ આચરણમાં નહીં મૂકું તે સમય જતાં વિષયોમાં આસક્ત થયેલા એવા મારી ધર્મમાં પ્રતિપત્તિ જ નહીં સંભવે. માટે મને રજા આપો.” ત્યારે ઋષભદતે કહ્યું- વત્સ ! વિષયની પ્રાપ્તિના હેતુરૂપ વિપુલ ધન તારી પાસે છે, તે તેને પૂરેપૂરે ઉપગ કરીને પછી દીક્ષા લેજે.” ત્યારે જંબુએ કહ્યું–“સાંભળો– Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૮] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ઈન્દ્રિયવિષયેની આસક્તિ સંબંધમાં વાંદરાની કથા એક વનમાં સ્વચ્છેદે વિચરતો એક યુથપતિ વાનર રહેતો હતો. તે વૃદ્ધ થતાં બીજા બળવાન વાનરે તેના ઉપર આક્રમણ કર્યું. લતા, ઢેફ, કાક, પત્થર અને દાંતના ઘા વડે તેમનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. તેમાં એ યૂથપતિ વાનર પરાજિત થતાં નાસવા માંડ્યો. પેલા બીજા વાનરે પણ એનો પીછો પકડ્યો, “આ મારી પાછળ જ આવે છે” એ પ્રમાણે વિચાર કરતો, પોતાના શરીર ઉપર પડેલા ઘા વડે દુઃખી થતો અને ભૂખતરસથી પીડાતે તે યૂથપતિ વાનર એક પર્વતની ગુફા આગળ આવી પહોંચ્યા. ત્યાં પત્થરમાંથી શિલાજીત ઝરતો હતો. ભય વડે જેની દષ્ટિ વિકળ થયેલી છે એવા તેણે “આ પાણી છે” એમ ધારીને પીવાને માટે પિતાનું મેં તેમાં નાખ્યું. તે ત્યાં જ ચૂંટી ગયું. આથી તે ઉખાડવા માટે તેણે પોતાના હાથનો ઉપયોગ કર્યો. તે પણ ચૂંટી જતાં પગ અરાવ્યા. પરંતુ તે પણ ચૂંટી ગયા. આ પ્રમાણે પોતાની જાતને મુક્ત કરવાને અશક્ત એ તે ત્યાં જ મરણ પામે. એનું મુખ ચૅટી ગયું તે વખતે બાકીનાં અંગે છૂટાં રાખીને જે તેણે પ્રયત્ન કર્યો હોત તો આ મરણદુઃખમાંથી ઉગરી જાત. એ જ પ્રમાણે છે વડિલો ! અત્યારે બાલભાવને કારણે ભેજનમાં લેપ એવો હું જિહવેન્દ્રિય વડે જ બંધાયેલો છું; અને તેથી મારી જાતને સહેલાઈથી મુક્ત કરી શકે એમ છું. પણ જ્યારે પાંચે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈશ ત્યારે જેમ પેલે વાંદરો મરણદુ:ખને પામે તેમ અનેક જન્મ-મરણનો ભાગી થઈશ. તે મરણભયથી ડરતા એવા મને રજા આપો પ્રવ્રજ્યા લઈશ.” આ પ્રમાણે બોલતા જ બુકુમારને કરુણ રુદન કરતી માતાએ કહ્યું -“વત્સ ! તે તે નિશ્ચય કરી લીધો છે; પરન્તુ લાંબા કાળથી મારે એક મનોરથ છે કે-વરના વેશમાં તારું મુખ કયારે જઈશ? જે મારો એ મને રથ તું પૂરે તે સંતુષ્ટ થયેલી હું તારી સાથે જ દીક્ષા લઈશ.” ત્યારે જંબુકુમારે કહ્યું: “માતા! જે તારો આ જ અભિપ્રાય છે તે ભલે, તારું વચન કરીશ પણ લગ્નના દિવસે વીતી જાય ત્યારબાદ તારે મને રોકી રાખો નહીં.” પ્રસન્ન થયેલી માતાએ કહ્યું,–“વત્સ! તું કહે છે તેમજ કરીશુ. આ પહેલાં જ (આઠ) ઈશ્યકન્યાઓનો વિવાહ તારી સાથે કરેલ છે. આ નગરમાં જિનશાસનમાં રત એવા સમુદ્રપ્રિય, સમુદ્રદત્ત, સાગરદત્ત, કુબેરદત્ત, કુબેરસેન, વૈશ્રમણદત્ત, વસુસેન અને વસુપાલ નામના સાર્થવાહ છે. તેમની પત્નીઓ અનુક્રમે પદ્માવતી, કનકમાલા, વિનયશ્રી, ધનથી, કનકવતી, શ્રીસેના, હીમતી અને જયસેના નામની છે; તથા તેમની કન્યાઓ સમુદ્રથી, સિધુમતી, પવશ્રી, પદ્ધસેના, કનકશ્રી, વિનયશ્રી, કમલાવતી અને યશોમતી નામે છે. તેને અનુરૂપ એવી આ કન્યાઓને અગાઉ તારી સાથે વિવાહ કરે છે, માટે આ સાર્થવાહને હવે ખબર આપીએ.” પછી એ સાર્થવાહોને કહેવરાવ્યું કે-“જંબુકમાર Page #64 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [૯] લગ્ન થઈ ગયા બાદ પ્રત્રજ્યા લેવાનો છે, તે તમારો શો વિચાર છે?” આ સાંભળીને વિષાદ પામેલા તે સાર્થવાહે પિતપોતાની પત્નીઓ સાથે વિચાર કરવા લાગ્યા કે- હવે શું કરવું?” આ સમાચાર તેમની પુત્રીઓએ સાંભળ્યા, અને એક જ નિશ્ચયવાળી તે કન્યાઓ પિતાનાં માબાપને કહેવા લાગી કે, “તમેએ અમને જબુકુમારને આપી છે, માટે ધર્મ પ્રમાણે તેને જ અમારા ઉપર અધિકાર છે, જે માગે તે જશે તે જ અમારો પણ માર્ગ છે.” કન્યાઓનું આવું વચન સાંભળીને સાર્થવાહાએ ઝાષભદત્તને લગ્ન લેવાના ખબર આવ્યા. શુભ દિવસે જે બુકમારને વિધિપૂર્વક પીઠી ચોળવામાં આવી. કન્યાઓને પણ તેમનાં પિતૃગૃહમાં પીઠી ચોળવામાં આવી. એ પછી જ્યારે સમૃદ્ધિપૂર્વક જંબુકુમાર, ચંદ્ર જેમ નક્ષત્રોની પાસે જાય, તેમ વધગ્રહમાં ગયે, અને વધઓની સાથે, જાણે કે શ્રી, ધૃતિ, કીર્તિ અને લક્ષમીને સાથે લાવ્યા હોય તેમ, પાછે પિતાને ઘેર આવ્યો. પછી સેંકડો કેતુપૂર્વક તેને સ્નાન કરાવવામાં આવ્યું અને સર્વે અલંકારોથી વિભૂષિત એવા તેને અનેક લોકેએ અભિનંદન આપ્યું. શ્રમણ-બ્રાહ્મણની પૂજા કરવામાં આવી, નાગરિકો અને સ્વજનેએ સાંજે નિરાંતે ભેજન કર્યું. જંબુકુમાર માત-પિતા અને પેલી નવવધૂઓ સાથે મણિ અને રત્નના પ્રદીપથી પ્રકાશમાન વાસઘરમાં ગયા. પ્રભવસ્વામીને સંબંધ એ દેશકાળમાં જયપુરવાસી વિથ રાજાને પ્રભવ નામે કલાનિપુણ પુત્ર હતો. પ્રભવનો નાને ભાઈ પ્રભુ નામ હતું. રાજાએ નાના પુત્રને રાજ્ય આપ્યું, તેથી માની પ્રભાવ ત્યાંથી ચાલ્યા ગયે અને વિધ્યાચળની તળેટીમાં વિષમ પ્રદેશમાં મુકામ કરીને ચોરી કરીને ગુજારો કરવા લાગ્યા. જંબુકુમારને વૈભવ જાણીને તથા વિવાહોત્સવ પ્રસંગે માણસો ભેગા થયાનું સાંભળીને ચોર-સરદાર વડે વીંટળાયેલે તે પ્રભવ તાલેઘાટની વિદ્યાથી કમાડ ઉઘાડીને જંબુમારના ભવનમાં દાખલ થયા. અવસ્થાપિની વિદ્યાથી ઊંઘાડેલા લેકનાં વસ્ત્ર-આભરણે ચેર લેવા લાગ્યા. તે વખતે અસંભ્રાન્ત એવા જંબુકુમારે કહ્યું, “અરે ભાઈ! આમન્વિત કોને સ્પર્શ ન કરશે.” તેનું વચન સાંભળીને પિસ્તકર્મ (લેખકર્મ)ના બનાવેલા યક્ષોની માફક તેઓ નિષ્ટ થઈ ગયા. વધઓ સહિત સુખાસન ઉપર બેઠેલા જંબુકુમારને, જાણે નક્ષત્રેવડે વીંટળાયેલે શરદપૂર્ણિમાને ચંદ્ર હોય તેમ, પ્રભવે જે. જબુ અને પ્રભવને સંવાદ - તે ચરેને સ્તબ્ધ થયેલા જોઈને જંબુકુમારને પ્રભવે કહ્યું, “ભદ્રમુખ! તે કદાચ મારું નામ સાંભળ્યું હશે. હું વિધ્યરાયને પુત્ર પ્રભવ છું. તારા પ્રત્યે મિત્રભાવને પામેલા Page #65 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ-હિંડી : [ ૧૦ ] " ,, મને તું સ્તભિની ( જેનાથી સામા માણસ નિશ્ચેષ્ટ થઈ જાય) અને મેાચની ( જેનાથી ચેષ્ટાઓ પાછી વળે ) વિદ્યાએ આપ; બદલામાં હું તને તાàાદ્ઘાટની ( જેનાથી તાળાં ઉઘડી જાય) અને અવસ્થાપિની ( જેનાથી માણસા ઊંઘી જાય) વિદ્યાઓ આપીશ. ’ ત્યારે જ મુકુમારે કહ્યું, “ પ્રભવ! સાચી વાત એ છે કે આ સ્વજને અને વિપુલ વૈભવને ત્યાગ કરીને હું પ્રભાતમાં દીક્ષા લેવાના . ભાવથી મે સર્વ આરભાના ત્યાગ કર્યો છે; અને તેથી અપ્રમત્ત એવા મારા ઉપર કોઇ વિદ્યા અથવા દેવતાના પ્રભાવ ચાલતા નથી. વળી દુર્ગતિના કારણરૂપ એવી એ નિન્દનીય વિદ્યાઓનું મને કંઇ પ્રયેાજન નથી. મેં સુધર્મા ગણધર પાસેથી સંસારવિમેાચન વિદ્યા ગ્રહણ કરી છે. ” તે સાંભળીને પરમવિસ્મિત થયેલા પ્રભવ ત્યાં બેઠે, “ અહા ! આશ્ચર્યની વાત છે કે આ કુમારે આવા વૈભવને તૃણના પૂળાની જેમ સર્વથા ત્યાગ કર્યો છે. આ મહાત્મા ખરેખર વંદનીય છે. ” એમ વિચારીને વિનયપૂર્વક પ્રણામ કરી તે કહેવા લાગ્યા—“ હું જખુ ! વિષયે મનુષ્યલેાકના સારરૂપ છે, એ વિષયાને સ્ત્રીએ સહિત ભાગવ. પાતાને સ્વાધીન એવા સુખના ત્યાગની પડિતા પ્રશંસા કરતા નથી. અકાળે પ્રવ્રજ્યા લેવાના વિચાર તે કેમ કર્યો? પાકટ વયવાળા માણસે ધર્મ સાચવે તે એમાં કઇ નિન્દ્વનીય નથી.” ત્યારે જ બુકુમારે કહ્યુ, પ્રભવ! તું વિષયસુખની પ્રશંસા કરે છે, તે એ બાબતમાં એક દષ્ટાન્ત સાંભળ— વિષયસુખ સંબધમાં મધુબિન્દુનું દષ્ટાન્ત 66 : : પ્રથમ ખંડ : અનેક દેશે! અને નગરોમાં ફરતા કાઇ પુરુષ સાથે સાથે એક અટવીમાં પ્રવેશ્યા. ત્યાં ચારાએ સાને લૂંટી લીધે. સાથી છૂટા પડી ગયેલા, દિશામૂઢ થયેલા અને આમતેમ ભમતા તે પુરુષ ઉપર મદજળવડે સિક્ત મુખવાળા વનગજે હુમલા કર્યાં. નાસતા એવા તેણે તૃણુ અને દČવડે ઢંકાયેલેા પુરાણા કૂવા જોયા. તે કૂવાને કાંઠે મેટું વટવૃક્ષ ઊગેલું હતુ. અને તેની વડવાઇઓ કૂવામાં લટકતી હતી. ભયગ્રસ્ત તે પુરુષ વડવાઇ પકડીને કૂવામાં લટકી પડ્યો; અને નીચે જુએ છે ત્યાં સુખ પહેાળુ કરીને તેને ગળી જવાને ઉત્સુક એવા મહાકાય અજગર તેની નજરે પડ્યો. વચમાં ચારે તરફ્ ભીષણ સ દેશ કરવાની ઇચ્છાવાળા વળગેલા હતા. વડવાઇને ઉપરથી કાળા અને ધેાળા એમ એ ઊંદરા કાપતા હતા. પેલેા વનહસ્તી એ પુરુષના કેશાગ્રને પેાતાની સૂઢથી સ્પર્શ કરતા હતા. એ વટવૃક્ષ ઉપર એક મોટા ઘેરાવાવાળા મધપૂડા હતા. હાથીએ ઝાડને હલાવતાં પવનના વેગથી કેટલાંક મધુબિન્દુએ પેલા પુરુષના મુખમાં આવી પડ્યાં, તે એ સ્વાદથી ચાટવા માંડ્યો, તેને કરડવા માટે ઊડેલી મધમાખે ચારે તરફથી એને ઘેરી વળી. આવી પરિસ્થિતિમાં મૂકાયેલા તે પુરુષને શું સુખ હતું તે તું કહે. ” વિચાર કરીને પ્રભવ કહેવા લાગ્યા, “ તેણે મધુબિન્દુનું આસ્વાદન કર્યું તેટલું... જ સુખ, એમ ધારું છું; બાકીનુ દુ:ખ. 99 Page #66 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [૧૧] જંબુકુમારે કહ્યું, “એમ જ છે. એ દષ્ટાન્તને ઉપસંહાર આવે છે– પેલે પુરુષ તે સંસારી જીવ. અટવી તે જન્મ, જરા, રોગ, મરણથી વ્યાપ્ત એવી સંસારરૂપી અટવી. વનહસ્તી તે મૃત્યુ. કુવો તે દેવભવ અને મનુષ્યભાવ. અજગર તે નરક અને તિર્યંચ ગતિએ. સર્પ તે દુર્ગતિમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે. વડવાઈ એ જીવનકાળ. કાળા અને ધૂળ ઊંદરો તે કૃષ્ણ અને શુકલ પક્ષો, જે રાત્રિ-દિવસરૂપી દાંતથી જીવિતને ક્ષય કરે છે. વૃક્ષ તે કર્મબંધનના હેતુરૂપ અવિરતિ અને મિથ્યાત્વ. મધ તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ ઈન્દ્રિયોના વિષયો. મધમાખીઓ તે શરીરમાંથી પેદા થતા આગન્તુક વ્યાધિઓ. આવી રીતે અનેક ભયની વચ્ચે પડેલા તે પુરુષને સુખ ક્યાંથી હોય? મધનાં બિન્દુઓને સ્વાદ એ તે સુખની કલ્પના જ માત્ર છે. - હે પ્રભવ! કોઈ રિદ્ધિમાન ગગનચારી એ પુરુષને કહે કે, “આવ સોમ્ય! મારે હાથ પકડ, તને અહીંથી બહાર કાઢું.”તે તે પુરુષ હા પાડે ખરો?” પ્રભવે કહ્યું, “એ દુખપંજરમાંથી છૂટવાને કેમ ન ઇચછે?” જંબુએ કહ્યું, “કદાચિત્ મધુરસને ચાટતો તે મૂઢતાથી કહે કે, “મને મધુરસથી તૃપ્ત થવા દે, પછી મને બહાર કાઢજે.” પણ એમ તૃપ્તિ થાય કયાંથી ? વડવાઈરૂપી તેનો આધાર કપાઈ જતાં તે અવશ્ય અજગરના મુખમાં પડવાને. પ્રભવ ! આવી વસ્તુસ્થિતિ જાણ્યા પછી હું પ્રમાદી નહીં થાઉં.” ત્યારે પ્રભવે કહ્યું. “ભલે, પણ તમને નિર્વેદ શાથી થય? કયા દુઃખથી તમે પીડાયા કે જેથી અકાળે સ્વજનોનો ત્યાગ કરો છો ? ” જંબુએ કહ્યું, “ગર્ભવાસનું દુઃખ જાણતા એવા કુશલ પુરુષને નિર્વેદનાં ઝાઝાં કારણેની શી જરૂર છે? એ સંબંધમાં સુવિહિત દશાન્ત વર્ણવે છે– ગર્ભવાસના દુઃખ વિષે લલિતાંગનું દષ્ટાન્ત વસન્તપુર નગરમાં શતાયુધ રાજા હતું. તેની લલિતા નામે દેવી હતી. તે એક વાર ઝરૂખામાં બેઠી હતી તે વખતે એક રૂપવાન પુરુષને તેણે જોયે. તેની પાસે ઊભેલી દાસી તેને જોઈને વિચાર કરવા લાગી, “આમ જોતી જોતી આ દેવી ચિત્રામણની યુવતિની જેમ નિશ્ચલ આંખવાળી કેમ થઈ ગઈ છે?” પછી દાસીએ પણ એ બાજુ નજર નાખતાં આંખને પ્રિય લાગે એવા તે પુરુષને જોયે. દાસીએ વિચાર્યું કે, “નકકી આ પુરુષમાં જ એની નજર લાગેલી છે. ” પછી તેણે દેવીને વિનંતી કરી કે, “આપની દષ્ટિથી જ મેં વિસ્મયપૂર્વક જાણ્યું છે કે આ પુરુષને આદરપૂર્વક આ૫ જુએ છે. ચંદ્રને Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: જોઈને કેની દષ્ટિ આનંદ ન પામે?” દેવીએ કહ્યું કે, “ ખરેખર એ બધું સાચું છે. ધરણિતલના પૂર્ણચંદ્ર સમાન આ પુરુષ દેવ હશે કે વિદ્યાધર હશે ?' દાસીએ જવાબ આપ્યો, “મને જવાની રજા આપો. એ બાબતમાં તપાસ કરીને ખબર લાવીશ.” રાણીએ દાસીને જવાની રજા આપી. એ બાબતમાં પૂરી તપાસ કરીને પાછી આવેલી દાસી કહેવા લાગી કે, “આ જ નગરમાં રહેતા સમુદ્રપ્રિય સાર્થવાહને એ લલિતાંગ નામને કલાનિપુણ અને ગુણવાન પુત્ર હતો.” એ વચન સાંભળીને લલિતાદેવી કહેવા લાગી, “સખીમંદ ભાગ્યને કારણે મેં એને જે ત્યારથી મારું હૃદય ચંચળ બની ગયું છે. મારી આ અપરાધી આંખો એના પ્રત્યે જ આકર્ષાઈ છે.” દાસીએ કહ્યું, દેવી! વિષાદ ન કરો. તમારું પ્રિય કરવા માટે તેને હું કોઈ ન જાણે તેમ અહીં લાવીશ.” દેવીએ કહ્યું, “ખરેખર, આ શરીરના રક્ષણ નિમિતે તું યત્ન કર.” “ભલે” એમ કહીને તથા દેવીએ લખાવેલે પ્રેમપત્ર લઈને તે દાસી લલિતાંગ પાસે ગઈ. તેના દર્શનથી દેવીને ઉદ્દભવેલે ચિત્તવિકાર પણ દાસીએ લલિતાંગને કહ્યો. દાસીનું વચન સાંભળીને, જેણે પ્રેમપત્ર હાથમાં લીધો છે એ તે લલિતાંગ કહેવા લાગ્યું કે, “સુતનું ! મારા ઉપર ઘણું કૃપા થઈ, પરતુ ધરણિતલ ઉપર ચાલતો કયે પુરુષ ચન્દ્રલેખાને સ્પર્શ કરી શકે? અનિન્દ્રિત એવો કોણ શબને જુએ?” ત્યારે દાસીએ જવાબ આપે, સહાય વગરના માણસ પાસેથી હાથમાં આવેલી વસ્તુ પણ નાશ પામે છે, પરંતુ સહાયવાળા માટે કંઈ દુર્લભ નથી. આ વસ્તુની જવાબદારી હું માથે લઉં છું.” આમ કહી તે પાછી વળી ને તેણે દેવીને સર્વ હકીક્ત જણાવી. આ પછી તે બન્નેને મેળાપ કરાવવાનો ઉપાય વિચારીને પૂર્ણિમાના દિવસે “દેવીની તબિયત અસ્વસ્થ છે” એમ જણાવીને તેના ઉપચારને માટે આવતા લેપ કરનારાઓના છાથી તે લલિતાંગનો પેલી દાસીએ દેવીના વાસઘરમાં પ્રવેશ કરાવ્યો. અશંકિત એવો તે દેવીની સાથે વિષપભેગમાં આસક્ત રહેવા લાગ્યું. બીજી બાજુ અંત:પુરના મહત્તરકોએ આ વાત રાજાને જણાવી. આ બાબતની તપાસ શરૂ થઈ. નિપુણ દાસીએ આ વાત જાણી. પછી એ બને જણીઓએ પોતાના રક્ષણ માટે લલિતાંગને ખાળકૂવામાં નાખ્યો. એ અત્યંત અપવિત્ર કૂવાને જોઈને પોતાના જ્ઞાનની નિન્દા કરતો તે પરમદુઃખી વિચાર કરવા લાગ્યું, “જે અહીંથી હું બહાર નીકળે તો આવા વિષમ પરિણામવાળા ભેગનો હું ત્યાગ કરીશ.” પેલી બે જણઓ લલિતાંગ પ્રત્યેની અનુકંપાથી વધે એંઠવાડ ખાળકૂવામાં નાખતી. ભૂખના દુઃખથી અને પછી પરિચયથી એવો આહાર પણ તે ખાવા માંડ્યો. વર્ષાઋતુમાં ઘણાં પાણીથી પેલે કુ ઉભરાઈ ગયે, આથી એમાંનું પાણ-ખાળનું પાણી જે ખાઈમાં વાળેલું હતું ત્યાં-ચાલ્યું જાય એટલા માટે માણસોએ તે કૂવે ઉઘાડ્યો. પાણીના વેગથી ખેંચાતે લલિતાંગ એકદમ ખાઈના કિનારે નીકળે. તેના ઉપર એકદમ પવનની ઝપટે Page #68 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૧૭ ] વાગતાં મૂચ્છ પામ્યું. ત્યાં એને એની ધાત્રીએ જોયે. તેણે ન્હાવરાવીને સ્વસ્થ કરી ઘેર પહોંચાડ્યો. ઉપચાર કરવામાં આવતાં ધીરે ધીરે એણે પોતાના શરીરની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી. આ દષ્ટાન્તનો ઉપસંહાર-લલિતાંગ તે જીવ, દેવીના દર્શનનો સમય તે મનુષ્યજન્મ, દાસી તે ઈચ્છા, વાસઘરમાં પ્રવેશ તે વિષયપ્રાપ્તિ, અંત:પુરના અધિકારી રાજપુરુષો તે રોગ, શોક, ભય, શીત, ઉષ્ણતા આદિ પરિતાપ, કૂવે તે ગર્ભવાસ, એમાં એંઠવાડને પ્રક્ષેપ તે માતાએ ખાઈને પચાવેલા અન્ન-પાણીના સ્ત્રાવનો આહાર, કૂવામાંથી બહાર નીકળવું તે પ્રસવકાળ, ધાત્રી તે દેહને પુષ્ટિ આપનાર કર્મ–વિપાકની પ્રાપ્તિ. હે પ્રભવ! રૂપવિસ્મિત દેવી લલિતાંગને ફરી તેડાવે તો તે જાય ખરે?” પ્રભવે કહ્યું, “આટલું દુઃખ અનુભવ્યા પછી તે શી રીતે જાય?” જંબુકુમારે કહ્યું, “અજ્ઞાનને લીધે તથા વિષયભેગની ગુરુકતાથી કદાચ તે ફરી જાય પણ ખરે, જેવી રીતે વિષયાસક્ત અજ્ઞાની છે ગર્ભવાસમાં પ્રવેશે છે. પરંતુ બંધ અને મોક્ષનું સ્વરૂપ જેણે જાયું છે એ હું રાગ-દેષની પરંપરાને ફરી પ્રાપ્ત નહીં કરું.” ત્યારે પ્રભવ કહેવા લાગ્યું, હે સૌમ્ય ! સાંભળો, તમે કહ્યું છે તે બરાબર છે. પણ એક વિનંતી કરું છું. લોકધર્મ અનુસાર પતિએ પત્નીઓનું લાલન-પાલન કરવું જોઈએ, તો કેટલાંક વર્ષ સુધી આ વસ્તુઓ સાથે સુખ ભેળવીને પછી દીક્ષા લેવાનું તમારે માટે છાજતું ગણશે.જંબુકુમારે કહ્યું, “હે પ્રભવ ! સંસારમાં એવો કોઈ નિયમ નથી કે આ ભવમાં પત્ની અથવા માતા હોય તે બીજા ભાવમાં પણ પત્ની અથવા માતા થાય; એટલું જ નહીં પણ આ ભવમાં માતા હોય તે બીજા ભવમાં બહેન, પત્ની અથવા પુત્રી પણ થાય છે. બીજી બાબતમાં પણ એવો જ વિપર્યાલ છે કે–પતિ પણ પુત્ર થાય, પિતા પણ ભાઈ અથવા બીજું કંઈક થાય. તે જ પ્રમાણે કર્મને વશ એવો જીવ સ્ત્રી, પુરુષ અથવા નપુંસક થાય. હવે જે જીવ જન્માતમાં માતા, પુત્રી અથવા ભગિની હોય તેનું ભાર્યાના આચારથી લાલન-પાલન કેવી રીતે થઈ શકે?” પ્રભવે કહ્યું, “જન્માન્તરની વસ્તુસ્થિતિ તો જાણવી મુશ્કેલ છે; “પિતા અથવા પુત્ર” એ તો વર્તમાનને ઉદ્દેશીને જ કહેવામાં આવે છે” જંબુએ જવાબ આપે, “અજ્ઞાનના દે આવાજ છે, જેથી કરીને અકાર્યમાં પણ કાર્યની બુદ્ધિથી મનુષ્ય પ્રવર્તે છે, અથવા જાણવા છતાં પણ ભેગની , લોલુપતાથી અને સંપત્તિના સુખથી મોહિત થઈને અકાર્યમાં પ્રવર્તે છે. ભવાન્તરની ગતિને સંબંધ બાજુએ મૂકીએ તે પણ, એક ભવને પણ અજ્ઞાનમય વૃત્તાન્ત તું સાંભળ– એક-ભવના વિચિત્ર સંબંધે વિષે કુબેરદત્ત-કુબેરદત્તાનું કથાનક મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. પહેલા ગર્ભના દેહદથી ખેદ પામેલી એવી તેને તેની માતાએ વૈદ્યને બતાવી. વેવે કહ્યું, “એના ગર્ભમાં જેડલું છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : માટે જ દર્દ થાય છે, બાકી કઈ વ્યાધિ નથી.” આ પ્રમાણે ખરી હકીકત જાણીને તેની માતાએ કુબેરસેનને કહ્યું, “પુત્રિ! પ્રસવકાળે તને પીડા ન થાય એટલા માટે આ ગને ગાળી નાખવાનો ઉપાય હું શોધું છું. એથી તે વ્યાધિરહિત થઈશ, અને વિષયગમાં પણ વિધન નહીં આવે. ગણિકાઓને વળી પુત્ર-પુત્રીનું શું કામ છે?” પરંતુ તેણે માન્યું નહીં, અને કહ્યું, “જન્મશે ત્યારે હું બાળકનો ત્યાગ કરીશ.” ગ્ય સમયે તેણે પુત્ર અને પુત્રીને જન્મ આપે. માતાએ કહ્યું, “હવે આમનો ત્યાગ કર.” એટલે તેણે કહ્યું દશ રાત્રિ પછી કરીશ.” પછી તેણે “કુબેરદત્ત” અને “કુબેરદત્તા ” એ નામથી અંક્તિ બે મુદ્રાઓ કરાવી. દશ રાત્રિઓ પૂરી થતાં સુવર્ણ અને રત્નોથી ભરેલી બે નાની નાવડીઓમાં બાળકોને મૂકીને એ નાવડીઓને તેણે યમુના નદીમાં તરતી મૂકી દીધી. આ પ્રમાણે તરતાં એ બે બાળકને દેવગે સવારમાં શૌરિપુર નગરમાં બે ઈભ્યપુત્રોએ જયાં. નાવડીઓ ભાવી એકે છોકરો લીધે, બીજાએ છોકરી લીધી. “આ તે ધનયુક્ત છે” એ રીતે તુષ્ટ થયેલા તે બને બાળકોને પોતપોતાને ઘેર લઈ ગયા. બાળક અનુક્રમે ઉછરતે યુવાવસ્થાને પામ્યો. “ આ ગ્ય સંબંધ છે એમ માનીને કુબેરદત્તા કુબેરદત્તને આપવામાં આવી.. લગ્નના દિવસો વીતી ગયા બાદ વધુની સખીઓએ વરની સાથે ઘત રમવાનું ઠરાવ્યું. કુબેરદત્તના હાથમાંથી નામની મુદ્રા લઈને કુબેરદત્તાની આંગળીએ પહેરાવી. મુદ્રાને જોઈને કુબેરદત્તાને વિચાર થયે, “આ મુદ્રાઓમાં નામનું તેમજ મુદ્રાના આકારનું સામ્ય શાથી હશે ? કુબેરદત્તમાં મને ભરબુદ્ધિ થતી નથી તેમજ અમારો કોઈ પૂર્વજ આ નામધારી હોય એમ પણ સાંભળવામાં આવતું નથી. નક્કી આ બાબતમાં કંઈક રહસ્ય હશે.” એમ વિચારીને બને મુદ્રાઓ તેણે વરની આંગળીએ પહેરાવી. એ જોઈને તેને પણ આવો જ વિચાર છે. તે વધુને મુદ્રા પાછી આપીને માતાની પાસે ગયે, અને સેગન આપીને સાચી વાત પૂછી. તેણે યથાસ્થિત વાત કહી.” કુબેરદને કહ્યું, “માતા! તમે જાણવા છતાં આ અગ્ય કર્યું.” ત્યારે માતાએ જવાબ આપે, “પુત્ર અમે મોહવશ આ કામ કર્યું છે. જે થયું તે થયું. પણ પુત્ર! વધુ માત્ર પાણિગ્રહણ પૂરતી જ દૂષિત થઈ છે. એમાં કંઈ પાપ થયું નથી. પુત્રીને હવે પછી તેને ઘેર હું મોકલું છું. તું પ્રવાસે જા. ત્યાંથી પાછો આવીશ ત્યારે તારો વિશિષ્ટ સંબંધ કરીશું.” આમ કહીને કુબેરદત્તાને સ્વગૃહે મોકલી. તેણે પણ માતાને એ પ્રમાણે જ પૂછતાં તેની માતાએ પણ બધી હકીક્ત કહી. • આથી નિર્વેદ પામેલી કુબેરદત્તાએ શ્રમણ તરીકે દીક્ષા લીધી અને પ્રવર્તિનીની સાથે વિહાર કરવા લાગી. પ્રવર્તિનીના વચનથી પેલી મુદ્રા તેણે સાચવી રાખી. વિશુદ્ધ ચારિત્ર્યવાળી તે કુબેરદત્તાને અવધિજ્ઞાન થયું. કુબેરસેનાના ઘેર વસતા કુબેરદત્તને તેણે જે. “અહો ! અજ્ઞાનને કેવો દેષ છે!” એમ વિચારીને તે બન્નેના પ્રતિબંધને માટે Page #70 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૧૫ ] આર્યાઓની સાથે વિહાર કરતી મથુરા ગઈ, અને ત્યાં કુબેરસેનાના ઘરમાં વસતિ માગીને રહી. કુબેરસેનાએ વંદન કરીને કહ્યું, “આય! હું ગણિકા હોવા છતાં કુલવધુના જેવી ચેષ્ટાવાળી છું, માટે નિ:શંકપણે રહો.” ગણિકાને (કુબેરદત્તથી થએલ) એક નાને બાળક હતું, તેને તે વારંવાર સાથ્વી સમક્ષ લાવતી હતી. એ વખતે પ્રસંગ જાણીને તેઓના પ્રતિબંધ અર્થે બાળકને કુબેરદત્તા આ પ્રમાણે ઝુલાવવા લાગી— હે બાળક! તું મારો ભાઈ છે, દિયર છે, પુત્ર છે, મારી શેષનો પુત્ર છે, ભત્રીજે છે, કાકો છે; તું જેને પુત્ર છે તે પણ મારો ભાઈ, પતિ, પિતા, પિતામહ, સસરે અને પુત્ર છે; તું જેના ગર્ભથી ઉત્પન્ન થયો છે તે પણ મારી માતા, સાસુ, શેક્ય, ભેજાઈ, પિતામહી અને વહુ છે.” તેનું આવું હાલરડું સાંભળીને કુબેરદત્ત વંદન કરીને પૂછવા લાગ્યો કે, “હે આર્યા! આવી પરસ્પરવિરોધી અને અસંબદ્ધ વાણી કેમ અને કેને માટે છે? કે પછી બાળકને રમાડવા માટે આવું અયોગ્ય બોલે છો?” આર્યાએ કહ્યું, “શ્રાવક! આ સાચું જ છે.” પછી પોતે જે અવધિજ્ઞાનથી જોયું હતું તે એ બન્ને જણાને પ્રમાણપૂર્વક કહ્યું, અને મુદ્રા પણ બતાવી. આ સાંભળીને જેને અત્યંત તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એ કુબેરદત્ત અહે! અજ્ઞાનને લીધે મેં નહીં કરવાનું કામ કર્યું ” એ પ્રમાણે શોક કરતો બાળકને વૈભવ આપીને, આર્યાને નમસ્કાર કરી “તમે મને પ્રતિબોધ પમાડ્યો, હવે મારું હિત આચરીશ” એ પ્રમાણે કહી ત્યાંથી ત્વરાથી ચાલી નીકળે, અને સાધુની પાસે જઈ સાધુવેશ અને આચારને ધારણ કરી, જેનો વૈરાગ્ય ચલિત થયે નથી એવો તે ઉત્કૃષ્ટ તપ અને ઉપધાનવડે દેહને ક્ષપિત કરીને દેવલોકમાં ગયા. કુબેરસેના પણ ગૃહવાસને ગ્ય એવા નિયમો ધારણ કરીને અહિંસાપૂર્વક રહેવા લાગી. આર્યા પ્રવતિની પાસે ગઈ. પ્રભવ ! આ લોકોને આવી વસ્તુસ્થિતિ જાણ્યા પછી વિષયરોગ થાય ખરે?” પ્રભવે કહ્યું, “ક્યાંથી થાય?” જંબુએ કહ્યું, “એમાંથી કદાચ કઈ મૂઢતાથી પ્રમત્તપણે વિષયસેવન કરે, પણ મને તે ગુરુ પાસે પ્રમાણપૂર્વક વિષયના દેશે સાંભળ્યા પછી ભેગને અભિલાષ નહીં થાય.” ફરી પ્રભવે કહ્યું, “દેવ! તમારાં અતિશયવાળાં વચનેથી કયા સચેતન પ્રાણિને પ્રતિબંધ ન થાય? તે પણ યોગ્ય લાગે છે માટે કહું છું કે-ધન ભારે પ્રયત્નને પરિણામે મળે છે, તમારી પાસે વિપુલ ધન છે, તેને ઉપભેગા કરવાને માટે એક વર્ષ રહો. છ ઋતુઓના વિષયભોગમાં એ ધનનો વિનિયોગ કરવો ઠીક છે. ત્યારપછી પ્રત્રજ્યા લેશે તે તે યંગ્ય ગણાશે.” જંબુએ જવાબ આપે, “ધનનું સુપાત્રે દાન કરવાનું પંડિતો પ્રશંસે છે, અને નહીં કે વિષયભોગને માટે ધનનો ઉપયાગ. એ બાબતમાં તું કથાનક સાંભળ Page #71 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : અર્થના અનુચિત ઉપયોગ વિષે ગેપ યુવકનું દષ્ટાન્ત અંગ જનપદમાં અસંખ્ય ગાય અને ભેંસના માલીક એવા ગોવાળિયાઓ રહે છે. તેમના કુળને એક વાર ચેરેએ લૂંટયું. પ્રથમ પ્રસૂતા એક રૂપવતી તરુણુને બાળકને ત્યાગ કરાવીને તેઓ હારી ગયા. તેને તેમણે ચંપાનગરીમાં ગણિકા-હાટમાં વેચી. ગણિકાએ વમન-વિરેચનાદિ ઉપચારોથી તેની સારવાર કરી અને ગણિકાની કલાઓ શિખવી. એટલે એક લાખનું તેનું મૂલ્ય થયું. હવે અનુક્રમે ઉછરતાં યુવાવસ્થામાં આવેલ પેલે બાળક ઘીનાં ગાડાં ભરીને ચંપાનગરીમાં ગયો. ઘી વેચ્યું. ગણિકાનાં ઘરમાં સ્વછંદપણે ક્રીડા કરતા તરુણ પુરુષોને તેણે જોયા. તેણે વિચાર કર્યો, “આ પ્રમાણે ઇચ્છિત યુવતિ સાથે વિહાર ન કરું તે મારું ધન શા કામનું?” એમ જોતાં જોતાં જે ગણિકા પોતાની માતા હતી તે જ તેને ગમી. તેણે એને ઈચ્છિત શુક આપ્યું. હવે તે ગોપ યુવક સંધ્યાકાળે સ્નાન કરી અલંકાર પહેરીને પોતાની માતા જે ગણિકા હતી તેની પાસે જવા નીકળ્યા. અનુકંપાવાળી દેવતાએ વત્સ સહિત ગાયનું રૂપ ધારણ કરીને પોતાની જાતને એની સમક્ષ બતાવી. રસ્તામાં એને પગ વિષ્ટાથી ખરડાતાં તે પેલા વાછરડા ઉપર લુછવા માંડ્યો. એટલે વાછરડાએ મનુષ્યવાણીથી કહ્યું, “માતા! આ એક પુરુષ છે, જે અમેધ્યથી લીંપાયેલો પોતાનો પગ મારા ઉપર લુછે છે?” ગાયે કહ્યું, “વત્સ! ક્રોધ ન કરીશ. આ મંદભાગ્ય પિતાની માતા પાસે અકૃત્ય સેવવા માટે જાય છે, એવો માણસ તને આમ કરે એમાં કંઈ મોટી વાત નથી.” આમ કહીને તે અદશ્ય થઈ ગઈ. પેલા ગેપ બાળકે વિચાર કર્યો, “મારી માતાને ચોરે હરી ગયા હતા એમ સંભળાય છે. શું તે ગણિકા થઈ હશે? મને અહીંથી પાછો વળવા દે. અથવા તેને જ જઈને પૂછું.” આમ વિચારી ગણિકાને ઘેર પહોંચ્યો. ગણિકાએ નિમંત્રણ, ભજન, ગીત, વારિત્ર અને નૃત્યથી તથા હદયને હરી લે તેવા આદરથી તેનું રંજન કરવા પ્રયત્ન કર્યો, પણ જેણે કાર્યને નિશ્ચય કર્યો છે એવા તેણે કહ્યું, “આ બધું રહેવા દે, તારી ઉત્પત્તિ કહે.” તેણે જવાબ આપે, “જે નિમિત્તે ધન આપીને આવે છે તે મારા યુવતિગુણેના વિસ્તાર વિષે પૂછ. મારી કુલકથાનું તારે શું કામ છે?” તેણે કહ્યું, “ તારી ઉત્પત્તિનું જ મારે કામ છે, માટે કૃપા કરીને કંઈ છુપાવ્યા વગર તે કહે.” તેણે વિચાર્યું, “કહું? કંઈ દોષ તે નહીં થાય?” પછી તેણે માતા-પિતા અને સ્વજનનાં નામ સાથે નિશાનીપૂર્વક બધું કહ્યું. પ્રભવ! જે દેવતાએ પ્રતિબંધ કર્યો ન હોત તો એ ગોપ યુવકના ધનને ઉપયોગ કે થાત?” પ્રભવે જવાબ આપે, “એમાં મારે કંઈ કહેવાનું નથી. તમે જે કહો છો તે યોગ્ય છે.” જંબુકુમારે કહ્યું, “આ પ્રમાણે ખરી વાત જાણ્યા પછી તે ભેગાભિલાષી થાય ખરો?” પ્રભવે કહ્યું, “નહીં જ.” જંબુએ કહ્યું, “આ વસ્તુ પ્રતિબોધ પામેલાજાગેલાઓ માટે છે, ઊંઘતા માટે નથી. સર્વત્ર જ્ઞાન એજ પરિત્રાણ-રક્ષણ છે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૧૭ ] ફરી વાર પ્રણામ કરીને પ્રભવ વિનવવા લાગ્યા, “ સ્વામી ! તે લેાકધર્મ ને અનુરૂપ વન કરા, જેથી પિતાના ઉપકાર થાય. પિતાની પુત્રવિષયક તૃમિ વિચક્ષણ પુરુષા વર્ણવે છે કે—ઋણમાંથી મુક્ત' થયેલેા (જેણે પિતૃઋણ ફેડયુ એવા) પુરુષ વગ માં જાય છે. ’’ ત્યારે જ બુકુમારે કહ્યું, “ એ સાચી વાત નથી. ભવાન્તરમાં ગયેલા પિતાને પુત્ર ઉપકાર કરવાનો બુદ્ધિથી અપકાર પણ કરી નાખે છે. અને પિતાને જે કઇ શાન્તિ મળે તે પુત્ર તરફથી મળતી નથી, કારણ જીવા પાતે કરેલાં કર્માનું જ ફળ ભાગવનારા હાય છે. પિતાને ઉદ્દેશીને પુત્ર જે આપે તે ભક્તિ ખરી, પણ જેમ માણસના જન્મ પરાયત્ત છે, તેમ આહાર પણ પેાતાનાં કર્મના પરિપાક અનુસાર મળે છે. ( એમ ન માનીએ તે ) જેમના વંશ નાશ પામ્યા છે તેવા નિરાધાર અને અતૃપ્ત સ્થિતિવાળા જીવા સારાયે ભવિષ્યકાળમાં કેવી રીતે રહેવાના હતા ? પુત્ર આપેલું અન્નપાણી કે જે અચેતન છે તે પિતા પાસે કેવી રીતે જઇ શકે ? એ જ પ્રમાણે પિતાને ઉદ્દેશીને કરેલું પુણ્ય પણ તેને કેવી રીતે પહેાંચે ? પિતા અથવા પિતામહ કુન્થુ અથવા કીડી અથવા એવા નાના શરીરવાળા થયા હાય અને તે પ્રદેશમાં તેની તૃપ્તિ નિમિત્તે પુત્ર જળ છાંટે, તા તેમાં મરનારના ઉપકાર અથવા અપકાર થાય છે, એમ કેવી રીતે કહેવાય ? અથવા સાંભળ——— લાધમ ની અસ’ગતિ વિષે મહેશ્વરદત્તની કથા તામ્રલિપ્તિ નગરીમાં મહેશ્વરદત્ત નામે સાવાહ હતા. તેનેા સમુદ્રદત્ત નામે પિતા ધનના સંચય, સંરક્ષણ અને પરિવનના લાભમાં ગ્રસ્ત એવા મરણ પામ્યા, અને અતિશય માયાને કારણે એ જ પ્રદેશમાં પાડા થયા. માયા અને કપટમાં કુશળ એવી તેની બહુલા નામની શોચવાદી માતા પણ પતિશેાકથી મરણુ પામીને એ જ નગરમાં કુતરી થઇ. મહેશ્વરદત્તની પત્ની ગાંગલા વડિલેાથી સૂના તે ઘરમાં રહેતી, સ્વચ્છંદી બની ગઇ. એક વાર ઇચ્છિત પુરુષ સાથે સ ંકેત કરીને સાંજે તેની રાહ જોતી તે ઊભી હતી. આયુધ સાથે તે સ્થળે આવેલા એ પુરુષ મહેશ્વરદત્તની નજરે પડયા. તે પુરુષે પેાતાની જાતના રક્ષણ માટે મહેશ્વરદત્તને મારી નાખવાનેા વિચાર કર્યો, પણ મહેશ્વરદત્તે લઘુસ્તપણે તેને ગાઢ પ્રહાર કરતાં થાડેક દૂર જઇને તે પડયા, “ અહા ! મને મદ ભાગ્યને અનાચારનું આ ફળ મળ્યું, ” એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક પેાતાની નિન્દા કરતા તે મરણુ પામ્યા, અને ગાંગિલાના ઉદરે પુત્ર તરીકે જન્મ્યા અને એક વર્ષના થતાં મહેશ્વરદત્તને પ્રિય પુત્ર થયા. ૧. અહીં ‘ ઋણ ’ના અં લૌકિક ‘દેવુ...' નહીં, પણ પિતૃઋણ છે. વૈદિક પરંપરા અનુસાર, દરેક મનુષ્ય ત્રણ ઋણ ફેડવાનાં છે: ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ, ઋષિઋણ બ્રહ્મચર્ય વડે, દેવઋણ યજ્ઞા કરવાવડે અને પિતૃઋણ પુત્ર ઉત્પન્ન કરવાવડે. અર્થાત્ પેાતાની પાછળ શ્રાદ્ધાંજલિ આપવા માટે પુત્રને મૂકી જનાર પુરુષ સ્વર્ગીમાં જાય છે; એટલે પિતાનાં ઉત્તરકાર્યાં કરવા પુત્રે સંસારમાં રહેવુ જોઇએ, એમ પ્રભવ કહે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : - - એક વાર પિતાનું શ્રાદ્ધ આવતાં મહેશ્વરદત્તે પેલા પાડાને ખરીદીને મારી નાખે. આ પ્રમાણે પિતાના માંસની વાનીઓ બની, અને તે લોકોને પીરસવામાં આવી. બીજા દિવસે તે માંસ તથા મધનો સ્વાદ લેતા મહેશ્વરદત્ત પુત્રને ખેાળામાં લઈને પોતાની માતા જે કુતરી થયેલી હતી તેને માંસના ટુકડા નાખવા માંડે. કુતરી ૫ણ તે સંતોષપૂર્વક ખાવા માંડી. એ વખતે કઈ સાધુ માસક્ષપણુના પારણા નિમિત્તે તે ઘરમાં પ્રવેશ્યા, અને અત્યંત પ્રસન્ન મહેશ્વરદત્તને તેમણે જે. એવી અવસ્થાવાળા તેને અવધિજ્ઞાનથી જાણીને તે વિચારવા લાગ્યા, “અહો ! અજ્ઞાનને કારણે આ માણસ શત્રુને ખોળામાં લઈને બેઠો છે, પિતાનું માંસ ખાય છે અને કુતરી(પિતાની માતા)ને તે ખવરાવે છે.” “અકાય” એમ બોલીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. મહેશ્વરદતે વિચાર્યું, “ભિક્ષા લીધા વગર જ, “અકાર્ય” એમ બોલી સાધુ કેમ ચાલ્યા ગયા?” પછી શોધતો શોધતો તે સાધુ પાસે આવ્યો અને એકાન્ત પ્રદેશે તેમને જોઈને પૂછવા લાગ્યો, “ભગવાન ! મારા ઘેર આપે ભિક્ષા કેમ ન લીધી? જે કારણ હોય તે કહે.” સાધુએ કહ્યું, “ શ્રાવક! તારે ક્રોધ ન કરવો.” પછી તેમણે તેના પિતાનું રહસ્ય, પત્નીનું રહસ્ય અને શત્રુનું રહસ્ય યથાસ્થિત અભિજ્ઞાનપૂર્વક કહ્યું. તે સાંભળીને જેને સંસાર ઉપર નિર્વેદ થયો છે એવો તે મહેશ્વરદત્ત ગૃહવાસને ત્યાગ કરીને એ જ સાધુની પાસે પ્રત્રજિત થયે. હે પ્રભવ! કાચાર તો આ પ્રકારનો છે. તેને પ્રમાણભૂત માનતા કોઈ માણસ અજ્ઞાનને લીધે માનનીય હોય તેને પીડા આપે, અકાર્યમાં કાર્યબુદ્ધિ રાખે અને જે કરવા ગ્ય હોય તેને ત્યાગ કરે, પરંતુ જ્ઞાની એમ ન કરે. આ પ્રમાણે કાચાર તે વિષને જ અનુકૂળ છે. સંસાર દુઃખથી ભરેલો છે એમ જાણુતા મનુષ્ય મોક્ષ માટે ઉદ્યમ કરવું જોઈએ. આ સંસારની અંદર, નારક ભવમાં જેની ઉપમા પણ ન આપી શકાય અને જેમને પ્રતિકાર પણ ન કરી શકાય એવાં નિરંતર દુઃખો છે; તિર્યંચમાં ટાઢ, તાપ અને ભૂખ આદિ સ્વપક્ષ અને પરપક્ષથી પેદા થયેલાં દુઃખો છે; મનુષ્યભવમાં દારિદ્ર, દુર્ભાગ્ય, નીચ, ઊંચ અને મધ્યમના ભેદે, પારકાના હુકમે સહન કરવા તથા પ્રિયજનના વિયાગરૂપ દુખે છે, દેવભવમાં કિલિબષિક, આભિગિક (આદિ અધમ દેવકેટિઓ), બીજા દેવોની સમૃદ્ધિનું દર્શન તથા યુત થવાને ભય આદિ દુઃખ છે, તેથી ઉદ્વેગ પામતા પ્રાણીએ જિનેશ્વરે ઉપદેશેલે નિર્વાણપંથ સેવ.” ત્યારે પ્રભાવે પૂછયું, “વામી! વિષયસુખ અને સિદ્ધિસુખ વચ્ચે શું અંતર Page #74 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૧૮ ] હશે?” જંબુકુમારે જવાબ આપે, “સિદ્ધિસુખ નિરુપમ છે, દેવસુખથી પણ અનંતગણું નિર્વિપ્ન છે એમ કહેવાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ શરીરને આશ્રીને રહેલી પીડાઓ છે, જ્યાં સુધી મન છે ત્યાં સુધી માનસિક આપત્તિઓ અને દુઃખને સમૂહ છે. “બાણ તેના લક્ષ્યમાં જ પડે છે” એમ માનતા અને ભેજન, પાન, વિલેપન, અશન આદિ ભેગને સુખ તરીકે ક૫તા માણસે દુઃખને જ મેળવે છે એમ જાણવું. એ બાબતમાં આ દષ્ટાન્ત સાંભળ– દુખમાં સુખકલપના વિષે વાણિયાનું દાન એક વાણિયા માલનાં અસંખ્ય ગાડાં ભરીને સાર્થની સાથે અટવીમાં પ્રવેશ્યો. તેણે એક પથ્થર ઉપર લેવડદેવડના વ્યવહારની અનુકૂળતા માટે પણ (નાના સિક્કાઓ-પરચુરણ) ભર્યા હતા. એ ખચ્ચર આડે માર્ગે જતાં તેની ગુણ ફાટી ગઈ, અને સિકકાઓ જમીન ઉપર વેરાઈ ગયા. આ જોઈને વાણિયાએ પોતાનાં ગાડાં ભાવ્યાં અને તે અને તેના માણસેએ સિક્કા ભેગા કરવા માંડયા. એટલામાં ભેમિયાઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું, “ગાડાંઓને આગળ ચાલવા દો. કેડીને માટે કરડેને શું કામ જોખમમાં મૂકો છો ? શું તમને ચેરનો ભય લાગતું નથી?” ત્યારે વાણિયે કહેવા લાગ્યો, “ભવિષ્યને લાભ તો સંદિગ્ધ છે; જે વિદ્યમાન છે તેને ત્યાગ શું કામ કરું?” એટલે બાકીને સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને વાણિયાને માલ ચોરોએ લૂંટી લીધે. એ પ્રમાણે જે માણસ મોક્ષસુખના સાધનની ચિન્તા વિષયને વશ થઈને મૂકી દે છે તે સંસારમાં પડીને, જેને કીમતી માલ લૂંટાઈ ગયે હતા એવા વાણિયાની જેમ, બહુ કાળ સુધી શેક કરશે.” આ બધું સાંભળીને “હું તમારો શિષ્ય છું, તમે મને મોક્ષમાર્ગ દર્શાવ્યું” એમ કહીને પ્રભાવ જંબુકુમારને પગે પડ્યો. જંબુકુમારે પણ “ભલે” એમ કહ્યું. પછી જંબુકુમારે રજા આપતાં ત્યાંથી નીકળીને પ્રભાવ વૈભારગિરિ ઉપર જઈને રહ્યો. સવાર પડતાં જેમણે પુત્રની પ્રવજ્યા વિષે નિશ્ચય કર્યો છે એવાં માતા-પિતાએ તેને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું અને અલંકાર પહેરાવ્યા. જંબુદ્વીપના અધિપતિ દેવે જેનું સાન્નિધ્ય કર્યું છે એ જંબુકુમાર એક હજાર પુરુષવડે વહન કરાતી શિબિકામાં બેઠે. પછી પિતાના કુલના તિલક સમાન જંબુકુમાર વિમિત મનવાળા કેવડે પ્રશંસા કરાતો, અને કુબેરની જેમ મણિ અને સુવર્ણની વૃષ્ટિ કરતો ભારે વૈભવપૂર્વક ગણધરની પાસે પહોંચે. શિબિકામાંથી ઉતર્યો ત્યાં કેશ અને આભરણ ત્યાગ કરીને સુધર્માસ્વામી ગણધરને પગે પડ્યો, અને કહ્યું, “ભગવાન ! સ્વજન સહિત મને તારો.” પછી તેને વિધિપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેની પત્નીઓ તથા માતા પણ સુત્રતા આર્યાની Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] વસુદેવ-હિડી : : પ્રથમ ખંડ : શિષ્યા થઈ. રાજાની અનુજ્ઞા લઇને ગુરુએ જ ખુસ્વામીને શિષ્ય તરીકે પ્રભવ આપ્યા. પૂર્વ સહિત સામાયિક આદિ શ્રુત જ સ્વામીએ જ્ઞાનાવરણુના ક્ષાપશમની લબ્ધિથી થાડા કાળમાં ગ્રહણ કરી લીધું', પ્રભવ પણ સાધુપણાને સારી રીતે પાળવા લાગ્યા. ભગવાન્ પાંચમા ગણધર પણ ગણુ સહિત વિહાર કરતા ચંપાનગરી પહોંચ્યા અને ત્યાં પૂર્ણ ભદ્રં ચૈત્યમાં સમેાસર્યો. કાણિક રાજા ત્યાં વંદન કરવા માટે આવ્યા. પ્રણામ કરીને જંબુસ્વામીના રૂપદર્શનથી વિસ્મિત એવા તે રાજા ગણધરને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! આ પદામાં આ સાધુ ઘીવડે છટાયેલા અગ્નિ જેવા પ્રતાપી અને મનેાહર શરીરવાળા દેખાય છે, તેા એમણે એવુ` કેવુ શીલ પાત્યુ' હતું, તપ કર્યું. હતુ` કે કેવા પ્રકારનું દાન આપ્યુ હતુ, જેથી એમની આવી તેજ:સંપત્તિ છે ? ” ત્યારે ભગવાને કહ્યુ, “ હું રાજન્! જ્યારે તારા પિતા શ્રેણિક રાજાએ ભગવાન્ મહાવીરસ્વામીને પૂછ્યું ત્યારે ભગવાને જે કહ્યું હતું તે સાંભળ—— પ્રસન્ના' અને વલ્કલચીરીના સંબધ તે સમયે અરહંત ભગવાન્ ગુણુશીલ ચૈત્યમાં સમેાસર્યા હતા. તીર્થંકરના દર્શીન માટે ઉત્સુક શ્રેણિકરાજા વંદન કરવાને માટે નીકળ્યેા. તેના અગ્રાનીક (આગળના રસાલા)માંના પેાતાના કુટુંબ સંબધી વાતા કરતા એ પુરુષાએ એ હાથ ઊંચા રાખીને એક ચરણુ ઉપર ઊભા રહીને આતાપના લેતા એક સાધુને જોયે. તેમાંના એકે કહ્યુ, “ અહા ! મહાત્મા ઋષિ સૂર્યની સામે ઊભા રહીને આતાપના લે છે; નક્કી સ્વર્ગ અથવા મેાક્ષ એને હસ્તગત છે. ” બીજાએ પેલા ઋષિને એળખ્યા અને કહેવા લાગ્યા, “ અરે, તુ શું નથી જાણતા ? આ તેા રાજા પ્રસન્નચંદ્ર છે. એને ધર્મ ક્યાંથી હેાય ? બાળક પુત્રને એણે રાજ્ય ઉપર સ્થાપન કર્યા, તેને હવે મંત્રીએ પદભ્રષ્ટ કરે છે. આ રીતે આણે પેાતાના વંશના વિનાશ કર્યાં છે. કેાણુ જાણે એના અંત:પુરનું શું થશે ? 'ધ્યાનમાં વિદ્મ કરનારું આ વચન પ્રસન્નચંદ્રના કાન સુધી પહાંચ્યું. તે વિચાર કરવા લાગ્યા, “ અહા ! આ અમાત્યા કેવા અનાય છે ? મે' દરરાજ જેમનું સન્માન કર્યું હતુ એવા તે મારા પુત્રની જ સામે પડ્યા છે. જો હું ત્યાં હાજર હેાત અને તેમણે આવુ કર્યુ હત તા જરૂર તેમને ખરાખર શિક્ષા કરત, આવા સંકલ્પ કરતા તે પ્રસન્નચંદ્રની આગળ જાણે તે પ્રસંગ સાક્ષાત્ વિદ્યમાન થયા. પેલા અમાત્યા સાથે તે મનથી જ યુદ્ધ કરવા લાગ્યા. "" : એટલામાં શ્રેણિક રાજા તે સ્થળે આવ્યેા. વિનયપૂર્વક ઋષિને વંદના કરી, અને ધ્યાનિશ્ચલ એવા તેમને જોયા. ‘ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું તપમાં આટલું સામર્થ્ય ખરેખર આશ્ચર્યજનક છે' એમ વિચાર કરતા તે તીર્થંકર પાસે પહેાંત્મ્યા. વંદન કરીને તેણે ભગવાનને વિનયપૂર્વક પૂછ્યું, “ ભગવન્ ! પ્રસન્નચંદ્ર અણુગારને જે સમયે મેં વંદન કર્યું. તે સમયે તેઓ કાળ કરત તેા કયી ગતિમાં જાત ? ” ભગવાને કહ્યું, સાતમા ። 66 Page #76 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૨૧ ] ,, ** નરકમાં, ” સાધુને નરકગમન કયાંથી હાય ? ’ એમ વિચારીને રાજા ફરી પૂછવા માંડ્યો, 66 ભગવન્ ! પ્રસન્નચંદ્ર અત્યારે કાળ કરે તા કયી ગતિમાં જાય ? ’ ભગવાને કહ્યું, “ અત્યારે તે સર્વાર્થસિદ્ધિમાં જવાને ચેાગ્ય છે. ” રાજાએ પ્રશ્ન પૂછ્યા, “ તપસ્વીને માટે એક વાર નરકગતિ અને બીજી વાર દેવગતિ એમ દ્વિવિધ ઉત્તર આપે શાથી આપ્યા ? ભગવાને કહ્યું, “ યાનિશેષે કરીને તે સમયે અને અત્યારે તેણે અનુક્રમે અશાત અને શાતકના સ્વીકાર કર્યાં હતા. ” શ્રેણિકે પૂછ્યું, “ કેવી રીતે ? ” ભગવાને કહ્યુ, “ તારા અગ્રાનીકના પુરુષાના મુખથી પેાતાના પુત્રના પરાભવ સાંભળીને જેણે પ્રશસ્ત ધ્યાનના ત્યાગ કર્યો એવા તે જ્યારે તે એને વંદન કર્યું ત્યારે પોતાના અમાત્યરૂપી શત્રુઓ સાથે મનથી યુદ્ધ કરતા હતા; અને તેથી કરીને તે કાળે નારકગતિને ચેાગ્ય હતેા. તુ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારપછી જેની ક્રિયાની શક્તિ જાગ્રત થઇ છે એવા તે ‘ મારા શિરસ્ત્રાણુથી શત્રુઓને મારું'' એમ વિચારીને પેાતાના લેાચ કરેલા માથા ઉપર હાથ મૂકતાં પ્રતિમાધ પામ્યા કે, “ અહા ! હું મારા કાર્યના ત્યાગ કરીને બીજાને ખાતર તિર્જનાથી વિરુદ્ધ એવા માર્ગોમાં ઉતરી પડ્યો. ” આમ પેાતાની જાતની નિંદા અને ગણુા કરતા તેણે ત્યાં જ મને પ્રણામ કરીને આલેચના લીધી અને પ્રતિક્રમણ કર્યું. અત્યારે તે પ્રશસ્ત ધ્યાની છે. તે અશુભ કર્મ તેણે ખપાવ્યું છે અને શુભ કર્મનું ઉપાર્જન કર્યું છે. આથી તેને માટે જુદા જુદા સમયે મેં એ જુદી જુદી ગતિના નિર્દેશ કરેલ છે. ” ત્યારે કૂણિક રાજાએ પૂછ્યું, “ ભગવન્ ! ખાળકુમારને રાજ્ય સોંપીને પ્રસન્નચંદ્ર રાજાએ શાથી દીક્ષા લીધી? તે હું સાંભળવા ઇચ્છું છું.” ત્યારે ભગવાને(સુધર્માસ્વામીએ) કહ્યું— “ પાતનપુરમાં સેામચંદ્ર રાજા હતા. તેની ધારિણી દેવી હતી. તે એક વાર ઝરૂખામાં એસીને પેાતાના પતિનું માથું ઓળતી હતી, તે વખતે સફેદ વાળ જોઈને તેણે કહ્યું, “ સ્વામી ! તુ આવી ગયેા છે. ” રાજાએ આમતેમ નજર નાખી, પણુ કાઇ નવા માણસ તેના જોવામાં ન આવ્યેા. એટલે તેણે રાણીને કહ્યું, “ દૈવિ ! તને દિવ્ય ચક્ષુ મળ્યાં હાય એમ જણાય છે. ” ત્યારે રાણીએ સફેદ વાળ બતાવીને કહ્યું, “ આ ધકૃત આળ્યેા છે. ” એ જોઈને રાજાએ રુદન કર્યું. ઉત્તરીયથી તેનાં આંસુ લૂછતી દેવીએ કહ્યું, “ જો વૃદ્ધપણાથી લજજા પામતા ા તા પિરજનાને દૂર કરી. ” ત્યારે રાજાએ કહ્યું. “ વિ ! એમ નથી. ‘ કુમાર બાળક હાઈ પ્રજાપાલનમાં અસમર્થ છે, ' એમ વિચાર કરતાં મને ગ્લાનિ થઇ. ‘ પૂર્વ પુરુષાના માર્ગે હું ગયા નહીં' એટલેા જ વિચાર મને આન્યા છે. તું પ્રસન્નચંદ્રની રક્ષા કરતી અહીં જ રહે. ” પણ રાણીએ તેા તેની સાથેજ દીક્ષા લેવાના નિશ્ચય કર્યો હતા. " * ત્યારપછી પુત્રને રાજ્ય આપીને ધાત્રી અને દેવી સાથે રાજાએ દિશાપ્રેાક્ષક તાપસ (તાપસની એક જાતિ ) તરીકે દીક્ષા લીધી, અને એકાન્ત આશ્રમમાં રહેવા લાગ્યા. દીક્ષા Page #77 -------------------------------------------------------------------------- ________________ [ રર ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: લીધા પહેલાં રાણીને ગર્ભ રહેલ તે વધવા માંડ્યો. ચાર પુરુષોએ પ્રસન્નચંદ્રને આ હકીકત જણાવી. પૂરા દિવસે રાણીએ કુમારને જન્મ આપે, અને તેને વલ્કલમાં મૂક્યો હતો તેથી વકલચીરી એવું તેનું નામ પાડ્યું. સૂતિકાગથી રાણી મરણ પામી. ધાત્રીએ કુમારને વગડાઉ ભેંસના દૂધથી ઉછેરવા માંડ્યો. થોડા સમય પછી ધાત્રી પણ મરણ પામી. પછી વકલચીરીને કષિ કમંડળમાં લઈને ફરવા માંડ્યા. વકલચીરી મોટો થતાં તેનું આલેખન કરીને ચિત્રકારોએ પ્રસન્નચંદ્રને બતાવ્યું. તેણે ભાઈ પ્રત્યેના સ્નેહથી ગણિકાપુત્રીઓને તાપસનું રૂપ ધારણ કરાવીને ‘ખાંડના લાડુરૂપી વિવિધ ફળવડે વકલચીરીને લોભાવીને અહીં લાવો” એવી સૂચના આપીને આશ્રમમાં મોકલી. તે ગણિકાપુત્રીઓએ મધુર ફળ, મધુર વચન અને સુકુમાર, ઉન્નત અને પુષ્ટ સ્તનના સ્પર્શવડે વલકલચીરીને ભાવ્યો. સંકેત પ્રમાણે ત્યાંથી જવાના વખતે જ્યારે તે પિતાનાં તાપસનાં ઉપકરણે મૂકવા ગયે ત્યારે વૃક્ષ ઉપર બેઠેલા ચાર પુરુષોએ નિશાની કરી કે “ઋષિ આવ્યા છે.” આથી પેલી ગણિકાપુત્રીઓ ત્યાંથી એકદમ નાસી ગઈ. વકલચીરી તેમનાં પગલાં જેતે જેતે પાછળ ચાલ્યા. અટવીમાં ભમતા એવા તેણે રથમાં બેઠેલા એક પુરુષને જોઈને કહ્યું, “તાત! વંદન કરું છું.” ત્યારે પેલા રથવાળાએ પૂછયું, “કુમાર! કયાં જવું છે?” વકલચીરીએ જવાબ આપે કે, “મારે પિતનપુર નામના આશ્રમમાં જવું છે.” પેલા પુરુષને પણ પિતનપુર જવું હતું, એટલે તેણે કહ્યું કે, “ચાલો આપણે સાથે સાથે જઈએ.” પછી વટકલચીરી રથવાળાની પત્નીને પણ “તાત!” એ પ્રમાણે સંબોધન કરવા લાગ્યું. પેલીએ કહ્યું, “આ તે કયા પ્રકારને વિનય છે?” રથવાળાએ કહ્યું, “સુન્દરિ ! સ્ત્રીઓથી રહિત એવા આશ્રમમાં આ ઉછરેલે હોવાથી સ્ત્રી-પુરુષને ભેદ જાણતા નથી, માટે એના ઉપર ક્રોધ ન કરવો જોઈએ.” પછી વલકલચરી રથના ઘડાઓને જોઈને પૂછવા લાગ્યો, “આ મૃગલાઓને કેમ જોડ્યા છે?” સારથિએ કહ્યું, “કુમાર ! આ મૃગોને આ કાર્યમાં જ ઉપયોગ થાય છે. એમાં કંઈ દોષ નથી.” પછી રથવાળાએ વલ્કલચીરીને લાડુ આપ્યા, તે જોઈને તેણે કહ્યું, “પિતનપુરવાસી ઋષિકુમારોએ પણ મને અગાઉ આવાં જ ફળ આપ્યાં હતાં.” રસ્તે ચાલતાં તેમને એક ચાર સાથે યુદ્ધ થયું. રથવાળાએ ચાર ઉપર જમ્બર પ્રહાર કર્યો તેની શસ્ત્રચાતુરીથી પ્રસન્ન થએલા ચોરે કહ્યું, “મારી પાસે વિપુલ ધન છે. તે હે સૂર! તું લઈ લે.” ત્યારપછી ચારે બતાવેલા ધનથી એ ત્રણે જણે રથ ભર્યો. અનુક્રમે તેઓ પિતનપુર પહોંચ્યા. ત્યાં રથિકે વકલચીરીને ઉતાર્યો અને કેટલુંક ધન આપીને કહ્યું કે, “તારું રહેઠાણ શોધી લે.” તે ફરતો ફરતે ગણિકાગ્રહ આગળ પહેર્યો અને ત્યાં ગણિકાને કહ્યું, “તાત! વંદન કરું છું. આ મૂલ્ય લઈને મને અહીં રહેવા દે.” ગણિકાએ કહ્યું, “તમને આવાસ આપીશું. અહીં બેસો.” પછી ગણિકાએ હજામને બેલા. વલકલચીરીએ આનાકાની કરવા છતાં તેના નખ કાપ્યા અને હજામત Page #78 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૨૩ ] કરી. તેનાં વકલ ઉતારી લેવામાં આવ્યાં અને વસ્ત્રાભરણ પહેરાવીને ગણિકાપુત્રીની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. “મારે આ ઋષિવેશ દૂર કરશે નહીં” એમ બેલતા વલકલચીરીને ગણિકાઓ કહેવા લાગી કે, “જે કે આવાસની ઈચ્છાવાળે અહીં આવે છે તેને આ રીતે જ સત્કાર કરવામાં આવે છે. ” પછી તે ગણિકાઓ વધૂ-વરનાં ધવલમંગલ ગાવા લાગી. હવે, વલ્કલચીરીને લોભાવવા માટે ઋષિવેશધારી જે ગણિકાપુત્રીઓને વનમાં મેકલવામાં આવી હતી તે આવીને પ્રસન્નચંદ્રને કહેવા લાગી કે, “કુમાર તે વનમાં ચાલ્યા ગયા. ઋષિના ભયને લીધે અમે તેમને બોલાવી શક્યાં નહીં.” ત્યારે વિષાદ પામેલે રાજા વિચાર કરવા લાગ્યો કે, “અહો ! અકાર્ય થયું. કુમાર પિતા પાસે ગયો નથી, અહીં પણ આવ્યો નથી, તે કોણ જાણે કયાં ગયે હશે?” આ પ્રમાણે ચિન્તા કરતે બેઠે, એટલામાં તેણે મૃદંગને શબ્દ સાંભ. શ્રવણને દુઃખ આપનાર એ શબ્દ સાંભળીને તેણે કહ્યું, “હું જ્યારે દુઃખી છું ત્યારે કયે સુખી સંગીત-વિનોદ કરે છે?” ગણિકાને તેના હિતવી કઈ માણસે આ જણાવ્યું. એટલે ગણિકા ત્યાં આવી અને પ્રસન્નચંદ્ર રાજાને પગે પડીને કહેવા લાગી કે, “દેવ ! મને નૈમિત્તિકે કહ્યું હતું કે-જે તાપસરૂપી તરુણ તારે ઘેર આવે તેને જ તારી પુત્રી આપજે. તે ઉત્તમ પુરુષ છે અને તેની સાથે તારી પુત્રી ઘણું સુખ પામશે.” નૈમિત્તિકે કહ્યું હતું તે પ્રમાણે તે પુરુષ આજે મારે ઘેર આવ્યું. તેને ફલાદેશ પ્રમાણભૂત માનતી એવી મેં તાપસને કન્યા આપી; અને કુમાર જડતા નથી ” એ હકીકત જાણતી નહોતી તેથી આ લગ્ન નિમિત્તે ઉત્સવ કર્યો હતા. મારો આ અપરાધ ક્ષમા કરો.” જેમણે આશ્રમમાં કુમારને જે હતે એવા માણસોને રાજાએ મેકલ્યા. તેમણે કુમારને ઓળખ્યો અને આ પ્રિય વસ્તુ રાજાને નિવેદન કરી. અત્યંત પ્રસન્ન થયેલો રાજા તેને વધુ સહિત પોતાના મહેલમાં લઈ ગયે, સરખા કુલ, રૂપ અને યૌવન ગુણોવાળી રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું અને અર્થે રાજ્ય આપ્યું. વલ્કલચીરી યથેચ્છ સુખથી રહેવા લાગ્યા. પેલે રથિક ચરે આપેલું ધન વેચતો હતો તેને રાજપુરુષોએ ચોર ધારીને પકડ્યો. વકલચીરીએ પ્રસન્નચંદ્રને બધી હકીક્ત કહીને તેને છોડાવ્યા. આ તરફ, આશ્રમમાં કુમારને નહીં જોતા એવા સોમચંદ્ર ઋષિ શેકસાગરમાં ડૂબી ગયા. પછી પ્રસન્નચંદ્ર મોકલેલા દૂતો દ્વારા વકલચીરી નગરમાં ગયે છે એમ જાણીને તેને કંઈ ધીરજ આવી; અને પુત્રનું સ્મરણ કરતા તે અંધ બની ગયા. અનુકંપાવાળા બીજા ઋષિઓ તેમને ફળાહાર આપવા માંડ્યો. એ રીતે સોમચંદ્ર એ જ આશ્રમમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે બાર વરસ વીતી ગયા બાદ એક વાર વિકલચીરીકુમાર અર્ધ રાત્રે જાગી ગયે અને પિતાને યાદ કરવા લાગ્યા. “દયા વગરના મારા જેવા પુત્રથી વિખુટા પડેલા Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - - ----- - - - - - - - -- -- --- --- --- - - [ ૨૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પિતા કેવી રીતે રહેતા હશે?” એમ વિચારતાં પિતાના દર્શન માટે ઉત્સુક બને તે પ્રસન્નચંદ્ર પાસે જઈને પગે પડી કહેવા લાગ્યો, “દેવ! મને રજા આપો. પિતાને મળવા માટે હું ઉસુક થયે છું.પ્રસન્નચંદે કહ્યું, “આપણે બે સાથે જ જઈએ.” પછી તેઓ આશ્રમમાં ગયા. ત્યાં સોમચંદ્ર ષિને નિવેદન કરવામાં આવ્યું કે, “ પ્રસન્નચંદ્ર પ્રણામ કરે છે.” પિતાને પગે પડેલા પ્રસન્નચંદ્રને ષિએ પોતાના હાથવડે પંપાળીને પૂછ્યું, પુત્ર! તું નીરોગી છે?” પછી વકલચીરીને આલિંગન કરીને લાંબા કાળથી ધારણ કરી રાખેલાં અશ્રુ પાડતાં એ ઋષિનાં નયન ખુલી ગયાં અને પિતાના અને પુત્રને પરમ પ્રસન્ન થયેલા તેમણે જોયા, તથા સર્વ રાજ્યનું કુશળ પૂછયું. “લાંબા કાળથી જેની સંભાળ લેવાઈ નથી એવાં પિતાનાં ઉપકરણે કેવાં થઈ ગયાં છે, એ તો જે” એમ વિચાર કરતાં વકલચીરી ઝુંપડીમાં ગયે; અને યતિ જેમ પાત્રકેસરિકાથી પાત્ર સાફ કરે તેમ પિતાનાં ઉત્તરીયથી એ ઉપકરણે સાફ કરવા માંડ્યો. “આ જ પ્રકારનું કાર્ય આ પહેલાં મેં કયાં કર્યું છે? ” એ પ્રમાણે સ્મરણ કરતાં એ કાળે આવરણના ક્ષયથી તેને જાતિસ્મરણ-પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી તે પિતાના પૂર્વકાળના દેવ-મનુષ્યના ભવ અને પૂર્વે પામેલું સાધુપણું સ્મરવા માંડ્યો, અને સ્મરીને વૈરાગ્ય પામ્યો. ધર્મધ્યાનના વિષયથી પર બનેલે તથા જેને વિશુદ્ધ પરિણામ થયે છે એ તે બીજા શુકલ ધ્યાનની ભૂમિકા ઓળંગી ગયે અને મેહનીય કર્મ, જ્ઞાનાવરણ–દર્શનાવરણ કર્મ અને ઘાતી કર્મ જેનાં ક્ષય પામ્યાં છે એવા તેને કેવલજ્ઞાન થયું અને તે સાધુ બન્યો. પિતાના પિતાને તથા પ્રસન્નચંદ્ર રાજાને તેણે જિનેપદિષ્ટ ધર્મ કહો. જેમણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એવા તે બન્નેએ “આપે એગ્ય માર્ગ બતા” એમ કહીને પિતાના મસ્તકથી કેવલીને પ્રણામ કર્યા. પ્રત્યેકબુદ્ધ (જેને કઈ એક નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થયું છે) એ વલ્કલચીરી પિતાને લઈને મહાવીર વર્ધમાન સ્વામીની પાસે ગયે. પ્રસન્નચંદ્ર પણ પિતાના નગરમાં ગયે. પિતાના ગણ સહિત વિહાર કરતા જિન ભગવાન પિતનપુરમાં મનરમ નામના ઉદ્યાનમાં સમોસર્યા. વકલચીરીનાં વચનથી જેને વૈરાગ્ય પેદા થયેલ છે તથા તીર્થંકરની પરમ મનહર વાણીરૂપી અમૃતથી જેને ઉત્સાહ વૃદ્ધિ પામ્યા છે એવા પ્રસન્નચંદ્ર બાળક પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને સાધુ બન્યા. જેણે સૂત્ર અને અર્થ જાણ્યાં છે તથા તપ અને સંયમથી જેની મતિ શુદ્ધ બની છે એવા પ્રસન્નચંદ્ર મગધાપુર(રાજગૃહ)માં આવ્યા, અને ત્યાં આતાપના લેતા હતા ત્યારે તારા પિતા શ્રેણિકે તેમને આદરપૂર્વક વંદન કર્યું હતું. હે કુણિક રાજા ! રાજા પ્રસન્નચંદ્ર આ પ્રકારે દીક્ષા લીધી હતી.” જે સમયે ભગવાન મહાવીર સ્વામી નારક અને દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિને ગ્ય એ પ્રસન્નચંદ્રને ધ્યાન પ્રત્યય વર્ણવતા હતા તે સમયે તે પ્રદેશમાં દેવે ઉતર્યા. શ્રેણિક Page #80 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૨૫ ] રાજાએ પૂછયું, “આ દેવોને સંપાત શાથી છે?” મહાવીરસ્વામીએ જવાબ આપે કે, “પ્રસન્નચંદ્ર અણગારની કેવલજ્ઞાન-ઉત્પત્તિથી હર્ષ પામેલા દેવો અહીં આવ્યા છે.” ત્યારે રાજાએ પૂછયું, “આ મહાનુભાવ કેવલજ્ઞાન કોનાથી વિચ્છેદ પામશે? અર્થાત છેલો કેવલજ્ઞાની કોણ થશે?” તે સમયે બ્રહ્મનો સામાનિક વિદ્ય—ાલો દેવ ચાર દેવીઓની સાથે દશે દિશાને તેજસ્વી કરતો ભગવાનને વંદન કરવા આવ્યું હતું. તેને બતાવીને ભગવાને કહ્યું, “આનાથી વિચ્છેદ પામશે.” રાજા ફરી પૂછવા લાગ્યા, “શું દેવ કેવલી થાય ખરે? વિશુદ્ધ ચારિત્ર્યવાળા એવા છેલ્લા મનુષ્યભવમાં કેવલજ્ઞાન થાય છે એમ તો આપે જ વર્ણવ્યું હતું.” ભગવાને કહ્યું, “આ દેવ આજથી સાતમા દિવસે ચવીને મનુષ્યદેહ પામશે.” ત્યારે શ્રેણિકે પૂછયું, “અવનકાળે દેવોનું તેજ હીન થાય છે, ત્યારે આ તો પિતાના તેજથી સૂર્યને પણ પરાસ્ત કરે છે. એવું શાથી છે?” ભગવાને જવાબ આપે, “અત્યારે તે આ દેવનું તેજ ક્ષીણ થઈ ગયું છે, પહેલાં આની તે જેલેશ્યા અનંતગણું વધારે હતી. ” રાજાએ પૂછયું, “આ દેવે પૂર્વભવમાં એવું તે શું કર્યું હતું, જેથી એની આટલી તેજઃસંપત્તિ છે?” ભગવાન કહેવા લાગ્યા— જંબુસ્વામીની પૂર્વભવ-કથામાં ભવદત્ત અને ભવદેવને સંબંધ “આજ જનપદમાં સુગ્રામ નામે ગામ છે. તેમાં આર્યવ નામે રાષ્ટ્રકૂટ રહેતો હતો. તેની રેવતી નામે ભાર્યા હતી; અને ભવદત્ત અને ભવદેવ એ બે પુત્રો હતા. એમાંના મોટા ભવદત્ત યુવાવસ્થામાં આવતાં જ સુસ્થિત અનગારની પાસે દીક્ષા લીધી અને ગુરુની સાથે વિચારવા લાગ્યા. એક વાર એક સાધુએ આચાર્યને વિનંતિ કરી કે, “આપની અનુજ્ઞા લઈને હું મારાં સગાંવહાલાંઓની પાસે જવા ઈચ્છું છું. ત્યાં મારો નાનો ભાઈ છે. તે મારામાં અત્યંત સનેહ ધરાવે છે અને મને જોઈને જ દીક્ષા લેશે.” પછી આચાર્ય બહBત સાધુઓની સાથે તેને મેકલ્ય, પણ સગાંઓની પાસેથી પાછા વળીને એ સાધુ ગુરુની પાસે કહેવા લાગ્યો કે, “મા-બાપ મારા ભાઈનું લગ્ન કરવા ઈચ્છે છે; કન્યા પણ મળી ગઈ છે. આથી તેણે દીક્ષા લીધી નહીં.” ત્યારે ભવદતે કહ્યું, “તમારા ભાઈ તે કેવા છે કે – ભલે તેમને લગ્નને સમય હતે છતાં–લાંબા કાળે મળેલા ભાઈની સાથે પણ ન આવ્યા ?” પેલા સાધુએ જવાબ આપે, “તમારા ભાઈ દીક્ષા લેશે તે જોઈશું. ” ભવદત્તે કહ્યું, “જે ક્ષમાશ્રમણે એ તરફ વિહાર કરે તો મારા ભાઈને દીક્ષા લેતે જોશે.” Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : વિહાર કરતા આચાર્ય મગધા જનપદમાં ગયા, ત્યાં ભવદત્તે વિનંતિ કરી, “ભગવન્! મારા સંબંધીઓને મળવા ઈચ્છું છું.” બીજા સાધુઓની સાથે ગુરુએ ભવદત્તને મોકલ્યા. એ સમયે નાગદત્તની પુત્રી, વાસુકીની આત્મા (ગર્ભજા) નાગિલાની સાથે ભવદેવને વિવાહ થયા હતા. ભવદત્ત પિતાના સંબંધીઓ પાસે ગયા. તેમના આગમનથી સંબંધીઓ ખુશ થયા. ભવદત્તે તેમનું કુશળ પૂછયું અને કહ્યું, “હું જાઉં છું, કારણ કે તમે કાર્યમગ્ન છો.” પણ ઘણે આગ્રહ કરીને સંબંધીઓએ તેમને વિપુલ આહાર વહોરાવ્યો. તે વખતે ભદેવ સખીઓ સહિત બેઠેલી પોતાની વધને શણગાર પહેરાવતા હતા. વડિલનું આગમન સાંભળીને તે સફાળો ઊડ્યો, ત્યારે સખીઓએ કહ્યું, “ અધીર શણગારેલી વધૂને મૂકીને જવું આપને માટે યોગ્ય નથી.” ભવદેવે કહ્યું, “બાલિકાઓ! વડિલને પ્રણામ કરીને હું હમણાં જ આવ્યું એમ જાણે.” પછી તે ઘરમાંથી બહાર નીકળ્યા અને મોટાભાઈને પ્રણામ કર્યા. મોટાભાઈએ ઘી ભરેલું વાસણ ભવદેવના હાથમાં આપ્યું; અને સાધુઓ ત્યાંથી ચાલ્યા. ભવદેવ પણ હાથમાં વાસણ લઈને પાછળ પાછળ ચાલ્યો. પહેલાં સ્ત્રીઓ પાછી વળી, પછી થોડેક દૂર જઈને પુરુષ પણ પાછા વળ્યા. તેઓએ ભવદેવને કહ્યું, “સાધુ તો સાવદ્ય (નિઘ) વચન બેલે નહીં, માટે હવે તમે પાછા વળે.” પરંતુ મને કહ્યા સિવાય કેમ પાછો વળું ?” એમ વિચાર કરતે ભવદેવ ભવદત્તને ઉપાયપૂર્વક પોતાનાં અને પરાયાં ખેતરો, પુષ્કરિણીઓ અને વનખંડ બતાવવા લાગ્યું. ભવદત્ત પણ “જાણું છું, યાદ છે” એમ બોલતા રહ્યા. એમ કરતાં ગામની સીમમાં પહોંચ્યા, બીજું ગામ પણ નજીક આવ્યું. પણ ભવદત્ત પોતાના ભાઈને “પાછો વળ” એમ કહેતા નથી. એ પ્રમાણે ચાલતાં ગુરુ પાસે પહોંચ્યા. વરનો પોશાક પહેરેલા ભવદેવને સાધુઓએ જે. સુકલકો બોલવા લાગ્યા કે, “જયેષ્ઠ આર્યો જેમ કહ્યું હતું તેમજ કર્યું. ” આચાર્યો પૂછયું, “આ તરુણ કેમ આવ્યો છે?” ભવદતે જવાબ આપે, “દીક્ષા લેવાને માટે.” ગુરુએ કહ્યું, “એમ કે ?” મોટાભાઈનું અપમાન ન થાય તે ખાતર ભવદેવે પણ હા” કહીને એ વસ્તુ સ્વીકારી. પછી ભવદેવને દીક્ષા આપવામાં આવી અને સાધુસમુદાયની સાથે બીજે સ્થળે મોકલવામાં આવ્યા. એટલામાં ભવદેવનાં સ્વજનોએ આવીને પૂછયું કે “ભવદેવ ક્યાં ગયો?” ત્યારે ભવદત્તે કહ્યું, “એ તો અહીં આવીને તુરત જ પાછો ગયે છે.” આમ કહેવામાં આવતાં તે સ્વજને “ભવદેવ બીજા માળે પાછો વન્ય હશે” એમ વિચારીને એકદમ પાછાં વળ્યાં. આ તરફ અકામક ભવદેવ પિતાની ભાર્યાને હદયમાં ધારણ કરતો બ્રહ્મચર્ય પાળવા લાગ્યો. ઘણુ કાળ પછી ભવદત્ત અનશન કરીને સમાધિથી કાળધર્મ પામીને શક્રને સામાનિક દેવ થયા. હવે, ભદેવ પિતાની સ્ત્રીને યાદ કરીને તે મારી પત્ની છે, હું તેને પ્રિય પતિ છું; માટે એના સમાચાર મેળવવાને જાઉં” એમ વિચાર કરતો વિરને પૂછયા વગર ચાલી નીકળ્યો. સુગ્રામ ગામની બહાર એક મન્દિર હતું, અને તેનાં બારણાં બંધ કરેલાં Page #82 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૨૭ ] હતાં; તેની પાસે વિશ્રામ લેવાને માટે તે બેઠા. ત્યાં એક સ્ત્રી ગંધ-માલ્ય લઈને એક બ્રાહ્મણીની સાથે પૂજા કરવાને આવી. તેણે સાધુવેશે જોઇને ભદેવને વંદન કર્યું. ભવ દેવે તેને પૂછ્યું, “ શ્રાવિકા ! તુ અહીં રહે છે, એટલે ચાક્કસ જાણતી હાઇશ કે આર્યવ રાષ્ટ્રકૂટ કે રેવતી જીવે છે ? ” ત્યારે પેલીએ જવાબ આપ્યા કે, “ એમને કાળધર્મ પામ્યાંને ઘણા સમય વીતી ગયા છે. ’’ આ સાંભળી ઉદાસ થયેલા ભવદેવે ફરી પૂછ્યું, “ અને ભવદેવની વધુ નાગિલા જીવે છે ? ” પેલીએ વિચાર કર્યાં કે, “ નક્કી આ ભવદેવ હશે, માટે પૂછી જોઉં. ” પછી તેણે પૂછ્યું કે, “ તમે ભવદેવને કચાંથી એળખા ? અને અહીં શા માટે આવ્યા છે ? ” એટલે ભવદેવે જવાબ આપ્યું કે, “હું આવના નાના પુત્ર ભવદેવ છું. વધૂની રજા લીધા સિવાય મારા વડેલ ભાઇની ઇચ્છાનુસાર મે દીક્ષા લીધી. મારા ભાઈ મરણ પામતાં, ‘હું અનભિજાત-અકુલીન ન ગણુાઉં ' એટલા માટે નાગિલાને મળવા આવ્યેા છું. ” પેલી સ્રોએ કહ્યું, “હું જ તે નાગિલા છું. તમે લાંબા કાળ સુધી તપ કર્યું છે. આટલા કાળ પછી જેને તમે મળવા આવ્યા છે. એવી હું તમારી પત્ની શી રીતે ગણુાઉં ? તમે દીક્ષા લીધા બાદ, વિડલાવડે પૂજાતાં સાધુસાધ્વીએ કેટલીક વાર અહીં આવતાં હતાં, અને અમારા ઘરમાં રહેતાં હતાં. તેમણે આ વિષયમાં કેટલીક વાર કહેલુ એક કથાનક સાંભળેા— ભાપિપાસાથી પાડાના અવતાર પામેલા બ્રાહ્મણપુત્રની કથા "" “ એક બ્રાહ્મણ પત્ની મરણ પામતાં પેાતાના નાના પુત્રને લઈને ઘરમાંથી નીકળી પડ્યો, અને જેણે વસ્તુઓના ભાવ જાણ્યા છે એવા તેણે મેાક્ષમાની શેાધ કરતાં સાધુની પાસે દીક્ષા લીધી. પેલે છેાકરી શીત ભાજન, વિરસ પાન, ખુલ્લા પગ, કર્કશ શય્યા, અસ્નાન વગેરે કારણેાથી દુ:ખ પામતા હતા, તેને કેટલાક વખત સુધી તેા વૃધ્ધે યતનાપૂર્વક રાખ્યા, પણ એક વાર તેણે કહ્યું, “ હે વડિલ ! હવે જાઉં છું, હવે હું ગૃહવાસમાં રહીશ. 6 તારા જેવા ધ હીનનુ મારે પણ શું કામ છે ? ’એમ કહી વૃદ્ધે પણ તેના ત્યાગ કર્યો. તે પેાતાના સહવાસી લેાકેામાં ગયા. ત્યાં બધાએ એને ઓળખ્યા. પછી તે એક બ્રાહ્મણના ઘરમાં રહેવા લાગ્યા. કેટલાક સમય પછી પેલા બ્રાહ્મણે એને પેાતાની પુત્રીનુ વાગ્નાન કર્યું. એટલે ભાગની પિપાસાવાળે તે બધુ કામ કરવા લાગ્યા. વિવાહુકાળે ચાર લેાકા એ દંપતીનું અપહરણ કરી ગયા. આત્તે ધ્યાનમાં રહેલા તે ભાગપિપાસુ યુવક મરીને પાટા થયેા. હવે, તેના પિતા દેહત્યાગ કરીને દેવલેાકમાં ગયા હતા. ત્યાંથી પુત્રસ્નેહથી જોતાં એને પાડા થયેલા જાણ્યા. આથી કસાઇનુ રૂપ ધારણ કરીને તેણે એ પાડાને ગેાવાળિયા પાસેથી ખરીદ્યો. પછી એને લાકડીથી મારતા મારતા કસાઇએ ( જેમને દેવે જ ઉત્પન્ન કરેલા હતા ) ત્યાંથી હાંકી જવા માંડ્યા. દેવે પેલા વૃદ્ધનું રૂપ ધારણ કરીને પેાતાની Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : ' જાતને પાડાની આગળ બતાવી. આ જોઇને પાડાને વિચાર થયા કે, “ આવું રૂપ મે કળ્યાં જોયુ છે ? આમ વિચાર કરતાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયના ક્ષયાપશમથી તેને જાતિસ્મરણ થયું, અને “ હે વિઠલ ! મને બચાવા ” એ પ્રમાણે તે ખૂમ પાડવા લાગ્યા. ત્યારે પાતે જ બનાવેલા કસાઈઓને વૃદ્ધ કહેવા લાગ્યા, “ અરે કસાઇએ ! આને પીડા કરશે! નહીં, એ મારે। ક્ષુલ્લક ( નાના શિષ્ય ) છે. ” કસાઇઓએ જવાબ આપ્યા, “ એ તમારું કાં સાંભળે છે? માટે અહીંથી ચાલ્યા જાએ. ” છેવટે જ્યારે દેવે જાણ્યુ કે, ‘મારા પુત્રે હવે ધર્મના સ્વીકાર કર્યા છે' ત્યારે કસાઇઓને વિનંતી કરીને પાડાને મૂકાવ્યા. દેવે એને ધર્મોના ઉપદેશ આપ્યા, અને પછી તે અનશન કરીને કાળધર્મ પામતાં સૌધર્મ કલ્પમાં દેવ થયે. આ પ્રમાણે એ બ્રાહ્મણપુત્રને તેના પિતાએ તિર્યંચની દુર્ગતિમાંથી ઉગાર્યાં. તમારા વિડેલ ભાઇ પણ દેવલેાકમાં ગયેલા છે. તમારું સાધુરૂપ જોઇને તેઓ શું તમને પ્રતિમેધ પમાડવાના વિચાર નહીં કરે ? તમે પ્રમત્તાવસ્થામાં રહીને આ અશાશ્વત જીવનને અંતે કાળધર્મ પામીને સંસારમાં ભમશેા નહીં; ગુરુની પાસે પાછા જાએ. ” નાગિલાની સાથે જે બ્રાહ્મણી આવી હતી તેના પુત્ર દૂધપાક જમીને એ વખતે ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા. માતા ! એક ઠીખડું લાવ, તેમાં દૂધપાકનું વમન કરી નાખું; કારણ કે તે અતિશય સ્વાદિષ્ટ છે, માટે હું ફરીથી જમીશ. અત્યારે તે દક્ષિણાને માટે ખીજે જમવા જાઉં છું, ” ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, “ પુત્ર ! વમન કરેલુ અન્ન ખવાય નહીં, માટે દક્ષિણા લેવાનુ ખસ કર. વત્સ! તુ હવે સુખપૂર્વક રહે. ” ભવદેવને પણ આ વચન સાંભળીને શુદ્ધ બુદ્ધિ પેદા થઇ કે, “ આ બ્રાહ્મણી સાચું કહે છે. વમન કરેલું ખાનાર જુગુપ્સાને પાત્ર થાય છે. ” ( અર્થાત્ વમન કરેલું અન્ન ખાનાર આ બ્રાહ્મણુ જેમ જુગુપ્સાને પાત્ર થાય તેમ વમન કરેલા-ત્યાગેલા સંસારને હું સ્વીકાર કરું તેા હુ' પણ તેવા જ ગણાઉં. ) પછી તે નાગિલાને કહેવા લાગ્યા, “તમારાથી પ્રતિઆધ પામેલા હુ ગુરુ પાસે જઇને પરલેાકનું હિત આચરીશ; પણ સ્વજનાને હું મળી ” નાગિલાએ કહ્યું, “ ધમા માં વિઘ્ન કરનાર સ્વજનાનું પણ તમારે શું કામ છે ? માટે તમારા કાર્યમાં નિશ્ચિત થઇને જાએ. હું પણુ સાધ્વીની પાસે દીક્ષા લઇશ. ” નાગિલાનાં આ વચનાને પ્રમાણ કરતા ભદેવ જિનબિંબને વંદન કરીને ગયા. ગુરુની પાસે આલેચ ના અને પ્રતિક્રમણ કરીને નિર્વિકાર થયેલા એવા તે સાધુપણું પાળીને કાળધર્મ પામીને દેવરાજ શક્રના સામાનિક દેવ થયા. ' લ સાગરદત્ત અને શિવકુમારના ભવના વૃત્તાન્ત ભવદત્ત દેવ પેાતાના આયુષ્યને ક્ષય થતાં ચ્યવીને પુકલાવતી વિજયમાં પુ’ડરી કણી Page #84 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૨૯ ] નગરીમાં વજાદત્ત ચક્રવતીની યશોધરા દેવીના ગર્ભમાં આવ્યા. દેવીને સમુદ્રમાં સ્નાન કરવાને દેહદ થયે. આથી રાજા વાદત્ત ભારે રિદ્ધિપૂર્વક યશોધરાને લઈને સમુદ્ર જેવા બહોળા પાણીવાળી સીતા નદીના કિનારે ગયો. ત્યાં યશોધરાએ સ્નાન કર્યું, તેને દોહદ પૂર્ણ થયે; અને ત્યાં જ પૂરા દિવસે તેણે ઉત્તમ લક્ષણેથી યુક્ત એવા કુમારને જન્મ આપે. માતાને સાગરમાં સ્નાન કરવાનો દોહદ થયો હતો તેથી એનું નામ સાગરદત્ત પાડવામાં આવ્યું. સુખપૂર્વક માટે થયેલે તથા જેણે સર્વે કલાઓ શિખી લીધી છે એ તે યુવાવસ્થામાં આવતાં તરુણ યુવતિઓના વૃન્દની સાથે, જાણે કે હાથણીઓથી વીંટળાયેલા વનહસ્તી હોય તેમ, ક્રીડા કરવા લાગ્યા. એક વાર પ્રાસાદમાં બેઠેલા તેણે મેરુપર્વત જેવા વિશાળ અને નયનમનહર મેઘને જે. તેણે વિચાર્યું, “ઋષિઓ મેરુપર્વતને જે વર્ણવે છે તે જ આ જલધર છે જો મે ખરેખર આ હોય તે દેવો તેમાં રમણ કરે છે તે એગ્ય જ છે.” પણ આમ પરિજન સહિત તે મેઘને જોતે હતા એટલામાં તે તે પાણીના પરપોટાની જેમ ક્ષણ માત્રમાં વિલય પામી ગયે. આથી વૈરાગ્ય પામેલ સાગરદત્ત વિચાર કરવા લાગે, નયને માટે અમૃત સમાન આવી શભા ક્ષણવારમાં નાશ પામી ગઈ, મનુષ્યની પણ આવી સમૃદ્ધિ અંતે નશ્વરનાશ પામવાની છે. આ શરીર પણ ન માલમ, કયારે પડી જશે, તે જ્યાં સુધી આ દેહ ઉપદ્રવરહિત છે ત્યાંસુધી પરાકનું હિત કરી લેવું જોઈએ.” આમ વિચાર કરીને તે દીક્ષા લેવા માટે માતા-પિતાની આજ્ઞા માગવા લાગ્યું. તેઓએ આનાકાનીપૂર્વક રજા આપ્યા બાદ સાગરદત્તે સેંકડો રાજપુત્રો સહિત અમૃતસાગર અણુગારની પાસે દીક્ષા લીધી, અને મૃતરૂપી સમુદ્રને પાર કર્યો. વિશુદ્ધ ચારિત્ર્યવાળા તેને અવધિજ્ઞાન થયું. ભવદેવ પણ દેવકમાંથી એવીને એ જ વિજયમાં વીતશેકા નગરીમાં પવરથ રાજાની વનમાલા દેવીનો શિવ નામે પુત્ર છે. અનુક્રમે મોટે થઈ યુવાવસ્થામાં આવતાં સમાન યૌવન અને લાવણ્યવાળી રાજકન્યાઓ સાથે પ્રાસાદમાં રહેલ તે વિહાર કરવા લાગ્યા. સાગરદત્ત અણગાર પણ ગણુસહિત વિચરતા વીતશોકા નગરીમાં આવી ઉદ્યાનમાં સમેસર્યો. માસક્ષપણના પારણાને અંતે તેઓ કામસમૃદ્ધ નામે સાર્થવાહને ત્યાં જતાં સાર્થવાહે તેમનેં વહોરાવ્યું. તે વખતે તેના દ્રવ્ય, ભાવ અને વહરાવનારની શુદ્ધિ નિમિત્તે વસુધારા થઈ. શિવકુમારે આ સાંભળ્યું. આદરપૂર્વક તે વંદન કરવા નીકળે. ચતુર્દશ પૂર્વોને ધારણ કરનાર સાગરદત્ત પરિવાર સહિત શિવકુમારને કેવલી પ્રણત ધર્મ કહ્યો. લેકેના સંશયરૂપ અંધકારને જિનેશ્વરની જેમ તે દૂર કરવા લાગ્યા. વાતચીતમાં શિવકુમાર પૂછવા લાગ્યું, “ભગવન! આપને જોતાં મારે સનેહ વધે છે; હૃદયને પરમ શાન્તિ થાય છે, તે આપને અને મારો પૂર્વભવને કોઈ સ્વજન–સંબંધ Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: હશે?” ત્યારે સાગરદને અવધિજ્ઞાનથી જોઈને કહ્યું, “શિવ! આથી ત્રીજા ભવમાં જબુદ્વીપના ભરતમાં મગધા જનપદમાં તું પ્રાણથી પણ પ્રિય એવો મારો નાનો ભાઈ હતો. તે મંદશ્રદ્ધાવાળો હોવા છતાં સનેહને લીધે મેં તને દીક્ષિત કર્યો. ગયા ભવમાં દેવલોકમાં પણ આપણી વચ્ચે એવીજ પ્રીતિ હતી. અત્યારે તે વીતરાગપણને લીધે સ્વજન અને પરજનમાં હું કંઈ ભેદ જેતે નથી.” આ સાંભળીને શિવકુમારે કહ્યું, “યથાર્થવાદી એવા આપ જેમ કહે છે તેમજ છે. મને જિનવચન ગમે છે; સંસારભ્રમણથી હું ડરેલો છે; તો માતા-પિતાની રજા લઈને પછી આપના ચરણમાં મારું હિત આચરીશ.” આ પ્રમાણે કહી વંદન કરીને ઘેર આવ્યા, અને માતા-પિતાને કહેવા લાગ્યો, “મેં સાગરદત્ત અણગારની પાસે ધર્મ સાંભળે છે. મને રજા આપે, હું દીક્ષા લઈશ.” માબાપે કહ્યું, “પુત્ર! તને અમે કેવી રીતે રજા આપીએ ? અમારાં જીવન તારે જ આધારે છે, માટે અમારો ત્યાગ ન કર.” આ પ્રમાણે માતા-પિતાએ રોકતાં, મનમાં નિશ્ચય કરી તથા મનથી ઘરવાસને ત્યાગ કરી “હું સાગરદત્ત અણગારને શિષ્ય છું” એવા સંક૯પથી સર્વે પાપયુક્ત વ્યાપારને ત્યાગ કરી માન પાળીને તે રહેવા લાગ્યા. પ્રશસ્ત ધ્યાનમાં રહેલા તેને અનેક પ્રકારના ભેજન માટે નિમંત્રવામાં આવ્યો, પણ જ્યારે કેઈનું તેણે સાંભળ્યું નહીં ત્યારે થાકીને પારથ રાજાએ શીલરૂપી ધનવાળા અને શ્રમણોપાસક એવા દઢધર્મ નામના ઇભ્યપુત્રને બોલાવીને કહ્યું, “પુત્ર! પ્રત્રજ્યા લેવાની ઈચ્છાવાળા શિવકુમારને અમે રજા ન આપી, આથી તેણે મૌનવ્રત લીધું છે, તેમજ ભોજન પણ લેતો નથી, માટે તને યેગ્ય લાગે તેમ કરીને પણ એને જમાડ. એમ કરીશ તે તેં અમને જીવિતદાન આપ્યું ગણાશે, માટે આ વસ્તુ ધ્યાનમાં રાખીને અમારી સંપૂર્ણ અનુજ્ઞાથી તેની પાસે જા.” એટલે રાજાને પ્રણામ કરી “સ્વામી ! હું યત્ન કરીશ” એમ કહીને દઢધર્મ શિવકુમારની પાસે ગયે. નૈધિકી ઉચ્ચારીને, ઈર્યાપથિકી પડિકકમીને, દ્વાદશાવત પ્રણામ કરી, ભૂમિશુદ્ધિ કરીને મને આજ્ઞા આપે” એમ કહીને તે બેઠે. શિવકુમારે વિચાર કર્યો, ગ્રહવાસી આ ઈશ્યપુત્ર સાધુને યોગ્ય એ વિનય કરીને બેઠો, માટે પૂછી જોઉં.” પછી તેણે પૂછયું, “ઈશ્યપુત્ર ! સાગરદત્ત ગુરુની પાસે સાધુઓને મેં જે વિનય કરતા જોયા તે વિનય તમે અહીં કર્યો છે, તો તમે જ કહો, એ શું અગ્ય નથી?” ત્યારે દઢધમેં કહ્યું, “કુમાર ! આહંત પ્રવચનમાં શ્રમ અને શ્રાવકને વિનય સામાન્યએકસરખે છે. “જિનવચન સત્ય છે” એવી જે દષ્ટિ તે પણ બન્નેમાં સામાન્ય છે. શમણે મહાવ્રતો ધારણ કરનારા છે, જ્યારે શ્રાવકે અણુવ્રતધારી છે. જીવ-અજીવનું જ્ઞાન તથા બંધ-મેક્ષનું વિધાન આગમમાં છે. શ્રુતના વિષયમાં પણ, સાધુઓ સમસ્ત શ્રુતસાગરના પારગામી છે. બાર પ્રકારના તપમાં તે શું તફાવત હોઈ શકે? તે હું શ્રાવક Page #86 -------------------------------------------------------------------------- ________________ કથાની ઉત્પત્તિ [ ૩૧ ] તમારી પાસે આવ્યો છું. કહે, શા માટે તમે ભેજન કરવા ઈચ્છતા નથી?” શિવકુમારે જવાબ આપે, “શ્રાવક! માતા-પિતા અને દીક્ષા લેવાની રજા આપતાં નથી, તેથી મેં ગ્રહવાસને ભાવથી ત્યાગ કર્યો છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું સાધુ તરીકે જ રહીશ.” દઢમેં કહ્યું, “કુમાર! જે તમે ગૃહવાસને ત્યાગ કર્યો છે તે ભલે કર્યો. જેણે પોતાનું કાર્ય સાધી લીધું છે એવા માણસને માટે નિરાહારતા પણ ગ્ય છે; પરન્તુ સાધકને માટે તો શરીર ધર્મનું સાધન છે. આહાર વિના શરીર વિનાશ પામે. નિર્દોષ આહાર લેવાનું યતિઓને માટે વિરુદ્ધ નથી, માટે શરીરના નિર્વાહ પૂરતા પ્રાસુક અને એષણીય આહાર લેતાં તમે નિર્વાણ ફળના ભાગી થશે.” શિવકુમારે પૂછયું, “પણ અહીં રહેતાં મને પ્રાસુક અને એષણય આહાર મળે કેવી રીતે ?” દઢધમેં કહ્યું, “કુમાર! તમે સાધુ છે. આજથી હું તમારા શિષ્ય તરીકે અહીં નિર્દોષ ખાનપાન વડે તમારી વેયાવચ્ચ કરીશ; માટે મને તેમ કરવાની અનુજ્ઞા આપ.” ત્યારે શિવકુમારે કહ્યું, “તું જિનવચનનો વિશારદ તથા ક૯ય અને અકલની વિધિને જાણનારો છે, માટે “મારે ખાવું જ જોઈએ” એમ જ માનતો હોય તે દરેક છઠ્ઠ ભક્તને અંતે મારું આયંબિલથી પારણું થાઓ.” દઢામે “ભલે” એમ કહીને આ વસ્તુ સ્વીકારી. શિવકુમાર પણ તેને બંધ–મોક્ષનું વિવરણ કહેવા લાગે, તથા પારણુ વખતે દઢધર્મ સૂચવ્યા પ્રમાણેનાં આહારપાણ લાવવા માંડ્યો. આ પ્રમાણે અંતઃપુરમાં રહેતા, શરદ ઋતુના આકાશ જેવા નિર્મળ સ્વભાવવાળા અને જેનો ધર્મનો વ્યવસાય કયારે પણ પડ્યો નથી એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં. પછી સમાધિથી દેહનો ત્યાગ કરીને તે બ્રહ્મલેક કલપમાં ઈન્દ્રને સામાનિક દેવ થયો. જેવું દેવરાજ બ્રહ્મનું તેજ હતું તેવું જ તેનું પણ હતું. આ દેવ દશ સાગરોપમ આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી આવીને આજથી સાતમે દિવસે અષભદત્ત ઇભ્યની પત્ની ધારિણીને પુત્ર થશે. આ પ્રમાણેના તપના પ્રભાવથી આ દેવની આવી તેજ:સંપત્તિ છે.” ભગવાનનું આવું વચન સાંભળીને પરમ સન્તોષથી જેનું હૃદયકમળ વિકસેલું છે એ જંબુદ્વીપનો અધિપતિ અનાદત (અણઢિય) દેવ ઊઠ્યો; અને વંદન કરીને, તાળી પાડી મધુર શબ્દથી બેલ્યો, “અહો! મારું કુલ કેવું ઉત્તમ છે ?” તેનું આ કુલપ્રશંસાનું વચન સાંભળીને શ્રેણિક રાજાએ પૂછયું, “ભગવન્! આ દેવ પિતાના કુળની પ્રશંસા શા કારણથી કરે છે ?” ત્યારે ભગવાને કહ્યું, “સાંભળઅણઢિય દેવની ઉત્પત્તિ આ જ નગરમાં ગુપ્તિમતિ નામે ઇભ્યપુત્ર હતું. એને ઝાષભદત્ત ( જ બુસ્વામીના પિતા) તથા જિનદાસ નામે બે પુત્રો હતા. તેમાં મોટો ઝાષભદત્ત શીલવાન હતો, જ્યારે નાનો જિનદાસ મઘ, વેશ્યા અને જુગારને વ્યસની હતા. અષભદત્તે સ્વજનોને Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : આ વાત જણાવીને • આજથી આ મારેા ભાઇ નથી ' એમ કહીને જિનદાસના ત્યાગ કર્યા. જિનદાસ એક વાર એક સેનાપતિ સાથે જુગાર રમતા હતા. તે વખતે આવકના ગોટાળા કરતા એવા તે સેનાપતિએ જિનદાસને આયુધથી માર્યાં. ઋષભદત્તને સ્વજનાએ કહ્યુ, “વ્યસનને કારણે દુ:ખ પામતા જિનદાસનું તું રક્ષણ કર; એથી તારા યશ થશે. ” આથી ઋષભદત્ત જિનદાસની પાસે ગયા. ઘાયલ અવસ્થામાં પડેલા જિનદાસે કહ્યુ, “ હે આય! મારા અવિનયની ક્ષમા કરો. પરલેાકમાં જતા એવા મને ઉપદેશવડે સહાયરૂપ થાએ. ” ઋષભદત્તે તેને આશ્વાસન આપ્યુ, “ જિનદાસ ! તુ વિષાદ ન કરીશ. તું જીવે એવા ઉપાય હું કરીશ. ” જિનદાસે કહ્યું, “મને હવે જીવનના લાભ નથી; હું અનશન કરીશ. ” એમ નિશ્ચય કરી, આરંભ અને પરિગ્રહના ત્યાગ કરી તથા પેાતાની પ્રતિજ્ઞા અનુસાર વિધિપૂર્વક આરાધના કરી કાળધર્મ પામીને તે જંબુદ્વીપના અધિપતિ દેવ થયે. ૮ મારા ડિલ બંને પુત્ર ચમકેવલી થશે ’એમ જાણીને પેાતાના કુળની પ્રશંસા કરીને એ દેવ અહીંથી ગયા. ” 66 પછી વિષ્ણુન્માલી દેવ ત્યાંથી ગયા એટલે તેની દેવીએ પ્રસન્નચંદ્ર કેવલીને પૂછવા લાગી, “ ભગવન્ ! અહીંથી વિદ્યુન્માલી દેવથી વિયાગ પામ્યા પછી અમારા ક્રી સમાગમ થશે કે નહીં ? ” કેવલીએ કહ્યું, “ તમે આ જ નગરમાં વૈશ્રમણુ, ધન, કુબેર અને સાગરદત્ત નામના ઇબ્યાની પુત્રો થશેા. ત્યાં મનુષ્યજન્મ પામેલા આ દેવની સાથે તમારે। સમાગમ થશે. તેની સાથે સંયમ પાળીને તમે જૈવેયક સ્વર્ગોમાં દેવ થશે. ” કેવલીએ આ પ્રમાણે કહેતાં દેવીએ તેમને વંદન કરીને ગઇ. વસુદેવચરતની ઉત્પત્તિ * આ પ્રમાણે તપના મહિમાને વૃત્તાન્ત સાંભળીને શ્રેણિક રાજા ભગવાન્ મહાવીરને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! કેટલા જીવે આ ભવમાં તપ કરીને તેનું ફળ આ ભવમાં જ અનુભવે છે ? અને કેટલા જીવા પેાતાનાં સુકૃત્યાનું ફળ પરભવમાં પામે છે ? ” ભગવાને કહ્યું, પેાતાનાં તપનાં ફળ આ લેાકમાં જ અનુભવનારા ધમ્મિલૈં આદિ અનેક થઇ ગયા છે; અને તપવડે મેળવેલાં દેવ અને મનુષ્યનાં સુખા પરલેાકમાં ભેગવનારા આ અવસપિણી કાળમાં વસુદેવ વગેરે થઇ ગયા છે. ” આ પ્રમાણે સાંભળીને જેને કુતૂહલ થયું છે એવા શ્રેણિકે પ્રણામ કરીને પૂછ્યું, “ હે ભગવન્ ! વસુદેવે કેવી રીતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, કેવી રીતે તપ કર્યુ અને દેવલાક તથા મનુષ્યલાકમાં તેનુ ફળ કેવી રીતે મેળવ્યું તે કહેા.” આ પછી ભગવાને શ્રેણિકને, સર્વજ્ઞ કહી શકે તેવી રીતે, વસુદેવચરિત કહ્યું. એ વસુદેવચરિતને અભય આદિ પદાનુસારી ( એક જ પદ સાંભળવાથી આખા વિષય યાદ રાખવાની શક્તિવાળા ) અણુગારીએ ધારણ કરી લીધું. પછી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષના ઉપદેશ કરનારા તે અણુગારાએ પેાતે ધારણ કર્યા પ્રમાણે કહેલું વસુદેવચરિત આજે પણ શ્રુતધરા ધારણ કરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ Noooo કી પછી શ્રેણિક રાજાને સર્વજ્ઞના આગમ અનુસારે ભગવાન ધમિલચરિત કહેવા લાગ્યા, તે હે કુણિક! તું પણ ધ્યાનપૂર્વક થોડીકવાર સાંભળ– બસ્મિલ્લચરિત ઘણા દિવસે જેનું વર્ણન થઈ શકે એવું કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતા અને તેને ધારિણી નામે રાણી હતી. એ નગરમાં અન્ય કુટુંબીજને પિતાના મરથ વડે જેની પૃહા કરતા હતા એવા વિપુલ વૈભવવાળો, ધન, શીલ, ગુણ અને જ્ઞાનવડે કરીને જેણે પોતાનાં કાર્યોની કીર્તિ વિસ્તારી છે એવો તથા ઈન્દ્રના જેવા રૂપ અને વિભાવવાળો સુરેન્દ્રદત્ત નામે સાર્થવાહ રહેતે હતો. કુળને ગ્ય તથા ધર્મ અને શીલથી સંપન્ન એવી તેની સુભદ્રા નામે પત્ની હતી. તે છતુકાળે સગર્ભા થઈ. અનુક્રમે તે ગર્ભ વધતાં તેને સર્વ પ્રાણુઓને અભયદાન આપવાન, ધાર્મિક જનનું વાત્સલ્ય કરવાને અને દીનજનો પ્રત્યેની અનુકંપાથી પુષ્કળ દાન કરવાને દેહદ પેદા થયો. પછી નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂર્ણ થતાં તે સુભદ્રાને પુત્ર જન્મે. માતાને ધર્મ કરવાને દેહદ થયે હતું, આથી તે પુત્રનું નામ “ધમ્મિલ” રાખવામાં આવ્યું. પછી પાંચ ધાત્રીઓ વડે પાલન કરાતો તે સુખપૂર્વક વધવા લાગ્યો. જેના પ્રારંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત (પક્ષીઓની વાણું જાણવાની કળા) જેના અંતમાં છે એવી બતર કળાઓમાં કાળે કરીને તેણે પ્રવેશ કર્યો. જ્યારે સ્મિલ અભિનવ યૌવનમાં આવ્યું ત્યારે એ જ નગરમાં રહેતા ધનવસુ સાર્થવાહની ધનદના નામે પત્નીની આમજા યશોમતી કે જે કુલ અને શીલમાં ધમિલને અનુરૂપ હતી, પઘરહિત લક્ષમી જેવી અને લક્ષમી સમાન રૂપવાળી હતી તેની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પણ વિષયભોગોથી પરાભુખ તથા શાસ્ત્રાભ્યાસમાં જ આસક્ત હૃદયવાળો ધમ્મિલ પત્નીની દરકાર કરતો નહોતે. એક વાર ધમિલની સાસુ પિતાની પુત્રીને મળવા માટે તેને ઘેર આવી. ધમિલના પિતાએ પિતાના વૈભવને અનુરૂપ અને સંબંધને યંગ્ય એવી રીતે તેનું સન્માન કર્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] વસુદેવ–હિંડી: : પ્રથમ ખંડ : પછી તે પેાતાની પુત્રી પાસે ગઇ, અને પુત્રીના શરીરાદિનુ કુશળ તેણે પૂછ્યું. ત્યારે નમેલા મુખવાળી પુત્રીએ લેાકધર્માંના ઉપલેગ સિવાય સ્વભાવથી વિનીત અને લજ્જાથી બાકી બધું નીચે પ્રમાણે કહ્યું— " पासिं कप्पि चउरंसिय रेवापयपुणियं । सेडियं च गेहेपि ससिप्पहवणियं || मई सुयं पि एकल्लियं सयणि निवणियं । सवरतिं घोसेइ समाणसवण्णियं ॥' અર્થાત્ હે માતા ! તમારા જમાઈ પેાતાની પાસે રેવાના પાણીથી પવિત્ર એવી પાટી મૂકીને તથા ચંદ્રનાં કિરણા જેવી ઉજ્જળ ખડી લઈને, મને એકલીને શયનમાં સૂતેલી જોવા છતાં, આખી રાત · સમાન ' અને · સવર્ણ ' એવા વ્યાકરણભાગ ગેાખ્યા કરે છે.” આ સાંભળીને એકદમ કાપાયમાન થયેલી તથા રાષથી કાંપતી ધસ્મિલ્લની સાસુ સ્ત્રીસ્વભાવની વત્સલતાથી તથા પુત્રી પ્રત્યેના સ્નેહથી ધમ્મિલની માતા પાસે જઇને મધુ કહેવા લાગી. તેની બધી વાત સાંભળીને જેનું શરીર તથા હૃદય કાંપી ઊઠયું છે તથા આંસુથી જેની આંખા ઉભરાઇ ગઇ છે એવી સ્મિલ્લની માતા પણ નિરુત્તર અને ચૂપ થઇ ગઇ. પછી તેણે સેાગનપૂર્વક પોતાની વેવાણને સમજાવી, એટલે ધમ્મિલની સાસુ પુત્રીને આશ્વાસન આપીને પેાતાને ઘેર ગઇ. ܕ "C આ ધસ્મિલ્લની માતાએ પેાતાના પતિ પાસે જઇને બધી હકીકત કહી ત્યારે સુરેન્દ્રદત્તે કહ્યું, “ હે અજ્ઞાન સ્ત્રી! આપણેા બાળક પુત્ર વિદ્યામાં આસક્ત બુદ્ધિવાળા છે એ જાણીને તેા તારે હર્ષ પામવે! જોઇએ; એમાં વિષાદ શા માટે કરે છે? નવી શીખેલી વિદ્યા, જો તેના અભ્યાસ ચાલુ રાખવામાં ન આવે તે, તેલ વગરની દીવાની જેમ નાશ પામે છે. માટે અજ્ઞાન ન મન. જ્યાં સુધી પુત્ર ખાલક છે ત્યાં સુધી ભલે વિદ્યાએ ભણે. સાંભળીને સુરેન્દ્રદત્તની પત્નીએ પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી કહ્યું, “ “ બહુ ભણીને શું કામ છે ? અને મનુષ્યભાગ ભાગવવા દો. ” પછી પુત્રને કામકળામાં નિપુણુ બનાવવા ઇચ્છતી તે સ્રીએ, પતિએ ના કહેવા છતાં, ધસ્મિલ્લને લલિત ચેષ્ઠિ-શેાખીન વિદગ્ધ નાગરિકેાની મંડળી–માં પ્રવેશ કરાવ્યા. માતા-પિતાના આ સર્વે સંવાદ ધાત્રીએ પમ્મિલને કહ્યો. પછી ધમ્મિલ ગેાષ્ઠિકા-ગાઠિયાઓની સાથે ઉદ્યાન, કાનન, સભા અને ઉપવનેામાં ફરતા તથા જ્ઞાન અને વિજ્ઞાનના અતિશયમાં બીજાઓની સરસાઇ કરતા ઘણુા કાળ ગાળવા લાગ્યા. ૧. મહાકવિ કાલિદાસના ‘વિક્રમેાશીય ’ના ચેાથા અંકમાંનાં અપભ્ર'શ પદ્યોને ક્ષેપક ગણીએ તે આ પદ્મ સાહિત્યમાં પ્રયાાયેલા અપભ્રંશને જૂનામાં જૂના નમૂના રજૂ કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૩૫ ] વસન્તતિલકા ગણિકાને પ્રસંગ બીજી તરફ, વસન્તસેના ગણિકાની પુત્રી વસન્તતિલકાનું પ્રથમ નૃત્ય-પ્રદર્શન જેવાની ઈચ્છાવાળા શત્રુદમન (જિતશત્રુ ) રાજાએ ગેઝિકના આગેવાનોને કહેવરાવ્યું કે, વસતતિલકાની નૃત્યવિધિના દર્શનની પરીક્ષા કરવાની મારી ઈચ્છા છે, માટે ચતુર પ્રેક્ષકને મોકલે.” ગેબ્રિકેએ ધમ્મિલને નૃત્યના પ્રેક્ષક તરીકે મોકલ્યો. બીજા કેટલાક માણસોને પણ રાજાએ આમંત્રણ આપ્યાં. તેમની સાથે રાજા પણ બેઠે. પછી મનહર અને દર્શનીય તથા નૃત્યને એગ્ય એવા ભૂમિભાગમાં રંગમંચ ઉપર વસન્તતિલકાએ લાવણ્ય, શુંગાર, અલંકાર, વિલાસ, આવેશ, મધુર વાણી અને નાટ્યવડે પ્રશસ્ત, શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણેના પગસંચારવાળું, જેમાં વર્ણનો યોગ્ય પરિવર્ત–આલાપ હતા તથા હાથ, ભ્રમર અને મુખને અભિનય હતો એવું, હાવભાવ અને આંખના સંચારથી યુક્ત, નૃત્યકળાના પ્રશસ્ત જ્ઞાનવડે આશ્ચર્યજનક, હાથ અને બીજી ક્રિયાઓના સંચરણવડે યોગ્ય રીતે વિભક્ત, તથા વીણા, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર એવું નૃત્ય કર્યું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં સર્વે પ્રેક્ષકોએ અહે! વિરમયની વાત છે” એ પ્રમાણે સહસા ઘેષણ કરી. રાજાએ ધમિલને પૂછ્યું, “ધમ્મિલ ! વસન્તતિલકાએ કેવું નૃત્ય કર્યું?” ધમ્મિલે નૃત્યના ગુણની પ્રશંસા કરીને કહ્યું, “દેવ! તેણે સુરવધૂદેવાંગના સમાન નૃત્ય કર્યું છે.” પછી સંતુષ્ટ થયેલા રાજાએ રાજાને ગ્ય એવાં પૂજા અને સત્કારથી વસન્તતિલકાનું સન્માન કર્યું, અને “હવે તું તારે ઘેર જા” એમ કહીને રજા આપી. તે વસન્તતિલકાએ બસ્મિલ્લને વિનય અને ઉપચારપૂર્વક વિનંતી કરીને પિતાની ગાડીમાં બેસાડે અને પછી પોતે પણ બેઠી. આ રીતે ધમિલ તેને ઘેર ગયે. પછી તે વસન્તતિલકાનાં હાસ્ય, વચન, ગીત અને હાવભાવના કલાગુણેમાં પણ કલાને જોતા તથા ઉપચારયુક્ત નવાવનના ગુણે અનુભવતા એ ધમિલે સમય કેમ ચાલ્યો જાય છે એ પણ જાણ્યું નહીં. તેનાં માતા-પિતા પોતાની દાસી મારફત દરરોજ પાંચસો રૂપિયા વસન્તતિલકાની માતાને મોકલતા હતાં. આ પ્રમાણે અનેક પૂર્વ પુરુષોએ સંચિત કરેલું તેના કુટુંબનું વિપુલ ધન દેવેગે, જેમ સૂકી અને ઝીણી રેતી મૂઠીમાં ભરતાં જ સરી પડે તે પ્રમાણે, નાશ પામી ગયું. સુરેન્દ્રદત્ત અને સુભદ્રાને પરિતાપયુક્ત સંવાદ પછી ધમિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિ:શ્વાસ નાંખીને “હા પુત્ર! હા પુત્ર!” એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, “હે પુત્રવત્સલ સ્ત્રી ! હવે શું કામ રડે છે ? તે દિવસે હું કહેતા હતા એ તે તે સાંભળ્યું નહીં. ” ત્યારે Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું. “ પુત્રવાત્સલ્યથી ઉભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહા ! મે મારા આત્માને છેતર્યાં ! ” સાઈવાડે કહ્યું. “ અહી પુત્રવત્સલ સ્ત્રી! તુ ભેાળી છે; તેથી માથે ઘાસના ભાર લઇને ખળતા તરફ ગઇ. માટે શાક ન કર. તે તારી જાતે જ દાષ કર્યો છે, જેમ પેલા કાંકણક બ્રાહ્મણે કર્યો હતા ” સ્રીએ પૂછ્યું, “ કાંકણુક બ્રાહ્મણે શું કર્યું હતું ? ” ત્યારે સાઈવાડે કહ્યું “ સાંભળ— સ્વકર્મના ફળ વિષે કાંકણક બ્રાહ્મણની કથા મગધા નામે જનપદ છે. તેની પાસે પલાશગ્રામ નામે ગામ છે. ત્યાં કાંકણુક નામે બ્રાહ્મણ રહેતા હતા. તેણે પેાતાના ખેતરની પાસે શમીવૃક્ષ-શીમળાનું ઝાડ રાખ્યુ, તથા ત્યાં તેણે દેવતાનું સ્થાન કર્યું. તે બ્રાહ્મણ દર વર્ષે તે શમીવૃક્ષની નીચે એ દેવતાના સ્થાનની પાસે બ્રાહ્મણા, ગરીબે અને માગણેાને પુષ્કળ આહારપાણી આપતા હતા તથા ત્યાં એકડાનું બલિદાન દેતા હતા. આ પ્રમાણે ઘણેા કાળ સુધી કર્યા પછી તે મરણુ પામ્યા. અત્યંત લેાભી અને આસકત હોવાને કારણે જેણે તિર્યંચ ચેાનિનું આયુષ્ય બાંધ્યુ છે એવા તે બ્રાહ્મણ પોતાના જ ઘરમાં બકરા થયા. કેટલાક સમયે તે બ્રાહ્માણના પુત્રાએ · અમારા પિતા મરણ પામ્યા છે ’ એમ વિચારી તેની ઉત્તરક્રિયા નિમિત્તે ભાજન તૈયાર કર્યું. પછી તે મિત્રા અને સ્વજનાની સાથે પેલા શમીવૃક્ષ પાસે પૂજન અને લેાજન માટે ગયા. પેલા બકરાને પણ શણગારીને ત્યાં લઈ ગયા. ગંધ, પુષ્પ, માળા અને પૂજાવિશેષથી દેવતાનું અર્ચન કર્યું. પછી ઘરના માટેરાઓએ કહ્યુ, “ બકરા લાવા ” એટલે તે બ્રાહ્મણના દેવદત્ત નામે પુત્ર અકરા લેવા ગયા અને એ' એ કરતા તે બકરાને ગળે બાંધીને ઢોરી લાવવા લાગ્યા. એ વખતે જેમનુ પાપ શમી ગયું એવા કેાઇ શ્રમણ, વૃક્ષની નજદીકના સાધુને ચેાગ્ય એવા પ્રદેશમાં આવીને વિશ્રામ લેવાને માટે બેઠા. મકરાને ત્યાં થઈને લઈ જતા હતા. એ જોઇને સાધુએ કહ્યું— " सयमेव च रुक्ख रोविए, अप्पणियाए वितड्डि कारिया | વાયા ય છે, ;િ છાહા ! · à વિ ' ત્તિ નામને ? ॥ અર્થાત્ તે પોતે જ વૃક્ષ રાખ્યુ, વેદિકા પણ તે જ ખનાવી, ઉપયાચના-માનતા અને વધ પણ તે જ કર્યો; હવે હું બકરા ! એ બે ' શું ખેલે છે ? * ૪ સાધુનું આ વચન પેલા બ્રાહ્મણપુત્ર સાંભન્યું. ખકા પણ ચૂપ થઇ ગયા. પછી તે છેકરા સાધુ પાસે જઇને કહેવા લાગ્યા, “ હું ભગવન ! તમે આ બકરાને એવું તે શું ૧ આ જ પદ્મ નજીવા પાઠાન્તર સાથે ઉત્તરાધ્યયન નિયુŚક્તિ ( ગા૦ ૧૩૮ ) માં મળે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લ–હિંડી [ ૩૭ ] કહ્યું છે, જેથી એ ચૂપ થઈ ગયો? ત્યારે સાધુએ મિથ્યાત્વરહિત અને સત્ય વચનથી તેને કહ્યું, “ભાઈ ! આ બકરો તારો પિતા થાય છે. તે તમને કહે છે, “હું તમારો પિતા છું; મને મારો નહીં. તમે મને ઓળખતા પણ નથી ?” બ્રાહ્મણપુત્ર સાધુને કહ્યું, “ પણ અમને શી રીતે ખાત્રી થાય કે આ અમારા પિતા છે?” એટલે સાધુએ બધું વૃત્તાન્ત કહ્યો, તથા હેતુ, કારણ અને નિશાની સાથે બધી હકીકત વર્ણવી. આ પ્રમાણે ખાત્રી થતાં એ છોકરો સાધુને પગે પડીને ઊ અને પિતાના ભાઈએને બધી હકીકત કહેવા લાગ્યા. આ સાંભળીને અત્યંત વિસ્મય પામેલા તેઓ મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજનો સાથે સાધુની પાસે ગયા અને વંદન કર્યા. તે સર્વેએ અત્યંત વૈરાગ્ય પામી શીલવતો સ્વીકાર્યો અને બકરાને લઈને પિતાને ઘેર ગયા. સાધુની કૃપાથી બકરાને મુક્ત કરવામાં આવ્યું. ત્યારથી માંડીને પેલા સર્વ બ્રાહ્મણોએ અરિહંત દેવને સ્વીકાર્યા, અને સાધુઓને માન આપવા માંડ્યા. હે સુભદ્રા! જેવી રીતે એ કેકણક બ્રાહ્મણે પિતે જ કરેલાં કર્મના વિપાકને પરિણામે દુઃખ અને સંસારને પ્રાપ્ત કર્યા હતાં, તેવી રીતે તે જાતે જ પોતાના પુત્રને સંસારરૂપી મહાવનમાં નાખે છે.” આ સાંભળીને અપૂર્ણ નયન અને ગદગદ કંઠવાળી તથા ભારે દુઃખ અને શેકથી પીડા પામતી તે સુભદ્રાએ પતિને કહ્યું, “મને ખબર નહોતી કે વસુભૂતિ બ્રાહ્મણની બાબતમાં આવ્યું હતું તેવું જ પરિણામ અહીં પણ આવશે.” ત્યારે ગૃહપતિએ પૂછયું, “વસુભૂતિ બ્રાહ્મણનું શું થયું હતું ?” સુભદ્રાએ કહ્યું, “ સાંભળો આર્યપુત્ર ! વસુભૂતિ બ્રાહ્મણનું કથાનક એક કાળે નંદપુર નામે નગર હતું. ત્યાં વસુભૂતિ નામે અધ્યાપક બ્રાહ્મણ રહેતો હતું. તેની પત્નીનું નામ યજ્ઞદત્તા હતું. તેને બે બાળકે હતાં. સમશન પુત્ર અને સેમશર્મા પુત્રી. રોહિણી નામે તેની ગાય હતી. આ બ્રાહ્મણ દરિદ્ર હતો. તેને કોઈ એક ધર્મચિવાળા ગૃહસ્થે ખેતરનો એક ટુકડો આપેલ હતો. તેમાં બ્રાહ્મણે ડાંગર વાવી. વાવી રહ્યા પછી પોતાના પુત્રને તે કહેવા લાગ્યું, “ પુત્ર ! હું શહેરમાં જાઉં છું. ચંદ્રગ્રહણ થવાનું છે, આથી દ્રવ્યને માટે કઈ શાહુકારો પાસે હું યાચના કરીશ. તું આ ખેતરનું નીંદામણ અને સાચવણી કરજે. પછી હું જે ધન લાવીશ તે વડે તને તથા તારી બેનને પરણાવીશું. રોહિણી ગાય પણ વિયાશે.” આમ કહીને તે બ્રાહ્મણ ગયો. પછી એક વાર ત્યાં નટલોકો આવ્યા. પેલો બ્રાહ્મણપુત્ર નટના સંસર્ગથી નટ થઈ ગયે. તેની બહેન પણ કઈ વંઠેલાના સંગથી સગભાં થઈ. જેનું (ગર્ભનું) બંધન શિથિલ થયું છે એવી રોહિણી ગાયને ગર્ભ પણ પડી ગયો. ખેતરમાં પેલી Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] વસુદેવ–હિંડી : : પ્રથમ ખ ́ડ : ડાંગર પણુ સંભાળ નહીં લેવાયાથી દબાઇને ઘાસ બની ગઇ. પેલેા બ્રાહ્મણુ પણ નિભોગ્યપણાને લીધે, ડાંગરના ખેતર અને રહિણી ગાયની આશામાં, ખાલી હાથે જ પાછા આન્ગેા. દીન વદનવાળી બ્રાહ્મણી સંતપ્ત અવસ્થામાં બેઠી હતી. બ્રાહ્મણે ઘરમાં પ્રવેશ કરતાં જ તેને જોઇ. તે ઊઠી અને આસન તથા પાદશૌચથી પતિના સત્કાર કર્યો. પછી બ્રાહ્મણે પૂછ્યું, “ તુ શાથી દિલગીર છે ? ” એટલે તેણે નિ:શ્વાસ નાખીને બધી હકીકત કહી. પછી વિષાદપૂર્ણ હૃદયવાળા એ બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યુ, “ પારકાને સાષે જ તૃપ્ત થનારા કૃતાન્તનાં કાર્યો તું જ. આપણે વિચારેલું બધું જ દૈવયેાગે અન્યથા થયું. ' साली रुत्तो तणो जातो, रोहिणी न वियाइया । सोमसम्म नडो जाओ, सोमसम्मा वि गब्भिणी ॥ અર્થાત્ આપણે રાખેલી ડાંગરનું ઘાસ થઇ ગયું, રાહિણી ગાય વિયાઈ નહીં, સામશમ્ન્ પુત્ર નટ થઇ ગયા અને સેામશર્મા પુત્રો ગર્ભિણી થઇ. આમ ખેલીને ઘણી વાર વિચાર કરીને તે બ્રાહ્મણ ચપ થયે. વસુભૂતિ બ્રાહ્મણની ખાખતમાં બન્યું તે પ્રમાણે, મેં પણ વિચારેલી બધી વસ્તુઓ, હે સ્વામી! અન્યથા થઈ. ” "" ત્યારે સાઈવાડે પેાતાની પત્નીને કહ્યું, “ હે ભદ્રે ! પૂર્વકાળે કરેલાં કમોનાં શુભાશુભ ફળ અવશ્ય મળે છે. આ પછી કેટલાક સમયે પુત્રના વિયેાગથી સંતપ્ત હૃદયવાળા તે ગૃહપતિ મરણ પામ્યા. માતા પુત્રના વિયાગથી દુ:ખી તા હતી જ, તેમાં વળી પતિના મરણથી અત્યંત શોકાકુલ થઇને પતિના માર્ગે ગઇ-મરણ પામી. પૂછ્યું, ,, "" આ પછી ધસ્મિલની પત્ની યશેામતી ઘર વેચીને પેાતાને પીયર ગઈ. બધા અલ કારનું તેણે એક પાટલ' બાંધી તે ઉપર સફેદ વસ્ત્ર વીંટાળીને પેાતાની દાસીના હાથમાં આપ્યું, અને તેને ગણિકાને ઘેર મેાકલી. એ દાસીને વસન્તસેનાએ જોઈ અને “ આ શું છે ? ’” દાસીએ જવાબ આપ્યા, ” ધમ્મિલ્લની પત્નીએ માકલ્યુ છે. વસતસેનાએ વિચાર્યું કે, “ નક્કી આ સ્મિલ્લના ઘરનું સારભૂત દ્રવ્ય હશે. ” પણ “ મારે અલકારાનુ શુ કામ છે ?” એમ કહીને તે દાસીને કહેવા લાગી, “ જેમ આવી છે તેમજ ધન્મિલની પત્ની પાસે પાછી જા. ” પછી અંગપ્રતિચારક પલ્લવકે ધસ્મિલ્લના ધનના ક્ષય, પિતા-માતાનું મરણુ, ઘરનું વેચાણુ, યશેામતીનું પીયર જવું તથા અલ'કારાનુ પાછું મેકલવુ વગેરે વસન્તતિલકાને કહ્યું. પાછળથી મિલ્લે તે સાંભળ્યુ વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ 66 પછી કાઈ એક વાર ગણિકામાતાએ વસન્તતિલકાને કહ્યું, ફળ વગરના વૃક્ષના Page #94 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૩૯ ] પક્ષીઓ પણ ત્યાગ કરે છે; સૂકાઈ ગયેલ નદી, કહ, તળાવ વગેરેને હંસ, ચક્રવાક આદિ પક્ષીઓ પણ છોડી દે છે તે આપણે ગણિકાઓને નિર્ધન પુરુષનું શું કામ? આ ધમિલને વૈભવ ક્ષીણ થઈ ગયો છે, માટે એને ત્યાગ કર.” વસન્તતિલકાએ કહ્યું, માતા મારે ધનનું કંઈ કામ નથી. ધમિલના ગુણેને લીધે એનામાં મારે અત્યંત નેહ થયે છે. શિલ, કાનન અને વનખંડેથી સુશોભિત આ પૃથ્વીમાં એના સમાન અન્ય કે પુરુષને હું જોતી નથી. મેલ જેવા ધનની શી જરૂર છે? મારું જીવિત ઈચ્છતી હોય તે આર્યપુત્ર સિવાય બીજા કોઈની વાત પણ મારી આગળ કરીશ નહીં. એનાથી મારે વિગ થશે તે એનાં હાસ્ય, વચન, રમણ અને ગમનનું સ્મરણ કરતી એવી હું જીવીશ નહીં. એનાથી મારે વિગ પડાવતાં પહેલાં મને જીવાડવાને ઉપાય તું શોધી રાખજે.” વસન્તસેનાએ કહ્યું, “ભલે પુત્રિ! બસ કર. મારો પણ એ જ મરથ છે. જે તને પ્રિય તે મને પણ હાલે છે.” આ પ્રમાણે વાણ બેલવા છતાં હૃદયથી છળ-કપટ અને માયામાં કુશળ એવી લુચ્ચી ગણિકામાતા ધમિલનાં છિદ્રો જોતી રહેવા લાગી. કેટલેક કાળ ગયા પછી એક વાર વસન્તતિલકા સ્નાન કરી, સ્વચ્છ થઈ, દર્પણ હાથમાં લઈને પ્રસાધન-શૃંગાર કરતી હતી. માતાને તેણે કહ્યું, “માતા ! અળતો લાવ.” માતાએ કૂચારૂપ અળતે લાવીને મૂક્યો. ગણિકાએ પૂછયું, “માતા ! આ અળતો રસ વગરનો કેમ છે?” ત્યારે માતાએ કહ્યું, “શું એનાથી કામ નહીં ચાલે?વસન્તતિલકાએ કહ્યું, “માતા ચાલશે !” પાછી માતા કહેવા લાગી, “પુત્રી ! જેવી રીતે આ અળતે નીરસ છે, તેમ ધમ્મિલ પણ નીરસ છે, માટે તેનું આપણે કંઈ કામ નથી.” ત્યારે વસન્તતિલકાએ કહ્યું, “માતા ! આ નીરસ અળતાથી પણ કામ થાય છે, તે શું તું નથી જાણતી ?” માતાએ જવાબ આપે, “ના, હું તો નથી જાણતી. ” વસન્તતિલકાએ કહ્યું, “ અરે મૂર્ખ ! એનાથી તે વાટ વળે, તેથી દીવો સળગાવાય; માટે અજાણું ન થા. કામ કેમ નથી ?” આ પ્રમાણે જવાબ મળતાં તે ગણિકામાતા નિરુ. ત્તર અને ચૂપ થઈ ગઈ. પછી કેટલાક દિવસ બાદ સુખાસન ઉપર બેઠેલી વસન્તતિલકાને તેની માતાએ ધળી શેરડીના ટુકડાઓ પીલીને આવ્યા. તે લઈને ખાવા લાગી, પણ એમાં કંઈ રસ નહોતો. આથી તેણે કહ્યું, “માતા! આ તે નીરસ છે.” ત્યારે માતા બોલી, “જેમ આ નીરસ છે તેમ ધમ્મિલ પણ નીરસ છે.” વસતતિલકાએ કહ્યું, “આ નીરસ પણ કંઈક કામમાં આવે છે.” માતાએ પૂછયું, “શા કામમાં આવે છે?” વસન્તતિલકાએ જવાબ આપે, “દેવકુલ, ઘર વગેરેમાં લીંપણ માટે ગાર કરવામાં આવે છે, ત્યાં તેને ઉપયોગ થાય છે” આ જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કેટલાક વખત પછી ગણિકામાતા તલની એક પૂળીને બરાબર ઝાડી-ખંખેરીને વસન્તતિલકા પાસે લાવી. વસન્તતિલકાએ તે લઈને પિતાના ખેાળામાં ખંખેરી, પણ એમાં તે તલને એક પણ કણ નહોતો. આથી તેણે માતાને પૂછયું, “માતા ! આમાં તે તલ નથી; તું આ અહીં શા માટે લાવી?” તેણે જવાબ આપે, “જે આ પૂળ ઝાડી–ખંખેરી નાખેલ છે, તે જ મિલ પણ છે; માટે બસ કર, આપણે એનું કંઈ કામ નથી.” ત્યારે વસતતિલકાએ કહ્યું, “એમ ન બોલ, એનું પણ કામ પડે છે.” માતાએ કહ્યું, “કેવી રીતે?” તેણે જવાબ આપે, “અગ્નિમાં બાળીને એને ખાર બનાવાય છે. વસ્ત્રો વગેરે સાફ કરવામાં તેનો ઉપયોગ થાય છે.” આવો જવાબ મળતાં તે ગણિકામાતા વસન્તતિલકાને સામું પૂછવા લાગી કે, “શું તને બીજા પુરુષો નહીં મળે?” ત્યારે વસન્તતિલકાએ કહ્યું, “અહો ! તું કાગડાઓ જેવી કૃતઘ છે.” માતાએ પૂછયું, “કાગડાઓ કેવા કૃતન હતા ?” વસન્તસેનાએ કહ્યું, “આ બાબતમાં એક લકશ્રુતિ-લોકવાર્તા છે તે તું સાંભળકૃતક્ત કાગડાઓની કથા આજથી ઘણા સમય પૂર્વે બાર વરસને દુષ્કાળ પડ્યો. તે વખતે બધા કાગડાઓ ભેગા થઈને એકબીજાને કહેવા લાગ્યા, “હવે આપણે શું કરવું? મોટે ભૂખમરો ઉપસ્થિત થયેલ છે. જનપદોમાં કેઈ કાકપિંડ આપતું નથી તેમજ એ બીજા કેઈ પ્રકારનો એંઠવાડ પણ મળતો નથી, તે આપણે કયાં જવું?” ત્યારે એક વૃદ્ધ કાગડાએ કહ્યું, આપણે સમુદ્રકિનારે જઈએ. ત્યાં રહેતા કાયંજલે (એક પ્રકારનાં પક્ષીઓ) આપણું ભાણેજ થાય છે. તેઓ આપણને સમુદ્રમાંથી માછલાં પકડીને આપશે. આ સિવાય જીવવાનો બીજો કોઈ ઉપાય નથી.” આમ નકકી કરી તેઓ બધા સમુદ્રકિનારે ગયા. તેમને જોઈને કાયંજલ પક્ષીઓ પ્રસન્ન થયાં, કાગડાઓનું તેમણે સ્વાગત-અભ્યાગત વિધિથી સન્માન કર્યું અને પરોણાગત કરી. પછી કાયંજલે તેમને સમુદ્રમાંથી માછલાં પકડીને આપવા માંડ્યાં. આ પ્રમાણે કાગડાઓ ત્યાં સુખપૂર્વક સમય વીતાવતા હતા. પછી બાર વરસને દુષ્કાળ પૂરો થતાં જનપદોમાં સુકાળ થયે. એટલે તે કાગડાઓએ અંદરઅંદર વાતો કરીને “જે સુકાળ હોય તે પાછા જઈએ” એમ નક્કી કરીને બે કાગડાઓને જનપદની સ્થિતિ જોવાને માટે મોકલ્યા. એ બે કાગડાઓ થોડા સમયમાં જ તપાસ કરીને પાછા આવ્યા અને બીજાઓને કહેવા લાગ્યા, “જનપદોમાં હવે કાકપિંડ મૂકવામાં આવે છે, માટે ઊઠે, હવે આપણે જઈએ.” પછી તેઓ વિચારવા લાગ્યા કે, હવે જવું કેવી રીતે? જે રજા માગીશું તો કાયંજલે આપણને જવા દેશે નહીં.” એમ ધારીને કાયંજલને બેલાવીને કહ્યું કે, “હે ભાણેજે! હવે અમે જઈએ છીએ.” તેઓએ Page #96 -------------------------------------------------------------------------- ________________ પસ્મિલ્લ-હિંડી [ ૪૧ ] પૂછયું, “શાથી જાઓ છો ?” ત્યારે કાગડાઓએ જવાબ આપે, “દરરોજ સૂર્ય ઊગતાં પહેલાં જ તમારો અભાગ જે પડે એ સ્થિતિ અમે સહન કરી શકતા નથી. ” આમ કહીને તે કાગડાએ ચાલ્યા ગયા. એ પ્રમાણે હે માતા ! તું પણ આ કાગડાઓના જેવી છે. મને લાગે છે કે પસ્મિલના ધનથી ઉદ્ધત થયેલી તું હવે “ધમ્મિલનો ત્યાગ કર” એમ મને કહે છે.” આ પ્રમાણે વસન્તતિલકાએ કહેતાં વસન્તસેના શરમાઈને ચૂપ થઈ ગઈ. પછી તે ધૂર્ત વસન્તસેનાએ વસન્તતિલકાને અત્યંત રાગાસક્ત જાણીને તથા ધમિલને એ છેડી શકવાની નથી ” એમ સમજીને કબૂટ-દેવતા (એક પ્રકારની ગ્રામદેવતા)ના નિમિત્તે ઘરમાં ઉત્સવ કર્યો. વસન્તતિલકાની સર્વે સખીઓ તથા ગણિકાપુત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. ગણિકાઓને પણ આમંત્રવામાં આવી. પછી ગંધ, ધૂપ અને નૈવેધથી ગૃહદેવતાઓની પૂજા કરવામાં આવ્યા બાદ ધમિકલ જતનથી નાહ્યો, સ્વચ્છ થયો તથા સર્વે અલંકારે પહેરીને જેમાં સર્વ પ્રકારનાં ખાદ્ય, પય અને ભેજન સજજ કરવામાં આવ્યાં હતાં એવા સુન્દર ભેજનમંડપમાં વસતતિલકાની સાથે પાનવિલાસ અનુભવવા લાગે. ધસ્મિલ્લને ગણિકામાતાએ હાંકી કાઢયે આ પ્રમાણે વધારે પ્રમાણમાં પીવાથી તે ધમિહલ અચેતન થઈ ગયા. એટલે તેના શરીર ઉપર એક જ જીર્ણ વસ્ત્ર રાખીને (વસન્તસેનાની સૂચનાથી ) નગરની બહાર બહુ દૂર નહીં અને નજીક નહીં એવા પ્રદેશમાં તેને ફેંકી દેવામાં આવ્યું. પ્રભાતના શીતળ પવનથી સ્વસ્થ થતાં તે જાગ્યો તો પોતાની જાતને જમીન ઉપર પડેલી જોઈ. ત્યાંથી ઊઠીને તે વિચાર કરવા લાગ્યા, “અહો ! ગણિકાનું હદય ક્ષણ માત્ર માટે જ રમણીય હેઈ છેવટે તે વિષના જેવું પરિણામ આપનારું છે. એ પ્રીતિ, એ મધુરતા, એ તત્પરતા, એ પ્રણયસેવા–બધું જ માત્ર કપટ હતું. ખરેખર વેશ્યા સ્ત્રીઓનો કુલક્રમાગત ધર્મ છે કે ઘડીકમાં પુરુષને ઊજળો બનાવીને બીજી ઘડીએ જ તેના ઉપર મેશને કૂચડે તેઓ ફેરવે છે. ઝેરી સાપ, જંગલી વાઘ, મૃત્યુ, અગ્નિ અને વેશ્યા એટલાંઓને કેઈપણ શું પ્રિય હોઈ શકે ખરું? અર્થ લુબ્ધ આ વેશ્યાઓ મેશના લેપવાળા ચીકણા ઘડાની સાથે પણ રમણ કરે છે, પરંતુ શ્રીવત્સના લાંછનથી અંકિત એવા વિષ્ણુને પણ મફત ઈચ્છતી નથી. પૈસાને માટે જેઓ શત્રુઓને પણ પિતાનું મુખ ચુંબન માટે સમર્પે છે અને આ રીતે જેમને પોતાને આત્મા જ શ્રેષ્ઠ છે એવી વેશ્યાઓને બીજે કેણ વહાલો હોય?” ૧. પર્વતથી વીંટળાયેલા ગામને “કર્બટ” કહેવામાં આવે છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : આ રીતે વિચારીને તે ત્યાંથી જવા માટે ઊભા થયેા. પહેલાં જોયેલા માર્ગથી જેમ તેમ કરીને પેાતાને ઘેર ઘણીવારે પહોંચ્યા. ત્યાં પણ અજાણપણાને લીધે દ્વાર ઉપરના પુરુષને પૂછવા લાગ્યા કે, “ ભાઇ ! આ કેવું ઘર છે? ” પેલાએ પૂછ્યું, “તું કાનુ માને છે ? ” ધસ્મિલ્લે જવાખ આપ્યા કે, “ ધસ્મિલ્લનું. ” ત્યારે પેલાએ કહ્યુ, 66 माया सोएण मया पिया वि गणियाघरे वसंतस्स | धम्मिलसत्थाहसुस कामिणो अत्थनासो य ॥ અર્થાત્ ગણિકાના ઘેર વસતા અને કામી એવા સા વાઢપુત્ર ધમ્મિલનાં માતા-પિતા શેકથી મરણ પામ્યાં અને તેનું ધન પણુ નાશ પામી ગયું. 37 તેનું આ વચન સાંભળીને, વજાના પ્રહારથી પર્વતના શિખર ઉપરનું વૃક્ષ પડી જાય તેમ, ધસ્મિલ્લ જમીન ઉપર પડી ગયા. મૂર્છા વળતાં ઊઠીને વિચાર કરવા લાગ્યા, “ પિતા અને માતાના વિચાગથી દુ:ખી તથા વૈભવથી રહિત એવા મને જીવવાની શી આશા છે ? ” આમ હૃદયથી નક્કી કરીને તે નગરમાંથી નીકળ્યેા. જેણે આત્મઘાત કરવાના નિશ્ચય કર્યો છે એવા તે ધમ્મિલ મરવાની ઇચ્છાથી અનેક પ્રકારનાં વૃક્ષ, લતા, ગુચ્છ અને શુક્ષ્મથી ગહન, અનેક પક્ષીઓવડે શબ્દાયમાન તથા જેની આસપાસની ભીંતેા પડીને અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી એવા એક જીણુ ઉદ્યાનમાં પેઠા. ત્યાં અળસીના ફૂલ જેવી કાળી તીક્ષ્ણ તલવાર વડે પેાતાના ઘાત કરવા માંડ્યો, એ વખતે તેનુ એ આયુધ દેવતાવિશેષે જમીન ઉપર પાડી નાખ્યુ. · શસ્ત્રથી મારું મરણુ નથી ' એમ વિચારીને ઘણાં લાકડાં ભેગાં કરીને તેણે અગ્નિપ્રવેશ કર્યો, પરન્તુ અગ્નિ પણ મેટી નદીના ધરાની જેમ શીતળ થઈ ગયા. એટલે એ રીતે પણ તે ન મર્યા. પછી તેણે વિષ ખાધું. તે પણુ, અગ્નિ જેમ સૂકા ઘાસની ગંજી ખાળી નાખે તેમ, તેના જઠરાગ્નિએ ખાળી નાખ્યું. વળી તે ધસ્મિલ વિચાર કરવા લાગ્યા, શસ્ત્ર, અગ્નિ કે વિષભક્ષણથી મારું મરણુ નથી, માટે ઝાડ ઉપરથી ભ્રસ્કા મારું. ” પછી તેણે ઝાડ ઉપરથી ભુસ્કા માર્યા, પણુ રૂના ઢગલા ઉપર પડ્યો હાય તેમ એને કંઇ ઇજા ન થઈ. પછી જેનું રૂપ દેખાતું નહાતુ એવા કેાઇએ એને આકાશવાણીથી કહ્યું, “અરે! સાહસ ન કર, સાહસ ન કર ! ” આ સાંભળી દીર્ઘ નિ:શ્વાસ મૂકીને ‘અહીં પણ મારું મરણુ નથી ' એમ ચિન્તા અને અફ્સાસ કરતા ત્યાં બેસી રહ્યો, 66 વસન્તતિલકાની પ્રતિજ્ઞા સ્મિલ્લની આ દશા થઇ. બીજી બાજુ, પ્રભાતકાળે પ્રકાશમાન સૂર્ય ઉદય પામતાં જેનેા મદ દૂર થયા છે એવી વસન્તતિલકા માતાને પૂછવા લાગી કે, “ હે માતા ! ધ્રુમ્મિલ કયાં ગયા ? ” ત્યારે તેણે જવાબ આપ્યા કે, “ એવા પુરાણા ધૂ'ની કાણુ તપાસ Page #98 -------------------------------------------------------------------------- ________________ મ્મિલ્લ-હિંડી [ ૪૩ ] “ રાખે ? હું પુત્રિ! તે કયાં ગયા છે એ હું જાણુતી નથી. ” તેના જવાબ ઉપરથી વસન્તતિલકાએ જાણ્યું કે, “ નક્કી, આ માટે જ આવા અપૂર્વ ઉત્સવ કર્યો હાવા જોઇએ. જરૂર, આમાં મારી માતાના જ દોષ છે. ” આમ વિચારીને શાકાતુર થયેલી તે વસન્તતિલકાએ પ્રતિજ્ઞા કરી કે— " एसो वेणीबंधो कओ मए धणियसप्पइण्णाए । मोवो य पिणं, मत्तूण य आवयंतेण ॥ અર્થાત્ અત્યંત સાચી પ્રતિજ્ઞાપૂર્વક મેં આ વેણી બાંધી છે. કાં તે તે માશ પ્રિયતમ છેડશે અથવા મારા ઉપર આવતું મૃત્યુ છેડશે. ” આ પ્રમાણે કહીને જેણે ગંધ, પુષ્પ અને અલંકારાના ત્યાગ કર્યો છે એવી તે વસન્તતિલકા માત્ર શરીરને ટકાવી રાખવા માટે કેવળ શુદ્ધોદકથી સ્નાન કરતી દિવસેા ગાળવા લાગી. સ્મિલ્લના અગડદત્ત મુનિ સાથે સમાગમ બીજી ખાજી, ધમ્મિલ પણ બેઠા હતા ત્યાંથી ઊઠીને તે જીર્ણોદ્યાનમાં ફરવા માંડ્યો. ત્યાં તેણે વિપુલ પાંદડાવાળા, વિશાળ, ગંભીર, નવી કુંપળા તથા પલ્લવાવાળા, અત્યંત ઘટાદાર, ફૂલના ભારથી નમેલા, જેને શિખરપ્રદેશ ભ્રમરાના ગુંજારવથી શબ્દાયમાન હતા એવા, તથા જેના પલ્લવરૂપી હાથ પવનથી કંપતા હતા એવા સુન્દર અશેક વૃક્ષની નીચે બેઠેલા, જિનશાસનના સારરૂપ પરમ સત્ય જેણે જાણ્યુ' છે એવા, અનેક ગુણેાવાળા, આનદયુક્ત અને સાધુએમાં ગંધહસ્તી સમાન શ્રેષ્ઠ એવા એક સાધુને જોયા. પૂર્વભાષી એ સાધુએ મૃદુ અને મધુર વાણીથી ધસ્મિલ્લને કહ્યું, “ ધમ્મિલ ! અજ્ઞાન માણસની જેમ સાહસ શા માટે કરે છે ? ” દેવેન્દ્રોવડે વાયેલા, તપ અને ગુણેાના ભંડારરૂપ સાધુને પ્રણામ કરીને ધમ્મિલ કહેવા લાગ્યા કે, “ હે ભગવન્! પૂર્વે ધર્મ નહીં કર્યાં હાવાને કારણે હું દુઃખી છું. ” સાધુએ પૂછ્યું, “ તારે શું દુ:ખ છે ? ” ધસ્મિલ્લે જવામ આપ્યા, “જે પોતે દુ:ખ પામ્યા નથી, જે દુઃખના નિગ્રહ કરવામાં સમર્થ નથી અને જે બીજાના દુ:ખે દુ:ખી નથી તેને દુ:ખ ન કહેવું જોઇએ. ” ત્યારે સાધુએ કહ્યુ, “ હું પાતે દુ:ખ પામેલેા છું, દુ:ખના નિગ્રહ કરવાને સમર્થ છું અને ( અત્યારે તારી સ્થિતિ જોઇને ) દુઃખી થાઉં છું, માટે તારૂ દુ:ખ મને કહે. ” '' 66 યસ્મિલ્લે પૂછ્યું, “ ભગવન્ ! શું તમને મારા કરતાં પણ વધારે દુ:ખ પડયું છે ? ” સાધુએ કહ્યુ, હા. ” પછી ધસ્મિલ્લે પેાતાની યથાવીતી કહી સંભળાવી. એટલે સાધુએ કહ્યું, “ ધમ્મિલ ! ધ્યાનપૂર્વક સાંભળ મે જે સુખદુ:ખ અનુભવ્યાં તે તને કહું છું— Page #99 -------------------------------------------------------------------------- ________________ [૪૪] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : અગડદર મુનિની આત્મકથા આનંદ પામેલા લોકે જ્યાં સર્વ પ્રકારનાં સારભૂત ધા પકવે છે તે તથા વિદ્યાવડે જેની વિજ્ઞાન-જ્ઞાનવિષયક બુદ્ધિ કેળવાયેલી છે એ અવન્તિ નામે જનપદ છે. ત્યાં અમરાવતીના જેવી લીલાયુક્ત ઉજયિની નામે નગરી છે. એ જનપદમાં પ્રજાના પાલનમાં સમર્થ, જેનો કોશ અને કોઠારનો વૈભવ સંપૂર્ણ છે એ, પુષ્કળ સેના અને વાહનવાળો તથા મંત્રીઓ અને સેવકવર્ગ જેમાં અનુરક્ત છે એવો જિતશત્રુ નામે રાજા છે. બાણ, અસ્ત્ર, શસ્ત્ર, રથયુદ્ધ અને કુસ્તીમાં તથા ઘેડાઓને કેળવવામાં કુશળ એ તેને અમોઘરથ નામે સારથિ હતો. અમેઘરથની કુલ અને રૂપમાં મેગ્ય એવી યશોમતી નામે પત્ની છે. તેમને પુત્ર હું અગડદત્ત નામે છું. મારા દેવગે અને દુઃખની ગુરુતાથી મારા પિતા હું બાળક હતો ત્યારે જ મરણ પામ્યા. પતિના મરણથી દુઃખ પામેલી અને શેક કરતી એવી મારી માતા શુષ્ક કોટરવાળું વૃક્ષ જેમ દાવાનળથી સળગે તેમ મનમાં જ દાઝવા માંડી. એને એ પ્રમાણે દુઃખી થતી, શરીરમાં સુકાતી તથા વારંવાર રોતી જોઈને હું પૂછવા લાગ્યું, “માતા ! તું કેમ રડે છે ?” પછી મેં ઘણે આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, “પેલે અમેઘપ્રહારી સારથિ છે. તારા પિતા મરણ પામ્યા એટલે તેમનું પદ અને વૈભવ એ અમેઘપ્રહારીને મળ્યાં. જે તારા પિતા આજે જીવતા હોત અથવા તું બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ હેત તો આ વૈભવ તેને મળત નહીં, અથવા શુંગાટક (ત્રિકોણ માર્ગ), ત્રિક (જ્યાં ત્રણ રરતા ભેગા થતા હોય એવી જગા), ચેક, ચાચર અને શેરીઓમાં આવી રીતે ગેલ કરતે તે ફરતે નહાત. આ પ્રત્યક્ષ દુઃખ જોઈને તારા પિતાનું મૃત્યુ યાદ કરતી એવી હું મનમાં ને મનમાં બન્યા કરૂં છું.” મેં માતાને પૂછયું, “માતા ! બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ એવો આપણે કોઈ મિત્ર છે?” એટલે તેણે જવાબ આપે, “કૌશાંબીમાં તારા પિતાનો પરમ મિત્ર અને સહાધ્યાયી દઢપ્રહારી નામે છે. તેને એકને જ હું તે જાણું છું.” મેં કહ્યું, “માતા ! હું દઢપ્રહારી રથિક પાસે કૌશાંબી જાઉં છું; બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરીને ત્યાંથી આવીશ.” પછી માતાએ ઘણું ઉમંગથી મને જવાની રજા આપી. પછી હું ત્યાંથી નીકળે અને કૌશાંબી ગયે. ત્યાં બાણ, અસ્ત્ર, શસ્ત્ર તથા રથચર્યાની શિક્ષણમાં કુશળ એવા આચાર્ય તરીકે દઢપ્રહારી પાસે જઈને વિનયપૂર્વક તેને પ્રણામ કર્યા. તેણે મને પૂછ્યું, “પુત્ર ! ક્યાંથી આવ્યા છે?” એટલે મેં મારા પિતાના ઘરની સર્વ હકીકત, પિતાનું નામ અને પિતાનું આગમન એ બધું કહ્યું. પછી તેણે પિતા જેમ પુત્રને આશ્વાસન આપે તેમ મને આશ્વાસન આપ્યું, અને કહ્યું, “વત્સ ! હું મારી બધી વિદ્યા તને બરાબર શિખવીશ.” મેં પણ કહ્યું, “હું ધન્ય છું, કે આપે Page #100 -------------------------------------------------------------------------- ________________ ધમિલ-હિંડી [ ૪૫ ] મારા ઉપર અનુગ્રહ કર્યો.” તેણે મને થોડીક ધીરજ રાખવાનું કીધું. પછી સારાં તિથિ, કરણ, નક્ષત્ર અને દિવસના મુહૂર્વે શકુન-કેતુકપૂર્વક મેં બાણ અને શસ્ત્રવિદ્યા શીખવાનો આરંભ કર્યો. શલાકા કાઢી, પાંચ પ્રકારની મુષ્ટિ શીખે, પુનાગને જીત્ય, મુષ્ટિબંધ શિ, લક્ષ્યવેધી અને દઢપ્રહાર કરવાની શક્તિવાળે બળે, છૂટાં ફેંકવાનાં અને યંત્રમાંથી ફેકવાન એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થયે તથા અન્ય પ્રકારનાં તપતન, છેદ્ય, ભેદ્ય તથા યંત્રવિધાને ને અને મને ઉપદેશવામાં આવેલી શસ્ત્રવિધિઓને પારગામી ગયા. અગડદત્તને શ્યામદત્તા સાથે પરિચય પછી એક વાર હું મારા ગુરુના ઘરની વૃક્ષવાટિકામાં જઈને અભ્યાસ કરવા લાગે. મારા ગુરુના ઘરના પડોશના ઘરમાં રહેતી એક સુન્દર તરુણ મને દરરોજ ફળ તથા પાંદડાં, પુષ્પ અને પુષ્પની માળાઓ ફેંકવાવડે તથા ઢેફાંઓ વડે પ્રહાર કરતી હતી. પરતુ હું ગુરુના ભયને લીધે તથા વિદ્યાભ્યાસના લેભને લીધે, ઈચ્છા હોવા છતાં, તેના પ્રત્યે અનુરાગ દર્શાવતો નહોતે. આમ કેટલાક દિવસો વીતી ગયા બાદ એક વાર હું અભ્યાસ કરતા હતા ત્યારે એ જ વૃક્ષવાટિકામાં લાંબાં અને લટકતાં લીલાં અને રાતાં પલવાળા, કુસુમના ભારથી જેની આગલી ડાળીઓ નમેલી હતી એવા, ભ્રમર અને મધમાખના સમૂહના મધુર ગુંજારવથી જેનાં કેટરો શબ્દાયમાન હતાં એવા રક્ત અશક–વૃક્ષની નીચે ડાબા હાથવડે એક શાખાનું અવલંબન કરીને અને એક સહેજ ઊંચે કરેલે પગ વૃક્ષના થડ ઉપર મૂકીને ઊભેલી તથા સારભૂત નવયૌવનમાં રહેલી તે તરુણને મેં જોઈ. નવા શિરીષના સુન્દર પુષ સમાન રંગવાળા અને સેનાના કૂર્મ જેવા ઘાટિલા પગવાળી, અત્યંત વિશ્વમ( વિલાસ)થી ચકિત કરે એવાં અને કેળના સ્તંભ જેવાં ઉરુયુગલવાળી, મોટી નદીના પુલિનના સ્પર્શ જેવી સુંવાળી જંઘાવાળી, ફાડેલા રક્તશુકના મધ્ય ભાગની લાલિમા જેવું અત્યંત લાલ વસ્ત્ર જેણે પહેર્યું છે એવી, હસેના સમૂહ જે શબ્દ કરતી કટિમેખલાવાળી, ઇષત રોમરાજિવાળી, કામ અને રતિના જેવાં (અથવા કામવાસનાની વૃદ્ધિ કરનારાં), ઉરતટની શોભા વધારનાર, પરસ્પર સંઘર્ષ થવા છતાં સજજનની મૈત્રીની જેમ વૃદ્ધિ પામતાં તથા જેમની વચ્ચે અંતર નથી એવાં સ્તનવાળી, પ્રશસ્ત લક્ષણવાળી તથા મયુક્ત બાહુલતાવાળી, રાતી હથેળીવાળા, કમળ, જેમાં ઘણી રેખાઓ નથી એવા, ક્રમપૂર્વક ગોળ તથા ઘાટીલી આંગળીઓ તથા લાલ નખવડે યુક્ત એવા અગ્રહસ્તવાળી, ઘણું લાંબા ૧. શસ્ત્રવિદ્યાના શિક્ષણના પ્રારંભમાં પુનાગના વૃક્ષને લગતી કોઈ વિધિ હશે ? મૂળમાંના નિર્ચ goorji એ શબ્દ જોતાં વૃક્ષનો અર્થ શક્ય છે. ૨. “તપતન” એટલે ઝાડ કાપી નાંખવાં, કે સામે આવતા દમનને વૃક્ષની જેમ કાપી નાંખો તે ? બીજો અર્થ વધારે સંભવિત લાગે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ [૪૬]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નહીં એવા લાલ હેઠવાળી, મયુક્ત, શુદ્ધ અને સુન્દર દંતપંક્તિવાળી, રક્ત કમળના પત્ર જેવી જીભવાળી, ઉત્તમ અને ઉન્નત નાસિકાવાળી, પોશમાં સમાય એવી, લાંબી, નીલ કમળના પત્ર જેવી આંખેવાળી, સંગત ભૂકુટિવાળી, પાંચમના ચંદ્રસમાન લલાટપટ્ટવાળી તથા કાજળ અને ભ્રમરોના સમૂહ જેવા કાળા, મૃદુ, વિશદ અને જેમાંથી સુગંધ નીકળે છે એવા સર્વ કુસુમોવડે સુવાસિત અને ભતા કેશપાશવાળી, સર્વે અંગ-ઉપાંગમાં પ્રશસ્ત અને અવિસ્તૃષ્ણ રીતે દર્શન કરવા લાયક તે સુન્દરીને મેં જે ઈ. વિચાર કર્યો કે, “શું આ કોઈ આ ભવનની દેવતા હશે? કે માનવ સ્ત્રી હશે?” પછી મેં ધ્યાનપૂર્વક જોયું કે એનાં નયન નિમેન્મેષ કરે છે, અને એથી જાણ્યું કે આ દેવતા નથી, પણ માનવી છે. પછી મેં એને પૂછયું કે, “ભદ્રે ! તું કોણ છે? કેની છે? અને કયાંથી આવે છે?” ત્યારે તેણે સ્મિત હાસ્ય વડે રૂપસુન્દર અને શુદ્ધ દંતપંક્તિ બતાવતાં અને ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખેતરતાં જવાબ આપ્યો કે, “આર્યપુત્ર ! આ પાડોશના ભવનના ગૃહપતિ યક્ષદત્તની પુત્રી હું શ્યામદત્તા નામે છું. ઘણે સમય થયા મેં તમને અભ્યાસ કરતા જોયા છે, અને જોતાં વેંત તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કામદેવના શરપ્રહારથી દુઃખ પામતા હૃદયવાળી અશરણ એવી હું તે સમયથી માંડીને શાતિ નહીં પામતી તમારે શરણે આવી છું. મારા સમાગમની તમે અવજ્ઞા ન કરશે. તમારાવડે અવજ્ઞા પામતાં તમારા વિરહથી દુઃખી થઈને હું ક્ષણમાત્ર પણુ જીવી શકીશ નહીં.” આમ કહીને તે મારે પગે પડી. મેં તેને ઊઠાડીને કહ્યું, સુતનુ! એમ કરવામાં અવિનય અને અપયશ બને થાય તેમ છે. ગુરુના ઘેર રહીને વિનયનું ઉલ્લંઘન કરવું યેગ્ય નથી.” એટલે એણે મને ફરીથી કહ્યું, “ભતૃદારક! જે સ્ત્રી અથવા પુરુષ કુળમાં અથવા શીલમાં કલંક ન આવે તેવી રીતે વર્તે છે તે કામી ગણાતાં નથી.” મેં કહ્યું, “ભલે પણ મારા શરીરના અને જીવનના સેગન આપીને કહું છું કે થોડા દિવસ રાહ જે. ત્યાં સુધીમાં ઉજજયિની પાછા જવાનો ઉપાય હું વિચારી રાખીશ.” આ પ્રમાણે ઘણું સોગન આપીને તેને સમજાવી, એટલે તે પોતાને ઘેર ગઈ. કામદેવનડે સોસાતા શરીરવાળો હું પણ તેના એ રૂપના અતિશયને હૃદયમાં ધારણ કરતો, મનમાં તેનું જ ચિત્વન કરતો અને તેના સમાગમના ઉપાય વિચારતો જેમ તેમ કરીને દિવસ ગાળવા લાગે, તથા ગુરુની લજજાથી મારા અનાચારને છુપાવતે રહેવા લાગ્યું. પછી જેની વિદ્યા સિદ્ધ થઈ છે એવો હું એક વાર ગુરુની અનુજ્ઞા લઈને મારી કુશળતા બતાવવા માટે રાજદરબારમાં ગયે. ત્યાં મેં તલવાર અને ઢાલનું ગ્રહણ, હાથીને ખેલાવવા, ભ્રમંત ચક્ર, ગત્યંતર ગત ઈત્યાદિ બધી વિદ્યા યોગ્ય રીતે બતાવી. બધા ૧. ભ્રમંતચક્ર અને ગત્યંતર ગત એ અસ્ત્રવિદ્યા અથવા મલ્લવિદ્યાના કેઈ પ્રકારે હશે. પણ અત્યારે એ શબ્દોને અર્થ સમજાતું નથી. અનંતરાયું પછી મૂળમાં વાઢયયવિચારીયં શબ્દ છે તે પણ આ જ કોઈ પ્રકાર હશે, પરંતુ તેની તે સંસ્કૃત છાયા કે અટકળ અર્થ પણ કરવો મુશ્કેલ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લ-હિંડી [ ૪૭ ] 66 પ્રેક્ષકાનું વિસ્મયથી હૃદય હરાઇ ગયું, અને મારા શિક્ષાગ્રુષ્ણેાની તથા મારા ગુરુની તેએ પ્રશંસા કરવા લાગ્યા. પરન્તુ રાજા તે આમાં કંઇ આશ્ચર્ય નથી ' એમ કહીને જરાય વિસ્મય પામ્યા નહીં, પણ તેણે મને કહ્યું, “એલ, તને શું આપું? ” મેં તેને વિનતી કરી, “ સ્વામી ! આપ મને શાખાશી આપતા નથી, પછી બીજા દાનનું મારે શું કામ છે ? ” ત્યારે એ રાજા કહેવા લાગ્યા કે, “ તારી શિક્ષા-વિદ્યામાં શું છે ? મારી શિક્ષા તુ ધ્યાનપૂર્વક સાંભળ. આજ નગરમાં સિંહલીના પુત્ર નંદન ( અથવા આનંદ) નામે હતેા. “ सिरिओ दूयाणत्ती आस विवत्ती य कुलघरविणासो । निग्गमण खाइयाए जा दुप्पडतप्पणा बोही | (અર્થાત્ કાઢિયા- ્ત આજ્ઞા-અશ્વનેા વધ-ઘરના નાશ-ખાઇવાટે પલાયન-પરિતાપ-એધિ) આમ કહીને તે પેાતાના પૂર્વભવ કહેવા લાગ્યા. “ સાંભળ, દેવાનુપ્રિય !~~ જિતશત્રુ રાજાના પૂર્વભવ આજ કૌશાંબી નગરીમાં રિસેન નામે રાજા હતા. તેને ધારિણી નામે પટરાણી હતી. સુબુદ્ધિ નામને તેના અમાત્ય હતેા હતા. એ અમાત્યની પત્નીનું નામ સિંહલી હતું. એ સિંહલીના હું આનંદ નામે પુત્ર હતા. અશુભ કર્મના ઉદયથી મને કાઢ થયેા. એ રાગથી પીડા પામતા તથા મારી જાતની નિન્દા કરતા હું જીવન ગાળવા લાગ્યા. પછી એક વાર ચવન દેશના અધિપતિએ મેકલેલે કૃત આ નગરમાં આન્યા. રાજકુલમાં આવતાં દૂતને યેાગ્ય એવા ભારે સત્કારથી તેનુ સ્વાગત કરવામાં આવ્યું. તેને એક વાર મારા પિતાએ પણ પેાતાને ઘેર લઇ જઇને તેના નામ અને વૈભવને ચાગ્ય સત્કાર કર્યા. રાજા, દેશ અને કુળના સમાચાર વિષે વાતચીત કરતા તેએ બેઠા. એવામાં હું મારા ઘરમાં પ્રવેશ્યા તે તેણે જોયે, અને મારા પિતાને પૂછ્યું, “ આ કાના પુત્ર છે ? ” પિતાએ જવાબ આપ્યા કે, “ મારેા છે. ” તે પૂછ્યું કે, “ તે। શું આ દેશમાં એના રોગ માટે ઔષિધ નથી કે વૈદ્યો નથી ? ” પિતાએ કહ્યુ, આ દેશમાં ઔષધિએ પણ છે અને વૈદ્યો પણ છે, પરન્તુ એના મંદભાગ્યને લીધે કાઇ ઔષધ લાગુ પડતું નથી અને રાગનું શમન થતું નથી. ” “ તા જેને નવું યૌવન આવ્યુ` હાય એવા વછેરાના રુધિરમાં એને એક મુહૂર્ત બેસાડા ” એમ કહીને તે દૂત ગયા. 66 મારા પિતાએ પુત્રસ્નેહથી રાજકુલના એક અશ્વ મારીને તે જેમ કહ્યુ તેમ કર્યુ પછી રાજાએ સાંભળ્યું કે- સુબુદ્ધિ અમાત્યે અશ્વ માર્યા છે. ' એટલે રાષે ભરાયેલા રાજાએ અમારા આખા ઘરને મૃત્યુદંડ ક્માન્યેા. આ સાંભળીને ખાઇમાં ઉતરીને નાસતા નાસતા હું. કલાલેાના વાસમાં પહાંચે. તે કલાલ-વાસના મુખીએ મને જોયા, અને Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પૂછયું, “તું કોણ છે? ક્યાં જાય છે? અને કોનો પુત્ર છે?” એટલે મેં બની હતી તે બધી હકીકત કહી. તે અનુકંપાથી મને પિતાને ઘેર લઈ ગયો અને ત્યાં મને રાખે. પિતા, માતા, સ્વજન અને પરિજનના વિયેગથી પરિતાપ પામતો હું ત્યાં રહેવા લાગ્યા. એક વાર ઈર્યાસમિતિ અને ભાષાસમિતિવાળા, આ લેક તથા પરલોકના વિષયમાં નિરપેક્ષ તથા પ્રાસક ભિક્ષાને ઈછતા શ્રમણ તે ઘરમાં પ્રવેશ્યા. ઘરસ્વામીએ તેમને પ્રણામ કર્યા. મેં પણ તેમને વંદન કર્યા, અને ધર્મ પૂછ. અહિંસાપ્રધાન ધર્મ તેમણે કહો. જિનેશ્વરેનું વચન મેં જાણ્યું. મેં તેમની પાસેથી શિક્ષાવ્રતો અને અણુવ્રત ગ્રહણ કર્યા. આણુવ્રત તથા શિક્ષાત્રતો ગ્રહણ કરીને કાળધર્મ પામેલે હું આ જ નગરમાં જિતશત્રુ રાજા થયે. આ જન્મમાં સાધુઓને જોઈને મને જાતિસ્મરણ થયું. પૂર્વ જન્મમાં આટલી શિક્ષા-વિદ્યાથી મને આ જન્મમાં રાજ્યશ્રી મળી. (પછી તારી અલપ ફળવાળી શિક્ષાથી મને આશ્ચર્ય શી રીતે થાય?)” એ સમયે નગર અને જનપદના માણસોએ રાજાને વિનંતી કરી કે, “દેવાનુપ્રિયના નગરમાં અપૂર્વ ખાતર પડે છે, કોઈ દ્રવ્યની ચોરી કરે છે, માટે હે દેવાનુપ્રિય! આ૫ નગરનું સંરક્ષણ કરો.” એટલે રાજાએ નગરરક્ષકને આજ્ઞા આપી, “સાત રાત્રિની અંદર ચોર પકડાય તેમ કરો.“આ મારા ગમનનો અવસર છે” એમ વિચારીને ફરી વાર રાજાને પગે પડીને મેં વિનંતી કરી કે, “જે દેવાનુપ્રિય આજ્ઞા આપે અને કૃપા કરે તે હું આપની કૃપાથી સાત રાત્રિની અંદર ચોરને આપના ચરણમાં હાજર કરું. ” મારું આ વચન રાજાએ સ્વીકાર્યું, અને કહ્યું “ભલે એમ કર.” અગડદત્તે શેરને માર્યો આ પછી હર્ષ પામેલે હું રાજાના ચરણમાં પ્રણામ કરીને રાજકુલમાંથી નીકળે. શાસ્ત્રોમાં મળતા નિર્દેશ ઉપરથી મેં જાણ્યું હતું કે-દુર્ણ પુરુષો અને ચેર ઘણું કરીને પાનાગાર (મદ્યની દુકાન), ઘતશાલા, કંદોઈની દુકાન, પાંડુ વસ્ત્ર પહેરનાર પરિવ્રાજકોના મઠ (અથવા નપુંસકોનાં નિવાસસ્થાને તથા પરિવ્રાજકોના મઠો), રક્તાંબર ભિક્ષુઓના કોઠાઓ, દાસગૃહ, આરામ, ઉદ્યાન, સભા અને પ્રપાઓમાં તથા શૂન્ય દેવકુલે અને વિહારમાં આશ્રય કરીને રહે છે. વિવિધ કલાઓમાં કુશળ એવા તે ચોરો ત્યાં ઉન્મત્તા પરિવ્રાજકનાં વિવિધ પ્રકારનાં લિંગ (ચિહ્ન) અને વેશ ધારણ કરીને અથવા બ્રાહ્મણનું રૂપ લઈને વિકૃત અને બેડોળ આકૃતિ ધરી ભમે છે. એટલે એવાં સ્થાનેની હું મારા ચાર પુરુષ-જાસૂસો દ્વારા તપાસ રખાવવા માંડ્યો. એક વાર ઉપાય કરવામાં કુશળ એવો હું તપાસ કરાવીને નીકળ્યો. જેણે જીર્ણ અને મેલાં વસ્ત્રો પહેર્યા છે એવો હું એક જ દોડીને નવાં હરિયાળાં પલ્લવવાળા તથા ઘણું શાખાઓ વડે શીતલ એક આંબાના ઝાડ નીચે બેઠો અને ચોરને પકડવાનો ઉપાય વિચારવા માંડ્યો. તે જ વખતે વડે રાતાં રંગેલાં વસ્ત્ર ધારણ કરેલો, એક કપડાનું જેણે ઉત્તરાસંગ Page #104 -------------------------------------------------------------------------- ________________ ધમિલ્લ-હિંડી L[ ૪૯] કરેલ છે એ, સામ્યવાદીઓની જેમ કપડાના ટુકડાથી જેણે કેડ બાંધી છે એ, જેણે ડાબા ખભા આગળ ત્રિદંડ તથા કમંડળ રાખેલ છે એવો, માળાના મણકા ગણવામાં વ્યાપૃત હાથવાળો, તાજાં ઓળેલાં વાળ અને દાઢીવાળો અને મોઢેથી કંઈક ગણગણાટ કરતા એક પરિવ્રાજક તે જ આંબાના ઝાડની છાયામાં આવ્યું. એકાન્ત જગાએ ત્રિદંડને રાખીને એક પલ્લવશાખા પકડીને તે બેઠો. દીર્ઘ અને ઊંચા નાકવાળા, જાડી નસવડે વીંટાયેલા પગવાળા અને સ્નાયુબદ્ધ પીંડીઓ અને લાંબી જંઘાઓવાળા તેને મેં જે. અને જોઈને મારા હૃદયમાં શંકા થઈ કે, “નક્કી ચેરનું પાપકર્મ સૂચવનારાં આ ચિહ્નો જણાય છે, તે નક્કી આ પાપકારી ચોર હશે.” તેણે મને કહ્યું, “વત્સ! અધેર્ય. વડે સંતપ્ત એ તું કોણ છે? શા માટે કરે છે ? કયાંનો રહેવાસી છે અને કયાં જાય છે?” પછી તેના હૃદયનું હરણ કરવામાં ચતુર એવા મેં કહ્યું, “ભગવન્! હું ઉજજયિનીને વતની છું, અને વૈભવ ક્ષીણ થતાં આમતેમ રખડું છું.” બીજાઓને ભેળવનારા તેણે કહ્યું, “પુત્ર! તું ડરીશ નહીં. હું તને વિપુલ ધન અપાવીશ.” મેં કહ્યું, “ભગવદ્ ! મારા પિતા સમાન આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. ” આમ અમારો પરસ્પર વાર્તાલાપ થતો હતો ત્યાં સાક્ષી સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા પણ વીતી ગઈ. પછી તે પરિવ્રાજકે ત્રિદંડમાંથી શસ્ત્ર કાઢીને કેડ બાંધી. ઊઠીને મને તે કહેવા લાગે, “અરે ! ચાલ, નગરમાં જઈએ.” એટલે શંકાયુક્ત એવો હું પણ યુક્તિપૂર્વક તેની પાછળ પાછળ જવા લાગ્યો. મેં ધાર્યું કે, “નગરમાં ખાતર પાડનાર ચેર તે નક્કી આ જ હશે.” પછી અમે નગરમાં પેઠા. ત્યાં ઊંચી નજર કરીએ ત્યારે જોઈ શકાય એવું તથા પુણ્યવિશેષની શ્રીને સૂચવનારું કોઈનું ભવન હતું. જેના મુખમાં આરા છે એવા હથિયારવડે એ મકાનમાં સહેલાઈથી ખોદી શકાય એવા ભાગમાં તેણે ખોદવા માંડ્યું. શ્રીવત્સના આકારનું ખાતર પાડીને જેણે મારી શંકાને પ્રબળ કરી છે એ તે અંદર પેઠે. અનેક પ્રકારને માલ ભરેલી પેટીઓ તેણે અંદરથી આણી; અને મને તે સંપીને ત્યાંથી ગયે. એટલે મેં વિચાર્યું કે, “રખેને આ મારો જ વિનાશ ન કરે, માટે આને ઠેઠ સુધી પીછો પકડવો જોઈએ.” એટલામાં તે યક્ષના દેવળમાંથી પોતાના સાથીદાર દરિદ્રપુરુષોને લઈને આવ્યું. પેલી પેટીઓ એ પુરુષને તેણે ઉપડાવી, અને અમે નગરની બહાર નીકળ્યા. પછી એ ચારે મને કહ્યું, “પુત્ર! આ જીર્ણોદ્યાનમાં થેડીવાર ઊંધી લઈએ; જ્યારે રાત ગળશે ત્યારે અહીંથી જઈશું.” મેં કહ્યું, “ભલે એમ કરીએ.” પછી અમે જીર્ણોદ્યાનમાં એક બાજુએ ગયા. ત્યાં પેલા પુરુષોએ પેટીઓ મૂકી અને તેઓ ઊંધી ગયા. પણ પેલે ચેર અને હું તે પથારી પાથરીને બેઠું છેટું ઊંઘવાનો ડોળ કરતા જાગતા જ રહ્યા. પછી હું ત્યાંથી સ્પેરપણે ઊઠીને વૃક્ષની પાછળ છુપાઈ ગયે. દયાહીન હૃદયવાળ Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અને છુપા ઘા કરનારા પેલા ચારે પેલા પુરુષાને ઊંઘી ગયેલા જાણીને તેમને મારી નાખ્યા. પછી તે મારી જગાએ આવ્યે પણ રક્તસ્જીદ લતાઓની બનાવેલી મારી પથારીમાં મને નહીં જોતાં તે મારી શેાધ કરવા માંડ્યો. એટલામાં વૃક્ષાની ઘટાથી જેનું શરીર ઢંકાયેલું છે એવા મેં દોડીને, તેની નજર ચુકાવીને, મારા ઉપર હુમલા કરવા આવતા હતા ત્યાં જ, તેના ખભા ઉપર તલવારના પ્રહાર કર્યા, જબ્બર વાથી જેનુ અં શરીર કપાઇ ગયુ છે એવે જમીન ઉપર પડ્યા. મૂર્છા વળતાં તેણે મને કહ્યું, “ વત્સ ! આ મારી તલવાર છે, તે લઇને તું સ્મશાનના છેવાડાના ભાગમાં જા. ત્યાં જઈને શાન્તિગૃહ( શાન્તિકર્મ કરવાનું સ્થાન )ની ભીંત આગળ અવાજ કરજે. ત્યાં ભોંયરામાં મારી મ્હેન રહે છે, તેને આ તલવાર આપજે. તે તારી પત્ની થશે અને તું મારા સર્વ દ્રવ્યને તથા તે લાંચરાના સ્વામી થઇશ. ગાઢ પ્રહારને લીધે મારા જીવનની તેા હવે આશા નથી.” પછી હું તલવાર લઈને સ્મશાનની નજદીકમાં આવેલા શાન્તિગૃહ પાસે ગયા. ત્યાં મેં શબ્દ કર્યો, એટલે તે ભવનમાંથી વનદેવતા જેવા દર્શનીય રૂપવાળી ભવનવાસી સુન્દરી નીકળી. તેણે મને પૂછ્યું, “ તમે કયાંથી આવા છે ? ” એટલે મેં તેને તલવાર આપી. વિષાદયુક્ત વચન અને હૃદયવાળી તથા પેાતાના શાક છુપાવતી તે મને સંભ્રમપૂર્વક શાન્તિગૃહમાં લઇ ગઈ અને આસન આપ્યું. ખૂબ વિશ્વાસ પડ્યા હાય એવું વન બતાવવામાં કુશળ એવા હું શંકાપૂર્વક તેનું ચિત્ર અવલેાકવા માંડ્યા. ક્રૂર હૃદયવાળી તે મારા માટે શય્યા તૈયાર કરવા માંડી અને મને કહ્યુ, “ અહીં આરામ લ્યે. ” પછી નિદ્રા લેવાના ઢોંગ કરીને હું ત્યાં ગયા. એનુ ધ્યાન અન્યત્ર હતુ એવે વખતે ત્યાંથી ઊઠી અન્ય સ્થળે જઇ છુપાઇને ઊભે રહ્યો. પછી તે શય્યા ઉપર પહેલાંથી જ તૈયાર કરી રાખેલા યંત્રમાંથી તેણે શિલા પાડી અને પલંગના ચુરા થઇ ગયા. સંતુષ્ટ થયેલી તે પણ મેલી, હાશ! મારા ભાઇના ઘાતકને મેં માર્યા ! ” એટલે દેાડીને તેના ચેટલે પકડીને હું મેલ્યા, “ દાસી ! કહે, કાણુ મને મારનાર છે ? ” આમ કહેતાં ‘હું તમારી શરણાગત છું’ એમ કહીને તે મારા પગે પડી. સ્ત્રીઓને સ્વાભાવિક એવા ભયથી વિર્તુળ તેને મેં આશ્વાસન આપ્યું કે ‘ડરીશ નહીં”. પછી તેને લઈને હું દરખારમાં ગયા અને ત્યાં રાજાને બનેલી બધી હકીકત કહી. તે ચારના મૃત શરીરને પણ રાજાએ મેકલેલા નગરજનાએ જોયું. એની વ્હેનને રાજકુલમાં દાખલ કરવામાં આવી. લેાકેાનુ ચેરાયેલું દ્રવ્ય તેમને પાછું અપાવવામાં આવ્યું. પછી રાજાએ અને પ્રજાએ મારા સત્કાર કર્યો. આ પ્રમાણે પૂજા-સત્કારથી જેને વૈભવ મળ્યા છે તથા જેને માટે જયશબ્દ થાય છે એવા હું એ નગરમાં રહેવા લાગ્યા. અગડદત્તનું શ્યામદત્તાની સાથે સ્વદેશગમન શ્યામદત્તાની અંગસેવિકા તથા સ્ફૂર્તી સગમિકા નામની યુવાન છેાકરી હતી. તે Page #106 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ– હિંડી [ í ] એકવાર મારી પાસે આવીને કહેવા લાગી, “ આ પુત્ર ! કામદેવનાં ખાણુથી જેનુ શરીર દુ:ખી થયુ છે. એવી શ્યામદત્તાના શરીરનું નવા સ@ગના શ્રમસલિલથી આપ આશ્વાસન કરા. વધારે શું કહેવુ? જેમાં ઇચ્છારૂપી મહાન કલ્લેાલ છે અને આશારૂપી અનેક તરંગા છે એવા કામસમુદ્રમાં ડુમતી તે શ્યામદત્તાને સમાગમદ્રારા પાર ઉતારનાર વહાણુ આપ થાઓ, એ અશરણનું શરણુ થાએ. ” પછી તેના હાથ પકડીને મેં કહ્યુ, “ સુતનુ ! હું સ્વદેશ જવાને માટે તૈયાર છું એમ શ્યામદત્તાને કહે. ” પછી તે ગઇ અને શ્યામદત્તા આવી. તેને જોઇને, વર્ષાકાળમાં પ્રક્રુતૃિત થયેલા કબવૃક્ષની જેમ મારું શરીર અત્યંત રામાંચિત થયુ. એના વિસ્મયકારક રૂપના દર્શનથી મદનશરવડે મારું હૃદય સતસ થતાં મેં એને ગાઢ આલિંગન આપ્યું. અનંગના શરવર્ડ સેાસાયેલા શરીરવાળી તે પણુ પાણીના દ્વહની જેમ મારાં અંગ-અંગમાં પ્રવેશી. સૂર્યના તાપથી તપેલી વસુંધરા જેવી તે શ્યામદત્તાને આશ્વાસન આપતાં અને તેનું વિસ્મયજનક રૂપ જોતાં મને તૃપ્તિ ન થઇ. આ પ્રમાણે શ્યામદત્તાને આશ્વાસન આપીને ઢઢ અંધ અને ધરીવાળા, ઉત્તમ લક્ષણયુક્ત ઘેાડા જોડલા, ગમન માટે ચેાગ્ય, સર્વ સાધના અને હથિયારોથી સજ્જ એવા તેણે આપેલા રથ લઈને હું... આવ્યા. હું અને શ્યામદત્તા રથ ઉપર બેઠાં. પછી મારા મળના દર્પ નહીં સહન કરી શક્તા, અને લેાકેાની કીર્ત્તિમાં છિદ્ર પાડવા ઈચ્છતા મેં મારું નામ પ્રકટ કરીને ઘાષ કર્યો, “ હે દેવાનુપ્રિયા ! જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતા હોય તે મારી આગળ આવેા. આ હું અગડદત્ત શ્યામદત્તાને લઈને જાઉં છું. ” આમ કહીને અનેક પ્રકારનું દ્રવ્યરૂપી ભાથુ જેણે લીધુ છે એવા હું ઉજ્જયિની તરફ ચાલ્યેા. પછી અમે નગરની બહાર નીકળ્યાં. મેં ક્રિશાદેવતાઓને પ્રણામ કર્યા, ઘેાડા હાંક્યા અને ઘેાડાઓના વેગ અને રથના હળવાપણાને લીધે અમે દૂર પહેાંચી ગયાં. ત્યાં ઘેાડાઓને વિશ્રામ આપવા માટે એકાન્તે શીતળ જળાશયની પાસે ઘેાડાને છેડ્યા, અને શરીરના પાષણ માટે તથા શ્યામદત્તાનું મન રાખવા માટે મેં થાડું ખાધું, શ્યામદત્તાએ પણુ, પાતે બંધુજનાના વિયેાગથી દુ:ખી હૃદયવાળી હોવા છતાં, મારા પ્રત્યેના અનુરાગથી શાકને છૂપાવીને કઈક આહાર કર્યાં. આ પ્રમાણે અમે પ્રવાસ કરવા લાગ્યાં. આમ કરતાં અમે વત્સ જનપદના સરહદના ગામે પહાંચ્યાં. એ ગામની નજદીક જળાશયની પાસે ઘેાડાઓને ખાંધીને ચરાવતાં અમે બેઠાં. એટલામાં ગામની પાસે અમે મેટા જનસમૂહને જોયેા. તેમાંથી એ માણસા મારી પાસે આવીને પૂછવા લાગ્યા, “ ભાઇ, સુસ્વાગત ! તમે કયાંથી આવ્યા છે ? અને કાં જાઓ છે ? ” મેં કહ્યું, “ કૌશાંખીથી આવું છુ. અને ઉજ્જયિની જાઉં છું. ” એટલે તેઓ મેલ્યા, “ તા આપ કૃપા કરી તે આપણે સાથે જ ઉજ્જિયની જઈએ. ” મે કહ્યુ, “ ચાલે!. ” એટલે ફરી પાછા તેઓ ખેલ્યા, “ ભાઇ, સાંભળેા; અહીં માર્ગમાં હાથી મારે છે, સૃષ્ટિવિષ્ટ સર્પ છે, ભયંકર વાઘ છે અને પેાતાના સહાયકા સહિત અન Page #107 -------------------------------------------------------------------------- ________________ [ પ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : નામે ચેરસેનાપતિ સાર્થોને લૂંટી લે છે; માટે શી રીતે જવું?” કહ્યું, “હું કહું તેમ ચાલે; મને કઈ જાતનો ભય નથી.” મેં આમ જવાબ આપતાં “આપની આજ્ઞા યોગ્ય છે” એમ કહીને તેઓ ગયા. તેમણે પેલા સાર્થના માણસોને બધું કહ્યું. “બરાબર છે” એમ કહીને તેઓ બધા જવાને માટે તૈયાર થયા. એવામાં હાથમાં ત્રિદંડ અને કમંડળ લઈને એક પરિવ્રાજક એ પુરુષ પાસે આવીને કહેવા લાગ્યો, “પુત્ર ! તમારે ક્યાં જવું છે?” તેઓએ જવાબ આપે, ઉજજયિની.” એટલે પરિવ્રાજકે કહ્યું, “હું પણ તમારી સાથે ઉજાજયિની આવીશ.” તેઓએ કહ્યું, “ભલે, તમારી કૃપા થઈ, ચાલો.” પછી સાર્થના એક આગેવાન પુરુષને બાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો, “પુત્ર ! મને એક સાધુએ દેવના ધૂપ માટે પચીસ દીનાર આપ્યા છે,” એમ કહીને ધૂર્તતાપૂર્વક બેટા દીનાર તેને બતાવ્યા. એટલે તે સાર્થને આગેવાન બોલ્યો, “ભગવન્! બહીશે નહીં. અમારી પાસે ઘણા દીનાર છે. જે અમારું થશે તે તમારું થશે.” પછી સંતોષ પામેલો તે પરિવ્રાજક તેને આશીષ આપીને મારી પાસે આવ્યા, અને મને બધું કહ્યું. એટલે મેં વિચાર કર્યો કે, “આની સાથે જવું ઠીક નથી. નક્કી આ પરિવ્રાજક ચોર છે, માટે યત્નપૂર્વક અને પ્રમાદ કર્યો સિવાય રહેવું જોઈએ.” આમ વિચાર કરતાં બાકીનો દિવસ મેં ગાજે. અગડદત્તને અટવીમાં પ્રવેશ પછી સૂર્ય અસ્ત પામવાના સમયે ઘોડાઓને પાણી પાઈને મેં રથ જોડ્યો. શ્યામદત્તા પણ શરીરશૌચ આદિ કૃત્ય કરીને રથમાં બેઠી. મેં વેગથી ઘેડા પ્રેર્યા. એ સમયે મેં પણ વનદેવતાને પ્રણામ કર્યા, રથ ઉપર બેઠે, લગામ પકડી, ઘોડાઓ હાંકયા અને રથ ચાલ્યો. સાર્થના માણસો પણ ઘણું ભાથું લઈને પેલા પરિવ્રાજકની સાથે મારા રથની સાથોસાથ ચાલવા લાગ્યા. એમ કરતાં એ જનપદ વટાવીને અમે અટવીમાં પ્રવેશ્યા અને અ૫ સુખવાળા પડાવોમાં વસતા આગળ ચાલવા લાગ્યા. અનેક પ્રકારનાં વૃક્ષ અને લતાઓથી જેના કિનારાની વનરાજિ ઢંકાયેલી છે એવી એક પહાડી નદી પાસે અમે પહોંચ્યા. રથ સારી રીતે ચાલી શકે એવી ભૂમિ ઉપર મેં રથ છોડ્યો. પેલા સાર્થના માણસોએ પણ પિતાપિતાની ઈચ્છાનુસાર વૃક્ષની છાયામાં પડાવ નાખે. પછી પેલે પરિવ્રાજક તેમને કહેવા લાગ્યો, “પુત્ર ! આજ હું તમારા બધાની પરોણાગત કરું. આ અટવીમાં એક ગોકુલ છે. ત્યાં મેં ઉજજયિની આવતાં અને પ્રયાગ જતાં ચાતુર્માસ કર્યો હતો. ત્યાંના ગોવાળિયાઓ મારા પરિચિત છે. ત્યાં હું જાઉં છું, માટે આજે તમારે કેઈએ રસોઈ કરવાની નથી.” આમ કહીને તે ગયો. પછી મધ્યાહકાળે વિષમિશ્રિત ખીર, દહી અને દૂધનાં માટલાં ભરીને તે આવ્યા અને સાર્થના માણસને કહ્યું, “પુત્ર ! આવ, દેવના પ્રસાદરૂપ આહારપાણી વાપરે.” પછી તે લોકેએ Page #108 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ–હિ ડી [ ૫૩ ] ,, C મારી પાસે એક માણુસ માકલ્યા કે, “ ભાઇ! આવા, તમે પણ ખાઓ. ” મેં કહ્યું કે, “ મારું માથું દુ:ખે છે. પણ મારું માને તે તમે પણ આ આહાર ન ખાશે; આમ કહીને મેં એને વાર્યાં. તેણે જઇને પેલા માણસેાને તથા પરિવ્રાજકને કહ્યું, એટલે તે પરિવ્રાજક મારી પાસે આવીને ખેલ્યા, “ દેવાનુપ્રિય ! આવા, તમે પણ દેવનું શેષ ખાએ. ” મે' તેમને કહ્યું, “ વધારે ખારાક મારાથી જીરવાય એમ નથી. ” પછી તે રિત્રાજક આ તા મહાદુષ્ટ છે ’ એમ વિચારીને ગયા; અને સુખપૂર્વક બેઠેલા સાના માણસાને પાતે જાતે જ કેડ બાંધીને પીરસવા લાગ્યા; પેલા લેાકેા પણ અજ્ઞાનને લીધે વિષમિશ્રિત આહાર શૈાખથી ખાવા લાગ્યા. એટલામાં સૂર્ય અસ્ત પામ્યા, અને પેલા માણસા પણ ઝેર શરીરમાં વ્યાપી જતાં અચેતન થઇને પડ્યા. પરિવ્રાજક પેાતાના ત્રિદંડના લાકડામાંથી તલવાર કાઢીને તે બધાનાં માથાં કાપી નાખી તલવાર સાથે દોડતા મારી પાસે આવ્યેા. મારા ખભા ઉપર તેણે તલવારના ઘા કર્યાં તે ઢાલવડે ચૂકાવીને મજબૂત મૂઠવાળા ખડ્ગવડે મે' તેના ઉપર ઘા કર્યો, જેથી તેના મન્ત્ર સાથળ કપાઈ જતાં તે ધરતી ઉપર પડ્યો. .. પછી તે ખેલ્યા, “ પુત્ર ! હું ધનપૂજક નામના ચાર છું. આ પહેલાં મને તારા સિવાય બીજી કેાઈ છેતરી શકયું નથી. સાચે જ માતાએ તને એકલાને જ જણ્યા છે. ” ફ્રી પાછા તે કહેવા લાગ્યું, “ વત્સ ! આ પર્વતના પશ્ચિમ પ્રદેશમાં એ નદીના મધ્યભાગમાં એક માટી શિલા છે. ત્યાં ભેાંયરું છે. ત્યાં મેં ઘણું ધન રાખેલુ છે. જા, એ ધન તું લે. મારા અગ્નિસંસ્કાર તું કરજે. ” એમ કહીને તે મરણ પામ્યા. પછી મેં લાકડાં ભેગાં કરીને તેને અગ્નિસંસ્કાર કર્યા. પછી હાથપગ ધોઇને રથ જોડીને નીકળ્યા. મેં વિચાર્યું, “ ધનનું... મારે શું કામ છે ? ' (આમ વિચારીને તેના ભડાર લેવા ગયા નહીં). આ પછી મે' ઘેાડાઓને માર્ગ ઉપર લીધા અને શ્યામદત્તાની સાથે પ્રવાસ કરવા લાગ્યો. એમ કરતાં અમે અનેક પ્રકારનાં વૃક્ષાથી ગહન, વેલ અને લત્તાએનાં શુક્ષ્માથી યુક્ત, પર્વતની ગુફાએમાંથી વહેતા ઝરણાંઓવાળી, અત્યંત ભયંકર, ચીમરીના ભયાનક શબ્દેથી ન્યાસ, કાઇક સ્થળે વાઘ અને રીંછના ઘુરકાટથી શબ્દાયમાન, વાંદરાઓની ચીસેાથી યુક્ત, અનેક પ્રકારના જંગલી અવાજોથી કાનને ત્રાસદાયક, ભિલ્લાએ ત્રાસ પમાડેલા વનહસ્તીએના ચીત્કારથી ભરેલી, તથા કાઇક સ્થળે હાથીએવડે ‘મડમડ' અવાજ સાથે ભંગાતા સલકીવનવાળી ભયાનક અટવીમાં અમે આવ્યાં. ત્યાં કેટલેક સ્થળે ઢાળાયેલ લેટ, ચાખા, અડદ તથા ઘીના ઘડા, આમતેમ પડેલી ખાંડણીએ, કાણાં તેલનાં કુલ્લાં તથા અસ્તવ્યસ્ત પડેલાં અનેક પ્રકારનાં છત્રા અને પગરખાંએ જોઇને મે વિચાર કર્યો કે, “ નક્કી, હાથીના ઘાર ભયથી ત્રાસેલા સાના લેાકેાના પલાયનનાં આ ચિહ્નો છે. ’’ આ બધુ જોતાં જોતાં અમે તેની બાજુમાં થઈને અટવીમાં આગળ ચાલ્યાં. એટલામાં Page #109 -------------------------------------------------------------------------- ________________ [ પ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ: યૂથથી છૂટા પડેલા, એકલા, લાંબા વાળવાળા, માર્ગની બાજુમાં ઊભેલા વનહતીને મેં જે. શ્યામદત્તા એને જોઈને ભય પામી. શ્યામદત્તાને મેં આશ્વાસન આપીને કહ્યું, “આપણું રથના અવાજ પ્રત્યે કાન માંડીને રોષ પામેલે તથા અતિ ઉગ્રતાથી દેડવાની ઈચછાથી ભૂમિ ઉપર મૂકેલા જઘનભાગને કારણે જાણે ચૂંટી ગયેલ હોય એવો આ હાથી દેખાય છે.” પછી તે પિતાની સૂંઢને અગ્રભાગ વીંઝીને, આંખે ફાડીને, ભયંકર ચીસ પાડીને, સૂંઢ જમીન ઉપર પછાડીને મને મારી નાખવા માટે જોરથી દો . તે દેડતા હાથીને કુંભસ્થળ ઉપર મેં શીઘ્રતાથી અને ચપળતાથી ત્રણ બાણ માર્યો. એ બાણના ગાઢ પ્રહારથી દુઃખ પામતા શરીરવાળો તે ચીસ પાડીને ઝાડની ડાળીઓ ભાંગી નાખત ત્યાંથી નાઠો. ભય દૂર થતાં સ્પામદત્તાએ પૂછયું, “શું તે હાથી નાસી ગયે?” મેં કહ્યું, “સુતનુ! હા, નાસી ગયે.” પછી અમે આગળ ચાલ્યાં, અને થોડેક દૂર ગયાં ત્યાં લુહારની ધમધમતી ભઠ્ઠીના જે અવાજ સાંભળે. મારા હૃદયમાં શંકા થઈ કે “નક્કો અહીં સર્પ હશે.” ત્યાં તે માર્ગમાં જ સામે રહેલા, કાજળના ઢગલા જેવી કાન્તિવાળા, લપલપાટ કરતી બે જીભવાળા, ઉત્કટ, સ્કુટ, વિકટ, કુટિલ, કર્કશ અને વિકૃત ફટાટોપ કરવામાં કુશળ તથા જેણે ત્રીજા ભાગનું શરીર ઊંચું કર્યું છે એવા મોટી ફણાવાળા નાગને અમે જોયે. સ્પામદત્તા ભય પામી, પણ મેં તેને ધીરજ આપી. ઘેડા અને રથના શબ્દથી રોષ પામેલે નાગ દો. એ દેશે ત્યાં તો પહેળા યંત્રમાંથી છડેલા અર્ધચંદ્ર બાણથી તેનું માથું ફણાસહિત કાપીને મેં ધરતી ઉપર પાડ્યું. એને આ પ્રમાણે પરકમાં પણ બનાવીને અમે આગળ ચાલ્યાં. એટલામાં સામે જ અપરિશ્રાત યમદેવના જેવા દુઃખકારક, લાંબી કેસરાવાળા, લાંબા અને ઊછળતા પૂંછડાવાળા, રક્તકમળના પત્રના સમૂહ જેવી જીભ હલાવતા, કુટિલ અને તીણ દાઢવાળા, ઊંચા કરેલા લાંબા પૂંછડાવાળા, અતિભીષણ વાઘને અમે જોયે. પૂર્વે જેણે ભય જે નથી એવી, હીનેલી, જેનાં સર્વે અંગે થરથર કંપે છે એવી તથા ઉદ્વિગ્ન ચિત્તવાળી શ્યામદત્તા તે ભયંકર વાઘને ટગર ટગર જોઈ રહી. મેં તેને કહ્યું, સુન્દરિ! ડરીશ નહી.” તે વાઘ કૂદતો મારી તરફ દેડ્યો. તે દોડતું હતું ત્યાં જ કણેરના પત્રના સમૂહ જેવાં લાલ ફળાંવાળાં પાંચ બાણ મેં તેના મેમાં છોડ્યાં. એ બાણને ગાઢ પ્રહાર લાગતાં તે નાસી ગયો. ફરી પાછું, અમે જોતાં હતાં ત્યાં જ અનેક પ્રકારનાં શસ્ત્રો અને બખ્તરથી સંકુલ, હર્ષની ચીચીરીઓ કરતું, અને વિવિધ પ્રકારનાં હથિયાર તેમજ બખ્તરે ધારણ કરેલું એક કટક આવી પહોંચ્યું. મેં વિચાર્યું કે, “અમને લૂંટવા માટે ચેરે અહીં આવતા ૧. વાધને કેશવાળી હોતી નથી, એટલે આ વર્ણનની સુસંગતિ નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમિલ-હિંડી [ ૫૫ ] લાગે છે.” અનેક પ્રકારના વેશ ધારણ કરેલા તે ચેરને જોઈને જેનું આખું શરીર કંપી ઊઠયું છે એવી સ્પામદત્તા મને બાઝી પડી. મેં કહ્યું, “વિષાદ ન કર, જેનું મુહૂર્ત માત્રમાં તે આ બધા જ ચોરોને યમગૃહમાં લઈ જાઉં છું.” સ્વભાવથી જ જે ભીરુ છે એવી તે શ્યામદત્તાને મારા વચનથી કંઈક ધીરજ આવી. મને ચોરે ચારે તરફથી ઘેરી વળ્યા. મેં પણ અસ્ત્ર અને શસ્ત્રની નિપુણતા અને ચાતુર્યથી અને બાણના પ્રહારથી તેમને ત્રાસ પમાડતાં તેઓ મેર નાસવા લાગ્યા. પછી વ્યાયામથી કઠિન ગાત્રવાળે, ધનુષ્ય ખેંચવાથી દીર્ધ બનેલા બાહવાળો અજુન નામને તેમનો સેનાપતિ એ નાસતા ચોરોને ધીરજ આપતો, રથયુદ્ધ થઈ શકે એવી ભૂમિ ઉપર કવચ પહેરીને ઊભો રહ્યો. મેં પણ ઘડાઓને થાબડીને તથા સર્વ આયુધોથી મારી જાતને સજજ કરીને તેની તરફ રથ ચલાવ્યું. તેણે પણ મારી તરફ રથ વાળ્યો. પછી બાણોના સમૂહની પરંપરાથી એકબીજાનું છિદ્ર શોધતા અમે યુદ્ધ કરવા લાગ્યા. કઈ પ્રકારનો લાગ નહીં ફાવતાં મેં વિચાર્યું કે, “આ ચેર સમર્થ છે; એને પરાજય થઈ શકે એમ નથી. રથયુદ્ધમાં કુશળ એવા તેને બીજી કોઈ રીતે છેતરી શકાય એમ પણ નથી. અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે – પિતાના વધતા જતા શત્રુને માયાથી અને શસ્ત્રથી હણવે.” તો અહીં એ વસ્તુ ગ્ય છે કે સર્વ અલંકારોથી વિભૂષિત આ શ્યામદત્તા પિતાનું અધોવસ્ત્ર શિથિલ રાખીને–અર્ધનગ્નાવસ્થામાં રથની આગળની બેઠક ઉપર બેસે. એનું રૂપ જોઈને આ ચોરની નજર આકર્ષાય એ વખતે ચોરને મારે મારે ”—આમ નકકી કરીને મેં શ્યામદત્તાને રથની આગળ બેઠક ઉપર બેસાડી. તેના રૂપ, યૌવન અને વિલાસથી વિમિત હદયવાળા અર્જુનની દષ્ટિ ત્યાં એંટી. એ વખતે તેને બેધ્યાન નજરવાળે જાણીને નીલ કમળ જેવા આરામુખ બાવડે મેં તેની છાતીમાં પ્રહાર કર્યો. ત્યારે રથમાંથી ઊતરીને તે બે – “નાદું વાળ ફળો, ફુલો નિ વાળ માકક્ષા. जो भंडणे पयत्तो महिलाण मुहं पलोएमि ।। અર્થાત્ હું તારા બાણથી નહીં, પણ કામદેવના બાણથી મરણ પામું છું, કારણ કે યુદ્ધ ચાલતું હતું ત્યારે હું સ્ત્રીનું મુખ જતો રહ્યો. ” આ પ્રમાણે બલીને તે મરણ પાપે. પછી પોતાના સેનાપતિને મરણ પામેલો જોઈને જેમનાં હથિયારો અને અખ્તર અસ્તવ્યસ્ત થયાં છે એવા તેના સહાયક ચોર પણ નાસી ગયા. અગડદત્તનું ગુહાગમન. આ પ્રમાણે છતાયેલા શત્રુ અર્જુનને હણીને તથા શ્યામદત્તાને આશ્વાસન આપીને ૧. “વસુદેવ-હિંડી” રચાઇ એ જમાનામાં પ્રાકૃતમાં કેઈ “ અર્થશાસ્ત્ર” હશે, એમ આ અવતરણ ઉપરથી અનુમાન થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ના [ પ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : હું ઉજથિની તરફ ચાલે. અનુક્રમે ચાલતાં ઉજજયિની પહોંચે, અને માતાના ઘરમાં પ્રવેશ્યા. પુત્રવત્સલ માતા મારું આગમન સાંભળીને મારી સામે દેડી આવી. હું રથમાંથી ઊતર્યો, એટલે આનંદનાં અશ્રુ સારતી તેણે મને આલિંગન આપ્યું અને મારું મસ્તક સૂધ્યું. શ્યામદત્તા પણ રથમાંથી ઊતરીને માતાને પગે પડી. આનંદિત હૃદયવાળી માતાએ તેને પણ આલિંગન કર્યું, અવિધવા-મંગલથી તેનું અભિનંદન કર્યું, અને ઘરમાં પ્રવેશ કરાવ્ય. સ્વજને, મિત્ર અને બંધુઓ પણ કુશળ પૂછવા માટે આવ્યા, તેમને અમે વૈભવ અનુસાર સત્કાર કર્યો. નેકરે ઘડા તથા રથને યોગ્ય સ્થાને લઈ ગયા તથા ઘોડાને માલીસ કર્યું. બધું દ્રવ્ય, આયુધ, શસ્ત્રો તથા સાધને પણ ઘરમાં લાવવામાં આવ્યાં. પછી બીજે દિવસે સ્નાન કર્યા બાદ જમીને તથા અલંકારો પહેરીને રાજાને મળવા માટે હું રાજકુલમાં ગયા. પ્રતિહારે રાજાને મારા આગમનના ખબર આખ્યા. બાદ હું અંદર પ્રવેશ્યા. રાજાને મેં જે અને પ્રણામ કર્યા, “હું અમુકને (રાજાના ભૂતપૂર્વ સારથિને) પુત્ર છું” એમ મેં કહ્યું. એટલે સતેષ પામેલા રાજાએ મારા પિતાનું બધું કામ મને સંપ્યું અને બમણે શિરપાવ આપે. આવી રીતે રાજાને સત્કાર પામેલ હું ઘેર ગયે, અને માતાની સેવામાં પરાયણ રહેતે શ્યામદત્તાની સાથે સમય ગાળવા લાગે. એક વાર રાજાએ નગર ઊજાણીની આજ્ઞા કરી. રાજા પિતે પણ ઉદ્યાનયાત્રા માટે નીકળ્યા. પ્રજાજને પણ પોતાના વૈભવ, રિદ્ધિ અને સત્કારથી એકબીજાની સરસાઈ કરતા અને પિતાને વૈભવ અને રૂપ બતાવતા નીકળ્યા. હું પણ મારા મિત્ર અને સ્વજનની સાથે મારા વૈભવની સૂચક એવી રિદ્ધિપૂર્વક શ્યામદત્તાને લઈને ઉદ્યાનમાં ગયા. ત્યાં અનેક પ્રકારનાં ખાદ્ય, પય, ગીત, વાદિત્ર તેમજ હાસ્યરવથી શબ્દાયમાન ઉદ્યાનમાં લોકો તેમજ અમે પ્રીતિસુખ અનુભવવા લાગ્યા. આ પ્રમાણે યથેચ્છ સુખ અનુભવીને પાછલા પહેરે નગરજને પરિજન સહિત પાછા નગરમાં જવા નીકળ્યા. અમે પણ નગર તરફ જવાને તૈયાર થયા એ વખતે અતિમુક્તક લતાના હીંચળા ઉપર હીંચતી શ્યામદત્તાને કાકે દર સપે (એક પ્રકારના ઝેરી સાપ) દંશ કર્યો. એટલે પોતાના હાથ વીંઝતી તથા “આર્યપુત્ર ! મારું રક્ષણ કરે, હું દુઃખ પામું છું” એમ બોલતી તે દેડીને મારા ખોળામાં પડી. એટલે સંબ્રાન્ત હૃદયવાળા મેં તેને “ડરીશ નહીં” એમ કહ્યું, અને આલિંગન આપ્યું. શરીરમાં વિષ વ્યાપી જતાં શ્યામદત્તા ઘડી વારમાં અચેતન થઈ ગઈ. એ જોઈને હું પણ જાણે પ્રાણ નીકળી ગયા હેય તેમ મૂચ્છ પામે. પછી મૂર્છા વળતાં ખૂબ વિલાપ કરવા લાગે. એવામાં સૂર્ય અસ્ત પામ્યા. પરિજનોને મેં ઘેર માતાની પાસે મોકલ્યાં. શેકપૂર્ણ હૃદયવાળો હું શ્યામદત્તાને ઉદ્યાનના દેવકુલના બારણા આગળ લઈ જઈને “હા શ્યામદત્તા! અનેક સંકટમાં મારી સહાયક ! મને ત્યજીને કેમ જાય છે?” એમ વિલાપ કરતે બેઠે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૧૭ ] અર્ધરાત્રિના સમયે દેવગે ત્યાં થઈને જતા વિદ્યાધર-યુગલને અમારા પ્રત્યે અનુકંપા થઈ. યુગલ આકાશમાંથી નીચે ઊતર્યું. તેઓએ મને પૂછયું, “આ શાથી મરણ પામી છે?” મેં કહ્યું કે, “સપે દંશ કર્યો છે.” પછી સાનુકંપ વિદ્યાધરે “શા માટે સૂઈ રહી છે?” એમ બોલતાં શ્યામદત્તાને સ્પર્શ કર્યો, એટલે તે ઊભી થઈ. મેં પણ તે વિદ્યાધરને પ્રણામ કર્યા અને આકાશમાગે ઊડતાં ક્ષણવારમાં તે અદશ્ય થયે. અમે પણ દેવકુલ પાસે ગયાં. મેં સ્પામદત્તાને કહ્યું, “ તું ડરીશ નહીં; શેડીક વાર બેસ, ત્યાં સુધીમાં હું સમશાનમાંથી અગ્નિ લાવું.” પછી હું અગ્નિ લઈને આવ્યા. તે વખતે દેવકુલમાં મેં પ્રકાશ જે. આથી શ્યામદત્તાને મેં પૂછ્યું કે, “આ શેને પ્રકાશ છે?” તેણે જવાબ આપે કે, “તમારા હાથમાં રહેલા અગ્નિનો પ્રકાશ દેવકુલમાં પડેલો જણાય છે. ” પછી મેં કહ્યું, “તું તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.” તેણે તલવાર પકડી, એટલે હું અગ્નિ સળગાવવા માંડ્યો. એવામાં તલવાર મારી આગળ પડી. એટલે મેં પૂછ્યું, “આ શું?” તેણે જવાબ આપે કે, “મને ગભરાટ થયે, એથી હાથમાંથી તલવાર પડી ગઈ. ” પછી દેવતા સળગાવીને અમે દેવકુલમાં પ્રવેશ્યાં અને ત્યાં રહ્યાં. આ પ્રમાણે રાત્રિ પસાર થઈ અને નિર્મળ પ્રભાત થયું. પછી પ્રભાતે મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજન “સ્પામદત્તા સાજી થઈ ” એ સાંભળીને આનંદ પામ્યાં. હર્ષ પામેલાં અમે પણ દેવકુલમાંથી ઘેર આવ્યાં. શ્યામદત્તા સહિત મને જોઈને માતા ખૂબ રાજી થઈ. શ્યામદત્તાની સાથે વિષયસુખ અનુભવતો હું રહેવા લાગ્યા. પછી એક વાર રાજાએ મને આજ્ઞા આપી કે, “દશપુરમાં અમિત્રદમન રાજા પાસે દૂત તરીકે જા.” આ આજ્ઞા માથે ચડાવીને હું મારા પરિવારની સાથે દશપુર ગયે, નગરમાં પ્રવેશ્યા અને પ્રતિહારે મારા આગમનની ખબર આપતાં રાજાની પાસે ગયે. રાજાને હું મળે, પ્રણામ કરીને મને મળેલી સૂચના અનુસાર વિનંતી કરી તથા નજરાણું ધર્યા. મને મુકામ આપવામાં આવે તથા મારે સત્કાર કરવામાં આવ્યું. એ રીતે હું રહેવા લાગ્યા. ત્યાં એક વાર મધ્યાહ્નકાળે શાસ્ત્રમાં ઉપદેશેલી વિધિ પ્રમાણે, ત્રસપ્રાણુ અને બીજરહિત માર્ગ ઉપર યુગાન્તરદષ્ટિ (ગાડાના ઘૂસરા જેટલી-સાડા ત્રણ ડગલાં) રાખીને ચાલતા તથા તપથી કૃશ બનેલા બે સાધુઓ મારે ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યા, અને સાધુને પ્રદેશમાં ઊભા રહ્યા. મેં તેમને પ્રણામ કરીને તત્કાળ હાજર હતા તે સાધુને યોગ્ય પ્રાસુક આહાર વહેરાવ્યું, એટલે તેઓ ત્યાંથી ગયા. પછી ફરી પાછા બીજા બે સાધુઓ આવ્યા. તેમને ભિક્ષા આપી, એટલે તેઓ પણ ગયા. મુહૂર્ત રહીને ત્રીજા બે સાધુએ આવ્યા. એટલે મેં વિચાર કર્યો કે, “શું આ લોકો માર્ગ Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] વસુદેવ-હિ ડી : : પ્રથમ ખંડ : ભૂલી ગયા હશે ? કે આછી ભિક્ષા મળવાથી કે ઘર મેાટુ' હાવાથી ભ્રમ થઇ જવાને લીધે ફરી ફરી આ સાધુએ અહીં આવે છે ? ” મેં ભિક્ષા આપીને તેમને પૂછ્યું, “ ભગવન્! કાં વસેા છે ? ” “ ઉદ્યાનમાં વસીએ છીએ ” એમ કહીને તેએ ગયા. હું પણ ઘેાડી વારમાં આહારપાણી અને આવશ્યક ક્રિયાએ પતાવીને હકીકત જાણવાને માટે એકલે જ ઉદ્યાનમાં ગયા. ત્યાં મેં તપથી સૂર્યની જેમ દીપતા તે સાધુઓને જોયા. તેમની પાસે જઇને મેં પ્રણામ કર્યાં, અને તેમના ચરણમાં બેઠા. મેં તેમને પૂછ્યું, “ ભગવન્ ! આપના કા ધર્મ ? ” એટલે અહિંસા જેવુ લક્ષણ છે તથા ગુપ્તિ જેનું મૂળ છે એવા સાધુધર્મ અને શ્રાવકધર્મ તેમણે સંક્ષેપમાં કહ્યો. કાનરૂપી અંજલિથી જાણે અમૃત પીતા હાઉ” તે પ્રમાણે તેમની વાણીનું શ્રવણુ કરીને વિસ્મય પામેલા મેં પૂછ્યું, “ ભગવન્ ! આપ કયાંના છે ? શાથી દીક્ષા લીધી ? એક સરખા જ રૂપવાળા તમે બધા નવયૌવનમાં રહેલા જણાએ છે. તમારા દર્શનથી મને ઘણું આશ્ચર્ય થયું છે. ” ત્યારે એ સાધુએ પૈકી મેાટાએ કહ્યું, ጌ શ્રાવક ! ધ્યાનપૂર્વક સાંભળ~~ દઢધમ આદિ છ મુનિએના વૃત્તાન્ત વિન્ધ્યાચળની પાસે અમૃતસુન્દરા નામે ચારપલ્લી (ચારાનુ ગામ ) છે. અનેક પલ્લીઓમાં જેના પ્રતાપ સુવિખ્યાત છે એવે ત્યાં અર્જુન નામે ચાર-સેનાપતિ હતેા. અનેક યુદ્ધોમાં જેણે વિજય મેળવ્યેા છે એવા તે પલ્લીવાસીઓનુ પાલન કરતા રહેતા હતા. બેસીને અટવીમાંથી પસાર પણ થયુદ્ધમાં કુશળ એ ભાઈ થતા હતા. ભાઈના સ્ત્રીઓને તિરસ્કાર પામતા એક વાર કાઈ એક તરુણ એક તરુણીની સાથે રથમાં થતા હતા. એ તરુણુ ઉપર ચાર-સેનાપતિએ હુમલા કર્યા, તરુણે તેને મારી નાખ્યા. એ ચાર-સેનાપતિ અમારા માટે શેાકથી સંતાપ પામેલા હૃદયવાળા અને વિશેષ તા અમારી અમે તે રથના માર્ગને અનુસરતા અમારા ભાઇના ઘાતકને મારવા માટે ઉજ્જયિની ગયા. ‘ આ એ જ છે' એ પ્રમાણે નક્કો કરીને તેનાં છિદ્રો તપાસતા તેના ઉપર આક્રમણને લાગ શોધતા અમે તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક વાર અમારા ભાઇને મારનાર તે તરુણુ ઉદ્યાનયાત્રામાં ગયા. એટલે અમે વિચાર કર્યું કે, ‘ આને અહીં છૂપી રીતે મારવા.' અમે પણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અમે અમારા નાના ભાઈને તેના ઘાતક તરીકે નિયુક્ત કર્યા અને અમે એકાન્તમાં છૂપાઇ રહ્યા. પછી બધાં લેાકા ચાલ્યાં ગયાં તે વખતે તેની પત્નીને સર્પે દંશ કર્યો અને તે મરણ પામી. તેણે પાતાનાં બધાં માણસાને ત્યાંથી ઘેર મેાકલ્યાં, અને પેાતાની પત્નીને દેવકુલના દ્વાર પાસે લઇ જઇને એકલા વિલાપ કરતા બેઠા. તેને મારવાના નિશ્ચય કરી, અમારેા નાના ભાઇ દીવાના સમુદ્ગક ( સંપુટ ) હાથમાં લઇને તે દેવકુલમાં પહેલાંથી પેસી રહેલા હતા. પછી ત્યાંથી પસાર થતા વિદ્યાધરે દયાથી પેલા તરુણુની પત્નીને જીવાડી, એટલે તે ઊભી Page #114 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લ-હિંડી [ ૧૮ ] થઈ. પછી તે તરુણ તે તરુણીને દેવકુલમાં રાખીને અગ્નિ લેવાને માટે ગયા. એ વખતે અમારા ભાઈએ દીવાનો સમુદ્ગક ઊઘાડ્યો; અને તે સ્ત્રીને કહ્યું, “હું તારા પતિને મારી નાખી તેને ઉપાડી જઈશ. જે આ રહસ્ય તું બેલી દઈશ તો તને પણ મારી નાખીશ.” તે સ્ત્રીએ કહ્યું કે, “હું જાતે જ એને મારી નાખીશ.” એટલે અમારા ભાઈએ તેને પૂછયું, “તું કેવી રીતે મારીશ?” તેણે જવાબ આપ્યો, “એ અગ્નિ લઈને આવશે, અને મારા હાથમાં તલવાર આપીને દેવતા સળગાવશે તે વખતે એનું માથું કાપી નાખીશ.” મારા ભાઈએ પણ આ વસ્તુ માન્ય રાખી. પેલે યુવક પણ અગ્નિ લઈને આવ્યો અને તેણે પૂછયું, “દેવકુલમાં આ પ્રકાશ નો હતો?” એટલે સ્ત્રીએ જવાબ આપે, “તમારા હાથમાં રહેલા અગ્નિને એ પ્રકાશ હશે.” પછી યુવકે કહ્યું, “તું આ તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.” એટલે તેણે તલવાર પકડી અને યુવક દેવતા સળગાવવા માંડ્યો. પેલી પણ તલવાર ખેંચીને ઘા કરવા તૈયાર થઈ. ત્યારે મારા ભાઈએ વિચાર કર્યો, “અહો સ્ત્રીઓનું કેવું સાહસ છે” આમ વિચારીને તે સ્ત્રીના તલવારવાળા હાથ ઉપર તેણે ચેટ લગાવી, એટલે તલવાર જમીન ઉપર પડી ગઈ. સંભ્રાન્ત થયેલા પેલા તરુણે પૂછયું, “આ શું?” એટલે સ્ત્રીએ કહ્યું, “મને ભય લાગે, એટલે તલવાર હાથમાંથી પડી ગઈ.” આ પછી તેઓ ત્યાં રાત ગાળીને પરોઢ થતાં ઘેર ગયાં. દેવકુલમાંની પ્રતિમાની પાછળ પિતાનું શરીર છૂપાવીને ત્યાં રહેલા અમારા ભાઈએ અમને બધી હકીકત કહી સંભળાવી. એટલે સ્ત્રી જનનું આ સાહસ જોઈને જેમને ગ્રહવાસ ઉપર વૈરાગ્ય થયેલ છે તથા કામગ ઉપર જેમને નિર્વેદ થયો છે એવા, સ્ત્રીએને નિંદતા અમે છ જણાએ દઢચિત્ત નામે સાધુની પાસે જિનધર્મ સાંભળીને દીક્ષા લીધી. તે ગુરુએ પણ અમારો વૈરાગ્ય જાણુને અનુક્રમે અમારાં નામ દઢધર્મ, ધર્મરુચિ, ધર્મદાસ, સુવ્રત, દઢવ્રત અને ધર્મપ્રિય એ પ્રમાણે રાખ્યાં.” હે ધમ્મિલ! એ સાધુઓએ મને આ પ્રમાણે કહેતાં મેં તેમને પ્રણામ કરીને વિનંતિ કરી, “ભગવન્! તમારા ભાઈને મારનાર હું જ છું. તમે જે કહ્યું છે તે બધું જ મેં અનુભવ્યું છે. મારી સ્ત્રીનું સાહસકમ તમારી પાસેથી મેં જાણ્યું, તેથી સ્ત્રીઓમાંની મારી શ્રદ્ધા નાશ પામી છે; માટે મારા ઉપર કૃપા કરે; સંસારરૂપી ગહન અટવીમાં માર્ગ ભૂલી ગયેલા એવા મારું, જિનમાર્ગ બતાવવારૂપ અનુગ્રહ કરીને, આપના હાથે જ નિસ્તારણ કરો.” આમ કહીને હું તેમના ચરણમાં પડ્યો. પછી તેમણે મને દીક્ષા આપી, મહાવ્રત આપ્યાં, અને સાધુનાં ઉપકરણે પણ આપ્યાં. - આ પ્રમાણે સંસારવાસમાં સુલભ એવું સુખદુઃખ મેં અનુભવ્યું છે, તે અજ્ઞાન લોકો જેની ઈચ્છા કરે છે અને સુજ્ઞ પુરુષો જેનો ત્યાગ કરે છે એવી સ્ત્રીઓમાં અત્યંત આસક્ત ન થા; કારણ કે Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] વસુદેવ–’િડી : : પ્રથમ ખંડ : गंगा वालुयं, सारे जलं, हिमवतो य परिमाणं । जाणंति बुद्धिमंता, महिलाहिययं न जाणंति ॥ અર્થાત્ ગંગામાં રેતી કેટલી છે, સાગરમાં જળ કેટલુ' છે અને હિમાલયનું પરિમાણુ કેટલું છે એ બુદ્ધિમાને જાણે છે, પણ સ્ત્રીનું હૃદય જાણતા નથી. તે પછી આવા ગુણવાળી વેશ્યા સ્ત્રીઓમાં તારા આટલા અનુરાગ શાથી છે, કે જેથી કરીને તું આત્મઘાત કરવા તૈયાર થયા છે? આ લેાકમાં અને પરલેાકમાં આ વસ્તુ દુ:ખજનક છે’ એમ વિચારીને સ્રીએથી વિરક્ત થા. આ પ્રમાણે અગરદત્ત મુનિએ પેાતાની આત્મકથા કહી, એટલે ધમ્મિલ્લે અગડદત્તને વિનતિ કરી, “ ભગવન્! બધી સ્ત્રીએ કઇ એવી હાતી નથી, સારી પણ હાય છે; જેમ કે પરપુરુષને નહીં ઇચ્છતી ધનશ્રી પેાતાની જાતને સાચવતી ખાર વર્ષ સુધી રહી હતી અને યુવાવસ્થામાં હાવા છતાં શીલવ્રત ખંડિત કર્યું. નહાતુ. ” એટલે ભગવાન્ અગડદત્તે પૂછ્યું, “ એ ધનશ્રી કેાણ હતી ? અને ખાર વરસ સુધી પેાતાની જાતને સાચવતી કેવી રીતે રહી હતી ? ” એટલે ધમ્મિલે કહ્યું, “ સાંભળેા, ભગવન્ ! 66 દઢ શીલ વિષે ધનશ્રીનું દૃષ્ટાન્ત અવન્તિ નામે જનપદ છે. ત્યાં નિશ્ચલ રિદ્ધિવડે સમૃદ્ધ ઉજ્જિયની નામે નગરી છે. ત્યાં જિતશત્રુ નામે રાજા હતેા. એની ધારિણી રાણી હતી. એ ઉજ્જિયનીમાં દશે દિશામાં વિખ્યાત કીર્તિવાળે! સાગરચંદ્ર નામે ઇભ્ય હતા. તેની ભાર્યા ચંદ્રશ્રી હતી. એ ચંદ્રશ્રીથી થયેલા તેનેા સમુદ્રદત્ત નામે રૂપશાળી પુત્ર હતા. એ સાગરચંદ્ર પરમ ભાગવતની દીક્ષા લઈને સૂત્રથી તેમજ અર્થથી ભગવદ્ગીતાના પરમાર્થ જાણનારા થયા. ફ્રે શ્રીજી શાળામા શિખતાં આ ખીજા પાખંડી સંપ્રદાયમાં માન્યતાવાળા રખેને થાય એ ભયથી સાગરચંદ્ર પોતાના સમુદ્રદત્ત પુત્રને કલાગ્રહણ અર્થે પરિવ્રાજકના ઘેર જ રાખતા હતા. . કે એક વાર તે સમુદ્રદત્ત એ પરિવ્રાજકને ત્યાં અભ્યાસ કરતાં કરતાં ‘ પાટી મૂકી આવું ’ એમ કરી ઘેર આવ્યેા, તે પેાતાની માતાને તે પરિવ્રાજકની સાથે જ અસભ્ય આચરણ કરતી તેણે જોઇ. સ્ત્રીએથી વિરાગ પામેલા તે ત્યાંથી નીકળ્યે, અને ‘ સ્રોએ કુળ શીલ રાખતી નથી ’ એમ વિચાર કરીને તેણે પેાતાના હૃદયથી વિવાહ નહીં કરવાને નિશ્ચય કર્યો. પછી જેણે બધી કલાએ સંપાદન કરી છે એવા તે નવયુવાન સમુદ્રદત્તને તેના પિતા ચેાગ્ય કુળ, રૂપ અને વૈભવવાળી કન્યાએ વરાવવા માંડ્યો; પણ સમુદ્રદત્ત તેમ કરવાની ના પાડતા હતા. આમ તેમના સમય વીતતા હતા. ૧. ભગવદ્ગીતા વિષેના છઠ્ઠી સદી જેટલા આ જૂના ઉલ્લેખ ઘણા મહત્વના છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લ—હિ'ડી [ 1 ] એક વાર પુત્રને કહીને પિતા વેપારને માટે સારઠ દેશમાં ગયા. ત્યાં ગિરિનગરના ધન સાવાહની પુત્રી ધનશ્રીના ચાગ્ય શુલ્ક-પહેરામણીથી સમુદ્રદત્તની સાથે વિવાહ કર્યાં; અને પુત્રને ખખર આપ્યા વગર જ લગ્નની તિથિ નક્કી કરીને પેાતાના નગરમાં આળ્યેા. પછી તેણે સમુદ્રદત્તને કહ્યુ, “ પુત્ર ! ગિરિનગરમાં મારા માલ છે, માટે ત્યાં તું મિત્રાની સાથે ચાલ. એ માલને આપણે ત્યાં વિનિયોગ કરીશું. ” આમ કહીને સમુદ્રદૃત્તના મિત્રાને તેણે વિવાહ સંબંધી વાત કરી. આ પછી તેએ પેાતાને છાજતા વૈભવ સહિત નીકળ્યા, અને કથા–વિનાદ કરતા અનુક્રમે ગિરિનગર પહોંચ્યા. નગર બહાર પડાવ નાખીને ધન સાવાર્હ પાસે માણસ માકક્લ્યા કે, ‘તમારે વર આવ્યા છે, ' પછી સાવાડે પેાતાના વૈભવ પ્રમાણેના ઉતારી આપ્યા, અને ત્યાં તેમને રાખ્યા. પછી રાત્રે ભેાજનના મિષથી બધા ધન સાથૅવાહના ઘેર આવ્યા, અને એ વખતે સમુદ્રદત્ત પાસે ધનશ્રીનું પાણિગ્રહણ કરાવ્યું. પછી સમુદ્રદત્ત ધનશ્રીના વાસગૃહમાં પ્રવેશ્યા. ત્યાં એકાન્ત જાણીને ધનશ્રીને છેતરીને પોતાના મિત્રા વચ્ચે આવીને સૂઇ ગયા. પછી સવાર થતાં શાચ માટે પેાતાના મિત્રાની સાથે ગિરિનગરની બહાર નીકળ્યેા. ત્યાંથી એ મિત્રાની નજર ચૂકાવીને નાસી ગયા. મિત્રાએ આવીને સાગરચંદ્રને અને ધન સા વાહને તેના નાસી જવાની વાત કહી. તેમણે ચારે કાર તપાસ કરી, પણ પત્તો ન લાગ્યા. પછી તે ખિન્ન વદનવાળા મિત્રા કેટલાક દિવસ સુધી રહીને ધન સાવાહની રજા લઇને પેાતાના નગરમાં ગયા. 66 બીજી બાજુ, પેલેા સમુદ્રદત્ત દેશાન્તરામાં ફ્રીને કેટલાક કાળ પછી જેના નખ, કેશ, દાઢી અને રૂવાટાં વધી ગયાં છે એવા કાપડીના વેશમાં ગિરિનગર આવ્યેા. ઉદ્યાનમાં તેણે ધન સાવાહને જોયા. તેને પ્રણામ કરીને તેણે કહ્યું, “હું તમારા ઉદ્યાનનું કામ કરીશ. ” ત્યારે સા વાડે કહ્યુ, “ એલ, શું પગાર લઇશ ? ” તેણે જવાબ આપ્યા, “ મારે પગારનું કામ નથી. હું તેા તમારી કૃપાની આશા રાખું છું; માટે મને તુષ્ટિદાન આપજો. ’ ધન સાર્થવાડે તેને હા પાડતાં તે ઉદ્યાનમાં કામ કરવા લાગ્યા. વૃક્ષાયુવે ૪માં કુશળ તે સમુદ્રદત્તે થાડા દિવસમાં તે ઉદ્યાનને સર્વ ઋતુનાં પુષ્પ અને ફળથી સમૃદ્ધ બનાવી દીધું. ઉદ્યાનની શાભા જોઇને ધન સાવાતુ ખૂબ હર્ષ પામ્યા. તેણે વિચાર્યું, “ આવા ગુણવાન પુરુષ બગીચામાં કામ કરે એ શા કામનું? તે મારી દુકાનમાં બેસે તે સારું, ” પછી તેને સ્નાન કરાવીને, અલકાર તથા વસ્ત્ર પહેરાવીને દુકાનમાં બેસાડ્યો. આય અને વ્યયમાં કુશળ એવા તેણે ગ ંધયુક્તિ( સુગંધી પદાર્થોનાં મિશ્રણ)ની પાતાની નિપુણતાથી શહેરી લેાકેાને જાણે કે ઉન્મત્ત બનાવી દીધા. લેાકેાએ તેને પૂછ્યું, “ તમારું નામ શું ? ” એટલે તેણે જવાબ આપ્યા કે, “ મારું નામ વિનીતક છે. ” આ પ્રમાણે એ વિનયસંપન્ન વિનીતક આખા નગરને વિશ્વસનીય થયા. એટલે સાઈવાડે વિચાર કર્યા, “ આ માણસ દુકાને બેસે તે પણ ઠીક નથી; કારણ કદાચ રાજા એને વિષે જાણશે તા એને પરાણે તેડાવી લેશે; માટે મારા ઘરના ભંડારની વ્યવસ્થા ભલે કરે, ” પછી તેને "" כ Page #117 -------------------------------------------------------------------------- ________________ | [ દર ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : - પિતાને ઘેર લઈ જઈને પરિજનોને ભેગાં કરીને કહ્યું, “આ વિનીતક જે કંઈ આપે તે તમારે લેવું. એની આજ્ઞા તમારે ઊથાપવી નહીં.” પછી તે વિનીતક ઘેર રહેવા લાગે, તથા ખાસ કરીને ધનશ્રીનું જે દાસીકમ તે પોતાને હાથે જ કરવા લાગ્યા. એમ કરતાં ધનશ્રીને તે સર્વ રીતે વિશ્વાસપાત્ર . * એ નગરમાં રાજાને સેવક એક દંડી-ન્યાયાધીશ રહેતો હતો. એક વાર ધનશ્રી પાછલા પહેરે સાત માળવાળા પ્રાસાદની અગાશીમાં વિનીતકની સાથે તાલ ખાતી બેઠી હતી. પેલે દંડી સ્નાન કરી અલંકાર પહેરીને એ ભવનની પાસે થઈને જતે હતે. ધનશ્રીએ તબેલ ફેંકયું. તે દંડીની ઉપર પડયું. દંડીએ તેની તરફ નજર નાખી અને જાણે મૂર્તિમાન દેવતા હોય એવી તેને જોઈ. આથી કામદેવનાં બાણ વડે પીડાતા શરીરવાળે તે તેને સમાગમ માટે ઉત્સુક થયે. તેણે વિચાર્યું કે, “આ વિનીતક ધનશ્રીને સર્વ રીતે વિશ્વાસપાત્ર છે. એને પ્રસન્ન કરું. તેની કૃપાથી ધનશ્રી સાથે મારે સમાગમ થશે.” પછી એક વાર તે દંડી વિનીતકને પિતાને ઘેર લઈ ગયે. વિનીતકને પૂજા-સત્કાર કરી પગે પડીને તેણે કહ્યું, “ધનશ્રી સાથે મારો સંગ થાય તેમ કરો.” વિનીતક પણ ભલે” એમ કહીને ઘનશ્રીની પાસે ગયે. સમય જાણીને તેણે દંડીનું વચન ધનશ્રીને કહ્યું, એટલે કેધ પામેલી ધનશ્રી બેલી, “માત્ર તું જ મારી આગળ આવું બે છે. બીજે કઈ બે હોત તે જીવતો ન રહેત.” પછી બીજે દિવસે તે બહાર નીકળે, એટલે પેલે દંડી તેને મળે, અને પૂછ્યું, “કેમ કામ થયું ?” ધનશ્રીનું વચન છુપાવતા વિનીતકે કહ્યું, “ઈશું.” ફરી વાર પણ દંડીએ દાન-માનથી તેને પોતાનો કરીને મોકલ્યો. પછી તે ધનશ્રી પાસે આવીને તેની આગળ ઉદાસ અને મૂંગે બનીને બેઠો. તેની મનની વાત જાણીને ઘનશ્રીએ પૂછયું, “કેમ, હવે તને દંડી કંઈ કહે છે ?” તે બોલ્યા, “હા” એટલે ધનશ્રીએ કહ્યું, “ફરી વાર તારે તેની પાસે ન જવું.” ફરી એકવાર ધનશ્રીએ પૂછયું, ત્યારે વિનીતક મૂંગે જ બેસી રહ્યો. એટલે એનું મન રાખવા માટે ધનશ્રીએ કહ્યું, જા. એ દંડીને મારે સંદેશો આપ કે અશોકવાટિકામાં આજ સાંજે તે આવે.” વિનીતકે સંદેશો કહ્યો. પછી તે ધનશ્રી અશોકવાટિકામાં શય્યા પાથરીને તથા કેફી પદ્ય લઈને વિનીતકની સાથે બેઠી. પેલે દંડી આવે એટલે તેણે હાવભાવપૂર્વક તેને મદ્ય આપ્યું. એ પીવાથી દંડી બેભાન થઈ ગયે. તેની જ તલવાર કાઢીને ધનશ્રીએ તેનું માથું કાપી નાખ્યું. પછી વિનીતકને કહ્યું, “તે આ અનર્થ કરાવ્ય, માટે તારું પણ માથું કાપી નાખું છું.” વિનીતકે પગે પડીને ક્ષમા માગી. ધનશ્રીની સૂચનાથી ખા બેદીને દંડીના શબને તેમાં નાખ્યું. પછી એક વાર સુખપૂર્વક બેઠેલી ધનશ્રીને વિનીતકે પૂછયું, “સુન્દરિ! તને કેની સાથે પરણાવેલી હતી?” તેણે જવાબ આપે કે, “ઉજયિનીના સમુદ્રદત્ત સાથે.” Page #118 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [૬૩] આ સાંભળીને “હું જાઉં છું, તેને શોધી લાવું છું” એમ કહીને વિનીતક ત્યાંથી નીકળ્યો અને અનુક્રમે ચાલતાં પિતાને ઘેર પહોંચ્યો. માતા-પિતાએ તેને જે, અને આનંદનાં અશ્રુ સાથે તેમણે તેને આલિંગન કર્યું. પછી તેમણે ધન સાર્થવાહને પત્ર લખ્યો કે, “તમારો જમાઈ આવી ગયા છે. ” પછી તે સમુદ્રદત્ત માતા-પિતા તથા મિત્રોની સાથે સસરાને ત્યાં ગયે. ત્યાં એને ફરી વાર વિવાહ કરવામાં આવ્યો. પોતાની જાતને છૂપાવતે તે ધનશ્રી આગળ તો વિનીતકના વેશમાં જ છત થયો. રાત્રે વાસઘરમાં જઈ દીવા બુઝાવી તેની સાથે ભેગ ભેગવવા લાગ્યો. પછી ઘનશ્રીએ પોતાના પતિનું રૂપ જેવા માટે છાની રીતે દી રાખીને તેને નિહાળે, તો એ તો વિનીતક જ હતો. એટલે તેણે સર્વ હકીકત જાણી. ધમ્મિલની તપશ્ચર્યા અને ફલપ્રાપ્તિ આ પ્રમાણે ભગવન! સ્ત્રીઓ અનેક પ્રકારની હોય છે, માટે માતા-પિતાના વિયોગથી તથા વૈભવ નાશ પામવાથી દુઃખી થયેલા મને એ ઉપાય બતાવે, જેથી હું વૈભવને પામું. જેની કામગની તૃષ્ણ દૂર થઈ નથી એ હું આ લેકનાં સુખો ભેગવવા ઈચ્છું છું.” એટલે અગડદત્ત મુનિએ કહ્યું, “વિદ્યાફલ, દેવતાની કૃપા વગેરે માટેના ઘણા ઉપાયે જિનશાસનમાં છે. એમાં દેવતાઓ ઉપવાસ અને ભક્તિપૂર્વક આરાધવામાં આવે તે ઈચ્છિત ફળ આપે છે. વિદ્યાઓ પણ પુરશ્ચરણ અને બલિવિધાનથી સિદ્ધ થાય છે. ઉપવાસવિધિઓ પણ અનેક પ્રકારની છે, જે આ લોકમાં અને પરલોકમાં ફળ આપે છે. આમાં સાધુઓ ઉપવાસને અમોઘ ગણે છે. જે માણસ છ માસ સુધી આયંબિલ કરે છે તેને આ લેકમાં ઈચ્છિત ફલપ્રાપ્તિ થાય છે.” ધમિલે કહ્યું, “ભગવન્! હું આયંબિલ કરીશ.” પછી અગડદત્ત મુનિએ તેને દ્રવ્યલિંગ-સાધુનું લિંગ ધારણ કરાવ્યું, અને યોગ્ય ઉપકરણ આપ્યાં. પછી તેણે આયંબિલનો પ્રારંભ કર્યો. માસુક આહારપાણી લેતાં તેના છ માસ વીતી ગયા. આ તપશ્ચર્યાથી કુશ બનેલા શરીરવાળે ઘસ્મિલ્લ ઉપકરણનો ત્યાગ કરીને અગડદત્તને પગે પડીને નીકળે. ચાલતાં ચાલતાં તેણે એક ભૂતગૃહ-વ્યંતરનું મન્દિર જોયું, તેમાં પ્રવેશ કરીને તે બેઠો. એટલામાં સુર્ય આથમી ગયા. તપથી કૃશ શરીરવાળે ધર્મિલ પણ ઊંઘી ગયે. એ વખતે દેવતાએ કહ્યું – " आसस वीसस धम्मिल ! लब्भिसि माणुस्सए तुम भोए । बत्तीसं कण्णाओ विजाहर-राय-इब्भाणं ॥ અર્થાત્ હે મિલ! તું ધીરજ ઘર, શાન્ત થા; માનુષી ભેગો તું પ્રાપ્ત કરીશ અને વિદ્યાધરો, રાજાઓ તથા ઇભ્યોની બત્રીશ કન્યાઓને વરીશ.” Page #119 -------------------------------------------------------------------------- ________________ - - - - - [ ૬૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અમૃતના જેવી શાતિ આપનારું દેવતાનું આ વચન સાંભળીને ધમ્મિલ જાગે અને તેનાં શોક તથા પરિશ્રમ દૂર થઈ ગયાં. થોડીક વાર પછી જેમાં હથિયારે મૂકેલાં છે તથા જેને ધેળા ઘડા જોડેલા છે એવા રથને તેણે ત્યાં આવતો જોયે. એ રથમાંથી એક સ્ત્રી ઊતરીને પૂછવા લાગી, “અહીં ધમ્મિલ છે?” ઘમિત્રે કહ્યું, “હું જ ધમિલ.” એટલે તે સ્ત્રી બોલી, “તે ચાલ! ચાલ !” ધમ્મિલ નીકળે. રથના અગ્રભાગ ઉપર બેઠેલી, સુતરાઉ વસ્ત્ર પહેરેલી અને જેણે પોતાના હાથમાં લગામ પકડેલી છે એવી એ સ્ત્રીને તેણે જોઈ. સ્ત્રીએ કહ્યું, “ચાલ, રથ ઉપર બેસ અને હાંક.” ધમિલ રથ ઉપર ચઢ્યો; તેમાં સફેદ રેશમી વસ્ત્ર પહેરેલી એક સુન્દર તરુણને તેણે જોઈ. પછી ધમિલે રથ હાં, અને તે સુખપૂર્વક ચંપાપુરીના માર્ગ ઉપર ચાલવા માંડ્યું. ધમ્મિલનું રૂપ જેવાના કુતૂહલવાળી પેલી તરુણ રાત્રિ કયારે પૂરી થાય તેની રાહ જોતી હતી. એમ કરતાં પ્રભાત થયું, એટલે એક સ્થળે જળાશયની પાસે ઘોડાઓને વિશ્રામ આપવા નિમિત્તે તેઓ ઊતર્યા. ધમિલે ઘેડા છોડ્યા અને પોતે પણ આરામ લેવા માંડ્યો. પેલી સુન્દરીએ પણ તપથી સોસાયેલા શરીરવાળા ધમિલને જે. તપથી કૃશ શરીરવાળા, જેની શિરાઓને જાઈ અને નાય બહાર દેખાઈ આવતાં હતાં તેવા. સૂકાયેલા તટ લોચ કરવાને લીધે બેડા માથાવાળા તેને જોઈને એ તરુણું વિરાગ પામી, અને પોતાની સાથેની સ્ત્રીને કહેવા લાગી, “હે માતા ! આપણું રથ ઉપર પિશાચ બેઠે હતો કે શું ? આનું તો દર્શન પણ મને અનિષ્ટ છે, તો તેની સાથે ભેગની તો વાત જ કયાં રહી?” એટલે તે સ્ત્રી બોલી, “અરે ! કુલકલંકિની ! હવે પાછા ફરવાનું તે તારે માટે ગ્ય નથી જ, કારણ કે એમ કરતાં આખું જીવતર તારે માતા-પિતા અને સગાંઓનાં અપમાન સહન કરવો પડશે; માટે તારે પિતાને ઘેર નહીં, પણ કેઈ અન્ય દેશમાં જ જવું ઠીક છે. શું બીજા કોઈ પુરુષો નથી કે તું પાછી વળે છે? આપણું કાર્યસિદ્ધિને વિચાર કરતાં આપણે આની સાથે જ જઈએ. તેની સાથે જંગલ વટાવ્યા બાદ જે નહીં એ તો આપણને ફાવશે તે કરીશું.” ધમિલે આ સાંભળી લીધું. મૂંગા મૂંગાં તેણે ઘોડા જોડ્યા. પછી પેલી સ્ત્રીઓ પણ રથમાં બેઠી. રથ ઉપડે, અને બધાં સીમાડાના ગામે પહોંચ્યાં. રથને ગામની બહાર રાખીને બસ્મિલ્લ ઉતારાની તપાસને માટે ગયે. ગામની નજદીકમાં અનેક પુરુષોની સાથે એ ગામને અધિપતિ એક ઘેડાને લઈને બેઠે હતો. તેની પાસે જઈને ધમ્મિલે પ્રણામ કર્યા, અને પૂછ્યું, “આ ઘોડે કેમ બેઠે છે?” તેણે જવાબ આપ્યો, “હું જ્યારે ચોરાયેલે માલ પાછો મેળવવા માટે ગયા હતા, ત્યારે સામસામી લડાઈમાં આ ઘેડાને બાણ વાગ્યું હતું, પણ તેનું અંદરનું શલ્ય દેખાતું નથી.” ધમિલે પૂછયું, “શું અહીં કેઈની પાસે વિદ્યા નથી?” સામેથી “નથી” એ જવાબ મળતાં ધમ્બિલે કહ્યું, “ચાલે, મને જેવા દે.” ગામસ્વામીએ કહ્યું, “જુઓ, મારા ઉપર કૃપા કરીને એ જીવે તેમ કરે.” પછી ધમ્પિલે Page #120 -------------------------------------------------------------------------- ________________ - - - -- -- ધમ્મિલ્લ-હિંડી [ પ ] ધ્યાનપૂર્વક જોયું, તો ઘેડાના શરીરમાં રહેલું ગુઢ શલ્ય તેની નજરે પડયું. ખેતરની માટી મંગાવીને ઘોડાના આખા શરીરે તેણે લેપ કર્યો. જે ભાગમાં શલ્ય હતું એ ભાગ થોડી વારમાં જ સૂકાઈ ગયે. એટલે એ ભાગ ચીરીને તેમાંથી શલ્ય કાઢયું. પછી ઘી અને મધથી એ ઘા ભરીને તે રૂઝાવી નાખે. સતેષ પામેલ ગામધણું ધમ્મિલને પૂછવા લાગ્યો, “આપને કયાં જવું છે?ધમિલે કહ્યું, “હું મારા કુટુમ્બ સહિત ચંપાનગરી જાઉં છું.” ગામધણુએ પ્રસન્ન થઈને તેને ઉતારે આવે. ત્યાં રથને લઈ જવામાં આવ્યું. ઘાસચારાવાળા સ્થાને ઘેડા બાંધવામાં આવ્યા, અને તેમને માલીસ કરવામાં આવ્યું. ગામધણીએ પિતાના મોભાને છાજતી રીતે તેમનું સ્વાગત કર્યું. પેલી તરુણ ઈચિછત પુરુષની પ્રાપ્તિને કારણે તથા પશ્ચાત્તાપ અને પરિશ્રમથી ઘણીવાર સુધી જાગીને પછી ઊંઘી ગઈ. ધમ્મિલ તેની સાથેની બીજી વૃદ્ધા સ્ત્રી સાથે વાત કરવા લાગે. વૃદ્ધાએ કહ્યું, “સાંભળે, આર્યપુત્ર!વિમલસેનાને પરિચય આ જ નગરમાં (કુશાગ્રપુરમાં) અમિત્રદમન રાજા છે. તેની પુત્રી વિમલસેના નામે છે. તે પુરુષને સંસર્ગ ટાળતી હતી, પુરુષ વિષેની વાતથી પણ ક્રોધે ભરાતી હતી. આથી રાજાએ વિચાર કરીને રાજ્યમાર્ગની પાસે તેને માટે એક આવાસ કરાવ્યું. ત્યાં અનેક દાસીઓ તેમજ મારી સાથે રહીને અનેક રૂપવાળા પુરુષોને જેતી તે વસતી હતી. એક વાર દાસીઓની વાત તેણે સાંભળી કે, “આ મગધાપુર( કુશાગ્રપુર-રાજગૃહ)માં બહુ ગુણ અને રૂપથી સંપન્ન ધમિલ નામે સાર્થવાહપુત્ર રહે છે. ” એ ધમિલને એક વાર તેણે રાજમાર્ગ ઉપર પસાર થતે જે અને પૂછયું. “આ કેણું છે?” દાસીઓએ કહ્યું, “ સ્વામિનિ ! આ ધમિલ છે. ” આથી તેણે પિતાની દાસીને ધમિલ પાસે મોકલી. જેણે સંકેતને સંદેશ જાણે છે એવી તે દાસી પાછી આવીને કહેવા લાગી. “સ્વામિનિ એને યથાયોગ્ય બધું કહ્યું છે. આ નગરમાં રહેતા ક્ષીણવૈભવ સાર્થવાહ સમુદ્રદત્તને પુત્ર તે ધમ્મિલ છે. તેણે ભૂતગૃહમાં તમને મળવાનો સંકેત કર્યો છે.” એટલે વિમલસેનાએ મને પૂછયું, “કમલસેના! શું આ યોગ્ય છે?” મેં વિચાર કર્યો કે, “આને કોઈ પુરુષ ગમે એ જ એક મોટું આશ્ચર્ય છે, માટે તે પિતાના ઇચ્છિત પુરુષને સમાગમ ભલે પામે.” આમ વિચારીને મેં તેને કહ્યું કે, “સુન્દરિ! એમ ભલે થાય. તેણે સંકેત કર્યો છે તે સ્થળે આપણે જઈએ.” પછી અમે બને જણઓ રથમાં બેસીને ભૂતગૃહ પાસે આવી. અમારી સાથે આવેલા કંચુકીને અમે બહાનું કાઢીને પાછો મેક, એટલે તે ગયે. પછી ત્યાં અમે તમને જોયા. પહેલાંના ૧. જિતશત્રુ, અમિત્રદમન, રિપુદમન વગેરે નામોને ગ્રન્થકાર સમાન જ ગણે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નેહના અનુરાગથી સવારે વિમલસેનાએ તમને જોયા ત્યારે “આ તે આ કુરૂપ છે” એમ જાણીને તે વિરાગ પામી, માટે આર્યપુત્ર! જિતશત્રુ રાજાની પુત્રી આ વિમલાને તમારે એવી રીતે અનુનય કરે, જેથી મારી સાથે તે પણ તમારી આજ્ઞાકારી થાય.” એટલે ધમ્મિલે હાથ જોડીને કહ્યું, “કમલસેન ! મારો મને રથ સફળ થ એ તારા હાથમાં છે. મારી સાથે તેનું મન ગોઠે એવું કંઈક તું કર. હું પણ તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે વાર્તાલાપ કરતાં રાત વીતી ગઈ. અનુક્રમે નિર્મળ પ્રભાત થયું. પ્રભાતે તેમણે ગામધણની રજા માગી. શૌચાદિ કૃત્ય કરીને રથ જોડ્યો, અને રથમાં બેસીને આગળ ચાલ્યાં. ગામની સીમ વટાવીને અનેક ભીમ અને અર્જુન(એ નામનાં વૃક્ષો )વડે ગહન, અને હિંસક પશુઓ અને પક્ષીઓવડે સેવિત અને અનેક સરોવરનાં જળથી યુક્ત એવી અટવીમાં તેઓ પ્રવેશ્યાં. તેમાં ડેક દૂર જતાં માર્ગની નજદીક તેમણે મોટી ફણાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવી લાલ આંખવાળા, પવનના ઝપાટા જે સૂસવાટ કરતા અને બને જીભને લપલપાટ કરતા નાગને છે. આ જોઈને કમલસેના અને વિમલસેના ભય પામ્યાં, પણ ધમ્પિલે તેમને આશ્વાસન આપીને સાધુજનની પરંપરાદ્વારા શિખેલી ઉત્સારિણી વિદ્યાવડે તે નાગને માર્ગમાંથી દૂર કરી દીધો. આગળ ચાલતાં તેમણે મનુષ્ય અને પશુઓના માંસના સ્વાદમાં લુપ, જિદ્વાથી ઓઠ ચાટતા અને મોટું ફાડીને ઊભેલા તીક્ષણ દાઢવાળા વાઘને જે. મૃદુ હૃદયવાળી તે સ્ત્રીઓ ફરી પણ ભય પામી. તેમને ફરી વારે આશ્વાસન આપીને ધમ્મિલે તેને મંત્રપ્રભાવથી દૂર કરી દીધો. આ રીતે વાઘ ચાલ્યા ગયે, વળી આગળ નજર નાખી તો કાલમેઘની જેમ ગર્જના કરતા, નવા વર્ષાકાળના દિવસની જેમ પુષ્કળ મદજળથી ભૂમિનું સિંચન કરતા, દંતુશળ ઉપર સૂંઢ વળગાડીને ઊભેલા હાથીને પંથ રોકીને ઊભેલ જે. એ હાથીને જોઈને ધમ્બિલે કહ્યું, “સુન્દરિ! જે, થોડીક વાર હું હાથીને ખેલાવું.” એમ કહીને તે રથમાંથી ઊતર્યો. પછી વિમલાનું ચિત્ત હરવાનો પ્રયત્ન કરતાં તેણે એક કપડાનો વીંટલ કરીને હાથીને લલકાર્યો. એટલે તે ચપળ સૂંઢવાળો હાથી વાળ ઊંચા કરીને, દેડીને, પગ અને સૂંઢ જમીન ઉપર પછાડીને મિલને મારવા માટે જોરથી ધ. ધમિલે પિતાનું ઉત્તરીય તેની તરફ ફેંકયું. હાથી તે ઉત્તરીયને મનુષ્ય ધારી તેને ચૂંથવા લાગ્યું. એટલે અત્યંત ચપળતાથી અને શીઘ્રતાથી દંતશળ ઉપર પગ મૂકીને ધમિકલ હાથીની પીઠ ઉપર ચઢી ગયા. રોષે ભરાયેલો તે હાથી ચીસ પાડવા લાગ્યો, દોડવા લાગ્યો, ધુણવા લાગ્યા, પટકાવા લાગ્યો, અને પોતાની સૂંઢથી તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ધમ્મિલ હસ્તીવિદ્યાની પિતાની કુશળતાથી તેને ખેલાવવા લાગ્યા. પોતાના પગ, દંતુશળ અને સુંઢવડે Page #122 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લ-હિંડી [ YE ] ધસ્મિલ્લને પ્રહાર કરવા ઇચ્છતા છતાં તે હાથી તેમ કરી શકા નહીં. પછી સ્વચ્છ દે વનમાં વિચરવાને લીધે સુકુમાર-નહીં કેળવાયેલા શરીરવાળા તે હાથીને ધમ્બિલે છેડી દીધા, એટલે તીવ્ર ચિત્કાર કરીને વૃક્ષેાને ભાંગતા તે નાસી ગયા. ધમ્મિલ પણ હસીને રથમાં બેઠા, કમલસેના અને વિમલસેના ખૂષ વિસ્મય પામી. પછી રથ આગળ ચાલ્યા, તા સામે જ અડદના મેટા ઢગલા જેવા શ્યામ, જળાશયાના અવડ કિનારા ઉપરના રાફડાએ તેાડવાની ક્રિયા વડે તીક્ષ્ણ શીંગડાવાળા, પેાતાના આગળની જમીન ખેાદતા, મેાટી કાયાવાળા તથા જેની નજર પડખે છે (વક્ર છે) એવા પાડાને જોયા. એટલે ધમ્મિલે વિચાર્યું કે, “ ઘેાડા ઉપર આક્રમણ કરવા માટે આ અહીં આવી પહેાંચે ત્યાર પહેલાં જ એને નસાડવાના ઉપાય વિચારું. ” આમ કરીને તે રથ ઉપરથી ઉતર્યાં; અને વૃક્ષાની એથે એથે પાડા ઊભા હતા તેની પાછળના ભાગમાં જઇને ઝાડીવાળા એક વિષમ ભૂમિભાગ ઉપર ઊભા રહીને તેણે સિંહનાદ કર્યાં. એટલે સિહના શબ્દથી ખ્વીનેલા તે પાડા ગુલ્મ, વેલીએ અને લતાઓનાં ઝુંડને પાતાનાં શીંગડાંના અગ્રભાગવડે ક્ષુબ્ધ કરતા નાસી ગયેા. મ્મિલ પણ પાછા આવીને રથમાં બેઠે. પછી ઘેાડીવારે અનેક પ્રકારનાં શસ્ત્ર, ખડ્ગ, શક્તિ અને ઢાલ હાથમાં ધારણ કરતા, અનેક દેશની ભાષાઓમાં વિશારદ અને વેગથી આવતા ચાર લેાકેાને જોઇને કમલા તથા વિમલા કંપવા લાગી. ‘ ઠ્ઠીશા નહીં’ એ પ્રમાણે તેમને આશ્વાસન આપીને માની ખાજીમાં ધસ્મિલ ઊભા રહ્યો. હાથમાં ઈંડા લઇને દોડીને તે ઈંડાના એકજ પ્રહારથી ઢાલ અને શક્તિવાળા એક ચારને તેણે મારી નાખ્યું; અને તેની ઢાલ અને શક્તિ પાતે લઇ લીધી. આયુધ ધારણ કરેલા તેને જોઇને પેાતાના પરાક્રમનું અભિમાન રાખતા ખીજા શૂરવીર ચારા ત્યાં આવી પહેાંચ્યા, પણ ઢાલ ફેરવવાની પેાતાની કળાથી ધમ્મિલે તેમની વચમાં પેસીને તેમની ઉપર પ્રહારો કરતાં તે દિશા-દિશામાં વીખરાઈ ગયા, અને લક, શક્તિ, તામર વગેરે હથિયારી છેાડી દઇને નાસવા લાગ્યા. તેમને નાસતા જોઇને ગના કરતા તથા ‘ મારા! મારા !' એમ એલતે ચાર-સેનાપતિ આવી પહેાંચ્યા. જેણે ક્રિયાએ જીતી છે એવા ધમ્મિલે માયાથી તેને ભમાડીને તથા તેનું છિદ્ર-નબળાઇ જાણીને શિકતના એકજ પ્રહારથી મારી નાખ્યા. પેાતાના સેનાપતિને પડેલા જોઇને બાકીના ચારી પણ નાસી ગયા. પછી ધમ્મિલ પાછા વળીને રથ પાસે આભ્યા, અને રથ ઉપર બેઠા. રોમાંચિત શરીરવાળી તથા પેાતાના ( ધસ્મિલ્લના ) ગુણુ વર્ણવતી કમલસેનાની વાતા તે સાંભળવા લાગ્યા. એટલે વિમલસેનાએ કહ્યું—— 46 मा मे दमगस्स कहं कहेसि, मा गेण्ह नाममेयस्स । जाणाम अहं अम्मो ! तुमं पि अच्छीहिं मा पेच्छ ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ [<<] વસુદેવ—હિંડી : ઃ : પ્રથમ ખંડ : "" અર્થાત્ આ ભિખારીની વાત પણ મને ન કરીશ, એનું નામ પણ ન લઇશ; હે માતા ! મને એમ થાય છે કે હું તને પણ મારી આંખેથી ન જોઉં. આમ ખેલીને તે ચૂપ થઇ ગઇ. યસ્મિલ્લે રથ ચલાળ્યેા. આગળ ચાલતાં તેમણે પટ, શેરી અને શંખશબ્દથી મિશ્ર, વિજયમાળાએ વડે સુશેાભિત, અને યાદ્ધાના કિલકારથી યુક્ત એવા માટેા હુ કાલાહલ સાંભળ્યેા. ધમ્મિલ્લે વિચાર્યું કે, “ ખરેખર મેં નસાડેલા ચારાની વહાર આવી લાગે છે. ” તે જોઇને રાજકન્યા વિમલસેના તથા કમલસેના ખમણેા ભય પામી. ‘હું જીવું છું ત્યાંસુધી કેાઈ તમારા પરાભવ કરનાર નથી ’ એમ ધમ્મિલ તેમને આશ્વાસન આપતા હતા એટલામાં તે સામા સૈન્યમાંથી જેણે કેડ બાંધેલી છે એવા, પ્રશ્નોત્તરમાં કુશળ, વિનીત વેશવાળા તથા જેણે શસ્રો દૂર નાખ્યાં છે એવા એક પુરુષ તેમની પાસે આવ્યે. ધમ્મિલ્લે વિચાર્યું કે, “ નક્કી આ ત હશે. ” દૂર ઊભા રહીને વિનયપૂર્વક પ્રણામ કરીને તેણે કહ્યું, “ અંજનિગિરની ગુફા પાસે આવેલી અનિપલ્લીના અધિપતિ અમારે સેનાપતિ અજિતસેન આપને આ પ્રમાણે વિનંતી કરે છે-આપે હમણાં અર્જુન નામે ચાર-સેનાપતિને મારી ઘણા ભયવાળા આ માર્ગને ભયમુકત કર્યાં છે. અહા ! હું સન્તુષ્ટ થયા છું. એ અર્જુન મારા વેરી હતા, તેથી આશ્ચર્ય માનતા હું આપના દર્શનની ઈચ્છા રાખતા અહીં આવ્યા છું. આપ મારા કુતૂહલનું કારણ છે. આપને અભય હા, આપ ડરશેા નહીં, વિશ્વસ્ત થાએ. ” ધસ્મિલ્લ પણ તેનું આ વચન સાંભળીને પ્રસન્ન થઇને અજિતસેનની પાસે ગયા. તે પણ સામે આવ્યા, અને ઘેાડા ઉપરથી ઊતર્યું. ધમ્મિલૈં રથ ઉપરથી ઉતરતા હતા ત્યાં જ તેણે તેને આલિંગન આપ્યું; તને તેનું માથું સૂધીને કહ્યું, વત્સ ! અહા ! તે' સાહસ કર્યું છે. અમે તથા બીજા ઘણા નહેાતા કરી શકયા તે મા તે ચાલુ કર્યો છે. અર્જુનને મારવાથી તે સર્વ'નું કલ્યાણ કર્યું છે. ” ધસ્મિલ્લે કહ્યુ, “ એ તમારા ચરણના પ્રભાવ છે. ” અજિતસેન તેને અભિનંદન આપીને પેાતાના ગામમાં લઈ ગયા. ત્યાં ઉતારા તથા આહાર આપવામાં આવતાં તે સુખપૂર્વક રહેવા લાગ્યા. મ્મિલના ગુણુકીતાન અને પ્રશ'સાવડે કમલસેના વિમલસેનાને સમજાવવા લાગી, ત્યારે વિમલસેના મેલી— (6 46 मा मे दमगस्स कहं कहेहि, मा गेण्ह नाम एयस्स । अच्छी हिं वि तेहिं अलं, जेहिं उ दमगं पलोएमि ॥ અર્થાત્ એ ભિખારીની વાત તું કરીશ નહીં, એનુ નામ પણ લઇશ નહીં. જે આંખાવડે હું ભિખારીને જોઉં છું તે મારી આંખા પણ ફુટી જાશે.” પછી કેટલાક દિવસે વીતી જતાં ધમ્મિલે પલ્લીના અધિપતિને વિન ંતી કરી કે, “ અમારે ચંપાનગરી જવુ છે, માટે રજા આપેા. ” તેણે પૂજા-સત્કારપૂર્વક રજા આપતાં વિમલસેના અને કમલસેના સહિત ધમ્મિલ ચંપાપુરી જવા નીકળ્યા. સુખપૂર્વક એક Page #124 -------------------------------------------------------------------------- ________________ - - -- - --- - -- - - ધમ્મિલ-હિંડી [ ૬૯ ] ગામથી બીજે ગામ પડાવ નાખતાં તેઓ ચંપાનગરીની નજદીક પહોંચ્યા. ત્યાં ઘણું માણસને અવરજવર નહોતો એવા ઉદ્યાનની પાસે રથ છોડીને ધમિલે કમલસેનાને કહ્યું, “તમે અહીં બેસે; હું ચંપામાં જઈ ઉતારાની તપાસ કરીને આવું છું.” એટલે કમલસેનાએ કહ્યું, “આર્યપુત્ર ! ઘણું કરીને પુર, નગર અને જનપદોમાં છેતરપિંડી કરનારા માણસો રહે છે, માટે કય-વિક્રયમાં લેભી ગાડાવાળો જેમ ઠગાયે તેમ તમે ન ઠગાઓ એવી રીતે પ્રમાદ કર્યા વગર જજે.” એટલે તેણે કમલસેનાને પૂછયું, “કયવિક્રયમાં લુબ્ધ ગાડાવાળ કેવો હતો ?” કમલસેનાએ કહ્યું, “સાંભળ, આર્યપુત્ર!– નગરજનેએ છતરેલા ગાડાવાળાનું દષ્ટાત એક સ્થળે એક ગામડિયે ગૃહપતિ રહેતો હતો. તે ક્યારેક ધાન્ય ભરેલું ગાડું લઈને તથા એ ગાડામાં એક તેતરીનું પાંજરું લઈને નગર તરફ ચાલ્યા. નગરમાં ગયે, તે વખતે ગાલ્વિક( સુગન્ધી પદાર્થોના વ્યાપારી–ગાંધી)ના પુત્રોએ તેને જેક અને તેને પૂછયું, “આ પાંજરામાં શું છે?” તેણે જવાબ આપે, “તેતરી છે.” તેઓએ પૂછયું, “શું આ શકતિત્તરી વેચવા માટે છે ?” તેણે જવાબ આપે, “હા.” પેલાઓએ પૂછયું, “શું મૂલ્ય છે?” ગામડિયાએ કહ્યું, “એક કાર્લાપણું.પછી તેઓએ કાર્ષા પણ આ, અને ગાડું તથા તેતરી બને લઈને ચાલવા માંડ્યા. એટલે ગાડાવાળાએ પૂછયું, “આ ગાડું કેમ લઈ જાઓ છે ?” તેઓએ કહ્યું, “અમે મૂલ્ય આપીને ખરીદ્ય છે.” પછી તેમને વ્યવહાર–ન્યાય થયે. તેમાં એ ગાડાવાળે હાર્યો. તેનું ગાડું તેતરીની સાથે લઈ જવામાં આવ્યું. માટે આર્યપુત્ર! આવું જાણીને કાળજી રાખજે.” ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના પછી ધમ્મિલે કમલસેનાને (એ દષ્ટાન્ત પૂરું કરતાં કહ્યું), “હે કમલસેના! જેનું ગાડારૂપી સાધન હરાઈ ગયું છે એવો તે ગાડાવાળો ગક્ષેમ નિમિત્તે આણેલા બળદને લઈને વિલાપ કરતો જતો હતો, ત્યારે બીજા કુલીન ઘરના પુત્રે તેને જે, અને પૂછયું, “શા માટે વિલાપ કરે છે?” તેણે કહ્યું, “ભાઈ ! આવી આવી રીતે મને છેતરવામાં આવ્યું છે.” એટલે જેને દયા આવી છે એવા તે કુલપુત્રે કહ્યું, “તે એ લોકોના ઘેર જા, અને હું કહું છું તે પ્રમાણે કહેજે.” પછી તે ગાડાવાળો ગ, અને ગાધિકપુત્રના ઘેર જઈને કહેવા લાગ્યો, “ભાઈ ! તમે મારું ધાન્ય ભરેલું ગાડું લઈ લીધું છે, તે આ બળદ પણ લો. ફક્ત મને ખેરાકની બે પાલી આપે, એટલે તે ૧. ગાડું અને તેતરી ” તથા “ ગાડામાં રહેલી તેતરી ” એવા બે અર્થ આ શબ્દના થાય. ગાધિકપુત્રોએ પહેલો અર્થ લઈને ગાડાવાળાને ઠગે, જ્યારે ગાડાવાળે પ્રામાણિકપણે બીજો અર્થ જ સમયે હતો. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : લઈને હું જાઉં. પણ હું જેને તેને હાથે સાથવાની એ પાલી લેતેા નથી. પ્રાણથી પણુ પ્રિયતમ તમારી પત્ની સર્વ અલંકારોથી વિભૂષિત થઇને તે મને આપે. એથી મને પરમ સન્તાષ થશે, અને જીવલેાકમાં હું રહું છું એમ માનીશ. ” પછી તેણે સાક્ષી રાખ્યા, અને જે પ્રમાણે કરવાનું હતુ તે કહ્યું, ઘેાડીક વારે ગાધિકપુત્રની પત્ની સાથવાની એ પાણી ભરીને નીકળી. તેને ગાડાવાળાએ પેાતાના હાથમાં ઉપાડી લીધી, અને ચાલવા માંડ્યો. ગાન્ધિકપુત્રાએ કહ્યુ, “ આ શું કરે છે ? ” ગાડાવાળાએ કહ્યું, “ સાથવાની એ પાલીએ લઇ જાઉ છું. ” પેલા લેાકેાએ સાદ પડાવીને મહાજન ભેગું કર્યું. મહાજને સાક્ષીઓને પૂછ્યું કે, “ આ શું છે? ” તેઓએ જે બન્યું હતું તે ખધુ' કહી સંભળાવ્યું. આવેલ મહાજનાએ મધ્યસ્થ થઈને ન્યાય કર્યાં, અને તેમાં ગાન્ધિકપુત્રાના પરાજય થયા. પેલી સ્ત્રીને ગાડાવાળા પાસેથી ઘણા પ્રયત્ને મૂકાવી શકાઈ. ગાડું' ધનથી ભરીને તેને પાછું આપવામાં આવ્યું. માટે હું કમલસેના ! બીજો માથુસ જ્યાં આ પ્રકારના હોય ત્યાં એને કાણુ છેતરી શકવાનું હતું ? ” આ સાંભળીને કમલસેના હસી, અને તેણે કહ્યું, “ જાઓ, વિજય કરીને પાછા આવજો. ” પછી કમલસેનાએ વિમલસેનાને કહ્યું, “ હું વિમલા ! આ પુરુષનું જ્ઞાન તાજો !” ત્યારે વિમલાએ કહ્યું— ** “ વેસા મે પૈસજ્જા, વેસલ્સ ચ નંપિય મે વેસ્સું । जत्थ वि य ठिओ पेसो, सा भूमी होइ मे वेसा ॥ અર્થાત્ એ નાકરડાની વાત પણ મારે માટે દ્વેષ્ય છે, એની વાણી પણ મારે માટે દ્વેષ્ય છે, જે સ્થળે એ ઊભા રહ્યો હાય તે ભૂમિ પણ મારે માટે દ્વેષ્ય છે. ” વિમલસેનાનું આ વચન સાંભળીને ધમ્મિલ ત્યાંથી ચાલ્યે ગયા. યુવરાજ વિસેન સાથે ધસ્મિલ્લની મૈત્રી ચંપાનગરીની પાસે ચંદ્રા નામે નદી છે. તેના કિનારે તે થાડીક વાર મેઠા. કમળનાં પત્રા લઇ તે ઉપર અનેક પ્રકારનુ પત્રચ્છેદ્ય કર્યું. વૃક્ષની સૂકી છાલની નાવડી બનાવી તેમાં એ પત્રા મૂકીને નાવ નદીમાં તરતી કરી. એ નાવડી વહેતી વહેતી ગંગામાં પહોંચી. એ પછી અનેક પ્રકારનાં છેદ્ય કરતા તે ત્યાં બેઠે. એવામાં નદીકિનારેથી એ માણસેાને દોડતા આવતા તેણે જોયા. તેએાએ તેની પાસે આવીને પૂછ્યું, “ ભાઈ ! આ પત્રચ્છેદ્ય કાણે કર્યું છે ? ” તેણે જવાબ આપ્યા, “ મે ” તેઓએ કહ્યું, “ ભાઇ! આ નગરીમાં કિલ નામે રાજા છે. તેના પુત્ર દિવસેન યુવરાજ છે. તે લલિત ગોષ્ઠિ—શેાખીન, વિદગ્ધ, નાગરિક મિત્રાની સાથે ગંગામાં ક્રીડા કરે છે. તેણે આ પત્રચ્છેદ્ય જોયુ, અને જોઇને અમને માકલ્યા કે, ‘તપાસ કરા, ક્યા ચતુર પુરુષે આ પત્રચ્છેદ્ય કર્યું છે ? ' હવે આપ * Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ] * આપ "" અમને મળી ગયા છે, માટે કૃપા કરીને રાજપુત્રની પાસે ચાલે. ” એટલે તે ધમ્મિલ તેમની સાથે ગયા. પૂર્વભાષી યુવરાજે સંભ્રમપૂર્વક તેનુ વાણીથી સ્વાગત કર્યું. ધમ્મિલે પણ હાથ જોડી પ્રણામ કરી રાજપુત્રને માન આપ્યું. પછી રાજપુત્રે પૂછ્યું, ક્યાંથી આવા છે ? ” ધમ્મિલે જવાબ આપ્યા, “ કુશાગ્રપુરથી પરિજનહિત આવુ છું. એટલે તેણે ગાષ્ઠિકાને આજ્ઞા આપી કે, “ જલદી ઉતારા સજ્જ કરે. ” ગેાકિાના નાયકેાએ જ્યારે ખખર આપી કે, ઉતારા સજ્જ છે ’ત્યારે પ્રસન્ન થયેલા રાજપુત્રે કહ્યુ, “ ઊઠા, તમારા પરિવાર પાસે જઇને તેનુ સ્વાગત કરીએ. ” સર્વ ગેષ્ઠિકાથી પિરવરાયેલા તે ધર્મિલની સાથે હાથી ઉપર બેસીને નગર બહાર ઉદ્યાન પાસે આવ્યેા. કમલસેના અને વિમલસેનાને સાથે લીધી, તથા તેમનેા ઉતારામાં પ્રવેશ કરાવ્યેા. પછી તે યુવરાજ ‘ આ યુવકનું સર્વ કાર્ય કરો, જેથી તે દુ:ખી ન થાય' એમ ગોષ્ઠિના નાયકાને આજ્ઞા આપીને પેાતાના ભવનમાં ગયા. ગાષ્ઠિના નાયકે! પણ કરવાનું હતું તે બધું કાર્ય કરીને પાતપેાતાને ઘેર ગયા. ધમ્મિલ પણ ઉતારામાં સુખપૂર્વક બેઠા એ વખતે કમલસેનાએ કહ્યું, “ આર્યપુત્ર ! ગઇકાલે તમને આવતા જોઇને વિમલસેના બેલી કે આ કાણુ આવે છે ? ' મેં કહ્યું કે, ‘આ ધમ્મિલ આવે છે. ’ એટલે તેણે કહ્યુ~ ધસ્મિલ્લ{હુડી 66 मा मे दमगस्स कह कहेहि, मा गेण्ह नाम दमगस्स । अच्छीणि ताणि मा होज, जेहिं दमगं पलोएमि ।। અર્થાત્ તું એ ભિખારીની વાત પણ ન કરીશ, તેનું નામ પણ ન લઇશ, જે આંખાવડે તે ભિખારીને જોઉં છું એ આંખાતુ પણ મારે કામ નથી.” આ પછી મેં તેને ઠપકા આપ્યા. "" આ પ્રમાણે વિમલસેનાને પ્રસન્ન કરવાના પ્રયત્નમાં દિવસે ચાલ્યા જતા હતા. પછી એક વાર ગાષ્ઠિસહિત રાજપુત્રે ધમ્મિલની પરીક્ષા માટે તથા કંઇક ઈર્ષ્યાથી મશ્કરી કરવા માટે ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપી કે, “ બધા ગેષ્ઠિકાએ પેાતપાતાની પત્નીએ સાથે આવવું, ” ધમ્મિલે કમલસેનાને કહ્યું, “ કમલસેના ! હવે શું કરવું ? ' આ વિમલા ધમ્મિલની પત્ની હશે કે નહીં હોય ? ’ એવી શંકાથી, મારા નિમિત્તે જ, આ લેાકેા ઉદ્યાનયાત્રા કરે છે; માટે શુ કરવુ એ તું જ કહે. ધસ્મિલ્લે આમ કહ્યું એટલે કમલસેના તેની પાસેથી ઉઠીને વિમલસેનાની પાસે ગઇ, અને થાડી વારે પાછી આવીને બેલી, “ સાંભળેા, આર્યપુત્ર! મેં તેને કહ્યું કે— આવતી કાલે રાજપુત્ર લલિત ગેષ્ઠિની સાથે ઉદ્યાનયાત્રા કરવા જશે. એટલે આપણે પણ ઉદ્યાનમાં જઈશું, માટે તને પ્રસન્ન કરવાના પ્રયત્ન થવા છતાં તુ મૂર્ખ બનીને જવાની ના પાડીશ નહીં. જો આ તને ન ગમતા હોય તા ઉદ્યાનમાં તારા હૃદયને ગમે તેવા Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : વર પસંદ કરી લેજે. હું પુત્રિ ! સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તેા જેવી રીતે વસુદત્તા દુઃખ પામી, બીજાની વાત નહીં સાંભળતા રિપુદમન નાશ પામ્યા. તેવી દશા તારી પણ થશે. આ સાંભળીને તેણે પૂછ્યું, “હે માતા ! વસુદત્તા કાણુ હતી ? તે કેવી રીતે દુ:ખ પામી ? ” ત્યારે મે કહ્યુ, “ હું સુતનુ ! સાંભળ— 27 * સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં વસુમિત્ર નામે ગૃહપતિ રહેતા હતા. તેની પત્ની ધનશ્રી, પુત્ર ધનવસુ અને પુત્રી વસુદત્તા નામે હતી. કોશાંખીના વતની ધનદેવ સાર્થવાહ વાણિજય પ્રસ ંગે ઉજ્જયિની આવ્યેા હતા, તેને વસુમિત્ર સાથે વાહે પેાતાની પુત્રી વસુદત્તા આપી. લગ્ન થયા બાદ ધનદેવ તેને લઇને કૌશાંખી આન્યા અને માતા-પિતા સહિત સુખપૂર્વક રહેવા લાગ્યા. 66 66 કેટલેક સમયે ધનદેવને વસુદત્તાથી બે પુત્રા થયા. ત્રીજી વાર તેને ગર્ભ રહ્યો. અને પ્રસવના સમય નજીક આવ્યા. એ વખતે ધનદેવ પ્રવાસે ગયેા. એવામાં વસુદત્તાએ સાંભળ્યું કે, ઉજ્જિયની તરફ્ સા જાય છે. ” આથી પિતા-માતા અને બાંધવાને મળવાની ઇચ્છાવાળી તે સાસુ-સસરાની આજ્ઞા માંગવા લાગી કે, “હું ઉજ્જયની જાઉં છું: ” તેઓએ કહ્યું, “ પુત્રિ ! એકલી કયાં જઇશ ? તારા પતિ પ્રવાસમાં છે. તે આવે ત્યાં સુધી રાહ જો, ” પણ તેણે કહ્યુ, હું તેા જાઉં છું. પતિ મને શું કહેવાના હતા ? ” સાસુ-સસરાએ ફરી વાર વારવા છતાં તેણે સાંભળ્યું નહીં અને સ્વચ્છંદી તથા વિડલાની આજ્ઞા ઉલ્લધનારી તે પોતાના પુત્રાને લઇને નીકળી. જેમના કુટુંબને વૈભવ ક્ષીણ થયા છે એવાં તે સાસુ-સસરા પણુ ‘ આ આપણું વચન કરશે નહીં’ એમ માનીને ચૂપ રહ્યાં. પછી એ મંદભાગ્યે વસુદત્તા નીકળી, ત્યાં સુધીમાં તે સાથે દૂર ચાલ્યા ગયા હતા. સાથી જુદી પડેલી તે માર્ગ ભૂલી જતાં ખીજા માગે ગઇ. એના પિત તે જ દિવસે પ્રવાસમાંથી આવ્યેા. તેણે માતાને પૃથ્યુ, “ માતા ! વસુદત્તા કયાં ગઇ ? '' માતાએ જવાબ આપ્યો, “ પુત્ર! અમે વારી છતાં ઉજ્જયિનીના સાની સાથે ગઈ. ’ સ્ત્રી-પુત્રના અનુરાગથી બંધાયેલા તે અહા ! અકાર્ય થયું' એમ ખેલતા ભાથું લઇને માર્ગ શેાધતા તેની પાછળ ગયેા. એમ જતાં જતાં પેાતાની પત્નીને અટવીમાં ભમતી તેણે જોઇ. ફરી વાર પત્નીને મનાવીને તેણે પ્રસન્ન કરી. આગળ ચાલતાં તેઓ એક મેાટી અટવીમાં પ્રવેશ્યાં. ત્યાં સૂર્ય અસ્ત પામતાં તે રહ્યાં. એ સમયે વસુદત્તાના પેટમાં વેણુ ઉપડી, ધનદેવ સાર્થવાહે વૃક્ષની શાખાએ અને પાંદડાં તાડીને તેને માટે મંડપ કર્યાં. ત્યાં વસુદત્તાએ પુત્રને જન્મ આપ્યા. તે વખતે રાત્રિના અંધકારમાં રુધિરની ગંધથી આકર્ષાયેલા, પશુઓનું માંસ ખાનારે, અટવીનાં હિંસક પ્રાણીઓને પણ કાળ અને મોટા ભયરૂપ વાઘ ત્યાં આવ્યેા. સૂતેલા ધનદેવને Page #128 -------------------------------------------------------------------------- ________________ જમ્મિલ- હિડી [ ૭૩ ] " માતાનું દૂધ નહીં વસુદત્તા પ્રભાતમાં તે ગળેથી ઉપાડીને લઇ ગયે. પતિના વિયેાગથી દુઃખ પામેલી અને ભય, ચિન્તા તથા શાકથી સંતાપ પામેલા હૃદયવાળી તે વસુદત્તા રાતી અને આ બાળક જન્મથી જ અભાગી છે ’ એમ ખેલતી મૂર્છા પામી. દયાપાત્ર, અશરણુ અને ભયથી જેનાં અંગા કાંપે છે એવાં બાળકો પણ મૂર્છા પામ્યાં. તે જ દિવસે જન્મેલે ખાળક મળવાથી મરણ પામ્યા. ઘણી વારે મૂર્છા વળતાં વિલાપ કરતી તે એ પુત્રાને લઈને આગળ ચાલી. રસ્તામાં આવતી પહાડી નદીમાં આવ્યુ હતુ. આથી તે એક પુત્રને સામે કાંઠે લઇ જઇને બીજાને વખતે વિષમ પત્થર ઉપર પગ લપસી પડતાં પડી ગઈ, અને બાળક પણ તેના હાથ માંથી નીચે પડી ગયે.. પેલેા બીજો પુત્ર સામે કાંઠે પાણીની પાસે ઊભા હતા તેણે પણ માતાને પાણીમાં પડતી જોઇ નદીમાં ભુસ્કા માર્યા. બિચારી વસુદત્તા પ્રચંડ પ્રવાહવાળી પહાડી નદીમાં દૂર સુધી ખેંચાઈ ગઈ. ત્યાં કિનારે પડેલા એક ઝાડની ડાળી તેના હાથમાં આવતાં મહાર નીકળી, ઘેાડી વારે સ્વસ્થ થતાં બેઠી થઇ. નદીકિનારે તે બેઠી હતી તે વખતે વનવાસી ચાાએ તેને પકડી, તેનુ નામઠામ પૂછ્યું, અને સિહંગુઠ્ઠા નામે ચારપલ્લીમાં તેને લઇ ગયા. ત્યાં ચાર-સેનાપતિ કાલદડની પાસે તેને રાખી. તેને રૂપવતી જોઇને કાલદડે પાતાની પત્ની મનાવી અને અંત:પુરમાં દાખલ કરી, ચાર-સેનાપતિની બધી પત્નીએમાં તે મુખ્ય બની. અકાલવૃષ્ટિથી પૂર ઉતારતી હતી તે "" વસુદત્તાના આગમનથી પાતાના પતિનેા શરીરસંસા નહીં પામતી તે ચારસેનાપતિની બીજી પત્નીએ ઉપાય વિચારવા લાગી કે, · અમારે પતિ અને સંસ ત્યજે કેવી રીતે ? ’સમય જતાં વસુદત્તાને પુત્ર થયા, તે પેાતાની માતા જેવા હતા. એટલે સપત્નીઓએ ચાર-સેનાપતિને વિનંતી કરી કે, “ સ્વામી ! તમારી વ્હાલી સ્ત્રીનુ ચરિત્ર તમે જાણતા નથી. એ તેા પરપુરુષમાં આસક્ત છે. આ પુત્ર તેનાથી જન્મેલા છે. જો વિશ્વાસ ન પડતા હાય તેા આ પુત્ર સાથે તમારી જાતને સરખાવેા. કલુષિત હૃદયવાળા તેણે ખડ્ગ કાઢીને તેમાં પેાતાનું શરીર અને પેાતાનું મુખ જોયું. પહેાળું, મેાટા અને કરચલીઓવાળા ગાલવાળુ, વિકૃત, ખેડાળ અને વાંકા નાકવાળું, લખડતા, સ્થૂલ અને લાંબા હાઠવાળું પેાતાનુ મુખ જોઇને તથા પછી પુત્રના મુખ તરફ નજર નાખીને તે એલ્યેા કે, ‘ખરાખર એમ જ છે. ' પછી પરીક્ષા કરવાની બુદ્ધિ વગરના તે પાપીએ ખડ્ગથી એ બાળકને મારી નાખ્યા. વસુદત્તાને નેતર અને ચાબુકના પ્રહારો કરીને તથા તેનું માથું મુંડાવીને તેણે ચારાને આજ્ઞા આપી, “ જાએ, આને ઝાડે આંધેા. ” પછી તે ચારા એને લઇને દૂર સુધી ગયા. ત્યાં માની માજુમાં એક સાલવૃક્ષના થડ સાથે તેને દારડાંથી બાંધીને તથા આજુબાજુ કાંટાવાળી શાખાએ ગોઠવીને * ૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ હિંડી [ ૭૪ ] તેઓ ચાલ્યા ગયા. અનાથ અને અશરણુ બિચારી વસુદત્તા પૂર્વકના આ વિપાકને અનુભવતી તથા હૃદયમાં અનેક પ્રકારના વિચાર કરતી ત્યાં બેસી રહી. 66 તેના ભાગ્યયેાગે ઉજ્જયિની જતા એક સાથે તે જ દિવસે ત્યાંથી થાડે દૂર જળા શયની પાસે પડાવ નાખીને રહ્યો હતા. રસાઇ કરવા માટે તૃણુ, શાખા અને પાંદડાંનુ ખળતણુ ભેગુ કરવા નીકળેલા એ સાના માણસેાએ જેની આજુબાજુ કાંટાએ ગઠવેલા હતા એવી, ઝાડના થડ સાથે ખંધાયેલી વસુદત્તાને એકલી જોઇ, અને તેની હકીકત પૂછી. કરુણુ રુદન કરતી તેણે પેાતાના અનર્થ અને દુ:ખની પરંપરા કહી સંભળાવી. જેમને અનુકપા થયેલી છે એવા તે સાર્થના માણસેાએ તેને છેાડી, સાર્થમાં લઇ ગયા, અને સા વાહને બધી વાત કહી. પછી સાવાડે તેને આશ્વાસન આપ્યું તથા ભાજન અને વસ્ત્ર આપીને કહ્યુ, પુત્રિ ! સાની સાથે તુ સુખપૂર્વક ચાલ. ડરીશ નહીં. ” આ પ્રમાણે આશ્વાસન અને ધીરજ મળતાં તે સાર્થની સાથે વસુદત્તા ઉજ્જિયની તરફ જવા લાગી. એ સાની સાથે અનેક શિષ્યાએના પરિવારવાળી, જિનવચનના સારરૂપ પરમાર્થ જાણનારી, તથા જીવંતસ્વામીની પ્રતિમાનું પૂજન કરતી સુત્રતા આર્યો પણ ચાલતી હતી. તેની પાસે ધર્મ સાંભળીને તથા સાર્થવાહની અનુજ્ઞા લઈને વસુદત્તાએ દીક્ષા લીધી, અને કાંટાની વાડમાં ઘેરાયેલી દશામાં તે રહી હતી માટે તેનુ નામ કટકા આર્યા રાખવામાં આવ્યું. પછી તે આર્યાએની સાથે તે ઉજ્જયિની પહેાંચી, અને પિતા-માતા તથા સ્વજનને મળી. તેમને પેાતાનાં દુ:ખ કહેવાથી જેના વૈરાગ્ય અમણેા થયા છે એવી તે સ્વાધ્યાય અને તપમાં ઉઘુક્ત થઈને ધર્મ આચરવા લાગી. : : પ્રથમ ખંડ : માટે હું સુન્દર ! હું તને કહું છુ કે આવાં તથા સ્વચ્છંદ બુદ્ધિવાળાં બીજા પણુ માણુસા ઘણાં દુ:ખ પામે છે, માટે તુ પણ મૂર્ખ ન બનીશ. મારી વાત માન્ય રાખ, જેથી તુ પણ અંતે વસુદત્તાની જેમ દુ:ખ ન પામે. ” 66 આ સાંભળીને વિમલસેનાએ પૂછ્યું, વસુદત્તા તે। આ રીતે દુ:ખી થઈ; પણ રિપુદમન કેવી રીતે નાશ પામ્યા ? ” એટલે મેં તેને કહ્યુ, “ હું સુતનુ ! સાંભળ— સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક તાલિલિસ નામે નગરી છે. ત્યાં રિપુન્નુમન રાજા હતા. તેની રાણી પ્રિયમતી નામે હતી. એ રાજાને માલમિત્ર ધનપતિ નામે મહાધુનિક સાવાર્હ ત્યાં રહેતા હતા. એ નગરમાં ધનદ નામે સૂતાર રહેતા હતા. તેને એક પુત્ર થયા. ધનદ દરિદ્ર હતા, તેની પત્નીને વૈભવ પણુ ક્ષીણ થઈ ગયા હતા. ચિન્તા કરતાં એ બન્ને પતિ-પત્ની મરણુ પામ્યાં. તેમના પુત્ર ધનપતિ સાથે વાહના ઘેર ઉછરતા હતા. ખાંડણિયા પાસે એસતા તે ડાંગરની કુસકી (૩લે) ખાતા હતા, આથી તેનું નામ ‘કાક્કાસ ' પાડવામાં આવ્યું. આ પ્રમાણે તે માટે થયે. , Page #130 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૭૫ ] ધનપતિ સાર્થવાહનો પુત્ર ધનવસુ નામે હતો. એક વાર યવન દેશમાં જવાને માટે તેનું વહાણ સજજ કરવામાં આવ્યું. તેણે પોતાના પિતાને વિનંતી, “આ કેકકાસ તમે મને આપ મારી સાથે યવન દેશમાં એ ભલે આવે.” પિતાએ તેને મેક. પછી વહાણ ઉપડયું અને અનુકૂળ પવન હોવાથી ધારેલા બંદરે પહોંચી ગયું. ત્યાં લંગર નાખ્યાં અને સઢ ઉતારી નાખવામાં આવ્યા, એટલે મુસાફર વાણિયાઓ વહાણમાંથી ઉતર્યા. તેમણે સાથે લાવેલે માલ પણ ખાલી કરવામાં આવ્યું, રાજ્યનું દાણ અપાયું અને ત્યાં મુસાફર વાણિયાઓ વેપાર કરવા લાગ્યા. હવે પેલે કક્કાસ યવન દેશના સાર્થવાહ અને વહાણવટીઓને એક સૂતાર જે પડોશમાં જ રહેતો હતો તેને ઘેર બેસીને દિવસ ગાળતું હતું. એ સૂતારના પુત્રને અનેક પ્રકારનાં કામ શિખવવા પિતા મહેનત કરતા, છતાં તેઓ ગ્રહણ કરતા નહોતા. તેમને કક્કાસે ૮ આમ કરો. આમ થાય ? વગેરે કહ્યું. આથી વિસ્મય પામેલા આચાર્ય (શિખવનાર સૂતારે) તેને કહ્યું, “પુત્ર! મારી વિદ્યા તું શિખ. હું તને ઉપદેશ આપીશ.” એટલે કક્કાસે કહ્યું, “સ્વામી! તમે આજ્ઞા આપશે તેમ હું કરીશ.” પછી તે શિખવા લાગે, અને આચાર્યના શિક્ષણની વિશેષતાથી દરેક પ્રકારનું સૂતારી કામ શિખી ગયે; અને એ કામમાં નિપુણ થતાં ગુરુની રજા માગી વહાણમાં બેસીને તામ્રલિસિ ગયા. એ વખતે ત્યાં દુષ્કાળ પડયો હતે. આથી કેસે પિતાના ગુજરાન માટે તેમજ રાજાને પોતાની કલાની જાણ કરાવવા માટે લાકડાંનાં બે પારેવાં બનાવ્યાં. તે પારેવાં દરરાજ ઊડીને અગાશીમાં સૂકવેલી રાજાની ડાંગર લઈને પાછાં આવતાં હતાં. આ પ્રમાણે ધાન્ય હરાતું જોઈને રખવાળોએ રાજા શત્રુદમનને ખબર આપી. તેણે અમાત્યને આજ્ઞા આપી કે, “તપાસ કરે.” રાજનીતિમાં કુશળ અમાત્યાએ બધી હકીકત જાણી અને રાજાને ખબર આપી કે, “કક્કાસનાં બે યાત્રિક પારેવાં ડાંગર લઈ જાય છે.” રાજાએ કહ્યું, “કેકાસને બેલા.” બોલાવીને તેને પૂછ્યું, એટલે તેણે સર્વ હકીક્ત રાજાને જણાવી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કક્કાસને સત્કાર કર્યો અને કહ્યું કે, “આકાશગામી યંત્ર તૈયાર કર. તે વડે આપણે બે જણા ઈચ્છિત દેશમાં જઈશું.” રાજાની આજ્ઞાથી કોકાસે યંત્ર તૈયાર કર્યું. તેના ઉપર બેસીને તે તથા રાજા ઈચ્છિત દેશમાં જઈ આવતા હતા. આ પ્રમાણે તેમને સમય વીતતો હતે. એ જોઈને રાજાની પટ્ટરાણીએ એક વાર તેને વિનંતી કરી, “હું પણ તમારી સાથે દેશાન્તરમાં આવવા ઈચ્છું છું.” એટલે રાજાએ કેક્કાસને બોલાવીને કહ્યું, “મહાદેવી પણ આપણે સાથે આવશે.” કક્કાસે કહ્યું, “સ્વામી! આમાં ત્રીજા માણસને બેસાડવું યેગ્ય નથી, કારણ કે આ વાહન બેને જ ભાર વહી શકે એમ છે.” પણ તે સ્વચ્છેદ બુદ્ધિવાળી રાણીને વારવા છતાં તેણે ખૂબ આગ્રહ કર્યો, એટલે એ અબુધ રાજા તેની Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] સાથે યંત્ર ઉપર બેઠા. એટલે કાકાસે કહ્યુ, “ તમને પશ્ચાત્તાપ થશે; તમે જરૂર પડી જશે. ” આમ કહીને તે પણુ યંત્ર ઉપર બેઠી. દારીએ ખેંચી, જેનાથી આકાશગમન થતું હતું તે ચત્રકીલિકા ( યાન્ત્રિક ખીલી-કળ ) દાખી. એટલે તેમે બધાં આકાશમાં ઊડ્યાં. આ પ્રમાણે ઊડતાં ઘણાં ચેાજના તેઓ વટાવી ગયાં, એટલે અત્યંત ભારને કારણે દોરીએ તૂટી ગઇ, યંત્ર બગડી ગયુ, કીલિકા પડી ગઇ અને ધીરે ધીરે તે વાહન ભૂમિ ઉપર આવ્યું. એટલે કાક્કાસે રાજાને કહ્યું, “ તમે ઘેાડીક વાર અહીં બેસા, એટલામાં હું તાલિનગરમાં જઈને યંત્ર સાંધવાનાં સાધના લઇ આવુ, ” એમ કહીને કાક્કાસ ગયા, એટલે મહાદેવી સાથે રાજા ત્યાં બેઠા. વસુદેવ-હિંડી : : : પ્રથમ ખ' : 66 પછી કાક્કાસે( નગરમાં ) સુતારના ઘેર જઈને વાંસી માગી. સુતારે જાણ્યુ કે, ‘આ કાઇ શિલ્પીના પુત્ર છે. ' પણ તેણે કહ્યું, “ મારે રાજાના રથ જલદી તૈયાર કરવાના છે, એટલે વાંસી આપી શકું એમ નથી. ” કાક્કાસે કહ્યુ, ‘લાવા, રથ હું તૈયાર કરી આપું. ” એટલે તેણે વાંસી આપી, અને કાાસે તે લીધી. સુતારનું ધ્યાન સહેજ બીજી તરફ હતુ, એટલામાં તે ઘડીક વારમાં કેાક્કાસે રથનાં એ પૈડાં જોડી દીધાં. આ જોઇને સુતાર વિસ્મય પામ્યા, અને તેણે ધાર્યું કે ‘ આ કાક્કાસ જ હાવા જોઇએ. ' એટલે તેણે કહ્યુ, “ ઘડી વાર ઊભા રહા, ઘરમાંથી ખીજી વાંસી હું લઈ આવું. તે લઇને તમે જજો. ” “ આમ કહીને તે સુતાર તેાલિનગરના કાકજ ધ રાજા પાસે ગયા અને મધી હકીકત કહી. રાજાએ કાક્કાસને મેલાવી મગાન્યા, અને તેના સત્કાર કર્યા. રાજાએ તેને પૂછ્યું, “ તમે ક્યાંથી આવે છે ? ” એટલે તેણે બધું કહ્યું. રાજા અમિત્રદમનને પણ દેવી સાથે તેડી લાવવામાં આન્ગેા. રાજાને કેદ કરીને દેવીને અંતઃપુરમાં દાખલ કરવામાં આવી. કાકજ ઘે કાકાસને આજ્ઞા આપી, “હવે તું કુમારને શિખવ. ” કક્કાસે કહ્યું, “ કુમારને આ વિદ્યાનું શું કામ છે ? ” આમ વારવા છતાં રાજાએ તેના ઉપર ખળજખરી કરતાં તે શિખવવા લાગ્યા. પછી તેણે એ ઘાટક-યંત્રા ( ઊડતા ઘેાડા) બનાવ્યાં, અને આકાશગમનને માટે સજ્જ કર્યો. પણ કાકઘ રાજાના બે પુત્ર પેાતાના ગુરુ ઊંઘી ગયા તે વખતે એ યંત્ર-ઘાટક ઉપર એઠા અને તે મંત્રાને દબાવતાં તેઓ આકાશમાં ઊડ્યા. કાક્કાસ જાગ્યા, એટલે તેણે પૂછ્યું, “ કુમારા કયાં ગયા? ” માણસાએ કહ્યું કે, “ તે યંત્ર ઉપર બેસીને ગયા. એટલે કાકાસ ખેલ્યા, “ અહા ! અકાર્ય થયું. જરૂર તેએ નાશ પામશે; કારણ કે પાછા વળવાની કળ તેએ જાણતા નથી. ” રાજાએ આ સાંભળ્યુ અને પૂછ્યું કે, “ કુમારે કયાં ગયા ? ” કાઢ્ઢાસે જવાબ આપ્યા . “ તેએ ઘેાડા લઇને ગયા છે. ” આથી રાષ પામેલા રાજાએ કાષ્ટાસના વધ કરવાની આજ્ઞા આપી. એક કુમારે કાકાસને આ ખબર આપી. આ વચન સાંભળીને કેાક્કાસે ચક્રયન્ત્ર સજ્જ કર્યું. તેણે કુમારીને કહ્યુ કે, “ તમે 66 "" Page #132 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ્લાહિડી [ ૭૭ ] બધા આની ઉપર બેસા. જ્યારે હું શ ંખશબ્દ કરું ત્યારે તમે બધા એકી સાથે વચ્ચેની કળ ઉપર પ્રહાર કરજો. એટલે વાહન આકાશમાં ઊડશે. ” કુમારે પણ • ભલે ’એમ કહી ચક્રયન્ત્ર ઉપર બેઠા. કાક્કાસને વધ માટે લઇ જવામાં આવ્યેા. મરતી વખતે તેણે શખ વગાડ્યો. એ શખશબ્દ સાંભળીને કુમારેાએ યન્ત્રની વચલી કળ ઉપર પ્રહાર કર્યા; એટલે તેમાંથી શૂળા નીકળતાં તે બધા વીંધાઇ ગયા. આ બાજુ કાકાસના પણુ વધુ થયા. પછી રાજાએ પૂછ્યું કે, “ કુમારા કયાં ગયાં ? ” સેવકેાએ તેને કહ્યું કે, 66 66 તેઓ બધા ચક્રયન્ત્રમાં શૂળીએથી વીંધાઇ ગયા છે, ' આ સાંભળીને રાજા નિસ્તેજ અને શૂન્ય થઇ ગયા અને “ અરેરે! અકાર્ય થયું!” એમ ખેલતા શાકસ તમ હૃદયવાળા તે વિલાપ કરતા મરણ પામ્યા. તે શત્રુદમન રાજા તેમજ કુમારા સ્વચ્છંદ બુદ્ધિને કારણે નાશ પામ્યા, માટે હું વિમલા! તું સ્વચ્છ ંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તેા તું પણુ દુ:ખ પામીશ. આ ધમ્મિલૈં સર્વ કલાઓમાં ચતુર, નવયુવાન અને તરુણ છે. એનાથી સુન્દર ખીજો કાણુ છે ? હું આ પુત્ર! મેં આમ કહેતાં વિમલસેનાએ મારી બધી વાત માની, ” ધર્મિાની ઉઘાનયાત્રા અને વિમલસેનાની ધમ્મિલમાં ગેમાસક્તિ ક્રમલસેનાની આ વાત સાંભળીને ધમ્મિલૈં અત્યંત પ્રસન્ન થયા. પછી તે દિવસ આથમી ગયા, રાત્રિ વીતી ગઇ, વિમલ પ્રભાત થયું અને સ લેાકના સાક્ષી સૂર્ય ઊગ્યા, એટલે યુવરાજ લલિત ગાષ્ઠિની સાથે નીકળીને ઉદ્યાનમાં ગયા. તે સાંભળીને ધમ્મિલ અનેક પ્રકારનાં મણિ અને રત્નનાં આભરણાથી અલંકૃત થઇને તથા વિવિધરંગી વસ્ત્રો પહેરીને કમલસેના અને વિમલસેનાની સાથે રથમાં બેસી ઉદ્યાન તરફ ગયા અને ઉપવનમાં પ્રવેશ્યા. પછી ત્યાં નાકરાએ રેશમી તબુએ નાખ્યા તથા અતિ સુન્દર મંડપા ખાંધ્યા. પેાતાના પ્રચ્છાદન માટે તેમણે કનાતા ઊભી કરી તથા કુલવ એને ચેાગ્ય એવી શય્યાએ તૈયાર કરી. યુવરાજની આજ્ઞાથી ઉત્તમ ભૂમિમાં ભેાજનમંડપ રચવામાં આવ્યેા. ત્યાં ટાપલે ટોપલે ફૂલ વેરવામાં આવ્યાં, યેાગ્ય આસના મૂકાયાં અને ગંધ, વસ્ત્ર અને આભરણુ ધારણ કરીને સર્વે ગાષ્ઠિની અંદર પેાતાના વૈભવ પ્રમાણે અને યુવરાજની અનુજ્ઞા અનુસાર મણિનાં આસના ઉપર બેઠા. કનક, રત્ન અને મણિનાં બનાવેલાં પાત્રા સને આપવામાં આવ્યાં, એટલે પમ્મિલ પણ પ્રિયા વિમલસેનાની સાથે બેઠા અને તેની ખાજુમાં કમલસેના બેઠી. પછી હાથ ધેાઇને સવે વિવિધ પ્રકારનાં ખાદ્ય, ભેાજન અને પેય પદાર્થી એકબીજાને આપવા લાગ્યા. આ રીતે તેઓ પરસ્પર સાથેના પ્રીતિવિશેષ અનુભવતા હતા. ગેાષ્ઠિકાની સાથે યુવરાજ વિમલાની સાથે બેઠેલા ધમ્મિલને જોતાં તૃપ્તિ પામતા નહેાતા, અને ખૂબ વિસ્મિત થયા. પછી ત્યાં મદિવલ યુવિતએનાં નૃત્ય, ગીત અને વાત્રિ પૂરાં થયાં. Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ~~ ~~~ ~~~ ^^ ^^ ^^^ ^^^^^^^^^ એટલે તે જોઈને બસ્મિલ્લને અભિનંદન આપતે યુવરાજ ગોષિની સાથે ઊઠ્યો અને વાહનમાં બેસીને પિતાના ભવનમાં ગયા. ધમિલ્લ પણ વિમલસેના અને કમલસેનાની સાથે રથમાં બેસીને ઘેર ગયે. પ્રથમ સમાગમ માટે ઉત્સુક હૃદયવાળા તેણે વિમલાની સાથે દિવસ ગાળે. પછી જ્યારે સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા થઈ, દીવા પ્રકટાયા, શય્યાઓ રચાઈ અને રતિને યે પુષ્પ, ગંધ અને અલંકારો ધારણ કરાયા તે સમયે કમલસેનાએ વિમલસેનાને નવવધૂને યેગ્ય શણગાર કર્યો. લજજાથી નમેલા મુખવાળી વિમલાને લઈને તે ધમિલ્લની પાસે ગઈ અને તેને કહ્યું, “આર્યપુત્ર! આ રાજપુત્રી છે, માટે તેનું સારી રીતે પાલન કરજે.” આમ કહીને કમલા ગઈ. પછી ધમિલે દેવાધિદેવને પ્રણામ કરીને, પિતાના જમણા હાથથી વિમલાને જમણે હાથ પકડી તેને ખોળામાં બેસાડી અને ગાઢ આલિંગન કર્યું. જેના સર્વાગે રોમાંચ થયાં છે એવી તથા સ્વભાવથી મૃદુ અંગોવાળી તે વિમલા નવા મેઘની ધારાથી છંટાયેલી ધરતીની જેમ આશ્વાસન પામી અને પિતે અંગે સહિત ધમિલ્લના હૃદયમાં પ્રવેશી. રતિરસાયણની તૃષ્ણાવાળા ધમ્મિલે રાજકન્યાને રતિસુખ પાયું. એ પ્રમાણે રતિપ્રસક્ત એવાં તે બનેની રાત વીતી ગઈ. પરસ્પરમાં નેહાનુરક્ત તેમને સમય સુખેથી વિતવા લાગે. નાગદત્તા સાથે મિલ્લનાં લગ્ન એક વાર પ્રણયવિષયક સંધિવિગ્રહ(રીસામણાં-મનામણ)માં કેપેલી વિમલાને મનાવતો બસ્મિલ્લ બે કે, “પ્રિયે વસન્તતિલકે! ઝાઝી રસ ન કરીશ, તારા સેવકજન ઉપર અનુગ્રહ કર અને પ્રસન્ન થા.” એટલે અપૂર્વ વચનવાળી અને ઇર્ષાના રોષને લીધે જેનું સર્વાગ કંપ્યું છે એવી, તે વિમલા બેલી કે, “અરે અનાર્ય! કયાં છે તારી વસન્તતિલકા ?” પછી અશ્રપૂર્ણ નયનવાળી, ભરાઈ ગયેલા ગદ્દગદ હૃદયવાળી, જેણે દાંતવડે હઠ દબાવ્યા છે એવી, ત્રણ રેખાઓ વડે યુક્ત કપાળ ઉપર ભૂકુટિ વાંકી કરીને અવ્યક્ત બેલતી, માથું ધુણાવતી, જેને અંબેડે છૂટી ગયે છે એવી, અંબેડામાંથી છૂટી પડેલાં ઉછળતાં કુસુમવાળી, તથા જેનું ખસી પડતું રક્તાંશુક કટિમેખલામાં વળગી રહ્યું એવી તે વિમલસેનાએ વિવિધ પ્રકારના મણિ સહિત વિચિત્ર મુક્તા-જાળવડે શોભતા, નૂ પુરવડે શબ્દાયમાન, અનુક્રમે સુન્દર આંગળીઓવાળા, કમળદળ જેવા કેમળ, રક્ત અશોકના સ્તબક જેવા રાતા, સુન્દર અળતાના. રસથી આદ્ર અને કેપને કારણે પ્રસ્વેદયુક્ત એવા પિતાના પગવડે ધમ્મિલ્લને લાત મારી. રોષથી પરવશ થયેલા હૃદયવાળી તેણે કહ્યું, “જાઓ, એ વસન્તતિલકા તમારા ઉપર અનુગ્રહ કરશે.” વિમલાના ઈર્ષ્યા–રોષનું બહાનું મળવાથી જેને સન્તોષ થયેલો છે એ, અંદરના સુખથી હૃદયમાં હસતો તે ધમ્મિલ ઘરમાંથી બહાર નીકળે; અને રાજમાર્ગ ઉપર ગયે. ત્યાં રાજમાર્ગની નજદીક રાત્રિના છેલ્લા પહેરે અર્ધા બંધ કરેલા કમાડવાળું, જેમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૭૯ ] દીવા લટકતા હતા, અને સુગંધિ કાળા અગરના ઉત્તમ ધૂપ જેમાં ખળતા હતા એવું નાગગૃહ ( નાગનું મન્દિર ) તેણે જોયુ. તેણે એમાં પ્રવેશ કર્યો અને નાગદેવતાને પ્રણામ કરીને અનેક પ્રકારના વિચાર કરતા બેઠા. એટલામાં જેણે હાથમાં કરડિયેા લીધેલેા છે એવી તથા સુન્દર ખિલતા નવયૌવનવાળી તરુણીને તેણે પરિચારિકાની સાથે આવતી જોઈ. એ યુવતિ મન્દિર તરફ પૂજાને માટે આવી, હાથપગ ધેાઈને તેણે નાગગૃહમાં પ્રવેશ કર્યાં, નાગેન્દ્રની પૂજા કરી અને પ્રણામ કરીને કહ્યુ, “ ભગવન્ ! પ્રસન્ન થાએ. ” એટલે યસ્મિલ્લે કહ્યું, “ સુન્દર ! તારા હૃદયના ઇચ્છિત મનેારથ પૂરા થાઓ.” પછી તે સુન્દરી સભ્રમપૂર્વક ઊઠી, તા તેણે ધમ્મિલને જોયા. ધસ્મિલ્લે પણ નવયૌવનશાલી, સહજ ઊગેલી રામરાજિવાળી, પુષ્ટ અને વૃદ્ધિ પામતા પયાધરવાળી, ઊંચી અને લાંખી નાસિકાવાળી, તાજા' કમલપત્રા જેવાં કાન્તિયુક્ત નયનાાવાળી, ખિમફળ જેવા સુન્દર હાઠવાળી, નિમળ તપ ક્તિવાળી તથા પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર જેવા વદનવાળી તે સુન્દરીને જોઇ. એને જોઈને તે પરમ વિસ્મય પામ્યા. સુન્દરીએ પૂછ્યું, “ આ મિશ્ર કયાંથી આવે છે ? '' ધસ્મિલ્લે ઉત્તર આપ્યો, “ સુરિ ! હું કુશાગ્રપુરથી આવું છું. ” એટલે હિરણી જેવા નયનવાળી તે સુન્દરી વિસ્મયપૂર્વક ધમ્મિલને જોઇને નિ:શ્વાસ નાખી, નીચુ મુખ કરી, ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખાતરતી ઊભી રહી. પછી ધમ્મિલે પૂછ્યું, “ સુન્દર ! તુ કાણુ છે ? ” એટલે મધુરભાષિણી એવી તેણે કહ્યુ, આર્યપુત્ર ! આ નગરમાં નાગવતુ નામે સાવાહ છે, તેની પત્ની નાગન્નિા છે. તેમની કન્યા હું નાગદત્તા છું. મારા ભાઈનું નામ નાગદત્ત છે. આ નાગેન્દ્ર પાસે હું મારા હૃદયના ઇચ્છેલે વર માગું છું અને નાગેન્દ્રનુ પૂજન કરવા દરરાજ અહીં આવું છું. મારાં સદ્ભાગ્યે તમે અહીં આવ્યા છે, અને જોતાં વેંત જ મારા હૃદયમાં પ્રવેશ્યા છે. મારા મનેરથ પૂર્ણ થયા છે. ” કહીને તે પેાતાને ઘેર ગઇ. ઘેર જઇને તેણે પેાતાની માતાને બધું કહ્યુ. તેનાં માતા-પિતા, સ્વજન અને પરિજન આ સાંભળીને પ્રસન્ન થયાં. એ નગરમાં જાહેર રીતે તેમનુ લગ્ન થયું. રાજકન્યા કપિલાના સ્વયંવર 66 આમ એ જ નગરમાં કપિલ રાજાની પુત્રી કપિલા નામે હતી. તે નાગદત્તાની સખી હતી. તેણે સાંભળ્યું કે, ‘ નાગદત્તાને વર મળ્યા છે અને તેનુ લગ્ન થઈ ગયું છે. એ વર પણ પુરુષગુણ્ણાના ભંડાર અને નવયુવાન છે. ' એટલે મદનના માણુથી સેાસાતા હૃદયવાળી તેણે માતાને કહ્યુ, “ માતા ! કૃપા કરીને મને જલ્દી સ્વયંવર આપે. ' પુત્રીવત્સલ માતાએ કપિલ રાજાને વિનંતી કરી કે “ કપિલાને સ્વયંવર આપે।. ” રાજાએ કહ્યુ, “ ભલે, એમ કરેા. ” પછી રાજાએ શુભ દિવસે કપિલાના સ્વયંવર કર્યા. પેાતાના વૈભવ અનુસાર વેશ અને અલંકાર પહેરેલા ધનાઢ્યો અને કોમ્બિકાના પુત્રા અને બીજા પણ વૈભવ પ્રમાણે વેશ ધારણ કરેલા ઇભ્યપુત્રાને બેસાડવામાં આવ્યા. વિનીત વેશ અને Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : આભરણવાળો ધમિલ પણ ત્યાં ગયો. પછી પદ્મખંડમાં વસતી લક્ષમી સમાન તે રાજકન્યા પિતાની કાતિવડે લોકોની દષ્ટિને આકર્ષતી સ્વયંવરમંડપમાં આવી. રૂપતિશયથી યુક્ત તેને ધમ્પિલે જે. દેવકુમાર જેવી કાન્તિવાળા ધમિલને તેણે પણ સિનગ્ધ અને મધુર દષ્ટિથી અવલે. મદનના બાણથી ઘાયલ હદયવાળી તે ધમ્મિલની પાસે ગઈ, સુવાસિત પુષ્પની માળા ધમ્મિલલના ગળામાં પહેરાવી, અને માથા ઉપર અક્ષત નાખ્યા. એ જોઈને લોકો ખૂબ વિસ્મય પામ્યા. સ્વયંવર થઈ ગયા અને રાજાની આજ્ઞાથી ધમ્મિલને ભવનમાં લઈ જવામાં આવ્યું. રાજકુળને છાજે તેવી રીતે તેમનું લગ્ન થયું. આ વાત આમ બની. બીજી બાજુ, ધમિલના વિયોગથી દુર્બળ અને ફિક્કા કપિલવાળી અને શોકસાગરમાં ડૂબેલી વિમલસેના દુખપૂર્વક રહેતી હતી. પછી બીજા દિવસે રાજાની સંમતિથી ધમિકલને કપિલા તથા પરિજનો સહિત નગરમાં ફેરવવામાં આવ્યો. સર્વ રિદ્ધિ અને વૈભવ સહિત ફરતો તે વિમલસેનાના ઘરના અગ્ર દ્વાર આગળ આવ્યું. એટલે નોકરો અને દાસ-દાસીઓ “રાજાએ પોતાની કન્યા કોની સાથે પરણાવી છે?” એ જેવાને માટે બહાર નીકળ્યાં. તેમણે ધમ્મિલને જોય, એટલે ઉતાવળે વિમલસેનાની પાસે જઈને કહ્યું, “સ્વામિનિ ! ધમિલ રાજાને જમાઈ થયે છે.” આ વચન સાંભળીને ઈર્ષોથી જેનું શરીર કંપ્યું છે એવી વિમલસેના પિતાના હદય સાથે વિચાર કરી “મારે શા માટે બેસી રહેવું ?” એમ નક્કી કરી હાથપગ ધોઈ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, સોનાની ગજમુખ ઝારીમાં અર્થ લઈને નીકળી. વાહનની પ્રદક્ષિણા કરીને તેણે ધર્મિલનો જમણે હાથ ઊંચો કરીને કહ્યું, “સ્વામી તમારી રીત જોઈ લીધી. ” આ સાંભળી ધમ્મિલે તેને તે જ હાથથી પકડીને વાહનમાં બેસાડી. પછી ધમ્મિલ રાજ્યમહેલમાં પહોંચે અને વાહનમાંથી ઉતર્યો. ત્યાં તેનું કૌતુકમંગલ કરવામાં આવ્યું. પછી કપિલા અને વિમલાની સાથે સુખ અનુભવતો તે રહેવા લાગ્યો. કામેન્મત્ત વિદ્યાધરનો વૃત્તાન્ત એક વાર રાજાની પાસે એક ઘોડે લાવવામાં આવ્યો. તેને ધમિલ પલટવા માંડ્યો. અશ્વપાલાએ ઘોડાને ચોકડું ચડાવ્યું, લગામે બાંધી, સર્વ રીતે સજજ કર્યો, તંગ બાંધ્યા, ઘુઘરીઓ લટકાવી, મુખને શોભા આપનારા ચામરો બાંધ્યાં, અને પાંચ પ્રકારનાં અશ્વઆભૂષણેથી તેને અલંકૃત કર્યો, એટલે સુતરાઉ વસ્ત્ર પહેરેલ, અર્ધા પગ ખુલ્લા રહે તેવું (ચડ્ડી જેવું ) અધેવસ્ત્ર ધારણ કરેલે, જેણે સુગંધી પુષ્પને શેખર બાંધ્યું છે એવો, વિચિત્ર અલંકારોથી શોભતા સર્વાગવાળે અને વ્યાયામથી ચપળ શરીરવાળે ધમિલ પક્ષીની જેમ લીલાપૂર્વક તે ઘોડા ઉપર આરૂઢ થયે. ડાબા હાથમાં તેણે લગામનો દોર લીધે, અને વિશદ તથા મૃદુ એવા જમણા હાથમાં ચાબૂક લીધે. બરાબર બેઠક લગાવી, અને સાથળ દબાવીને ઘોડાને થોડેક સુધી ચલાવ્યું. જાતવંત અને સવારનું ચિત્ત પારખ Page #136 -------------------------------------------------------------------------- ________________ ધમિલ્લ-હિંડી [ ૮૧ ] નાર તે ઘોડાએ ધમ્મિલ્લની મનોવૃત્તિ જાણે લીધી. ધમ્મિલ્લ વડે પ્રેરાયેલે અને ચાબુકને પ્રહાર પામેલે તે અશ્વ પલેટા, અને ધીરે ધીરે દોડતાં છેવટે પાંચમી વેગધારાને પણ વટાવીને જેનો પ્રતિકાર ન થઈ શકે તેવો મસ્ત થઈ ગયું. ધમિલ પણ વિચાર કરીને એ દોડતા ઘેડાને વશવતી બન્યો. ઘોડો પણ ઘણે દૂર સુધી દેડીને, ઊંચા-નીચા પ્રદેશ વટાવીને કનકવાલુકા નદીની પાસે પિતાની ઈચ્છાથી જ ઊભો રહ્યો. પછી ધમ્મિલ પિતાની મેળે નીચે ઊતર્યો, પલાણ ઊતાર્યું, તંગ છેડ્યા અને ઘોડાને પણ છોડી મૂક્યો. ઘોડાને બધો સામાન વૃક્ષની શાખાએ લટકાવ્યા. પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ધમ્મિલ દક્ષિણ દિશા તરફ ચાલ્યો. કનકવાલુકા નદી તેણે ઓળંગી તે વખતે વૃક્ષની શાખાએ લટકાવેલી, સારી રીતે મઢેલા રંગબેરંગી મણિની મૂઠવાળી, રૈવેયક (કંઠને એક અલંકાર) જેવી સુશોભિત, પાકાં બોરના જેવી કાન્તિવાળી, કમળમાં વીંટેલી તલવાર જોઈ તેણે વિચાર્યું કે, “આ તલવાર કોની હશે ?” આજુબાજુ જોઈને તેણે એ તલવાર લીધી અને મ્યાનમાંથી બહાર કાઢી. તલના તેલની ધાર જેવી, અતસી-પુપની આંખ જેવી નીલ પ્રભાવાળી, આશ્ચર્યપૂર્વક જેવાય તેવી, જાણે કે પ્રસન્નતાથી ભમતી હોય અને હળવાપણથી ઉછળતી હોય તેવી, વીજળીની જેમ આંખને ઝંખાવતી અને દર્શનીય એ તલવારને તેણે જોઈ. તેણે વિચાર કર્યો કે, “આની ધાર કેવી છે તે તો જેઉં.” કઠિન, ઊંડાં અને અંદરોઅંદર બંધાઈ ગયેલાં મૂળવાળાં અત્યંત કુટિલ જાળાંથી યુકત, અન્ય ગીચ બની ગયેલા વાંસવાળા, અને લાંબી શાખાઓ અને પત્રવડે જે છેક છેડા સુધી છવાઈ ગયેલ છે એવા પાસે રહેલા વાંસના ગુલ્મને તેણે જે. તેની પાસે જઈને વિશાખાસ્થાનમાં ઊભા રહીને, જોરથી મૂઠી વાળીને તેણે તલવારનો ઘા કર્યો. મોટા મોટા સાઠ વાંસ, કેળના સાંઠાની જેમ, એ તલવારથી કપાઈ ગયા. આ જોઈને ધમ્મિલ ખૂબ વિસ્મય પામ્યો. “અહો ! આ તલવારની તીણતા કેટલી અભંગ અને અપ્રતિહત છે!” એમ વિચાર કરતો એ વાંસના જાળાની પ્રદક્ષિણા કરી જવા લાગ્યું. તે ત્યાં કઈ પુરુષનું કુંડલવાળું અને રુધિરથી ખરડાયેલું કપાયેલું માથું તેણે જોયું; તથા એ વાંસના જાળાના મધ્ય ભાગમાં અગ્નિકુંડ જે. “અહો ! અનર્થ થયે!” એમ વિચારી, હાથ ધૂણાવી, તલવારને પાછી પાનમાં મૂકી, “અરે ! તલવાર કેટલા દેષ કરાવનાર છે!” એમ બોલીને ત્યાંથી ચાલ્યા ગયા. ચાલતાં પિતાની સામેના ભાગમાં તેણે લીલાં પત્ર, પહલવ અને શાખાઓથી સુશેભિત વનપ્રદેશ જે, અને અનેક પ્રકારનાં પક્ષીઓના કલરવથી શબ્દાયમાન, વિવિધ જાતિનાં કમળથી શોભાયમાન તથા પ્રસન્ન, સ્વચ્છ અને શીતલ પાણીવાળું જળાશય જોયું. તેના ૧. ધા કરવા માટે પગ પહોળા કરીને ઊભા રહેવું તે. વિશાખાનક્ષત્ર જેવો આકાર ? Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] વસુદેવ-હિંડો : : પ્રથમ ખંડ : કિનારે આશ્ચર્યજનક અને દર્શનીય રૂપવાળી એક કન્યા તેની નજરે પડી. એ જોઈને તેણે વિચાર્યું કે, “શું આ વનપ્રદેશની આ દેવતા હશે?” આમ વિચાર કરતો ધમિલ તેની પાસે ગયે, અને પૂછયું, “સુતનુ! તું કોણ છે? કયાં રહે છે ? અને ક્યાંથી આવે છે?” ત્યારે મૃદુ અને મધુર વચનવાળી તેણે કહ્યું, “સાંભળો, આર્યપુત્ર! અહીં દક્ષિણ તરફની વિદ્યાધરકેણિમાં શંખપુર નામે વિદ્યાધરનું નગર છે. ત્યાં પુરુષાનન્દ નામે રાજા છે, તેની પત્ની શ્યામલતા છે. તેમને કામન્મત્ત નામે પુત્ર છે અને વિદ્યુત્પતી તથા વિદ્યલલતા નામે બે પુત્રીઓ છે. એક વાર વિદ્યાધરએણિમાં કનકગિરિના શિખર ઉપર ધર્મશેષ નામે ચારણુશમણ સમેસર્યા. તેઓ જ્ઞાનાતિશયવાળા હતા. તેમનું આગમન સાંભળીને સર્વ વિદ્યાધરો વંદન કરવાને નીકળ્યા. ધર્મપ્રેમથી અને કંઈક કુતુહલથી વિદ્યાધરી શ્યામલતા પણ ત્યાં ગઈ. જેમણે રાગ, દ્વેષ અને મેહ દયા છે એવા તે ભગવાનને વંદન કરીને તે ધર્મ સાંભળવા લાગી. ઉપદેશ પૂરો થતાં તે ફરી વાર ચારણશ્રમણને પૂછવા લાગી, “હે ભગવન્! મારી પુત્રીઓનો પતિ કે શું થશે ?” એટલે પિતાના જ્ઞાનાતિશયથી જાણીને સાધુએ કહ્યું, “જે કામોન્મત્ત વિદ્યાધરને મારશે તેની એ પત્નીઓ થશે.” પછી સાધુનું વચન સાંભળીને હર્ષ અને વિષાદયુક્ત વદનવાળી તે સાધુને વંદન કરીને પોતાને ઘેર ગઈ. કામોન્મત્ત વિદ્યાધર પિતાની બહેને સાથે વિદ્યા સાધવા માટે આ વનપ્રદેશમાં આવ્યા. કનકવાલુકા નદીની પાસે તેણે વિદ્યાના પ્રભાવથી ભવન વિકુવ્યું. પછી ખેટ, નગર અને પટ્ટણીમાં ફરતે તે રાજાઓ, શ્રેષ્ઠીઓ, ઈભ્ય અને સાર્થવાહની સેળ કન્યાઓ પોતાની સાથે લાવ્યું. “મારી વિદ્યાઓ સિદ્ધ થતાં આ કન્યાઓ સાથે લગ્ન કરીશ” એમ નક્કી કરીને તેણે તે કન્યાઓને અહીં રાખી. એક વાર અમે આનંદમાં બેઠાં હતાં ત્યારે તેની બહેન વિદ્યન્મતીએ અમને આ બધું કહ્યું. અને તે આર્યપુત્ર! મેં પણ તમને તે જ કહ્યું છે. અમારામાં સૌથી પહેલી, રૂપમાં શ્રી સમાન શ્રીચંદા છે. આ ઉપરાંત સર્વાંગસુન્દરી વિચક્ષણ અને શ્રીસેના, ગંધર્વવિદ્યા અને ગાયનમાં કુશળ શ્રી, નૃત્ય, ગીત અને વારિત્રની વિશારદ સેના, રાગ-રાગણીઓની રચનામાં કુશળ વિજયસેના, માળાઓ બનાવવામાં કુશળ શ્રીસમા, દેવતાઓની પૂજામાં આસક્ત શ્રીદેવા, શય્યા રચવામાં નિપુણ સુમંગલા, આખ્યાયિકાઓમાં અને પુસ્તકવાચનમાં કુશળ સોમપુત્રા, વિશિષ્ટ કથા-વિજ્ઞાન અને નાટ્યશાસ્ત્રની જાણકાર મિત્રવતી, સ્વજનનું સ્વાગત કરવામાં નિપુણ યશોમતી, વિવિધ પ્રકારના વ્યાખ્યાનમાં વિશારદ ગાંધારી, પત્રછેદ્યની કલામાં વિચક્ષણ શ્રીમતી, પાણીને સુવાસિત કરવામાં કુશળ સુમિત્રા, અને હું મિત્રસેના એમ સર્વે મળીને અમે સોળ જણીઓ, હે આર્યપુત્ર, આ ભવનમાં રહીએ છીએ. “જ્યારે કામોન્મત્ત વિદ્યાઓ સાધી લેશે ત્યારે તે તમારું પાણિગ્રહણ કરશે” એમ તેની બહેને કહે છે. નવયૌવનમાં રહેલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, વિકસતા સ્તનયુગલવાળી અને રતિરસની આકાંક્ષાવાળી અમે સર્વે તેની વિદ્યાઓ સિદ્ધ થવાની રાહ જેતી અહીં રહીએ છીએ. તે વિદ્યાધર સામે વાંસના જાળામાં બેઠેલે છે.” Page #138 -------------------------------------------------------------------------- ________________ ધમ્મિલ-હિંડી [ ૮૩ ] એટલે ધમિલે વિચાર કર્યો કે, “ નક્કી, એ જ વિદ્યાધરને મેં મારી નાખે છે.” પછી તેણે કહ્યું, “હે સુતનુ! તલવારની તીણતાની પરીક્ષા કરવાના કુતૂહલમાં મેં તેને કાપી નાખે, તે મરણ પામ્યા છે. એટલે તે સાંભળીને વિષણ અને દીન મનવાળી તે થેડીકવાર તો વિષાદ પામી. તેણે કહ્યું, “પૂર્વે કરેલાં કર્મો દુર્લદય છે.” ધમ્મિલ્લે કહ્યું, “સુન્દરિ! તું ખેદ ન કરીશ.” એટલે તે બોલી, “અહે! સાધુનું અમેઘ વચન નિષ્ફળ નથી જતું. આર્યપુત્ર! હું જાઉં છું અને આ વૃત્તાન્ત તેની બહેનને જણાવું છું. જે તેઓ તમારામાં અનુરક્ત હશે તે ભવનની ઉપર રાતી પતાકા ચડાવીશ. જે વિરક્ત હશે તો વેત પતાકા ચડાવીશ. વેત પતાકા દેખાય તો તમે અહીંથી ચાલ્યા જજે.” આમ કહીને તે ગઈ. તે પતાકા ચડાવે એની રાહ જોતો ધમ્મિલ્લ ભવનની સામે જેતે ઊભે. ડીવારમાં વેત પતાકા નજરે પડી. પદ્માવતીનું પાણિગ્રહણ એટલે “તે કન્યાઓ મારામાં અનુરક્ત નથી” એમ સમજીને ધમ્મિલ ત્યાંથી નીકળે, અને કનકવાલુકા નદીના કિનારે કિનારે ચાલતો સંવાહ નામે જંગલી કટ(પહાડી ગામ)માં આવી પહોંચ્યો. ત્યાં ચંપાનગરીના રાજાને ભાઈ અને કપિલા નામે રાણના પેટે જન્મેલ સુદત્ત નામે રાજા હતા. તેની રાણી વસુમતી અને પુત્રી પદ્માવતી નામે હતી. ધમિલ્લ એ કઈટમાં પ્રવેશ્યા, અને જોયું તે, એક સ્ત્રી શૂળના રોગથી કંપતી બેઠી હતી. તેને જોઈને અનુકંપા પામેલા મિલે તેની વાત-પિત્તાદિક પ્રકૃતિ જાણીને અનુકૂળ ઔષધ આપ્યું. એથી તે સ્વસ્થ થઈ ગઈ. પછી ધમ્મિલ નગરમાં પ્રવેશ્યા. તેણે કરેલા આ ઉત્તમ કાર્યની વાત રાજાએ સાંભળી. પછી રાજાએ તેને પિતાના ભવનમાં બોલાવ્યા, અને ત્વચાના રોગથી કુરૂપ બનેલી પિતાની પુત્રી પદ્માવતી તેને સંપીને કહ્યું, “આર્યપુત્ર! આને સાજી કરે.” શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં બસ્મિલ્લે તેના ઉપચારનો પ્રારંભ કર્યો. પિતાનાં કર્મોના ઉપશમથી તથા ઔષધના પ્રભાવથી રાજકન્યાનું શરીર પહેલાંના જેવું થયું, અને તે લક્ષમી સમાન રૂપવાળી બની. સતુષ્ટ થયેલા રાજાએ તે કન્યા ધમ્મિલને આપી, અને શુભ દિવસે તેમનું લગ્ન થયું. તેની સાથે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી પાંચ પ્રકારના માનુષી કામગ ભેગવતે ધમ્મિલ રહેવા લાગે. ધમિલ્લનું ચંપામાં આગમન અને મત્ત હાથીને નિગ્રહ એક વાર સુદર રાજાએ કહ્યું “મારા ભાઈ(ચંપાનગરીના રાજા)ની સાથે સંધિ કેણ કરાવી આપશે?ધમ્બિલે કહ્યું, “સ્વામી ! સામ, ભેદ અને દામના પ્રગથી હું કરાવી આપીશ, માટે નિશ્ચિત્ત થાઓ.” પછી રાજાએ તેનું માથું સુંઘીને રજા આપી, એટલે પ્રિયજનના દર્શન માટે ઉત્સુક ધમિલ ત્યાંથી નીકળે. જુદાં જુદાં ગામોમાં મુકામ કરતે તે ચંપાનગરી પહેચે. ત્યાં સારા શુકનથી પ્રસન્ન થયેલા હૃદયવાળો તે નગરીમાં પ્રવેશ્ય, અને રાજમાર્ગ ઉપર ચાલવા લાગે. Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] 66 “ ઇન્દ્રદમ એવામાં લેાકેાના કાલાહલરૂપી માટે સિ ંહનાદ તેણે સાંભળ્યેા. એક નગર–યુવાનને તેણે પૂછ્યું', “ મિત્ર ! આ શેને શબ્દ છે ? ” તેણે જવાખ આપ્યા, “ રાજાના મત્ત હાથી જે થાંભલે તેને બાંધેલે તે ભાંગીને નાસી છૂટયા છે. ” આ સાંભળીને તે નિશ્ચિન્તપણે આગળ ચાલ્યે, તા જોયું કે નગરના એક યુવાન ખ્રુશ્યપુત્રને, આઠ ઇભ્યપુત્રી સાથેના તેના વિવાહ નિમિત્તે, અનેક કૌતુકપૂર્વક મગલસ્નાન કરાવવામાં આવતું હતું, ધસ્મિલે પૂછ્યું, “ આ કેાના વિવાહ છે ? ” એટલે એક જાણકારે કહ્યુ, સાવાહના પુત્ર સાગરદત્તનું પિતાના મનેારથાથી ઇશ્યકન્યા સાથે લગ્ન થાય છે. દેવકી, ધનશ્રી, કુમુદ્રા, કુમુદાનંદા, કમલશ્રી, પદ્મશ્રી, વિમલા અને વસુમતી એ પ્રમાણે તે આઠ ઇત્સ્યકન્યાઓનાં નામ છે. ” પેલેા માસ આમ કહેતા હતા ત્યાં તેા પ્રલયકાળના કૃતાન્ત જેવા તે મત્ત હાથી વાજીંત્રાના અવાજ અને કાલાહલને કારણે તે સ્થળે આવ્યા. લગ્નમાં આવેલા લેાકેા ચારે બાજુ નાસી ગયા. પેલે વર પણુ એ કન્યાએને મૂકીને નાસી ગયા; અને જાળમાં ફસાયેલી હરણીની જેમ અત્યંત ઉદ્દેિશ માનસવાળી, જીવનની આશા છેડી દઇને ચારે તરફ જોતી, ભયથી પીડાતા હૃદયવાળી અને ત્યાંથી જવાને અસમર્થ તે રૂપાળી કન્યાએ ત્યાં જ બેસી રહી. મત્ત હાથી તેમની પાસે આવ્યે; એટલે સ્મિલ્લે તેમને કહ્યું, “ ડરશે। નહીં. ” હાથ પકડીને ધસ્મિલ્લ તે સર્વે ને ઘરમાં લઈ ગયા. કન્યાએને ઘરમાં મૂકીને તે બહાર આવ્યા. હાથીને તેણે જોયેા અને હસ્તીશિક્ષામાં કુશળ ધમ્મિલ તેને ખેલાવવાને માટે તેના ઉપર ચઢી ગયા, તથા સ્કન્ધ્રપ્રદેશ ઉપર બેઠા. પછી હાથી માથું ધુણાવવા લાગ્યા, પણ આસનની સ્થિરતાપૂર્વક ધસ્મિલ્લે તેના ગળામાં દોરડું નાખ્યું, હાથમાં અંકુશ લીધેા, અને તેને વશમાં આણ્યા. પછી હાથીને પકડવાને માટે મહાવતા આવ્યા. વાજીંત્રાના નાદથી અને હાથણીના શરીરની વાસથી હાથી સ્થિર થઇ ગયા, એટલે મહાવત તેના ઉપર ચઢ્યો, અને ધમ્મિલ ઊતર્યાં. રાજાને ખબર આપવામાં આવી કે, “ સ્વામી ! અકાળ મૃત્યુ સમાન મત્ત હાથીને ધમ્મિલ્લે પકડ્યો. ” એટલે વિસ્મય પામેલા રાજા અને નાગરિકા ‘ અહા ! આશ્ચય ! ’ એમ ખેલતા તેને ફ્રી ફ્રી અભિનંદન આપવા લાગ્યા. રાજાએ તેનુ પૂજન-સત્કાર કરીને રજા આપી, એટલે વિમલા અને કમલાને મળવા માટે ઉત્સુક ધમ્મિલ પેાતાને ઘેર ગયા. તેના સમાગમથી ઘરનાં માણસાને ઘણેા આનદ થયા. વસુદેવ-હિંડી : : : પ્રથમ ખંડ : પછી ધસ્મિલ્લે સંવાહુતિ સુદત્તની સાથે ચંપાનગરીના રાજાની સંધિ કરાવી. સુદત્ત પદ્માવતીને માકલી, તેની સાથે ધસ્મિલ્લના સમાગમ થયા. વિમલસેનાએ પેાતાને લાત મારતાં પાતે કેવી રીતે ઘર છેાડીને નીકળ્યે ત્યાંથી માંડીને પેાતાના પુનરાગમન સુધીના સર્વ વૃત્તાન્ત ધમ્મિલે મિત્રાને કહ્યો, ચંપાપુરીના રાજા કિપલના કૃપાપાત્ર બનેલા તે સુખપૂર્વક ભેગ ભાગવતે! રહેવા લાગ્યા. Page #140 -------------------------------------------------------------------------- ________________ મ્મિલ—હિડી વિન્મતી વિદ્યુહલતા અને બીજી સાળ કન્યાઓનુ પાણિગ્રહણ એક વાર ધમ્મિલ આનંદપૂર્વક અગાશીમાં બેઠા હતા ત્યારે એક વિદ્યાધરકન્યા આકાશમાર્ગે ઊડતી આવી. રૂપ અને તેજને કારણે વીજળીની જેમ તે ધસ્મિલની આગળ ઊભી રહી. તેણે કહ્યું, “ હું આર્યપુત્ર! મારા જાણવામાં આવ્યું છે કે વિદ્યાસાધન કરતા મારા નિરપરાધ ભાઇ કામેાન્મત્ત વિદ્યાધરને તમે મારી નાખ્યા છે. દયાવાન અને સ્વભાવથી કામળ હૃદયવાળા તમારે માટે નિરપરાધીના વધ કરવાનું કાર્ય શુ ચેાગ્ય છે? ” ધસ્મિલે કહ્યુ, “ હું સુન્દર ! વધ કરવાના ઇરાદા સિવાય, અજાણપણે જ મેં તે વાંસનું જાળુ કાપી નાખ્યું. તેમાં તારા ભાઈ મરણ પામ્યા, એમાં મારે દ્વેષ નથી. કર્મોની ભવિતવ્યતાથી તેનું અવસાન થયું. ” એટલે તે મેલી, “ આર્યપુત્ર! એમ જ છે. મને પેલી કન્યા મિત્રસેનાએ બધી હકીકત જણાવી. અમે તે મિત્રસેનાને કહ્યું કે, • સુન્દર ! એ પુરુષને અહીં તેડાવ. ' એટલે હુ થી અત્યંત ત્વરા કરતી તેણે તમારી સાથે પ્રથમ કરેલા સંકેત અનુસાર ભૂલથી શ્વેત પતાકા ચડાવી. એ જોઇને તમે ચાલ્યા ગયા. તમને આવતાં કેમ મેાડું થયું ? એમ વિચારીને અમે સર્વેએ સબ્રમપૂર્વક તમને શેાધ્યા, પરન્તુ ક્યાંય તમે જોવામાં ન આવ્યા. એટલે તે બધીએએ મને મેાકલી કે, “ જા, તે પુરુષની તપાસ કર. ” એટલે ગ્રામ, આકર, નગર, પેટ, કટ અને મખા( તુચ્છ ગામા )માં ઊડતી અને તમારી શેાધ કરતી આ ચંપાપુરીમાં હું આવી. પૂર્વે કરેલાં રહ્યાંસહ્યાં સત્કર્માને પરિણામે મેં તમને જોયા. મારી વ્હેન સહિત હું તથા તે સાળે કન્યાએ તમારી આજ્ઞાકારી છીએ. ” એમ કહીને નીલકમળના જેવી કાન્તિવાળા આકાશમાં તે ઊડી. જઇને ઘેાડી જ વારમાં તે સર્વે કન્યાઓની સાથે પાછી આવી. તે સર્વેની સાથે સ્મિલ્લના વિવાહ થયેા. લગ્ન થઇ રહેતાં તે સર્વ કન્યાઓની સાથે પ્રીતિસુખ અનુભવતા તે રહેવા લાગ્યા. વસન્તતિલકાનુ પુનમ લન એક વાર વિદ્યુન્નતીએ પરિહાસપૂર્વક વિમલાને કહ્યું, “હું વિમલા ! ઇર્ષ્યાથી રાષ પામીને તેં આ પુત્રને લાત મારી એ થ્રુ ચેાગ્ય હતું ? ” એટલે વિમલાએ કહ્યુ, “ સખિ વિષ્ણુન્મતિ ! ખીજી સ્ત્રીનું નામ લે અને લાત મારવી શુ ચેાગ્ય નથી ? ” વિધમતી મેલી, “ સુખદ એવાં પેાતાનાં વહાલાંનુ નામ લેવુ' એ યેાગ્ય જ છે, માટે લાત મારવારૂપ શિક્ષા તને કરવી જોઇએ. ” આ સાંભળી વિમલાએ હસીને કહ્યુ, “ સિખ વિશ્વમતિ ! જે મેં આ પુત્રને લાત ન મારી હાત તેા આ પુત્ર સાથેના રતિરસનુ પાન તમે કયાંથી પામત માટે તમે સર્વે મારા પૂજા-સત્કાર કરી. ” આ સાંભળી તે સર્વે હસીને ચૂપ થઇ. આ પ્રમાણે પરિહાસ પૂરા થતાં વિદ્યુન્મતીએ ધમ્મિલને પૂછ્યું, આ પુત્ર ! તે વસન્તતિલકા કાણુ છે ? ” એટલે ધસ્મિલ્લે ઉત્તર આપ્યા, વિધન્મતિ ! તેનું નામ લેતાં પણ હું ડરું છું, કારણ કે અહીં રીસાળ માણસે વસે છે !” 66 66 [ ૮૫ ] Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : આ સાંભળી વિમલા મેલી, “ બહુ ડરપેાક લાગેા છે! સુભગ જનથી કાઇ વાર અપરાધ પણ થઈ જાય, માટે ડરશે। નહીં. તમને અભય છે. નિશ્ચિન્તપણે કહેા. ” આ પછી ધસ્મિલે વિદ્યુન્મતીને કહ્યુ, “ કુશાગ્રપુરમાં અમિત્રદમન રાજાની ગણિકા વસન્તસેના નામે છે. વસન્તતિલકા નામે તેની પુત્રી રૂપ, લાવણ્ય અને કામ-વિજ્ઞાનના ઉપચારે પૂર્વ ક સર્વ પ્રકારના કામભોગ અને રતિવિશેષાને જાણે છે. ” વિદ્યન્મતીએ કહ્યું, “ જો આ પુત્રને રુચતુ હાય તેા એ આર્યાના સમાચાર લાવવા માટે હું જાઉં, ” ધમ્મિલે કહ્યું, “રીસાળ માણસાને પૂછવુ જોઇએ.” એ સાંભળીને વિમલા બેલી, “શું પ્રભાત સૂપડાથી ઢંકાવાનું હતું ? ” ** આ પછી વિન્મતી ત્યાં આકાશમાર્ગે ઊડીને ગઇ, અને એ જ રીતે પાછી આવીને યસ્મિલ્લને કહેવા લાગી— ચૌવનવડે દનીય, અહેાળા વૈભવવાળુ, ગણિકાને યાગ્ય એવું યુવાન રાજાનું રૂપ ધારણ કરીને હું, આ પુત્રની ઇચ્છાનુસાર, વસન્તતિલકાના ભવનમાં ગઈ, સ આભરણાના જેણે ત્યાગ કર્યા છે એવી, પ્રિયવિરહવર્ડ દુ લ અંગેાવાળી, મેલાં અને જીણું વસ્ત્રોવાળી, જેણે તખેલના ત્યાગ કર્યો છે એવી, અશ્રુપૂર્ણ નયનવાળી, સૂકાઈ ગયેલા ગાલવાળી, ફિક્કા વદનવાળી, ઘરડા નાગ જેવા એક જ વેણીમાં બાંધેલા ચાટલાવાળી, તથા માત્ર મંગલ નિમિત્તે જમણા હાથમાં ઝીણુા ચડા પહેરીને બેઠેલી વસન્તતિલકાને મેં ત્યાં જોઇ. મેં તેને કહ્યુ, ‘તું સુખી છે ? ’ પણ તે તે ચિત્રમાં આલેખેલી યક્ષપ્રતિમાની જેમ એકચિત્ત એસી રહી. ‘ આ પુત્રમાં આસક્ત હૃદયવાળી આ બિચારી અન્ય પુરુષની વાત પણ સાંભળતી નથી ' એમ વિચારીને મેં પુરુષવેશના ત્યાગ કરી સ્ત્રીવેશ ધારણ કરી ફરી વાર તેને કહ્યું, “ વસન્તતિલકે ! સુન્દરિ ! ધમ્મિલ તારા ક્ષેમકુશળના સમાચાર પૂછાવે છે. ” આ સાંભળીને જેનાં રામાંચ ઊભાં થયાં છે એવી, પતાં ગાત્રવાળી, તથા હર્ષોંનાં આંસુથી ઊભરાતી આંખેાવાળી તે તમારું જ ચિન્તન કરતી સહસા ઊભી થઇ, અને ગદ્ગદ્ કંઠે ‘હું પ્રિયતમ ! ’એમ ખેલતી ઢાડીને, મને ગાઢ આલિંગન દઇને એવું રડી, જેથી મારું' પણ હૃદય કંપી ઊઠયું. આ પ્રમાણે ખૂબ રડીને હુ પામેલી તેણે મને પૂછ્યું, “ લેાકેાનાં હૃદયાનું હરણ કરનાર અને અતિ સૌભાગ્યશાળી આ પુત્ર કયાં છે ? ” મેં કહ્યું, “ ચંપાપુરીમાં રહે છે. ” આ પછી તેણે આ પુત્રના વિયેાગથી પેાતાને થયેલું દુ:ખ મને કહ્યું. ’ 7 ' ܐ વિદ્યુત્ત્પતીનાં આ વચન સાંભળીને ધમ્મિલ વસન્તસેનાને મળવા માટે ઉત્સુક થયેા. પછી વિદ્યન્મતીએ તેનું ઉત્સુક હૃદય જાણીને કહ્યું, “ આ પુત્ર ! કુશાગ્રપુર જવાને આતુર થયા હા એમ જણાય છે. ” ધમ્મિલે કહ્યું, સુન્તરિ ! તું જ પ્રસન્ન હાય તા મારું મન એમ જ છે. ” પેાતાની વિદ્યાથી વિષુવેલા વિમાનમાં સર્વ પ્રિયાએ અને પરિજન ર Page #142 -------------------------------------------------------------------------- ________________ ધમિલ્લ-હિંદી [ ૮૭ ] અને સર્વ સેવકો સહિત બસ્મિલ્લને વિદ્યુમ્મત મુહૂર્ત માત્રામાં કુશાગ્રપુર લઈ ગઈ, અને વસતતિલકાના ભવનમાં તેનો પ્રવેશ કરાવ્યું. રાજા અમિત્રદમને બધી વાત સાંભળી. સંતુષ્ટ થયેલા રાજાએ રાજ્યનો ત્રીજો ભાગ ધર્મિલ્લને આપે. સર્વ વૈભવ સહિત ભવન કરાવ્યું, અને વૈભવ અનુસાર યાન–વાહન અને પરિજન આપ્યાં. સર્વ પ્રિયા સહિત ધમિકલ ભવનમાં પ્રવેશ્યા. ધનવસુ સાર્થવાહ ધમિલના આગમનથી હર્ષ પામે, અને તે પણ પોતાની પુત્રી યશોમતીને ધમ્મિલ્લ પાસે લાવ્યું. પછી તે ધમિલ સર્વ પ્રિયાઓ સહિત આયંબિલ તપનું ફળ આ લોકમાં જ અનુભવત, દેવભવનમાં દેવ-યુવાનની જેમ, રહેવા લાગ્યા. મેઘમાલા વિદ્યાધરી સાથે બસ્મિલ્લનું ગાંધર્વ લગ્ન એક વાર પ્રિયાઓની સાથે તે અંદરની પડસાળમાં બેઠો હતો. તે વખતે વસઃતિલકાએ કહ્યું, “આર્યપુત્ર ! ગઈ કાલે અહીં આવતાં તમે અત્યંત કામો ભેગ-રમણીય વેશ અને અલંકાર ધારણ કર્યા હતાં. ” આ સાંભળીને શંકિત હૃદયવાળા તેણે વિચાર કરીને કહ્યું, “સુન્દરિ! એ તે તમને વિસ્મય પમાડવા માટે.” આમ કહીને તે ગયે. પછી તેણે વિચાર્યું, “ખરેખર, આ ભવનમાં બીજા કેઈન પ્રવેશ નથી. મારો વેશ ધારણ કરીને કેઈ વિદ્યાધર આવતો હશે.” પછી તેને વધ કરવાનો ઉપાય વિચારીને તેણે આખા ભવનમાં સિદ્ર વેર્યું, અને હાથમાં તલવાર લઈને તેના આગમનની રાહ તે ઊભો રહ્યો. થોડીવાર થઈ એટલે પગલાં પડતાં તેણે જોયા; એટલે એ પગલાને અનુસારે તેણે તલવાર ઘા કર્યો. આથી કપાઈને પેલાના બે ટુકડા થઈ ગયા તે તેણે જોયા. પછી એ વિદ્યાધરના શબની અંતિમ વ્યવસ્થા કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી. પછી પોતાને હાથે પુરુષવધ થઈ ગયે, તેથી શાન્તિ નહીં પામતા ધમિલ બીજે દિવસે પિતાના ઉપવનમાં પ્રવેશ્યો, અને પશ્ચાત્તાપથી સંતપ્ત હૃદયવાળો અશોક વૃક્ષ પાસેના ધરે જેવા લીલાછમ પૃથ્વી–શિલાપટ્ટ ઉપર વિચાર કરતો બેઠે. તે વખતે જેણે પોતાના શરીર ઉપર અશોકમંજરીઓ ધારણ કરી છે એવી, નવયૌવનશાળી, સ્તનભારથી નમેલાં ગાત્રવાળી, પુષ્ટ જઘનવાળી, ધીરે ધીરે પગ મૂકતી, એક જ લાલ વસ્ત્ર પહેરેલી, આશ્ચર્ય પૂર્વક દર્શનીય એવા રૂપવાળી અને થોડાં પણ મેંઘાં આભૂષણે પહેરેલી એક સુન્દરી તેની પાસે આવી. જેના રૂપનું પાન કરતાં તૃપ્તિ ન થાય એવા દર્શનીય રૂપવાળી, અત્યંત રાતા, બિંબ જેવા હોઠ અને શુદ્ધ દંતપતિવાળી તથા પ્રસન્ન દર્શનવાળી તેને ધમિલે ઈ. પેલી સુન્દરી પણ કહેવા લાગી— “હે આર્યપુત્ર! ધ્યાનપૂર્વક સાંભળે. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં અશોકપુર નામે વિદ્યાધર-નગર છે. ત્યાં વિદ્યાધર-રાજા મેઘસેન નામે છે, અને તેની પત્ની શશિ Page #143 -------------------------------------------------------------------------- ________________ | [ ૮૮ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પ્રભા છે. તેમને બે બાળકો થયાં–મેઘજા પુત્ર, અને હું મેઘમાલા પુત્રી. એક વાર વિદ્યાધરરાજા મારી માતાની સાથે વિચાર કરવા લાગ્યો, “મારું અવસાન થતાં રાજા કોણ થશે?” પછી વિદ્યાથી જોઈને તેણે મારી માતાને કહ્યું, “આ અવિનીત મેઘજવ મેઘમાલાના પતિના હાથે નાશ પામશે. આથી બીજો કોઈ અહીં રાજા થશે. ” આ સાંભળીને મારી માતા વિષાદ પામી. મેઘજવ પણ મારા પ્રત્યેના નેહથી ઉદ્યાન, કાનન, નદી અને ગિરિએમાં રમણીય ક્રિીડાઓ દરરોજ માણતે હતો, અને એક મુહૂર્ત પણ મારે વિરહ ઈચ્છતો નહોતો. હું પણ ભાઈમાં નેહાનુરક્ત હૃદયને કારણે તેને વિરહમાં તેના દર્શન માટે ઉત્સુક બનતી હતી. આ પ્રમાણે અમારો સમય જતો હતો. આજથી ત્રીજા દિવસે, હે મેઘમાલા ! હું કુશાગ્રપુર જાઉં છું,” એમ મને કહીને તે નીકળે છે. તે પાછો નહીં આવવાથી હું અહીં આવી છું. ધમિલે વિદ્યાધરને માર્યો છે” એમ મેં સાંભળ્યું. આથી રોષ પામેલી હું આ અશોકવનમાં આવી. ત્યાં મેં તમને જોયા, જોતાં જ મારો રોષ નાશ પામે, અને લજજા આવી. માટે કૃપા કરો અને હું અશરણનું શરણ થાઓ.” આ પ્રમાણે કહી તે ધર્મિલના ચરણમાં પડી. ધમ્મિલે પણ ઉત્તમ હાથીની સૂંઢ જેવા બાહુઓ વડે તેને સ્પર્શ કર્યો, ગાંધર્વ વિવાહધર્મથી તેની સાથે વિવાહ કર્યો, અને રતિવિદથી તેને ગાઢ આલિંગન કર્યું. મેઘમાલાનો પિતાના ભાઈના મરણ સંબંધી શક દૂર થયે, અને માનવસુખને સાર તે પામી. તેને લઈને ધર્મિલ પિતાના ભવનમાં ગયે. વિમલસેનાને પુત્રજન્મ જેને તૃષ્ણાપૂર્વક ત્યાગ કરી શકાય (અર્થાત દત્યજ ) એ તે ધમ્પિલ સર્વે પ્રિયાઓની સાથે આમ સમય ગાળતા હતા. આ પ્રમાણે ઘણો કાળ જતાં રાજપુત્રી વિમલસેનાને પુત્ર થયે, અને તેનું પદ્મનાભ એવું નામ પાડવામાં આવ્યું. અનુક્રમે તે માટે થયે અને વિદ્યાઓનું ગ્રહણ કરીને પિતાના પૂર્વકના પુણ્યદયના પરિણામને તથા પિતાનાં સત્કર્મોના વિશિષ્ટ ઉદયને અનુભવને રહેવા લાગ્યા. એ પ્રમાણે મિત્ર, બંધુ, પુત્ર અને પ્રિયાઓની સાથે સુખથી ધમ્પિલને સમય વીતતે હતે. હવે, અનેક જનપદોમાં જિનભગવાને ઉપદેશેલ વિધિ પ્રમાણે વિહાર કરતા, જગતના સર્વ જીવડે સ્મરણીય, કૃતમાં બતાવેલી રીતે ધર્મને ઉપદેશ કરતા, અનેક શિષ્યના પરિવારવાળા અને શ્રમણના સમૂહમાં મુખ્ય એવા ધર્મચિ નામે અણગાર એક વાર કુશાગ્રપુર નગરમાં આવ્યા, અને વૈભારગિરિના શિખર ઉપર સમેસર્યા. સાધુને યોગ્ય પ્રાસુક પ્રદેશમાં ગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાને ભાવતા તેઓ વિચરતા હતા. રાજા અમિત્રદમને સાંભળ્યું કે, “મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ એ. પ્રમાણે ચાર જ્ઞાન ધારણ કરનાર, મેઘનાદ જેવા ગંભીર સ્વરવાળા અને ધર્મરુચિ મનવાળા ભગવાન ધર્મરુચિ નામે અણગાર અહીં સમેસર્યા છે.” એટલે હર્ષથી રોમાંચિત Page #144 -------------------------------------------------------------------------- ________________ પસ્મિલ્લ-હિંડી [ ૮૯ ] શરીરવાળો ધર્મપ્રેમી રાજા અને નગરજને કુતૂહલથી ત્યાં ગયા. ધમ્મિલને પણ એ ભગવાનનું આગમન કૌટુમ્બિક પુરુષોએ જણાવ્યું. આથી હર્ષ પામેલો ધમ્મિલ પિતાના પરિવાર સહિત સંભ્રમપૂર્વક વૈભારગિરિ પહોંચ્યો. ત્યાં તપ, ચારિત્ર્ય અને ક્રિયાવડે સંસાચેલ શરીરવાળા શ્રમણે વડે શોભાયમાન ગિરિશિખર નીચેની ગુફા તેણે જોઈ. એ સાધુઓને પ્રણામ કરતો કરતો તે આગળ ચાલ્યા. આગળ જતાં તેણે શ્રમણમાં ગંધહસ્તી સમાન, મૃદુ, વિશદ, મધુર અને મનોહર વચનોથી ધર્મ કહેતા ભગવાન ધર્મરુચિને જોયા. જઈને તેણે તેમને પ્રણામ કર્યા. સર્વ સ્વર્ગોના સોપાન સમાન એ ભગવાને ધમ્મિલને ધર્મલાભ” કહીને આવકાર આપ્યો, અને સર્વ જગતને સુખકારક ધર્મ તેને કહ્યો. ઉપદેશ પૂરો થતાં ધમિલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર તે સાધુને વંદન કરીને પિતાની તપશ્ચર્યા સંબંધમાં પ્રશ્ન કર્યો કે, “મેં પૂર્વ જન્મમાં એવું શું કર્યું છે, જેથી આ સુખદુ:ખની પરંપરાને હું પામે ?” એટલે સાધુએ કહ્યું – ધમ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદને ભવ આ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં ભરુકચ્છ નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેની રાણી ધારિણી નામે હતી. એ નગરમાં કુલ અને રૂપને છાજતા વૈભવવાળે અને જિનશાસનના શ્રવણથી રહિત બુદ્ધિવાળો મહાધન નામે ગૃહપતિ હતો અને તેની પત્ની સુનંદા નામે હતી. હે ધમ્મિલ ! આ ભવથી ત્રીજા ભવમાં તું સુનંદ નામે તેઓને પુત્ર હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે સુનંદ આઠ વર્ષથી કંઇક મોટો થે એટલે માતા-પિતાએ તેને કલા–આચાર્યને ત્યાં મૂક્યા. ત્યાં તેણે કલાઓને યથાયોગ્ય અભ્યાસ કર્યો. કેટલાક સમય પછી તે બાળકના માતા-પિતાના અગાઉના પરિચિત પ્રિય પરોણું આવ્યા. તેઓ ત્વરાથી એ પરણાઓને ભેટ્યાં, સ્નિગ્ધ અને મધુર વચનથી તેમને બોલાવ્યા. કુલગુડ અને સગાસંબંધીઓનું ક્ષેમકુશળ પૂછીને સત્કાર કર્યો. એ પરોણાએને આસન આપવામાં આવ્યું તે ઉપર તેઓ બેઠા, અને પગ ધેઈને સુખપૂર્વક તેઓ નિશ્ચિન્તપણે ત્યાં રહ્યા. પછી પેલા પુત્રને પિતાએ કહ્યું, “બેટા ! કસાઈવાડામાં જઈને માંસ લઈ આવ.” એટલે પરણાઓના માણસ સાથે પૈસા લઈને તે કસાઈવાડામાં ગયા, પરંતુ તે દિવસના કંઈક યુગે માંસ મળ્યું નહીં. એટલે પરોણાઓના માણસે છોકરાને કહ્યું, “ભાઈ ! ચાલ માછીવાડામાં જઈએ.” છોકરાએ હા પાડી. તેઓને માછીવાડામાંથી પાંચ જીવતાં માછલાં મળ્યાં. છોકરાએ વારવા છતાં પરોણાના માણસે તે લીધાં. માછલાં લઈને જે માગે આવ્યા હતા તે માગે જ તેઓ પાછા વળ્યા. ચાલતાં ચાલતાં તેઓ જળાશય આગળ આવ્યા. પેલા માણસે છોકરાને કહ્યું, “આ માછલાં લઈને તું જા. આગળ મારી રાહ જોજે. હું જંગલ જઈને આવું છું. ” પછી જળની પાસે માછલાંને તરફડતાં ઈને જેને અનુકંપા થઈ છે એવા તે છોકરાએ કર્મોપશમની ભવિતવ્યતાથી માછલાંને ૧૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પાણીમાં છોડી દીધાં. ક્ષીણ કર્મવાળા આત્માઓ જેમ નિર્વાણમાં જાય તેમ એ માછલાં પણ શીઘ્રતાથી પાણીમાં પેસી ગયાં. પેલો માણસ આવીને છોકરાને પૂછવા લાગે, માછલાં ક્યાં?” તેણે ઉત્તર આપ્યો, “પાણીમાં મૂકી દીધાં.” એટલે પેલાએ કહ્યું, ભાઈ ! આ ઠીક ન કર્યું. તારા પિતા ક્રોધે ભરાશે.” પછી તે બન્ને જણા ઘેર ગયા. પિતાએ છોકરાને પૂછ્યું, “કેમ માંસ આપ્યું ?” એટલે નોકરે કહ્યું, “માંસના અભાવે જીવતાં માછલાં આપ્યાં હતાં, તે પણ રસ્તામાં આ છોકરાએ પાણીમાં મૂકી દીધાં. ” પિતાએ છોકરાને પૂછયું, “તેં કેમ માછલાં છોડી દીધાં? ” એટલે છોકરો બોલે, “માછલાંને તરફડતાં જોઈને મને દયા આવી, અને મેં પાણીમાં મૂકી દીધાં. હવે તમારે જે કરવું હોય તે કરો.” છોકરાએ આમ કહ્યું એટલે મિથ્યાત્વથી ગ્રસ્ત બુદ્ધિવાળો તેને પિતા અત્યંત કોપે ચઢ્યો, અને કપાળમાં ત્રણ રેખા પાડી, ભ્રમર ઊંચી ચડાવી કોઈ પ્રકારની દયા વગર તે છોકરાને નેતરથી મારવા માંડ્યો, મિત્ર, બાંધવ અને પરિજનોએ વારવા છતાં તે મારતો રહ્યો નહીં. છેવટે પિતાની ઈચ્છાથી જ તેણે મારવાનું બંધ કર્યું. પછી શારીરિક અને માનસિક સંતાપ પામેલે, પિતાવડે અનેક પ્રકારના ત્રાસ, ધમકાવટ અને અપમાનથી તિરસ્કાર પામતો, શરીર ક્ષીણ થતાં અંતે તે પુત્ર મરણ પામ્યા. સ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સરહનો ભવ વિષમ પર્વતના ઢળાવ ઉપર આવેલા અને અતિ મોટી અને દુર્ગમ ગુફાથી વીંટળાયેલા, વૃક્ષ, લતાઓ અને જાળાંઓથી ગહન તથા પાપીજનોના નિવાસ અને તેમનાં કાર્યોના સ્થાનરૂપ પ્રદેશમાં, જ્યાં બહારના એક પણ માણસને પ્રવેશ મુશ્કેલ છે એવી જગાએ વસેલી વિષમકંદરા નામે ચોરપલી છે. ત્યાં પલ્લીવાસીઓનો મુખી અને પોતાનાં કર્મોને પ્રતાપ જેણે વિસ્તાર્યો હતો એવો મંદર નામે ચોર-સેનાપતિ રહેતો હતો. તેની પત્ની વનમાલા નામે હતી. જેણે પિતાના કર્મથી આયુષ્ય બાંધ્યું છે એ પેલો સુનન્દ એ વનમાલાના ગર્ભમાં આવ્યું. પૂરા દિવસે તે જમ્યા અને તેનું નામ સરહ પાડવામાં આવ્યું. સુખપૂર્વક ઉછરતા અને વ્યાધપુત્રોની સોબતમાં ફરતો તે પિતાના કામમાં મશગૂલ થઈને રહેતો હતો. પછી કેટલાક સમયે તેનો પિતા કોઈ અકાળ-મરણ કરનાર વ્યાધિથી મરણ પામે. મિત્રો અને બાંધ સહિત પુત્રે તેને અગ્નિસંસ્કાર કર્યો, અને બીજાં લૌકિક કાર્યો પણ કર્યા. પછી તે પુત્રનો પલીના વૃદ્ધજનોએ સેનાપતિ તરીકે અભિષેક કર્યો. સ્વજને અને પરિજનો વડે પરિવરાયેલે તે પલીન લેકેનું પાલન કરતો સુખપૂર્વક સમય વીતાવતા હતા. એક વાર સુખપૂર્વક બેઠેલા તે સરહને વિચાર થયો કે–ચાલે, બહાર જાઉં.” એક જ વસ્ત્ર પહેરેલો તે હાથમાં ધનુષ્ય લઈને પહેલીથી થોડેક દૂર ગયે. ત્યાં અતિ દુર્બળ શરીરવાળા, કશાકથી રોકાયેલા હાથવાળા, માર્ગ ભૂલેલા પુરુષોને તેણે જોયા. ૧. સાધુનાં ઉપકરણો હાથમાં રાખવાથી. સરહ સાધુઓને કે તેમનાં ઉપકરણને જાણતા નથી એટલે સાધુએના હાથ “કશાકથી રોકાયેલા ” સમજે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્મિલ્લ-હિંડી [ 1 ] તેણે વિચાર્યું કે, “આ લેકે કોણ હશે?” તેઓને આયુધ વગરના જોઈને સરહને તેમની પ્રત્યે અનાદર થયે. પછી તે તેમની પાસે ગયે. સ્વર્ગમાર્ગના સોપાન સમાન, હિત, શિવ, સુખ અને કલ્યાણ કરનાર, મધુર વચનાવાળા અને પૂર્વાભાષી એ શ્રમણ ભગવાને એ તેને ધર્મલાભ કહ્યા. તેણે પ્રણામ કરીને પૂછયું, “તમે કોણ છે? કયાંથી આવે છે? અને કયાં જાઓ છે ?એટલે તેઓએ ઉત્તર આપે, “સર્વ પ્રકારની હિંસાથી વિરક્ત અને ધર્મમાં રહેલા શ્રમણે તરીકે અમે ઓળખાઈએ છીએ.” સરહે પૂછયું, “ધર્મ એ શું છે?” તેઓએ કહ્યું, “બીજાને દુઃખ નહીં આપવું તે.” પછી તેણે શ્રમણને માર્ગ ઉપર ચડાવ્યા, અને પોતે પણ પલ્લીમાં આવ્યો.. - આ પછી કેટલાક દિવસ બાદ ચારેના સમૂહ સહિત તે સરહ ધાડ પાડવા માટે નીકળ્યા અને એક ગામ આગળ આવ્યા. ત્યાં ગામની પાસે દિવસ વીતી જાય તેની રાહ જેતે એક વિષમ અને છાની જગાએ બેઠા. એણે વિચાર કર્યો, “બીજાને દુઃખ આપવાથી અધર્મ થાય છે, બીજાને સુખ આપવાથી ધર્મ થાય છે–એવું શ્રમણે કહે છે. તો મારે બીજાને દુઃખ દઈને શું કામ છે ? બીજાને સુખ થાય તેવું આચરણ મારે કરવું જોઈએ.” આમ વિચારી બધાં હથિયાર ફેંકી દઈને તે ગામમાં ગયે. - ત્યાં ઉત્તમ શીલ અને સમ્યફ આચારવાળે, કરુણવાન, મત્સર રહિત અને સર્વે પ્રાણિઓ પ્રત્યે અનુકંપાવાળે એ સરહ કાલધર્મ પામીને આ કુશાગ્રપુર નગરમાં સુરેન્દ્રદત્ત સાર્થવાહની પત્ની સુભદ્રાની કૂખમાં પુત્ર તરીકે આવ્યું. ધમિલ્લ ! તું જ્યારે ગર્ભમાં આવ્યું ત્યારે ધર્મ કરવાને દેહદ માતાને છે. જેનો દેહદ પૂરો થયો છે એવી તારી માતાના ગર્ભને નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂરાં થતાં રૂપવાન પુત્ર જન્મ્યો. તે બાર દિવસને થયે, એટલે માતા-પિતાએ તારા રૂપને અનુરૂપ અને ગુણથી યુક્ત એવું તારું નામ પાડયું કે–આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે અમને ધર્મ આચરવાને દેહદ થયો, માટે તેનું “ધમિલ્લ” એવું નામ આપણે પાડીએ. માટે હે ધમ્મિલ! પૂર્વભવમાં જીના રક્ષણરૂપ બીજ વાવવાથી આ ભવમાં તે આવી માનવરિદ્ધિ પ્રાપ્ત કરી છે.” પછી સાધુનું એ વચન સાંભળીને ચિન્તન, ઊહાપોહ, નિરીક્ષણ અને અન્વેષણ કરતા અને બુદ્ધિપૂર્વક વિચાર કરતા એ ધમિલને પૂર્વજન્મનું સ્મરણ થયું. જેને પૂર્વજન્મનું સ્મરણ થયું છે, વૈરાગ્ય અને શ્રદ્ધા દ્વિગુણિત થયાં છે એવા તથા આનંદાશ્રુથી ઊભરાતી આખેવાળા તે ધમ્પિલે આ માનવ જીવન તથા તેમાંનાં સંગવિયેગને અનિત્ય અને અનેક દુઃખોથી ભરપૂર સમજીને કામગોથી ઉદાસીન થઈ તે જ ધર્મચિ સાધુની પાસે દિીક્ષા લીધી, અને સામાયિક આદિ અગિયાર અંગે ભણી લીધાં. પછી ઘણુ સમય સુધી સાધુ–પર્યાય પાળીને માસિક સંખનાથી પિતાની જાતને ખપાવીને, સાઠ ભક્ત સુધી અનશન કરી તે અચુત ક૫માં દેવેન્દ્રને સામાનિક બાવીસ સાગરોપમના આયુષ્યવાળે દેવ થયો. એ દેવેલેકમાંથી અવીને મહાવિદેહ વર્ષમાં અવતાર પામીને મોક્ષમાં જશે. આ પ્રમાણે ધમ્મિલે તપશ્ચર્યાથી રિદ્ધિ પ્રાપ્ત કરી હતી. Page #147 -------------------------------------------------------------------------- ________________ Wooooo0000 પીઠિકા = હવે, “વસુદેવે પિતાની તપશ્ચર્યાનું ફળ પરલોકમાં કેવી રીતે મેળવ્યું?” એમ રાજા શ્રેણિકે પ્રશ્ન પૂછતાં ભગવાન કહેવા લાગ્યા– આ મહાન ઈતિહાસ-પ્રાસાદના પાયારૂપ પીઠિકા હવે શરૂ થાય છે. પ્રદ્યુન અને સાંબકુમારની કથા પશ્ચિમ સમુદ્રની પાસે આવેલા તથા નિપુણ પુરુષોએ જેમના ગુણોનું વર્ણન કરેલું છે, એવા ચાર જનપદ છે. એ જનપદનાં નામ-આનર્ત, કુશાવર્ત, સુરાષ્ટ્ર અને શુક્રરાષ્ટ્ર છે. એ જનપદના અલંકારરૂપ, લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવે જેને માટે માર્ગ કરી આપે છે એવી, કુબેરની બુદ્ધિથી નિર્માણ થયેલી, સુવર્ણના કેટવાળી, નવ જન પહોળી અને બાર એજન લાંબી, રત્નની વર્ષાવડે જેમાંથી દરિદ્રતારૂપી દોષ દૂર થયે છે એવી, રત્નની કાતિવડે જેમાંથી અંધકાર નાશ પામે છે એવી, દેવોના ભવન સમાન તથા અનેક માળવાળા ગોળાકાર પ્રાસાદેવડે સુશોભિત તથા વિનીત, જ્ઞાની, મધુરભાષી, દાનશીલ અને દયાવાન, સુન્દર વેશ ધારણ કરનાર તથા શીલવાન સજજને વડે સંકીર્ણ એવી દ્વારવતી-દ્વારિકા નામે નગરી છે. એ નગરીની બહાર રત્નની કાન્તિથી દીપ્તિમાન શિખરનાં તેજકિરણો વડે ગગનને સ્પર્શ કરતે રૈવતક નામે પર્વત છે. મેરુ પર્વત જેમ દેવોના નંદનવનથી યુક્ત હોય તેમ એ રૈવતક પર્વત પણ (દેવના) નંદનવનનો ઉપહાસ કરનાર અને યાદવોના મનને આનંદ આપનાર નંદન નામે ઉદ્યાનથી યુક્ત હતે. એ દ્વારવતી નગરીમાં ધર્મના પ્રકારની જેમ કહિત કરનારા દશ દશારો રહેતા હતાં. તેમનાં નામ-સમુદ્રવિજય, અક્ષોભ, સ્તિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણું, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એ પ્રમાણે હતાં. એ સર્વને માટે ઉગ્રસેન રાજા, ઈન્દ્ર જેમ દેવેને માન્ય હોય તેમ, માન્ય અને અનુલ્લંઘનીય હતો. એ પૈકી રાજા સમુદ્રવિજયના નેમિ-દઢનેમિ વગેરે પુત્રો હતા, અને બાકીનાઓના ઉદ્વવ વગેરે પુત્રો હતા. વસુદેવના અપૂર, સારણક, સુખદારક આદિ પુત્ર હતા. વસુદેવના એ પુત્રમાં મુખ્ય, અનુક્રમે જળ વગરના (ઊજળા) અને જળવાળા (શ્યામ) મેઘ સમાન કાન્તિવાળા, સૂર્યના સંપર્કથી વિકાસ પામેલા કમળ સમાન નયનવાળા, પૂર્ણ ચંદ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળા, નાગની ફણા સમાન સુલિષ્ટ સાંધાઓ Page #148 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૭૩ ] વાળા, ધનુષ્ય જેવા લાંબા અને રથની ધુંસરી જેવા (બળવાન) બાહવાળા, ઉત્તમ લક્ષણેથી યુક્ત તથા પલ્લવના જેવી સુકુમાર હથેલીઓવાળા, શ્રીવત્સવડે અંકિત તથા વિપુલ લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ વક્ષસ્થળવાળા, વાના સમાન મધ્યભાગવાળા, દક્ષિણાવર્ત નાભિવાળા, સિંહના જેવી મજબૂત અને પાતળી કટિવાળા, હાથીની સૂંઢ જેવા સુબદ્ધ અને ગેળ ઉરુવાળા, માંસપેશીઓમાં સમગ્રપણે ઢંકાયેલા હીંચણવાળા, જેમાંથી શિરાઓ દેખાતી નથી તેવી તથા હરિણના જેવી બળવાન જંઘાઓવાળા, એકસરખા, સમ, સારી રીતે રહેલા, ઝીણા અને રાતા નખવડે યુક્ત ચરણવાળા તથા જળથી ભરેલા મેઘ જેવા ગંભીર અવાજવાળા અને શ્રવણને સુખ આપનાર મનહર વાણીવાળા રામ અને કૃષ્ણ નામે પુત્ર હતા. રામ અને કૃષ્ણની પટ્ટરાણીઓને પરિચય એમાં રામ બલદેવની રેવતી અમહિષી-પટ્ટરાણી હતી. તે રામના મામા રેવતની પુત્રી હતી અને રતિના જેવી રૂપવાન હતી. કૃષણની મહિષી ઉગ્રસેનની પુત્રી સત્યભામા નામે હતી. શચી જેમ ઈન્દ્રને પ્રિય હોય તેમ તે કૃષ્ણને પ્રિય હતી. રિપુર નગરમાં રુધિર રાજાની દેવી શ્રી નામે હતી. તેની પુત્રી પદ્માવતી હતી. તેને પિતાએ સ્વયંવર આપ્યો હતો. વાસુદેવ કૃષ્ણને ગુપ્તચરોએ સ્વયંવરના દિવસની ખબર આપી. દેવે આપેલા રથમાં બેસી દારુક સારથિની સહાયથી તે સ્વયંવરના સ્થાનમાં ગયા. સખીઓ સાથે કુમારી બહાર નીકળી. મંચ ઉપર બેઠેલા રાજાએ તેના દર્શન માટે ઉત્સુક બની ગયા. કૃષ્ણ રથમાંથી ઉતર્યા. જાણે કે પદ્મવનમાંથી આવેલી લક્ષમી હોય તેવી, ઉત્તમ પદ્મ જેવા મનોહર મુખવાળી, કન્યાલક્ષણના વિશારદેએ જેની પ્રશંસા કરેલી છે એવા ઉત્તમ લક્ષણવાળાં ચરણકમળ, જંઘા, ઉરુ, નિતંબ, નાભિ, મધ્યભાગ, સ્તન, બાહ, હથેલીઓ, ડેક, હોઠ, આંખ, કાન, નાક, ગાલ, કેશ, ગતિ, વાણું અને હાસ્યવાળી તથા કદલી અને લવંગતતા જેવી કાતિવાળી પદ્માવતીને તેમણે જે. નવા મેઘની ઘટા જેમ મોરને રુચે તેમ કૃષ્ણને તે રુચી. પદ્માવતીએ પણ કૃષ્ણને જોયા. તેણે વિચાર્યું, “શું આ કોઈ દેવ સ્વયંવરના કુતૂહલથી અહીં આવ્યો હશે ? ” પદ્માવતી આમ વિચાર કરતી હતી. ત્યાં તે તેના રૂપતિશયથી વિસ્મિત થયેલા હદયવાળા કૃષણે તેને કહ્યું, “હું વસુદેવને પુત્ર કૃષ્ણ તને હરી જાઉં છું, માટે ડરીશ નહીં” એમ કહીને વનહસ્તી જેમ વનલતાને ઉપાડે તેમ પદ્માવતીને એકદમ ઉપાડીને તેમણે રથમાં બેસાડી. એટલે દારુક સારથિએ ઘોષણા કરી “ સ્વયંવરમાં આવેલા ક્ષત્રિયે ! સાંભળો. દશાના કુળના વજ સમાન આ વાસુદેવ કુમારીનું હરણ કરે છે. જે ન સહન કરી શકતો હોય તે ભલે અમારી પાછળ પડે.” એ પછી દામોદર કુવણે મોગરાના લની માળા સમાન ધવલ પાંચજન્ય શંખ Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વગાડે. એ શંખનો શબ્દ સાંભળતી પદ્માવતી એકદમ ડરી અને કૃષ્ણના વક્ષ:સ્થળમાં લપાઈ ગઈ. કૃણે તેને આશ્વાસન આપ્યું. ક્ષત્રિયોની સેના પણ આ અપૂર્વ શબ્દ સાંભળવાથી દિમૂઢ થઈ ગઈ. નગરવાસીઓ માનવા લાગ્યા કે, “શું ધરતી કંપે છે ? અથવા સૂર્યમંડળ ધરતી ઉપર પડે છે? કે સમુદ્ર મર્યાદા ઓળંગે છે?” બધા સ્વસ્થ થાય એટલી વારમાં તે કૃષ્ણ કેટલાયે જન વીતાવી ગયા અને નિર્વિદને દ્વારવતીમાં પહોંચ્યા. સન્તુષ્ટ મનવાળી રોહિણી અને દેવકીએ ઘણી રીતે પદ્માવતીને સત્કાર કર્યો. તેને દેવનિર્મિત પ્રાસાદ અને પરિચારિકાઓ આપ્યાં. પદ્માવતીના પિતા રુધિર રાજાએ પણ તેને ઘણું ધન અને દાસીઓ મોકલી. સિધુ દેશમાં વીતભય નામે નગર છે. ત્યાં મેરુ રાજ હતું, તેની ચંદ્રમતી નામે દેવી હતી. તેની પુત્રી ગૌરી નામે હતી. મેરુ રાજાએ દશાને કહેવરાવ્યું કે, “હું કૃષ્ણને મારી પુત્રી આપવા ઈચ્છું છું, તે આ સંબંધ બાંધીને મારા ઉપર કૃપા કરો.” દશારોએ અભિચંદ્રને મોકલ્યા. ને (ગૌરી સહિત) ઘણું ધન અને દાસ-દાસીઓ લઈને પાછા આવ્યા. વૃદ્ધ દશારોએ વાસુદેવ સાથે ગૌરીનું પાણિગ્રહણ કરાવ્યું. તેને પણ રત્નપ્રાસાદ આપવામાં આવ્યો. ગાન્ધાર જનપદમાં પુષ્કલાવતી નગરીમાં નગ્નજિત રાજા હતો. તેને મરુમતી રાણી હતી. તેને પુત્ર વિશ્વસેન યુવરાજ હતા. વિશ્વસેનની બહેન ગાંધારી રૂપવતી હતી અને ચિત્રકળા તથા સંગીતકળામાં નિપુણ હતી. વિશ્વસેનની અનુમતિથી રામ સહિત કૃષ્ણ પરિવાર સહિત ગાંધારીને લઈને દ્વારવતીમાં આવ્યા. યાદવોએ ગાંધારીને પણ ઘણું રીતે સત્કાર કર્યો. દેવ-વિમાનના જેવો પ્રાસાદ તેને આપવામાં આવ્યા. સિંહલદ્વીપમાં હિરણ્યલેમ રાજા હતા. તેની દેવી સુકુમારા નામે હતી. ઉત્તમ લક્ષણેથી યુક્ત એવી તેમની લક્ષ્મણા નામે પુત્રી હતી. એ રાજાને પુત્ર દ્વમસેન નામે યુવરાજ હતો. કૃણે દૂતને સિંહલદ્વીપ મોકલ્યા હતા, તે પાછા આવીને કહેવા લાગે, દેવ! હિરણ્યલેમ રાજાની પુત્રી દેવતા જેવા રૂપવાળી છે અને તમારે માટે યોગ્ય છે. તે દક્ષિણ સમુદ્રને કિનારે સમુદ્ર સ્નાન કરતી દેવપૂજા નિમિત્તે એક માસ ગાળશે. તે વખતે દુમસેન એનું રક્ષણ કરશે, માટે આપ આ સ્ત્રીરત્ન ગ્રહણ કરવાને ઉદ્યમ કરે.” દૂતના આ વચનથી રામ અને કૃષ્ણ સમુદ્રકિનારે ગયા અને દુમસેનને મારીને લક્ષમણકુમારીને લઈને પોતાના નગરમાં આવ્યા. હિરણ્યમ રાજાએ ઘણું ધન મેકહ્યું, અને કહેવરાવ્યું કે, “પૂર્વે સંકલ્પલે મારો મનોરથ પૂરો થયે છે, માટે નમેલે એ હું આપને આજ્ઞાવશ છું.” અરાક્ષરી નગરીમાં રાષ્ટ્રવર્ધન રાજા હતા. તેની દેવી વિનયવતી હતી, અને નમુચિ Page #150 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૯૫ ] નામે પુત્ર યુવરાજ હતો. એ નમુચિની સુસીમાં નામે બહેન સુન્દર સીમાવાળી પૃથ્વીની જેમ મનહર શરીરવાળી હતી. તે એક વાર સુરાષ્ટ્ર દેશમાં પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા માટે નમુચિ સહિત ગઈ હતી. ગુપ્તચરોએ આ સમાચાર કૃષ્ણને આપ્યા. રામ સહિત કૃષ્ણ ત્યાં ગયા. નમુચિને મારીને જાણે કે બીજી લક્ષ્મી હોય તેવી સુસીમાને પરિવાર સહિત લઈને યાદવપુરીમાં આવ્યા. કુલવૃદ્ધોએ સુસમાને પણ સત્કાર કર્યો અને તેને પ્રાસાદ આપે. ગગનનંદન નગરમાં જાંબવાન નામે વિદ્યાધર રાજા હતો. તેની પત્ની શ્રીમતી નામે હતી. તેને પુત્ર દુષ્પસહ યુવરાજ હતો. જાંબવાનની પુત્રી જાંબવતી હતી. તે કન્યા પિતાના મુખની શોભાથી ચંદ્ર અને કમળની સુન્દરતાને, પોતાનાં નયને વડે ભ્રમર સહિત કમળો, પુષ્ટ, ઉન્નત અને નિરંતર સ્તનયુગલવડે નાનાં તાલ–ફળની શેભાન, બાવડે પલ્લવયુક્ત લતાઓને, ત્રિલિથી મનહર મધ્યભાગવડે વાના મધ્યભાગને, જઘનના વિસ્તારવડે ભાગીરથી ગંગાના તટપ્રદેશને, ઉડે હાથીના બચ્ચાની સૂંઢને, જંઘાવડે કુરુવિંદ આવર્તની આકૃતિને, બે પગ વડે કાચબાના દેહના આકારને, સુકુમારતાવડે શિરીષપુષ્પના સમૂહને તથા વચનોની મધુરતાવડે વસંત સમયની કોયલની વાણુને પણ પરાજય કરતી હતી. “આ કન્યા અર્ધ-ભરતાધિપતિની માર્યો થશે” એવું ભવિષ્ય તેને માટે એક ચારણશ્રમણે ભાખ્યું હતું. એટલે વિદ્યાધરરાજા જાંબવાન “તેના પતિની શોધ કરું” એમ વિચાર કરીને ગંગા કિનારે પડાવ નાખીને રહ્યો. કુમારી પણ વારંવાર ગંગામાં સ્નાન કરવા આવતી હતી. એક વિદ્યારે આ વાતની ખબર સેવા નિમિત્તે કૃષ્ણને આપી. પિતાના બંધુ અનાવૃષ્ટિની સાથે કૃષ્ણ તે પ્રદેશમાં ગયા, અને રૂપથી મોહિત થયેલા હદયવાળા તેમણે ગંગામાં કીડા કરતી તે કન્યાનું હરણ કર્યું. આ વાતની ખબર રાજાને મળતાં રોષ કરીને તે પોતે ત્યાં આવ્યું અને અનાવૃષ્ટિની સાથે યુદ્ધ કરવા લાગ્યો. એટલે અનાધૃષ્ટિએ રાજાને કહ્યું, “ખરેખર તું અજ્ઞાન છે. કૃષ્ણ વાસુદેવને તે સામે જઈને કન્યા આપવી જોઈએ, તો તેણે પોતે જે કન્યાનું હરણ કર્યું છે તો તે ઉત્તમ જ ગણાય. શું તેને પ્રભાવ અને દેવતાની તેના ઉપરની કૃપા તું જાણતો નથી? આ સાંભળીને જાંબવાન શાન થયું અને બોલ્યા, “કુમાર ! તું બરાબર કહે છે. ચારણશ્રમણના આદેશને પ્રમાણભૂત માનતે એવો હું પણ આ જ ઈચ્છા કરતા હતા, માટે હવે હું તપવનમાં જઇશ. દુપ્રસવનું તમે રક્ષણ કરજે. અજ્ઞાનથી મેં કરેલા અવિનયની ક્ષમા કરજો.” પછી જાણે ધૃતિ નામની બીજી દેવકન્યા હોય તેવી જાંબવતીને લઈને તેઓ દ્વારવતીમાં આવ્યા. પત્ની સહિત કૃષ્ણનો યાદવોએ સત્કાર કર્યો. દુપ્રસવકુમાર વિપુલ ધન અને જાંબવતીની દાસીઓને લઈને આવ્યા અને રામ તથા કૃષ્ણને તેણે પ્રણામ કર્યા. તેઓએ પણ સગાંને છાજે એવી રીતે દુષ્પસહન સત્કાર કર્યા પછી દુuસહ પિતાના નગરમાં પાછા ગયે. જાંબવતીને કૃષ્ણ પ્રાસાદ આપે. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] વસુદેવ—હિ’ડી : : પ્રથમ ખંડ : વિદર્ભ જનપદમાં કુંડિનપુર નગર છે. ત્યાં ભેષક રાજા હતા, તેની વિદ્યન્મતી દેવી હતી. તેમના રુકમી નામે પુત્ર અને રુકિમણી પુત્રી હતી. આ રુકિમણીના સમાચાર નારદે કૃષ્ણને આપ્યા. નારદે કહ્યું, “ હે કૃષ્ણ ! સાંભળો. મે' ઘણા રાજાએનાં અંત:પુરા જોયાં છે; પણ કુડિનપુરમાં જેવી રુકિમણી નામે કન્યા છે તેવી બીજી કાઈ નહીં હોય એમ હું માનુ છું. એ રુકિમણી સહસ્રરશ્મી સૂર્ય વડે વિકાસ પામેલ સે। પાંખડીના કમળ જેવા સુન્દર વદનવાળી, વદનકમળની નાળ સમાન ચાર આંગળ પ્રમાણુ ડાકવાળી, મૃદુ, ગાળ, સારી રીતે બ ંધાયેલી, સુન્દર આકારયુક્ત, કામળ, સુકુમાર અને શુભ લક્ષણયુક્ત ખાહુલતાવાળી, હાથમાં સમાય તેવા, ગાળ, હારની કાન્તિવડે શેાભાયમાન અને પુષ્ટ એવાં સ્તનયુગલના ભારવડે કષ્ટ પામતા અને ત્રિવલિથી યુક્ત એવા મધ્ય ભાગવાળી, સહજ ખિલેલા સુન્દર કમળ જેવી વિકટ નાભિવાળી, કન્યાલક્ષણના વિશારદોએ જેની પ્રશંસા કરી છે એવા અને કામદેવનાં બાણુનું વારણુ કરનાર મનેાહર નિત ંબવાળી, સ્ત ંભ સમાન, અત્યંત સુકુમાર, સ્થિર અને ઉત્તમ ઉરુવાળી, જેનાં હાડકાં બહાર દેખાતાં નથી એવા ઢીંચણવાળી, જેની નસા અને વાટાં દેખાતાં નથી એવી અને ગાયના પૂછડાંની જેમ અનુક્રમે પાતળી થતી જ ઘાવાળી, તાજાં લાલ કમળ સમાન કામળ તળિયાં અને કમળના રંગ સમાન નખરૂપી મણિવડે પ્રકાશમાન ઉત્તમ ચરણવાળી અને કાન તથા મનને સુન્દર લાગે તેવાં સુન્દર વચન ખાલવામાં ચતુર છે તેમજ સર્વ શુષ્ણેાનુ નિવાસસ્થાન છે. આ પ્રમાણે રુકિમણીને કૃષ્ણની હૃદયવાસી ખનાવીને નારદ ત્યાંથી ઊડ્યા. તેણે રુકિમણીને વાસુદેવ કૃષ્ણના ગુણા કહ્યા. ,, 66 એ સમયે રુકિમણીના વિવાહ દમઘાષના પુત્ર શિશુપાલ સાથે કરવામાં આવ્યે. આ સમાચાર સાંભળીને તેની ફાઇએ રુકિમણીને કહ્યું, પુત્રિ રુકિમણિ ! તું નાની હતી ત્યારે આપણને બન્નેને આકાશગામી કુમારશ્રમણ અતિમુક્તકે કહ્યું હતું કે— આ વાસુદેવની પટ્ટરાણી થશે. ' એ તને સાંભરે છે ? ” રુકિમણીએ કહ્યું, “હ્વા, સાંભરે છે. ” ફ઼ાઇ મેલી, “પુત્રિ ! એ મુનિએ જેમ કહ્યું હતુ તેમજ થશે, એમાં સંશય નથી. અપરાન્ત પ્રદેશમાં બલદેવ અને વાસુદેવ છે એમ સાંભળવામાં આવે છે. સમુદ્રે તેમને માર્ગ આપ્યા હતા, ત્યાં કુબેરે દ્વારવતી નગરી બનાવી હતી. ત્યાં રત્નની વૃષ્ટિ થઈ હતી. ‘ શિશુપાલ અને જરાસંધને વાસુદેવ મારશે ’ એવી પણ ઉક્તિ ચાલે છે. રુકમીએ તને ચેદીપતિ શિશુપાલને આપી છે. શિશુપાલને મારીને કૃષ્ણ તને મેળવશે, એટલે તારું કંઇ પણ અનિષ્ટ નહીં થાય. જો તને માન્ય હાય તેા હું દામેાદરને તેડાવવા માટે ફૂત મેાકવું. ” રુકિમણીએ કહ્યું, “ ફાઇ ! પિતાની પછી તમે સર્વ રીતે મારા ઉપર અધિકાર ધરાવા છે. મારા હિતની ખામતમાં હું તમને પ્રમાણભૂત ગણું છું. ” * પછી રુકિમણીની ફાઇએ પત્ર આપીને છાની રીતે તેને દ્વારવતી માકળ્યા. જેમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૮૭ ] વિવાહને દિવસ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે તથા કુમારી રુકિમણીનું સફળ રીતે દાન કરવાની જેમાં ઈચ્છા દર્શાવવામાં આવી છે એવા અને શિશુપાલની વંચના કરવાને માટે ગુઢ વચને જેમાં લખવામાં આવ્યાં છે એવા પત્રો કૃષ્ણને પાઠવવામાં આવ્યા. વરદા નદીના કિનારે નાગગૃહમાં પૂજા કરવાના નિમિત્તે કુમારી આવશે, ત્યાં તમારે મળવું,” એમ પેલા દૂતોએ કૃષ્ણને કહ્યું. પછી તે પુરુષો કુંડિનપુર પાછા આવ્યા. વર્ણ અને ચિઠ્ઠનના પ્રભાવ સહિત બધું તેમણે ફેઈ સહિત કુમારી રુકિમણીને કહ્યું, તથા કૃષ્ણ નિશ્ચિતપણે આવશે એમ જણાવ્યું. પછી કેટલાક સમયે શિશુપાલ બહુમાનપૂર્વક આવ્યા અને વરદા નદીના પૂર્વ કિનારે તેણે પડાવ નાખ્યો. રુકિમણીને સ્નાન કરાવવામાં આવ્યું, અને સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી તથા ભદ્રક નામે કંચુકીવડે રક્ષાયેલી રુકિમણુને નાગગૃહમાં લઈ જવામાં આવી. પૂજાના બહાને તે વારંવાર બહાર નીકળતી હતી. એટલામાં તેણે દૂતોએ કહ્યા મુજબ તાલધ્વજ ( બલદેવ) અને ગરુડધ્વજ(કૃષ્ણ)ને જોયા. સન્તુષ્ટ થયેલી ફેઈએ રુકિમણીને કહ્યું, “આવ, પુત્રિ ! તારા ઉપર દેવતાઓ પ્રસન્ન થયા છે. આવ, દેવકુલની ધીરે ધીરે પ્રદક્ષિણા કર.” વાસુદેવે પણ કુમારીને જોઈને દારુકને કહ્યું, “ઘડાઓ દોડાવ.” એટલે તેણે પણ ઘેડાઓને નાગગૃહ તરફ દેડાવ્યા. રુકિમણને, તેની સંમતિપૂર્વક, કૃષ્ણ રથમાં બેસાડી. નવા મેઘને આલિંગન કરતી જાણે કે વિદ્વતા હોય એવી રુકિમણીને ભદ્રને જોઈ. તેણે ધનુષ્યને ટંકાર કર્યો અને તે બે, “અરે, શૂર! કુમારીને લઈને કયાં જાય છે?” તે આમ બોલતો હતો ત્યાં કૃષ્ણ તેને કહ્યું, “તું મર નહીં, જા, રુકમીને સમાચાર આપ. તું શા માટે મહેનત કરે છે? “રામ અને કૃષ્ણ રુકિમણી કુમારીને હરી જાય છે” એમ ત્યાં જઈને કહે.” એટલે ભય પામેલ ભદ્રક બૂમ પાડતે રુકમી પાસે ગયો. પછી બન્ને જણ પરિજન સહિત નીકળ્યા. રુકમી રાજાએ પ્રતિજ્ઞા કરી કે, “બહેનને નહીં છોડાવું ત્યાં સુધી નગરમાં નહીં પ્રવેશું.” મોટા સૈન્ય સાથે રથના માર્ગે તે નીકળ્યો. આ બાજુ રુકિમણીને ઉદાસ જોઈને કૃષ્ણ પૂછયું, “દેવિ ! શું તને મારી સાથે આવવાનું રુચ્યું નથી?રુકિમણુએ ઉત્તર આપે, “દેવ ! સાંભળે; મારો ભાઈ ધનુર્વેદના નિધિ સમાન છે, અને તે સૈન્ય સહિત અહીં આવ્યો છે. તમે માત્ર બે જ જણે છે, આથી તમને કદાચ પીડા થાય એવી આશંકા મને થાય છે. કૃણે કહ્યું, “દેવિ ! સ્ત્રીની સમક્ષ પોતાની જાતની બડાઈ હાંકવી એ યોગ્ય નથી, છતાં પણ તેને ધીરજ આપવા માટે કહું છું કે-મારું બળ જે.” પછી ત્યાંથી થોડે દૂર મોટા ઘેરાવાવાળાં વૃક્ષો એક પંક્તિમાં ઊભેલાં હતાં તે બધાં કૃષ્ણ એક જ બાણથી વીંધી નાખ્યાં. પાસેનાં પણ ૧. અર્થાત કૃષ્ણને વર્ણ યામ અને બલદેવને ગૌર છે, બલદેવ તાલધ્વજ છે અને કૃષ્ણ ગરુડધ્વજ છે, એવી ખબર દૂએ આપી. ૧૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] વસુદેવ-હિ...ડી : : પ્રથમ ખંડ : "" જે જે વૃક્ષેા રુકિમણીએ બતાવ્યાં તે બધાં તેમણે કાપી નાખ્યાં. રુકિમણીની આંગળીની વીંટીના હીરાના પોતાની આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવીને તેમણે ચા કરી નાખ્યા. એટલામાં રુકમીનું સૈન્ય આવી પહોંચ્યુ. કૃષ્ણે બળદેવને કહ્યુ, “ ભાઈ ! તમે વહૂને લઈને જાએ, હું આ લોકોના પ્રતિકાર કરું છું. ” બલરામે કહ્યુ, “ કૃષ્ણ ! તું સહિત નિશ્ચિન્તપણે જા; આ કાગડાઓના સૈન્યને હું વીંધી નાખું છું. ” એટલે ભય પામેલી રુક્મિણીએ કૃષ્ણને વિનંતી કરી કે, “ દેવ ! ‘ આ કિમણી તેા ભાઈને મરાવીને ગઈ ” એવી મારી નિન્દા ન થાય તેવી કૃપા કરે. બાકી તમે તે ઇન્દ્રને પણ જીતવાને શક્તિમાન છે. ” રુકિમણીએ આમ વિનંતી કરતાં દામેાદરે રામને કહ્યુ, “ ભાઇ ! તમારી વહૂ પેાતાના ભાઇને માટે અભયદાન માગે છે, માટે તેના ઉપર કૃપા કરાર ” રામે ‘ ભલે ’ એમ કહીને તે વચન સ્વીકાર્યું. પછી રુકમી રાજાનું લશ્કર બલદેવને પરાજય કરવાને પ્રયત્ન કરવા લાગ્યું. એટલે દેવે આપેલા શંખ ખલદેવે લગાડ્યો. નિષ્ઠુર રીતે ગના કરતા અને ક્ષેાભ પામેલા સમુદ્રના જેવા એ શંખના શબ્દથી લશ્કરને ત્રીજો ભાગ આનદ વગરના થઇ આયુધ સૂકી દઇને ઊભેા રહ્યો, પરન્તુ ક્રોધાવિષ્ટ થયેલા રુકમીએ અલદેવના પીછેા પકડ્યો, અને દૂર સુધી. જઇને તેણે રહિણીપુત્ર બલદેવના રથ ઉપર ખાણુની વૃષ્ટિ કરી. ખલદેવે ચતુરાઇથી ભાણવડે બાણુ કાપી નાખ્યાં, પણ તેમનેા સારથિ અને ઘેાડા ઘાયલ થયા. રથના નાશ થઇ જવા છતાં પણ રામે માન મૂક્યું નહીં ત્યારે રુમીએ તેમના ધનુષ્યને નાશ કર્યા તથા જમણેા અંગૂઠા વીંધી નાખ્યા. એટલે રુકમીને તેના મિત્રાએ જેમ તેમ કરીને વાર્યું કે, “ સ્વામી ! આ રામ તમારા કરતાં વધુ બળવાન છે, છતાં પણ તમારા વધ કરતા નથી, માટે યુદ્ધ બંધ કરો. ” આ પ્રમાણે વારવામાં આવતાં રુકમી પાછે વન્યા, પણ પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરવાને માટે તેણે ભેાજકટ નગર વસાવ્યું. “ આ બાજી, જેમનું કાર્ય સિદ્ધ થયુ' છે એવા તથા અત્યંત પ્રસન્ન થયેલા રામ અને કૃષ્ણ સુખપૂર્વક આગળ ચાલવા લાગ્યા. રુકિમણીને તેમણે કહ્યુ, “ અક્ષત શરીરવાળા તારા ભાઈ પેાતાના દેશમાં પાછે ગયા છે. ” રુકિમણીને પુર, પર્વત અને પ્રદેશેા બતાવતા બતાવતા તેઓ એક, સનિવેશ( નગરની બહારના પ્રદેશ )માં પહોંચ્યા. ત્યાં કૃષ્ણે મેાટાભાઈને કહ્યું, “ આ ઉપવન રમણીય છે, માટે અહીં આપણે વીસામે લઇએ. ” ખલદેવે ‘ભલે ’ એમ કહીને હા પાડી, અને પેાતાના સિદ્ધાર્થ સારથિને આજ્ઞા આપી કે, “ વત્સ ! નગરવાસીઓને ( અહીં આવવા ) કહે, અને જલદીથી લગ્નની સામગ્રો લઈ આવ. ” સારથિ ગયા. નાગરિકા આવવાને તૈયાર થતા હતા ત્યાં તા યક્ષેાએ વધૂ-વરના લગ્નને યેાગ્ય સામગ્રીથી સત્કાર કર્યાં. નારિકા આવી પહોંચ્યા અને વિસ્મય પામ્યા. ત્યાં દેવતાઓના નગર જેવી શેાભા થઇ રહી. નાગરિકા અને યક્ષેાવડે પરિવરાયેલા એવા તેમની રાત્રિ વીતી ગઇ. પછી અનુક્રમે ચાલતા તેએ દ્વારકા પહોંચ્યા. કૃષ્ણે રુકિમણીને પેાતાના ભવનની વાયવ્ય દિશાએ પ્રાસાદ આપ્યા. Page #154 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૯૯ ] ', ,, રાહિણી અને દેવકીએ પણ વસ્ત્ર, આભરણુ અને દાસીએ આપવા વડે રુક્મિણીના સત્કાર કર્યા, પણ દેવી( સત્યભામા )ના પરિજનને ત્યાં પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યેા. આથી સત્યભામાએ વાસુદેવને કહ્યું, “ દેવ! તમે લાવ્યા છે તે કુમારી મને બતાવેા. ” કૃષ્ણે કહ્યું, “ કાણુ કુમારી ? કચાંથી આવી છે ? મશ્કરી શું કામ કરે છે ? પણ જ્યારે સત્યભામાએ ખૂબ આગ્રહ કર્યાં ત્યારે કૃષ્ણે કહ્યુ, “ રૈવતક પર્વતની પાસે નંદન ઉદ્યાનમાં બતાવીશ. ” પછી કૃષ્ણે પાતાના લેપ્યકારને આજ્ઞા કરી, “ઉદ્યાનમાં શ્રીગૃહમાંથી શ્રીની પ્રતિમા ઊપાડી લઇ, પીઠિકાને બરાબર તૈયાર કરી મારી આજ્ઞા પાછી આપ. ” તેણે આજ્ઞા મુજબ કર્યું. પછી અંત:પુરવાસીઓને ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપવામાં આવી. પરોઢમાં રુકિમણીને રથમાં બેસાડીને દારુક સહિત કૃષ્ણ નંદનવનમાં ગયા. શ્રીગૃહમાં તેમણે રુકિમણીને એસાડી અને કહ્યુ, “ દૈવિ! રાણીઓના આગમનકાળે, તે અહીં આવીને પાછી જાય ત્યાંસુધી, મૂર્તિની પીઠિકા ઉપર નિશ્ચલ થઈને એસજે. આમ કહીને કૃષ્ણે ત્યાંથી નીકળી ગયા અને પેાતાના રથ પાસે આવીને બેઠા. પછી અંત:પુર આવ્યું. સત્યભામાએ પૂછ્યું, “ દેવ ! એ કુમારી કચાં છે ? ” કૃષ્ણે ઉત્તર આપ્યા, “ એ તા શ્રીગૃહમાં ગઈ છે, માટે ત્યાં જાઓ. ત્યાં તેને તમે જોશે. ” રાણીએ ત્યાં ગઈ અને “ અહા ! શિલ્પીએ ભગવતીનું શું રૂપ નિર્માણ કર્યું છે ! ” એમ ખેલતી તે બધીઓએ પ્રણામ કર્યાં. સત્યભામાએ માનતા કરી કે, “ હે ભગવતિ ! જે કુમારી હમણાં આવી છે તે હી ( લજ્જા) અને શ્રીથી રહિત થશે તે હું તમારી પૂજા કરીશ. ” આમ કહીને તે આસપાસ ફરીને તેને શેાધવા લાગી. દાસીએએ રાણીઓને કહ્યુ, “ સ્વામિનીએ ! એ તા કાઈ જંગલી રાજાની પુત્રી હશે. તમારી સામે ઊભા રહેવાની એનામાં શક્તિ કયાંથી હાય ? કાઈક ઝાંખરામાં સંતાઇ ગઇ હેશે. ” પછી તે મધી રાણીએ કૃષ્ણની પાસે જઇને કહેવા લાગી, “ દેવ ! તમારી તે વલ્લભા દેખાતી નથી. ” કૃષ્ણે કહ્યું, “ અવશ્ય તે ત્યાં જ હશે. ચાલે, એને જોઇએ. ” દેવીઓ સહિત કૃષ્ણ શ્રીગૃહમાં ગયા. એટલે રુકિમણીએ ઊભી થઈને પ્રણામ કર્યા અને એલી કે, “ દેવ ! કહા, કાને પ્રણામ કરું ? ” કૃષ્ણે સત્યભામાને બતાવી. રુકિમણીએ સત્યભામાને પ્રણામ કર્યાં. એટલે સત્યભામાએ કહ્યું, “ તમને તે। અમે પહેલાં જ પ્રણામ કર્યાં છે.” વાસુદેવે કહ્યું, “ કેવી રીતે ? ” સત્યભામાએ કહ્યુ, “ અમે અમારી બહેનને પ્રણામ કર્યાં, એમાં તમને શું કહેવું ? ” પછી અંતરમાં રાષ હાવા છતાં તેણે વસ્ત્ર અને આભરણુથી રુકિમણીના સત્કાર કર્યાં. પ્રદ્યુમ્નકુમારના જન્મ, તેનુ હરણુ અને શેાધ " એક વાર રુકિમણીએ સ્વપ્નમાં પેાતાના મુખમાં સિહુને પ્રવેશતા જોયા, અને આ વાત તેણે કૃષ્ણને કહી. ‘તને ઉત્તમ પુત્ર જન્મશે ' એમ કહીને કેશવે તેને અભિનંદન આપ્યુ. પછી અન્ત:પુર સહિત માધવ ઉદ્યાનમાં ગયા. ત્યાં વિચરતી રુકિમણીએ ધ્યાનથી Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] વસુદેવ–હિ'ડી: : પ્રથમ ખંડ : નિશ્ર્ચલ નયનવાળા એવા આકાશગામી શ્રમણને જોયા, અને પૂછ્યું, “ કડા, ભગવન્ ! મારા ઉદરમાં શું હશે ? ” એ પછી સત્યભામાએ પણ એજ પ્રમાણે પૂછ્યું. પાતાના ધ્યાનમાં ભંગ પડવાના ભયથી તે શ્રમણ ‘ કુમાર થશે' એમ ખેલતા અદશ્ય થઈ ગયા. એ પછી તે રાણીએ વચ્ચે ‘ મુનિએ પુત્રજન્મનું ભવિષ્ય મારે માટે ભાખ્યુ છે, મારે માટે ભાખ્યું છે' એ પ્રકારના વિવાદ થયા. રુકમણીએ કહ્યુ, “મેં મુનિને પહેલાં પ્રશ્ન કર્યા હતા. ” સત્યભામા એલી, “તે પહેલાં પ્રશ્ન કર્યા હતા એ વાત સાચી, પણ એ પ્રશ્નના જવાબમાં તેમણે કઇ કહ્યું નહતું. મેં પૂછ્યું, એટલે તેમણે ઉત્તર આપ્યા, માટે પહેલાં મને પુત્ર થશે; તને નહીં. ” આ પ્રમાણે વિવાદ થતાં સત્યભામાએ કહ્યુ, “ આપણામાંથી જેને પહેલાં પુત્ર થાય તેના પુત્રના લગ્ન પ્રસંગે દર્ભની જરૂર પડે ત્યારે મીજીએ એ કામને માટે પેાતાના કેશ કાપીને આપવા.' રુકિમણીને પ્રચ્છન્ન ગર્ભ હતા, આથી સત્યભામા તેને એ વિષે આગ્રહપૂર્વક પૂછવા લાગી. ખૂબ આગ્રહથી પૂછ્યું ત્યારે રુકિમણીએ સ્વીકાર્યું કે, “ કદાચ એમ હુશે. ” પછી તે ખન્ને જણીએ વાસુદેવ કૃષ્ણ પાસે ગઇ, અને તેમને ચારણુશ્રમણુના આદેશ તથા પેાતાની પ્રતિજ્ઞા કહી. કૃષ્ણે કહ્યુ, “ તમને બન્નેને પુત્રા થશે, માટે વિવાદ કરશેા નહીં, ” પછી તે ત્યાંથી ગઇ. તે ગઇ એટલામાં ઉત્તરાપથના રાજા દુર્યોધન ત્યાં દામેાદરની સેવા કરવા માટે આણ્યે. સભાસ્થાનમાં બેઠેલા રાજાને કૃષ્ણે રાણીએના વિવાદની વાત કહી. દુર્યોધને કહ્યું, “ દેવ ! જે દેવીને પહેલાં પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ. ” આ પ્રમાણે વિનાદ કર્યાં પછી યદુનાથ કૃષ્ણ પેાતાના પિરવાર સાથે દ્વારવતીમાં આવ્યા. પૂરા દિવસે રુકિમણીએ પુત્રને જન્મ આપ્યો. જાતકર્મો કર્યો પછી વાસુદેવના નામથી અંકિત મુદ્રા તેને બાંધવામાં આવી. અને પછી દાસીએએ કૃષ્ણને કુમારના જન્મ થયાની ખબર આપી. રત્નની દીપિકાથી માર્ગ બતાવવામાં આવતાં કૃષ્ણ રુકિમણીના ભવનમાં ગયા. એ કુમાર તેમની નજરે પડ્યો ત્યાં તા કેઇ દેવે તેને હરી લીધેા. દાસીએએ આક્રંદ કર્યું કે, “ કુમારને કાઇ હરી ગયું! '” રુકિમણી કૃષ્ણને જોઇને મૂર્છા પામી. પછી મૂર્છા વળતાં વિલાપ કરવા લાગી કે, “ દેવ ! મારા નિષિ તે જોતાં વેંત જ નાશ પામ્યા. હું મંદાગિનીના હમણાં જ ઊગેલા ખાલચંદ્રને રાહુ ગળી ગયા. અંધકારમય બની ગયેલી દિશાઓમાં એને કયાં શેાધું? હે સ્વામી ! મારું રક્ષણ કરા. દેવતાઓના મે કેવા અપરાધ કર્યો હશે, જેથી મારા પુત્રનું હરણ થયું? મને કંઈ સમજાતુ નથી. આ માટે કંઇક વિચાર કર.” આ પ્રમાણે રાતી દેવીને યદુપતિએ આશ્વાસન આપ્યુ કે, “ દૈવિ ! વિષાદ ન કર, તારા પુત્રની શેાધ કરું છું. જેણે મારા અવિનય કરીને માળકનુ હરણ કર્યું છે તેને જોતાં વેંત જ, જો તે બાળક પાછા નહીં આપે તેા, હું માતની શિક્ષા કરીશ. આમ કહીને કૃષ્ણ પેાતાના ભવનમાં પાછા આવ્યા. ,, ત્યાં વૃદ્ધા સહિત કૃષ્ણુ ચિન્તાતુર બેઠા હતા, એવામાં નારદ ત્યાં આવ્યા. ચિત્ત Page #156 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૦૧ ] કાયેલું હોવાને કારણે ઘણી વારે કૃણે નારદને જોયા, અને કહ્યું, “ત્રાષિનું સ્વાગત હો ! હું ચિન્તામગ્ન હતું તેથી આપને જોયા નહીં.” એટલે નારદે હસતાં હસતાં કહ્યું, “કૃષ્ણ! તમને ભારે ચિતાઓ છે–જેમ કે, કયા રાજાની કન્યા રૂપાળી અથવા સ્ત્રીરત્નરૂપ હશે? અથવા કયો રાજા સેવા કરતો નથી? કે જરાસંધના પક્ષમાં કોણ કેણું છે? : ઇત્યાદિ.” કૃણે કહ્યું, “એમ નથી. મારી ચિન્તાનું કારણ સાંભળો–રુકિમણીના પુત્રને જન્મતાં વેંત જ કોઈ હરી ગયું છે, એની શોધ કરવાની હું ચિન્તા કરું છું.” દાંતની શુભ્ર કાન્તિવડે શોભાયમાન વાણું બોલતાં નારદે કહ્યું, “કૃષ્ણ! સુન્દર સંગ થયો છે, કારણ કે સત્યભામાનો પ્રસવકાળ પણ નજદીક આવ્યા છે. ચારણશ્રમણે આદેશ આપ્યા મુજબ, તેને પણ પુત્ર થશે. આથી રુકિમણનું કેશમુંડન થવાને તે સંભવ જ હવે ચાલ્યો ગયો !” એટલે કૃષ્ણ બોલ્યા, “મશ્કરી બસ કરો, જાઓ, દેવીને ધીરજ આપ. નારદ હસતાં હસતાં રુકિમણ પાસે ગયા. કિમણીએ કહ્યું, “આર્ય! તમે મારા પુત્રના સમાચાર લાવશે, એવી મને તે આશા હતી. તમે પણ આમ કહો છો એથી હું શેકાતુર થઈ છું. ” આથી અનુકંપા પેદા થતાં નારદે કહ્યું, “રુકિમણિ! શોક મૂકી દે. હું તારા પુત્રને ખોળી કાઢ્યા સિવાય ફરી તને મેં નહીં બતાવું. આ મારો નિશ્ચય છે. ” આમ કહીને નીલકમળનાં પાત્રોના રાશિ જેવા શ્યામ ગગનમાં નારદ ઊડ્યા. પ્રદ્યુમ્નના હરણ વિષે સીમંધર જિનને નારદને પ્રશ્ન પછી નારદે વિચાર કર્યો કે, “પહેલાં અહીં અતિશય-જ્ઞાની કુમારશ્રમણ અતિમુક્તક સંશયોના ખુલાસા આપનાર હતા; પણ હાલમાં પશ્ચિમ વિદેહમાં સીમંધર નામે તીર્થકર વિહરે છે, તેમના ચરણમાં હું જાઉં, આ બાબતનો ખુલાસો તેઓ કરશે.” આ પ્રમાણે સંકલ્પ કરીને ક્ષણવારમાં નારદ અરિહંતની પાસે ગયા. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને નારદે પૂછયું, “ભગવન્! તારવતીમાં વાસુદેવ કૃષ્ણની પટ્ટરાણી રુકિમણીના પુત્રને જન્મતાં વેંત જ કેણ હરી ગયું હશે ?” ભગવાને કહ્યું, “ધૂમકેતુ નામે તિષ્ક દેવે શત્રુવટથી તેનું હરણ કરીને ભૂતરમણ અટવીમાં “આ અહીં સૂર્યના તાપથી સોસાઈ જશે' એમ વિચારીને શિલાતલ ઉપર મૂકી દીધો હતો. કાલસંવર અને કનકમાલા નામે વિદ્યાધરનું જોડું પ્રભાતે તેના ઉપર થઈને જતું હતું. પેલો બાળક ચરિમશરીરી હોવાના દેવગથી વિદ્યાધર-મિથુનની ગતિ પ્રતિહત થઈ. “શું અહીં કોઈ સાધુ તપ કરતા રહેતા હશે ?” એમ વિચાર કરતું તે જોડું નીચે આવ્યું, તે પિતાના તેજથી તેમજ મુદ્રાના રત્નનાં કિરણોથી દીપતા તથા ૧. રુકિમણીની આ ઉક્તિ એવી છે કે ત્યાર પહેલાં નારદે તેને કુમારના સમાચાર વિષે પિતાનું અજ્ઞાન દર્શાવતું વાકય કહ્યું હોવું જોઈએ, પરંતુ મૂળમાં એવું કંઈ નથી. આથી મૂળ ગ્રન્થમાંથી એકાદ-બે વાક્ય પડી ગયાં હોય એ સંભવ લાગે છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : અત્યંત દર્શનીય એવા બાળકને તેણે જોયે. “અહો! આશ્ચર્ય છે! આ પ્રકારના રૂપ અને તેજથી દીપતો આ બાળક કોઈ સામાન્ય માણસને પુત્ર નહીં હોય’ એ પ્રમાણે પ્રશંસા કરતો કાલસંવર બે, “દેવિ ! ચાલે, જઈએ. ” પણ કનકમાલા ત્યાંથી ખસી નહીં ત્યારે વિદ્યાધરે કહ્યું. “દેવિ ! દેવકુમારના જેવી કાન્તિવાળા આ બાળકની તારે જરૂર છે?” કનકમાલાએ જવાબ આપ્યો “તમે આપ તે, જરૂર છે.” પછી પ્રસન્ન થયેલા વિદ્યારે એ બાળકને તેના ખોળામાં મૂક્યો અને કહ્યું “આ પુત્ર મેં તને આપે.” એ બને જણાં, દરિદ્ર લોકો જેમ ભંડાર લઈ જાય તેમ, તેને લઈને ત્યાંથી ગયાં. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિના પશ્ચિમ ભાગમાં અમરાવતીને જાણે અંશ હોય એવું, મેઘકૂટ નામે નગર છે. ત્યાં ઉત્સવ કરવામાં આવ્યો અને જાહેર કરવામાં આવ્યું કે, “કનકમાલા દેવીએ તિરસ્કરણ વિદ્યાર્થી પોતાનો ગર્ભ પહેલાં ઢાંકી દીધો. હતો. હવે તેને દીપ્તિમાન કુમાર જમ્યા છે. પ્રદ્યુમ્ન એવું તેનું નામ પાડવામાં આવ્યું છે.” એ કુમાર ત્યાં ઊછરે છે. જ્યારે તે સોળ વરસને થશે ત્યારે પિતાનાં માતા-પિતાને મળશે.” પ્રદ્યુમ્નના પૂર્વભવ વિષે પ્રશ્ન નારદે ફરી પૂછયું, “ભગવાન બાળક જન્મે એટલામાં તેનો શત્રુ કયાંથી પેદા થયે ?” ભગવાને નારદને ઉત્તર આપે, “અનાદિ સંસારમાં વસતા જીવને તે તે નિમાં કારણવશાત્ સર્વે પ્રાણિઓ બાંધવ તેમજ શત્રુ થયેલાં હોય છે. આ બાળકને પણ સમ્યકત્વ થયું તે કાળે જે તેને પિતા હતો તે જન્માન્તરે પાછો તેને શત્રુ થયે હત, તે તું સાંભળ– પ્રદ્યુમ્ન અને સાંબના પૂર્વજન્મની કથામાં અગ્નિભૂતિ-વાયુભૂતિને ભવ ભરતક્ષેત્રમાં મગધા જનપદમાં શાલિગ્રામ નામે ગામમાં મરમ નામે ઉઘાન છે. ત્યાં સુમનસ નામે યક્ષ છે. અશોકવૃક્ષ નીચે આવેલી તેની સુમના નામે શિલા છે. ત્યાં કે એની પૂજા કરે છે. આ ગામમાં સોમદેવ બ્રાહ્મણના, અગ્રિલા નામે પત્નીથી થયેલા, અનેક શાસ્ત્રોમાં નિર્વિને જેમની બુદ્ધિ સંચાર કરતી હતી તેવા, એ પ્રદેશમાં પંડિત તરીકે સુવિખ્યાત અને ઘણું લેકે વડે માન્ય એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રે રહેતા હતા. એ સમયમાં, ચૌદ પૂર્વેને ધારણ કરનાર તથા જેમને અવધિજ્ઞાન પેદા થયું હતું એવા નંદીવર્ધન નામે અણગાર વિહાર કરતા મનોરમ ઉદ્યાનમાં સમેસર્યા. તેમની પાસે આસપાસથી લેકે આવીને સર્વસે ઉપદેશેલે ધર્મ સાંભળતા હતા અને સંશય પૂછતા હતા. તે સાધુ પણ જિનેશ્વરની જેમ યથાર્થ વ્યાખ્યાન કરતા હતા. આ પ્રમાણે કેને ૧ કાલસંવર એ મેઘટ નગરને રાજા હતા અને કનકમાલા તેની રાણી હતી. Page #158 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૦૩ ] તે સાધુની સેવા કરતા જોઈને સોમદેવ બ્રાહ્મણના પુત્ર કહેવા લાગ્યા, “આ અજ્ઞાન લોકો અમારી અવજ્ઞા કરીને શ્રમણની પાસે જાય છે. એવું કયું જ્ઞાન છે, જે અમારાથી અજાણ્યું હોય?” તેમણે પિતાની આજ્ઞા માગી, “તાત! મનેરમ ઉદ્યાનમાં કઈ મુનિ આવીને રહ્યો છે. લોકો ત્યાં જાય છે. અમે તે મુનિની સાથે વાદ કરીશું, માટે રજા આપે.” પિતાએ કહ્યું, “ઉપાધ્યાયને ધન આપીને સંતુષ્ટ કરીને મેં તમને ભણાવ્યા છે. તમે શા માટે પરાભવ સહન કરો છો? એ શ્રમણને પરાજય કરો.” લેકેની સાથે તે બે જણા મુનિની પાસે ગયા, અને થોડેક દૂર ઊભા રહીને બોલ્યા, “અરે શ્રમણ ! તારી સાથે વાદ કરવાને માટે અમે આવ્યા છીએ. તું શું જાણે છે તે કહે, એટલે અમે તને ઉત્તર આપીએ.” હવે, તે આચાર્યનો અવધિજ્ઞાની અને વાદકળામાં કુશળ એવા સત્ય નામે શિષ્ય સુમના શિલા પાસે પ્રસન્ન ચિત્તે બેઠો હતો. તેણે સાદ કરીને કહ્યું, “અરે બ્રાહ્મણો! પાડાના જેવા ન થશે, જે કહેવાનું હોય તે કહે.” એટલે તેઓ તેની પાસે જઈને બેલ્યા, “અરે શ્રમણ ! “પાડાના જેવા” એમ કેમ કહે છે?” સત્યે કહ્યું, “સાંભળે– પાડાનું ઉદાહરણ કેઈ એક અરણ્યમાં માત્ર એક જ જળાશય હતું. અરણ્યવાસી ચોપગાં પશુઓ તૃષાતુર થઈને તે સ્થળે આવતાં હતાં તથા પાણી પી શાન્ત થઈને જ્યાંથી આવ્યાં હોય ત્યાં પાછાં જતાં હતાં. એક પાડે એ જળાશયમાં સ્નાન કરીને પિતાનાં શીંગડાવડે, જ્યાં સુધી પાણી ડહોળું થઈ જાય ત્યાં સુધી, ખોદતો હતો. એટલે તે પાણી તેને પિતાને કે બીજા પ્રાણુઓને પીવાને માટે નકામું બની જતું. આ દષ્ટાન્ત છે. જે અરણ્ય તે સંસારરૂપી અરણ્ય સમજવું, પાને સ્થાને આચાર્ય સમજવા, પશુઓને સ્થાને ધર્મ સાંભળવાની અભિલાષા રાખતાં પ્રાણિઓ સમજવાં. તમે ધર્મકથામાં વિદન કરનારા પાડા જેવા ન થશે. એટલા માટે જ મેં તમને સાદ કરીને લાવ્યા હતા. ” એટલે પેલા બે બ્રાહ્મણોએ કહ્યું, “અમે આ મુનિ સાથે વાદ કરવાને માટે આવ્યા હતા. જે તમને પરાજિત કરવાથી તમારા ગુરુ પણ પરાજિત થયા ગણાય, તે તમારી સાથે વાદ કરવો યોગ્ય છે. નહીં તો પાડા જેવા અમે કદાચ તમારે માટે સિંહ સરખા બની જઈશું.” સત્યે કહ્યું, “એમજ છે; તમે મને જીતે.” તેઓએ પૂછયું, “પરાજિત થનારને શી સજા કરવી?” સાધુએ કહ્યું, “જે તમને યોગ્ય લાગે તે.” તેઓ બેલ્યા, “જો તમે અમારે પરાજય કરશે તે અમે તમારા શિષ્ય બની જઈશું. જે તમે પરાજિત થાઓ તો તમારે બધાએ અહીંથી ચાલ્યા જવું.” આ પ્રમાણે નકકી થયા બાદ મધ્યસ્થની સમક્ષ સત્યે તેમને કહ્યું, “તમારી જે ઈચ્છા હોય તે મને પૂછો.” તેઓએ જવાબ આપ્યો કે, “વેદના પારગામી એવા અમને તે કંઈ સંશય નથી. તમારે જે પૂછવાનું હોય તે પૂછો.” સાધુએ કહ્યું, “જે મારે Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] વસુદેવ–હિં’ડી : : પ્રથમ ખંડ : p છે અને અગ્રિલાના આવ્યા ? ” તેઓએ પૂછવાનુ જ હાય તા, કહેા તમે અહીં કયાંથી આવ્યા છે ? ” તેઓએ જવાબ આપ્યા, “ અમે અહીં જ રહીએ છીએ; જે સૂર્ય અને ચંદ્રને ન જાણે તે જ અમને નહીં જાણતા હાય. સાધુએ કહ્યું, “ જાણું છુ કે તમે સામદેવ બ્રાહ્મણના પુત્ર ગર્ભાથી ઉત્પન્ન થયેલા છેા. પણ એ કહેા કે—એ ગર્ભમાં કયાંથી ઉત્તર આપ્યા, “ એ શુ કાઇ જાણતું હશે ? ” સાધુએ કહ્યુ, કહ્યું, “જો તમે આ જાણતા હૈ। તા અમે પરાજિત થયા છીએ. ( તમે કહેા, એટલે ) અમે સાંભળીએ. ” સત્યે કહ્યું, “ તમે બન્ને જણા પહેલાંના ભવમાં શિયાળનાં ખચ્ચાં હતાં. ” તેઓએ પૂછ્યું, “ એનું પ્રમાણ શું? ” સત્યવાદી એવા સત્યે કહ્યું, “ પ્રમાણુ છે. અગ્નિભૂતિ-વાયુભૂતિના પૂર્વ ભવન વૃત્તાન્ત “ ખરેખર. ” તેઓએ દ અહીં નાગિલ નામે ગૃહપતિ છે. તેના મજૂરા એકવાર ખેતરમાં વડના ઝાડની નીચે હળનુ રાંઢવું ભૂલી ગયા. પછી સાત દિવસની હેલી થઇ. ઠંડડા પવનથી હેરાન થયેલા તમે મેએ વડના ઝાડની નીચે આશ્રય લીધા. ભૂખની પીડાથી તમે એ રાંઢવું ખાધું. તે નહીં પચવાથી તમને વિશુચિકા થઇ. એ દર્દથી તમે અન્ને મરણ પામ્યા અને અગ્રિલાના ગથી જોડકા તરીકે જન્મ્યા. એમાં કઇ સ ંદેહ નથી. ” આ સાંભળીને તે બે ભાઇઓને શકા થઇ. મધ્યસ્થાએ કહ્યુ, “ નાગિલને પૂછી જુઓ. ” માણસા પૂછવા માટે ગયા. ગૃહપતિ નાગિલે કહ્યુ, “ આ પ્રમાણે બનેલું હતું ખરું. અર્ધું ખવાયેલું રાંઢવુ' અને મરેલાં એ શિયાળ મે હેલીના અંતે જોયાં હતાં. એટલે તે માણસા પાછા આવતાં આવતાં કહેવા લાગ્યા, “ અતિશય-જ્ઞાની સાધુએ બ્રાહ્મણપુત્રાને જીત્યા છે. ’” આવીને તેમણે બધી વાત કહી. સાધુએ કહ્યું, “ હવે, બીજી પ્રમાણ સાંભળેા—— મૂંગા થયેલા રાહુકના વૃત્તાન્ત ઉજ્જયિનીથી પાંચ પુરુષા અહીં આવે છે. તેમાંથી ત્રણુ ઇશ્યપુત્રા છે અને એ નાકરા છે. ઇશ્યપુત્રા પૈકીના એકે-પરાણે મૂંગા થયેલા રાહુકે સફેદ વસ્રો પહેરેલાં છે અને તે ઘઉંવર્ણા છે. બીજા બે જણ ઊજળા છે. અને તેમણે પીઠીથી રંગેલાં ચીનાઇ વસ્ત્રો પહેર્યા છે. નાકરા શ્યામવર્ણો છે. તેમાંના એક કામળાનું પાટલું બાંધી તેમાં ભાથુ અને વસ્ત્ર લઇને આવે છે, જ્યારે ખીજાએ કુમતાવાળા વસ્ત્રમાં સામાન મધ્યેા છે. જે મૂંગા છે તેને હું ઉપદેશ કરીશ, એટલે તે અહીં ખેલશે અને દીક્ષા લેશે. તે અહીં આવી પહોંચે તે અગાઉ, જે કારણથી તે આ પ્રદેશમાં આવેલ છે તે હું તમને કહું છું. રાહુકના પૂર્વભવની કથા ઉજ્જિયનીમાં તાપસ નામે એક શેઠ રહેતા હતા. તે દર્દીની ચિકિત્સા કરવામાં કુશળ હતા. આય-વ્યયની હેરફેર કરતા અને ખેતીરૂપી આરંભ-પાપમાં જેનુ ચિત્ત Page #160 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૦૫ ] આસક્ત થયેલું છે એવા તે આધ્યાનથી મરીને સૂવર થયા. પેાતે પૂર્વે જે ખેતરને ભાગવટો કરતા હતા ત્યાં જ શરદકાળમાં ડાંગર ખાવાને માટે તે યૂથની સાથે આવ્યા. તાપસના અવતાર વખતના તેના પુત્ર શબ્દ કર્યો, આથી તે યૂથ નાસી ગયું; પણ પેલા સૂવરના બચ્ચાએ ઊંચું જોતાં પેાતાના પૂર્વજન્મના પુત્રને જોયા અને જાતિસ્મરણુ થતાં તે તેની પાસે આવ્યું. પેલા છેાકરાએ પણ દયા કરી તેને હાંક્યું નહીં અને તેને દૂધ-ભાત ખાવા આપ્યા. પૂર્વના સ્નેહથી તે સૂવર પુત્રની પાછળ પાછળ ચાલતા નગરમાં આવ્યા અને ત્યાં ઊછરવા લાગ્યા. એક વાર તેને બધેલેા હતેા અને ઘરમાં બધાં માણસા ઊંઘી ગયાં હતાં ત્યારે કુતરાએ તેને મારી નાખ્યા. ક્રોધાવિષ્ટ થયેલે અને ચીસા પાડતા તે મરીને તેજ નગરમાં સર્પ થયેા. ફરતાં ફરતાં તે ઘરમાં અગાઉનાં પરિચિત માણસાને જોઈને તેને જાતિસ્મરણુ થયુ, મમત્વને કારણે તે એ પ્રદેશમાં જ રહેવા લાગ્યા. તેને ફરતા જોઇને માણસાએ તેને દડાથી માર્યાં. એ અવસ્થામાં જીવવા ઇચ્છતા તે ત્યાંથી નાસી ગયે, અને શારીરિક વેદના અનુભવતા વિચાર કરવા લાગ્યા, “ આમાં આ લેાકેાના શા ઢાષ ? સર્પની જાત જ ભય પેદા કરનારી છે. અથવા મે` પેાતે જ ખીજાને પીડા આપનારું કર્મ કર્યું હશે, તેનું આ ફળ અનુભવું છું. આ પ્રમાણે માવ પામીને મરણ પામતાં તે પેાતાના પુત્રના જ પુત્ર થયા. જેને પેાતાના પૂર્વભવનુ સ્મરણુ થયુ છે એવા તે સ્વજનાને જોઇને વિચાર કરવા લાગ્યા, “ પુત્રને ‘પિતા ’ કહીને કેવી રીતે મેલાવીશ ? અને વહૂને ‘ મા’ શી રીતે કહીશ ? માટે મારે મૂગા રહેવુ જ ચેાગ્ય છે. ” ( આ પ્રમાણે વિચારીને મૂગેા જ રહ્યો) મેટા થતાં તે રાગી સ્વજનાની ચિકિત્સા લખીને કરતા હતા. આમ તે સર્વને માન્ય અને પૂજનીય થયા. "" kr ' એ દેશકાળમાં સૌધર્મ કલ્પવાસી એક દેવ નદીશ્વર તીર્થની યાત્રાએ આવેલે તે વિદેહમાં કેવલીને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! હું ભવ્ય છું ? દુર્લભ એધિવાળા છે, કે સુલભ ખેાધિવાળા ? ” કેવલીએ કહ્યું, તુ ભવ્ય છે, પણ ગુરુની અત્યંત આશાતના કરીને તે દનમાહનીય કર્મ ઉપાર્જિત કર્યુ છે, તે તારા દુલ ભમેાધિકત્વનું કારણુ અન્યું છે. ” દેવે પૂછ્યું, “હું કેવી રીતે ખાધ પામીશ ? ” અરિહંતે કહ્યું, “ તુ અહીંથી ચ્યવીને જંબુદ્રીપના ભરતમાં આવેલી ઉજ્જિયની નગરીમાં પરાણે મૂગા બનેલા ઇલ્યપુત્ર રાહુકના ભાઈના પુત્ર થઈશ. તારા વડે અભ્યર્થના કરવામાં આવતાં તે તને ધ કરશે. ” આ સાંભળીને દેવ રાહુકની પાસે ગયા. રાહુકને તેણે ધન આપ્યું અને કહ્યુ, “ હું તારા ભાઇના પુત્ર થઈશ. મારી માતાને અકાળે કેરી ખાવાના ઢાદ થશે. તેની તું આ ઔષધેાવડે ફળપાક કરીને ચિકિત્સા કરજે. ૮ સમયે જે ખાલક થાય તે તમારે મને આપવા ' એમ તું કહેજે, અને તેઓ તે વસ્તુને સ્વીકાર કરે ત્યારે જ દાદના ઇલાજ કરજે. જન્મ થયા બાદ મને સાધુ પાસે વારવાર લઇ જજે. એમ કરતાં ૧૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પણ જે હું બોધ ન પામું તે મારા નામથી અંકિત થયેલાં આ કુંડળ મને બતાવજે.” એમ કહીને વૈતાઢ્ય પર્વતના સિદ્ધાયતન પાસેની પુષ્કરિણીમાં તે કુંડળ, રાહુકને એ પ્રદેશમાં લઈ જઈને, દેવે નાખ્યાં. “આ વાતનું મને સ્મરણ કરાવજે” એમ કહ્યું અને ફરી પાછો રાહુકને નગરમાં આણ્યો.” પછી દેવે સૂચવ્યા પ્રમાણે (રાહકના ભાઈની પત્નીને) દેહદનો ઉપચાર કરવામાં આવ્યું, અને તેના ફળરૂપે પુત્રને જન્મ થયો. એ પુત્રને રમાડતો રાહુક તેને સાધુ પાસે લઈ જતો હતો. એ જોઈને સાધુઓ મોટા સાદે અવાજ કરતા હતા, અને તેને કહેતા હતા, “ શ્રાવક! આ બાળક સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન કરે છે. ” આથી તે રાહક એ બાળકને બંધ પમાડવા માટે અહીં આવે છે. અહીં આવીને નિર્વેદપૂર્વક તે તપશ્ચર્યા કરશે. દીક્ષા લઈ થોડા સમય સાધુધર્મ પાળી કાળધર્મ પામીને દેવ થશે. અગાઉના સંકેતનું સ્મરણ કરી ઉજજયિની જઈને, આઠ વર્ષથી કંઈક મોટા થયેલા પેલા બાલકના શરીરમાં રોગ પેદા કરશે. જ્યારે બધા વેદ્યો હાથ હેઠા મૂકશે ત્યારે પોતે વૈદ્યનું રૂપ ધારણ કરીને કહેશે કે, “જો એ બાળક મને શિષ્ય તરીકે આપો તો તેને હું નીરોગ કરું.” તેનાં મા-બાપે એમ કરવાની હા પાડતાં બાળક સાજે થશે એટલે પિતાના શસ્ત્રકેશન (ઓજારોની પેટીને) જો તેને ઉપાડવા માટે આપશે. પત્થર જેવા ભારે એ જાને પેલે બાળક ઉપાડી શકશે નહીં. * ઉપાધ્યાય ! આટલે ભાર ઉપાડીને એક પણ પણ ચાલવાની મારી શકિત નથી.” એમ તે કહેશે, એટલે રાહુક તેને કહેશે કે, “જે શ્રમણ તરીકે દીક્ષા લે તો તને જવા દઉં.” ઘણા પ્રકારે પ્રયત્ન કરવા છતાં પણ છોકરો દીક્ષા લેવાનું નહીં સ્વીકારે. આ પ્રમાણે પ્રયત્ન કર્યા પછી અંતે વૈતાઢ્ય પર્વત ઉપર લઈ જઈને રાહુક તેને કુંડલ બતાવશે એટલે એ છોકરાને પોતાના (દેવ તરીકેના) પૂર્વભવનું સમરણ થતાં તીવ્ર વૈરાગ્ય થશે અને તે દીક્ષા લેશે.” આ પ્રમાણે વાત પૂરી થતાં કુતુહલવાળા જોનારા પુરુષો પેલા આગતુક માણસોની સામે ગયા. સાધુએ કહ્યા હતા તેવા માણસોને તેમણે જોયા, અને પ્રશ્ન કરતાં કહ્યા પ્રમાણે ના મૂગા માણસને તેમણે બતાવ્યું. “બ્રાહ્મણને પરાજય થયો છે” એમ બોલતા તે પુરુષ પર્ષદાની સામે આવ્યા, અને જે જોયું તથા સાંભળ્યું હતું તે કહ્યું. પેલાં આગન્તુક પુરુષો પણ અનુક્રમે આવી પહોંચ્યા અને વંદન કરીને બેઠા. મૂગા ઇભ્યપુત્રને સાધુએ કહ્યું, “રાહુક! પૂર્વભવના તાપસ ! મરીને તું સૂવર થયે. ત્યાં ચીસો પાડતા તને કુતરા એ મારી નાખતાં સર્પ થયો. ત્યાં પણ દંડાથી તારા ઉપર ઘા કરવામાં આવતાં નાસી ગયો અને મરણ પામ્યા. પછી પુત્રના પુત્ર તરીકે જન્મ્યો, પણ માનને કારણે માતા-પિતાને બેલાવતા નથી. આ પ્રમાણે તારે કાળ ગ. પછી “દેવનું વચન કરવું જોઈએ” એમ વિચારીને તું અહીં આવ્યું છે. આ સંસારમાં ભમતા પ્રત્યેક જીવને તિર્યંચ અને મનુષ્યના Page #162 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૦૭ ] ભવમાં સર્વ જીવો માત-પિતા થયેલાં હોય છે. દેવ અને નારકના ભવમાં એવું નથી. તું કે જે પૂર્વભવને તાપસ નામે શેઠ છે તેની બાબતમાં પણ એવું છે. તે પૂર્વે અનુભવેલા ભવ પણ મેં પ્રમાણ સાથે કહી બતાવ્યા છે. તાપસના ભાવમાં જે તારી માતા હતી તે જ જન્માન્તરમાં પણ હતી એમ તું શી રીતે જાણે શકે છે? આ સંસારમાં ભમતા પ્રાણીએ સવે સંબંધ અનુભવેલા છે. આ જ ખરી વસ્તુ છે. ” આ સાંભળીને અપૂર્ણ નયનવાળો તે રાહુક સાધુને પગે પડયો અને બોલ્યો કે, “ભગવન્! સંસારની સવે ગતિઓ આપ જાણે છો.” તેનું આ વચન સાંભળીને સાથે આવેલા પુરુષ અત્યંત વિસ્મય પામીને બોલવા લાગ્યા, “ અહે! આશ્ચર્ય છે ! અમારી સાથે ઊછરેલ અને જન્મથી જ મૂગો આ રાહુક અત્યારે સાધુનું વચન સાંભળીને બોલવા લાગ્યા!” પછી સત્યવાદી એવા સત્યે અગ્નિભૂતિ અને વાયુભૂતિને કહ્યું, “તમે પૂર્વજન્મમાં શિયાળ હતા, તેનું આ બીજું પ્રમાણ છે.” મધ્યસ્થાએ પણ “બરાબર છે” એમ કહ્યું. ઉદાસ થયેલા તે બ્રાહ્મણે કહ્યું, “અમે નિરુત્તર થયા છીએ, અમારો સંશય દૂર થયા છે, જન્માક્તર જાણનારા શ્રમણનો વિજય થયો છે.” પ્રશંસા કરતી બધી પર્વદા ગઈ. ૫ર્ષદાના માણસોએ સોમદેવ અને અગ્રિલાને આ કહ્યું. રોષથી સળગી ગયેલાં તે બે જણુએ કહ્યું, “હે પુત્રો ! જે શમણે મહાજનની વચ્ચે તમારો તિરસ્કાર કર્યો છે તેને ગુપ્ત રીતે વધ કરાવો.” પુત્રોએ કહ્યું, “આવા મહાત્મા તપસ્વીનો વધ શી રીતે કરાવાય?” એટલે માતા-પિતા બોલ્યાં, પણ અમારે માટે તો તે વધ્ય છે, માટે તમે પ્રતિકૂળ ન થાઓ.” માતા-પિતાના આ વચનને પ્રમાણ કરતા તે બે જણા સાધુઓ રહેતા હતા તે પ્રદેશમાં ગયા. સત્ય અણગાર સુમના શિલા ઉપર સર્વરાત્રિકી પ્રતિમામાં કાર્યોત્સર્ગ કરીને રહેલા હતા. તેનો વધ કરવાને આ બે જણ તૈયાર થયા, એટલે એ શિલાના અધિષ્ઠાયક યક્ષે શબ્દ કર્યો, “અરે દુરાચારીઓ ! ઋષિને વધ કરનારાઓ! તમે નાશ પામ્યા છો !” આમ બોલતાં એ યક્ષે તેમને લેયકર્મનાં બનાવેલાં પૂતળાંઓની જેમ થંભાવી દીધા. પ્રભાતે આ અવસ્થામાં રહેલા તેમને લોકોએ જોયા. પછી તેમનાં સ્વજનેએ સત્યને વિનંતી કરી, “મહાઋષિ! ક્ષમા કરે, આ લોકોને જીવિતદાન આપે.” શરદઋતુના સરોવરનાં જળ સમાન નિર્મળ હૃદયવાળા સત્યે કહ્યું, “હું તેમના ઉપર ક્રોધ કરતો નથી, આ તો સુમન યક્ષ કે પેલે છે, અને તેણે એમને થંભાવી દીધા છે. ” યક્ષને વિનંતી કરવામાં આવતા તેણે કહ્યું, “આ પાપકમીએ ભલે અહીંજ સોસાઈ જાય; એમનું હવે જીવન નથી.” આ પ્રમાણે અદશ્ય રહીને બોલતા યક્ષને અવધિજ્ઞાનવાળા સત્યે કહ્યું, “આ તે જિનવચનથી બાહો અજ્ઞાનીઓ છે, માટે તેમને ક્ષમા કરો અને કેય દૂર કરો. આ પછી યક્ષ શાન્ત થશે. તે બે જણ પાછા સ્વાભાવિક હરતા ફરતા થયા. તેઓએ વિચાર કર્યો, “અહો ! સાધુઓ દયાવાનું છે. અમારા જેવા નિર્દયે પ્રત્યે પણ તેઓ અનુકંપા ધરાવે છે. તેઓ જે ઉપદેશે છે તે જ મોક્ષનો માર્ગ છે.” પછી Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : તેએ સત્યના પગે પડ્યા અને મેલ્યા, “ આ પ્રાણ હવે આપને આધીન છે, આજથી અમે આપના શિષ્યા છીએ, પરન્તુ સાધુધર્મ પાળવાને શક્તિમાન્ નથી, માટે ગૃહસ્વધર્મ અમે સ્વીકારીશુ. ’” આ પછી તેએ અતને ધારણ કરનારા શ્રાવકા થયા, અને અમૃત સમાન જિનધમ તેમણે જાણ્યા. વિહાર કરતા સાધુએ પણ ત્યાંથી ગયા. શીલવાન અને જિનપૂજામાં રત એવા તેએ માતા-પિતાને સમજાવવા લાગ્યા કે, “ અરિહંતે ઉપદેશેલેા માર્ગ તમે સ્વીકારેા. ” એટલે માબાપે કહ્યુ, “ પુત્રા ! જેમના લયથી તમે આ ધર્મ સ્વીકાર્યા હતા તે શ્રમણા ચાલ્યા ગયા છે, માટે હવે એ ધર્મ થી ખસ કરી. ” પુત્રાએ કહ્યું, “હું માતા-પિતા ! નિર્ગુણુ વસ્તુ માટે દુરાગ્રહ રાખવા એ મૂઢતા છે. જિનેશ્વરે ઉપદેશેલા ધર્મ સત્ય, વાસ્તવિક અને નિર્વાણમાં લઈ જનારા છે, માટે અજ્ઞાન ન મનેા. એ સન્માર્ગના સ્વીકાર કરા, જેથી દુર્ગંતિમાં જવું પડે નહીં. ” મા-બાપે કહ્યું, “ તમે એ શ્રમણાના ઉપદેશ સાંભળીને અમને અમારા વેદોક્ત કુલધર્મ થી ભ્રષ્ટ કરવા ઇચ્છેા છે. જો કુલધર્મ સ્વીકારવાથી દુર્ગતિમાં જવાતુ હાય તા ભલે અમે જઇશું. ” પુત્રાએ ઉપદેશ કરવા છતાં પણ તેઓએ જિનધર્મ સ્વીકાર્યું નહીં. પછી ધર્મ માં ઢઢ રહેલા તે એ ભાઇએ કાલધર્મ પામીને સાધ કલ્પમાં પાંચ પત્યેાપમના આયુષ્યવાળા દેવા થયા. પ્રદ્યુમ્ન અને સાંમના પૂર્વ જન્મની કથામાં પૂર્ણ ભદ્ર-માણિભદ્રના ભવ ત્યાંથી ચવીને, ગજપુરમાં જિતશત્રુ રાજા, ધારિણીદેવી, અજિતસેન યુવરાજ, અરહદાસ શ્રેષ્ઠી, તેની ભાર્યા પુષ્પશ્રી, તેના ગર્ભોમાં અનુક્રમે મેાટા અને નાનાભાઇ પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર તરીકે તેઓ જન્મ્યા. એક વાર મહેન્દ્ર નામે અણુગાર પેાતાના ગણુસહિત હસ્તિનાપુર( ગજપુર )માં સમેાસર્યા હતા. તેમની પાસે ધર્મોપદેશ સાંભળીને રાજા અને શ્રેષ્ઠીએ દીક્ષા લીધી. પછી અજિતસેન રાજા થયા અને પૂર્ણ ભદ્રં શ્રેષ્ઠી થયા. સાધુએ વિહાર કરીને ઘણે કાળે પાછા ગજપુરમાં આવ્યા. પૂર્ણભદ્ર અને માણિભદ્ર તેમને વન કરવાને માટે નીકળ્યા. માર્ગમાં પક્ષીનું પાંજરું' ખભે મૂકીને ચાલતા તથા પિંગલા નામે કૂતરી જેની પાછળ પાછળ આવતી હતી એવા ચાંડાલને તેમણે જોયા. એ જોઇને પૂર્ણ ભદ્ર-માણિભદ્રને અત્યંત સ્નેહ પેદા થયા. એમને વિચાર થયા, “ આ જોઇને અમને સ્નેહ કેમ થાય છે? ગુરુને પૂછીશું. ” પછી તેમણે ચાંડાલને કહ્યુ, “ અમે સાધુ પાસે જઈને પાછા વળીએ ત્યાંસુધી રાહ જોજે, તેા તને કંઇ ઇનામ આપીશું. “ જેવી આપની આજ્ઞા ” એમ કહીને ચાંડાલ ત્યાં ઊભો રહ્યો. પછી તેએ ગયા અને મહેન્દ્ર અણગારને વંદન કરીને પૂછવા લાગ્યા, ભગવન્ ! ચાંડાલ અને તેની કૂતરી ઉપર અમને અત્યંત સ્નેહ થયા, તેનું કારણ કહેા. ” અવધિજ્ઞાનથી ઇને સાધુએ કહ્યું કે, “ પૂર્વજન્મમાં એ તમારાં માતાપિતા હતાં. ઘણું પાપ ઉપાર્જન કરીને મરણ પામી સર્પાવત * "" ક Page #164 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૦૯ ] નરકમાં પાંચ પોપમ સુધી દુઃખ અનુભવીને ત્યાંથી ઉદ્વર્તિત થઈ અહીં જમ્યાં છે.” પ્રમાણપૂર્વક આવું સાંભળીને જેમને જાતિસ્મરણ થયું છે એવા તે બે ભાઈઓ સાધુને વંદન કરીને ચાંડાલની પાસે આવ્યા. તેને તેઓ પિતાના ઘેર લઈ ગયા અને પૂર્વભવને વૃત્તાન્ત કહ્યો. ચાંડાલ અને કૂતરીને પણ જાતિસ્મરણ થયું. પછી તેમણે ચાંડાલને કહ્યું, “ અમે તને વૃત્તિ આપીશ, તેથી ગુજરાન ચલાવજે. પણ હવે પાપકર્મ બંધ કર, જેથી નરકમાં જવું પડે નહીં. ” એટલે અશ્રપાત કરતો તે ચાંડાલ કહેવા લાગ્યું, “આ નિન્દ જાતિમાં હવે સમય ગાળવાને હું શક્તિમાન નથી, માટે અનશન કરીને હું મરીશ.” તેણે ઘણે આગ્રહ કર્યો એટલે તેઓએ તેને ભક્તનું પચ્ચકખાણ આપ્યું, ત્યારે જ તે રહ્યો. પિંગલા કૂતરીને ભેજન આપવામાં આવ્યું, પણ તે તેણે ખાધું નહીં. શ્રેષ્ઠીએ કહ્યું, “પિંગલે ! તું ખાતી નથી, તે તેં પણ શું ભક્તનું પ્રત્યાખ્યાન કર્યું છે? ” કૂતરીએ માથું હલાવી હા પાડી. પછી સાત રાત્રિમાં તે મરણ પામી. ચાંડાલ પણ અઢાર દિવસમાં નંદીશ્વર દ્વીપમાં દેવ થયે. કૂતરી હતી તે એ જ નગરના અજિતસેન રાજાની પુત્રી સુદર્શના નામે થઈ. તે પૂર્ણભદ્ર-માણિભદ્ર સનેહ વડે તેને સૂચિત કરી–ઓળખી. સમય થતાં “હે અગ્રિલા ! હે પિંગલા !” એવા સંબોધન કરી તેમણે તેને પ્રતિબંધ પમાડ્યો. શ્રેણી પૂર્ણભદ્ર એ રાજાનો અત્યંત સ્વજન હતો, આથી તેના વડે પ્રેરાઈને સુદર્શનાએ પ્રિય દર્શના સાધ્વી પાસે દીક્ષા લીધી, અને સાધ્વધર્મ પાળીને તે દેવલોકમાં ગઈ. તે પૂર્ણ ભદ્ર-માણિભદ્ર પણ શ્રાવકધર્મ પાળીને, સમાધિથી કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ગયા. પ્રદ્યુમ્ન અને સાંબના પૂર્વ જન્મની કથામાં મધુ-કૈટભને ભવ ત્યાં બે સાગરોપમ સુધી દિવ્ય ભેગ ભેગવ્યા પછી આવીને ગજપુરમાં વિશ્વસેન રાજાની સુરૂપ દેવીના અનુક્રમે મોટા અને નાના પુત્રો મધુ અને કૈટભ નામે થયા. સમય જતાં મધુ રાજા થયો. નંદીશ્વર દેવ પણ સંસારમાં ભમીને વટપુરમાં કનકરથ નામે રાજા થ. સંસારમાં ભ્રમણ કરતી સુદર્શન પણ તેની ચંદ્રાભા નામે પત્ની થઈ. મધુ અધિરાજા હતો, પણ આમલકલ્પા નગરીને અધિપતિ ભીમ નામે રાજા તેની આજ્ઞા બરાબર પાળો નહોતો. આથી તેણે ચઢાઈ કરી અને (કૂચ કરતાં માર્ગમાં ) વટપુર પહોંચે. કનકરથ રાજા બહમાનપૂર્વક તેને પિતાને ત્યાં લઈ ગયો. કનકની ઝારીથી પાણી રેડીને ચંદ્રાભા દેવી તેના પગ જોવા લાગી. તેના રૂપથી અને હસ્તપલવના સ્પર્શથી આનંદ પામતે મધુ તેની ઉપર મેહ પામ્યો, પણ પોતાની સ્થિતિ ગમે તેમ છૂપાવીને તે ત્યાં બેસી રહ્યો. જેમ તેમ ભેજન કરીને મધુ નીકળ્યો અને પિતાના ઉતારે આવ્યા. નિપુણ એવા મંત્રીએ તેને પૂછયું, “સ્વામી! તમારી મુખકાન્તિ જુદા પ્રકારની દેખાય છે, માટે વધુ પડતો આત્મવિશ્વાસ રાખીને ઠગાઈ ન જશો. કહે, તમારા શરીરમાં શો વિકાર છે?” મધુ બોલ્યો, “તેં સાચે તર્ક કર્યો. કારણ કહું છું-કનકરથ રાજાની દેવી ચંદ્રાભા Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : છે, તે મારા હૃદયમાં પ્રવેશી છે. “જે હું તેને પ્રાપ્ત નહીં કરું તો હું નહીં જીવું” એ નિશ્ચય છે. આ પ્રકારની ચિતાને કારણે મારા મુખની વિવર્ણતા તેં જોઈ છે.” મંત્રીએ કહ્યું, “સ્વામી ! કનકરથની પત્નીનું જે બળાત્કારે હરણ કરવામાં આવે તે આપણે એકલા માર્યા જઈશું, માટે વિનંતિ કરું છું કે–તેને યુક્તિપૂર્વક મેળવવી જોઈએ. કનકરથની સાથે પ્રેમ વધારે, રાણીઓને ત્યાં મોકલો, બિમારીનો દેખાવ કરો. એ પ્રમાણે જવા-આવવાથી વિશ્વાસ વધતાં નિવિદને સંગ થઈ શકશે.” મધુએ તેમ કર્યું. બિમારીના સમાચાર સાંભળી કનકરથ અને ચંદ્રામાં વારંવાર ત્યાં આવવા લાગ્યાં. વિરોધી ભીમ રાજા પણ કનકરથે કરેલું મધુનું સન્માન સાંભળી પાછો હઠ્યો. મધુ પાછો વળે અને ગજપુર ગયે. કનકરથને તેણે કહ્યું, “કેટલાક સમય અમારી સાથે રહીને પછી તમારા નગરમાં પાછા આવજે.” કનકરથે “ભલે ” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. કેટલાક દિવસો વીત્યા બાદ, ગજપુર ગયેલા રાજાઓને સત્કાર કરીને ભાર્યા સહિત તેમને વિદાય આપવામાં આવી. અંતે કનકરથને પણ વિદાય સત્કાર કરવામાં આવ્યું, પણ ચંદ્રાભાને આભરણ તૈયાર કરવાના બહાને રોકી રાખવામાં આવી. ચંદ્રાભાએ સાંભળ્યું કે-“હવે હું બહાર નીકળી શકું એમ નથી.” એટલે તેણે પિતાની વિશ્વાસપાત્ર દાસીને કનકરથ પાસે આ ખબર કહેવા મોકલી. આ હકીકત જાણીને ભયભીત થયેલ કનકરથ ત્યાંથી ચાલ્યો ગયો, અને પુત્રને રાજ્ય આપીને તેણે તાપસ તરીકે દીક્ષા લીધી. ચંદ્રની ચંદ્રકળાની જેમ, ચંદ્રાભા મધુની માનીતી થઈ ઘણા કાળે તાપસરૂપધારી કનકરથ રાજાને ગજપુરના રાજમાર્ગ ઉપર ચંદ્વાભાની દાસીએ જે, તેણે ચંદ્રાભાને નિવેદન કર્યું કે, “સ્વામિનિ ! આજે મેં રાજાને જોયા.” ચંદ્રભાએ પૂછયું, “તું રાજાને કયારે જેતી નથી?” દાસીએ ઉત્તર આપે, “સ્વામિનિ ! આ તો કનકરથ નામે તાપસ હતે.” તેણે કહ્યું, “ક્યાં છે? મને બતાવ.” ત્યાં ઊભી રહીને દાસીએ તેને એ બતાવ્યો. તેને જોઈને ચિન્તાતુર થયેલી ચંદ્રાભા પિતાની જાતની નિન્દા કરતી બેઠી કે, “અહો હું મંદભાગિનીના દેષથી આ રાજા આવી અવસ્થા પામે છે.” એટલામાં મધુ તે સ્થળે આવ્યો. તેણે પૂછયું, “દેવિ ! આદરપૂર્વક શું જુએ છે?” રાણુએ તુરત વાત ઉપજાવી કાઢીને કહ્યું, “દેવ! આ નગરની બહાર જાણે સૂતરથી ભાગ પાડ્યા એવું શું દેખાય છે, એને વિચાર કરું છું.” રાજા છે, દેવિ ! આ નગરવાસી લોકોનાં ખેતરે છે, આજીવિકાને માટે એમાં અનાજ ઉગાડવામાં આવે છે.” રાણુએ પૂછયું, “દેવ! એમાં આપણું કયું ખેતર છે?” મધુએ કહ્યું, “જે વિભાગ પાડનારાં સૂત્ર છે તે આપણું ખેતર છે.” રાણું બોલી, “આવાં ઝીણું ખેતરમાં શું થતું હશે, જેથી આપણે જીવીએ છીએ ?” રાજાએ કહ્યું, “આ તો મર્યાદા છે, અને તે મે( સીમા)એ નામથી પણ ઓળખાય છે. જે એનું ઉલંઘન કરે તે અપરાધી ગણાય છે. એની શિક્ષા માટે અપરાધને અનુરૂપ દંડ કરવામાં આવે છે, અને તે Page #166 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૧૩ ] 66 Q. * ક્રૂડ આપણા ખજાનામાં આવે છે. રાજાએ મર્યાદાના રક્ષક છે. ” પછી રાણીએ હિંસા કરનાર, જૂહુ ખેલનાર, ચાર અને વ્યભિચારીના શે। દંડ કરવામાં આવે છે તે પૂછ્યું. રાજાએ જ્યારે એને ઉત્તર આપ્યા, ત્યારે ચંદ્રાભાએ કહ્યુ, “ દેવ ! તમે જાણવા છતાં પણ કનકરથ રાજાની પત્નીનું હરણ કરવામાં અયોગ્ય કયુ છે. ” પછી તેણે ત્યાં ફરતા તાપસ( કનકરથ )ને બતાવ્યા કે, “ આ આપણે લીધે આવુ દુ:ખ અનુભવે છે. ” મધુએ સ્વીકાર્યું કે, ‘ હા દેવ! મે' અયેાગ્ય કર્યું છે. ” ચંદ્રાભાએ કહ્યુ, “ આમાં મારેા જ દોષ છે, તમારા નથી. કેમકે જીવતી હાવા છતાં, હું ત્યાગ કરી શકતી નથી. માટે મને રજા આપે. હું પરલેાકનુ હિત આચરીશ. ” મધુએ કહ્યું, “ હુ પણ રાજ્યશ્રીના ત્યાગ કરું છું. પછી મધુએ પેાતાના નાના ભાઇ કૈટભને ખેલાવી રાજ્ય આપવા માંડ્યું, પરંતુ તેણે કહ્યું કે, “હું પણ તમારી સાથે દીક્ષા લઇશ. ” પુત્રને રાજ્ય આપીને મધુએ કૈટલ અને ચદ્રાભાની સાથે વિમલવાહન અણુગારની પાસે દીક્ષા લીધી. સૂત્ર અને અનુ ગ્રહણ કરીને તે સંવિગ્ન થયા, અને ખાર પ્રકારનાં તપ કરતા ઘણા કાળ સુધી સંયમ પાળીને કાળધર્મ પામી, મહાશુક્ર કલ્પમાં ઇન્દ્ર થયા. કૈટભ પણ તેના જ સામાનિક દેવ થયા. દેવી ચંદ્રાભા સૌધર્મ કલ્પમાં દેવી થઇ. કનકરથ તાપસ કાળધર્મ પામી ધૂમકેતુ વિમાનમાં દેવ થયેા. વેરભાવ રાખતા તે મધુની તપાસ કરતા હતા, પણ અપદ્ધિકપણાને લીધે તેને જોઈ શકતા નહેાતેા. ઇન્દ્ર થયેલેા મધુ સત્તર સાગરોપમનું આયુષ્ય ક્ષય થતાં ચવીને કૃષ્ણની પટ્ટરાણી રુકિમણીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયે!. વિપુલ સંસારમાં ભમીને કનકરથ દેવ ફરી પાછા તે કાળે ધૂમકેતુ દેવ થયા હતા. પૂવેરનું સ્મરણ કરતા તેણે મધુને જન્મતાં જ જોયેા. પછી જેને રાષ પેદા થએલા છે એવા ધૂમકેતુ દેવે તેને હરી લીધા અને શિલાતલ ઉપર મૂકી દીધા. વિદ્યાધર-મિથુન તેને પેાતાના નગરમાં લઈ ગયું. આ પ્રમાણે ( તે બાળકને જન્મતાંવેંત જ ) શત્રુવટ થઇ હતી. ’ આ પ્રમાણે સીમંધર જિને જેના સંશય દૂર કર્યો છે એવા નારદ રુકિમણી પાસે આવ્યા. રુકિમણીને તેમણે કહ્યું, “દૈવિ! તમારા પુત્ર જીવે છે, અને વિદ્યાધરવડે રક્ષાચેલેા તે ઉછરે છે. ” ભગવાને કહ્યો હતા તે પ્રમાણેના માતા-પિતા સાથેના બાળકના સમાગમ–કાળ પણ નારદે રુકિમણીને કહ્યો, પછી નારદ ત્યાંથી ઊડ્યા. પ્રદ્યુમ્નને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પ્રાપ્તિ બીજી તરફ, પ્રદ્યુમ્ન વિદ્યાધર-નગરમાં મેટ્રો થતા હતા પૂર્વભવમાં પિરિચત એવી કલાએ તેણે, કહેવામાં આવતાં વેંત જ, ગ્રહણ કરી. વધતા જતા યોવન અને લાવણ્યવાળા, છત્રાકાર શિરવાળા, વિકસિત કમળ જેવાં નયનવાળા, લેાકેાનાં નયનાને વિશ્રામ આપનાર, સૂર્યનાં કિરણેાવડે આલિંગિત કમળ સમાન મનેાહર મુખવાળા, શ્રીવત્સથી અંકિત વક્ષ: Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : 66 સ્થળવાળા, લાંબા અને ઉત્તમ માહુવાળા, સહસ્રાક્ષ ઇન્દ્રનાં કર-કમળના સ્પ વડે સુભગ એવા વજ્ર જેવા મધ્યભાગવાળા, સિહ જેવી કિટવાળા, હાથીના બચ્ચાની સૂંઢ જેવાં એ ઉરુવાળા, આછી નસે અને ઝીણાં ઊગેલાં રામયુક્ત તથા અનુક્રમે ગાળ એવી જ ઘાએવાળા, ઉત્તમ લક્ષણેાવડે ખચિત એવા સુકુમાર પગનાં તળિયાંવાળા, કાનને સુખ આપે તેવી ગભીર વાણી ખેલનાર અને હુંસના જેવી ગતિવાળા તે પ્રદ્યુમ્નને જોઇને કનકમાલા વિચાર કરવા લાગી કે, “ પ્રદ્યુમ્નના જેવા રૂપાળા પુરુષ વિદ્યાધરલેાકેામાં બીજો કાઇ નહીં હાય. જો એ મારી કામના કરે તેા મારું જીવન સફળ થાય, પરન્તુ તે વિનીત, વિચક્ષણુ અને પાપથી ડરનારા છે, તેથી આ વસ્તુ ઇચ્છશે નહીં. માટે ( તે મને કેવી રીતે પ્રાપ્ત થયા હતા-મારા ઔરસ પુત્ર નથી ઇત્યાદિ ) ખરી હકીકત તેને કહું. પરન્તુ તે પણ એ સાચુ` માનશે કે નહીં માને? ” આ પ્રમાણે સંકલ્પ કરતી મદનપરવશ તે કનકમાલા મમાર પડી. પ્રદ્યુમ્ને પૂછ્યું, “ માતા ! તમને શી શરીરપીડા છે, જેથી અસ્વસ્થ દેખાઓ છે ? ” એટલે તેણે કહ્યું, “ ભાઇ ! મને માતા કહીને ન એાલાવીશ. જેના તું પુત્ર હાય તે તારી માતા. ” પ્રદ્યુમ્ને કહ્યું, આવું વિપરીત કેમ ખેલે છે ? શું હું તમારે। પુત્ર નથી કે આવું સૂચન કરે છે! ?” કનકમાલાએ કહ્યું, “ સાંભળ, શિલાતલ ઉપર પડેલા અને વાસુદેવના નામથી અંકિત મુદ્રાવાળા તને અમે બન્ને જણાએ જોયા, ઘેર લાવ્યાં. વળી એવું સંભળાય છે કે, ‘કૃષ્ણની પટ્ટરાણી રુકિમણીના પુત્રને જન્મતાં વેત જ કાઇ હરી ગયુ હતુ, ' તેની સાથે પણ તારી પ્રાપ્તિના સમયના મેળ બેસે છે. મુદ્રા પણ કૃષ્ણની જ છે, આથી એમ જણાય છે કે તું તેને પુત્ર છે. તારી કામના કરતી એવી મારી આવી અવસ્થા થઇ છે.” પ્રદ્યુમ્ને કહ્યું, “ માતા ! તમે કહેા છે એવું મે'તા સાંભળ્યું નથી. ચાક્કસ, તમને ધાતુના વિકાર થયેા લાગે છે, તેથી આવું અયેાગ્ય મેલે છે. ” કનકમાલાએ કહ્યુ, “ હરિદત્તક ( કૃષ્ણે આપેલા )! જો તુ મારી અવજ્ઞા કરીશ તે હું મરણુ પામીશ. ” પ્રધુમ્ને કહ્યું, “ તમારે શુ કામ મરવું પડે ? મને મરાવવા ઇચ્છા છે, માટે આવું આલે છે. ” કનકમાલાએ પૂછ્યું, “શું તુ રાજાથી ડરે છે ? ” પ્રદ્યુમ્ને ઉત્તર આપ્યા, “ હા, ડરું છું. ” કનકમાલાએ કહ્યુ, “શા માટે ડરે છે ? સાંભળ—નલિનસહુ નામે નગર છે. ત્યાં રાજા કનકરથ નામે હતેા. તેની માળ્યવતી દેવી હતી. તેના પુત્ર કનકકેતુ નામે છે: એ રાજાની હું કનકમાલા પુત્રી છુ. તે રાજા પુત્રને રાજ્ય આપીને તપેાવનમાં ગયા. વયમાં આવેલી મને તેણે સિદ્ધ એવી પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. અમારી કુલપર પરાગત પ્રકૃતિ વિદ્યા હું તને આપું છું. એથી તુ અજેય થઇશ. ” પ્રદ્યુમ્ને કહ્યું, “ તા ભલે, કૃપા કરીને મને એ વિદ્યા આપે. ” પછી હર્ષ પામેલી કનકમાલાએ સ્નાન કર્યું અને અલિકમ કર્યું, અને સિદ્ધ થયેલી પ્રાપ્તિ વિદ્યા પ્રદ્યુમ્નને આપી. પછી કનકમાલાએ તેને કહ્યું, “ હવે મારી કામના કરો. ” પ્રદ્યુમ્ને કહ્યું, “ માતા ! આ તમે અયેાગ્ય એલે છે. પહેલાં તમે જ મારી માતા અન્યાં હતાં. જો કે તમારા ઉદરમાં હું ઉત્પન્ન ። * Page #168 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૧૩ ] થયા નથી, છતાં તમે મને જીવિતદાન આપ્યું હતું, એટલે માતા કેમ ન કહેવાઓ? વળી મને વિદ્યા આપવાવડે તમે ગુરુ બન્યાં છો, માટે આ વિકારને ત્યાગ કરે.” એટલે તે કનકમાલા ક્રોધ પામી, અને “મોહને કારણે હું છેતરાઈ” એમ વિચારતી તેણે કંચુકીને કહ્યું, “ રાજાને કહે, આ દુષ્ટ પ્રદ્યુમ્ન મારું અપમાન કરવા ઈચ્છે છે, માટે તેને સજા કરો.” પ્રદ્યુમ્નના વિનયમાં શ્રદ્ધા હોવાને લીધે આ વચન સાંભળવા છતાં રાજા ક્રોધ પામે નહીં. પછી કનકમાલાએ કાલસંવર રાજાના પુત્રને કહ્યું, “આ (રાજા) ખરેખર વિપરીત બુદ્ધિવાળા છે કે દત્તક પુત્ર)ને સજા કરતા નથી. નહીં ઈચ્છવા લાયક વસ્તુને તે પ્રદ્યુમ્ન ઈચ્છે છે, માટે તેને તમે જલદી નાશ કરે.” કપટમાં ઉદ્યત એવા તે પુત્રોએ “ભલે” એમ કહીને એ વસ્તુ સ્વીકારી. કલંબુકો વાવમાં વચ્ચે શૂળી બેસીને પછી તેમણે પ્રદ્યુમ્નને બોલાવ્યું કે, “આવ, આપણે આમાં સ્નાન કરીએ.” પ્રદ્યને કહ્યું, “તમે સુખી છે, માટે તમે જાઓ. માતાએ જેને કલંક ઓરાયું છે એવા મારે સ્નાન કરીને શું કામ છે?” એટલે પેલા બોલ્યા, “રેષમાં આવીને દેવી જે કહે તેના ઉપર કેણ વિશ્વાસ કરે ? માટે આવ, જઈએ.” આ પ્રમાણે તેઓ પ્રદ્યુમ્નને લઈ ગયા. તે વાવ અંદરથી પહોળી અને મુખ આગળથી સાંકડી હતી. તેમણે પ્રઘનને વચમાં રાખે. આપણે એક સાથે ભુસ્કે મારો” એમ કરીને તેમણે ભુસ્કો માર્યો, એટલે પ્રદ્યુમ્ન શૂળી ઉપર પડ્યો. તેણે વિચાર કર્યો કે, “નકકી, મને મારી નાખવા માટે આ શુળી મૂકેલી હશે.” પછી તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાનું ધ્યાન ધરીને કહ્યું, “ભગવતિ! આ શૂળી ઉપરથી મને છૂટો કર, એટલે પેલા લોકોની ચેષ્ટા હું જોઉં.” પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી પેલા કુમારો વાવમાંથી બહાર નીકળ્યા, અને “નકકી તે મરણ પામ્યા હશે” એમ વિચારીને પથરાનો વરસાદ વરસાવી “વહાલા! હવે તું મરણ પામ્યા છે !” એમ બોલતા ચાલ્યા. પાછળ રહેલા પ્રદ્યને કહ્યું, “શૂરા થાઓ, હવે તમારો નાશ નજીક આવ્યા છે. તમારામાં શક્તિ હોય તો પ્રહાર કરો.” પેલાઓ પાછા વળ્યા, અને “આ પ્રદ્યુમ્ન તે વિદ્યા વગરનો છે ” એમ માનીને વિશ્વાસપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા, પણ તે સર્વેને પ્રદુને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામેલે કાલસંવર નીકળે. તેને દેવીએ કહ્યું, ” બરાબર પ્રયત્ન કરજે.” તેણે કહ્યું, “એ ધરણિગોચર માનવ મને શું કરવાનો હતો? ” એટલે કનકમાલાએ પિતે પ્રદ્યુમ્નને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપ્યાની વાત કરી. મંત્રીઓએ કાલસંવરને વાર્યો કે, “ પુત્રનો વધ કરે છે, કુલતંતુના રક્ષણની દષ્ટિએ, રાજાઓને માટે એગ્ય નથી.” પેલી તરફ પ્રદ્યુમ્ન ચિના કરવા લાગ્યા કે, “આવો અપરાધ કરીને મારે પિતા પાસે જવું એ ગ્ય છે કે એગ્ય નથી ?” માતા-પિતા સાથે પ્રધશ્નને સમાગમ આ બાજુ દ્વારવતીમાં સત્યભામા દેવી દુર્યોધન રાજાની પુત્રી સાથે પોતાના પુત્રના વિવાહની ૧૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : તેયારી કરવા લાગી. તે વખતે રુકિમણીએ નારદને કહ્યું, “દેવ! મારા પુત્ર સાથે મારા મેળાપને આ જ સમયે તમે બતાવ્યો હતો. વળી સત્યભામાના પુત્રને વિવાહ થાય છે, માટે આપે કહ્યું હતું તે સત્ય હોય તે કૃપા કરે અને પુત્ર પ્રદ્યુમ્ન મને બતાવો” આમ કહેવામાં આવતાં નારદ બોલ્યા, “દેવિ ! આજે જ પુત્રને લાવી તને બતાવું.” પછી નારદ ત્યાંથી ઊડીને ગગનમાર્ગ વિદ્યાધરની ગતિથી મેઘકૂટ નગરમાં ગયા. ત્યાં તેમણે એકલા બેઠેલા પ્રદ્યુમ્નને જો અને કહ્યું, “કુમાર ! ઉદાસ કેમ દેખાય છે ?” પ્રદ્યુમ્ન પ્રણામ કરીને ભાઈઓના મરણની વાત કરી અને બોલ્યો, “આ મહાન અપરાધ થવાથી મારું ચિત્ત વ્યાકુળ છે. ” નારદે કહ્યું, “જેમણે તને મારવાનો પ્રયત્ન કર્યો તેઓ તારા શત્રુ જ કહેવાય, ભાઈઓ નહીં. સાંભળ, તું કૃષ્ણ વાસુદેવને રુકિમણી દેવીથી થયેલ પુત્ર છે. જન્મતાં વેંત જ ધૂમકેતુ દેવ તને હરી ગયો હતો અને શિલા ઉપર તને છોડી દીધો હતો. પિતાની પત્ની સહિત આ કાલસંવરે તને પુત્ર ગણીને ત્યાંથી લીધો હતો. તું જ્યારે ગર્ભમાં હતો ત્યારે તારી માતા રુકિમણીને સત્યભામાની સાથે શરત થઈ હતી કે, “જેને પહેલાં પુત્ર થાય તે પોતાના પુત્રના લગ્નદિવસે બીજીનું કેશમુંડન કરાવે.” તારું તે જન્મતાં વેંત જ હરણ થયું હતું, પણ સત્યભામાં એ વાત માનતી નથી. તેને પણ પુત્ર થયો હતો. તારા માટે આજે તારી માતાને યશ વધારવાનો દિવસ છે. કનકમાલાએ અહીંથી ચાલ્યા જવાનું કારણ આ પહેલાં જ તને આપેલું છે, માટે તું જલદી અહીંથી ચાલ.” પ્રદ્યને કહ્યું, “હે નારદ ! તમે કહો છો તે પ્રમાણે જ હકીકત છે પણ માતાપિતા મને ઓળખશે કેવી રીતે ?” નારદ બોલ્યા, “મેં સીમંધર જિનના કથન અનુસાર તારી વાત તેમને અગાઉ કરેલી છે, માટે વિલંબ કર્યા સિવાય ચાલ.” નારદે વિમાન વિકુવ્યું તેમાં બેસીને ભરતક્ષેત્રને અવકતા બન્ને જણ ઉપડ્યા. નારદ પ્રદ્યુમ્નને નગર, આકર, આશ્રમ અને જનપદે બતાવવા લાગ્યા. માર્ગમાં ખદિરાટવીમાં તેમણે સૈન્ય જોયું. એ જોઈને પ્રદ્યુને નારદને પૂછયું, “આ સૈન્ય ક્યાં જાય છે?” નારદે ઉત્તર આપે, “રુકિમણી અને સત્યભામાં વચ્ચે પુત્રજન્મ વિષે શરત થઈ હતી તે વાસુદેવે દુર્યોધન રાજાને કહી, એટલે તે સાંભળીને દુર્યોધને તું ગર્ભમાં જ હતા ત્યારે પોતાની કન્યા તને આપી હતી. પણ તારી માતાના દેશનું મુંડન કરાવવાના નિમિત્તરૂપ જે થવાની છે એવી તે કન્યાને સત્યભામાના પુત્ર ભાનુ સાથે પરણાવવા માટે આ લઈ જવામાં આવે છે.” એટલે ફર થએલા પ્રદ્યુને કહ્યું, “જુઓ, હું એ લેકની પૂજા કરું છું.” પછી પ્રદ્યુમ્ન વિરુદ્ધ પ્રકારની જાન વિકુવી એમાં પિતે એક કદરૂપ બ્રાહ્મણ બનીને સૂવર જોડેલી ગાડીમાં બેઠા હતા. સાથે ગધેડાં અને કુકડા જોડેલાં વાહને પણ હતાં. કુમારી સાથેના માણસોએ કહ્યું, “અરે વેતાલ જેવા કુરૂપ! સામે ન આવ; અરે અમંગળ! બાજુએ ખસ.” પેલાએ કહ્યું, “જે હું અમંગળ હોઉં તો પછી મંગળ કોણ છે ? જે ભાનુને પરણાવવા માટે આ કન્યાને લઈ જવામાં આવે છે તે શું મારાથી ચઢે એમ છે?” એટલે પેલા Page #170 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૧૫ ]. પુરુષોએ તેને તિરસ્કાર કરીને કહ્યું, “અરે બટુક! બાજુએ ખસ, ઝાઝે બકવાદ ન કર.” એટલે પ્રદ્યુમ્ન ભીલો વિદુર્યો. તેમના ભયથી સૈન્ય દશે દિશામાં નાસી ગયું. પ્રદ્યુમ્ન નારદને કહ્યું, “તમે મારી માતા પાસે જઈને તેને મળે. ત્યાં સુધીમાં હું પરિજનને અને ભાનુના સહાયક કુમારને મળું.” “ભલે” એમ કહીને નારદ ગયા. પછી પ્રદ્યને એક વાંદરા વિકુવને દ્વારવતીની બહાર એક ઉદ્યાનના રખેવાળાને તે બતાવ્યો અને કહ્યું, “આ વાંદરાને ખૂબ ભૂખ લાગી છે, માટે તેને અહીં ફળ-ફૂલ ખાવા દે.” તેઓએ ના પાડી અને કહ્યું, “અહીં તો વિવાહ થવાનો છે, માટે અહીં વિસામો લેવા બેસશો નહીં.” એટલે પ્રદ્યુમ્ન રખેવાળોને સેનાનો ટુકડો આપે. પછી રખેવાળાએ વાંદરાને ખાવાની રજા આપતાં ક્ષણવારમાં તે આખી વાડીનાં બધાં જ ફળફૂલ ખાઈ ગયો. આ જોઈ રખેવાળોએ વિચાર કર્યો કે, “ આણે તો ઘડીક વારમાં આપણે વિનાશ કરી નાખ્યો !” ત્યાં તે પ્રદ્યુમ્ન બોલ્યો કે, “આ વાંદરાને હજી તૃપ્તિ થઈ નથી, માટે શું કહો છો ?” એટલે ઉદાસ થઈને પેલાઓ કહેવા લાગ્યા કે, “દેવ ! આ વાંદરાની તે એવી શક્તિ દેખાય છે કે આખી દ્વારવતી ખાવા મળે તે પણ તે તૃપ્ત નહીં થાય. અમારે માટે તો રાજકુલમાંથી વાંદરાના રૂપે વિનાશ જ આવ્યો છે. તમારું સોનું અમારે નથી જોઈતું, અમે તો નાસી જઈએ છીએ.” રખેવાળોને આ પ્રમાણે ભયભીત થયેલા જોઈને પ્રદ્યુમને કહ્યું, “તમે ધીરજ રાખે; પહેલાં હતું તેવું ઉદ્યાન થઈ જશે.” એમ બોલતાંમાં ઉદ્યાન અગાઉના જેવું થઈ ગયું. પછી થોડે આગળ પ્રદ્યુમ્ન ઘડો બનાવીને એક ખેતરના રખેવાળોને બતાવ્યો અને કહ્યું કે, “આ ઘોડો ભૂખ્યો છે, એને થોડું ચરવા દો.” પરંતુ વિવાહ હોવાને લીધે રખેવાળાએ ઘોડાને ચરવા દીધો નહીં, એટલે તેમને પણ પ્રદ્યુમ્ન એ જ રીતે સોનું આપીને ભાવ્યા. થોડીક વારમાં તો ઘોડાએ આખાયે ખેતરને એક પણ તૃણ વગરનું બનાવી દીધું. રખેવાળો નમી પડ્યા એટલે પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી ખેતરને પહેલાંના જેવું બનાવી દીધું. પછી પ્રદ્યુમ્ન ઘડાને લઈને વાવ આગળ ગયો અને બોલ્યા “ઘડાને પાછું પીવા દે.” પણ વાવના રક્ષકોએ પીવા દેવાની ના પાડતાં સુવર્ણના લોભી એવા તેમને સુવર્ણ આપીને હા પડાવી. પછી થોડી જ વારમાં ઘોડાએ વાવ સૂકી બનાવી દીધી. આથી રક્ષકે ખબ હીન્યા, પણ પ્રદ્યુમ્ન વાવને પાછી પહેલાં જેવી બનાવી દીધી. - થોડી વાર પછી ભાનુકુમાર ઘણા મિત્રોની સાથે દ્વારવતીની બહાર ક્રીડા કરવાને માટે આવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ આ સમાચાર આપતાં પ્રદ્યુમ્ન તેને જોયે. પરિજન સહિત ભાનુએ ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા, ક્ષીણ રૂપવાળા અને આધેડ વયવાળા પ્રદ્યુમ્નને જે. કુમારેએ તેને પૂછ્યું “આર્ય! આ ઘેડે વેચવાનો છે? વેચવાનો હોય તે ૧ ભાનુને છેતરવા માટે પ્રકૃપ્તિ વિદ્યાની સહાયથી પ્રધુને આવું રૂપ ધારણ કર્યું હતું. Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ ઃ મૂલ્ય નકકી કરો.” પ્રદ્યુમ્ન જવાબ આપે, “સવાર જ ઘડાનું મૂલ્ય નક્કી કરી શકે, માટે તમે પરીક્ષા કરો.” પછી તે કુમારો અનુક્રમે સવાર થયા અને અશ્વ પણ તેમની ઈચ્છા મુજબ તેમને વહન કરતે હતો. પછી ભાનુ સવાર થયો. એટલે પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિને કહ્યું, “ભગવતિ! એને વિનાશ ન થાય તેમ કરજે.” ઘોડાએ એકદમ કુદતાંની સાથે જ ભાનુને એવી ઘાંટીમાં ફેંકી દીધો કે પરિજને તેને માટે ખૂબ ચિંતાતુર થઈ ગયાં. મૂચ્છ વળતાં ભાનુએ એ ઘેડો લેવાનો વિચાર સરખો પણ મૂકી દીધો. પછી પ્રદ્યુમ્ન દ્વારવતીમાં આવ્યું અને એક મેંઢાને લઈને વસુદેવના ઘરમાં પ્રવેશ્યા. તેણે પ્રણામ કર્યા એટલે વસુદેવે પૂછયું, “છોકરા ! કેમ આવ્યો છે? ” પ્રધુને ઉત્તર આપ્યા, “ દેવ ! તમે મેંઢાઓનાં લક્ષણ જાણે છે. આ મેંઢા જે ઉત્તમ લક્ષણવાળો હોય તે મારે તે ખરીદી લે છે.” વસુદેવે મેંઢાને ધ્યાનપૂર્વક જે અને કહ્યું, છોકરા ! ઘેટે લક્ષણવાળો છે.” પછી વસુદેવે “ આના બળની તે પરીક્ષા કરૂં” એમ વિચારીને મેંઢાને આંગળીથી પોતાના તરફ બોલાવ્યો એટલે મેંઢાએ, પ્રદ્યુમ્નની સંમતિથી, વસુદેવને આસન ઉપરથી પાડી નાખ્યા અને તેમને ઘુંટણ ઉતારી નાખે. પ્રદ્યુમ્ન વસુદેવને કહ્યું, “દેવ! કંઈ નવું વિજ્ઞાન જાણવા જેવું હોય તો કહે.” આ સાંભળી વસુદેવ હસીને ઘરમાં ચાલ્યા ગયા. આ પછી જેને માળીએ પુષ્પને શેખર આપ્યો હતો તથા ખંધાપણું દૂર થયું હતું એવી કુન્જાએ જેને વિલેપન કર્યું હતું એવો પ્રશ્ન સત્યભામાના ઘર પાસે આવ્યા. ભિક્ષા માગતા તેને જોઈને દાસીઓએ સત્યભામાને જણાવ્યું કે, “ દેવિ ! રૂપાળે અને અને તેજના રાશિ જે કઈ બ્રાહ્મણપુત્ર ભેજન માગે છે. ” સત્યભામાએ કહ્યું, “ અતિ પ્રેમપૂર્વક તે ભલે જમે.” પ્રદ્યુમ્ન દેવીને ધન્યવાદ આપીને કહ્યું, “ખૂબ ભૂખ્યા થયેલા એવા મને ધરાતાં સુધી ભેજન આપવામાં આવે તો જ હું જમીશ ” સત્યભામાએ કહ્યું, “તારી ઈચ્છા હોય તેટલું જ મ.” પછી પ્રદ્યુમ્ન આસન ઉપર બેઠે. કનકનાં પાત્ર આપવામાં આવ્યાં. વારંવાર તેને અન્ન આપવામાં આવ્યું, તે ખાઈને પછી કહેવા લાગે, “દેવિ ! આ દાસીઓ પોતે જ બધું ખાઈ જાય છે અને મને આપતી નથી.” સત્યભામાએ દાસીઓને કહ્યું, “એને જોઈએ તેટલું આપો.” દાસીઓએ કહ્યું, “સ્વામિનિ ! બ્રાહ્મણના રૂપમાં આ વડવાનલ છે, અને તે તમારું આખું ભવન પણ ખાઈ જશે એમ અમને લાગે છે.” એટલામાં દેવી સત્યભામાએ સાંભળ્યું કે, “ કન્યાને લઈને આવતા સૈન્યને ભીલોએ લૂંટી લીધું છે.” ત્યાં પ્રધુને તેને કહ્યું. “દેવિ! જે મને ધરાઈને ભેજન ન આપવું હોય તે રૂકિમણી( રૂપબાઈ)ના ભવનમાં જાઉં છું. ” સત્યભામાં બોલી કે, “અત્યારે હું બીજા કામમાં રોકાયેલી છું, માટે રૂપબાઈના કે સોનબાઈના ગમે તેના ભવનમાં જા.” ૧. મૂળમાં હiળયાઇ વા સuિsiાઈ વા એવા શબ્દો છે. વળિયા ઉપર લેષ છે, તેને “ યુકિમણી ' તેમજ “રૂપાની બનાવેલી” એવા બે અર્થ થાય છે. આથી ચીટાયેલી સત્યભામાં “રૂપાની કે સેનાની ગમે તેને ઘેર જાએમ કહે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૧૭ ] આમ કહેવામાં આવતાં પ્રદ્યુમ્ન આચમન કરીને નીકળ્યો અને ક્ષુદ્રક-નાના સાધુનું રૂપ ધારણ કરીને રુકિમણીની પાસે ગયે. રુકિમણુએ તેને વંદન કરીને પૂછયું, “હે શુદ્રક ! તમારે શું જોઈએ છે? ” પ્રદ્યુમ્ન ઉત્તર આપ્યો કે, “હે શ્રાવિકા ! મેં લાંબા ઉપવાસ કર્યા છે. વિચાર કરું છું કે, માતાના સ્તનનું પણ આ પહેલા મેં પાન કરેલું નથી. માટે પારણામાં મને જલદી ખીર આપો.” રુકિમણીએ કહ્યું, “ ભલે ખીર આપીશું. થોડી વાર વીસામો લો, ખીર તૈયાર નથી, માટે થોડી વાર બેસો.” એટલે પ્રદ્યુમ્ન જઈને કૃષ્ણના સિંહાસન ઉપર બેઠો. રુકિમણીએ કહ્યું, “ક્ષુદ્રક! આ આસન તો દેવતા વડે રક્ષાયેલું છે. રખેને તમને કંઈ હાનિ થાય, માટે બીજા આસન ઉપર બેસો.” પ્રદ્યુ. ને કહ્યું, “અમ તપસ્વીઓ ઉપર દેવતાનું કંઈ ચાલી શકે એમ નથી.” પછી દેવીએ દાસીઓને આજ્ઞા આપી, “ જલદી ખીર તૈયાર કરે, જેથી તપસ્વી દુઃખી ન થાય” પણ પ્રદ્યુમ્ન અગ્નિને જ થંભાવી દીધે, આથી દૂધ ગરમ જ થઈ શકતું નહતું. એટલામાં સત્યભામાએ મોકલેલે ઘાયજે રુકિમણ પાસે આવીને કહેવા લાગ્યા, “દેવિ ! તમારા કેશ આપો.” પ્રદ્યુને કહ્યું, “કાશ્યપ (હજામ)! મુંડન કરતાં આવડે છે?” ઘાંયજાએ કહ્યું, “હા!” પ્રદ્યુમ્ન પૂછયું, “ બદરમુંડન આવડે છે?” ઘાંયજાએ ઉત્તર આપ્યો “એ તે નથી આવડતું.” પ્રદ્યને કહ્યું, “આમ આવ; તને એ શિખવું.” પછી તેણે ઘાંયજાની ચામડી સાથે વાળ ઉખાડીને નસો હાથમાં આપી, અને કહ્યું, “બદરમુંડન આવું થાય છે.” રુધિરથી રંગાયેલા શરીરવાળો હજામ ત્યાંથી ગયે. આ તરફ, સાધુ સાથે વાતચીત કરતી અને દાસીઓને ત્વરા કરવા માટે પ્રેરતી રુકિમણીને પાને ચાલ્યો અને તેનાં લચને પ્રફુલ્લ થયાં. શુદ્રક પણ માતાનું દર્શન કરતાં પ્રફુલ મુખવાળે થયે. એટલામાં યાદવકુળના વૃદ્ધો ઘાંયજાઓને સાથે લઈને આવ્યા, અને તેમને આસન આપવામાં આવ્યાં તે ઉપર બેસીને કહેવા લાગ્યા કે, “અમને દેવે મોકલ્યા છે, માટે હે દેવિ ! કેશ આપે.” રુકિમણીએ કહ્યું, “જ્યારે ફુરસદ મળશે ત્યારે કેશ આપી શકાશે, માટે તમે જાઓ.” ત્યાં અને કહ્યું, “અરે, એક વસ્તુ પૂછું છું. શું યાદવોનો એ કુલાચાર છે કે વિવાહમાં વાળથી મંગલકમ કરવામાં આવે છે?” વૃદ્ધોએ કહ્યું, “એ કુલાચાર નથી, પણ આ તે દેવીઓ વચ્ચે શરત થઈ હતી.” પછી એ વૃદ્ધનાં વસ્ત્રો આસનો સાથે ચોંટી ગયાં. સાધુએ કહ્યું, “અરે, તમે આસને ઉપાડી જવા માટે આ વસ્ત્રો ચોંટાડી દીધાં કે શું ?” આથી શરમાઈને તે વૃદ્ધો ચાલ્યા ગયા. પછી પ્રદ્યુમ્ન હજામને કહ્યું, “અરે ! દેવીનું મુંડન કરવાની તમને આજ્ઞા આપવામાં આવી છે, માટે કરો.” એટલે ભાન ભૂલીને તે હજામે એકબીજાનું મુંડન કરવા લાગ્યા. જેઓમાંના કોઈના માથાનો એક ભાગ મુંડાય છે, કોઈનું અધું માથું મુંડાયું છે, કેઈની અર્ધી દાઢી મુંડાઈ છે અને કેઈએ ૨. બોરનું છોતરું ઉખાડી લેવાય તેવી રીતે જેમાં વાળ સાથે ચામડી પણ ઉખાડી લેવામાં આવે એ પ્રકારનું મુંડન, Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] વસુદેવ–હિંડી: : પ્રથમ ખંડ : વાળ પેાતાના હાથમાં લીધા છે એવા તે હજામા દાસીઓના ઉપહાસ પામતા ત્યાંથી ચાલ્યા ગયા. ! : એ પછી નારદ ત્યાં આવ્યા. રુકિમણીએ તેમને કહ્યુ, “ આ તમે જૂઠા પડ્યા છેા. ’ નારદ એલ્યા, “ દેવિ ! જો પાસે જ બેઠેલા પુત્રને તમે ઓળખી ન શકે। તા ખીજું શુ થાય ? ” પછી પ્રદ્યુમ્ને પેાતાનું ખરું રૂપ બતાવ્યું અને અશ્રુપૂર્ણ નયનવાળા તે માતાને પગે પડ્યો. ઘણા કાળથી રૂંધાયેલાં આંસુ સારતી માતાએ તેને આલિંગન આપ્યું, “હું પુત્ર! તું ભલે આવ્યા, હજારો વર્ષ સુધી તુ જીવજે. ” એ પ્રમાણે તેને આશીર્વાદ આપ્યા અને ખેાળામાં બેસાડીને મુખમાં સ્તન આપ્યા. દેવીની દાસીએ પણુ પગે પડીને રડવા લાગી. નારદે કહ્યું, “ કાલાહલ કરશે! નહીં. કુમાર ! સામાન્ય માણસની જેમ પિતાની પાસે જવુ' તારે માટે ચૈગ્ય નથી. '' પ્રદ્યુમ્ન પૂછ્યું, “ તા કેવી રીતે જવું ? ” નારદે ઉત્તર આપ્યા, “ દેવીનુ હરણુ કર, પછી યાદવામાં ચંદ્ર સમાન કૃષ્ણના પરાજય કરીને. સૈા જાણે તેવી રીતે કુલવૃદ્ધોને વંદન કરજે. '' રુકિમણીએ કહ્યું, ૮ આર્ય ! યાદવા બળવાન છે. રખેને કુમારને શરીરપીડા ન થાય, માટે આવું ન એલશેા. ” નારદ એલ્યા, “ દૈવિ ! તમે કુમારના પ્રભાવ જાણતાં નથી. પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે રક્ષાયેલે તે પેાતાના પરાક્રમથી અને મારી સહાયથી સર્વ રાજાએ સાથે યુદ્ધ કરવાને સમર્થ છે, તેા માત્ર યાદવેાની શી વીસાત? માટે ડરશે! નહીં. એમ કરવાથી પિતા– પુત્રના ઉજજવળ મેળાપ થશે. ” નારદના અભિપ્રાયને અનુકૂળ થયેલી રુકિમણીએ પણુ આ વસ્તુ માન્ય રાખી. પછી નારદે રથ વિકુબ્યો. એમાં પરિચારિકાએ સાથે રુકિમણી બેઠી. મેાટા સાદથી નારદે ઘેષણા કરી કે, “ રુકિમણીનું હરણ થાય છે, માટે ખળ દર્શાવીને રાકેા. ” એ સાંભળીને હાથી, ઘેાડા અને રથ સાથે યાદવ ચાન્દ્રાએ નીકળ્યા. પ્રકૃમિ વિદ્યાના પ્રભાવથી પ્રદ્યુમ્ને ઘેાડા અને હાથીને નિર્મૂળ કરી નાખ્યા અને આયુધાને નિષ્ફળ બનાવ્યાં. આ પ્રમાણે તેને પરાજય કરવાને અસમર્થ એવા યાદવે! રથ વગરના થઇને પ્રેક્ષકાની જેમ ઊભા રહ્યા. પછી કૃષ્ણ આવ્યા અને તેમણે શંખ હાથમાં લીધેા. પ્રદ્યુમ્ને પ્રજ્ઞપ્તિને આજ્ઞા આપી કે, “ શંખ ધૂળથી ભરી દે. ” આથી શંખ વાગી શકયા નહીં. પછી કૃષ્ણે પ્રદ્યુમ્નને ખાણુ વડે ઢાંકી દેવા માંડ્યા, પણ પ્રદ્યુમ્ને ક્ષુરપ્ર અને અર્ધચંદ્ર માણેાથી એ માણેાના ટુકડેટુકડા કરી નાખ્યા. રાષ પામેલા કૃષ્ણે ચક્ર મૂકયુ. એટલે ભયભીત થયેલી રુકિમણીને નારદે કહ્યુ, “ વિષાદ ન કરશે. કુમારના શરીરને ચક્ર કઈ નુકશાન નહીં કરી શકે. ” સુદર્શન ચક્ર પણ પ્રદ્યુમ્નના રથને પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું. કૃષ્ણે તેને પૂછ્યું, “ કાર્ય સિદ્ધ કર્યા સિવાય મારી પાસે કેમ પાછું આવે છે ? ” ચક્રના અધિષ્ઠાયક યક્ષે ઉત્તર આપ્યા કે, “ દેવ ! ક્રોધ કરશેા નહીં. આયુધરત્નાના એ ધર્મ છે કે સ્વામીના Page #174 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૧૯ ] શત્રુને મારો અને સ્વજનનું રક્ષણ કરવું. આ રુકિમણી દેવીથી થયેલ તમારો પુત્ર છે અને આજે નારદ તેને અહીં લાવ્યા છે. નારદના કહેવાથી જ તેણે દેવીનું હરણ કર્યું છે.” આ સાંભળીને શાન્ત થયેલા કૃષ્ણ “પ્રિય વસ્તુનું નિવેદન કરનાર એવા તારી પૂજા કરીશ” એમ બેલીને પ્રધુમ્નને પ્રીતિથી જાણે કે પીતા હોય તેમ ઊભા રહ્યા. નારદે પ્રદ્યુમ્નને કહ્યું, “પ્રદ્યુમ્ન ! ચક્રરને રહસ્ય ખેલી દીધું છે, માટે પિતા પાસે જા.” પછી નારદ સહિત પ્રદ્યુમ્ન પિતા પાસે ગયે. પ્રણામ કરતા તેને અશુપૂર્ણ નયનવાળા પિતાએ ખેળામાં બેસાડ્યો અને તેનું માથું સૂછ્યું, મહાફળ આપનાર આશીર્વાદથી તેનું અભિનંદન કર્યું અને ભારે ઠાઠમાઠથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. કુલવૃદ્ધો અને યાદવ રાજાઓની નયનમાલાઓ વડે જાણે કે ગ્રહણ કરાતા રૂપવાળે તે પ્રધુમ્ન, આદિત્યયશ જેમ ભારતના ઘરમાં પ્રવેશે તેમ, રુકિમણના ઘરમાં પ્રવે. તેને યુવરાજ તરીકે અભિષેક કરવામાં આવ્યો. દુર્યોધન રાજાની પુત્રીનું તેણે ભાનુ સાથે લગ્ન કરવાની રજા આપી. શરમાઈ ગયેલી સત્યભામાએ પણ તેનો સત્કાર કર્યો. પછી દ્વારવતીના લોકો વડે “ આ પ્રદ્યુમ્ન રૂપાળ, તેજસ્વી, વિનીત, પ્રિયભાષી, સત્વયુક્ત, શરણ લેવા લાયક અને દાતા છે” એ પ્રમાણે પ્રશંસા પામતો તે સુખપૂર્વક રહેવા લાગ્યો. તેની ઈચ્છા નહીં હોવા છતાં, અત્યંત પ્રસન્ન થયેલા કૃણે વિદ્યાધર અને માનવ રાજાઓની સમાન યૌવન અને ગુણવાળી કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું. પ્રાસાદમાં વસતે તે પ્રદ્યુમ્ન દેશૃંદુક દેવની જેમ ભેગ ભેગવતો સુખપૂર્વક રહેવા લાગ્યા. સાંબકુમારને જન્મ એકવાર કૃષ્ણ સત્યભામાને ઘેર ગયા હતા ત્યારે સત્યભામાએ તેમને વિનંતિ કરી, “દેવ! જે સ્ત્રી પતિની માનીતી નથી હોતી તેનાં બાળકો મંદ રૂપવાળાં અને નિસ્તેજ થાય છે. જે સ્ત્રી પતિને વહાલી હોય છે તેનાં સંતાનો પતિના જેવા જ રૂપ અને ગુણવાળાં થાય છે. હું તમને અણમાનીતી છું અને રુકિમણી માનીતી છે, આથી ત્રણ સમુદ્રોવડે વીંટળાયેલી આ પૃથ્વીના તિલક સમાન પુત્ર તમે તેને આગે.” કૃણે કહ્યું, દેવિ ! એમ ન કહે. આખા અંત:પુરમાં તું યેષ્ઠ છે. આવું શું કામ બેલે છે ? ” એટલે સત્યભામાએ કહ્યું, “જે એમ હોય તો પ્રદ્યુમ્ન જેવો પુત્ર મને આપો.” કૃષ્ણ બેલ્યા, “દેવિ ! જે તારી આવી ઈચ્છા હોય તો હું હરિગમેષ દેવની આરાધના કરીશ, જેથી તારે મરથ સફળ થશે.” પછી કુલવૃદ્ધાને જણાવીને કૃષ્ણ અષ્ટમ ભક્ત કરીને પૌષધશાળામાં બેઠા. આકંપિત થયેલે દેવ બે, “જે માટે મારું સ્મરણ કર્યું છે તે વરદાન માંગ.” કૃણે કહ્યું, “દેવી સત્યભામા પ્રદ્યુમ્ન જેવો પુત્ર માંગે છે, માટે કૃપા કરે.” હરિગમેષીએ કહ્યું, “જે દેવી સાથે તમારે પ્રથમ સમાગમ થશે તેને પ્રદ્યુમ્ન જે પુત્ર થશે. આ હાર તમારે તે દેવીને આપ.” આમ કહીને દેવ ગયે. Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] વસુદેવ—હિ'ડી 66 " આ પ્રસંગની ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પ્રદ્યુમ્નને આપી. તપ પૂરું' કરીને કૃષ્ણ વાસઘરમાં ગયા. એટલે પ્રદ્યુમ્નને વિચાર થયા, સત્યભામા મારી માતા પ્રત્યે દ્વેષ રાખે છે. જો તેને મારા સરખા પુત્ર થશે તેા તેની સાથે મારી પ્રીતિ નહીં થાય, માટે શું કરવું ? ” વળી પાછે તેણે વિચાર કર્યા, “ જાંખવતી દેવી મારી માતાને તેના માતાની સગાઇથી મ્હેન થાય છે, માટે તેની પાસે જાઉં. ” પછી જાબવતીની પાસે જઇને તેણે પ્રણામ કર્યાં, અને આસન આપવામાં આવ્યું તે ઉપર બેસી એલ્યા, “ માતા! મારા જેવા પુત્ર તમને ગમે ખરા ? ” જાંબવતીએ કહ્યું, શું તું મારા પુત્ર નથી ? સત્યભામાને માટે દેવે તપ કર્યું છે, પછી મને તારા જેવા પુત્ર ક્યાંથી થાય ? ” એટલે પ્રદ્યુમ્ન ખેલ્યા, “હું તેા તમારા પુત્ર છું જ, પણ બીજો મારા જેવા પુત્ર થાય તે વધારે સારું ” જાખવતીએ કહ્યું, પણ એને ઉપાય શે ? ” પ્રદ્યુમ્ને કહ્યું, “ સંધ્યા પૂરી થવાના સમયે તમારું સત્યભામાના જેવુ રૂપ થશે. એ વખતે સત્યભામા પ્રસાધન-અલંકારાદિ પહેરવામાં અને દેવના પૂજનમાં રોકાયેલાં હાય ત્યારે તમે જલદીથી દેવ પાસે જજો. ” એમ કહીને પ્રદ્યુમ્ન પેાતાના ભવનમાં આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ જાંબવતીનું સત્યભામા જેવું રૂપ કર્યું. દાસીએ પણ કહ્યું, “ દેવિ ! તમે સત્યભામા જેવાં જ અન્યા છે. ” એટલે સન્તુષ્ટ થયેલી જાબવતી છત્ર, ચામર અને ઝારી ધારણ કરનારી દાસીએ સાથે પતિ પાસે ગઈ, અને સભાગ સુખ અનુભવીને તથા હારવડે અલંકૃત થઇને જલદી પાછી આવી. 46 : : પ્રથમ ખંડ : ,, પછી અલંકાર તથા આભૂષણા પહેરીને તથા કૌતુક-મંગલ કરીને સત્યભામા કૃષ્ણની પાસે ગઇ. કૃષ્ણે પૂછ્યું. “ દેવ ! વસ્ત્રો બદલીને ફરી વાર કેમ આપી છે ? સત્યભામાએ કાપ કર્યા અને મેલી, “ તમારી માનીતી કોઇ સ ંકેત કરીને આવી હશે, તેથી આવી રીતે મને ઠપકો આપે છે. ” કૃષ્ણે કહ્યું, “ દેવિ! મેં તા માત્ર મશ્કરી કરી હતી, માટે ક્રોધ ન કર, બીજી કયી સ્ત્રીની આજે અહીં આવવાની શક્તિ છે ? ” આ સાંભળીને સત્યભામા પ્રસન્ન મુખવાળી થઇ અને કૃષ્ણની પાસે રહીને પેાતાના ભવનમાં ગઈ. હવે, કૃષ્ણે વિચાર કર્યા કે, “ બિચારી સત્યભામાને કાઇએ છેતરી છે, માટે એ ખાખતમાં તપાસ કરું ” પછી કૃષ્ણ અતઃપુરમાં ફરીને જોવા લાગ્યા. અનુક્રમે ક્રૂરતાં જાબવતી પાસે પહોંચ્યા. હુંસેાના સમૂહવડે શેશભાયમાન જાણે કે શરદઋતુની ગંગા ડાય તેવી હારવડે શેાલતી જાંબવતીને તેમણે જોઇ. પ્રણામ કરીને જામવતીએ કૃષ્ણને વિનંતી કરી, “ દેવ ! આજે મને સ્વપ્ન આવ્યું તે સાંભળેા. ” કૃષ્ણે કહ્યું, “ કહે. ” જાખવતી એલી, “ સ્વપ્નમાં જાણે કે હું તમારી પાસે આવી, અને તમે મને હાર આપ્યા. જ્યારે જાગી ત્યારે મારા વક્ષ:સ્થળ ઉપર આ હાર મે જોયા, માટે આ સ્વપ્નનું ફળ કહેા. ” કૃષ્ણે વિચાર કર્યો કે “ નક્કી આ પ્રદ્યુમ્નનુ કામ હશે. ” પછી તેમણે જા ંબવતીને કહ્યું, “ દેવિ ! તને યાદવકુલના અલંકાર સમાન પુત્ર થશે. ” એટલે જાખવતીએ હાથ જોડીને કહ્યું, “ દેવ ! આપ કહેા છે! તે યથાર્થ છે. ” પછી કુંઢેલદેવ જાંબવતીના ગર્ભમાં આન્યા. ,, ,, Page #176 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૧ ] પૂરા મહિને જાંબવતીએ ઉત્તમ લક્ષણાવરે અકિત હથેળીએ અને પગનાં તળિયાંવાળા, વિકસિત કમળ જેવાં લેાચનવાળા અને ખીજના ચંદ્ર જેવા મનહર વદનચદ્રવાળા પુત્રને જન્મ આપ્યા. જાખીના પુત્રના જન્મ પછી તુરતજ મતિસાગર, અજિતસેન અને દારુકને ત્યાં પણ પુત્રજન્મ થવાના સમાચાર કૃષ્ણને આપવામાં આવ્યા. સમાચાર લાવના રાઓને કૃષ્ણે કહ્યુ, “ જાખવતી દેવીના પુત્રના એ મિત્રા થશે. ” એ સર્વેનું જાતકર્મ કર્યા પછી તેમનાં અનુક્રમે સાંબ, બુદ્ધિસેન, જયસેન અને સુદારક એવા નામ પાડવામાં આવ્યાં. પછી દેવકી, રુકિમણી, જાંબવતી અને પ્રદ્યુમ્નવડે લાલનપાલન કરાતા સાંખ સુખપૂર્વક ઉછરવા લાગ્યા. એક વાર કૃષ્ણને પગે પડાવવા માટે સાંખને લાવવામાં આવ્યે . કૃષ્ણે તેને રમાડવા લાગ્યા. એ વખતે કાલિંદસેના ગણિકા પણ સુહિરણ્યા નામે બાલિકાને કૃષ્ણને પગે પડાવવા આવી. કૃષ્ણે તેને પૂછ્યું, “ કાલિંદસેના ! આ તારી છેાકરી છે ? ” તેણે “આપ આજ્ઞા કરા છે. તેમજ છે ” એમ કહ્યું. કૃષ્ણે મેલ્યા, “ તેને કુમારની પાસે બેસાડ.” કાલિ ંદસેનાએ એ છેાકરીને કુમારના પાદપીઠ પાસે બેસાડી. રમત કરતાં એ બન્ને બાલકા એકબીજાને ભેટી પડયાં; એટલે કૃષ્ણે મંત્રી સામે જોયું. મંત્રીએ કહ્યું, “ એ યાગ્ય જ છે. ” પછી જેને ખેલવાની તક મળી છે એવી કાલિદસેનાએ કહ્યુ, “ દેવ ! આ કાંચનપુરના અધિપતિ હેમાંગદની પુત્રી છે. જો મારા ઉપર આપની કૃપા હોય તે આ છેાકરી કુમારકૃષ્ણે ૮ ભલે ’ એમ કહીને એ વસ્તુ સ્વીકારી, અને પછી કોસુહિરણ્યા કુમારી મારી પુત્રવધૂ છે, માટે કુમારના જેટલી જ કરી. ” આમ કહીને તે કન્યાને માકલી અને તે ઉછરવા લાગી. સાથે કલાચાર્ય સુમુખ પાસે મેાકલવામાં આવ્યે. ત્યાં તે "" ની સેવિકા ભલે થાય. મ્બિક પુરુષાને કહ્યુ, સંભાળથી તેનું પાલન સાંખને પણ તેના મિત્રા કલાએ શિખવા લાગ્યા. પીઠિકા ** રુકમીની પુત્રી વૈદર્ભી સાથે પ્રદ્યુમ્નનાં લગ્ન 66 એક વાર પ્રદ્યુમ્ન પેાતાની માતાને વંદન કરવા ગયા ત્યારે તેણે રુકિમણીને આંસુ સારતી જોઇ. તેણે પૂછ્યું', માતા ! દેવ સિવાય બીજા કેાઇએ તારા અપરાધ કર્યો હાય તા કહે, હું શિક્ષા કરું. ” રુકિમણીએ કહ્યુ, “ પુત્ર ! મેં તારા મામાં રુકમીને તારે માટે સદેશે! મેકલ્યા હતા. તેની કન્યા વૈદભી મારા જેવા રૂપવાળી છે. પણ તે તે 6 કહે છે કે, મારી કન્યા હું ચાંડાલેાને આપીશ, પણ રુકિમણીના પુત્રને નહી આપું. ' આથી મને ક્રોધ થયા હતા. ” પ્રદ્યુમ્ને કહ્યું. “માતા ! તું ધીરજ ધર, એ ચાંડાલેાને જ કન્યા આપશે. ,, ૧. મતિસાર અને અજિતસેન એ યાદવે છે અને દારુક કૃષ્ણના સારથિ છે. ૧૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ : - - - | [ ૧૨૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પછી સાંબને સાથે લઈને પ્રદ્યુમ્ન ભોજકટ નગરમાં ગયો. ચાંડાલેને વેશ ધારણ કરીને એ બન્ને જણા જળાશયની પાસે બેઠા અને ગાયન ગાતા તેમણે બધા લોકોને વિસ્મય પમાડી દીધા. એ જ માગે મત્ત હાથી પાણી પીવા માટે આવ્યા. હાથીના માવતે કહ્યું, અરે ચાંડાલ ! જલદી આઘા ખસે, નહીં તે હાથી તમને મારી નાખશે.” એટલે આ બે જણ બોલ્યા, “ આ કાયર હાથીને તું અહીં ન લાવીશ, નહીં તે અમારા કૂતરાઓ તેને ખાઈ જશે, ” આથી માવત ખીજાય અને હાથીને તેણે છૂટો મૂક્યો. પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી તેને ચારે કોરથી કૂતરાઓ વળગ્યા અને કપોલ, મુખ અને સૂંઢ ઉપર જેને કૂતરાઓ બચકાં ભરતા હતા એ તે હાથી માવતની સાથે ત્યાંથી નાશી ગયો. એથી બીજા હાથીઓ પણ ભયભીત થયા. પરસ્પરની ઉપર પડતા તથા સૂર્યાસ્તની વેળાએ ઘરો અને સાદડીના બનાવેલાં ઝુંપડાઓ ભાંગી નાખતા, વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરતા, જેમને જોઈને નગરવાસીઓ પડતા, આખડતા અને અવ્યવસ્થિત થતા હતા, નિરાશ અને હીલાં મુખવાળા થઈને ફાટ્યા અવાજે “સ્વામી ! ભાઈ! મામા ! મારું રક્ષણ કરે’ એમ બમ પાડીને નાસતા હતા–એવા તે હાથીએ ચારે બાજુ દોડવા લાગ્યા. રુકમીએ સંભ્રમપૂર્વક પૂછયું, “ નગરમાં આ કોલાહલ શેનો છે?” એટલે જેમણે કારણ જાણ્યું છે એવા પુરુષોએ કહ્યું, “દેવ! ચાંડાલેના કૂતરાઓએ હાથીને બચકાં ભર્યા. આથી તે હાથી ડરીને નાસતાં બીજા હાથીઓને પણ ભયભીત થયા. આ પ્રમાણે ભડકેલા અને દેડતા હાથીઓને કારણે નગરમાં ક્ષોભ પેદા થયો છે.” ઘણી વારે એ કોલાહલ શાન્ત થઈ ગયા. પછી એક વાર (પ્રજ્ઞપ્તિના પ્રભાવથી) ઉંદરોએ હાથીઓને બાંધવાનાં દોરડાં કાપી ખાધાં, એટલે હાથીઓ નિરંકુશપણે ફરવા લાગ્યા. ચાંડાલ-કુમારોએ પોતાની પાસેનાં દરડા ( રાજાના માણસોને ) બતાવ્યાં, અત્યંત મૂલ્યવાન એવા તે દોરડાં વેચીને તેઓ નગરમાં જાણીતા થયા. પછી સાંબે એક વાર ડોશીનું રૂપ ધારણ કર્યું, અને તે રુકમી પાસે ગયે. સાંબના શરીરનો આશ્રય કરીને રહેલી રહેલી પ્રજ્ઞપ્તિ કહેવા લાગી, “દેવ ! શ્રવણ કરો. અમે સાંભળ્યું છે કે તમે વૈદભી કુમારી ચાંડાલેને આપવાના છે. ક્ષત્રિય જૂઠું બોલતા નથી, માટે જે તમે અવશ્ય ચાંડાલોને જ કન્યા આપવાના હો તે આ મારા પુત્ર જેવો વર તમને બીજે કઈ મળશે નહીં, માટે આ બાબતમાં જે યોગ્ય લાગે તે કહે ” એટલે રોષથી રાતી આંખવાળે રુકમી બોલ્યો, “જા, નીકળ અહીંથી. મને વિચાર કરવા દે.” પછી તે ગઈ એટલે પ્રતિહારને બોલાવીને કહ્યું, “તેં ચંડાળાને કેમ પ્રવેશ કરવા દીધા?” પ્રતિહારે ઉત્તર આપ્યો, “દેવ! પ્રવેશ કરતાં તે મેં એમને જોયા જ નહતા; માત્ર અંદર આવ્યા પછી જ તેઓ મારી નજરે પડ્યા.” પછી રાજાએ પોતાના સભાસદોને Page #178 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૨૩] પૂછયું, “આ ચાંડાલે અહીં કન્યા માગવા આવ્યા હતા. તમારામાં કઈ એવું નહોતું કે જે તેમને તિરસ્કાર કરે ?” સભાસદોએ કહ્યું, “સ્વામી! એ ચાંડાલવૃદ્ધાની આંખમાંથી મચ્છરોની વૃષ્ટિ થતી હતી. એ મચ્છરોવડે અમારી આંખો ઢંકાઈ ગઈ, અને મચ્છરોએ અમને ચટકા ભર્યા એટલે અમે મૂંગા થઈ ગયા. એ વૃદ્ધાની સાથે મછરો પણ ચાલ્યા ગયા છે.” આ પછી રાજાને મંત્રીઓની સાથે મંત્રણ થઈ કે “ચાંડાલનું રૂપ ધારણ કરનાર એ તેજસ્વી તરુણ કેણ હશે, કે જેની પાસેના કૂતરાઓએ હાથીને પણ ભગાડી દીધો.” કેઈએ કહ્યું, “દેવ ! કોઈ દેવ અથવા વિદ્યાધર આ રૂપ ધારણ કરીને કુમારીને વરવા ઈચછે છે. પ્રવેશ કરતા અથવા બહાર નીકળતો પણ દેખાતો નથી, માટે એમાં કંઈ સંશય નથી. રખેને એ આપણને કંઈ નુકસાન કરે, માટે એને ધમકાવો જોઈએ નહીં. ” ત્યારે રાજાએ પૂછયું, “એને કયા ઉપાયથી નિવાર?” મંત્રીઓએ કહ્યું કે, “કુમારીને સ્વયંવર આપવામાં આવ્યો છે, એમ કહેવું.” બીજે દિવસે પેલી ચાંડાલવૃદ્ધા રત્નો લઈને રાજા પાસે આવી. સેવકોને તેણે રત્નો આપ્યાં અને પૂછ્યું, “દેવ! શું તમે વિચાર કરી લીધો ? જવાબ આપો, એટલે વખતસર મારે બીજે વિચાર કરવો હોય તે તે પણ કરી શકું.” રાજાએ સભા સામે જોયું, તે સર્વે સભાસદે મનવ્રત ધારણ કરીને બેઠા હતા. પછી રાજાએ ચાંડાલવૃદ્ધાને કહ્યું, “વૈદભી કન્યાને મેં સ્વયંવર આપેલો છે, આથી તેના ઉપર મારો અધિકાર નથી.” વૃદ્ધાએ કહ્યું, “જો એમ હોય તે કન્યા મારા પુત્રને જુએ. પછી ભલે તે જ નિર્ણય કરી લે.” રાજાએ કહ્યું, “ભલે, એમ થાઓ; પરંતુ તમે અહીંથી જાઓ.” એટલે અદષ્ટ રીતે ચાંડાલે ચાલ્યા ગયા. પછી સભાસદને રાજાએ પૂછયું, “તમે કોઈ કેમ કંઈ બોલ્યા નહીં?” ત્યારે તેઓએ ઉત્તર આપે, “દેવ ! શું બોલીએ? અમે તે અત્યારે જ ભાનમાં આવીએ છીએ. દેવ! આ રૂપ ધારણ કરીને કોઈ (દેવ અથવા વિદ્યાધર) છલના કરવા ઈચ્છે છે, માટે તેને તિરસ્કાર કરશો નહીં.” પછી પ્રદ્યુમ્ન વૈદભીને પિતાનું રૂપ બતાવ્યું. વૈદભએ સાંબ અને પ્રદ્યુમ્ન બને જણને જોયા, અને પૂછયું, “ અહીં આવેલા દેવરૂપી તમે કોણ છે? અને કેમ આવ્યા છે?” તેઓએ જવાબ આપે, “અમે સાંબ અને પ્રદ્યુમ્ન છીએ; તેં અમારાં નામ કદાચ સાંભળ્યા હશે. મામા એમ બેલ્યા હતા કે, “વૈદભી હું ચાંડાલોને આપીશ, પણ પ્રદ્યુમ્નને નહીં આપું,” માટે અમે ચાંડાલેને વેશ ધારણ કરીને તેમની પાસે કન્યા માગી, પણ તેઓ કહે છે કે “કન્યાને સ્વયંવર આપ્યો છે. તો જે તને અમારી સાથે આવવાનું રુચતું હોય તે કહે, અમે તને હરી જઈએ.” પ્રશ્નના રૂપથી મોહ પામેલી કન્યાએ કહ્યું, “પિતા રજા આપે તે હું તમારે આધીન છું. ” એટલે તેઓ પાછા ગયા, અને ફરી રાજાને કહ્યું, “કુમારીને પૂછી જુઓ, નકામો વિલંબ શા સારું કરો છો?” Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] વસુદેવ-હિંડીઃ : પ્રથમ ખંડ : રાજાએ વૈદભીને બોલાવી. વૈદભીએ ચાંડાલોને તેમના ખરા સ્વાભાવિક રૂપમાં જોયા. રાજાએ તેને કહ્યું, “પુત્રિ! આ ચાંડાલ જે તને ગમતું હોય તે તેને વર.” કન્યાએ કહ્યું, “તમે પહેલાં જ મને ચાંડાલેને આપી છે. હવે શું પૂછો છે? તમારી જે એવી જ વાણી નીકળી છે તે પછી મારે ચાંડાલિશું થવું જ જોઈએ.” એટલે રોષ પામેલે રુકમી બે, “જે તારું મન એમજ છે તો જા, મારી સામે ન આવીશ.” રુકમીએ આમ કહ્યું એટલે તે વૈદથી કન્યા પિતાને પ્રણામ કરીને, પદ્મવનમાંથી જેમ લક્ષમી નીકળે તેમ, ભવનમાંથી નીકળી અને પ્રદ્યુમ્ન અને સાંબની સાથે ચાંડાલેના કુંડ પાસે ગઈ. રૂપ અને ગુણથી જેમનાં હદયો હરાઈ ગયાં છે એવા નગરજનો વડે અલકાતાં તે ત્રણે જણ ભેજકટ નગરમાંથી નીકળ્યાં અને પ્રજ્ઞપ્તિએ ભજન-વસ્ત્રાદિની સામગ્રી લાવી આપતાં વિધ્યાચળની પાસે રહ્યાં. પ્રદ્યુને લગ્નને માટે દિવ્ય સમૃદ્ધિવાળો રત્નમંડિત પ્રાસાદ વિકુવ્યું. પછી સુન્દર આભરણ અને વસ્ત્રોથી વિભૂષિત પુરુષોને રુકમી પાસે મોકલ્યા. તેમણે પરિવાર સહિત રાજાને તથા બ્રાહ્મણે અને નાગરિકોને આમંત્રણ આપ્યાં કે, “જે અમારો સંબંધ અને પ્રીતિ ઈચ્છતા હો તે કાલે વહૂ ઉપર અક્ષત નાખવાને માટે આવજે.” આમ કહીને તે પુરુષો ગયા એટલે રાજાએ જાસૂસ મોકલ્યા. તેમણે પ્રકૃતિને પરિવાર અને સમૃદ્ધિ જોયાં, અને વિસ્મય પામેલા તેમણે જે જોયું હતું તે રાજાને કહ્યું. બ્રાહ્મણે અને નાગરિકોએ વિચાર કર્યો કે, “રાજાના જમાઈની અવજ્ઞા થાય તેથી રખેને રાજા આપણું ઉપર કેપીને આપણે નાશ કરે; માટે આપણે જઈએ.” રાજાને ખબર પડે તેવી રીતે તે બ્રાહ્મણ, નાગરિક અને માંડલિકે ગયા. વસ્ત્રો અને આભૂષણેથી પ્રદ્યુને તેમને સત્કાર કર્યો, ચાંડાલના ગુણોથી વિસ્મિત થયેલા તેઓ ભેજન કરીને પાછા આવ્યા. આ તરફ, પ્રદ્યુમ્ન, સાંબ અને વૈદભ ક્ષણ વારમાં દ્વારવતી પોંચી ગયાં. સાબે પ્રદ્યુમ્નને કહ્યું, “દેવ! ચાંડાલિનીના વેશમાં વૈદભીનો દ્વારવતીમાં પ્રવેશ થાય તો ખૂબ આનંદ પડે, કેમકે ભેજકટમાં પણ આપણે ચાંડાલોના વેશમાં હતા.” વૈદભી બેલી, સબસ્વામી ! શું હું ચાંડાલને વરી છું કે આવું બેલો છે? માટે કૃપા કરો. અહીં લાવીને મારી વિડંબના ન કરેશે.” એટલે સાંબે કહ્યું, “માતાની પાસે તમારે ક્ષણવાર જ ચાંડાલને વેશ કરવાનું છે, માટે ચાંડાલનો વેશ લઈને વીણુઓ વેચો.” પ્રદ્યુમ્ન પણ કહ્યું કે, “ભલે, એમ થાઓ.” પછી વૈદને રુકિમણુના ભવનના દ્વાર આગળ તેઓ લઈ ગયા. સાંબે અંદર જઈ પ્રણામ કરીને કહ્યું, “માતા ! દ્વાર પાસે ઊભેલી ચાંડાલિની વણાઓ વેચે છે.” રુકિમણીએ પૂછયું, “પુત્ર! એને અહીં કોણ લાવ્યું?” એટલામાં દાસીઓએ વૈદભને જોઈ અને દેવીને નિવેદન કર્યું કે, “સ્વામિનિ ! જે ભગવતી લક્ષ્મી પણ આટલી રૂપાળી હોય તે આશ્ચર્ય ગણાય. એ ચાંડાલિનીને જુઓ તે ખરાં.” તેણે વૈદભને Page #180 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૨૫ ] જોઈ, એટલે પ્રદ્યુમ્ન માતાને પગે પડીને બે, “માતા! મામાએ વૈદભી ચાંડાલેને આપી છે.” રુકિમણીએ પૂછયું, “કેવી રીતે ?” એટલે તેણે બધે વૃત્તાન્ત કહ્યો. કૃષ્ણને પણ આ સમાચાર આપવામાં આવ્યા. રુકિમણું પ્રસન્ન થઈ. પ્રિય પુત્ર તરીકે પ્રદ્યુમ્ન તેને માનીતે થયો અને વહુને પણ તેણે સત્કાર કર્યો. મુહિરણ્યાનું નૃત્ય - હવે, સાંબ મિત્રોની સાથે કલાઓ ભણવા લાગ્યો. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યું અને બીજા કૃષ્ણ જે થયે. કુમારે પહેરેલે તેને પુષ્પશેખર બુદ્ધિસેન તેની પાસેથી માગીને ક્યાંક લઈ જતા હતા. એ જ પ્રમાણે તેણે બદલેલાં વસ્ત્રો તથા તેને ખાતાં વધેલાં લાડુ “એકાન્તમાં ખાઈશ” એમ કહીને તે લઈ જતો. . એક વાર કંચુકી આવ્યા, અને રથ પકડીને સાંબને વિનંતી કરી, “કુમાર! દેવે આજ્ઞા કરી છે કે-રત્નકરંડક ઉદ્યાનમાં સુરહિરણ્યા અને હિરણ્યા નામે ગણિકાપુત્રીઓ નૃત્ય બતાવશે, માટે તમારે પ્રેક્ષકોની સાથે ત્યાં આવવું.” પ્રસન્ન થયેલે સાંબ મિત્ર સહિત રથ ઉપર બેઠે અને સુધારક તેને સારથિ છે. માર્ગમાં રથનાં પિડાને સમારવા માટે રથ ઊભે રાખવો પડ્યો. ત્યાં એક રૂપાળી કન્યા આવી અને તેણે સાંબકુમારને પ્રણામ કર્યા. બુદ્ધિસેને કુમારને ધીરેથી કહ્યું, “આર્યપુત્ર ! તમારા મુકુટનાં છેગાં લટકે છે, તે બે હાથથી ઊંચાં કરે.” સાંબે એમ કર્યું. તે જ વખતે રથના ઘોડાઓએ હણહણાટ કર્યો, સાંબે શુભ શુકનરૂપ હોવાથી તે શબ્દને ઈચ્છો. પછી તેણે બુદ્ધિસેનને પૂછયું, “આ પ્રમાણે સ્પષ્ટ ચેષ્ટા કરનારી આ કેણ હશે?બુદ્ધિસેને ઉત્તર આપે, “કોઈ કુલકન્યા હશે.” પછી બધા ઉદ્યાનમાં ગયા. પ્રેક્ષકો સભામાં બેઠા. ત્યાં નાયિકાગલકર વડે બધી નૃત્યવિધિ બતાવવાની હતી. હિરણ્યાએ તે બતાવી. ઉદક-પરિક્ષય પૂરો થતાં સહિરણ્યા પિતાનું નૃત્ય બતાવવા લાગી. બુદ્ધિસેન સાંબની સામે ઊભે રહ્યો, તેને જયસેને કહ્યું, એક બાજુએ ઊભે રહે. ” બુદ્ધિસેને કહ્યું, “આ પ્રેક્ષકો મને ધક્કા મારે છે. ” પછી નૃત્યના બત્રીસ નાટ્યભેદે વિધિપૂર્વક સહિરણ્યાએ બતાવ્યા. નાલિકામાં વધેલા પાણીથી ઉપાધ્યાય નાટ્યાચાર્યું તેને સ્નાન કરાવ્યું. એ વખતે બુદ્ધિસેન સાંબની આગળથી ખસી ગયે. જેનો અભિષેક થઈ રહ્યો હોય એવી લક્ષમી જેવી સુહિરણ્યાને કુમારે જોઈ તેણે ૧. આ બધી વસ્તુઓ બુદ્ધિસેન છાની રીતે સુહિરણ્યા માટે લઈ જતો હતો. ૨. આ કોઇ પ્રકારની નૃત્યવિધિ હેવી જોઈએ. અમુક પ્રકારની નળીમાંથી પાણી ગળતું જાય અને તે ગળી રહે ત્યારે નૃત્ય પણ પૂરું થાય એવું કંઈક હશે, એમ અનુમાન થાય છે. ૩, નલિકામાંથી પાણી ગળી રહ્યું તે સમયે. Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પણ રતિ કામદેવને જુએ તેમ આદરપૂર્વક સાંબને જે. પછી મિત્ર સાથે સાંબ રથમાં બેસીને પાછા નગર તરફ ઊપડ્યો. પુરુષના ભેદ માર્ગમાં સેને સાંબને કહ્યું, “આર્યપુત્ર! બુદ્ધિસેન બિચારો નિર્માલ્ય અને બોલવામાં જ બળ બતાવનાર છે. જે પ્રેક્ષકેની) ભીંસ સહન ન કરી શકે તે કાપુરુષ છે. ” બુદ્ધિસેને કહ્યું, “આંધળો જેમ રૂપના ભેદ ન જાણે તેમ તું પુરુષના ભેદ પણ જાણતો નથી.” જયસેને કહ્યું, “તું હોંશિયારી બતાવે છે, એટલે જાણતો હોઈશ. કહે, કેટલા પ્રકારના પુરુષ હોય છે? એટલે તારું જ્ઞાન જાહેર થશે.” બુદ્ધિસેન બોલ્યો, “અર્થ, ધર્મ અને કામની દષ્ટિએ પુરુષોના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા વિભાગ થઈ શકે. તેમાં અર્થના વિષયમાં, જે પિતા અને પિતામહે ઉપાર્જન કરેલું ધન ભેગવતાં છતાં વધારે છે તે ઉત્તમ, જે એ ધન ક્ષીણ થવા દેતા નથી તે મધ્યમ, અને જે ઊડાવી દે છે તે અધમ ધર્મના વિષયમાં બે પ્રકારના પુરુષ હોય છે-ઉત્તમ અને મધ્યમ. તેમાં સ્વયંબુદ્ધ (બીજાના ઉપદેશ સિવાય જેને તત્વજ્ઞાન થાય) તે ઉત્તમ અને બુદ્ધબોધિત (આચાર્યવડે બંધ પમાડાયેલ ) તે મધ્યમ. કામના વિષયમાં પુરુષોના ત્રણ ભેદ હોય છે. જે પોતે બીજાને ઈરછે અને બીજાવડે ઈચ્છાય તે ઉત્તમ; જે બીજાવડે ઈચ્છાય પણ પિતે તેને ન ઈચ્છે તે મધ્યમ, અને જે પિતે બીજાને છે પણ બીજા તેને ન ઈ છે તે અધમ.” જયસેને પૂછયું, “એમાંથી આર્યપુત્ર ક્યા પ્રકારના પુરુષ છે?” બુદ્ધિસેને ઉત્તર આપે, “અર્થ અને ધર્મની બાબતમાં કહી શકાતું નથી, પણ કામની બાબતમાં તો મધ્યમ છે (અર્થાત્ કન્યા તેને ઈચ્છે છે, પણ તે કન્યાને ઈરછત નથી).” જયસેને પૂછ્યું, “તું ક્યા પ્રકારનો છે?” તેણે ઉત્તર આપ્યો, “હું ઉત્તમ છું.” એટલે જયસેન કદ્ધ થઈને બોલ્યા, “અરે પંડિતમન્ય! તું આત્મપૂજક છે. સ્વામીને તું મધ્યમ કહે છે અને પોતાની જાતને “ઉત્તમ” તરીકે ઓળખાવે છે), માટે તેને શિક્ષા કરવી જોઈએ.” બુદ્ધિસેને કહ્યું, “તું અજ્ઞાન છે, જેની ઈચ્છા કરવામાં આવે છતાં જે ઈ છે નહીં તે પુરુષ મધ્યમ જ છે.” અજિતસેને પૂછયું, “વારુ, એમની કણ કામના કરે છે?” બુદ્ધિસેને ઉત્તર આયે, “નહીં કહું, જે તે પિતે મને પૂછશે તો જ કહીશ.” કુમારે તેને કહ્યું, “કહે.” એટલે તે કહેવા લાગે – બુદ્ધિસેનનું આત્મકથન-ભેગમાલિનીને સમાગમ હું એક વાર આપની સેવા કરીને ઘેર જતો હતો ત્યાં માર્ગમાં ચોપડે હાથમાં લઈને ઊભેલા પુરુષે મેં જોયા. તેઓ વાત કરતા હતા કે, “દ્વારવતીમાં જે પંડિત અને ૧. મળમાં પત્તસ્રવાસળ શબ્દ છે. તેને આ અર્થ સંદર્ભ ઉપરથી કપેલો છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા [ ૧૨૭ ] મૂર્તો હોય તેમનાં નામ લખીને મને આપે, એવો હકમ દેવે આપણને આપ્યો છે. માટે આ બુદ્ધિસેન પણ જે આ રથ ઉપર બેસે તો તેનું નામ પંડિતેની યાદીમાં લખીએ, અને ન બેસે તો મૂની યાદીમાં લખીએ.” મેં વિચાર કર્યો કે, “દેવની પાસે વંચાવવાના આ લેખમાં મારું નામ મૂર્ખાઓના અગ્રભાગમાં લખાય તે મારી નિન્દા થશે, માટે આ રથ ઉપર બેસવામાં શો દેષ છે?” આમ વિચાર કરતો હતો ત્યાં રથના સારથિએ મને કહ્યું, “ આર્યપુત્ર! રથ ઉપર બેસો.” એટલે નયનને મનોહર લાગે તેવાં રૂપો જેતે હું રથમાં બેઠો. સામેથી મત્ત હાથી ઉપર બેઠેલા માવતે કહ્યું, “ આર્ય ! આઘા ખસે; મારો હાથી વશમાં નથી.” એ વચન સાંભળીને સારથિએ રથને પાછો વાળે, અને ગણિકાઓના વાસમાં થઈને ચલાવ્યું. ત્યાં તરુણોનાં ઈષ્યો, પ્રણયક૫ અને અનુનયનાં વચન સાંભળો હું તરણયુક્ત તથા બલિકર્મ જ્યાં કરવામાં આવ્યું હતું એવા એક ભવન આગળ પહોંચ્યો. ત્યાં સારથિએ મને કહ્યું, “ઉતરે, અને ભવનમાં જાઓ.” હું અંદર ગયે, તો વિદ્યાઓથી વીંટાયેલી સરસ્વતી હોય તેવી, દાસીઓથી વીંટળાયેલી એક કન્યાને મેં જોઈ. તેણે પ્રણામ કરીને મને કહ્યું, “બુદ્ધિસેન ! તમારું સ્વાગત છે.” હું પગ પેઈને આસન ઉપર બેઠે, એટલે તેણે મને પૂછયું કે, “કયાંથી આવે છે ?” મેં ઉત્તર આપ્યો કે, “સાંગકુમાર પાસેથી.” એટલે તેણે તે તરફ મુખ કરીને હાથ જેડ્યા. પછી મને પૂછ્યું, “બુદ્ધિસેન ! ક્યા પ્રકારના વિદથી તમે દિવસો ગાળે છે?” મેં કહ્યું, “કલાઓના અભ્યાસથી.” એની પાસે દાસીઓ ઊભેલી હતી, પણ કોઈને જોઈને મારી દષ્ટિ પ્રસન્ન થતી નહતી. એટલામાં બીજી એક દાસી આવી. તે સુરૂપ હોઈ તેના ઉપર મારી નજર ઠરી. એટલે પેલી કન્યાએ મને કહ્યું, “બુદ્ધિસેન ! અત્યારે વડિલે પાસે જવાની જરૂર નથી; અહીં જ આરામ લો. આ ભેગમાલિની તમારું ચિન્તન કરે છે.” પછી તે કન્યા ત્યાંથી ગઈ, એટલે ભેગમાલિનીએ મને કહ્યું, “આર્યપુત્ર! રથમાં બેસવાથી તમે થાકી ગયા છો, ગર્ભગૃહમાં શમ્યા છે, ત્યાં વીસામો લે.” મેં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને ત્યાં સૂઈ ગયે, એટલે ભેગમાલિની મારા પગ ચાંપીને કહેવા લાગી, “આર્યપુત્ર ! હવે તમારું વક્ષ:સ્થળ દબાવું?” વિચાર્યું કે, “આ ચતુર દાસી છે, કે જે મારા પગ દબાવીને મારી છાતીનો સ્પર્શ કરવા ઈચ્છે છે. ” પછી તેણે કહ્યું, “સ્તન વડે તમારી છાતી દબાવું.” એમ કહીને તે સ્તનવડે મને દબાવવા માંડી. “ હાથવડે કરવામાં આવતી ચંપી કરતાં સ્તનના સ્પર્શમાં ઘણી વિશેષતા છે—” એવા એવા ઉપાયો વડે, હાથણી જેમ વનહસ્તીને રતિપ્રસક્ત કરે તેમ, તેણે મને પ્રેમાસક્ત કર્યો. પછી હું ત્યાંથી નીકળે, પણ પ્રણયના બંધનને કારણે વારંવાર ત્યાં જાઉં છું. મનને અનુકૂળ અને મધુર ભાષણ કરનારી ભેગમાલિનીએ એક વાર મને કહ્યું, “આર્યપુત્ર ! તમને અહીં લાવવાનું કારણ જાણે છે?” મેં કહ્યું, “સુન્દરિ! હું જાણતો નથી, માટે કહે.” તેણે કહ્યું, “સાંભળો– Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : nnnnnnnnnnnn સુહિરણ્યાને પરિચય અમારી સ્વામિની સુહિરણ્યા જ્યારે બાલ્યાવસ્થામાં હતી તે વખતે જ સાંખકુમારને તેનું વાગ્દાન કરવામાં આવ્યું હતું. દેવ(કૃષ્ણ)ની પાસે તે ઘણીવાર જતી હતી. એમ કરતાં તે મોટી થઈ ત્યારે કૃણે આજ્ઞા કરી કે, “કાલિંદસેના ! એ કન્યાને હવે મારા અત્યંતરોપસ્થાન–ગર્ભગૃહમાં લાવજે.” પછી એક વાર પોતાની માતા જતી હતી તેની સાથે સુહિરણ્યા ત્યાં જવાને માટે નીકળી, પણ માતાએ “તારે જવાનું નથી ” એમ કહીને તેને વારી. આથી જ્યારે માતા ગઈ ત્યારે સહિરણ્યાએ પિતાને ગળે ફાંસો ખાધો. દેવગે મેં તેને જોઈ અને બચાવી લીધી અને દોરડાને ફસો દૂર કરી, પલંગમાં સુવાડીને તેને આશ્વાસન આપ્યું. તેણે પૂછયું, “ભેગમાલિનિ ! હું કયાં છું?” મેં કહ્યું, “શયનમાં અને સ્વજનોના હૃદયમાં.” ફરી તેણે પૂછયું, “મને અહીં કેણ લાગ્યું ?” મેં ઉત્તર આપ્યો, “દેવતાઓ અને હું.” પછી મેં તેને પૂછયું, “સ્વામિનિ ! મરવાની બુદ્ધિ કયાંથી સૂઝી? એ મને કહે.તેણે કહ્યું, “સાંભળ, સખિ ! હું જ્યારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે કુમારને મારું વાગ્દાન કરવામાં આવ્યું હતું. મોટી થઈ ત્યારપછી કેટલીક વાર દેવના સભાસ્થાનમાં ગઈ હતી ત્યારે મેં કુમારને જોયા હતા, પરંતુ હવે તો તેમનું દર્શન પણ મને મળી શકતું નથી, માટે આત્મઘાતનો નિશ્ચય મેં કર્યો હતે.” કહ્યું, “સ્વામિનિ ! વિષાદ ન કરો. સાંભળે. તમારા કરતાં વિશિષ્ટ રૂપવાળી બીજી કયી કન્યા છે, જે કુમારના હૃદયમાં વસે ? ટૂંક સમયમાં જ તમારા હૃદયના ઈચ્છેલા મનોરથની પ્રાપ્તિ તમને થશે.” આ પ્રમાણે મેં તેને આશ્વાસન આપીને પછી તેની માતાને બધી વાત કરી. એટલે તેણે માવત તથા લેખકે, જે તેના મિત્ર હતા તેમની સાથે મંત્રણા કરી. તેમણે કહ્યું, “અમે દેવથી ડરીએ છીએ. બુદ્ધિસેન કુમારનો વિશ્વાસપાત્ર છે, માટે કુમારને કન્યાના ગુણે તે નિવેદન કરે એ શેભે. અમે બુદ્ધિસેનને આવા ઉપાયથી અહીં લાવીશું તમે આ પ્રકારના ઉપાયથી તેને વશ કરજે, એટલે તે કાર્ય કરશે. ” પછી રથિક, માવત અને લેખકોએ યુક્તિપૂર્વક તમારે અહીં પ્રવેશ કરાવ્યું. આ તે ગણિકાપુત્રી છે” એવા પ્રકારની મનોવૃત્તિ તમે ન રાખશે. કારણ સાંભળગણિકાઓની ઉત્પત્તિ પૂર્વકાળમાં ભરત નામે મંડલપતિ રાજા હતો; તે એક જ સ્ત્રીમાં અનુરક્ત હતા. સામંતએ તેને માટે કન્યાઓ મોકલી, પણ તે બધી તેમણે એકી સાથે મોકલી હતી. રાજાની સાથે પ્રાસાદમાં બેઠેલી દેવીએ તે સર્વેને જોઈ, અને તેણે રાજાને પૂછયું, “આ કોનું સૈન્ય છે?” રાજાએ ઉત્તર આપે, “ આ તો મારા સામંતોએ કુમારિકાએ મોકલી છે.” રાણીએ વિચાર કર્યો કે, “આપત્તિ આવ્યા પહેલાં જ તેને ઉપાય કરું, કેમ કે આટલી બધી કન્યાઓમાંથી એક અથવા વધુ કન્યાઓ કદાચ રાજાની માનીતી થાય.” Page #184 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - પીઠિકા [ ૧૨૯ ] આમ વિચાર કરીને રાણી બોલી, “આ પ્રાસાદ ઉપરથી હું ભૂસ્કે મારું છું.” રાજાએ પૂછયું, “દેવિ! એમ કેમ બેલે છે?” રાણીએ કહ્યું, “આ બધી કન્યાઓ અહીં આવી છે, તેમને જોઈને શેકથી દાઝતી હું દુખપૂર્વક મરણ પામીશ.” રાજાએ કહ્યું, જો તારે આવો જ નિશ્ચય છે તે કન્યાઓ ભવનમાં પ્રવેશ નહીં કરે.” રાણીએ કહ્યું, “જે એ વસ્તુ સત્ય હોય તે બાહ્યોપસ્થાન–બહારના સભાસ્થાનમાં તેઓ તમારી સેવા કરે.” રાજાએ “ભલે” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. પછી છત્ર-ચામરપારીઓની સાથે એ કન્યાએ રાજાની સેવા કરવા લાગી. અનુક્રમે તે કન્યાઓ ગણોને આપવામાં આવી. આવી રીતે ગણિકાઓની ઉત્પત્તિ થયેલી છે. અમિતયશા નામે ગણિકાને ઘણું બાળક થયા પછી કાલિંદસેના નામે પુત્રી થઈ હતી. તે કાલિંદસેનાની હેમાંગદ રાજાથી થયેલી પુત્રી આ સુહિરણ્યા છે. એની પ્રણયચિન્તા કુમાર જાણે તેમ તમે કરો.” મેં ભેગમાલિનીનું આ વચન સ્વીકાર્યું. અહિરણ્યાને પ્રતીતિ કરાવવા માટે તમારાં પુષ્પ, ગંધ, વસ્ત્ર અને તબેલ તેની પાસે હું લઈ જાઉં છું. ઉદ્યાનમાં જેને તમે જોઈ હતી તે સહિરણ્યા જ હતી. તે નૃત્ય કરતી ત્યારે હું આર્યપુત્રની સામે ઊભે રહ્યો હતો તેનું કારણ સાંભળે. સ્વામિનીની નજર જે આર્યપુત્ર ઉપર ચૂંટી જાય તો તે વિધિપૂર્વક નૃત્ય કરવાનું ચૂકી જાત; આથી હું તમારી સામે ઊભે રહ્યો હતે.” આ પ્રમાણે વાતચીત કરતા બધા આવાસમાં પહોંચ્યા. રાત્રે સાબે બુદ્ધિસેનને કહ્યું, “જા, તે સુહિરણ્યાને અહીં લાવ. હું પણ તેની કામના કરીશ અને “ઉત્તમ” પુરુષ થઈશ.” બુદ્ધિસેને કહ્યું, “કદાચ તે સ્ત્રીઓ માટે વિશ્વાસ નહીં કરે, માટે મને જયસેનની સહાય આપ.” પછી બુદ્ધિસેન અને જયસેન બને ગયા. બુદ્ધિસેને દાસીઓને કહ્યું, “મને કુમારે મોકલ્યા છે; સ્વામિનીએ તેમની પાસે આવવાનું છે.” દાસીઓએ કહ્યું, “તમારે કોણ વિશ્વાસ કરે ?” એટલે તેણે જયસેનને બતાવ્યું. જયસેને પણ કુમારની આજ્ઞા કહી. પછી આ સમાચાર કાલિંદસેનાને આપવામાં આવ્યા. કાલિંદસેનાએ કહ્યું, “થોડીવાર બેસો, ત્યાં સુધી કન્યાને શણગાર પહેરાવી લઉં.” એમ કહીને કાલિંદસેના જાંબવતી પાસે ગઈ અને બધી હકીક્ત તેને જણાવી. જાંબવતી વિચાર કરીને કૃષ્ણ પાસે ગઈ અને સાંબની ઈચ્છા તેમને જણાવી. કૃણે કહ્યું, “પછીથી રાજકન્યાઓ સાથે તેનાં લગ્ન કરીશું, અત્યારે સુહિરણ્યાને ભલે સે.” પછી જાંબવતીએ કાલિંદસેનાને રજા આપી. આ પ્રમાણે રજા મળતાં તેણે પોતાની પુત્રીને વાહનમાં બેસાડીને મેકલી. બુદ્ધિસેને કુમારને ખબર આપી અને કહ્યું, “આર્યપુત્ર! ૧૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : નિપુણ થજે.” કુમારે કહ્યું, “પ્રીતિ કેટલી વશવત છેપછી સહિરણ્યા વાસગૃહમાં પ્રવેશી અને શયનમાં બેઠી. ગર્ભગૃહનું દ્વાર બંધ કરીને બુદ્ધિસેન બહાર નીકળે. સહિરણ્યા સાંબનાં કેશ, વસ્ત્ર અને આભૂષણની જે રીતે રચના કરતી તેનું સાંબ અનુકરણ કરવા લાગ્યા. આવી રીતે, મેના જેમ પોપટને શિખવે તેમ, તેણે સાંબને શિક્ષિત કર્યો. પરમ પ્રીતિમાન એવાં તેમની રાત વીતી ગઈ. પ્રભાતે બુદ્ધિસેન આવ્યું, તેને સાંબે કહ્યું, વડીલે ન જાણે તેવી રીતે આ સુહિરણ્યાને મારા ભવનમાં લઈ જાઓ.” ત્યાં તે દેવીએ મેકલેલી પ્રતિકર્મચારીઓ (અલંકાર અને પ્રસાધનને લગતી સેવા કરનારી દાસીઓ) બને જણાને માટે પ્રસાધન, અલંકારો અને વસ્ત્રો લઈને આવી. એટલે “સુહિરાના આગમનની માતાને ખબર છે ” એમ જાણુને સાંબ ચિન્તામુક્ત થયે. સુહિરણ્યાની સાથે ઈરછાનુસાર પાંચ ઇન્દ્રિયના વિષયસુખમાં મુગ્ધ થયેલા એવા તેને સમય વીતવા લાગે. Page #186 -------------------------------------------------------------------------- ________________ અહીંથી સુખના પ્રારંભ થાય છે સાંબ અને સુભાનુની ક્રીડાઓ મુખ સાંખ અને ભાનુ એ બે જણુ એક વાર સભામાં ક્રીડા કરતા હતા ત્યારે તેમની વચ્ચે હાડ થઈ કે- જેનુ પક્ષી સુન્દર ખેલે તે એક કરાડ જીતે. ’ મીજે દિવસે ભાનુ પેાતાના પાપટ લઈને લાવ્યા. પ્રદ્યુમ્નના ઘેર ઉછેરવામાં આવેલી, સુન્દર રીતે સયેાજિત તથા સૂક્ષ્મ અને વિવિધ વર્ણની મનેાહર પાંખાવાળી અને જેને એક સ્થળે રામ ઉખડી જવાથી થયેલ ક્ષતમાં ખાર સીંચવામાં આવતા હતા એવી મેનાને સાંમ લઈ આવ્યેા. પછી ભાનુના પાપટ નીચે પ્રમાણે એ શ્લાક ખેલ્યા— सतेसु जायते सूरो, सहस्सेसु य पंडिओ | वत्ता सयसहस्से, दाया जायति वा न वा ॥ इंदियाण जए सूरो, धम्मं चरति पंडिओ | वत्ता सञ्चवओ होइ, दाया भूयहिए रओ ।। ( અર્થાત્ સેંકડામાં એક શ્રી થાય છે, હજારામાં એક પ ંડિત થાય છે, દશ હજારમાં એક વક્તા થાય છે; દાતા તેા એટલામાં પણ થાય કે ન થાય. ઇન્દ્રિયા ઉપર વિજય મેળવે તે શૂર, ધર્મ આચરે તે પંડિત, સત્ય વાણી ખેલે તે વક્તા અને પ્રાણીઓનું હિત કરવામાં રત હાય તે દાતા. ) આ પ્રમાણે પોપટ એલી રહ્યો. એટલે સાંબે મેનાને પ્રેરી કે, “ મેના ! તું પણુ કંઇક સુભાષિત એલ. ” એટલે મેના મેલી— सव्वं गीयं विलवियं सव्वं न विडंबियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ ( અર્થાત્ સર્વ ગીત એ વિલાપ છે, સર્વ નૃત્ય એ વિડંબના છે, સર્વ આભરણા એ ભાર છે, સર્વ ઈચ્છાએ દુ:ખદાયક છે. ) Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પછી જે સ્થળે ક્ષતમાં ખાર સિ ંચવામાં આવ્યેા હતા તે સ્થળે સ્પર્શ કરવામાં આવતાં મેના ચીસેા પાડવા લાગી, અને ચીસેા પાડી રહ્યા પછી ખેાલી, “ દેવ ! કાઇ મને પીડા કરે છે, મારું રક્ષણ કરો, હું' મરી જાઉં છું, મારી ઉપેક્ષા ન કરા, વૈદ્યોને જલદી ખેલાવા, એટલે તેએ મારી વેદનાના ઉપાય કરશે. મને દેવી પાસે લઈ જાએ. ” આ પ્રમાણે કરુણુ વિલાપ કરતી મેનાને સાંએ ફરીવાર પ્રેરી કે, “ સુરિ ! વિષાદ ન કર. તું કંઇક સુભાષિત ખેલ, એટલે પછી તુ કહીશ તે બધું કરીશું. ” એટલે મેના એલી उक्कामिव जोइमालिणिं, सभुयंगामिव पुष्फियं लतं । विबुधो जो कामवत्तिणिं, मुयई सो सुहिओ भविस्स || ( અર્થાત્ જ્યેાતિવાળી ( રૂપવાન ) ઉલ્કા જેવી, પુષ્પવાળી પણ ભુજંગ (અથવા પ્રણયી) સહિત લતા જેવી કામની કેડીના જે ડાહ્યો માણસ ત્યાગ કરે છે તે સુખી થશે. ) ખારથી સિંચાયેલા ભાગના સ્પર્શ કરવામાં આવતાં મેના ફરી પાછી ચીસેા પાડીને વિલાપ કરવા લાગી. તેને સાંએ ફરીને કહ્યું, “તું કઇક એલ. ” ત્યારે મેના ખેાલી— न सुयणवयणं हि निडुरं, न दुरहिंगंधवहं महुप्पलं । न जुवइहिययम्मि धीरया, न य निवतीसु य सोहियं थिरं ॥ ( અર્થાત્ સુજનનું વચન નિષ્ઠુર હાતુ નથી, કમળ દુર્ગંધવાળું હાતુ નથી, યુતિના હૃદયમાં ધીરતા હાતી નથી અને રાજાએમાં સ્થિર મિત્રતા હાતી નથી. ) “ આ પ્રમાણે આ મેના વિચિત્ર ખેલે છે' એમ (મધ્યસ્થાએ નિર્ણય આપતાં ) સાંમ જીત્યેા. ‘ પોપટ તા માત્ર એ જ શ્લાક એક્લ્યા છે ’ એ પ્રમાણે તેને પરાજિત થયેલે ગણવામાં આવ્યે . ભાજન વખતે જ્યારે સુભાનુને એલાવવામાં આવ્યા ત્યારે બધાએ તેને રાયા અને કહ્યું, “ હાડના એક કરેાડ આપ. ’ સત્યભામાએ આ સાંભત્યુ અને કૃષ્ણને ખબર આપી. તેમણે મેાકલેલા કચુકીએ સાંમને કહ્યું, “ કુમાર ! સાંભળે. ‘ ભાનુ જમ્યા પછી તમને હાડનું ધન આપશે' એમ દેવ આજ્ઞા કરે છે. ” સાંએ કહ્યું, “ જે એના સ્નેહી હાય. તે ધન આપીને એને લઇ જાય. અથવા શુ કરવુ તે એ ખરાબર જાણે છે. ” સુભાનુ તેા ભયને લીધે ગયા નહીં, એટલે આ સમાચાર કૃષ્ણને આપવામાં આવ્યા. તેમણે હાડનું ધન આપ્યુ, એટલે સુભાનુને સાંએ જવા દીધા. પાતાના જખરા ગાઠિયાઓને સાંએ સત્કાર કર્યાં, તથા પ્રિય પૂછનારાએ અને દીન-અનાથેાને તેણે ધન આપ્યુ. કેટલાક દિવસ વીત્યા બાદ ભાનુ ફરી કહેવા લાગ્યા, “ સાંખ ! આપણે હાડ બકીએ; જેની ગધ ઉત્કટ હાય તે એ કરાડ જીતે, ” સાંખે કહ્યું, “ તારી સાથે હેાડ નથી મુકવી; તુ હારીશ એટલે દેવને જઈને કહીશ. “ માતાએ દેવને કહ્યું હતુ, મૈં ,, ભાનુ આહ્યા, Page #188 -------------------------------------------------------------------------- ________________ મુખ [ ૧૩૩ ] * *** નહેતું કહ્યું.” એટલે સાબે “ભલે” એમ કહીને સાક્ષી રાખ્યા. પછી સાંએ વિચાર કર્યો, “ગંધયુક્તિ-સુગંધી પદાર્થોના મિશ્રણની બાબતમાં ભાનુને જીતી નહીં શકાય, કારણ દેવ પાસેના સુગંધી પદાર્થોથી તે વિલેપન કરશે, માટે નાસિકાને પ્રતિકૂળ એવાં દ્રવ્યનું મિશ્રણ હું કરું.” પછી તેણે ડુંગળી, લસણ, દારૂ, હીંગ વગેરે બકરાના મૂત્રમાં મિશ્રિત કરીને કેડિયાના સંપુટમાં આપ્યાં. સુભાનુ સુગંધી પદાર્થોનું વિલેપન કરીને એ પહેલાં જ સભામાં આવીને બેઠે હતો. ગંધ-વિધાનમાં કુશળ પુરુષોએ તેની પ્રશંસા કરી હતી. સાંબે સભાના દ્વાર આગળ જ નાસિકાને પ્રતિકૂળ એવા લસણ વગેરેના મિશ્રણથી વિલેપન કર્યું. એની દુર્ગધથી આક્રાન્ત થએલા સભામાં બેઠેલા કુમારો પિતાનાં નાક બંધ કરીને સબસ્વામી! આ ગંધ તે અતિ ઉત્કટ છે, માટે પ્રસન્ન થાઓ, અમને જવા દે, કૃપા કરે,” એમ બેલતા ચારે બાજુ નાસવા લાગ્યા. સાંબે કહ્યું, “ નિર્ણય આપે.” એટલે તેઓ બોલ્યા, “ભાઈ, તમે જીત્યા.” ભાનુએ કહ્યું, “પણ આની તે અશુભ દુર્ગધ છે.” સાંબે કહ્યું, “ઉત્કટ ગંધ વિશે હડ કરી હતી, શુભ અથવા અશુભ ગંધ વિષે કંઈ સ્પષ્ટતા કરી નહોતી.” મધ્યસ્થાએ સાંબને પક્ષ કર્યો. ભાનુને પરાજય થયે, એટલે તેને ત્યાં રોકવામાં આવ્યું. દેવી સત્યભામાએ રડતાં રડતાં આ વસ્તુ કૃષ્ણને કહી. કૃણે કંચુકી મોકલે, છતાં સાંબે ભાનુને છોડ્યો નહીં. જ્યારે શરત પ્રમાણેનું ધન આપવામાં આવ્યું ત્યારે જ તેને જવા દીધો. સાંબે એ ધન પિતાના સેવકમાં વહેંચી આપ્યું તેમજ પિતાના જબરા ગોઠિયાઓને આપ્યું. કેટલાક દિવસ વીત્યા બાદ ભાનુએ સાંબને કહ્યું, “આપણે ચાર કેટિની હોડ બકીએ; જેનાં આભૂષણોની શોભાની વિશેષતા હોય તે જીતે.” સાંબે કહ્યું, “તારી સાથે હોડ નથી બકવી, તું હારે છે એટલે દેવ પાસે જઈને ઊભો રહે છે.” પણ ભાનુએ જ્યારે આગ્રહ કર્યો ત્યારે સાંબે હોડ બકવાની હા પાડી. સાક્ષીઓ નક્કી કરવામાં આવ્યા. પછી સાંબ પ્રદ્યુમ્ન પાસે ગયો અને આ પ્રમાણે હોડ થયાની વાત તેને કરી. પ્રધુને કહ્યું, “થયું, કુમાર ! હવે તમે સુભાનુને જીતી રહ્યા! જે હવે તું જીતાઈશ તે નક્કી કર્યા પ્રમાણેનું ધન તેને આપવું પડશે.” સાંબે કહ્યું, “એ ભાનુ મને જીતી જાય પછી મારે જીવવાથી પણ શું? માટે મારે જય થાય તેમ કૃપા કરો.” પ્રદ્યુમ્ન સ્વીકાર્યું કે, “જા, એમ કરવામાં આવશે. નિરાંતે બેસ” પછી પ્રદ્યુમન શિવાદેવી (નેમિનાથની માતા) પાસે ગયે અને સાંબ-સુભાનુની હેડની વાત કરી તથા વિનંતી કરી કે, “માતાજે આભરણે દેએ અમારા કાકા અરિષ્ટનેમિને આપ્યાં હતાં તે પહેરવા માટે આપે.” શિવદેવીએ કહ્યું, “પુત્ર! પ્રદ્યુમ્ન ! તારે માટે કંઈ અદેય નથી, પરંતુ તારા કાકાનાં જે આભૂષણે છે તે ક્ષત્રિયે ધારણ કરતા નથી. તેથી તે માત્ર પહેરવા પૂરતાં લઈ જા. જો એમ ન હેત તો હું તે આભૂષણે તને આપી દેત.” શિવાદેવીને પ્રણામ કરીને તથા આભૂષણે લઈને પ્રદ્યુમ્ન ગયા અને સાંબને તે આપ્યાં. Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : સાંબ તે પહેરીને સભામાં ગયે, તે પહેલાં જ ભાનુ ખૂબ મૂલ્યવાન આભરણે પહેરીને સભામાં પહોંચી ગયો હતો તથા પ્રેક્ષકોએ તેની પ્રશંસા પણ કરી હતી કે, “નકકી, આ વખતે તું જીતીશ.” પરંતુ નક્ષત્રમાલા(એક પ્રકારની માળા) વડે વિરાજિત વક્ષ: સ્થળવાળે સાંબ વિદ્યુલલતા વડે અલંકૃત મેઘની જેમ શોભવા લાગે અને તેનાં આભૂષણની તિ વડે, સૂર્યના પ્રકાશથી જેમ આગિયાની ચમક નાશ પામે તેમ, સુભાનુનાં આભરણેની કાન્તિ ઝાંખી પડી ગઈ. “સાંબ જીત્યો છે” એમ મધ્યસ્થોએ નિર્ણય આપે. આ વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે રડતાં રડતાં કૃષ્ણને વિનંતી કરી, તમે લાડમાં ફટવી મૂકેલો આ સાંબ મારા પુત્રને જીવવા પણ દેતો નથી, માટે તમારાથી બની શકે તે તેને આમ કરતાં અટકાવો.” આ પ્રમાણે સત્યભામાએ વિનંતી કરી એટલે કૃણે કંચુકીને મોકલ્યો. તેણે સાંબને કહ્યું, “કુમાર ! સુભાનને છોડી દે, એને હવે હેરાન ન કરો–એ પ્રમાણે દેવે આજ્ઞા કરી છે.” સાંબે ઉત્તર આપ્યો, “હોડમાં તેને પરાજય થયો છે, એ વિષયમાં દેવને અથવા દાનવને શું કહેવાનું છે? શાસકે અપરાધીને શિક્ષા કરવી જોઈએ અને ન્યાયકારીનું પાલન કરવું જોઈએ.” કંચુકી પાછો ગયે અને તેણે સાંબનું વચન કૃષ્ણને કહ્યું. દેવી સત્યભામાએ કૃષ્ણને કહ્યું, “દેવ! મારા ઉપર જે તમારી કૃપા હોય તો સર્વસ્વ આપીને પણ મારા પુત્રને સાંબ પાસેથી છોડાવ.” આ પ્રમાણે પ્રેરાયેલા કૃણ સભામાં ગયા. ત્યાં તેમણે સભાસદોને પૂછયું. સભાસદોએ સાંબને વિજય થયાનું કહ્યું. ઈન્દ્રની જેમ અલંકૃત શરીરવાળા સાંબને કૃષ્ણ જે. કૃષ્ણ સાંબને કહ્યું, “સુભાનુને જવા દે; તમારી હાડ પ્રમાણેનું ઘન અમે આપીશું.” સાંબે કહ્યું, “સિંહના દાંત કોણ ગણી શકવાનું હતું? સુભાન તમને વહાલે હોય તેથી તેને લઈ જવો હોય તો ભલે લઈ જાઓ. અવધિ (સમય) થશે પછી આપવું હશે તે આપશે.” કણે કહ્યું, “અવધિ (હદ) તો તારામાં થાય છે, બીજે ક્યાંય નહીં. આ છોકરાને તું સુખે જીવવા પણ દેતો નથી અને તે પણ તારાથી આટલે હેરાન થયા છતાં રહેતો નથી. ” આ પ્રમાણે ધમકાવીને કૃષ્ણ સભામાંથી બહાર નીકળ્યા. જ્યારે ચાર કરોડ ધન આપ્યું ત્યારે જ સાબે ભાનુને છોડ્યો. બીજે દિવસે કૃષ્ણનું રૂપ ધારણ કરીને તથા નક્ષત્રમાલા વડે વિભૂષિત થઈને સાબ સત્યભામાના ભવન પાસે ગયો, અને સત્યભામાં જુએ તેમ ઊભા રહીને કુન્જાને આંગળીથી તેણે બેલાવી. વેશ, ભાષા, વર્ણ અને આકૃતિની બાબતમાં સાંબે ધારણ કરેલું રૂપ કૃષ્ણના જેવું જ હોવાથી કુજા તેને ઓળખી શકી નહીં. સાંબે કુબ્બાને કહ્યું, “મેં એક અશુભ સ્વપ્ન જોયું છે, તેને પ્રતિકાર કર પડશે, માટે દેવીને કહે કે-જ્યારે હું અહીંથી પાછે જાઉં ત્યારે, હું વારું તે પણ, મને પંચગવ્યથી સ્નાન કરાવે.” આ પ્રમાણે કહીને તે ચાલ્યો ગયો. કુન્શાએ જલદીથી જઈને આ આજ્ઞા સત્યભામાને સંભ Page #190 -------------------------------------------------------------------------- ________________ મુખ [ ૧૩૫ ] બાવી. પછી (ખરેખરા) કૃષ્ણ અંતઃપુરમાંથી પાછા જતા હતા, તે જોઈને “ગ્ય છે” એમ વિચારીને સત્યભામાની દાસીઓએ “આ શું કરો છો, આધી ખસો’ એ પ્રમાણે બોલતા તેમને પંચગવ્યથી નવરાવી દીધા. એ પછી મંગલ વસ્તુઓથી તેમને સ્નાન કરાવ્યું. પછી પરિજનો બધાં ચાલ્યાં ગયાં, એટલે કૃષ્ણ સત્યભામાને કહ્યું, “મેં તને સર્વ અંતઃપુરની પૂજ્ય તરીકે સ્થાપના કરી છે, માટે જે લક્ષ્મીને નાશ ઈચ્છતી હોય તે મારી આવી મશ્કરી કરજે.” સત્યભામાએ કહ્યું, “આપ પોતે જ આમ કરવાની આજ્ઞા આપીને પછી મને ઠપકે કેમ આપે છે?” કૃણે કહ્યું, “મેં એવું કહ્યું જ કયારે છે? તું જૂઠું બોલે છે.” એટલે સત્યભામાં બોલી, “તમે કુબજાને બોલાવીને આવી આજ્ઞા આપી હતી. મેં પણ નક્ષત્રમાલા વડે વિભૂષિત વક્ષસ્થળવાળા તમને જોયા હતા. એ નક્ષત્રમાલા અત્યારે તમે કાઢી નાખી છે. આટલી નિશાની હું આપું છું. ” એટલે હસીને કૃષ્ણ બેલ્યા કે, “મેં ગઈ કાલે સાંબને ધમકાવ્યું હતું, માટે નક્કી તેનું જ આ કામ હશે.” આ સાંભળીને ક્રોધ પામેલી સત્યભામાં બોલી, “હું છોકરાઓને માટે રમવાનું રમકડું બની છું; પછી મારે જીવવાથી શું ?” એમ કહીને તે પોતાની જીભ ખેંચવા લાગી. કૃષણે તેને ઘણા પ્રયત્ન વારી અને કહ્યું, “દેવિ ! એ ઉદ્ધત છોકરાને કાલ સજા કરીશ, માટે શાન્ત થા.” સાંબને દેશવટે પછી કૃષ્ણ જાંબવતીને બોલાવીને કહ્યું, “તારા પુત્રે મારું પણ અપમાન કર્યું છે.” જાંબવતીએ કહ્યું, “આપ આપના પુત્રનું ચરિત્ર જાણે છે જ.” કૃષ્ણ બોલ્યા, “તને પણ જણાવીશ.” આ પછી ગોવાળિયાને વેશ ધારણ કરીને જાંબવતીની સાથે કૃષ્ણ સાંબ પાસે ગયા. રૂપાળી જાંબવતીને સાંબે પૂછયું, “છાશ મળશે કે?” જાંબવતીએ ઉત્તર આપ્યો “હા.” એટલે સાંબે “લાવ ત્યારે, લઉં” એમ કહીને જાંબવતીને હાથ પકડ્યો. પણ કૃષ્ણ પોતાનું રૂપ બતાવ્યું, એટલે સાંબ નાસી ગયે અને પાછો કૃષ્ણ પાસે આવ્યું નહીં. બીજે દિવસે કુલવૃદ્ધો પાસે સાંબને બોલાવવામાં આવ્યું. એટલે ખેરની ખીંટીને ફરસીથી છલો તે સભામાં આવ્યું. કૃષ્ણ પૂછયું, “ સાંબ! આ શું?” સાંબે ઉત્તર આપે, “જે ગઈ કાલની વાત કરશે તેના મેંમાં આ ખીંટી ઠોકી બેસાડીશ.” કૃણે કુલવૃદ્ધોને કહ્યું, “આ તમે સાંભળ્યું ? ગઈ કાલે એણે મને પંચગવ્યથી નવરાવ્યા હતે. એ વાત જે હું તમને કહીશ તો એ મારા મુખમાં ખીંટી ઠોકી બેસાડશે. તે જા, અહીંથી ચાલ્યા જા, પછી જે કરવું હોય તે કરજે. દ્વારવતીમાં તું રહીશ નહીં. ” વસુદેવે કહ્યું, “કૃષ્ણ! ક્ષમા કર. આ રમતિયાળ છોકર, ષિઓમાં નારદની જેમ, આપણા કુળમાં અલંકારરૂપ છે.” એટલે કૃષ્ણ બેલ્યા, “આને તમે મેએ ચઢાવ્યા છે, એથી મારી પણ મશ્કરી કરે છે. તેણે અહીં રહેવાનું નથી. ” કુલવૃદ્ધોએ કહ્યું, “સાંબ! નગર Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : માંથી નીકળી જા, ” સાંમે કહ્યુ, “ મારે કયાં સુધી બહાર રહેવુ પડશે તેના સમય નક્કી. કરો. ” કૃષ્ણે કહ્યું, “તને કાઢી મૂકવામાં આવે છે, પછી સમય નક્કો કરવાની વાત જ કયાં રહી? ” સાંખ એલ્યેા, “ તમે બધા અહીં રહેા અને મારે અપરિમિત સમય સુધી મહાર રહેવાનું? આ પ્રમાણે સમય અનિશ્ચિત રાખવાના હોય તા હું નગરમાંથી બહાર નહીં નીકળું. ” કૃષ્ણે કહ્યુ, “ યારે હું અને સત્યભામા વિનંતી કરીને તને મેલાવીએ ત્યારે આવજે. ’ આ પછી સાંખ‘ ભલે ’ એમ કહીને તથા પિતામહેાને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા અને પ્રદ્યુમ્ન પાસે ગયા. પેાતાને દેશવટો મળવાનું કારણુ અપરાધ સહિત સાંમે તેને કહ્યું. પ્રદ્યુમ્ને કહ્યું, “ પિતાનું અપમાન કરવામાં તે મેટો અપરાધ કર્યાં છે, માટે જા. દેવ શાન્ત થશે પછી તેમને હું વિનંતી કરીશ. ” એટલે સાંમે પ્રદ્યુમ્નને કહ્યું, “ દેવ ! જો તમે પણ મને આ પ્રમાણે જવાનું કહેા છે, તે પછી મને પ્રજ્ઞપ્તિ ઉછીની આપે. ” પ્રદ્યુમ્ને કહ્યું, “પ્રજ્ઞપ્તિની સહાયથી તુ પાછા કઇંક તાકાન કરીશ તા મને ઠપ¥ા મળશે. ” સાંખ ખેલ્યા, “ હું કંઇ તેાફાન નહીં કરું, માટે કૃપા કરે. ” એટલે પ્રદ્યુમ્ને સાંખને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી અને કહ્યું, “ ભગવતિ ! બહાર વસતા સાંખની તું સહાયક થજે. ” પછી પ્રદ્યુમ્નને પ્રણામ કરીને તથા પેાતાના ગાઠિયાઓને રજા આપીને સાંમ એકલે બહાર નીકળ્યેા અને સુરાષ્ટ્ર દેશમાં વિચરવા લાગ્યા. એકસા આઠ કન્યાઓ સાથે સાંખનાં લગ્ન હવે, સાંખને દ્વારવતીના બધા સમાચાર પ્રજ્ઞપ્તિ આપતી હતી. એક વાર પ્રજ્ઞપ્તિએ તેને ખખર આપ્યા—“ દેવી સત્યભામાએ કૃષ્ણને વિનતી કરી છે કે, ‘સાંબ બહાર છે ત્યાં સુધીમાં સુભાનુના એક સેા આઠ રાજકન્યાએ સાથે એક જ દિવસે નિર્વિઘ્ને વિવાહ કરી દો. ’કુલીન, રૂપાળી અને કલાવિશારદ એક સે। સાત કન્યાઓને તે એકત્ર પણુ કરવામાં આવી છે. ” એ વખતે એક સાથે દ્વારવતી જતા હતા. પ્રાપ્તિ જેની સહાયમાં છે એવા તે સાંબ ધાત્રી સહિત કન્યાનું રૂપ ધારણ કરીને સાવાઢુ પાસે ગયા. ધાત્રીએ સાર્થ વાહુને કહ્યું, “ આ ગણિકાપુત્રી તમારા આશ્રયથી દ્વારવતી જવા ઇચ્છે છે. ત્યાં પેાતાના એક ઇચ્છિત પતિની તે પત્ની થશે. ” પછી સાવાહની સાથે સાથે તે કન્યા તથા ધાત્રી દ્વારવતી પહોંચ્યાં. ત્યાં એ કન્યાને સુભાનુના સેવકાએ જોઇ, અને કુમારને ખબર આપી. કન્યાના રૂપાતિશય વિષે સાંભળીને વિસ્મિત થયેલે સુભાનુ ત્યાં આવ્યે. કન્યાએ પેાતાની જાત એને સહેજ બતાવી ત્યાં તા તેની સાથે વાત કરવા લાગ્યા. કન્યાએ પેાતાને એ ઉન્મત્ત થઇ ગયા; અને ફ્રી ફરી ગણિકાપુત્રી તરીકે ઓળખાવી, એટલે ભાનુ પેાતાના વૈભવથી તેને લેાભાવવા માંડ્યો, અને (જો કન્યા પેાતાની સાથે લગ્ન નહીં Page #192 -------------------------------------------------------------------------- ________________ મુખ [ ૧૩૭ ] કરે તો) પિતે આત્મઘાત કરશે એમ કહ્યું. એમ છતાં પણ જ્યારે કન્યાએ તેને ઈચ્છો નહીં ત્યારે તે પોતાના ભવનમાં આવ્યું અને અન્ન-પાણીનો ત્યાગ કર્યો. દેવી સત્યભામાએ આ સાંભળ્યું અને તેણે કંચુકીઓ મોકલ્યા. કંચુકીઓએ અનેક પ્રકારે સમજાવવા છતાં ભાનુએ માન્યું નહીં. પછી સત્યભામાએ પોતાના પિતા ઉગ્રસેનને પગે પડીને વિનંતી કરી, એટલે તે કન્યાના વેશમાં રહેલા સાંબ પાસે ગયા. સુભાનુના કુલ, રૂપ અને વૈભવનું વર્ણન કરતા ઉગ્રસેને તેને લોભાવવા પ્રયાસ કર્યો તેમજ સુભાનને મરણ પામવાનો નિશ્ચય પણ સૂચવ્યો. એટલે કન્યાએ કહ્યું, “આર્ય! દેવતાસ્વરૂપ એવા તમારું વચન જે હું કરું તે પેલી રાજપુત્રીઓની દાસીઓ “આ તે કુદિની જેવી છે” એમ કહીને મારું અપમાન કરશે. એ વખતે તમે મને કયાં છપાવશે ? માટે જાઓ, ધર્મ જાણવા છતાં મને અગ્નિમાં ન નાખશે.” આ સાંભળીને ઉગ્રસેન ગયા. પછી સત્યભામાએ કૃષ્ણને વિનંતી કરી, ““પુત્રના જીવનને ખાતર એ કન્યાને તમે કહો.” કૃષ્ણ આનાકાનીપૂર્વક એ વાત સ્વીકારી. પછી બન્ને જણ એ કન્યા પાસે ગયાં. ત્યાં સત્યભામાએ વિનંતી કરી. “પુત્રિ ! મને મારા પુત્રની ભિક્ષા આપ.” કન્યાએ કહ્યું, “આપના વચનથી મારી જાત બંધાઈ ચૂકી છે. પણ “મને કુમાર કદાચ પિતાની સર્વ પત્નીઓની બહાર રાખશે ” એવું જે શંકાશલ્ય મારા મનમાં પેદા થયું છે તે કેણ દૂર કરશે?”કૃષ્ણ અને સત્યભામાએ કહ્યું, “પુત્રિ! અમારા પુત્રની પાસે તું પહેલી; બીજી સર્વે તારી પછી.” કન્યાએ કહ્યું, “ભલે ત્યારે,” એટલે તેને પણ બીજી કન્યાઓની વચમાં લાવવામાં આવી. ત્યાં તક મળતાં તેણે બધી કન્યાઓને કહ્યું, “હું તે ગણિક પુત્રી છું, એટલે મને બળાત્કારે અહિ લાવવામાં આવી છે પરંતુ તમે તે રાજકન્યાઓ હોવા છતાં અને બીજા દેવરૂપ યાદવકુમાર વિદ્યમાન હોવા છતાં સુભાનુને તમારું કન્યાદાન કેમ આપવામાં આવે છે?” એટલે મર્યાદા છોડીને એ રાજકન્યાઓ કહેવા લાગી, “તું સ્વતંત્ર છે અને અમે તે માતા-પિતાને વશ છીએ, માટે શું કરીએ?” કન્યાવેશધારી સાંબ તેમની આગળ સાંબના ગુણેનું વર્ણન કરવા લાગ્યો. પછી એ વાતચીતથી તે કન્યાઓને પ્રસન્ન થયેલી જાણીને તેમાંની કેટલીકને સાબે પિતાનું ખરું રૂપ બતાવ્યું. લગ્નના દિવસે તેને (સાંબને) ભાનુની પાસે બેસાડવામાં આવી, અને બીજી કન્યાઓને તેની પછી પંક્તિમાં બેસાડી. રૂપથી વિસ્મિત થયેલે સુભાનુ જ્યાં એ કન્યા તરફ તાકે છે ત્યાં સાંબ એની નજરે પડે છે. આથી “આ તો સાંબ છે” એમ બોલતે તે પાછો ખસે છે, ત્યાં ફરી કન્યા એની નજરે પડે છે. કન્યા રોવા માંડી કે, “મને પરિજનો “સાંબ ” કહે છે. અહીં કયાંય સાંબ રહેલ તમને દેખાય છે?” પણ કન્યારૂપધારી એ સાંબ ફરી ફરી સુભાનુને એમ જ બતાવતા હતા, તથા અંત:પુરના પરિજનોને પણ પોતાનું રૂપ દર્શાવતું હતું. આ ૧૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] વસુદેવ-હિ’ડી : : પ્રથમ ખંડ : 66 સમાચાર કૃષ્ણને આપવામાં આવ્યા. કૃષ્ણે કહ્યુ, “ જાંબવતી અને રૂકિમણીને લાવે. જો સાંખ હશે તેા પેાતાનું સ્વરૂપ ખુલ્લું કરશે. ” પછી તે સ્રીઓ તેમજ યાદવવૃદ્ધો આવ્યા, એટલે સાંમે પેાતાનુ રૂપ બતાવ્યું. તેઓએ પૂછ્યું, તુ અહીં શી રીતે આવ્યા ? ” તેણે ઉત્તર આપ્યા, “ દેવ અને માતા મને પરાણે અહીં તેડી લાવ્યાં છે.” એમ કહીને તે પેાતાને ઘેર ગયા. પછી ભાતુને કહેવામાં આવ્યુ, “ પાટલે બેસીને વધએની સાથે સ્નાન કર. ” એટલે ભાનુ મેલ્યા, “ મારે આ વહુઓનુ કામ નથી. એ અધીઓને સાંખે ઉલટુ સમજાવી દીધેલું છે. ” આ સાંભળીને હસતા એવા કુલવૃદ્ધોએ સુહિરણ્યા સહિત એકસેસ આઠ કન્યાએ સાથે સાંખને સ્નાન કરાવ્યુ. કૃષ્ણે તેને પચાસ કેાટિ સુવર્ણ તથા વસ્ત્ર, આભરણુ, શયન, આસન, યાન, વાહન અને વાસણકુસણુ તેમજ દાસીએ આપી. પછી એ રાજકન્યાઓ સાથે પ્રાસાદમાં રહેતા તથા નાટકામાં ગવાતા તે સાંબ સુખપૂર્વક અને ગુંદુક દેવની જેમ નિરુદ્વિગ્નપણે માનવ ભેગા ભાગવતા વિહાર કરવા લાગ્યા. Page #194 -------------------------------------------------------------------------- ________________ 454664 LSUZ UCUE ZULUCULULUCULLCUN2n BEST TET תכתב A પ્રતિ મુ ખ | અહીંથી પ્રતિમુખ શરૂ થાય છે – કેટલાક દિવસ વીતી ગયા પછી પ્રદ્યુમ્ન વસુદેવના ઘેર ગયે અને વસુદેવનું રૂપ ધારણ કરીને ગર્ભગૃહમાં આસન ઉપર બેઠો. ત્યાં વસુદેવની રાણીઓએ તેની સેવા કરી અને પૂછયું “દેવ ! ક્યાં જઈ આવ્યા ?” તેણે ઉત્તર આપે, “હું મારા મોટાભાઈરાજાને ત્યાં ગયે હતો.” રાણુઓએ પૂછયું, “ત્યાં શી વાતચીત થઈ હતી?” પ્રધુને ઉત્તર આપ્યો. “ ત્યાં આકાશમાંથી ચારણશ્રમણ ઉતરી આવ્યા. અમે સંભ્રમપૂર્વક તેમને વંદન કર્યા, એટલે તેઓ પાટ ઉપર બેઠા. રાજાએ તેમને પૂછયું, “ભગવદ્ ! આપ કયાંથી આવો છે? ” તેમણે કહ્યું “ રાજન્ ! ધાતકીખંડ દ્વીપના ભારતમાંથી આવું છું.” “એ પ્રદેશ કેવો છે?” એમ પૂછવામાં આવતાં તેઓ કહેવા લાગ્યા, “જે ચર્મચક્ષુથી કંઈક ક્ષેત્ર અને પર્વતને જુએ છે તે એની પહોળાઈ કે લંબાઈ જાણી શક્તો નથી. પણ સર્વજ્ઞ વર્ણન કરે છે તે પ્રમાણે હું કહું છું–લવણસમુદ્ર, કાલેદધિ, ઇશુકાર પર્વત ) અને ક્ષુલ્લહિમવંત પર્વતથી પરિક્ષિત બે ભરતોની લંબાઈ ચાર ચાર લાખ વૈજન છે. લવણસમુદ્ર તરફ તેમને વિસ્તાર ૬૬૧૪૧૬ યેાજન અને કાલેદધિ તરફ ૧૯૩૯૧ યોજન છે.” આ પ્રમાણે તેઓ કહેતા હતા.” એવામાં વસુદેવ આવ્યા. તેમને ગર્ભગૃહના પ્રતિહારોએ અટકાવ્યા, “અમારા રાજા અંતઃપુરમાં ગયેલા છે. એમના જેવા રૂપવાળા તમે કેણ છો? તમારે પ્રવેશ કરવાને નથી.” આ શું બકો છો?” એમ બોલતા વસુદેવ બળાત્કારે અંદર પ્રવેશ્યા તે તેમણે ગંભીર શબ્દ સાંભળે. અને તેમને જેયા, એટલે પિતાનું સ્વાભાવિક રૂપ કરીને તે દાદાને પગે પડે. આશીષ આપીને વસુદેવે પૂછયું, “બેટા! તારી દાદીઓની સાથે શી વાતચીત ચાલતી હતી? ” પ્રદુને કહ્યું, “ તમારી રાહ જોતાં મેં તમારું રૂપ ધારણ કરીને તેમને ઘડીભર મુગ્ધ કરી હતી. ” એટલે દાદીએ હસીને બેલી. “બેટા ! તું દેવની જેમ ઈચ્છિત રૂપ ધારણ કરનાર છે. ઘણું હજાર વર્ષ સુધી જીવ. ” પછી પ્રદ્યુને કહ્યું, “ આર્ય! તમે સો વર્ષ સુધી ભમ્યા ત્યારે અમારી દાદીઓને મેળવીપણ સાંબના અંતઃપુરમાં જુઓ. સુભાન માટે એકત્ર કરેલી કન્યાઓ એકી સાથે સાંબને પરણી ગઈ. ” આ સાંભળીને વસુદેવે પ્રદ્યુમ્નને કહ્યું, “ સાંબ કૂવાના દેડકાની જેમ સહેલાઈથી પ્રાપ્ત થયેલા ભેગથી સંતુષ્ટ થયેલ છે. હું તે માનું છું કે મેં પરિભ્રમણ કરતાં કરતાં જે Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : સુખ અથવા દુઃખ અનુભવ્યાં છે તે બીજા કોઈ પુરુષે ભાગ્યે જ અનુભવ્યાં હશે.” પ્રધુને પ્રણામ કરીને કહ્યું,” આર્ય મારા ઉપર કૃપા કરીને આપના પરિભ્રમણને વૃત્તાંત કહે.” એટલે વસુદેવ બોલ્યા, “એ વૃત્તાન્ત (બીજા) કેની આગળ કહેવો? તારા કરતાં હાલ મારી પત્ર ક્યાં છે? પણ તું જ્યારે બીજાઓને કહીશ ત્યારે તેઓ પાછા મને હેરાન કરશે, માટે જેમને સાંભળવાની ઈચ્છા હોય તેમને એકત્ર કર. પછી તને મુખ્ય રાખીને તેમની સમક્ષ હું કહીશ.” પછી પ્રસન્ન થયેલા પ્રદ્યુમ્ન કુલવૃદ્ધોને, અક્રૂર, અનાવૃષ્ટિ, સારણ આદિના સમૂહને તથા રામ તથા કૃષ્ણ વગેરેને બોલાવ્યા. પ્રસન્ન મનવાળા તે સર્વે સભામાં એકત્ર થયા. વિદ્વાનેની વચમાં બેઠેલા બહસ્પતિ હોય તેવા તેમની મધ્યમાં બેઠેલા વસુદેવ પ્રદ્યુમ્ન આદિ તે સર્વેને સજજનેના શ્રવણને આનંદ પમાડનાર સ્વરથી ધર્મ, અર્થ, કામ, લેક, વેદ, સમય (રૂઢિ), શ્રુત અને અનુભૂત કહેવા લાગ્યા. સાંભળો– અંધકવૃષ્ણિને પરિચય પૂર્વે અહીં હરિવંશરૂપી ગગનના અનુક્રમે ચંદ્ર અને સૂર્ય સમાન શૌરિ અને વીર નામે બે ભાઈઓ રહેતા હતા. તેમાંના શૌરિ રાજાએ શારિપુર વસાવ્યું અને વીરે સૌવીરનગર વસાવ્યું. એકબીજામાં અનુરક્ત, જેમણે રાજ્યને કેશ અને કઠોર વહેચ્યા નથી તેવા તથા સમજુ એવા તે બે જણે નિર્વિદને રાજ્યશ્રી ભેગવતા આનંદ કરતા હતા. શારિ રાજાને અંધકવૃષ્ણિ નામે પ્રભાવશાળી પુત્ર હતો. તેને ભદ્રા દેવી હતી. (અંધકવૃષ્ણિના) દશ પુત્રો સમુદ્રવિજય વગેરે હતા; તથા કુન્તી અને માદ્રી નામે બે પુત્રીઓ હતી. વીરનો પુત્ર ભેજવૃષ્ણિ હતો. તેને પુત્ર ઉગ્રસેન હતા અને ઉગ્રસેનના બંધુ, સુબંધુ, કંસ વગેરે પુત્ર હતા. પિતાના ગણ સાથે વિચરતા સુપ્રતિષ્ઠ અણગાર એક વાર શરિપુરની પાસે આવેલા શ્રીવન ઉદ્યાનમાં સમોસર્યા હતા. તેમના આગમનથી હર્ષ પામેલા શરિ અને વીર એ બને ભાઈઓ તેમને વંદન કરવાને માટે નીકળ્યા અને પ્રણામ કરીને સાધુના મુખથી શ્રી નમિ જિનેશ્વરના ઉપદેશને શ્રવણ કરવા લાગ્યા, જેમકે–“રાગ દ્વેષને વશ પડેલા છે ઘણું પાપ ઉપાર્જન કરીને નારક, તિર્યચ, હલકા મનુષ્ય અને દુર્ગત દેવોના ભવમાં હજારો શારીરિક અને માનસિક દુઃખ અનુભવતા ઘણા કાળ સુધી કલેશ પામે છે. કર્મ હળવું થતાં લાખો ભવમાં પણ દુર્લભ એવું અરિહંતનું વચન સાંભળીને તેમાં શ્રદ્ધા કરે છે. આ રીતે શ્રદ્ધા રાખતા તે જીવો આસવનાં દ્વાર બંધ કરીને તથા બાહા અને આત્યંતર તપશ્ચર્યા વડે કર્મમળને દૂર કરીને મેક્ષ પામે છે, જેમનું કંઈક કર્મ બાકી રહ્યું હોય છે એવા કેટલાક જ દેવભવમાં વિપુલ સુખ અનુભવીને પરિમિત કાળમાં જ દુઃખસમુદ્રને પાર પહોંચી જાય છે. ” આ પ્રકારનું સુપ્રતિષ મુનિનું વચન સાંભળીને શરિ અને વીર એ બન્ને ભાઈઓ અત્યંત વૈરાગ્ય પામ્યા, અને પુત્રને રાજ્યથી સંપીને Page #196 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પ્રતિમુખ [ ૧૪૧ ] તેમણે દીક્ષા લીધી. જેમને વૈરાગ્ય અબાધિત રહ્યો છે એવા તે ગુરુની યાદિષ્ટ આજ્ઞાને માનતા વિચારવા લાગ્યા. ઘણા કાળે ગુરુ સહિત તેઓ શરિપુરમાં આવ્યા. અત્યંત પ્રસન્ન થયેલા અંધકવૃષ્ણિએ તેમને વંદન કર્યું; ભક્તિ કરીને તે પાછો પોતાના નગરમાં ગયે. સાધુની સમક્ષ અર્ધરાત્રિના સમયે દેવોના અવપતન (નીચે આવવા) નિમિત્તે પ્રકાશ થયો. આથી જેને કુતૂહલ થયું છે એ અંધકવૃષ્ણિ નીકળે, અને વિનયપૂર્વક સુપ્રતિષ અણગારને પ્રણામ કરીને પૂછવા લાગ્યા, “ભગવન્! આ દે ત શા નિમિત્તે થયો હતો?” સાધુએ ઉત્તર આપે, “એક સાધુ સાત રાત્રિથી કાયોત્સર્ગ કરીને રહેતા હતા તેને વિરોધી દેવે ઉપસર્ગો કર્યા હતા. જેની વેશ્યા વિશુદ્ધ થઈ છે એવા સાધુને આજે અવધિજ્ઞાન થયું છે. આથી કરીને પ્રસન્ન થયેલા દેવોએ આજે ઉત્સવ કરીને વિરોધી દેવને પરાજિત કર્યો છે. દેવેદ્યતનું આ કારણ હતું.” આ સાંભળીને અંધક. વૃષ્ણુિએ પૂછયું, “સાધુની સામે દેવને શા કારણથી અને કેવી રીતે વેર થયું હતું ?” સુપ્રતિષ મુનિએ કહ્યું, “જા, તે સાધુ પિતે જ અનુભવેલી વસ્તુઓ જ્ઞાનવડે જાણીને તને કહેશે.” એટલે સર્વે તે સાધુ પાસે ગયા. વિનયપૂર્વક વંદન કરીને રાજાએ વેરનું કારણ પૂછયું. સાધુએ કહ્યું, “સાંભળ, રાજા !– જેને અવધિજ્ઞાન થયું તે સાધુની આત્મકથા કાંચનપુરના બે વાણિયાઓ સાથે લંકાદ્વીપમાં જઈને, ત્યાંથી રત્નો કમાઈને તથા એ રત્નને છાની રીતે લાવીને સંધ્યાકાળે કાંચનપુર પાછા આવ્યા. ત્યાં “સંધ્યાકાળે રખેને ભૂલ થાય” એમ વિચારીને તેઓએ એ રત્નો કાળી રીંગણના મૂળમાં દાટ્યાં, અને પછી રાત્રે પિતાને ઘેર ગયા. મૂળમાંથી એક વાણિયાએ પ્રભાતમાં તે રત્નો લઈ લીધાં. પછી પેલા બે જણ આવ્યા, પણ રત્નો નહીં જોતાં એકબીજાની ઉપર શંકા લાવવા લાગ્યા. પરસ્પરને કડવા શબ્દો કહ્યા પછી અત્યંત રોષ પામેલા એવા તેમની વચ્ચે હાથ, પગ, દાંત અને પત્થરના ઘા વડે કરીને યુદ્ધ થયું. રદ્રધ્યાનથી મારીને તેઓ રત્નપ્રભા પૃથ્વીમાં નારકી થયા. ઘણું દુઃખો ભેગવ્યા પછી ત્યાંથી ઉદ્વર્તિત થઈને તેઓ વનમાં પાડા થયા; અનુક્રમે મોટા થયેલા તે બે એકવાર પરસ્પરને જેવાથી ક્રોધ પામીને, એકબીજાનાં શીગડાંના પ્રહારથી લોહીલુહાણ થઈ તીવ્ર વેદનાથી પીડાતાં મરીને ગંગાના કિનારે એકમેકથી જન દૂર આવેલાં ગોકુળમાં આખલા થયા. ત્યાં પણ એકબીજાને જોઈને અત્યંત ક્રોધે ભરાયેલા તથા શીંગડાંના ઘાથી જર્જરિત શરીરવાળા તેઓ મરણ પામીને કાલંજર–વતિની(માર્ગ)માં વાનર યૂથપતિઓ થયા. ત્યાં પણ વિચરતાં જન્માક્તરના વૈરને કારણે નખ, દાંત, કાષ્ટ અને પત્થરવડે એકબીજાને મારતા તથા પરસ્પરનાં મસ્તક તેડી નાખવાથી લેહીવડે રંગાયેલાં શરીરવાળા તેઓ પૃથ્વી ઉપર પડ્યા. વીજળીના ચમકારાની જેમ ચારણશ્રમણ એ પ્રદેશમાં ઉતરી આવ્યા, તેવી અવસ્થામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : "" પડેલા એ વાનરાને જોઇને તેઓ ખેલ્યા, “ અરે વાનરેશ! ક્રોધમાં ભાન ભૂલીને તમે આ શું કર્યું ? સ્વચ્છંદભ્રમણને તથા તિય ચના વિષયાને તમે નહીં ભાગવનાર થયા છે, માટે તમારું બૈર મૂકી દે, જેથી નારક, તિર્યંચ અને હલકાં મનુષ્યેાના ભવમાં દુઃખની શૃંખલામાં બંધાઈને લાંબા કાળ સુધી કલેશ ન પામેા. શાન્ત થાએ, જિનવચનના સ્વીકાર કરા. શાન્ત થઈને હિંસા, અસત્ય ભાષણ અને અદત્તાદાનથી નિવૃત્ત થાઓ. એથી કરીને તમે સદ્ગતિમાં જશે. આ સાંભળીને એક વાનર શાન્ત થયા અને તેણે જિનાપદેશ સ્વીકાર્યા. ‘ આ મુનિ સાચુ' કહે છે ’ એમ વિચારીને વેદનાથી પીડાતા હેાવા છતાં તે હાથ જોડી રહ્યો. પછી સાધુએ તેને ત્રતા આપ્યાં અને કહ્યું, “ આહારના, શરીરને અને યૂથના ભાવથી ત્યાગ કરી દે. ” વાનરે પણ એ પ્રમાણે કર્યું. પછી ચારણશ્રમણુ ગયા. પ્રસન્ન ચિત્તવાળા તે વાનર કાળ કરીને સૌધર્મ કલ્પમાં દેવ થયેા. વૈરભાવ રાખતા બીજો વાનર ઘણા તિય ચ-ભવમાં ભમ્યા. સૌધર્મીમાં દેવ થયા હતા તે ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મ લઈને ગુરુની પાસે જિનવચન સાંભળીને સાધુ થયેા હતેા; તે હું છું. તિય ચગતિમાં ભ્રમણ કરતા હતા તે બીજો વાનર અકામ નિરાથી કર્મ પાતળાં પડી જતાં જ્યાતિષ્ઠ દેવ થયા. વૈરવૃત્તિવાળા તે ભયજનક અને શરીરને પીડા કરનારાં પાવડે મને ઉપસર્ગ કરતા હતા. જેના ઉત્તમ સંકલ્પ અવિચલ રહ્યો હતા એવા હુ એ બધુ સહન કરું છું. એમ કરતાં આજે મને અવધિજ્ઞાન થયુ, પેલે। દેવ પણ પરાજિત થયા. એ નિમિત્તે દેવાનું આવાગમન થયુ હતું. અમારી વચ્ચેના વૈરભાવને આ વૃત્તાન્ત છે. ” ફ્રી પાળેા રાજા પૂછવા લાગ્યા, “ શું આ પહેલાં મને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું? હું કાણુ હતા? ” એટલે અધિજ્ઞાનથી જોઇને સાધુ કહેવા લાગ્યા, “ સાંભળેા~~ ભગવાન્ ઋષભદેવના તીમાં સાકેત નગરમાં ધનદત્ત નામે સાવાહ શ્રાવક હતા. તેની નંદા નામે પત્ની હતી. તેમનેા પુત્ર સુરેન્દ્રદત્ત હતા. એ જ નગરમાં બૃહસ્પતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેની સેમિલા પત્ની હતી. તેમના પુત્ર રુદ્રદત્ત હતા. સુરેન્દ્રદત્ત અને રુદ્રદત્ત એ બન્ને જણા માલમિત્રા હતા. વહાણમાં બેસીને સમુદ્રની મુસાફરી ખેડવાની ઇચ્છાવાળા સુરેન્દ્રદત્ત ‘પ્રવાસ તા અનેક વિઘ્નાથી ભરેલે! હાય છે' એમ વિચારીને રુદ્રદત્તના હાથમાં ત્રણ કરોડ ધન જિનમન્દિરમાં પૂજાના ઉપયાગ માટે આપીને વ્યાપાર ખેડતા અનેક દ્વીપામાં ગયા. આ બાજી, રુદ્રદત્તે એ ધનના જુગાર અને વેશ્યાની સામતમાં નાશ કરી નાખ્યા. તે પછી ચારી કરવા લાગેલા અને તેથી લેાકેાવડે ધિક્કારાયેલા તે ઉલ્કામુખ નામે ચાર-પલ્લીમાં પ્રવેશ્યા, અને કાળે કરીને નિર્દય અને દુષ્ટ એવા તે . ચાર-પલ્લીના અધિપતિ થયા. પેાતાના સાગરીતા સહિત તેણે એકવાર મધ્યરાત્રે સાકેત નગર ઉપર ધાડ પાડી અને ઘરે સળગાવ્યાં. ત્યાં નાગરિકાએ એને ફરતા જોયા, અને આ રુદ્રુદત્ત આપણા વિનાશ માટે જ અહીં આવ્યે છે, માટે તેના નાશ કરવા જોઈએ ? Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમુખ [ ૧૪૩ ] એમ નિશ્ચય કરીને તેમણે યુદ્ધ કરતાં તેને મારી નાખે. એ રુદ્રદત્ત પિતાને સુરેન્દ્રદત્તે થાપણ તરીકે આપેલા ચેત્ય માટેના ધનને નાશ કરી નાખ્યો હતો, આથી જિનબિંબની પૂજા અને દર્શનવડે આનંદિત હૃદયવાળા ભવી જીવોને થનાર સમ્યગૂ દર્શન, તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણને લાભ તેણે અવરે હતે; જિનબિંબની પૂજા અને દર્શનને પરિણામે પ્રાપ્ત થનાર દેવી અને માનુષી રિદ્ધિઓને પણ તેણે રુંધી હતી; ઉત્સવ પ્રસંગે આવેલા લોકોને સાધુઓદ્વારા થનાર ધર્મોપદેશ અને તે વડે ઘવારી તીર્થની ઉન્નતિ પણ અટકાવી હતી, અને તેથી દીર્ધકાળની સ્થિતિવાળું અને અશાતા વેદનીય દર્શનમોહનીય કર્મ તેણે ઉપાર્જન કર્યું હતું. રૌદ્રધ્યાનમાં રહેલો તે રુદ્રદત્ત નારકીનું આયુષ્ય ઉપાર્જન કરીને અપ્રતિષ્ઠાન નરકમાં પેદા થયે. ત્યાં સતત દુઃખ અનુભવીને તે મત્સ્ય થયું. ત્યાંથી પછી નારક અને તિર્યંચના ભામાં ફરતો તે ઘણા કાળે મગધા જનપદમાં સુગ્રામ નામે ગામમાં ગોતમ બ્રાહ્મણની અણુહરી નામની પત્નીના ઉદરમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં હતો ત્યારે જ તેને પિતા મરણ પામ્યા હતા. આથી “નિ શ્રીક ગૌતમ' (અભાગી ગૌતમ) તરીકે ઓળખાતો તે ઊછરવા લાગે તે છે માસનો થયો ત્યાં તો તેની માતા મરણ પામી. એટલે તેને માસો તેને પિતાને ઘેર લઈ ગયે. પણ તેની માસીએ કહ્યું, “આ લક્ષણ વગરનાને મારા ઘરમાં ન લાવશે, એ બહાર જ ભલે રહે.” આ પ્રમાણે અનાદર પામેલે તે જેમ તેમ કરીને આવ્યો અને અનુક્રમે યુવાવસ્થામાં આવ્યું. સાધુની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, અને તે અલાભ-પરિષહ સહન કરવા લાગ્યો. જેની લેણ્યા શુદ્ધ થઈ છે તથા જેને વૈરાગ્ય અચલિત રહેલે છે એવા તેને ચાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ–કેષ્ટબુદ્ધિત્વ (કોઠારની માફક જેમાં ખૂબ જ્ઞાન સંગ્રહાય એવી બુદ્ધિ), ક્ષીરાશ્રવત્વ (જેનું વચન સાંભળનારને દૂધ જેવું મિષ્ટ લાગે તે), અક્ષણમહાનસિકત્વ (જે ભિક્ષામાં અંગઠે નાખે પછી તે ખૂટે નહીં) અને પદાનુસારિત્વ (માત્ર એક જ પદ સાંભળવાથી જે બધું જ જાણી શકે છે. આ પ્રમાણે પંદર હજાર વર્ષ સુધી સાધુપણું પાળ્યા પછી તે મહાશુક્ર કહ૫માં ઇન્દ્રને સામાનિક દેવ થયે. હે રાજા! તું એમ જાણ કે-જે પેલે રુદ્રદત્ત, જે નિ:શ્રીક ગૌતમ તથા જે મહાશુકનો સામાનિક દેવ તે તું જ છે.” વસુદેવના પૂર્વભવ વિષે પ્રશ્ન પછી વંદન કરીને રાજા અંધકવૃષ્ણિએ સાધુને ફરી વાર પૂછયું, “ભગવદ્ ! જે મારો દશમો પુત્ર વસુદેવ છે તે સ્વજન અને પરિજનોને અત્યંત વહાલે છે. તેણે પૂર્વભવમાં શું સુકૃત કર્યું હતું તે કહે.” Page #199 -------------------------------------------------------------------------- ________________ શરીર (૧) શ્યામા-વિજયા લંભક અહીંથી શરીરને પ્રારંભ થાય છે. સાધુએ કહ્યું, “સાંભળ-- સમુદ્રવિજય આદિ નવ જણના તથા વસુદેવના પૂર્વભવ વિધ્યાચળની તળેટીમાં સિંહગુફા નામે ચેરપલ્લી હતી. ત્યાં અપરાજિત નામે ચેર-સેનાપતિ હતો અને તેને વનમાલા નામે પત્ની હતી. વનમાલાને સુરૂપ, વિરૂપ, મન્દરૂપ, સાધ્ય, અવધ્ય, દાહ, વિદાહ, કુશીલ, વિશીલ અને કરંક નામે દશ પુત્ર હતા. એ દશે જણા પોતપોતાનું ગામ વસાવીને તથા ઘણું પાપ ઉપાર્જન કરીને સાતમી પૃથ્વીમાં નારકીઓ થયા. ત્યાંથી ઉદ્વર્તિત થઈને તિર્યંચભવના આંતરે સર્વે પૃથ્વીઓમાં ઉત્પન્ન થઈને, જલચર, સ્થલચર તથા બેચર તિર્યંચની તથા ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય જીવોની યોનિઓમાં તે તે ભાવને ચગ્ય એવાં દુઃખો ભેગવીને તે દસે જણા અનંતકાય એવી બાદર વનસ્પતિમાં પેદા થયા. ત્યાં બહુ કાળ વસ્યા પછી કર્મસંચય પાતળો પડતાં-ભદ્દિલપુરમાં મેઘરથ રાજા હતા, તેની સુનંદા દેવી હતી તથા દશરથ પુત્ર હતો; તે જ નગરમાં ધનમિત્ર નામે શ્રમણોપાસક શેઠ હતું, તેની ભાર્યા વિજયનંદા હતી; તેના ગર્ભમાં એક સિવાયના બાકીના નવ સાધારણ વનસ્પતિ-જીવો અનુક્રમે નવ પુત્ર થયા. તેમનાં નામ જિનદાસ, જિનગુપ્ત, જિનદેવ, જિનદત્ત, જિન પાલિત, અરહદત્ત, અરહદાસ, અરહદેવ તથા ધર્મરુચિ એ પ્રમાણે હતાં. વિજયનંદાને પ્રિયદર્શન અને સુદર્શના નામે બે પુત્રીઓ થઈ હતી. એ સમયમાં મંદર નામે અણગાર પોતાના ગણ સહિત શીતલનાથ ભગવાનની જન્મભૂમિ દિલપુરમાં સમોસર્યા હતા. પેલા નવ ભાઈઓએ પિતાના પિતાની સાથે તેમની પાસે દીક્ષા લીધી. રાજા મેઘરથ પણ પોતાના પુત્રને રાજ્ય સેંપીને સાધુ થયા. વિજયનંદા તે વખતે સગર્ભા હતી. તેણે ધનદેવ નામના પુત્રને જન્મ આપ્યો. બાર વર્ષ સુધી એ પુત્રનું પાલન કરીને તથા જેણે શ્રેષ્ઠી તરીકેનું પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા તેને પ્રતિષ્ઠિત કરીને વિજયનંદાએ પોતાની પુત્રીઓ સાથે દીક્ષા લીધી. મેઘરથ રાજા અને Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્યામા-વિજયા લંભક. [ ૧૪પ ] ધનમિત્ર શેઠ પિતાનાં કર્મો ખપાવીને મોક્ષ પામ્યા. બાકીના સર્વે અચુત ક૯૫માં દેવ થયા. “આ પુત્ર અને પુત્રીઓ સાથે મારે ફરી પણ સંબંધ થાય” એ પ્રમાણે નેહાનુરાગથી બંધાયેલી વિજયનંદા એ સ્થિતિની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય જ શરીરનો ત્યાગ કરીને અમ્રુત ક૯૫માં પુત્રીઓની સાથે દેવ થઈ. ત્યાંથી આવીને મથુરા નગરીમાં અતિબલ રાજાની સુનેત્રા દેવીની ભદ્રા નામે પુત્રી થઈ. મેટી થતાં એ કન્યા તને આપવામાં આવી. પેલા અયુત દેવ આવીને અનુક્રમે તેને ગર્ભમાં સમુદ્રવિજય આદિ નવ પુત્ર થયા. કુન્તી અને માદ્રી એ બે પુત્રીઓ થઈ અને તે અનુક્રમે પાંડુ અને દમષને પરણાવવામાં આવી. વસુદેવના પૂર્વભવની કથામાં નંદિષણને ભવ આ પહેલાં જે દશ સાધારણ વનસ્પતિ-જી વિષે કહેવામાં આવ્યું છે તેમને બાકીને એક જીવ ઉદ્વર્તિત થઈને મગધા જનપદમાં પલાશપુર ગામમાં કન્દિલ નામે દરિદ્ર બ્રાહ્મણની સોમિલા નામે પત્નીને નંદિણ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તેનાં મા-બાપ મરણ પામ્યાં; અને “આ તો અપ્રશસ્ત છે” એમ કહીને લોકોએ પણ તેનો ત્યાગ કર્યો. ભિક્ષાવૃત્તિથી તેને કેટલાક સમય ગયા પછી તેનો મામે તેને લઈ ગયો. એ મામાને એક પછી એક જન્મેલી ત્રણ પુત્રી હતી. મામાએ તેને કહ્યું, “નંદિષણ! તું નિરાંતે રહે, હું તને મારી પુત્રી પરણાવીશ, તું ગાની સંભાળ રાખ.” પછી એક પુત્રી યુવાવસ્થામાં આવી. “મને આ ભિખારી સાથે પરણાવવાની છે” એવું જાણીને તે કહેવા લાગી, “જે આવી અવસ્થામાં રહેલા એ નંદિષેણ સાથે મારું લગ્ન કરશે તો હું આત્મઘાત કરીશ.” નંદિષેણે પણ આ સાંભળ્યું. મામાએ કહ્યું, “બેટા! અધીરે ન થા. જે તને ન ઈછે તેનું તારે પણ શું કામ છે? હું તને મારી બીજી પુત્રી આપીશ.” ગ્ય સમય આવતાં બીજી કન્યાએ પણ તેની ઈચ્છા કરી નહીં. એ જ પ્રમાણે ત્રીજી કન્યાએ પણ તેને ઈચ્છક્યો નહીં. મામાએ પાછું નંદિષણને કહ્યું, “ત્રણે જણીઓએ તને ઈ૭યો નહીં તેથી તે નિરાશ ન થઈશ. હું બીજે ક્યાંક પણ તારે ઉત્તમ સંબંધ કરીશ, માટે ચિન્તા ન કરીશ.” પણ નદિષેણે વિચાર કર્યો, “ જે આ કન્યાઓ મને ઈચ્છતી નથી તે બીજીઓ પણ શા માટે ઈચ્છશે ?” આ પ્રમાણે મનમાં ઘણે સન્તાપ કરતો તે ગામમાંથી નીકળ્યો અને રત્નપુરમાં આવ્યો. ત્યાં રસ્તા પાસે બેઠો, તો પિતાની ઇચ્છિત યુવતી સાથે ઉપવનમાં ક્રીડા કરતા તરુણેને તેણે જોયા. ત્યાં પિતાની જાતને નિન્દ તે “અહે ! હું અભાગિયાઓને સરદાર છું, આવા જીવનનું મારે શું કામ છે?” એમ વિચારી કૃતનિશ્ચય થઈને નગરથી બહુ દૂર નહીં એવા, લોકોની અવર-જવર વિનાના તથા વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ અને લતાઓથી નિબિડ એવા એક ઉપવનમાં તે પ્રવેશે. ૧૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] ત્યાં એક લતાગૃહમાં અતિશયશાલી તથા પ્રશસ્ત ધ્યાનમાં રહેલા સુસ્થિત નામે એક અણુગાર બેઠેલા હતા. આત્મઘાત કરવાની ઇચ્છાવાળા અને તેમને નહીં જોતા નર્દિષણ તેમની નજીકમાં ( ફ્રાંસેા ખાવા માટે) લતાપાશ આંધવા માંડ્યો. અનુક ંપાવાળા સાધુએ તેને વાર્યું કે, “ નર્દિષણ ! સાહસ ન કર. ” જેને શકા થઇ છે એવા નર્દિષેણે આસપાસ જોયું કે, “ મારા ગામમાંથી કેાઈ મારી પાછળ આવ્યુ હશે, જે આ રીતે મને અટકાવે છે. ’ પણુ કાઇને નહીં જોતાં તે ફરી પાછે લતાપાશ બાંધવા માંડ્યો, તા ફરી વાર પણ સાધુએ તેને વાર્યો. આથી શબ્દની દિશાના અણુસારે સાધુ એઠા હતા તે ભાગમાં એ ગયા અને વંદન કરીને બેઠા. પેાતાના નિયમમાં સુસ્થિત એવા સુસ્થિત અણુગારે તેને કહ્યું, “ શ્રાવક ! દુ:ખથી કંટાળેલા તું ધર્મ કર્યા સિવાય જ પરલેાકમાં જઈને કેવી રીતે સુખી થઈશ ? ” ન ંદિષેણે પૂછ્યું, “ પરલેાક છે એની ખાત્રી શી ? ધર્મ કરવાથી સુખ મળે છે એનું પ્રમાણ શું ? ” એટલે અવધિજ્ઞાનથી જેમણે વસ્તુએ પ્રકાશિત કરી છે એવા સાધુ કહેવા લાગ્યા, પ્રમાણ છે; સાંભળ— પરલાકના અને ધલના પ્રમાણુ વિષે સુમિત્રાની કથા << વસુદેવ–હિં ડી : : : પ્રથમ ખંડ: વારાણસીમાં હતશત્રુ રાજા હતા. તેને સુમિત્રા નામે પુત્રી હતી. તે નાની હતી ત્યારે એક વાર ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્નકાળે જમીને સૂઇ રહી હતી. પાણીથી ભીંજાવેલા તાડના પંખાથી તેને પવન નાખવામાં આવતાં અને એ રીતે શીતલ જલકણના તેના ઉપર છંટકાવ થતાં તે નમા અરિહંતાણું’ એમ ખેલતી જાગી ગઇ. દાસીએએ તેને પૂછ્યું “ સ્વામિનિ ! તમે જેને નમસ્કાર કર્યો તે અરિહતા કેણુ છે? ” સુમિત્રાએ કહ્યું, “તેઓ કાણુ છે એ તે હું જાણતી નથી, પણ ચાક્કસ તેઓ નમસ્કાર કરવા લાયક છે.” પછી તેણે પેાતાની ધાત્રીને ખેલાવી અને કહ્યું, “ માતા ! તપાસ કરશ કે અરિહતા કાણુ છે ? ” ધાત્રી પૂછતાં પૂછતાં અરિહ ંતના શાસનમાં રત એવી સાધ્વીઓને મળી અને તેમને તે કુમારી પાસે લાવી. પૂછવામાં આવતાં સાધ્વીએએ કહ્યુ, “ ભરત-એરવત વર્ષમાં અને વિદેહ વર્ષમાં ધર્મ પ્રવર્તક તીર્થંકરાના જન્મ થાય છે. અત્યારે ભગવાન્ વિમલનાથનુ તીર્થં ચાલે છે. ” કુમારીએ કહ્યું. “ આજ મે જાગતી વખતે અરિહંતને નમસ્કાર કર્યા હતા. ” સાધ્વીએ મેલી, “ તે અરિહ ંતને કરેલા નમસ્કારના પ્રભાવથી જ આ રિદ્ધિ પ્રાપ્ત કરી છે; આથી પૂર્વની ભાવનાથી તે નમસ્કાર કર્યો હતા. ” કુમારીએ ‘ બરાબર છે ' એમ કહીને જિનાએ ઉપદેશેલે માર્ગ સ્વીકાર્યા અને જિનપ્રવચનમાં તે કુશળ થઈ. તે ઉમર લાયક થઇ એટલે પિતાએ તેને સ્વયંવર આપ્યા. પછી તેણે આ લેાકમાં તેમજ પરલેાકમાં સુખ પ્રાપ્ત કરાવનારી નીચે પ્રમાણેની ગીતિકા પિતા સમક્ષ નિવેદન કરી~~ किं नाम होज तं कम्मयं, बहुनिव्वेसणिज्जं अलञ्जणिजं च । पच्छाय होइ पच्छ (त्थ) यं, न य नासइ नङ्के सरीरयम्मि || Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્થામા-વિજયા લંભક. [ ૧૪૭ ] (એવું કયું કર્મ છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજજનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામે છતે જે નાશ પામતું નથી?) અને પિતાના પિતાને તેણે કહ્યું કે, “તાત! જે પુરુષ આ ગીતિકાને અર્થ સંભલાવે તેની સાથે તમારે મને પરણાવવી. ” પછી એ ગીતિકા પ્રસિદ્ધ કરવામાં આવતાં વિદ્વાનો વિવિધ પ્રકારની વસ્તુઓ એ સંબંધમાં સંભળાવવા લાગ્યા, પણ એમાં કઈ સુમિત્રાનો અભિપ્રાય જાણી શકે નહીં. પણ એક પુરુષે સંભળાવ્યું– कम्मयाण तवोकम्मयं बहुनिव्वेसणीयं अलजणीयं च । पच्छा य होइ पच्छ(त्थ)यं, ण य णासइ नट्ठए सरीरयम्मि । ( કર્મોમાં તપશ્ચર્યારૂપી કમ એવું છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજજનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામે છતે જે નાશ પામતું નથી.) રાજાએ તેને પૂછતાં તે પુરુષે કહ્યું, “તમે જે ભાવાર્થ જાણે છે તે જ મેં તમને સંભળાવ્યો છે.” પછી તે પુરુષને સ્નાન અને ભોજન કરાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું, “રત્નપુરમાં પુરુષપંડિત છે તેણે આ કહ્યું છે આવું બોલવાની મારી તે શક્તિ કયાંથી ?એટલે રાજાએ “તમે તે દૂત છે” એમ કહી તેનો સત્કાર કર્યો અને રાજકન્યાએ પણ તેને રજા આપી. પછી સુમિત્રાએ પિતાને વિનંતી કરી, “તાત ! પુરુષપંડિતે મારો અભિપ્રાય જાણ્યો છે. હવે જે અર્થથી મારી ખાત્રી કરાવી આપે તે હું તેની પત્ની થાઉં, બીજા કોઈની નહીં.” પછી સુમિત્રા ઘણું પરિવાર સહિત રત્નપુર ગઈ, અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા ઊતારામાં રહી. પુરુષપંડિત સુપ્રભને બોલાવવામાં આવતાં તે ત્યાં ગયે, એટલે રાજકન્યાએ તેને પૂછયું, “તપ એ બહુકાળ સુધી ટકે એવું અને લાઘનીય કેવી રીતે? પાછળથી હિતકારી કેવી રીતે ? શરીરને નાશ થયા છતાં પણ તે ફળ આપે એ કેવી રીતે?” સુપ્રમે ઉત્તર આપે, “સાંભળ– બે ઇભ્યપુત્રની કથા અહીં બે ઈશ્યપુત્ર હતા. તેમાં એક પિતાના મિત્રો સાથે ઉદ્યાનમાંથી નગરમાં આવતો હતો. બીજે રથમાં બેસીને નગરમાંથી બહાર જતો હતો. તેઓ નગરના દરવાજે ભેગા થયા. ગર્વને કારણે બંનેમાંથી એક જણ પિતાના રથને પાછો લેવા માગત નહોતે. આથી તેમની વચ્ચે બોલાચાલી થઈ. એકે કહ્યું, “તું પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી ગર્વિત થયેલો છે, જે પિતે ધન કમાવાને સમર્થ હોય તેને જ અહંકાર શોભે.” બીજે પણ એમજ કહેવા લાગ્યું. આકર્ષ નિમિત્તે તે બન્નેએ પ્રતિજ્ઞા કરી કે, “આપણામાંથી જે પરિવાર સિવાય બહાર નીકળી પડે અને બાર વરસની અંદર ઘણું Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : ધન લઈને લાવે તેને બીજે માણસ પિતાના મિત્રો સહિત દાસ થઈ જશે.” આ પ્રમાણે વચન પાના ઉપર લખીને તે પાનું શેઠિયાના હાથમાં આપવામાં આવ્યું. પછી તે બેમાંથી એક તે ત્યાંથી જ નીકળી પડયે. દેશના સીમાડા ઉપરથી પડિયાઓમાં ફળ લાવીને તે શહેરમાં આવ્યું. ત્યાં લે-વેચ કરતાં મૂડી થઈ, એટલે એક વહાણવટીને આશ્રયે સમુદ્રમાર્ગે વેપાર કરવા લાગ્યો. એમ કરતાં ઘણું ધન મળ્યું, એટલે તેણે પિતાના મિત્રોને સમાચાર મોકલ્યા. બીજે ઈભ્ય-પુત્ર, મિત્રોએ ઘણું પ્રેરણું કરવા છતાં બહાર નીકળતે જ નહીં અને કહે કે, “એ બિચારો ઘણું કાળે જેટલું ધન કમાશે તેટલું તે હું અલ્પ સમયમાં મેળવી લઈશ” પણ બારમા વર્ષે પેલા બહાર નીકળેલા ઇભ્યપુત્રના આગમનના સમાચાર સાંભળીને તે દુખપૂર્વક ઘરની બહાર નીકળે અને વિચાર કરવા લાગ્યું કે, “કલેશભીરુ અને વિષયલોલુપ એવા મેં ઘણે કાળ ગુમાવ્યું. હવે એક વરસની અંદર હું કેટલું કમાઈ શકવાનો હતો? માટે શરીરનો ત્યાગ કરવો એ જ મારે માટે શ્રેય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને તે સાધુ પાસે ગયો અને ત્યાં ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી પિતાનું શરીર ખપાવીને તથા અનશન કરીને નવ માસને સાધુપર્યાય પાળ્યા પછી કાળધર્મ પામી તે સૌધર્મ કલ્પમાં દેવ થયો. અવધિવિષયથી કારણ જાણયું છે એવા તેણે પિતાના દેશના સીમાડે સાથે વિકુવને પિતાના મિત્રને ખબર મોકલ્યા. આ વિષે શંકા કરતા મિત્રએ તેની તપાસ કરવા માટે ચાર-પુરુષને મેક. ચાર-પુરુષદ્વારા તેની સમૃદ્ધિની ખબર પડતાં એ મિત્રે તેની પાસે ગયા. પેલાએ વસ્ત્ર અને આભરણથી પોતાના મિત્રને સત્કાર કર્યો. બીજે ઈભ્યપુત્ર પહેલાંથી જ આવીને રાજાને મળ્યા હતા અને ભાંડ (માલ) સહિત પિતાનું ધન તેણે બતાવ્યું હતું, પણ દેવનું દ્રવ્ય તેના કરતાં ઘણું વધારે હતું; રત્નસહિત તે દ્રવ્યથી રાજા પ્રસન્ન થયે. જે ઈભ્યપુત્રે બાર વર્ષ સુધી કલેશ સહન કર્યો હતો તેને મિત્ર સહિત પરાય છે. સમારંભ પૂરો થતાં દેવ–સાર્થવાહે પોતાના મિત્રોને કહ્યું, “હું કેવી રીતે દ્રવ્ય કમાય તે જાણે છે?” તેઓ બેલ્યા, “ના, અમે જાણતા નથી.” તેણે કહ્યું, “તપથી.” પિતાના દાસ બનેલા બીજા ઈભ્યપુત્રને તથા તેના મિત્રોને પિતાને દિવ્ય પ્રભાવ દર્શાવીને આ હકીકત તેણે જણાવી અને કહ્યું, “જો તમે દીક્ષા લે તો તમને મુક્ત કરું. ” એટલે તપના પ્રભાવથી વિસ્મિત થએલા તેઓએ મિત્રો સહિત પ્રણામ કરીને કહ્યું, “અમને પ્રત્યક્ષ તપને પ્રભાવ દર્શાવીને તમે અમારા ઉપર ઘણી કૃપા કરી છે. જે અમે પ્રતિબોધ પામીશું તે આત્મહિત આચરીશું.” પછી તેમને પ્રતિબંધ પમાડીને દેવ ગયે. પેલા બધા અત્યારે સુસ્થિત અણુગારની પાસે દીક્ષા લેશે. આ કારણથી તપસ્વીઓનું તપ ઘણું કાળ સુધી ટકે એવું અને પૂજનીય છે, શરીરને નાશ થાય તે પણ તપનું ફળ દેવલેકમાં મળે છે, બીજાઓનું કર્મ અ૫ કાળ સુધી જ ટકે એવું હોય છે અને શરીરને નાશ થતાં તેનો પણ નાશ થાય છે.” Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્યામા-વિજયા લંભક [ ૧૪૦ ] હે નંદિષણ! આ પ્રમાણે સુપ્રત્યે પેલી રાજકન્યાને કહ્યું. રાજકન્યા પણ એ બધું અહીં પિતાની નજરે જોઈને પતીજ કરશે કે-પરલેક છે અને ધર્મનું ફળ પણ છે. ” સુસ્થિત અણગાર આમ કહી રહ્યા ત્યાં તો પેલા ઇભ્યપુત્રો તેમની પાસે આવ્યા અને દીક્ષા લીધી. (સુપ્રભ સહિત ત્યાં આવેલી) કુમારી સુમિત્રા પણ સાધુને વંદન કરીને સુપ્રભને વિનંતી કરવા લાગી, “તમે મારા ઉપર અધિકાર ધરાવે છે, પણ મારા ધર્મકાર્યમાં વિદન ન કરેશે.” સુપ્રભે પણ “ભલે” એમ કહીને તે વાત સ્વીકારી. રાજપુત્ર રાજકન્યા સુમિત્રા સાથે નગરમાં ગયે. આ રીતે પરલોકના અસ્તિત્વનું અને ધર્મફળનું પ્રમાણ જેણે પ્રત્યક્ષ જોયું છે એવા નંદિષેણે અત્યંત વિરક્ત થઈને દીક્ષા લીધી. જેણે સૂત્ર અને અર્થ જાણ્યા છે એ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળ, તપમાં ઉઘત, જેની શ્રદ્ધા વધતી જાય છે તથા જેનો વૈરાગ્ય અવિચલિત છે એવો તે વિચારવા લાગ્યું. લાભાન્તરાયના ક્ષપશમથી તે જેવી રીતે અને જ્યારે જે વસ્તુ છે તેવી રીતે અને ત્યારે તે વસ્તુ એને મળતી. તેણે અભિગ્રહ લીધો હતો કે–મારી સર્વ શક્તિથી મારે સાધુઓની વૈયાવૃત્ય કરવી. આ પ્રમાણે ભારતમાં તે મહાતપસ્વી તરીકે પ્રખ્યાત થયા. દેવાએ કરેલી નદિષેણુની પરીક્ષા એક વાર પોતાની સભામાં બેઠેલા દેવરાજ ઈન્દ્ર હાથ જોડીને નંદિણના ગુણ ગાવા માંડ્યા-“વૈયાવૃત્યમાં ઉદ્યત અને દઢ નિશ્ચયવાળા આ નંદિપેણને દેવે પણ ક્ષોભ પમાડી શકે તેમ નથી.” ઈન્દ્રના આ વચનમાં અશ્રદ્ધા રાખતા બે દે સાધુનું રૂપ ધારણ કરીને નંદિણ પાસે આવ્યા. એમને એક ગામ બહાર માંદગીને દેખાવ કરીને બેઠે, અને બીજો નંદિણની વસતિમાં આવ્યો તેણે નંદિષણને તીખાં, આકરાં અને નિષ્ફર વચનોથી તિરસ્કાર કર્યો અને કહ્યું, “બહાર માંદા સાધુ પડી રહ્યા છે, અને અહીં તું વયાવૃત્યનો અભિગ્રહ લઈને સૂઈ રહ્યો છે.” એટલે નંદિણ એકદમ ઊભે થયો અને બે, “જે કાર્ય હોય તે કહે.સાધુના રૂપમાં રહેલા દેવે કહ્યું, “અતિસારથી પીડાતા અને અત્યંત તરસ્યા થયેલા સાધુ ગામની બહાર પડ્યા છે, માટે જે યે લાગે તે કર.” એટલે પારણાં કર્યા સિવાય જ નંદિષેણ પાણી લેવા માટે નીકળ્યો. પણ અનુકંપાથી સ્પર્શાવેલા હૃદયવાળા દેવે અનેષણ કરી–પાણી મળવા દીધું નહીં. પણ તેના ઉપર વિજય મેળવીને, પાછું લઈને નંદિષેણ માંદા સાધુની પાસે ગયો. સાધુએ તેની સાથે લડવા માંડયું, “હું આવી અવસ્થામાં તારી આશા રાખીને આવ્યા હતા, પણ ખાવાને લાલચુ તું મારી સામે પણ જેતે નથી. હે મદભાગ્ય ! “હું વૈયાવૃત્ય કરનાર છું” ૧. આ ઉપરથી સુપ્રભ રનપુરને રાજકુમાર હોય એમ જણાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એટલા માત્ર શબ્દોથી જ તું સન્તોષ પામે છે.” પરંતુ પ્રસન્ન ચિત્તવાળા નંદિષેણે વિનંતી કરી, “મારો અપરાધ ક્ષમા કરે; મને રજા આપે, એટલે આપની સેવા કરું.” મળથી મલિન એ સાધુને નંદિષેણે ઘેઈને સાફ કર્યા અને કહ્યું, “આપને મારા ઉપાશ્રયે લઈ જાઉં છું; આપ નીરોગી થઈ જાઓ તેવી રીતે આપની સેવા કરીશ.” પછી તેણે એ સાધુને ઊપાડ્યા એટલે તે પગલે પગલે બૂમ પાડવા લાગ્યા, “અરે, તું મને દુખાવે છે, મને હલાવે છે, તે વિસામો ખાય છે !” આ પ્રમાણે દબાવા નંદિષણ યતનાપૂર્વક ચાલતો હતો. પછી દેવે તેના ઉપર અત્યંત દુર્ગધવાળે ઝાડો કર્યો. અને બોલ્યા, “અરે દુખ ! મારે ઝાડાને વેગ તે અટકાવ્યા; મને તું મારી નાખવાનું છે !” પણ પ્રસન્ન મુખવાળો નંદિષેણ “માંદાને કયી રીતે સુખ થાય?” એને જ મનથી વિચાર કરતે હતો અને કડવાં વચન અથવા તેવી દુર્ગધને નહીં ગણકારતાં તેણે કહ્યું, “કહે, તમને કેવી રીતે નીચે મૂકું ? અથવા શું કરું ? કહે તો ઘઉં.” આ સાંભળીને કરુણાવાળા થયેલા દેવે પોતાને અશુભ પુદ્ગલેને સંચય ક્ષણવારમાં અદશ્ય કર્યો અને નાસિકા તથા મનને સુખ આપનારી પુષ્પવૃષ્ટિ કરી. સાધુનાં રૂપ ત્યજીને દેવો દિવ્ય રૂપવાળા બન્યા અને ત્રણ પ્રદક્ષિણા કરી, નંદિષણને પગે પડી વારંવાર ખમાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, “ભગવદ્ ! દેવરાજ ઈન્દ્ર તમારું ગુણકીર્તન કરતા હતા, તેમાં અશ્રદ્ધા રાખતા અમે તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યા હતા. ખરેખર, ઈન્દ્ર સાચું જ કહ્યું હતું. આ૫ વર માગો, અમે શું આપીએ?” નંદિષેણે કહ્યું, “જિનેશ્વરોએ ઉપદેશેલ મેક્ષને જે પરમ દુર્લભ માર્ગ તે મને મળે છે. મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.” આ પછી વંદન કરીને દેવે ગયા. આ બાજુ, નંદિષણ સાધુઓની વૈયાવૃત્ય કરતે લાભાન્તરાયના ક્ષપશમથી, જે સાધુ જે ઈરછે છે તે મેળવીને તેને આપતો હતો. આ પ્રમાણે સંયમ, તપ અને ભાવનાપૂર્વક સાધુપણું પાળતાં તેનાં પંચાવન હજાર વર્ષ વીતી ગયાં. સુભગ, સુવર, શુભ, આદેય અને યશે નામકર્મ જેણે ઉપાર્જન કર્યું છે એ તે અનશનકાળે વિચાર કરવા લાગે, “મારા દુર્ભાગ્યના દોષથી ત્રણ કન્યાઓમાંથી એકે પણ મને ઈ નહીં.” આ પ્રમાણે સ્મરણ કરીને તેણે નિયાણું કર્યું કે, “જે આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા મનુષ્યભવમાં હું સુન્દર અને સ્ત્રીઓને વહાલ થાઉં.” આમ બોલીને તે કાલધર્મ પામે અને મહાશુક્ર ક૯૫માં ઈન્દ્રને સામાનિક દેવ થયે. ત્યાંથી આવીને તે તારે દશમે પુત્ર વસુદેવ થયે. આ પ્રમાણે સંસારગતિ સાંભળીને રાજા અંધકવૃષ્ણુિએ પોતાના મોટા પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી. વિશુદ્ધ ચારિત્ર્યવાળા, જેનો વૈરાગ્ય અવિચલિત રહેલ છે તથા જેણે ઘાતિકર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મો) ખપાવેલાં છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્યામા—વિજયા લંભક, [ ૧૫૧ ] જેને કેવલજ્ઞાન થયું છે તથા જેણે માહ્ય અને આંતર કર્મના નાશ કર્યો છે એવા તે રાજા નિર્વાણ પામ્યા. સિહરચના પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ પછી હું આઠ વર્ષના થયેા ત્યારે મને કલાચા પાસે લઇ જવામાં આવ્યેા. વિશિષ્ટ મેધા અને બુદ્ધિના ગુણુવડે મેં તેમને પ્રસન્ન કર્યા. એક વાર એક રસાણિયાએ ( તેલ વગેરે પ્રવાહી વસ્તુઓના ધંધા કરનાર વિણકે ) મારી પાસે એક બાળક લાવીને કહ્યું, ઃઃ કુમાર ! આ કંસ તમારી સેવા ભલે કરે. ” મેં હા પાડી, અને તે કંસ પણ મારી સાથે કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. ,, એક વાર જરાસ'ધે મારા મેાટાભાઇ પાસે દ્ભુત મેાકલીને કહેવરાવ્યુ` કે, “ સિંહપુરના અધિપતિ સિંહથને જો તમે કેદ પકડા તા મારી જીવયશા પુત્રી તથા માઢુ નગર તમને આપુ. આ ખબર સાંભળીને કંસ સહિત મેં રાજાને વિનંતી કરી કે, “ દેવ ! મને રજા આપે; સિંહૅરથને ખાંધીને હું તમારી પાસે લાવુ. ” રાજાએ કહ્યું, “ કુમાર ! તેં હજી યુદ્ધ જોયું નથી, માટે તું ન જઇશ. ” પણ મેં તે નિશ્ચય કરેલેા હતા, એટલે ઘણા પરિવાર સહિત રાજાએ મને માકલ્યા. સિંહૅરથે પણ અમારું આગમન સાંભળીને પેાતાનુ લશ્કર એકત્ર કર્યું. યુદ્ધ શરૂ થયુ, એટલે રાજાએ જેમને સૂચના આપી હતી એવા મેટેરાએ મને વારવા લાગ્યા. સિંહ જેમ હાથીઓના યૂથમાં પ્રવેશે તેમ અમારા સૈન્યમાં પ્રવેશતા સિંહુરથ તેને ક્ષેાભ પમાડવા લાગ્યા. આ પ્રમાણે અમારી સેનાને પીડાતી જોઇને કસ-સારથિવડે કાતા મારેા રથ મેં સિંહુરથની સામે ચલાવ્યેા. પછી તે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ ચાલાક યાષ્ઠા ઉપર મેં મારા હસ્તકૈાશલ્યથી સરસાઈ મેળવી. સારથિ સહિત તેના ઘેાડાઓને મેં વીંધી નાખ્યા. કંસે પેાતાના પરિઘના પ્રહારથી તેના રથની ધૂંસરી ભાંગી નાખી, અને તેને ઉપાડીને મારા રથમાં આણ્યા. આથી તેનુ સૈન્ય નાસવા માંડયુ. વિજય પામેલે હું સિંહૅરથને લઈને અનુક્રમે પેાતાના નગરમાં આવ્યા. સન્તુષ્ટ થયેલા રાજાએ મારા સત્કાર કર્યા, અને પછી એકાન્તમાં મને કહ્યુ, કુમાર ! સાંભળ. કા ુકી નૈમિત્તિકને જીવયશા કુમારીનાં લક્ષણૢાના નિશ્ચય વિષે મેં પૂછ્યું હતું. તેણે મને કહ્યું છે કે,—એ કુમારી બન્ને કુળના નાશ કરાવનારી છે, માટે તેને લેશેા નહીં. ” મેં કહ્યું, “ દેવ ! કંસે સિ’હરથને પકડીને મારી પાસે આણ્યા છે; તેના પરાક્રમને કેમ દબાવી દેવાય ? ” પછી રાજાએ કહ્યુ, “ જો એમ હાય તા પણ રાજપુત્રી વણિકપુત્રને શી રીતે અપાય ?” પણ ‘આનું પરાક્રમ તા ક્ષત્રિય જેવું દેખાય છે માટે આમાં કંઇક રહસ્ય હશે ’ એમ વિચારી રસાણિયાને મેલાવી અમે પૂછ્યું, “ આ બાળકની ઉત્પત્તિ કહે. ” રસાણિયાએ પ્રણામ કરીને કહ્યું, “ આ બાળક કાંસાની પેટીમાં મૂકાયેલા હતા, તે પેટીને યમુનામાં તરતી મેં જોઇ હતી. આ ઉગ્રસેનના નામથી અંકિત થયેલી મુદ્રા છે. 66 Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : આ બાબતમાં આપ યંગ્ય કરો.” પછી કુલવૃદ્ધો વિચાર કરીને કંસને રાજમહેલમાં લઈ ગયા. જરાસંધને મેં કંસનું પરાક્રમ કહ્યું. “આ તો ઉગ્રસેન રાજાને કુમાર છે ” એમ પ્રમાણપૂર્વક કહેવામાં આવતાં તેણે જીવયશા કુમારી કંસને આપી. “મારા પિતાએ મારો જન્મતાં જ ત્યાગ કર્યો હત” એમ સાંભળીને રોષથી કંસે (જરાસંધ પાસે) વરદાનમાં મથુરા નગરી માગી. દ્વેષને કારણે પિતાના પિતાને કેદમાં નાખી તે રાજ્ય કરવા લાગ્યા. વસુદેવને ગૃહત્યાગ વિસ્મયથી વિકાસ પામેલાં નયનવાળા નાગરિકે વડે પ્રશંસા કરતો અને રૂપથી હિત થયેલી યુવતિના દષ્ટિ-સમૂહવડે અનુસરીને હું પણ યુવાવસ્થામાં આવતાં નવા નવા ઘોડા, વજ અને વસ્ત્રો સાથે ઉદ્યાનમાં જતો હતો અને ઉદ્યાનની શોભા અનુભવીને પાછો આવતો હતો. એક વાર મારા મોટાભાઈએ મને બોલાવીને કહ્યું, “કુમાર ! આખો દિવસ તું બહાર ભમે છે, તેથી તારી મુખકાન્તિ મેલી દેખાય છે, હમણાં જ તે શીખેલી કલાઓ ભૂલાઈ ન જાય, માટે તું ઘેર રહે.” મેં પણ “હવે એમ કરીશ” એવું કહીને એ વાત સ્વીકારી. કઈ એક વાર રાજાની ધાત્રીની બહેન કુજા, જેને સુગંધી વસ્તુઓને લગતા કામ ઉપર નિયુક્ત કરેલી હતી તેને એકવાર સુગંધી વસ્તુઓ પીસતી જોઈને મેં પૂછ્યું, આ કોને માટે વિલેપન તૈયાર થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “રાજા માટે.” મેં પૂછ્યું, “મારે માટે વિલેપન કેમ તૈયાર થતું નથી ?” તેણે કહ્યું, “તમે અપરાધ કર્યો હોવાથી રાજા તમારે માટે વિશિષ્ટ વસ્ત્ર, આભરણ કે વિલેપન આપતા નથી.” પછી તેણે વારવા છતાં મેં વિલેપન તેની પાસેથી પરાણે લીધું. એટલે ક્રોધ પામેલી તે બોલી, “ આવાં આચરણને લીધે જ તમને (ઘરમાં) રોકવામાં આવ્યા છે, છતાં અવિનય કર્યા સિવાય રહેતા નથી. ” મેં તેને પૂછ્યું, “કહે, ક્યા અપરાધથી મને રોકવામાં આવે છે? “મને રાજાને ડર લાગે છે” એમ કહીને તે કંઇ બેલી નહીં. મેં તેને વીંટી આપીને વિનંતી કરી તથા સમજાવી, એટલે તે કહેવા લાગી, “ રાજાને વણિકોએ એકાન્તમાં વિનંતી કરી હતી કે- દેવ ! સાંભળે. કુમાર શરદઋતુના ચંદ્રની જેમ લેકેનાં નયનને સુખ આપનાર તથા નિર્મળ ચારિત્ર્યવાળા હોવા છતાં તેઓ જે જે દિશામાં જાય છે ત્યાં ત્યાં તરુણ સ્ત્રીઓ તેમની જ સાથે તેમનું અનુકરણ કરતી ભમ્યા કરે છે. કેટલીયે યુવતિઓ “પાછા વળતા વસુદેવને અહીંથી જોઈશું” એમ વિચારીને પિસ્તકમની બનાવેલી યક્ષિણીઓની જેમ બારીઓ, ગેખ અને જાળીઓમાં ઊભી ઊભી દિવસ વીતાવે છે. સ્વપ્નમાં પણ આ વસુદેવ, આ પણ વસુદેવ ” એમ બોલે છે. જે તરુણીઓ પત્ર, શાક અને ફળ ખરીદવા જાય છે તે પણ “વસુદેવને . ભાવ છે?” એમ પૂછે છે. બાળક રડતાં હોવા છતાં કુમાર ઉપર જ જેમની દ્રષ્ટિએ Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્થામા-વિજયા લંભક [ ૧૫૩ ] ચિંટી રહેલી છે એવી તે સ્ત્રીઓ ઊલટી તે બાળકોને પકડીને “વાછડું છૂટી ગયું છે” એમ કહીને દોરડાથી બાંધે છે. આ પ્રમાણે, હે દેવ! લેકો ઘરનાં કામકાજ મૂકીને ઉન્મત્ત તથા દેવ અને અતિથિની પૂજામાં મંદ આદરવાળા થયા છે, માટે એટલી કૃપા કરો, કે કુમાર વારંવાર ઉદ્યાનમાં ન જાય.” રાજાએ કહ્યું, “તમે ચિન્તામુક્ત થઈને જાઓ, હું તેને અટકાવીશ.” પછી પરિજનેને પણ રાજાએ કહ્યું છે કે, “કેઈએ કુમારને આ વાત કહેવી નહીં.” માટે ઉદ્ધતાઈ છોડી દે, જેથી રાજાના ઠપકાને પાત્ર ન થાઓ.” મેં કહ્યું, “એમ કરીશ.” પછી વિચાર કર્યો, “ ભૂલથી બહાર નીકળ્યો હોત તો પણ મને પકડી લેવામાં આવત. અથવા આ પણ બંધન જ છે, માટે હવે અહીં રહેવું મારે માટે સારું નથી.” આમ વિચાર કરીને સ્વર અને વણે બદલી નાખનારી ગોળીઓ ખાઈને સંધ્યા કાળે વલભ નામે સેવકની સાથે નગર બહાર નીકળે. સ્મશાનની પાસે કેઈ અનાથ માણસનું મુડદું પડેલું જોઈને મેં વલભને કહ્યું, “લાકડાં ભેગાં કર, હું શરીરનો ત્યાગ કરીશ.” તેણે લાકડાં ભેગાં કર્યા અને ચીતા રચી. પછી મેં વલભને કહ્યું, “ જલદી જા, મારા શયનમાંથી રત્નકરંડક લાવ, એટલે દાન આપીને પછી અગ્નિપ્રવેશ કરું.” તેણે કહ્યું, “દેવ! જે તમારો આ જ નિશ્ચય છે તો તમારી સાથે હું પણ અનિપ્રવેશ કરીશ.” મેં કહ્યું, “ તારી ઈચછા હોય તેમ કરજે, પણ આ છાની વાત કઈને કહીશ નહીં, જલદી પાછો આવ.” “જેવી આપની આજ્ઞા.” એમ કહીને વલભ ગયે. એટલે મેં પેલા અનાથ મૃતકને ચીતા ઉપર મૂકી ચીતા સળગાવી. સ્મશાનમાં મૂકાયેલ અળતો લઈને મોટાભાઈ અને દેવીને ક્ષમાપનાલેખ (માણીનો પત્ર) લખ્યા કે, “શુદ્ધ સ્વભાવનો હોવા છતાં વસુદેવને નાગરિકોએ કલાક આપ્યું હોવાથી આ પત્ર લખીને તે અગ્નિમાં પ્રવેશે છે.” પછી એ પત્ર મસાણના સ્તંભ ઉપર બાંધીને હું જલદીથી ત્યાંથી ચાલ્યા ગયે, અને આડે રસ્તે દૂર સુધી જઈને પછી ધોરી માર્ગ ઉપર ચઢ્યો. માર્ગમાં એક તરુણી રથમાં બેસીને સાસરેથી પિયર જતી હતી. તે મને જોઈને પિતાની સાથેની વૃદ્ધાને કહેવા લાગી, “આ અત્યંત સુકુમાર બ્રાહ્મણપુત્ર થાકી ગયા છે, માટે આપણે રથમાં ભલે બેસે. આપણા ઘેર આજ વિશ્રામ લઈને પછી તે સુખપૂર્વક જશે.” વૃદ્ધાએ મને કહ્યું, “ભાઈ ! રથ ઉપર બેસે; તમે થાકી ગયા છો.” “રથમાં બેસીને હું ગુપ્ત રીતે પ્રવાસ કરી શકીશ” એમ વિચારીને હું પણ રથમાં બેઠો. સૂર્યાસ્તની વેળાએ અમે (તે તરુણના પીયરમાં) સુગ્રામ નામે ગામમાં પહોંચ્યા. ત્યાં સ્નાન તથા ભોજન કરીને હું બેઠો. તે ઘરથી થોડે દૂર યક્ષનું મન્દિર હતું, ત્યાં લકે એકત્ર થયેલા હતા. નગરમાંથી માણસો આવ્યા હતા તેઓ એ લોકોને કહેતા હતા, “ આજે નગરમાં ૨૦ Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] વસુદેવ–દ્ધિ'ડી: : પ્રથમ ખંડ : જે બન્યું છે તે સાંભળેા-વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યા છે. તેમના ૠભ નામે વ્હાલા સેવક છે. તે ચીતા મળતી જોઇને આક્રંદ કરવા લાગ્યા. આથી લેાકેાએ તેને પૂછતાં તે કહેવા લાગ્યા કે · લેાકના અપવાદથી ડરેલા વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યા છે. ’ તેનુ આ વચન સાંભળીને બધા લેાકેા પણ આક્રંદ કરવા લાગ્યા. તેમના રુદનના શબ્દ સાંભળીને નવે ભાઇઓ–રાજાએ બહાર નીકળ્યા. કુમારે પેાતાના હાથે લખેલે! ક્ષમાપન પત્ર તેમણે જોયા. તે વાંચીને રડતા તેઓએ ઘી અને મધથી ચીતાનું સિ ંચન કર્યું અને ચંદન, અગર અને દેવદારનાં લાકડાંથી તેને ઢાંકી દઇ, ફરી પાછી સળગાવીને તથા વસુદેવનુ ઉત્તર કાર્ય કરીને તેઓ પેાતાને ઘેર પાછા ફર્યાં. ” આ સાંભળીને મેં વિચાર્યું, “ પ્રસંગ ગુપ્ત રહ્યો છે. હું મરણુ પામ્યા છું એ વિષયમાં મારા વિડàાને શંકા રહી નથી. આથી તેઓ મને શેાધવાને પ્રયત્ન નહીં કરે. આથી મારી ઇચ્છાનુસાર હું નિર્વિઘ્ને વિચરી શકીશ. ” ?? પછી એ ગામમાં રાત વીતાવીને હું સવારે પશ્ચિમ દિશા તરફ નીકળ્યા અને અનુ ક્રમે ચાલતાં વિજયખેટ નગરમાં પહેાંચે. નગરથી ઘેાડે દૂર એક વૃક્ષની નીચે એ પુરુષા હતા. તેમણે મને કહ્યું, “ ભાઇ ! અહીં આરામ લેા. ” હું ત્યાં બેઠા. તેઓએ મને પૂછ્યું, “ તમે કાણુ છે। અને ક્યાંથી આવા છે ? ” મેં ઉત્તર આપ્યા. “હું ગાતમ નામે બ્રાહ્મણ છું, અને કુશાગ્રપુરથી વિદ્યા ભણીને નીકળ્યા છું. તમે મને શા સારું પ્રશ્ન કર્યા ?” તેઓએ કહ્યુ, “ સાંભળે!-- શ્યામા-વિજયા સાથે વસુદેવનાં લગ્ન અહીંના રાજાને ત્યામા અને વિજયા નામે એક પુત્રીએ છે. તેઓ બન્ને રૂપવતી તથા સંગીત અને નૃત્યમાં કુશળ છે. રાજાએ તેમને સ્વયંવર આપેલા છે. તે કન્યાઓએ પ્રતિજ્ઞા કરેલી છે કે, “ જે વિદ્યાની ખાખતમાં અમારાથી ઉત્તમ હાય તે અમારા પ્રતિ થાય. ” રાજાએ ચારે દિશામાં માણસે માકલીને આજ્ઞા કરી છે કે, “ જે યુવાન, રૂપાળા અને વિદ્વાન બ્રાહ્મણ અથવા ક્ષત્રિય હાય તેને તમારે અહીં લાવવા. ” આથી રાજાની આજ્ઞાનુસાર અમે અહીં બેઠા છીએ. તમે જો સંગીત અને નૃત્યમાં નિપુણતા મેળવેલી હશે તે અમારા શ્રમ સફળ થશે. ” મેં કહ્યુ, “ ખરેખર શાસ્ત્ર માત્ર હું જાણું છું. ” પછી સન્તુષ્ટ થયેલા તે મને નગરમાં લઇ ગયા અને રાજા સાથે મારી મુલાકાત કરાવી. પ્રસન્ન હૃદયવાળા રાજાએ પણ મારા સત્કાર કર્યો. પછી પરીક્ષાના દિવસ આવી પહાંચતાં મૃદુ, સૂમ, કાળા અને સ્નિગ્ધ વાળવાળી, પ્રફુલ્લ કમળ જેવા રમણીય મુખવાળી, વિસ્તીર્ણ નયનયુગલવાળી, બહુ ઊંચી નહીં એવી તથા સરખી નાસિકાવાળી, પ્રવાલ–હલ તથા દાડમના ફૂલ જેવા હોઠવાળી, કામળ, નાના અને નમેલા બાહુવાળી, સુકુમાર અને રતાશ પડતી હથેળીઓવાળી, અંતર વગરના-પરસ્પર મળેલા, પુષ્ટ અને Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્યામલી લંક [ ૧૫૫] ~ ~ ~ ~~~ પીળાશ પડતા સ્તનવાળી, કાળા સૂતર સરખી રોમરાજિવાળી અને હાથમાં પકડી શકાય એવા મધ્યભાગવાળી, વિસ્તીર્ણ નિતંબવાળી, હાથીનાં બચ્ચાંની સૂંઢના જેવા આકાયુક્ત કમળ ઉરુવાળી, ગાયના પૂંછડા જેવી (અનુક્રમે પાતળી થતી) તથા ગુઢ-ઢંકાયેલી શિરાઓ અને આછાં રેમયુક્ત જંઘાવાળી, સૂર્યવડે આલિંગિત કમળ જેવાં કોમળ ચરણ-કમલવાળી, કલહંસ જેવી લલિત ગતિવાળી અને ફળના રસવડે પુષ્ટ થયેલી કેકિલા જેવી મધુરવાણીવાળી શ્યામા અને વિજયા કન્યાઓને મેં જોઈ. તેઓ સંગીત અને નયના શાસ્ત્રમાં નિપુણ હોવા છતાં મેં સંગીત અને નૃત્યમાં તેમના ઉપર સરસાઈ મેળવી. પછી રાજાએ શુભ દિવસે મને તેમનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું અને અર્ધ રાજ્ય આપ્યું. વનગજ જેમ હાથણીઓ સાથે વિહાર કરે તેમ હું એ કન્યાઓ સાથે સ્વચ્છેદ વિહાર કરવા લાગે. મને યુદ્ધ-વિદ્યાને પણ પરિચય રાખતે જોઈને તેઓ મને પૂછવા લાગી, “આર્યપુત્ર! જે તમે બ્રાહ્મણ છે તે પછી શા માટે યુદ્ધ-વિદ્યા શીખ્યા છો?” મેં કહ્યું, “કોઈ પણ શાસ્ત્ર બુદ્ધિમાનને માટે નિષિદ્ધ નથી.” તેમની સાથે ગાઢ પ્રેમ થયા પછી, “હવે આ વસ્તુ છુપાવવા જેવી નથી ” એમ વિચારીને, હું કપટપૂર્વક કેવી રીતે ચાલી નીકળ્યો હતે તેને વૃત્તાન્ત મેં તેમને કહો. એથી પ્રસન્ન થઈને વસન્ત માસની આમ્રવેલીઓની જેમ તેઓ વિશેષ શોભવા લાગી. સમય જતાં વિજયા ગર્ભવતી થઈ. જેના દેહદો પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે પૂરા દિવસે પુત્રને જન્મ આપે. જાતકર્મ કર્યા પછી એ પુત્રનું અક્રર નામ પાડવામાં આવ્યું. આ પ્રમાણે ત્યાં વસતાં એક વર્ષ વીતી ગયું. એક વાર હું ઉદ્યાનમાં જતો હતો ત્યારે ત્યાંથી નીકળતા એક પ્રવાસી પુરુષે મને જોઈને પોતાની સાથેના પુરુષને કહ્યું, “અહો! આશ્ચર્ય છે! આટલું બધું સામ્ય પણ હોય છે!” પેલાએ પૂછ્યું, “શેનું સામ?” એટલે તેણે કહ્યું, “વસુદેવ કુમારનું.” આ સાંભળીને મને વિચાર છે કે, “અહીં રહેવું હવે મારે માટે સારું નથી, માટે હું ચાલ્યો જાઉં.” ( ૨ ). યામલી લંભક, હું મારી બને પત્નીઓને વિશ્વાસ આપીને એકલો નીકળે અને સીધે માર્ગ છોડીને ઉત્તર દિશામાં દૂર સુધી ચાલ્યો. ત્યાં હિમવંત પર્વતને જોઈને પછી પૂર્વ દેશમાં જવાની ઈચ્છાવાળે હું કુંજરાવર્ત અટવીમાં પ્રવેશ્યો. લાંબો માર્ગ કાપીને થાકેલે અને તરસ્યા થયેલ હું કાદવ વગરના, કમળ વડે છવાયેલા પાણીવાળા અને જળચર પક્ષીએના કૂજન વડે મનોહર એવા એક સરોવર પાસે પહોંચ્યા. મેં વિચાર કર્યો કે, થાકેલે એ હું જે તરસને કારણે પાણું પીશ તે વાયુ એકદમ ઉપડીને મારા શરીરમાં દોષ પેદા કરશે, માટે થોડી વાર હું થાક ખાઉં, સ્નાન કરીને પછી પાણી Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડઃ પીશ.” એટલામાં કાલમેઘના સમૂહ જેવું હાથીઓનું યૂથ પાણી પીવા માટે એ સરોવરમાં આવ્યું, અને અનુક્રમે પાણી પીને પાછું બહાર નીકળ્યું. હું પણ સ્નાન કરવા લાગ્યા. સહેજ ઝરતા દેખાતા મદજળને લીધે સુરભિ ગંડસ્થલવાળે યૂથપતિ હાથણીની પાછળ ચાલતે સરોવરમાં ઊતર્યો. ઉત્તમ અને ભદ્ર લક્ષણવાળા તે હાથીને મેં ધ્યાનપૂર્વક જે. ગંધને અનુસરતો એ ગંધહસ્તી મારી પાછળ દોડવા લાગ્યો. મેં વિચાર્યું કે, “પાણીની અંદર હાથી સાથે યુદ્ધ નહીં કરી શકાય; આ ઉત્તમ હાથી નજદીક આવશે પછી વશ થશે.” પછી હું પાણીમાંથી બહાર નીકળે. તે હાથી પણ મારી પાછળ પડ્યો. મેં તેની સુંઢના સપાટામાંથી બચીને તેના ગાત્ર ઉપર પ્રહાર કર્યો, ચતુરાઈથી તેના ઘા હું ચુકાવવા લાગ્યો. સુકુમારતાને લીધે તથા ભારે શરીરને લીધે તે મને પકડી શકશે નહીં. મેં તે હાથીને બકરાની જેમ આમતેમ ભમાવ્યો. તેને થાકેલે જાણીને મારું ઉત્તરીય તેની સામે મેં ફેંકયું, એટલે તેના ઉપર તે બેસી ગયો. હું પણ, ભયભીત બન્યા વગર, એ મહાગજના દંતુશળ ઉપર પગ મૂકીને ત્વરાથી તેની પીઠ ઉપર ચઢી ગયે. તેના ઉપર મેં આસન જમાવ્યું એટલે તે હાથી ઉત્તમ શિષ્યની જેમ મારે વશ થયા. તેની પાસે ગ્રહણ કરાવીને મેં ઉત્તરીય લીધું અને તેને હું ઈચ્છા અનુસાર ચલાવવા લાગ્યા. એટલામાં આકાશમાં રહેલા બે પુરુષોએ એક સાથે મારા હાથ પકડીને મને ઉપાડ્યો અને ગગનમાગે મને કયાંક લઈ જવા માંડ્યા. મેં વિચાર કર્યો કે, “આ લેકે મારાથી ઉત્તમ હશે કે ન્યૂન? હું તેમની સામે જોઉં છું એટલે તેઓ નજર ફેરવી લે છે, માટે તેઓ મારાથી ન્યૂન હશે.” એમ મેં નક્કી કર્યું. તેઓ મારી સાથે પ્રેમથી વર્તતા હતા, તેથી તેઓ મારા પ્રત્યે માયાવાળા છે એવું મેં અનુમાન કર્યું. મેં વિચાર્યું કે, “જે તેઓ કંઈ અશુભ કરશે તે તુરત તેમનો નાશ કરીશ, માટે નકામું ચાપલ કરવાની જરૂર નથી.” તેઓ મને એક પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં ઉદ્યાનમાં બેસાડ્યો. પોતાનાં નામ કહીને તેમણે મને પ્રણામ કર્યા કે, “અમે પવનવેગ અને અચિમાલી છીએ.” પછી તેઓ જલદીથી ત્યાંથી ચાલ્યા ગયા. શ્યામલી સાથે લગ્ન થોડીક વાર પછી સફેદ અને સૂક્ષમ રેશમી વસ્ત્ર જેણે પહેરેલું છે તથા એવા જ વસ્ત્રનું ઉત્તરીય નાખેલું છે એવી એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી પ્રણામ કરી પિતાનું નામ બતાવીને કહેવા લાગી, “ રાજા અશનિવેગની પુત્રી વિદ્યાધરકન્યા શ્યામલીની બહારની પ્રતિહારી હું મસ્તકકિલા નામે છું. હે દેવ ! સાંભળો. રાજાની આજ્ઞાથી તેના પવનવેગ અને અચિમાલી નામના સચિવ તમને અહીં લાવ્યા છે. એ રાજાની શ્યામલી નામે કન્યા વૈશાખ માસના સંધ્યાકાળના શ્યામ કમલ જેવી શ્યામ, લક્ષણપાઠકે એ જેની પ્રશંસા કરેલી છે એવા સમ અને સ્વાભાવિક રીતે રાતાં પગનાં તળિયાંવાળી, Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્યામલી લભક [ ૧૫૭ ] તળિયાંની આગળ અનુક્રમે આવેલી ગાળ આંગળીએ અને રાતા નખથી યુક્ત ચરણુયુગલવાળી, માંસલ, ગેાળ અને સુકુમાર તથા એકદમ ઢેખી શકાય નહીં એવાં ગૂઢ રામયુક્ત જ ઘાએવાળી, પુષ્ટ અને સરખાં તથા કદલી-સ્તંભ જેવાં ઉવાળી, માંસલ અને ભરાવદાર નિત મેથી યુક્ત વિશાળ શ્રેાણિભાગવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, તલવારના અગ્રભાગ જેવી સૂક્ષ્મ અને કૃષ્ણવર્ણની રામરાજ વડે સુશોભિત, અને પજામાં સમાઈ શકે તેવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, હાર વડે સુશાભિત, હૃદયહારી તથા પરસ્પર મળેલા એવા સ્તનાવાળી, સ્નાયુએમાં ગૂઢ રહેલા સાંધાવાળી તથા સૌન્દર્યશાળી અને સંગત ખાહુલતાવાળી, ચામર, મત્સ્ય અને છત્ર વડે અંકિત હસ્તરેખાઓવાળી, રત્નમાળા વડે અલંકૃત કંબુ કઠવાળી, વાદળાંના પટલમાંથી બહાર નીકળેલા પૂર્ણચંદ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળી, જેમના ખૂણા રાતા છે તથા મધ્યભાગ ધવલ અને કૃષ્ણ વર્ણના છે એવાં નયનેાવાળી, બિંબનાં ફળ જેવા રમણીય અને રૂપાળા હાઠવાળી, કુંડલ જેવાં આભૂષણને ચાગ્ય અને સરખા શ્રવણવાળી, ઊંચી અને પ્રશસ્ત નાસિકાવાળી, શ્રવણુ અને મનને સુન્દર લાગે એવી મધુર વાણીવાળી તથા પિરજનાનાં નયનારૂપ ભ્રમરા વડે જેનેા લાવણ્યરસ પીવાય છે એવી ( અત્યંત સાન્ત શાલી ) છે. રાજા તમને એ કન્યા આપવા ઇચ્છે છે, માટે ચિન્તા તુરી ન થશે.” CC એ સ્થળની નજીકમાં એક વાવ આવેલી હતી. તેમાં આકાશમાર્ગે ખારકા ઊતરતી હતી. મેં વિચાર્યું, આ ખારકા આકાશમાર્ગે આવે છે, તે શુ' તે નાગકન્યા કે વિદ્યાધરી હશે ?” મત્તકેાકિલા મારું મનેાગત જાણીને કહેવા લાગી, “દેવ! આ ખારકા વિદ્યાધરી નથી. કારણ સાંભળે-ઝરણામાંથી આવતા મીઠા અને પથ્ય પાણીવાળી આ વાવમાં ચતુષ્પદ પ્રાણીએ જાય નહીં, એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવ્યાં છે. જો પાણી પીવાની તમારી ઇચ્છા હાય તેા તમને અંદર ઉતારું, ” મેં હા કહી. પછી તેની સાથે હું... પગથિયાં ઊતરીને વાવમાં ગયા. તરસ્યા થયેલા મેં પ્રયના વચનામૃત જેવુ મધુર અને ગુરુના વચન જેવું પથ્ય તે પાણી પીધું. પછી હું બહાર નીકળ્યેા. રાજાની આજ્ઞાથી પિરજના સ્નાનની સામગ્રી, વસ્ત્ર અને આભરણા લઇને આવ્યાં. કલહસી નામે આભ્ય તર–પ્રતિહારીએ તથા તેનાં પિરજનાએ મને નગરના દ્વાર આગળ સ્નાન કરાવ્યુ અને લેાકેા વડે પ્રશંસા કરાતા હું... અલંકાર પહેરીને નગરમાં પ્રવેશ્યા. રાજા અશિનવેગને મેં જોયા અને તેને પ્રણામ કર્યાં. ‘સુસ્વાગત' એમ ખેલતા તેણે સામે આવીને મને પેાતાના અર્ધા આસન ઉપર બેસાડ્યા. મત્તકેાકિલાએ વર્ણવી હતી તેવી રાજકન્યા શ્યામલીને C ૧ મૂળમાં પણ દ્વારા શબ્દ જ છે. તેના અર્થ અસ્પષ્ટ રહે છે. વળી આગળ મત્તાકલા કહે છે કે, આ ખારકા વિદ્યાધરી નથી. આ વાવમાં ચતુષ્પદ પ્રાણીએ જાય નહીં એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવેલાં છે. ' એ સંદર્ભ પણ કદાચ ઉપર્યુક્ત અસ્પષ્ટતાને કારણે જ અર્થાંની દૃષ્ટિએ સદિગ્ધ રહે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] વસુદેવ–હિ'ડી: : પ્રથમ ખંડ : મે શુભ મુહૂર્તમાં જોઇ. સન્તુષ્ટ રાજાએ વિધિપૂર્વક મારી સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યા. લગ્ન થઇ રહ્યા પછી શ્યામલી મને એકાંતમાં કહેવા લાગી, “ આર્યપુત્ર! હું વિનંતી કરું છું, મને વરદાન આપેા. ” મેં કહ્યું, “પ્રિયે! વિનંતી તા મારે તને કરવી જોઇએ. તુ વિનતી કરે છે તે મારા ઉપર કૃપા થઇ. ” તે ખાલી, “ સદા તમારા અવિયાગ ઇચ્છુ છું. ” મેં કહ્યું, “ આ વર તે મારા છે, તારા નથી, ” તેણે કહ્યુ, “ આ વર માગવાનું કારણ સાંભળેા— અંગારક અને અશનિવેગના પરિચય અહીં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં કિન્નરગીત નામે નગર છે. ત્યાં અર્ચિ(શિખા)યુક્ત અગ્નિ જેવા તેજસ્વી રાજા અર્ચિમાલી નામે હતેા. તેની દેવી પ્રભાવતી નામે હતી. તેના બે પુત્રા છે-જ્વલનવેગ અને અભિનવેગ. જ્વલનવેગની વિમલાભા નામે મહાદેવી છે અને તેના અંગારક કુમાર છે. અનેિવેગની દેવી સુપ્રભા છે, તેની હું પુત્રી છુ. એક વાર રાજા અર્ચિમાલી પેાતાની દેવી સાથે વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વિહાર કરીને પાછે પેાતાના નગરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક સ્થળે સુખપૂર્વક એસીને તેઓ પરસ્પર વાતા કરતાં હતાં. તેનાથી થાડેક દૂર એક હરણ ઊભેલેા હતા. રાજાએ એ મૃગ ઉપર બાણુ ફૂંકયું, પણ તે પાછુ વળ્યું અને મૃગ હાલ્યા પણ નહીં. તેથી ક્રોધથી રાજા બીજી ખાણુ સાંધતા હતા, ત્યાં અષ્ટ રહેલી દેવતાએ તેને બેધ કર્યો, “ ભગવાન નંદ– સુનંદ નામે ચારણશ્રમણેા અહીં લતાગૃહમાં પ્રશસ્ત ધ્યાનમાં રહેલા છે. તેમની નજીકમાં જ તે મૃગ ઉપર બાણુ તાકયુ. તપરિદ્ધિમાન અણુગારા સેકડો પ્રાણીઓનુ રક્ષણ કરે છે. તેઓ જ્યાં રહેલા હાય ત્યાં કાઇ પ્રાણિવધ કરે અને તેના ઉપર જો તેઓ કાપે તે પછી દેવા પણ તેનુ રક્ષણ કરી શકતા નથી. માટે જા, ચારણ્ણાની ક્ષમા માગ, જેથી તારા નાશ ન થાય. ” દેવતાએ આમ કહ્યું, એટલે ડરેલા રાજા ચારણુ શ્રમણેાની પાસે ગયા. ત્યાં વંદન કરીને તેણે કહ્યું, “ ભગવતા! મને ક્ષમા કરે, આપના ચરણની પાસે જ ઊભેલા મૃગના વધ કરવાનું મેં ધાર્યું હતુ. ' એટલે નંદ નામના સાધુએ કહ્યું “ રાજા ! ક્રીડા કરતા લેાકેા કંઇક અંને માટે અથવા કેવળ નિરર્થક પ્રાણિવધ કરીને નીચી ગતિમાં જાય છે અને પરવશ થઇને ત્યાં ઘણા કાળ સુધી હજારા દુ:ખા પામે છે માટે તું પ્રાણિવધના ત્યાગ કર, વૈરબુદ્ધિના ત્યાગ કર. અપરાધી જીવનેા જે વધ કરે તે પણ પાપના સંચયરૂપ તેના ફળમાંથી સેંકડા ભવે પણ બહાર નીકળી શકતા નથી, તેા પછી જે નિરપરાધી પ્રાણીઓના વધ કરે તેનુ તેા કહેવું જ શું ? આવા પ્રકારના ઉપદેશથી જેને વૈરાગ્ય થયા છે એવા તે રાજાએ પાતાના માટા પુત્ર જ્વલનવેગને પ્રજ્ઞસિવિદ્યા તથા રાજ્ય આપીને દીક્ષા લીધી "" Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્યામલી લંભક [ ૧૫૯ ] તથા વૈરાગ્યવાન એવા તે વિચરવા લાગ્યા. ઘણા કાળ પછી તે નોંધ્રુ–સુનદ ચારણશ્રમણા પાછા વિહાર કરતા કિન્નરગીત નગરમાં આવ્યા. જ્વલનવેગ વંદન કરવાને માટે નીકળ્યેા. સમૃદ્ધિની અનિત્યતા દર્શાવતા ચારણશ્રમણેાએ તેને ઉપદેશ આપ્યા, એટલે કામભેગા પ્રત્યે જેને નિવેદ થયા છે એવા તે પેાતાના નાના ભાઈને મેલાવીને કહેવા લાગ્યા કે, “હું વૈરાગ્યના માર્ગે ગયેલા હાઇને દીક્ષા લેવા ઇચ્છું છું; માટે તું પ્રસિવિદ્યા તેમજ રાજ્યને સ્વીકાર. એટલે અનિવેગે કહ્યું, “ તમારા કુમાર ( અંગારક ) ખાળક છે, માટે તમે કહેા છે તે ગ્રહણ કરવાનું મારે માટે ચેાગ્ય નથી. કુમાર પોતે તેની જે ઇચ્છા હોય તે ભલે સ્વીકારે.” પછી કુમારને એલાગ્યે અને પૂછ્યું, એટલે તેણે કહ્યું. “ મને મારી માતા કહે તે લઉં.” માતાએ કહ્યું, “ તુ પ્રજ્ઞષિવિદ્યા લે; જે વિદ્યામાં અધિક હાય છે તે જ ( વ્યવહારમાં ) રાજ્યના સ્વામી ગણાય. ,, આમ તેણે પોતાની માતાના ઉપદેશથી પ્રજ્ઞપ્તિ લીધી, એટલે અશનિવેગ રાજા થયા. હવે, વિમલાભા પહેલાંની જેમ, પ્રજા પાસેથી કર લેતી હતી, આથી પ્રજાજના રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ દેવ ! અમે હવે સુપ્રભાદેવીને (રાણી તરીકેનુ) જેટલું કરીએ છીએ; અને વિમલાભા પણ અમારી પાસેથી કર માગે છે. બન્ને અમારે તા સ્વજના છે, માટે અમારે શુ કરવું તે કહેા. ” પછી રાજા અનિવેગે વિમલાભાને મેલાવીને કહ્યું, “ પ્રજાને હેરાન ન કરશે. ” એટલે તે ખાલી, “હુ પુત્રની માતા છું, માટે મને ભેટણાં કરવામાં આવે એ ચેાગ્ય છે ” વારવા છતાં પણ વિમલાભા પ્રજાને પીડતી હતી અને પેાતાના પુત્રને ચઢાવતી હતી. તેના પુત્ર પણ બલાત્કારે પેાતાને ઇચ્છા થાય તે વસ્તુના ભાગવટો કરતા હતા. એ પ્રમાણે વિરોધ વધતાં મારા પિતા અનેિવેગને પેાતાની વિદ્યાથી પરાજય કરીને તે ( સંગ્રામમાંથી) પાછે! આવ્યા. પેાતાના અભિષેક થયા પછી તે મને મેલાવીને કહેવા લાગ્યા, “ શ્યામલી! તું ચિન્તા કર્યા વગર રહે, તારા ભાઇની સમૃદ્ધિ ભાગવ, તને કાઇ પ્રકારના વાંધા નહીં આવે. ” મેં કહ્યું, “ દેવ ! સ્વજનાનાં હૃદયા હુંમેશાં અશુભની શ`કા કરે છે. સંગ્રામમાંથી પાછા વળેલા તમને તે મેં અક્ષત શરીરવાળા જોયા. પણ તમારી રજાથી મારા પિતાને પણ હું મળી લઉં. ” અંગારકે કહ્યું, “જા, જો ઇચ્છા થાય તેા અહીં આવજે. ” પછી પરિજન સહિત હું અષ્ટાપદ પર્વતની પાસે '' પડાવ નાખીને રહેલા મારા પિતાને મળી. 66 કેટલાક દિવસ પછી જિનન્દિરમાં અંગીરસ નામે ચારણ શ્રમણને વંદન કરીને મારા પિતાએ પૂછ્યું, ભગવન્ ! મને ફરીવાર રાજ્યલક્ષ્મી મળશે કે નહીં? હું સંયમ પાળવાને ચેાગ્ય થઇશ ? ” આવે! પ્રશ્ન રાજાએ પૂછતાં ચારણે કહ્યુ, “ અર્ચિમાલી રાજિષ મારા ધર્મ ભાઇ હતા, માટે કહું છું. હજી તારા પ્રત્રયાકાળ આન્યા નથી, તને ફરીવાર રાજ્ય મળશે. ” રાજાએ પૂછ્યું. “ ભગવન્ ! મને કેવી રીતે રાજ્યપ્રાપ્તિ થશે ? ” સાધુએ મને બતાવીને કહ્યું, “ આ શ્યામલી કન્યાના જે પતિ થશે "" :: ,, તેનાથી તને રાજ્યપ્રાપ્તિ Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : થશે. એ પુરુષ અર્ધભરતના અધિપતિ વસુદેવ)ને પિતા થશે.” ફરી રાજાએ પૂછયું, “ભગવન્! મારે એને કેવી રીતે ઓળખવો ?સાધુએ ઉત્તર આપે, “કુંજરાવર્ત અટવીમાં સરેવરની પાસે જે વનગજની સાથે યુદ્ધ કરે તેને તારે એાળખી લે.” પછી સાધુને વંદન કરીને અમે કુંજરાવર્ત અટવીમાં રહ્યાં. દરરોજ રાજાની આજ્ઞાથી બબ્બે પુરુષે એ પ્રદેશમાં ફરતા રહેતા હતા. સાધુએ કહ્યું હતું તેવા તમને ત્યાં જોવામાં આવ્યા અને અહીં લાવવામાં આવ્યા. ચારણશ્રમણને આદેશ મારા ભાઈ અંગારકના પણ સાંભળવામાં આવ્યો છે. આથી કેષવાળે તે કદાચ તમારો બેધ્યાન અવસ્થામાં વધ કરે. પરંતુ નાગરાજે અમે વિદ્યાધરો માટે નિયમ ઠરાવેલ છે કે, “સાધુની પાસે, જિનગૃહમાં કે પત્નીની પાસે રહેલાને અથવા સૂતેલાને જે વધ કરે તે વિદ્યાભ્રષ્ટ થશે.” આ કારણથી હું વિનંતી કરું છું કે-તમે મારી સાથે હશે ત્યાં સુધી તે તમને કંઈ કરી શકશે નહી.” આ સાંભળીને શ્યામલીને મેં કહ્યું, “અંગારક મને કંઈ કરી શકશે નહીં, વાણીથી ભલે મને બાધા કરે. છતાં પણ તને રુચે છે તે હું કરીશ.” એ પ્રમાણે શ્યામલીની સાથે ઈન્દ્રની જેમ ઈચ્છિત વિષયસુખરૂપી નંદનવનમાં રહેતા એવા મારો સમય વીતતો હતો. શ્યામલીએ મને વિશેષ સંગીતકળા શીખવી; બંધવિમોચની ( જેનાથી બંધનમાંથી છૂટી શકાય) તથા પત્રલથુકિકા ( જેનાથી કોઈ વસ્તુને પાંદડા જેવી હળવી બનાવી શકાય ) એ બે વિદ્યાઓ પણ તેણે મને શીખવી. એ બન્ને વિદ્યાઓ મેં શરવનમાં સાધી. ચિન્તારહિત અવસ્થામાં હું મારી હિતકારિણી શ્યામલી સાથે ઊંઘતો હતો તે વખતે કોઈ મને હરી જવા લાગ્યું, એટલે હું જાગ્યો. મને હરી જતા એક પુરુષને મેં જે અને શ્યામલીના મુખના આકાર સાથે તેની સમાનતા ઉપરથી તે અંગારક હશે એ તર્ક મેં કર્યો. પછી મેં વિચાર કર્યો, “ જે શત્રુનો નાશ કરે તે ઉત્તમ છે, જે તેની સાથે નાશ પામે તે મધ્યમ છે, અને જેને શત્રુવટે નાશ થાય તે અધમ છે. માટે હું માધ્યમ બનીશ, આની સાથે જ નાશ પામીશ, પણ તેનાથી ન્યૂન નહીં થાઉં.” આ પ્રમાણે વિચાર કરીને મેં તેના ઉપર પ્રહાર કરવાની ઈચ્છા કરી ત્યાં તો મારાં ગાત્રે થંભી ગયાં અને હું હાલી ચાલી શકે નહીં. ઊભું રહીને અંગારક મને કહેવા લાગ્યા, “ કુમાર ! કર્યા વિદ્યારહિત પુરુષ નાગને પકડવાની હિંમત કરી શકે ? મેં જ તમારાં ગાત્રે થંભાવેલાં છે. ” એ વખતે શ્યામલી આવીને અંગારકને કહેવા લાગી, “દેવ! મારા પતિનો વધ કરવાનું આપને માટે યોગ્ય નથી, કારણ કે તે તમારા પૂજ્ય છે.” અંગારકે હુંકારથી તેનો તિરસ્કાર કર્યો, એટલે તે ફરીવાર બેલી, “મારા પતિને છોડી દે જે નહીં છોડી દે તે તમારી સાથે સ્વજન સંબંધ હું ત્યજી દઉં છું.” એટલે કુદ્ધ થયેલા અંગારકે મને ફેંકી દેતાં હું પરાળથી ભરેલા હવડ કૂવામાં પડ્યો. ત્યાં પડ્યાં પડ્યાં મેં યુદ્ધ કરતાં તે Page #216 -------------------------------------------------------------------------- ________________ ગંધર્વદા સંભક [ ૧૬૧ ] ભાઈ-બેનને જોયાં. પછી અંગારકે પિતાની તલવારથી શ્યામલીના બે ટુકડા કર્યો. મેં વિચાર્યું કે, “પોતાની બહેનનો વધ કરનાર આ અંગારક અતિ નિર્દય છે. ” પણ ત્યાં તો એકની બે શ્યામલીઓ થઈ ગઈ. શ્યામલીએ પણ ખર્શથી અંગારક ઉપર પ્રહાર કર્યો, એટલે તેના બે અંગારક થઈ ગયા. મેં વિચાર કર્યો કે, “આ તે એમની માયા છે; શ્યામલી નાશ પામી નથી. ” યુદ્ધ કરતાં કરતાં બન્ને જણાં અદશ્ય થયાં. હું પણ ઉપસર્ગો દૂર થાય તે માટે દ્રવ્યથી બેઠેલો છતાં ભાવથી ઊભું રહી કાર્યોત્સર્ગ કરીને રહ્યો. એટલે વિદ્યાદેવતા હસીને અદશ્ય થઈ. એવામાં જાળિયામાંથી આવતે દીવાને પ્રકાશ જોઈને મેં ધાર્યું કે, “આ વાઘ હશે.” પણ ફરી પાછું મેં વિચાર્યું કે, “જે વાઘ હતા તે અહીં પડેલા મારા ઉપર જરૂર આક્રમણ કરતક માટે આ વાઘ નથી. ચોક્કસ, અહીંથી ડેક દૂર કોઈ પ્રાસાદ હોવો જોઈએ, જેમાંથી આ દીવાને પ્રકાશ આવતો હશે.” પ્રભાત થતાં હું (કૂવામાંથી) બહાર નીકળ્યો. ( ૩ ) ગન્ધર્વદત્તા સંભક હું કૂવામાંથી બહાર નીકળે. ત્યાં આધેડ વયના એક માણસને મેં જોયે. તેને મેં પૂછ્યું, “સૌમ્ય! આ કો જનપદ છે? અને અહીં કયું નગર આવેલું છે? તેણે કહ્યું, “ભદ્રમુખ ! અનુક્રમે એક જનપદથી બીજા જનપદમાં જવાય છે. તમે શું આકાશમાંથી પડેલા છે કે આ ક્યા જનપદ અને કયું નગર એમ પૂછો છો?” મેં કહ્યું, “સાંભળો, હું ગૌતમ ગોત્રનો સ્કેન્દિલ નામે મગધવાસી બ્રાહ્મણ છું. યક્ષિણીઓની સાથે મારે પ્રણય હતો. તેમાંની એક મને (આકાશમાગે) ઈચ્છિત પ્રદેશમાં લઈ જતી હતી, ત્યાં બીજીએ ઈર્ષાને કારણે તેની પાછળ પડીને તેને પકડી. તે બેની વચ્ચે કલહ થતાં હું નીચે પડી ગયે. આથી આ કયે જનપદ છે તે હું જાણતો નથી.” પેલો માણસ પણ મને અવલોકીને કહેવા લાગ્યા, “સંભવિત છે; યક્ષિણીઓ તમારી કામના કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.” પછી તેણે મને કહ્યું, “આ અંગા જનપદ છે, અને ચંપાનગરી છે.” પછી ત્યાં મેં જિનમન્દિર જોયું, અને ત્યાં જેના પાદપીઠ ઉપર નામ કતરેલું હતું એવી ભગવાન અરિહંત વાસુપૂજ્યની મૂર્તિ મેં જોઈ. એ મૂર્તિને બહુમાનપૂર્વક પ્રણામ કરી, જાણે પ્રત્યક્ષ તીર્થકર હોય તેમ તેને વંદન કરી, હું મારી જાતને કૃતાર્થ માનવા લાગ્યો. પછી હું મન્દિરમાંથી બહાર નીકળે, તે જેમના હાથમાં વીણા છે એવા, કંઈક પરિવાર સહિત, તરુણેને મેં જોયા, તથા ઘણા લોકોથી પરિવરાયેલું, વેચવા માટેનું, ૨૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ર ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : વીણાઓથી ભરેલું ગાડું જોયું. એક માણસને મેં પૂછયું, “શું આ દેશને આવો આચાર છે? કે બીજું કંઈ કારણ છે, જેથી બધા જ લોકો વીણાનું જ કામ કરતા દેખાય છે?” તેણે ઉત્તર આપે, “અહીં ચારુદત્ત શેઠની પુત્રી ગન્ધર્વદરા અત્યંત રૂપવતી અને ગાન્ધર્વવેદની પારગામી છે. એ શેઠ પણ કુબેરના જેવો છે. એ કન્યાના રૂપથી મેહિત થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈ સંગીતકળામાં અનુરક્ત થયેલા છે. એ કળા શીખીને જે માણસ તે કન્યાને જીતે તે પુણ્યભાગીની એ ભાર્યો થશે. દરેક માસે વિદ્વાનોની સમક્ષ આ બાબતનો નિર્ણય કરવામાં આવે છે. ગઈ કાલે જ એ સમારંભ થઈ ગયો છે, એટલે હવે એક માસે થશે.” મેં વિચાર્યું, “હજી તો ઘણા દિવસ ગુમાવવા પડશે, માટે તેને પૂછું કે-અહીં સંગીતકળાના પારગામી કેઈ ઉપાધ્યાયે છે કે કેમ?” તેણે ઉત્તર આપ્યો, “છે, તેમાં પણ સુગ્રીવ અને જયગ્રીવ મુખ્ય છે.” એટલે મને વિચાર થયે, “એ લોકોના ઘરમાં હું નિર્વિદને દિવસ ગાળીશ.” મારાં આભરણે ગુપ્ત ભૂમિભાગમાં છપાવીને હું નગરમાં પ્રવેશ્યો. મૂર્ખની જેમ પ્રલાપ કરતે હું (સુગ્રીવ) ઉપાધ્યાયને ઘેર પહોંચે. ઉપાધ્યાયને મેં પ્રણામ કર્યા, એટલે તેમણે “સ્વાગત” એમ કહ્યું, અને પૂછ્યું, “કયાંથી આવે છે? અને શા કારણથી અહીં આવે છે?” મેં કહ્યું, “મારું નામ કન્દિલ છે, હું ગૌતમત્ર છું, અને મારે સંગીત શિખવું છે.” પણ ઉપાધ્યાયે મને જડ ધારીને મારી અવજ્ઞા કરી. એટલે મેં તેની બ્રાહ્મણને ઉત્તમ રત્નથી જડેલું કડું આપ્યું. તે જોઈને તે કહેવા લાગી, “પુત્ર! ધીરજ રાખ; ભજન, વસ્ત્ર અને શયનની બાબતમાં તારી જે કંઈ ઈચ્છા હોય તે કહે, ચિન્તા ન કરીશ.” મેં પણ મારી ઇચ્છા હતી તે કહ્યું. પછી બ્રાહ્મણીએ સુગ્રીવ ઉપાધ્યાયને કહ્યું, “સ્વામી ! સકન્દિલને ભણાવે, એ વિદ્યાવિહીન ન રહે.” તેણે કહ્યું, “એ તે જડ છે, શું શીખવાને હતે ?” બ્રાહ્મણ બોલી, “મારે કંઈ બુદ્ધિનું પ્રજન નથી; આ વસ્તુને માટે પ્રયત્ન કરે.” એમ કહીને તેણે કડું બતાવ્યું. એટલે ઉપાધ્યાયે મને શીખવવાનું સ્વીકાર્યું. પછી તું બુરુ અને નારદની પૂજા કરવામાં આવી. ઉપાધ્યાયે મને વિષ્ણુ અને ચંદનને ગજ આપે અને કહ્યું, “તત્રીઓને સ્પર્શ કર.” એટલે મેં તત્રીઓ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે તે તૂટી ગઈ. ઉપાધ્યાયે બ્રાહ્મણને કહ્યું, “તારા પુત્ર કન્દિલનું આ વિજ્ઞાન જે.” બ્રાહ્મણ બોલી, “એ તન્ત્રીઓ તો જૂની અને દુર્બલ હતી, બીજી સ્થલ અને સ્થિર તન્નીએ બનાવે, એટલે તે સમય જતાં શીખશે.” પછી ઉપાધ્યાયના શિષ્યએ સ્થલ તન્ત્રીઓ તૈયાર કરી. મને ઉપાધ્યાયે કહ્યું, “ધીરે ધીરે તત્રીઓને સ્પર્શ કર.” પછી તેણે મને નીચે પ્રમાણે ગીત આપ્યું– अढ णियंठा सुरटुं पविट्ठा, कविट्ठस्स हेट्ठा अह सन्निविट्ठा । पडियं कविलु भिण्णं च सीसं, अव्वो ! अव्यो ! ति वाहरंति हसंति सीसा ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૬૩ ]. (આઠ નિર્ચ સુરાષ્ટ્રમાં પ્રવેશ્યા, અને ત્યાં એક કઠના ઝાડની નીચે બેઠા, કઠ પડયું અને (નિશ્વનું) માથું ફૂટી ગયું; “અો ! અ !” એમ બોલતા શિષ્ય હસવા લાગ્યા) મેં તે શિષ્યોને પૂછયું, “પેલી ઈશ્યકન્યા આ ગીત જાણે છે કે નથી જાણતી?” તેઓએ કહ્યું, “નથી જાણતી.” મેં કહ્યું, “ ત્યારે તો આ ગીત વડે જ હું તેને પરાજય કરીશ.” આવાં વચનાથી તે બધાને હું હસાવતા હતા અને અમારા દિવસો વીતતા હતા. એમ કરતાં અનુયેગ-પરીક્ષાને સમય નજદીક આભે. ઉપાધ્યાય પિતાના શિષ્યો સહિત જવા માંડ્યા. તેમણે મને કહ્યું, “તું બીજા કોઈ સમયે જજે.” મેં કહ્યું, “જે એ કન્યા બીજા કેઈથી જીતાય તે પછી મારું શીખ્યું શા કામનું ? માટે હું તે જઈશ જ.” પણ તેઓ મને જવા દેતા નહોતા. આથી મેં બીજું કડું લાવીને બ્રાહ્મણને આપ્યું. સતુષ્ટ થયેલી બ્રાહ્મણીએ મને કહ્યું, “જે તેઓ તેને અટકાવતા હોય તો તેમનું તારે શું કામ છે? તું જા, અને એ કન્યાને જીત.” પછી તેણે મને સફેદ અને મૂલ્યવાન વસ્ત્રયુગલ આપ્યું તથા અલંકાર અને પુષ-તંબેલ વગેરે પણ આપ્યાં. આ પ્રમાણે પહેરી-ઓઢીને હું ચારુદત્તની સભામાં ગયે. સભામાં ગોઠવવામાં આવેલાં આસને ઉપર વિદ્વાન બેઠા અને બીજા કે જમીન ઉપર બેઠા. શિષ્ય સહિત ઉપાધ્યાય મારી સામે શંકિત થઈને જોવા લાગ્યા કે, “આ મારી પાસે ન આવે તે સારું.” હું સભામાં પ્રવેશ્યો. ત્યાં નગરના પ્રધાન મનુષ્યની સાથે ચારુદત્ત બેઠો હતો. સભાની જના જેઈને મેં કહ્યું, “આવું સભાગૃહ તે વિદ્યાધરલેકમાં છે, અહીં નથી.” એટલે તુષ્ટ થયેલા ચારુદત્તે મને આસન આપ્યું. હું બેઠો. વિસ્મયથી વિકસિત થયેલાં નયનવાળા લોકો મને જોવા લાગ્યા. પછી ભીંત ઉપર ચીતરેલા બે હાથીઓ મેં જોયા. એ જોઈને મેં શ્રેષ્ઠીને પૂછયું, “આ હાથીને ચિત્રકારોએ અપાયુ કેમ ચીતર્યો છે?” તે બોલ્યા, “ભાઈ શું ચિત્રકામમાં પણ આયુષની પરીક્ષા હોય છે ખરી?” મેં કહ્યું, “હા, તમને જે એ વાતમાં શંકા હોય તો પણ મંગાવો અને બાળકને બેલાવો.” પછી પાણીનું વાસણ ભીંતને અડકાવીને મૂકવામાં આવ્યું. બાળકોએ રમતાં રમતાં પાછું લઈને હાથીને ભૂંસી નાખે. સભામાં બેઠેલા પુરુષો બેલી ઉઠ્યા, “અહો! આશ્ચર્ય છે!” ઉપાધ્યાય પણ વિસ્મિત થે. પછી ગર્વદત્તા આવી અને જવનિકાની પાછળ બેઠી. કોઈ પણ માણસ વીણાને સ્પર્શ કરવાની હિંમત કરતો નહોતો. ચારુદત્ત શ્રેષ્ઠી બોલ્યા, “જે કોઈ પણ ગાવાને માટે ઉઠતે ન હોય તે પછી મારી પુત્રી જાય છે.” એટલે થોડીવાર રહીને વિદ્વાનોએ કહ્યું, “ભલે જાય.” એ જ સમયે હું બે, “શા માટે જાય ? તેના શિક્ષણની વિશેષતા તો અમે જોઈએ. ” પછી “આ અતિ પ્રગભ, તેજસ્વી અને રૂપવાન પુરુષ કે માનવ Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ' નથી, પણુ દેવ અથવા વિદ્યાધર છે? એ પ્રમાણે વિચારતા પ્રેક્ષકાની દૃષ્ટિએ મારા તરફ વળી. પછી શ્રેષ્ઠીની સૂચનાથી વીણા લાવવામાં આવી અને માણસાએ મને તે આપવા માંડી, પણ તે લેવાની મેં ના પાડી અને કહ્યું, “ આ વીણાના તુંબડાના ગર્ભ ખરાખર સાફ્ કરેલા નથી, માટે તે સ્પર્શ કરવા લાયક નથી. ” પછી મે' વીણાની તત્રીએ ભીંજાવી અને તે ઉપરના વાળ ખતાવ્યા. તે બીજી વીણા લાવ્યા, એટલે મે કહ્યુ, આ તા દાવાનળથી મળેલા લાકડામાંથી બનાવેલી હાવાથી કઢાર સૂરવાળી છે. ” એ વીણા ખનાવનારને આ વાત પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, “ સત્ય છે. ” પછી બીજી વીણા લાવવામાં આવી. પણ પાણીમાં મુડેલા લાકડામાંથી બનાવેલી હાઇ તેમાંથી ગ ંભીર સૂર નીકળે એમ કહીને મે તેને નિષેધ કર્યાં. આખી સભા વિસ્મય પામી. આ પછી જેના ઉપર ચંદનની ચર્ચા કરવામાં આવી હતી તથા સુગધી પુષ્પોની માળાથી જેને અલંકૃત કરવામાં આવી હતી એવી સાત સ્વરની તન્ત્રીઓવાળી વીણા લાવવામાં આવી. તે જોઇને મેં કહ્યું, “ આ વીણા ઉત્તમ છે, પણ મારે બેસવા માટેનું આ આસન અાગ્ય છે. ” એટલે ઉત્તમ આસન લાવવામાં આવ્યું. પછી શ્રેષ્ઠીએ મને કહ્યું, સ્વામી ! જો વિષ્ણુગ્ગીતક જાણુતા હૈ। તા ગામ. ” મેં કહ્યું, “ જાણું છું, ” સભાજના પૂછવા લાગ્યા, “ વિષ્ણુગીતક શું છે ? ” સાધુઓનાં ગુણક્રીનમાં ગવાતુ વિષ્ણુનું માહાત્મ્ય અને ગીત મેં પૂર્વ સાંભળ્યુ હતુ. એટલે હુ કહેવા લાગ્યા, “ સાંભળેા— વિષ્ણુકુમારનુ` ચરિત અને વિષ્ણુગીતિકાની ઉત્પત્તિ હસ્તિનાપુર નગરમાં પદ્મરથ રાજા હતેા, તેની લક્ષ્મીમતી દેવી હતી. વિષ્ણુ અને મહાપદ્મ નામે તેના એ કુમાશ હતા. શ્રીધર્મનાથ તીર્થંકરની પરંપરામાં સુન્નત નામે અણુગાર હતા; તેમની પાસે રાજાએ વિષ્ણુકુમારની સાથે દીક્ષા લીધી. મહાપદ્મ રાજા રાજ્ય કરવા લાગ્યે. પરમ વિગ્ન તથા જેણે પોતાના બાહ્ય અને આંતરિક ક મળ દૂર કર્યા છે એવા પદ્મરથ રાજા નિર્વાણ પામ્યા. જેની ધશ્રદ્ધા અવિચલિત રહેલી છે એવા વિષ્ણુકુમાર અણુગારે પણ સાઠ હજાર વર્ષ સુધી પરમ દુષ્કર તપ કર્યું. આથી તેમને વિકૃવિણી, સૂકમ-ખાદર-વિવિધરૂપકારિણી, અંતર્ધાની અને ગગનગામિની એ પ્રમાણે ચાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ. "" મહાપદ્મ રાજાના નમુચિ પુરાહિત હતા. વાદ કરવાની ઇચ્છાવાળા એવા તેના મહાજનાની વચ્ચે સાધુઓએ શાસ્ત્રચર્ચામાં પરાજય કર્યાં હતા. આથી સાધુએ પ્રત્યે દ્વેષ રાખતા તેણે રાજાને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરીને રાજપદ મેળવ્યું. વર્ષાઋતુમાં સાધુએ ગજપુરમાં–હસ્તિનાપુરમાં રહ્યા. જેના અભિષેક કરવામાં આવ્યા છે તથા પ્રજાવડે જે સંમાનિત છે એવા તે નમ્રુચિ સાધુઓને મેલાવીને કહેવા લાગ્યા, “તમે મને માનતા નથી, કારણ કે તમે મારી જયવાદ એટલતા નથી. ” સાધુઆએ કહ્યુ, “ શું અમારા વચનથીજ તમારા Page #220 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા લંભક [ ૧૬૫ ] જય અથવા પરાજય થઈ જવાનો હતો ? સ્વાધ્યાય અને ધ્યાનમાં રોકાયેલા ચિત્તવાળા અમે તમારો અભિષેક થયો છે એ હકીકત જાણી નહતી. ” નમુચિ બે, “વધારે શું? મારા રાજ્યમાં તમારે રહેવું નહીં. ” સાધુઓએ કહ્યું, “રાજન ! વર્ષાઋતુમાં વિહાર કરે શાસ્ત્રવિરુદ્ધ છે; માટે અમે શરદ ઋતુમાં જઈશું.” નમુચિએ કહ્યું, “સાત રાત્રિથી વધારે જે અહીં રહેશે તેને હું વધ કરીશ.” સાધુઓ બોલ્યા કે, “સંઘ ભેગા કરીને અમે તમને કહીશું.” પછી એ એકત્રિત થયેલા સ્થવિરો બેલ્યા, “આર્યો! જેની જે રિદ્ધિ હોય તે કહે, કારણ કે સંઘનું મોટું કાર્ય આવી પડયું છે. ” એક સાધુએ કહ્યું, “મારામાં આકાશગમનની શક્તિ છે, માટે જે કરવા જેવું હોય તેની આજ્ઞા કરો.સંઘસ્થવિરોએ તેને કહ્યું, “આર્ય! તમે જાઓ, અને અંગમંદર પર્વત ઉપરથી વિષ્ણુને કાલે જ અહીં લાવે.” તે સાધુ “ભલે” એમ કહીને ક્ષણવારમાં ત્યાંથી ગયા. સંઘની આજ્ઞા તેમણે વિષ્ણુને જણાવી. વિષ્ણુએ કહ્યું, “ભદન્તકાલે આપણે જઈશું.” પણ પછી ઊંઘતા તે સાધુને લઈને વિષ્ણુ ગજપુર પહોંચી ગયા. સાધુઓને દેશવટો આપવાને નમુચિ પુરોહિતને નિશ્ચય તેમને કહેવામાં આવ્યા. વિષ્ણુએ કહ્યું, “સંઘ નિશ્ચિત્ત થાઓ આ ભાર હવે મારા ઉપર આવ્યું છે.” પછી વિષ્ણુ નમુચિ પાસે ગયા. નમુચિએ ઊભા થઈને તેમનો સત્કાર કર્યો. વિષ્ણુએ કહ્યું, “સાધુઓ વર્ષાકાળમાં અહીં ભલે રહે.” એટલે નમુચિ બે, “તમે સ્વામી છે તે મહાપ રાજાના છે એમાં મારે શું ? માટે આ બાબતમાં હું તમને કંઈ ઉત્તર આપતો નથી. શ્રમણોને મારે દેશવટો દેવાને છે એ નિશ્ચય છે.” વિષ્ણુએ કહ્યું, આ સમયમાં પૃથ્વી પ્રાણીઓથી ભરેલી છે; યતિજનોને માટે આ સમયે વિહાર કરવાનું નિષિદ્ધ છે. તમારી અનુમતિથી જે તેઓ ઉદ્યાનગૃહમાં વર્ષાકાળ ગાળીને, નગરમાં પ્રવેશ કર્યા વગરજ, પરદેશ જાય તો પણ તમે મારું વચન કર્યું એમ ગણાશે.” નમુચિ બે , “જેઓ મારે માટે વધ્ય છે તેઓ મારાં ઉદ્યામાં પણ કેવી રીતે રહી શકે?” એટલે વિષ્ણુએ નમુચિને કહ્યું, “ભરત આદિ રાજાઓએ સાધુઓનું પાલન કરેલું છે, અને વિશેષ તાથી પૂજન કરેલું છે. તમે પૂજા ન કરે તે ઠીક છે, પણ ઉલટું “સાધુઓ મારે માટે વધ્ય છે” એવું બોલે છે તે કંઈ રાજાનું ચરિત્ર નથી. દસ્તુઓને પણ આ છાજતું નથી, માટે શાન્ત થાઓ, વર્ષાકાળ પૂરો થશે એટલે સાધુઓ બીજા રાજાનાં રાજ્યમાં વિહાર કરશે.” આ સાંભળી નમુચિ કહેવા લાગ્યું, “તમે કહે છે કે “આ રાજાનું ચરિત્ર નથી, પૂર્વ પુરુષો તો સાધુની પૂજા કરનારા હતા;” પણ જે રાજપુત્ર હોય અને પિતા તથા પિતામહની પરંપરાથી આવેલી રાજ્યલક્રમીને ભગવતો હોય તેને આ ધર્મ હશે. હું તો મારા વંશમાં પહેલો જ રાજા છું; મારે બીજાના ચરિત્રનું શું કામ છે? મારે સાધુઓનું કંઈજ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : કામ નથી. સાત રાત્રિઓ પછી જે સાધુને ફરતે જોઇશ તે જીવતો નહીં રહેવા પામે. તમે જાઓ, તમને હું કંઈ કહેતો નથી; બીજા સાધુઓનું જીવન તે આજથી જ ભયમાં છે.” આ સાંભળીને વિષ્ણુ અણગાર વિચાર કરવા લાગ્યા, “આ દુરાત્મા નમુચિ સાધુએને વધ કરવા ઈચ્છે છે; માટે સંઘને પડતા આ ત્રાસની ઉપેક્ષા કરવી મારે માટે મેગ્ય નથી.” પછી તેમણે નમુચિને કહ્યું, “નમુચિ ! જે તારો આ જ નિશ્ચય છે તો મારું એક વચન કર–એકાન્ત પ્રદેશમાં મને ત્રણ ડગલાં ભૂમિ આપ, એ પ્રદેશમાં રહીને સાધુઓ પ્રાણત્યાગ કરશે. આ વર્ષાકાળમાં વિહાર કરવો તેમને માટે એગ્ય નથી. આટલા માપની ભૂમિ તું આપ, એટલે મારું વચન કર્યું ગણાશે તથા વધ કરવા માટેની તારી પ્રતિજ્ઞા પૂરી થશે.” એટલે સૉષથી વિકસિત નયનવાળો નમુચિ કહેવા લાગ્યું, “જે આ સત્ય જ હોય તે–એટલી ભૂમિમાંથી સાધુઓ જીવતા બહાર નીકળવાના ન હોય તે તે હું આપું.” કુદ્ધ થયેલા વિષ્ણુએ પણ “ભલે ” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. પછી તેઓ નગરની બહાર નીકળ્યા. નમુચિ બોલે, “ભૂમિ આપી છે માટે માપી લે.” વિષ્ણુએ પણ તે વસ્તુ ઈચ્છી. પછી રોષથી પ્રજવલિત થયેલા તથા ભૂમિ માપવા માટે જેમણે નવું શરીર વિકવ્યું છે એવા વિષ્ણુ ખુબ વૃદ્ધિ પામ્યા, અને તેમણે પિતાને ચરણ ઊંચો કર્યો. ભયથી ત્રાસેલ નમુચિ પ્રણામ કરતો વિષ્ણુના પગે વળગી પડ્યો અને બોલ્યા, “ભગવન્! મારા અપરાધની ક્ષમા કરો. પછી વિષ્ણુ પ્રપદ પડ્યા અને ક્ષણવારમાં જ તે દિવ્યરૂપધારી બની ગયા–જેના મણિનાં કિરણોથી દિશાઓ રંગાએલી હતી એવા મુકુટ વડે ગ્રિષ્મઋતુમાં મધ્યાહ્નકાળના દિવસની જેમ તે દુઝેકય-સામે જોઈ ન શકાય તેવા હતા. મુખની બન્ને બાજુએ હાલતાં કુંડળવડે તેઓ સંપૂર્ણ મંડળવાળા ચંદ્ર જેવા દેખાતા હતા, ધવલ સર્ષની ફેણ જેવી કાન્તિવાળા અને પહેલા વૃક્ષ સ્થળ ઉપર વિલસતા એવા હાર વડે કરીને તેઓ શરદઋતુના ધવલ મેઘ વડે અલંકૃત શિખરવાળા મંદિર પર્વત જેવા લાગતા હતા, કડાં અને કેયૂર વડે અલંકૃત બે હાથવાળા તે મેઘધનુષ વડે અંકિત ગગન જેવા જણાતા હતા, તથા મેતીનાં પ્રાલંબ (લટકતી માળાઓ) અને અવલ (ઝલ) ધારણ કરેલા તે સૂર્યમંડળની માળા ધારણ કરનાર મધ્યલાક જેવા શોભતા હતા. આ પ્રમાણે વૃદ્ધિ પામતા વિષ્ણુને જોઈને ભય પામેલા (વ્યન્તરો? દે?) વચમાં મોટી શિલાઓ, પર્વતનાં શિખરે, મોટાં વૃક્ષો અને હથિયારો નાખવા લાગ્યા. વિષ્ણુના હુંકારના વાયુથી ઊછળતી એ બધી વસ્તુઓ ચારે બાજુએ ફેંકાઈ જતી હતી. અપૂર્વ વિશાળ કાયાવાળા વિષ્ણુને જોઈને ડરેલા, ત્રાસેલા, આમતેમ દોડતા, ચંચળ નયનેવાળા તથા જેમનાં આભૂષણે પડી ગયાં છે એવા, અપ્સરાઓ સહિત કિન્નર, કિપરુષે, ભૂત, ૧. મલ વાક્યમાં કર્તા નથી, એટલે શિલાઓ વગેરે કોણ નાખે છે તે અસ્પષ્ટ રહે છે. અહીં કૌસમાં અનુમાને કર્તા વિષેનો તર્ક પ્રશ્નાર્થપૂર્વક રજુ કર્યો છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ - - -- - -- ગન્ધર્વદત્તા સંભક. [ ૧૬૭ ] ય, રાક્ષસ, તિષ્ક દે અને મહારગે એકબીજા તરફ જેસભેર દોડી “તમે કોણ છો? કયાં જાઓ છો? અને શું કરવા ઈચ્છો છો ?” એ પ્રમાણે ગાભરા ગાભરા અને ફાટ્યા અવાજે બૂમો પાડવા લાગ્યા, જેમનાં સર્વ ગાત્રો કંપી રહ્યાં છે એવા તથા વિમિત મુખવાળા તે ગગનચારીઓ વડે, જંગમ મંદર પર્વતની જેમ, જેવાતા તે વિષ્ણુનું શરીર ક્ષણવારમાં લાખ જન ઊંચું થઈ ગયું. અત્યંત તેજસ્વિતાને કારણે તે વિષણુને કેટલાકએ સળગતા અગ્નિના સંઘાત જેવા જોયા; કેટલાકએ તેમને શરદકાળના સંપૂર્ણ બિંબયુક્ત ચંદ્રના જેવા મનોહર અને સૌમ્ય વદનચંદ્રવાળા જોયા. વૃદ્ધિ પામતા શરીરવાળા એ વિશગુના અનુક્રમે વૃક્ષ:સ્થળમાં, નાભિપ્રદેશમાં, કટિભાગમાં અને ઢીંચણમાં જ્યોતિ:ચક્રોને માર્ગ આવી રહ્યો. પછી ભૂમિ કંપી. વિષ્ણુએ મંદર પર્વત ઉપર પોતાને જમણે પગ મૂક્યો. એ પગ પાછો ઊપાડતાં સમુદ્રનું જળ ક્ષોભ પામ્યું. પછી વિષ્ણુએ પિતાની બે હથેળીઓ અફળી, તેના શબ્દથી મહદ્ધિક દેવના અંગરક્ષકો ત્રાસી ઊઠ્યા. એ સમયે જેનું આસન કંપી ઊઠું છે તથા વિપુલ અવધિજ્ઞાનથી જેણે એનું કારણ જાણી લીધું છે એવા ઈન્દ્ર સર્વ દેવોની સમક્ષ પોતાની સંગીત અને નૃત્યની મંડળીના અધિપતિઓને કહ્યું, “અરે ! સાંભળે–નમુચિ પુરોહિતનાં અનાચારી કૃત્યોથી કેપેલા આ ભગવાન વિષ્ણુ અણગાર ગેલેક્યને પણ ગળી જવાને સમર્થ છે તે ગીત અને નૃત્યના ઉપહારથી તેમને નમ્રતાપૂર્વક શાન્ત કરે.” આ પ્રમાણે સીધર્મપતિએ આજ્ઞા કરતાં તિલોત્તમા, રંભા, મેનકા અને ઉર્વશીએ વિષ્ણમુનિની દૃષ્ટિ સમક્ષ નૃત્ય કર્યું, વાજિંત્રે વાગ્યાં, “હે ભગવન્! શાન્ત થાઓ !” એ પ્રમાણે મુનિના કાન પાસે કર્ણમધુર સ્તુતિ કરતા તથા જિનેશ્વરોનાં નામ અને તેમના ક્ષમાગુણને વર્ણવતા તુંબરુ, નારદ, હાહા, હૂહૂ અને વિશ્વાવસુએ ગાન કર્યું. ભગવાન વિષ્ણુકુમારને પ્રસન્ન કરવા નિમિત્તે ઈન્દ્ર સહિત દેવોના સમૂહને આવેલ જાણુને દિવ્ય મતિથી પ્રેરિત તથા વૈતાઢયની શ્રેણિઓમાં નિવાસ કરનારા મહદ્ધિક વિદ્યારે વરાપૂર્વક આવીને દેવેની સાથે ભળ્યા. આગમને અનુસરતાં ગીત ગાતા તથા કમલદલના સમૂહની કાન્તિને ધારણ કરનાર ભગવાન વિષ્ણુના ઊંચા થયેલા ચરણકમળમાં, રસમૂચ્છિત ભ્રમરે જેમ કમળમાં લીન થાય તેમ, લીન થતા તે વિદ્યાધરો પણ એ જ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. સન્તુષ્ટ થએલા તુંબરુ અને નારદે તેમને કહ્યું, “અહો ! આશ્ચર્ય છે ! અહા ! તમે માત્ર મનુષ્ય હવા છતાં દેવની સાથે જ સ્તુતિગાન કર્યું છે અને તેમાં તમારી દક્ષતા બતાવી છે.” પછી વળી વિદ્યાધરને તેમણે કહ્યું, “તમારા ઉપર અમે કૃપા કરીશું, જેથી સંગીતકળામાં તમારી પરમ આસક્તિ થશે. વિષ્ણુગીતિકાનો જેમાં વિષય છે એવો, સપ્ત સ્વરની તંત્રીમાં આશ્રિત તથા મનુષ્ય લેકને દુર્લભ એ ગાન્ધાર સ્વરનો સમૂહ તમે ધારણ કરે उपसम साहुवरिट्ठया ! न हु कोवो वण्णिओ जिणिंदेहिं । हुँति हु कोवणसीलया, पावंति बहूणि जाइयवाई ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : (હે સાધુઓમાં શ્રેષ્ઠ ! શાન્ત થાઓ. જિનેશ્વરોએ પણ કેપને ઉત્તમ કો નથી, જેઓ કે પશીલ થાય છે તેઓ ઘણું સંસારભ્રમણ પામે છે.)” વિદ્યાધરોએ પ્રણામ કરીને તથા “અમારા ઉપર પરમ અનુગ્રહ થયે” એમ કહીને તે ગીતિકા ગ્રહણ કરી. આ બાજુ ભગવાન વિષ્ણુની આ પ્રકારની અપૂર્વ ચેષ્ટા તથા નમુચિ પુરોહિતના અવિનયને પ્રસંગ સાંભળીને તથા વિષ્ણુનું દિવ્ય અને વૈક્રિય તથા ગગનતલને પશે કરતું મહાન શરીર જોઈને ડરેલે તથા જેને કંઠે પ્રાણ આવ્યા છે એ મહાપર્વ રાજા નગર અને જનપદ સહિત સંઘને શરણે ગયા અને ભયથી ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યો કે, “સંઘ એ મારું શરણ છે. હું અણુવ્રત પાળનાર શ્રમણોપાસક-શ્રાવક છું અને ભગવાન્ સુવ્રત અણગારને શિષ્ય છું, માટે મારું રક્ષણ કરો.” “કુપાત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને એની ખબર પણ અમને આપી નહીં, એ તારી ભૂલ થઈ” એમ કહીને પછી નિર્મળ સ્વભાવવાળા શ્રમણસંઘે રાજાને કહ્યું, “રાજન ! તને ક્ષમા કરી છે. અમારી વાત તો અહીં પૂરી થઈ છે; પરન્ત વિષયપ્રમત્ત એવા તારી નિષ્કાળજીને કારણે એવી વિષમ સ્થિતિ પેદા થઈ છે, જેથી આખા 2લાક્યનું અસ્તિત્વ પણ શંકાગ્રસ્ત બન્યું છે. માટે વિષ્ણુકુમાર શ્રમણને શાન્ત કર.” પછી સર્વે સંઘશમણે હાથ જોડીને વિષ્ણુની પાસે ઊભા રહ્યા અને વિનંતી કરવા લાગ્યા, “હે વિષ્ણુ! શાન્ત થાઓ; સંઘે મહાપદ્મ રાજાને ક્ષમા કરી છે. તમારું રૂપ સંકેલી લે. ચરણ હલાવશે નહીં, કારણ કે તમારા તેજના પ્રભાવથી કંપતું મહીતલ રસાતલમાં પ્રવેશે છે. આ શ્રમણ સંઘ તમારા ચરણની ખૂબ નજદીક ઊભેલે છે. ” પિતે લાખો યોજન ઊંચા હોવાને કારણે શ્રવણની મર્યાદાની બહાર રહેલા હોવાથી ભગવાન કુમારશ્રમણ સાધુજનનું આ વચન સાંભળતા નહોતા. પછી મોટા શ્રતધરોએ કહ્યું, “બાર યોજનથી આગળ ખરેખર શબ્દ સંભળાતો નથી. ભગવાન વિષ્ણુની શ્રોત્રેન્દ્રિય ગગનના કોઈ ભાગમાં અત્યારે હશે, તેથી તેઓ સાંભળી શકતા નથી. એમનું આ વિકલું રૂ૫ લાખો યાજન ઊંચું છે, પણ એટલે દૂર જવા છતાં પણ રૂપને વિષય તો રહે છે–જોઈ શકાય છે, માટે ભગવાનનો પગ અફાળે, એટલે તેઓ અવશ્ય તે તરફ જશે અને તેમની ઉપાસના કરતા શ્રમણ સંઘને જોઈને તેઓ શાન્ત થશે.” પછી સાધુઓએ એકી સાથે તેમનો પગ અફાળે. સ્પર્શેન્દ્રિયની સંજ્ઞા જેમને પ્રાપ્ત થઈ છે એવા વિષ્ણુ મહર્ષિએ ધરતી તરફ જોયું. પોતાના અંત:પુર અને પરિજન સહિત સંઘને શરણે આવેલા મહાપદ્મ રાજાને તેમણે જે તથા હાથ જોડીને “શાન્ત થાઓ” એમ બોલતા સાધુઓને પણ જોયા. પછી વિષ્ણુએ વિચાર કર્યો, “સાધુએ નવનીતની જેમ મૃદુ સ્વભાવવાળા અને ચંદનની જેમ શીતલ હૃદયવાળા હોય છે. પરિવાર સહિત મહાપદ્મ રાજાની પીડાનું નિવારણ કરતા તેઓએ નક્કી ક્ષમા Page #224 -------------------------------------------------------------------------- ________________ ગન્ધ દત્તા લ ભક [ ૧૬૯ ] કરી છે. મારે માટે પણ સંઘની ઇચ્છાનું ઉલ્લ્લંઘન કરવુ. ચેાગ્ય નથી. ” દેવાનાં વચનાથી જેમનું હૃદય મૃદુ થયું હતુ એવા વિષ્ણુ અણુગાર ગુરુ એવા સંધની ઇચ્છા અનુસાર પેાતાનુ રૂપ સંકેલી લઇ શરદઋતુના ચદ્ર જેવા મનેાહર દર્શનવાળા ખની ભૂમિ ઉપર બેઠા. વિદ્યાધરા સહિત દેવ-દાનવના ગણાએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા તથા કુસુમની વૃષ્ટિ કરી તેઓ પાતપેાતાનાં સ્થાનાએ ગયા. આ પ્રમાણે પેાતાના સ્વાભાવિક રૂપમાં આવ્યા પછી, ખીજેલા ( વિષ્ણુએ ) મહાપદ્મ રાજાને કહ્યું, “તું રાજ્યશ્રીને ચેગ્ય નથી. ” પછી મહાપદ્મના પુત્રને તેમણે કહ્યું, “ પિતાને કેદ કરીને ન્યાયપૂર્વક તું પ્રજાનું પાલન કર, અને ધર્મમાં આદરવાળા થા. ” પ્રજાએ એ પુત્રના રાજા તરીકે સ્વીકાર કર્યાં અને ભગવાન વિષ્ણુએ તેના ઉપર કૃપા કરી. નમુચિને વધ કરવા માંડ્યો; પણ સાધુસ ંઘે તેને બચાવી લીધેા. પછી તેને દેશવટા દેવામાં આળ્યે. વિષ્ણુ અણુગાર પણ એક લાખ વર્ષ સુધી તપ કરી, કર્માંરજ દૂર કરી કેવલજ્ઞાન તથા કેવલદનવાળા થયા અને નિર્વાણ પામ્યા. દેવ અને ગાન્ધર્વોના મુખેથી નીકળેલું વિષ્ણુકુમાર સંબંધી જે ગીત વિદ્યાધરાએ ધારણ કરી લીધું હતું તે મુખ્ય રાજકુલેામાં પ્રચલિત છે. જ્યારે હું શ્યામલીની સાથે રહેતા હતા ત્યારે તેણે પૂર્વકાળે શીખેલું તથા સસ સ્વરની તંત્રી ઉપર ગવાયેલું તે ગીત વીણાવાદનમાં કુશળ એવી તેની પાસેથી મેં ગ્રહણ કરી લીધું હતું. તે આ વિષ્ણુગીતક મેં તમને કહી બતાવ્યું છે. ( આ પ્રમાણે સભાજનાને મેં કહ્યું. ) ,, ગન્ધવ દત્તાનું પાણિગ્રહણ પછી મે' અને ગન્ધ દત્તાએ વીણાને સ્પર્શ કરીને ગાન્ધાર ગ્રામની મૂઈનાથી એક ચિત્તે ત્રણ સ્થાન અને ક્રિયાની શુદ્ધિપૂર્વક તથા તાલ, લય અને ગ્રહની સમતાપૂર્વક તે વિષ્ણુગ્ગીતિકા ગાઈ. ગીત પૂરું થતાં નાગરિકા એટલી ઊઠ્યા, “ અહા ! આ ગાન અને વાદન ખરેખર સમ અને સુકુમાર હતું. ” પછી સન્તાષથી પ્રસન્ન મુખવાળા શ્રેષ્ઠીએ આ બાબતના નિણૅય માટે નિયુક્ત થયેલા આચાયનિ પૂછ્યું, “ આ ગાન અને વાદન કેવું હતું ? ” તેઓએ ઉત્તર આપ્યા, “ આજે તમારી પુત્રીએ જે ગાયું તેનું જ આ બ્રાહ્મણે વાદન કર્યું, અને બ્રાહ્મણે વાદન કર્યું તે જ તમારી પુત્રીએ ગાયું. ” પછી અંદરની જનિકા દૂર કરવામાં આવી. નાગરિકા મેલ્યા. “ હવે સ્પર્ધા ચાલી ગઇ છે, નગરના ઉત્સવ પણ હવે બંધ પડ્યો છે, વીણાના વ્યાપાર હવે બંધ થયા છે, કારણ કે ગન્ધદત્તાને પતિ મળ્યો છે. ” આ પછી નારિકાની પરમ સત્કારથી પૂજા કરીને શ્રેષ્ઠીએ તેમને રજા આપી. ૨૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - [ ૧૭ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પછી ચારુદત્ત શ્રેણીએ મને કહ્યું, “તમે દિવ્ય પુરુષાર્થથી મારી પુત્રી ગન્ધર્વદત્તાને પ્રાપ્ત કરી છે, હવે નિવિદને તેનું પાણિગ્રહણ કરો. લેકશ્રુતિ એવી છે કે–બ્રાહ્મણને બ્રાહ્મણ, ક્ષત્રિયાણી, વેશ્યા અને શુદ્રાણુ એ પ્રમાણે ચાર ભાર્યાઓ થઈ શકે છે. આ ભાર્યો તમને અનુરૂપ છે, પણ કોઈ કારણથી તે તમારાથી પણ ઉત્તમ હોય, એમ હું ધારું છું.” મને વિચાર છે કે, “આ છોકરી તમારા કરતાં ઉત્તમ છે એવું શ્રેષ્ઠીએ શા સારુ કહ્યું?” પછી શ્રેણીના અંતઃપુરમાં મને લઈ જવામાં આવ્યું. ત્યાં દાસીઓ આવી. તેમણે રાજાને ગ્ય એવી રીતે મારા સ્નાનાદિ સંસ્કારો કર્યા. પછી મને નવાં વસ્ત્ર આપવામાં આવ્યાં, તે મેં પહેર્યા. પછી મારું વરકતક-વરને ગ્ય પીઠી વગેરે સંસ્કારો – કરવામાં આવ્યા. આ પછી વૃદ્ધજન સહિત હું શ્રેષ્ઠીના સ્વજને જ્યાં એકત્ર થયા હતા એવી ચેરીમાં આવ્યું. સ્ત્રીઓ મારી પ્રશંસા કરવા લાગી, “ગન્ધર્વદત્તાને વર મળતાં ઘણે વિલંબ થયે, પણ ખરેખર યોગ્ય વર મળે છે. અથવા કહો કે જેની ઉપમા આપી ન શકાય એવા રૂપવાળે આ કામદેવ જ છે.” પછી સરસ્વતી સમાન રૂપવાળી, બાલ સૂર્યના બિબ જેવી પ્રભાવાળી, કુંડલ-યુગલની કાન્તિ વડે લેપાયેલાં નયને વડે મોહક એવા વદન કમળવાળી, વિસ્તારવાળાં, નિરંતર હારવડે સુશોભિત અને તાલ-ફલનું અનુકરણ કરનારાં પુષ્ટ સ્તનવાળી, સ્તનના ભારથી વિલાસયુક્ત અને ત્રિવિડે શોભાયમાન સૂક્ષ્મ મધ્યભાગવાળી, કમલિનીપત્ર જેવા પહોળા અને માંસલ શોણિભાગવાળી, પપત્ર જેવા સુકુમાર, સુસ્થિત અને પુષ્ટ ઉરુવાળી, કમલતંતુઓના કલાય જેવી મૃદુ, અલંકારે વડે ઉજવલ અને મને હર હથેળીએરૂપ પુષ્પોથી યુક્ત બહુલતાઓવાળી, જેમાં શિરાઓ બહાર દેખાતી નથી એવી જ ઘાવાળી, સુન્દર પ જેવા કોમળ અને પ્રશસ્ત ચરણવાળી તથા હંસના જેવી મદભર અને લલિત ગતિવાળી તે ગન્ધર્વદત્તાને મારી સમક્ષ લાવવામાં આવી. જાણે લજજાવડે અનુસરાતી હોય તેવી તેને, લક્ષમીને જેમ કુબેરની પાસે બેસાડવામાં આવે તેમ, કુલવૃદ્ધાઓએ મારી પાસે બેસાડી. પછી શ્રેષ્ઠીએ મને કહ્યું, “સ્વામી! તમારે કુલ-ગોત્રનું શું કામ છે ? કાં તે તમે અગ્નિમાં હેમ કરો અથવા મારી પુત્રી કરે.” મેં વિચાર કર્યો, “આ તો ઈશ્યપુત્રી છે, તે પછી શા કારણથી શ્રેષ્ઠી આમ બેલે છે?” પછી મેં વિસ્મય બતાવીને કહ્યું, “આ બાબતમાં તમારે જ નિર્ણય પ્રમાણભૂત છે.” એટલે મારા અભિનય ઉપરથી સમજીને તે કહેવા લાગ્યા, “સ્વામી ! મેં તમને આવી વિનંતિ કરી તેનું કારણ હું પછી કહીશ. જે રત્ન આભારણનું સ્થાન પ્રાપ્ત ન કરે તેને વિનાશ થાય છે.” પછી વિધિપૂર્વક અગ્નિમાં હેમ કરવામાં આવ્યું. શ્રેષ્ઠીએ મને ગન્ધર્વદત્તાનું પાણિગ્રહણ કરાવ્યું. પ્રિયા સહિત મને મંગલપૂર્વક ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યો. પ્રસન્ન મનવાળા મને સંગસુખનું ફળ આપનાર તે રાત્રિ વીતી ગઈ. લગ્નના દિવસો પૂરા થતાં સુગ્રીવ અને યશગ્રીવ (જ્યગ્રીવ) ચારુદત્તની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ગૃહપતિ ! શ્યામા અને વિજયા એ બે છોકરીઓ Page #226 -------------------------------------------------------------------------- ________________ ગધવદત્તા લ’ભક [ ૧૭૧ ] ગધ દત્તાની સખીએ છે; ગન્ધદત્તાની અનુમતિ હાય તા તે બન્ને જણીએ તમારા જમાઇની સેવા કરે, ” પછી ચારુદત્તે આ વાત મને જણાવી, એટલે મે' પ્રિયાને પ્રમાણુભૂત ઠરાવી...અર્થાત્ ગન્ધ દત્તાના નિણૅય પ્રમાણે ચાલવાનું કહ્યું. ગન્ધ દત્તાની અનુમતિ મળતાં એ બન્ને જણીઓના ઘણું! સત્કાર કરવામાં આવ્યા. એ ત્રણે ભાર્યાઓ સાથે હું રમણ કરતા હતા, તેા પણ વિશેષપણે ગન્ધ દત્તામાં મારી પ્રીતિ વધતી હતી. હું તે ગુણામાં આસક્ત થતા હતા, જો કે ભાગની ખાખતમાં તેા કોઇની ન્યૂનતા નહેાતી. ર ઘણા દિવસ ગયા બાદ એક વાર જમીને આસનગૃહમાં હું મારા આસન ઉપર બેઠા હતા. ત્યાં શ્રેષ્ઠી ચારુદત્ત આવ્યે અને હાથ જોડીને કહેવા લાગ્યા, “ સ્વામીના જય થાએ ! પ્રિયાએની સાથે તમે હજારા વર્ષોં સુધી પ્રજાનું પાલન કરા! ” વડિલહાવાથી મેં તેની પૂજા કરી અને આસન આપ્યું એટલે તે બેઠા. પછી તે કહેવા લાગ્યા, “ સ્વામી ! મેં તમને પહેલાં કહ્યું હતું કે · આ છેકરી તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશિષ્ટ પણ હાય; તેનું કારણુ આપને કહીશ; આજ્ઞા કરી. ” મેં કહ્યું, “ પ્રસ્તાવ સહિત કહેા. ” એટલે શ્રેષ્ઠી લાગ્યા, “ સાંભળેા, સ્વામી ! — 6 ચારુદત્તની આત્મકથા આ નગરમાં ઘણા કાળની જૂની કુલપર’પરાવાળા, માતા તેમજ પિતાના વંશમાં વિશુદ્ધ એવા કુળમાં જન્મેલે, શ્રમણેાપાસક, જેણે જીવ અને અજીવ પદાર્થોનું સ્વરૂપ જાણ્યુ છે એવા અને દયાવાન્ ભાનુ નામે શ્રેણી હતા. તેને અનુરૂપ કુલમાં જન્મેલી ભદ્રા પત્ની હતી. એ ભદ્રા ઉચ્ચપ્રસવા હાવાથી ( રજની નાડી ઊંચી થઇ ગએલી હાવાથી ) તેને પુત્ર થતા નહાતા. આથી પુત્રની ઇચ્છાવાળી તે દેવતાઓને નમસ્કાર કરતી તથા તપસ્વી જનાની પૂજા કરતી વિહરતી હતી. એક વાર પેાતાની પત્ની સહિત જેણે પૌષધ કર્યા હતા એવા તે શ્રેષ્ઠી જિનપૂજા કરીને, દીવા સળગાવવામાં આવ્યા હતા તે સમયે, દર્ભના સંથારામાં સ્તુતિમગલમાં પરાયણ થઇને બેઠા હતા. એ વખતે ભગવાન ચારુ નામે ગગનચારી અણુગાર ત્યાં આવ્યા. જિનેશ્વરની સ્તુતિ કરીને તથા કાર્યોત્સર્ગ કરીને મુનિ ત્યાં બેઠા. શેઠે તેમને આળખ્યા. પછી સંભ્રમપૂર્વક ઊઠીને • આ તે ચારુ મુનિ ' એમ ખેલતા શ્રેષ્ઠીએ તેમને આદરથી વંદન કર્યું. મુનિએ મધુર વચનથી તેને કહ્યું, “ શ્રાવક ! તું નીરાગી છે ? તારાં તપ અને વ્રતમાં નિર્વિજ્ઞ છે ? ” શ્રેષ્ઠીએ કહ્યુ, “ ભગવન્! તમારાં ચરણની કૃપાથી. આ પછી ચારુ મુનિ તીર્થંકર નિમનાથના ચિરત સધી કથા કહેવા લાગ્યા. 6 ,, કથાન્તરમાં શ્રેષ્ઠીની પત્નીએ હાથ જોડીને ચારુ મુનિને કહ્યુ, “ ભગવન્ ! અમારી પાસે વિપુલ ધન છે. લેાકષ્ટિએ એ ધનના ભાક્તા તથા અમારી કુલપરપરાને ચાલુ રાખનાર Page #227 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૭ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : શાભને ભરવામાં આવએ એના દડદ્ર પર કરવામાં આવ્યા છે કોની મી 19 પુત્ર અમને થશે? આપ અમેઘદશી છે, માટે આનો ખુલાસો આપ.” ભગવાન ચારુ મુનિએ કહ્યું, “ભદ્રે ! તને અલ્પકાળમાં પુત્ર થશે.” પછી તે શ્રેષ્ઠીને “શ્રાવક! શીલવ્રતના પાલનમાં અપ્રમાદી થજે” એમ કહીને મુનિ અદશ્ય થયા. આ પછી કેટલેક કાળે શ્રેણીની પત્નીને ગર્ભ રહ્યો. વૈદ્યોએ સૂચવેલી ભેજનવિધિથી પૂરા કરવામાં આવ્યા છે એવી તે સ્ત્રીએ પ્રસવકાળે પુત્રને જન્મ આપે. જાતકર્મ કર્યા પછી નામકરણ–સંસ્કારના દિવસે તેનું ચારુદત્ત એવું નામ પાડવામાં આવ્યું, કારણ કે ગુરુ ચારુમુનિએ એ પુત્રજન્મનું ભવિષ્ય ભાખ્યું હતું. ધાત્રી વડે રક્ષાએ તથા પરિજનો વડે લાલનપાલન કરાત તે છોકરી મંદર પર્વતની કંદરામાં ઊગેલા સંતાનક નામના ક૯૫વૃક્ષની જેમ નિર્વિદને મોટે થયે. શરીરના પાંચ ભૂતની જેમ અથવા નિરંતર શોભાયમાન રૂપાદિ પાંચ ગુણાની જેમ સર્વદા સાથે ને સાથે રહેતા એ ભાનુ શ્રેષ્ઠીના પાંચ મિત્રો હતા. એ પાંચેના મારી સાથે જ ઊછરેલા અને મારામાં સ્નેહવાળા પુત્ર હતા. તેમનાં નામ હરિસિંહ, મુખ, વરાહ, તમન્તક અને મરુભૂતિ એવાં હતાં. એમની સાથે ક્રીડા કરતો ચારુદત્ત આનંદ પામતો હતે. એ ચારુદત્ત તે હું જ છું એમ તમે જાણો. હે સ્વામી! પછી મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યું અને મેં કલાઓ ગ્રહણ કરી. વિદ્યા ભણ્યા બાદ પિતાએ મને શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું, અને મિત્રે સહિત હું રહેવા લાગે. એક વાર કૌમુદી–ચાતુર્માસિકાના ઉત્સવ નિમિતે જિનેશ્વરને પુષ્પ ચઢાવવા માટે મિત્ર સહિત હું નીકળે અને અંગમન્દિર ઉઘાન તરફ ગયે. ત્યાં ચૈત્યને ઉત્સવ થતા હતા. મારી આજ્ઞા ઊઠાવનાર દાસ અને પુષ્પ વીણનાર છેકરાની સાથે પગે ચાલતો હું રમણીય ઉપવન અને ઝરણાઓ તથા મેઘની ઘટા જેવી શ્યામ અને પક્ષીઓના ગણના મધુર કિલકિલાટથી યુક્ત વનરાજિ જેતે હતો. આ બધું જોવાની લાલચથી વૃક્ષે, ગુઓ અને લતાઓમાં દૂર સુધી ગયેલા અમે પ્રસન્ન વહેતાં પાણીવાળી અને બારીક અને ધવલ રેતીવાળી રજતવાલુકા નામની નદીના કિનારે પહોંચ્યા. જોઈતાં પુપ અમે ચૂંટ્યાં. પછી દાસોને મોકલ્યા કે, “જાઓ, અંગમન્દિર ઉદ્યાનમાં જિનાયતનની પાસે અમારી રાહ જુઓ.” એટલે તેઓ ગયા. પછી મિત્રની સાથે હું નદીકિનારે ઊભો રહ્યો. મરુભૂતિ નદીમાં ઊતર્યો અને કહેવા લાગે, “ઊતરે, શા માટે વિલંબ કરો છો?” ગોમુખે તેને કહ્યું, “તું કારણ જાણ નથી.” એટલે તે બોલ્યા, “શું કારણ છે?” ગોમુખ બે, “વેદ્યો કહે છે કે-રસ્તો કાપીને આવ્યા પછી એકદમ પાણીમાં ન ઊતરવું જોઈએ. પગના તળિયે રહેલી બે શિરાઓ ઊંચે જાય છે, અને કંઠ પાસે આવીને તે જુદી પડે છે. તે પૈકી બે નેત્ર તરફ જાય છે. એ શિરાઓનું રક્ષણ કરવા માટે ઉષ્ણુ અને તપેલા શરીરવાળા મનુષ્ય પાણીમાં ઊતરવું Page #228 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૭૩ ] નહીં. જે કદાચ એ રીતે ઊતરવામાં આવે તે, એ વરતુ પ્રકૃતિ વિરુદ્ધ હોવાને કારણે, માણસને ખૂધાપણું, બહેરાપણું અથવા અંધાપો પ્રાપ્ત થાય છે. આ કારણને લીધે, વિશ્રામ લીધા પછી જ પાણીમાં ઊતરવું.” આ સાંભળીને મરુભૂતિ કહેવા લાગ્યા, ગોમુખ તો મોટા ઘરને માણસ છે, માટે તમે બધા ઊતરો અને પગ ધૂઓ.” પછી અમે પગ પખાળીને ક્રીડા કરવા લાગ્યા, અને એક સ્થળે ધરામાં ઊગેલાં કમળ લઈને કમળપત્રો ઉપર અમારી ઈચ્છાનુસાર પત્રછેદ્ય કરીને આનંદ કરવા લાગ્યા. એમ કરતાં નદીના બીજા પ્રવાહ આગળ અમે પહોંચ્યા. ત્યાંથી ગોમુખે બેબાના જેવી આકૃતિવાળું આત્યંતર પદ્મપત્ર લીધું અને તે પાણીમાં તરતું મૂકયું, એની અંદર એગ્ય પ્રમાણમાં રેત મૂકી, એટલે તે નાવની જેમ ઉતાવળે ચાલવા લાગ્યું. મરુભૂતિએ પણ પદ્મપત્ર લીધું અને તેમાં પુષ્કળ રેતી નાખી. આથી કમળપત્રની તે નાવ ભારને કારણે ડૂબી ગઈ અને બધા મિત્ર મરુભૂતિની મશ્કરી કરવા લાગ્યા. એટલે કારણ સમજીને તેણે બીજું કમળપત્ર લઈને મૂછ્યું, પણ પ્રવાહની શિઘ્રતાથી–નાવ ઉતાવળે ચાલવાથી ગોમુખ જી. જોરથી ચાલતી એ પદ્મપત્રની નાવડીને મરુભૂતિ પહોંચી શક્યું નહીં, પણ દૂર સુધી જઈને પછી તે હર્ષપૂર્વક પિતાના મિત્રોને બોલાવવા લાગે, “આવે, આવે, જલદી આવો! આશ્ચર્ય જુઓ.” એટલે મેં તેને કહ્યું, “સુન્દર! કહે કેવું આશ્ચર્ય છે?” તે બે, “ચારુસ્વામી ! આવું તો મેં કદિ પણ જોયું નથી, જે તમારી પણ જોવાની ઈચ્છા હોય તે અહીં આવીને જુઓ.” આ સાંભળી ને મુખ મને કહેવા લાગે, ચારુસ્વામી ! એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. નકકી એ મરુભૂતિએ પત્થરમાંથી નીકળેલું વૃક્ષનું મૂળ જોયું હશે, એ જોઇને એનું થયું હશે કે, “આવા કોમળ મૂળવડે આ પત્થર કેવી રીતે ભેદાય?” અથવા બચ્ચાને ચાર આપતી હંસલી તેણે જોઈ હશે, અને તેનાં બચ્ચાંની મોટી સંખ્યા જોઈને તે વિસ્મય પામ્યું હશે. અથવા તમરાંને અવાજ સાંભળીને આટલાં નાનાં તમરાં આટલો મોટો શબ્દ કેવી રીતે કરે છે?” એમ તેણે આશ્ચર્ય માન્યું હશે.” પછી મેં મરુભૂતિને પૂછયું, “આ સિવાય બીજું કંઈ છે ?” તેણે ઉત્તર આપે, “આ તે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે; એમાં તમારે વિચાર કરવાનું શું છે? જુઓ.” મભૂતિ પ્રત્યેના માનની ખાતર અમે તે પ્રદેશમાં ગયા. ત્યાં અમને મભૂતિએ પ્રવાહના પાણીથી ભરેલું, અત્યંત સૂફમ રેતીના પુલિનમાં પડેલું હોવાને કારણે જાણે કે પહેરેલાં વસ્ત્રમાંથી પડેલું હોય તેવું, અળતાને કારણે કંઈક પીત વર્ણ વાળું કોઈ યુવતિનું પગલું બતાવ્યું. ગોમુખ બેલ્યા, “આવા પુલિન-ભાગમાં શું આશ્ચર્ય છે? આવાં પાણીથી ૧ મૂળમાં ગાવથરસપp ગુવતિગો એવા શબ્દ છે, તેને અર્થ “અળતાને કારણે પીત વર્ણવાળા યુવતિના સ્તન (ની મુદ્રા > એવો થાય. પરતું અળતો કદિ પણ સ્તન ઉપર લગાડાતો નથી તેમજ આગળના સન્દર્ભમાં કયાંય સ્તનની મુદ્રાની વાત આવતી નથી. આથી મેં સોફ્ટર ને બદલે પારં (મોઢા=ભાગ) પાઠ કપીને “પગલું' એ અર્થ કર્યો છે. આગળ (પૃ. ૧૭૬) “આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે' એમ ગેમુખ કહે છે, તે આ સ્થાનને અનુલક્ષીને જ જણાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ,, "6 ભરેલાં સ્થળે! તે ઘણાં ડાય છે. ” મરુભૂતિ એક્લ્યા, “ અહીં જે આશ્ચર્ય છે તે જીએ. ” એમ કહીને તેણે બીજા એ પગલાં બનાવ્યાં. એટલે ગામુખે તેને કહ્યું, “ જો આવી વસ્તુએ આશ્ચર્ય રૂપ હાય તા આપણાં પગલાંએ તા સેકડા આશ્ચર્ય રૂપ ગણાવાં જોઇએ. ” મરુભૂતિ ખેલ્યા, “ આપણાં પગલાં તે અનુક્રમે પડેલાં ડાય છે, ત્યારે આ તા બુચ્છિન્ન માર્ગ વાળાં છે—અર્થાત્ આ કયાંથી આવ્યાં અને ક્યાં ગયાં તે કંઇ સમજાતુ નથી, માટે આપણે તે ધ્યાનપૂર્વક જોવાં જોઇએ. ” આ સાંભળીને રિસ'હુ મેલ્યે, “ એમાં શે વિચાર કરવાના છે ? કેઇ એક પુરુષ આ કિનારે ઊગેલા વૃક્ષ ઉપર ચઢીને એક ડાળીથી બીજી ડાળી ઉપર જતા હશે, પણ કાઇ લતા-ડાળ અત્યંત પાતળી હેાવાને કારણે પુલિન ઉપર ઉતર્યા હશે, અને ફ્રી પાછે! વૃક્ષ ઉપર ચઢી ગયા હશે. ” એટલે ગામુખે વિચાર કરીને કહ્યું, “ એ અંધ બેસતું નથી. જો તે વૃક્ષ ઉપરથી ઊતર્યું હાત તા હાથ-પગના આધાતને લીધે પડેલાં લીલાં, સૂકાં અને પાકાં પત્ર, પુષ્પ અને ફળ આ પુલિન ઉપર તેમજ પાણીમાં વેરાયેલાં હૈાત. ” પછી હિરિસંહે કહ્યું, “ તેા આ પગલાં કેાનાં હશે ? ’ ગામુખ એલ્યા, “ કોઇ આકાશગામીનાં પગલાં છે. ” એટલે હિરિસંહે પૂછ્યું, “ તે શું દેવનાં છે ? રાક્ષસનાં છે ? ચારણશ્રમણનાં છે ? કે ઋદ્ધિમાન્ ઋષિનાં છે ? ” ગામુખે ઉત્તર આપ્યા, “ દેવા તેા જમીનથી ચાર આગળ ઊંચે જ ચાલે છે; રાક્ષસેા માટા શરીરવાળા હાય છે, એટલે તેમનાં પગલાં પણ મોટાં હાય છે; ઋષિએ તપને કારણે સાસાયેલા શરીરવાળા હાય છે, એટલે કૃશતાને લીધે તેમનાં પગલાં મધ્ય ભાગમાં ઉન્નત હાય છે; અને જલચર પ્રાણીઓને ત્રાસ ન થાય એટલા માટે ચારણશ્રમણા જલ–તીરે ફરતા નથી. ” હરિસિંહ ખેલ્યા, “ જો એ પૈકી કોઇનાયે આ પગલાં ન હાય, તેા કાનાં હશે ? ” ગોમુખે કહ્યુ, “ વિદ્યાધરનાં. ” હરિસિ ંહે કહ્યું, કદાચ વિદ્યાધરીનાં પણ હોય. ” ગામુખ ખેલ્યા, “ પુરુષા બળવાન્ હાઇને ઉત્સાહપૂર્વક ચાલે છે. વિશાળ વક્ષ:સ્થળને કારણે તેમનાં પગલાં આગળથી દખાયેલાં હાય છે; પણ ઓએના પુષ્ટ નિતંબને કારણે તેમનાં પગલાં પાછળથી દખાયેલાં હાય છે. આ કારણથી આ પગલાં વિદ્યાધરીનાં નથી. ” ફ્રી પાછા ગામુખ ખેલ્યા, “ ચારુસ્વામી ! એ વિદ્યાધરની પાસે ભાર છે.” રિસિદ્ધે પૂછ્યું, “ શું તે પર્વતના ભાર છે ? કે સૌવનવૃક્ષના ભાર છે? અથવા પૂર્વે જેણે પાતાને અપરાધ કર્યા હાય એવા અને લાગ તાકીને પકડેલા શત્રુના એ ભાર હશે ? ” ગામુખે ઉત્તર આપ્યા, “ જો પર્યંતનુ શિખર હાત તા તેના ભારને કારણે પગલાં ખૂબ દબાયેલાં હાત; જો વૃક્ષ હાત તેા તેની જમીનને અડતી શાખાએની મુદ્રા ઘણા મેાટા ઘેરાવામાં ke ,, ' ૧. મૂળમાં સપ્નનુળો વાવવો એ શબ્દ છે. સાલવૃક્ષને સપ્ન ( સં. સî ) કહેવામાં આવે છે, પણ અહીં તે સજીવ્યા આખુ એકજ વૃક્ષનુ નામ જણાય છે; માટે તેના ‘ સઘયૌવન ' એવા અનુવાદ કર્યા છે. તે એ કયું વૃક્ષ ? એ શુ વિદ્યાધરલેાકનુ’કેાઇ ચમત્કારી વૃક્ષ હશે ? એનાં ફળથી ગયેલુ. ચૌવન જલદી પાછું આવતું હશે ? Page #230 -------------------------------------------------------------------------- ________________ ગન્ધ દત્તા લ"ભક [ ૧૭૫ ) દેખાતી હાત; અને શત્રુને તે! આવા રમ્ય પ્રદેશમાં કઇ લાવે જ નહીં. ” એટલે હિરિસંહૈ પૂછ્યું, “ જો આમાંનુ એક પણ કારણ ન હાય તેા પછી એ ભાર છે શેના ? ” ગામુખે કહ્યુ, “ સ્ત્રીના. ” હરિસિ ંહે કહ્યું, “ સ્ત્રીને ભાર હાય એ સંભવિત નથી, કારણ કે વિદ્યાધરીએ પણ આકાશગામિની હાય છે. ” એટલે ગામુખ એલ્યા, “ એ વિદ્યાધરની પ્રિયા માનવ સ્રી છે; તેની સાથે તે રમણીય સ્થાનામાં ફરે છે. ” હિરિસ ંહે કહ્યુ, ૬ જો. તે એ વિદ્યાધરની પ્રિયા હાય તા તેને એ વિદ્યાએ શા માટે આપતા નથી ? ” ગામુખે ઉત્તર આપ્યા, “ એ વિદ્યાધર મસરવાળા અને સર્વ પ્રત્યે શંકા રાખનારા છે; આથી • વિદ્યાએ મેળવીને રખેને સ્વચ્છ ંદચારી થાય ’એમ વિચારીને તે પેાતાની પ્રિયાને વિદ્યાએ આપતા નથી. ” પછી હિરિસંહે પૂછ્યું, “ તેની સાથે વિદ્યાને ધારણ નહીં કરનારી સ્ત્રી છે, એમ તે શી રીતે જાણ્યું ? ” ગામુખે ઉત્તર આપ્યા, “ એના શરીરના નીચેના ભાગ પુષ્ટ હાય છે, અને તેમને ડાબે હાથે પ્રણયચેષ્ટા કરવાની ટેવ હાય છે; એ કારણથી આ તેના ડાખા પગ કંઇક ઊંચા થયેલા છે. રિંસહે કહ્યુ, જો તેની સાથે સ્ત્રી હાય તા પછી આ પ્રદેશમાં ઊતર્યા પછી તેની સાથે ભેગ ભાગળ્યા સિવાય તે કેમ ચાલ્યેા ગયા ? ” ગામુખ એલ્યા, “ વૃક્ષરાજિના અંધકારને લીધે (દૂરથી ) રિતમણિની વેદિકાથી વીંટળાયેલા હાય તેવા આ પ્રદેશ તેમણે ધાર્યા હશે, પણ પાસે આવતાં પ્રકાશવડે રમણીય અને પાણીથી વીંટળાયેલા પુલિનને જોતાં આ સ્થળને તેમણે રતિને માટે અયેાગ્ય ધાર્યુ. હાવું જોઇએ. પગલાં તાજા જ હાવાથી અવશ્ય તેઓ આટલામાં જ હશે. આ રમણીય પ્રદેશ ત્યજીને એકદમ જઇ શકાય એવું નથી, માટે આપણે તેમની પદપંક્તિની શેાધ કરીએ. ’ "" ,, આ રીતે તપાસ કરતાં બીજા સ્થળે ચાર પગલાં જોવામાં આવ્યાં. તે ગેામુખને બતાવવામાં આવ્યાં, એટલે તેણે નિર્ણય આપ્યા કે, “ ઘુઘરીઓના અગ્રભાગ વડે અંકિત તથા પાની ઉપરનાં નૂપુરની જેમાં કઇક મુદ્રા પડેલી છે એવાં આ સ્ત્રીનાં પગલાં છે. આ ખીજા બે જુદાં છે, અને તે પુરુષનાં છે. ” પછી ગેામુખના વચનથી વિસ્મય પામેલા તથા એ યુગલની પદપક્તિને અનુસરતા અમે આગળ ચાલ્યા. પછી અમે ખિલેલાં પુષ્પાવાળુ, ભ્રમરાથી ઢંકાયેલું અને શરદકાળની શેાભાવાળું સમપણુંનું વૃક્ષ જોયું. અંજન ( કાળા ભમરા ) અને ગેરુ( પુષ્પ )થી રંગાયેલા જાણે રૂપાના પર્યંત હોય એવું તે દેખાતુ હતુ. આ જોઇને ગામુખે કહ્યું, “ ચારુસ્વામી ! આ સપ્તપણું ની પાસે આવ્યા પછી તે સ્ત્રીએ આ શાખા ઉપર ફૂલના ગોટા જોયા; અને પોતે નહીં પહોંચી શકતી હાવાથી તે માટે પ્રિયને પ્રાર્થના કરી. ” હું મેલ્યા, “ એમ કેવી રીતે ? ” ગામુખે કહ્યુ, “ ફૂલના ગોટા લેવા ઇચ્છતી તે સ્ત્રીનાં આ પાની વગરનાં પગલાં દેખાય છે. વિદ્યાધર તા ઊંચા છે, એટલે તેણે વિના પ્રયત્ને એ ગોટા તાડ્યો છે, કેમ કે જરાયે ભેદાયેલી રેખાઓ વગરનાં તેનાં પગલાં આ રેતીમાં દેખાય છે. પણ એ ફૂલના ગેટા તે Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : સ્ત્રીને હજી તેના પતિએ આપે નથી. વળી તેમને અહીંથી ગયાંને પણ લાંબો સમય વીત્યે નથી, કારણ કે ફલ ચૂંટાયાને લીધે હજી પણ ફેલનાં દટાંમાંથી દૂધ ઝરી રહ્યું છે.” એટલે હરિસિંહે ગેમુખને કહ્યું, “ગોમુખ! ફૂલને સ્તબક તોડ્યાને ઝાઝી વાર થઈ નથી, એ તમારું કથન તો યેગ્ય છે, પણ વિદ્યાધરે એ સ્તબક સ્ત્રીને આપે નહીં, એ વાત બંધ બેસતી નથી. પ્રિયાએ પ્રાર્થના કર્યા છતાં તે કેમ ન આપે?” ગેમુખે ઉત્તર આપે, “કામવાસના પ્રણયલેલ હોય છે. આ સ્ત્રીએ આ પહેલાં પોતાના પ્રિયતમ પાસે કઈ વસ્તુની પ્રાર્થના નહીં કરી હોય એમ જણાય છે; આથી પ્રથમવાર તે ફૂલના ગોટાની યાચના કરવાને લીધે અતિ ચંચળ એવી સ્ત્રીને જોતો તે આનંદ પામ્યું. “હે પ્રિયતમ ! મને તે આપ” એમ બેલતી તે સ્ત્રી પણ તેની ચારે બાજુએ ફરવા લાગી. તે સ્ત્રીનાં પગલાંથી વીંટાયેલાં એ વિદ્યાધરનાં પગલાં અહીં દેખાય છે. ચારુસ્વામી! વિદ્યાધરની તે અવિદ્યાધરી–માનવી-પ્રિયતમા આથી કેપ પામીને રીસાઈ ગઈ છે. ” હરિસિંહે પૂછયું, “એ વસ્તુ તે કેવી રીતે જાણું?” ગોમુખે ઉત્તર આપે, “એ સ્ત્રીઓ ક્રોધપૂર્વક પછાડેલાં અને તેથી અસ્તવ્યસ્ત પડેલાં પગલાં અહીં દેખાય છે, આ પગલાં તેની પાછળ દોડતા વિદ્યાધરનાં છે; પછી એ સ્ત્રીને માર્ગ રોકતા વિદ્યાધરની, વેગપૂર્વક મૂકાયેલા પગવાળી, પદપંક્તિ આ દેખાય. પાછા હઠેલા અને વાટ જેવાથી પીડાયેલા વિદ્યારે તેને પંથ રે; એટલે તે હાસ્યને રોકીને આ તરફ ગઈ, અને જઈને પાછી આવી. બીજું, હે ચારુસ્વામી ! “તે સ્ત્રી અવિદ્યાધરી છે” એમ મેં કહ્યું હતું તે બરાબર છે. તેનાં આ પગલાં ઉપરથી જણાય છે કે તે જઈને પાછી આવેલી છે. જે તે વિદ્યાધરી હોત તો ફુદ્ધ થયા પછી તે આકાશમાર્ગે અહીંથી ચાલી જાત. તેણે કેપ કર્યો, એટલે પછી પેલા વિદ્યાધરે તેને સપ્તપર્ણના ફૂલને ગોટે આપે. તે લઈને તેણે વિદ્યાધરની છાતી ઉપર જ પછાડ્યો, અને પોતાના ક્રોધની સાથે તેને પણ તોડી નાખે. (અર્થાત્ ગેટે વિખરાઈ ગયે તે સાથે તેને ક્રોધ પણ ઊતરી ગયે.) વિદ્યાધર તેને પગે પડ્યો. આથી કરીને તે સ્ત્રીના પગ આગળ વિદ્યાધરના મુકુટના શેખરથી દબાયેલા આ રેતીને ભાગ દેખાય છે. હળવા કેપવાળી તે સ્ત્રી પણ જલદીથી તેના ઉપર પ્રસન્ન થઈ હોય એમ જણાય છે; કારણ કે નદીના પુલિનમાં ફરતાં તે બંને જણાંનાં જાણે કે ચીતરેલાં હોય તેવાં સ્વચ્છ પગલાં પગદંડી ઉપર દેખાય છે. ચારુસ્વામી ! પછી વિદ્યાધરની સામે તાકી રહેલી તે સ્ત્રીનો પગ કાંકરીથી ઘવાયો. વેદના પામતી એવી તેનો પગ વિદ્યારે ઉતાવળથી ઊંચે કરી લીધો. સ્ત્રીએ પણ વિશેષ વેદનાને લીધે વિદ્યાધરના ખભા ઉપર ટેકે મૂર્યો. આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે. આ પછી વિદ્યારે ૧. મૂળમાં અપાયા વાળી એ શબ્દ છે. એમાંથી વાળીનો અર્થ અહીં અસંબદ્ધ રહે છે. “જઈને પાછી આવી” એ અર્થ જાપાના ઉપરથી તેમજ પછીના સંદર્ભને આધારે અનુમાનથી કર્યો છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ગંધર્વદત્તા સંભક [ ૧૭૭ ] તેના પગેથી રુધિરવાળી રેતી લૂછીને અહીં નાખી.” પછી હરિસિંહે પૂછ્યું, “કોઈએ અળતાથી મિશ્રિત કરીને કદાચ અહીં રેતી ન નાખી હોય?” ગોમુખે કહ્યું, “અળ કડવો હોય છે, એટલે તેના ઉપર માખીઓ વળગે નહીં. આ તો તાજા લાગેલા ઘાનું વિચ, મધુર અને માંસમાંથી ટપકેલું લેહી છે; આથી સ્વાદિષ્ટ કેળિયાની જેમ આ રેતી ઉપર માખીઓ બેસી ગઈ છે. ચારુસ્વામી ! તે વિદ્યારે પછી એ સ્ત્રીને પિતાના હાથમાં ઉપાડી.” હરિસિંહ બે, “તેં કેવી રીતે જાણ્યું ?” ગોમુખે કહ્યું, “કારણ કે અહીંથી સ્ત્રીનાં પગલાં અટકી ગયાં છે અને પુરુષનાં પગલાં દેખાય છે. વળી ચારુસ્વામી ! મને એમ વિચાર થાય છે કે-ગુંજારવ કરતા ભમરાઓથી યુક્ત કુસુમતતાઓ વડે વીંટાયેલ, સમ ભૂમિ ઉપર રહેલે તથા જાણે કે લક્ષમીનું નિવાસસ્થાન હોય તે જે લતામંડપ આપણી સામે દેખાય છે ત્યાં એ વિદ્યાધર યુવતિ સહિત રહેલો હોવો જોઈએ. પરંતુ એકાન્તમાં રહેલાને જેવાં એ ગ્ય નથી, માટે આપણે અહીં ઊભા રહીએ. એ પછી કેટલીક વારે અનેક વર્ગનાં પીંછાંઓથી આચ્છાદિત તથા વનથી પરિચિત હોવાને કારણે ભીતિરહિત એ મયૂર તે લતાગૃહમાંથી પોતાની સહચરી સાથે બહાર નીકળે. એટલે ગોમુખે કહ્યું, “ચારુસ્વામી ! આ લતાગૃહમાં વિદ્યાધર નથી.” હરિસિંહે કહ્યું, “આટલી વાર સુધી “યુવતિ સહિત તે અહીં છે” એમ કહીને હવે “તે નથી” એવું કેમ બોલે છે?” એટલે ગોમુખે કહ્યું, “આ મારે કોઈ પ્રકારની આકુલતા વગર લતાગૃહમાંથી નીકળે છે, જે કે મનુષ્ય અંદર હોત તે ભયને લીધે આકુલતાપૂર્વક તે બહાર આવત.” પછી મુખના વચનને પ્રમાણભૂત માનતો હું મિત્રો સહિત લતાગૃહમાં ગયે, અને ત્યાં સહજ રમણીય તથા શેડીક વાર પહેલાં જ ભગવાયેલી હોવાને કારણે જાણે શ્વાસ લેતી હોય તેવી કુસુમની શય્યા મેં જોઈ. એટલે ગોમુખે કહ્યું, “થોડીક વાર પહેલાં જ વિદ્યાધર અહીંથી નીકળે છે; અહીંથી પ્રસ્થાન કરતાં પડેલાં તેનાં પગલાં પણ આ દેખાય. પરંતુ તે અવશ્ય અહીં પાછો આવશે, કારણ કે આ ઝાડની ડાળી ઉપર દીપડાના ચામડાનું બનાવેલું તેનું કેશરન (થેલી) તથા ખડ્ઝ રહી ગયેલ છે; તે લેવા માટે તે જરૂરી પાછા ફરશે.તે પગલાંનું અવલોકન કરતો ગોમુખ કહેવા લાગ્યો, “ચારુસ્વામી ! એ વિદ્યાધર ભારે સંકટમાં છે. શું તેને જીવ તો નહીં જાય ?” મેં ગોમુખને પૂછયું, “એ કેવી રીતે ?” એટલે તે કહેવા લાગ્યા, “જે કયાંથી આવ્યાં તે દેખાતું નથી તથા જમીન ઉપરથી આકાશમાં ઊડવાને કારણે જેણે આમ રેતી ઊરાડેલી છે એવાં આ બીજાં બે પગલાં શું તમે જેતા નથી ? વળી, એ વિદ્યાધરને અહીં કેઈએ પાડી નાખ્યો હોય તેમ જણાય છે, કેમકે બળાત્કારે નીચે ખેંચીને પાડી નાખવામાં Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: આવેલા તેના શરીરની આખીયે આકૃતિ આ પ્રદેશમાં પડેલી છે. એ બન્ને જણાની ચેષ્ટાનું સૂચન કરનારી રેતીનો લીસોટો અહીંથી શરૂ થયો છે. આ સ્ત્રીનાં પગલાં પણ નીચે પડેલાં દેખાય છે. માટે એ વિદ્યાધર પ્રત્યે અનુકંપા રાખીને આપણે આ લીસોટાના માર્ગને અનુસરતા પાછળ પાછળ જઈએ.” આગળ ચાલતાં અમે વેરાયેલાં આભૂષણે જયાં તથા પવનથી કંપતું અને સંધ્યાના રાગવિશેષ જેવું પીળું રેશમી વસ્ત્ર પડેલું જોયું. એટલે ગોમુખ કહેવા લાગે, અહે ચારુસ્વામી! તે વિદ્યાધર જ્યારે નિશ્ચિંત બેઠે હતું ત્યારે તેના કોઈ શત્રુએ તેના ઉપર આક્રમણ કર્યું. તેની સાથેની અવિદ્યાધરી સ્ત્રી તો માનવ હોવાથી શત્રુને પ્રતિકાર કરવાને અસમર્થ હતી.” મેં મરુભૂતિને કહ્યું, “આ રેશમી વસ્ત્ર અને આભૂષણે તથા આ ચર્મરત્ન અને ખડ્ઝ તું લઈ લે. જે એ વિદ્યાધરને આપણે મળીશું તો તેને આપીશું.” પછી અમે લીસોટાને અનુસરતા ચાલ્યા, તે એક સ્થળે સલકી વૃક્ષની બખોલમાં વાળ લટકતા અમે જોયા. ગોમુખે હરિસિંહને કહ્યું, “આ સૂધી જે.” એટલે તેણે તે સંધ્યા તો સ્થિર સુવાસવાળા તથા તડકામાં તપેલા હોવાથી સુગંધ વર્ષાવનારા હતા. ગોમુખે કહ્યું, “ચારુસ્વામી! જે વ્યક્તિ દીર્ધાયુ ઉત્પન્ન થયેલી હોય છે તેનાં કેશ અને વસ્ત્રમાં આવી સુવાસ હોય છે. આ કેશ સુગંધી, સ્નિગ્ધ અને જેનાં મૂળ ઉખડી ગયાં નથી એવા છે; આ કારણથી તે વિદ્યાધર દીર્ધાયુ અને ઉત્તમ છે. જરૂર એ રાજ્યાભિષેક પામશે માટે આપણે એની પાછળ પાછળ જઈએ.” પછી અમે આગળ ચાલ્યા. ત્યાં કદંબના વૃક્ષ ઉપર, પાંચે ઈન્દ્રિયના વિષયોથી જાણે પાંચ અંતરાય પડ્યા હોય તેવા પાંચ લોઢાના ખીલાવડે વીંધાયેલા, વિદ્યાધરને અમે --એક ખીલે તેના કપાળમાં હતો, બે ખીલા બે હાથમાં હતા, અને બે બને પગમાં હતા. એનું દુ:ખ જોઈને મને અત્યંત દુઃખ થયું. પછી મેં ધ્યાનપૂર્વક જોયું તે વેદનાથી પીડિત હોવા છતાં તેની મુછાયા જરાયે વિવર્ણ નહોતી થઈ, તેનાં ગાત્રોની કાન્તિ સૌમ્ય હતી, લેઢાના ખીલાવડે વીંધાયેલા તેના હાથપગમાંથી લેહી નીકળતું નહોતું, અને તીવ્ર વેદના ભોગવવા છતાં તેને શ્વાસોશ્વાસ બરાબર ચાલતા હતે. પછી હું એકાતે વૃક્ષની છાયામાં બેઠે, અને મિત્રોને મેં કહ્યું, “અગાઉ સાધુ પાસે જ્યારે વિદ્યાધરની કથાઓ ચાલતી હતી ત્યારે મેં સાંભળેલું છે કે-વિદ્યાધર ચર્મરત્નરૂપી થેલીમાં પોતાની જાતના રક્ષણ માટે ચાર ઔષધિઓ રાખે છે, માટે ચર્મરત્નની થેલીમાં જુઓ.” મિત્રએ તે ઊઘાડી, તેમાં ઔષધિઓ જોઈ, પરંતુ એ ઔષધિઓના વિશિષ્ટ ગુણોને અમે જાણતા નહોતા. એટલે મેં મિત્રોને કહ્યું, “ દૂધ ટપકે એવા ઝાડ ઉપર ઘા કરો. ઔષધિઓ પત્થર ઉપર ઘસીને ત્યાં ચોપડે. એ રીતે ઔષધિના ગુણની પરીક્ષા કરીને વિદ્યાધરને જીવાડે.” મારા મિત્રએ એ પ્રમાણે પરીક્ષા કરીને જાણ્યું Page #234 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૭૯ ] કે–અમુક ઔષધિ શલ્યને દૂર કરનારી છે, અમુક સંજીવની છે અને અમુક સંરેણુઘા રૂઝવનારી છે. પછી તેઓ એ ઔષધિઓને પડિયામાં લઈને વિદ્યાધર પાસે ગયા. જે પ્રાણહારક ખીલે તેના કપાળમાં ઠોકવામાં આવ્યું હતું તેના ઉપર તેમણે શલ્ય દૂર કરનાર ઔષધિ ચેપડી, એટલે તડકાથી તપેલા કમળની જેમ તે ખીલે ભૂમિ ઉપર પડ્યો. એનું વદનકમળ નમ્યું નહોતું, ત્યાં તેને મરુભૂતિએ ટેકે આપે. આ રીતે ઔષધિનું વિશેષ જ્ઞાન મળતાં અમે તેના બંને હાથ છોડાવ્યા; હાથને હરિસિંહ અને તમંતકે અવલંબન આપ્યું. એ વિદ્યાધરને તેના શત્રુએ, માત્ર કલેશ આપવાના જ આશયથી મર્મસ્થાનેનું રક્ષણ કરીને બાંધ્યું હતું, તેથી તે મરણ પામ્યો નહોતો. પછી અમે તેના પગ પણ છોડાવ્યા, અને પીતાંબરના ઉત્તરીયવાળા તેને કદલીપત્રની શગ્યા ઉપર સુવાડ્યો. હું મુખની સાથે પૂર્વ દિશામાં થોડેક દૂર જઈને ઝાડના ઓથે બેઠે. વિદ્યાધરના ત્રણેમાં સંહણી ઔષધિનું સિંચન કરવામાં આવ્યું. મેં મિત્રોને કહ્યું હતું કે, “કદલીપત્રના પવનથી અને જલકણાથી એને ભાનમાં લાવીને મારી પાસે આવજે.” તેઓએ તે પ્રમાણે કર્યું. પછી ભાનમાં આવેલ તે વિદ્યાધર એકદમ દેડ અને ગંભીર સ્વરથી બોલ્યા, “ઊભું રહે, ઊભો રહે, ધૂમસિંહ! દુરાચાર ! કયાં જઈને તું છૂટવાનો હતો?” પરતુ જેની સામે ક્રોધ હતો, તેને તેણે ન જોયે, અને સામા યોદ્ધાની ગેરહાજરીમાં જ આવી રીતે ગર્જના કરવાને કારણે તે શરમાઈ ગયે. અમે પણ નિ:શબ્દ બેસી રહ્યા. પછી દિશાઓમાં નજર નાખવા છતાં કોઈને નહીં તો એ તે પાસે જ આવેલા, કમલવનથી સુશોભિત સરોવરમાં ઊતર્યો, ત્યાં સ્નાન કરીને પહેલાંની જેમ પીતાંબર અને કનકનાં આભરણથી આભૂષિત થઈને પૂર્ણિમાના ચંદ્રપ્રકાશ જેવો ઊજળે તે બહાર નીકળે. પછી તેણે ઉત્તર દિશા તરફ ફરીને કેઈને નમસ્કાર કર્યો. ગોમુખે કહ્યું, “ચારુસ્વામી! હવે આ વિદ્યાધર મિત્ર અને શત્રુને ભેદ જાણશે.” પછી અમે એકબીજાની સાથે વાતચીત કરી. વિદ્યાધર અમારી પાસે આવ્યા અને બે, અરે ! મને મારા શત્રુએ બાંધ્યો હતો, ત્યાંથી કોણે છોડા?” મુખે કહ્યું, “અમારા મિત્ર ઈભ્યપુત્ર ચારુસ્વામીએ, સાધુ પાસેથી ઔષધિને પ્રભાવ જાણેલો હોવાથી, તમને છોડાવ્યા છે.” એટલે વિદ્યાધરે મને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા જીવન વડે વેચાયેલે હું તમારે દાસ છું.” મેં કહ્યું, “એમ ન બેલશે, તમે મારા ભાઈ છે.” મેં તેને અભિનંદન આપતાં તે જમીન ઉપર બેઠે. પછી હરિસિંહે તેને પૂછયું, “આવી આપત્તિમાં તમને કેણે પાડ્યા? અને શા કારણથી પાડ્યા?” એટલે તે કહેવા લાગ્યું – અમિતગતિ વિદ્યાધરને વૃત્તાન્ત (વૈતાઢ્યની) દક્ષિણ એણિમાં શિવમદિર નામે નગર છે. ત્યાં લોકોને બહુમાન્ય એવો વિદ્યાધરરાજા મહેન્દ્રવિક્રમ છે. તેની દેવી સુયશા નામે છે. જેણે વિદ્યાઓ ગ્રહણ Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] વસુદેવ–હિ'ડી : : પ્રથમ ખંડ : કરી છે તથા જે આકાશગમનમાં કુશળ છે એવા તેના પુત્ર અમિતગતિ નામે છે. એ અમિતગતિ હું છું એમ તમે જાણેા. (6 સ્વચ્છ દે ફરવાની ઇચ્છાવાળે! હું એક વાર ધૂમસિંહ અને ગૌરીપુડ નામે મિત્રાની સાથે વૈતાઢ્યની તળેટીમાં આવેલા સુમુખ નામે આશ્રમપદમાં ગયા. ત્યાં મારી માતાના માટા ભાઇ ક્ષત્રિય ઋષિ હિરણ્યલેામ નામે તાપસ હતા; તેમને મેં વંદન કર્યું. તેમણે કહ્યું, પુત્ર અમિતગતિ ! તારું સ્વાગત હા! ” આમ ખેલતા તેઓ સ્વભાવથી જ સ્નિગ્ધ ગાત્રાવાળી અને યુવાવસ્થામાં રહેલી એક કન્યાને મારી પાસે લાવ્યા. પછી તે ખેલ્યા, “ અમિતગતિ ! આ છે।કરી મારી સુકુમારિકા નામે પુત્રી છે. જો તારી ઇચ્છા હાય તે। આ કન્યા હું તને આપું. ” રૂપવતી એવી તે કન્યાને જોઇને, માતાપિતાની અનુજ્ઞાથી, અનુરાગપૂર્વક મેં કહ્યું, “ ડિલનું વચન પ્રમાણુ કરતા હું તેના સ્વીકાર કરું . ” પછી વિધિપૂર્વક મે તેનું પાણિગ્રહણ કર્યું". કુલધથી હું તેની સાથે રમણુ કરતા હતા. તેને હું નગરમાં લાવ્યા અને રાજાએ તેના સત્કાર કર્યાં. પણ તે સ્વચ્છંદચારી ન થાય તે માટે મે તેને વિદ્યાએ ગ્રહ્મણ કરાવી નહીં. કામાતુર ધૂમસિંહ તેને મારી ગેરહાજરીમાં મહેકાવવાના પ્રયાસ કરતા હતા. તેના વિકાર, આકાર અને વચના મારી શ્રી મને કહેતી હતી; પણ તે ઉપર હું વિશ્વાસ કરતા નહાતા. જો કે મારા મનમાં શકા પેદા થઈ ચૂકી હતી. એક વાર સ્નાનાદિ કર્યો પછી મારી પ્રિયા તથા ધૂમસિહુ મારા વાળ ઓળતાં હતાં અને મેં હાથમાં દર્પણ ઝાલી રાખ્યું હતું. પાછળ ઊભા રહેલા ધૂમસહુ હાથ જોડીને મારી સ્ત્રીને પ્રાર્થના કરતેા હતેા. તે મેં દર્પણમાં પડતા પ્રતિબિંબમાં જોયું. એટલે રાષ પામીને તેને મેં કહ્યું, “ તારા મિત્રભાવ અનાર્ય સરખા છે; ચાલ્યા જા, નહીં તે હું તારા વધ કરીશ.” આ પ્રમાણે જેને વિષે શંકા કરવામાં આવી છે એવા તથા ક્રોધે ભરાયેલા તે પણ નીકળ્યે અને પછી મારા જોવામાં આવ્યે નહીં. પ્રિયાની સાથે પ્રમાદ સિવાય ઋતુઋતુનાં સુખ અનુભવતા એવા મારા સમય જતા હતા. આજે હું સ્ત્રી સહિત અહીં આવ્યા અને નદીના પયાધર સમાન આ દર્શનીય પુલિનને જોઇને ત્યાં નીચે ઊતર્યાં. પણ ઊતર્યા પછી એ સ્થાન રતિને માટે અચેગ્ય લાગવાથી મેં તેને ત્યાય કર્યા, ” પછી તે વિદ્યાધરે પ્રણયકેપ અને પ્રસન્નતાના રમણીય પ્રસંગેાથી માંડી લતાગૃહમાંથી બહાર નીકળવાના બનાવ સુધી બધું ગામુખે વર્ણવ્યું હતુ તે પ્રમાણે કહ્યું. ( આ પછી તે આગળ કહેવા લાગ્યા. ) વિદ્યાથી વિરહિત સ્થિતિમાં મારા શત્રુ ધૂમસિંહ મને પકડ્યો અને ખાંધ્યા. વિલાપ કરતી સુકુમારિકાને તે ઉપાડી ગયા. તમે તમારી પેતાની બુદ્ધિથી ઔષધિના બળથી મને જીવાડ્યો છે, માટે હું ચારુસ્વામી! તમે મારા પરમ સ્વજન છે. આજ્ઞા કરા, તમારું હું શું પ્રિય કરું ? મને જલદી વિદાય આપેા. તે ધૂસહુ માયાથી બનાવેલું Page #236 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૮૧ ] મારું કલેવર હાજર કરશે તે જોઈને જીવનથી નિરાશ થયેલી બિચારી સુકુમારિકા કદાચ પ્રાણત્યાગ કરશે, માટે તેની હું રક્ષા કરું અને તે ધૂમસિંહને પ્રતિકાર કરું.” મેં તેને કહ્યું, “જાઓ, પત્નીને જઇને મળે, સુભગ અને શોભન કાર્યોમાં અમને યાદ કરજો.” આ પ્રમાણે મેં રજા આપી, એટલે મને પ્રણામ કરીને તે ઊડ્યો. અમે પણ ત્યાંથી ઊઠ્યા અને ઉપવનની શોભા જોતા પાછા વળ્યા, અને અંગમન્દિર ઉદ્યાનમાં ગયા. ત્યાં જિનમન્દિરમાં પ્રવેશ્યા. દાસો પુષ્પ લાવ્યા; અમે પ્રતિમાઓનું અર્ચન કર્યું અને સ્તુતિપૂર્વક વંદન કર્યું. પછી જિનમંદિરમાંથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યા. રસ્તામાં હરિસિંહે કહ્યું, “અમિતગતિને છોડાવીને તથા તેને જીવિતદાન આપીને ચારુસ્વામીએ ધર્મ કર્યો છે.” ગેમુખે કહ્યું, “ધર્મ ર્યો છે એ વાત સાચી, પરન્તુ એ કાર્ય દ્વારા અધર્મ પણ થશે, કારણ કે વેર રાખતા ધૂમસિંહનો અમિતગતિ નાશ કરશે.” તમંતક બોલ્યો, “પણ ચારુસ્વામીએ મિત્રરૂપી અર્થ પ્રાપ્ત કર્યો છે.” ગેમુખે કહ્યું, “એ સત્ય છે, પણ ધૂમસિંહના પક્ષથી તો એ વસ્તુ અનર્થરૂપ દેખાય છે.” હરિસિંહ બે, “તે પછી તેમણે શું પ્રાપ્ત કર્યું ?” ગોમુખે કહ્યું, “કામના.” તેણે પૂછયું, “કેવી રીતે?” ગોમુખે ઉત્તર આયે, “કામના એટલે ઈચ્છા. ચારુસ્વામીએ અમિતગતિનું જીવિત ઈછયું હતું. તેને જીવાડીને તે ઈચછા તેમણે સફળ કરી છે. ” આવી વાત કરતા અમે ઘેર પહોંચ્યા, થાક ખાઈને અમે ન્હાયા, બલિકર્મ કર્યું તથા જમ્યા. એ રીતે અમારો દિવસ ગયે. એ જ રીતે સુખપૂર્વક તે તુ પણ વીતી ગઈ. ચારુદત્તનાં લગન કોઈ એક વાર મારી માતા પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ હતી. સર્વાર્થને મિત્રવતી નામે રૂપાળી પુત્રી હતી. ભજનનો વખત થયો ત્યારે, રોકવામાં આવી છતાં, મારી માતા “મારે ઘણું કામ છે” એમ કહીને પિતાને ઘેર જવા નીકળી. મારા મામાએ તેને પૂછયું કે, “તું આવી નિનેહ કેમ છે? તારી ભેજાઈ સાથે તારે મેળ ન હોય તો પણ મારા ઉપર કૃપા કરીને તું રહે.” એટલે તેણે કહ્યું, “જે આ છોકરી મને આપે તો આપણે પ્રેમ ચાલુ રહેશે, નહીં તો આજથી આપણી પ્રીતિ તૂટી જશે.” પ્રણામ કરીને મારા મામાએ કહ્યું, “મારી પુત્રી ઉપર તારા સિવાય બીજા કોને અધિકાર છે કે જેથી તું આવું બોલે છે? જે તું મારા ઉપર પ્રસન્ન થતી હોય તે આ કન્યા તને આપું છું.” આમ કહેવામાં આવતાં પ્રસન્ન થયેલી મારી માતા ભેજન કરીને પોતાને ઘેર આવી. પછી તેણે ઘરના મોટેરાઓને ઉત્સવ આદિ કરવાનું કહ્યું. મારા પિતા એ વખતે રાજદરબારમાં ગયા હતા. પ્રિયપૃચ્છક લોકોને ગંધ-પુષ્પ આપવામાં આવ્યાં. મારા પિતા ઘેર આવ્યા ત્યારે તેમને કન્યાપ્રાપ્તિના સમાચારથી અને પ્રશંસાનાં વચનથી વધાવવામાં આવ્યા મારી માતાને તેમણે પૂછતાં તે બેલી, “સર્વાથે મિત્રવતી ચારુદત્તને Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : આપી છે.” એટલે મારા પિતા બલ્યા, “આ પ્રમાણે કન્યાને સ્વીકાર કરવામાં તે ઠીક નથી કર્યું. ચારુસ્વામી હજી હમણાં જ કલાઓ શીખે છે. વિષયાસક્ત થઈને તે એ બધું ભૂલી જશે, ” માતાએ કહ્યું, “મળેલી કન્યાની શા માટે અવજ્ઞા કરે છે?” આ બધી વાત મને દાસીઓએ કહી. પછી શુભ દિવસે અને જ્યોતિષીઓને માન્ય એવા મુહૂર્તમાં પિતાએ મારું પાણિગ્રહણ કરાવ્યું. મિત્રવતીનાં પણ કુલને અનુસરતાં કૌતુકર્મંગલ કરવામાં આવ્યાં. સંગીત, નાટ્ય અને ચિત્રકળાના પરિચયથી હું આનંદ કરવા લાગ્યા. એક વાર મિત્રવતી પિતાને પીયર ગઈ. ત્યાંથી મામીએ એને સ્નાન કરાવી, પ્રસાધન કરી અને જમાડીને તથા પિતાનાં આભૂષણે આપીને મકલી, પણ અમારા ઘરનાં આભરણે તેણે ત્યાં જ રાખ્યાં. સાંજે જ્યારે મામા ઘેર આવ્યા ત્યારે તેમને તેણે બતાવ્યાં કે, “આ મિત્રવતીનાં શ્વસુર પક્ષનાં આભૂષણે છે, મેં તેને આપણે આપ્યાં છે. ” એટલે મામાએ કહ્યું, “આ આભૂષણે તે વેવાણને કેમ ન મોકલ્યાં? તે કહેશે કે–આ અલં. કાર તે બદલીને મોકલ્યા છે.” મામીએ કહ્યું, “સવારે હું પોતે જ જઈને પાછાં આપી આવીશ.” તેના વચનથી મામી પ્રભાતે જ અમારે ઘેર આવી. તે વખતે હું ગુરુને ઘેર ગયે હતો. જાગેલી મિત્રવતી પોતાની માતા પાસે ગઈ, આભૂષણે પાછા આપતી મામીએ તેને અપરિમર્દિત વિલેપનવાળી જેઈને પૂછયું, “પુત્રિ! આજે શું ચારુસ્વામી અહીં રહ્યા નહોતા? અથવા શું તે તારા ઉપર કેપેલા છે? તું એકલી કેમ રહી હતી?” એટલે ઘણીવાર સુધી ચૂપ રહીને તે બોલી, “માતા ! મને પિશાચને–ગાંડાને આપીને હવે તું હેરાન કેમ કરે છે?” એ વાત મારી માતાએ સાંભળીને તેને રોષપૂર્વક કહ્યું, “અલિ ! તેર કલાનો પંડિત ચારુસ્વામી એ શું તારી આગળ પિશાચ છે?” તે બોલી, “ફેઈ! કોપ ન કરશે, જે એકાન્તમાં પણ એકલે નાચે છે, ગાય છે, કોઈને શાબાશી આપે છે અને હસે છે તેને સ્વાભાવિક-ડાહ્યો કેવી રીતે કહેવાય? આ પ્રમાણે જ કાર્યો થતાં જોતી હું પણ પિશાચ વડે કેમ ન ગ્રાઉં?” આ સાંભળીને તેની માતા રોતી રોતી મારી માતાને કહેવા લાગી, “તેં જાણી જોઈને મારા ઉપર વેર લીધું છે, કારણ કે તારા છેકરાને આ દેષ તે પહેલાં કહ્યો નહોતે.” મારી માતાએ તેને કહ્યું, “ભલે, તારી પુત્રી સહિત તું નહીં બોલવા જેવું બેલે છે, એ તને શોભતું નથી. હું એવું કરીશ કે તને બરાબર ખબર પડશે. જા, તમે લેકે મારી નજર આગળ ઊભાં ન રહે.” એટલે ખીજાઈને તે પિતાને ઘેર ગઈ. પછી તેના કહેવાથી સર્વાર્થ મામા આવીને મારી માતાને કહેવા લાગ્યા, ખરેખર, પુત્ર ચારુસ્વામીના રક્ષણ માટેની ક્રિયા તમે શા માટે કરાવતાં નથી ? શા સારૂ બેદરકાર રહે છે?” એટલે માતાએ તેને ધમકાવ્યો કે, “તારી સ્ત્રીની અને છોકરીની એવી રીતે રક્ષા કરી કે પિશાચ તેમને વળગે નહીં. સ્ત્રીનું સાંભળીને મને તપાવવા આવે Page #238 -------------------------------------------------------------------------- ________________ ગધર્વદતા સંભક [[ ૧૮૩ ] છે! જા, ચાલ્યો જા, નહીં તો તને પણ પિશાચ વળગી પડશે!” એટલે તે ગયો. આ બધું મારી શય્યાપાલિકાએ પરિહાસપૂર્વક મને કહ્યું. ચાદરને ગણિકાગ્રહમાં પ્રવેશ પછી કોપાયમાન થયેલી મારી માતાએ ગોમુખ વગેરે મારા મિત્રોને બોલાવીને કહ્યું, મારું એક પ્રિય કરો, ચારુસ્વામીનો ગણિકાગ્રહમાં પ્રવેશ કરાવો.” ગોમુખે કહ્યું, “માતા ! એમ કરવાથી પિતાજી ખીજાશે. એક વાર વ્યસન પડ્યા પછી તે છોડવું મુશ્કેલ છે, માટે ગણિકાગ્રહમાં પ્રવેશની વાત ન કરશે.” એટલે તે બોલી, “શેઠ ખીજાશે તે મારા ઉપર ખીજાશે. તમે વિરોધ કર્યા સિવાય મારું વચન કરો. વ્યસનના દોષની વાત કરવાનું તમારે શું કામ છે? “વ્યસની માણસ ધનનો નાશ કરે છે; આ કારણથી જ ઘણુ વખતથી મેં મનોરથ કરેલ હતો કે-ધનનો ઉપભોગ કરનાર પુત્ર મને ક્યારે થશે? મને પુત્ર થયેલ છે. જે કદિ વેશ્યાને વશ થઈને તે ધનનો નાશ કરશે તો પણ મારો મને રથ પૂર્ણ થશે. ” મારા મિત્રોએ પણ આ વાત સ્વીકારી. આ સર્વ વાર્તાલાપ દાસીએ મને કહ્યો અને બોલી કે, “આર્યપુત્ર! હવે તો તમે ગણિકાગ્રહમાં રહેશે, એટલે તમારું દર્શન અમને દુર્લભ થઈ જશે.” કેટલાક દિવસો વીત્યા પછી મને મિત્રો વિનંતી કરવા લાગ્યા, “ચારુસ્વામી ! ચાલો આપણે ઉદ્યાનમાં જઈએ ત્યાં ભેજન કરી કડા કરીને પાછા આવીશું.” મેં કહ્યું, “જો તમે ભેજન રાખ્યું છે તો મને પહેલાં કેમ ન કહ્યું ?” તેઓ બેલ્યા, “બીજ રોકાણને કારણે મેં કહ્યું હતું. શું એ ભેજન પણ તમારું નથી કે આવો ભેદભાવ રાખો છો ?પછી હું તેમની સાથે નીકળે. અમે ઉદ્યાનમાં પહોંચ્યા. “તડકાને લીધે હું તે તરસ્યા થયો છું” એમ બોલતે હું વિશ્રામ લેવાની ઈચ્છાથી ઝાડની નીચે ઊભો રહ્યો. પછી હરિસિંહ (પાણી લેવાને માટે) પાસેની પુષ્કરિણમાં ઉતર્યો, અને એક મુહૂર્ત માત્ર ત્યાં રહીને મને બોલાવવા લાગ્યો, “આવો, આશ્ચર્ય જુઓ.” તેના વચનથી હું ગયે અને પુષ્કરિણીમાં ઊતર્યો તથા બે, “કહે, તે શું આશ્ચર્ય જોયું ?” તેણે મને તરુણ યુવતિઓના વદનના લાવણ્યનું હરણ કરનારાં પડ્યો બતાવીને કહ્યું, “જુઓ, પઘોમાં ( રક્ત) કમલના રંગની કાન્તિવાળો અદષ્ટપૂર્વ રસ મેં જોયો. તે શેને હશે?” ગોમુખે ઘણીવાર સુધી તેનું અવલોકન કરીને કહ્યું, “દેવોના ઉપગને યોગ્ય આ પુષ્કરમધુ કોઈ પણ રીતે અહીં ઉત્પન્ન થયું છે, માટે જરાયે વિલંબ કર્યા વગર પદ્મિનીપત્રના પડિયાઓમાં તે ગ્રહણ કરી લે.” મિત્રોએ તે લઈ લીધું, પછી તેઓએ અંદરોઅંદર વિચાર કર્યો, “આ વસ્તુ મનુષ્યલોકમાં દુર્લભ છે, એનું આપણે શું કરવું?” હરિસિંહે કહ્યું, “આપણે તે રાજા પાસે લઈ જઈએ; તેથી પ્રસન્ન થઈને રાજા આપણને આજીવિકા આપશે. ” વરાહે કહ્યું, “રાજાને મળવામાં ઘણી મુશ્કેલી પડે છે, મળ્યા પછી Page #239 -------------------------------------------------------------------------- ________________ - - -- - -- - - [૧૮૪] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પણ તેઓ જલદી પ્રસન્ન થતા નથી. માટે આપણે તે અમાત્યને આપીએ, જેથી તે આપણું કાર્ય કરનારો થશે.” તમંતકે કહ્યું, “આપણે અમાત્યનું શું કામ છે? અમાત્ય તો રાજાને ખજાને વધારવામાં ઉદ્યત હોય છે, અને તેથી તેમને આવા દુર્લભ દ્રવ્યથી નહીં, પણ ધનથી જ સંતુષ્ટ કરી શકાય છે.” મરુભૂતિએ કહ્યું, “આપણે નગરરક્ષકને આપીએ, કારણકે તે રાત્રિચર્યામાં આપણું કામ કરનાર થશે અને આપણે મિત્ર થશે.” એટલે ગોમુખ બોલ્યા, “તમે બધા અજ્ઞાન છે; આ પણ તે રાજા, અમાત્ય, રક્ષક અને સર્વ કાર્યોના સાધક ચારુસ્વામી જ છે. આ દુર્લભ વસ્તુનું પાત્ર એ જ છે. એની જ કૃપાથી આપણે રહીએ છીએ. ” પછી તે સર્વેએ મને કહ્યું, “આનંદથી આ પીઓ.” મેં કહ્યું, “મધુ, માંસ અને મધનો સ્વાદ નહીં જાણનાર કુલમાં મારો જન્મ છે તે શું તમે જાણતા નથી, કે જેથી મને મધુ પાવા ઇચ્છો છો?” ગોમુખ બે, “ચારુસ્વામી! અમે તે બરાબર જાણીએ છીએ, પછી તમને શા માટે અકૃત્ય કરવાને પ્રેરીએ? આ ભવ નથી, પણ એમ સાંભળવામાં આવે છે કે દેવોને યોગ્ય આ તો અમૃત છે; માટે તમે અન્યથાબુદ્ધિ ન કરશો. અમારા માંગલિક વિચારને પ્રતિકૂળ થયા સિવાય તમે આ પીઓ; એમ કરવાથી તમારા આચારનું ઉલ્લંઘન નહીં થાય. ” પછી હે સ્વામી પાદ! મારા પિતાના સમાન વહાલા એ મિત્રના વચનથી તે રસ પીવાનું મેં સ્વીકાર્યું. હાથ-પગ ધોઈને, આચમન કરીને તથા પૂર્વ દિશા તરફ મુખ કરીને તે રસને અમૃત માનીને મેં પશ્ચિની પત્રના પડિયાથી પિધો. સર્વ ગાત્રોને આહાદ પમાડનાર તે રસ પીવાથી મને સન્તોષ થયે. મેં આચમન કર્યા પછી મિત્રોએ મને કહ્યું, “તમે વિશ્રામ કરતા આગળ જાઓ, અમે પુષ્પો ચૂંટીશું.” એટલે હું આગળ ચાલે. એ પાનની અપૂર્ણતાને કારણે ઘેન ચઢતાં મને ઝાડ જાણે ફરતાં હોય તેવાં દેખાવા લાગ્યાં. હું વિચાર કરવા લાગ્યું, “શું અમૃતનું આવું પરિણામ થતું હશે ? કે પછી મને યુક્તિપૂર્વક મદ્ય પાવામાં આવ્યું છે?” હું આમ વિચાર કરતા હતા ત્યાં મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત શરીરવાળી, જેણે શુદ્ધ રેશમી વસ્ત્રો પહેર્યા હતાં તેવી તથા તરુણ વયમાં રહેલી એક સ્ત્રીને મેં અશોકવૃક્ષની નીચે જોઈ. તેણે પોતાની અગ્રાંગુલિએથી મને બોલાવે, એટલે હું તેની પાસે ગયે, અને “આ રૂપવતી કેણ હશે?” તેનો વિચાર કરવા લાગ્યો. તેણે મને “સ્વાગત” કહ્યું. પછી તેને મેં પૂછયું, ભદ્ર! તું કોણ છે ?” તે બોલી, “ઇભ્યપુત્ર! હું અસરા છું અને ઈન્દ્ર સેવા કરવા માટે મને તમારી પાસે મોકલી છે.” મેં કહ્યું, “મને દેવરાજ કયાંથી જાણે, કે જેથી કરીને તને મોકલે?” તેણે કહ્યું, “તમારા પિતા મહાગુણવાન શ્રેણી તરીકે પ્રખ્યાત છે. તેમની પ્રીતિને ખાતર મને મોકલવામાં આવી છે એમ તમે જાણે. તમે શંકા ન કરશો. અમે સર્વ કેને દર્શન દેતાં નથી. જેના ઉપર અમારી કૃપા ન હોય તે મનુષ્ય અમને જોઈ પણ શકતો Page #240 -------------------------------------------------------------------------- ________________ ગન્ધ દત્તા લ`ભક. [ ૧૮૫ ] નથી. જો આ વાતની તમને ખાત્રો ન હાય તા કહું છું કે આ તમારા મિત્રા મને જોઇ શકતા નથી, અને મારા પ્રભાવથી તમને પણ જોતા નથી. માત્ર તમે મૌન એસેા. ’’ 6 પછી પાસે જ ઊભા રહેલા એવા મને નહીં જોતા અને ફરી ફરી મારા નામના પાકાર કરતા મિત્રા આગળ ચાલ્યા. થેાડેક દૂર જઈને આગળ તેા નથી, પાછા ગયા હશે ’ એમ વાત કરતા તથા ચારુસ્વામી! તમે ક્યાં છે ? ’ એમ ખેલતા તેઓ પાછા વન્યા. પછી પેલી સ્ત્રીએ મને કહ્યું, “ મારા પ્રભાવ જુએ, હવે તેએ તમને જોશે. ” એટલે તેઓએ મને જોચા અને મેલ્યા, “ તમે કયાં બેઠા હતા ? અમે અહીં ફરતાં તા તમને જોયા નહાતા. ” મેં કહ્યું, “ હું તે। અહીં જ ઊભા હતા. ” તેઓ મેલ્યા, “ આપણે જઇએ. ” પછી હુ ચાલ્યેા, પણ ચૈનને કારણે મારી ચાલ લથડતી હતી. પેલી સ્ત્રીએ મને કહ્યુ, 66 તમારા મિત્રા મને જોતા નથી, માટે શરમાશે। નહીં. ” પછી તેણે પેાતાના જમણા હાથથી મારા હાથ અને મસ્તકને ટેકો આપ્યા. લથડતી ગતિથી ચાલતા મે' પણ તેના કંઠનું અવલંબન કર્યું. તેનાં ગાત્રાના સ્પર્શથી · નક્કી આ ઇન્દ્રની અપ્સરા છે’ એમ માનીને જેને કામ પેદા થયા છે અને જેનાં સર્વાંગ રામાંચિત થયાં છે એવે હું, તેના ટેકાથી, મારા મિત્રા સહિત નેાકરેએ તૈયાર કરેલા ભેજનગૃહમાં ગયા. ત્યાં અમે બેઠા, એટલે પ્રત્યેકને જુદુ જુદુ ભાજન આપવામાં આવ્યું. પેલી સ્ત્રી પણ મારી સાથે આસન ઉપર બેઠી. હું જમવા લાગ્યા. પણ મને ઊંઘ આવવા લાગી અને ઘેનને કારણે સ્વપ્નાં જોતા એવા મે મારા મિત્રાનુ વચન સાંભળ્યું કે, ‘ આ અમે તને આપ્યા છે. ' પછી ગાડીમાં બેસાડીને મને તેની સાથે લઇ જવામાં આવ્યે . અને તેના ભવન આગળ અમે પહોંચ્યાં. તેણે મને ગાડીમાંથી ઉતાર્યા અને તેના સરખી જ વયવાળી તરુણુ સ્ત્રીએ મને વીંટાઇ વળી. તે મને કહેવા લાગી, ઇશ્યપુત્ર ! હું તમને દેવિવમાનમાં લાવી છું. તમે નિશ્ચિન્તપણે મારી સાથે વિષયસુખ અનુભવેા. ” પછી મધુર વાણી ખેલનારી તે સ્ત્રીઓએ, હાથી સાથે હાથણીની જેમ, તેનું પાણિગ્રહણ મને કરાવ્યું. ગીત ગાતી તે સ્ત્રીઓ મને ગર્ભગૃહમાં લઈ ગઈ. ‘આ તેા અપ્સરા છે' એ પ્રમાણે નિશ્ચયવાળા હું રતિપરાયણ થઇને સૂઇ ગયા. ઘેન ઉતરતાં જાગ્યા તા મેં વસન્તતિલકા ગણિકાનું ભવન જોયું. (6 66 પછી તેને મેં પૂછ્યું, “ આ કેનુ ઘર છે ? ” તે એલી, “ આ મારું વિમાન છે. ” મેં કહ્યું, પણુ આ તા મનુષ્યના ઘર જેવું છે, દેવભવન નથી. ” એટલે તે ખેલી, “ જો એમ છે. તેા ખરી વાત સાંભળેાઇપુત્ર ! હું વસન્તતિલકા ગણિકાપુત્રી છું. કન્યાભાવમાં રહેલી હુ. કલાઓના પરિચયથી સમય ગાળું છું. મને ધનના લેાભ નથી, મને ગુણુ વ્હાલા છે; આથી હું તમને હૃદયથી વરી હતી. આથી તમારી માતાની અનુમતિથી તમારા ગામુખ વગેરે મિત્રાએ યુક્તિપૂર્વક તમને મને આપ્યા છે. ” આમ ૨૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : બોલતી તે ઊઠી, તેણે વસ્ત્ર બદલ્યાં અને આવીને મને હાથ જોડીને વિનંતી કરવા લાગી, “ઈભ્યપુત્ર! હું તમારી સેવિકા છું. ધર્મપત્ની તરીકે તમે મારો સ્વીકાર કરો. હું કન્યા રહી છું એમ બતાવનારાં આ રેશમી વસ્ત્રો છે. હું જીવન પર્યંત તમારી સેવા કરનારી બનીને રહીશ.” તેના ઉપર અનુરાગ બંધાયાથી મેં કહ્યું, “ભદ્રે ! સ્વવશ કે અવશ એવા મારી તું ભાર્યા છે. ” પછી તેની સાથે હું સ્વચ્છેદે વિહાર કરવા લાગ્યો. મારી માતાએ મોકલેલ ભેગવવા લાયક વસ્તુઓ વસન્તતિલકા મને બતાવતી હતી. આ પ્રમાણે (દરરોજ ) એક હજાર અને આઠ (મુદ્રાઓ) અમને મોકલવામાં આવતી, જ્યારે ઉત્સવના દિવસે એક લાખ અને આઠ હજાર મોકલવામાં આવતી. આ પ્રમાણે વિષયસુખમાં મુગ્ધ થયેલા એવા મારાં, તેની સાથે રમણ કરતાં, બાર વર્ષ વીતી ગયાં. એક વાર પાન કરીને હું પ્રિયાની સાથે સૂતો હતો. ઠંડા પવનથી વીંજાયેલે હું - જાગી ગયો, તે વસન્તતિલકાને મેં જોઈ નહીં. “હું કયાં છું?” એમ વિચાર કરતો હું ઊભે થયે, તે શેરીને નાકે આવેલું ભૂતગ્રહ ( વ્યતરનું સ્થાનક ) મેં જોયું. પહેલાં જોયેલું હોવાથી તે સ્થાન મેં ઓળખ્યું. મેં વિચાર્યું કે, “ગણિકાએ મારો ત્યાગ કર્યો છે, માટે કોઈ જુએ નહીં તે પ્રમાણે મારે ઘેર જતો રહું.” એમ કરતાં પ્રભાત થયું, એટલે હું નીકળ્યો. પણ મારા ઘરમાં પ્રવેશ કરતાં મને દ્વારપાળે અટકાવ્યો અને પૂછ્યું, અંદર ન જા, તું કોણ છે?” મેં કહ્યું, “સૌમ્ય! આ કોનું ભવન છે?” તે બે, “ઇભ્ય રામદેવનું.” મેં પૂછ્યું, “તે શું આ ભવન શ્રેણી ભાનુનું નથી ?” એટલે તેણે ઉત્તર આપ્યો, “એ શ્રેષ્ઠીને ચારુદત્ત નામે કુપુત્ર થયો હતો. તે ગણિકાગૃહમાં પ્રવે, એટલે તેના શોકથી શ્રેષ્ઠીએ ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા લીધી. પછી ધન ખૂટી જતાં તેની પત્નીએ આ ઘર અડાણે મૂક્યું, અને તે પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ. ” આ વાતચીત અંદર રહેલા રામદેવે સાંભળી એટલે તેણે દ્વારપાલને પૂછયું, “આ કોણ છે?” તેણે કહ્યું, “કઈ માણસ ભાનુ શ્રેષ્ઠીનું ભવન પૂછે છે; કદાચ તેને પુત્ર જ હશે.” એટલે રામદેવ બે, “એ અભાગિયાને મારા ઘરમાં પ્રવેશવા દઈશ નહીં. ” આ સાંભળી લજજા પામેલ અને ખૂબ શોકાતુર થયેલે હું ત્યાંથી એકદમ ચાલી નીકળે અને સર્વાર્થના ઘેર ગયે. એ ઘરમાં પ્રવેશ કરતાં દરિદ્ર વેશવાળી અને દીન તથા ઉદાસ વદનવાળી મારી માતાને મેં જોઈ. તેના ચરણમાં હું પડ્યો. તેણે પૂછયું “તું કેણ છે?” મેં ઉત્તર આપે, “હું ચાદર છું.એટલે તેણે મને આલિંગન આપ્યું અને અમે બન્ને જણ રડી પડ્યાં. અમારા રુદનના શબ્દથી સર્વાર્થ ત્યાં આવ્યો અને તે પણ રડ્યો. પરિજનેએ અમને છાનાં રાખ્યાં. તે કાળે મલિન વસ્ત્રોવાળી અને જેની ઉપરનાં ચિત્રો ભૂંસાઈ ગયાં છે એવી ભીંતની જેમ શોભા વિનાની મિત્રવતીએ મને જોયો, અને તે મને પગે પડીને રડવા લાગી. મેં તેને કહ્યું, “રડીશ નહીં, મારા પિતાના જ કૃત્યથી તને Page #242 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૮૭ ] કલેશ થયો છે.” સમજાવીને મેં તેને છાની રાખી. પછી બજારમાંથી વાલ લાવીને ભેજન તૈયાર કરવામાં આવ્યું. ભેજન કર્યા પછી મેં માતાને પૂછયું, “મા ! હવે કેટલું ધન બાકી રહ્યું છે?” તેણે કહ્યું, “પુત્ર ! દાટેલું, વ્યાજમાં રેકેલું અથવા પરિજનોને આપેલું ધન કેટલું હતું તે હું જાણતી નથી. એછીએ દીક્ષા લીધી, એટલે દાસ-દાસીઓને આપેલું ધન તે નાશ જ પામ્યું, તારા ઉપગમાં સોળ સુવર્ણકટિ ધન વપરાઈ ગયું. અમે અત્યારે જેમ તેમ કરીને રહીએ છીએ.” એટલે હું બોલ્યો, “માતા ! લોકે દ્વારા અપાત્ર” તરીકે ઓળખાવા તે હું અહીં રહી શકું તેમ નથી. હું દૂર દેશમાં જાઉં છું. વૈભવ મેળવીને પાછો આવીશ. તમારા ચરણની કૃપાથી હું અવશ્ય ધન ઉપાર્જન કરીશ.” માતાએ કહ્યું, “પુત્ર ! વેપારમાં કેટલે શ્રમ પડે છે તેની તને ખબર નથી; તું વિદેશમાં કેવી રીતે રહીશ? તું વિદેશમાં નહીં જાય તો પણ અમે બે જણીએ તારે નિર્વાહ કરીશું.” મેં કહ્યું, “માતા ! એમ ન બોલે, હું ભાનુ શ્રેષ્ઠીને પુત્ર શું એવી રીતે રહીશ? તમે આવા વિચાર ન કરશો. મને રજા આપે.” તે બોલી, “પુત્ર! ભલે એમ થાઓ તારા મામાની સાથે હું વાતચીત કરી લઉં.” ધનપ્રાપ્તિ માટે ચારુદત્તનું વિદેશભ્રમણ આ પ્રમાણે નિશ્ચય કરીને વેશ્યાની સંગતિના દોષો વિષે વિચાર કરતો હું મારા મામાની સાથે પગે ચાલતે નગરની બહાર નીકળે. (જનપદના) સીમાડા ઉપર આવેલા ઉશીરાવર્ત નામે ગામમાં અમે પહોંચ્યા. ત્યાં ગામ બહાર મને બેસાડીને મામા ગામમાં ગયા અને થોડી વાર પછી મર્દન માટેનાં તેલ, આચ્છાદન, અલંકાર અને વસ્ત્રો જેના હાથમાં હતા એવા એક પુરુષની સાથે તે પાછા આવ્યા. પછી મેં નદીમાં સ્નાન કર્યું અને લકત્તમ જિનેશ્વરને પ્રણામ કર્યા. પછી અમે ગામમાં પ્રવેશ્યા. ધીરધાર વગેરે મુદ્ર વેપાર જેમાં ચાલતે હતો એવું એ ગામ તથા તેમાંનાં ઉજજડ સ્થળે મેં જોયાં. દુકાન અને ઉપવન વડે કરીને એ ગામ નગર જેવું દેખાતું હતું. ખડકીવાળા એક ઘરમાં અમે દાખલ થયા. ઢાળવાળી જગા ઉપર હાથ પગ ધોઈને પછી ભજન કરવાના સ્થાનમાં ગ્રામનિવાસમાં સુલભ એવું ગેરસપ્રધાન ભેજન અમે જમ્યા. વિચાર કરતા અમે ત્યાં રાત રહ્યા. રાત પણ વીતી ગઈ. મામાએ મને કહ્યું, “જનપદની ખધ સમાન આ દિશાસંવાહ નામે આ ગામ છે. અહીં વિશિષ્ટ વેપાર કરે. તારા પિતા જેમની સાથે ધીરધારને સંબંધ રાખતા હતા એવા ખેડૂતે અહીં વસે છે; તેમની પાસેથી તું સુવર્ણ લઈ શકે એમ છે.” મેં સ્વીકાર્યું કે, “ભલે એમ થાઓ.” પછી મારી અંગુઠી વેચીને ખરીદેલા માલથી ત્યાં વેપાર કરતો હું ગ્રામવાસી લેકેને બહુમાન્ય થયે. સર્વ વિદેશમાંથી લાવવામાં આવતે સૂતર, રૂ વગેરે માલ મામા એકત્ર કરતા હતા. ૧. આ ઉ૫ર દિશાવાહ અને ઉશીરાવર્ત એક જ ગામનાં બે નામ હોય એમ જણાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ૧૧/૧૨ એક વાર રાત્રે દીવાની સળગતી વાટ ઉંદર ખેંચી ગયે તે કારણે રૂ સળગી ગયું. દુકાનમાંથી હું મુશ્કેલીએ બહાર નીકળે. ઘણુંખરી દુકાન પણ સળગી ગઈ. જે કંઈ બાકી રહ્યું હતું તે લેકેએ બચાવી લીધું. પ્રભાતે ગ્રામવાસીઓએ મને આશ્વાસન આપ્યું. ફરી પાછા વેપાર કરતાં અમે સૂતર અને રૂ એકત્ર કર્યું અને ગાડાં ભર્યા. સાર્થની સાથે અમે ઉત્કલ દેશમાં ગયા. ત્યાંથી કપાસ લીધો, ગાડાં ભર્યા અને તામ્રલિપ્તિ નગરી તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતા અમે અટવીમાં પ્રવેશ્યા. ગહન જંગલની પાસે મુકામ કર્યો. ચેકિયાતોના બળથી બધા લોકો નિશ્ચિત હતા, પણ સૂર્યાસ્ત કાળે ચારો આવ્યા. તેમણે રણશીંગડાં ફેંકયાં અને પટ વગાડ્યા. થોડીક વાર ચેકિયાતે લડ્યા, પણ પછી તેઓ પણ સાર્થના લોકોની સાથે નાસવા લાગ્યા. સાંજના સમયે ગાડાંઓને આગ લગાડવામાં આવી અને ચારો માલ લૂંટવા લાગ્યા. એ સમયની ધમાલમાં વનમાં રહેલા મેં સર્વાર્થ મામાને જોયા નહીં. વંશલતાઓના અંધકારથી અને ધુમાડાથી દશે દિશાઓ વ્યાપ્ત થયેલી હતી તે સમયે સંભળાતી વાઘની ગર્જનાઓથી ત્રાસેલો હું તે પ્રદેશમાંથી ચાલી નીકળ્યા. વનમાં દાવાનળ વધતો જતો હતો તે વખતે ભયથી ત્રાસેલો હું એક કાપટિક–સાધુની સહાયથી દુખપૂર્વક અટવીમાં ગ. સર્વાર્થ મામા કયાં ગયા, તેની મને ખબર નહોતી. મેં વિચાર કર્યો, “(આરંભેલા કામનો ) ત્યાગ કર્યા સિવાય મારાથી ઘેર જઈ શકાય એમ નથી. ઉત્સાહમાં જ લક્ષમી વસે છે. દરિદ્ર માણસ તે મરેલા જેવો છે, સ્વજન વડે પરાભવ પામતે તે એશીઆળું જીવન જીવે છે, માટે (પરદેશમાં રહેવું એ જ મારે માટે યેગ્ય જ છે. ” પછી એક જનપદમાંથી બીજા જનપદમાં પ્રવાસ કરતો હું અનુક્રમે પ્રિયંગુપટ્ટણ પહેંચે. ત્યાં સ્નાન કરીને હું બજાર જેતે નીકળ્યો, તે વખતે સૌમ્ય આકૃતિવાળા અને મધ્યમ વયના એક વણિકે મને કહ્યું, “અરે ! તું ઈભ્યપુત્ર ચાદર છે?” કહ્યું, “હા.” એટલે પ્રસન્ન થયેલા તેણે કહ્યું, “દુકાનમાં આવ.” હું દુકાનમાં ગયે, એટલે અશ્રુ વર્ષાવતા તેણે મને આલિંગન આપ્યું. હું દુકાનમાં બેઠો, એટલે તે વણિકે મને કહ્યું, “ચારુસ્વામી! હું સુરેન્દ્રદત્ત નામે વહાણવટી છું અને તમારો પાડોશી છું. મેં સાંભળ્યું છે કે “શેઠે દીક્ષા લીધી છે અને ચારુદત્ત ગણિકાગ્રહમાં રહે છે. ” માટે અહીં આવવાનું કારણ કહે.” એટલે મેં તેને બધી હકીકત કહી સંભળાવી. પછી તેણે મને કહ્યું. “તું વિષાદ ન કરીશ. આ વૈભવ તારો છે અને હું તારે આધીન છું.” પછી તે મને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં નાન કરી જમ્યા પછી મેં તેને કહ્યું, “મને એક લાખ ઉધાર આપે; બાકીનું ધન તમારું.” તેણે પ્રસન્નતાપૂર્વક એટલું ધન મને આપ્યું. પછી જાણે હું મારા પિતાના જ ઘરમાં વસતો હોઉં તેવી રીતે મેં વહાણ સજજ કર્યું, તેમાં માલ ભર્યો, વહાણવટીઓની સાથે કરો પણ લીધા, સર્વાર્થને કુશળતાના સમાચાર મોકલ્યા, રાજ્યશાસનનો પટ્ટક Page #244 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૮ ] લીધે, પવન અને શકુન અનુકૂળ હતા તે વખતે હું વહાણુમાં બેઠે, ધપ કર્યો અને ચીન સ્થાન તરફ વહાણ ચલાવ્યું. જલમાર્ગને કારણે આખું જગત જલમય હોય તેવું લાગતું હતું. પછી અમે ચીનસ્થાન પહોંચ્યા. ત્યાં વેપાર કરીને હું સુવર્ણભૂમિર ગયે. પૂર્વ અને દક્ષિણ દિશાનાં પટ્ટમાં પ્રવાસ ખેડીને તથા કમલપુર, યવનદ્વીપક અને સિંહલમાં તેમજ પશ્ચિમે બર્બર અને યવનમાં વ્યાપાર કરીને મેં આઠ કેટિ ધન પેદા કર્યું. માલમાં રોકતાં તથા એ માલ જલમાર્ગે લાવતાં ધન બમણું થાય છે. આથી વહાણમાં હું સોરઠના કિનારે કિનારે પ્રવાસ કરતો હતો ત્યારે, કિનારો મારી દષ્ટિમર્યાદામાં હતો તે જ વખતે, વાવાઝોડું થયું અને એ વહાણ નાશ પામ્યું. ઘણી વારે એક પાટિયું મને મળ્યું. મોજાઓની પરંપરાથી આમતેમ ફેંકાતો હું તેનું અવલંબન કરીને સાત રાત્રિને અંતે ઉંબરાવતી વેલા-કિનારા ઉપર ફેંકાયે. આ રીતે હું સમુદ્રમાંથી બહાર નીકળે. પાણીના ખારને લીધે સફેદ શરીરવાળો હું એક જાળાની નીચે બેસીને વિશ્રામ લેવા લાગ્યા. તે સમયે એક ત્રિદંડી આવ્યું. મને ટેકો આપીને તે ગામમાં લઈ ગયા. પિતાના મઠમાં તેણે મને સ્નાન કરાવ્યું, અને પૂછયું, “ઇભ્યપુત્ર! આ આપત્તિમાં તું કેવી રીતે પડ્યો?” હું કેવી રીતે ઘેરથી નીકળે અને મારું વહાણ કેવી રીતે ભાંગ્યું તે મેં સંક્ષેપમાં કહી બતાવ્યું. એટલે ક્રોધ પામીને તે બોલ્યા, “હં! તું નિર્માગી મારા મઠમાંથી ચાલ્યો જા.” આથી હું તો પાછો તે વનમાં નીકળ્યો. થોડે દૂર ગયો, એટલે તે ત્રિદંડી વળી મને કહેવા લાગ્યો, “પુત્ર! મેં વિનય જાણવા માટે તારે તિરસ્કાર કર્યો હતે. તું ખરેખર અજ્ઞાન છે કે મૃત્યુસ્થાનમાં તારી જાતને ફેકે છે. જે તે ધનની ઈચ્છાવાળો હોય તો અમારો વશવર્તી થા. અમારી ઉપાસના કરતાં તેને કોઈ પણ પ્રકારના કલેશ વગર ધન પ્રાપ્ત થશે.” પછી કિંકર-જનોએ મને નવરાવ્યો અને જવની રાબ પીવડાવી. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. એક વાર ભઠ્ઠી સળગાવીને તે પરિવ્રાજક મને કહેવા લાગ્યા, “ પછી તેણે પિોલાદ ઉપર રસ પડ્યો અને પોલાદ અંગારામાં નાખ્યું. ધમણ વડે ધમતાં તે ઉત્તમ સુવર્ણ થઈ ગયું. તેણે મને કહ્યું, “પુત્ર! આ તેં જોયું ?” હું બે , “ અત્યંત આશ્ચર્ય જોયું.” પછી તેણે મને કહ્યું, “મારી પાસે સોનું નથી, પણ હું મોટો સૌવણિક છું. તને જોઈને મને પુત્રવત રહ થયેલ છે. તું અર્થપ્રાપ્તિને સારુ કલેશ કરે છે, માટે તારે ખાતર હું જઈશ અને શતસહસ્ત્રધી રસ લાવીશ. પછી તું કૃતકૃત્ય થઈને તારે ઘેર જજે. આ તો મારી પાસે પહેલાં મેળવેલ છેડેક રસ હતો. ” લોભી ૧. એ કાળમાં પણ દરિયાઈ મુસાફરી માટે પાસપોર્ટ' જેવી પ્રથા હોવી જોઈએ. ૨. સુમાત્રા, ૩. આ પછી પશ્ચિમ તરફના દેશોમાં “ચવન” દેશનું નામ આવે છે, તેથી આ “અવનીપ’ નહીં, પણ ચવદ્વીપ” ( જાવા) હે જોઈએ, Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] વસુદેવ–હિંડી: : પ્રથમ ખંડ : 66 એવા મેં સન્તુષ્ટ થઈને કહ્યુ, “ તાત ! એમ કરે. ” પછી તેણે સાધના સજ્જ કર્યો અને ભાથું તૈયાર કર્યું. અંધારી રાત્રિએ અમે ગામમાંથી નીકળ્યા અને હિંસક પશુએથી ભરેલી અટવીમાં પહાંચ્યા. અમે રાત્રે પ્રવાસ કરતા હતા અને ભિલ્લેાના ભયથી દિવસે છૂપાઇને રહેતા હતા. અનુક્રમે પર્વતની ગુફ઼ામાં પેસી અમે ઘાસથી ઢંકાયેલા એક કૂવા આગળ પહોંચ્યા. ત્યાં પરિવ્રાજક ઊભે! રહ્યો. મને પણ તેણે કહ્યું, “ વિશ્રામ લે. ” પછી તે ચામડાનું વસ્ત્ર પહેરીને અંદર ઊતરવા લાગ્યા. એટલે મે તેને કહ્યું, “ તાત ! આ શું ? ” તેણે કહ્યુ, “ પુત્ર! ઘાસથી ઢ ંકાયેલે! આ કૂવા ઊંધા પાડેલા કેાડિયાના આકારના છે. એની અંદર વાકુંડ છે, તેમાંથી રસ ઝરે છે. હું ઊતરું છું. ખાટલીમાં બેઠેલા મને તુ અંદર લટકાવજે એટલે પછી હું રસનું તુંબડું ભરી લઇશ. ” મેં કહ્યું, “હું ઊતરું છું, તમે ન ઊતરશેા. ” તે મેક્લ્યા, “ ના, પુત્ર ! તને ડર લાગશે. ” મેં કહ્યુ, “ હુ ડરતા નથી. ” પછી મેં ચ વસ્ત્ર પહેર્યું. તેણે ચેાગવતી ૧ સળગાવીને મને અંદર લટકાવ્યેા. હું ઠેઠ કૂવાના તળિયે પહોંચ્યા. મેં રસકુડ જોયા. પછી તેણે તુખડી નીચે નાખી. મે કડછીથી તુંબડી ભરી અને ખાટલીમાં મૂકી. દારડુ' હલાવતાં પરિવ્રાજકે ખાટલી ઉપાડી લીધી. હું રાહ જોતા હતા કે, “મારે માટે ફરી પાછે તે ખાટલી નીચે લટકાવશે. ” મે” બૂમ પાડી કે, “ તાત ! દેરડું નીચે લટકાવા. ” પણ કૂવા ખૂબ ઊંડા હતા અને મને પશુની જેમ તેમાં ફેંકી દઈને પરિવ્રાજક ચાલ્યા ગયા હતા. " તે વખતે મે વિચાર કર્યો કે, “ સાગરમાં પણ મર્યા નહાતા એવા હું લાભને કારણે મરણ પામુ` છું. ” મારી ચેાગવતી દીપિકાએ પણ એલવાઇ ગઇ. પ્રભાતમાં ત્યાં સૂર્ય દેખાતા નહાતા, માત્ર મધ્યાહ્નકાળે કૂવામાં પ્રકાશ આવ્યા. નીચે જોયું તે અંદરથી ખૂબ પહેાળા પણ સાંકડા મુખવાળા કુંડ મારી નજરે પડયો. ઘણી વાર સુધી તાકી રહેતાં જેનું જીવન કંઇક અવશિષ્ટ રહ્યુ છે એવા એક પુરુષને કુંડથી ઘેાડેક દૂર મે જોયા. મે તેને પૂછ્યું, “તું અહીં કેવી રીતે આવ્યે ? ” ઘણા દુ:ખપૂર્ણાંક તેણે કહ્યુ, “ આ ! પરિવ્રાજક મને અહીં લાવ્યેા હતેા. ” મે કહ્યુ, “ મને પણ તે જ લાવ્યા છે. ” પછી મે તેને પૂછ્યું, “ મિત્ર! અહીંથી બહાર નીકળવાના કેઇ ઉપાય છે ખરા ? ” તેણે ઉત્તર આપ્યા, “ જયારે સૂર્યકિરણાથી આ કૂવે પ્રકાશિત થાય છે ત્યારે આ વિવરમાંથી એક મેટી ઘા પાણી પીવાને માટે આવે છે, અને તે જ માગે પાછી જાય છે. ભીરુ અને અસાહસિક એવે હુ અશક્ત થઇ ગયેા હાવાને કારણે બહાર નીકળ્યેા નહીં. જો તમે સાહસ કરી શકે। તા :ઘાના પૂછડે વળગી પડજો, એટલે મહાર નીકળી શકશેા. '' પછી હું પાણીની પાસે ઘાની રાહ જોવા લાગ્યા. પહેાળી પીઠવાળી મેાટી દ્યા સુરગના દ્વારમાંથી આવી અને તેણે પાણી પીધુ. તે બહાર નીકળતી હતી તે વખતે મેં તેનું પૂછડું પકડી ૧. અમુક રાસાયણિક દ્રવ્યેા એકત્ર કરીને બનાવેલી મશાલ, જે અંધારા કવા કે ભેાંચરાએમાં પણ બૂઝાય નહીં. Page #246 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક. [ ૧૯૧ ]. લીધું. પછી સુરંગના વિવરમાંથી જતરડું ખેંચે તેવી ગતિથી મને ખેંચતી તે દૂર સુધી જઈને બહાર નીકળી. મેં ચામડાનું કપડું પહેરેલું હોવાથી મારા શરીરને કંઈ ઈજા ન થઈ. પછી ઘેનું પૂછડું છોડી દઈને હું ફૂવો શોધવા લાગે, પણ મને તે જડ્યો નહીં. રાતમાં મને લાવવામાં આવ્યો હતો તે કારણથી એ પ્રદેશથી પણ હું માહિતગાર નહોતે. આ પ્રમાણે ભગ્રસ્ત એવો હું તપાસ કરતો હતો ત્યાં જંગલી પાડાએ મારા ઉપર હુમલો કર્યો. તે મારી પાછળ પડ્યો. તેનાથી નાસતો એ હું પાડો ચઢી શકે નહીં એવા ઊંચા ખડક ઉપર ચઢી ગયો. આથી પાડો બીજા અને અત્યંત ક્રોધથી તેણે શિલા ઉપર પ્રહાર કર્યો. તેના પ્રહારના આઘાતથી ખડકમાંથી મેટો અજગર નીકળે અને તેણે પાડાને પાછલા ભાગમાં પકડ્યો. આથી એ નિષ્ફર પાડે ત્યાં ઊભે રહ્યો. ડરે એ હું પણ પાડાના માથા ઉપર પગ મૂકીને ત્યાંથી નાસી ગયા અને એકાતમાં સંતાઈ ગયા. પછી ત્યાંથી નાસીને ભૂખ અને તરસથી પીડાતા હું વનમાં કાંટાઓમાં રખડતો હતો. એક સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોઈને અવશ્ય આ માર્ગે કોઈ આવશે ” એમ વિચારી હું ઊભો રહ્યો. થોડીવારે મેં રુદ્રદત્તને જોયે. તે મારે પગે પડીને રવા લાગ્યું અને બોલ્યા, “હું તમારો અંતેવાસી છું. ચારુસ્વામી! તમે અહીં શી રીતે આવ્યા?” એટલે મેં તેને બની ગયેલે બધે વૃત્તાન્ત કહ્યો. પછી તેણે પિતાના ભેટવામાંથી મને પાણી પાયું અને ભાથું આપ્યું. સ્વસ્થ થયેલા મને તે કહેવા લાગ્યું, “હવે હું તમારો સેવક છું. તમે વેપાર કરે; ચાલો આપણે રાજપુર જઈએ.” પછી અમે રાજપુર ગયા અને રુદ્રદત્તના મિત્રને ઘેર ઉતર્યા. રુદ્રદત્ત પડદા, અલંકાર, અળ, રાતાં પિત, કંકણ વગેરે માલ લીધે. તેણે મને કહ્યું, “ચારુસ્વામી ! વિષાદ ન કશો. તમારા ભાગ્યથી અને ઉત્તમ શરીરેણાના ગુણથી ગેડી મૂડીથી પણ આપણે ઘણું દ્રવ્ય પેદા કરશું. દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે આ લેકે સાર્થમાં જાય છે, માટે ઉઠે, આપણે પણ તે સાર્થની સાથે જઈએ.” એટલે ભેગા થઈને અમે સાર્થમાં પહોંચ્યા અને અનુક્રમે ચાલતા અમે સિધુસાગર સંગમ (અથવા સાગરના જેવી) નદી ઊતર્યા. ઈશાન દિશા તરફ અમે ચાલવા લાગ્યા. હુણ, ખસ અને ચીન ભૂમિ અમે વટાવી અને વૈતાદ્યની તળેટીમાં શંકુપથ પાસે પહેચ્યા. ત્યાં સાર્થના માણસોએ પડાવ નાખે, રસોઈ કરી અને વનફળ ખાધાં. ભેજન કર્યા પછી સાર્થના માણસોએ તુંબરુનું ચૂર્ણ કૂટયું. માર્ગદર્શકે કહ્યું, “ચૂર્ણ લઈ લે, અને કેડમાં ચૂર્ણની ઝેળીઓ બાંધી દે. પિોટલામાં માલ ભરો અને તે બગલ ઉપર બાંધે. એટલે આ 'છિન્નટેક શિખર, વિજયા નદીને અતાગ પાણીવાળો ધરો અને માત્ર એક જ સ્થળે ૧. જ્યાં વચ્ચે વસામાની અથવા ટકવાની કોઈ જગ્યા નથી એવું સીધું શિખર. Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] વસુદેવ–હિંડી : : : પ્રથમ ખંડ : શંકુ ઉપર જેવું આલંબન છે એવા શપથ આપણે એળગી જઇશુ. જ્યારે હાથે પરસેવા વળે ત્યારે તમારે તખરુનું ચૂર્ણ મસળવુ, એટલે તેની રુક્ષતાથી હાથને પકડવાને આધાર રહેશે; નહીં તેા પત્થરના શંકુ ઉપરથી હાથ લપસી જતાં ટેકા વગરના માણસનું અપાર પાણીવાળા છિન્નબ્રહમાં પડવાથી મૃત્યુ થશે. ” પછી અમે તેના વચનથી તુંખરું ચૂર્ણનું ગ્રહણ વગેરે બધુ કર્યું. અમે સર્વે શપથ ઊતરી ગયા અને જનપદમાં પહેાંચ્યા. ત્યાંથી અમે ઇષુવેગા નદી પાસે પહેાંચ્યા, ત્યાં મુકામ કર્યાં અને પાકાં વનફળ ખાધાં. પછી અમને માદકે કહ્યું, “ વૈતાઢ્ય પર્વતમાંથી નીકળતી આ ઇષુવેગા નદી અતાગ છે. જે તેમાં ઊતરે તે પાણીમાં ખેંચાઈ જાય છે. એમાં તીરછા માગે પણ ઊતરી શકાય એમ નથી. માત્ર નેતરના આધાર લઇને જ તેને સામે પાર જઇ શકાય એમ છે. જ્યારે ઉત્તર તરફથી વાયુ વાય છે ત્યારે, પતમાંથી વાતા પવનના એકત્રિત વેગને કારણે, મેાટી, ગાયનાં પૂછડાં જેવી ( અનુક્રમે પાતળી ) અને સ્વભાવથી જ મૃદુ અને સ્થિર એવી વેત્રલતાએ દક્ષિણ તરફ નમે છે. આ પ્રમાણે નમી જતાં તે ઇષુવેગા નદીના દક્ષિણ કિનારે પહોંચે તે વખતે તેમના આધાર લેવામાં આવે છે. આધાર લીધા પછી એ લતાએના ગાંઠાના મધ્યભાગ પકડી લેવામાં આવે છે. પછી જ્યારે દક્ષિણ તરફથી પા વાયુ વાય ત્યારે એ વાયુ વેત્રલતાઓને પાછી ઉત્તર કિનારે ફૂંકે છે. આ પ્રમાણે લતાઓના ગાંઠાની સાથે માણુસ પણ ઉત્તર કિનારે ફૂંકાય છે. તે કારણથી આ ગાંઠાએ પકડવામાં આવે છે. માટે તમે ( અનુકૂળ ) પવનની રાહ જુએ. "" પછી માદકની સૂચનાથી અમે વેત્રલતાઓના ગાંઠાના મધ્યભાગ પકડ્યા, અને કેડ તથા માલ બાંધી લીધાં. સૂચના અનુસાર પવનની રાહ જોતા અમે દક્ષિણુના પવનથી આ તરફ ફૂંકાયેલી વેત્રલતાઓના આધારે ઉત્તર કિનારે જઇને ઊભા રહ્યા. વેત્રલતાઆવડે વિકટ એવા પર્વતના શિખરામાં શેાધ કરતા અમે રસ્તા ઉપર પહાંચ્યા અને ટાંકણુ દેશમાં પહોંચ્યા. ત્યાં અમે એક પહાડી નદીના કિનારા ઉપર રહ્યા અને સીમાડા ઉપર સાથે મુકામ કર્યા. ભામિયાની સૂચનાથી નદીના કિનારે જુદા જુદા માલ મૂકવામાં આળ્યે, એક કાષ્ઠરાશિ સળગાવ્યા અને અમે એકાન્તમાં ચાલ્યા ગયા. ધૂમાડા સહિત અગ્નિને જોઈને ટાંકણુ લેાકેા આવ્યા, માલ લીધા અને તેમણે પણ ધૂમાડા કર્યા. પછી ઊમિયાના કહેવાથી તેએ પેાતાના સ્થાને ગયા. તેમણે બાંધેલાં ખકરાંએ અને મૂકેલાં કળા સાર્થના માણસાએ લીધાં. પછી સા સીમાડા ઉપરની તે નદીના કિનારે કિનારે આગળ ચાલ્યે અને અમે અજપથ આગળ પહોંચ્યા. ત્યાં વિશ્રામ લઇ આહાર કરીને ભેમિયાની સૂચનાથી આંખે પાટા બાંધીને તથા ખકરાએ ઉપર બેસીને બન્ને બાજુ છિન્ન કટકવાળા ( તદ્દન ઊભા અને સીધાં ચઢાવવાળા ) વજ્રકેટિસ'સ્થિત પર્વતને અમે વટાવી ગયા. ત્યાં ઠંડા પવનના ઝપાટા શરીરે લાગતાં બકરા ઊભા રહ્યા, એટલે અમે આંખા ખાલી નાખી. સપાટ Page #248 -------------------------------------------------------------------------- ________________ ગન્ધદત્તા લંબક [ ૧૯૩ ] 6 ભૂમિ ઉપર અમે વિશ્રામ લીધા અને Àાજન કર્યું, એટલે @ામિયાએ કહ્યુ, “ બકરાઓને મારી નાખેા, રુધિરવાળા ચામડાની ભાથડીએ ખાળ ) કરા, બકરાનું માંસ રાંધીને ખાએ અને કેડે છરી બાંધીને ભાથડીએમાં પેસી જાએ. રત્નદ્વીપમાંથી ભારુંડ નામનાં મહાકાય પક્ષીઓ અહીં ચરવાને માટે આવે છે. તેઓ અહીં આવીને વાઘ, રીંછ વગેરેએ મારેલાં પ્રાણીઓનું માંસ ખાય છે, અને માંસનેા મેાટા પિંડ હોય તે પેાતાના માળામાં લઇ જાય છે. તમને રુધિરવાળી ભાથડીએમાં બેઠેલા જોઈને, આ મેાટા માંસિપડ છે ’ એમ ધારી તમને ઉપાડીને તે પક્ષીઓ રત્નદ્વીપમાં લઇ જશે. તે તમને નીચે મૂકે, એટલે તમારે છરી વડે ભાથડીએ ચીરી નાખવી. પછી તમારે ત્યાંથી રત્ના લેવાં. રત્નદ્વીપમાં જવાના આ ઉપાય છે. રત્ના લીધા પછી વૈતાઢયની તળેટી પાસે આવેલી સુવર્ણ ભૂમિમાં અવાય છે. ત્યાંથી વહાણુ માર્ગે પૂર્વ દેશમાં આવી શકાય છે. ’’ તેનું વચન સાંભળીને સાથેના માણસો બકરાને મારવા લાગ્યા. મે રુદ્રદત્તને કહ્યું, “ વેપાર આવા હશે એમ હું જાણુતા નહાતા; અને જો જાણતા હાત તે અહીં આવત નહીં, માટે મારા ખકરાને તમે મારશેા નહીં. તેણે મને જંગલમાંથી બહાર કાઢ્યો છે, માટે તેના તેા ઉપકાર માનવેા ચેાગ્ય છે. ’ રુદ્રદત્ત ખેલ્યા, “ તમે એકલા શુ કરશે ? ” મેં કહ્યું, “ વિધિપૂર્વક દેહત્યાગ કરીશ. ” એટલે મારું મરણુ થવાની સંભાવનાથી ડરતા તે રુદ્રદત્ત સાના માણસા સાથે મળીને બકરાને મારવા લાગ્યા. હું એકલા તેમને અટકાવી શયેા નહીં. તેમને અટકાવવાના પ્રયત્ન કરતા મારા તરફ તે બકરા પણ એકાગ્રચિત્ત થઇને લાંબી નજરે તાકી રહ્યો. એટલે મેં તેને કહ્યુ, “ હે મકરા ! તારી રક્ષા કરવાને હું અશક્ત છું. પણુ સાંભળજો તને વેદના થતી હાય તા તેના કારણરૂપે તે પૂર્વે કરેલેા મરણભીરુ પ્રાણીઓને વધ છે. એટલે તે પાતે કરેલાં કર્માંના જ આ અનુભવ છે. આથી એનુ કેવળ નિમિત્ત બનનાર માણસા ઉપર તારે દ્વેષ કરવા જોઇએ નહીં. જેએ રાગ, દ્વેષ અને માહથી પર છે એવા ભગવાન્ અરહતેા અહિંસા, સત્ય, અદત્તાદાનવિરતિ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વ્રતા સંસારભ્રમણુને નાશ કરનારાં હાવાનું ઉપદેશે છે, માટે તુ સર્વે સાવદ્ય-પાપયુક્ત વ્યાપારના, શરીરના અને આહારના ત્યાગ કર; ‘નમે અરિહંતાણું ? એ વચન તારા ચિત્તમાં રાખ; એથી તારી સદ્ગતિ થશે. ” મેં એમ કહ્યું એટલે તે બકરો મારી આગળ પ્રણામ કરીને ઊભા રહ્યો. મેં પણ તેને વ્રતે આપ્યાં, આહારનું પચ્ચકખાણુ આપ્યુ અને સિદ્ધ તથા સાધુના નમસ્કાર સહિત અરિહંતનેા નમસ્કાર–નવકાર મંત્ર-ઉચ્ચાર્યાં. આ પ્રમાણે વિરક્ત થયેલા અને ચિત્રમાં ચીતરેલા હાય તેવા સ્થિર એ બકરાને તેએએ-રુદ્રદત્ત વગેરેએ મારી નાખ્યા. પછી તેની ભાથડી કરવામાં આવી. રુદ્રદત્તે પગે પડીને મને ભાથડીમાં એસાડયો, અને સાથેના માણસા પણ પોતપાતાની ભાથડીમાં પ્રવેશ્યા. ઘેાડીક વારે ભારુડ . ૨૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પક્ષીઓ આવ્યાં, તે અમે તેમના શબ્દ ઉપરથી જાણ્યુ'. માંસનાં લાલચુ તે પક્ષીઓએ ભાથડીએ ઉપાડી, પણ તેમાં મારી ભાથડી એ ભારુડ પક્ષીઓએ લીધી. પશુ તે મેં જાણ્યુ શી રીતે ? ( એ પક્ષીઓ વડે ) આકાશમાં ઊંચે-નીચે દડાની જેમ હલાવાતા મને લઇ જવામાં આવતા હતા. આવી રીતે મને દૂર સુધી લઇ જવામાં આવ્યેા. ત્યાં અત્યંત કાપથી લડતાં તે પક્ષીએની ચાંચમાંથી ભાથડી સરકી જતાં હું માટા ધરામાં પડ્યો. પડતાં પડતાં મે છરીથી ભાથડી ચીરી નાખી, અને તરતા તરતા પાણીમાંથી મહાર નીકળ્યા. પછી મે આકાશમાં જોયુ, તે પક્ષીએ વડે સાના માણુસા સહિત લઇ જવાતી ભાથડીએ નજરે પડી, મારી ભાથડી પણ પક્ષોએ લઇ ગયાં. પછી મને વિચાર થયા, “ અહા ! કૃતાન્ત જ મને ત્રાસ આપે છે. અથવા પૂર્વેનાં દુઘ્ધતિને કારણે મારી આવી અવસ્થા થઇ છે. ” વળી મને થયુ, “ મે પુરુષાર્થ કરવામાં તે કંઇ ખામી રાખી નથી. હવે તેા મરવાને માટે આ પર્વત ઉપર ચઢું; ઉપર જ્યાં સમ ભૂમિ આવશે ત્યાંથી નીચે ભુસ્કા મારીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને હું પર્વત ઉપર ચઢવા લાગ્યા અને વાંદરાની જેમ હાથ તેમજ પગથી પથરા ઉપર વળગીને જેમ તેમ કરી શિખર ઉપર પહેંચ્યું. ,, “ આ ,, (6 ત્યાં અવલેાકન કરતાં મેં પવનથી ફરતું શ્વેત વસ્ત્ર જોયું. મેં વિચાર્યું, કાનુ વસ્ર હશે ? ” વધારે જીણી નજરે જોતાં મને ખ્યાલ આવ્યેા કે, “ આ તા કાઈ સાધુ હાથ ઊંચા કરીને આતાપના લેતા એક પગે ઊભા છે. ” મેં વિચાર્યું કે, “ મારા પુરુષાર્થ સાધુનાં દર્શનથી સફળ થયા છે. સન્તુષ્ટ થયેલા હું સાધુ પાસે પહેાંચ્યા, અને નૈષધિકી કરીને તથા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તેમની સમક્ષ ઊભા રહ્યો તથા હૃદયથી પ્રશંસા કરવા લાગ્યા કે, “ અહા ! ધ્યાનમાં રહેલા આ સાધુ ખરેખર કૃતાર્થ છે. ” સાધુએ મારી સામે ઘણીવાર સુધી તાકી રહીને પછી કહ્યુ, શ્રાવક! અભ્ય ભાનુના પુત્ર તમે ચારુસ્વામી તેા નહીં ? ” મેં કહ્યું, “ ભગવન્ ! હું તે જ છું. એટલે ભગવાને કહ્યું, “ તમે અહીં કેવી રીતે આવ્યા ? ” એટલે મેં ગણિકાગૃહમાં પ્રવેશથી માંડીને પંત ઉપર ચઢવા સુધીના સર્વાં વૃત્તાન્ત કહી સંભળાવ્યેા. પછી સાધુએ પણુ પેાતાના તપ-નિયમ સમાપ્ત થતાં બેસીને કહ્યુ, “ મને આળખા છે. ? જેને તમે મરણુમાંથી ઊગાર્યા હતા તે હું અમિતગતિ છેં. ” મેં કહ્યું, “ ભગવન્ ! એ પછી તમે શું કર્યું" તે મને કહેા. ” એટલે તે કહેવા લાગ્યા— "" ,, " અમિતગતિના શેષ વૃત્તાન્ત "6 ‘હું તમારી પાસેથી ઊડયો. પછી મેં' વિદ્યાનું આવાહન કર્યું, એટલે તેણે મને કહ્યુ, “ વૈતાઢ્ય પર્વત ઉપર કાંચનગુહામાં તારી પ્રિયા તારા શત્રુની સાથે છે. ” એટલે હું કાંચનશુઢા ગયા. કરમાઈ ગયેલી જાણે પુષ્પમાળા હાય તેવી તથા દુ:ખસમુદ્રમાં ડૂબેલી સુકુમારિકાને મેં ત્યાં જો. વેતાલ-વિદ્યાની સહાયથી મારું મૃત શરીર તેને Page #250 -------------------------------------------------------------------------- ________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧લ્પ ] બતાવીને (ધૂમસિંહ) કહેતો હતો, “આ તારો પતિ અમિતગતિ (મરણ પામે છે, માટે તું મારું સેવન કર અથવા સળગતા અગ્નિમાં પ્રવેશ કર.” સુકુમારિકા બોલી, “હું તે મારા પતિ અમિતગતિનું જ અનુસરણ કરીશ.” એટલે તેઓએ (ધૂમસિંહના સેવકોએ) લાકડાંને માટે ઢગલો કર્યો, તેમાં આગ મૂકી, શબને પણ મૂક્યું અને પ્રિયા શબને આલિંગન કરીને બેઠી. તે જ વખતે હું ત્યાં પહોંચે. મેં હુંકાર કર્યો, એટલે તેઓ નાસી ગયા. મેં પ્રિયાને ચિતા ઉપરથી ઊતારી. હું હજી જીવતે હતો એ જોઈને તે વિસ્મય પામી. મારા શત્રુઓને મેં નસાડ્યા એટલે તેઓ સમુદ્રમાં પેસી ગયા. પછી હું પાછો વળીને પિતા પાસે ગયો અને તેમને બધું કહ્યું. પછી મારા પિતાએ વિદ્યાધરણિના વૃદ્ધોદ્ધારા ધૂમસિંહ સાથે વિદ્યાધરને બોલવા-ચાલવાને વ્યવહાર બંધ કરાવ્યા. એક વાર મારા પિતા વિદ્યાધરરાજની પુત્રી મનોરમાં નામે કન્યા લાવ્યા. પાણિગ્રહણ કરીને હું તે ભાર્યાની સાથે રમણ કરવા લાગ્યું. પછી મારા પિતાએ, મને રાજ્યધુરા સેંપીને, હિરણ્યકુંભ અને સુવર્ણકુંભ નામના ચારણ પ્રમાણેની પાસે દીક્ષા લીધી તથા નિ:સંગ અને તપપરાયણ થઈને તેઓ વિચારવા લાગ્યા. મારે ત્યાં સિંહ યશ અને વરાહગ્રીવ એ પુત્રો થયા, અને ગન્ધર્વદત્તા પુત્રી થઈ. મારા પિતા નિર્વાણ પામ્યાના સમાચાર સાંભળીને મેં પણું, સિંહયશને રાજ્ય આપીને, તે જ ચારણશ્રમની પાસે દીક્ષા લીધી. સૂત્રોને અભ્યાસ કર્યા પછી હું આ કંઠક દ્વીપમાં કકડય પર્વત ઉપર આતાપના લઉં છું, અને રાત્રે ગુફામાં વસું છું. ભદ્રમુખ! સારું થયું કે તમે અહીં મને મળ્યા. હવે તમને કોઈ વાતની ખામી નહીં રહે. મારા પુત્રો અહીં દરરોજ મને વંદન કરવા માટે આવે છે. તેઓ પોતાના નગરમાં લઈ જઈને તમારી શુશ્રુષા કરશે, અને વિપુલ ધન સહિત તમને ચંપા નગરી લઈ જશે.” - ભગવાન્ આ પ્રમાણે કહેતા હતા ત્યાં તે ડી જ વારમાં વિદ્યાધર-રાજાઓ સિંહયશ અને યશગ્રીવ ત્યાં આવ્યા. તેમણે પિતાને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. સાધુએ તેમને કહ્યું, “પુત્રો ! તમારા પિતાને લાંબે કાળે પ્રણામ કરો. ઘણું મુશ્કેલીએ તેઓ અહીં આવી પહોંચ્યા છે.” એટલે તેઓ બેલ્યા, “તાત ! આ તમારા ધર્મપિતા છે” એમ કહે છે, તો શું આ ચારુસ્વામી તે નથી?તેમણે કહ્યું, “હા, એમ જ છે. સ્થાન અને ધનથી પરિભ્રષ્ટ થયેલા તે લાંબે કાળે મારા જેવામાં આવ્યા છે.” પછી તેમણે બધી હકીકત પોતાના પુત્રોને કહી. એટલે તેઓએ પિતાને ગ્ય એવા માન સાથે મને વંદન કર્યું, અને હું વિશ્રામ લેતો હતો ત્યારે મને કહ્યું, “જેને પ્રતિકાર થઈ શકે નહીં તથા જેમાંથી છોડાવી શકાય નહીં એવી સ્થિતિમાં રહેલા અમારા પિતાને જીવિતદાન આપીને ઉપકાર કરનાર આપને અમે યથાશક્તિ પ્રત્યુપકાર કરીશું. અમારા સદભાગ્યે જ આપને અહીં આપ્યા છે. આજે અમારો કલેશ દૂર થયે છે.” આ પ્રમાણે તેઓ બોલવા લાગ્યા. Page #251 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૯૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ એવામાં અજોડ રૂપવાળ, રુચિર આભૂષણેથી અલંકૃત તથા રજ વગરના આકાશ જેવો તેજસ્વી એક દેવ ત્યાં આવ્યો. હર્ષિત થયેલા તેણે “પરમ ગુરુને નમસ્કાર ” એમ વંદના કરતાં મને પ્રણામ કર્યા. ત્યારપછી તેણે અમિતગતિને વંદન કર્યું. વિદ્યાધરેએ તેને પૂછયું, “દેવ! અમે ક્રમ પૂછીએ છીએ કે પહેલાં સાધુને વંદન કરવું જોઈએ કે શ્રાવકને?” તેણે ઉત્તર આપ્યો, “સાધુઓને વંદન કરવું જોઈએ, પછી શ્રાવકને પણ હું ભક્તિવશ હોવાને કારણે ક્રમ ચૂકી ગયો હતો. આમની (ચારુદત્તની) કૃપાથી મને આ દેવશરીર અને આ રિદ્ધિ મળી છે.” વિદ્યાધરએ પૂછયું, “કેવી રીતે?” એટલે દેવ કહેવા લાગ્યો, “બકરાના ભાવમાં હું જાતિસ્મરણ જ્ઞાનવાળો હતે. ગત જન્મનું સ્મરણ કરતા મને એમણે ધર્મમાં જોડ્યો. સાંભળે, પહેલાં તો હું અથર્વવેદ દ્વારા પ્રવતેલા મત્રેના વિનિયોગમાં પાંચ વાર અગ્નિમાં હોમાયો. છઠ્ઠી વાર મને વાણિયાઓએ મારી નાખે.” એટલે વિદ્યાધરોએ પૂછયું, “દેવ! અથર્વવેદ કેવી રીતે ઉત્પન્ન થયે ? અને કેણે તે કર્યો?” તેણે ઉત્તર આપ્યો, “મહાકાલ નામે પરમાધાર્મિક દેવ હતો. સગર પ્રત્યેન વેષને કારણે તેને નરકમાં નાખવાના હેતુથી, એ દેવે પશુવધ પ્રકાશિત કર્યો હતો. પરંપરાના આગમથી પિપ્પલાદે તે ગ્રહણ કર્યો હતો. તેણે તેના આશ્રયથી અથર્વવેદની રચના કરી હતી. એ પિપ્પલાદની ઉત્પત્તિ સાંભળો– અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદને વૃત્તાન્ત વારાણસી નામે નગરી છે. ત્યાં ઘણું શિખ્યાઓના પરિવારવાળી, વ્યાકરણ અને સાંખ્યશાસ્ત્રમાં કુશળ તથા અત્યંત માનનીય એવી સુલસા નામે પરિત્રાજિકા વસતી હતી. યાજ્ઞવલક્ય નામે ત્રિદંડી વાદ કરવાની ઈચ્છાથી વારાણસી આવ્યા. તે બન્નેની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે સુલસાએ જ્ઞાનમદથી કહ્યું, “જે મને વાદમાં જીતે તો છ માસ સુધી તમારી પાદુકાઓ વહન કરું.” પછી મધ્યસ્થ સમક્ષ તેમની વચ્ચે વાદ થયે. શબ્દશાસ્ત્ર-વ્યાકરણના વિષયમાં યાજ્ઞવલ્કયે સુલતાને જીતી, એટલે માન મૂકીને તે યાજ્ઞવષ્યની સેવા કરવા લાગી. આ પ્રમાણે તેમની વચ્ચેની મર્યાદા તૂટી જવાથી તથા એકબીજાની સમીપ રહેવાને કારણે તેમનું પતન થયું. શિષ્યાઓએ પણ સલસાને ખરાબ શીલવાળી ગણીને તેને પરિત્યાગ કર્યો. તેને પોતાની બહેન માનતી તથા ઘણુ કાળની તેની સબતી એકમાત્ર નંદા નામે (શિષ્યા) તેની સાથે રહી હતી. સુલસાને ગર્ભ રહ્યો. “મને ગમે રાની હકીકત જાહેર થતાં રખેને હું અપમાનિત થાઉં” એમ વિચારીને, નંદાને પિતાનું ગમન-સ્થાન કહી બતાવી, તીર્થયાત્રાના બહાને તે નીકળી. ગંગાના કિનારે યાજ્ઞવલ્ક્યની સાથે ઘેરી વૃક્ષઘટાઓથી વીંટાયેલા પીપળાના વૃક્ષની નીચે તે રહેવા લાગી. નંદા તેને સમાચાર આપતી હતી. પ્રસવને દિવસ નજીક આવ્યો ત્યારે સુલસા અત્યંત ખિન્ન થઈ ગઈ. યાજ્ઞવલયની શુશ્રષાથી તેણે યથાકાળે પુત્રને જન્મ આપે. પુત્રને સ્નાન કરાવીને Page #252 -------------------------------------------------------------------------- ________________ ગન્ધવ દત્તા લશક [ ૧૯૭ ] : યાજ્ઞવલ્કયની પાસે મૂકીને ‘હું ગ’ગા–તી માં ઊતરું છું ( સ્નાન કરી આવું છું)' એમ કહીને તે ચાલી નીકળી. ‘ મારે ખાળકનું શું કામ છે ? યાજ્ઞવલ્કય સાથેના સંબંધથી પણ હવે ખસ થાઓ, ’ એમ વિચારતી સુલસાને પાછી આવતાં મેાડું થયું તેથી ખાળક રાવા લાગ્યા. યાજ્ઞવલ્કચે ચેાગ્ય તીમાં તેની તપાસ કરી, પણ તેને માલૂમ પડ્યુ. કે “ સુલસા નથી, એ તા ચાલી ગઇ છે. ’ આ પ્રમાણે ચિન્તા કરતા તે હવે તેને કેવી રીતે મળું? ’ એમ વિચાર કરતા બેઠે. એટલામાં પવનથી તૂટેલી પીપળાની ડાળી બાળકના મુખ ઉપર પડી, એટલે તે ( દૂધના ) સ્વાદ લેવા લાગ્યા અને રાતા બંધ થઇ ગયા. બાળકના ત્યાગ કરવાની ઇચ્છાવાળા યાજ્ઞવલ્કયે વિચાર કર્યા, “ આહાર કરવા માંડેલા આ બાળક પીપળેા ખાય છે માટે એનું નામ પિપ્પલાદ (પીપળા ખાનાર ) ભલે રહે. ’ એમ વિચારીને શિલા ઉપર તે નામ લખી ( બાળકને ત્યજીને) તે ગયે. આ ખાજી, સુલસાને પ્રસવકાળ નજદીક આવેલા જાણીને સ્નેહવશ નંદા ઘી લઇને તે સ્થળે આવી. તે વખતે એ બાળકના મુખમાંથી, તેના હલનચલનને કારણે, પીપળાની ડાળી ખસી ગઇ હતી, આથી તે ફરી રડવા લાગ્યા. તેના સાદ-રુદ્ઘનશબ્દ નોંદાએ સાંભળ્યે, તેથી તેણે વિચાર્યું કે–‘ સુલસાને પ્રસવ થઈ ગયેા છે. ’ પ્રસન્ન થયેલી તે ઝાડીની અંદર આવી, તે તેણે બાળકને જોયા તથા “પિપ્પલાદ” એવું નામ વાંચ્યું, પરન્તુ પેલાં એ જણાંને જોયાં નહીં. તપાસ કરતાં ‘તેઓ પેાતાનાં ઉપકરણા લઇને ચાલ્યાં ગયાં છે’ એમ જણાતાં અનુક ંપાથી બાળકને લઇને તે વારાણસી આવી. બાળકને ગળથુથી પીવાવીને પછી પેાતાનાં અંતેવાસી લેાકેાને કહેવા લાગી, “હું જ્યારે ગંગામાં સ્નાન કરવા ગઈ ત્યારે આ ખાળકને મે જોયા.” તે ખેલ્યાં, “સારું ક્યું, અમે તને સામગ્રી પૂરી પાડીશું.” તેઓએ યત્નપૂર્વીક મદદ કરતાં નંદાએ તે બાળકને ઉછેર્યો તથા વિદ્યા શિખવી. અગ સહિત વેદ તેણે ગ્રહણ કર્યો. એક વાર ઉદ્યાનમાં તેાફાન કરતા હાવાને કારણે નંદાએ એ બાળકને કહ્યું, “તને જન્મ ખીજીએ આપ્યા અને હેરાન મને કરે છે.” આથી તેણે પૂછ્યું, “માતા! હું કાના પુત્ર છું? ” નંદાએ ઉત્તર આપ્યા, “મારા.” છતાં બાળકે ઘણું આગ્રહ કરતાં નંદાએ તેની સાચી ઉત્પત્તિ કહી. આ સાંભળી માતા-પિતા ઉપર તેને દ્વેષ થયા. તેણે અથવવેદ રચ્ચે, માતૃમેધ અને પિતૃમેધનું તથા અભિચાર–મન્ત્રાનું વિધાન કર્યું. તે લેાકેામાં બહુમાન્ય અને સમૃદ્ધ થયા. ફરી એક વાર ચાજ્ઞવલ્કચ ( વારાણસીમાં) આવ્યા, અભિનવ બુદ્ધિવાળા પિપ્પલાદે તેના પરાજય કર્યો. પછી તેનું સન્માન કરીને પિપ્પલાદ પેાતાના ઘેર લઇ ગયા, એટલે તે ત્યાં રહ્યો. પછી યાજ્ઞવલ્કયે પૂછ્યું, ” તું કેાના પુત્ર છે? ” પિપ્પલાદે ઉત્તર આપ્યા, “પિપ્પલના”. આમ યાજ્ઞવસ્ત્રે જાણ્યું કે, “આ મારા જ પુત્ર છે; ખીજા કેાની આવી શક્તિ હાય ?” પછી તેણે કહ્યું, “હું પિપ્પલને એળખું છું, જો તું તેના પુત્ર હાય તા Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : હું કૃતાર્થ થયે છું.” પછી મનમાં દ્વેષ રાખતો તે પિપ્પલાદ તેની સેવા કરવા લાગ્યું. ઘણે કાળ વીતા પછી નંદાની ખબર લેવા માટે સુલસી ત્યાં આવી. તેણે નંદાને પિપલાદના ભવનમાં ફરતી જોઈ. પૂછવામાં આવતાં નંદાએ પિપલાદ કેવી રીતે મોટો થયે તે કહ્યું. (સુલસાના આગમનની ખબર) નંદાએ પિપ્પલાદને પણ જણાવી, અને કહ્યું, “પુત્ર! આ તારી માતા છે.” પિપ્પલાદે પણ ખોટો વિનય બતાવી તેની સેવા કરી. પછી તેણે યાજ્ઞવલક્યને કહ્યું, “તાત! તમને મોટા પિતૃમેધથી દીક્ષિત કરવામાં આવે છે.” તે બોલ્યા, “પુત્ર! મારું જે કંઈ હિત હોય તે તું કર.” પછી તેને પિપ્પલાદે દીક્ષા આપીને ગંગા તીરે એકાન્તમાં બાંધ્યું અને કહ્યું, “તાત! તમારી જીભ બતાવો.” પછી તેણે હાથચાલાકીથી કાતર વડે જીભ કાપી નાખી. અવાક્ બનેલા તે યાજ્ઞવલક્યનાં કાન, નાક, હોઠ, હાથ, પગ ઇત્યાદિ અવયવો ઉપર ખાર છાંટીને પિપ્પલાદે અગ્નિમાં હેમ્યા, અને તેને ક્રોધપૂર્વક કહ્યું, “દુરાચાર! મેં જન્મતાં વેંત તારો શે અપરાધ કર્યો હતો કે તેં મારો નિર્જન પ્રદેશમાં ત્યાગ કરી દીધો ? હું જીવી શકું તે માટે તેં કેઈને ખબર પણ કેમ ન આપી? તું જ મારે શત્રુ છે.” પછી નિષ્ટ થયેલા તે યાજ્ઞવક્યને તેણે ગંગામાં ફેંકી દીધો, ભૂમિ ઉપર ગંદક છાંટયું અને પછી જાહેર કર્યું કે, “યાજ્ઞવલક્ય તે વિમાનમાં ગયા છે.” આ જ પ્રમાણે તેણે સુલસાને પણ મારી નાખી. આ પ્રમાણે પિતા અને માતાને ઘાત કરનાર પિપ્પલાદને હું વર્લ્ડલી નામે શિષ્ય હતે. અથર્વવેદના જ્ઞાનવાળો હું બ્રાહણેને ભણાવતે હતે. મરીને હું બકરો થયે. આ તરફ મિથિલામાં જનક રાજા હતો. તેને સુનકમેધ નામે તાપસ ઉપાધ્યાય હતું. તે પુરોહિતે રાજાના શાતિકર્મ નિમિત્તે મારે ઘાત કર્યો. ફરી વાર હું બક થ. એ શુનકમેધે, એ પ્રમાણે, પાંચ વાર મને મારીને હેપે. વર્દીલી વગેરે મારા પૂર્વજન્મો મને યાદ હતા. ફરી પાછો હું કંકણ દેશમાં બકરો થયો. ત્યાં વણિક જ્યારે મને મારતા હતા ત્યારે આ ચારુદત્તે અહિંસાપ્રધાન ધર્મને મને ઉપદેશ કર્યો. તે વખતે મેં વિચાર કર્યો, “ધર્મને શુદ્ધ ઉપદેશ આ જ હોવો જોઈએ. વેદશાસ્ત્રના ઉપદેશના ફળરૂપે તે આ છઠું મરણ હું અનુભવું છું. જિનેશ્વરેએ ઉપદેશેલાં વચન ઉપર આ ચારુદત્ત ભાવપૂર્વક મને રુચિવાળો કર્યો, અરિહંત-નમસ્કારમાં સ્થિર રહેલે હું કાર્યોત્સર્ગ કરીને ઊભા રહ્યા, એટલે વણિકોએ મને મારી નાખે. પછી હું નંદીશ્વરદ્વીપમાં દેવ થયો છું અને આ ઇભ્યપુત્રની ગુરુપૂજા કરવાની ઈચ્છાવાળો હું અહીં આવ્યો છું.” પછી વિદ્યાધરોએ તે દેવને કહ્યું, “દેવ! અમે પહેલાં સત્કાર કરીશું, કારણ કે ચારુસ્વામીએ અમારા પિતાને પહેલા જીવિતદાન આપ્યું હતું અને પછી તે તમારા ધર્મોપદેશક બન્યા હતા.” દેવ બોલ્યો, “હું સત્કાર કરીશ, પછી તમે સન્માન કરજે.” વિદ્યાધરોએ કહ્યું, “દેવ! તમે સત્કાર કરી રહે એ પછી તમારા કરતાં વધુ કરવાની અમારી Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૯ ] શી શક્તિ ? અમે સત્કાર કરીએ ત્યાર પછી શુશ્રૂષાપૂર્વક તમે તેમના સત્કાર કરો. કૃપા કરા. આ પ્રમાણે દેવને સમજાવીને વિદ્યાધરા મને શિવમન્દિર નગરમાં લઈ ગયા. · ચારુસ્વામી ! ચંપાનગરીમાં જવાની ઇચ્છા થાય ત્યારે મારું સ્મરણ કરજો' એમ કહીને દેવ પણ ગયા. પછી જાણે હું મારા પોતાના જ ઘરમાં રહેતા હેાઉં તેવી રીતે સિ’હુયશ અને વરાહગ્રીવ વડે પિતાના જેવીજ સેવા પામતા હુ રહેતા હતા. ચારુદત્તનું ગૃહાગમન એક વાર મેં વિદ્યાધરરાજાને કહ્યું, “ મને મારી માતા યાદ આવે છે, માટે હું જઇશ. ” એટલે તે બન્ને જણા મને કહેવા લાગ્યા, તાત! તમારી જો જવાની ઈચ્છા હાય તા તમને રોકવા એ અમારે માટે ચેાગ્ય નથી. જે રીતે તમને સુખ થતું હાય તેમ ભલે થાઓ. પણ એક વાત સાંભળેા-અમારા પિતા અમિતગતિ જ્યારે અહીં હતા ત્યારે તેમણે વિજયસેના દેવીની કૂખે જન્મેલી પેાતાની પુત્રો (ગન્ધદત્તા) માટે નૈમિત્તિકને પૂછ્યું હતું. નૈમિત્તિકે આદેશ કર્યા હતા કે, ‘આ ગન્ધદત્તા ઉત્તમ પુરુષની ભાર્યો થશે, અને તે પુરુષ વિદ્યાધરા સહિત દક્ષિણ ભરતને ભાગવશે. ચંપા નગરીમાં ચારુદત્તને ઘેર રહેલી આ કન્યાને તે પુરુષ સંગીતવિદ્યામાં પરાજિત કરશે. ભાનુશ્રેણીના પુત્ર ચારુદત્ત કાઇ કારણસર અહીં આવશે, તેને સોંપવામાં આવતાં એ કન્યા તે પુરુષને પામશે. એ પુરુષ કેવી રીતે ઓળખાશે ? ચિત્રકામમાં આલેખેલા હસ્તી-મિથુનનું તે આયુષ્ય જાણશે, પછી કેશયુક્ત તન્ત્રીવાળી, ખળેલા અને પાણીમાં બુડેલા લાકડામાંથી બનાવેલી વીણાઓના તે ઢાષ કાઢશે અને સપ્ત સ્વરની તન્ત્રીવાળી વીણા માગશે. આ રીતે તેને જાણવા.' માટે આ કન્યાને તમે લઇ જાએ.” મે પણ એ વસ્તુ સ્વીકારી. પછી મનુષ્યાને દુર્લભ એવા રત્ન અને સુવર્ણ ના સમૂહ તે વિદ્યાધરાએ મને આપ્યા. પ્રસ્થાન સમયે વિજયસેના દેવીએ પરિવાર સહિત તથા દાસ અને સેવકા સહિત પુત્રી ગન્ધદત્તા મને સોંપી અને કહ્યું કે, “ દીક્ષા લેતી વખતે રાજાએ કરેલી સૂચના પ્રમાણે આ કન્યાને સોંપી છે. તમારી પાસે તે ધર્મ પૂર્વક ધનિક્ષેપ (પવિત્ર થાપણુ) અનેા.” ܕܕ ગધવદ્વત્તા લ’ભક પછી મેં દેવનું ચિન્તન કર્યું. એટલે તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આબ્યા. વૈભવ સહિત અને પરિચારિકા સહિત ગન્ધદત્તાની સાથે તે મને અ રાત્રે ચંપા નગરીમાં લાળ્યેા. તેણે મને વિપુલ ધન આપ્યુ, તે નગરની બહાર ઉપવનમાં મેં દાટી દીધું. દાસદાસીએ પટમ’ડપ–કનાતામાં સૂઈ ગયાં. “ તમારે માટે રાજાને સૂચના કરું છું. જ્યારે કામ પડે ત્યારે મારું સ્મરણ કરજો ' એમ કહીને દેવ ગયા. વિદ્યાધર અને ધ્રુવે આપેલા ખચ્ચર, ગધેડા અને ઊંટ ત્યાં ઊભા રહેલા હતા તથા વિવિધ માલ-સામાન ભરેલાં ગાડાં પણ છેડેલાં હતાં. દેવની આજ્ઞા અનુસાર પઢિયે મશાલા સહિત તથા અલ્પ પરિજન સહિત રાજા ત્યાં આન્યા. મને ખબર આપવામાં આવી. મે રાજાના અર્ધ્ય થી સત્કાર કર્યા.૧ ૧. આ પછી મૂળમાંના તં ગાઢું પરિiતો...મીમિ ાં અહં તિ એ શબ્દોના અર્થી અસ્પષ્ટ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : સૂર્યોદય થતાં મારા વૃત્તાન્ત સાંભળીને મારા મામા આવ્યા. તેમણે મને આલિંગન આપ્યું અને કહ્યુ, “ અહા ! તે કુળને ઉજજવળ કર્યું છે, તે પુરુષાર્થ કર્યો છે.” મે પૂછ્યું, “માતાના શા સમાચાર છે ? ” તેમણે કહ્યુ, “ સાંભળેા-તમે પ્રવાસે ગયા ત્યારે તમને ઘરમાં નહીં જોતી વસન્તતિલકા અશાકવનિકામાં ફ્રી આવીને દાસીઓને પૂછવા લાગી, · ચારુસ્વામી કયાં ગયા ? ’ વસન્તતિલકાએ ઘણુા આગ્રહ કરતાં દાસીએએ કહ્યું, ‘આ તે ધનહીન છે એમ વિચારીને જ્યારે તેમણે માદક પીણું પીધું હતું ત્યારે માતાએ તેમને ભૂતગૃહમાં ફૂંકાવી દીધા હતા. આ સમાચાર જાણીને વસન્તતિલકા ગૃહિણી (મિત્રવતી) પાસે ગઇ. ત્યાં પણ તમને નહીં જોતાં તેણે વેણીમધ બાંધ્યા, રાજાને નિષ્ક્રય (રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટેના લાગેા) આપ્યા અને ગૃહિણીની સેવા કરવા લાગી. મિત્રવતી પણ પેાતાના પાતિત્રત્યની રક્ષા કરતી રહે છે. ” પછી હર્ષ પામેàા અને વેપારીઓને સત્કાર પામતા હું મારા ઘરમાં પ્રવેશ્યા, માતાને વંદન કર્યું, મિત્રવતીને આલિંગન આપ્યુ, વસન્તતિલકાના વેણીમધ છેાડયા અને રત્ના ભંડારમાં મૂકયાં. ' અનુક્રમે ગન્ધત્તા પૂર્ણ યુવાવસ્થામાં આવી. પછી મેં સભામંડપ કરાવ્યેા, તમારી શેાધ માટે પુત્રીની સંગીતને લગતી પ્રતિજ્ઞા જાહેર કરી તથા હાથીનું યુગલ ચીતરાવ્યું, કારીગર પાસે આલેખન કરાવ્યું. હવે હું કુળધર્મને વિઘ્ન ન થાય તેવી રીતે ભેગ ભાગવતા રહું છું અને મારા મિત્રના પુત્ર વિદ્યાધરાને માસેમાસે સમાચાર મેાકલું છું. મે' તે દિવસે ( લગ્ન સમયે ) તમને અગ્નિહેાત્રને માટે પૂછ્યું હતું તથા કહ્યું હતું કે ‘ આ પુત્રી કુળમાં તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશેષ પણ હાય, ’ તેનું રહસ્ય આ છે. ,, આ પ્રમાણે ચારુદત્ત શ્રેણીની આત્મકથા સાંભળીને મે તેમના સત્કાર કર્યો તથા તેમને રજા આપી. ગન્ધદત્તાને લાડ કરતા હું ભાગ ભાગવતા હતા. શાન્તિવાળી તથા મિત અને મધુર ભાષણ કરનારી શ્યામા અને વિજયા પણ તેને અનુમત થઇ હતી. આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીના ભવનમાં નિર્વિઘ્ને મારા કાળ જતા હતા. એમ કરતાં ઋતુઓમાં પ્રધાન વસન્ત ઋતુ આવી, શિશિરઋતુ વીતી ગઇ, કુસુમના સુગંધી પરાગ ઊડવા લાગ્યા, શ્રવણુને સુખ આપનાર કેકિલ-કૂજન સંભળાવા લાગ્યું, જળ સુખપૂર્વક ઉલ્લેગ કરી શકાય તેવું બન્યું, તરુણેાના સમૂહ મદનવશ થયે। અને સુરવનમાં યાત્રા જાહેર કરવામાં આવી. પૂર્વકાળમાં) ચંપાનગરીના પૂર્વક રાજાની દેવીને સમુદ્રસ્નાન કરવાના દોહદ થયા હતા, તે પૂરા કરવા માટે ગતિમાન જળવિસ્તારવાળુ' સરોવર તેને યુક્તિપૂર્વક સમુદ્ર તરીકે બતાવવામાં આવ્યું હતું. જેના દોહદ સંપૂર્ણ થયા છે તથા પુત્રજન્મના લાભથી જેનું મુખ સન્તાષપૂર્ણ બનેલું છે એવી તે રાણીના વિનાદને માટે એક વર્ષના થયેલા તે પુત્રને લઇને નગરજના સહિતની આ યાત્રા પ્રવર્તાવવામાં આવી હતી. એ વાતને ઘણા સમય વીતી ગયા હતા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ગન્ધ દત્તા લ"ભક [ ૨૦૧ ] પછી ચારુદત્ત શ્રેષ્ઠીની અનુમતિ લઇને મે ઋતુને અનુકૂળ એવા વસ્ત્રાલંકાર ધારણ કર્યા. મહામૂલ્યવાન આભરણુ અને વસ્ત્ર જેણે ધારણ કર્યા છે એવી ગન્ધ દત્તા પરિજન સહિત આવી અને વંદન કરીને મારી બાજુમાં બેઠી. શ્રેષ્ઠીની સૂચનાથી અમારે રથ આવ્યા, હું ભવનની બહાર નીકળ્યો અને ગન્ધદત્તાની સાથે રથમાં બેઠા. હાંકનાર વૃદ્ધે લગામેા હાથમાં લીધી, હું રાજમાર્ગ ઉપર થઇને નીકળ્યા અને વાહના તથા માણસાની ગીર્દીને કારણે મુશ્કેલીએ નગરની ખહાર નીકળ્યો. મારા રથની પાછળ પિરજના આવતા હતા, અને કીતના વ્રુન્દગાનનાં દશ્ય જોતા અમે ધીરે ધીરે ચાલતા હતા. પેાતાના વૈભવ દર્શાવતા નાગરિકે ત્યાં ઊભેલા હતા. ઉપવનેાની પરંપરાનું દન કરવાની ઇચ્છાવાળા લેાકેા અનુક્રમે મહાસર આગળ આવી પહોંચ્યા. ત્યાં ભગવાન વાસુપૂજ્યનું મન્દિર હતું. ત્યાં પ્રણામ કરીને મેાટા મેાટા માણસે તે પ્રદેશમાં સરોવરની નજદીક કુસુમિત વૃક્ષેાના વનમાં બેઠા હતા. હું પણ શ્રેષ્ઠીથી થાડેક દૂર ગન્ધ દત્તાની સાથે રથમાંથી ઊતર્યા અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા આસન ઉપર બેઠા. વિશ્રામ લીધા પછી અમને અન્ન-પાન આપવામાં આવ્યું. પરિજના સહિત અમે વિધિપૂર્વક જમવા લાગ્યા. ભેાજન કર્યા પછી, વસન્તઋતુએ સુશાભિત બનાવેલાં આંબા, તિલક, કુરમક અને ચંપાના વૃક્ષે પ્રિયાની સાથે જોતા હતા તથા ગધવદત્તાને તે મતાવતા હતા. એવામાં શેક વૃક્ષની નીચે બેઠેલું, જાણે નાગનું કુટુંબ હોય તેવું, ચાંડાલ-કુટુમ્બ મારી નજરે પડ્યું. પુષ્પમાલાએથી અલગૃત, ચ ંદનના વિલેપનવાળા, ચૂર્ણની આડને લીધે ભૂખરા બાહુ અને કપાળવાળા, નીલ કમળ અને મેગરાનાં જેમણે કર્ણાભરણુ કર્યા હતાં એવા ચાંડાલેાને મેં ત્યાં જોયાં. તેમની વચમાં કાળી, સ્નિગ્ધ કાન્તિવાળી, સન્માનિત, પ્રશસ્તગંભીર, જેણે ઇસીઆ(છેડા)ના સમૂહ વડે કરીને સુકુમાર વસ્ત્રો પહેર્યાં હતાં એવી, પીઠિકા ઉપર બેઠેલી તથા રાજ્યલક્ષ્મી વડે વિભૂષિત એવી વૃદ્ધાને મે જોઇ. તેની સાથે પણ બહુ નજદીક નહીં એવા સ્થળે કાળી, વર્ષાના આરંભકાળે ઘેરાયેલી મેઘરાશિ જાણે હાય તેવી, આભૂષણૢાની પ્રભાથી ર ંગાયેલા શરીરવાળી હાવાને કારણે જાણે નક્ષત્રા સહિત રાત્રિ હાય તેવી દેખાતી, તથા સામ્ય રૂપવાળી ચાંડાલાની કન્યાએ વડે વીંટાયેલી એવી એક ચાંડાલકન્યાને મે જોઇ. મારા તરફ તાકી રહેલી તે કન્યા ઊભી રહી, એટલે સખીઓએ તેને કહ્યું, “ સ્વામિનિ ! નાથ્યોપહાર વડે મહાસરની સેવા કરે. ” પછી ધવલ દાંતની પ્રભા વડે જાણે જ઼્યાના પેદા કરતી હેાય એવી તેણે કહ્યું, “ તમને રુચતુ હાય તા તેમ કરીએ. ” કુસુમિત અશેાક વૃક્ષના આધારે રહેલી અને મન્દ મન્દ વાતા પવનથી કંપતી જાણે લતા હેાય તેમ તેણે નૃત્ય કર્યું. તેની સખીએ પણ ત્યાં બેસીને મધુકરીઓની જેમ કહ્યું મધુર ગાવા લાગી. પછી ચાંડાલ-કન્યા ધવલ નયનયુગલના “ ર Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] વસુદેવ–હિડી : : પ્રથમ ખંડ : સ'ચાર વડે દિશાઓના સમૂહને કુમુદમય કરતી, હસ્તકમલના સંચાલનથી કમલ પુષ્પના સૌન્દર્યને ધારણ કરતી તથા અનુક્રમે ઉપડતા પગ વડે ઉત્તમ સારસની શાલા ધારતી નાચી. "" તેને જોઇને મને વિચાર થયા, “ અહા ! આ ચાંડલ-કન્યા શાસ્રને ખરાખર અનુસરીને પોતાના શિક્ષાગુણા દર્શાવે છે. તે રૂપાળી અને વિચક્ષણ હાવા છતાં કેવળ તેની જાતિ કૃષિત છે. કર્મોની ગતિ કુટિલ છે, જેથી કરીને તેણે આ રત્ન આ સ્થાને નાખ્યું છે, તેનામાં રક્ત હૃદયવાળા હું જોતા હતા. ગન્ધ દત્તાએ મને કઇક પૂછ્યું, પણ નાટ્યગુણુ અને ગીતના શબ્દમાં મશગૂલ હેાવાને કારણે મે' તે સાંભળ્યું નહીં, માથી કરીને રીસાઇને તે ‘ મદવશ થઈને ચાંડાલિનીને જોતા મને ઉત્તર પણ આપતા નથી એમ ખેલતી પડાવ ઉપર ચાલી ગઇ. હું પણુ લજ્જા પામીને, ચાંડાલ કન્યાએ ઉપરથી જેમ તેમ કરી મારી દૃષ્ટિ ખેંચી લઈને પડાવ ઉપર ગયા. મને જોતી તે કન્યા પણ સખીઓ સહિત પેાતાને સ્થાને ગઇ. ચાંડાલવૃદ્ધા પ્રણામ કરીને ઊભી રહી. " પછી સૂર્ય પશ્ચિમ દિશાએ ગયા-અસ્ત પામ્યા, એટલે પરિજનાએ ગન્ધદત્તાને રથમાં બેસાડી અને રથ દક્ષિણ તરફ્ ચાલ્યા. હું પણુ અનુક્રમે શ્રેણીની સાથે નગરમાં ગયા. ત્યાં પણ પરિજના સામે આવ્યા હતા તેમણે ગન્ધ દત્તાને રથમાંથી ઉતારી. પછી ગન્ધદત્તા વાસગૃહમાં ગઇ અને શય્યામાં બેઠી. મને ગન્ધ દત્તા કહેવા લાગી, “ તમે ચાંડાલી જોઇ ? અને તે વૃદ્ધાને પણ જોઇ ? હંસ શું કમલવનમાં આનંદ ન પામે ?” પણ મે તેને સાગન ખાઈને પ્રસન્ન કરી કે, “ સુન્તરિ ! મેં વિશેષ તા નાટ્ય જોયું હતું અને ગીત સાંભળ્યુ હતું. ચાંડાલીને મે જોઇ નથી. ” પ્રમાણે મારી રાત્રિ વીતી ગઈ. આ (૪) નીલચશા લ’ભક રાત્રિ વીતી જઈ પ્રભાત થતાં હું નિત્યસંસ્કાર કરીને સભાગૃહમાં બેઠા. તે વખતે દ્વારપાળ મારી પાસે આવ્યે અને કહેવા લાગ્યા, “ સ્વામી ! દેવીએ આપના દર્શનની અભિલાષા રાખે છે; માટે આજ્ઞા કરી. ” મેં કહ્યું, “એમની ઇચ્છા પ્રમાણે ભલે મળવા આવે. ” એટલે થાડી જ વાર પછી, પહેલાં જોયેલી પેલી ચાંડાલવૃદ્ધા મારી નજરે પડી, તે ખાલી, “ પુત્ર ! તું સુખી છે ને? હજારા વર્ષ સુધી તુ જીવ!” આમ ખેલીને તે રિચારાએ આણેલા આસન ઉપર કોઇ પણ પ્રકારના સંકાચ વગર બેઠી. એટલે મે વિચાર કર્યો, “ શું આ રાજાની કૃપાપાત્ર હશે, કે જેથી આ રીતે લેાકેાનાં ઘરમાં પ્રવેશે છે ? તથા આમ આસન ઉપર બેસે છે? ” આમ હું વિચાર કરતા હતા ત્યાં તે વૃદ્ધા ગંભીર અને મધુર વાણીથી એલી, “ ભમુખ ! જે કન્યાને તેં સરાવરના ઉત્સવમાં નૃત્ય કરતી જોઇ હતી તે કન્યા તને આપવાની ઇચ્છાથી હું અહીં આવી છું. જો એ તારે ચેાગ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ નીલયા લંભક [ ૨૦૩ ] હોય તે તેને સ્વીકાર કર.” મેં કહ્યું, “પંડિત સમાન વર્ણ વચ્ચેના સંબંધની પ્રશંસા કરે છે, અસમાન ગોત્રની પ્રશંસા કરતા નથી.” એટલે તે બેલી, “સુર અને અસુરવડે જેમના પાદપદ્મ પૂજાયેલાં છે એવા, વંશના આદિપ્રવર્તક ભગવાન ઋષભદેવ જય પામે છે. તેમના જ ચરણના અનુગ્રહથી જેની વિમલ કીર્તિને ઉદય વધી રહ્યો છે એ અમારે વંશ પણ જય પામે છે.” મેં પૂછયું, “તમારો વંશ કર્યો છે?” એટલે તેણે ઉત્તર આપે, “આદિ જિનના ચરિત્રવર્ણનના અધિકારમાં પૂર્વ પુરુષની પરંપરાથી જે મેં સાંભળ્યું છે તમે સાંભળો” મેં કહ્યું, “કહે.” આથી તે કહેવા લાગી— શ્રીષભદેવનું ચરિત્ર આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં છ કાલભેદે છે. તે કાલભેદ સુષમસુષમા, સુષમા, સુષમદુષમા, દુષમ-સુષમાં, દુષમા અને દુષમ-દુષમા. એમાં બે કટાકેટિ સાગરોપમના પરિમાણવાળો જે ત્રીજે સમો છે તેના છેલ્લા વિભાગમાં–નયનમનોહર, સુગંધી, મૃદુ અને પાંચવર્ણનાં મણિરત્ન વડે વિભૂષિત જેમાં સરોવરનાં તળિયાં છે એવા સમ અને રસ્ય ભૂમિભાગ (જે કાળમાં હતા), મધ, મદિરા, દૂધ અને શેરડીના રસ સરખા નિર્મળ અને પ્રાકૃતિક પાણીથી પરિપૂર્ણ તથા રત્ન અને ઉત્તમ સુવર્ણનાં વિચિત્ર પગથિયાંવાળી વા, પુષ્કરિણીઓ અને દીપિકાએ (જે કાળમાં હતી), મત્તાંગક, ભંગ, ત્રુટિત, દીપશિખા, પતિ , ચિત્રાંગ, ચિત્રરસ, મને હર દમણિ-અંગ, ગૃહાગાર, અને ૧૦આકીર્ણ નામનાં કલ્પવૃક્ષ (જે કાળમાં) અનુક્રમે મધુર મઘ, ભાજન, શ્રવણમધુર શબ્દ, ૪– પ્રકાશ, માળાઓ, સ્વાદિષ્ટ ભેજન, “ભૂષણ, ‘ભવન અને ઈચ્છિત ઉત્તમ ૧૦વસ્ત્રોને મોજશોખ પૂરો પાડતાં હતાં તથા (જે કાળ) સારી મનવૃત્તિ ધરાવતા દેવે અને યુગલિકે વડે સેવાતો હતો એવા તથા ઘણા સમયે જેનું વર્ણન કરી શકાય એવા તે કાળમાં-સાથે ઊછરેલા, સાથે જ ધૂળમાં રમેલા, નિરંતર સ્નેહ વડે સંબદ્ધ, સાથે જ વેપાર કરનારા અને પ્રકૃતિથી ભદ્ર એવા બે વિદેહવાસી સાર્થવાહપુત્રો રહેતા હતા. એમાંને એક કંઈક કપટી હતો. સ્વભાવથી ભદ્ર એવા તે બે જણા કાળધર્મ પામ્યા. તેમાંને એક અર્ધભારતના મધ્યભાગમાં યુગલિક પુરુષ થયો અને બીજે કપટની પ્રધાનતાને કારણે ત્યાં જ ધોળો હાથી થયો. અનુક્રમે બને યુવાવસ્થામાં આવ્યા. અત્યંત સરસ તથા આગળ જેના વિષે કહેવામાં આવ્યું છે એવા નિર્મળ પદ્યસરની પાસે તે બને જણે આવ્યા અને પરસ્પરના દર્શનથી જેમની પ્રીતિ વધી છે એવા તે બન્નેને જાતિ મરણ થયું. પછી હર્ષથી પૂર્ણ હૃદયવાળા તે હાથીએ એ નર-મિથુનને પોતાના સ્કલ્પ ઉપર બેસાડયું. ઉત્તમ સંહનન, આકૃતિ તથા લક્ષણેથી યુક્ત દેહવાળો, નવસો ધનુષ્ય ઊંચે, રાવણ જેવા ચતુર્દત હસ્તીરત્ન ઉપર બેસીને વિચરતે તથા વિસ્મિત મુખવાળા * મૂળમાં ...માળિ સુધી થડે પાઠ અસ્પષ્ટ છે, પણ સ્થાનાંગસૂત્ર (પૃ. ૫૧)ના આ વિષયના પાઠની સહાયથી તેને અર્થ થઈ શકે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડઃ યુગલિયાઓ વડે “વિમલવાહન (સુંદર વાહનવાળો) આ રહ્યો, આ આવે” એ પ્રમાણે જેવાતો એ પુરુષ વિમલવાહન નામથી) પ્રસિદ્ધ થયે. કાળના પ્રભાવે તે મનુષ્યમાં આ મારી ભૂમિ છે, તારી નથી; આ ગૃહ, આ ફલવૃક્ષ અથવા પુષ્કરિણું ઉપર મેં પહેલાં અધિકાર જમાવ્યું છે માટે તે ઉપર મારી માલીકી છે” એ પ્રકારનો વાદ પેદા થયો. એક વાર વિમલવાહનના પુર્યોદયથી પ્રેરાયેલા યુગલિયાઓએ તેની પાસે આવીને હાથ જોડીને વિનંતી કરી “વિમલવાહન ! આર્ય ! અમારો નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તમે પ્રમાણભૂત થાઓ. તમારા હુકમમાં અમે રહીશું, કારણ કે પરસ્પરના પરાભવનું નિવારણ કરવાને અમે શક્તિમાન નથી. અમારાં જીવિત ઉપર પણ તમારો અધિકાર છે માટે કૃપા કરો.” વિમલવાહને “ભલે” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. પછી તેણે મધ્ય દેશમાં રહેતા યુગલિકેને ભૂમિ, વૃક્ષો અને વા વહેંચી આપી અને કહ્યું, “આ વસ્તુઓનો સામો માણસ સંમતિ આપે તે ઉપયોગ કરે તેની મરજી વિરુદ્ધ ન કરે.” જે આ મર્યાદાનું ઉલંઘન કરે તેને યુગલિકોની સમક્ષ વિમલવાહન હંકારતો હતો. જેને આ પ્રમાણે હક્કાર (નિષેધ વ્યક્ત કરવા માટે “હા” શબ્દને પ્રગ) કરવામાં આવ્યો હોય તે આમરણાંત દંડની જેમ તેનું સ્મરણ કરીને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નહોતે. ચંદ્રપ્રભાના પ્રકર સમાન વિમલ યશવાળી વિમલવાહનની ભાર્યા ચંદ્રયશાએ, જ્યારે પિતાના આયુષ્યને દશમે ભાગ અવશિષ્ટ રહ્યો ત્યારે, ચક્ષુષ્માન અને ચંદ્રકાના એ નામના યુગલને જન્મ આપે. વિમલવાહન કુલકર પત્યે મને દશમે ભાગ જીવીને મરણ પામ્યા. દેવોને નમનમોહર લાગે તેવો તથા તેની દંડનીતિ વડે કરીને યુગલિક વડે સવિશેષ પૂજાતો ચક્ષુષ્માન્ કુલકર અસંખ્ય વર્ષ કટિ સુધી સ્વામિત્વ ભગવતો વિચરતા હતા. પછી ચક્ષુમાનની ભાર્યા ચન્દ્રકાન્તાએ, જ્યારે પિતાના આયુષ્યને દશમો ભાગ શેષ રહ્યો ત્યારે, યશના પાત્રરૂપ યશસ્વત્ અને રૂપશાળી સુરૂપ એ નામના યુગલને જન્મ આપ્યો. આઠસો ધનુષ્ય ઊંચે ચક્ષુષ્માત્ કુલકરના કાર્ય ઉપર યશસ્વતને નિયોજીને સમાધિથી કાલધર્મ પામે. સમય જતાં યુગલિક હકકારની મર્યાદાને તોડી નાખવા લાગ્યા. આથી યશસ્વતે મકકારની (જેમાં નિષેધ કરવા માટે “મા” શબ્દનો પ્રયોગ થાય છે) દંડનીતિ પ્રજી. સુરૂપાએ પણ ચંદ્રની જેમ યુગલિકોનાં નયનને આનંદ આપનાર અભિચંદ્રકુમાર તથા રૂપવતી પ્રતિરૂપા એ નામના યુગલને જન્મ આપે. અસંખ્ય વર્ષ કેટિ જીવિતવાળે તથા સાતસો ધનુષ્યની ઊંચાઈવાળો યશસ્વત પિતાને અધિકાર અભિચંદ્રને સંપીને કાલધર્મ પામે. હકાર અને મકકાર વડે યુગલિકેનું શાસન કરતા અભિચંદ્ર સુખપૂર્વક વિહરત હતા. યુગલિકનાં નયનરૂપી કુમુદને માટે શરદઋતુના ચંદ્ર સમાન પ્રસેનજિત નામે કુમાર અને સુરવધૂઓનાં ચક્ષુને પણ રમણીય લાગે એવા રૂપવાળી ચક્ષુકાન્તા નામે કુમારી–મે યુગલને પ્રતિરૂપાએ જન્મ આપે. અસંખ્ય વર્ષ કેટિના આયુષ્યવાળે અને છસો પચાસ ઘનુષ્યની ઊંચાઈવાળે અભિચંદ્ર કુલકર કાળધર્મ પામે. Page #260 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લંભક [ ૨૦૫ ] પછી પ્રસેનજિતે હક્કાર અને મક્કાર એ બન્નેનું ઉલ્લંઘન થતું જોઈને ત્રીજી ધિક્કારની (જેમાં નિષેધ કરવા માટે “ધિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે) દંડનીતિ પ્રજી. અનુક્રમે તેની ભાર્યા ચક્ષુષ્કાન્તાએ મનુષેમાં દેવ સમાન મરુદેવ કુમાર અને લક્ષમી જેવી રૂપાળી શ્રીકાન્તા કુમારી એ પ્રમાણે યુગલને જન્મ આપે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળે અને છ ધનુષ્યની ઊંચાઈવાળો પ્રસેનજિત કુલકર મરુદેવને પોતાની સમૃદ્ધિ સંપીને પત્ની સહિત સુખપૂર્વ કાળધર્મ પામ્યા. પાંચસો પચાસ ધનુષ્યપ્રમાણ શરીરવાળો મરુદેવ કુલકર હક્કાર, મક્કાર અને ધિક્કાર એ ત્રણે પ્રકારની દંડનીતિ વડે યુગલિકનું પાલન કરતે, દેવની જેમ, મનુષ્યગ ભગવત હતો. સુન્દર રૂપવાળા તથા મનુષ્યલેકની નાભિ (ધરી) સમાન નાભિકુમાર અને સુરવધૂઓ પણ જેના ગુણોને નમસ્કાર કરતી હતી એવી મરુદેવા કુમારી એ પ્રમાણે યુગલને શ્રીકાન્તાએ જન્મ આપે. પછી સંખ્યાતીત વર્ષ કેટિ સુધી જીવીને તથા પ્રજાના પાલનનું કાર્ય નાભિકુમારને સંપીને મરુદેવ કુળકર કાળધર્મ પામ્યા. કઠોર વચનને જેમાં ઉમેરો કરવામાં આવ્યો છે એવી ત્રણ દંડનીતિઓ વડે નાભિકુલકર યુગલિકની રક્ષા કરવા લાગ્યા. સંખેય વર્ષકેટિના આયુષ્યવાળા, પાંચસો પચાસ ધનુષ્ય પ્રમાણ ઊંચા મનોહર શરીરવાળા અને પ્રશસ્ત વાણવાળા તે સુખપૂર્વક વિહરવા લાગ્યા. મરુદેવાનું સ્વપ્નદર્શન અને શ્રીષભદેવને જન્મ એક વાર ભગવતી મરુદેવા મહામૂલ્યવાન શયામાં સુખપૂર્વક સૂઈ રહેલાં હતાં ત્યારે તેમણે સ્વપ્નમાં આકાશમાંથી ઊતરત વૃષભ જોયે. તેમણે વિચાર્યું કે, “શું આ હાલત ચાલતે રૂપાને પર્વત હશે? અથવા ધવલ મેઘ હશે?” વૃષભ પાસે આવ્યો; ઉત્તમ મુખ, નયન, કાન, ખરી, શીંગડાં, ખૂધ અને પૂંછડાવાળા તે વૃષભને તેમણે જે. મરુદેવાએ બગાસું ખાધું, એટલે તે તેમના મુખમાં પ્રવેશ્ય. “સુન્દર રૂપવાળે આ મહાકાય વૃષભ મારા મુખમાં પ્રવે, તેથી મને કંઈ પણ શરીર પીડા થઈ નથી; ઉલટી પરમ શાન્તિ થઈ છે,’ એમ વિચાર કરતાં મરુદેવા જાગી ઊઠયાં (૧) આ પછી ફરી પાછું સ્વપ્નમાં તેમણે જેમાંથી પાણી વરસી ગયું છે એવા મેઘ સમાન ધવલ દેહવાળા, ઊંચા અને ચાર જંતુશળવાળા રાવણ હાથીને જોયા. (૨) પછી હારના સમૂહ સમાન (ધવલ) કાન્તિવાળા, અગ્નિની જવાળાઓ જેવી કપિલ કેશવાળી વડે વિરાજિત અને પ્રશસ્ત રૂપવાળા સિંહને તેમણે સન્મુખ જે. (૩) સો પાંખડીઓવાળા વિકસિત કમળ ઉપર સુખપૂર્વક બિરાજેલી અને ચાર દિગ્ગજો સાથે આકાશમાંથી ઊતરતી લક્ષમીને પિતે અભિષેક કર્યો. (૪) ઉત્તમ કુસુમોના સંચય વડે તૈયાર કરેલી અને જેમની સુગંધથી દિશાઓ સુવાસિત થયેલી છે એવી બે માળાઓ તેમણે ઈ. (૫) ઉદય પામેલા, અનુક્રમે જ્યના અને પ્રભાને વિસ્તાર કરતા, પ્રકાશના નિવાસસ્થાન એવા અખંડ સૂર્ય અને Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : ચંદ્રને તેમણે એકી સાથે જોયા. (૬-૭) પછી ગગનતલને સ્પર્શ કરતા, જેની ઉપર મણિ અને રત્ન જડવામાં આવેલાં હતાં એવી વિશિષ્ટ હજાર નાની પતાકાઓ વડે અલંકૃત હોવાથી મનહર તથા વિશાળ ઈન્દ્રધ્વજને તેમણે જોયે. (૮) જળથી ભરેલે, કમલ ઉપર બેસાડેલે તથા જેના ઉપર કમળ ઢાંકવામાં આવ્યું હતું એ કનકકલશ જે. (૯) પછી કમળ, કુમુદ અને કુવલને આશ્રય હોવાને કારણે સુન્દર અને દર્શનીય તથા કુસુમરક્ષના લેભી ભમરાઓના ઉપભેગને કારણે સુભગ એવું સરોવર જોયું. (૧૦) વળી મેગરાના ફૂલ, પિયણુઓના સમૂહ અને રૂપા સમાન ધવલ સલિલયુક્ત તથા ધીરે ધીરે વાતા પવનથી પ્રેરાયેલા તરંગરૂપી હાથ વડે નૃત્ય કરતા એવા ક્ષીરદ સમુદ્રને તેમણે જે. (૧૧) પછી સુન્દર મુખવાળી સુરસુન્દરીઓ વડે સેવાતું તથા સુવર્ણ અને મણિનાં જાળિયાં વડે દીપ્તિમાન એવું વિમાન તેમજ ચતુર નાગવધૂઓના ગીતરવથી શબ્દાયમાન એવું નાગભવન પણ મરુદેવાએ જોયું. (૧૨) પછી જેમાં ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, સ્ફટિક, કમલરાગ અને ઈન્દ્રનીલની વિપુલતા છે એ મંદર પર્વતના જેવો રત્નરાશિ તેમણે જોયે. (૧૩) પછી ધૂમાડા વગરને, આહૂતિઓને કારણે દીપ્તિમાન અને મેટ અગ્નિ તેમણે જે. (૧૪) આ પ્રકારનાં ચૌદ સ્વપ્નો જોઈને પ્રસન્ન ચિત્તવાળાં મરુદેવા જાગી ગયાં. પછી તેમણે વિચાર્યું, “આ અભ્યદયની વાત હું આર્યને કરું. તેઓ એનું ફળ જાણશે.” પછી તેમણે પિતાનું સ્વપ્નદર્શન નાભિ રાજાને કહ્યું. એ સાંભળીને અત્યંત સન્તોષ પામેલા નાભિ રાજા પિતાની બુદ્ધિથી તે ઉપર વિચાર કરીને કર્ણમધુર વચન કહેવા લાગ્યા, “આયે! તેં આજે ઉત્તમ, ધન્ય અને મંગલ સ્વપ્ન જોયાં છે. આજથી નવ માસ પૂર્ણ થતાં આપણું કુલકર પુરુષોમાં પ્રધાન, ભારતવર્ષના તિલક સમાન અને ક્યપ્રસિદ્ધ પુત્રને તે જન્મ આપીશ.” પ્રસન્ન થયેલ મરુદેવાએ પણ “આર્ય! તમે કહે છે તેમ જ થશે” એમ કહીને તે વાત માની. પછી પૂર્વમાં જે વજનાભ નામે હતા તથા જેમણે તીર્થંકર-નામોત્રકર્મ બાંધ્યું હતું એવા ભગવાન ઋષભદેવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી, તેત્રીસ સાગરોપમ કાળ સુધી અનુત્તમ વિષયસુખ અનુભવ્યા પછી, આવીને જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો ત્યારે મરુદેવાની કુક્ષિમાં આવ્યા. જેમની દે તથા દેવીઓ પૂજા કરતાં હતાં એવા નાભિ કુલકરની પત્ની મરુદેવા જેમાં તીર્થકર છે એ ગર્ભ સુખપૂર્વક વહન કરવા લાગ્યાં. પૂરા દિવસે તેમણે ચિત્ર વદ અષ્ટમીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પુરુષમાં ઉત્તમ, સર્વ મંગલેના નિવાસસ્થાન તથા તપાવેલા સુવર્ણ સમાન શરીર-વર્ણવાળા પુત્રને જન્મ આપે. દિશાકુમારીઓએ કરેલ શ્રીષભદેવને જન્મોત્સવ પછી અધેલકમાં વસનારી દિશાકુમારીઓનું આસન ચલિત થતાં તેમણે અવધિથી તીર્થકરને જન્મ થયાનું જાણ્યું. એટલે તુરત જ ભેગંકરા, ભગવતી, સુભેગા, લેગમાલિની, Page #262 -------------------------------------------------------------------------- ________________ નીલયશા સંભક [ ર૦૭ ] તેયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા એ આઠે દિશાકુમારીઓ આભિગિક દેવેએ વિકલાં વિમાનમાં બેસીને સામાનિક, મહત્તરિકા, ૫ર્ષદા, અનીક અને આત્મરક્ષકના પરિવાર સહિત ઉત્કૃષ્ટ અને દિવ્ય દેવગતિથી મરુદેવીના ભવનમાં આવી. તીર્થકરને તથા મરુદેવીને વિનયપૂર્વક વંદન કરીને જન્મોત્સવ નિમિત્તે આસપાસના એક જન જેટલા પ્રદેશને સંવર્તક વાત વડે સાફ કરીને ગાતી ગાતી તે ઊભી રહી. પછી ઊર્ધ્વ લોકમાં વસતી મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવસ્ત્રા, વસ્ત્રમિત્રા, વારિસેના અને બલાહકા એ આઠે દિશાકુમારી મહત્તરિકાઓ તેજ અનુક્રમે આવી અને ગધેદિક વર્ષાવીને તેજ રીતે ગાતી ગાતી ઊભી રહી. એ જ પ્રમાણે પૂર્વચકમાં વસતી નદત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ આઠ દિશાકુમારીએ તેજ રીતે પ્રણામ કરીને, હાથમાં દર્પણ લઈને ગાતી ગાતી ઊભી રહી. દક્ષિણ સુચકમાં વસતી સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રસિદ્ધા, યશોધરા, લક્ષમીમતી, શેષતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા એ આઠ દિશાકુમારીઓ, વિનયપૂર્વક પ્રણામ કરીને હાથમાં ઝારીઓ લઈને ઊભી રહી. પછી પશ્ચિમ રુચકમાં વસતી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમૃગા, ભદ્રા અને આઠમી સીતા એ આઠ દિશાકુમારીઓ પણ તે પ્રમાણે આવી અને હાથમાં વીંજણું લઈને વિનયપૂર્વક ઊભી રહી. પછી ઉત્તર રુચકમાં વસતી અલંબુષા, મિશ્રકેશી, પુંડરીકિણ, વારુ, હાસા, સર્વપ્રભા, શ્રી અને હું એ આઠ દિશાકુમારીઓ હાથમાં ચામર લઈને ઊભી રહી. પછી રુચકના (ચાર) ખૂણાઓમાં રહેતી ચિત્રા, ચિત્રકનકા, શહેરા અને સૌત્રામણિ એ ચાર વિદ્યકુમારી મહત્તારિકાઓ એ જ વિધિપૂર્વક હાથમાં દીવીઓ લઈને ચારે ખૂણાઓમાં ગાતી ગાતી ઊભી રહી. પછી રુચકના મધ્યભાગમાં રહેનારી રુચકા, ચકસહા, સુરૂપા અને ચકાવતી એ ચાર દિશાકુમારીએ ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના ઉપગથી તીર્થકરને જન્મ થયાનું જાણું, યાન-વિમાનની રચનામાં આરૂઢ થઈને પરિવાર સહિત જલદી આવી. જિનેશ્વરની માતાને વંદન કરીને તથા પિતાના આગમનનું કારણ જણાવીને તેમણે ચાર આંગળ બાકી. રાખીને તીર્થકરની નાભિ-નાળ કાપી, કાપીને દાટી તથા તેમાં રત્ન પૂરીને તે ઉપર દૂર્વાની પીઠિકા બાંધી. પછી તેમણે દક્ષિણ, પૂર્વ અને ઉત્તર સ્થાન એ ત્રણ દિશામાં મરક્ત મણિ સમાન શ્યામ અને ભૂષણ વડે આભૂષિત કદલીગૃહ વિકર્થી અને ગેહાગાર કલ્પવૃક્ષ તથા Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] વસુદેવ–હિડી : : પ્રથમ ખંડ: કદલીગૃહાના મધ્યભાગમાં ડૅમનાં જાળિયાંથી અલંકૃત ચાક રચ્યા. પછી પુત્ર સહિત તીર્થંકર-માતાને મણુિકિરણા વડે રંજિત સિ ́હાસન ઉપર બેસાડીને તથા અનુક્રમે સ્નેહાભ્યંગ અને મન કરીને, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ત્રિવિધ (દ્રવ્યમિશ્રિત, શીત અને ઉષ્ણુ) જળ વડે સ્નાન કરાવી તેમના મનને પ્રફુલ્લિત કરી, તે દિશાકુમારીએએ ઉત્તર તરફની પરસાળમાં ગેાશીષ ચંદન અને અણુિનાં કાષ્ઠથી સળગાવેલા અગ્નિમાં હામ કર્યાં. રક્ષાકર્મ કરીને તે બન્નેને જન્મભવનમાં પાછાં લાવવામાં આવ્યાં. પછી મંગલ ગીતા ગાતી તે દિશાકુમારીએ ત્યાં ઊભી રહી. દેવાએ કરેલા શ્રીષભદેવના જન્માત્સવ તે સમયે દેવરાજ શક્ર ખાલસૂર્યના બિંબ જેવા દૈદ્રિષ્યમાન પાલક વિમાનમાં બેસી ગગનપ્રદેશને અ ંધકારરહિત કરતા પેાતાના પરિવાર સહિત જિનેશ્વરની જન્મભૂમિમાં આવ્યે. તીર્થંકરની માતાની કમનેાહર વાણીથી સ્તુતિ કરીને, મરુદેવીને અવસ્વાપિની વિદ્યા વડે ઊંઘાડી દઇ, કુમારનું પ્રતિરૂપ વિષુવી, તે માતાના પડખામાં મૂકી તથા એ રીતે માતાને નિશ્ચિન્ત મનાવી, પરમ આદરપૂર્વક પાંચ રૂપ ધારણ કરી તથા ભગવાનને પેાતાના કરકમલના પુટમાં સારી રીતે બેસાડીને મદર પર્વતના ચૂડામણિ સમાન અને એ પર્વતના દક્ષિણ દિશાભાગમાં આવેલી અતિપાંડુક બલશિલા ઉપર ક્ષણવારમાં ભગવાનને ઇન્દ્ર લાબ્યા; અને ચતુર્વિધ (વૈમાનિક, જાતિષ્ઠ, ભવનપતિ અને બ્યન્તર) દેવે। જેની સેવા કરી રહ્યા છે એવા ભગવાનને શાશ્વત સિંહાસન ઉપર બેસાડીને સહસ્રનયન ઈન્દ્ર ઊભા રહ્યો. પછી રિતેષથી જેનું મુખારવિન્દ વિકસિત થયું છે એવા અચ્યુતેન્દ્રે ક્ષીરાદ સાગરના જળથી ભરેલા ૧૦૦૮ કનકકલશેા વડે વિધિપૂર્વક ભગવાનને અભિષેક કર્યો અને અનુક્રમે સ ઔષધિ અને તીર્થોદકથી તેમને સ્નાન કરાવ્યું. જ્યારે લેાકનાથ શ્રીઋષભદેવને સ્નાન કરાવવામાં આવતું હતું ત્યારે પ્રસન્ન હૃદયવાળા દેવા રત્ન, મણિ અને પુષ્પાની વૃષ્ટિ કરતા હતા. ભગવાનને વિધિપૂર્વક અભિષેક કરીને અચ્યુતેન્દ્ર પ્રયત્નથી તેમને અલંકારો અને આભૂષણા પહેરાવ્યાં. પછી સ્વસ્તિક આદિ મંગલ આલેખ્યાં, નાસિકા અને મનને પ્રિય લાગે એવા ધૂપ કર્યાં અને કર્ણ મધુર સ્તુતિ કરીને ભગવાનની સેવા કરવા લાગ્યા. એજ પ્રમાણે ભક્તિ વડે પ્રેરાયેલા પ્રાણત આદિ ઇન્દ્રો પણ જેમણે ભયને દૂર કર્યા અને ભવ્યજનેરૂપી કુમુદને ખિલવવા માટે જે ચદ્રસમાન છે એવા તીર્થંકરની અત્યંત આદરથી પૂજા કરીને પ્રસન્ન મનવાળા અને સ્તુતિપરાયણુ બનીને ઊભા રહ્યા. પછી એજ રીતે ઇન્દ્ર ક્ષણવારમાં ભગવાનને તેમના જન્મ-ભવનમાં માતાની પાસે લાવ્યેા. જેમની પાસેથી પુત્રનુ પ્રતિરૂપ લઇ લેવામાં આવ્યું છે એવાં મરુદેવી, દેવીએએ જયશબ્દ કરતાં, જાગી ઊઠાં. ઇન્દ્રે રેશમી વસ્રોની જોડ અને કુંડલ-યુગલ ઓશીકાની નીચે મૂકયુ, તથા શ્રીભાજનની જેમ સર્વ વિઘ્નાનું શમન કરનાર અને ષ્ટિને આનંદ આપનાર શ્રીદ્યામગઢ (પુષ્પ Page #264 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લંભક [ ૨૦૯ ] માલાને ગુચ્છ) ચંદરવામાં મૂકે, વિપુલ રત્નરાશિ આપીને તથા (ભગવાનની) રક્ષા નિમિતે ઘેષણ કરીને મઘવા પિતાના નિવાસસ્થાને ગયે. જિનેશ્વરને પ્રણામ કરવા વડે જેમણે પુણ્યને સંચય કર્યો છે એવા બાકીના દેવે પણ પિતા પોતાના સ્થાને ગયા. પછી ઈન્દ્રની આજ્ઞાથી પલ્યોપમ સ્થિતિવાળી દેવતા ભગવાનનું પાલન-પોષણ કરવા લાગી. દેવકુર આદિ ક્ષેત્રમાં થતાં ફલેના રસને સુરપતિએ આપેલે આહાર જે કરતા હતા એવા તથા યુગલિકેના સમૂહુરૂપી પોયણુઓને વિકસાવવામાં બાલચન્દ્ર સમાન ભગવાન સુખપૂર્વક વધવા લાગ્યા. સ્વપ્નમાં માતાએ વૃષભ જે હેવાને કારણે માતાપિતાએ “ ત્રાષભ” એવું તેમનું નામ પાડયું. ભગવાન જ્યારે એક વર્ષના થયા ત્યારે સહસ્ત્રનયન ઈન્દ્ર વામનરૂપ ધારણ કરીને તથા શેરડીને ભારો લઈને નાભિ કુલકરની પાસે આવ્યા. ત્રિવિધ( મતિ, શ્રુત, અવધિ )જ્ઞાનના પ્રભાવથી દેવેન્દ્રને અભિપ્રાય ભગવાને જા અને લક્ષવડે ઉત્તમ એવા પિતાને જમણે હાથે તેમણે લાંબે કર્યો. પછી સતુષ્ટ થયેલા ઈન્ટે કહ્યું “શું ઈ (શેરડી) ખાશો?” ભગવાને ઈક્ષની અભિલાષા કરી હતી, માટે તેમના વંશનું “ઈફવાકુવંશ” એવું નામ રાખવામાં આવ્યું. પછી ભગવાન સુમંગલાની સાથે ઊછરવા લાગ્યા. એ કાળમાં એક મિથુન જ કે તુરતજ તેને તાલવૃક્ષની નીચે મૂકવામાં આવ્યું. તેમાંને છોકરો હતો તે ઉપરથી તાલનું ફળ પડવાને કારણે મરણ પામ્યું. પેલી કન્યા મટી થઈ એટલે નાભિ કુલકરને નિવેદન કરવામાં આવી. દેવકન્યાની જેમ ઉત્કૃષ્ટ શરીરવાળી તે કન્યાનું નાભિએ સંરક્ષણ કર્યું. તે કાળથી બાલમૃત્યુ શરૂ થયું. જેમણે ભગવાનના જેવું જ (બાળકનું) રૂપ ધારણ કર્યું છે એવા લોકાન્તિક જંભક દેવડે સેવાતા ભગવાન વધતા હતા. ચક્ષુષ્માન, યશવંત અને પ્રસેનજિત એ કુલકરો અને એ કુલકરાની પત્નીએ પ્રિયંગુ સમાન શ્યામ હતી; બાકીનાઓ તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાળાં હતાં. યુવાવસ્થામાં આવતાં શ્રીજીષભદેવ છત્ર સમાન મસ્તકવાળા, દક્ષિણાવર્ત અને શ્યામ વાળવાળા, પૂર્ણ ચંદ્ર સમાન મનહર વદનવાળા, લાંબી બે ભૂકુટિઓવાળા, પુંડરીક સમાન વિકસિત નયનવાળા, સીધી અને વદનના અલંકાર સમાન નાસિકાવાળા, પ્રવાલની શિલા સમાન કેમલ અધરવાળા, ધવલ અને વિમલ દંતપંક્તિવાળા, ચાર આંગળપ્રમાણ કંબુ કંઠવાળ, નગરની ભેગળ જેવા દીર્ઘ બાહુવાળા, ઉત્તમ લક્ષણોના જાળવડે અલંકૃત હથેળીવાળા, શ્રીવત્સવડે અલંકૃત વિશાળ વક્ષ:સ્થળવાળા, ગદા( ને પકડવાના પાતળા ભાગ) અને વજ સમાન મધ્યભાગવાળા, વિકસિત પદ્ધ જેવી નાભિવાળા, ૧. ઋષભદેવની સાથે યુગલધર્મે જન્મેલી કન્યાનું નામ સુમંગલ હતું. ૨. આ કન્યા તે જ સુનંદા, વયમાં આવતાં તેને શ્રીત્રકષભદેવ સાથે વિવાહ કરવામાં આવ્યો હતો, ૨૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ર૧૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ ? સુબદ્ધ અને ગોળ કટિપ્રદેશવાળા, ઘેડાના જેવા ગુહ્ય ભાગવાળા, હાથીની સૂંઢ જેવા આકારયુક્ત ઉરુયુગલવાળા, માંસપેશીઓમાં ઢંકાયેલા ઢીંચણવાળા, કુરુવિંદ આવર્તના જેવી (અનુક્રમે જાડી થતી) ઉત્તમ જંધાઓવાળા, કનકના કાચબા સમાન ચરણયુગલવાળા, મધુર, ગંભીર અને મનોહર વાણવાળા, વૃષભના જેવી લલિત ગતિવાળા અને તેજથી વીંટાયેલા સુન્દર રૂપવાળા થયા. પછી દેવરાજ ઈન્દ્ર પોતાની પત્ની સહિત આવીને ભગવાનનો વિવાહ-ઉત્સવ કર્યો. ત્યારથી મિથુન ધર્મયુગલિક ધમ નાશ પામ્યો. આ રીતે છ લાખ પૂર્વ એટલે સમય વીતી ગયે. દેવોએ લાવેલી ઉપગની વસ્તુઓથી આનંદિત થયેલા શ્રીષભદેવને સુમંગલા દેવીથી ભરત અને બ્રાહ્મી એ યુગલ જમ્મુ, તથા સુનંદા દેવીથી બાહુબલી અને સુન્દરી એ યુગલ જગ્યું. સુમંગલના નિવાસરૂપ સુમંગલાએ બીજાં ઓગણપચાસ પુત્ર-યુગલને (એટલે કે અઠ્ઠાણું પુત્રને) જન્મ આપ્યો. સુખના સાગરમાં રહેલા શ્રીષભદેવનાં વીસ લાખ પૂર્વ વીતી ગયાં. શ્રીત્રકષભદેવને રાજયાભિષેક પછી સમયના દેષને કારણે કે કુલકરે એ નક્કી કરેલી દંડનીતિઓની મર્યાદા ઓળંગવા લાગ્યા. આથી બધા ભગવાનની પાસે આવ્યા. તેમને ભગવાને કહ્યું, “આમાં જે કઈ રાજા હોય તો તેની દંડનીતિ ઉગ્ર થઈ શકે અને એવી નીતિ વડે પ્રજાનું પાલન પણ કરી શકાય.” તેઓએ પૂછ્યું, “રાજા કેવો હોય ? અને તેની સેવા કેવી રીતે કરવી ? ” એટલે ભગવાને વિગતથી તેને લગતી વિધિ કહી. તેઓએ કહ્યું, “ તમે રાજા થાઓ, તમે યોગ્ય છે.” એટલે ભગવાને તેમને નાભિ કુલકર પાસે મોકલ્યા. તેમણે કહ્યું, “બાષભને રાજા બનાવો.” તે લેકે “ભલે, એમ થાઓ” કહીને ગયા. ભગવાને તેમને કહ્યું, “પસર પાસે જાઓ, પશ્વિનીપત્રોથી જળ લાવીને મારો અભિષેક કરે, અને જયશબ્દ ઉચ્ચારો.” ભગવાનની આ આજ્ઞા સંપાદન કરવાને તેઓ ગયા, એટલામાં લોકપાલ સહિત આવેલ ઈન્દ્ર ભગવાનને રાજ્યાભિષેક કર્યો, અને સર્વ અલંકારોથી તેમને આભૂષિત કર્યા. (જ્યારે લેકે પાછા આવ્યા ત્યારે) સન્તષથી વિકસિત થયેલા મુખવાળા તેમણે દેવોથી વીંટળાયેલા ભગવાનને જોયા. વિચાર કરીને, ભગવાનના ચરણમાં જળનો અભિષેક કરીને જય જય શબ્દ કરતા તેઓ હાથ જોડીને ઊભા રહ્યા. “અહો ! આ પુરુષ વિનીત છે” એમ વિચારીને ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, “આ વિનીત પુરુષોની વિનીતા નામે રાજ્યધાની નિર્માણ કરો. રાજાને ગ્ય જે સામગ્રી હોય તે ભગવાન માટે તૈયાર કરો.” આ પ્રમાણે આજ્ઞા કરીને તથા પ્રણામ કરીને ઇન્દ્ર ગયે. કુબેરે બાર યોજન લાંબી અને નવ જન પહેળી નગરીનું નિર્માણ કર્યું. પછી રાજાએ પહેલાં ચાર ગણે વિભક્ત કર્યા–ઉગ્ર, ગ, રાજન્ય અને નાગ. જે આત્મરક્ષક(આરક્ષક) તે ઉગ્રો, ૧, વિનીતા એ અયોધ્યાનું બીજું નામ છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ નીલયશા સંભક [ ૨૧૧ ] ભેગ ભેગવે તે ભેગ, સ્વામીના સમવયસ્ક મિત્રો તે રાજન્યો, અને કાર્યનિવેદક નોકર તે નાગ. એ પ્રમાણે ગણુસહિત શ્રીષભદેવ કેસલા જનપદનું પાલન કરવા લાગ્યા. પછી તેમણે સે જનપદ અને સો નગરે પિતાના (સે) પુત્રોને આપ્યાં. પુત્રીઓ સહિત પુત્રના સન્માનિત સંબંધ કર્યા. પછી પ્રજાજનો ભગવાન પાસે આવ્યાં અને કહ્યું, “ધા અમને પચતાં નથી, માટે હે પ્રભુ! આજ્ઞા કરે. ” ભગવાને કહ્યું, “પાણીમાં પલાળીને ફેતરાં કાઢી નાખીને ખાઓ.” ફરી પાછા કાલાન્તરે તેઓ આજ વસ્તુ કહેવા માટે આવ્યાં, ત્યારે ભગવાન બેલ્યા, “પડિયામાં ભીંજવી તરાં કાઢી નાખે, પછી પડિયાઓમાં જ તેમને ઊનાં કરીને પછી ખાઓ.” ફરી પાછા લોકો આવ્યા, ત્યારે ઉત્તમ હાથીની પીઠ ઉપર બેસીને ભગવાન નીકળ્યા અને વૃક્ષના સંઘર્ષથી પેદા થયેલે અગ્નિ પ્રજાને જણાવ્યું. પછી માણસને કહ્યું, “આ અગ્નિ હવે ઉત્પન્ન થયે છે. પચન (રસોઈ), પ્રકાશન (પ્રકાશ) અને દહનના ગુણવાળો તે તમારા ઉપકારને માટે પેદા થયો છે. હવે માટી લાવે.” તેઓ પુષ્કરિણીમાંથી માટીને પિંડ લાવ્યા અને હાથીના કુંભસ્થળ ઉપર મૂકો. જિનેવરે કહ્યું, “આ પ્રકારનાં માટીનાં પાત્રો કરીને તે અગ્નિમાં પકવો. પછી પાણીમાં પલાળેલાં ધાને તેમાં રાંધે. તે ધાન્ય ઉપયોગી અને તમારા શરીરને માટે પચ્ચ થશે.” એમાં જે બુદ્ધિમાને હતા તેમણે અનેક પ્રકારનાં પાત્ર બનાવ્યાં, તેમાંથી કુંભાર ઉત્પન્ન થયા. જેઓ લેખંડનાં, રૂપાનાં અને સુવર્ણનાં વાસણે બનાવતા હતા તેમાંથી લુહારો ઉત્પન્ન થયા. વઢવૃક્ષ ( વસ્ત્ર આપનારાં ક૯૫વૃક્ષ) ક્ષીણ થયાં એટલે માણસોને ભગવાને વસ્ત્ર વણવાને ઉપદેશ કર્યો, તેમાંથી વણકરે પેદા થયા. તેમણે વસ્ત્ર વણવાની વિધિ તૈયાર કરી. ગુહાગાર કલ્પવૃક્ષ ક્ષીણ થતાં ભગવાને સુતારી કામ કરનારા માણસો તૈયાર કર્યા. રામ અને નખની વૃદ્ધિ થતાં હજામે તૈયાર થયા. આ પાંચ મૂલશિપ છે; અને તે પ્રત્યેકના વીસ ભેદ છે. તૃણહારક વગેરે કર્મો પણ એમાંથી જ પેદા થયાં. અલંકારે પણ ઉત્પન્ન થયા, કારણ કે દેાએ આપેલા રાજાના અલંકારો જોઈને લોકો પણ તેનું અનુકરણ કરવા લાગ્યા. પોતાના ખોળામાં બેઠેલી બ્રાહ્મી અને સુન્દરી એ બે પુત્રીઓને ભગવાને પિતાના જમણા અને ડાબા હાથવડે અનુક્રમે લિપિ અને ગણિત શિખવ્યાં. રૂપકમન્નાટયશાસ્ત્રને ભરતને ઉપદેશ કર્યો, ચિત્રકામ તથા સ્ત્રી-પુરુષ વગેરેના લક્ષણનું શાસ્ત્ર બાહુબલીને ઉપદેશ્ય. અનુક્રમે કુમારને મણિરત્નનાં અને મૌક્તિકનાં આભૂષણની કલાઓ પણ ઉપદેશી. આચાર્યથી થયેલ (ઉપદેશાલ) વિવિધ રોગચિકિત્સા અને વાણિજ્ય પ્રવર્યા. શ્રીગષભદેવની દીક્ષા એ પ્રમાણે ગ્રામ, આકર અને નગરથી મંડિત ભરતક્ષેત્રમાં ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યપાલનનું કાર્ય કરીને, એક વર્ષ સુધી કિમિછિત દાન-જેને જે જોઈએ તે Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] વસુદેવ-હિં ડી: : પ્રથમ ખંડ : વસ્તુનું દાન આપીને—લેાકાન્તિક દેવેાવર્ડ પ્રતિભેાધ પામેલા ભગવાને ભરતાદિ પુત્રાને રાજ્ય આપીને, દેવતાઓએ મળેલી સુદર્શના શિખિકામાં એસીને સિદ્ધાર્થ વનમાં જઈ, એક દેવદૃષ્ય ધારણ કરીને કચ્છ-મહાકચ્છ આદિ ચાર હજાર ક્ષત્રિય રાજાઓ સાથે દીક્ષા લીધી; અને તેઓ મૌન પાળીને વિચરવા લાગ્યા. પારણાના સમયે ભિક્ષાર્થે ભગવાન ( લેાકેાના ) ગૃહમાં પ્રવેશ કરતા ત્યારે લેાકેા તેમની આગળ કન્યાએ, કનક, વજ્ર અને આભૂષણા, તથા અશ્વ અને હસ્તી ધરતા. આથી ક્ષુધાથી પીડાતા અને જેમને ભગવાનનું વચન પણ સાંભળવા મળતુ નથી એવા પેલા ( ચાર હજાર રાજા ) દુ:ખી થયા તથા માનથી તેમજ ભરત રાજાના ભયથી અરણ્યમાં કુલ-મૂલના આહાર કરનારા તાપસ તરીકે રહ્યા તથા વલ્કલ અને ચર્મને ધારણ કરનારા થયા. નમિ અને વિામને વિદ્યાધર-રિદ્ધિની પ્રાપ્તિ * ભગવાનના સંબંધી નમિ અને વિનમિ નામે એ કુમારા ભગવાનની સ્થિર રહેવાની– ધ્યાનની વેળાએ હાથમાં ખડ્ગ ધારણ કરીને થાકયા સિવાય તેમની સેવા કરતા હતા. તીર્થંકરને વાંદવા માટે આવેલા નાગરાજ ધરણે વિનયપૂર્વક ઉપાસના કરતા આ બન્ને જણને જોયા; અને કુતૂહલથી તેમને પૂછ્યું, “ તમે શામાટે સ્વામીની સેવા કરેા છે ? ” તેઓએ કહ્યું, “ સ્વામીએ પેાતાના પુત્રોને અને ક્ષત્રિયાને ભૂમિ આપી છે, પણ અમે તે વખતે ક્રૂર હતા; તા હવે તેમની સેવા કરતા એવા અમેા ઉપર પ્રભુ કૃપા કરશે. ” આમ કહેવામાં આવતાં કંઇક હસીને નાગરાજે કહ્યું, “ અરે ! સાંભળેા, ભગવાન્ તા રાષ અને તાષથી પર, પેાતાના શરીરમાં પણ મમતારહિત, અકિ ંચન, પરમ ચેાગી, જેમણે આસવને રાકયા છે એવા તથા કમલપત્ર સમાન નિલે`પ ચિત્તવાળા છે; પરંતુ તમે તેમની લાંબા કાળ સુધી ઉપાસના કરી છે, તેનું ફળ તમને હું આપું છું. વૈતાઢ્ય પર્વતની બન્ને માજુએ આવેલી એ વિદ્યાધરશ્રેણિએ તમને એ જણને હું આપુ છું. ત્યાં પગે ચાલીને જઈ શકાય એમ નથી, તેથી તમને ગગનગામિની વિદ્યાએ હું આપું છું. એ વિદ્યાએ મહાપ્રભાવવાળી છે. વિદ્યાએ વડે લેાભાવીને લેાકેાને ત્યાં લઇ જજો. ” નમિ–વિનમિએ પ્રણામ કરીને કહ્યુ, “અમારા ઉપર કૃપા થઇ; વિદ્યાઓ આપેા. ” પછી નાગરાજે મહારાહિણી, પ્રજ્ઞપ્તિ, ગૌરી, વિદ્યુત્સુખી, મહાજાલા, તિરસ્કરણી, મહુરૂપા આદિ ગન્ધ અને પન્નગાની અડતાલીસ હજાર વિદ્યાએ તેમને આપી. આ પ્રમાણે નાગરાજની કૃપા પામીને વિનમિએ વૈતાઢ્યની ઉત્તર શ્રેણીમાં ગગનવલ્લભ પ્રમુખ સાઠે નગરા વસાવ્યાં, અને નમિએ દક્ષિણ શ્રેણિમાં રથનુપૂરચક્રવાલ વગેરે પચાસ નગર વસાવ્યાં. જે જનપદમાંથી લેાકાને લાવવામાં આવ્યા હતા, તે ઉપરથી તે જ નામનાં જનપદે વૈતાઢ્યમાં પણ થયાં. ૧. ત્રિષષ્ટિ વગેરે ગ્રન્થામાં આ એ કુમારને અનુક્રમે કચ્છ અને મહાચ્છના પુત્રા તરીકે વર્ણ વેલા છે. ભગવાને દીક્ષા લીધી તે અગાઉ તેઓ દૂર દેશમાં ગયા હતા. Page #268 -------------------------------------------------------------------------- ________________ નીલયશા સંભક [ ૨૧૩ ] વિદ્યાઓની સંજ્ઞાથી વિદ્યાધરોના નિકાય(સમૂહ) થયા-જેમકે ગૌરી વિદ્યાથી ગૌરિક, મનુથી મનુપૂર્વક, ગાધારી વિદ્યાથી ગાન્ધાર, માનવીથી માનવ, કેશિકાથી કેશિકપૂર્વક, ભૂમિ/ડક વિદ્યાના અધિપતિ ભૂમિતુંડક, મૂલવીર્યથી મૂલવીર્ય, શંકુંકાથી શંકુ, પાંડુકીથી પાંડક, કાલકીથી કાલકેય, માતંગીથી માતંગ, પાર્વતીથી પાર્વતેય, વંશલતાથી વંશલતા, પાંસુચૂલિકાથી પાંસુમૂલક, વૃક્ષમૂલિકાના વૃક્ષમૂલક, કાલિકાના કાલકેશ, આ પ્રમાણે આ ભાગ (સોળ નિકાના) કરીને નમિ અને વિનમિએ આઠ આઠ નિકા ગ્રહણ કર્યા. ત્યારપછી મનુષ્યમાં દેવ સમાન તેઓ પોતાના વિદ્યાબલથી સ્વજન અને પરિજન સહિત દેવની જેમ ભેગ ભેગવવા લાગ્યા. નગરની અંદર સભાસ્થાનમાં ભગવાન કાષભસ્વામીની દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી, તથા પિતાપિતાના નિકાયમાં જે તે નિકાયની વિદ્યાની અધિપતિ દેવતાની પણ સ્થાપના કરવામાં આવી. બન્ને જણાએ પુત્ર અને ક્ષત્રિના સંબંધ અનુસાર નગર વહેચ્યાં. શ્રેયસે શ્રીનષભદેવને કરેલું શેરડીના રસનું દાન પરમકૃતિ અને બલ અને સવના સાગર, સ્વયંભુ સાગરના જેવા નિશ્ચલ અને શાન્ત ભગવાન પિતામહ ાષભદેવ આહાર કર્યા સિવાય એક વર્ષ સુધી વિહર્યા, અને હસ્તિનાપુર પહોંચ્યા. તે નગરમાં બાહુબલીના પુત્ર સમપ્રભ રાજા હતો, તથા તેને શ્રેયાંસ નામે કુમાર હતો. તે બન્ને જણાએ તથા નગરશેઠે તે રાત્રે સ્વપ્ન જોયું. ત્રણે જણ એકત્ર થયા. સેમપ્રભની સમક્ષ શ્રેયાંસ કહેવા લાગ્યું, “હે આર્ય! મેં આજે સ્વપ્નમાં જે જોયું છે તે સાંભળે-જેની પ્રભા કંઈક પ્લાન થયેલી છે એવા મેરુપર્વતને ચાલીને અહીં આવતે મેં જે. મેં અમૃતકલશથી તેના ઉપર અભિષેક કરતાં તે સ્વાભાવિક થઈ ગયો. આ પછી હું જાગી ગયે.” સેમપ્રલે કહ્યું, “હે શ્રેયાંસ! મેં જોયું તે તું સાંભળ-સૂર્યનાં કિરણે પડી ગયાં હતાં, તેં એ કિરણે એકત્ર કરીને પાછાં સૂર્યમાં આપ્યાં , તેનાથી તે અતિ પ્રકાશમાન્ થ.” શ્રેષ્ઠીએ કહ્યું, “મેં જોયું તે સાંભળો-આજે કોઈ એક પુરુષ દસ્યુઓની મોટી સેના વડે પરાજિત થતું હતું, શ્રેયાંસસ્વામીએ તેને સહાય કરી અને તેથી તેણે શત્રુન્યને પરાજય કર્યો. આ જોઈને હું જા.” સ્વપ્નની ફલપ્રાપ્તિને નહીં જાણતા તેઓ ઘરની બહાર નીકળ્યા. - પ્રશાન્ત સ્થિતિમાં રહેલા ભગવાન ઋષભદેવ પણ શ્રેયાંસને ઘેર આવ્યા. પિતાના પ્રાસાદમાં બેઠેલ શ્રેયાંસ સામેથી આવતા પિતામહને જોઈને વિચાર કરવા લાગ્યું, “આવી આકૃતિ આ પહેલાં મેં ક્યાં જેઈ છે?” આ પ્રમાણે વિચાર કરતાં તેને આવરણના ક્ષપશમથી જાતિસ્મરણ થયું. “જેમણે સર્વ સંગને ત્યાગ કર્યો છે એવા આ ભગવાનને મારે ભાત પાણે વહેરાવવું જોઈએ” એમ વિચારીને તે ઉતાવળે ઊઠ, અને ભવનના • ૧. સ્વયંભૂરમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર. ત્યારપછી બધા અલોક છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] વસુદેવ–દ્ધિ'ડી : : પ્રથમ ખંડ : " આંગણામાં જ નાકરાએ આણેલા શેરડીના રસથી ભરેલા કળશ તેણે જોયા. પછી હ પામેલા તેણે શેરડીના રસથી શ્રીઋષભસ્વામીને પ્રતિલાલ્યા. અચ્છિદ્રપાણિ ભગવાને તેના સ્વીકાર કર્યા. પછી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી, વસુધારા થઇ, વળી દેવાએ દુદુભિ વગાડ્યાં, વસ્ત્રોની વૃષ્ટિ કરી, અને ‘ અહેાદાન ! ' એ પ્રમાણે આકાશમાં શબ્દ કર્યાં. · ગુરુનાં ચરણુ જ્યાં પડ્યાં હાય. તે સ્થાન પૂજનીય છે ’એ પ્રમાણે વિચારીને જ્યાં ભગવાન આદિજિન ઊભા રહ્યા હતા તે સ્થાને શ્રેયાંસે મણુિની પીઠિકા કરાવી. ત્યાં લેાજનસમયે તે અન કરતા હતા. આ પછી જ્યાં જ્યાં ઊભા રહીને ભગવાન ભિક્ષા ગ્રહણ કરતા હતા ત્યાં ત્યાં લેાકેા પણ મણિની પીઠિકા કરાવવા લાગ્યા. ઘણું કરીને તે સમયથી • બ્રહ્મપીઠ ’ ની પ્રવૃત્તિ થઇ.૨ આ અવસર્પિણીમાં પ્રથમ જિનેશ્વરને ભિક્ષા આપનાર શ્રેયાંસ ( પહેલા ) હતા. શ્રેયાંસને સામપ્રભ આદિએ પૂછેલા પ્રશ્ન શ્રેયાંસે આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરેલી સાંભળીને ઋષિએ તથા સામપ્રભ આદિ રાજાએ પરમ કુતૂહલથી શ્રેયાંસકુમારને પૂછવા લાગ્યા, “ સુમુખ ! ભગવાન પરમગુરુને ભિક્ષા આપવી જોઇએ. એમ તેં શી રીતે જાણ્યું? એનું ખરું રહસ્ય તુ કહે. ” શ્રેયાંસે કહ્યુ, “ પ્રભુને અન્નપાણી આપવુ જોઇએ એમ મેં કેવી રીતે જાણ્યુ તે સાંભળે. પછી શ્રવણુને સુખકારક થાય એવા શબ્દથી શ્રેયાંસે કહેવા માંડયું, “ જેમણે દીક્ષા લીધેલી છે એવા મારા પિતામહનું રૂપ જોઈને મને વિચાર થયા કે–આવુ રૂપ મે આ પહેલાં ક્યાં જોયેલું છે ? એમ વિચાર કરતાં અનેક ભવનુ જાતિસ્મરણુ મને થયું. ભગવાનને ભિક્ષા આપવી જોઇએ તે મેં આ રીતે જાણ્યું. ” આથી પરમ વિસ્મય પામેલા રાજાએ મેલ્યા, “ ભગવાન કયા ભવમાં કેવા હતા તે વૃત્તાન્ત તું કહે. ” એટલે શ્રેયાંસ કહેવા લાગ્યા— શ્રેયાંસે કહેલુ શ્રીઋષભદેવનુ પૂર્વભવનું' ચરિત્ર “ આથી સાતમા ભવમાં મદર, ગંધમાદન, નીલવંત અને માહ્યવંત પર્યંતાના મધ્યમાં આવેલા અને સીતા નામે મહાનદી વડે મધ્યમાંથી વિભક્ત થયેલા ઉત્તરકુરુમાં હું યુગલિક સ્ત્રી હતા, અને ભગવાન યુગલક પુરુષ હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષામાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના ભાગેાના ઉપભાગથી પ્રવ્રુદ્ધિત થયેલાં અમે એક વાર ઉત્તરકુરુદ્રહના દેવલાક સમાન સુન્દર તીરપ્રદેશમાં અશાક વૃક્ષની છાયામાં નવનીત સમાન મૃદુ સ્પર્શીવાળા વૈશ્ય મણિના શિલાતલ ઉપર સુખપૂર્વક એઠાં હતાં. તે વખતે એક દેવ ૧. પ્રવાહી પદાર્થો હાથમાં આવે છતાં તે હાથમાંથી પડે નહીં કે હાથ ઉભરાય નહીં એવી લબ્ધિ. ૨. બ્રહ્મપીઠ’ ને ખલે ‘ત્રિષ્ટિ’ આદિ અન્ય ચરિત્રગ્રન્થામાં આદિત્ય પીડ’ની આ રીતે પ્રવૃત્તિ થઇ, એમ ક્યું છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ i નીલયશા લંભક [ ૨૧૫ ] તે કહમાં સ્નાન કરીને ગગનમાં ઊડ્યો. તેણે પોતાના પ્રભાવથી દશે દિશાઓને પ્રકાશિત કરી. પછી પેલે યુગલિક પુરુષ તે પ્રકાશ જોઈને કંઈક વિચાર કરતો મૂછ પામે. સ્ત્રીએ સંભ્રમપૂર્વક ઊઠીને પડિયામાં પાછું લાવીને તેને છાંટયું, એટલે સંજ્ઞા પ્રાપ્ત થતાં તે બોલવા લાગ્યા, “હા ! સ્વયંપ્રભે! તું કયાં છે? હા ! સ્વયંપ્રભે! તું કયાં છે? મને ઉત્તર આપ.” તેનું આવું વચન સાંભળીને તે સ્ત્રી પણ “મારું સ્વયંપ્રભા નામ ક્યારે હતું?” એમ વિચાર કરતી તેવી જ રીતે મૂછ પામી. ભાન આવતાં તે કહેવા લાગી, “આર્ય! જેનું નામ તમે લીધું તે સ્વયંપ્રભા હું જ છું.” એટલે અત્યંત પ્રસન્ન થયેલ તે પુરુષ બોલે, “આયેતું સ્વયંપ્રભા કેવી રીતે? એ મને કહે,” સ્ત્રી બેલી, “જે મેં અનુભવ્યું હતું તે હું તમને કહીશ. યુગલિક સ્ત્રીએ કહેલી પૂર્વભવની આત્મસ્થા ઈશાન નામે દેવલોક છે. તેને મધ્યભાગથી ઈશાન કોણમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેને અધિપતિ લલિતાગક નામે દેવ હતા, તેની માનીતી અગ્રમહિષી સ્વયંપ્રભા નામે હતી. સ્વયંપ્રભાની સાથે વિષયસુખના સાગરમાં રહેલા તે દેવને ઘણે કાળ એક દિવસની જેમ ચાલ્યા ગયે. એક વાર તે દેવને ચિંતાતુર, જેની પુષ્પમાળા પ્લાન થઈ ગઈ છે એ તથા નીચી દષ્ટિ કરીને વિચાર કરતે જોઈને મેં પર્ષદાની સાથે તેને પૂછ્યું, “દેવ! ઉદાસ કેમ દેખાઓ છે? તમારા મનમાં શો સત્તાપ છે?” તેણે ઉત્તર આપે, “પૂર્વભવમાં મેં થોડું તપ કર્યું હતું, આથી “તમારાથી મારો વિગ થશે ” એ વિચારથી મને ઘણો સત્તાપ થાય છે.” એટલે અમે તેને ફરી વાર પૂછયું, “કહે, તમે કેવી રીતે થોડું તપ કર્યું હતું? અને આ દેવભવ કેવી રીતે પ્રાપ્ત કર્યો હતે?” તે કહેવા લાગે લલિતાગક દેવે કહેલી પૂર્વભવની આત્મકથા જબૂદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં, ગન્ધમાદન અને વક્ષારગિરિની નજદીકમાં વૈતાઢ્ય પર્વત ઉપર ગંધારક નામે જનપદ આવે છે. ત્યાં સમૃદ્ધ જાવડે સેવિત એવું ગધસમૃદ્ધ નામે નગર છે. ત્યાં જનપદનું હિત કરવામાં રત અને વિકસિત કમળના જેવા વદનવાળો, શતબલને પૌત્ર અને અતિબલને પુત્ર મહાબલ નામે રાજા હતો. તે હું મહાબલ પિતા અને પિતામહની પરંપરાથી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને અનુભવતો હતે. જિનવચન વડે જેની મતિ ભાવિત થયેલી છે એ સ્વયં બુદ્ધ નામે ક્ષત્રિયકુમાર મારે મિત્ર હતું અને અનેક કાર્યોમાં સલાહ પૂછવા લાયક એ સંન્નિશ્રોતા નામે મારે મંત્રી હતા. ઘણે કાળ વીતી ગયા પછી ગીત અને નૃત્યમાં આસક્ત એ હું એકવાર નૃત્ય Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : કરતી નટીને જેતે હતું. તે વખતે સ્વયંબક્કે મને વિનંતી કરી, “દેવ! ગીત એ પુરુષને વિલાપ છે એમ જાણે, નૃત્ય વિડંબના છે, આભરણે એ ભાર છે અને વિષયે દુખદાયક છે; માટે પરલેકના હિતમાં ચિત્ત રાખવું જોઈએ. આ અશાવત જીવનમાં વિષયાસક્તિ એ અહિત કરનાર છે.” એટલે મેં રોષથી કહ્યું, “શ્રવણને માટે અમૃત સમાન ગીત એ વિલાપ કેવી રીતે? નયનને આનંદ આપનાર નૃત્ય એ વિડંબના કેવી રીતે ? શરીરનાં આભૂષણે એ ભાર કેવી રીતે ? લાકમાં સારભૂત અને પ્રીતિ ઉત્પન્ન કરનાર વિષયો દુઃખદાયક કેવી રીતે ?” જરા પણ ગભરાયા વગર સ્વયં બુદ્ધે કહ્યું, “ગીત એ પ્રલા૫ કેવી રીતે,” તે હે સ્વામી! તમે પ્રસન્ન થઈને સાંભળો– જેને પતિ પ્રવાસે ગયે હોય એવી તથા પતિના સમાગમની અભિલાષા કરતી અને પતિનું સ્મરણ કરતી કેઈ દુઃખી સ્ત્રી સાંજ-સવારે પતિના ગુણેનું રટણ કરતી વિલાપ કરે; અથવા કેપેલા સ્વામીને પ્રસન્ન કરવાને માટે નોકર પોતે દાસભાવ ધારણ કરીને તથા પ્રણામ કરીને જે વચનો બોલે તે જેમ વિલાપ છે, તે જ પ્રમાણે એકબીજાના સમાગમનાં અભિલાષી સ્ત્રી અથવા પુરુષ પરસ્પરના કુપિત-પ્રસાદન નિમિત્તે કાયા, મન અને વચનની જે કિયાએ પ્રયોજે છે તે જ, કુશળ જનેએ વિચારીને વિવિધ પ્રકારોમાં નિબદ્ધ કરતાં, “ગીત” તરીકે ઓળખાય છે. તે પછી તે સ્વામી! વિચાર કરે, ગીત એ વિલાપ-પ્રલાપ ગણાય કે ન ગણાય? હવે નૃત્ય એ વિડંબના કેવી રીતે, તે સાંભળો-યક્ષ વડે આવિષ્ટ થયેલ અથવા માં પીવાને કારણે પરાધીન થયેલ સ્ત્રી અથવા પુરુષ જે પ્રકારની શરીરચેષ્ટાઓ દર્શાવે છે અને જે વચનો બોલે છે તે વિડંબના કહેવાય છે. જે એમ છે, તે પછી ધનવાન સ્વામીના પરિતેષ માટે જાયેલ સ્ત્રી અથવા પુરુષ વિદ્વજનોએ નિયત કરેલી વિધિને અનુસરતાં પગ, માથું, આંખ અને ખભા વગેરે હલાવે છે તે ખરેખર વિડંબના જ છે. આભરણે ભાર છે એમ જાણવું–સ્વામીની સૂચનાથી જે માણસ કડાં વગેરે આભરણે પેટીમાં ભરીને ઉપાડી જાય તે અવશ્ય ભારથી પીડાય તે પછી જે માણસ બીજાઓને વિમય પમાડવા માટે તે જ આભરણેને યોગ્ય શરીરસ્થાને ઉપર ધારણ કરે તે રાગને કારણે ભલે ભાર ન ગણે, પણ તેના ઉપર ભાર તે છે જ. બીજાને પ્રસન્ન કરવાને માટે નાટકનો વેશ પહેરનાર માણસ “મને કંઈ પરિશ્રમ પડતો નથી” એમ ધારતો ઘણે ભાર વહે અથવા કાર્યના મહત્વને કારણે ભારને ન ગણે, છતાં પણ ત્યાં ખરેખર ભાર તો છે જ. વિષયની દખદાયકતા–વિષયે બે પ્રકારના છે: શબ્દવિષયક અને રૂપવિષયક. શબ્દમાં મુગ્ધ થયેલ મૃગ શબ્દને સુખ ધારીને સાંભળો તથા મરણયને નહીં ગણકારતો મૂઢતાને કારણે વધ, બંધ અને મરણ પામે છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયને વશ તથા Page #272 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લલક [ ૨૧૭ ] શબ્દને અનુસરનાર સ્ત્રી અથવા પુરુષ સાધારણુ શબ્દમાં મમત્વભુદ્ધિ રાખીને તથા એના હેતુનું સંરક્ષણ કરવાની ( યાદ રાખવાની ) ઇચ્છાથી હૃદયમાં કપટ રાખી બીજા ઉપર દ્વેષ રાખે છે. આ પ્રમાણે રાગ-દ્વેષની પરપરામાં પડીને તે કર્મ બાંધે છે. આ નિમિત્તે ગીત ઉપર રાગ રાખનારાએ સોંસારમાં દુ:ખ ભાગવે છે. એ જ પ્રમાણે રૂપમાં આસક્ત અને મુગ્ધ થયેલે માણુસ સાધારણ વિષયસમુદ્રમાં સમત્વબુદ્ધિ રાખીને રૂપનું રક્ષણ કરવાની ઈચ્છાથી બીજાને દ્વેષ કરે છે અને આ રીતે કિલષ્ટ ચિત્તવાળા તે પાપકર્મ બાંધે છે, અને તેને પરિણામે સ’સારમાં ભમતે તે દુઃખ ભાગવે છે. એ પ્રમાણે મધ, રસ અને સ્પવિષયક ભાગેામાં આસક્ત તથા બીજાને દ્વેષ કરતે જીવ મૂઢતાથી કર્મ બાંધે છે, અને તેને પરિણામે જન્મ-જરા-મરણુહુલ સંસારમાં ભમે છે; માટે દુ:ખદાયક એવા વિષયે અને ભાગાને શ્રેયની ઇચ્છા રાખનારાએ ત્યાગ કરવા.” " 66 આ પ્રમાણે ખેલતા સ્વયંબુદ્ધને મેં કહ્યુ, હું કે જે હિતકાર્ય કરી રહ્યો છુ તેનું તું અહિત ઇચ્છે; તુ દુષ્ટ બુદ્ધિવાળા છે, કે જે પરલેાકના સ ંશયગ્રસ્ત સુખ વધુ અને લેાભાવતા અને વમાન સુખની નિંદા કરતા મને દુ:ખમાં પાડવા ઇચ્છે છે. ” પછી સભિન્નતાએ કહ્યું, “ સ્વામી ! માંસલેાભી શિયાળ જેમ માંસને ટુકડા છેડીને નિરાશ થયેા હતેા તે પ્રમાણે સંદિગ્ધ સુખની આશામાં પ્રત્યક્ષ સુખને ત્યાગ કરતા આ સ્વયુદ્ધ પછી પસ્તાશે. ” સ્વયંભુઅે કહ્યુ, “ તુચ્છ કલ્પનામાત્ર સુખથી મેાહિત થયેલા તુ જે કહે છે તેને કયે સચેતન મનુષ્ય પ્રમાણભૂત ગણશે ? કાચમણુની પાછળ પાછળ જતે જે માણસ કુશલ જનેાએ પ્રશસેલા અને સહેલાઇથી મળેલા રત્નને ઇચ્છતા નથી તેને તું કેવા ગણીશ ? હૈ સભિન્નશ્રેત ! શરીર અને વૈભવ અાદિને અનિત્ય જાણીને તથા ભાગાને ત્યાગ કરીને સયમ વડે નિર્વાણુ અને દેવસુખનુ` સપાદન કરનાર ધીર અને તપસ્વી પુરુષ' જય પામે છે. ”સભિન્નશ્રેાતાએ કહ્યું, સ્વયં બુદ્ધ! મરણ નક્કી થવાનુ છે એટલા ખાતર તુ સ્મશાનમાં રહી શકવાના હતા ? ગગન નીચે પડવાની આશકા રાખતી ટીટોડી તેને અટકાવવા માટે જેવી રીતે ઊંચા પગ રાખીને સૂએ છે તેવી રીતે ‘ મરણુ થશે ' એ પ્રકારને વધુ પડતા ખ્યાલ રાખીને તું સાંપ્રત સુખના ત્યાગ કરીને ભાવી સુખની પ્રશંસા કરે છે. જ્યારે મરણને સમય નજીક આવશે ત્યારે અમે પરલેાકનું હિત આચરીશું. ” સ્વયંભુઅે કહ્યું, “ મુગ્ધ ! જે વખતે યુદ્ધ શરૂ થાય તે વખતે હાથી અને ઘેાડાઓને લેાટવાનું કામનું નથી, અથવા નગર ઘેરાય ત્યારે દાણા, પાત્ર અને બળતણના સંગ્રહ કરવાનું કામનું નથી તેમજ ઘરમાં આગ લાગે તે વખતે કૂવા ખાદવાનું કામનું નથી. હાથી ઘેાડાનુ પāાટવું, દાણા આદિના સંગ્રહ અને ફૂવાનું ખેાદકામ એ અગાઉથી જ કરવામાં આવે છે અને તેથી અનુક્રમે શત્રુસત્યના પરાજય, ચિરકાળ સુધી ઘેરા સામે ટકાવ અને અગ્નિશાન્તિ સહેલાઇથી થઇ શકે છે. તે જ પ્રમાણે ૨૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : જે માણસ અગાઉથી જ પરલેકના હિત માટે ઉદ્યમ કરતો નથી તે વૃદ્ધાવસ્થામાં જ્યારે બળ ઘટી જાય, મર્મસ્થાને ક્ષીણ થાય, દેહને બંધ શિથિલ થાય અને પોતે અત્યંત દુઃખથી ઘેરાઈ જાય તે વખતે પરલોકનું હિત કેવી રીતે આચરી શકવાનો હતો? આ બાબતમાં વિચક્ષણ પુરુએ કહેલે ઉપદેશ તું સાંભળ– કાગડાનું દૃષ્ટાન્ત એક ઘરડે હાથી ઉનાળાની ઋતુમાં કઈ પહાડી નદી ઊતરતે હતા તે વખતે વિષમ કિનારા ઉપર પડી ગયે. ભારે શરીર અને ક્ષીણ બળને કારણે ઊઠવાને અશક્ત એવો તે ત્યાં જ મરણ પામે. વરુ અને શિયાળેએ તેને ગુદાભાગમાં ખાધે. તે જ માગે કાગડાએ અંદર ગયા અને માંસને આહાર કરનાર અંદર રહ્યા. ગરમીને કારણે કલેવર ઊનું થતાં તે પ્રવેશ સંકુચિત થઈ ગયો. કાગડાએ પ્રસન્ન થયા કે, “ અહો ! આપણે વાસ નિર્વિઘ થયે.” પણ વર્ષાઋતુમાં પહાડી નદીના વેગને લીધે ફેંકાયેલું તે કલેવર કેઈ મોટી નદીના પ્રવાહમાં પડીને સમુદ્રમાં પહેપ્યું અને ત્યાં મગરમચ્છાએ તેના ટુકડા કરી નાખ્યા. જળથી ભરાયેલા તે કલેવરમાંથી કાગડાઓ બહાર નીકળ્યા, પણ કિનારે નહીં જોતાં તેઓ ત્યાં જ મરણ પામ્યા. જે તેઓ અગાઉથી બહાર નીકળી ગયા હતા તે સ્વછંદપણે ફરીને લાંબા કાળ સુધી લેહીમાંસનો આહાર કરી શકત. એ દષ્ટાતને ઉપસંહાર આ પ્રમાણે છે–જેમ કાગડાઓ તેમ સંસારી છે, જેમ હાથીના કલેવરમાં પ્રવેશ તેમ મનુષ્ય શરીરની પ્રાપ્તિ, જેમ એ કલેવરમાંનું લેહી–માંસ તેમ વિષયની પ્રાપ્તિ, જેમ બહાર નીકળવાના માર્ગને નિરોધ તેમ સંસારમાં આસક્તિ, જેમ નદીના પ્રવાહથી ફેંકાવું તેમ મરણુકાળ, જેમ કાગડાઓનું બહાર નીકળવું તેમ બીજા ભવમાં સંક્રમણ. માટે હે સંભિન્નશ્રોત ! એમ જાણે કે-જે માણસ તુચ્છ, નિસાર અને અલપકાલિક કામોને ત્યાગ કરીને સંયમમાં ઉદ્યોગ કરશે તે સદગતિમાં જશે અને તેને પસ્તાવું નહીં પડે; પણ જે મનુષ્ય વિષયમાં લુબ્ધ થઈને મરણ સમયની રાહ જોશે, અને શરીરને ત્યાગ કરતી વખતે જેની પાસે પરભવનું ભાથું નહીં હોય તે લાંબા કાળ સુધી દુઃખી થશે. શિયાળની જેમ તુછ અને કલ્પનામાત્ર સુખમાં આસકત થઇને વિપુલ અને દીર્ઘકાલીન સુખની તું અવગણના ન કર.” સંભિન્નશ્રોતે કહ્યું, “શિયાળની તુચ્છ સુખની કલપના કેવી હતી, તે કહે” સ્વયં. બુદ્ધે કહ્યું: “સાંભળ– શિયાળનું દષ્ટાન્ત કઈ વનચર ભીલ વનમાં ફરતો હતો તે વખતે એક વૃદ્ધ હસ્તીને જોઈને વિષમ Page #274 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લ ભક [ ૨૧૯ ] પ્રદેશમાં ઊભું રહ્યો. પેાતાના એક જ બાણુના પ્રહારથી હાથીને પડેલા જોઇને પણછ ચડાવેલા ધનુષ્યને નીચે મૂકીને હાથમાં ફરશી લઈને હાથીદાંત તથા કુંભસ્થળનાં મેાતી લેવા માટે હાથી ઉપર પ્રહાર કરવા લાગ્યા. તે વખતે હાથીના પડવાથી દબાયેલા મેાટા સપે તેને દશ કર્યાં અને તે ત્યાં જ મરણ પામ્યા. એક રખડતા શિયાળે હાથી, માણુસ, સર્પ અને ધનુષ્ય જોયાં. ભીરુતાને લીધે શિયાળ પહેલાં તે પાછે હઠયા, પણ માંસની લાલચને લીધે ફરી ફરી ત્યાં આવવા લાગ્યા. પછી એ બધા નિર્જીવ છે. એમ જાણીને ભયરહિત અને સન્તુષ્ટ થયેલે તે જોવા લાગ્યું અને વિચાર કરવા લાગ્યા, “ હાથી તે મારી આખી જીંદગીને ખારાક છે, માણસ અને સર્પ એ અમુક સમયના ખારાક છે, માટે પહેલાં હું ધનુષ્યની દેરી ખાઉં. ” આ પ્રમાણે નિશ્ચય કરી ( દેરી ખાવા જતાં ) જોરથી મોંધાયેલી ઘેરી કપાતાં ધનુષ્યને છેડા વાગવાથી તે મંદબુદ્ધિ શિયાળનું તાળવું વીંધાઇ ગયું અને તે મરણ પામ્યા. અલ્પ મહત્વની દેરીના ત્યાગ કરીને હાથી, મનુષ્ય અને સર્પનાં લેવાને ખાવાની તે શિયાળે ઇચ્છા કરી હાત તે તે તથા અન્ય કલેવર પણુ ઘણા કાળ સુધી ખાઇ શકત. એ પ્રમાણે માનવસુખામાં આસકત જે જીવ પરલેાકનુ સાધન કરવામાં બેદરકાર છે તે શિયાળની જેમ વિનાશ પામે છે. વળી ૮ પરલેાકનુ અસ્તિત્વ સદિગ્ધ છે, આથી પરલેાકના સુખનુ અસ્તિત્વ પણ સદિગ્ધ છે ’ એમ તમે કહેા છે, પણ તે ( પરલેાક તેમજ પરલેાકના સુખનું અસ્તિત્વ ) છે. સ્વામી! તમે જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારે મારી સાથે દેવાના ઉદ્યાન નંદનજનમાં ગયા હતા. ત્યાં એક દેવ ઊતરી આવ્યો હતેા. આપણે તેને ઇને આઘા ખસી ગયા: તે દેવ દિવ્ય દેવતિથી ક્ષણ વારમાં આપણી પાસે પહોંચ્યા. સૌમ્ય રૂપવાળા તેણે આપણુને કહ્યું હતું. “ મહાબલ! હું તારા પિતામહ શતખલ રાજ્યશ્રીના ત્યાગ કરીને વ્રત પાળીને બ્રહ્મલેાક કલ્પના અધિપતિ થયા છું. માટે તમે પણ પ્રમાદી ન થશે, જિનવચનથી તમારા આત્માને પવિત્ર કરજો; એ રીતે તમે સતિ પામશેા. ” આમ કહીને દેવ ગયેા. તા હૈ સ્વામી ! આ વાત જો તમને સાંભરતી હાયતા પરવેાક છે” એમ શ્રદ્ધા રાખા. ” મેં કહ્યું “ સ્વયંબુદ્ધ ! પિતામહનુ' દર્શીન મને સાંભરે છે. ’ તક મળતાં સ્વયં બુદ્ધ મને ફરી પાછા કહેવા લાગ્યા, “ આપણા પૂર્વજોનું વૃત્તાન્ત સાંભળેા— સહાબલ અને સ્વયંબુદ્ધના પૂર્વજોનુ' વૃત્તાન્ત તમારા પૂર્વજ ગુરુચન્દ્ર નામે રાજા હતા, તેની કુરુમતી દેવી હતી અને હરિશ્ચન્દ્ર કુમાર હતા. તે રાજા નાસ્તિકવાદી હતા. · આત્મા વિષેની કલ્પના એ ઇન્દ્રિયાના સમા ગમથી વધુ કંઇ નથી; જેમ મદ્યની અંગભૂત વસ્તુએ એકત્ર કરવાથી મઢ પેદા થાય છે Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : તેમ (ઈન્દ્રિયો ભેગી થતાં આત્મા પેદા થાય છે એમ માનવામાં આવે છે. અહીંથી કોઈ પરભવમાં જતું નથી તેમજ દેવ અને નારક ભવમાં સુકૃત અને દુષ્કૃતનાં ફળ કે અનુભવતું નથી '; આ પ્રમાણે તેણે નિશ્ચય કરેલ હતો. એ નિઃશીલ અને અને નિર્વત એવો તે અસ્ત્રાની ધારની જેમ અત્યંત ક્રૂર હતું અને પ્રાણિવધમાં ઉદ્યત રહેતો હતો. આ પ્રમાણે કર્મ કરતાં તેને ઘણે સમય વીતી ગયા. પછી મરણકાળે અશાતા વેદનીયની બહુલતાથી તે નારકને એગ્ય પુદગલપરિણામવાળે થયે– શ્રવણમધુર ગીતને તે આક્રોશ ગણવા લાગ્યો, મનહર રૂપોને વિકૃત જેવા લાગે, ક્ષીર, ખાંડ અને સાકર જેવી વસ્તુઓને દુર્ગધવાળી માનવા લાગ્યા, ચંદનના લેપને અંગારે કહેવા લાગ્યો અને હંસતૂલની મૃદુ શમ્યા તેને કાંટાવાળી શાખાના જેવી લાગવા માંડી. તેને આ પ્રકારને વિપરીત ભાવ જાણીને કુરુમતી દેવી હરિશ્ચન્દ્રની સાથે તેની એકાન્તમાં સેવા કરવા લાગી, કચન્દ્ર રાજા આ પ્રમાણે અત્યંત દુ:ખી થઈને કાલધર્મ પામ્યો. તેની શબયાત્રા કાઢયા પછી હરિશ્ચન્દ્ર પિતાના ગંધસમૃદ્ધ નગરનું ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. પોતાના પિતાના આ પ્રકારના મરણને વિચાર કરતાં તેને એવી બુદ્ધિ પેદા થઈ કે, “સુકૃત અને દુષ્કૃતનું ફલ છે. ” પછી તેણે પોતાના બાલમિત્ર એક ક્ષત્રિયકુમારને કહ્યું, “ભદ્ર, પંડિતજોએ ઉપદેશેલું ધર્મજ્ઞાન તું મને કહેજે, એ જ તારી સેવા.” એટલે તે ક્ષત્રિયકુમાર તે આજ્ઞા અનુસાર જે ધર્મ સંબંધી વચન સાંભળતે તે રાજાને કહી સંભળાવતા. રાજા પણ તેમાં શ્રદ્ધા કરીને સુશીલતાથી તે વચન માનતો હતે. એક વાર નગરથી થોડે દૂર સાધુને થયેલા કેવલજ્ઞાનને તે પ્રકારે મહિમા કરવા માટે દે આવ્યા હતા. આ હકીક્ત જાણીને ક્ષત્રિયકુમાર સુબુદ્ધિએ રાજા હરિશ્ચન્દ્રને હકીકત જણાવી. દેવોના આગમનથી વિસ્મિત થયેલો રાજા પણ વેગવાન અશ્વ ઉપર આરૂઢ થઈને સાધુ પાસે ગયે, અને વિનયપૂર્વક વંદન કરીને, બેસીને સાધુના મુખમાંથી નીકળતું વચનામૃત સાંભળવા લાગે. સંસારની હકીકત તથા મોક્ષસુખની વાત તેમની પાસેથી સાંભળીને તે નિ:શંક થયો કે “પરભવ છે.” પછી હરિશ્ચન્દ્ર રાજાએ પૂછયું, “હે ભગવાન! મારા પિતા કઈ ગતિમાં ગયા છે?” એટલે ભગવાને (કુરુચન્દ્રને અંતકાળમાં થયેલા) વસ્તુઓના વિપરીત જ્ઞાન ઉપરથી સાતમી પૃથ્વીમાં નારકી તરીકે તેની ઉત્પત્તિ થયેલી જાણીને કહ્યું, “હરિશ્ચન્દ્ર! જેણે પાપ અને આસવનાં દ્વાર બંધ કર્યા નહતાં એ તારે પિતા ઘણાં પ્રાણીઓને પીડા કરીને પાપકર્મની ગુરુકતાને લીધે તે નરકમાં ગમે છે. ત્યાં તે પરમ અસહ્યા, જેની ઉપમા ન આપી શકાય તેમજ જેને પ્રતિકાર પણ ન થઈ શકે એવું અને સચેતન-જ્ઞાની માણસને સાંભળતાં પણ ભય થાય એવું દુઃખ નિરંતર અનુભવે છે. ” કેવલીએ કહેલે પિતાના પિતાને આ પ્રકારને કર્મવિપાક સાંભળીને સંસારભીરુ હરિશ્ચન્દ્ર રાજા ૧ નરકમાં જનાર માણસને મરણ સમયે સારામાં સારી વસ્તુ પણ ખરાબ લાગે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લંભક [ ર૨૧ ] તે પરમષિને વંદન કરીને પિતાના નગરમાં આવ્યું. પિતાના પુત્રને રાજ્યલક્ષ્મી સોંપીને તેણે સુબુદ્ધિને સૂચના કરી કે, “મારા પુત્રને તારે ઉપદેશ કરો.” સુબુદ્ધિએ તેને વિનંતી કરી, “સ્વામી ! કેવલીનું વચન સાંભળીને હું પણ જે તમારી સાથે તપ ન કરું તે મારું સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. “ઉપદેશ કરે” એમ આપ કહે છે, તે ઉપદેશ મારો પુત્ર પોતાના સ્વામીને કરશે.” રાજાએ પોતાના પુત્રને સૂચના કરી, “ધર્મની બાબતમાં તારે સુબુદ્ધિના પુત્રની સૂચના અનુસાર કાર્ય કરવું.” પછી તે રાજા, સિંહ જેમ બળતી ગુફામાંથી બહાર નીકળે તેમ ત્વરાપૂર્વક નીકળે, અને કેવલી પાસે તેણે સુબુદ્ધિ સહિત દીક્ષા લીધી. પરમસંવિગ્ન, સ્વાધ્યાય અને પ્રશસ્ત ધ્યાનમાં પરાયણ તથા જેને જ્ઞાનાતિશય પિદા થયો છે એ તે કર્મ જાળને ખપાવીને નિર્વાણ પામ્યો. એમ સાંભળવામાં આવે છે કે-એ રાજર્ષિ હરિશ્ચન્દ્રના વંશમાં અસંખ્ય ધર્મપરાયણ રાજાઓ થઈ ગયા પછી અત્યારે તમે રાજ્યના સ્વામી છે, અને હું (સ્વયં બુદ્ધ) સુબુદ્ધિના વંશમાં છું. ઘણું પુરુષોની પરંપરાથી ચાલતા આવેલા ધર્મોપદેશના અધિકારનું અમારું સ્થાન છે. મેં તમને અચાનક વિનંતી કરી તેનું કારણ સાંભળો–આજે હું નંદનવનમાં ગયે હતો. ત્યાં મેં આદિત્યયશ અને અમિતતેજ નામે બે ચારણશ્રમને જોયા. મેં તેમને વંદન કરીને પૂછયું, “ભગવંત! મહાબલનું કેટલું આયુષ્ય છે?” તેમણે કહ્યું, “હવે એક માસ બાકી રહ્યો છે.” આથી સંજમપૂર્વક હું આવ્યું. આ ખરેખરી વાત છે. માટે જે તમને શ્રેય લાબે તે વિના વિલંબ કરે. સ્વયં બુદ્ધે કહેલાં આ ઉપશમનાં વચને સાંભળીને, ધર્માભિમુખ થયેલ તથા આયુષ્યના ક્ષયની વાત સાંભળીને, જેમાં પાણી ભરવામાં આવ્યું હોય તેવા કાચી માટીના વાસણની જેમ, અવસાદયુક્ત હદયવાળે તથા ભયભીત બનેલો હું ઊઠીને હાથ જોડીને સ્વયંબુદ્ધને શરણે ગયા અને કહેવા લાગ્યા, “મિત્ર! જેનું માત્ર એક માસ આયુષ્ય બાકી રહ્યું છે એવો હું હવે પાકનું શું હિત કરી શકીશ?” તેણે મને આશ્વાસન આપ્યું, “સ્વામી ! જેણે સર્વ નિન્ય વ્યાપારોને ત્યાગ કર્યો છે તેને માટે એક દિવસ પણ બહુ છે, તે માસનું શું કહેવું ?” પછી સ્વયં બુદ્ધના વચનથી પ્રજાપાલનનું કાર્ય પુત્રને સેંપીને, આહારનું પચ્ચકખાણ કરી, સંસ્કારકશ્રમણ બનેલો હું જિન-મન્દિરમાં રહો અને તથા સ્વયંબુદ્ધની સૂચનાથી થયેલ જિનેશ્વરના ઉત્સવથી પ્રસન્ન મનવાળો હું અનિત્યતા, સંસારનું દુઃખ અને (પૂર્વકાળના સાધુઓએ કરેલાં) પાદપપગમન એ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર વાતો સાંભળતે કાલધર્મ પામે અને અહીં (દેવ તરીકે) પેદા થયે. આ પ્રમાણે મેં થોડું તપ કર્યું હતું.” આ પ્રમાણે આર્ય લલિતાગક દેવે પરિવાર સહિત મને કહ્યું. પછી ઈશાનેન્દ્ર પાસેથી ૧. મરણ પામવાને માટે સાધુ થયેલ Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખરું : 'આમ દઢધર્મ નામે દેવ આપે. તેણે કહ્યુ, “ લલિતાંગક ! નંદીશ્વરમાં જિન-મહિમા કરવાને માટે દેવરાજ જાય છે, માટે હુ પણ જાઉં છું. આ વસ્તુ તમને વિદ્રિત થાશે. કહીને તે ગયા. પછી ઇન્દ્રની આજ્ઞાથી અવશ્ય જવુ પડશે, માટે અત્યારે જ જઈએ, એમ વિચારીને આર્ય લલિતાંગક દેવ સહિત હું ક્ષણવારમાં નંદીશ્વરદ્વીપમાં ગઇ. જિનમન્દિરામાં અમે ઉત્સવ કર્યાં. તિલેાકમાં તીર્થંકરને વંદન કરતાં તથા શાશ્વત ચૈત્યની પૂજા કરતાં તે લલિતાંગક દેવનુ ચ્યવન થયું. અત્યત શાકથી દાઝતા હૃદયવાળી તથા વિવશ એવી હું પરિવાર સહિત શ્રીપ્રભ વિમાનમાં ગઇ. જેની શાભા ક્ષીણુ થતી જતી હતી એવી મને જોઇને આવેલા સ્વયં બુદ્ધ દેવ કહેવા લાગ્યા, “ સ્વયં પ્રભે ! જિનેશ્વરના મહિમા કર; આ તારા ચ્યવનકાળ છે; તને ખેાધિના લાભ થશે. ” તેનું વચન સ્વીકારીને તીરછાલેાકમાં આવેલા નંદીશ્વરદ્વીપમાં પૂજા કર્યા પછી ચવેલી હું પણુ જ બદ્રીપના વિદેહમાં પુલાવતી વિજયમાં પુંડરી કણીમાં નગરીમાં વસેન ચક્રવર્તીની વસુમતી દેવીની પુત્રી શ્રીમતી નામે થઇ. પિતાના ભવનરૂપી પદ્મસરમાં રાજહંસી સમાન તથા ધાત્રીએ વડે સંભાળ લેવાતી એવી હુ ચમક પર્વત ( એ લગાલગ આવેલા પર્વત ) ઉપરની લતાની જેમ સુખપૂર્ણાંક ઊછરી. રમણીય કલા પણ મેં ગ્રહણુ કરી. એક વાર રાત્રે સતાભદ્ર પ્રાસાદમાં હું ઊભી હતી ત્યારે નગરની બહાર દેવાનુ આગમન થએલુ' મેં જોયુ. તે વખતે વિચાર કરતાં મને મારા દેવભવનું સ્મરણ થયું; તે સ્મરણ થતાં દુ:ખથી આક્રાન્ત થએલી હું મૂર્છા પામી. પરિચારિકાએએ જળકણા છાંટતાં જેની મૂર્છા વળી છે એવી હું વિચાર કરવા લાગી, “મારા પ્રિય લલિતાંગક દેવ કયાં હશે ? તેના વિના લેાકેાની સાથે ખેલવાનુ મારે શું કામ છે ?” એમ વિચારીને મે મૂંગાપણું સ્વીકાર્યું, પરિજના કહેવા લાગ્યાં, “ ભક દેવાએ એની વાચા હરી લીધી છે. ’ ચિકિત્સકેાએ પ્રયત્ન કર્યો તેમજ ખલિ, હેમ, મંત્ર અને રક્ષાવિધિ પણ કરવામાં આવી, પણ મેં મૂંગાપણું મૂકયું નહીં. મારી સૂચનાએ હું લખીને પરિચારિકાઓને આપતી હતી. એક વાર હું ઉપવનમાં ગઈ હતી ત્યારે પડિતા નામની મારી ધાવમાતાએ એકાન્તમાં મને કહ્યું, “ બેટા શ્રીમતિ ! જો કાઇ કારણથી તું મૂંગી રહેતી હાય તા તે વિના સ`કાચે મને કહે. શક્તિ અનુસાર તારું કાર્ય સાધવાને હું પ્રયત્ન કરીશ. મારી પાસે વિદ્યાનું મળ છે, આથી તારું પ્રયાજન મનુષ્યલેાકમાં હશે તે તે હું સંપાદન કરીશ. અથવા જો તુ દેવના દોષથી ખરેખર મૂગી હાય તા પછી શુ થઇ શકે ?” તેણે એમ કહેતાં મેં વિચાર્યું, “ ધાવમાતા ઠીક કહે છે. મારા હૃદયનું પ્રયાજન કાણુ સાધવાનુ હતુ ? માટે તેને હું સાચી વાત કહું. ” પછી મે કહ્યું, “ માતા ! અત્યારે હું મૂંગાપણુ ધારણ કરીને રહું છું તેનું કારણ છે. ” તેણે મને કહ્યું, “ બેટા ! મને કારણુ કહે, તે સાંભળીને જેમ કહીશ તેમ કરીશું ” એટલે મે કહ્યું, “ સાંભળે!~~ " Page #278 -------------------------------------------------------------------------- ________________ નીલયશા લભક શ્રીમતીએ કહેલી પેાતાના નિર્વાસિકાના ભવની આત્મકથા ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે સંનિવેશ છે. ત્યાં હું આથી ત્રીજા ભવમાં એક દરિદ્ર કુળમાં સુલક્ષણા, સુમંગલા, ધન્નિકા, ઉન્નિકા આદિ છ વ્હેનેાની પછી જન્મી હતી. માતાપિતાએ મારું નામ પાયું નહેાતુ અને મને ‘નિર્દેમિકા’ (નામ વિનાની) કહીને ખેલાવવામાં આવતી હતી. પેાતાનાં કર્મોથી બંધાયેલી હું તેમની પાછળ જીવતી હતી. [ ૨૨૩ ] કાઇ એક વાર ઉત્સવમાં ધનાઢચેાનાં બાળકો હાથમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો લઇને પેાતાના ઘરમાંથી નીકળ્યાં. તેમને જોઇને મેં મારી માતાને યાચના કરી, “ મા ! મને લાડુ કે એવું ખીજું ખાવાનું આપ, એટલે હું બાળકાની સાથે રમુ પણ તેણે રાષ કરીને મને મારી તથા ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું, “ અહીં તારે માટે ખાવાનુ કયાં છે ? અંબરતિલક પર્વત ઉપર જા, ત્યાં ફળ ખાજે અથવા મરી જશે. ” પછી હું રાતી રાતી નીકળી. આશ્રય શેાધતી એવી મેં અબરતિલક પર્વત તરફ જતા લેાકેાને:જોયા. તેમની સાથે હું પણુ ગઈ. પૃથ્વીતલના તિલક સમાન, વિવિધ પ્રકારનાં ફળાના ભારથી નમેલાં વૃક્ષેા વડે સંકુલ, પક્ષીઓ અને પશુઓના કુલગૃહ (પિયર) જેવા અને પેાતાના શિખરરૂપી હાથ વડે ગગનતલનુ માપ લેવાને જાણે ઉદ્યત હૈાય એવા અખરતિલક પત મેં જોયા. ત્યાં લેાકેા ફળ લેવા માંડ્યાં, મેં પણ પાકાં તથા નીચે પડેલાં સ્વાદિષ્ટ ફળ ખાધાં. 66 ગિરિવરની રમણીયતાને કારણે તેમાં લેાકેાની સાથે કરતાં અમે અતિ મનેાહર અને ગંભીર શબ્દ સાંભળ્યેા. એ શબ્દને અનુસરતી હું લેાકેાની સાથે તે પ્રદેશમાં ગઈ. ત્યાં વિવિધ નિયમાને ધારણ કરનારા, ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાનવાળા તથા ત્યાં આવેલા દેવા અને મનુષ્યને જીવાના બંધ-મેાક્ષના ક્રમ સમજાવતા અને તેમના સંશયેાને દૂર કરતા એવા યુગધર નામે આચાર્ય ને મે' જોયા. લેાકેા સહિત મેં પણ તેમને પ્રણામ કર્યા અને એક ભાગમાં બેસીને તેમનાં પરમ મધુર વચન હું સાંભળવા માંડી. કથાન્તરમાં તેમને મેં પૂછ્યું, “ ભગવન્ ! મારા કરતાં દુ:ખી કેાઇ જીવ આ જીવલેાકમાં હશે ?” એટલે તેઓએ કહ્યું, “ નિર્નામિકે! શુભ અને અશુભ શબ્દો તારા શ્રવણુપથમાં આવે છે, સુન્દર અને અસુન્દર રૂપે તુ જુએ છે, શુભ અને અશુભ ગધ લે છે, મનેાજ્ઞ અને અમનેાજ્ઞ રસેના આસ્વાદ લે છે, ઇષ્ટ અને અનિષ્ટ સ્પર્શીને વેઢે છે, ટાઢ, તાપ, ભૂખ અને તરસને પ્રતિકાર કરી શકે છે, સુખપૂર્વક આવતી ઊંધનુ સેવન કરે છે, સુખદુ:ખમાં તને શરણુ અને આશ્રય પણ મળે છે, અંધારામાં તું દીવાના પ્રકાશથી કામ કરે છે. પણુ નરકમાં નારકી અશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ ર્હંમેશાં ભાગવે છે, જેના પ્રતિકાર ન થઈ શકે તેવી ઠંડંડી અને ગરમી અને ભૂખ-તરસ અનુભવે છે, સેંકડા દુ:ખાથી પીડાતા એવા તેમને ક્ષણવાર પણ નિદ્રાનું સુખ મળતુ નથી, નિત્ય અંધકારમય નરકામાં Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : રહેતા તેઓ નરકપાલાએ ઊભાં કરેલાં સેંકડો કારણે-દુઃખેને વિવશપણે અનુભવતા ઘણે કાળ ગુમાવે છે. તિર્યંચે પણ સ્વપક્ષ અને પરપક્ષથી ઉત્પન્ન થયેલાં જે ટાઢ, તાપ, ભૂખ, તરસ અનુભવે છે તેનું વર્ણન ઘણે કાળે પણ થઈ શકે તેમ નથી. તારું સુખદુઃખ તે સાધારણ છે. પૂર્વનાં સુકૃત્યોથી ઉપાર્જિત થયેલી બીજાઓની રિદ્ધિ જોઈને તું પિતાની જાતને દુઃખી માને છે. તારાથી હીન એવા જે લેકે બંદીખાનામાં કલેશ પામે છે, જે દાસ અને નેકરી પરાધીન દશામાં નાના પ્રકારનાં પીડાજનક કર્મો કરતા દુઃખ પામે છે તથા તુચ્છ અને અનિષ્ટ એ આહાર કરતા જીવન ગાળે છે તેમને તું જે.” મેં પ્રણામ કરીને “આપ કહો છો તેમજ છે ” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. ત્યાં ધર્મ સાંભળીને કેટલાક લોકોએ દીક્ષા લીધી, અને કેટલાક ગ્રહવાસીને યોગ્ય શીલવ્રતો સ્વીકાર્યા. મેં પણ આચાર્યને વિનંતી કરી, “જે નિયમનું પાલન હું કરી શકું તેમ હેઉ તેને ઉપદેશ મને કરો.” એટલે તેમણે પાંચ અણુવ્રતને ઉપદેશ મને કર્યો. તેમને વંદન કરીને સંતુષ્ટ થઈને હું નંદીગ્રામમાં ગઈ અને ત્યાં પ્રસન્ન થઈને વ્રતો પાળવા લાગી. કુટુંબના આદરને લીધે હું પૂર્ણ પણે શાન્તિથી ચોથ, છઠ્ઠ અને અઠ્ઠમનાં તપ કરવા માંડી. એ પ્રમાણે સમય જતાં એક વાર મેં અનશન કર્યું હતું ત્યારે રાત્રે મેં પરમ દર્શનીય દેવને છે. તેણે મને કહ્યું “નિર્નામિકે! મને જે, અને ચિન્તન કર કે “હું આની ભાર્યો થાઉં,” એટલે તું મારી દેવી થઈશ અને મારી સાથે દિવ્ય ભેગો ભોગવીશ.” એમ કહીને તે અદશ્ય થયો. પરિતોષથી વિકસિત થયેલા હદયવાળી હું પણ “દેવદર્શનથી દેવત્વ પામીશ” એમ વિચારીને સમાધિથી કાલધર્મ પામી, અને નિયાણું કર્યું હોવાને કારણે ઈશાન ક૯૫માં શ્રીપ્રભ વિમાનમાં લલિતાગક દેવની અગ્રમહિષી સ્વયંપ્રભા નામે થઈ. અવધિજ્ઞાનથી મારા દેવભવનું કારણ જાણુને હું લલિતાગક દેવની સાથે યુરંધર ગુરુને વંદન કરવાને માટે આવી. તે સમયે તેઓ તેજ અંબરતિલક પર્વત ઉપર મનોરમ નામે ઉદ્યાનમાં ગણુ સહિત સમોસર્યા હતા. પછી સનતેષથી વિકસિત મુખવાળી મેં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને નમસ્કાર કર્યા, તથા મારું નામ નિવેદન કરીને અને નાપહારથી તેમને મહિમા કરીને હું મારા વિમાનમાં ગઈ અને ત્યાં દેવની સાથે દિવ્ય કામગ ઘણા કાળ સુધી અનુભવવા લાગી. હે માતા ! દેવ તેના આયુષ્યનો ક્ષય થતાં યુત થયે, પણ તે ક્યાં ગયો તે હું જાણતી નથી. હું પણ તેના વિયોગથી આવીને અહીં આવી છું, અને દેવદ્યોતના દર્શનથી જાતિસ્મરણ થતાં, તે દેવને મારા હૃદયમાં ધારણ કરીને ‘તેના વિના શી વાત કરવી?” એમ વિચારીને મૂંગી રહી છું. આ સાચી વાત છે. ” મનુષ્યજન્મ પામેલા લલિતાંગકની શોધ એ સાંભળીને ધાવમાતા મને કહેવા લાગી, “બેટા! તેં ઠીક કહ્યું, તારું આ પૂર્વભવનું ચરિત્ર પટ ઉપર ચિતરાવીને તે બધે ફેરવું. તે લલિતાંગજે મનુષ્યભવમાં આવ્યા Page #280 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - -- * નીલયશા સંભક [ ૨૨૫ ] w હશે તે પિતાનું ચરિત્ર જોઈને તેને જાતિસ્મરણ થશે. તેની સાથે તે નિશ્ચિન્તપણે વિષયસુખ અનુભવીશ.” પછી તેના અભિપ્રાય મુજબ, બન્ને જણીઓએ વિવિધ વર્ણની પદિકાઓ વડે પટ તૈયાર કર્યો. તેમાં સૌ પહેલાં નંદિગ્રામનું આલેખન કર્યું, પછી અંબરતિલક પર્વત ઉપર આવેલા પુષિત અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુરુ તથા વંદન માટે આવેલ દેવયુગલ ચીતર્યું, ઈશાન ક૫માં દેવમિથુન સહિત શ્રીપ્રભ વિમાન આલેખ્યું, સ્વયં બુદ્ધ અને સંભિન્નત સહિત મહાબલ રાજા, તપથી સાયેલા શરીરવાળી નિર્નામિકા તથા નામ સહિત લલિતાગક અને સ્વયંપ્રભા પણ ચીતર્યા. આ પ્રમાણે આલેખન તૈયાર થતાં ધાત્રી તે પટ્ટને હાથમાં લઈને ધાતકીખંડ દ્વીપમાં જાઉં છું” એમ કહીને પિતાની વિદ્યાના પ્રભાવથી આકાશમાગે યુવતીના કેશપાશ, નીલ કમલ અને પલાશ સમાન શ્યામ ગગનતલમાં ઊડી. ક્ષણવારમાં જ તે પાછી આવી, એટલે મેં પૂછયું, “માતા આટલી જલદી કેમ પાછી વળી?” તેણે કહ્યું, “બેટા! એનું કારણ સાંભળ-અહીં અમારા માલીક અને તારા પિતાની વર્ષવર્તમાની નિમિત્તે વિજયવાસી ઘણા રાજાઓ આવેલા છે. જે તારો હદય-સ્વાધીન પ્રિયતમ અહીં જ હશે તે આપણું કામ થઈ જશે, એમ વિચારીને હું પાછી આવી. આવેલ રાજાઓમાં જે તે નહીં હોય તે પછી તેની શોધ માટે હું પ્રયત્ન કરીશ” સ્થિર હૃદયવાળી એવી તેને મેં (હા) કહી. બીજે દિવસે અપરાલંકાળે તે પટ્ટ લઈને આવી અને પ્રસન્ન મુખવાળી તે કહેવા લાગી, “બેટા! નિશ્ચિત્ત થજે. તે લલિતાગકને મેં જોયા છે” મેં પૂછયું, “માતા! કહે, તેને કેવી રીતે છે?” તેણે કહ્યું, “બેટા! મેં રાજમાર્ગ ઉપર પટ્ટ પાથર્યો હતે. તે જોઈને ચિત્રકળામાં કુશળ પુરુષ તે આલેખન કરનારના શાસ્ત્રજ્ઞાનને પ્રમાણભૂત માનતા પ્રશંસા કરતા હતા. જેઓ અકુશળ હતા તેઓ રંગ અને રૂપ જોતા હતા. દુર્મર્ષણ રાજાનો કુમાર દુદન્ત મુહૂર્ત માત્ર તે જોઈને મૂચ્છ પામ્યા. થોડી વાર પછી તેની મૂછ વળી ત્યારે માણસેએ પૂછયું, “સ્વામી! તમે કેમ મૂચ્છ પામ્યા હતા?” તેણે કહ્યું, “મારું ચરિત્ર પટ્ટમાં આલેખેલું જોઈને મને પૂર્વજન્મનું સ્મરણ થયું. હું લલિતાગક દેવ હતો અને સ્વયંપ્રભા મારી દેવી હતી.” મેં તેને પૂછયું, “પુત્ર! આ કયે સંનિવેશ છે?” એટલે તે બે, “પુંડરીકિશું નગરી છે.” પર્વતને તે મેરુ કહેવા લાગ્યા, આ સાધુ “કેઈ વિશ્વરતિ નામે છે” એમ કહ્યું, કલ્પને સૌધર્મ કહેવા લાગ્યું, “મંત્રી સહિત આ રાજા કેણુ છે તથા આ તપસ્વિની કોણ છે ?” (એમ પૂછતાં) “તેમનાં નામ હું જાણતા નથી ” એમ તે બોલ્ય. એટલે “આ તે ઠગારે છે” એમ જાણીને મેં તેને કહ્યું, “પુત્ર સત્ય છે, સત્ય છે, જન્માન્તરમાં તું કંઈક વિસરી ગયે તેથી શું થયું? ખરેખર તું લલિતાગક છે, તે સ્વયંપ્રભા દેવી નંદિગ્રામમાં કાંઈ કર્મદેષથી પાંગળી જન્મી છે. તને ૧. વાર્ષિક દરબાર ૨૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] વસુદેવહિ...ડી શેાધવા માટે તેણે આ પાતાનું ચરિત્ર આલેખ્યું છે. હું ધાતકીખંડમાં ગઇ હતી ત્યારે આ પટ્ટ તેણે મને આપ્યા હતા. તેની પ્રત્યેની અનુક ંપાથી મેં તારી શેાધ કરી છે; માટે આવ બેટા ! તને ધાતકીખંડ લઇ જા.” મિત્રાએ તેની મશ્કરી કરી કે, “ જાએ, પાંગળીનુ પાષણ કરે ! ” એટલે તે ત્યાંથી ચાલ્યા ગયા. ઃ : પ્રથમ ખંડ : * ** 66 મુહૂર્ત સમય પછી લેાહાલાથી ધન નામે કુમાર આવ્યા. તે દેડવાની અને કૂદવાની કસરતમાં અજોડ હાવાને લીધે ‘વાંધ’ કહેવાય છે. તે આન્યા, અને પટ્ટ જોઇને મને કહ્યુ, આ ચિત્રનું આલેખન કેણે કર્યું છે ? ” મેં કહ્યું, “ શા કારણથી પૂછે છે ? ” તે ખેલ્યા, “આ મારું ચરિત્ર છે–હુ લલિતાંગક નામે દેવ હતા અને સ્વયંપ્રભા મારી દેવી હતી. નિશ્ચય, આ કાં તેા તેણે જ આલેખ્યું હશે અથવા તેની સૂચનાથી આલેખવામાં આવ્યુ હશે.” પછી મે તેને પૂછ્યું, “જો તારું ચિત્ર હાય તેા કહે આ કા સ ંનિવેશ છે ? ” તેણે ઉત્તર આપ્યા, “આ નંદિગ્રામ છે, આ પર્વત અખરતિલક છે, યુગ'ધર આચાય છે, તપથી કૃશ થયેલી આ નિર્દેમિકા છે, આ મહાબલ રાજા સ્વયં બુદ્ધ અને સભિન્નશ્રોતાની સાથે ચીતરેલે છે, આ ઇશાન કલ્પ છે અને શ્રીપ્રભ વિમાન છે. '' આ બધું પ્રમાણપૂર્વક તેણે કહ્યું. પછી સંતુષ્ટ થયેલી મેં તેને કહ્યુ, “તારી ફાઇની છેાકરી જે શ્રીમતી કુમારી છે તે જ એ સ્વયં પ્રભા છે. હું આ વાત રાજાને નિવેદન કરું છુ, જેથી તે કન્યા તને પ્રાપ્ત થઈ શકે. ” એટલે પ્રસન્ન થઇને તે ગયે. કૃતકૃત્ય થઇને હું પણ આવી. બેટા ! હુ રાજાને ખબર આપું છું, એટલે પ્રિયતમની સાથે તારે। સમાગમ થશે. ” આમ કહીને ધાત્રી ગઇ. અધા સમાચાર તેણે રાજાને આપ્યા. પછી રાજાએ મને અને વસુમતી દેવીને ખેલાવ્યાં. પછી અમને બન્ને જણાંને રાજાએ કહ્યું, “સાંભળેા, શ્રીમતીના જે લલિતાંગક દેવ હતા તેને જેટલા હું જાણું છું તેટલા શ્રીમતી જાણતી નથી. વસેને કરાવેલા લલિતાંગક દેવના પરિચય આ જ યુદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશેાકા નગરીમાં જિતશત્રુ રાજા હતા, તેની મનેાહરી અને કૈકેયી નામે એ રાણીએ હતી, તેમને અચલ અને વિભીષણ નામે પુત્રા હતા. પિતા મરણ પામતાં તે ખલદેવ ( અચલ ) અને વાસુદેવ (વિભીષણ) વિજયા ને ભાગવવા લાગ્યા. 37 કેટલેક કાળ ગયા પછી ખલદેવની માતા મનેાહરી પેાતાના પુત્ર અચલની રજા માગવા લાગી કે, “ મેં પતિની અને પુત્રની સમૃદ્ધિ લાગવી છે. હવે હું દીક્ષા લઈશ અને પરલેાકનું હિત કરીશ, માટે મને રજા આપ. પણ પુત્ર સ્નેહુને લીધે રજા ન આપી. માતાએ જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, “ માતા ! જો નિશ્ચય હાય તા તું જ્યારે દેવલાકમાં જાય ત્યારે હું દુ:ખમાં પડેલેા તારા આ જ હાઉં તે વખતે Page #282 -------------------------------------------------------------------------- ________________ નીલયા લંભક [ ૨૨૭ ] તારે મને પ્રતિબંધ પમાડવો.” મનોહરીએ તે સ્વીકાર્યું. પછી મનોહરીએ દીક્ષા લીધી અને પરમ ધૃતિબળથી તે અગિયારે અંગ ધારણ કરનાર થઈ. જેનો વૈરાગ્ય પડ્યો નથી એવી તે કરોડ વર્ષ સુધી તપ કરીને સમાધિથી કાલધર્મ પામી લાન્તક કપમાં ઈન્દ્ર તરીકે આવી. તે (મનોહરીને આત્મા ) તમે મને જાણે. બલદેવ અને વાસુદેવ પ્રમુદિત થઈને ઘણા કાળ સુધી ભેગ ભોગવતા હતા. એક વાર તેઓ ઘોડા ઉપર બેસીને ફરવા નીકળ્યા. વાવાઝોડાને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા અને અટવીમાં પ્રવેશ્યા. ગાયો અને રથના સંચારનો માર્ગ તેઓને જડે ત્યાર પહેલાં તે દૂર સુધી જઈને તેમના ઘડા મરણ પામ્યા, અને વિભીષણ પણ મરણ પામે; પરંતુ તે મરણ પામ્યો છે એમ નેહને લીધે અચલ સમજે નહીં. “મૂચ્છિત થયો છે, એટલે ડી વારમાં સ્વસ્થ થશે” એમ સમજીને તેને શીતલ વનઘટાઓમાં તે લઈ ગયે. હું એ વખતે લાન્તક કપમાં હતો, તે પુત્રનેહથી અમારા સંકેતનું સમરણ કરીને ક્ષણવારમાં વિભીષણનું રૂપ વિકુવીને ત્યાં આવ્યું. રથમાં બેઠેલા બલદેવ(અચલ)ને મેં કહ્યું, ભાઈ ! હું વિદ્યાધરોની સાથે યુદ્ધ કરવા ગયે હતો. તેમને મેં વશ કર્યો છે. આ તક મેળવીને મારું રૂપ ધારણ કરીને કેઈએ તમને મોહ પમાડયા છે, માટે ચાલે આપણે નગરમાં જઈએ. મારું ધારીને જે કલેવર તમે સાચવી રાખ્યું છે, તેને પણ આપણે સંસ્કાર કરીએ.” પછી એ કલેવરનો અગ્નિસંસ્કાર કરીને લેકે વડે પૂજાતા અમે અમારા નગરમાં આવ્યા, અને ઘરમાં એક આસન ઉપર બેઠા. પછી મેં મનોહરીનું રૂપ દર્શાવ્યું. સંબ્રાન્ત થયેલા અચલે કહ્યું, “માતા ! તું અહીં કયાંથી ?” પછી મેં મારી દીક્ષાના સમયના સંકેતની તથા વિભીષણનું મરણ થયાની બધી વાત કરીને કહ્યું, “હું લાન્તક કપમાંથી તમને પ્રતિબોધ પમાડવા માટે આવ્યો છું. મનુષ્પરિદ્ધિને અનિત્ય જાણીને પરલકના હિતનું ચિન્તન કરો.” પછી લાન્તક ઇન્દ્ર પોતાના ક૯૫માં ગયે. પછી અચલ પિતાના પુત્રને રાજ્ય સેંપીને, તપ કરીને ઈશાન કલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાગક નામે દેવ થયો. જ્યારે મને તેનું સ્મરણ થતું ત્યારે પુત્રનેહથી હું દેવી સહિત લલિતાગકને વારંવાર લાન્તક કપમાં લઈ આવતો હતો. તે લલિતાગક દેવ સાગરોપમના સાત-નવમાંશ ભાગ સુધી દેવસુખ ભેળવીને શ્રીપ્રભ વિમાનમાંથી ; તેને સ્થાને બીજે દેવ ઉત્પન્ન થયો. તેને પણ હું પુત્રરનેહથી લાન્તક કપમાં લાવતો હતે. એ પ્રમાણે સત્તર લલિતાગક દેવ થઈ ગયા. આ જે શ્રીમતીને લલિતાગક છે તે અઢાર છે, તેને હું ઘણી વાર લાન્તક કપમાં લઈ ગયા હતા, તેથી તેને હું ઓળખું છું. પછી લાન્તક ક૯૫માંથી અવીને વજસેન થયો.” પછી રાજાએ કહ્યું, “વજાજંઘને બોલાવો.” આ પ્રમાણે આજ્ઞા મળતાં કંચુકી ગયે. વાજંઘ આવ્યો. પરિતેષથી જેની આંખે વિકાસ પામી છે એવી મેં આશ્ચર્યભૂત, Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] વસુદેવ—હિ...ડી : : પ્રથમ ખંડ : શરદઋતુના ચદ્ર સમાન સૌમ્યવદન ચંદ્રવાળા, બાલસૂર્યનાં કિરણેાવડે વિકાસ પામેલા ક્રમળ સમાન નયનવાળા, મણિમ ંડિત કુંડલવર્ડ આલિંગિત પુષ્ટ ગાલવાળા, ગરુડના જેવી લાંબી નાસિકાવાળા, પ્રવાલશિલા સમાન કામળ અને રાતા હૈાઢવાળા, મેાગરાની કળીઓની માળા જેવી સ્નિગ્ધ દતપક્તિવાળા, યુવાન વૃષભના જેવી ખાંધવાળા, વદનના ત્રીજા ભાગ જેટલી ઊંચી અને જેના ઉપર રત્નમાળા પહેરેલી છે એવી ડાકવાળા, નગરની ભાગળ જેવા પુષ્ટ અને લાંબા ખાડુવાળા, નગરના કમાડ સમાન માંસલ અને વિશાળ વક્ષ:સ્થળવાળા, હાથમાં ગ્રહણ કરી શકાય એવા મધ્યભાગવાળા, વિકસિત ઉત્તમ કમળ સમાન નાભિવાળા, મૃગરાજ સિંહ અને અશ્વના જેવી કટિવાળા, હાથીની સૂંઢ જેવા ઉરુવાળા, જેમાં ઢીંચણુ ( માંસપેશીઓમાં ) નિગૂઢ રહેલા છે એવી, સરખી અને હરણના જેવી ખળવાન અને રમણીય જ ઘાવાળા, તથા ચેાગ્ય રીતે મૂકેલા કનકના કુંભ જેવા અને લક્ષણેાના સમૂહ વડે અંકિત ચરણુયુગલવાળા વજજઘને જોયા. તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ કહ્યું, પુત્ર વાઘ ! પૂર્વભવની જે સ્વયં પ્રભા છે તે આ શ્રીમતીના તુ' સ્વીકાર કર. ” પછી કલહુંસ જેમ કમલનીને અવલાકે તેમ જજધે મને અવલેાકી. ‘ વાજ ઘ ! ' એ પ્રમાણે મધુર સાદે ખેલતા પિતાએ વિધિપૂર્વક મને તેનું પાણિગ્રહણુ કરાવ્યુ, તથા વિપુલ ધન અને પરિચારિકાઓ આપી. અમને વિદાય આપી, એટલે અમે લેાહાલા નગરીમાં ગયા. ત્યાં અમે સુખપૂર્વક ભાગ લેાગવવા લાગ્યાં. લેાકાંતિક દેવા વડે પ્રતિમાધ પામેલા વજસેન રાજાએ પણ એક વર્ષ સુધી કિમિચ્છિત ધન આપીને પેાતાના પુત્ર તેમજ ભક્તિવશપણે એકત્ર થયેલા રાજાઓની સાથે, પુષ્કરપાલને રાજ્ય આપીને, દીક્ષા લીધી. જેને કેવલજ્ઞાન થયુ છે એવા તે ધર્મોપદેશ કરવા લાગ્યા. મને ( શ્રીમતીને ) પણ કાળે કરીને પુત્ર થયા અને તે સુખપૂ ક ઊછરવા લાગ્યા. & કાઇ એક વાર પુષ્કરપાલના કેટલાક સામતાએ વિપ્લવ કર્યાં. તેણે અમને કહેવરાવ્યુ કે, “ વાજુંઘ તથા શ્રીમતી અહીં આવેા. ” પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને વિપુલ સૈન્ય સહિત અમે નીકળ્યાં. શરવનના મધ્યમાં થઈને જતા માર્ગે જવાની અમને જાણુકારાએ ના કહી કે, “ શરવનમાં વિષ સર્પો છે, ત્યાંથી જઇ શકાય એમ નથી. ’ એટલે એ માર્ગ ટાળીને અમે અનુક્રમે પુંડરીકણી નગરીમાં પહાંચ્યાં. પેલા રાજાઓએ વાઘનું આગમન સાંભળ્યું. આથી ભયભીત થયેલા તેઓ શરણે આવ્યા. પુષ્કરપાલ રાજાએ અમને પણ સત્કાર કરીને વિદાય આપી, એટલે અમે અમારા નગર તરફ ચાલ્યાં. લેાકેાએ કહ્યુ, “ શરવન ઉદ્યાનના મધ્યમાં થઇને તમે જજો, ત્યાંના સર્પો નિવિષ થઇ ગયા છે. ત્યાં રહેલા સાધુને કેવલજ્ઞાન થયુ' હતું, એટલે ( મહિમા કરવાને ) દેવા ઊતરી આવ્યા હતા. દેવાદ્યોતથી સોની નજરનું વિષ નાશ પામ્યુ છે. ” એટલે અનુક્રમે અમે શરવનમાં પહોંચ્યાં અને ત્યાં પડાવ નાખ્યા. મારા ભાઇઓ-સાગરસેન અને મુનિસેન Page #284 -------------------------------------------------------------------------- ________________ નીલયશા સંભક [ ર૨૯ ] નામે અણગારે પિતાના ગણસહિત ત્યાં જ રહેતા હતા. તપ:લક્ષ્મી વડે પરિપૂર્ણ, શરઋતુના સરોવરનાં જળ જેવા પ્રસન્ન હૃદયવાળા અને શરદના પૂર્ણચન્દ્ર જેવા સૌમ્ય વદનવાળા તેમને અમે જોયા. પરિવાર સહિત તેમને અમે પરમ ભક્તિ અને બહુમાનથી વંદન કર્યું. પરિવાર સહિત તેમને અમે પ્રાસુક આહાર-પાણી તથા ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થો વડે પ્રતિલાલ્યા. પછી તેમના ગુણનું રટણ કરતાં અમે બન્ને જણ “અહો ! સાગરસેન અને મુનિસેન ખરેખર મહાનુભાવ છે; આપણે પણ રાજ્યધુરાનું કાર્ય છોડી દઈને તથા નિ:સંગ થઈને કયારે વિચારીશું ?” એમ વિચારતાં, વૈરાગ્યમાર્ગ ઉપર ઊતરીને પોતાના નગરમાં પહોંચ્યાં. અમારી ગેરહાજરીમાં અમારા પુત્ર નેકરને દાન અને માનથી ફેડી દીધા હતા અને વાસગૃહમાં વિષધૂમને પ્રયોગ કર્યો હતો. પરિજનેને રજા આપીને મેડી રાત્રે અમે વાસગૃહમાં ગયાં. સાધુઓના ગુણમાં રત એવાં અમે ઝેરી ધૂમાડાથી શરીરની ધાતુઓ દ્વષિત થતાં કાલધર્મ પામીને અહીં ઉત્તર કુરમાં આવ્યાં. છે આ! જે નિર્નામિકા, જે સ્વયંપ્રભા અને જે શ્રીમતી તે હું જ છું એમ જાણે. જે મહાબલ રાજા, જે લલિતાંગક અને જે વજા જંઘ રાજા તે તમે છો. તમે આ રીતે જેનું નામ પિકાર્યું, તે હું સ્વયંપ્રભા છું.” પછી સ્વામીએ કહ્યું, “આયે! દેવેદ્યોતના દર્શનથી પૂર્વજન્મનું સ્મરણ થતાં “ તું દેવભવમાં છે એવું મને ચિન્તન થયું, એથી તને સ્વયંપ્રભા કહીને મેં બોલાવી. તેં જે કહ્યું છે તે સર્વ સત્ય છે.” પછી જેમનું માનસ પરિતુષ્ટ થયું છે તથા પૂર્વ ભવના સ્મરણથી જેમને નેહ દઢ બન્યા છે એવાં તે બન્ને જણાં સુખપૂર્વક વિષયસુખ જોગવતાં ત્રણ પલ્યોપમ સુધી જીવીને કાલધર્મ પામી સૌધર્મ કલ્પમાં દેવ થયાં. ત્યાં પણ તેમની વચ્ચે પરમ પ્રીતિ હતી. ત્રણ પાપમનું આયુષ્ય ભેગવી ત્યાંથી આવીને સ્વામી પિતામહ(શ્રીષભદેવ)ને આત્મા વત્સાવતી વિજયમાં પ્રભંકરા નગરીમાં સુવિધિ વૈદ્યને પુત્ર કેશવ નામે થયે અને હું શ્રેષિપુત્ર અભયઘોષ થયા. ત્યાં પણ અમારી નેહાધિતા હતી. તે નગરમાં રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર અને સાર્થવાહપુત્ર હતા, તેમની સાથે અમારે મૈત્રી થઈ. એક વાર એકત્ર થયેલા અમે પ્રતિમા ધારણ કરીને રહેલા અને કૃમિ-કોઢવાળા સાધુને જોયા. આથી અમે પાંચે જણાએ કેશવને પરિહાસપૂર્વક કહ્યું, “તમારે આવા તપસ્વીઓની ચિકિત્સા ન કરવી, જે ધનવાન લેક હોય તેની જ સારવાર કરવી.” એટલે તે બે, “મિત્રો! અમારે તો ધાર્મિક જનેને નીરોગી કરવા જોઈએ, એમાંયે વિશેષ કરીને સાધુઓની સેવા કરવી જોઈએ. ૧. યુગલિક સ્ત્રીની આત્મકથા અહીં પૂરી થાય છે. કથાના અનુસંધાન માટે જુઓ પૃ. ૨૧૫. - ૨. અર્થાત યુગલિક પુ. સ્વામી કહેવાનું કારણ કે એ પ્રીષભદેવને આત્મા હતા. Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : જેમણે દેહનું મમત્વ છોડી દીધેલું છે એવા આ સાધુ ઔષધ પીવાને ઇચ્છતા નથી, માટે તેલાવ્યંગ અને માલીશ વડે તેમની સારવાર કરવી જોઈએ. તેમાં મારી પાસે શતસહસ્ત્ર તૈલ તે છે, પણ ગશીર્ષ ચંદન અને કંબલરનની જરૂર છે.” અમે તેની વાત સ્વીકારીને કહ્યું, “તમે સારવાર કરો, અમે બધી વસ્તુ લાવી આપીશું. ” રાજપુત્રે કંબલરત્ન આપ્યું તથા ચંદન પણ મેળવી આપ્યું. પછી પ્રતિમામાં રહેલા સાધુને અમે વિનંતી કરી. “ભગવન્! અમે આપના પ્રત્યેની હિતબુદ્ધિથી જે કંઈ પીડા કરીએ તે માટે ક્ષમા કરજે.” પછી અમે તેમને તૈલાભંગ કર્યું, તેથી કૃમિઓ વધુ પ્રમાણમાં સંચલન કરવા લાગ્યા તથા સાધુને અત્યંત વેદના કરતા બહાર નીકળ્યા. તેનાથી તપસ્વી મૂછ પામ્યા, એટલે તેમના ઉપર કંબલ વીંટી. તે શીતલ લાગી એટલે કૃમિએ તેને વળગી પડયા, એટલે શીતલ પ્રદેશમાં તે ખંખેરી નાખ્યા અને સાધુને ચંદનનો લેપ કર્યો. તેઓની મૂચ્છ વળી, એટલે ફરી પાછું તેમને તેલાવ્યંગ કર્યું. એ રીતે કૃમિ નીકળવા લાગ્યા, અને સાધુને વેદના થતાં અમે તેમને ચંદનથી સ્વસ્થ કરવા લાગ્યા. જ્યારે કૃમિ નીકળી રહા ત્યારે સાધુને ચંદનનો લેપ કરી અમે ઘેર ગયા. ધર્મ સાંભળીને અમે સર્વેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. સાધુની વૈયાવૃત્યમાં પરાયણે કેશવ વિશેષ કરીને ઉગ્ર શીલવ્રત અને તપ-ઉપધાન વડે પિતાના આત્માને ભાવતો હતો. સમાધિથી કાલધર્મ પામીને (અમે) અશ્રુત કલ્પમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. દિવ્ય સુખ અનુભવ્યા પછી આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી ચવીને કેશવ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિ નગરીમાં વજાન રાજાની મંગલાવતી દેવીનો પુત્ર વજનાભ થયે; અને રાજપુત્ર વગેરે (રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર અને સાર્થવાહપુત્ર) ચાર જણ અનુક્રમે કનકનાભ, રુણ્યનાભ, પીઠ અને મહાપીઠ નામે કુમારો થયા. હું તે જ નગરમાં (અન્ય) રાજપુત્ર થયે, અને બાળપણમાં જ વજનાભની સેબતમાં રહીને સુયશ નામે તેને સારથિ થયે. લોકાન્તિક દેવો વડે પ્રતિબંધ પમાડાયેલા વજસેન રાજાએ વનાભ આદિ કુમારને રાજ્ય આપીને તથા એક વર્ષ સુધી ધનનું દાન આપીને દીક્ષા લીધી, અને જેમને કેવલજ્ઞાન થયું છે એવા તે સ્વયં બુદ્ધ ધર્મદેશના દેવા લાગ્યા. સમસ્ત વિજયને અધિપતિ વજનાભ ચક્રવતીને ભેગો ભેગવવા લાગ્યા. એક વાર તીર્થકર ભગવાન્ પુંડરીકિ નગરીના અગ્રોદ્યાનમાં સમોસર્યા. વજનાભ પિતાના પરિવાર સહિત તેમને વંદન કરવાને ગયે. જિનેશ્વરના વચનામૃતથી સંસિકત હદયવાળો તથા જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા તેણે પુત્રને રાજ્યલક્ષમી સેંપીને પિતાના ભાઈઓ સહિત દીક્ષા લીધી. મેં પણ પૂર્વના નેહાનુરાગથી વજનાભની સાથે દીક્ષા લીધી. લબ્ધિસંપન્ન એવો વજનાભ થોડા સમયમાં જ ચતુર્દશપૂવ થયે. કનકનાભ તેમની વૈયાવૃત્ય કરતા હતા. ભગવાન તીર્થકરે નિર્દેશ કર્યો હતો કે, “આ વજનાભ ભરતક્ષેત્રમાં ઋષભ નામે પ્રથમ તીર્થંકર થશે ” અને એમ કહ્યું હતું કે, “આ કનકનાભ Page #286 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૧ ] ભરતચક્રવતી નામે તારા (ઋષભદેવના ) પુત્ર થશે. જેમને હવે માત્ર એક જ માનવભવ ભાગવવાના છે એવા રુષ્યનાભ વગેરે સંસારને અત કરશે. 'શીલ અને દેશિવરતિશ્રાવકભાવ વડે ઉજવલ એવુ પૂર્વભવના કેશવ વગેરેતુ' ચરિત્ર પણ તેમણે કહ્યું. પછી અમે છએ જણા ઘણા વર્ષ કૈાટિ સુધી તપ આચરીને સમાધિથી કાલધર્મ પામ્યા, અને અનુક્રમે સર્વાર્થસિદ્ધ-છેલ્લા દેવલેાકમાં દેવા થયા. ત્યાંથી ચ્યવીને અહીં જન્મ્યા. પિતામહુના સાધુવેશ જોઇને મને પૂર્વજન્માનું સ્મરણ થયું, અને મેં એ પણુ જાણ્યું કે તપસ્વીઓને દ્રવ્ય નહીં, પરન્તુ અન્ન-પાણી આપવું જોઇએ. ” નીલયશા લભક શ્રેયાંસની આ આત્મકથા સાંભળીને પ્રસન્ન મનવાળા રાજા વગેરેએ તેના સત્કાર કર્યા. ત્યાર પછી એક હજાર વર્ષે શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન અને કેવલદન ઉત્પન્ન થયું, અને સમસ્ત અતિશેષવડે પ્રકાશમાન એવા તેઓ ભિકાને ધર્મના ઉપદેશ કરવા લાગ્યા. દેવાની જેમ સ્વચ્છૐ ગમન કરતા નિમ અને વિનમિએ ઘણા કાળ સુધી નિરુદ્ધિગ્નપણે ભેગા ભાગન્યા. પછી વૈરાગ્ય ઉત્પન્ન થતાં પુત્રાને નગરા વહેંચી આપીને તેઓએ શ્રીઋષભદેવ જિનેશ્વરની પાસે દીક્ષા લીધી, જે ઋષભદેવનું વશકીન મેં કર્યું છે. નીલયશાનું પાણિગ્રહણ નિમના વંશમાં રાજાએાના અસખ્ય સેકડાઓ થઇ ગયા, જે રાજાએએ કપડાના છેડા ઉપર વળગેલા તૃણુની માફક રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. અવિનષ્ટ એવા તે વંશમાં વિહંતિસેન નામે રાજા થયેા, તેના પુત્ર પ્રહસિતસેનની હું ભાર્યાં હિરણ્યવતી નામે વિદ્યાધરલેાકમાં વિખ્યાત છું. નલિનીસભ નગરના સ્વામી હિરણ્યરથની હું... પુત્રી છું અને પ્રોતિવર્ષ ના દેવીની કુક્ષિથી જન્મેલી છું. મારે! સિંહદષ્ટ્ર નામે પુત્ર છે, તેની પુત્રી નીલયશા નામે કન્યા છે. પ્રધાનકુલમાં જન્મેલી એવી તેણે ક્રીડાપૂર્વક વિદ્યાવડે ચંડાલને વેશ ધારણ કર્યાં હતા, તેને તમે જોઇ હતી. એ પ્રદેશમાં તમે આવજો, તેથી શુભ થશે. ’૧ દ મેં કહ્યું, “ જાણીશું—જોઇશું ” એટલે તે પણ વિમનસ્ક થઇને “ તમે જાણશે એમ કહીને ગઇ. ગન્ધદત્તાને પ્રસન્ન કરવાના ઉપાયના વિચાર કરવામાં પરાયણ એવા હું દિવસ ગાળીને રાત્રે શયનમાં સૂતેા હતા, ત્યારે કોઇના હસ્તપથી ચમકીને હું વિચાર કરવા લાગ્યા, t 66 આ હસ્તપ અપૂર્વ છે, તે ૫ ગધ દત્તાના તે નથી જ. ” મેં આંખ ઊઘાડી તા દીવાના પ્રકાશમાં ભીષણ રૂપવાળા વેતાલને જોયા. મેં વિચાર કર્યા, “ એમ સાંભળ વામાં આવે છે કે વેતાલ એ પ્રકારના હાય છે–શીત અને ઉષ્ણુ. જે ઉષ્ણુ વેતાલ હાય છે ૧ ચાંડાલવૃદ્ધાનું કથન અહીં પૂરું' થાય છે. કથાના અનુસંધાન માટે જીએ રૃ. ૨૦૩ "" Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ર૩ર ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : તે શત્રુને વિનાશ કરવા માટે શત્રુના ઉપર મૂકવામાં આવે છે. શીત વેતાલે (આજ્ઞાનુ. સાર) નિત્ય કેઈને લઈ જાય છે અને લાવે છે.” પછી વેતાલ મને બળથી કયાંક ખેંચવા લાગ્યું. મને થયું, “જેણે એને આજ્ઞા કરી હોય તેની સમક્ષ વેતાલ મને ભલે લઈ જાય. તેની પાસે એ સમયે જે ઉચિત લાગશે તે કરીશ” પછી વેતાલ મને ગર્ભગૃહની બહાર લઈ ગયા. ત્યાં ચેટીઓને મેં ઉઘેલી જોઈ. મેં વિચાર્યું કે-“ખરેખર, વેતાલે જ આમને ઊંઘાડી દીધેલી છે, કેમકે પગથી ઠોકવા છતાં તેઓ જાગતી નથી. પછી અમે દ્વાર આગળ પહોંચ્યા. મેં જોયું કે વેતાલ દ્વાર બંધ કરવાં ભૂલી ગયો હતો, પણ બહાર નીકળ્યા પછી મેં પાછું જોયું તે કમાડ બંધ હતું. મેં વિચાર્યું કે, “અપકાર કરનારા આ વેતાલે પણ શ્રેષ્ઠીના ઘરનાં બારણું બંધ કરીને ઉપકાર કર્યો છે. ” બહાર નીકળતાં શ્રીદામચંડ (શોભાવાળી માળાઓને દંડાકાર સમૂહ) મારા પગમાં આવ્યું. ચંદ્રિકાના પ્રકાશમાં તે જઈને જાણ્યું કે, “શુભ શકુન થયા.” થોડી વાર પછી અનુકૂળ દિશામાં જતા વેત વૃષભ જોયા; એ વસ્તુ પણ મેં શુભ ચિહ્ન તરીકે સ્વીકારી. થોડે આગળ જતાં સારી રીતે રહેલા હાથીને રાજમહેલ આગળ જોયે. ત્યાં એક ડોશી (કોઈ છોકરીને) સાદ કરતી હતી, “બેટા ! આવ જઈએ, તારા પિતા તારી રાહ જુએ છે. તું આવ, હાથી ઉપર થોડી વાર બેસ, એટલામાં હું આવું છું.” તે બેઠી અને હાથી ઊડ્યો, એટલે તે ભયભીત થઈ. માવતે કહ્યું, “ભગવતિ ! તું ભલી છે !” આ સાંભળી મેં વિચાર્યું કે, “આ પરસ્પરનો આલાપ એ પણ એક શુભ શકુન છે.” પછી આગળ જતાં મેં ચૈત્યગૃહ જેયું, અને સાધુને શબ્દ સાંભળે. આ પ્રમાણેના ઉત્તમ શકુનોને કારણે જેને ગમન માન્ય થયું છે એવા મને વેતાલ ઉપાડી ગયા અને સ્મશાનમાં લઈ ગયે. ત્યાં કંઈક બોલતી પેલી ચાંડાલવૃદ્ધાને મેં જોઈ. તેણે વેતાલને કહ્યું, “ભદ્રમુખ! અમારું પ્રયોજન તેં પ્રાપ્ત કર્યું છે, સારું કર્યું. ” પછી મને મૂકીને હાસ્ય કરીને વેતાલ અદશ્ય થઈ ગયે. વૃદ્ધાએ મને કહ્યું, “પુત્ર! વેતાલે તને અહીં આયે, માટે તું ક્રોધ ન કરીશ. તારું સત્વ અને પ્રભાવ હું જાણું છું. મારા રક્ષણને લીધે તને કંઈ શરીર પીડા નહીં થાય. તેં મારી અવગણના કરી હતી, માટે તને અહીં આર્યો છે. હવે હું તને વૈતાઢ્ય ઉપર લઈ જાઉં છું; તું કંઈ બેલીશ નહીં.” મેં કહ્યું, “જે કરવાનું ઉચિત હોય તે તમે જાણે છો.” પછી તેણે મને ઊપાડ્યો, અને મારા મનને અનુકૂળ વચન બોલતી તે મને લઈ જવા લાગી. એક સ્થળે ધતૂરાને ધુમાડો પીતા પુરુષને જોઈને મેં પૂછ્યું, “દેવિ ! આ કેણુ પુરુષ છે?” તેણે ઉત્તર આપે, “પુત્ર! વિદ્યાભ્રષ્ટ થએલો આ અંગારક વિદ્યાની સાધના કરે છે, તેની પાસે તું જા ઉત્તમ પુરુષના દર્શનથી તેની વિદ્યાઓ સિદ્ધ થશે. તું તેને મળ, એટલે તે કૃતાર્થ થશે.” મેં કહ્યું, “એને દૂર જ રાખે, હું એને મળવા ઈચ્છતા નથી.” પછી તેનાથી દૂર રહીને વૃદ્ધાએ મને એક ક્ષણમાં વૈતાઢ્ય ઉપર આર્યો. મને ઉદ્યાનમાં બેસાડીને તે ગઈ. Page #288 -------------------------------------------------------------------------- ________________ નીલયશ લંભક [ ૧૩૩ ] મુહૂર્ત વાર પછી પ્રતિહારી આવી. પરિચારિકાઓ સહિત તેણે સેંકડે કો/કોથી મને સ્નાન કરાવ્યું અને મને નગરમાં લઈ ગઈ. મારા રૂપતિશયથી વિસ્મિત થયેલા લોકે મને જોઈને પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, “આ મનુષ્ય નથી. આ તે કઈ દેવ છે.” પછી હું રાજભવનમાં પહોંચે. ત્યાં અર્થથી મારો સત્કાર કરવામાં આવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યા. ત્યાં સિંહાસન ઉપર બેઠેલા રાજા સિંહદંષ્ટ્રને મેં જોયે. વડિલેની અવશ્ય પૂજા કરવી જોઈએ” એમ વિચારીને મેં તેને હાથ જોડ્યા. પ્રસન્ન વદનવાળા રાજાએ, હું નમતો હતો તે જ વખતે, ઊઠીને મારા હાથ પકડી લીધા. આસન લાવવામાં આવતાં તેના ઉપર રાજાએ મને બહુમાનપૂર્વક બેસાડ્યો. વિદ્યાધરવૃદ્ધોએ આશીર્વાદ આપ્યા પછી પુરોહિતે “પુણ્યાહ” વાચન કર્યું. પછી નીલ મેઘની વચ્ચે રહેલી બીજની ચંદ્રલેખા હોય તેવી, જેણે હંસલક્ષણ(એક પ્રકારના રેશમીનાં સફેદ વસ્ત્રો પહેર્યા હતા તેવી, જેના કેશપાશમાં ધવલ પુ અને ધરોનાં અંકુર ગૂંથેલાં હતાં એવી, મહામૂલ્યવાન આભૂષણેથી અલંકૃત એવી નીલયશા સખીજનેના પરિવાર સહિત, જાણે કે દિશાદેવીએથી પરિવરાયેલી પૃથ્વી હોય તેમ, બહાર નીકળી. તિષીએ કહ્યું, “દેવ ! પ્રશસ્ત નિમિત્ત છે અને શુભ મુહૂર્ત છે, માટે સ્વામી પાદ નીલયશાનું પાણિગ્રહણ કરે.” પછી સેંકડો વાદિત્રો વાગ્યાં, સૌભાગ્યવતીઓએ ગીત ગાયાં અને સૂત તથા માગધીએ પ્રશસ્તિઓ ઉચ્ચારી. પછી ગોઠવવામાં આવેલા નાનપીઠ આગળ હું ગ. નીલયશાને પણ તેનાં સંબંધીઓ ત્યાં લાવ્યાં. નિકાય–વૃદ્ધોએ અને અવિધવા સ્ત્રીઓએ સુગંધી જળથી ભરેલા કનકકલ વડે અભિષેક કર્યો. મંત્ર ધારણ કરનાર પુરોહિતએ અગ્નિમાં હોમ કર્યો, મારો હસ્ત રાજપુત્રીએ ગ્રહણ કર્યો, અમે અગ્નિની પ્રદક્ષિણા કરી અને તેમાં લાાંજલિઓ હમી. આશીર્વાદ સાથે અમને આપવામાં આવેલાં હંસલક્ષણનાં રેશમી વસ્ત્રો અમે પહેર્યો, પ્રેક્ષાગૃહમાં અમે બેઠાં તે સમયે અમને અલંકાર પહેરાવવામાં આવ્યા. પછી કનકની દીવીઓ સળગાવવામાં આવી, એટલે પરિચારિકાઓની સાથે અમે વાસગૃહમાં પ્રવેશ્યાં. જેની આસપાસ ઈન્દ્રનીલમણિને ચક્રવાલ કર્યો હતો તથા સેનાનાં પુષ્પપાત્રમાં મૂકેલાં પુષ્પો વડે જે અત્યંત સુગંધી હતું, જેના ઉપર અનેક પ્રકારની ભાત હતી તથા ર વડે જે વિચિત્ર હતું, જેના ઉપરના ચિત્રકામમાં અનેક પ્રકારના હાવભાવ બતાવેલા હતા, મોટી તળાઈઓના સમુચ્ચયથી જે સુન્દર હતું એવા તથા ભાગીરથીના પુલિન સમાન (સફેદ), પીઠિકાઓની પરંપરાવાળા, ઉપર બેસવા લાયક, જેના ઉપર સારો ચંદર બાંધ્યું હતું તથા પુષ્પની માળાઓ લટકાવી હતી એવા અત્યંત સુખદાયક શયન ઉપર હું બેઠે. સંગસુખથી યુક્ત મારી રાત્રિ સુખથી વીતી ગઈ. પ્રભાતમાં મંગલ વાદિના શબ્દથી હું જાગે, કુશળ પરિચારિકાઓએ મારું પરિકર્મ કર્યું. પછી હું પ્રેક્ષાગૃહમાં ગયો. ત્યાં પથ્ય અને સુખેથી પચી જાય એવું ચખાયુક્ત ભેજન મારે માટે લાવવામાં આવ્યું. પ્રિયાની સાથે હું તે જગ્યા અને મુખવાસ લઈને બેઠે. Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એટલામાં સમુદ્રની ગર્જના જેવો ઘણા લેકેનો કોલાહલ મેં સાંભળ્યો. મેં પ્રતિહારીને પૂછયું, “કોને આ સમુદ્ર જેવો શબ્દ શાથી થાય છે?” તેણે મને વિનંતી કરી, “સાંભળે, સ્વામી !– નીલગિરિ ઉપર શકટાસુખ નગરમાં અંજનસેના દેવીથી થયેલા વિદ્યાધરરાજ નીલધરનાં બે સંતાનો હતાં.-પુત્રી નીલાંજના અને પુત્ર નીલ. તેઓ જ્યારે બાળપણમાં રમતાં હતાં ત્યારે તેમની વચ્ચે એવો કોલ થયો હતો કે, “આપણને જ્યારે બાળક થશે ત્યારે આપણે વેવાઈઓ થઈશું (પરસ્પરનાં સંતાનનાં લગ્ન કરીશું).” નીલાંજના જ્યારે યુવાવસ્થામાં આવી ત્યારે નીલંધર રાજાએ અમારા સ્વામી સિંહદંષ્ટ્રને તે આપી. નીલકુમાર પણ પિતાના દેશમાં રાજા થયેઃ તેને નીલકંઠ નામે પુત્ર થયો. અમારી સ્વામિની (નીલાંજના) ને નીલશા કન્યા જન્મી. રાજા સિંહદંછું એક વાર બૃહસ્પતિશર્મા નામે નૈમિત્તિકને પૂછ્યું હતું કે, “આ કન્યા કોને આપવી? તે કે પતિ પામશે? તમે જ્ઞાનચક્ષુથી અવલોકીને આને ઉત્તર આપ.” તેણે નિમિત્તબળથી ઉત્તર આપે કે, “આ કન્યા અર્ધભરતના સ્વામીના પિતાની ભાર્યા થશે.” રાજાએ પૂછયું, “તે કયાં છે ? અને એને કેવી રીતે ઓળખે?” તેણે કહ્યું, “ચંપાનગરીમાં ચારુદત્તના ગૃહમાં અત્યારે તે રહે છે, અને મહાસરની યાત્રામાં તમારે તેને જે.” પછી નિકાય સહિત દેવીઓ કુમારીને લઈને ગઈ, અને તમને અહીં નીલગિરિ આણ્યા. નીલ નિકાયેવૃદ્ધોની સમક્ષ ઉપસ્થિત થયો અને કહ્યું, “મને પૂર્વે આપવામાં આવેલી આ કન્યાને સિંહદંટ્રે માનવને આપી છે, માટે તેને ન્યાય કરો.” નિકાયવૃદ્ધોએ પૂછયું “એ કન્યા પૂર્વે તેને કેવી રીતે આપવામાં આવી હતી તે કહે.” તેણે ઉત્તર આપ્યો, “બાળપણમાં હું અને નીલાંજના ક્રીડા કરતાં હતાં. ત્યારે અમે કોલ કર્યો હતો કે, “આપણામાંથી કોઈ એકને પુત્ર અથવા પુત્રી થાય, એટલે આપણે વેવાઈઓ થઈશું.” મને નીલકંઠ પુત્ર થયો છે અને નીલાંજના દેવીને નીલયશા પુત્રી થઈ છે. તે કન્યા જન્મી ત્યાર પહેલાં જ મને આપવામાં આવી હતી.” નિકાયવૃદ્ધોએ કહ્યું, “એ કન્યાદાન યોગ્ય નથી. કન્યા પોતાના પિતાને વશ હોય છે. પિતા જ તેનું દાન ન કરે તે બીજું કોઈ તેમ કરી શકતું નથી, તો પછી જમ્યા પહેલાં જ એ કન્યા તમને કેવી રીતે આપવામાં આવી ? પરણાવવામાં આવેલી કન્યા પતિને વશ હોય છે, અને બાળકે ઉપર તેનો અધિકાર ચાલતો નથી. પિતા મરણ પામે ત્યાર પછી જ બાળકો ઉપર માતાને અધિકાર થાય છે. જે રાજા સિંહદંષ્ટ્ર પહેલાં તને કન્યા આપી હતી અને પછી તે પોતે જ જે માનવને આપતો હેત તો તેનું વર્તન અગ્ય ગણત, પરંતુ મૃગજળમાંથી પાણીની આશા રાખનાર માણસ તો નિરર્થક કલેશ પામે છે.” વૃદ્ધોએ આ પ્રમાણે કહ્યું, એટલે નીલ મૂગો થઈને ઊભો રહ્યો. હે સ્વામી! આ કારણથી કોલાહલ થતા હતા.” આમ કહીને પ્રતિહારી ગઈ. હું પણ પ્રિયા નિલયશાની સાથે પાંચ પ્રકારના વિષયસુખના સાગરમાં સુખપૂર્વક Page #290 -------------------------------------------------------------------------- ________________ સોમશ્રી લંભક | [ ૨૩૫ ] વિહાર કરવા લાગ્યો. કોઈ એક વાર નલિયશાએ મને કહ્યું, “આર્યપુત્ર! તમારી પાસે વિદ્યાઓ નથી, એથી વિદ્યારે કદાચ તમારો પરાભવ કરશે. માટે તમે વિદ્યા શીખો. એ વડે તમે દુધર્ષ થશે.” મેં કહ્યું, “ તને રુચે તે પ્રમાણે થાઓ.” પછી તેની અનુમતિથી વિદ્યા ગ્રહણ કરવા માટે હું વૈતાઢ્ય ઉપર આવ્યા. ત્યાં રમણીય પ્રદેશમાં હું પ્રિયા સહિત વિહરવા લાગ્યા. ત્યાં નીલયશાએ સિનગ્ધ અને મનહર, (દર્શનીય) પીંછાંવાળું અને સહજ દેખાતા ચંદ્રકવડે વિચિત્ર પિચ્છકલાપવાળું મોરનું બચ્ચું ફરતું જોયું. અમારી પાસે થઈને જ તે નીકળ્યું તે જોઈને નીલયશાએ કહ્યું, “આર્યપુત્ર! આ મેરના બચ્ચાને પકડી લે, આપણે માટે તે ખેલવાની વસ્તુ થશે. ” મેં કહ્યું, “ભલે.” પછી હું તેની પાછળ ગયો, પણ તે તે વૃક્ષેથી ગહન એવાં વનવિવરોમાં પ્રવેશ્ય અને જોરથી ચાલવા લાગ્યું. એટલે મેં નીલયશાને કહ્યું, “ આ મેરને પકડવાને હું અશકત છું. ખૂબ જ જોરથી ચાલવાને કારણે એ હાથમાં નહિ આવે, માટે તું જ વિદ્યાના બલથી એને પકડી” નીલયશા દોડી અને વિદ્યાના પ્રભાવથી તેની પીઠ ઉપર બેઠી. મેર પણ પિતાની પીઠ ઉપર તેને લઈને દૂર સુધી જઈને, અમારી વચ્ચે અંતર પડયું એટલે, ઊડ. મેં વિચાર કર્યો, “મૃગે રામને છેતર્યા, મને મારે છેતર્યો, ખરેખર મારી પ્રિયાને મેર હરી ગ” પછી હું અટવીમાં ફરવા લાગે. (૫) સમશ્રી લંભક ફરતે ફરતે હું એક દિશામાં આગળ ચાલ્યા. ત્યાં મેં મૃગ જોયા. તે પક્ષીઓની જેમ ઊડીને દૂર સુધી જઈને પછી નીચે ઊતર્યા. મને વિચાર થયે, “જેમનું દર્શન ઉત્તમ ગણવામાં આવેલું છે એવા આ વાતમો (ઊડતા મૃગે) મેં જોયા; આ વસ્તુ મોટા લાભનું નિવેદન કરશે, એમ વિદ્વાન લોકેના મુખેથી સંભળાય છે. ” ત્યાંથી હું આગળ ગયે. ત્યાં મેં યૂથમાં ઊભેલી ગાયે જોઈ. મને જોઈને, મારા શરીરની ગંધથી ઉદ્વિગ્ન થયેલી તે ગાયે સમૂહમાં જ મારી પાસે આવી. તેમની ભીડમાં કચરાઈ ન જવાય તે માટે હું પાસેના વૃક્ષ ઉપર ચઢી ગયે. ગાય પણ આસપાસ વીંટળાઈને ઊંચાં મુખ કરીને ઊભી રહી. તેમને એવી અવસ્થામાં જઈને ગોવાળિયાઓ હાથમાં લાકડીઓ લઈને તે પ્રદેશમાં આવ્યા. તેમણે મને જે. પછી તેઓએ ગાયોને હાંકી મૂકી અને મને પૂછ્યું “ તું કયે ઈન્દ્ર છે? છલ કર્યા સિવાય કહે.” મેં કહ્યું, “હું મનુષ્ય છું, માટે ડરશે. નહીં. બે યક્ષિણીઓ (મારા નિમિત્ત) લડતી હતી, એટલે હું નીચે પડ્યો. માટે કહે, આ કયું ગામ છે? અને પાસે કયું નગર આવેલું છે?” તેઓ બોલ્યા, “ અહીં વેદશ્યામપુર નગર છે, ત્યાં કપિલ રાજા છે. અહીં નજદીકમાં જ ગિરિકૂટ નામે ગામ છે.” મેં કહ્યું, “ત્યાં જવા માટે કર્યો માર્ગ છે?” તેઓ બોલ્યા, “કેઈ માર્ગ તો નથી, પણ Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : દૂધવાળાઓએ જે પગદંડી કરી છે, તેને અનુસરીને જા.” પછી તે પગદંડીએ આગળ ચાલતો હું દૂર સુધી જઈને વાવ, પુષ્કરિણી અને વનખંડથી સુશોભિત ગામની પાસે પહે. તે સ્થાનમાં આવતાં મેં વેદાભ્યાસ કરતા બ્રાહ્મણને જોયા. હું એક પુષ્કરિણુમાં ગયે અને ત્યાં સ્નાન કર્યું. પછી આભરણે કપડાને છેડે બાંધીને હું ગિરિકૂટ ગામમાં ગયે. એક રમણીય આયતન જોઈને તેમાં હું પ્રવેશ્યા. ત્યાં બ્રાહ્મણપુત્રો વેદ ઉચ્ચારતાં ભૂલ પડે એટલે બહાર નીકળી જતા હતા. આ પ્રકાર જેઈને મેં એક બ્રાહ્મણને પૂછ્યું, “ આ બ્રાહ્મણે આ મન્દિરમાં શા માટે વેદાભ્યાસ કરે છે અને ભૂલ પડે એટલે ફરી ફરી કેમ બહાર નીકળી જાય છે? એનું કારણ કહે.” તેણે ઉત્તર આપે, “હે સૌમ્ય! સાંભળો. અહીંના ગ્રામગિક ( ગામધણી ) દેવદેવની સોમશ્રી નામે પુત્રી સેમલેખા જેવી સુન્દર અને મને હર શરીરવાળી, માત્ર કમળથી રહિત હોય તેવી કમલવાસી લક્ષ્મી જેવી તથા ઉત્તમ હસ્ત, ચરણ, નયન અને વદનવાળી છે. તે ઉત્તમ પુરુષની ભાર્યા થશે, એવો આદેશ નૈમિત્તિકે આ હતો. બુધ અને વિબુધની સમક્ષ જે વેદવિષયક પ્રશ્નને જવાબ આપશે, તેને એ કન્યા આપવાની છે. તેથી તેના રૂપ અને જ્ઞાનથી વિચિમત થયેલા બ્રાહ્ય વેદનો અભ્યાસ કરે છે. આ કારણ છે.” પછી મેં પૂછયું, “અહીં મુખ્ય ઉપાધ્યાય કોણ છે?” તેણે કહ્યું, “અહીં મુખ્ય ઉપાધ્યાય બ્રહ્મદર છે. તેનું તેરણયુક્ત ઘર દેખાય છે. ત્યાં જા અને અભ્યાસ કર.” પછી મેં વિચાર્યું, “ શાસ્ત્ર મહાગુણથી યુક્ત છે, માટે પુરુષે સર્વ પ્રયત્નથી તેને અભ્યાસ કરે જોઈએ. ” આમ નિશ્ચય કરીને હું બ્રહ્મદત્તને ઘેર ગયે. આધેડ વયના અને વિનીત વેશવાળા તે ઉપાધ્યાયને મેં જોયા. “હું ગૌતમ ગોત્રને સ્કેન્દિલ છું” એમ બોલતાં મેં તેમને પ્રણામ કર્યા. તેમણે મધુર વચનથી મને કહ્યું, “ભદ્રમુખ! તું ભલે આવ્યું ! આસન ઉપર બેસ.” પછી ગૃહદેવતા જેવી રૂપવતી તથા જેણે માત્ર મંગલ આભૂષણે પહેર્યા હતાં એવી બ્રાહ્મણ બહાર નીકળી. તેને પણ મેં પ્રણામ કર્યા. મને અવલોકીને તેણે કહ્યું, “પુત્ર! અનેક સહસ વર્ષ સુધી તું જીવતે રહે!” પછી મારા પાદશૌચ માટે તેણે દાસીને આજ્ઞા કરી. પાદશૌચ કર્યા પછી મેં બ્રાહ્મણને કડાં આપ્યાં અને કહ્યું, “આ મને દક્ષિણમાં મળ્યાં હતાં, તમે તેને ઉપભેગ કરે.” એ જોઈને તે પ્રસન્ન થઈ. તેણે એ કડાં બ્રહ્મદત્તને બતાવ્યાં, બ્રહ્મદ મને કહ્યું, “કયું શાસ્ત્ર ભણવાની તું ઈચ્છા રાખે છે? જે શાસ્ત્ર હું જાણતા હોઉં તે મારી પાસે ભણવાનો તને અધિકાર છે.” મેં કહ્યું, “આપની અનુમતિથી વેદાથે ભણવા ઈચ્છું છું.” તેણે કહ્યું, “ભલે, પણ વેદ બે પ્રકારના છે. આર્ય અને અનાર્ય. તેમાંથી તું ક્યા શીખવા ઈચ્છે છે?” હું બે, “એ બન્નેને ભેદ મારે સાંભળવો છે.પછી તે બ્રહ્મદત્ત આર્યદની ઉત્પત્તિ કહેવા લાગે ૧. બુધ-વિબુધ એ ગિરિટ ગામમાં કેવલજ્ઞાન પામેલા સાધુઓ હતા. તેમની પ્રતિમાઓ આયતનમાં હતી. બુધ-વિબુધને સંબંધ આ સંભના અંતભાગમાં આવે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ સમશ્રી લંક [૨૩૭] આર્યવદની ઉત્પત્તિ આ ભરતક્ષેત્રમાં યુગલિકે રૂપી કુમુદોને વિકસાવવામાં ચંદ્ર સમાન વિમલવાહન આદિ સાત કુલકર થઈ ગયા છે. તેમાંના સાતમા નાભિને મરુદેવા ભાર્યા હતી, તથા રષભ નામે ત્રિભુવનના ગુરુ તથા ઈક્વાકુ વંશના તિલક સમાન પુત્ર હતો. તેને જન્મ થતાંવેંત જ દેએ મેરુશિખર ઉપર તીર્થકરના અભિષેકથી તેને અભિષેક કર્યો હતે. પ્રજાહિત કરનાર શ્રી ઋષભદેવ મોટા થયા એટલે કલાવિધાન અને સેંકડે પ્રકારની કારીગરીનો ઉપદેશ કરીને, રાજધર્મ પ્રવર્તાવીને, વીસ લાખ પૂર્વ સુધી કુમારવાસમાં રહીને તથા ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યલક્ષમી ભેગવીને, સો પુત્રને સે જનપદ વહેંચી આપીને ચાર હજાર ક્ષત્રિો સાથે તેમણે દીક્ષા લીધી. પછી એક હજાર વર્ષ પુરિમતાલપુરમાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભરતના પુત્ર રાષભસેનને પ્રથમ ગણધર તરીકે તથા ભરતની બહેન બ્રાહ્મીને પ્રથમ પ્રવત્તિની પદે સ્થાપીને ભવ્ય જનને, શરદકાળને સૂર્ય જેમ કમલવનેને વિકસાવે તેમ, પ્રતિબોધ પમાડતા તેઓ વસુધામાં નિર્વિદને વિહરવા લાગ્યા. - ભરત એ ભગવાન રાષભદેવનો પહેલો પુત્ર હતો. ભગવાનના કેવલજ્ઞાનોત્પત્તિના દિવસે તે ભારતને ત્યાં ચકાદિ ચૌદ રત્ન ઉત્પન્ન થયાં હતાં. જેને ત્યાં રત્ન ઉત્પન્ન થયાં છે એવા તેણે સાઠ હજાર વર્ષે ભરતક્ષેત્ર ઉપર દિગ્વિજય કર્યો. પછી વિનીતા (અયોધ્યા)નગરીમાં તેને મહારાજ્યાભિષેક થયા. પછી ભગવાન ઋષભશ્રી રાશી હજાર ઋષિઓ અને ત્રણ લાખ આર્યાઓ સાથે વિનીતા નગરીમાં સમોસર્યા. પછી ભરતરાજાએ ૩૬. રસોઈયાઓને આજ્ઞા કરી, “જ્યાં સુધી ભગવાન તીર્થકરને વંદન કરવાને હું જાઉં ત્યાં સુધીમાં સાધુને યેગ્ય વિવિધ પ્રકારનાં આહાર-પાણું તૈયાર કરો.” ભરત ત્યાં પહોંચ્યો અને ભગવાન પરમગુરુને વંદન કરીને તેમની ઉપાસના કરવા લાગે. ઈન્દ્રાદિ દેવે પણ ત્યાં આવ્યા. પછી રસોડાના અધિકારીઓ ત્યાં આવ્યા, અને વંદન કરીને ભારતને કહેવા લાગ્યા, “સ્વામી ભેજન આપ્યું છે.” ભરતે વંદન કરીને શ્રીષભદેવને કહ્યું, “તાત! સાધુઓ અને સાધ્વીઓ આહાર–પાણું ભલે ગ્રહણ કરે.” રાષભસ્વામીએ કહ્યું, “ભરત! સાધુઓ માટે જે આહારપાણ અહીં લાવવામાં આવ્યાં છે તે રાજપિંડ હાઈને સાધુઓનાં વતેને માટે વિનકર છે; સાધુઓને એ ન કલ્પે.ભગવાને આમ કહ્યું એટલે “નાથે મારે સર્વથા ત્યાગ કર્યો” એમ વિચારીને ભરત ઉદાસ થઈને ઊભે રહ્યો. એટલે તેના ચિત્તને પ્રસન્ન કરવા નિમિત્તે ઈન્દ્ર ભગવાનને પૂછયું, “અવગ્રહ (ગ્રહણ કરવા ગ્ય વસ્તુ) કેટલા પ્રકાર છે?” ભગવાને કહ્યું, ઈન્દ્ર! પાંચ પ્રકારનો અવગ્રહ છે: દેવેન્દ્ર-અવગ્રહ, રોજ–અવગ્રહ, ગૃહપતિ–અવગ્રહ, સાગરિક (ઘરને માલીક)–અવગ્રહ અને સાધર્મિક–અવગ્રહ.” પછી દેવરાજે પૂછયું, વામી ! ભરત ઉપર મારે અધિકાર ખરો કે નહીં?” ભગવાને કહ્યું, “જ્યાં સુધી ચક્રવતી Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ]. વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ ઃ અધિપતિ હોય ત્યાં સુધી ઈન્દ્રનો અધિકાર ચાલતો નથી. ચક્રવતી ન હોય ત્યારે તેને અધિકાર ચાલે છે.” ત્યારે ઈન્કે કહ્યું, “જ્યારે મારો અધિકાર ચાલશે તે સમયને માટે સાધુઓને માટે હું આ પ્રમાણે અવગ્રહની અનુજ્ઞા આપું છું-દ્રવ્યથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે, ક્ષેત્રથી લોકોઃ સુધી, કાળથી બે સાગરોપમ અને ભાવથી સૂક્ષ્મ વિશેષ (બધી વસ્તુઓ).” આ સાંભળી ભરતે વિચાર કર્યો, “ઈન્દ્રનો તે જ્યારે અધિકાર ચાલશે ત્યારે તે અનુજ્ઞા આપશે, પણ હું તો અત્યારે જ ઊભો થઈને પૂછી જોઉં.” પિતાને વંદન કરીને તેણે પૂછ્યું, “તાત! કેટલા ભારતવર્ષ ઉપર અધિકાર ધરાવું છું?” સ્વામીએ કહ્યું, “ તું આખાયે ભરતવિજય ઉપર અધિકાર ધરાવે છે. તારી અનુમતિથી હું ભારતમાં મનુષ્યોને દીક્ષા આપીશ. તે અનુજ્ઞા આપીશ, એટલે તને કર્મોની નિજેરારૂપી વિપુલ ફળ મળશે. જે અચિત્ત દ્રવ્ય શ્રમણના ઉપયોગમાં આવશે તેને પણ તું સ્વામી છે” એટલે આનંદિત થઈને ભરત વિનંતી કરવા લાગ્યા, તાત! જે કોઈ સ્ત્રી અથવા પુરુષની પ્રવજ્યા લેવાની ઈચ્છા હોય તેને હું અનુજ્ઞા આપું છું. જે મારા સ્ત્રીરત્નને દીક્ષા લેવી હોય તે તેની તથા સાધુસમુદાયના ઉપયોગમાં જે દ્રવ્ય આવે તેની પણ હું અનુજ્ઞા આપું છું.” આ પ્રમાણે ભારતે કહ્યું, એટલે તીર્થકરના વચનામૃતથી સંસિદ્ધ થયેલા ભારતના પાંચ પુત્ર અને સાતસો પૌત્રોએ એકી સાથે દીક્ષા લીધી તે અદ્દભુત જેવું થયું. પછી ભારતે ઈન્દ્રને કહ્યું, “દેવ! અમે તે તીર્થકરની સમીપમાં જ વસીએ છીએ, એટલે તીર્થકરને વંદન અને અમારા સંશોનું છેદન એ વસ્તુ તે અમારે સ્વાધીન જ છે, પરંતુ તમારે તે વંદન કરવાને માટે મનુષ્યલોકમાં આવવું પડે છે.” ઈન્ડે કહ્યું, “જે સંશયને અંધકાર દૂર ન થતું હોય તે દૂર કરવા માટે અમારે તીર્થકર સમીપે આવવું પડે છે. પણ જે વંદન, પર્યું પાસના તથા પૂજા તે તો સ્વર્ગમાંનાં સિદ્ધાયતની પ્રતિમાઓમાં તીર્થકરની ભાવના રાખીને કરવામાં આવે છે.” આ સાંભળીને વર્ધકીરત્નવડે ભરતે જિનમન્દિર કરાવ્યાં. સાધુજનો માટે તૈયાર કરાવેલું ભેજન સમેસરણમાં આવેલા શ્રાવકને તપ અને શીલથી યુક્ત જાણીને ઈન્દ્રની સૂચનાથી તેણે જમાડયું. ફરી પાછું ભરતે ઈન્દ્રને કહ્યું, “દેવ ! તમારું દેવલેકમાં જેવું રૂપ છે તેવું મને બતાવે.” ઈન્ડે કહ્યું, “ભરત! મારું દિવ્ય રૂપ પૃથજનો જોઈ શકતા નથી. તેને તેને માત્ર એક અંશ બતાવું છું.” પછી ઈન્ડે પિતાના પરમ રૂપની ભૂષણયુક્ત ટચલી આંગળી ભરતને બતાવી. તે જોઈને પછી તેવી આકૃતિની સ્થાપના કરવામાં આવી, અને તેનો ઉત્સવ કરવામાં આવ્યું. ત્યારથી ઈન્દ્રમહોત્સવ પ્રવર્યો. પછી ભારતે શ્રાવકેને આજ્ઞા કરી, “તમે દરરોજ મારા ગૃહમાં જમો, અને જમીને પછી “આપ જીતાયેલા છે” એમ કહો. દુગ્ધપ્રધાન મિણ ભેજન જમીને તેઓ પોતાને Page #294 -------------------------------------------------------------------------- ________________ સામશ્રી લલક [ ૨૩૯ ] જમણેા હાથ ઊંચા કરીને રાજાધિરાજને ‘આપ જીતાયેલા છે!' એમ કહેવા લાગ્યા. એટલે તે ભરત વિચાર કરવા લાગ્યા, “ સાગર અને હિમવત પર્યંત જેની મર્યાદા છે એવા ભારતવર્ષ મે જીત્યા છે. મને કાણુ જીતી શકવાનું હતું? ” પણ પછી પેાતાની બુદ્ધિથી વિચારતાં તેના મનમાં એમ થયું, “ સત્ય છે, ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત એવા મને અનિયંત્રિત રાગદ્વેષે પરાજિત કરે છે. ” એ પ્રમાણે સમય જતા હતા ત્યારે રાજદનને દેવદન સમાન ગણતા કેટલાક લેકા કુતૂહલથી પણ શ્રાવકાની સાથે રાજમહેલમાં પ્રવેશતા અને આશીર્વાદ આપતા હતા. ભેાજનના અધિકારમાં દ્વાર ઉપર ઊભા રાખવામાં આવેલા પુરુષાએ તેમને તે પ્રમાણે આવેલા જાણીને રાજાંને નિવેદન કર્યું, “ દેવ ! શ્રાવકપણાના બહાના નીચે ઘણા લોક ભાજનસ્થાનમાં આપતું દન કરવાને માટે પ્રવેશે છે; માટે આ બાબતમાં આપની આજ્ઞા પ્રમાણુ ગણાશે. ” એટલે ભરતે વિચાર કરીને કહ્યું, “ ભલે, તેના નિર્ણય હું કરીશ.” હવે, પેલા( કુતૂહલથી પ્રવેશતા લેાકેા )ની પ્રતિજ્ઞા હતી કે-પ્રાણિવધ કરવા નહીં. જીવાને નહીં હણવાના કારણથી તેઓ માદળ (બ્રાહ્મણ) કહેવાતા હતા. તેમને મેલાવીને રાજાએ પૂછ્યું, “ તમારામાંથી જેનાં જેટલાં વ્રતા હાય તે તેટલાં મને કહેા, ” એટલે તેમાંના પ્રત્યેક જણ પેાતાનાં તપ, શીલ અને ગુણવ્રતા કહેવા લાગ્યા. પછી તેમાં જે પાંચ અણુવ્રત ધારણ કરનારા હતા તેમને રાજાએ કાકિણી-રત્નથી એક વૈક્ષિક (ઉત્તરીય નંખાય તે પ્રમાણેની) રેખા કરી; જે ત્રણ ગુણવ્રત અને અણુવ્રત ધારણ કરનારા હતા તેમને એ રેખાએ કરી; જેએ અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રત ધારણ કરનારા હતા તેમને ત્રણ રેખાએ કરી. આ પ્રમાણે અંકિત કરવામાં આવેલા બ્રાહ્મણેા પ્રસિદ્ધ થયા. તેમના જે આચારધર્મ તે એક લાખ લેાકપ્રમાણ ગ્રન્થમાં બાંધવામાં આવ્યેા. પછી તેએ અગિયાર ઉપાસકપ્રતિમા( શ્રાવકોએ કરવા ચેાગ્ય નિયમવિશેષ )ના વિધાન સહિત, શીલવ્રતા અને નિયમે વડે વિભૂષિત, મરણવિધિ, સુગતિગમન, સુકુલમાં પ્રત્યાગમન આદિથી તથા બેાધિપ્રાપ્તિના ફળથી યુક્ત, નિર્વાણુમાં જવાના સારભૂત ઉપદેશ જેમાં આપેલે છે એવા તથા પરમ ૠષિએ ઉપદેશેલા આ વેદનું અધ્યયન કરવા લાગ્યા. શ્રીઋષભદેવનું નિર્વાણુ ભગવાન જગદ્ગુરુ ઋષભસ્વામી ૯૯ હજાર પૂર્વ સુધી કેવલી અવસ્થામાં વિહરીને ચૌદ ભક્ત પર્યંત અપવાસ કરીને વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરશના દિવસે અભિજીત નક્ષત્રમાં અષ્ટાપદ પર્વત ઉપર દશ હજાર સાધુએ તથા નવાણું પુત્રા અને આઠ પૌત્રાની સાથે એક સમયે નિર્વાણ પામ્યા. બાકીના અણુગારા પૈકી દસ હજારમાં એક સેા આઠ જેટલા આછા(૯૮૯૨)અણુગારા તેજ નક્ષત્રમાં જુદા જુદા સમયાન્તરમાં સિદ્ધિમાં ગયા. પછી તીથંકરના સિદ્ધ શરીરને તથા ઇક્ષ્વાકુવંશના તેમજ અન્ય અણુગારાનાં સિદ્ધ શરીરને ત્રણ શિખિકાઓમાં Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: મૂકીને પરમ સંવિગ્ન ભરતરાજા, સુર અને અસુરના અધિપતિઓ તથા ઈન્દ્રાદિ દેવે વારિત્રના મોટા નિનાદ સહિત કુસુમની વૃષ્ટિ કરતા થોડેક દૂર લઈ ગયા અને ત્યાં ગોશીષ ચંદનની ચિતાઓમાં એ શરીરને મૂકયાં. યથાનુક્રમે શ્રુતિમધુર સ્તવનવડે સ્તુતિ કરતા દેવો અને ગન્ધ અપ્સરાઓ સહિત એ ચિતાઓની પ્રદક્ષિણા કરવા લાગ્યા. પછી ઈન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવોએ અગ્રિમુખને વિકુવીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ત્યારથી “દે અગ્નિમુખ છે” એ કથન કેમાં રૂઢ થયું. પછી મોટા પ્રમાણમાં સુગંધી ગન્ધદ્ર, ઘી અને મધ ચિતામાં નાખીને દેએ સિદ્ધશરીરોનું દહન કર્યું. પછી ઉદધિકમાર દેએ ક્ષીરદ સાગરના સલિલથી ચીતાઓ એલવી. ઈન્દ્રોએ મંગલાથે જિનશરીરની દાઢે લીધી, રાજાઓએ સિદ્ધોના શરીરના અવય(નાં અસ્થિ) લીધાં અને લોકો તથા બ્રાહણે ચિતામાંથી અગ્નિ પોતાને ઘેર લઈ ગયા. એ અગ્નિને સ્થાપન કરીને તેઓ તેનું પ્રયત્ન પૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા. કેઈને ઉગ્ર શરીર પીડા થઈ હોય તો એ ભસ્મનું લેપન કરવાથી તે સ્વસ્થ થતા હતા. પછી તેઓ એ અગ્નિનું ચંદનકાઇથી સંરક્ષણ કરવા લાગ્યા. ભરત રાજા પણ પૂજા કરવા લાગ્યો. તે સમયે બ્રાહ્મણોના અગ્નિકુંડની ઉત્પત્તિ થઈ. ભરતે જિનેશ્વરની નિર્વાણભૂમિ ઉપર સ્તુપ કરાવ્યો અને તેને મહિમા કરવા લાગ્યા. બ્રાહ્મણે પણ જિનેશ્વર પ્રત્યેની ભક્તિથી અને ચક્રવતીની અનુમતિથી તેની પૂજા કરવા લાગ્યા. જિનેશ્વર અને ચક્રવતી પ્રત્યે ભક્તિ રાખનારા તેઓ ત્યાં એકત્ર થવા લાગ્યા. આદિત્યયશ વગેરે (ભરતના વંશજોએ) બ્રાહ્મણને સુવર્ણસૂત્રો આપ્યાં. આ પ્રમાણે આર્યોના વેદોની અને બ્રાહ્મણની પ્રથમ ચક્રવતી ભરતથી ઉત્પત્તિ થઈ. આ શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ ( આર્યવેદ ) કાળે કરીને સંક્ષિપ્ત થતાં અલ્પ પ્રમાણમાં ટકી રહ્યો છે. આ રીતે આર્યવેદ ઉત્પન્ન થયે. હે ઋદિલ! હવે તું અનાર્યોના વેદની ઉત્પત્તિનું કારણ સાંભળ– અનાર્યવેદની ઉત્પત્તિ–સગરને વૃત્તાત ચારણયુગલ નામે નગર છે. ત્યાં અધન નામે રાજા હતા. તેની દિતિ નામે મહાદેવી હતી. તેની સુલસા નામે પુત્રી હતી. તે પરમ રૂપવતી, સુરાંગનાઓને પણ વિરમય પેદા કરનાર અને રૂપલક્ષમી વડે કરીને કમલવનમાંથી નીકળેલી લક્ષમી સમાન હતી. તેને જોઈને તથા એ પ્રકારની રૂપવતી તેને જાણીને પિતા અને તેને સ્વયંવર આપે. કારણ જાણીને રાજાઓ એકત્ર થયા. અપરાજિત, જિતભય, ભીમ, અરી, સમ, ભીષણ, મઘવન, સુજાત, મધુપિંગલ, હિરણ્યવર્મ, ઘરથ આદિ કુલ-શીલ-વિજ્ઞાનશાલી અનેક રાજાઓ આવ્યા. એ સમયે સાકેત (અયોધ્યા) નગરમાં સાગર નામે અધિરાજા હતા. તેની મંદોદરી નામે ૧ એવા પુરુષો કે જેમના મુખમાંથી અગ્નિ પેદા થાય. Page #296 -------------------------------------------------------------------------- ________________ સેમી લંક [ ૨૪૧ ] માનીતી પ્રતિહારી હતી. વિશ્વભૂતિ નામે તેને બહુશ્રુત પુરહિત હતે. સગરે પિતાની પ્રતિહારીને અધનને ત્યાં મોકલી કે, “સ્વયંવરનો દિવસ જાણે લાવ.” એટલે પ્રતિહારી દિતિ દેવીના ગૃહે ગઈ. તે વખતે દિતિ સુલતાની સાથે અમદવનમાં લતાગ્રહમાં વાત કરતી બેઠી હતી. દેવીનાં પરિજનોએ નહીં અટકાવેલો મંદદરી પ્રમદવનમાં પ્રવેશી. પછી નજદીક આવીને “મા-દિકરીની ગુપ્ત વાતો સાંભળું” એમ વિચારીને તે છુપાઈને ઊભી રહી. એ સમયે દિતિ રડતી હતી, તેને સુલસાએ કહ્યું, “માતા ! તું રઈશ નહીં. માતા-પિતાએ જેનું દાન આપ્યું છે એવી કન્યા માતા-પિતાથી અવશ્ય જુદી પડે છે. ” દિતિએ કહ્યું, “ બેટા ! તારાથી વિયોગ થશે એમ વિચારીને હું રડતી નથી. તારા પિતાએ તને સ્વયંવર આપે છે, એટલે તું આપણું કુલધર્મનું ઉલ્લંઘન કરીશ એમ વિચારતાં મને માનસિક દુઃખ થયું.” કન્યા બોલી, “એવું કેમ બોલે છે? અમંગળ કેમ કરે છે? હું કુલધર્મનું ઉલ્લંઘન કરીશ, એવી શંકા તને કેમ થઈ?”દિતિએ કહ્યું, “હે બેટા ! સાંભળ સુર અને અસુરોના અધિપતિઓનાં વૃએ જેમનાં ચરણકમળમાં વંદન કરેલું છે એવા જગતપિતામહ ઝાષભદેવ નામે પ્રથમ રાજા આ નગરમાં હતા. તેમને સો પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ એ બે મુખ્ય હતા. ઇષભદેવે સો પુત્રને સો નગર અને સો જનપદ આપીને દીક્ષા લીધી. તેમાં ભારત ભારતવર્ષના ચૂડામણિ સમાન હો, અને તેના નામથી જ આ ભૂમિ ભરતવર્ષ નામથી ઓળખાય છે. તે ભારત વિનીતા નગરીને અધિપતિ હતો. બાહુબલિ હસ્તિનાપુર અને તક્ષશિલાને સ્વામી હતો. ભરત રાજાના આયુધગૃહમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી ચક્રરને માર્ગ દર્શાવ્યા પ્રમાણે ગંગા મહાનદીના દક્ષિણ કિનારેથી ભરતવર્ષ ઉપર વિજય કરતા, પૂર્વમાં માગધતીથકુમાર વડે “હું દેવને આજ્ઞાકારી અંતપાલ (સીમાડાને રક્ષક) છું” એ પ્રમાણે પૂજાયેલે, દક્ષિણમાં વરદામતીથકુમાર વડે પ્રણામપૂર્વક સત્કારાયેલ, પશ્ચિમમાં પ્રભાસ(તીથકુમાર) વડે સન્માનિત થયેલે, પછી સિધુદેવી અને વૈતાઢ્યકુમાર વડે પ્રણામ કરાયેલે, તમિસાગુહાના અધિપતિ કૃતમાલ દેવે જેને માર્ગ આપે છે એ, ઉત્તરાર્ધભરતના નિવાસી ચિલાત (ભિલ) લેકને પક્ષ કરનાર મેઘમુખ દેવોએ કરેલા મેઘવર્ષાના ઉપસર્ગનું નિવારણ કરવા માટે છત્ર અને ચર્મરત્નને જાણે કે સંપુટ કરીને જેણે સેનાનું રક્ષણ કર્યું હતું એ, હિમવંતકુમારે વિનયપૂર્વક જેને સન્માન અને પ્રણામ કર્યા હતાં એવો, ઋષભકૂટ પર્વત ઉપર જેણે પિતાનું નામ અંકિત કર્યું હતું એ, જેના સેનાપતિએ સમુદ્ર અને ૧. મગધ તીર્થને અધિષ્ઠાતા દેવ. ૨. વૈતાઢયની એક ગુફા. 5. છત્રરત્નની નીચે બેસવાથી વરસાદ ન પડે. ચર્મરત્ન પાથરીને તે ઉપર સૈન્ય બેસે, એટલે પાણી ઉપર તે તરે. ઉપર છત્રરત્ન અને નીચે ચર્મરત્ન એ રીતે જાણે કે એક પ્રકારને સંપુટ રચીને તે વડે મેઘમુખ દેના ઉપસર્ગમાંથી ભરતે પિતાના સૈન્યનું રક્ષણ કર્યું હતું. ૩૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - [ ૨૪૨ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : હિમવંત પર્વતની વચ્ચેના પ્રદેશ ઉપર વિજય કર્યો હતો એ, નમિ અને વિનમિ એ વિદ્યાધરોના અધિપતિઓએ જેને સ્ત્રીરત્ન ભેટ ધર્યું હતું એ, ગંગાદેવીએ જેને પ્રણામ કર્યા હતાં એ, હિમવંત, વૈતાઢ્યની ગુફા અને ગંગા નદીના પૂર્વભાગ ઉપર જેણે વિજય મેળવે છે એ જે ખંડપ્રપાતા ગુફામાંથી બહાર નીકળે છે તથા જેને નવનિધિ પ્રાપ્ત થયા છે તેમજ ગંગા અને વૈતાઢ્ય વચ્ચેના પ્રદેશના રાજાઓએ જેને રત્નપૂર્ણ કેશ ભેટ મોકલે છે એવો તે ભરત વિનીતા નગરીમાં પાછા આવ્યા. પછી મહારાજાધિરાજ તરીકે પોતાને અભિષેક થયા પછી ભારત પિતાના અઢાણું ભાઈઓને કહેવા લાગ્યો, “સાઠ હજાર વર્ષે મેં વિદ્યારે સહિત ભરતવર્ષ ઉપર વિજય કર્યો છે. તમે મારા પ્રદેશમાં રહો છે, માટે મારી સેવા કરે અથવા મારા પ્રદેશમાંથી બહાર નીકળી જાઓ.” ત્યારે ભાઈઓએ કહ્યું, “આ પ્રદેશે પિતાએ અમને આપ્યા છે, માટે અમને આજ્ઞા આપવાને તમે યેગ્ય નથી.” પણ જ્યારે ભરત પિતાની સેવા નિમિત્તે તેમને વારંવાર દબાણ કરવા લાગે ત્યારે તે સર્વે શ્રી ઋષભદેવની પાસે ગયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા, “તાત! તમે અમારા ઉપર કૃપા કરી હતી, પણ ભરત અમને હેરાન કરે છે, માટે અમારે શું કરવું તે કહે. ” ભગવાને વૈરાગ્યજનક વચને વડે તેમને બેધ આપે અને સર્વોચ્ચ દેવભાવનું તેમને સ્મરણ કરાવ્યું. પછી વૈકાલિક વૃત્ત (ભૂતકાલીન વૃત્તાંત દ્વારા સંબધિત થયેલા અને તીર્થકર ભગવાનના વચનામૃત વડે સંસિક્ત થયેલા હૃદયવાળા તે ચરિમશરીરી–તભવમોક્ષગામી અઠ્ઠાણું જણા હાંસોંસીની વાત મૂકી દઈને શ્રમણો થયા. બાહુબલિનું ભારત સાથે યુદ્ધ, દીક્ષા અને જ્ઞાનેત્પત્તિ પછી તેમના પુત્રોને રાજ્ય સોંપીને ભરતે તક્ષશિલાધિપતિને (બાબલિને) દૂત મેક કે, “મારી સેવા કર.” બાહુબલિએ દૂતને કહ્યું, “ભલે, ભરતે ભરતવર્ષ છત્યે છે, તેના સિવાય બીજો કેણુ પ્રભુત્વને મેગ્ય છે ? પણ પિતાએ મને જે ભૂમિભાગ આપે છે તેને પણ જે બીજા રાજાઓના જેવો જ કરવાનું તે કહેતા હોય તે એ બરાબર નથી. ” આ સમાચાર લઈને દૂત ભારતની પાસે ગયો, તથા તેણે બધી વાત નિવેદન કરી. પછી ભરત પિતાના સર્વ સૈન્ય સહિત તક્ષશિલાના પ્રદેશ તરફ ઊપડ્યો. બાહુબલિ પણ પોતાના પ્રદેશમાંથી બહાર આવ્યું. રાજ્યના સીમાડા ઉપર બને આવ્યા. પછી તેમનું ઉત્તમ પ્રકારનું યુદ્ધ થતાં દષ્ટિયુદ્ધમાં પરાજિત થયેલે ભરત બાહુબલિ વડે જીતાઈ ગયે. પછી મધ્યમ પ્રકારનું મુણિયુદ્ધ શરૂ થયું. તેમાં પણ પિતાને જીતાયેલે જાણીને ભારત વિચાર કરવા લાગ્યા, “શું હું ચક્રવતી નહીં હોઉં ? બાહુબલિ મારાથી ૧. સામસામું જોતાં ભારતની આંખ મીંચાઈ ગઈ. Page #298 -------------------------------------------------------------------------- ________________ સમશ્રી લંભક [ ૨૪૩] અધિક બળવાળે છે.” એ વખતે દેવતાએ તેના હાથ ઉપર ચક્ર મૂકયું. તે જોઈને બાહુબલિ બોલ્યો, “ તું અધમ યુદ્ધને આશ્રય કરે છે, અને મુણિયુદ્ધથી છતા, એટલે હાથમાં આયુધ લે છે.” ભરત બોલે, મારી ઈચ્છાથી મેં એમ કર્યું નથી; દેવતાએ મારા હાથમાં શસ્ત્ર મૂક્યું છે. ” પછી બાહુબલિ બોલ્યો, “લકત્તમ પુરુષને પુત્ર હોવા છતાં પણ તું જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તે પછી પૃથજનની તે વાત જ શી ? અથવા તારો દોષ નથી; “ આ તે શ્રીષભદેવનો પુત્ર છે ” એ પ્રમાણે લોકો વડે પ્રશંસા પામેલા તે વિષયલોલુપતાને કારણે અકાર્ય કર્યું છે. જે તારા જેવા પ્રધાન પુરુષો પણ વિષયને વશ થઈને અકાર્ય કરવામાં ઉદ્યત થાય છે, તે પછી જેને આ પ્રકારને પરિણામ છે એવા વિષયભેગોથી મારે બસ થાઓ. ” એમ વિચારીને સર્વ હિંસક પ્રવૃત્તિઓને બાહુબલિએ ત્યાગ કરી દીધું. “ જેને કેવલજ્ઞાન થયું નથી એવો હું મારા નાના ભાઈઓને કેવી રીતે મળું ? ' એમ વિચારીને તે શરીરને વસરાવીને રહ્યો. જેને પશ્ચાત્તાપ થયો છે એ ભરત તેને મનાવવા લાગ્યા, પરંતુ આખાયે ભરતનું રાજ્ય આપવાનું કહ્યાા છતાં, પ્રશસ્ત ધ્યાનમાં રહેલા તથા મંદર પર્વતની જેમ સ્થિર અધ્યવસાયવાળા તે ભગવાને એ અનુનય-વચને ચિત્તમાં ધર્યા નહીં. પછી ભરત રાજા બહુબલિના પુત્રને રાજ્ય આપીને પિતાના નગરમાં આવે. બાહુબલિ વૃક્ષના કૂઠાની જેમ એક સંવત્સર સુધી ઊભા રહ્યા અને નજીકમાં ઊગેલી અતિમુક્તકની વેલે તેમને વૃક્ષની જેમ વીંટી વળી. ગણુ સહિત વિહાર કરતા ભગવાન બાષભદેવ તક્ષશિલામાં સમોસર્યા. બ્રાહ્મી આર્યાએ તેમને પૂછ્યું, “ ભગવન્! દુષ્કર તપમાં ઉઘત અને પૃથ્વીની જેમ સર્વ સ્પર્શીને સહન કરતા પરમ ભેગી બાહુબલિને કેવલજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? ” ભગવાને કહ્યું, “ આયે ! માનરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. “ કૃતાર્થ એવા મારા નાના ભાઈઓને હું કેવી રીતે વંદના કરું ?” એવો પરિણામ તેના મનમાં થયેલો છે. એમાંથી જે નિવૃત્ત થાય તો તેને કેવલજ્ઞાન થાય. ” બ્રાહ્મીએ ભગવાનને પૂછયું, “મારી પ્રેરણાથી જે તે માન મૂકી દે તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ખરી? ” ત્યારે ભગવાને કહ્યું, “હા.” પછી બાહુબલિના અંતઃપુર સહિત ભગવતી બ્રાહ્મી જે પ્રદેશમાં મહાત્મા બાહુબલિ રહેલા હતા ત્યાં ગઈ. પ્રતિમામાં રહેલા, તપના તેજથી દેદિપ્યમાન, જેમને માટે તાપસ “ આ તો અમારા દેવતા છે ” એમ બહુમાનપૂર્વક માનતા હતા, પલાશપટ્ટ ( એક પ્રકારના વસ્ત્ર ) વડે વીંટળાયેલે જાણે કે ઈન્દ્રધ્વજ હોય તેવા, જમરના સમૂહનું રૂપ ધારણ કરનાર જટાઓ વડે શિખર ઉપર અંજન ધાતુ ધારણ કરનાર જાણે કે કનકપર્વત-મેરુ હોય તેવા દેખાતા તથા એક જ વસ્તુ ઉપર સ્થિર કરેલી પ્રસન્ન દષ્ટિવાળા બાહુબલિને તેમણે જોયા. “ અહો ! આશ્ચર્ય છે કે જંગમમાં શ્રેષ્ઠ હોવા છતાં સ્વામી સ્થાવર થયા છે ! સુખ ભેગવવાને લાયક ત્વચા વડે તેમણે ટાઢ, તડકે Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : અને વરસાદના ત્રાસને શી રીતે સહન કર્યો હશે ? ” એ પ્રમાણે કરુણું વચન બોલતી દેવીઓએ બાહુબલિને વંદન કર્યું. તેમણે (બાબલિના શરીર ઉપર વીંટાયેલી) વેલે ઉખાડી. જાણે કે પ્રત્યક્ષ સરસ્વતી હોય એવી બ્રાહ્મીએ બાહુબલિને કહ્યું, “ જેકાર્ય ! તાત આજ્ઞા કરે છે કે–જે માન રાખે તેને કેવલજ્ઞાન થતું નથી. માટે તીર્થકરની પાસે જાઓ. ” વિશુદ્ધ વેશ્યાવાળા બાહુબલિના શ્રવણમાં આ વચન અમૃતની જેમ પ્રવેશ્ય. ત્રિકના ગુરુના ચરણમાં હું ન ગયે, એ મેં બેટું કર્યું એમ વિચાર કરતા બાહુબલિ અપૂર્વકરણમાં પ્રવેશ્યા. જેમને મહાવરણને અંતરાય ચલિત થયો છે એવા તેમણે પગ ઊપાડ્યો તે સમયે તેમને કેવલજ્ઞાન થયું. બ્રાહ્મીએ અને રાણીએાએ તેમને વંદન કર્યું. પાસે રહેલા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને તેઓ શ્રવણમધુર સ્તુતિ કરવા લાગ્યા. સર્વજ્ઞ બાહુબલિ પણ ભગવાન રાષભસ્વામી પાસે ગયા, અને કેવલીની પર્ષદામાં પ્રવેશ્યા. જેણે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે એવી બ્રાહ્મી પણ તીર્થકરના ચરણ સમીપ ગઈ. એક વાર (ભરતના પુત્ર) આદિત્યયશ અને (બાહુબલિના પુત્ર) સોમપ્રભ પરસ્પર સંકેત કર્યો, “બધા રાજાઓ આપણું સેવકે છે, માટે તેમને જે આપણે પુત્રીઓ આપશું તે તેઓ ગર્વિત થઈ જશે માટે આપણે બે કુળ ભલે મુખ્ય રહે, આપણે પરસ્પરને કન્યાદાન આપીએ તે સારું થશે.” પછી બાહુબલિના વંશમાં અજિત, જય, સંજય, વિજય, વૈજયંત, શંખ, મેઘરથ, સમબિન્દુ, ધુંધુમાર આદિ અસંખ્યય રાજાઓ થઈ ગયા, તેમજ સનકુમાર, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, સુબૂમ એ ચક્રવતીએ તથા તદ્દભવક્ષગામી (અન્ય) રાજાઓ પણ થઈ ગયા. તે પછી બાહુબલિના પ્રસિદ્ધ વંશમાં તૃણપંગુ નામે રાજા થયે. તેની હું બહેન છું. તારા પિતા અયોધનની બહેન સત્યયશા તે તૃણપંગુ રાજાની મહાદેવી હતી. તેને પુત્ર મધુપિંગલ નામે રાજા થયે. હે પુત્રિ! એ પ્રમાણે સમય જતાં ભરત-બાહુબલિના વંશની કન્યાઓનું લગ્ન અરસપરસના કુળમાં જ થવા લાગ્યું. તે પણ પ્રથમ ચક્રવતી ભારતના વંશમાં થયેલી છે, પણ કોણ જાણે રૂપથી મોહ પામીને તું કોને વરીશ-આ વિચાર થવાથી હું રડતી હતી.” ત્યારે સુલતાએ દિતિ દેવીને કહ્યું, “માતા! મારાથી કુલધર્મને વિનાશ નહીં થાય. સર્વ રાજાઓમાંથી હું મધુપિંગલને જ વરીશ.” આ સાંભળીને મંદિરો પ્રતિહારી “આ સત્ય હકીકત છે” વિચારીને થોડેક દૂરથી પાછી વળી દિતિદેવી પાસે ગઈ. દિતિએ પોતાના ભવનમાં લઈ જઈને તેનો સત્કાર કર્યો તથા વિદાય આપી. તેણે જઈને સગરને કહ્યું, “દેવ! સ્વયંવરનું નિર્માણ થયું છે.” સગરે પૂછયું, “કેવી રીતે?” એટલે તેણે સાંભળ્યું હતું તે બધું કહ્યું. “એ કન્યા કેવી છે?” એમ સગરે પ્રશ્ન કરતાં મદદરી બોલી, “એ તે ત્રિલેકસુન્દરી છે. એક જીભથી તેનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી. લક્ષમી પણ જે તેના જેવી હોય તે કૃતાર્થ Page #300 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - સેમી લંભક [૨૪૫] થાય એવી મારી કલ્પના છે. દેવાંગનાઓને પણ તે કન્યા વિસ્મય પમાડનાર છે.” જેમ જેમ મર્દોદરી સુલસાના રૂપતિશયનું વર્ણન કરવા લાગી તેમ તેમ સગર કામદેવના બાણનું નિશાન બનવા લાગે. પછી સગરે વિશ્વભૂતિ પુરોહિતને એકાન્તમાં કહ્યું, “તુલસા કન્યા જે મારી પત્ની ન થાય તે મારું રાજ્ય અને રાજત્વ શા કામનું ? મારું જીવન પણ શા કામનું? એ કન્યા ન મળે તે હું ભગ્નમરથ થઈ જાઉં. માટે વિચાર કરો કે એ મારા હાથમાં કેવી રીતે આવે? પરાક્રમથી કે યુક્તિથી ?” પુરોહિતે કહ્યું, “હે રાજા! સાંભળ, જે તું બળાત્કારે કન્યાનું હરણ કરીશ તો રાજાઓના સમૂહથી બાલ્દા ગણાઈશ. તુલસા કન્યા તને મળે એવો ઉપાય હું વિચારું છું. તું બિમારીને ટૅગ કર, એટલે સ્વયંવરને દિવસ મુલત્વી રહેશે. યુક્તિ કરવાની પણ સારી તક રહેશે. “અધિરાજા સગર બિમાર છે” એમ જાણીને અયોધન રાજા તથા એકત્ર થયેલા ક્ષત્રિયે દિલગીર થશે.” પછી વિશ્વભૂતિની સૂચના અનુસાર સગરે બિમારપણું દર્શાવ્યું. પુરોહિતે નાનકડાં તામ્રપત્ર ઉપર રાજાનાં લક્ષણ લખાવીને ત્રિફળાંના રસથી પત્રને કાળાં કરીને તે પુસ્તક (પત્રો) તાંબાના વાસણમાં મૂકયું, અને તે વાસણ નગરની બહાર દૂર્વાપીઠની નીચે દાઢ્યું. વિશ્વભૂતિની સૂચના અનુસાર, એકત્ર થયેલા રાજાઓને સગરે કહેવરાવ્યું કે, “હું સમર્થ થાઉં ત્યાં સુધી તમે ભેગા મળી કીર્તિને માટે કોઈ પ્રદેશમાં વાવ અને પુષ્કરિણીઓ દા.” “ભલે, એમ થાઓ” એમ કહીને સવે એ તે વચન સ્વીકાર્યું. વિશ્વભૂતિએ જલ-નિધાનવાળી જમીન બતાવીને કહ્યું, “અહીં પાણું નજીકમાં જ નીકળશે.” ત્યાં ખોદવામાં આવતાં કલશ જેવામાં આવ્યું. રાજાની પાસે તે લાવ્યા. “એમાં શું હશે?” એમ કરીને તે ઊઘાડવામાં આવતાં તેમાંથી પુસ્તક (તામ્રપત્રો) નીકળ્યું. “કર્કસ, આમાં નિધિનું પરિમાણ લખેલું હશે” એમ (સએ) વિચારી તે પુસ્તક ઉઘાડ્યું અને સાફ કરીને વિશ્વભૂતિએ તે વાંચ્યું. તેમાં લખ્યું હતું કે– “પિતનપુરના અધિપતિ જયશત્રુ રાજાએ કંકત્રષિને પૂછ્યું હતું, “ભગવન્! જય નામે ચક્રવતી વ્યતીત થઈ ગયો છે, હવે આગામી યુગમાં કેવા પ્રકારના રાજાઓ થશે?” ત્રષિએ ઉત્તર આપે, “ સાકેતન અધિપતિ સગર રાજા થશે.” તેની લક્ષણયુક્ત શરીરાકૃતિનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. (ત્રષિએ આગળ કહ્યું, “અધન રાજાની પુત્રી સુલસા નામે તેની પટ્ટરાણી થશે.” તેનું વર્ણન પણ મંદોદરીએ કહ્યા , પ્રમાણે કરવામાં આવ્યું હતું. જે જે દેશમાં જે મુખ્ય રાજાઓ હતા તેમનાં પણ જોયા પ્રમાણેનાં પ્રશસ્ત લક્ષણેનું વર્ણન એમાં કરેલું હતું, પરંતુ મધુપિંગલને તેમાં સર્વથા નિર્લક્ષણ અને કુબડા, કાણા, મૂળા, આંધળા, બહેરા અને ખંધાથી પણ અધમ અને કેઈની નજીકમાં પણ નહીં લાવવા લાયક એવો વર્ણવવામાં આવ્યો હતો. Page #301 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - [ ૨૪૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પછી “મધુપિંગલ રાજાની તે પૂર્વકાલના કષિઓએ પણ નિન્દા કરેલ છે,’ એ રીતે સભાના મધ્યમાં તેને તિરસ્કાર કરવામાં આવ્યું, એટલે લજિજત થઈને તે ચાલ્યા ગયે. રાજાઓએ સગરની પ્રશંસા કરી. “સુલસાનું લગ્ન કોની સાથે કરવું એને નિર્દેશ પૂર્વ કાળના ઋષિઓએ જ કરે છે એ પ્રમાણે ક્ષત્રિએ અનુમતિ આપતાં સુલસા સગરને પરણાવવામાં આવી. એના નિવેદથી મધુપિંગલે પુત્રને રાજ્ય આપીને તાપસ તરીકેની દીક્ષા લીધી અને તપ કરીને તે લોકપાલ યમને અમાત્ય મહાકાલ નામે પરમાધાર્મિક દેવ થશે. સગર સુલસાની સાથે ભેગ ભેગવવા લાગ્યું. જેણે કારણ જાણું છે એ મહાકાલ દેવ સગર પ્રત્યે, જે રાજાઓએ તેને તિરસ્કાર કર્યો હતે તેમની પ્રત્યે, તથા વિશ્વભૂતિની પ્રત્યે દ્વેષ કરવા લાગ્યા, તથા “આ સુલસા સગરને પ્રથમ (કુલમર્યાદા તેડીને) વરી છે, માટે જે મારી ગતિ થઈ તે તેની પણ થવી જોઈએ અથવા અસહાય એવી તેણે પ્રાણત્યાગ કરવો જોઈએ” એ પ્રમાણે સુલસા પ્રત્યે પણ દ્વેષ કરતો અને તે સર્વને વધ કરવાની ઈચ્છા હોવા છતાં પણ “વધ કરવાથી તે થોડું જ દુઃખ થશે” એમ વિચારીને તે સર્વને નરકગમનના હેતુને વિચાર કરતો તથા તે માટે પ્રસંગ તાકત (તેમનું મરણ નીપજાવવાના વિચારની ) ઉપેક્ષા કરવા લાગ્યો. નારદ, પર્વતક અને વસુને વૃત્તાન્ત આ બાજુ, ચેદી વિષયમાં શકિતમતી નગરીમાં ક્ષીરકદંબ નામે ઉપાધ્યાય હતે. તેને પર્વતક નામે પુત્ર હતો. ત્યાં નારદ નામે બ્રાહ્મણ હતો અને વસુ નામે રાજપુત્ર હતો. તે બધા શિષ્યો એકત્ર થઈને(ઉપાધ્યાયને ત્યાં)આર્યવેદનું પઠન કરતા હતા. કાળે કરીને તે પ્રદેશમાં સુખી અને અનુકૂળ ગતિથી વિચરતા બે સાધુઓ ક્ષીરકદંબ ઉપાધ્યાયને ઘેર ભિક્ષાને માટે આવ્યા. તેમાંના એક અતિશયજ્ઞાની હતા. તેમણે બીજા સાધુને કહ્યું, “આ જે ત્રણ જણું છે, તેમાંથી એક રાજા થશે, એક નરકગામી થશે, એક દેવલોકમાં જશે.” પ્રચ્છન્ન સ્થળે ઊભેલા ક્ષીરકદંબ ઉપાધ્યાયે આ સાંભળ્યું. તેને વિચાર થયો, “વસુ તે રાજા થશે, પરંતુ પર્વત અને નારદ એ બે જણામાંથી નરકમાં કોણ જશે?પછી તે બે જણની પરીક્ષા કરવા માટે તેણે એક કૃત્રિમ બકરો કરાવ્યા, તથા તેની અંદર લાખનો રસ ભર્યો. પછી નારદને તેણે કહ્યું. “પુત્ર! આ બકરાને મેં મંત્રથી થંભાવી દીધો છે. આજે કૃષ્ણ પક્ષની આઠમના દિવસે સંધ્યાકાળે તું જજે, અને જ્યાં કોઈ ન જુએ એવા સ્થળે તેને વધુ કરીને જલદી પાછો આવજે. ” પછી નારદ બકરાને લઈને “જ્યાં કઈને સંચાર નહીં હોય એવી શેરીમાં અંધારામાં છાની રીતે શસ્ત્રથી તેને વધ કરીશ” એમ વિચારીને નીકળે, પરંતુ “અહીં તે ઉપરથી તારાગણે પણ જુએ છે” એમ થતાં તે ગહન વનમાં ગયો. ત્યાં તેણે વિચાર્યું, “અહીં સચેતન વનસ્પતિઓ જુએ છે.” પછી તે દેવકુલમાં આ, પણ ત્યાં તો દેવ જોતા હતા. ત્યાંથી નીકળીને તે વિચાર કરવા લાગ્યું, “જ્યાં Page #302 -------------------------------------------------------------------------- ________________ સામશ્રી લલક [ ૨૪૭ ] કાઇ ન જુએ ત્યાં બકરાનેા વધ કરવાના છે; પણ આને તા હું પોતે જ જોઉં છું, માટે ખરેખર આ અવધ્ય છે. ” એમ નિશ્ચય કરીને તે પાછા વળ્યે અને પેાતાનુ બધું ચિંતન ઉપાધ્યાયને કહ્યું. તેણે કહ્યું, “શાબાશ ! પુત્ર નારદ ! તેં સાચા વિચાર કર્યો. તું જા, આ રહસ્ય કાઈને કહીશ નહીં. ” પછી બીજી રાત્રે ઉપાધ્યાયે પતકને એ જ પ્રમાણે આજ્ઞા આપી. તેણે શેરીનુ નાકું નિર્જન હાવાનું જાણીને બકરાને ત્યાં જ શસ્ત્રથી વધ કર્યાં, તથા અંદરનેા લાખનેા રસ છંટાવાને લીધે તેને રુધિર માનીને તેણે સર્ચલ સ્નાન કર્યું અને ઘેર આવીને પિતાને કહેવા લાગ્યા. પિતાએ કહ્યું, “ પાપી ! જ્યાતિષ્ઠ દેવા, વનસ્પતિઓ અને પ્રચ્છન્નચારી ગુહ્યકે। મનુષ્યનું આચરણ જુએ છે; તુ પોતે જ જોતા હતા, છતાં ‘હું જોતા નથી ’એમ માનીને બકરાનેા તેં વધ કર્યાં, માટે તું નરકમાં જવાના છું. ચાલ્યા જા. , વિદ્યાગ્રહણ કરીને તથા ક્ષીરક બનેા સત્કાર કરીને નારદ સ્વસ્થાને ગયા. દક્ષિણા આપવાની ઇચ્છાવાળા વસુને ઉપાધ્યાયે કહ્યું, “ વસુ! તું જ્યારે રાજા થાય ત્યારે માતા સહિત પ તક પ્રત્યે સ્નેહભાવવાળા થજે. એ જ મારી દક્ષિણા છે. હું તેા હવે ઘરડા થયા છું. ” પછી વસુ ચેઢીદેશની ( મુક્તિમતી ) નગરીમાં રાજા થયેા. એક વ્યાધે એક વાર અટવીમાં મૃગને વધ કરવાની ઇચ્છાથી ખાણ છેાથું પરન્તુ તેની અને મૃગની વચ્ચે આકાશટિક પત્થર આવેલા હાવાને કારણે મૃગ વીંધાયા નહીં અને ખાણુ પાછુ વળ્યું. આથી શંકા પડતાં વ્યાધ પોતે ખાણ છેાડયુ હતુ તે માગે ગયે, તે પત્થર હાવાનુ જાણ્યુ. ‘આ વસ્તુ રાજાને યાગ્ય છે ’ એમ વિચારીને ત્યાં તેણે ઝાડ કાપીને નિશાની કરી અને વસુરાજાના મંત્રીને ખબર આપી. તેણે વ્યાધના સત્કાર કર્યા અને સ્ફટિકન પત્થર મંગાળ્યા. તેના ઉપર રાજાનું સિંહાસન સ્થાપિત કર્યું. આ ગુપ્ત વાત ફૂટી ન જાય તે ભયથી, જેઓ પત્થરેશ લાવ્યા હતા તેમને સ્ત્રી સહિત મન્ત્રીએ મરાવી નાખ્યા. સિંહાસન ઉપર બેઠેલે। રાજા ( નીચેનેા આકાશસ્ફટિક નજરે નહીં પડવાને કારણે ) જાણે આકાશમાં રહેલા હાય તેવા લેાકેાને જણાવા લાગ્યા. આથી · વસુ રાજા જમીનથી અદ્ધર રહે છે ’ એવી તેની ખ્યાતિ થઈ. ક્ષીરકખ ઉપાધ્યાય કાલધર્મ પામ્યા. પર્વતક ઉપાધ્યાયપણું કરવા લાગ્યા. કેાઈ એક વાર પતકના શિષ્યા નારદની પાસે ગયા. તેમને નારદે વેદના પદોના અર્થ પૂછતાં તેઓ ખાટા અર્થ વ વવા લાગ્યા, જેમકે-- અજ વડે યજ્ઞ કરવા. ’ હુવે, ‘ અજ શબ્દ ‘બકરા’ તથા ત્રણ વ જૂનાં ડાંગર અને જવનાં બીજ ' એમ એ અર્થમાં પ્રયેાજાય છે, પરન્તુ પતકના શિષ્યા તેના ‘ બકરા ’ એવા જ અર્થ કરતા હતા. ત્યારે નારદે વિચાર કર્યો. 6 : k હું પતકની પાસે જાઉં એ મિથ્યાભાષીને આ માટે પૂછવું જોઇએ તેમજ ઉપાધ્યાયના ૧ નજરે દેખાચ નહીં, પણ માત્ર સ્પર્શથી જ જાણી શકાય એવા ચમત્કારિક પત્થર Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] વસુદેવહિંડી ઃ : પ્રથમ ખંડ : મરણથી દુ:ખી થયેલા તેને મળવુ જોઇએ. ” એ પ્રમાણે વિચાર કરીને તે ઉપાધ્યાયને ઘેર ગયા. ઉપાધ્યાય-પત્નીને વંદન કર્યું અને પ°તકને કહ્યું, “ તુ શાક ન કરીશ. 39 ‘હું રાજાથી સત્કાર પામેલેા છું' એ પ્રમાણે ગર્વિત થયેલે પર્વતક એક વાર મહાજનાની મધ્યમાં એમ નિરૂપણ કરતા હતા કે, ‘અજ એટલે ખકરે; તે વડે યજન કરવુ જોઇએ. ” નારદે તેને રોકયા કે, “ એમ ન ખેલ; ( ‘અજ’ શબ્દમાં ) વ્યંજનના અભિલાપ એકસરખા છે, પણ દયાધર્મની અનુમતિથી એમાં અથ ધાન્યના લેવાના છે. ” પણ પ`તકે એ વાત સ્વીકારી નહીં. તે એ જણાની વચ્ચે મસરયુક્ત વિવાદ થતાં પતકે કહ્યુ, “ જો હું વિતથવાદી-મિથ્યાભાષી હાઉં તે વિદ્વાનાની સમક્ષ મારી જીભ કાપવામાં આવે, નહીં તેા તારી કાપવામાં આવે. ” નારદે કહ્યું, “ એમાં પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે ? તું અધર્મ ન કર. ઉપાધ્યાયના ઉપદેશને હું વર્ણીવુ છું. ” નારદ બેલ્યા, “ તા હું શું સ્વચ્છ ંદથી કહું છું ? હું પણ ઉપાધ્યાયના પુત્ર છું. પિતાએ મને એમજ કહેલું છે. ” પછી નારદે કહ્યુ, “ આપણા આચાર્ય ના ત્રીજો શિષ્ય, જમીનથી અદ્ધર એસતા, ક્ષત્રિય હરિવંશમાં જન્મેલેા વસુરાજા છે. તેને આપણે પૂછીએ. તે જે કહેશે તે પ્રમાણુ ગણાશે. ” પતકે કહ્યુ, “ એમ થાશે. ’ ,, 66 "" પછી પતકે આ વિવાદની વાત પેાતાની માતાને કહી. માતાએ કહ્યું, “ પુત્ર ! તેં ખાટુ કર્યું. ગ્રહણ અને ધારણામાં સમર્થ નારદ હુંમેશાં તારા પિતાના માનીતા હતા. ’’ પણ પર્વતક મળ્યેા, “તું એમ ન એલ. જેણે સૂત્ર અને અતુ ગ્રહણ કર્યું છે એવા હું વસુના વચનથી નારદને પરાજિત કરીને તથા તેની જીભ કપાવીને દેશપાર કરીશ; તુ જોજે. પણ પુત્રની પતીજ નહીં કરતી તે માતા વસુ પાસે ગઇ. તેણે સદેહની બાબત વસુને પૂછી કે, “ ઉપાધ્યાયના મુખેથી તમે શું સાંભળ્યુ હતું ? ” વસુએ કહ્યું, નારદ કહે છે તે પ્રમાણે જ છે. હું પણ એ જ પ્રમાણે કહું છું. એટલે તે મેલી, “ જો એમ છે તે! તું જ મારા પુત્રને વિનાશ કરનાર છે, માટે તારી આગળ જ પ્રાણુત્યાગ કરું છું. ” એમ કહીને તેણે પેાતાની જીભ ખેચવા માંડી. એટલે રાજાની પાસે રહેનારાઓએ વસુરાજાને કહ્યું, “ દેવ ! ઉપાધ્યાય-પત્નીનું વચન પ્રમાણુ કરવું જોઇએ, એમ કરવામાં જે પાપ થશે તે આપણે સરખું વહેંચા લઇશુ, ” એ પ્રમાણે ઉપાધ્યાય— પત્નીના મરણભયનું નિવારણ કરવા માટે રાજાની પાસે રહેલા પર્વતકના પક્ષના બ્રાહ્મણાએ વસુરાજા પાસે એ વસ્તુ ગ્રહણ કરાવી. વસુરાજાએ આનાકાનીપૂર્વક સ્વીકાર્યું કે, “ હું... પતકના પક્ષનુ મેલીશ. ” પછી જેણે પાતાનું કાર્ય સિદ્ધ કર્યુ છે. એવી બ્રાહ્મણી ઘેર આવી. બીજે દિવસે એ પ્રકારના લેાકેા એકત્ર થયા-કેટલાક નારદની પ્રશંસા કરવા લાગ્યા, અને કેટલાક પર્વ તકની, વસુને પૂછવામાં આવ્યું, “ કહે સત્ય શું છે ? ” તેણે કહ્યું, Page #304 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - સોમશ્રી લંક [૨૪] wa અજ એટલે બકરે, તેનાથી યજન કરવું જોઈએ.” તે વખતે સત્યના પક્ષમાં રહેલી દેવતાએ તેના સિંહાસન ઉપર પ્રહાર કર્યો અને તે ભૂમિ ઉપર સ્થાપિત કરી દીધું. ઉપરિચર-ભૂમિથી અદ્ધર રહેનાર–વસુ ભૂમિચર થયા. પિતાને આવું બોલવા માટે ઉત્તેજન આપનાર બ્રાહ્મણની સામે તેણે જોયું. તેઓએ કહ્યું, “તે જ વાદને વળગી રહેવું જોઈએ.” એટલે મૂઢતાથી વસુ રાજા કહેવા લાગ્યો, “જે અર્થ પર્વતક કહે છે તે બરાબર છે.” નારદે કહ્યું, “રાજા ! પર્વતકનો પક્ષ કર્યો, હજી પણ સત્યનું અવલંબન કર, કારણ કે હજી તું ભૂમિતલ ઉપર છે.” છતાં “તારો ઉદ્ધાર અમે કરીશું” એમ બોલતા બ્રાહ્મણની પ્રેરણાથી વસુ બોલતો હતો ત્યાં જ રસાતલમાં પહોંચી ગયા. “આ પર્વતે રાજાને વિનાશ કર્યો ” એ રીતે લેકોએ પર્વતકનો ધિક્કાર કર્યો. પછી નારદ ચાલે ગયે. આ પછી વસુરાજાના આઠ પુત્રને અનુક્રમે રાજ્યાભિષેક કરવામાં આવ્યું, પણ તે સર્વેને દેવતાએ વિનાશ કર્યો. તે સમયે “હવે મને સહાયક પ્રાપ્ત થયેલ છે” એમ વિચારતો મહાકાલ દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પર્વતકની પાસે આવ્યું. રડતા એવા તેને પર્વતકે પૂછયું, “કેમ રડે છે ?” એટલે તે બે, “સાંભળ, પુત્ર! વિષ્ણુ, ઉદક, પર્વત, ક્ષીરકદંબ અને શાંડિલ્ય એ પ્રમાણે ગૌતમના પાંચ શિખ્યા હતા. તેમાંને શાંડિલ્ય હું છું. ક્ષીરકદંબની સાથે મને અત્યંત પ્રીતિ હતી. તેને મરણ પામેલે સાંભળીને હું તારી પાસે આવ્યો છું. તેણે જે વિદ્યા શિખેલી હતી તે બધી હું તને શિખવીશ.” પર્વતકે “ભલે” કહીને એ વાત સ્વીકારી. પછી દેવે યુક્તિમતી નગરીમાં મહામારી ફેલાવી, અને પશુધના મંત્ર રચીને પર્વતને કહેવા લાગ્યો, “પર્વતક ! પુત્ર! લોકોને શાન્તિ કર, આ મંત્ર ભણ.” (પર્વતકે પશુવધ સહિત યજ્ઞો કર્યા.) મહાકાલના સાઠ હજાર આભિયોગ્ય દેવતાઓ પર્વતકને ખાત્રી કરાવવા તે વખતે કહેવા લાગ્યા, “અમે યજ્ઞના પશુઓ મરીને દેવતા થયેલ છીએ.” વિમાનમાં બેઠેલા તે દેવોએ પોતાની જાતને બતાવી. લોકો વિસ્મય પામ્યા કે, “અહો ! આશ્ચર્ય છે!” ઘેર ઘેર મહામારીનું પણ શમન થઈ ગયું. સદેહે વસુ પણ લોકોને બતાવવામાં આવ્યું. શાંડિલ્ય, દેવ અને પર્વતકના મંત્રપ્રભાવની લેકે ઉપર છાપ પડી ગઈ. પછી મહાકાલ દેવે સગરના દેશમાં મહામારી ઉત્પન્ન કરી, સગરે સાંભળ્યું કે, “ચેદી વિષયમાં શાન્તિકર્મ કરનારા બ્રાહ્મણે છે.” પર્વતક અને શાંડિલ્યને અભ્યર્થના કરવામાં આવતાં તેઓ ત્યાં(સગરના દેશમાં)ગયા. ત્યાં પશુઓનાં બલિદાનથી શાન્તિકર્મ કર્યું. આભિ ગ્ય દેવોએ પોતાની જાત બતાવીને કહ્યું, “અમે પશુઓ હતા, પણ પર્વતક સ્વામીએ મંત્રોથી અમારે વધ કરતાં દેવ થયા છીએ.” આ પ્રત્યક્ષ દેવતા–સાન્નિધ્ય જોઈને સગર ૧. મધુપિંગલને જીવ, ૩૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ રાક ના -- - - [ ૨૫૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કહેવા લાગ્યા, “સ્વામી ! મારા ઉપર કૃપા કરે, જેથી હું સુગતિગામી થાઉં.” શાંડિત્યે કહ્યું, “રાજય જીતતાં તને ઘણું પાપ થયું છે, માટે મનુષ્ય વિધિ વડે કરીને સ્વર્ગગામી કેવી રીતે થાય છે તે તું સાંભળ.” પછી તેણે અશ્વમેધ, રાજસૂય વગેરે યજ્ઞવિધાનની રચના કરી અને તેમનું સ્વર્ગગમનરૂપ ફળ થાય છે તેમ સંભળાવ્યું. સગરને, બીજા રાજાઓને તથા વિશ્વભૂતિ પુરોહિતને પણ તે ઉપર શ્રદ્ધા થઈ. સગરને તથા તેની પત્ની સુલસાને અશ્વમેધ યજ્ઞની દીક્ષા આપવામાં આવી. વિશ્વભૂતિ ઉપાધ્યાય પાસે ઘણું પ્રાણીઓને વધ કરાવવામાં આવ્યું. અશ્વમેધને અંતે સુલસાને કહેવામાં આવ્યું, “નિ વડે અશ્વનો સ્પર્શ કર, એટલે તારાં પાપ દૂર થઈ જશે અને તું સ્વર્ગમાં જઈશ.” એ સમયે મહાકાલ દેવે તેને પ્રયત્નપૂર્વક પકડી રાખી અને સ્વયંવરમાં તેણે કરેલા મધુપિંગલના ત્યાગનું તેને સ્મરણ કરાવ્યું. તીવ્ર વેદના થતાં મૃદુ પ્રકૃતિને કારણે મરણ પામીને સુલસા ધરણની અગ્રહિષી થઈ. પછી સગરને રાજસૂય યજ્ઞની દીક્ષા આપવામાં આવી. તે વખતે ગંગા-યમુનાના સંગમ આગળ રાજ પુત્ર દિવાકરદેવ, નારદના કહેવાથી, યજ્ઞની સામગ્રી લઈને ગંગામાં ફેંકી દેવા લાગે. શાંડિલ્યને સગરે પૂછયું, “યજ્ઞની સામગ્રી કોણ હરી જાય છે?” શાંડિલ્ય કહ્યું, “દેવને પ્રસન્ન કરવા માટેની સામગ્રી અસહિષ્ણુ રાક્ષસો હરી જાય છે, માટે અહીં શ્રીષભસ્વામીની પ્રતિમા સ્થાપિત કરો.” યજ્ઞના રક્ષણ નિમિત્તે ત્યાં પ્રતિમા સ્થાપવામાં આવી. એટલે દિવાકરદેવે નારદને કહ્યું, “આર્ય! હવે આ પાપાચારીઓને હું વિન કરી શકું તેમ નથી. વિદ્યાધર જિનપ્રતિમાને અપરાધ કરે તે તેમની વિદ્યાને પ્રતિઘાત થાય છે. માટે હવે આપણે તટસ્થ રહીએ. આપણે આ દુષ્કૃત્યમાં શા સારુ સંબદ્ધ થઈએ?” એમ કહીને તે નારદની સાથે ઊભે રહો. પછી શાંડિયે સગરને કહ્યું, “હવે તમે ઈટ બનાવે. વિવિધ જંગમ પ્રાણીઓને કાદવથી ભરેલી વાવોમાં નાખો. તેમનાં હાડકાં કહી જાય ત્યારે બહાર કાઢે. જ્યારે એ હાડકાંઓ કૃમિjજ જેવાં બની જાય ત્યારે તે માટીથી ગાડાંનાં ચક્ર જેટલી મોટી ઈટે બનાવે. એ ઈટો જ્યારે પકવવામાં આવશે ત્યારે એક આંગળ ઓછી થશે” આ પ્રમાણે સગરને શિખવ્યું. ત્યાર પછી નિભાડે રચતાં થરથરમાં ઘી, મધ, અને ચરબી નાખવામાં આવી. તેની ચીકાસ અને વાસથી સર્પો, કૃમિએ અને કીડી જેવા જંતુઓ ત્યાં આવ્યાં. પછી આંગળીના ટેરવા ઉપર ઉભેલા માણસ જેટલી ઊંચાઈવાળી વેદિકા તે છેટે વડે બનાવવામાં આવી. ઓગણપચાસ દિવસ સુધી પ્રયાગ અને પ્રતિષ્ઠાનના મધ્યમાં બકરાઓ, ૧. આ દિવાર દેવ, સંદર્ભ ઉપરથી, કોઈ વિદ્યાધર લાગે છે. પાછળથી તે વેદશ્યામપુરને રાજા થાય છે, તેથી ત્યાંના કપિલ રાજાને પુત્ર તે કદાચ હોય. ૨. ગંગા નદીને કિનારે, અત્યારના અલ્હાબાદની સામે આવેલું જૂસી. આ સ્થળ હાલ પણ પ્રતિસ્થાપુર કહેવાય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ સામશ્રી લલક [ ૨૫૧ ] પાડાએ અને પુરુષોના વધ કરવામાં આવ્યેા. આમાં દરરાજ પાંચ પાંચ પ્રાણીના ઉમેરા કરવામાં આવતા. બીજો આદેશ એવા છે કે, ચાર સધ્યાએ પાંચ પાંચ પ્રાણીએ વધારવામાં આવતાં. દક્ષિણાના લેાભથી ઘણા દ્વિજો એકત્ર થયેલા હતા, તેઓ પર્વતક અને શાંડિલ્યની પ્રશંસા કરવા. લાગ્યા. નારદે સગરને કહ્યુ, “ પર્વતકે વસુરાજાના સર્વનાશ કર્યો છે, માટે તેના ઉપદેશ સાંભળીને પાપકર્મ કરીશ નહીં. ” સગર મેલ્યા, “ શાંડિલ્યસ્વામી અને પતક મારુ અત્યંત હિત કરનારા છે. તે જે ઉપદેશ કરે તે મારે માટે પ્રમાણભૂત છે. તારું વચન હું નહીં કરું. તારે જે વસ્તુની જરૂર હાય તે લઇને જા, ચાલ્યા ,, જા. આ પ્રમાણે જેની સાથેના સ્નેહભાવ તાડી નાખવામાં આવ્યા છે એવા તે નારદ મનમાં દયા આણીને રાજપુત્ર દિવાકર દેવની સાથે ચાલ્યા ગયા. સગરને તથા બીજા રાજાઓને (પશુવધમાં ) દઢ કરવા માટે મહાકાલ દેવે વસુને વિમાનમાં રહેલે ખતાન્યા. આમ કરવાના વિધિ છે' એમ કહીને વિશ્વભૂતિ પુરેાહિતને તે તેણે મારી નાખ્યા. સગરે નરકનુ ભાથું ખાંધ્યું છે એમ જાણીને તથા મારા શરીરને હવે સ્વર્ગમાં લઈ જાઉં ' એમ ભાવીને તથા પેાતાના વેરનુ કારણુ સંભારીને મહાકાલ ધ્રુવે કમુખી, સેનસુખી, મહાચુલ્લી અને કિરાતરૂપિણી વિદ્યાએ (સગર ઉપર) નાખી. ત્યાં સેામવલ્લી હતી, તે છેદીને સામપાન કર્યું. આથી ત્યાં ફરતા ઘણા માણસો એ તીર્થને દિતિપ્રયાગ કહેવા લાગ્યા. પણ તેને ખરા અર્થ નહીં જાણનારાઓએ એ સ્થાનને પ્રયાગ ’ તરીકે પ્રકાશિત કર્યું. કુમાર દિવાકરદેવ વેદશ્યામપુરના અધિપતિ થયેા. બુધ અને વિબુધ એ સાધુઓને તે સમયે ગિરિતટ ગ્રામમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઇ હતી. નજદીકમાં રહેલા દેવા મહિમા કરવાને માટે આવ્યા. દેવેદ્યોતથી વિસ્મિત થયેલે રાજા દિવાકરદેવ નારદની સાથે ત્યાં ગયા; અને કેલીને વંદન કરીને સગરની ગતિ પૂછવા લાગ્યા. સગરનું નરકગમન તથા મહાકાલદેવે કરેલી વૈશાન્તિ કેલીએ કહી. તે સાંભળીને સંસારભ્રમણુથી ભયભીત થયેલા નારદે દીક્ષા લીધી, બુધ અને વિબુધ કેવલી સિદ્ધિમાં ગયા. આ તરફ નારદના પુત્રાને દિવાકરદેવે ગિરિતટ ગ્રામ આપ્યું. તેમણે બુધ અને વિષુધને એળખાવનારી પ્રતિમા આયતનમાં સ્થાપિત કરી છે. મહાકાલ દેવનું પરંપરાગત ચરિત્ર આ પ્રમાણે છે. શાંડિલ્યના મતને અનુસરતી ગ્રન્થરચના તે અનાય વેદ છે. ૧. ચાર સ ંધ્યા–સવાર, અપેાર, સાંજ અને મધ્યરાત્રિ. ૨. ‘દિતિ ના અર્થ છેદન ' થાય છે. ૩. આ લલકના પ્રારંભમાં આવતું ગિરિટ ગ્રામ તે જ આ ગિરિતટ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ર૫ર ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ ? વસુદેવનું વેદાધ્યયન અને તેની પરીક્ષા નારદ અહીં રહેતો હતો. તેનો પુત્ર શારદ, અને તેને પુત્ર બહુરત હતા. તે પછી મમરુક, મરુભૂતિ, નારદ, વિશ્વદેવ, સુરદેવ, (દેવદેવ) એ પરંપરાએ આ ગ્રામના સ્વામીએ થયેલા છે. હે કન્દિલ! દેવદેવની પરમ રૂપવતી પુત્રી સમશ્રી કન્યાને બુધ અને વિબુધની સમક્ષ પ્રાકૃત માણસ વેદના વિષયમાં પરાજિત કરે એ શકય નથી.” આ સાંભળીને મેં ઉપાધ્યાયને કહ્યું, “બન્ને પ્રકારના વેદ હું ભણીશ, માટે એ બાબતમાં કૃપા કરો.” પછી (યોગ્ય સમયે) વેદવાદીઓ એકત્ર થતાં મને જોઈને દેવદેવ બ્રહ્મદત્તને પૂછવા લાગ્યું કે, “આ ક્યાંથી આવ્યા છે?” બ્રહ્મદરે કહ્યું, “તે મગધના વતની છે અને મારે ઘેર સ્વાધ્યાય નિમિત્ત રહે છે.” એટલે દેવદત્ત બોલ્યા કે, “તમે મને કહ્યું નહીં, તે ઠીક ન કર્યું. ” પછી કોઈ પણ વેદવિદે પરીક્ષા આપવા માટે ઈચ્છયું નહીં. આખીયે સભા સ્વિમિત સાગરની જેમ સ્થિર થઈ ગઈ. ભગિકે ગામધણીએ કહ્યું, “કેઈન બોલવા માટે ઉત્સાહ ન હોય તે બ્રાહ્મણે જેમ આવ્યા છે તેમ પાછા જાય. ફરી પાછું સંમેલન થશે.” એટલે મેં કહ્યું, “અધિકૃત પુરુષો મને ભલે પૂછે. કદાચ હું તેના જવાબ આપીશ.” મને પૂછવામાં આવ્યું. મેં સ્વર સહિત અખલિત ઉચ્ચાર કર્યો, અને તેને અમિથ્યા પરમાર્થ કહ્યો. પછી મેંગિકે કહ્યું, “હે વેદપારગામીઓ ! સાંભળે. જે કેઈએ વિદ્યાભ્યાસ કર્યો હોય તે આ વેદપારગામી વૃદ્ધોની સમક્ષ પ્રશ્નોના જવાબ આપવા માટે આવે.” પણ કઈ વેદવિદે પરીક્ષા આપવાની ઈચ્છા કરી નહીં. સ્તિમિત સાગરની જેમ સભા મૌન રહી. પછી મને ઉપાધ્યાયે કહ્યું, “ભદ્રમુખ! પ્રશ્નોના ઉત્તર આપીને કન્યારત્નને પ્રાપ્ત કર.” એટલે હું ઊડ્યો અને જિનેશ્વરોને મેં પ્રણામ કર્યા. અનુગમાં હાજરી આપવાને આવેલા ઘણું માણસોએ, કૌમુદીયુત ચન્દ્ર સમાન અને ગ્રીવા ઉપર રહેલા યજ્ઞોપવીતથી પવિત્ર એવા મને જોયો. પછી મેં વેદાર્થ પારગામી વૃદ્ધોને કહ્યું, “તમારે જે બાબતમાં સંશય હોય તે અથવા તમારે જે પૂછવું હોય તે પૂછો.” મારી ગંભીર ઘષવાળી વાચા સાંભળીને વિસિમત થયેલા, અનુયોગમાં એકત્રિત થયેલા માણસો કહેવા લાગ્યા, “એણે પૃચ્છાના અધિકારનું સન્માન કર્યું છે એમ ફ્રુટ વિષય અને અક્ષરવાળી એની વાણી જ કહે છે.” પછી મને વૃદ્ધોએ કહ્યું, “હે પ્રિયસ્વરૂપ! કહે, વેદને પરમાર્થ છે છે?” પછી મેં કહ્યું, “નૈતિક કહે છે–વિ ક્રિયાપદ જ્ઞાનના અર્થમાં આવે છે, તેને જાણે છે, તે વડે જાણે છે અથવા તેને વિષે જાણે છે તેથી વેદ કહેવાય છે. તેનો અમિથ્યાવાદી અર્થ તે તેનો પરમાર્થ છે.” વેદપારગામીઓ એથી પ્રસન્ન થયા, અને મને કહ્યું, “તેનું ફળ શું છે?” મેં કહ્યું, “ વિજ્ઞાન એ એનું ફળ છે.” તેઓએ કહ્યું, “વિજ્ઞાનનું ફળ શું છે?” મેં કહ્યું, “વિજ્ઞાનનું ફળ વિરતિ છે.” તેઓએ કહ્યું, “વિરતિનું ફળ Page #308 -------------------------------------------------------------------------- ________________ મિત્રશ્રી–ધનશ્રી લ’ભક * ** [ ૨૫૩ ] શું છે ? ” મેં કહ્યું “સંયમ.” તેઓ મેલ્યા, “ સંયમનુ ફળ શું છે ? ” મેં કહ્યુ, “સંયમનુ ફળ અનાસ્રવ છે. ” તેએ ખેલ્યા, “ અનાસવનુ ફળ શું છે ? ” મેં કહ્યું, “ અનાસવનું ફળ તપ છે. ” તે મેલ્યા, “ તપનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ તપનું ફળ નિરા છે. ” તેઓ મેલ્યા, “ નિર્જરાનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ નિર્જરાનું ફળ કેવલજ્ઞાન છે. ” તેએ ખેલ્યા, “ કેવલજ્ઞાનનું શું ફળ છે ? ” મેં કહ્યું, “ કેવલજ્ઞાનનુ ફળ અક્રિયા છે. ” તેએ ખેલ્યા, “ અક્રિયાનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ અક્રિયાનુ ફળ અયેાગ છે. ’” તેએ ખેલ્યા, “ અયેાગતાનું ફળ શું છે? ” મેં કહ્યું, “ સિદ્ધિગમન જેનું પ વસાન છે એવું અવ્યાબાધ સુખ તે અચેાગતાનુ ફળ છે. ” સામશ્રીનું પાણિગ્રહણ આ સાંભળીને વેદપારગામીએ સન્તુષ્ટ થયા. મુખ્ય સભાસદોએ એકી સાથે મને શાખાશી આપીને ગગન ગજાવી દીધું. પ્રસન્ન થયેલા ભૈગિક ‘ તેત્રીસ દેવતાઓમાંના આ નક્કી એક છે ’ એ પ્રમાણે મારી પ્રશંસા કરતા મને ઘેર લઇ ગયા, અને વસ્ત્રાભરણુથી મારા સત્કાર કર્યો. જીભ દિવસે સેામશ્રીને તથા મને લગ્નની દીક્ષા આપવામાં આવી, અમને ચારીમાં લઇ જવામાં આવ્યાં. ઉત્તમ મુખ, નયન, દાંત, હસ્ત, ચરણુ, જઘન અને સ્તનકલશવાળી સેામશ્રીને મેં સ્નાન કરતા જોઇ. મને તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. રતિની સાથે કામદેવ રમણ કરે તેમ તેની સાથે હું ક્રીડા કરવા લાગ્યા. બ્રાહ્મણા તે મને દેવતાની જેમ ગણવા લાગ્યા. બુધ-વિષ્ણુધના આયતનમાં કાઇ વાર બ્રાહ્મણેા મને શાસ્ત્રવિષયમાં પ્રશ્નો પૂછતા હતા. તેમના ઉપર સરસાઇ ધરાવતા હું. ચાર વેદમાં રહેલી વસ્તુના નિ ય આપતા હતા. આ પ્રમાણે તે ગિરિતટ ગામમાં રહેતાં મારા કાળ સુખપૂર્વક વીતતા હતા. ( ૬ ) મિત્રશ્રી-ધનશ્રી લભક ઝાડ ઉપર રહેલા એક વાર મેં ગામની બહાર ઇન્દ્રજાલિકને જોચે. તેણે વડના નાગકુમારાને બતાવ્યા. મેં વિચાર કર્યાં કે, “ આ વિદ્યાધર કોઇ કારણથી અહીં આવેલે છે, માટે તેની સાથે સમાગમ કરવા જોઇએ. ” ફરી પાછ્ા મે તેને બુધ-વિષ્ણુધના આયતનમાં જોયા. તે આદરથી પુન: પુન: મને અવલેાકવા લાગ્યા. એ જ તે વિદ્યાધર છે' એમ મે તેને ઓળખ્યા અને પૂછ્યું, “ કહા, કેમ આગમન થયું છે ? અને શું કરવાનું છે ? ” આ સાંભળીને તેણે મને એકાન્તમાં કહ્યું, “ ભદ્રમુખ ! હું વિદ્યાધર છે. સુખના સાધનરૂપ અને ઉત્પતન અને નિષ્પતન (આકાશમાં ઊડવું અને ત્યાંથી નીચે આવવું) જેનાથી થઇ શકે છે એવી શુભ અને નિશુભ એ બે વિદ્યાએ મારી પાસે છે. તે વિદ્યા હું Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] વસુદેવ–હિં'ડી : : પ્રથમ ખંડ : તને આપું છું. તું જ તેને પાત્ર છે. એ માટેની બધી પૂજાસામગ્રી હું તને લાવી આપીશ. તું કાળી ચૌદશે એકલા મને મળજે. ૧૦૦૮ વાર જાપ કરીશ એટલે વિદ્યા તને સિદ્ધ થશે. ” એ વસ્તુ મેં સ્વીકારી. ચૌદશને દિવસે મેં ઉપવાસ કર્યાં. વિદ્યા ગ્રહણ કરી. સામશ્રીને મેં કહ્યું, “ મેં કાઇ એક નિયમ રાખેલેા છે, માટે આજે હું આયતનમાં રહીશ. ” સામશ્રીની રજા લઈને, તથા ‘આ વાત કેાઈને કહીશ નહીં ' એમ તેને કહીને સંધ્યાકાળે હું નીકળ્યેા. 66 પેલા વિદ્યાધર મને છિન્ન કટકવાળા( સીધા શિખરવાળા) પ્રદેશમાં પર્યંતની ગુફામાં લઇ ગયા. ત્યાં ખલિવિધાન કર્યું. પછી તેણે મને કહ્યું, વિદ્યાનું આવન કરજે. ૧૦૦૮ આવર્ત ના પૂર્ણ થશે, એટલે વિમાન આવશે, તેમાં નિઃશંક થઈને એસજે. વિમાન સાતઆઠ માળ જેટલે ઊંચે જાય એટલે તારી ઇચ્છાથી નિવની વિદ્યાનું આવર્તન કરજે, એટલે વિમાન નીચે આવશે. આ વિદ્યા તને સિદ્ધ જ થઈ છે એમ માન. હું થાડેક દૂર તારી રક્ષા નિમિત્તે બેસીશ. ” આમ કહીને તે ચાલ્યા ગયા. હું પણ એકચિત્ત થઇને વિદ્યાના જાપ કરવા લાગ્યા. ઘંટડીના સમૂહના રણકાર કરતુ તથા વિવિધ કુસુમમાળાઓથી સુગંધી એવું વિમાન ઊતરી આવ્યું. તેની મધ્યમાં આસન હતું. મેં વિચાર્યું, મારી વિદ્યા સિદ્ધ થઇ છે, માટે આ વિમાનમાં બેસું. ” એમ નિશ્ચય કરી હું વિમાનમાં બેઠા. પછી વિમાન ધીરે ધીરે ઊંચે ઊડવું. થાઉં દૂર સુધી ઊડીને તે પર્વતના શિખરના સમ ભાગમાં આવ્યું, એમ મને લાગ્યું. પછી તે એક દિશા તરફ આગળ વધ્યું, અને નીચાઊઁચા પ્રદેશમાં અથડાતુ ચાલવા લાગ્યું. મને ચિન્તા થઇ, “ આ વિમાન પર્વતની ભીત્તિને અનુસરે છે, તથા નીચે-ઊંચે આખડતુ ચાલે છે, માટે આ કેઇના ( મારી સામે ) પ્રયાગ હશે. માટે હવે અવપતની વિદ્યાનું આવન કરું. ” અવપતનીનું આવર્તન કર્યા છતાં વિમાન તેા આગળ ચાલવા લાગ્યું. પરિશ્રમથી પેટ્ઠા થયેલા મનુધ્યેાના ઉચ્છવાસના શબ્દ પણ મેં સાંભળ્યેા. પ્રભાત થયું, એટલે મેં જોયું કે મનુષ્યા કયાંય અટકયા વગર મને કયાંક ઊપાડી જતા હતા. મેં વિચાર્યું, “ કાઇના કહેવાથી કોઇ પુરુષે તૈયાર કરેલું આ કૃત્રિમ વિમાન દોરડાંથી નીચે ઊતારેલું હાવું જોઇએ, ” પછી હું વિમાનમાંથી નીચે ઊતર્યાં. દેવ ! ડરશે! નહીં, નાસી જશે! નહીં, અમે તમારી પાછળ આવીએ છીએ એ સ્થિતિમાં તમે કયાં જઇ શકવાના છે ?' એમ ખેાલતા મનુષ્યા મારી પાછળ પડ્યા. હું પણુ જોરથી નાસવા લાગ્યા. જ્યાં તે મંદ પડતા ત્યાં વિશ્રામ લેતા. આ પ્રમાણે ઘણીવાર સુધી તે મારી પાછળ પડ્યા, પણ મને પકડી શકયા નહીં. ** આ પ્રમાણે દૂર સુધી ભમીને પાછલા પહેારે સૂર્યાસ્તની વેળાએ થાકેલા હુ તિલવસ્તુક નામે સ'નિવેશ આગળ પહેાંચ્યા. પણ તેના દરવાજા બંધ હતા, અને માણસા કાઇને પ્રવેશવા દેતા નહાતા. મેં કહ્યું, “હું માર્ગમાં થાકેલા બ્રાહ્મણ છું, માટે મને પ્રવેશવા Page #310 -------------------------------------------------------------------------- ________________ મિત્રશ્રી-ધનશ્રી લંભક [ ૨૫૫ ] દે.” તેઓએ કહ્યું, “અમને પુરુષાદ-મનુષ્યભક્ષકને ડર લાગે છે. બ્રાહ્મણ કે શ્રમણ ગમે તે હોય, જે અસુરી વેળાએ બહાર નીકળે છે તેને, તે ચીસો પાડતું હોય એવી સ્થિતિમાં, રાક્ષસ ખાઈ જાય છે.” આ પ્રમાણે તે ગામડિયાઓને દયા વગરના જાણીને, ગામથી થોડેક દૂર આયતન હતું ત્યાં હું ગયું. તેમાં પ્રવેશ કરીને, દ્વાર બંધ કરીને હું સૂઈ ગયે. અર્ધરાત્રિએ એક પુરુષ ત્યાં આવ્યો અને તે મેટા શબ્દથી કહેવા લાગ્યા, “પથિક ! દ્વાર ઊઘાડ, જેથી કમાડ ભાંગીને હું તારો વધ ન કરું.” તે શબ્દથી હું જાગી ઊઠ્યો. મેં કહ્યું, “ચાલ્યા જા, મારી ઊંઘ ન બગાડ નહીં તે હું તને શિક્ષા કરીશ.” એટલે ક્રોધ કરીને તે વધારે મોટા સાદથી બૂમો પાડવા લાગ્યો. પછી મેં કમાડ ઊઘાડયું, ત્યાં હાથમાં દંડો લઈને ઊભેલા, માટી કાયાવાળા, નગ્ન, જેના નખ, કેશ અને દાઢી વધી ગઈ હતી એવા, ભયાનક દાંતવાળા, મનુષ્યની ચરબીની ચીકણુ વાસવાળા, અને મોટા ખભાને કારણે ભયંકર દેખાવવાળા પુરુષને મેં જોયે. પિતાને માટે કેશપાશ ધુણાવીને તેણે દંડાનો ઘા કર્યો, પણ મેં તે ચુકાવ્યું. મેં તેને ગરદનથી પકડ્યો. પછી અમારું મુષ્ટિયુદ્ધ થયું. મેં પ્રહાર કરતાં તે મોટા સાદે બરાડવા લાગ્યું, અને પાછો હઠીને ફરી ફરી ધમાલ કરવા લાગ્યો. તેને ગાત્રનો સ્પર્શ ચુકાવતે હું પણ તેને મુષ્ટિઓથી અને અગ્ર હસ્તથી અટકાવતો હતો. તેના બરાડાના શબ્દથી ગામલોક જાગ્યા તથા પટનો અવાજ તથા કેલાહલ કરવા લાગ્યા. પછી પેલાએ મને પકડ્યો “આને ખરેખર પરાભવ કરવો જોઈએ” એમ વિચારીને તે મનુષ્યભક્ષીને મેં બે હાથથી દબાવ્યો, એટલે લેહી એકતા તથા મોટા સાદે ચિત્કાર કરતો તે નીચે પડ્યો. હું પણ પાછો દેવકુલમાં ગયા, અને “ પ્રભાતમાં સ્નાન કરીશ” એમ વિચારીને ત્યાં જ રહ્યો. પ્રભાતમાં ઘણા ગામલોકો હથિયાર સાથે બહાર નીકળ્યા. ગેરુ-ધાતુથી વિભૂષિત જાણે હાથી પડયો હોય એવા મનુષ્યલક્ષીને તેમણે દેવકુલની બહાર પડેલ જે. એટલે તેઓએ સાદ કર્યો. મેં પણ લોકોને જોયા અને હું બહાર નીકળે. “દેવ ! ઘણાં હજાર વર્ષ સુધી આપ જીવતા રહો !” એમ કહીને તેઓએ એકી સાથે મને પ્રણામ કર્યા. તેઓ બોલ્યા, “આપ બૂમો પાડતા હતા એમ કપીને અમે માન્યું કે રાક્ષસ બ્રાહ્મણને ખાઈ ગયે છે. પણ સ્વામી! આપ તો દેવ છે, કેમ કે આ પ્રદેશના અકાલમૃત્યુરૂપ આ મનુષ્યભક્ષકને આપે નાશ કર્યો છે.” પછી સંતુષ્ટ થયેલા તેઓએ સંનિવેશની બહાર એક આઠ કલશવડે મંત્રથી પવિત્ર કરેલા પાણીથી, પહેલાં બ્રાહ્મણ દ્વારા અને ધવલ વસ્ત્ર પહેરેલી વૃદ્ધાઓ દ્વારા મને સ્નાન કરાવ્યું. પછી વિચિત્ર વસ્ત્ર, માલ્ય અને અનુષનવાળી કન્યાઓએ દિશાદેવતાઓની જેમ આવીને મને વસ્ત્રાભરણથી વિભૂષિત કર્યો, અને વદિત્રના મોટા નિનાદ સાથે જેને ધેળા બળદ જોડેલા હતા એવા રથમાં મને બેસાડવામાં આવ્યો. મંગલ વચનવડે અભિનંદિત થયેલે હું જેમાં તેરણ બાંધવામાં આવ્યાં હતાં તથા પતાકાની માળાઓની શોભા કરવામાં આવી હતી એવા તિલવસ્તકમાં પ્રવેશ્યા. જ્યાં વન્દનમાલા બાંધવામાં આવી Page #311 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - ર વરસ ની કે [ ૨૫૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : હતી તથા પૂર્ણ કશલવડે જેને સુશોભિત કરવામાં આવ્યું હતું એવા આવાસના દ્વાર આગળ હું રથમાંથી ઊતર્યો. જ્યાં શયન અને આસનની વ્યવસ્થા કરવામાં આવી હતી એવા આવાસમાં હું પ્રવેશ્યા. આસન ઉપર હું બેઠે. પછી ગામના મોટેરાઓ અંદરોઅંદર વાતચીત કરીને માળાઓ વડે અલંકૃત એવી રૂપવતી કન્યાઓને દક્ષિણ સહિત મારી પાસે લાવ્યા અને મને વિનંતી કરવા લાગ્યા, “સ્વામી ! આપે જેમને ઉગાર્યા છે એવા અમે આજથી આપના આજ્ઞાવતી છીએ. આ કન્યાઓ ઉત્તમ કુલમાં જન્મેલી છે. તેઓ આપની શુશ્રષા કરનારીઓ ભલે થાય. કૃપા કરો.એટલે મેં કહ્યું, “સાંભળે, આ બ્રાહ્મણ તે સ્વાધ્યાય નિમિત્તે બહાર નીકળે છે, માટે મારે કન્યાઓની જરૂર નથી. તમે આટલું માન આપીને ખરેખર મારે સત્કાર કર્યો છે. તમારું જે કલ્યાણ તેમાં જ મારી પ્રસન્નતા છે. આ કન્યાઓ સુખભગિનીઓ થાઓ.” આમ કહીને એ કન્યાવૃન્દને મેં રજા આપી. તેઓ મારા ઉપર દેવની જેમ પુષ્પવૃષ્ટિ કરીને પોતપોતાને ઘેર ગઈ. પછીના કાળે બીજા પુરુષોને આપવામાં આવી હોવા છતાં “એ (વસુદેવ) જ અમારો પતિ છે ” એમ માનતી તેઓ પોતાના પતિને પણ ઈચ્છતી નહોતી. વૃદ્ધોને મેં પૂછ્યું, “આ પુરુષાદ કેણ હતો?” તેઓએ કહ્યું, “સાંભળે– મનુષ્યભક્ષક સદાસની પૂર્વકથા “કાંચનપુરના અધિપતિ રાજાનો સોદાસ નામે એક માંસલુબ્ધ પુત્ર હતો. રાજાએ એક વાર અભયઘોષણા કરી. એટલે સદાસના માણસે કુમારના માંસને માટે વંશગિરિ ઉપરથી મયૂર લાવવા લાગ્યા. એક વાર તેને રસયાનું ધ્યાન બીજી તરફ હતું ત્યારે કાપેલા મોરને બિલાડો લઈ ગયે. એટલે ભયભીત થયેલો તે રસેઈઓ કુમારને માટે માંસ મેળવવા “ભક્ષ્ય અથવા અભક્ષ્ય એવું માંસ કયાં મળશે?” એમ વિચારતો બહાર નીકળે. તેણે ખાઈમાં તુરતના મરણ પામેલા એક બાળકના શરીરને જોયું. તેનું માંસ તેણે સંસ્કાર્ય અને ભેજનકાળે કુમાર સોદાસને આપ્યું. “સ્વાદિષ્ટ છે” એમ બોલતા તેણે ભોજન કર્યા પછી રસોયાને કહ્યું, “તને આવું રાંધતાં આવડે છે, છતાં પહેલાં તું આવું કેમ પકાવતો નહોત?” તેણે અભયવચન માગીને વિનંતી કરી, “સ્વામી! એકાન્તમાં આપને એનું કારણ કહીશ.” પછી તેણે હાથ જોડીને બધી હકીક્ત કહી સંભળાવી. આ સાંભળી સોદાસ પ્રસન્ન થયા અને રસોયાને સત્કાર કરીને તેણે કહ્યું, “સૌમ્ય ! હવે બીજા માંસની જરૂર નથી, દરરોજ (મનુષ્યમાંસ મેળવવા માટે) પ્રયત્ન કરો.” પછી સોદાસના માણસો સ્વયંમૃત બાળકોની શોધ કરવા લાગ્યા, અને તે ન મળતાં છાની રીતે બાળકને મારવા લાગ્યા. સોદાસ પણ મનુષ્યમાંસમાં લુબ્ધ થઈ બીજા માંસની ઈચ્છા કરતો નહતો. પરંતુ આ રીતે (બાળકનો વધ થતાં) નગરજનોને ઉપદ્રવ થવાથી રાજાએ છાની રીતે રક્ષકો નીમ્યા. તેઓએ કુમારના માણસોને પકડયા. તેઓને Page #312 -------------------------------------------------------------------------- ________________ મિત્રશ્રી–ધનશ્રી લ'ભક [ ૨૫૭ ] પૂછતાં તેમણે કહ્યું, “ સેાદાસ સ્વામીની આજ્ઞાની અનાથ મૃતકે વું અથવા જીવતાં માણસાને મારીને તેમનું પણ માંસ અમે લાવીએ છીએ. ” આ માખત ઉપર વિચાર કરીને ક્રોધે ભરાયેલા રાજાએ સેાદાસને દેશપાર કર્યા. પછી તે એકલા કાઇને મારીને કાચુ' અથવા પકાવેલું મનુષ્યમાંસ ખાવા લાગ્યા અને રાક્ષસથી અધિષ્ઠિત થયેલેા તે ભમતા ભ્રમતા આ પ્રદેશમાં આન્યા. આ પ્રદેશના માણસાએ તેના ભયથી અહીં આ સનિવેશમાં વસતિ કરી. જેને તે જોતા તેને ઈંડાના એક જ પ્રહારથી મારીને એનુ ભક્ષણ કરતા હતા અને હથિયારબ’ધ માણસની પણ પરવા કરતા નહાતા. તેમાંથી અમને લેાકેાને આપે ઉગાર્યો છે. ’ (6 પછી મારે માટે ભાજન લાવવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા દીન-અનાથાને મે ભાજન આપ્યું, અને આપતાં વધેલુ મે' ખાધું. પછી ત્યાં રહીને હું' નીકળ્યે અને અચલ ગ્રામ ગયા. ત્યાં રાજમાર્ગ ઉપર એક સાČવાહની દુકાને હું ગયા. તેણે ઊઠીને મને આસન આપ્યુ. ઘેાડીક વારમાં જ તેને ઘણુા લાભ થયા. તે મને પેાતાને ઘેર લઇ ગયા. ત્યાં વિધિપૂર્વક મને સ્નાન કરાવ્યુ. ભાજન લઇ રહ્યા પછી તે પ્રણામ કરીને મને કહેવા લાગ્યાસાંભળેા, સ્વામી ! હું ધનમિત્ર નામે વૈશ્ય સમાન કુળમાં ઉત્પન્ન થયેલી મારી શ્રી નામે પત્ની છે. તેનાથી જન્મેલી મારી મિત્રશ્રી નામે કન્યા છે. તે કન્યાને માટે મેં નૈમિત્તિકને પૂછ્યુ હતુ કે, “ આ કન્યાને તુ જો; એનું ભાવી કેવું છે ? ” તેણે લક્ષણા જોઇને કહ્યુ, “ આ પૃથ્વીપતિની ભાર્યા થશે. ” મેં પૂછ્યું, “ તે ક્યાં છે ? અને તેને કેવી રીતે ઓળખવા ? ” નૈમિત્તિકે કહ્યુ, “ જે પુરુષ તારી પાસે બેસતાં તને લાખગણેા લાભ થાય તેને તું ઓળખી લેજે. ’” માટે આ કન્યા આપની શુશ્રૂષા કરનારી થાઓ. ” મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ પછી શુભ દિવસે લગ્નવેળાએ શિરીષપુષ્પ સમાન સુકુમાર શરીરવાળી, સરસ કમળ સમાન નયનેાવડે મેહક મુખવાળી, મુખકમલના ભૂષણરૂપ કાળી કીકીએ વડે અલ'કૃત નયનયુગલવાળી મિત્રશ્રીને મારી પાસે લાવવામાં આવી. વિધિપૂર્વક પાણિગ્રહણ થયા પછી સાવાહે અમને સાળ કોટિ ધન આપ્યું. પછી તે મધુરતરભાષિણી મિત્રશ્રીની સાથે હું રમણુ કરવા લાગ્યા. તે સાÖવાહના ઘરની પાસે સેામ નામે બ્રાહ્મણની પત્ની સુનંદા નામે બ્રાહ્મણી રહેતી હતી. તેને પાંચ પુત્રાની પછી જન્મેલી મ્હેન એવી ધનશ્રી નામે પુત્રી હતી. સુનદાને એક પુત્ર મેધાવી હેવા છતાં તાતડા હતા. આથી મિત્રશ્રી મને કહેવા લાગી, “ આ પુત્ર ! સામના પુત્ર આ છેકરા વેદ ભણવાને અશક્ત છે. આથી બ્રાહ્મણેા દુ:ખી થાય છે. તે અધ્યયન કરવાને યેાગ્ય થાય એવી તેની ચિકિત્સા તમે કરી શકશેા ? ” મે કહ્યું, “ તારા પ્રિય નિમિત્તે તેને ગ્રહણ કરીશ તેના ઉપચાર કરીશ. ” પછી મે’ કાતરથી શીઘ્રતાપૂર્વક તે છેકરાના કૃષ્ણ જિાતંતુ કાપી નાખ્યા; અને તેના ઉપર ફૈઝ કરનાર 83 Page #313 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - [ ૨૫૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ ઃ ઔષધો ચેપડ્યાં. એટલે તે વિશદ વાણીવાળે થયે. સન્તુષ્ટ થયેલા બ્રાહ્મણે મધુમાસની વનશ્રી જેવી સ્વરૂપવાન ધનશ્રીને મારી પાસે લાવ્યા અને કહેવા લાગ્યા, “દેવ ! પુત્રની ચિકિત્સા કરીને તમે અમને જીવાડ્યા છે. એ પછી તે બાળકને મેં વેદ ભણાવે. થોડા સમયમાં તેણે ઘણું શીખી લીધું. પછી મિત્રશ્રી અને ધનશ્રી એ બનેની સાથે ક્રીડા કરતે હું કેટલોક સમય ત્યાં રહ્યો. (૭) કપિલા લંભક અમારે પરસ્પરમાં સનેહયુક્ત વિશ્વાસ થયો, એટલે તે બે જણીઓએ-મિત્રશ્રી અને ધનશ્રીએ મને પ્રશ્ન કરતાં મેં મારી ઉત્પત્તિ અને સ્વછંદવિહારની વાત કહી. આથી તેઓ સન્તોષથી વૃદ્ધિગત શોભાવાળી થઈ. એક વાર હું તેમને છોડીને વેદશ્યામપુર ગયે. ત્યાં નગરની બહાર વિશ્રામ લેવાનું વિચારી હું ઉદ્યાનમાં પ્રવેશ્યા. ત્યાં એક વૃદ્ધા અને નાનાં બાળકો સહિત રહેલી, જાણે ઉપવનની દેવતા હોય તેવી, પિતાના હદયમાં રહેલી કોઈ વસ્તુનું ચિન્તન કરતી, અને લેખ્યમય યુવતીની જેમ ધ્યાન કરીને બેઠેલી એક યુવતીને મેં જોઈ. મને જોઈને તે એકદમ ઊઠી અને મને આલિંગન કરીને રડતી રડતી બોલી, “સહદેવ! વહાલા દિયર ! તું કયાંથી આવ્યો?” પછી કુસુમિત અશોકવૃક્ષની છાયામાં બેઠેલા મને તે કહેવા લાગી, અહીં કપિલ રાજાને મહાશ્વપતિ વસુયાલિત નામે મારા પિતા છે. તેની પુત્રી હું વનમાલા નામે છું. કામરૂપ દેશમાંથી રાજાની આજ્ઞાથી દૂત તરીકે આવેલા કામરૂપવાસી સુરદેવને મને પિતાએ આપી હતી. મને લઈને સુરદેવ પિતાને ઘેર ગયો. પછી તે સહદેવ! તું પ્રવાસમાં હતો તે સમયે પિયર સંભારતી એવી મને સુરદેવ કેટલાક સમય થયાં અહીં લાવ્યા. ડોક કાળ ગયા પછી તે સુરદેવ પિતાના અને મારા મંદ ભાગ્યને કારણે મરણ પામે. તેથી અત્યંત દુઃખ પામેલી અને ઘરમાં શાનિત નહીં પામતી હું આ હેરી વૃદ્ધા અને છોકરાઓની સાથે મારે શોક દૂર કરવાને આ ઉદ્યાનમાં આવી છું. તને મેં જોયે, એટલે હવે હું ધીરજ ધારી શકીશ.” આ પ્રમાણે તેણે કહ્યું. હું પણ “હું, હું” એમ (હુંકાર) કરતે હતો. પછી મેં વિચાર કર્યો, “આ સ્ત્રોએ દિયરનું નાટક તે કર્યું, તો પછી હવે તેનું પરિણામ પણ જોઉં.” તેણે મને કહ્યું, “ચાલે, આપણે ઘેર જઈએ.” પછી અમે વેદશ્યામપુરના મધ્યમાં થઈને ચાલ્યા. “આ દેવરૂપી કોણ હશે?' એ પ્રમાણે બોલતા વિચિમત થયેલા લેકો મને જોતા હતા. પછી હું વસુપાલિતના ઘરમાં પ્રવેશ્ય. ઘરનાં Page #314 -------------------------------------------------------------------------- ________________ કપિલા લંભક [ ૨૫૯ ]. માણસોને વનમાલા કહેવા લાગી, “ઘણું કાળથી પ્રવાસે ગયેલા આ મારા દિયર સહદેવને આજે મેં જોયા છે.” તુષ્ટ થયેલાં ઘરનાં માણસો આશ્ચર્યથી મારા તરફ જેવા લાગ્યાં. પાદશૌચ કર્યા પછી મને તેલાવ્યંગ, સંમર્દન, પ્રઘર્ષણ અને સનાન વનમાલા પોતે જ કરાવવા લાગી. ગાત્રો ઉપર લાભંગ થઈ રહ્યા પછી મેં વસ્ત્ર પહેર્યા, પણ વસુપાલિતને આવતાં મોડું થવાથી મારે માટે ભેજન લાવવામાં આવ્યું. ભેજન કર્યા પછી હું આસન ઉપર બેઠો. પછી વસુપાલિત આવ્યું. તેણે જાણે કે દર્શનથી જ મને પ્રણામ કર્યા. વનમાલાએ તેને કહ્યું “તાત! આ મારા દિયર સહદેવ છે.” વસુપાલિત બોલ્યો, “તેમનું સ્વાગત છે.” ફરી ફરી તે મારી તરફ જવા લાગ્યો. પછી વનમાલા બેલી, “તાત! તમને આવતાં મોડું થયું, તેથી સહદેવે જમી લીધું. કયી વાતમાં તમને રોકાણ થયું હતું?” વસુપાલિત કહ્યું, “તેમણે જમી લીધું એ સારું કર્યું. મારા રોકાણનું કારણ તમે સાંભળો– “કપિલ રાજાને એક વાર ભગુ નૈમિત્તિકે કહ્યું હતું કે, “રાજ! શાસ્ત્રકારોને અનુમત એવાં લક્ષણવાળી કપિલા કન્યા અર્ધભરતાધિપતિના પિતાની ભાર્યા થશે.” રાજાએ પૂછયું, “તે કયાં હશે? અને તેને કેવી રીતે ઓળખવો?” નૈમિત્તિક છે, “નિમિત્તના બળથી હું કહું છું. જે સ્કૂલિંગમુખ અશ્વને કેળવે તેને ( કન્યાના વર તરીકે) ઓળખજે. તે અત્યારે ગિરિકૂટમાં દેવદેવના ઘેર રહે છે.” તે વચન ગ્રહણ કરીને મહામૂલ્યવાન વસ્ત્રાભરણવાળા કુશળ મનુષ્યને રાજાએ કહ્યું, “તે ન જાણે તેવી રીતે ગિરિકૂટથી તેને અહીં કોણ લાવશે?” ઈન્દ્રશર્મા એ જાલિકે એ વાત સ્વીકારીને કહ્યું, “નૈમિત્તિકે કહેલા જમાઈને હું અહીં લાવીશ.” પછી તે ઐન્દ્રજાલિક પિતાના પરિવાર સહિત ગયો અને આજ ઘણે કાળે પાછો આવીને રાજાને કહેવા લાગ્યા, “દેવ ! હું ગિરિકૂટ ગયો હતો. ત્યાં પૃથ્વીતલના તિલક સમાન અને મનને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર તેને મેં જોયો. વિદ્યાસાધનના બહાના નીચે મેં તેને ગામમાંથી પર્વત-કટકના પ્રદેશમાં આણ્યો. ત્યાં તેને દેરડાં બાંધીને લટકાવેલા ચન્નમય વિમાનમાં બેસાડ્યો. આકાશમાં ઊડવાને માટે બેઠેલા તેને અમે નિષદ્ રીતે લઈ જતા હતા. પણ “મારું હરણ થાય છે ” એમ પ્રભાતે જાણીને તે (વિમાનમાંથી ઉતરીને ) નાસી ગયો, અને તેના દડવાના વેગને કારણે અમે તેને પકડી શક્યા નહીં. તેની શોધમાં ભમતાં અમને આટલો કાળ લાગ્યો, પણ તેના કેઈ સમાચાર નહીં મળવાથી અમે પાછા વળ્યા છીએ.” તેની આ વાત સાંભળીને ઉદાસ થયેલો રાજા “હવે તેની પ્રાપ્તિ કેવી રીતે થશે?” એમ વિચાર કરતો બેઠો. તેની પાસે હું પણ બેઠો હતો. રોકાણુનું આ કારણ હતું.” આ પ્રમાણે વસુપાલિતે વનમાલાને કહ્યું. તેનાં આ વચન સાંભળી મને વિચાર થયે કે, “હવે તો અહીં રહેવાનું થયું.” બીજે દિવસે વસુપાલિતની સમક્ષ વનમાલા મને કહેવા લાગી “સહદેવસ્વામી ! સ્કૂલિંગમુખ અશ્વને તમે જમી શકશે?” કહ્યું, “અશ્વને જોઈને તેની પ્રકૃતિ જાણી શકાય Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : છે.વસુપાલિતે કહ્યું, “તમારી ઈચ્છા પ્રમાણે અશ્વને જુઓ.” પછી ખિલતાં કુમુદના પત્રરાશિ સમાન (લાલ), ઉત્કૃષ્ટ પ્રમાણુવાળા, પંચોતેર આંગળ ઊંચા, એક સો આઠ આંગળ લાંબા, બત્રીસ આંગળના મોઢાવાળા, શુદ્ધ આવર્તવાળા, ઉત્તમ ખરી, કાન, કેશ, અવાજ, આકૃતિ, નયન અને જંઘાવાળા અને અત્યંત તેજસ્વિતાને કારણે જેના ઉપર સવારી ન કરી શકાય એવા સ્કૂલિંગમુખને મેં જોયે. તેને જોઈને મેં કહ્યું, “અશ્વનું દમન કરવાને હું શક્તિમાન છું.” વસુપાલિત બોલ્યા, “રાજાએ મને પહેલાં આજ્ઞા કરેલી છે કે-જે માણસ અશ્વને દમવાને ઇચ્છતા હોય તેના સંપૂર્ણ કબજામાં અશ્વ આપો; અને જ્યારે અશ્વનું દમન થાય-કેળવાય ત્યારે મને ખબર આપવી; માટે મારે આ બાબતમાં શું કરવું તેની સૂચના આપો.” મેં તેનું (આ પ્રસંગનું) બલિવિધાન સૂચવ્યું, અને સાંકળે સાથે બાંધેલી ચાર કંચમુખી સો કરાવવાનું કહ્યું. વસુપાલિતે મારી સૂચના પ્રમાણે કર્યું. મંગલ વિધિ કરીને હું પણ સકુલિંગમુખ ઉપર બેઠે. ચાર સોયે સાંકળમાં બાંધીને પલાણનાં ચાર અંગે માં મૂકી. પછી અશ્વ સૂવા જતો ત્યારે સોય વાગતાં તે ઊભું થઈ જતો. દેડે ત્યારે (સાંકળ ખેંચવાથી) ઊભું રહે અને તેને કંઈ પીડા ન થતી. જ્યારે અશ્વ ઊભું રહેવાની ઈચ્છા કરતા ત્યારે હું તેને ચલાવવાનું શરૂ કરતે. ગોખમાં બેઠેલો રાજા આ જેતે હતો. શિક્ષાકુશળ ઉપાધ્યાયવર્ગ તથા શાબાશીનાં વચનેથી જેમનાં મેં ભરાઈ ગયાં છે એવા વિસિમત થયેલા લેકે મારી પ્રશંસા કરવા લાગ્યા. પછી સ્કૂલિંગમુખ અશ્વને મેં કેળ અને રાજાને સન્તોષ આપે. મને જોઈને ઈન્દ્રશર્મા પગે પડ્યો અને કહેવા લાગે, “આપનું મહત્ત્વ નહીં જાણતા એવા અમે ગિરિતટમાં જે ચેષ્ટા કરી હતી તે માટે આપ ક્ષમા કરો.” કપિલાનું પાણિગ્રહણ પછી શુભ દિવસે કપિલા રાજકન્યાને અને મને વિવાહ-દીક્ષા આપવામાં આવી. સ્વચ્છ કનકથી નિર્મિત થયેલી જાણે દેવતા હોય તેવી, અનિર્વચનીય મનહર શરીરવાળી અને શરદકાળના પ્રસન્ન સરોવરના કોમળ કમળ સમાન વદનવાળી કન્યાને મારી પાસે લાવવામાં આવી. પછી પુરોહિતે અગ્નિમાં વિધિપૂર્વક હોમ કર્યો. કપિલ રાજાએ કપિલા રાજકન્યાનું મારી સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી પરમ પરિતેષથી જેનાં બે નયને વિકસિત થયાં છે એવા મેં અગ્નિની પ્રદક્ષિણા કરી, અને તેમાં લાજાંજલિઓ નાખી. (આટલું ઓછું ધન આપવાથી જાણે) શરમાયેલા કપિલ રાજાએ અમને બત્રીસ કેટિ ધન આપ્યું. લગ્ન પછી ધ્રુવદર્શનથી પ્રસન્ન થયેલા હું કપિલ રાજાના ગૃહમાં કપિલાની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યો. કપિલનો અંશુમાન નામે કુમાર હતો. તે વિનયશાળી હતું અને મારી સેવા કરતા હતા. એને હું કલાઓના વિષયમાં વિશેષતા શિખવતા હતો. કપિલાના ગુણમાં આસક્ત અને નિરુત્સુક-સુખી એવા મારો કાળ વીતતો હતે. તેને મારાથી કપિલ નામે કુમારને જન્મ થયો. Page #316 -------------------------------------------------------------------------- ________________ પદ્મા લભક (૮) પદ્મા લભક એક વાર માવત એક વનહસ્તીને લઇ આવ્યેા. ઉન્નત મુખવાળા, પ્રમાણયુક્ત અને રૂપાળી સૂંઢવાળા, ધનુષના જેવી કમાનદાર આકૃતિયુક્ત વિશિષ્ટ પીઠવાળા, કાચબાના જેવા આકારયુક્ત અને ધેાળા નખવડે અલંકૃત સુન્દર ચરણવાળા, વરાહુના જેવા જઘનભાગવાળા, ઉત્તમ બકરાના જેવી બહુ મેાટી નહીં એવી કુક્ષિવાળા, આગળથી સહેજ ઉન્નત અને સુન્દર વર્ણ યુક્ત જંતુશળવાળા, સરસ દાડિમ-પુષ્પના સમૂહ જેવી કાન્તિ ધારણ કરનાર અધરવાળા તથા સરલ, એકસરખા અને ઉત્તમ વાળવાળા તે હાથીને મે જોયા. તેને જોઇને મેં' વિચાર કર્યો, “ આ હાથી ભદ્ર જાતિના અને સારી રીતે કેળવી શકાય એવા છે. ’’ પછી મેં અંશુમાનને પૂછ્યું, “ આ હાથીને હું ગ્રહણ કરું ? ” તેણે મને વાર્યા અને કહ્યું, “ એ વાતથી ખસ કરો. ” કપિલ રાજાએ પણ મને વાર્યાં, છતાં હું (મહેલમાંથી) નીચે ઊતર્યા અને હાથી પાસે ગયા. હાથીને મે' થાબડથો, એટલે તે પાછા વળ્યો, હું પણ શીઘ્રતાથી બીજી બાજુએ વળી ગયા, એટલે તે ચક્રાકારે ભમવા લાગ્યા. હું ડર્યા વગર મારી જાતને તેનાથી ખચાવતા હતા. પછી મેં હાથીની સામે વજ્ર ફેકયુ, એટલે તે તેની ઉપર પડયો. તે વખતે દંતુશળ ઉપર પગ મૂકીને હું હાથી ઉપર ચઢી ગયા. રાજા તથા અંત:પુર સહિત બધા લેાકેા આશ્ચર્ય પામ્યા, અને આશ્ચર્યની વાત છે’એમ કહેવા લાગ્યા. પછી હું હાથીને ઇચ્છાપૂર્વક ચલાવવા લાગ્યા. [ ૨૬૧ ] હું નિશ્ચિન્તપણે હાથી ઉપર બેઠા હતા ત્યારે લેાકેા મને જોતા જ રહ્યા અને હાથી આકાશમાં ઊડચો, અને ધીરે ધીરે મને લઇ જવા લાગ્યા. કુમાર અંશુમાન પણ અમારી પાછળ પડયો. તે હાથી મને દૂર સુધી લઇ ગયા. પછી ‘ હાથીનું રૂપ ધારણ કરીને આ કાઈ મારું હરણ કરે છે' એમ વિચારીને મેં તેના તાળવા ઉપર પ્રહાર કર્યાં, એટલે તે નીલકંઠ થઇ ગયા, અને મને છેાડીને નાઠા. હું પણુ અટવીમાં એક તળાવમાં પચો, અને ત્યાંથી તરીને બહાર નીકળ્યો. આ કયા દેશ છે? ” એ હું જાણતા નહેાતા તેથી દિગ્મૂઢ થયેલે હું ભમતા ભમતા સાલગુહા નામે સર્નિવેશ પાસે પહોંચ્યા. તે સનિવેશની બહાર ઉદ્યાન હતુ, તેમાં વિશ્રામ કરવાને હું પ્રવેશ્યે. ત્યાં અભગ્નસેન રાજાના કુમારે આયુવિદ્યા શીખતા હતા. મેં તેમને પૂછ્યું, “ શુ તમે ગુરુના ઉપદેશથી શસ્ત્રો વઘેાડા છે ? કે તમારી વમતિથી ? ” તેઓએ ઉત્તર આપ્યા, “ પણૢશ નામે અમારા ઉપાધ્યાય છે. જો તમે આયુવિદ્યા જાણતા હૈ। તે તમારા શિક્ષાગુણુ કેટલે છે તે પણ અમે જોઇએ. ,, દઢ નિશાનવાળા એવા મેં જ્યાં જયાં તેમણે કહ્યું ત્યાં ત્યાં ખાણ માર્યા. મારી ૧. નીલયાના મામાના છેાકરા. વસુદેવ પ્રત્યે એના વૈરભાવના કારણ માટે જુએ નીલચશા લંભકના અંતભાગ. Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૨ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : અચૂક નિશાનબાજીથી વિસ્મિત થયેલા તેઓ કહેવા લાગ્યા, “તમે અમારા ઉપાધ્યાય થાઓ.” મેં કહ્યું, “પૂર્ણશની આજીવિકા હું નહીં કાપી નાખું.” પરંતુ તેઓ તે મને વળગી પડયા અને કહેવા લાગ્યા, “અમારા ઉપર કૃપા કરે, અમે તમારા શિષ્ય છીએ.” મેં કહ્યું, “જે એમ જ છે તે તે ઉપાધ્યાયને વાંધો ન આવે તેવી રીતે, હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી, તમને શિખવીશ.” તેઓ પ્રસન્ન થઈને બેલ્યા, “એમ થાઓ.” પછી તેઓએ મને આવાસ આપ્યો, અને પૂર્ણાશ ન જાણે તેમ મારી સેવા કરવા લાગ્યા. તેઓ મારાથી એક ક્ષણ પણ અલગ રહેતા હતા અને ભજન અને વરુની બાબતમાં મારી સગવડ સાચવતા હતા. આ વાત પર્ણાશે જાણી, એટલે અધ્યાપકેના સમૂહવડે વીંટળાયેલે તે મારી પાસે આવ્યું. તેણે મને પૂછ્યું. “આયુવિદ્યા જાણે છે ?” મેં કહ્યું, “અસ્ત્ર, અપાસ્ત્ર અને વ્યસ્ત્ર' જાણું છું. પગે ચાલતા અથવા હાથી ઉપર બેઠેલા દ્ધાને માટે અસ્ત્ર છે, ઘોડેસવારને માટે અપાત્ર છે, તથા ખડ્ઝ, કનક, તેમર, ભિંડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું. ” અો ફેંકવાની ત્વરાથી મેં તેને વિમિત કરી દીધો. પછી કઈ વિદ્વાન પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને અગ્નિસેન રાજા ત્યાં આવ્યું. તેણે મને જોઈને પિતાને ચામર બંધ કરાવ્યું. તે પ્રણામ કરીને મારી સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી પૂર્ણાશ મને પૂછવા લાગે, “ધનુર્વેદ કોણે ર?કહ્યું, “સાંભળો– ધનુર્વેદની ઉત્પત્તિ આ ભરતક્ષેત્રમાં યુગલિકધર્મને અંત આવ્યે તે સમયે, કુલકરોએ સ્થાપેલી હક્કાર, મક્કાર અને ધિક્કારની દંડનીતિનું મનુષ્ય ઉલ્લંઘન કરવા લાગ્યા. ત્યારે યુગલિકા સહિત દેએ નાભિરાજાના પુત્ર ઋષભદેવને પ્રથમ રાજા તરીકે અભિષેક કર્યો. તે સમયે મનુષ્યો ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા હતા, તથા પ્રકૃતિથી જ તેમનાં ક્રોધ, માન, માયા અને લોભ સૂમ હતાં. તે વખતે શસ્ત્રોની કોઈ જરૂર નહોતી. પણ જ્યારે ભગવાનના મોટા પુત્ર (ભારત) સમસ્ત ભરતના અધિપતિ થયા તથા ચૌદ રત્ન અને નવ નિધિના સ્વામી થયા ત્યારે તેમના માણવક નામે નિધિએ ખૂહરચનાઓને તથા શસ્ત્ર અને કવચની રચનાને ઉપદેશ આપે. કાળાન્તરે દારુણ હૃદયવાળા રાજાઓ અને અમાત્યોએ પિતાની બુદ્ધિથી નીપજાવેલી શસ્ત્રરચનાઓનો ઉપદેશ કર્યો. વિદ્વાનોએ એને લગતાં શાસ્ત્રો રચ્યાં. એ પ્રમાણે અસ્ત્ર, અપાસ અને વ્યસ પ્રવર્યા, તથા આયુર્વેદનો અને સંગ્રામને યોગ્ય મંત્રોનો આરંભ થયે. ચક્ષુરિન્દ્રિય, એન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયવડે પ્રવૃત્ત થયેલ ઈન્દ્રિય સહિત એ આત્મા પ્રયત્નપૂર્વક નિશાન ઉપર ચિત્ત લગાવીને પોતાના હૃદયનો ઈએલ અર્થ સાધે છે.” ૧, યુદ્ધવિધાના આ ત્રણ પ્રકારે લાગે છે, Page #318 -------------------------------------------------------------------------- ________________ પડ્યા લંભક [ ૨૬૩ ] એટલે યેગાચાર્ય–ઉપાધ્યાય મને કહેવા લાગ્યા, “ભરતરાજાના માણવક નિધિએ શસ્ત્ર અને કવચની રચના પ્રવર્તાવી એમ તમે કહે છે તે ઠીક છે, પણ શસ્ત્રોના સંધાનમાં, શસ્ત્રોને વછોડવામાં તથા રણમાં આત્મા પ્રમાણ છે” એમ તમે કહ્યું તે બરાબર નથી. પંચ મહાભૂતોના સમવાયથી ભિન્ન કેઈ આત્મા ઉપલબ્ધ થતો નથી. સર્વ જગત ભૂતમય છે. ભૂતે એકત્ર થતાં તે તે કાર્યોમાં પ્રયોજાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-એ નામથી ભૂતે ઓળખાય છે. શરીરમાં જે સ્થિર ભાવ છે તે પાર્થિવ–પૃથ્વીનો છે, જે પ્રવાહી છે તે જળને છે, જે ઉષ્મા છે તે અગ્નિની છે, જે ચેષ્ટા છે તે વાયુની છે, અને જે છિદ્ર છે તે આકાશનું છે. ઈન્દ્રિયે પણ એ ભૂતેમાંથી જ ઉત્પન્ન થાય છે–સ્રોત્રેન્દ્રિય આકાશમાંથી ઉત્પન્ન થયેલી હોઈ શબ્દને ગ્રહણ કરવામાં સમર્થ છે, ચામડી વાયુમાંથી બનેલી હેઈ સ્પર્શનું સંવેદન કરે છે, ચક્ષુ તેજમાંથી બનેલું હોઈ રૂપનું ગ્રહણ કરે છે, નાસિકા પૃથ્વીમાંથી બનેલી હોઈ ગંધનું ગ્રહણ કરે છે, અને જીભ જળમાંથી બનેલી હોઈ રસનો આસ્વાદ કરે છે. શરીરનો નાશ થતાં ભૂતો પોતપોતાના સ્વરૂપને પામે છે. ત્યાં તમે જેનું સ્વામિત્વ વર્ણવ છો તે આત્મા કયાં આવે? ભૂતો એકત્ર થતાં ચેતના પેદા થાય છે, જેમ મદ્યનાં અંગે (કારણ) એકત્ર થતાં ફેણ, પરપોટા અને શબ્દ પેદા થાય છે. મદ પેદા કરવાની શક્તિ એ મધથી ભિન્ન નથી, પણ તેમાંથી જ પેદા થયેલી છે, તેમ જ ભૂતને વિષયની પ્રતિષત્તિ-વસ્તુઓનું જ્ઞાન–થાય છે તે બાબતમાં પણ સમજવું. આત્માનું અસ્તિત્વ જ નથી.” મેં ઉત્તર આપે, “તમે કહો છો તે પ્રમાણે “ભૂતો એકત્ર થતાં ચેતના ઉત્પન્ન થતી હોય, અને એથી ભિન્ન એ કઈ આત્મા જ ન હાય” તે શરીરી આત્મા જેમ મઘનાં અંગોને સંગ તથા મદને નાશ (અથવા મદ અને તેનો નાશ) જાણે છે તેવી રીતે મધે પિતાને ગુણ પણ જાણવો જોઈએ. જેમ મઘનાં અંગોમાં કોઈક કાળે ફેણ, બુદુબુદ આદિ ક્રિયાઓ થાય છે તેમ શરીરી(આત્મા)ની બાબતમાં ચેતના સમજવી. જ્યાં સુધી આત્મા શરીરનો ત્યાગ કરતા નથી ત્યાં સુધી જ વિજ્ઞાન આદિ ગુણે રહે છે. જે ચેતના એ ભૂતન ગુણ હોય તો જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાંસુધી સુખદુઃખનું સંવેદન થવું જોઈએ (પણ એમ થતું નથી). “પોતપોતાના વિષયોને ગ્રહણ કરનાર ઈન્દ્રિયો એજ આત્મ છે” એમ જે તમે કહેતા હો તે શ્રોત્રેન્દ્રિયના ઉપયોગ વડે વ્યકત શબ્દ સાંભળીને જીભ, એઇ, તાળવું અને દાંતના સંગથી પ્રયત્નપૂર્વક કે ઉત્તર જ ન આપે. શબ્દ સાંભળીને જે ચક્ષુને વિષય છે એવા રૂપમાં કોઈ શબ્દવેધી (નજરે જોયા વગર) બાણ ન મારે, જન્માન્તરમાં અનુભવેલા પદાર્થોનું પણ કોઈ સ્મરણ ન કરે. જાતિસ્મરણવાળા મનુષ્યની બાબતમાં એમ સાંભળવામાં આવે છે કે જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ તેઓ પૂર્વજન્મમાં અનુભવેલી વસ્તુઓ બતાવે છે. જે ભૂતને સંગ એજ શરીરને હેતુ હોય, અને પિતાનાં કર્મને વશવતી એવા આત્માનું કશું જ સામર્થ્ય Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] વસુદેવ–હિ'ડી : : પ્રથમ ખંડ: ન હાય ’ તા પ્રાણીઓનાં શરીરે એકસરખા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિવાળાં જ થાય; ભમરા કાળા ન થાય; પોપટ હિતવર્ણ ના ન થાય, ઇન્દ્રગેાપ લાલ ન થાય, કપાત કાખરા રંગના ન થાય, ખગલાં સફેદ ન થાય. વળી જે પ્રાણીએ ખેાડવાળાં દેખાય છે તેમના ભૂત-ગુણુ કયાં ગયા ? માટે અસાહવાળા ન થશેા. ભૂતથી ભિન્ન એવે આત્મા છે, તે શુભ-અશુભ કર્મના કરાવનાર છે, અને વિપાકદશામાં આવેલાં કર્મોના ભેાક્તા છે. ” કૌતુકપ્રિય લેાકેા અનેક * ત્યારપછી વ્યાકરણુ, છંદ અને બીજી કલાએમાં પ્રવીણ એવા કેટલાકે મને પ્રશ્નો પૂછ્યા. મે' પણ મારા શાસ્ત્રજ્ઞાનના મળથી તેમને કંટાળ્યા વગર ઉત્તરા આપ્યા. પછી અભગ્નસેને અધ્યાપકેાને વાર્યા કે, “ સ્વામીને હેરાન ન કરો. ’’ પ્રકારે મારી પ્રશંસા કરવા લાગ્યા. પછી અલગ્નસેને મને પૂછ્યું કે, “ સ્વામી ! કયાંથી આવે છે ? અને ક્યાં જાએ છે? ” મેં ઉત્તર આપ્યા, “ હું બ્રાહ્મણ જાતિના છુ, અને શાસ્ત્રાભ્યાસના લાભથી ઘેરથી નીકળ્યેા છું. ” તે ખેલ્યા, “ જો તમે બ્રાહ્મણ જાતિના હા તેા તમારે ખાણુ, અસ્ર અથવા રૂપિયાનું શું કામ ? ” મેં કહ્યુ, “ સર્વ મનુષ્યાને સામાન્ય એવા કાર્યમાં કુશળ પુરુષને પ્રસંગ નિષિદ્ધ નથી. ” પછી એક મુહૂર્ત કઈક વિચાર કરીને રાજા એલ્યેા, “ કૃપા કરી, મારું ઘર જુએ, ચાલો આપણે જઇએ. ” મે પણ ‘ ભલે ’એમ કહીને તે વસ્તુ સ્વીકારી. રાજાએ સેવકને સૂચના આપી કે, “ જલદી વાહન લાવ. ” એટલે તેણે ઘેાડા ઉપર સામાન માંડ્યો, અને ચમરી સહિત તેને તરાપૂર્વ ક ત્યાં આણ્યા. રાજાના માન્ય પુરુષે મને કહ્યું, “ સ્વામી ! ઘેાડા ઉપર બેસા, આ ઉત્તમ અશ્વ છે અને સવારી કરતાં વેંત જ ઇચ્છા પ્રમાણે ચાલનારા છે. ” એટલે શીવ્રતાથી ઘેાડા ઉપર બેઠા, અને ઇચ્છાપૂર્વક ઘેાડા ખેલાવતા મને લેાકેાએ જોયા. પછી મહાવતે કૃષ્ણ મેઘની જેમ ગર્જના કરતા, અતિમદ નહીં એવી-મધ્યમ મદ-ગતિવાળા, પદ્મલતાએની ભાતના ચિત્રામણવાળી ઝુલ જેના ઉપર નાખેલી હતી એવા, સેાનાની સાંકળાથી બાંધેલા અને મધુર સ્વરવાળી એ ઘટાએ જેને બાંધેલી હતી એવા હાથીને ત્યાં આણ્યે. પછી અભગ્નસેને મને કહ્યું, “ સ્વામી ! હાથી ઉપર બેસેા; હું અશ્વ ઉપર બેસીને તમારી પાછળ પાછળ આવીશ; કૃપા કરો. ” તેના વચનને અનુસરીને હું એકદમ ઘેાડા ઉપરથી ઊતર્યાં. મહાવતે પણ રાજાની આજ્ઞાથી હાથીને નીચે બેસાડ્યો. હું સુખપૂર્વક તેના ઉપર બેઠા. મહાવતને મેં કહ્યુ, “તુ પાછળ એસ. ' અને હું હાથીના માથે ( મહાવતની જગાએ ) બેઠા. કૌતુકપ્રિય લેાકેાએ હ`પૂર્વક મારા જયશબ્દ ઉચ્ચાર્યાં. રાજા વિસ્મિત થયા. જોનારા લેાકેાથી જેના માર્ગ રુંધાઇ ગયા છે એવા હું ધીરે ધીરે આગળ ચાલ્યા. મારાં રૂપ, વય અને સત્ત્વનું વર્ણન કરતા લેાકેા મારો પ્રશ`સા કરવા લાગ્યા. ચિત્રકળામાં કુશળ એવા કેટલાક લેાકેા ખેલતા હતા, “ અહા ! આ પુરુષ જો અહીં રહે તે આપણે માટે ઉત્તમ અને સુન્દર પ્રતિચ્છન્દ બની રહે. ” પ્રાસાદમાં રહેલી યુવતીએ ગેાખ અને ૧. માઢેલ - Page #320 -------------------------------------------------------------------------- ________________ ----- પાા લંભક [ ૨૬૫ ] બારીઓમાં ઊભી રહીને મારા ઉપર પુષ્પોની તથા નાસિકા તથા મનને સુખ આપનાર સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરતી હતી. જ્યાં તેરણ અને વનમાલાઓ સારી રીતે બાંધી હતી એવા રાજભવન આગળ હું અનુક્રમે પહોંચ્યો. મારી અધ્યપૂજા કરવામાં આવી, એટલે હું હાથી ઉપરથી ઊતર્યો, અને રાજાનાં પરિજનોની સન્તોષથી વિકસિત એવી નયનમાલાઓ વડે જેવાતે હું દેવવિમાન જેવા રાજભવનમાં પ્રવેશ્યા. પાદશૌચ કર્યા પછી તૈલાશ્ચંગ વખતે ધારણ કરવાનું વસ મેં પહેર્યું, એટલે કુશળ દાસીઓએ સુગંધી તેલથી મને મર્દન કર્યું, અને મારું શરીર મસળ્યું. પછી હું સ્નાનગૃહમાં ગયે, ત્યાં મને મંગલપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું. ઉત્તમ વસ્ત્ર પહેરીને હું સુખપૂર્વક ભજનમંડપમાં બેઠો, અને ત્યાં સુવર્ણના થાળમાં લાવવામાં આવેલું સ્વાદિષ્ટ ભેજન જમે. પદ્યાનું પાણિગ્રહણ તે સમયે પ્રતિહારીએ મને કહ્યું, “દેવ! સાંભળ–અમારા સ્વામી અભસેનની પુત્રી પધા નામે છે. તે પદ્મવનમાં વિહાર કરવા નીકળેલી શ્રી જેવી રૂપાળી છે. લક્ષણ પાઠકે જેની પ્રશંસા કરેલી છે એવાં મુખ, નયન, નાસિકા, હોઠ, સ્તન, હસ્તકમળ, કટિ, જઘન, જંઘા, પીંડી અને ચરણકમળ વાળી છે, સરસ્વતીની જેમ પરમ મધુર વચનવાળી છે અને ગતિની બાબતમાં હંસને પણ ઉપહાસ કરનારી છે. રાજા તમને એ કન્યા અવશ્ય આપશે.” મેં તેને પૂછયું, “તું આ વૃત્તાન્ત કેવી રીતે જાણે છે?” તેણે કહ્યું, “આજે રાજા દેવીની પાસે તમારા ગુણોનું વર્ણન કરતા હતા તે મેં સાંભળ્યું હતું. રાજાએ શ્રીમતી દેવીને કહ્યું, “પ્રિયે! આજે પદ્માને' એવો પતિ મળે છે, જે દેવકમાં પણ દુર્લભ હોય, તે પછી મનુષ્યલોકની તો વાત કયાં કરવી?” એટલે દેવીએ પૂછયું, “સ્વામી ! તે કયાં છે અને કેવો છે?” રાજાએ ઉત્તર આપે, “મારા ભાગ્યથી પ્રેરાયેલે તે અહીં જ આવ્યા છે. કૌતુકપ્રિય જનોએ એની વાત મને કરી હતી, જેથી આજે હું તેની પાસે ગયે. લોકોની દષ્ટિવડે જેની સુન્દરતા જોવાતી હતી એવા, મુકુટના સ્થાનરૂપ તથા છત્રના જેવી આકૃતિયુક્ત મસ્તકવાળા, ભમરાઓના સમૂહ જેવા કાળા, વાંકા, દક્ષિણાવર્ત અને નિગ્ધ કેશવાળા, શરદઋતુના પૂર્ણચન્દ્ર જેવા સૌમ્ય વદનચંદ્રવાળા, અષ્ટમીના ચંદ્ર જેવા લલાટવાળા, રવિનાં કિરણેથી વિકાસ પામેલા કમળ જેવી આંખવાળા, સુન્દર નાસિકવાળા, ઈન્દ્રપ અને પરવાળાં જેવા રાતા હેઠવાળા, સર્પની બહાર કાઢેલી જીભના સમાન વર્ણયુક્ત જીભવાળા, કમળમાં મૂકેલી મેગરાની કળીઓની માળા સમાન દાંતવાળા, જેના ઉપર કુંડળ લટકી રહ્યાં છે એવા રમણીય શ્રવણવાળા, મટી હડપચીવાળા, ત્રિલેખાથી યુક્ત શંખ સમાન ડિકવાળા, ઉત્તમ મણિના શિલાતલ સમાન વિશાલ વક્ષ: Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ અંક : સ્થળવાળા, જેના પ્રકાઇ તથા શરીરના સાંધાઓ સુશ્લિષ્ટ છે એવા નગરની ભેગળ જેવી દીર્ઘ ભુજાવાળા, ઉત્તમ લક્ષણોથી અંકિત અને પુષ્ટ હસ્તકળવાળા, મનહર રામરાજથી વ્યાસ અને હાથના પંજામાં ગ્રહણ કરી શકાય એવા મધ્યભાગવાળા, વિકાસ પામતા પદ્મ સમાન નાભિવાળા, ઉત્તમ અશ્વના જેવી ગેળ કટિવાળા, હાથીની સૂંઢ જેવા રમ્ય અને સ્થિર ઉરુવાળા, (માંસલ સ્નાયુઓમાં ઢંકાયેલા જાનુવાળા, હરિના જેવી ઘંટીવાળા, શંખ, ચક્ર અને છત્રવડે અંતિ, કેમલ અને કૂર્મ જેવા આકારયુક્ત ચરણવાળા, મસ્ત વૃષભ જેવી લલિત ગતિવાળા, શ્રવણમનહર, ઉત્તમ અર્થ યુક્ત અને રિભિત વાણીવાળા, તથા આખા મહીતલનું પાલન કરવાને ગ્ય એવા તેને મેં જોયે, માટે હવે હું વિલંબ સહન કરી શકતું નથી. કાલે કુમારી પદ્માવતીનું પાણિગ્રહણ થાય એવી મારી ઇચ્છા છે.” દેવીએ કહ્યું, “સ્વામી ! જે કુમારી પદ્માવતી માટે જેનાં કુળ અને વંશ અજ્ઞાત છે એવો વર તમે પસંદ કર્યો છે, તો તે બાબતમાં નૈમિત્તિકને પ્રમાણ કરે (અર્થાત્ નૈમિત્તિકને પૂછો).” રાજાએ કહ્યું, “દેવિ ! એનાં કુળ અને વંશ અજ્ઞાત છે–એમ ન બોલ. સૂર્યનાં કિરણે વાદળાંના પટલમાં ઢંકાઈ ગયેલાં હોય તો પણ કમળવનના વિકાસવડે સૂર્ય ઉદય સૂચિત થાય છે. એ જ પ્રમાણે ઉત્તમ મનુષ્ય તેની ચેષ્ટાઓથી જણાય છે. ટૂંકમાં એટલું જ કે જે તે દેવ નહીં હોય તે વિદ્યાધર અથવા ઉત્તમ માનવ રાજવંશમાં તે જરૂર જન્મેલે હશે. તે હાથી ઉપર ચઢ્યો તે વખતે કૌતૂહલિક જનોએ તેને જયશબ્દથી વધાવ્યા હતા. નિધિ જોયા પછી તેનો સ્વીકાર કરવો કે નહીં એ વિષે નૈમિત્તિકને પૂછવા કોણ જાય ? માટે તું પ્રસન્ન મનવાળી થા. ઉત્તમ વરની પ્રાપ્તિરૂપ કલ્યાણ કલ્યાણશાળીઓને પ્રાપ્ત થાય છે.” આમ કહીને રાજા દેવી પાસેથી ગયા. પછી તેમણે મંત્રીને આજ્ઞા આપી, “પઢાના વિવાહ માટે કાલે સામગ્રી અને અલંકારો તૈયાર રાખે ”હે દેવ ! આ પ્રમાણે હકીકત છે...” એમ કહીને પ્રણામ કરીને પ્રતિહારી ગઈ. | મારી રાત્રિ પણ સુખશામાં વીતી ગઈ. પછી રાજાએ મોકલેલી મહરિકાએ આવી. તેમણે વરને યોગ્ય એવો મારો શરીરસંસ્કાર કર્યો. પછી કર્ણિકારની કેસરાઓના સમૂહ સમાન ગૌર વર્ણવાળે, સફેદ રેશમી વસ્ત્રનું જેણે ઉત્તરાસંગ કર્યું હતું એવો, જેણે પિતાના મસ્તક ઉપર ધરનાં અંકુર અને માલતીપુષ્પો મૂક્યાં હતાં એ, પુષ્ટ શરીરવાળે તથા ગંભીર અને મધુર વાણવાળ શાન્તિ નામે પુરોહિત આવ્યો. તેણે જયાશીષથી મને વધાવ્યું. જેની મંગલ-વેદી સારી રીતે બનાવવામાં આવી હતી એવી ચોરીમાં તે મને લઈ ગયે. તારાઓ વડે વીંટળાયેલી હિણી જેમ ચન્દ્રની પાસે આવે તેમ રાજકન્યા પહ્મા પોતાની સખીઓ સહિત રાજાના વચનથી મારી પાસે આવી. સૂક્ષમ નામે ઉપાધ્યાયે અગ્નિમાં હોમ કર્યો, એટલે અગ્નિસેન રાજાએ મને પદ્માનું પાણિગ્રહણ કરાવ્યું. અમે અગ્નિની પ્રદક્ષિણા કરી, લાજા જલિઓ નાખી, રાણીઓએ મંગલ ગીતે ગાયાં, પુરોહિતે અક્ષત નાખ્યા અને સંતુષ્ટ થયેલાં પરિજનોની સાથે અમે ગર્ભગૃહમાં Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫વા લલક [ ૨૬૭ ] પ્રવેશ્યાં. પ્રસન્ન થયેલા રાજાએ અમને બત્રીસ કોટિ ધન આપ્યું. પ્રિય અને મધુર વચનવાળી પડ્યાની સાથે વિષયસુખ અનુભવતાં મારા કેટલાક દિવસો વીતી ગયા. એક વાર પ્રતિહારીએ મને પ્રણામ કરીને વિનંતી કરી, “સ્વામી ! રૂપવાન અને તેજસ્વી કઈ તરુણ માર્ગમાં પ્રવાસ કરીને આવે છે અને તે આપને મળવા ઈચ્છે છે.” પછી હું બહારના ઉપસ્થાનગૃહમાં આવ્યું અને તે યુવકને પ્રવેશ કરાવવામાં આવ્યા. પ્રતિહારે તેને અંદર આવવા દીધે, એટલે તે મારા ચરણમાં પડ્યો. મેં તેને ઓળખ્યો કે, “આ તે અંશુમાનકુમાર છે. મેં તેને કહ્યું, “ભદ્રમુખ! તું ભલે આવ્યો ! તું વિશ્રામ લે.” પછી તેણે પાદશચ કર્યું અને મારી સાથે સ્નાન કર્યું. તેને માટે લાવવામાં આવેલાં મહામૂલ્યવાળાં બે વસ્ત્રો તેણે પહેર્યા, ભેજન કર્યું તથા સુખપૂર્વક બેઠે, એટલે મેં તેને પૂછયું, “તું અહીં કેવી રીતે આવ્યો? નગરમાંથી તું કેવી રીતે નીકળે?” એટલે તે કહેવા લાગ્યા, “સાંભળ આર્યપુત્ર! તમે જંગલી હાથીને દયે તથા તમારો વશવતી બનાવે, તેથી રાજા અને લેકો ખૂબ વિરમય પામ્યાં. પછી તમારા વડે નિરંકુશપણે હંકારાતે તે હાથી વેગથી ચા, અને થોડેક દૂર જઈને આકાશમાં ઊડ્યો. ડરેલા લેકે તે કંઈ બોલી શક્યા નહીં, પણ ત્વરાપૂર્વક કેડ બાંધીને હું તે દિશામાં દેડ્યો. આપણી વચ્ચેના લાંબા અંતરને કારણે પહેલાં તો મેં હાથીને પાડા જેટલો, પછી વરાહ જેટલો અને પછી પક્ષી જેટલો છે. એ પછી તે તે સાવ અદશ્ય થઈ ગયા. તમને નહીં જેવાને કારણે હું ખિન્ન થઈ ગયો. મેં નિશ્ચય કર્યો કે, “આર્યપુત્રની ભાળ મેળવ્યા સિવાય પાછો નહીં વળું.” પછી હું લોકોને પૂછવા લાગ્યો કે, “આકાશમાર્ગે જતો હાથી તમે જે છે?” એટલે કેટલાક કહેવા લાગ્યા કે, “હાથી આ દિશામાં ગયે છે, પણ તેને કઈ પુરુષ હાંકતે હતું કે પિતાની મેળે તે જતો હતો એ અમે જાણતા નથી.” એમ કરતાં હું દૂર સુધી આવ્યો, અને સાંઝ પડતાં ત્યાં જ રહ્યો. રાત્રિ પૂરી થઈ એટલે મેં જનપદ વટાવે, અને જંગલમાં પ્રવે. પછી મારાં આભરણે પત્રપુટમાં મૂકીને તે ઉપર મેં પાંદડાં ઢાંકી દીધાં. પછી ફલાહાર કરતા હું અરણ્યમાં ચાલવા લાગ્યો. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. વનચર મનુષ્યએ મને કહ્યું, “તમે પૂછે છે એવો દેવરૂપી પુરુષ સાલગુહાના માર્ગે ગયો છે. ” આ સમાચારથી હું સતુષ્ટ થયે, અને મારાં આભારણો બહાર મૂકીને અહીં આવ્યા. અક્ષત શરીરવાળા તમને જોયા તેથી મારે પરિશ્રમ સફળ થયે છે.” પછી મેં પણ અંશુમાનને મારો બધે વૃત્તાન્ત કો. અભગ્નસેનના પુરુષોએ અંશુમાનને કપિલરાજાના પુત્ર તરીકે ઓળખે. સંતુષ્ટ થયેલા રાજાએ તેને સત્કાર કર્યો, મારે પણ પૂર્વવૃત્તાન્ત સાંભળીને દેવી સહિત અભગ્નસેન રાજા પરમ આનન્દ પામે. એક વાર સુખપૂર્વક બેઠેલી પઘાએ મને પૂછ્યું, “આર્યપુત્ર! Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : * * * * * * * * ૧૧- ૧ - -- - --- -- ---~- “ ^* * ~ ~*~ ~*~ તમને કપિલ આદિ રાજાઓએ પોતાની પુત્રીઓ આપી છે, પણ અમારા વડીલે (સાસુસસરા આદિ) કયાં છે, જેમની અમે સેવા કરીએ?પછી મારા નગરમાંથી હું કેવી રીતે નીકળે તેને કારણ સહિત વૃત્તાન્ત મેં પદ્માને કહા. એ પરમાર્થ–સત્ય હકીકત સાંભળીને દક્ષિણ દિશાના પવનવડે વીંજાયેલી વસન્ત ઋતુની નલિનીની જેમ તે વિશેષ શોભવા લાગી. પછી પદ્માની સાથે લલિત કલાઓમાં, અને અંશુમાનની સાથે વ્યાયામવિષયક કલાઓમાં વિજય મેળવતા અને મુદિત મનવાળા એ મારે સમય સુખેથી વીતવા લાગ્યું. અશ્વસેના લંભક એક વાર હું અંશુમાનની સાથે બેઠા હતા. તે વખતે અભગ્નસેન આવ્યો. વડીલ હોવાને કારણે મેં તેને પ્રણામ કર્યા. આસન આપવામાં આવ્યું, એટલે તે બેઠો અને કહેવા લાગ્યા, “મારા પિતા સુબાહુરાજા હતા. તેમને બે પુત્ર હતા–મટે મેઘસેન, અને નાને હું. મારા પિતાએ હંસ નદીને સીમા તરીકે રાખીને અમને રાજ્ય વહેંચી આપ્યું, અને નિસંગ એવા તેમણે પ્રવજ્યા લીધી. અમે બન્ને જણા જયપુરમાં રહેતા હતા. અશ્વપણિત ઘતમાં પોતે છતાય તે મેઘસેન મને કંઈ આપતે નહેતે, અને હું જાઉં તે મારી પાસેથી પડાવી જતો હતો તેમજ મારાં પરિજનને પણ પડતું હતું. તેનાથી ઉગ પામતે હું અહીં રહ્યો. મારા પ્રદેશને પણ તે પીડે છે, અને વારવા છતાં પણ રહેતું નથી. તે કહે છે, “હું રાજ્ય સ્વામી છું, તું મારો નાનો ભાઈ છે તારી ઈચ્છા પડે ત્યાં રહે કે જા.” તે આવી રીતે મને હેરાન કરે છે, છતાં વડીલ ગણીને હું તેનું બહુમાન કરું છું; પરન્તુ તે અહીંથી પણ મને હાંકી મૂકવા ઈચ્છે છે, તે હવે શું અવિરુદ્ધગ્ય ગણાય તે હું જાણતો નથી.” મેં કહ્યું, “તમે તેને વડીલ ગણીને તેના વશમાં રહે છે તે યોગ્ય છે. આથી તે પણ વિચાર કરશે કે વિનયમાં રહેતા એવા આનું મારે અવશ્ય પાલન અને લાલન કરવું જોઈએ.” અંશુમાને કહ્યું, “પણ પિતાએ ઠરાવેલી મર્યાદાનું જે ઉલ્લંઘન કરે છે તેને વિનય શેને કરવાનો હોય તેને મર્યાદાનું ઉલ્લંઘન કરતાં અટકાવે જોઈએ; એમાં કંઈ ધર્મવિરોધ નથી.” એટલે પ્રણામ કરીને અભસેન ગયે. મેઘસેનને પરાજય કેટલાક સમય પછી મેઘનાદ (મેસેન) મોટા સૈન્ય સાથે ચઢી આવ્યો. અભસેન પણ પોતાના સૈન્ય સહિત તેની સામે લડવા ગયે. હું પણ સાવધાની ખાતર રથ સહિત Page #324 -------------------------------------------------------------------------- ________________ અશ્વસેના લંભક [૨૬૯] સજજ થઈને ગ. અંશુમાન મારો સારથિ બન્યું. અભગ્નસેને કહ્યું, “સ્વામી ! મારા ભાઈએ કહેવરાવ્યું છે કે-કાં તો તારા ધન અને વાહનને અર્ધભાગ આપ અથવા મારાથી યુદ્ધમાં પરાજિત થાય તે આ પ્રદેશમાં નહીં વસવાનું કબૂલ કર; માટે હું યુદ્ધ કરું છું. તમે પ્રેક્ષકે થાઓ.પછી તે સૈન્યની તરફ ગયે. બન્ને સેન્યો રથીની સાથે રથી, અશ્વની સાથે અશ્વ, પદાતિની સાથે પદાતિ, હાથીની સાથે હાથી અને યોદ્ધાની સાથે થોદ્ધા એ પ્રમાણે સરખેસરખાની સાથે યુદ્ધ કરવા લાગ્યાં. બને સૈન્યએ તર્યનિનાદ અને જન-કલકલ (યુદ્ધના પિોકાર ) એકી સાથે કર્યા. “હું તારો નાશ કરું છું, મુહુર્ત માત્ર ઊભો રહે ” એમ બેલતા દ્ધાઓના પોકારોથી મિશ્ર કોલાહલ પેદા થયે. બાણુવિદ્યામાં પિતાની નિપુણતા દર્શાવતા પુરુષએ આકાશ ઢાંકી દીધું. મેઘસેનના સૈન્ય ત્વરાપૂર્વક અભગ્નસેનના સૈન્યને પરાજિત કર્યું. તીક્ષણ ખડ્ઝ, શક્તિ, ભાલા અને બાણના સમૂહથી ઘાયલ થયેલા અલગ્નસેનના દ્ધાઓ પીડા પામવા લાગ્યા. જેને વેગ મદિત થયો છે એવો અભગ્નસેન પિતાના નગર તરફ પાછો વળ્યો. મેઘની જેમ ગર્જના કરતાં મેઘસેન આગળ વધે. નિરાશ થયેલા અને આનંદ વગરના યોદ્ધાઓ નાસીને નગરમાં પ્રવેશવા લાગ્યા. મારા સસરાના સિન્યની આવી અવસ્થા જેઈને મેં અંશુમાનને કહ્યું, “દુખી અભગ્નસેનની ઉપેક્ષા કરવી મારે માટે યોગ્ય નથી; કેમકે હું જોઉં છું કે-તે નગરમાં પાછો જશે તો પણ મેધસેન તેને છેડી દેશે નહીં, માટે જલદી ઘડાઓને હાંક, એટલે તેનો અભિમાન હું ઉતારું.” પછી અગ્નિસેનના સૈન્યને ધીરજ આપતે હું સમરના મધ્યભાગમાં પહોંચ્યો. મને સામે આવેલ જોઈને, જેમણે પરમાર્થ જ નથી એવા શ્ર દ્ધાઓ મારા ઉપર આયુધને વરસાદ વર્ષાવવા લાગ્યા. તેમનાં આયુધ મેં કુશળતાથી નકામાં બનાવી દીધાં કેટલાક યોદ્ધાઓને બાંધ્યા અને કેટલાકને રથ વગરના કરી દીધા. પછી મેં અંશુમાનને કહ્યું, “મેઘસેનની પાસે રથ લઈ જા; બીજા બલિજિક-કાગડાઓનું મારે શું કામ છે?” કુશળ એવો તે રથને ત્યાં લઈ ગયે. કાલમેઘ જેવો મેઘસેન બાણની વૃષ્ટિ વરસાવવા લાગ્યા. મૈત્યના પવનની જેમ મેં તેનું નિવારણ કર્યું. શરવૃષ્ટિ નિષ્ફળ જવા છતાં જ્યારે તેણે યુદ્ધ કરવાનું ન છોડ્યું ત્યારે સંબંધી હેવાને કારણે તેના શરીરને ઈજા કર્યા વગર મેં તેનાં ધનુષ્ય, વિજ અને સારથિન વિનાશ કર્યો અને ઘોડાઓને ઘાયલ કર્યા. પછી તેને કહ્યું, “તું આયુધ મૂકી દે, જેથી હું તારો વિનાશ ન કરું.” પછી મૂઢ જેવા થઈ ગયેલા તેને અંશુમાને પકડ્યો અને મારા રથમાં બેસાડ્યો. પાંખ વગરના પક્ષીની જેમ તે ત્યાં શાન્ત બેસી રહ્યો. મેધસેનને આવી અવસ્થામાં જોઈને તેના દ્ધાઓ નાસવા લાગ્યા. જેમણે બળ પ્રાપ્ત કર્યું છે એવા અભસેનના પુરુષોએ તેમના રથ, અ અને હાથીઓ લૂંટી લીધા. પછી મેં નગરીમાં પ્રવેશ કર્યો. સેનાપતિને મેધસેન સેં. હું પ્રવેશ કરતે હતે ૧. મૈત્રત્યના પવનથી વરસાદ રોકાઈ જાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : તે વખતે આબાલવૃદ્ધ જને અત્યંત પ્રીતિપૂર્વક માર જયશબ્દ કરતાં હતાં અને બોલતાં હતાં, “દેવ! તમારા પ્રસાદથી અમારાં ધન અને જીવિત અક્ષત રહ્યાં છે.” હું વાહનમાંથી નીચે ઊતર્યો એટલે સસરાએ પ્રણામ કરીને ઉત્તમ અર્થથી મારી પૂજા કરી. પછી હું રાણી પાસે ગયે, તેણે પણ મને અભિનંદન આપ્યું. “આ૫ સંગ્રામમાંથી અક્ષત શરીરે પાછા આવ્યા છો ” એમ બેલતી પદ્મા મારા પ્રત્યે અત્યંત ભક્તિવાળી થઈ. અભગ્નસેને મહત્તરિકાઓ મોકલી કે, “સ્વામીના શરીરના સમાચાર લઈ આવે.’ તેમણે મારું અવિન–કુશળ પૂછયું, પાછી ગઈ અને રાજાને જણાવ્યું. જેની આગળ અંશુમાન ચાલતે હતે એવો સેનાપતિ મેસેનને તેના ભાઈ અલગ્નસેનની પાસે લાવ્યો. માનને લીધે તે પાદશાચ કે મુખપ્રક્ષાલન ઈચ્છતે નહોતે. પછી અભગ્નસેને તેને કહ્યું, “ભાઈ “સેવકે મને પકડ્યો છે એમ માનીને તમે ગુસ્સે ન કરશે. પદ્યાના પતિ, તમારા જમાઈ, જેમની સામે યુદ્ધ કરવાને દેવે પણ શક્તિમાન નથી–તે માણસની વાત જ શી કરવી?–તેમણે તમને પકડ્યા છે. ” એટલે મેઘસેને કહ્યું, મને તેમની પાસે લઈ જાઓ: આ પ્રાણ તેમને આધીન છે, હવે મારી જાત ઉપર મારે અધિકાર નથી.” અભગ્નસેને “ભલે એમ થાઓ” એ પ્રમાણે કહ્યું, એટલે તેને ભાઈએ મારી પાસે કંચુકીને મોકલે. તે મને પ્રણામ કરીને આ વૃત્તાન્ત કહેવા લાગ્યા તથા વિનંતિ કરવા લાગ્યો કે, “મેઘસેન રાજાને આપ દર્શન આપે.” મેં કહ્યું, “તેમને પ્રવેશ કરાવો તેમની ઈચ્છા હોય તો તેઓ ભલે મને મળે, ” આ પ્રમાણે મેં રજા આપતાં બન્ને ભાઈઓ અંદર આવ્યા. મને જોઈને મેઘસેન મારા પગે પડ્યો, અને વિનવવા લાગ્યા, “દેવ ! હું મેઘસેન આજથી તમારા માહાસ્યથી ખરીદાયેલો છું, માટે મારે શું કરવું તેની આજ્ઞા આપે.” એટલે મેં કહ્યું, “તમારા પિતાએ તમારે માટે જે દેશમર્યાદા નકકી કરેલી છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય એકબીજાનું રક્ષણ કરે; એથી તમારે યશ થશે અને મારું વચન પણ કર્યું ગણાશે.” “એમ કરીશ” એમ બેલ મેઘસેન મને વિનંતી કરવા લાગ્યો, “દેવ! જે પ્રસન્ન હે તે મને રજા આપે, જેથી હું પરિજનેને ધીરજ આપું.” મેં કહ્યું, “તમારા ભાઈની અનુમતિથી સુખેથી જાઓ.” પછી અલગ્નસેને જેની પૂજા કરી છે એ તે નીકળ્યો અને પિતાના નગરમાં ગયે. અશ્વસેના સાથે લગ્ન કેટલાક દિવસો બાદ તે આવ્યા અને મને પ્રણામ કરીને વિનંતી કરવા લાગે, દેવ! મારી પુત્રી અશ્વસેના નામે કન્યા છે. તે તમારી સેવિકા થાઓ; કૃપા કરે.” મેં કહ્યું, “પદ્માની અનુમતિ હોય તો તમે કહે છે તે પ્રમાણે ભલે થાય.” પડ્યાએ અનુમતિ આપી, એટલે મેઘસેને વિધિપૂર્વક અશ્વસેનાનું મારી સાથે પાણિગ્રહણ કરાવ્યું. રાજકન્યા અશ્વસેના દૂર્વાકુરે જેવી કે મળ કાન્તિવાળી, વિકસિત કમળનાં પન્ન જેવાં Page #326 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - ----- - -- - -- સંભક [ ૨૭૧ ] લેશનવાળી, સે નયનવડે જેવા લાયક વદન કમળવાળી, કમલના દડા જેવા પધરાવાળી, ધરણિતલ ઉપર રહેલા સુકુમાર, સૂમ અને ઉન્નત નખ તથા ચરણવાળી, હાલતાં કમળનું લાવણ્ય ધારણ કરતા તથા કમળ તળિયાંયુક્ત હાથવાળી, વિશાલ શોણિફલકવાળી, સાંકડા મધ્યભાગવાળી તથા મનહર વાણવાળી હતી. તેના પિતાએ તેને વિપુલ ધન, સાથે પરિચારિકાઓ તથા વિપુલ વૈભવ આપે. પછી હું તે બને રાજપુત્રીઓની સાથે ગંધર્વકુમારની જેમ સુખપૂર્વક રહેવા લાગે. (૧૦) પંડ્રા લંભક એક વાર મેં અંશુમાનને કહ્યું, “કુમાર! તારી ઈચ્છા હોય તો આપણે કઈ ન પ્રદેશ જોઈએ.” તેણે કહ્યું, “આર્યપુત્ર! એમ થાઓ. અહીં નજીકમાં લલિત જ વડે સેવાયેલે, ઉપવ, ઉદ્યાન અને કાન વડે સુશોભિત મલય નામે દેશ છે. જે તમારી એવી ઈચ્છા હોય તે ત્યાં આપણે જઈએ. ” પછી પરિવારને ખબર આપ્યા વગર, અમારાં મસ્તક ઢાંકીને આડા માર્ગે અમે નીકળી પડ્યા, અને દૂર જઈને પછી મુખ્ય માર્ગ ઉપર ચડ્યા. પછી મને થાકેલે જાણીને અંશુમાને કહ્યું, “આર્યપુત્ર! શું હું તમને વહન કરું ? અથવા તમે મને વહન કરશે? વિચાર કર્યો કે, “થાકેલે અંશુમાન મને કેવી રીતે વહન કરવાનો હતો?” અથવા એ રાજપુત્ર સુકુમાર છે, મારી પાસે આવેલા તેનું મારે પરિપાલન કરવું જોઈએ, માટે હું જ તેને વહન કરું.પછી મેં કહ્યું, “કુમાર ! મારી ઉપર બેસ. હું તને વહન કરું” એટલે તે હસીને કહેવા લાગ્યા, “આર્યપુત્ર! માર્ગમાં એવી રીતે વહન કરાતું નથી. થાકેલા માણસને માર્ગમાં જે અનુકૂળ કથા કહે તેના વડે તે માણસનું વહન થયું કહેવાય.” મેં કહ્યું, “જે એમ હોય તો એ બાબતમાં તું કુશળ છે, માટે તને રુચે તે પ્રમાણે તું કહે.” તે કહેવા લાગ્યા, “આર્યપુત્ર ! કથા બે પ્રકારની છેચરિતા (સાચી) અને કપિતા. એમાં ચરિતા બે પ્રકારની છે. સ્ત્રીની અથવા પુરુષની. ધર્મ, અર્થ અને કામવિષયક કાર્યોમાં જોયેલ, સાંભળેલ અને અનુભવેલ વસ્તુ તે ચરિત કહેવાય છે. એનાથી ઊલટું, કુશલ પુરુષોએ પહેલાં જેનો ઉપદેશ કરેલ હોય અને જે સ્વમતિથી જેવું હોય તે કપિત કહેવાય છે. પુરુષ અને સ્ત્રીઓને તમે ત્રણ પ્રકારનાં જાણે-ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ. તેમનાં ચરિતે પણ એ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે.” આમ કહીને પછી તે અદ્દભુત, શૃંગાર અને હાસ્યરસથી ભરપૂર એવાં ચરિત અને કરિપત આખ્યાનક વર્ણવવા લાગ્યું. તેના રસથી હું દૂર સુધી ચાલ્યો. * વીણદત્તને પરિચય એક સંનિવેશમાં વિશ્રામ કર્યા પછી અંશુમાન મને કહેવા લાગ્યું, “આર્યપુત્ર! Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : આભરણ્ણા છુપાવી દે, એટલે વિશ્વસનીય એવા બ્રાહ્મણના વેશ ધારણ કરી આપણે સુખપૂર્ણાંક પ્રવાસ કરીશું. તમારું નામ આ જ્યેષ્ઠ હા, હું આ કનિષ્ઠ છું.” મેં કહ્યુ, “એમ થાઓ. ” પછી તેણે મારાં તેમજ પોતાનાં આભરણેા ઉત્તરીયમાં માંધ્યાં. સુખપૂર્ણાંક પડાવ કરતા અને શિરામણ કરતા અમે ફ્લિપુર પહેાંચ્યા. મને અંશુમાને કહ્યું, “ આ પુત્ર ! તમે બહાર વિશ્રામ કરો, હું નગરમાં ઉતારાની તપાસ કરું છું, જેથી આપણને બન્ને જણુને ભમવું પડે નહીં. ” મે' કહ્યુ, “ એમ થાએ. ” તે મેલ્યા, “ છીદ્યાનમાં વૃક્ષની ઘટામાં એસા. અજાણ્યા નગરામાં મતિદુષ્ટ લેાકેા હૈાય છે, અને તે ભલા માણસાને પણ ઠગે છે, માટે હેરાન થવું પડે નહીં (તેની કાળજી રાખજો).” પછી તે ગયા. દર હું પણુ અક્ષત અને સુડાળ થડવાળા, મનેાહર શાખા, પ્રશાખા, પત્ર, પદ્મવ અને પુષ્પવાળા, મેરુના શિખર ઉપરના હીંગળેક અને ગેરુથી (જાણે કે) સુશાભિત હાય તેવા અને મુદિત ભ્રમરાવડે નિનાદિત અશેાકવૃક્ષની છાયામાં બેઠા. અંશુમાનને વિલંબ થયે તેથી મેં વિચાયું, “ અંશુમાન છે તેા સાવધાન, છતાં તે કાઇથી ઠગાયા તેા નહીં હૈાય ? ” આ પ્રમાણે અત્યંત આકુલ ચિત્તવાળા થઈને હું બેઠા હતા, એટલામાં ઘેાડા જોડેલા સુન્દર રથને મારી સામે આવતા મેં જોયા. રથમાં બેઠેલા અંશુમાનને મે એળખ્યા, કાઇ રૂપવાન તરુણ સારથિ હતા. મેં વિચાર્યું, “ એની સાથે અંશુમાનને પાતાના નગરમાં (વેદશ્યામપુરમાં) પૂર્વે પરિચય થયેલા હશે. ” રથ આવી પહોંચ્યા, અને અંશુમાન તથા તે તરુણ નીચે ઊતર્યો. તે તરુણુ આલ્યા, “આય જયેષ્ઠ! હું વીણાદત્ત વંદન કરું છું.” અંશુમાન એક્ષ્ચા, “હું આ કનિષ્ઠ પ્રણામ કરું છું. ” વીણાદત્તે મને વિનંતી કરી, “આ રથમાં એસા, કૃપા કરા, આપણે ઘેર જઇએ. '' અણુમાને પણ અનુમતિ આપતાં હું અંશુમાનની સાથે રથમાં બેઠા. વીણાદત્તે લગામ પકડી. ચાલતાં ચાલતાં ઉપવન અને ભવનથી સમૃદ્ધ નગર મેં જોયું. મને જોતા અને મારા રૂપથી વિસ્મિત થયેલા લેાકેા ખેાલતા હતા, “અહા થ્રુ બ્રાહ્મણનું રૂપ છે! અથવા આ વેશમાં નગરની ઋદ્ધિ જોવાની ઈચ્છાવાળા કેાઇ દેવ ઉતરી આવ્યા હશે ! બીજાએ વળી ખેલતા હતા, 66 જેમના રથની લગામા ઇબ્યપુત્ર વીણાદત્તે પાત પકડી છે એવા આ મહાનુભાવા કાણુ છે ? ” બીજાએ કહ્યું, “ આ બ્રાહ્મણ્ણા સર્વ સત્કારને ચેાગ્ય છે. '' આ પ્રમાણે મંગલ વચને સાંભળતા હું નાના સરખા વિમાન જેવા વીણાદત્તના ઘેર પહોંચ્યા. ત્યાં મારી અઘ્યપૂજા કરવામાં આવી, એટલે હું રથમાંથી ઊતર્યા અને ભવનમાં પ્રવેશ્યા. ત્યાં સુખપૂર્ણાંક એસી પાદશૌચ કર્યા પછી મેં મુહૂર્ત માત્ર વિશ્રામ કર્યા, એટલે અંશુમાન સહિત મને ઇભ્યના પરિજનાએ ઉપચારપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઘ્રાણુ, મન અને રસનાને પ્રિય લાગે એવું ભેજન ું જન્મ્યા. ઉત્તમ વસ્ત્ર પહેરીને હું શયનમાં બેઠે।. રાત્રે ઇલ્મ્સના માણસા ઊંઘી ગયા, એટલે મેં અંશુમાનને પૂછ્યું, કયા કારણથી વીણાદત્તે આપણું સન્માન કર્યું ? ” તેણે કહ્યુ, “સાંભળા 66 Page #328 -------------------------------------------------------------------------- ________________ પુડ્ડા લ’ભક [ ૨૭૩ ] ,, તમારી પાસેથી નીકળીને નગરની ઘેાભાને જોતા હું જુદી જુદી દિશાઓનાં નગરામાં અને પહાડામાં ઉત્પન્ન થયેલા માલ જયાં એકત્ર થયેલા હતા એવા તથા વેચનાર, ખરીદનાર અને કૌતુકી જનાથી ભરેલા બજારમાં પહેાંચ્યા. ત્યાં જુદા જુદા દેશેાના પહેરવેશમાં સજ્જ થયેલા પુરુષાને મેં જોયા. પછી એક સાવાહની દુકાને હું ગયા. તેણે મને પ્રણામ કરીને આસન આપ્યું. તેના ઉપર હું બેઠો, એટલે તેણે મને કહ્યુ, “ આ પુત્ર ! તમારે જેની જરૂર હાય તે નિ:સ ંકેાચ કહેા. ” મેં કહ્યું, “સામ્ય ! મારે ઉતારાની જરૂર છે. ” તે એલ્યુા, “ જો એમ છે તા હું તમને ઉતારા આપીશ અને તમારી યથાશક્તિ મુશ્રુષા કરીશ. ” મેં કહ્યું, “મારા વડીલ આ જ્યેષ્ઠ છે. તેમને યાગ્ય એવા એકાન્ત ઉતારે હાય તા અમે સ્વીકારીએ, જો ન હાય તા ખીજે સ્થળે તપાસ કરીએ. ” તે મેલ્યા, ભલે, જુએ ત્યારે, આ પ્રમાણે હું વાતચીત કરતા હતા, એટલામાં મોટા શબ્દ પેદા થયા, પણ એ શબ્દ પેદા થવાનું તે પ્રકારનુ કારણ દેખાતુ નહાતું. શબ્દ શાન્ત થયેા. પણ એકાદ મુહૂર્ત પછી તે જ પ્રકારના શબ્દ પાછે। સંભળાયા. મેં સાથ વાહને પૂછ્યું, “આ શાના શબ્દ છે? અને શા કારણથી થાય છે ? ” તેણે મને કહ્યુ, “ આ પુત્ર ! અહીં મહાધનિક ઇલ્યપુત્ર।મેટા મૂલ્યની હેાડ મૂકીને દ્યુત રમે છે. તેમાં ધન મળતાં તે નિમિત્ત થતા વિક્રોશથી ઉત્પન્ન થયેલે આ શબ્દ છે. ” એટલે મેં સા વાહને કહ્યું, “ જાઉં છું ત્યારે, બીજે પણુ ઉતારાની તપાસ કરું છું. મારા વડીલને જે ઉતારા રુચશે ત્યાં વસીજી.... ” તેણે કહ્યું, “ ભલે, મારું નામ વિજય છે, અને હું ઉત્તર તરફની વોથિ (શેરી)માં વસું છું. ત્યાં આવજો. (6 "" ,, "" પછી ‘આ તેા ઉત્તમ શકુન થયે ' એમ વિચારીને હું દ્યૂતસભામાં ગયા. ત્યાં દ્વારપાળે મને કહ્યુ, “ અહીં તા ઇભ્યપુત્રા દ્યૂત રમે છે, ત્યાં બ્રાહ્મણેાને દાખલ થવાનુ શુ કામ છે. ? ” મેં કહ્યુ, ” આ ! પુરુષનેા બુદ્ધિવિશેષ અને પાણિલાઘવ-હાથચાલાકી જોવાનું કુશળ મનુષ્યને માટે નિષિદ્ધ નથી. ” પછી તેણે મને પ્રવેશવા દીધા, એટલે હું સભામાં ગયા. ઇભ્યપુત્રાની વચ્ચે એક કરાડના દાવ મૂકવામાં આવ્યેા હતેા. ત્યાં મારે કયા પક્ષના આશ્રય કરવા ? ’ એના નિણૅય હું કરી શકતા નહાતા. હું તેા પરાણેા, વળી બ્રાહ્મણ હાઇ બન્ને પક્ષેાને સમાન હતા. પછી તે લેાકેાએ મને પૂછ્યું, “ આ` ! દ્યુતવિધિ જાણેા છે ? ” મેં હા કહી. મને ચેાગ્ય લાગતા નિ ય મે' કહ્યો. માટી હાડ મૂકવામાં આવી. પછી તેમાં વીણાદત્ત જીત્યો. તેણે મને કહ્યુ, “ આર્ય ! તમારી ઇચ્છા હાયતા હાડ સૂકા, અને ખેલા.” હું તેના પક્ષમાં બેઠા. સામા પક્ષના માણસેા કહેવા લાગ્યા, “ તમારી પાસે ધન હાય તેા ખેલજો. આ કાર્ય માં બ્રાહ્મણનુ શું કામ છે ? ’* વીણાદત્તે કહ્યુ, “મારા વૈભવથી બ્રાહ્મણ ભલે ધૃત ખેલે. ” પછી મેં મારા આભરણે। તેમને બતાવ્યાં. સાપના જેવી દ્રષ્ટિથી તે તરફ જોઇને જાણે તે જીતી લીધાં હેાય તે પ્રમાણે સન્તુષ્ટ થયેલા તેઓએ 66 ૩૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : રમત શરૂ કરી. કનક, મણિ, હીરા અને ધનના મોટા ઢગલાઓ મૂકવામાં આવ્યા. તે મેં તમારા પ્રતાપથી જીતી લીધા. વણાદને પિતાના માણસને કહ્યું, “બ્રાહ્મણની માલિકીનું આ ધન ઊંચકી લે.” પછી હું ત્યાંથી નીકળે. વીણાદતે કહ્યું, “આર્ય! કયાં ચાલ્યા ?” મેં કહ્યું, “મારા વડીલ આર્ય છે, તેમને યોગ્ય ઉતારાની હવે તપાસ કરું.” તેણે કહ્યું, “મારા ભવન અને વૈભવ ઉપર તમારો અધિકાર છે; મારા ઘરમાં તમે રહો.” પછી ઉમદા નેકવાળા વણાદત્તને ઘેર તેની સાથે હું ગયો. ઘતમાં જીતેલા ધનને તેના વચનથી મેં મુદ્રિત કર્યું (સીલ કર્યું). પછી અમે તમારી પાસે આવ્યા. ” મેં અંશુમાનને કહ્યું, “વણદત્ત ભલે ઉદાર હોય, પણ તેને પીડવાનું મને ચતું નથી. બીજે સ્થળે આવાસ ગ્રહણ કરો, ત્યાં નિ:સંકોચ વસીશું.આ પ્રમાણે વાતચીત કરીને સુખપૂર્વક ત્યાં વસ્યા પછી પ્રભાત થતાં અમે વીણાદત્તને કહ્યું, “બીજે સ્થળે ઉતારાની વ્યવસ્થા કરે.” ખિન્ન ચિત્તવાળા તેણે આનાકાનીપૂર્વક એ વસ્તુ સ્વીકારી. રાજમાર્ગની પાસે ઉતારો કર્યો, અને ત્યાં પરિચારકોને પણ રાખવામાં આવ્યા. ત્યાં અમે રહ્યા. અમર્ષવાળા અને મત્સરયુક્ત ઇભ્યપુત્રે ત્યાં ઘત રમવા માટે આવ્યા. મેં વિના પ્રયને તેમને જીતી લીધા. “વિપ્રના વેશમાં છુપાયેલે આ કઈ દેવ, ગંધર્વ કે નાગકુમાર છે” એમ બોલતા તેઓ ગયાં. પછી વિદત્ત નંદ-સુનંદ રસોઈયાઓને લાવ્યા. તેમણે ભેજન તૈયાર કર્યું. પછી વર્ણ, રસ અને સુગંધથી સંપન્ન, હિત, મિત અને પચ્ચ એવું તે ભેજન જમીને મેં અંશુમાનને કહ્યું, “પાકશાસ્ત્રમાં વિશારદ આ નંદ-સુનંદને વસ્ત્રના મૂલ્યને એગ્ય એક લાખ આપ.” તે આપવા છતાં તેઓ લેતા નહોતા. અંશુમાનને કહ્યું, “આ તુચ્છ ગણીને તેઓ જે લેવા ઈચ્છતા ન હોય તો આગ્રહપૂર્વક આપો.” એટલે અત્યંત તુષ્ટ મનવાળા તે નંદ-સુનંદ પગે પડીને મને વિનંતી કરવા લાગ્યા, “હે દેવ ! આપનું પ્રીતિદાન અમે ગ્રહણ કરતા નથી તેનું કારણ સાંભળનંદ-સુનંદને વૃતાન્ત અમારા પિતા અહીં સુષેણ રાજાના રસાયા હતા. જેમણે વૃત્તિ–આજીવિકા મેળવી છે એવા તેમણે દીક્ષા લીધી. અત્યંત આદર પામેલા એવા તે અમ બાળકો માટે તો મરણ પામેલા જ હતા. પછી અમે વિદેશમાં પાકશાસ્ત્ર શીખીને “પાકશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્રને અધીન છે” એમ વિચારીને ચિકિત્સાશાસ્ત્ર શિખ્યા. અમે પાછા આવ્યા એટલે પંડ રાજાએ અમારા પિતાના સ્થાને અમને સ્થાપીને તે ફળ અમને આપ્યું. અમે રાજાને વિનંતિ કરી, “અમારા જ્ઞાનને છાજે એવી વૃત્તિ આપો. અમારી પરીક્ષા લઈને અમારા જ્ઞાનને યોગ્ય વૃત્તિ બાંધી આપે તો અમે તમારી સેવા કરીએ. શેષ સમયમાં તમારા Page #330 -------------------------------------------------------------------------- ________________ પંડ્રા લંભક [ ર૭૫ ] વડે રક્ષાયેલ અમે તમારા નગરમાં રહીશું.” સંવિભાગ-દાની પ્રકૃતિવાળા રાજાએ અમારા ઉપર કૃપા કરી, અને અમારી વૃત્તિ વધારી, એટલે અમે સન્તષથી રહીએ છીએ. મિત્રની સૂચનાથી એક વાર અમે નૈમિત્તિકને પૂછયું, “અમારી સેવા કયાં સફળ થશે?” તેણે જોઈને કહ્યું, “અર્ધભરતના સ્વામીના પિતા પાસે તમારી સેવા સફળ થશે.” અમે પૂછયું, “તે કયાં છે? અને તેને કેવી રીતે જાણ? ” તેણે કહ્યું, “અહીં જ તમે તેનું દર્શન કરશે. તમને તે એક લાખનું પ્રતિદાન આપશે. એ રીતે તમે તેને જાણજે.” આથી અમે સંપત્તિ ઈચ્છતા નથી; અમે તમારી સેવા કરીશું.” પછી પ્રીતિદાનને નહીં ઈચ્છતા એવા તેઓએ કહ્યું, “સ્વામી! અહીં આવીને વિભૂતિમાન એવા આપની શોધ જ અમે કરતા હતા. હવે અમે અહીં ભેજન તૈયાર કરીશું. આપના ઉપર દેવતાઓ પ્રસન્ન છે. આજથી અમે આપના ચરણની આજ્ઞા પાળીશું.” આમ કહીને તેઓએ પોતાનાં મસ્તકથી પ્રણામ કર્યા. ' કહ્યું, “ તમે સંકોચ વગર મારી પાસેનું ધન ગ્રહણ કરે.” એટલે તેમણે પ્રીતિદાન લીધું. આ પ્રમાણે અમારા કેટલાક કાળ ગયો. દેવતાની પાસે આવે તેમ મારી પાસે પણ કુશળ નરો આવતા હતા. અંશુમાનનાં સુતારા સાથે લગ્ન એક વાર હું પ્રાસાદમાં બેઠા હતા જ્યારે ધવલ વસ્ત્ર પહેરેલાં હોવાથી યુથમાં રહેલી રાજહંસીઓ જેવી દેખાતી અને યુગપ્રમાણ દષ્ટિ રાખીને ચાલતી આર્થીઓને રાજમાર્ગ ઉપરથી પસાર થતી મેં જોઈ. તેમને જોઈને અંશુમાન ત્વરાપૂર્વક મારી પાસેથી ઊઠ્યો અને પ્રાસાદ ઉપરથી નીચે ઊતર્યો, તથા તેમની પાછળ ગયે. સંધ્યાકાળે તે આવીને કહેવા લાગ્યો– “આર્ય છે તે આર્યાઓને મેં જોઈને ઓળખી હતી. તેમાં મારા પિતાની મોટી બહેન વસુમતી ગણિની હતાં. હું જિનમંદિરમાં ગયે, ત્યાં મેં ભગવાન અરિહંતની પ્રતિમાઓને વંદન કર્યો. તે પછી સુમતિ સહિત જેમ દયા આવે તેમ પરિવાર સહિત મારી ફોઈ આવ્યાં. તેમણે મને મધુરતાપૂર્વક કહ્યું, “શ્રાવક! કયાંથી આવે છે ?” મેં કહ્યું, “ફેઈ ! મને ઓળખતાં નથી? હું કપિલ રાજાનો પુત્ર અંશુમાન છું.” પછી તેમણે મને અવલ , અને અનુકંપાપૂર્વક નેહ ધારણ કરીને તેમણે મને પૂછ્યું, “પુત્ર! તું સુખી છે? તારા પિતા કુશળ છે? તને ઘણા સમયે જે તેથી ઓળખતાં વાર લાગી.” મેં તેમને વિનયપૂર્વક કહ્યું, “આર્યો ! તમારા ચરણની કૃપાથી અમારું સર્વકાળમાં કુશળ છે ” પછી તેમણે મને આનકાનીપૂર્વક રજા આપી, એટલે હું અહીં આવ્યો છું.” Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૬ ] વસુદેવ–હિ'ડી ઃ : પ્રથમ ખંડ : * બીજે દિવસે અંશુમાન નીકળ્યે, અને ખારમા દિવસે મહાજનાથી પિરવરાયેલા તે વરના વેશમાં પાછે આવ્યા, અને પ્રણામ કરીને હસતા હસતા કહેવા લાગ્યા, “ આય જ્યેષ્ઠ ! હું તમારી સમીપેથી નીકળ્યેા અને ફાઇની પાસે પહોંચે. ત્યાં મારી પહેલાં તારક શ્રેષ્ઠી આવેલા હતા. તેણે વાતચીતમાં મને એળખ્યા. તેણે ફાઇને વિનંતી કરી, “પુરાજાની સમક્ષ અંશુમાન કુમારને મારી કન્યાનું, જ્યારે તે બાલ્યાવસ્થામાં હતી ત્યારે, મેં વાગ્નાન કર્યું હતું. હવે તે યુવાવસ્થામાં આવી છે. વર આવી પહેાંચ્યા છે, માટે તેને હું ઘેર લઈ જાઉં છું. આવી સ ંપ્રાપ્તિ પુણ્ય કરીને જ થાય છે, માટે અનુજ્ઞા આપે. ” આમ કહીને મારી હાથ પકડીને તે નીકળ્યેા. રાજભવન જેવા પેાતાના ભવનમાં મને લઈ ગયા. અર્ધ્યપૂજા કરવામાં આવી, એટલે હું અંદર દાખલ થયા. પ્રીતિથી જેમનાં નયના વિકસિત થયાં હતાં એવાં પિરજનાએ મને અભિનંદન આપ્યાં. પછી તારકે આ વાતની રાજાને જાણ કરી. મહત્તરકા-કંચુકીએ સહિત મોટા ઠાઠમાઠથી રાજા આવ્યે . તારકે સુતારા સાથે મારું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું અને પુષ્કળ દાયજો આપ્યા. રાજાએ પણ વસ્ત્રાભરણાથી મારા સત્કાર કર્યા. ‘ લગ્નદીક્ષિત વરે દેવતાને પણ પ્રણામ કરવાનાં ન હાય ’ એમ કહીને શ્રેષ્ઠીનાં પરિજના તમને વંદન કરવા માટે પણ મને આવવા દેતાં નહાતાં. આજે જ મને રજા આપી, એટલે હું આવ્યો છું. ', 66 7) એટલે મેં અંશુમાનને અભિનંદન આપ્યાં અને કહ્યું, સારું થયું, તને અહીં સગાં મળ્યાં. ” શ્રેષ્ઠિપુત્રી સુતારાને મહામૂલ્યવાન વસ્ત્રાભૂષણેા મે માકલ્યાં. જિનેશ્વરના અઠ્ઠાઇઉત્સવ કરાવ્યેા. સર્વે કલાકુશળાને ખેલાવવામાં આવ્યા, નગરના ગામ્રિકેા પણ આવવા લાગ્યા. પછી વીણુાદત્તની સાથે મિત્રા સહિત હું જાગરણમાં ગયા. ત્યાં નાગરિકા ગધવ –સંગીતના વિષયમાં ગાયન અને વાદન કરતા હતા, તથા પેાતાનું શોખેલું બતાવતા હતા. ત્યાં સુતરાઉ વસ્ત્રથી જેણે પેાતાનુ શરીર ઢાંકયું હતુ એવા, દેવકુમારની જેમ મનેાહર શરીરવાળા રાજા પણ હતા. આર્યાના બહુમાનથી વીણાદત્તના ગીતમાં અંશુમાને સ્વર પૂરાવ્યેા. રાજાના ગાવાના વારા આવ્યે ત્યારે વીણાદત્તે મને કહ્યું, “ આ જ્યેષ્ઠ ! તમે રાજાના ગેયમાં વીણા વગાડા અથવા ગામે, કૃપા કરેા. ” એટલે જિનપૂજા હૈાવાથી તે વસ્તુ મેં સ્વીકારી, અને શ્રુતિમધુર ગાન કર્યું. નાગ રાગના અથવા કીન્નરગીતકના પ્રયાગ કર્યું. હું ગાતા ત્યારે પરિતાષથી વિકસિત મુખકમળવાળા અને ઇષત્ પ્રસન્ન તથા સુન્દર મુખવાળા તે રાજા અધિક શાલવા લાગ્યા. મહેાત્સવ પૂરા થયા, એટલે હું ખિમાર થયા. નંદ–સુનંદ રસાયાએએ ભેાજન તૈયાર કર્યું. પણ મેં કોઇ રીતે જમવાની ઇચ્છા કરી નહીં. અંશુમાને મને પૂછ્યું, “શું તમને કઇ શરીરપીડા થઈ છે, કે જેથી તમારે માટે લાવવામાં આવેલુ. પશ્ચ ભેજન જમવાને તમે ઇચ્છતા નથી ? ” મેં કહ્યું, “ જે સ્ત્રીની સાથે જિનેશ્વરના મહેાત્સવના Page #332 -------------------------------------------------------------------------- ________________ કુંડા ભભક [ ૨૭૭ ] ,, જાગરણમાં મે ગાયું હતુ તેમાં મારું હૃદય ગયુ છે. તેના સમાગમના ઉપાય શેાધવામાં રાકાયેલી બુદ્ધિવાળા મને લેાજન ચતું નથી. ” મે' આમ કહ્યું, એટલે અંશુમાન એલ્યે, “ આર્ય જયેષ્ઠ ! એ તા રાજા હતા, જાણે પરવશ હા તેમ આવું અયુક્ત કેમ મેલે છે! ? અથવા કાઇ ભૂતવડે ગ્રસ્ત થયેલા હૈાવાથી તમે આમ ઉગ્ર બન્યા લાગેા છે. ” એમ ખેલતા તે બહાર નીકન્યા; અને ભૂત-ચિકિત્સકાને મેલાવી લાવ્યેા. રાતા રાતા તે તેને કહેવા લાગ્યા, “ એમને શરીરપીડા ન થાય તેમ દયાપૂર્વક ચિકિત્સાના વિચાર કરો. ” તેઓ કહેવા લાગ્યા, રાજપુત્ર ! વિનાકારણ ક્ષેાભ પામશે! નહીં. ત્યાં રહેલા તે જુએ નહીં તે પ્રમાણે હામ, અંજન, પાન આદિ ક્રિયામા અમે કરીશુ, જેથી થાડા જ કાળમાં તે સ્વાભાવિક-સારા થઇ જશે. ” આ વાતચીત મેં સાંભળી. આથી મેં અંશુમાનને ધમકાળ્યા અને તેના તિરસ્કાર કર્યા. એટલે તે ડર્યાં અને રાજાને ખબર આપી. રાજા ત્વરાથી આવ્યેા. પ્રતિહારીએ મને પ્રણામપૂર્વક કહ્યું કે, “ રાજા આવ્યા છે. ’ રાજા મારી શમ્યાની પાસે આસન ઉપર બેઠા. તેણે પાતાના કમળ સમાન કામળ અને અત્યંત સુકુમાર હાથવડે મને શિર, લલાટ અને વક્ષ:સ્થળ ઉપર આલિંગન આપ્યું. 66 6 k તમારા શરીરમાં ઉષ્મા નથી ( અથવા તમારા શરીરમાં તાવ નથી ), માટે નિર્દોષ લેાજન કરવુ જોઈએ ” એમ ખેલતા તેણે નદ–સુનંદને આજ્ઞા આપી, “ ભેાજન લાવેા, સમયસર ખાધેલું અન્ન આરાગ્ય કરે છે. ” પછી તેના વચનથી મેં વિધિપૂર્વક ભાજન કર્યું. અશુમાને કહ્યું “ રાજન્! તમે જાએ. ” એટલે તે મારા આવાસની બહાર નીકળ્યા પછી અંશુમાને મને પૂછ્યું, તમારા શરીરને કેમ છે ? અથવા હવે શુ' કરવું છે ? ” મેં તેને કહ્યું, મારા હૃદયરૂપી આવાસમાં નિવાસ કરનારી તે પાતે જ અહીં આવી હતી, તેને તે કાઢી મૂકી. હવે શુ પૂછે છે ? ” તે એલ્યે, “શું થાય ? અહીં એ કયાંથી હાય, જે આવું અસંબદ્ધ ખેલે છે ? ” ક્રોધ પામેલા મેં તેને ધમકાવ્ચે, એટલે રડતા રડતા તે મહાર ગયા. મેં પણ વિચાર કરતાં કરતાં કેટલાક દિવસ ગાળ્યા. (6 ፡ પુડ્રાનું પાણિગ્રહણ પછી તારક શ્રેષ્ઠી આવીને વિનયપૂર્વક મને કહેવા લાગ્યા, “ આપ કહેા છે કે-આ કુમારી છે પણ ગુપ્ત રીતે કુમારના વેશ ધારણ કરીને રહે છે–તે સાચું છે. તેનું મન પણ તમારામાં ચોંટયું છે. તમારા સિવાય બીજો કાણુ રત્નાને લાયક છે ? માટે કૃપા કરો. તમારું વર–પરિકર્મ કરવામાં આવે છે. ” મેં તે સ્વીકાર્યું. હજામે મારા નખ કાપ્યા. તારક શ્રેષ્ઠી સહિત સિહુસેન અમાત્યે વિધિપૂર્વક વર‘સંબંધી કાર્ય કરીને, રતિની સાથે કામનું પાણિગ્રહણ કરાવવામાં આવે તેમ, પુડ્રા કુમારીની સાથે માટી ઋદ્ધિપૂર્વક મારું પાણિગ્રહણ કરાવ્યુ'. મનેારથ અનુસાર પ્રાપ્ત થયેલી તેની સાથે પ્રમુદિત થયેલેા એવા હું વિમાનમાં રહેલા દેવની જેમ નિરુત્સુકપણે વિષયસુખ અનુભવવા લાગ્યા. પણ મને અશુ Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : માનનું સ્મરણ થયું કે એ બિચારાએ મારા દુ:ખનું ખરું કારણુ જાણ્યુ નહતું. મારા દુ:ખે તે પણ દુ:ખી થતા હતા. કામવશ થયેલા મારા વડે ધમકાવાયેલે એવા તે કયાંક ગયા હશે ” એ પ્રમાણે હું વિચાર કરતા હતા એટલામાં ઝરૂખામાં બેઠેલા મેં નગરના મધ્યમાં ઘણા આયુધવાળા માણસાના પિરવાર સહિત તેને જોયા, અને મને થયું કે નિ:સશય આ અંશુમાન છે. ’ ‘સ્વજનાના ત્યાગ કરીને મારે શરણે આવેલા અંશુમાનનુ મારે સન્માન કરવું જોઇએ ’ એમ વિચારીને તેડવા માટે મે' માણુસ મેાકલ્યું, એટલે તે “ જેની આવ્યા, અને મારી આગળ હાથ જોડી પ્રણામ કરીને ઊભું રહ્યો. મેં કહ્યું, સહાયમાં અંશુમાન ન હેાય તેને થ્રુ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી ? તું શા માટે ( તારી જાતની ) પ્રસંશા કરે છે ? ” તે ખેલ્યા, “ કાની કૃપાથી ( એમ પૂછતા હા) તા મારી કૃપાથી જ તમને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થઇ છે. ” મેં પૂછ્યું, “ કેવી રીતે ? ” તે એલ્યેા, “ સાંભળેા, ” પછી તેને આસન આપવામાં આવ્યું, એટલે તે સુખપૂર્વક એસીને કહેવા લાગ્યા “ હું તમારા ચરણ સમીપેથી રાતા રાતા શ્રેષ્ઠીના ભવનમાં ગયા. ત્યાં દુ:ખી અને અત્યંત આર્ત્ત થઈને હું શયનમાં પડ્યો. સુતારા મને પૂછવા લાગી, “ કુમાર ! શું તમને શારીરિક અથવા માનસિક પીડા છે, જેથી આમ રડા છે? તમારી પીડા કહા, જેથી તેના પ્રતિકાર થઇ શકે. ” મેં ઉત્તર આપ્યા નહીં, એટલે તે રાતી રાતી પેાતાના પિતા પાસે જઈને કહેવા લાગી. એટલે તે મને ચિન્તાપૂર્વક પૂછવા લાગ્યા, “ તમારા ગૂઢ સંતાપનું કારણ કહેા, ” પછી પરજનાને દૂર કરીને, તમારું વચન અને તમારી પીડા મે તેને કહ્યાં. તે ખેલ્યા, “દુ:ખી ન થશે. અવશ્ય આજ રહસ્ય હશે. કુમાર બધા જ સમય પેાતાના સ્વર અને વણુ છુપાવીને દર્શન આપે છે, માટે આ ખાયતના નિર્ણય હું મેળવીશ. પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે ગયા. મુહૂત્ત માત્ર પછી મારાં ફાઇ વસુમતી ણિની મારી પાસે આવ્યાં. મેં તેમને વંદન કર્યા. પછી એકાન્ત સ્થળમાં તે મને કહેવા લાગ્યાં, “ સાંભળ પુત્ર ! આ જ્યેષ્ઠની બિમારીનું કારણુ જણાયું છે. ” મેં કહ્યુ, “ કેવી રીતે ? ” તેઓ મેલ્યાં— "" આ પુડાના પૂર્વ વૃત્તાન્ત “ અહીં સુષેણુ નામે રાજા હતા. તેની હું મહાદેવી હતી. મારા પુત્ર પુઙૂ રાજા હતા. સત્યરક્ષિત અણુગારની પાસે નમિ જિનેશ્વરે ઉપદેશેલેા ચાતુર્યામ ધર્મ સાંભળીને સુષેણુ રાજાએ પુંડૂને રાજ્ય સાંપીને મારી સાથે દીક્ષા લીધી. હું પુત્ર પ્રત્યેના સ્નેહુને લીધે અહીં રહી. રાજા નિ:સંગ થઈને ગુરુની સાથે અપ્રતિબદ્ધપણે વિહરતા હતા. મારા પુત્રને કાઇ સંતાન નહતું. Page #334 -------------------------------------------------------------------------- ________________ પંડ્રા લંભક [ ર૭૯ ] એક વાર આર્યાઓની સાથે સમેતશિખર પર્વત ઉપર વીસ તીર્થકરોની પાદુકાઓને વંદન કરવાને હું નીકળી. ત્યાં અમે મંદિરની સમીપે રહ્યાં. રાત્રે તે પર્વતમાં દેવત થયે, એટલે અત્યંત વિસ્મિત થએલાં અમે પર્વત ઉપર ચઢ્યાં. જિનેશ્વરોની પાદુકાને વંદન કર્યા પછી એક સ્થળે ચિત્રગુપ્ત અને સમાધિગુપ્ત એ બે અણગારને અમે જોયા. તેમને થયેલ કેવલજ્ઞાનની ઉત્પત્તિના મહિમા નિમિત્તે આવેલ દેવોએ આ ઉદ્યોત કર્યો હતો, એમ કારણ જાણવાથી તેમને વિનયપૂર્વક વંદન કરીને અમે નીકળ્યાં. એટલે તેઓએ કહ્યું, “આય! મુહૂર્ત ઉભાં રહે; શિખ્યા લઈ જાઓ.” પછી અત્યંત રૂપવાન વિદ્યાધરમિથુન ત્યાં ઊતર્યું, અને “પરમગુરુને નમસ્કાર ” એમ બોલીને ત્યાં ઊભું રહ્યું. એ મિથુનને તેઓએ દીક્ષા આપી અને વિદ્યાધરીને મારી શિષ્યા તરીકે સેંપી. પછી તેમને વંદન કરીને અમે નીકળતાં એ વિદ્યાધરીને મેં પૂછયું, “આર્યા! તે સાધુઓ તમારા પરમગુરુ કેવી રીતે ?” તે કહેવા લાગીચિત્રગાની આત્મકથા વૈતાઢ્ય પર્વતમાં વિવિધ ધાતુવડે મંડિત અને સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષોથી યુક્ત કાંચનગુહા નામે ગુહા છે. ગયા ભવમાં અમે ત્યાં જ તેંદુક અને હસ્તિનિકા નામે વનચરમિથુન હતાં. ત્યાં કંદ, મૂળ અને ફળને આહાર કરતાં અમે સુખપૂર્વક રહેતાં હતાં. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આ મુનિવરને ત્યાં અમે જોયા. “આ ત્રષિઓ મહાનુભાવ છે” એમ વિચારી પરમભક્તિથી અમે તેમને વંદન કર્યું અને અમૃત જેવા રસવાળાં ફળે તેમને ખાવા માટે ધર્યા, પણ મૌનવ્રત ધારણ કરનારા અને નિશ્ચલ રહેલા તેઓએ ઉત્તર ન આવે તેમજ ફળે પણ લીધાં નહીં. પછી અમે અમારા આવાસમાં ગયાં. પોતાનો નિયમ સમાપ્ત થતાં તે મુનિઓ પણ આકાશમાર્ગે કયાંક ગયા. (તેઓ આકાશમાર્ગે જતા હતા ત્યારે) તેમને ફરીવાર વંદન કરતાં અમે વિસ્મય પામ્યાં, અને તેમને જ મનમાં ધારણ કરતાં અને તેમના ગુણોનું ચિન્તન કરતાં વીજળી પડવાથી કાળ કરીને– ઉત્તર શ્રેણિમાં ચમરચંચા નામે નગરી છે ત્યાં પવનવેગ નામે રાજા હતો, તેની પુષ્કલાવતી દેવી હતી, તેની પુત્રી હું ચિત્રવેગા નામે થઈ. “આ ઉત્તમ પુરુષની સ્ત્રી થશે.” એમ જાણીને મારી જાંઘ ચીરીને તેમાં ઓષિધ મૂકવામાં આવી અને તેના પ્રભાવથી કુમાર તરીકે ઓળખાતી હું મોટી થવા લાગી. હું યોવનમાં આવી ત્યારે ધાવમાતાએ આ હકીકત મને કહી. એક વાર મંદિરના શિખર ઉપર જિનેશ્વરનો મહિમા ચાલતો હતું ત્યારે દક્ષિણ એણિના રત્નસંચયપુરના અધિપતિ ગરુડકેતુના પુત્ર અને લોકસુન્દરીના આત્મજ ગરુડવેગને મને જોઈ. તેને પણ મને જોઈને તીવ્ર સ્નેહાનુરાગ થયે. “આ તો કુમારી છે” એમ તેણે મને જાણી, મને વરવા ગરુડેવેગ વારંવાર સંદેશાઓ મોકલવા લાગ્યા. જ્યાં સુધી ૧ મૂળમાં મંદ્રસમી શબ્દ છે અહીં “મંદર” એ વિશેષનામ નથી. કાં તો “પર્વત” એ સામાન્ય અર્થ હોય અથવા મંઢિર એ મૂળ સાચે પાડ હોય. પહેલા વિકલ્પ વધારે સંભવિત છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : મારું તેને વાગ્દાન થયું નહીં ત્યાં સુધી મારી જાંઘમાંથી ઔષધિ કાઢવામાં ન આવી. ઔષધિ કાઢીને પછી સંગ્રહણી ઔષધિવડે રુઝવવામાં આવતાં હં સ્વાભાવિક સ્ત્રી થઈ. પછી મોટી ઋદ્ધિપૂર્વક લગ્ન થતાં હું તેની સાથે નિદ્વિગ્નપણે ભેગે ભેગવવા લાગી. એક વાર સિદ્ધાયતન ફૂટ ઉપર મહોત્સવ થતો હતો ત્યારે અણગારને ત્યાં આવેલા જોઈને હું સહિત ગરુડવેગ તેમને વંદન કરીને પૂછવા લાગ્યા, “ભગવદ્ ! મને એમ લાગે છે કે આપને પહેલા અમે કયાંક જોયા છે.” તેઓએ કહ્યું “શ્રાવક! સાચી વાત છે. પૂર્વભવમાં તમે કાંચનગુહામાં તેંદુક અને હસ્તિની નામે વનચર-મિથુન હતાં.” નિશાની સહિત તેમણે હકીકત કહેતાં જાતિસ્મરણ થવાથી “આપને વંદન કરવાના ગુણથી અમને વિદ્યાધરપણું મળ્યું છે” એમ બોલતાં અમે પરમ વિનયપૂર્વક તેમના પગે પડ્યાં. તેમની સમીપમાં વ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરીને અમે અમારા નગરમાં ગયાં. એક વાર મારા સસરા ગરુડકેતુ રાજાએ નિવેદ પામીને ગરુડવેગને રાજ્ય આપીને તથા નાના પુત્ર ગરુડવિક્રમને યુવરાજપદે સ્થાપીને દીક્ષા લીધી. પછી અમે રાજ્યલક્ષમી ભેગવવા લાગ્યાં. આજે આ મુનિઓને થએલા કેવલજ્ઞાનના મહિમા નિમિત્તે નજીકમાં રહેલા દેવતાઓ એકત્ર થયા હતા. દેવદ્યોતથી વિચિમત થયેલાં અમે પણ આવ્યાં, અને દેવ વડે પૂજાયેલા ગુરુઓને વંદન કર્યા. ગુરુઓએ દેવો અને વિદ્યાધરને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. જેમને સંવેગ પેદા થયા છે એવા અમે પુત્રને રાજ્યલક્ષ્મી સંપીને દીક્ષા લેવા માટે આવ્યાં. આ કારણથી, અમારે માટે પૂર્વભવમાં પણ વંદનીય હતા તેથી આ ષિઓ અમારા પરમગુરુઓ છે. ” આવું કહેતી તે વિદ્યાધરીએ તે (જાંઘમાં રાખી હતી તે) ઔષધિ (માર્ગમાં) જોઈ અને તેણે તે આયને બતાવી. “આ મહાપ્રભાવવાળી ઔષધિ છે એમ માનીને કુતુહલથી મેં તે લીધી. તેણે બીજે સ્થળે સંરહણ ઔષધિ બતાવી, તે પણ મેં લીધી. પછી અમે આ નગરમાં આવ્યાં. એક વાર એમ બન્યું કે આ નગરમાં ત્રણ ઈભ્યપુત્ર ભાઈઓ રહેતા હતા. તેમાંને એક વહાણમાં બેસીને વેપાર અર્થે ગયે હતું, અને બીજા બે ભાઈઓ દુકાનને વેપાર ચલાવતા હતા. સમુદ્રમાં વહાણુનો નાશ થયેલે જાણીને તે બે ભાઈઓએ મોટી ભેજાઈને કહ્યું, “કુટુમ્બનું દ્રવ્ય બતાવો.” તે બતાવવા ઈચ્છતી નહતી, તેથી મૂંગી રહી. એટલે તેઓએ રાજદરબારમાં જઈને પુંડ્ર રાજાને વિનંતી કરી, “દેવ! જ્યારે અમારાં માતપિતા મરણ પામ્યાં ત્યારે મોટાભાઈ અમારે માટે માનનીય છે” એમ ગણીને અમે ધનની ચિન્તા કરતા નહતા. પણ તે તો વહાણમાં બેસીને ગયા છે, અને તેમના શા સમાચાર ૧. આ કંડિકાના કેટલાક વાક્યખડે અસ્પષ્ટ છે. તેમને ભાવાર્થ અનુમાને ખેંચી શકાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પુડા લંભક [ ૨૮૧ ] છે તે કંઇ જાણવામાં આવતું નથી. તેમની પત્ની કુટુંબનુ ધન ખતાવતી નથી, માટે તે અપાવેા, કૃપા કરેા.” રાજાએ આ કામમાં તારક શ્રેષ્ઠીની નિમણૂક કરી. ‘જેવી આજ્ઞા’ એમ કહીને, નગરના ચાર–ગુપ્તચર તરીકે નીમેલા પુરુષાને ‘ આ પ્રમાણે કરા ' એવો સૂચના આપીને તેણે ઇજ્યના ઘેર મેલ્યા. તેઓએ ( ધન ખતાવવા માટે મેટા ભાઇની ) ગૃહિણીને વચન કહ્યું. તે સગર્ભા હૈાવાથી કહેવા લાગી, ૮ મને પુત્ર કે પુત્રીના જન્મ થયા પછી મારા પિતાના સાર બતાવીશ. જો પુત્રી જન્મશે તેા ધનને અનુરૂપ પહેરામણી રાખીને બાકીનું મારા દિયરને આપીશ. ’” પછી વિષ્ણુકાની સમક્ષ તારકને પૂછવામાં આવ્યું, “ કાર્યનું શું પરિણામ આવ્યું ? ” તેણે કહ્યું, “ સ્વામી ! ગર્ભ માં રહેલા પુત્ર પણ પેાતાના પિતાના ધનનું સંરક્ષણ કરે છે. ” રાજા એલ્યે, “આ પ્રમાણે પુત્રા મહાપ્રભાવવાળા હાય છે; હું અપુત્ર છું, તેથી નથી જાણતા કે મારી રાજ્યલક્ષ્મી ક્યાં જશે ?”૨ આ પ્રમાણે શ્રેષ્ઠીએ વ્યવહારના નિર્ણય કરતાં રાજાએ શ્રેષ્ઠોને અભિન ંદન આપ્યું. 66 "C પુત્રપ્રાપ્તિની આકાંક્ષાવાળા તે રાજા એક વાર અંત:પુરમાં ગયા. પેાતાનાં બચ્ચાંઓને ચરાવતા પારેવાના યુગલને એકી નજરે જોઇ રહેલી રાણીને તેણે ત્યાં જોઇ. રાજાએ પૂછ્યું, શું જુએ છે ? “ તે ખાલી, સ્વામી ! કાળા અગરના ધૂપ જેવા શ્યામ, રાતા ચરણુ અને નયનવાળા, પુત્રસ્નેહને કારણે પેાતાની ભૂખને નહીં ગણુતા અને ચાંચથી દાણા વીણી લાવીને બચ્ચાંના મુખમાં મૂકતા આ પારેવાના યુગલને જુએ. બાળક વગર આપણે કાળ શી રીતે જશે ? ” એક વાર કૌશિક નામે તાપસ કુડાદરી નામે પાતાની પત્ની સાથે રાજભવનમાં આવ્યા. એ પુત્રાને તેણે કઢિણુ(તાપસના પાત્રવિશેષ )માં મૂકયા હતા, એકને કુંડાદરીએ ઉપાડ્યો હતા, અને એક તેની પાછળ ચાલતા હતા. તેમને રાજાએ વિવિધ રંગનાં વસ્ત્રો આપ્યાં અને પછી કુડાદરીને પૂછ્યું, “ આવે ! આ ચાર પુત્રામાં કેાના ઉપર તારા અધિક સ્નેહ છે ? ” તે ખેાલી, “રાજન્! એ બાબતમાં ચાર પુત્રાની વચ્ચે કશા ભેદ નથી, પણ જે પુત્ર બહાર ગયેા હાય અથવા બહારથી આવતાં જેને માઠું થયું હોય તેની બાબતમાં મારા અધિક સ્નેહ છે. ” પછી રાજાએ તેમને રજા આપી. “ અરણ્યમાં વસનાર તાપસાને પણ પુત્રા છે, પણ રાજ્યના અધિપતિ એવા મને પુત્ર નથી. આથી રિજનાને માટે હું શૈાચનીય બન્યો છું” તેમને જોઈને (રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા). કેટલેાક કાળ ગયા પછી મારી પુત્રવધૂ ( પુંડની પત્ની ) સગર્ભા થઇ. તેને મેં કહ્યુ, “મદભાગ્યને કારણે કદાચ તુ પુત્રીને જન્મ આપે તેા તુરતજ મને ખબર આપજે. ” ૨. આને જ મળતા પ્રસંગેા અને સંવાદો કાલિદાસના ‘ શાકુન્તલ ’ માં અને ચશપાલના ‘માહરાજપરાજય ’ માં શેવામાં આવે છે. ૩૬ Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પૂરા દિવસે તેને કન્યા જન્મી. પછી સાંભળ્યા પ્રમાણે વિધિપૂર્વક તે ઔષધિ (કન્યાની જાંઘમાં) મૂકી. દેવી, ધાત્રી અને હું આ વાત જાણતાં હતાં, માટે પુત્ર! આ સત્ય વસ્તુ છે. તે કુમારી છે, તેને જેણે ઓળખી તે આર્ય જેમાં ઉત્તમ પુરુષ છે.” એમ કહી વસુમતી આર્યા રાજકુલમાં ગયાં, અમાત્ય સિંહસેન અને તારકની સાથે હું પણ તમારા લગ્નના કાર્ય માટે રાજકુલમાં ગ. રાજાની (કન્યાની) જાંઘ ચીરીને ઔષધિ બહાર કાઢી, અને તે કાઢવાથી ઘાયલ થયેલ તેને સંરોહણીથી સાજી કરી. અત્યારે તમારે વિવાહ મારી કૃપાથી જ થયે છે. સિન્ય અને વાહન સહિત અને કવચવાળા દ્ધાઓના સમૂહથી પરિવરાયેલે એ હું અત્યારે રહું છું. મારી કૃપાથી ઇચ્છિત જનની પ્રાપ્તિ તમને થઈ છે એમ જાણે.” (આ સાંભળીને) પછી મેં અંશુમાનને, અને તેના વચનથી પ્રજાના વડેરાઓ તથા સેનાનાયક આદિનો પણ સત્કાર કર્યો. સિંહસેન અને તારક સહિત અંશુમાન રાજકાર્યોની તપાસ રાખવા લાગ્યો. મને વિચાર થયે, “અહો! આશ્ચર્ય છે! વનચરો પણ સાધુને વંદન કરવાના ગુણથી ઉત્તમ ગેત્રકમ ઉપાર્જન કરીને વિદ્યાધર તરીકે જમ્યાં, તેમને ધર્મમાં રતિ પણ એ જ કારણથી થઈ. અથવા પ્રકૃતિથી ભદ્ર એવાં તેઓ તીવ્ર અને શુદ્ધ પરિણામ વડે કરીને તપોધન મહાત્માઓને વંદન કરી જે મનુષ્યરિદ્ધિ પામ્યાં હોય તો એમાં શું આશ્ચર્ય છે? ભગવતી મરુદેવા શ્રીષભદેવના દર્શનથી વિશુદ્ધ વેશ્યા થતાં અપૂર્વકરણમાં પ્રવેશ કરીને નિર્વાણ ફળનાં ભાગી બન્યાં હતાં.” મહાપુંડ્રકુમારને જન્મ આ પ્રમાણે ચિન્તન કરીને ફરી વાર વિષયમાં આસક્ત થયેલ હું નિરુત્સુકપણે વિહાર કરવા લાગ્યા. અવિરુદ્ધ સુખના સેવનથી મુદિત મનવાળી અને શોભાયમાન કુમુદિની જેવી દેવી પુંડ્રા સગર્ભા થઈ. ચિકિત્સકોએ સૂચવ્યા પ્રમાણેનું ભજન લેતી અને જેના દોહદ પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે રાજાનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપે. પ્રજા પણ આનંદિત થઈ. ઉત્સવ કરવામાં આવ્યા. તે પુત્રનું મહાપુંડ્ર એનું નામ પાડવામાં આવ્યું. પુત્રના દર્શનથી આનંદિત થયેલા મારા આ પ્રમાણે સુખપૂર્વક સમય વીતતે હતે. (૧૧) રક્તવતી લંભક રતિપ્રસત એ હું સુરતના પરિશ્રમથી થાકીને એક વાર મારા મને રથ અનુસાર પ્રાપ્ત થયેલી દેવીની સાથે સૂતો હતો. તે વખતે મેં દીન-કરુણુ વચન સાંભળ્યું કે, “અહો! Page #338 -------------------------------------------------------------------------- ________________ - -- -- - -- - - -- - -- - - - - - - - - - - રક્તવતી લંક [ ૨૮૩ ] સુખિયા લેકે પ્રણયીજને સાથે રતિક્રીડા કરીને નિરાંતે સૂવે છે.” તે શબ્દથી હું જાગે, હાથમાં રત્નકરંડક લઈને ઊભેલી કલહંસી પ્રતિહારીને મેં જોઈ. તે રોતી રોતી મને એક બાજુએ લઈ જઈને કહેવા લાગી, “ સ્વામી! દેવી શ્યામલી આપને પ્રણામ કરે છે ને આપનું સ્મરણ કરતી એવી તેણે આપના ચરણમાં મને મોકલી છે.” મેં તેને પૂછ્યું, પરિવાર સહિત રાજા કુશળ છે? દેવી શ્યામલીને પણ આરોગ્ય છે?” એટલે તે બોલી, વિદ્યાથી ભ્રષ્ટ થયેલે દુરાત્મા અંગારક અમારી સાથે યુદ્ધ કરવા આવ્યો. પછી આપના પ્રતાપથી રાજાએ યુદ્ધમાં તેને પરાજય કર્યો, અને કિન્નરગીત નગર લીધું. હવે રાજ્યલાભથી હર્ષિત થયેલાં પરિજન અને દેવી આપનું દર્શન કરવા ઈચ્છે છે.” “તેનું પણ દુઃખ દૂર થાઓ” એમ વિચારીને મેં કલહંસીને કહ્યું, “મને પ્રિયા શ્યામલીની પાસે લઈ જા.” એટલે પ્રસન્ન થયેલી તે મને લઈને ઊડી. પણ જ્યારે તે વૈતાઢ્ય તરફ નહીં જતાં બીજી દિશાએ મને લઈ જવા લાગી ત્યારે મેં વિચાર્યું કે, “ નક્કી આ કલહંસી નથી.; કઈ દુષ્ટા આ રૂપ ધારણ કરીને મને હરી જાય છે.” પછી મેં મૂઠી વાળીને તેના તાળવા ઉપર પ્રહાર કર્યો, એટલે (કલહંસીને) અંગારક થઈ ગયે. ભય પામીને તેણે મને કી દિધે; અને તે નાસી ગયે. આધાર વગરને હું નીચે ધરામાં પડ્યો. એમાં પાણી ધીરે ધીરે વહેતું હતું. આથી મેં વિચાર્યું કે, “આ કોઈ મોટી નદી હેવી જોઈએ.” પછી હું તરીને બહાર નીકળે અને વિશ્રામ કરવા લાગ્યા. એવામાં મેં શંખનાદ સાંભળ્યો, અને તે ઉપરથી ધાર્યું કે, “ચક્કસ, અહીં નગર છે.” સવાર પડયું, એટલે હું નગર પાસે ગયા. એક પુરુષને મેં પૂછયું, “ગંગા નદીના તીરના ભૂષણરૂપ આ કયું નગર છે? “તેણે કહ્યું,” ઇલાવર્ધન નગર છે. તમે કયાંથી આવો છે કે તેનું નામ પણ જાણતા નથી !” મેં કહ્યું, “તમારે એ વાતનું શું કામ છે?” ત્યાં હું ન્હા. પછી મારાં આભૂષણે સંતાડીને છાયાવાળાં અને પુષ્પ અને ફલથી ઢંકાયેલાં વૃક્ષેથી સુશોભિત, જાણે કુબેરનું નગર હોય તેવા સુન્દર, સારી રીતે બાંધેલા, અને ઊંચા કોટ અને દરવાજાવાળા, જેની આસપાસ ખાઈ આવેલી છે એવા અને સારાં ગેપુરવાળા તે ઉત્તમ નગરને મેં જોયું. એકી સાથે અનેક રથ જેના ઉપર સારી રીતે ચાલી શકે એવા પહેલા તથા રસિક જન અને વિવિધ વેશધારી નરથી સંકુલ એવા રાજમાર્ગ ઉપર હું આવ્યું. ત્યાં વેચવા માટે મૂકવામાં આવેલાં ફૂલ (રેશમી વસ્ત્ર), ચીનાંશુક (ચીનમાં બનેલું રેશમી વા), હંસલક્ષણ (હંસના જેવું સફેદ અને બારીક રેશમી વસ્ત્રો, કશેય (કોશેટાના રેશમનું વસ્ત્ર) તથા કસવર્ધન (?) આદિ વસ્ત્રો, એજ પ્રમાણે કુંકુમ,કુવલય, પલાશ, પારેવાની ગ્રીવા, મનશીલ અને પરવાળાના વર્ણનાં વિવિધ સુગંધી ચૂર્ણો, વિણાપટ્ટના ૧. આ પછી તા યાદ...વિરાર્થને અર્થ અસ્પષ્ટ છે, એટલે આ અર્થ કેવળ અનુમાને કરેલો છે. - વાદ એટલે શું ? વીજાપટ્ટ પાઠ લઈએ તે “ચીનાઈ કાપડ” એ અર્થે નીકળી શકે ખરે. Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ~~~~~~~~~~~ સમૂહ, મૃગેની રૂંવાટી, વિવિધ રંગના બકરાના વાળના કાંબળા, મણિ, શંખ, પરવાળાં, અને સોના-ચાંદીનાં આભરણે અને નાસિકાને પ્રિય લાગે એવાં ગંધદ્રવ્યે જયાં. એક સાર્થવાહની દુકાને હું ગયે. ખરીદનારાઓ તરફ તેનું ધ્યાન રોકાએલું હોવા છતાં તેણે મને આદરથી કહ્યું કે, “આસન ઉપર બેસો.” હું બેઠે. એક મુહૂર્તમાં જ સાર્થવાહને એક લાખ રૂપિયા મળ્યા. એટલે પ્રસન્નતાથી વિકસિત થએલા મુખવાળે તે મને વિનંતી કરવા લાગ્યો, “ સ્વામી પાદ! આજ તમે મારે ઘેર જમજે, કૃપા કરે.” મેં તેની વાત સ્વીકારી કે, “ભલે.” તેણે કહ્યું, “અહીં જ એક મુહુર્ત વિશ્રામ લે, એટલી વારમાં કોઈ કામે જઈને હું આવું છું.” પછી તેણે પોતાના આસન ઉપર રૂપાળી દાસીને બેસાડી, અને તે ગયે. તે દાસી, હું તેને પ્રશ્ન કરું એટલે, આડું જોઈને ઉત્તર આપતી હતી. મેં કહ્યું, “બાલિકે! પરાક્ષુખ થઈને કેમ બોલે છે? શું તું વિવેક જાણતી નથી?” તે બોલી, “મારા મુખમાંથી લસણુના જેવી પ્રતિકૂલ વાસ આવે છે, તે જાણવા છતાં હું તમારી સામે કેવી રીતે મુખ રાખું ?” કહ્યું, “તું દુઃખી ન થઈશ. ગંધદ્રવ્યના પ્રયોગથી તારા વાસની દુર્ગધ હું દૂર કરીશ. હું કહું તે તે દ્રવ્યો લાવ.” પછી હું બોલ્યો તે પ્રમાણે દ્રવ્યો તે લાવી. સર્વે ભેગાં કરી, ઘી સહિત ખરલ કરીને નળી ભર્યા. પછી તેની ગોળીઓ કરી, જે ગોળીઓ દુર્ગધને દૂર કરે છે અને કમળના જેવું સુગંધિત મુખ કરે છે. અનુક્રમે તે ગેળીઓ તેણે ખાધી, એથી તેનું મુખ સુગંધી થઈ ગયું. એટલામાં સાર્થવાહ આ દાસીનું મુખ તે પ્રકારે સુગંધી થયેલું જાણીને મને તે પોતાને ઘેર લઈ ગયે. પછી એકાન્ત સ્થાનમાં મને વિધિપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરીને મેં મહામૂલ્યવાન વસ્ત્રો પહેર્યા, એટલે કુશળ રીતિથી તૈયાર કરવામાં આવેલું ભેજન સોનારૂપાનાં વાસણમાં મારે માટે લાવવામાં આવ્યું. એમાં અડદિયા લાડુ, સુખડી, સેવ આદિ ભ, મૃદુ, વિશદ અને સ્વકસિદ્ધ–પિતાની મેળે સીજે કમદને ભાત, રાઈના સ્વાદથી મિશ્ર વિવિધ લેહ્યો, છહાને આનંદકર અને વિવિધ સંભારવાળાં અથાણું અને પેય હતાં. પરિજનોએ આદરપૂર્વક આણેલું ભેજન હું જમે, કલાદ-ચૂર્ણ (ચણાના લોટ)થી હાથમહે સાફ કર્યા, તથા આચમન કર્યું અને સુગંધી ફળથી મુખવાસ કરીને આસન ઉપરથી ઊડ્યો. વધેલું બધું દાસીઓ લઈ ગઈ. મારાં અંગે ઉપર નાસિકા અને મનને હાલાં લાગે એવાં સુગંધી દ્રવ્યોથી વિલેપન કરવામાં આવ્યું. પછી સાર્થવાહે બતાવેલા, સુગંધી પુથી છવાયેલા અને જેના ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથર્યું હતું એવા શયન ઉપર હું બેઠો. જેણે ભજન કરી લીધું હતું એવા મારી પાસે સાર્થવાહ બેઠો હતો. મેં તેને પૂછ્યું, “તમે “સ્વામીષાદ! આજે મારે ઘરે જમવાનું છે” એમ કહીને કયા કારણથી મને અહીં લાવ્યા છો?” એટલે તે કહેવા લાગ્ય ૧. મૂળમાં ભેજનવર્ણનનો આ પાઠ અશુદ્ધ છે. તેથી કેટલાક અર્થો અનુમાને કર્યા છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ રક્તવતી લભક રતવતી અને લનિકાના પરિચય “ સ્વામી! આ નગરમાં ભદ્ર નામે સાથે વાહ હતા. તેની પદ્મશ્રી નામે પત્ની હતી. મનારથા અનુસાર પ્રાપ્ત થયેલા તેમના હું મનારથ નામે પુત્ર છું. હું યુવાવસ્થામાં આવ્યે એટલે સમાન કુલમાંથી મારે માટે પદ્માવતી ભાર્યાં લાવવામાં આવી. તેનાથી થયેલ મારી રક્તવતી નામે પુત્રી છે. તેણીની સાથેજ જન્મેલ દાસચેટી લસણુના જેવા મુખગંધવાળી હતી. આથી ખાલપણમાં ‘ લઘુનિકા ’ નામે એળખાતી તે મારા ઘરમાં મેાટી થવા લાગી. * [ ૨૮૫ ] કેાઇ એક વાર શિવગુપ્ત નામે ત્રિકાળદશી અને વિપુલ અવધિજ્ઞાની અનગાર અહીં આવ્યા. કામસ્થાન ઉપવનમાં રહેલા તેમને મેં મારા કુટુંબ સહિત વંદન કર્યું. તે ભગવાને કર્મના વિપાકને લગતી ધર્મકથા શરૂ કરી. જેમ કે— “ શ્રાવક ! કર્મની ગુરુકતાથી અને અશુભ કર્મના ઉદયથી જીવા નરકગામી થાય છે. શુભાશુભ કર્મના ઉદયથી તિય ચગતિ અને મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે. શુભ કર્માંના ઉદયથી દેવલાકમાં ગમન થાય છે. તીવ્ર અને અશુભ કર્મવાળા જીવા નારકામાં દીઘ આયુષ્યવાળા થાય છે; તિય ચામાં ખરામ વર્ણ, ખરાબ ગંધ, ખરાબ રસ અને ખરાખ સ્પર્શીવાળા તથા બેઢંગ આકૃતિવાળા થાય છે; મનુષ્યામાં જાતિહીન, ખરાખ વર્ણ, ખરામ ગંધ અને અનિષ્ટ સ્પર્શવાળા, ખરાબ આકૃતિવાળા, અનાદેય વચનવાળા અને કુસ’હૅનન– ખરામ શરીરબંધારણવાળા થાય છે. દેવામાં પણ તપ, નિયમ અને દાન( થી રહિત ), મિથ્યા તપથી દૂષિત એવા તેએ કિલ્મિષિક, આભિયાગિક અને દુર્ગંત દેવત્ત્વને પામે છે, અને ( શુભ ) કર્મોના ચય કરવામાં નિ`ળ તથા અલ્પ કાલસ્થિતિ-આયુષ્યવાળા થાય છે. જે અતિકિલષ્ટ અધ્યવસાયવાળા ન હાય તે તિર્યંચ અને મનુષ્યેામાં અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ ંસ્થાન-આકૃતિ અને સહુનનવાળા થાય છે. વિશુદ્ધતર લેશ્યાવાળા તિર્યંચા સુષમા જેવા આરા ચાલતા હાય ત્યારે અકર્મ ભૂમિમાં વર્ષમાં ક્ષેત્રામાં પેદા થાય છે. વિશુદ્ધ ચારિત્ર્ય, દર્શન અને તાપધાનવાળા મનુષ્યા પણ દૈવલેાકમાંથી ચ્યવીને ઉત્તમ રૂપ, શ્રી અને લાવણ્યવાળા, માનનીય મહાવૈભવવાળા, વિનીત અને દાનશીલ થાય છે; અથવા અહમિન્દ્ર વિમાનમાંથી ચવેલા તેએ કલેશને ક્ષય કરીને નિર્વાણુને પ્રાપ્ત કરે છે. ” પછી કથાન્તરમાં મેં શિવગુપ્ત અનગારને પૂછ્યું, “ ભગવન્ ! આ છેકરીના વદનની ગંધ લસણુના જેવી શાથી છે ? ” એટલે તેએ કહેવા લાગ્યા, “ સાંભળ~~ રાવતી અને લનિકાના પૂર્વભવ— ભૂતકાળમાં ચક્રપુરમાં પુષ્પકેતુ નામે રાજા હતા. તે ત્રિ-ધર્મ, અર્થ અને કામના ૧. નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાને અહમિન્ત્ર કહેવાય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: અવિરોધથી નગર અને રાજ્યનું પાલન કરતે હતો. તેની પુષ્પદંતા નામે મહાદેવી હતી, અને તે વસન્તમાસની પુષ્પવાળી શેભા જેવી મનોહર રૂપવાળી હતી. તેની પંડિતિકા નામે શવ્યાપાલિકા હિતસ્વી, કુશળ અને માનીતી હતી. પછી તે રાજા પુષ્પકેતુએ દેવગુરુ નામે અનગારની પાસે ધર્મ સાંભળીને પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી, પંડિતિકા સહિત પુષ્પદંતા દેવીએ પણ રાજાની પાછળ દીક્ષા લીધી. જેને વૈરાગ્ય અચલ રહ્યો છે, જેમણે સૂત્ર અને અર્થનો અભ્યાસ કર્યો છે એવા તથા તપવત પુષ્પકેતુ અણગાર વિહાર કરીને, કર્મો ખપાવીને નિર્વાણ પામ્યા. પછી તે પુષ્પદંતા આર્યા જન્મ, કુલ, રૂપ અને એશ્વર્યના મદથી પંડિતિકા આર્યાની અવજ્ઞા કરી તેને તિરસ્કાર કરતી હતી, “તું તારું કુળ વીસરી ગઈ છે, આઘી જા; ગંધાતા મુખવાળી તું મારી સામે ઊભી ન રહીશ, મારી નજીક રહીને ઉત્તર ન આપીશ, વસ્ત્રથી તારૂં મેં ઢાંકીને મારી પાસે આવજે.” આ પ્રમાણે તિરસ્કાર પામતી પંડિતિકા “દેવી સાચું કહે છે” એમ વિચારતી “મારો અપરાધ ક્ષમાં કરે” એમ કહેતી તેના પગે પડી. એ જ પ્રમાણે તે નમ્રતાપૂર્વક વંદન કરવા લાગી. પછી તે પુષ્પદંતાને તિરસ્કાર સારી રીતે સહન કરતી તે પંડિતિકાએ નીચ ગોત્રકર્મ ખપાવ્યું, તથા શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા આદેય વચન અને ઉચ્ચ શૈત્રકમ બાંધ્યું. ગર્વિષ્ટ એવી પુષ્પદંતાએ મુખદુર્ગધત્વ અને નીચોત્રતા બાંધી. જે તપ પુષ્પદંતા ગ્રહણ કરતી હતી તેનું અનુવર્તન પંડિતિકા પણ કરતી હતી. પછી તે બન્ને જણીઓ કાળ કરીને શક્ર દેવરાજ વૈશ્રમણ મહારાજની અગ્નમહિષીઓ થઈ. આયુષ્યનો ક્ષય થતાં ચવીને જે પંડિતિકા તે તારી પુત્રી રક્તવતી થઈ, જે પુષ્પદંતા તે લઘુનિકા થઇ. રક્તવતી અર્ધભરતાધિપતિ વાસુદેવના પિતાની ભાર્યા થશે.” મેં ફરી તે અનગારને પૂછયું, “રક્તવતીને તે પતિ કયાં છે? અને તેને કેવી રીતે જાણુ?એટલે તેઓ બોલ્યા, “જેને પગ તારી દુકાનમાં પડતાંની સાથે જ તને એક લાખનો લાભ થાય, અને લસણ જેવા ગંધાતા મુખવાળી છોકરીને જે સુગંધી મુખવાળી બનાવે તેને તું અર્ધભરતાધિપતિને પિતા જાણજે.” આમ કહેવામાં આવ્યું, એટલે તે મહર્ષિને વંદન કરીને હું ગયો. તે દિવસથી લઘુનિકા ચેટી દુકાનમાં જ બેસે છે. સાધુએ કહ્યો હતો તે ધનલાભ આજે મને થયો. મારે આપને આજ વાત જણાવવાની છે.” રકતવતીનું પાણિગ્રહણ પછી શુભ મુહૂર્ત સાર્થવાહ મારી સાથે રકતવતીનું પાણિગ્રહણ કરાવ્યું. જેનાં લોચન ધવલ છે, લોચનના ખૂણાઓ લાલ છે અને કીકીઓ કાળી છે એવી, જાણે અમૃતના બનેલા વદનચંદ્રવાળી, ચંદ્રની પ્રભા જેવી ઉજજ્વળ કાન્તિવાળી, તથા અતિશય Page #342 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી લંભક [ ૨૮૭ ] સૌન્દર્યને લીધે પદ્મવનમાં વિહરવાનું જેને પ્રિય છે એવી લક્ષમી જાણે તે પોતે જ હેય એવી રક્તવતી સાથે વિષયસુખ અનુભવતે હું સુખપૂર્વક રહેવા લાગ્યો. (૧૨) સોમશ્રી લંભક એક વાર વર્ષાઋતુમાં સાર્થવાહ મને કહેવા લાગ્યો, “સ્વામી ! મહાપુર નગરમાં ઈન્દ્રમહત્સવ બહુ સારે થાય છે. જે તમારી ઈચ્છા હોય તે આપણે તે જોવા જઈએ.” મેં હા પાડી કે, “ભલે,” પછી અમે દેવનગર જેવા મહાપુરમાં ગયા. નગરની બહાર અનેક પ્રકારના પ્રાસાદો હતા. તે જોઈને મેં સાર્થવાહને પૂછ્યું, “શું આ પરું છે?” તે કહેવા લાગ્ય– “અહીંના રાજા સેમદેવની પુત્રી શ્રી નામે છે. તે રૂપસુન્દરી હેવાથી પિતાએ તેને સ્વયંવર આપે. પછી હંસરથ, હેમાંગદ, અતિકેતુ, માલ્યવંત, પ્રશંકર આદિ જે કુલ, રૂપ અને યૌવનયુક્ત અને હૃદયને રુચતા રાજાઓ હતા તેમને રાજા સોમદેવે તેડાવ્યા. તે રાજાઓ આ પ્રાસાદામાં રહ્યા. પણ તે કુમારી વિસંશિત થઈ ગઈ. આથી રાજાએ પિતપોતાના સ્થાનોએ પાછા ગયા. તે કુમારી પણ મૂગી થઈ ગઈ. આ કારણને લીધે આ પ્રાસાદ પંક્તિઓ અહીં છે.” તે પ્રાસાદે વટાવીને જોવા લાયક વસ્તુઓથી ભરેલા એવા તે નગરમાં અમે ગયા અને ઈન્દ્રસ્થાનમાં પહોંચ્યા. ત્યાં અમે દેવતાઓએ વિકુવેલો હોય તેવો ઈન્દ્રમહ તથા રાજાના અંત:પુરને જોયું. ઈન્દ્ર(યષ્ટિ)ની પ્રદક્ષિણા કરીને અમારાં વિવિધ પ્રકારનાં વાહને તરફ અમે પાછા વળ્યા. દેવાંગનાઓ જેવી તે રાણીઓ પણ પૂજા કરીને તથા પ્રણામ કરીને દેવપત્નીઓની જેમ પોતપોતાનાં વાહનમાં બેઠી. એટલામાં ઘણું માણસોને ચીસે પાડતા અને ચારે બાજુ નાસતા અમે જોયા. અમને થયું, “શું કારણ હશે ? ચાલો જોઈએ, ” એટલામાં મસ્ત થએલે એક હાથી માવતને મારી નાખીને પિતાની નજરે પડતા માણસનો વિનાશ કરે તે પ્રદેશ તરફ દોડ અમે જે. “યમરાજના જેવો આ તે વિદ્યુમ્મુખ હાથી આવી પહોંચે” એમ બોલતા લોકોએ પણ હાથી ન જઈ શકે એવી જગાને આશ્રય લીધે. પેલે હાથી રાણીઓનાં વાહનો તડવા લાગ્યો. સારથિઓ તે યુવતીઓને કઇપૂર્વક બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં હાથીની સૂંઢવડે વાહનમાંથી ખેંચાયેલી “શરણું, શરણ” એમ બોલતી એક કન્યા ધરણું ઉપર પડી. મેં તેને જોઈ. અસંભ્રાન્ત એ હું ‘ડરીશ નહીં” એમ બેલ તેની પાસે ગયા અને હાથી તેના સારથિને મારતા હતા તેવામાં જ કન્યાને બચાવવાની ઈચ્છાવાળા એવા મેં Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ ઃ હાથી ઉપર પાછળથી ઘા કર્યો. આથી હાથી રોષથી પાછો વળ્યો. મેં પણ તેને સિંહાવલિ, દંતાવલિ, ગાત્રલીન અને શાર્દુલલંઘન વડે તથા પુછગ્રહણ વડે આમતેમ ભમા. આવી અવસ્થામાં આવેલા હાથીને, તથા શીવ્રતાને લીધે જાણે અનેક રૂપવાળા દેખાતા અને પ્રાસાદ ઉપર રહેલા લેકે શાબાશી આપવા લાગ્યા, “અહા સુપુરુષ! તમે વિપુલ યશ પ્રસાય છે. ” પરિજનો અને સ્ત્રીઓ પ્રેમપૂર્વક બોલવા લાગ્યાં, “ પુરુષવર ! ગજરૂપી યમ સાથે યુદ્ધ કરતા તમારું દેવતાઓ રક્ષણ કરો.” કેટલીક સ્ત્રીઓ તે મારા ઉપર પુષ્પ અને સુંગધી ચૂર્ણોની વૃષ્ટિ કરવા લાગી. મેં પણ હાથીને અનેક રીતે શાન્ત કર્યો, એટલે તે હંસ અને ગાય જેવી મંદગતિવાળે થયે. તેને જીતાએ જાણીને હું જલદીથી કન્યા પાસે ગયા. (પાણીની બહાર) સ્થલ ઉપર લાવવામાં આવેલી પદ્મિની જેવી અને પિતાના યૂથથી છૂટી પડેલી હરિ જેવી તે કન્યાનાં ગાત્રે ભયથી ખંભિત થઈ ગયાં હતાં. હાથી જેમ વનલતાને ઉપાડે તેમ મેં તેને એકદમ ઉપાડી. વિમિત થયેલા નગરજનો જેની પ્રશંસા કરતા હતા એવા મેં તેને ઊંચકી લીધી, અને જેનું દ્વાર ખુલ્યું હતું એવા એક ભવનની અંદર તેને લઈ જઈને બેસાડી, અને કહ્યું, “ડરીશ નહીં, હવે હાથીનો ભય નથી.” જેને ભાન આવ્યું છે અને સતેષથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવી તે મારા પગે પડી, અને બોલી. “સ્વામી ! તમારું પ્રિય થાઓ, કે હાથીના મુખમાંથી બચેલા અક્ષત શરીરવાળા તમને જોયા.” પછી તેણે વિચાર કરીને પોતાનું ઉત્તરીય મને આપ્યું, મારું ઉત્તરીય પિતે લીધું અને મને પોતાની વીંટી આપી. પછી તેના પરિજને આવ્યાં અને તેઓ તેને રાજકુલમાં લઈ ગયાં. ગૃહપતિએ (જે મકાનમાં કન્યાને લાવવામાં આવી હતી તેના માલીકે) પ્રાસાદ ઉપરથી ઊતરીને મને આસન આપ્યું, તથા કહ્યું, “સ્વામી! વિશ્રામ કરો.” પાદશૌચ કરીને હું થોડીવાર ત્યાં બેઠો. એટલામાં સફેદ બળદ જોડેલ રથ લઈને મનુષ્યો ત્યાં આવ્યા. તેમના વચનથી હું તે રથમાં બેઠો અને ત્યાંથી નીકળે. “ધરણતલના ચંદ્રરૂપ આ જ તે પુરુષોત્તમ છે” એ પ્રમાણે બલી પ્રશંસા કરતા લોકો મને જોતા હતા. અનુક્રમે ચાલતાં મારા સસરાના મામા કુબેરદત્ત સાર્થવાહના કુબેરભવન જેવા સમૃદ્ધ ભવન આગળ હું પહોંચે. રથમાંથી હું નીચે ઊતર્યો. અર્થપૂજા થયા બાદ અંદર પ્રવેશતાં અંદરના દ્વાર આગળ મૂલ્યવાન વસ્ત્રો અને આભારવાળી, ગૃહદેવતા જેવી રૂપાળી, પાદુકાવાળી, હાથમાં સોનાજડિત દંડવાળી, તથા કૌતુકી જનેને રોકવા માટે ઊભેલી પ્રતિહારીને મેં જોઈ. ભવનમાં ગયે, એટલે સાર્થવાહના પરિજનોએ મને અભિનંદન આપ્યાં. હું સુખપૂર્વક આસન ઉપર બેઠે, એટલે શતપાક તેલ વડે મારાં ગાત્રાને અભંગ કરવામાં આવ્યું અને કુશળ સંવા ૧. હાથીઓને સમાવવાની આ વિવિધ રીતે જણાય છે, Page #344 -------------------------------------------------------------------------- ________________ સોમશ્રી લંક [ ૨૮૯ ] હિકાઓ(મર્દન કરનારીઓ)એ મારું સંવાહન કર્યું. મંગલ જલવડે મને સનાન કરાવવામાં આવ્યું. વસ્ત્રો બદલીને સ્વાદિષ્ટ અને પથ્ય ભેજન લઈને મેં આચમન કર્યું, શયન ઉપર બેઠે તથા સુરભિ ફલેને મુખવાસ કરીને વિશ્રામ લેવા લાગ્યો. પછી જેના આગમનની મને ખબર આપવામાં આવી હતી તથા જેના આગમનની મેં અનુજ્ઞા આપી હતી એવી લક્ષ્મી જેવા રૂપવાળી પેલી પ્રતિહારી એકાન્તમાં મને પ્રણામ કરીને કહેવા લાગી, “સ્વામી ! સાંભળો– સામગ્રીને પરિચય તથા તેને પૂર્વભવ આ નગરમાં સોમદેવ રાજા પિતાના પિતા અને પિતામહની પરંપરાથી આવેલી રાજ્યલક્ષમીનું પાલન કરે છે. તેની સેમચંદ્રા નામે પટ્ટરાણી પ્રકૃતિથી જ સૌમ્ય વદનવાળી છે. તેમની પુત્રી સોમશ્રી નામે કન્યા છે, જેને તમે જીવન આપ્યું હતું–બચાવી હતી. તે કન્યાને પિતાએ સ્વયંવર આપ્યો હતો. કુલ, શીલ, રૂપ અને વૈભવથી તેને માન્ય હતા એવા રાજાઓ આવ્યા. તેઓ સવે આવી પહેંચ્યા હતા તે સમયે પ્રાસાદની ઉપર રહેલી સોમશ્રી કુમારી પિતાની સખીઓથી વીંટળાઈને વિહરતી હતી. સર્વાણુ અણગારને થયેલા કેવલજ્ઞાનનો મહિમા કરવાને આવેલા દેવોના ઉદ્યોતના દર્શનથી તે મૂર્શિત થઈ. ઘણી વારે સ્વસ્થ થયા બાદ તે મૂગી થઈ ગઈ. મંત્ર, ઔષધિ અને હેમાદિ ક્રિયાઓ વડે ચિકિત્સકોએ પ્રયત્નો કરવા છતાં જ્યારે તે કંઈ બોલી નહીં ત્યારે તે રાજાએ પોતપોતાના સ્થાને પાછા ગયા. ચિકિત્સક માનવા લાગ્યા કે, “ભક દેએ તેની વાણુ હરી લીધી છે. ” તે કુમારી પણ અક્ષરે લખીને સૂચનાઓ આપતી હતી. મેં તેને એક વાર એકાન્તમાં સમજાવીને કહ્યું, “દીકરી! તું તારી ધાત્રી હાઈને મા જેવી વિશ્વસનીય છું. જે કંઈ કારણથી તે બળાત્કારે મૂગાપણું ધારણ કર્યું હોય તે નિ:સંકેચપણે મને કહે. તારામાં ખેડનું કેઈ લક્ષણ તો મને દેખાતું નથી.” એટલે સહજ હસીને હૃદય અને શ્રવણને આનંદ આપનાર વચન તે બોલી કે, “માતા! ખરેખર તેનું કારણ છે; પણ હું રજા આપું નહીં ત્યાં સુધી તારે તે કઈને કહેવું નહીં.” મેં “ભલે” એ પ્રમાણે તે વસ્તુ સ્વીકારી, એટલે તે કહેવા લાગી, “સાંભળ– ગયા ભવમાં હું સધર્મ કહપમાં કંકણાવતુંસક વિમાનમાં કનકચિત્રા નામે દેવી હતી. મહાશુક્ર કપમાં દેવરાજને સામાનિક સ્વયંપ્રભ વિમાનને અધિપતિ દેવ હતી તેની હું ભાર્યા હતી. તે દેવ મારું સમરણ કરે કે તુરત જ હું તેના પ્રભાવથી ક્ષણમાત્રમાં મહાશુક કલ્પમાં જતી હતી. સાધર્મ દેવલેક કરતાં અનંતગણ વિશિષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ વિષને હું અનુભવ કરતી હતી, સ્વામીનાં મનહર ગીત અને વચનથી તથા તે સમયને યોગ્ય ભૂષણ અને શયનવડે પ્રસન્ન થતી હતી તથા તે ૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : દેવ વિદાય આપે એટલે પાછી મારા કૅકણવતંસક વિમાનમાં આવી હતી. હે માતા ! તે દેવ વડે લાલન કરાતી એવી મારાં આ પ્રમાણે ઘણું પોપમ વીતી ગયાં. એક વાર ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં અધ્યા નગરીમાં મુનિસુવ્રત અરિહંતના જન્મમહોત્સવમાં દેવે ગયા હતા; હું પણ મારા પ્રિયતમ સાથે ગઈ હતી. મહોત્સવ પૂરો થયે એટલે તે જ સમયે ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં દઢધર્મ અરિહંતને નિવણ-મહોત્સવ વિધિપૂર્વક કરીને દેવે પોતાના આવાસમાં પાછા વળ્યા. હું પણ મહાશુક્રના અધિપતિના સામાનિક દેવની સાથે મહાશુક્ર કપમાં ગઈ. વચમાં બ્રહ્મલોક કલ્પમાં, રિષ્ટ વિમાનના પ્રસ્તર પાસે, લોકાક્ષાટકના મધ્યમાં મારો તે હૃદયસ્વામી મેઘધનુષ્યના રંગની જેમ ક્ષણવારમાં નાશ પામ્યા. આથી મને દિશાઓ અંધકારમય લાગવા માંડી, મારી ઊર્વગતિ અટકી ગઈ. “મારે પ્રિયતમ સૂક્ષ્મ શરીર ધારણ કરીને ક્યાં ગયે હશે ?” એમ વિચાર કરતી તથા સનેહને કારણે તેને વેલે નહીં જાણતી એવી હું પાછી વળી અને જે માગે અમે આવ્યાં હતાં તે માગે તપાસ કરતી મલેકમાં જબૂદ્વીપના ઉત્તરકુરુમાં ભદ્રસાલ વનમાં મધ્યભાગના શિખર સમાન જિનમન્દિર આગળ પહોંચી. શોકગ્રસ્ત હોવા છતાં જિનપ્રતિમાને જેણે પ્રણામ કર્યા છે એવી મેં ત્યાં એક ભાગમાં પ્રીતિકર અને પ્રીતિદેવ નામના વિપુલ અવધિજ્ઞાની ચારણશ્રમને જોયા. તેમને વંદન કરીને મેં પૂછ્યું, “ભગવંત ! મારો નાથ ક્યાં ગયે હશે? અને તેની સાથે મારો સમાગમ ક્યારે થશે?” તેઓ કહેવા લાગ્યા, “હે દેવિ ! તારો એ દેવ સત્તર સાગરપમનું આયુષ્ય ક્ષીણ થતાં આવીને મનુષ્ય થયેલ છે. તું પણ વીને મહાપુર નગરમાં સમદેવ રાજાની પુત્રી થઈશ. ત્યાં તેની સાથે તારો સમાગમ થશે. હાથીના દષ્ટિપથમાં આવેલી અને જીવિતસંશયમાં રહેલી એવી તારું જે રક્ષણ કરે તે તારે પતિ ”—એ પ્રમાણે તેઓએ કહ્યું, એટલે હું મારા વિમાનમાં ગઈ. પછી તે દેવમાં જેને રાગ બંધાય છે એવી હું કેટલાક કાલ પછી ચવીને અહીં જન્મી. શ્રમણના કેવલજ્ઞાન પ્રસંગે આવેલા દેવાના ઉદ્યોતથી મને જાતિસ્મરણ થતાં હું મૂચ્છિત થઈ. ભાન આવતાં મને વિચાર થયો, “મને પિતાએ સ્વયંવર આપ્યો છે, રાજાએ એકત્ર થયા છે, માટે મારે માટે બોલવું ઠીક નથી. મારે મૂંગાપણું ધારણ કરવું જોઈએ. ” પછી રાજાએ પાછા ગયા, એટલે સાધુનું વચન ફલીભૂત થવાની હું રાહ જોઉં છું. “મારા એ પ્રિયતમ વિના મારે બેલીને શું કામ છે?” એમ વિચારીને હું મૂંગાપણું ધારણ કરીને રહું છું. ” સમશ્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે હું બેલી, “પુત્રિ ! સુખી થા, પૂર્વભવના તે પ્રિય પતિ સાથે તારો સમાગમ થાઓ ” રાહુના મુખમાંથી જેમ ચન્દ્રબિંબ બચી જાય તેમ હાથીના મુખમાંથી બચી ૧. બ્રહ્મલેકને મધ્યભાગ લેકાક્ષાટક કહેવાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લ‘ભક [ ૨૯૧ ] ગયેલી તે સામશ્રી આજે ઘેર આવીને મને એકાન્તમાં કહેવા લાગી, “ માતા ! આજે મારા એ પૂર્વભવના પતિને મેં જોયા. સાધુએએ કહ્યું હતુ. તે પ્રમાણે, તેણે મને જીવિતદાન આપ્યું. 'મે' સેામશ્રાને અભિનંદન આપ્યું કે, “ પુત્રિ ! તારા ઉપર દેવાએ કૃપા કરી છે; રાજાને તથા દેવીને હું આ વાત કરું છું, જેથી તને આજે જ તારા મનારથની પ્રાપ્તિ થશે. ” એ પ્રમાણે તેને આશ્વાસન આપીને હું દેવી પાસે ગઈ; રાજા પણ ત્યાં જ હતા. વિનય કર્યા પછી મેં મારા આગમનના કારણની તથા સામશ્રીના જાતિસ્મરણની વાત તેમને કરી. ૮ તેણે જ( વસુદેવે ) સામશ્રીને જીવિતદાન આપ્યું છે ’ એ સાંભળીને રાજાએ મારા સત્કાર કર્યો અને કહ્યું, ધર્મ પ્રમાણે તે જીવિતદાન આપનાર હાવાથી સામશ્રી ઉપર તેના જ અધિકાર છે. મેં પણ સેામશ્રીને સ્વયંવર આપેલા છે. પૂર્વભવના પતિના સમાગમ સમયે તેને સર્વ વસ્તુની પ્રાપ્તિ થશે. કાલે પ્રશસ્ત દિવસે અને મુહૂર્તે તેમનું પાણિગ્રહણ થશે. ” આ પ્રમાણે કહીને રાજાએ મને મેકલી કે, “ તેને ( વસુદેવને ) આ ખબર આપ. ” પછી તમે કુમારીના પ્રિયતમ હાવાથી હું તમારી પાસે આવી. દેવા તમને સુખ આપે, ” આ પ્રમાણે કહીને પ્રણામ કરીને પ્રતિહારી ગઇ. સામશ્રીનુ’ પાણિગ્રહણુ. 66 પછી વસ્રો અને ગંધ-માલ્ય લઈને કંચુકી આયૈા. તેણે રાજાના વચનથી મને વધાન્યા અને મારા અપરિશ્રમ પૂછ્યો (· શ્રમ દૂર થઇ ગયા છે ? ’ એમ પૂછ્યું'). પછી મારું સગપણુ કરવામાં આવ્યું. ત્યાં કુબેરદત્તના ભવનમાં મારી પશુ સુખપૂર્વક રાત્રિ વીતી ગઇ. પ્રભાતમાં સૂર્યોદય થતાં યશસ્વાન્ નામે અમાત્ય તથા રાજમહત્તરિકા આવી. તેમણે તથા કુબેરદત્તનાં પરજનાએ મારું વરપરિકર્મ (વરને ચેાગ્ય શણુગાર) કર્યું. પછી વિમાન જેવી શૈાભાયમાન શિબિકામાં એસી હું રાજકુલમાં આવ્યા. ભૃગુ પુરાદ્ધિતે અગ્નિમાં હામ કર્યા. સેામદેવ રાજાએ રિતાષથી પ્રસન્ન વદનચંદ્રવાળી સેામશ્રી સાથે મારું પાણિગ્રહણકરાવ્યું. ‘કાશ સહિત મારા ઉપર તમારો અધિકાર છે' એમ કહીને તેણે મંગલ નિમિત્તે બત્રીસ કરોડ ધન આપ્યું. પછી દેવી સહિત જાણે દેવ ાય તેમ સામશ્રી સહિત હું... રાજાએ સૂચવેલાં ભાજન, આચ્છાદન, ગંધ, માલ્ય ભાગવત તથા પરિચારકાએ આપેલાં અને હાજર રહેલાં મનગમતાં પરભાગદ્રવ્યેાના ઉપભેાગ કરતા ઇષ્ટ વિષયસુખના સાગરમાં ડૂબીને નિરુત્સુકપણે વિહરવા લાગ્યા. ( ૧૩ ) વેગવતી લલક પછી પૂર્વભવના સ્નેહથી મારામાં અનુરક્ત માનસવાળી અને પ્રકૃતિથી મધુર વાણીવાળી સેામશ્રી વડે હરાયેલા હૃદયવાળા તથા પ્રતિદિન જેની કામવશતા વધતી હતી એવા મે, Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : રતિમાં આસક્ત થયેલા કામદેવની જેમ, પરિજન સહિત સેામશ્રીને આનંદ કરાવતાં કેટલીક ઋતુએ ગાળી. t એક વાર સંભાગના પરિશ્રમથી થાકીને ઊંઘેલેા હું ભેાજનના પરિણામથી (પચી જવાથી) જાગ્યા. તે વખતે શયનમાં સેામશ્રીને નહીં જોતાં ખિન્ન માનસવાળા બની હું વિચાર કરવા લાગ્યા, “ મને જગાડયા વગર પ્રિયા કયાં ગઇ હશે ? અથવા કઇં કારણસર ગઈ હશે. ” આમ વિચારી મેં વાસગૃહની રક્ષા કરનારી દાસીએને જગાડી કહ્યું, “ દેવી કયાં ગઇ છે તેની તપાસ કરે. ” તેએ કહેવા લાગી, “ સ્વામી ! અમે નથી જાણતાં. અમને તા હમણાં જ તમે જગાડ્યાં. ” ભવનમાં શેાધ કરતાં ત્યાં પણ તે જોવામાં ન આવી. એટલે મેં વિચાર્યું, “ મારા ઉપર તે કુપિત થઇ હશે, જેથી મને દન આપતી નથી. ” એ પ્રમાણે અનેક રીતે ચિન્તા કરતાં રાત્રિ જેમ તેમ વીતી ગઇ. દેવી સહિત રાજાને આ વાત કહેવામાં આવી. પછી રાજમહેલમાં તથા પ્રમવનમાં સત્ર શેાધ કરવા છતાં કયાંય પણ સામશ્રી જોવામાં આવી નહીં. એટલે રાજાએ કહ્યું, “ કાઇ આકાશગામીએ તેનું હરણ કર્યું હશે, જેથી કાઇ સ્થળે એની ભાળ મળતી નથી, ” મારા મનમાં એમ નિશ્ચય થયા કે, “ ખરેખર, પ્રિયા આટલા દીર્ઘ કાપવાળી ન થાય. જે એક ક્ષણ વાર મને નહીં જોતાં ઉત્સુક થઈ જતી હતી તે અહીં હાય છતાં મને દર્શન ન આપે એ મને જ શી રીતે ? નક્કી, તેના રૂપમાં લુબ્ધ થયેલા અને તેના શીલસારને નહીં જાણતા કેાઇ મદમતિએ તેનુ હરણ કર્યું હશે. ” આ પ્રમાણે મારી બુદ્ધિએ નિ ય કર્યાં, તા પણ ‘- એક જ ખાખતમાં જેનું મન પરાવાયેલું હશે એવી તે ઉપહાસ કરવા માટે મને ઉત્તર નહીં આપતી હાય ’ એમ કલ્પના કરીને હું પ્રમદવનમાં અને સખીગૃહમાં તેની શેાધ કરવા લાગ્યા. પછી તે સે।મશ્રીને નહીં જોતા અને આંસુથી જેની દ્રષ્ટિ રુંધાઇ ગઇ છે એવા હુ' અગાઉ જ્યાં અમે ક્રીડા કરતાં હતાં તે લતાગૃહ, જાલગૃહ અને કદલીગૃહ જોવા લાગ્યા તથા ખેલવા લાગ્યા, “ પ્રિયે! તું શા માટે કુપિત થઇ છે ? હું તારી ઇચ્છાને અધીન છું. મને દુઃખ ન આપ. શા માટે તુ સંતાઈ ગઈ છે ? ” આ પ્રમાણે ખેલતા હું તે પ્રદેશમાં ફરવા માંડ્યો. મને આવી અવસ્થામાં રહેલા જાણીને મારી આગળ પ્રિય વચન મેાલતી, આંસુ સારતી અને અનેક પ્રકારનાં બહાનાંએથી મારું મન રોકીને મને આનંદ પમાડવા ઇચ્છતી દાસીએ મારાથી એક ક્ષણ પણ દૂર જતી નહેાતી. સામશ્રીમાં લીન થયેલું. મારું ચિત્ત પરમ આદર ઉત્પન્ન કરનારી વસ્તુઓમાં અથવા ગીત, વાદિત અને પતિમાં શકાતું નહેતુ તેમજ ભાજન લેવાની પણ મને ઇચ્છા થતી નહેાતી. હું આહાર લેતા નહાતા, એટલે પિરજના અને રાજા પણ જમતાં નહેાતાં. ભવનને શન્ય જેવું માનતા હું રાત્રે નિદ્રા પણ પામતા નહેાતા; મૂઢતાપૂર્ણાંક આવું ચિન્તન કરતાં, તે પ્રિયા મારી સામે નહીં હોવા છતાં સહસા તેને મારી સામે જ જોતા હતા. આ પ્રમાણે સારતાં મારા એ દિવસ વીતી ગયા. Page #348 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લંભક [ ૨૯૩ ] વેગવતીનું પાણિગ્રહણ ત્રીજા દિવસે સોમશ્રીથી જેનું હૃદય ગ્રહણ કરાયેલું છે એવો હું “અશોકવનિકામાં જ્યાં તેની સાથે અગાઉ ક્રીડાઓ કરેલી છે તે પ્રદેશથી અવશ્ય મારો શોક દૂર થશે” એમ બોલતો હતો ત્યાં પ્રસન્ન મુખવાળી પ્રિયાને મેં જોઈ. હું તેની પાસે ગયો અને હર્ષથી જેની આંખ વિકસિત થયેલી છે એવા મેં તેને દોરી જઈને કહ્યું, “સુન્દરિ ! શા માટે તું વિના કારણ કે પાયમાન થઈ હતી? કૃપા કર, જેથી મને તારા અદર્શનની પીડા ન થાય. આ હું તને પ્રણામ કરું છું. હવે કેપનો ત્યાગ કર.” તે બોલી, “આર્યપુત્ર! હું તમારી સાથે કોપેલી નથી. તમને અને પરિજનોને મેં દર્શન ન દીધું તેનું કારણું સાંભળો. મેં પૂર્વે નિયમોપવાસની પ્રતિજ્ઞા કરી હતી. તેમાં મૌન ધારણ કરીને રહેવાનું હતું તથા પ્રિયજનની સાથે પણ બોલવાનું નહોતું. તે મારું વ્રત તમારા ચરણની કૃપાથી પૂર્ણ થયું છે. એ નિયમનું રક્ષણ કરવામાં પરાયણ રહીને મારે બ્રહ્મચર્ય સેવવાનુ હતું, માટે એ બાબતને તમારે અપરાધરૂપ ગણવી નહીં. ” મેં કહ્યું “પ્રિયે! પ્રિય જનની ખલનામાં તારો અપરાધ ન ગણાય. (અર્થાત તું કે જે પ્રિયજન છે તેની ખલના અપરાધ ન ગણાય.) કહે, શું કરું ? ” તે બોલી, “ આ વ્રતમાં વિવાહBતુકનું સર્વ કર્મ કરવું પડે છે, તેનું ઉદ્યાપન એ રીતે થાય છે. ” મેં કહ્યું “તું આજ્ઞા આપે છે તે સર્વ ભલે થાય.” આ પ્રિય વસ્તુ રાજાને તથા દેવીને જણાવવામાં આવી કે, “ કુમારી જડી છે. ” પછી ચોરી તૈયાર કરવામાં આવી, તથા દૂર્વા, દર્ભ અને સરસવ આદિ મંગલ દ્રવ્ય પણ લાવવામાં આવ્યાં. પછી તેણુએ પિતે અગ્નિમાં હોમ કર્યો તથા જળથી ભરેલા ચાર કળશ ચારે દિશામાં મૂક્યા. પછી દાસીઓએ મંગલ ગીત ગાયાં. તેણે પોતે કળશ ઉપાડીને પિતાના તેમજ મારા ઉપર ઢળ્યા. પછી હાસ્ય કરતી તે બોલવા લાગી, “સોમ, યમ, વરુણ, વેશ્રમણ એ લોકપાલે, ઉપવન-દેવતાઓ તથા પરિજનો ! સાંભળો—હું આર્યપુત્રની ભાર્યા છું. આજથી તે મારા દેવ છે અને મારા જીવન ઉપર તેમને અધિકાર છે.” વરના વેશમાં રહેલા મેં પણ વધૂના વેશવાળી તેને ઉત્તમ લક્ષણવાળ જમણે હાથ ગ્રહણ કર્યો. અગ્નિની આસપાસ અમે ફેરા ફર્યા. પછી હું (તેની સાથે મારે ઘેર આવ્યું. પછી તેણીએ દાસટીઓને આજ્ઞા આપી, “દકના થાળ તથા મધ, પુષ્પ અને ગંધ લા.” બોલતાંની સાથે જ તેઓ તે વસ્તુઓ લાવી. પછી વાસગૃહનાં દ્વાર બંધ કરીને તેણીએ વેત કુસુમ વડે કઈ દેવતાની સ્થાપના કરી તથા તેનું અર્ચન કર્યું. ઉત્સાહપૂર્ણ મનવાળી તે રાત્રે આવી અને મને કહેવા લાગી. “આર્ય. પુત્ર! દેવતાના શેષ મોદક લાવવામાં આવ્યા છે તે ખાવાને તમે યોગ્ય છો. ” તેની અનુમતિથી તે મેં મુખમાં મૂકયા. તેથી મારું શરીર ઠંડું થયું અને મારું મન શાન્ત થયું. પછી મધથી ભરેલું પાત્ર તેણે ઊંચું કરીને કહ્યું, “પીઓ. ” મેં કહ્યું, “પ્રિયે ! ગુરુજ એ જેની અનુજ્ઞા આપી નથી એવું મ નહીં પીઉં. ” તે બોલી, “એમાં નિય Page #349 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : મને લેપ અથવા ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન નથી. આ તે દેવતાને શેષ છે, પીએ. મારા નિયમની સમાપ્તિમાં વિન ન કરશે, કૃપા કરે, ઝાઝે વિચાર ન કરશે.” પછી તે પ્રત્યેના બહુમાનથી મેં મઘ પીધું. પછી બે દિવસથી હું નિરાહાર રહ્યો હતો તથા પહેલાં કદી મધ પીધું નહોતું, તેથી મને મદ ચડ્યો. મદ વડે ઘેરાયેલાં લેનવાળા મેં પ્રિયાને જોરથી ઉપાડીને, જાણે તેની સાથે આ પ્રથમ સમાગમ હોય એમ માનતાં, શયન ઉપર સુવાડી. રતિના અંતે તે પણ ઊઠી. પછી તેણે વસ્ત્ર બદલ્યાં. પહેલાં પહેરેલાં રેશમી વસ્ત્રો તેણે ખીંટી ઉપર મૂક્યાં. નિદ્રા આવવાને લીધે તથા મદ વધવાને લીધે આ બધી વસ્તુઓને સ્વપ્નની જેમ જેતે હું ઊંઘી ગયો. રાત્રી વીતી પ્રભાત થતાં પરિકમ કરનારી દાસીઓ આવી. તેઓ પોતપોતાની ઉચિત ફરજમાં, ગમતું-અણગમતું વિચાર્યા સિવાય લાગી ગઈ. આ પ્રમાણે તેણીની સાથે પ્રમુદિત મનવાળા એવા મારા કેટલાક દિવસે વીતી ગયા. એક વાર અર્થે રાત્રે હું ભેજનના પરિણામથી જાગ્યો. તે વખતે દીવાના પ્રકાશમાં સ્કુટ દેખાતા શરીરવાળી દેવીને મેં જુદા જ રૂપમાં જોઈ. પછી ધીરે ધીરે ઊઠીને હું વિચાર કરવા લાગ્યું, “મારી જાણ બહાર જ મારી સાથે સૂઈ રહેલી આ રૂપસ્વિની કણ હશે ? દેવતા હશે ? આ તો મીંચાયેલાં લોચનવાળી છે તેથી દેવતા ન હોય. અથવા મારો છળ કરવાની ઈચ્છાવાળી કોઈ પિશાચી કે રાક્ષસી હશે ? તે પણ ન હોય, કારણ કે રાક્ષસો અને પિશાચ પ્રકૃતિથી જ રુદ્ર અને ભીષણ રૂપવાળાં તથા પ્રમાણુથી અતિશય મોટા શરીરવાળાં હોય છે, માટે આ તે પૈકીની ન હોય. અથવા અંતઃપુરમાંથી આ કોઈ સ્ત્રી દેવીને નિવેદન કરીને અહીં પ્રવેશી હશે ? ” પછી ધ્યાનપૂર્વક હું તેને જેવા લાગ્યા. સૂતેલી, શતપત્ર કમળ સમાન સોમ્ય વદનવાળી, સરખા કેશવાળા અને કુસુમવડે ભરેલા સિનગ્ધ અને વાંકડિયા કેશપાશવાળી, વદનના ત્રીજા ભાગ જેટલા પ્રમાણયુક્ત, અન્યૂન અને સૂર્યના તેજને ધારણ કરનાર લલાટવાળી, પહેળી, લાંબી, ધનુષના જેવી વાંકી અને ભમરાઓના સમૂહ જેવી કાળી ભ્રમરવાળી, બહુ ઊંચા નહીં એવા સપ્રમાણુ નાક્વાળી, શ્યામ અને કુટિલ પાંપણવાળાં નયનેવાળી, પૃથુલર અને ગેળ કપલવાળી, માંસલ અને સૂક્ષમ છિદ્રયુક્ત કાનવાળી તથા બિંબફળના જેવા સરસ અને રાતા ઓષ્ઠવાળી તેને મેં અવલોકી. તેનું શરીર જેતે જેતે હું વિચાર કરવા લાગ્યો કે, “આવી આકૃતિ તે શીલવતીની હોય છે, આવી વદનશોભા વૈરિણીની હેતી નથી, તો આ કોણ હશે?” પછી સરસ કમળ જેવાં કોમલ અને માંસલ તળિયાંવાળા, ઊર્ધ્વરેખાથી અંકિત અને પ્રશસ્ત લક્ષણેવાળા તેને ચરણ મેં જોયા એટલે મારા મનમાં નિશ્ચય થયે, “નક્કી આ સર્વાંગસુન્દરી ૧ મૂળમાંનું વાક્ય સંગત નથી. આ અર્થ કેવળ અનુમાને કર્યો છે. ૨ મળમાં ૩Mવાય......૪Mાણા એટલું વાક્ય અસ્પષ્ટ છે. તેમાંથી જે વાક્યખંડેનો અર્થ કરી શકાય છે તે જ અહીં આપે છે Page #350 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લભક [ ૨૯૫ ] રાજપુત્રી છે, આ કેાઇ પાપાચારી સ્ત્રી નથી. ” આ પ્રમાણે મેં વિચાર કર્યાં. તે પણુ જાગીને મને કહેવા લાગી, “ આ પુત્ર ! જાણે હું કેાઇ અપૂર્વ વસ્તુ હાઉં તેમ મારી સામે સતત શુ' જોઇ રહ્યા છે ? ” પછી કંઇક વિચારીને તે એકદમ શયનમાંથી ઊઠી, અને પાણીના કુંભ ઉપાડીને પેાતાના શરીર ઉપર રેડ્યો. તેમાંથી એના શરીર ઉપર એક પશુ બિન્દુ રહ્યું નહીં; પાણી કયાં ગયું તે પણુ જણાયુ નહીં. પછી મને હાથ જોડીને તે કહેવા લાગી, “ આ પુત્ર ! સાંભળા વેગવતીની આત્મકથા વૈતાઢ્યની દક્ષિણ શ્રેણિમાં સુવર્ણીભ નામે નગર છે. ત્યાં ચિત્રવેગ નામે વિદ્યાધરરાજા હતા. તેની અગારમતી નામે મહાદેવી છે. તેમને માનસવેગ નામે પુત્ર અને વેગવતી નામે પુત્રી છે. તમે મને તે વેગવતી જાણેા. વૈરાગ્યના માર્ગ ઉપર ચઢેલ તે ચિત્રવેગ રાજાએ અનેક પૂર્વ પુરુષાની પર પરાથી ઊતરી આવેલી રાજ્યલક્ષ્મી પુત્ર માનસવેગને તથા રાજ્યના એક અંશ હું કે જે તે સમયે માલિકા હતી તેને આપીને પેાતાના વંશના નિકાયવૃદ્ધોને કહ્યું, “ આ પુત્રી વેગવતી માટી થાય તે વખતે તેને ભાઈ જો તેને વિદ્યા ન આપે તે મારી પાસે લાવજો, ’ આ પછી નિરપેક્ષ એવા તે રાજાએ તાપસ તરીકેની દીક્ષા લીધી. હું પણ મેાટી થઇ, પરન્તુ મારેા ભાઇ માનસવેગ મને વિદ્યાએ ગ્રહણ કરાવતા નહાતા. એટલે વડેરાએ મને મારા પિતા પાસે લઇ ગયા. ત્યાંથી વિદ્યા ગ્રહણ કરીને હું મારી માતા પાસે આવી, અને મારા રાજ્યભાગ ભાગવતી સુખેથી કાળ વીતાવવા લાગી. માનસવેગે કેાઇ એક માનવ ને ઉપાડી લાવીને પ્રમદવનમાં રાખી હતી. આ . પુત્ર ! નાગરાજે વિદ્યાધરાના સબંધમાં મર્યાદા બાંધેલી છે કે—“ જે કઇ વિદ્યાધર જિનગૃહમાં આશ્રય લઈને રહેલા અણુગારને અથવા સ્ત્રી--પુરુષના મિથુન( જોડલા )ને સતાવશે અથવા નહીં ઇચ્છતી એવી પરસ્ત્રીને પરાણે ગ્રહણ કરશે તે વિદ્યાથી ભ્રષ્ટ થશે. ” આથી તે સ્રી રૂપાળી હાવા છતાં માનસવેગ તેને અંતઃપુરમાં ન લાવ્યેા; અને મને કહ્યું, “ વેગતિ ! તે માનવ સ્રીને સમજાવ, જેથી અહીં રહેતી એવી તે મારામાં પ્રેમ આંધે, ” પછી રાજાની સૂચનાથી હું ત્યાં ગઇ, તેા એકાન્ત ષ્ટિથી ધ્યાન કરતી અને પાસ્તકની અનાવેલી લક્ષ્મી જેવી( સ્થિર ) એ સ્ત્રીને જોઇ. મેં તેને કહ્યું, “ આવે ! આ પ્રમાણે ઉદાસ ન થઇશ. પુણ્યકાર્ય કરનાર શ્રી દેવલાકમાં આવે તેમ તને વિદ્યાધરલેાકમાં લાવવામાં આવી છે. હું રાજાની હૅન વેગવતી છું. રાજા માનસવેગ મારા ભાઇ છે, વિદ્યાધરલેાકમાં પ્રસિદ્ધ છે. મહાકુલીન, રૂપસ્વી, યુવાન, કલાઓમાં કુશળ અને પ્રશંસા કરવા ચેાગ્ય છે. માનવ પતિનું તારે શુ` કામ છે ? ઉત્તમ પુરુષને વરેલી સ્રો હીન કુલ ૧. લેપ્ચક્ર એક પ્રકારના પ્લાસ્ટર.’ Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : અને જાતિવાળી હોય તે પણ લેકે માં બહુમાન પામે છે. માટે તું શોક ન કરશ; માનવેલકમાં દુર્લભ એવા કામગોનો તું અનુભવ કર.” મેં તેને આમ કહ્યું, એટલે તે બોલી, “વેગવતિ ! તું પંડિતા છે એમ દાસીના મુખેથી મેં સાંભળ્યું હતું, પણ તું ઘણું અગ્ય બોલે છે અથવા ભાઈ પ્રત્યેના નેહથી તું આચાર ચૂકી ગઈ છે. સાંભળ ત્યારે–માતાપિતા વડે કન્યા જે સુરૂપ અથવા કુરૂપ, ગુણવાન અથવા નિર્ગુણ, વિચક્ષણ અથવા મૂખ પતિને અપાય તેની જ તે કન્યાએ જીવન પર્યત દેવતાની જેમ સેવા કરવી જોઈએ. તેથી કરીને તે આ લોકમાં યશભાગિની અને પરલોકમાં સુગતિગામિની થાય છે. એ જ કુલવધૂનો ધર્મ છે. તું માનસવેગની જે પ્રશંસા કરે છે તે પણ અયોગ્ય છે. જે રાજ્યધર્મને અનુસરનારે અને કુલીન હોય તે જેનું શીલ જાણ્યું નથી એવી તથા ઊંઘતી સ્ત્રીનું હરણ ન કરે. એમ પણ વિચાર કર કે આ તેની શરતા કે કાયરતા? જે આર્યપુત્રને જગાડીને તેણે મારું હરણ કર્યું હોત તો તે અહીં સુધી જીવતો આવ્યો ન હેત. “મારો વિદ્યાધર ભાઈ રૂપાળો છે” એમ તું કહે છે, તે સાંભળ–જેમ ચંદ્રથી અધિક કાન્તિમાન કઈ નથી અને સૂર્યથી તેજમાં અધિક કેઈ નથી તેમ હું માનું છું કે મારા આયપત્રથી રૂપમાં અધિક કોઈ પણ મનુષ્ય અથવા દેવ નહીં હોય. પરાક્રમવડે તે એકલા જ ( એ સર્વ સાથે ) યુદ્ધ કરવાને સમર્થ છે. મત્ત હાથીને તે વશમાં આ છે. શાસ્ત્રમાં બૃહસ્પતિ સમાન એવા તેમને સમોવડિયે કઈ હશે કે નહીં હોય. ન્યાયપ્રધાન રાજકુલમાં તે જન્મેલા છે. વેગવતિ ! આવા ઉત્તમ પુરુષની ભાર્યા થઈને “મનથી પણ હું અન્ય પુરુષને ઈચ્છું” એ વિચાર તારા હૃદયમાં ન હજો. જે તેમના ગુણે છે તે એક જીભથી વર્ણવવાની મારામાં શી શક્તિ છે? હું વિચાર કરું છું કેજેમ સમુદ્ર રત્નાકર છે, અને તેમાંથી જ આશ્ચર્યભૂત એવાં કેટલાંક રત્નો જનપદોમાં પ્રાપ્ત થાય છે, તેમ આર્યપુત્રમાં સઘળા પુરુષગુણ છે, જ્યારે અન્ય પુરુષોમાં માત્ર કેટલાક જ છે, માટે મને બાળકની જેમ ખાલી મૂઠીથી ભાવીશ નહીં, અનાર્ય જનને યોગ્ય વાત તું કરીશ નહીં.” મેં તેને કહ્યું, “આર્યો! લેકધર્મ હું જાણું છું. આ માર્ગ અમારા કુલધર્મને પણ યોગ્ય નથી. માનવેગે પરસ્ત્રીનું હરણ કર્યું તે અનુચિત કર્યું છે. ભાઈ પ્રત્યેના નેહાનુરાગથી મેં તને જે અનભિજાત વચન કહ્યું હોય તેની ક્ષમા કર. ફરીથી એવું નહીં કહું.” પછી તેની સાથે બેસીને, તેના વિયેગથી તમને થયેલા શોકનો વિચાર કરતાં, તે આર્યાની સાથે મને પણ દુઃખ થયું. પછી મેં તેને કહ્યું, “તું વિષાદ ન કરીશ. હું આખા જંબૂકોપમાં ભ્રમણ કરવાને સમર્થ છું, તો કેવળ તારા પિતાના નગર સુધી જવું એ શી મોટી વાત છે? હું તારા પ્રિયને માટે જાઉં છું, તારા આર્યપુત્રને હું અહીં લાવીશ. તને ત્યાં લઈ જવી એ માનસ વેગથી વિરુદ્ધ ગણાય. ” તેણે પરમ મધુર વાણુથી મને કહ્યું, “વેગવતિ ! જે તું આર્યપુત્રને અહીં લાવે તે હું તારી Page #352 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લ'ભક [ ૨૯૭ ] ખરીદાયેલી ( દાસી ) છું. જા, ગગનપથમાં તારા માર્ગ શુભકારી થાઓ. ” પછી હે આ પુત્ર ! તેના પ્રત્યેની અનુક ંપાથી અને વિદ્યાના પ્રભાવથી ઉતાવળે હું અહીં આવી. અનુક્રમે મેં તમને અત્યંત દુ:ખી દશામાં જોયા. એટલે મને વિચાર થયા, “ જો એમને સાચી વાત કહીશ તે તે માનશે નહીં, અને સામશ્રીમાં આસક્ત ચિત્તવાળા તે મરણુ પામશે; આવા પુરુષવિશેષ પેાતાની જાતનેા, સેામશ્રીના કે મારા પણ નહીં થાય. ( અર્થાત્ મરણુ પામશે. ) એમ કરવાથી શું વળશે ? ” આમ વિચારી ‘ આ અવસ્થામાં રહેલા તેમને માટે સેામશ્રીનું રૂદન એ ઔષધ છે, બીજો કાઈ ઉપાય નથી ' એમ ધારી તમારું રક્ષણ કરવાને માટે મેં સામશ્રીનું રૂપ ધારણ કર્યું, નિયમને અનુસરીને વિવાહકાતુક કર્યું, દેવતાના શેષ હાવાનુ કહીને મદ્ય પાયું, મારી કન્યાઅવસ્થાનું સૂચન કરનારું. આ વચ્ચે ખીંટી ઉપર મૂકયું. મારું ( કુટુંબીાવડે) કન્યાદાન દેવાયા સિવાય હું શય્યામાં આરૂઢ થઈ અને સામશ્રીના રૂપથી તમને માહ પમાડ્યો, તે મારા અપરાધની ક્ષમા કરો. આમ કહીને તે વેગવતીએ મને પ્રણામ કર્યા. પછી મેં તેને કહ્યું, “ સુતનુ ! તારે અપરાધ નથી; તે મને જીવિત આપ્યું છે. તું જો અહીં આવી ન હાત અને સોમશ્રીનું રૂપ મને ન દર્શાવ્યું હાંત તા હું મરણ પામત. "" ,, r આ પ્રમાણે વાર્તાલાપ કરતાં બાકીની રાત્રિ વીતી ગઈ. પ્રભાત થતાં ( રાજાએ અને દેવીએ ) યથાચિત કાર્યો કરવાને માટે દાસીએ મેાકલી. તે દાસીએ વેગવતીને જોઇને વિસ્મિત થઇ, અને ધ્યાનપૂર્વક તેને અવલેાકીને પરસ્પર વાત કરીને દેવી પાસે ગઇ. તેઓએ દેવીને નિવેદન કર્યુ, “ કાઇ પરમ રૂપવાળી યુવતી વાસગૃહમાં છે. સેામશ્રી સ્વામિની નથી. ’’ એટલામાં દેવી અને રાજા ( ત્યાં આવીને ) વેગવતીને પૂછવા લાગ્યાં. તેણે પ્રણામ કરીને મને કહ્યુ હતુ તે પ્રમાણે પેાતાના આગમનનું ધારણ કહ્યું. રાજાએ તેને કહ્યું, “ પુત્રિ ! તારું' સ્વાગત હા! તું વિનાસ'કાચે અહીં રહે. અહીં તને જોતાં અમને જાણે કે સેામશ્રીનું દર્શન થાય છે, એટલે તારી પ્રત્યે અમારે અભેદભાવ છે. ” વેગવતીએ રાજા અને દેવીને કહ્યું, “ તાત ! અહીં આવતાં મેં સેામશ્રીને પુત્રીભાવથી આશ્વાસન આપ્યું હતુ અને ખવડાવ્યુ હતું; દેવતાની કૃપાથી તેણે પાતાના મરણના નિશ્ચય ફ્રબ્યા છે. તમા સહિત આ પુત્રને જીવન પ્રાપ્ત થયું છે. ” પછી પ્રસન્ન થયેલા રાજાએ વેગવતીના વિવાહસત્કાર કર્યો. એ પ્રમાણે તે રાજકુલમાં ભવનમાં રહીને વેગવતીની સાથે વિષયસુખ ભાગવતાં મારા કેટલેક કાળ વીતી ગયા. વેગવતીના આભિજાત્યથી પરિજના પ્રસન્ન થયાં. મારી પરભાગવિધિ-ભાગવિલાસમાં કોઇ પ્રકારની ખામી આવતી નહેાતી. Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૮ ] વસુદેવ–દ્ધિ'ડી : : પ્રથમ ખંડ: (૧૪) મદનવેગા લભક એક વાર સભાગમુખના આસ્વાદના થાકથી નિદ્રાવશ થયેલા હું કાઇ વડે ઉપાડી જવાતા હતા ત્યારે શીતળ પવનથી મારું અંગ વીંજાતાં હું જાગ્યા, અને વિચારવા લાગ્યા, “ મને કાણુ હરી જાય છે ? ” મેં ( મને ઉપાડી જતા ) એક પુરુષને જોયા, અને તેને ધ્યાનપૂર્વક અવલેાકયેા. વેગવતીના વદન સાથે તેની કઇક સમાનતા હેાવાથી મારા મનમાં નિશ્ચય થયા કે, “ આ દુરાત્મા માનસવેગ મારા વિનાશ કરવાને માટે મને ક્યાંક લઈ જાય છે. હું મરીશ તેા તેની સાથે જ મરીશ, પણ તેને વશ નહીં થાઉં. આમ કરીને મૂઠી વાળો ‘તારું માત આવ્યુ છે' એમ ખેલતાં મે' તેના ઉપર ઘા કર્યા, એટલે તે ( મને મૂકીને ) નાઠા. કાઇ પ્રકારના આધાર વગરના હું નીચે ગંગાના જળમાં પડ્યો. ત્યાં પરિવ્રાજકના વેશ ધારણ કરેલા કાઇ પુરુષ પાણીમાં ઊભેલા હતા, તેની ઉપર પડતાં પડતાં હું અશ્વની ઉપર બેસું તેમ ચઢી બેઠો. તે સંતુષ્ટ થઈને મને કહેવા લાગ્યા, ,, 66 તમારા દ નથી મારી વિદ્યા સિદ્ધ થઇ છે. કહા, તમે કયાંથી આવે છે ? ” મે તેને કહ્યુ, “ આકાશમાં મારા નિમિત્તે ‘ મારા-તારા ’ એમ કરીને લડતી એ યક્ષિણીએએ મને છેડી શ્વેતાં હું અહીં પડ્યો છુ. આ કયા પ્રદેશ છે તે હું જાણવા ઇચ્છું છું.” તે એલ્યેા, “ આ પ્રદેશ કણયખલદાર ( કનખલદ્વાર ) નામથી ઓળખાય છે. ” વળી તે પરિવ્રાજક-વેશધારી કહેવા લાગ્યા, “ આજ્ઞા કરો, તમને હું શું પ્રીતિદાન આપું ? હું વિદ્યાધર છું, ” મે કહ્યુ, “ જો તમે પ્રસન્ન થયા હા ! મને પણ આકાશગામિની વિદ્યા આપેા. ” તે એયા, “ જો પુરશ્ચરણ કરવા જેટલી સહનશક્તિ તમારામાં હોય તે આપણે કાઇ બીજા સ્થાનમાં જઈએ. ત્યાં તમને દીક્ષા ( મન્ત્રદીક્ષા ) આપવામાં આવે, એટલે એકાગ્રચિત્ત થઇને વિદ્યાનું સ્મરણ કરતા એસો. ’” મેં સ્વીકાર્યું કે, “ તમે આજ્ઞા આપેા, વિદ્યાને અર્થે હું સર્વ કરીશ. ” પછી તે મને ખીજા સ્થાનમાં લઇ ગયા, અને કહ્યુ, “ અહીં અનેક પ્રકારનાં વિઘ્ના ઉત્પન્ન થાય છે; સ્ત્રીરૂપધારી વિઘ્ન કરનારી દેવતાએ શૃંગારિક શબ્દોથી અને હાવભાવાથી માહ પમાડે છે. સાસિક એવા તમારે તેમની વચ્ચે તટસ્થ બની અને માનવ્રત ધારણ કરીને તે સર્વ સહન કરવું.” મે ‘ ભલે ’ એમ કહીને તે વસ્તુ સ્વીકારી, એટલે તે મને દીક્ષા આપીને ગયા. · એક દિવસ-રાત્રિ પૂરાં થશે એટલે હું તમારી પાસે આવીશ; પુરશ્ચરણુ સંપૂર્ણ થતાં વિદ્યા સિદ્ધ થશે એમાં સ ંદેહ નથી' એ પ્રમાણે કહીને તે ગયા. હું પણ તે કાર્ય માં (વિદ્યાના જાપમાં ) સમય ગાળવા લાગ્યા. . સંધ્યાકાળે નૂપુર અને કટિમેખલાના શ્રવણને સુખ આપનાર શબ્દ કરતી, ઉલ્કાની જેમ દીપતી, તથા નયનાને લેાભાવનારા હાવભાવ દર્શાવતી કેાઇ યુવતી પ્રદક્ષિણા કરીને મારી સામે આવી ઊભી રહી. વિસ્મિત થયેલા હું જોવા લાગ્યા કે, “ જેણે મહામૂલ્યવાન Page #354 -------------------------------------------------------------------------- ________________ મદનગા લંભક [ ર૯ ] આભરણ અને વસ્ત્ર ધારણ કર્યા છે એવી આ કઈ દેવતા હશે કે માનવ સ્ત્રી હશે? અથવા નવી ચંદ્રલેખાની જેમ લોચનને વિશ્રામ આપનાર આ યુવતી ઉપાધ્યાયે કહ્યું હતું તે વિશ્વ જ હશે ?” વળી હું વિચાર કરવા લાગ્યું, “આવી આકૃતિ અશુભ વ્યક્તિની (કે અશુભને માટે–અશુભકારી ) હોતી નથી. અથવા પુરશ્ચરણથી સંતુષ્ટ થયેલી વિદ્યાભગવતી અહીં આવી હશે.” આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં તે હાથ જોડી પ્રણામ કરીને મને કહેવા લાગી, “દેવ! તમારા વડે અપાયેલો વરમેક્ષ હું ઈચ્છું છું ( અર્થાત તમે વરદાન આપીને મને મુક્ત કરે.)” મેં વિચાર્યું, “જેની પાસે વરદાન માગવું જોઈએ તે જ મને વિનંતી કરે છે (વરદાન માગે છે). ખરેખર આ (વિદ્યા) સિદ્ધ થઈ છે. તેને હું વર આપું.” પછી મેં તેને કહ્યું, “ભલે, તને (વર) આપું છું.” પછી સન્તુષ્ટ અને પ્રસન્ન મુખવાળી એવી તેણે મને ઉપાડ્યો, અને આકાશમાર્ગે મને લઈ જવા લાગી. એક ક્ષણવારમાં તે ઔષધિવડે જેને શિખરભાગ જાજવલ્યમાન હતું એવા પર્વતના રાન જેવા એક શિખરભાગમાં તે મને લાવી. પુષ્પના ભારથી જેની શાખાઓ નમેલી છે એવા અશોકવૃક્ષની નીચે એક સપાટ શિલાતલ ઉપર મને બેસાડીને “ચિન્તા ન કરશો.” એમ કહીને તે ગઈ. થોડીક વાર પછી યુવાન અને રૂપાળા બે પુરુષો ત્યાં આવ્યા અને પિતાનાં નામ જણાવીને તેમણે મને પ્રણામ કર્યા. એક બે, “હું દધિમુખ છું.” બીજે બે, “હું ચંડવેગ છું.” ક્ષણવારમાં ઉપાધ્યાય આવ્યો, અને તે પણ “હું દંડવેગ છું” એમ કહીને મારા ચરણમાં પડ્યો. (તેઓએ આણેલાં) વિવિધ આભરની કાન્તિથી છવાયેલા દેહવાગે હું ગન્ધર્વ કુમારની જેમ શોભવા લાગ્યા. સન્તુષ્ટ થયેલા તેઓએ મને પર્વત ઉપર ચઢાવ્યું. ત્યાં સેંકડો ભવનાથી યુક્ત અને ફરકતી દવાઓવાળું એક નગર હતું. હું રાજભવનમાં પ્રવેશ્યા. ત્યાં મારી અર્થપૂજા કર્યા બાદ મંગલદ્રવ્યોથી મને સ્નાન કરાવવામાં આવ્યું. ઉત્તમ વસ્ત્રો પહેરીને હું અત્યંત સ્વાદિષ્ટ ભેજન જમે. જેના ઉપર પટ્ટલિકાનો ઓછાડ હતે એવા શયન ઉપર હું બેઠો ને સુખપૂર્વક ઉછે. મદનગાનું પાણિગ્રહણ પ્રભાત થતાં મારું વરપરિકર્મ કરવામાં આવ્યું. પ્રસન્ન થએલા દધિમુખે મદનનાં બાનું નિવારણ કરનાર મદનગાનું ઉત્તમ મુહૂર્તમાં મારી સાથે વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. અમને બત્રીસ કરોડ ધન, પુષ્કળ વઆભરણુ, કુશળ શિલ્પીઓએ બનાવેલાં અને મનુષ્યલોકમાં દુર્લભ વિવિધ શયન, આસન અને પાત્રો, તથા સેવાકાર્યમાં કુશળ પરિચારિકાઓ આપવામાં આવી. દેવાંગના સહિત દેવકુમારની જેમ તે રૂપવતી અને ગુણવતીની સાથે હું ભેગ ભેગવવા લાગ્યા. એક વાર મને સુખપૂર્વક બેઠેલો અને પ્રસન્ન જાણીને દધિમુખ કહેવા લાગ્યા, “સ્વામી મદનગાએ તમારી પાસે વરમોક્ષની યાચના કરી હતી તેનો અર્થ સાંભળે– Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પશ્રીને વૃત્તાન્ત આ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં અરિંજયપુર નામનું અમરાપુરી જેવું નગર છે. ત્યાં પિતા અને પિતામહની પરંપરાથી ઊતરી આવેલી રાજ્યલક્ષમીનું પાલન કરતા અને જળભરેલા મેઘના જેવા નાદવાળો મેઘનાદ નામે રાજા હતો. તેની શ્રીકાન્તા નામે મહાદેવી શ્રી જેવા કાન્ત રૂપવાળી હતી. તેમની પુત્રી પદ્મશ્રી નામે હતી. તે યૌવનમાં આવતાં રૂપવતી તરીકે વિદ્યાધરોમાં પ્રસિદ્ધ થઈ. તે સમયે દિવિતિલક નગરમાં વિદ્યાબળ વડે સમર્થ એ જ પાણિ નામે રાજા હતે. મેઘનાદે દેવિલ નામે નૈમિત્તિકને પૂછયું કે, “પદ્મશ્રી કન્યા કયા રાજાને આપવી?” આ પ્રમાણે પ્રશ્ન થતાં તે નૈમિત્તિકે જેઈને ફલાદેશ આપે કે, “આ રાજકન્યા ચક્રવતીની માનીતી રાણું થશે.” કોઈ એકવાર વજી પાણિએ મેઘનાદ પાસે માગણી કરી, “મને કન્યા આપ, તેથી તારું શુભ થશે.” પણ આદેશના બળને લીધે મેઘનાદે કન્યા આપી નહીં. “આ ચક્રવતી નથી, માટે તેને કન્યા નહીં આપું” એ પ્રમાણે માનતા મેઘનાદને બળવાન વાપાણિએ હેરાન કર્યો. તેના વડે યુદ્ધમાં પરાજિત થયેલે મેઘનાદ પિતાના સૈન્ય અને વાહન સહિત તથા સગાંસંબંધીઓ સાથે ત્યાંથી નીકળીને આ પર્વતમાં આવ્યું, અને આ દુર્ગના બળથી કેટલાક કાળ થયાં સપરિવાર રહે છે. વૈતાલ્યની દક્ષિણ શ્રેણિમાં બહુકેતુમંડિત નામે નગર છે. ત્યાં વીરબાહુ નામે રાજા હતો. તેની સુમના નામે મહાદેવી હતી. તે રાણીના ચાર પુત્રો હતા-અનંતવીર્ય, ચિત્રવીર્ય, વીરધ્વજ અને વીરદત્ત. પછી તે રાજાએ હરિચંદ્ર (અણગાર) પાસે ધર્મ સાંભળે; જેમકે –“અનાદિ પ્રવાહવાળા કર્મની શંખલામાં જકડાએલા અને રાગદ્વેષને વશ પડેલા જીવો જન્મમરણથી ભરપૂર એવા ચતુર્વિધ સંસારને પામે છે. કર્મની લઘુતાથી કર્ણાચર થયેલ, સર્વને આનંદ આપનાર એવા અરિહંતના વચન ઉપર રુચિ કરીને વૈરાગ્યના માર્ગ ઉપર ચઢીને, દિગ્ગજ જેમ કમલતંતુનું બંધન તેડી નાખે તેમ વિષ વડે બનેલું નેહબંધન તોડીને, આસવને રોકીને, સંયમ, તપ અને દેહદમનને વિષે પ્રયત્ન કરીને, તથા પ્રશસ્ત ધ્યાનરૂપ સૂર્ય વડે આવરણ (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ), વિન (અંતરાય કર્મ ) અને તિમિર (મોહનીય કર્મ) રૂપી અંધકારને નાશ કરીને જેમને સર્વ ભાવો પ્રત્યક્ષ થયા છે (કેવલજ્ઞાન થયું છે) એવા તે જીવે શાશ્વત સુખના ભાગી થાય છે અને સંસારરૂપી વનમાંથી બહાર નીકળે છે.” આ પ્રમાણે સાંભળીને જેને પ્રવજ્યા લેવાની ઈચ્છા થઈ છે એવા વિરબાહ રાજાએ અનંતવીર્ય આદિ પુત્રને રાજ્ય સ્વીકારવાનું કહ્યું. પણ (રાજ્યને નહીં સ્વીકારવા માટે) નિશ્ચિત એવા તેઓએ તેને કહ્યું, “અમારે રાજ્યનું કામ નથી; અમે તમારી સાથે દીક્ષા લઈશું.” પછી Page #356 -------------------------------------------------------------------------- ________________ - -- --- -- - -- - -- - --- મદનગા સંભક ~~~ ~ ~ ~~~~~~~~ [ ૩૦૧] ~~~ વીરબાહુએ યશોમતી રાણીના પુત્ર વીરસેનને રાજ્ય આપીને ( અનંતવીર્ય આદિ ચાર ) પુત્ર સહિત દીક્ષા લીધી, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવો તે તપ કરવા લાગ્યો. પછી જેનાં શુભાશુભ કર્મનાં બંધને છૂટી ગયાં છે એવા તે વીરબાહુ અણગાર કેટલેક કાળે નિર્વાણ પામ્યા. જેમણે સૂત્ર અને અર્થનું પરિશીલન કર્યું છે એવા બીજા ચાર અણગારે વિષયસુખની આકાંક્ષા વગર વિહરતા આ અમૃતધાર પર્વત ઉપર આવ્યા, અને સ્થિર બુદ્ધિવાળા તેઓ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા. રાત્રિએ ધર્મ અને શુકલધ્યાનમાં પરાયણ રહેલા તેઓ પૈકી અનુક્રમે પહેલા (અનંતવીય) જેઓ એકવઅવિચારી ધ્યાન વટાવી ગયા હતા, પણ સૂમક્રિયાને પ્રાપ્ત થયા નહોતા તેમને મોહનીય, આવરણીય (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય) અને અંતરાય કર્મને (એ રીતે ચાર ઘાતી કર્મન) ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું શુકલધ્યાનમાં રહેલા બીજા (ચિત્રવીર્ય)ને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; સવિતર્કવિચાર નામે પહેલા શુકલધ્યાનમાં રહેલા ત્રીજા (વીરધ્વજ)ને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને ધ્યાનભૂમિમાં રહેલા ચોથા (વીરદત્ત)ને પ્રથમ ગણધરની જેમ પદાનુસારી લબ્ધિ પેદા થઈ. પાસે રહેલા દેવોએ તેમને મહિમા કર્યો. તે દેવદ્યોતને જોત અને દિવ્ય સૂર્યનાદને સાંભળતે મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામીને સર્વ જનોની સાથે તે મુનિઓને વંદન કરવાને ગયે. તપલક્ષમી વડે દીપતા અને જેમાં સારી રીતે હોમ કરવામાં આવ્યા છે એવા અગ્નિની માફક પ્રકાશતા તે મુનિઓને તે જોયા. પછી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તે બેઠે. પછી કેવલી તે દેવ-મનુષ્યોને રોગ્ય તીર્થંકરપ્રણીત ચાતુર્યામ ધર્મ કહેવા લાગ્યા તથા આ ભવના અને પરભવના સંશય દૂર કરવા લાગ્યા. જે વસ્તુ હજાર અથવા કરોડ જન્મ પૂર્વે બનેલી હોય, તે સમયે જેનું જે નામ અને જેવા ગુણ હોય, જે આયુષ્ય અને ચારિત્ર્ય હાય-વધારે શું કહેવું ?–અતીત કાળમાં જેણે જે વસ્તુનું સેવન કર્યું હોય અને અનાગત–ભવિષ્ય કાળમાં જેને જે વસ્તુ પ્રાપ્ત થવાની હોય તે સર્વ કેવલી કહેવા લાગ્યા. પછી કથાન્તરમાં મેઘનાદે કેવલીને વંદન કરીને પૂછ્યું, “ભગવાન ! મારી પુત્રી પદ્મશ્રી ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થશે એ આદેશ નૈમિત્તિક આપે છે, તે તેણે પૂર્વભવમાં એવું શું આચર્યું છે જેથી એ પ્રધાનપુરુષ-ચક્રવતીની ભાર્યા તથા સર્વ સ્ત્રીઓમાં વિશિષ્ટ થશે ?” એટલે કેવલીએ કહ્યું, “ સાંભળપશ્રીના પૂર્વભવ મથુરા નગરીની નજદીક આવેલ શૂરસેન જનપદમાં સુદિત સંનિવેશમાં સોમ નામે બ્રાહ્મણ હતું. તેની વસુમતી ભાર્યા હતી. આજથી ચોથા ભવમાં આ પદ્મશ્રી તેમની અંજનસેના નામે પુત્રી હતી. તે અંજનસેના દુર્ભગનામકમાદયને કારણે મંદ રૂપવાળી, Page #357 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ખરછટ અને પીળા કેશવાળી, સહેજ માંજરી આંખાવાળી, અધાવિષમ દાંતવાળી ( જેના નીચલા દાંત ઉપરના દાંતની ઉપર રહેતા હાય તેવી ), તથા કર્કશ આકૃતિવાળી હતી. તે યુવાવસ્થામાં આવી, પણ કેાઇ તેને વતુ નહેાતું; કેાઇ પુરુષને આપવામાં આવે તે પણુ તે તેને ઇચ્છતા નહાતા. પછી ભાગાંતરાયના પ્રતિબંધથી અને દુર્ભાગ નામકર્મના ઉદ્દયથી સને અનિષ્ટ એવી તે અજનસેના, જેના નિતંબ અને સ્તન પડી ગયા છે એવી વૃદ્ધકુમારી થઇ. એવી સ્થિતિમાં કેટલાક કાળ ગાળીને તે સ્થિતિના નિવેદથી તેણે પરિત્રાજિકાની દીક્ષા લીધી. ત્રિૠંડ અને કુંડિકાને ધારણ કરનારી અને જેણે સાંખ્ય તથા યાગમાં પ્રવેશ કર્યાં છે એવી તે ગામ, નગર અને જનપદોમાં વિહાર કરતી કેટલેક કાળે મથુરામાં આવી. ત્યાં સાગરદત્ત સાવાહની ભાર્યા મિત્રશ્રી નામે હતી. તેને નાગસેન નામે વિકપુત્ર ઇચ્છતા હતા, પણ સમાગમના કોઇ ઉપાય તેને મળતા નહાતા. તેણે અંજનસેનાને ફરતી જોઈ. શેાભીતાં વસ્ત્રોના દાનવડે તે અંજનસેનાની સેવા કરવા લાગ્યા. એટલે સન્તુષ્ટ થયેલી તે ખાલી, “મારે સ્વાધીન જે કાર્ય હાય તે વિશ્વાસપૂર્વક કહે, તારું' તે કાર્ય સિદ્ધ જ થયુ છે એમ માન. ” પછી તે નાગસેને ‘એમ થાએ' એમ કહીને પેાતાના અભિપ્રાય પાળ્યે, અને અંજનસેના જે જે ઇચ્છે તે તે તેને આપવા લાગ્યા. આંજનસેનાએ જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને જ્યારે સાર્થવાહ સાગરદત્ત પ્રવાસે ગયા ત્યારે નાગસેને અંજનસેનાને કહ્યું, “ તમારા ચરણની કૃપાથી સાગરદત્તની ભાર્યા મિત્રશ્રીને હું પ્રાપ્ત કરીશ. ” તે ખેાલી, “ તારે માટે હું પ્રયત્ન કરીશ. ” પછી અંજનસેના મિત્રશ્રીને ઘેર ગઇ. મિત્રશ્રીએ તેને નમન કર્યું. પછી જનસેના પાણીથી સાફ કરેલા આસન ઉપર બેઠી, તી કથાઓ કહેવા લાગી અને દેશિવદેશના માણુસાનુ વર્ણન કરવા લાગી. તેણે મિત્રશ્રીને પૂછ્યું, “ પુત્રિ ! તું દુખ`લ અને મેલા શરીરવાળી તથા અલંકાર અને ભૂષણ વિનાની બનીને કેમ બેઠી છે ? ” તે મેલી, “ સાવાર્હ પ્રવાસમાં છે; તેમનાથી વિયેાગી દશામાં મારે શરીરસંસ્કારનું શું કામ છે ? ” જનસેનાએ કહ્યું, “ શરીરના સ્નાનાદિવડે સંસ્કાર કરવા જોઈએ. શરીરમાં જે દેવતાઓના વાસ છે તેમની તેથી પૂજા થાય છે. ” પછી તે સ્નાનશીલા (પરિવ્રાજિકા) સુગંધી પદાર્થ અને સુગધી પુષ્પા લાવવા માંડી અને મિત્રશ્રીને કહેવા લાગી કે, “ આ મેં મેળવ્યાં છે અને તારે માટે આણ્યાં છે. ” પણ મિત્રશ્રી તે ઇચ્છતી નહેાતી. એટલે અજનસેના કહેવા લાગી, “ આ તા દેવતાના નૈવેદ્ય તરીકે વાપરેલાં છે, માટે આ ઇન્દ્રિયગ્રાહ્ય દ્રબ્યા ઉપભાગ કરવા લાયક છે. ભૂતકાળની વાતાની શાચ કરવા ન જોઇએ, આપણે તેા ભવિષ્યની વાતના વિચાર કરવા જોઇએ. પુરુષ ગુણધર્મો છે (અર્થાત્ ગુણેાથી ભિન્ન એવું આત્માનુ અસ્તિત્વ નથી);૧ ઢશ્ય પદાર્થો માત્ર નિમિત્તભૂત છે. ” આમ કહીને અ ંજનસેનાએ પેાતે મિત્રશ્રીને સુંગધી પદાર્થીનું લેપન કર્યું" અને કુસુમેાની માળા પહેરાવી. જ્યારે બન્ને વચ્ચે વિશ્વાસ પેદા થયા ત્યારે અંજન' આ જ અર્થ સંબદ્ધ છે, કારણ કે ચેાડીક પંક્તિએ પછી પણ અ'જનસેના આત્માના અસ્તિત્વના ઇન્કાર કરે છે, ' Page #358 -------------------------------------------------------------------------- ________________ મદનવેગા લંભક [ ૩૦૩ ] સેનાએ મિત્રશ્રીને એકાન્તમાં કહ્યું, “ તારા જે હૃદયને રુચતા પુરુષ હાય તેની સાથે યૌવન માણ; તારે વનલતાની જેમ ઉપલેાગ સિવાય રહેવુ જોઇએ નહીં. ” મિત્રશ્રી ખેાલી, “ માતા ! પરપુરુષની ઇચ્છા કરવાથી સ્ત્રી પાપકમી કહેવાય છે; તેા પછી તમે આ વસ્તુની શી રીતે પ્રશસા કરી છે? ' એટલે અંજનસેના કહેવા લાગી, “ એમાં કોઇ દોષ નથી, કારણ કે આત્માનું અસ્તિત્વ નથી. એવા કેણુ પંડિત છે, જેણે આ માર્ગોમાં ગતિ કરી નહીં હૈાય ? માટે શરીર એ ભાગનું નિમિત્ત છે; શરીરને નાશ થતાં કાણુ પરભવમાં જનાર કાણુ છે ? માટે મૂઢ ન થઇશ ” એટલે મિત્રશ્રી એલી, “ મારી પ્રતિષ્ઠાનું પણ રક્ષણ થવું જોઇએ. '' અંજનસેનાએ કહ્યું, “ એ ખાખતમાં તુ નિશ્ચિન્ત રહેજે. આ નગરમાં નાગસેન નામના રૂપસ્વી, સમય અને કલાકુશળ યુવાન છે. કાઇ ન જાણે તેવી રીતે તેને તારા ઘરમાં લાવીશ અને પાછા બહાર મોકલીશ. ” આ પ્રમાણે તે અજનસેનાએ દેવતાના નૈવેદ્યના બહાને મિત્રશ્રીને ગધ અને રસમાં આસક્ત બનાવી. તે વારંવાર નાગસેનને મિત્રશ્રી પાસે લાવતી, અને નિપુણ રીતે પાછા બહાર લઈ જતી. ** એક વાર રાજપુરુષાએ નાગસેન પ્રત્યેની ઇર્ષ્યાથી આ વસ્તુ જાણી. તેમણે તેને પકડ્યો અને રાજા આગળ રજુ કર્યા. અજનસેનાની ચેષ્ટા પણ જાણવામાં આવી. રાજાએ કહ્યું, “ મારે વણિકાની સ્રીએના ચારિત્ર્યનું રક્ષણ કરવુ જોઇએ, કારણ કે સાર્થ વાહે દેશાન્તરામાં અને સમુદ્રામાં પ્રવાસ કરતા હૈાય છે. આ નાગસેને મર્યાદાનું ઉલ્લંધન કર્યું છે, માટે તેનેા વધ કરવા જોઇએ. પરિવ્રાજિકા (અંજનસેના) સ્રી હેાવાથી તેને નાક-કાન કાપીને હાંકી મૂકવી જોઇએ.” પછી નાગસેનને શૂળીએ ચડાબ્યા. તે (નાક--કાન કાપેલી) અવસ્થામા રહેલી પેલી અંજનસેના પણ ગંગાતીરે આવેલા કણમલદારમાં ઘાર અનશન કરીને મરણ પામી અને આમલકટક નગરમાં મહાસેન રાજાની સુમતા નામે દેવીથી જન્મેલી સુષેણા નામે પુત્રી થઇ. સનકુમાર ચક્રવર્તીના વૃત્તાન્ત તે સમયમાં હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજાની સહદેવી નામે રાણીને પુત્ર સનકુમાર નામે હતા. તેના પચાસ હજાર વર્ષ જેટલા કુમારકાળ હતા. પછી એટલા જ સમય સુધી તે માંડલિક રાજા હતા. એક હજાર વર્ષમાં તેણે ભરતક્ષેત્ર ઉપર વિજય કર્યો; અને એક લાખ વર્ષ સુધી ચક્રવતીના ભાગે ભાગન્યા. પેલી સુષેણા રાજકન્યા યુવાવસ્થામાં આવી, એટલે માતાપિતાએ તેને સનકુમારને આપી, પણ તે પૂર્વભવમાં કરેલા ચારિત્ર્યભંગના હેતુ વડે કરીને થયેલા દુર્સીંગ નામકર્મના ઉદયથી ચક્રવતીની અણુમાનીતી થઇ. મનુષ્યલેાકમાં આશ્ચર્ય રૂપ તે રાજાનુ રૂપ જોતી, શ્રવણમનેાહર તેનું વચન સાંભળતી, અને પેાતાના રૂપયૌવનના ગુણૢાને નિવ્રુતી તથા ‘નિ:શંકપણે મારી દુઃશીલતાનું આ ફળ છે ’ એ પ્રમાણે સ્મરણ કરતી તે કાળ વીતાવવા લાગી. Page #359 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : એ પ્રમાણે સમય વિતતાં કે એક વાર પ્રશસ્ત રૂપવાળા બે બ્રાહ્મણે (રાજભવન આગળ) આવીને દ્વારપાલને કહેવા લાગ્યા, “રાજાના રૂપથી (રૂપ વિષે સાંભળીને) આશ્ચર્ય પામેલા અને ઈર્ષાળુ બનેલા અમે તેને જોવા માટે આવ્યા છીએ.” તે જ સમયે સનકુમાર શરીર ઉપર તિલાવ્યંગ કરાવીને વ્યાયામશાળામાં બેઠો હતો. પછી તે બ્રાહ્મણેએ પ્રતિહારને પ્રેર્યો. એટલે તેણે રાજાને આ વાત જણાવી. જેની પાસે જવાનું કાર્ય સુગમ છે એવો તે રાજા કહેવા લાગ્યા, “ એમને ઉતાવળ હોય તે પ્રવેશ કરાવ.” પછી તે બ્રાહ્મણેએ અંદર પ્રવેશીને યાશીષ આપી, અને રાજાને જોઈને અત્યંત સંતુષ્ટ થયેલા તેઓ બોલ્યા, “ જેવો તમારો રૂપતિશય અમે સાંભળ્યું હતું તેવો જ છે.” રાજાએ તેમને કહ્યું, “ કહે, અહીં આવવાનું શું પ્રજન હતું?” તેઓ બેલ્યા, “કંઈ પ્રયેાજન નથી, કેવળ તમારી રૂપલક્ષમી જેવાને માટે જ અમે આવ્યા છીએ.” રાજાએ કહ્યું “ જે એમ હોય તો, મારી રૂપલક્ષમી કેવી છે? તમારી જે ઈચ્છા હોય તો હું સ્નાન અને અલંકાર ધારણ કરું ત્યાર પછી મને જેજે.તેઓએ એ વસ્તુ સ્વીકારી અને બહાર નીકળ્યા. રાજા પણ અનુક્રમે સ્નાન કરીને જમે, તથા સારા અલંકાર પહેર્યા. પછી તેણે બ્રાહ્મણને સંભાર્યા. તેઓ આવ્યા, અને રાજાને એ અવસ્થામાં જોઈ વિષાદ પામીને કહેવા લાગ્યા, “ ખરેખર, દુઃખની વાત છે કે એક ક્ષણમાં પણ આટલે ક્ષય થાય છે! ધિક્કાર છે અનિત્યતાને કે જે વડે નહીં સ્પર્શાયેલું એવું કેઈ સ્થાન નથી !” રાજાએ તે બ્રાહ્મણને પૂછયું, “કેમ આવું બોલે છે “હા! અનિત્ય!” એવું શાથી ઉચ્ચારે છો? શેનો ક્ષય? શા કારણથી તમે ખિન્ન થયા છે?” એટલે તેઓ કહેવા લાગ્યા “ સાંભળો, રાજા! અમે શક્રરાજાના સામાનિક દે છીએ. એક વાર ઈન્દ્ર તમારા રૂપની પ્રશંસા કરી કે–અહો ! સનસ્કુમાર રાજાની રૂપશ્રી અદ્દભુત હોઈ મનુખેલકમાં દુર્લભ છે, એટલું જ નહીં પણ કેટલાક દેવને માટે પણ પ્રાર્થનીય છે.” આથી કુતૂહલથી અમે તમને જોવાને માટે આવ્યા. સવારમાં તમારી જે સ્વાભાવિક રૂપલક્ષ્મી હતી તે અત્યારે અત્યંત અલંકૃત હોવા છતાં ક્ષીણ થયેલી છે. આથી અમે ખેદ પામ્યા.” રાજાએ તેમને પૂછયું, “એટલા જ સમયમાં રૂપશાભા શી રીતે ક્ષીણ થાય?” તેઓ કહેવા લાગ્યા “રાજન ! શરીરની જે રચના હોય છે, અંગોપાંગની જે નિષ્પત્તિ હેય છે તથા પ્રાણીને જે સુભગતા, સુસ્વરતા, આદેયતા અને લાવણ્ય પ્રાપ્ત થાય છે તે નામકર્મનો વિષય છે. ઔદારિક અને ક્રિય શરીરની સાથે સંબંધ પામીને ઉદયમાં આવેલી તથા પ્રતિસમય અનુક્રમે ક્ષીણ થતી એ વસ્તુને (સુભગતા આદિને ) ચર્મચક્ષુ જોઇ શકતું નથી, પણ અમે દિવ્ય અવધિજ્ઞાનથી તે (ક્ષીણતા) જોઈને વિષાદ પામ્યા. એ જ પ્રમાણે સમય, ક્ષણ, લવ, મુહૂર્ત અને દિનના ક્રમથી આયુષ્ય ક્ષીણ થાય છે.” આવું દેવવચન સાંભળીને સનકુમાર કહેવા લાગ્યા, “જે રિદ્ધિ આવી અનિત્ય છે, તો પરલોકના (કલ્યાણ) માટે સમર્થ એવી વસ્તુની હું સાધના કરીશ; માટે હું વિષયમાં વૈરાગ્ય કરીશ, અને તપ તથા સંયમમાં Page #360 -------------------------------------------------------------------------- ________________ મદનવેગા લંભક [ ૩૦૫ ] ઉદ્યોગ કરીશ. ” આ પ્રમાણે ખેલતા તેને દેવા કહેવા લાગ્યા, સુપુરુષ ! તમારા કુલમાં ભરત અને સગર એ એ ચક્રવતી પૂર્વ પુરુષાએ ભારતવર્ષ ના ત્યાગ કરીને નિરપેક્ષપણે દીક્ષા લીધી હતી, અને કર્મીને ખપાવીને તે નિર્વાણ પામ્યા હતા. તૃતીય ચક્રવતી મઘવન્ પણ એ જ પ્રમાણે આરંભ અને પરિગ્રહના ત્યાગ કરીને, તથા નિધિએ અને રત્નાના વિષયમાં તૃષ્ણા મૂકી દઈને શ્રામણ્ય પાળી દેવલેાકમાં ગયા છે. માટે તમે વૈરાગ્યમાર્ગ ઉપર આવીને ધીર પુરુષાએ ઉપદેશેલું તપ કરી. ' આ પ્રમાણે ખેલતા દેવા પ્રણામ કરીને ગયા. રાજા સનત્કુમાર પણ પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કરીને તથા, વસ્રના છેડા ઉપર વળગેલા તૃણુની જેમ, ભારતવષઁના ( ભારતવર્ષના રાજ્યના ) ત્યાગ કરીને શ્રમણુ થયા. સ્ત્રીરત્ન સિવાયનાં ખીજા રત્ના વડે છ માસ સુધી સેવાયેલા અને શરદકાળના આકાશ જેવા નિર્મળ હૃદયવાળા તે રત્નામાં આસક્ત ન થયા ત્યારે એ રત્ના પ્રણામ કરીને ગયાં. સૂત્ર અને અંનું જ્ઞાન મેળવીને એ ભગવાન એક લાખ વર્ષ સુધી વિચર્યાં. તેમના શરીરમાં રાગેા ઉત્પન્ન થયા જેવા કે—કાસ ( ખાંસી ), શ્વાસ, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, કંડૂ ( ખરજ ), પ્રરાહ ( હરસ ? ). અપિત માનસવાળા તે ભગવાન એ પીડાને સમ્યક્ પ્રકારે સહન કરવા લાગ્યા. 66 પછી એક વાર દેવરાજ શક પુરુષનું રૂપ ધારણ કરીને ‘હું ચિકિત્સક છું ’ એમ કહી વંદન કરીને તેમને કહેવા લાગ્યા, “ ભગવન્ ! અસમાધિકારક આ ઘણા વ્યાધિ આપને થયા છે તેા સંયમના વિરાધ ન થાય તેવી રીતે હુ ચિકિત્સા કરું; મને અનુજ્ઞા આપા ” એટલે તેમણે કહ્યુ, “ તારા વડે નાશ કરાયેલા એ વ્યાધિ આ ભવે અથવા પરભવે નહીં થાય ? ” શટ્ટે કહ્યું, “ આ વ્યાધિઆના કારણરૂપે પૂર્વીકૃત કર્મો હાય છે, તેથી જ્યાં સુધી એ કર્મો કાયમ હાય ત્યાં સુધી કદાચિત્ ફરી વાર પણ તે ઉત્પન્ન થાય. હું તા અત્યારે નાશ કરું. ” પછી ભગવાન સનત્કુમારે ખેલૌષધિ ( ચૂક ) વડે શરીરના એક ભાગ ચાપડ્યો અને ઘસ્યા, એટલે તે ભાગ સ્વાભાવિક થઇ ગયા. વૈદ્યરૂપધારી ઇન્દ્રને આ બતાવીને તેમણે કહ્યું, “ શ્રાવક ! તું આમ કરી શકે છે? ઇન્દ્ર બેન્ચેા, ભગવન્! જેવી આપની તપ;શ્રી છે એવી મારી શક્તિ નથી, પણ રાગને હું નાશ કરું. ” પછી અવિસ્મિત એવા ભગવાન સનત્કુમારે કહ્યું, “ શ્રાવક ! એક વાર દૂર કરવામાં આવેલે મારા રેગ કર્માનુભાવને પ્રાપ્ત કરીને જો ફરી વાર ઉત્પન્ન થાય, અને પૂર્વે જેવી સ્થિતિ "2 ૧ ચક્રવર્તી જ્યારે દીક્ષા લે છે ત્યારે સ્રીરત્ન સિવાયનાં તેર રત્ન અને નવ વિધિએ તેની પાછળ પાછળ જાય છે, અને ચક્રવર્તી તેમની તરફ છ માસ સુધી સિંહવિલેાતિપણે પણ શ્વેતા નથી ત્યારે તે નિરાશ થઈ ચાલ્યાં જાય છે. ૩૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૩૦૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : હતી તેવી પાછી લાવવાને તું જે સમર્થ ન હોય, તે હે ભાઈ! પરિશ્રમ બસ કર. મેં ભક્તિ કરી, અને તેને નિર્જરા પ્રાપ્ત થઈ. આ વ્યાધિસમૂહની ચિકિત્સા મેં જિનેપદિષ્ટ એવાં તપ-સંયમરૂપી ઔષધવડે આરંભી છે, જેથી એ વ્યાધિઓ ફરી ઉત્પન્ન જ ન થાય.” પછી સંતુષ્ટ થયેલા ઈન્ડે પિતાનું રૂપ દર્શાવ્યું, તથા ભગવાનને અભિનંદન તથા વંદન કરીને તે પિતાને સ્થાને ગયે. તે ભગવાન સનકુમારે સાતસો વર્ષ સુધી રેગપરીષહને સહન કર્યો. પછી સમાધિથી કાલધર્મ પામીને તે સનસ્કુમાર-ક૫માં ઈન્દ્ર થયા. સનકુમારમાં અવિચ્છિન્ન પ્રેમરાગવાળી પેલી સુષેણ પણ ઘણુ સમય સુધી શ્રમણ્ય પાળને કાળધર્મ પામી. સધર્મ ક૯૫માં દિવ્ય સુખ અનુભવ્યા પછી અવીને, હે મેઘનાદ! તે તારી પુત્રી તરીકે જન્મી છે, જે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થશે.” સુભૂમ ચક્રવર્તીને વૃત્તાન્ત ફરી પાછું મેઘનાદે કેવલીને પૂછયું, “ભગવદ્ ! તે ( મારી પુત્રીને થનાર પતિચક્રવતી ) ક્યાં છે?” ત્યારે કેવલીએ કહ્યું, “હસ્તિનાપુરમાં કાર્તવીર્ય નામે રાજા હતો. તેની મહાદેવી તારાને સુભૂમ નામે પુત્ર કોશિક ઋષિના આશ્રમમાં મોટે થાય છે. દેવી તારા તેમજ મહરિ અને શાંડિલ્ય(નામના મંત્રીઓ)વડે પાલન કરાતે તે સુખપૂર્વક વસે છે. મેઘનાદે પૂછયું, “કયા કારણથી તેને આશ્રમપદમાં લાવવામાં આવ્યો છે? અને કોણ લાવ્યું છે?” ત્યારે કેવલી વેરના કારણની ઉત્પત્તિ કહેવા લાગ્યા, “સાંભળ રાજા! જમદગ્નિ અને પરશુરામને વૃત્તાન્ત દક્ષિણાઈભરતમાં વારાણસી નામે નગરી છે. ત્યાં અગ્નિશિખર નામે રાજા હતા, અને તેની સંઘમતી નામે દેવી હતી. તેને કુમાર જો . તે સમયે બે નૈમિત્તિકોને પૂછવામાં આવ્યું, “કુમારનું જન્મનક્ષત્ર કહો.” એટલે તેમાંનો એક કહેવા લાગ્યા, “અત્યારે ભરણી નક્ષત્રની સમાપ્તિ થાય છે.” બીજાએ કહ્યું, “કૃત્તિકાનું આવાગમન થાય છે.” આ બનેનો વિચાર કરીને તેમજ બન્નેને સ્વીકાર કરીને કુમારનું જમદગ્નિ એવું નામ પાડવામાં આવ્યું, કેમકે ભરણને દેવ યમ છે અને કૃત્તિકાને દેવ અગ્નિ છે. આ પ્રમાણે તે કુમાર ઉછરવા લાગ્યા. અનુક્રમે યૌવનમાં આવતાં તેણે ચંદનવનમાં તાપસ તરીકે દીક્ષા લીધી, તથા સૂકાઈને પીળાં થઈ નીચે પડેલાં પુષ્પ-ફળને આહાર કરતો અને પંચાગ્નિ તાપનાથી પિતાની જાતને ભાવતો તે હજારો વર્ષ સુધી વિહર્યો. તે કાળમાં વારાણસીમાં ધવંતરિ અને વૈશ્વાનર એ બે સાર્થવાહ હતા. તેમાં ધવંતરિ શ્રમણોપાસક હતા. વૈશ્વાનર તાપસભક્ત હતો અને તેને મિત્ર હતો. ધવંતરિ Page #362 -------------------------------------------------------------------------- ________________ મદનવેગા લભક [ ૩૦૭ ] ઘણી વાર વૈશ્વાનરને વિનંતી કરતા, “ વૈશ્વાનર ! જિનમતના સ્વીકાર કર. "" પણ તેમાં શ્રદ્ધા નહીં રાખતા એવા તે પોતે સ્વીકારેલેા તાપસધમ પાળી, પેાતાની જાતને ખપા વીને ( મરણ પામી ) વૈતાઢ્ય પર્વતમાં સામ નામે લેાકપાલના આભિયાગિક ( કિંકર દેવ ) તરીકે સામરાજિક દેવરૂપે ઉત્પન્ન થયા. જેણે જીવ અને અજીવનું સ્વરૂપ જાણ્યુ છે એવા ધન્વંતરિ માર પ્રકારના શ્રાવકધમ તથા ઉપાસકની અગીઆર પ્રતિમાએ પાળીને કાળ કરીને અશ્રુત કલ્પમાં દેવ થયા. નંદીશ્વર દ્વીપમાં થયેલા મહેાત્સવમાં તે બન્નેને સમાગમ થયા. વિપુલ અવધિજ્ઞાની તે અચ્યુતદેવ વૈશ્વાનર દેવને જોઈને મિત્રભાવને અનુસરતા કહેવા લાગ્યા, “ હું વૈશ્વાનર ! મને એળખે છે? ” એટલે તે એલ્યેા, “ દેવ તમને ઓળખવાની મારી શી શક્તિ ? ” અમ્રુતદેવે કહ્યું, “હું તારા મિત્ર ધન્વ ંતરિ છું; અને શ્રાવકધમ નું પાલન કરીને અશ્રુત કલ્પમાં દેવ થયા છું. તે વખતે હું તને કહેતા હતા, પણ તેં મારા ઉપર શ્રદ્ધા ન કરી, આથી કલેશ પામીને તું અકિ થયા છે. ” તે ખેલ્યા, પ્રધાન એવા તાપસધર્મ મૈં ખરાખર આરાધ્યા નહીં, તેથી હું અપદ્ધિક થયા છું. ” અચ્યુતદેવે કહ્યું, “ જે તારી ઢષ્ટિએ પ્રધાન છે તેની પરીક્ષા કરીએ. ” પછી તેણે જમદગ્નિને ઉદ્ધિ કર્યાં. 66 ,, "" 66 ,, અચ્યુતદેવ અને વૈશ્વાનર દેવે કરેલી જમદગ્નની પરીક્ષા }} પછી અને દેવાએ ( નર અને માદા ) પક્ષીનાં રૂપ ધારણ કરી, જમદગ્નિની દાઢીમાં ઘાસનાં તણખલાં ભરાવીને માળા કર્યાં. પણ જમદગ્નિએ તેમની ઉપેક્ષા કરો. પછી માનુષી વાચાથી પંખી પંખિણીને કહેવા લાગ્યા, “ ભદ્રે ! તું અહીં રહે; હું હિમવંત પર્યંત ઉપર જાઉં છું, માતા-પિતાને મળીને જલદી પાછા આવીશ. ” પંખિણી એલી, “ સ્વામી ! ન જશેા, એકાકી એવા તમારા શરીરને કાઇ ઇજા કરશે. ” પંખીએ કહ્યું, “ તું ડરીશ નહીં. જે કેાઇ મારા પરાભવ કરવાને આવે તેને વટાવી જવાને મારી શીવ્રતાવડે હું શક્તિમાન છું. ” પખિણીએ કહ્યું, “ તમે મને ભૂલી જશેા અને બીજી પંખિણીના સ્વીકાર કરશે, તા હું એકલી કલેશ પામીશ. ” પ ંખી એલ્યા, “ તું મારા પ્રાણથી પણ પ્યારી છે; તને છેડીને હું તેમની ( મા-બાપની ) પાસે થાડા કાળ પણ નહીં વીતાવું. ” પંખિણી ખેલી, “ તમે પાછા આવા એવી મને ખાત્રી નથી. ” પંખી મેલ્યા, “ તું કહે તેવા સાગનથી તને ખાત્રી કરાવું. ” પંખિણીએ કહ્યુ, “ એમ હાય તા, જો તમે ફરી પાછા ન આવે તા આ ઋષિનું જે પાપ છે તે વડે તમે લેપાએ. ” પુખીએ કહ્યું, તું ખીન્ને જે કહે તે સેાગન ખાઉં, પણ આ ઋષિના પાપ વડે લેપાવાના સેાગન નહીં. ” સાંભળી જમદગ્નિએ વિચાર્યું, “ મારું પાપ માઢું છે એમ આ પક્ષી કહે છે; તા તેમને પૂછી જોઉં, ” પછી તેણે તે પક્ષીઓને હાથથી પકડ્યાં અને કહ્યુ, “ અરે ! કુમારબ્રહ્મચારી એવા હું ઘણા હજાર વર્ષ થયાં અહીં તપ કરું છું. મારું એવુ 66 આ ܕܕ Page #363 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: તે કેવું પાપ છે કે તમે સોગનમાં પણ મને ઈચ્છતાં નથી ? ” એટલે પક્ષીએ તેને કહ્યું, મહર્ષિ! તમે (અમને) મારી શકે એમ નથી. તમે અનપત્ય-સંતાન વગરના છો; નદીના તટ ઉપર પાણીના ઉત્કટ વેગથી જેનાં મૂળ ધોવાઈ ગયાં છે એવા વૃક્ષની જેમ આધાર વગરના બનેલા તમે દુર્ગતિમાં જશે. તમારું નામ પણ કોઈ નહીં જાણે. આ શું તમારું ઓછું પાપ છે? પુત્રવાળા બીજા ઋષિઓને શું તમે જોતા નથી ? અથવા તમારી બુદ્ધિથી જ વિચાર કર.” એટલે અલ્પ જ્ઞાનને કારણે જેને બંધ અને મોક્ષના વિધિની ખબર નથી એવો જમદગ્નિ વિચાર કરવા લાગ્યું, “ સત્ય છે, હું અનપત્ય-નિ:સંતાન છું. ” પછી તેણે અરણ્યને ત્યાગ કર્યો અને દારસંગ્રહ-લગ્નની ઈચ્છાવાળો થયે. તેને આ પ્રમાણે ભ્રષ્ટ થયેલે જાણુને અશ્રુતદેવ વાનરને કહેવા લાગે, “હવે અમારે જે પ્રમાણે પાસક છે તેની પરીક્ષા કરીએ. ” અમ્રુતદેવ અને વૈશ્વાનર દેવે કરેલી પરથની પરીક્ષા તે સમયે મિથિલા નગરીમાં પદ્યરથ નામે રાજા હતો. તેણે વાસુપૂજ્ય અણગાર પાસે તુરતમાં ધર્મ સાંભળ્યું હતું. તે અણગાર ચંપાનગરીમાં વિહરતા હતા. ધર્મ નિમિત્ત જાગરણ કરતા પરથને મનમાં એમ થયું કે, “મારા ધર્માચાર્ય વાસુપૂજ્ય મુનિવરને વંદન કરું (વંદન કરવા જાઉં.)” (તે વખતે બે દેવતાઓ) તેની પરીક્ષા માટે નીકળ્યા વૈવાનરે રાજાના અને પ્રધાન પુરુષોના શરીરમાં રોગો ઉત્પન્ન કર્યા. એટલે મંત્રીઓએ તેને વાર્યો કે, “સ્વામી ! યાત્રા બંધ રાખે; તમે અસુખી છે, તેમજ લોકોમાં પણ ઘણો ઉપદ્રવ છે.” રાજા બોલ્યા, “ હું કઈને બલાત્કારે લઈ જતો નથી; લેકે પાછા વળો; હું ગુરુદેવને વંદન કરીને જ અન્ય કાર્ય કરીશ. ” આ પ્રમાણે તેને દઢ નિશ્ચય હતો. જલાવર્તા અટવીમાં (પેલા દેવે) પાણ હરી લીધું, તે પણ “હું એકલો પણ જઈશ” એમ વિચારીને તે પાછો વળે નહીં. સામેથી સિંહે તેને ત્રાસ પમાડવા લાગ્યા. ફરી વાર પણ મંત્રીઓએ તેને વિનંતી કરી, પણ ધર્મરાગમાં રક્ત એવા તેણે પાછા વળવાની ઈચ્છા કરી નહીં. પછી “આને ધર્મવ્યવસાયમાંથી વિચલિત કરી શકાય એમ નથી ” એમ વિચારીને વેશ્વાનરે પિતાનું રૂપ બતાવીને તેને વંદન કર્યું અને અમા. પછી “આશ્ચર્ય !” એમ કહીને વૈશ્વાનરે સમ્યકત્વ સ્વીકાર્યું. ધવંતરિ પણ પદ્મરથને પ્રણામ કરીને જેમ આવ્યું હતું તેમ પાછો ગયો. વૈશ્વાનર પણ વૈતાઢ્યમાં ગયે. હવે, પક્ષીઓએ જેને મર્યાદામાંથી વિચલિત કર્યો હતે એ જમદગ્નિ કણિ, શકું વગેરે (તાપસનાં ઉપકરણવિશે) લઈને ઇન્દ્રપુર આવ્યું. ત્યાંને રાજા જિતશત્રુ જમદગ્નિનો મામો હતો. તેણે જમદગ્નિની અર્થથી પૂજા કરી, અને વિનંતી કરી,” જે કાર્ય હોય તે કહે.જમદગ્નિએ કહ્યું, “હું કન્યાની ભિક્ષા માટે આવ્યો છું, માટે Page #364 -------------------------------------------------------------------------- ________________ મદનગા સંભક [ ૩૦૯ ] મને કન્યા આપે.” પછી “વીસામે કરે” એમ કહીને તેને આવાસ આપવામાં આવ્યું. રાજાએ મંત્રીઓની સાથે વિચાર કર્યો, “આ તે લાંબી દાઢીવાળો અને યુવાવસ્થા વટાવી ગયેલ છે. માટે ઉપાયપૂર્વક તેનું નિવારણ કરીએ-અમારી કન્યાઓને સ્વયંવર આપવામાં આવેલ છે, માટે જે કન્યા તમને ઈછે તેને લઈ જાઓ.” આ પ્રમાણે કહેવામાં આવતાં જમદગ્નિ કન્યાઓના અંત:પુરમાં ગયે; એક એક કન્યાને કહેવા લાગ્યા, “ભદ્રે ! હું તને ઈછું ?” તેઓએ કહ્યું, “તું ઉન્મત્ત છે; ડોસા ! તારી જાતને જે, પછી અમને વર, આઘે ખસ !” આથી જમદગ્નિને રસ ચઢી, અને “તમે કુજાઓ થઈ જાઓ !” એમ તેણે કહ્યું. આથી તે કન્યાઓ વિરૂપ થઈ ગઈ. તે કાળથી કાન્યકુબ્બ (નગર) થયું. એક કન્યા રેણુમાં રમતી હતી, તેને હાથમાં ફળ રાખીને જમદગ્નિએ કહ્યું, “ભદ્ર ! મને ઈચ્છ.” તેણે હાથ લાંબો કર્યો, એટલે “આ મને વરી છે” એમ વિચારી તેને કઢિણમાં નાખીને જમદગ્નિ નીકળે. મંત્રીઓએ તેને કહ્યું, “અહીંથી એક પગલું પણ ચાલ્યા વગર આ કન્યાનું ચુક તમારે આપવું જોઈએ.'' તે બે, “અહીંથી ચાલ્યા વગર કેવી રીતે આપું ? જે માગતા હો તે કેઈક રાજાની પાસેથી લાવીને આપું.” મંત્રીઓ બેલ્યા, “અત્યારે જ આપવું જોઈએ-એ મર્યાદા છે.” આ પ્રમાણે મંત્રીઓએ આગ્રહ કરતાં તેણે પેલી કન્યાઓને અકુજા-સ્વાભાવિક કરી. પછી કન્યાને લઈને તે આશ્રમપદમાં ગયે. પછી કન્યાની ધાત્રી તથા બત્રીસ ગાયને પણ ત્યાં મોકલવામાં આવી. તે રેણુકા પણ ત્યાં ઊછરવા લાગી. જેને વૈરાગ્ય પડ નથી એવા પદ્યરથ રાજાએ વાસુપૂજ્ય અણગારની પાસે દીક્ષા લીધી, અને જેનાં કર્મો ખપી ગયાં છે એ તે નિર્વાણ પામે. જમદગ્નિ રેણુકાને ઉછેરવા લાગ્યા. તે યુવાવસ્થામાં આવી ત્યારે જમદગ્નિએ રેણુકા સાથે વિવાહ કર્યો. એક વાર પુત્રની ઈચ્છાવાળી જિતશત્રુની પટ્ટરાણી રાજાની સાથે આશ્રમપદમાં આવી. તેણે રેણુકાને કહ્યું, “બેટા ! (મંત્રથી) સાધીને મને ચરુ આપ, જેથી મને પુત્ર જન્મ.” રેણુકાએ જમદગ્નિને કહ્યું. “મારી માતા ઉપર કૃપા કરો, જેથી તેને પુત્ર થાય.” જમદગ્નિએ બે ચરુ આપ્યા–એક રેણુકા માટે, બીજે દેવી માટે. દેવીએ કહ્યું, “બેટા ! તું તારે ચરુ મને આપ. અવશ્ય ઋષિએ પિતાના પુત્રને માટે વિશિષ્ટ સાધના કરી હશે. મારી પાસેને ચરુ તું રાખ.” રેણુકાએ વિચાર્યું “હું તે મૃગી (અરણ્યવાસી - ૧ “ વસુદેવ-હિંડી ” ની છાપેલી પ્રતમાં શેર વેડુિં મuતો એ પાઠ છે, તેનો સ્પષ્ટ અર્થ થતું નથી; પણ ખંભાતની તાડપત્રની પ્રતમાં શેર દિં એવો પાઠ છે, તેને અનુસરીને અનુવાદ કર્યો છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પશુ જેવી) થઈ છું, મારો પુત્ર અરણ્યવાસી ન થાઓ. માટે હું ક્ષત્રિય-ચરુ ખાઈ લઉં.” પછી તેઓએ ચરુની અદલાબદલી કરી. સમય જતાં રેણુકાએ રામને જન્મ આપે. કેઈ એક વાર સાથેની સાથે સાધુઓ જતા હતા. સાથે અટવીમાં પ્રવેશે ત્યાર પછી એક અભિનવ દીક્ષિત, માંદા અને સાર્થથી વિખૂટા પડી ગયેલા સાધુને જમદગ્નિએ જે, આશ્રમ પદમાં આર્યો અને પ્રયત્નપૂર્વક સાજે કર્યો. સંતુષ્ટ થયેલા તેણે અપ્રતિહત એવી વિઘા જમદમિને આપી. જમદગ્નિએ તે સાધી. પરીક્ષા માટે પરશુ મંત્રીને તેને પદ્ધસરોવરમાં નાખી, સરોવર સૂકાઈ ગયું. આ પ્રમાણે ખાત્રી થતાં તે જમદગ્નિ પુત્રની સાથે અરણ્યમાં ફરવા લાગે. એક વાર હસ્તિનાપુરને અધિપતિ અનંતવીર્ય રાજા આશ્રમપદમાં આવ્યું. તે ગાયોની સાથે રેણુકાને પણ લઈ ગયે. આ સાંભળીને જમદગ્નિએ પરશુ હાથમાં આપીને રામને મોકલ્યા. તે અનંતવીર્યને મારીને, ગાયે પાછી વાળીને, રેણુકાને લઈને આવ્યા. હસ્તિનાપુરમાં અનંતવીર્યને પુત્ર કાર્તવીર્ય રાજા થયે. કોઈ એક વાર જરાજીર્ણ થયેલ જમદગ્નિ આશ્રમમાં બેઠા હતા. પરશુ હાથમાં લઈને અશંકિત એ રામ એકલે અરણ્યમાં ભમતે હતે. “એણે અનંતવીર્યને માર્યો છે.” એમ વિચારીને કાર્તવીયે મધ્યદેશના અધિરાજાઓને એકત્ર કર્યા. “રામની જે ઉપેક્ષા કરવામાં આવશે તો તે સર્વને વિનાશ કરશે” એમ વિચારીને તેઓ આશ્રમપદમાં આવ્યા, જ્યાં જમદગ્નિ હતો. પિતાના પિતાના મરણના કારણથી થયેલા વેરને લીધે કાર્તવયે તેને માર્યો. તેને મારીને રાજાએ જતા રહ્યા. પિતાના મરણથી કેપેલે રામ પણ પરશુ હાથમાં લઈને ક્ષત્રિયા સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે પરશુથી કાર્તવીર્યને માર્યો. મરતાં બચેલા ક્ષત્રિયે જુદી જુદી દિશાઓમાં નાસવા લાગ્યા. રામ હસ્તિનાપુર આવ્યું. મહર અને શાંડિલ્ય એ મંત્રીઓ વડે લઈ જવાયેલી કાર્તવીર્યની સગર્ભા પટ્ટરાણી તારાએ ત્યાંથી નાસી છુટતાં કૌશિક ઋષિના આશ્રમમાં પુત્રને જન્મ આપે. (ગર્ભ) ઊંધે માથે પડ્યો. પછી ભૂમિ-માટી ખાવાને લીધે તેનું સુભૂમ એવું નામ પાડવામાં આવ્યું. મંત્રીઓએ દેવીને કહ્યું, “ભૂમિને ખાનારે થયો હોવાથી આપણે ભૂમિને વધારનાર આ રાજા થશે.” ભયરામાં ગુપ્તપણે તે ઊછરવા લાગ્યો. રામની પરશુ ફર દેવતાએ અધિષિત કરી. પછી રામે તેના પ્રભાવથી ક્ષત્રિને વિનાશ કર્યો. “કાર્તવીર્યને અને મારે વેર છે. બીજાઓ નિરપરાધ છે, પણ તે દુરાચારીઓ અરણ્યમાં રહેલા એવા મારે નાશ કરવા ઈચ્છે છે ” આવા અમર્ષ વડે કરીને તેણે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી. જેમને મારતે તેમની દાઢે તે ભેગી કરતા જેણે શત્રુઓને જીત્યા છે એવો રામ હસ્તિનાપુરમાં રાજ્ય કરે છે. આ કારણથી તાપસ-કુમારના વેશમાં ૧ મૂળમાં ૩Hસ્થળો પરદો એ શબ્દો છે. ઝડપથી દોડવાને લીધે ગર્ભ અધોમુખ પડ્યો, એમ અર્થ કરવો ? Page #366 -------------------------------------------------------------------------- ________________ મદનગા સંભક [ ૩૧૧ ] રહેલે અને મંત્રી વડે રક્ષાયેલો એવો સુબૂમ કોશિક અષિના આશ્રમમાં રહે છે. વેરનું કારણ જાણીને, રામને વિનાશ કરીને તે ટૂંક સમયમાં ભારતને સ્વામી થશે.” આ પ્રમાણે મુનિએ (કેવલીએ) કહ્યું, એટલે મુનિઓને વંદન કરીને મેઘનાદ પિતાના નગરમાં ગયે. કોશિકાશ્રમમાં જઈને તેણે આછા મેઘવડે ઢંકાયેલા બિબવાળો જાણે શરદઋતુનો સૂર્ય હોય એવા સુબૂમ કુમારને જે. રામે (એક વાર) નૈમિત્તિકને પૂછ્યું, “મારો વંશ પ્રતિષ્ઠિત થશે–ચાલુ રહેશે?” તેણે કહ્યું, “જેની હાજરીમાં પરશુ ઠંડી પડી જશે અને દાઢનું ભેજન થશે તેનાથી તારો વિનાશ થશે.” પછી તે વચન ગ્રહણ કરીને તે દરરોજ બ્રાહ્મણને બોલાવતે, દાઢેથી થાળ ભરાવો અને અગ્રાસન ઉપર મૂકતો. એ પ્રમાણે કાળ વીતતો હતો. વિશેષપણે તાપસને રામ પૂજતો હતો. મેઘનાદ વારંવાર સુભૂમની પાસે જતો હતો. એક વાર હજાર તાપસનું ભેજન હોવાથી તાપસકુમાર નીકળ્યા. સુલૂમ પણ તેમની સાથે હું જાઉં?” એ પ્રમાણે માતાને પૂછવા લાગ્યો. મેઘનાદે દેવીને કહ્યું, “તેની ઈચ્છા હોય તે ભલે જાય; હું તેના સહાયક તરીકે જાઉં છું, માટે ડર રાખશે નહીં.” પછી હે પુત્ર! શિરામણ કરીને તું જા” એમ બોલતી તેણે તાવડીમાં ઝડપથી ઘેબર રાંધવા માંડ્યાં. “મોડું થશે તો તાપસો દૂર ચાલ્યા જશે. ” એમ ઉતાવળ કરતા તેણે તાવડીમાંથી ઘેબર લેવા માટે અંદર હાથ નાખે. માતાએ પણ “રખેને આ દાઝશે” એમ વિચારીને અગ્નિ ઉપરથી તાવડી એકદમ ખેંચી લીધી. ઉકળતું ઘી સુભૂમના પગ ઉપર પડયું, પણ તેને કંઈ ઈજા થઈ નહીં. વિમિત થયેલી દેવી ફરી ફરીને તેના પગ પંપાળવા લાગી. જ્યારે તેને ખાત્રી ન થઈ ત્યારે મેઘનાદે તેને કહ્યું, “હેન ! મહાન દેવતાને (અથવા દેવતાનો મહાન) આદેશ છે કે એની કાયામાં અગ્નિ, વિષ અને શસ્ત્રનો ઉપદ્રવ થઈ શકે તેમ નથી.” પછી શિરામણ કરીને સુભૂમ ઋષિકુમારોની સાથે નીકળ્યો અને ગજ. પુરમાં પહોંચે. તે ભેજનમંડપમાં પ્રવેશ્યક અગ્રાસન ઉપર મૂકવામાં આવેલો સુવર્ણનો થાળ તેણે જોયે. કેઈ ત્યાં બેસતું નહોતું. દાઢને સ્થાને તે જ ક્ષણે દેવતાએ મૂકેલ મને રમ પાયસ જોતાં તે હર્ષ પામે. હજાર જણને પિરસાવા માંડ્યા પછી પણ આનંદિત એ તે “દાઢનું ભેજન થયું” એમ માનીને પાયસ ખાવા લાગ્યો. બ્રાહ્મણોને (રામ તરફથી) પૂર્વે એમ કહેવામાં આવ્યું હતું કે “જે દાઢનું ભજન કરે તેને તમારે વધ કરે.” આથી કોલાહલ કરતા તેઓ પાષાણ અને પીઠફલકવડે સુભૂમને મારવા લાગ્યા. સુભૂમ અસંભ્રાન્તપણે જમતો હતો અને ડાબા હાથથી પાષાણુ વગેરેને રોકી દેતો હતો. રામનું લશ્કર ખળભળી ઊઠયું, (તેના સૈનિકે) આયુધ લઈને શત્રુમંડપમાં શત્રુ બેઠે Page #367 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : હતા ત્યાં આવ્યા. જેણે સાચી હકીકત જાણી છે એવા રામ હાથમાં પરશુ લઇને નીકળ્યા. પછી મેઘનાદના વચનથી ગગનતલમાં રહેલા વિદ્યાધરા અસ્રોના વરસાદ વરસાવવા લાગ્યા. ભયને લીધે બધા પ્રદેશ નિ:સ'ચાર-નિર્જન થઇ ગયા. રામ સુબ્રૂમની પાસે પહોંચ્યા; એટલે પરશુ શાન્ત થઇ ગઇ અને તેની અધિષ્ઠાત્રી દેવતા પલાયન થઇ ગઇ. તુષ્ટ થયેલા સુભૂમે સુવર્ણના થાળ ફૂંકયા, તેથી રામનું માથું કપાઇ ગયું. વિદ્યાધરાએ ઘાષણા કરી, “ કાવીના પુત્ર સુભ્રમ જય પામે છે; જેને તે માન્ય ન હોય તે વિનાશ પામશે. ’’ તે સાંભળીને રામના પક્ષવાળા કેટલાક નાસી ગયા. સન્તુષ્ટ થયેલા પ્રજાજને આવ્યા. નાગરિકા અને વિદ્યાધરાએ સુભૂમના અભિષેક કર્યો. સન્તુષ્ટ થયેલા રાજા મેઘનાદે પેાતાની કન્યા તેને આપી. ભારે સમૃદ્ધિપૂર્વક પાણિગ્રહણ થયું. સુભૂમને કુમારકાળ પાંચ હજાર વર્ષ હતા, પછી માંડલિક રાજા તરીકે તે તેટલા કાળ સુધી રહ્યો, ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી તેણે પાંચ હજાર વર્ષ ભારતવર્ષ ઉપર વિજય કર્યાં. તેણે મેઘનાદને અને વિદ્યાધરશ્રેણિના સ્વામી તરીકે સ્થાપિત કર્યા, અને નિરુદ્વિગ્નપણે વિષયે ભાગવવા લાગ્યા. જેણે ભરત ઉપર વિજય કર્યાં છે એવા સુભૂમના મનમાં થયું, “જે રામ અને જે હું તેમની વચ્ચે પિતાને નિમિત્તે અમારું પરંપરાગત બૈર હતું. મારા ભેાજન સમયે નિરપરાધી એવા મારા નાશ કરવાનેા બ્રાહ્મણ્ણાએ પ્રયાસ કર્યા, માટે મારે માટે તેઓ વધ્યું છે. એ દુષ્ટોએ અહીં રહેવું નહીં.” એ પ્રમાણે વિચારીને તેણે એકવીસ વાર નિર્ભ્રાહ્મણ કર્યું —બ્રાહ્મણ્ણાને માર્યા. જેએ ‘ અમે અબ્રાહ્મણેા છીએ ’ એમ ખેલતા એવા બ્રાહ્મણેા સિવાયના ખાકીના બ્રાહ્મણ્ણા વનમાં ચાલ્યા ગયા. ક્ષત્રિય જાતિના જેએ ગુપ્તપણે રહેતા હતા તેમને સુભૂમે પેાતાતાનાં રાજ્ય ઉપર પાછા સ્થાપિત કર્યા. આ પ્રમાણે રહેતાં પચાસ હજાર વર્ષ સુધી ચક્રવતીના ભાગે ભાગળ્યા પછી એક વાર અપરાધ વગર કુદ્ધ થયેલા એવા તે સુભૂમે ચિત્રસેન નામના રસાઇયાને પગવડે માર્યાં, આથી તેણે નિવેદથી તાપસની દીક્ષા લીધી અને કાળધર્મ પામીને જ્યોતિષ્ઠ દેવ થયા. અવિધથી તે.જોવા લાગ્યા. રાજા પ્રત્યેના વેરનું સ્મરણ કરતા એવા તેણે, જે વખતે રત્નાએ સુભ્રમના ત્યાગ કર્યા હતા તે વખતે તેને સમુદ્રમાં ડુબાડીને મારી નાખ્યા. જેણે કામભાગાના ત્યાગ કર્યા નથી એવા તે સુભૂમ કાળ કરીને સાતમા નરકમાં ગયા. એ જ પ્રમાણે રામનું પણ થયું. મેઘનાદના વશમાં અલિ નામે રાજા હતા. તેના વિદ્યાબળથી સર્વે વિદ્યાધરા અને ધરણુગાચર રાજાએ તેના વશવી હતા. પુરુષપુંડરીક વાસુદેવ તે સમયમાં ઉત્પન્ન થયા. અધ ભરતને વિષય કરતા એવા તેને આ પર્વત ઉપર અલિની સાથે પરમ દારુણુ યુદ્ધ થયું. પુરુષપુંડરીકના આશ્રિત વિદ્યાધરા યુદ્ધ કરવા લાગ્યા. પછી બલિએ પેાતાના Page #368 -------------------------------------------------------------------------- ________________ - - - - મદનગા સંભક [ ૩૧૩ ] સર્વ સિન્યને દઢ કરવાને માટે મંત્રણા કરી. પુંડરીકિણ વાવમાં આયુધ રાખ્યાં. વિદ્યાધરોએ કહ્યું, “અમર એવા અમારાવડે (જીવતાં સુધી) બલિસ્વામીને ત્યાગ કરાય નહીં. આ પર્વતમાં અનમિત–નહીં નમેલે એ સિદ્ધાર્થ પાદપ છે, અને તે પાદપ-સંતતિને ધારણ કરે છે. આ નંદીઘષા શિલા પણ યોગ્ય છે.” જેઓ પરમાર્થ–સાચી વસ્તુ જાણે છે તેઓએ અમૃતની ઉત્પત્તિની કૃતિ વિસ્તારેલી છે. રામાયણ તે બલિ રાજાના વંશમાં સહસ્ત્રગ્રીવ રાજા થયે, તેને પુત્ર પંચશતગ્રીવ થયે, પછી શતગ્રીવ, પછી પંચાશથીવ, પછી વિંશતિગ્રીવ, અને પછી દશગ્રીવ થયે, જે રાવણ તરીકે પ્રસિદ્ધ છે. વિંશતિગ્રીવ રાજાની ચાર પત્નીઓ હતી–દેવવર્ણની, વક્રા, કૈકેયી અને પુષ્પકૂટા. દેવવનીના ચાર પુત્રો હતા–સેમ, વરુણ, યમ અને વૈશ્રમણ. કેકેયીને રાવણ, કુંભકર્ણ અને વિભીષણ (એ ત્રણ પુત્ર) તથા ત્રિજટા અને સૂર્પણખા એ બે પુત્રીઓ હતી. વક્રાના મહાદર, મહાથે મહાપાશ, અને ખર (એ ચાર પુત્રો) તથા આશાલિકા પુત્રી હતી. પુષ્પકૂટાના ત્રિસાર, કિંસાર અને વિદ્યુજિહ્ન એ પુત્ર અને કુંભનાસા કન્યા હતી. પછી રાવણ સોમ-ચમાદિના વિરોધવડે કરીને સપરિવાર નીકળે અને લંકાદ્વિીપમાં વસ્યું. પછી તેણે પ્રજ્ઞપ્તિ-વિદ્યા સાધી, એટલે તેને વિદ્યાધર સામંત નમ્યા. એ પ્રમાણે લંકાપુરીમાં જ તેની સ્થિરતા થઈ. ત્યાં રહેલા એવા તેની વિદ્યારે સેવા કરવા લાગ્યા. કોઈ એક વાર મગ નામે વિદ્યાધર પિતાની મંદોદરી નામે પુત્રીને લઈને સેવાપૂર્વક રાવણની પાસે ઉપસ્થિત થયે. એ કન્યા લક્ષણવિદેને બતાવવામાં આવી. તેઓએ કહ્યું, “જે આને પ્રથમ ગર્ભ થશે તે કુલના ક્ષયના કારણરૂપ થશે. ” પણ અતીવ રૂપવાન હોવાથી રાવણે તેને ત્યાગ કર્યો નહીં. “પહેલા જન્મેલા બાળકનો ત્યાગ કરીશું” એમ કરીને તેની સાથે વિવાહ કર્યો. અનુક્રમે તે મંદદરી (રાવણની રાણીઓમાં) મુખ્ય થઈ. આ તરફ, અયોધ્યા નગરીમાં દશરથ રાજા હતા. તેને ત્રણ ભાર્યાઓ હતી-કૌશલ્યા, કેકેયી અને સુમિત્રા. કોશલ્યાના પુત્ર રામ, સુમિત્રાને લક્ષમણ અને કેકેયીના ભરત-શત્રુઘ હતા. દેવ જેવા રૂપાળા તેઓ પોતાના પિતાના ઘરમાં મોટા થયા હતા. રાવણની પટ્ટરાણ મંદોદરીએ પુત્રીને જન્મ આપે. પછી તે પુત્રીને રત્નભરેલી પેટીમાં મૂકવામાં આવી, અને મદદરીએ અમાત્યને કહ્યું, “જાઓ, આને ત્યાગ કરો.” તેણે મિથિલામાં જનકરાજાની ઉદ્યાન-ભૂમિ જ્યારે સજજ થતી હતી ત્યારે તિરસકરણી ૧. અહીં છેલ્લી ચાર-પાંચ પંક્તિઓમાં બધી વસ્તુ નિક્તિગાથાઓની જેમ અતિ સંક્ષેપમાં વર્ણવેલી છે, અને તેથી અર્થ અસ્પષ્ટ રહી જાય છે. ૪૦. Page #369 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વિદ્યાર્થી સંતાડીને કન્યાને હળના અગ્રભાગે મૂકી દીધી. પછી ‘ આ કન્યા હળ વડે જમીનમાંથી કાઢવામાં આવી છે ’ એ પ્રમાણે રાજાને નિવેદન કરવામાં આવ્યું. એ પુત્રી ધારિણી દેવીને આપવામાં આવી, અને ચંદ્રલેખાની જેમ વૃદ્ધિ પામતી એવી તે, લેાકાનાં નયના અને મનનું હરણ કરનાર થઈ. પછી · તે રૂપસ્વિની છે’ એમ વિચારીને પિતા જનકે સ્વયંવરના આદેશ કર્યો. ઘણા રાજપુત્રા એકત્ર થયા. તે સમયે (તે કન્યા ) સીતા રામને વરી. બીજા કુમારીને પણ ધનસંપત્તિ સહિત કન્યાઓ આપવામાં આવી. તેમને લઈને દશરથ પેાતાના નગરમાં આવ્યા. "" પૂર્વે સ્વજનના ઉપચારમાં વિચક્ષણ એવી કૈકેયી વડે સતાષાયેલા રાજાએ તેને કહ્યું હતું કે, “ તું વર માગ. તેણે કહ્યું, “હમણાં મારા વર ભલે રહ્યો; કામ પડતાં માગીશ. ” ફરી એક વાર દશરથને સીમાડાના રાજા સાથે વિરાધ થયા. તેમની વચ્ચે યુદ્ધ થતાં ( દશરથ ) પકડાયા. દેવી કૈકેયીને કહેવામાં આવ્યું કે, “ રાજા પકડાયા છે, માટે તમે ચાલ્યાં જાઆ. ” તે ખેલી, “ શત્રુ જો પ્રયત્ન કરશે તે આપણે નાસી જશું તેા પણુ પકડાઇશું; માટે હું પાતે જ યુદ્ધ કરીશ. હું હારી નથી ત્યાં સુધી કાણુ ભાગ્યું ગણાય ? ” એમ કહીને કવચ પહેરી, રથમાં બેસી, જેના ઉપર છત્ર ધરવામાં આવ્યું છે એવી તે યુદ્ધ કરવા લાગી. જે પાછે! હઠે તેને મારા ' એમ ખેલતી તે શત્રુસૈન્યના પરાભવ કરવા લાગી. પછી અનુરાગ વડે પેાતાનું પરાક્રમ દર્શાવતા ચાદ્ધાએ યુદ્ધ કરવા લાગ્યા. ચાદ્ધાઓને તે પ્રીતિદાન–સરપાવ આપવા લાગી. આ પ્રમાણે દેવીએ શત્રુસૈન્યના પરાજય કરીને છેડાવેલા દશરથ કહેવા લાગ્યા, “ દેવી ! તારું કામ ઉત્તમ પુરુષના જેવું છે; માટે વર માગ. તે એલી, “ મારા બીજો વર પણ હમણાં ભલે રહ્યો; કામ પડતાં ,, ગ્રહણ કરીશ. ” ,, 66 આ પ્રમાણે ઘણાં વર્ષો જતાં તથા પુત્રા યુવાવસ્થામાં આવતાં વૃદ્ધ એવા દશરથ રાજાએ રામના અભિષેકની આજ્ઞા કરી કે “ અભિષેકની તૈયારી કરી. કુબ્જા મથરાએ આ ખબર કૈકેયીને આપી; એટલે તેણે મંથરાને પ્રીતિસૂચક આભરણુ આપ્યું. મથરાએ દૈવી કૈકેયીને કહ્યું, વિષાદ પામવા લાયક વસ્તુ પરત્વે તું આન ંદિત થાય છે; ‘હું અપમાનના સાગરમાં ડૂબું છું' એમ તું જાણતી નથી. કૌશલ્યા અને રામની તારે ચિરકાળ સેવા કરવી પડશે; તેનું આપેલું ખાવું પડશે. માટે માહુ ન પામ, રાજાએ પૂર્વે તને એ વર આપેલા છે; તે વડે ભરતના અભિષેક અને રામના વનમાં પ્રવાસ એ એ વસ્તુ તું માગ. પછી મંથરાના વચનથી કૈકેયી કુપિતાનના-કેપ પામેલા મુખવાળી બનીને કાપઘરમાં પ્રવેશી. દશરથે આ સાંભળ્યું. તે કૈકેયીને મનાવવા માંડ્યા, પણ તેણે કાપ ક્યો નહીં. દશરથે તેને કહ્યું, “ કહે, શું કરું ? કૈકેયી મેલી, “ તમે વર આપેલા છે; જો સત્યવાદી હૈ। તા તે મને આપે. ” રાજાએ કહ્યુ, ,, 66 માલ, Page #370 -------------------------------------------------------------------------- ________________ મદનગા લંભક [ ૩૧૫ ] શું આપું ?” એટલે સન્તષથી વિકસિત વદનવાળી તે કહેવા લાગી, “ એક વર વડે ભરત રાજા થાઓ, બીજા વરમાં રામ બાર વર્ષ સુધી વનમાં વસે. ” એટલે વિષાદ પામેલા રાજાએ કહ્યું, “દેવિ ! આ અસહ્વાહ-બેટા આગ્રહથી બસ કર મોટા પુત્ર (રામ) ગુણોના સમૂહને આવાસ છે, એ રામ જ પૃથ્વીના પાલન માટે યોગ્ય છે. બીજું જે કહે તે આપું. ” કેકેયી બોલી, “ જે સાચું બોલતા હે તે બીજું કંઈ મારે જોઈતું નથી. બાકી જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” એટલે તેને મધુર અને કઠોર એવું ઘણું કહીને રાજાએ રામને બોલાવ્યા અને અશથી ભરેલા કંઠવાળા તે કહેવા લાગ્યા, “ મેં પહેલાં આપેલો વર દેવી માગે છે કે, “રાજ્ય (ભરતને મળે) અને તું વનમાં વસે,’ માટે હું જૂઠ ન પડું તેમ તું કર.” (રામે) મસ્તક નમાવીને તે સ્વીકાર્યું. પછી સીતા અને લક્ષમણ સહિત રામ વીરવેશધારી બનીને લોકોનાં મન, નયન અને મુખકમલને પ્લાન કરતા, કમલવનના સંકેચને વ્યાપાર કરતો સૂર્ય જેમ અસ્તાચળે જાય તેમ, નીકળ્યા. દશરથ પણ “ હા પુત્ર! હા કૃતનિધિ ! હા સુકુમાર ! હા અદુઃખોચિત ! હું મંદભાગ્ય વડે અકાંડે દેશવટે દેવાયેલા તું વનમાં કેવી રીતે સમય ગાળીશ?” એ પ્રમાણે વિલાપ કરતા કાળધર્મ પામ્યા. પછી ભારત પોતાના મામાના દેશમાંથી આવ્યું. જેણે સાચી હકીકત સાંભળી છે એવા તેણે માતાને ઠપકો આપે. અને પિતાના સગાંવહાલાં સહિત તે રામની પાસે ગયો. તેણે રામને પિતાનું મરણ થયાનું કહ્યું. જેણે પિતાની ઉત્તરક્રિયા કરી છે એવા રામને નયન જળથી ભરાયેલા મુખવાળી ભારતની માતા કૈકેયીએ કહ્યું, “પુત્ર! તેં પિતાનું વચન કર્ય'. હવે. અપયશના કાદવમાંથી મારો ઉદ્ધાર કરવાનું તથા કલકમાગત રાજ્યલક્ષમીનું અને ભાઈઓનું પાલન કરવાનું તારે માટે એગ્ય છે. ” રામે કહ્યું, “માતા ! તમારું વચન અનુલ્લંઘનીય છે; પણ (તે ઉલ્લંઘન કરવાનું) કારણ સાંભળો–રાજા જે સત્યપ્રતિજ્ઞાવાળો હોય તે જ પ્રજાપાલનમાં સમર્થ થઈ શકે, સત્યથી ભ્રષ્ટ થાય તે પિતાની પત્નીના પાલનમાં પણ અયોગ્ય બને. પિતાનું વચન પળાય તે માટે મેં વનવાસ સ્વીકાર્યો છે. હવે મને (પાછા વળવાને) આગ્રહ ન કરશો. ભરતને રામે આજ્ઞા કરી, “જે મારે તારા ઉપર અધિકાર હાય અને હું તારો વડીલ હોઉં તો તારે મારી આજ્ઞાથી પ્રજાપાલન કરવું, અને માતાને ઠપકો આપે નહીં. એટલે અશ્રપૂર્ણ મુખવાળો ભારત હાથ જોડીને વિનંતી કરવા લાગ્યું, “આર્ય! પ્રજાપાલનના કાર્ય માટે જે શિષ્યની જેમ મને નિયુક્ત કરવામાં આવતો હોય તો મને પાદુકાઓ આપવાની કૃપા કરો. ” રામે ભલે ” એમ કહીને એ વસ્તુ સ્વીકારી (પાદુકાઓ આપી). પછી ભારત પાછા નગરીમાં ગયે. આ બાજુ સીતા-લક્ષમણ સહિત રામ તાપસના આશ્રમે જોતા તથા દક્ષિણ દિશાનું અવલોકન કરતા વિજનથાનમાં પહોંચ્યા. ત્યાં એકાન્ત વનપ્રદેશમાં તે સીતા સહિત રહ્યા. Page #371 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : * ********* ****** ~~~ ~ નયનના અમૃત સમાન અને સુરકુમાર જેવા રામને જોઈને કામવશ થયેલી રાવણની બહેન સૂર્પણખા આવીને કહેવા લાગી, “દેવ! મને ભજે (મારું સેવન કરો).” ત્યારે રામે કહ્યું, “એવું ન બોલ, તપોવનમાં રહેલે હું પરસ્ત્રીનું સેવન કરતા નથી.” પછી જનકની પુત્રી સીતાએ કહ્યું, “પરપુરુષની બળાત્કારે પ્રાર્થના કરે છે, માટે તું મર્યાદાનું ઉલ્લંઘન કરનારી નિર્લજજ છે. ” એટલે રોષ પામીને, ભીષણ રૂપ ધારણ કરી તે સીતાને ડરાવવા લાગી કે, “તારા સતીવાદને હું નાશ કરીશ; મને તું એાળખતી નથી ?” પછી રામે “આ સ્ત્રી હોવાથી અવધ્ય છે” એમ વિચારીને જેનાં નાક-કાન કાપ્યાં છે એવી તે સૂર્પણખા ખર-દૂષણની પાસે ગઈ. રોતી રોતી તે પુત્રને કહેવા લાગી, “ પુત્ર! તપવનમાં વિચરતી અને નિરપરાધી એવી મને દશરથના પુત્ર રામે આ દુઃખમાં પાડી છે.” એટલે હૃદ્ધ થયેલા તેઓ કહેવા લાગ્યા, “માતા ! વિષાદને ત્યાગ કર અમારાં બાણથી જેમના દેહ વીંધાઈ ગયા હશે એવા તેમનું (રામ-લક્ષમણનું) રુધિર આજે ગીધને પાઈશું. ” આમ બેલીને તેઓ રામની પાસે ગયા. અને સૂર્પણખાનું નાક કાપ્યાની વાત કરી. તેમણે રામને કહ્યું, “ભટ! યુદ્ધ કરવાને તૈયાર થા.” એટલે યમ અને વૈશ્ર મણ સમાન પરાક્રમવાળા તે રામ અને લક્ષમણ બને ભાઈઓ ધનુષની પણછ ચડાવીને ઊભા રહ્યા. યુદ્ધ કરતા એવા તેમણે ખરદૂષણને શસ્ત્રબળથી અને બાહુબળથી નાશ કરી નાખ્યો. પછી પુત્રવધને કારણે જેને રોષ ઉત્પન્ન થયે છે એવી તે સૂર્પણખા રાવણ પાસે ગઈ. પિતાનું નાક કપાયાની અને પુત્રના મરણની વાત તેણે કહી. આ વાત કહીને પછી બોલવા લાગી, “ દેવ! એ માનની સ્ત્રી છે. મને લાગે છે કે–સર્વ યુવતિઓનાં રૂપનું દેહન કરીને લોકોનાં લોચનના વિશ્રામભૂત એવી તે નારીનું નિર્માણ થયું છે. તે તમારા અંત:પુરને છે.” એટલે સીતાના રૂપશ્રવણથી ઉન્મત્ત થયેલા રાવણે પિતાના અમાત્ય મારીચને સૂચના કરી, “ તું આશ્રમપદમાં જા, ત્યાં રત્નખચિત મૃગનું રૂપ વિકુવીને તે તાપસવેશધારી યોદ્ધાઓને લેભાવજે, એટલે મારું કાર્ય થઈ જશે.” પછી મારીચ રખચિત મૃગનું રૂપ ધારણ કરીને ફરવા લાગ્યો, એટલે સીતાએ રામને કહ્યું, “ આર્યપુત્ર! અપૂર્વ રૂપવાળા આ મૃગના બચ્ચાને પકડે તે મારે માટે ક્રીડનક–ખેલવાની વસ્તુ થશે.” પછી રામ “ભલે, એમ થાઓ” એમ કહી ધનુષ હાથમાં લઈ એની પાછળ પાછળ જવા લાગ્યા. પેલે મૃગ પણ ધીમે ધીમે શરૂ કરીને પછી જોરથી ચાલવા લાગ્યું. “તું ક્યાં જાય છે?” એમ બોલતા રામ પણ જેરથી તેની પાછળ દોડવા લાગ્યા. આ રીતે દૂર સુધી ગયા પછી રામે જાયું કે, “જે વેગ વડે મને જીતે છે તે આ મૃગ ન હોય; આ તો કોઈ માયાવી છે.” એમ વિચારીને તેમણે બાણ ફેકયું. એટલે મરતાં મરતાં મારી વિચાર્યું કે, “સ્વામીનું Page #372 -------------------------------------------------------------------------- ________________ મદનગા લંભક [ ૩૧૭ ] કાર્ય કરી દઉં.” પછી તેણે “હે લક્ષમણ ! મારો બચાવ કર !” એ પ્રમાણે જોરથી ચીસ પાડી. તે સાંભળીને સીતાએ લક્ષમણને કહ્યું, “જલદી જાઓ, ભય પામેલા સ્વામીએ આ ચીસ પાડી છે; નક્કી, શત્રુનું સૈન્ય હશે.” એટલે લક્ષમણે કહ્યું, “આજે ભય નથી; તમે કહે છો એટલે જાઉં છું.” પછી તે પણ હાથમાં ધનુષ લઈને રામ ગયા હતો તે માગે ત્વરાપૂર્વક દોડ્યા. આ તક જોઈને વિશ્વસનીય એવું તાપસનું રૂપ ધારણ કરીને રાવણ સીતાની પાસે આવ્યું. સીતાને જોઈને તેના રૂપતિશયથી મહિત થએલા રાવણે, કઈ વિઘની ગણના કર્યા સિવાય, વિલાપ કરતી એવી તેનું હરણ કર્યું. પેલા (રામ-લક્ષમણ) પાછા ફરતાં સીતાને નહીં જેવાથી વિષાદ પામીને તેની શોધ કરવા લાગ્યા. રાવણને માર્ગમાં જટાયુ વિદ્યાધરે અટકાવ્યો હતો, તેનો પરાજય કરીને કિષ્કિધિગિરિની ઉપર થઈને તે લંકામાં ગયો. સીતા નિમિત્તે વિલાપ કરતા રામને લક્ષમણે કહ્યું, “આર્ય ! સ્ત્રી નિમિત્તે શોક કરવાનું તમને છાજતું નથી. જે મરવાને ઇચ્છતા હે તે શત્રુના પરાજય માટે કેમ પ્રયત્ન કરતા નથી ?” (માર્ગમાં) જટાયુએ ખબર કરી કે, “ રાવણે સીતાનું હરણ કર્યું છે.” પછી “યુદ્ધ કરનારને માટે જય અથવા મરણ છે; વિષાદના પક્ષને અનુસરનારા નિરુત્સાહીને માટે તે મરણ જ છે ”(એ પ્રમાણે તે રામ-લક્ષમણે વિચાર્યું). પછી તે રામ-લક્ષમણ અનુક્રમે કિકિંધિગિરિ ઉપર પહોંચ્યા. ત્યાં વાલિ અને સુગ્રીવ નામે બે વિદ્યાધર ભાઈઓ પરિવાર સહિત રહેતા હતા. તેમની વચ્ચે સ્ત્રી નિમિત્તે વિરોધ થયો હતો. વાલિએ જેનો પરાજય કર્યો હતે એવો સુગ્રીવ હનુમાન અને જાંબવાન એ બે અમાત્યની સાથે જિનાયતનનો આશ્રય કરીને રહેતો હતો. દેવકુમાર જેવા અભિરૂપ અને હાથમાં ધનુષવાળા રામ-લક્ષમણને જોઈને ડરીને નાસતા સુગ્રીવને હનુમાને કહ્યું, “કારણ જાણ્યા સિવાય નાસો નહીં, પહેલાં તો તેઓ કોણ છે તે જાણીએ. પછી એગ્ય કરીશું.” પછી સૌમ્ય રૂપ ધારણ કરીને હનુમાન તેમની પાસે આવ્યો. તેણે ઉપાયપૂર્વક રામલક્ષમણને પૂછયું, “તમે કેણ છો ? અને દુઃખને અગ્ય એવા તમે કયા કારણથી વનમાં આવ્યા છે ?” એટલે લક્ષ્મણે કહ્યું, “અમે ઈક્ષવાકુ વંશમાં ઉત્પન્ન થએલા દશરથના પુત્ર રામ-લક્ષમણ છીએ, અને પિતાની આજ્ઞાથી વનમાં આવ્યા છીએ. મૃગ વડે અમને મોહ પમાડીને સીતાનું હરણ કરવામાં આવ્યું છે. તેની શોધમાં અમે પરિભ્રમણ કરીએ છીએ. પણ તમે કોણ છે ? અને શા માટે વનમાં રહે છે ?” હનુમાને કહ્યું, “અમે વિદ્યાધરો છીએ, અમારે સ્વામી સુગ્રીવ છે. પોતાના બલવાન ભાઈ વાલિ વડે પરાજિત થયેલ તે અમારી સાથે જિનાયતનને આશ્રય કરીને રહે છે. (તમારી સાથે) મિત્રતાને માટે તે યોગ્ય છે.” પછી રામે એ સ્વીકાર્યું કે, “ભલે, એમ થાઓ.” અગ્નિની સાક્ષીએ તેમણે મિત્ર સંબંધ કર્યો. બળની પરીક્ષા કર્યા પછી સુગ્રીવે રામને વાલિના વધ માટે Page #373 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નિયુક્ત કર્યા. તે બન્ને ભાઈઓ (વાલિ અને સુગ્રીવ) સમાન રૂપવાળા અને સુવર્ણમાલા વડે સુશોભિત શરીરવાળા હતા. તેમને વિશેષ-ભેદ નહીં જાણતા રામે બાણ છોડ્યું. વાલિએ સુગ્રીવને પરાજ્ય કર્યો. પછી સુગ્રીવનું વનમાલા વડે વિશેષણ કરવામાં આવ્યુંભેદ દર્શાવવામાં આવ્યું. એટલે એકમાત્ર બાણથી વાલિનો નાશ કરીને રામે સુગ્રીવને રાજા તરીકે સ્થાપિત કર્યો. પછી સીતાને વૃત્તાન્ત જાણવા માટે હનુમાન ગયા. તેણે (પાછા આવીને) રામને પ્રિય વસ્તુ નિવેદન કરી–સીતાની ભાળ આપી. પછી રામની સૂચનાથી સુગ્રીવે ભરતની પાસે વિદ્યાધરો મોકલ્યા. ભરતે ચતુરંગ સેન્ય મોકલ્યું. સુગ્રીવ સહિત અને વિદ્યાધરોવડે પાલન કરાયેલું તે સૈન્ય સમુદ્રના તીરે આવ્યું. ત્યાં સમુદ્રના મધ્યભાગની સંધિમાં સેતુ બાંધવામાં આવ્યે સન્ય લંકા સમીપે ઊતર્યું અને ત્યાં શુભ મુહૂર્તમાં પડાવ નાખવામાં આવ્યા. પિતાના પરિવાર અને સભ્ય સહિત રાવણ પણ સિન્ય સહિત રામની ગણના કરતે નહતા. પછી વિભીષણે વિનયપૂર્વક પ્રણામ કરીને રાવણને વિનંતી કરી, “રાજન ! હિત વસ્તુ અપ્રિય હોય તે પણ તે વડીલે, સેવકે અથવા બંધુજને સ્વામીને કહેવી જોઈએ. રામની ભાર્યા સીતાનું હરણ કરીને તમે અયુક્ત કાર્ય કર્યું છે. કદાચ એ ભૂલ થઈ હશે, પણ હવે સીતાને પાછી આપે. કુલક્ષય કરાવવાથી બસ કરો. ખર-દૂષણ અને વાલિ વિદ્યા સહિત હોવા છતાં રામે તેમને વિનાયને નાશ કર્યો છે. સ્વામીએ પણ સેવકની પત્નીનીયે ઈચ્છા ન કરવી જોઈએ, તે પણ પછી બલવાન એવા બીજા મનુષ્યની પત્નીની તે વાત જ શી? રાજાઓ માટે તે ઈન્દ્રિયજયમાં વિજય રહેલો છે. મેધાવી પુરુષે ચતુર્વિધ બુદ્ધિ વર્ણવે છે મેધા, કૃતિ, વિતર્ક અને શુભ કાર્યમાં અભિનિવેશ. તમે મેધાવી અને મતિમાન છે, એટલે ગમે તે રીતે કાર્યસિદ્ધિના કારણ રૂપ છે, પણ તમારો અભિનિવેશ-આગ્રહ અકાર્યમાં છે, આથી તમને વિનંતી કરું છું. જે કેળિયે ખાઈ શકાય, ખાધા પછી પચી જાય, અને પચ્યા પછી પચ્ચ થાય, તે ખાવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને હિતબુદ્ધિવાળા તમે રામભાર્યાને પાછી આપે. (એથી કરીને) પરિજનનું કલ્યાણ થાઓ.” પછી આવી રીતે કહેવા છતાં પણ જ્યારે રાવણે સાંભળ્યું નહીં ત્યારે વિભીષણ ચાર મંત્રીઓની સાથે રામ પાસે ગયે. સુગ્રીવની અનુમતિથી વિનીત ગણીને રામે વિભીષણનું સન્માન કર્યું. વિભીષણના પરિવારમાં જે વિદ્યાધરો હતા તે રામની સેનામાં ભળી ગયા. પછી તેઓનું-રામના પક્ષવાળા અને રાવણના પક્ષવાળાનું, વિદ્યાધરનું અને ધરણિગચરોનું યુદ્ધ થયું. દિવસે દિવસે રામનું સૈન્ય વધવા માંડયું. પછી જેનો મુખ્ય યોદ્ધાવર્ગ નાશ પામ્યું છે એવો તથા સંગ્રામમાં વિજયની આકાંક્ષા રાખતો રાવણ સર્વ વિદ્યાઓનું છેદન કરનારી વાલવતી વિદ્યાની સાધના કરવા લાગ્યા. રાવણને વિદ્યા ૧. મૂળમાંના પૂવવંતસમદમસ એ શબ્દનો અર્થ અસ્પષ્ટ રહે છે Page #374 -------------------------------------------------------------------------- ________________ મદનગા લંભક [ ૩૧ ] સાધનમાં પરાયણ રહેલે જાણીને રામના દ્ધાઓ નગરમાં પ્રવેશીને (નગરને) પરાભવ કરવા લાગ્યા. આથી શુદ્ધ થયેલે તે કવચ પહેરી સજજ થઈ રથમાં બેસીને નીકળે. દારુણ યુદ્ધ કરીને પછી તે લક્ષમણની સાથે લડવા લાગ્યો. જ્યારે સર્વ શસ્ત્રો નિષ્ફળ ગયાં ત્યારે અવિષણ માનસવાળા અને રોષયુક્ત નયનવાળા તે રાવણે લક્ષમણનો વધ કરવા માટે ચક્ર મૂકયું. પણ તે લક્ષ્મણની મહાનુભાવતાના પ્રભાવથી તે ચક્ર તેના વક્ષસ્થળ ઉપર તુંબથી પડયું (આડું પડયું-ધારથી ન પડયું). અમૂઢ હૃદયવાળા લક્ષમણે તે ચક્ર રાવણના વધ માટે મૂકયું; દેવતાવડે અધિષિત એવું તે ચક કુંડલ અને મુકુટ સહિત તેનું મસ્તક છેદીને પાછું લક્ષમણુની પાસે આવ્યું. ગગનતલમાં રહેલા ઋષિવાદિત અને ભૂતવાદિત દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને ગગનમાં નાદ કર્યો કે ભારતવર્ષમાં આ આઠમ વાસુદેવ ઉત્પન્ન થયે છે.” પછી સંગ્રામ શાન્ત થતાં વિભીષણ સીતાને લાવ્યા, અને વિદ્યાધરવૃદ્ધાઓ વડે પરિવરાયેલી એવી તેનું વિસર્જન કર્યું–રામને સેંપી. (રામની) અનુમતિ મળતાં વિભીષણે રાવણના શબને સંસ્કાર કર્યો. પછી રામ-લક્ષમણે અરિજયનગરને ઉદ્દેશીને વિભીષણને અને વિદ્યાધરશ્રેણિમાંના નગરને ઉદ્દેશીને સુગ્રીવનો અભિષેક કર્યો. પછી પોતાના પરિવાર સહિત અને સુગ્રીવ સહિત વિભીષણ, સીતા સહિત રામને વિમાનમાં અધ્યા નગરી લઈ ગયે. નાગરિકો અને મંત્રીઓ સહિત ભરત-શત્રુદને રામને રાજા તરીકે અભિષેક કર્યો. પછી મહાપ્રભાવવાળા અને સુગ્રીવ સહિત એવા રામે અધ ભારતનો વિજય કર્યો. વિભીષણ રાજા અરિજય નગરમાં રહ્યો. (દધિમુખ વસુદેવને કહે છે) હે આર્યપુત્ર! તે વિભીષણે રાજાના વંશમાં વિદ્યુબૅગ નામે રાજા હતો, તેની વિધ...ભા નામે દેવી હતી. તેના પુત્રો અમે ત્રણ જણ-દધિમુખ, દંડવેગ અને ચંડવેગ છીએ, તથા મદનગા પુત્રી છે. કોઈ એક વાર રાજાએ સિદ્ધાદેશને (જેને આદેશ સિદ્ધ થાય છે એવા નૈમિત્તિકને) પૂછયું, “ભગવદ્ ! આ રૂપવતી કન્યા કેની ભાર્યા થશે અને એની રિદ્ધિ કેવી થશે ?” ત્યારે તેણે જઈને કહ્યું, “રાજન ! આ કન્યા અધ ભારતના અધિપતિ(વાસુદેવ)ના પિતાની ભાર્યા થશે તેની માનીતી તથા પુત્રને જન્મ આપનારી થશે.” એટલે રાજાએ પૂછયું, “ભગવન્! તે પુરુષને કેવી રીતે ઓળખો? અથવા તે ક્યાં રહે છે ?” નૈમિત્તિકે જોઈને કહ્યું, “રાજન ! તારો પુત્ર દંડવેગ વિદ્યાસાધન કરતો હોય તે વખતે જે તેના ઉપર પડે (તેને એ કન્યાને પતિ જાણો ) એની મહાનુભાવતાને લીધે તત્ક્ષણ દંડવેગને વિદ્યાસિદ્ધિ થશે.” પછી જેને સત્કાર કરવામાં આવ્યું હતું એ નૈમિત્તિક ગયે દિવિતિલક નગરમાં ત્રિશેખર રાજા છે, તેની દેવી સૂર્પણખા અને પુત્ર હેફગ છે. તેની સાથે મારા પિતા વિધ્વંગને પૂર્વપુરુષોથી ચાલતે લાંબા કાળને વિરોધ છે. એક Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] વસુદેવ—હિંડી: : પ્રથમ ખ'ડ : વાર ત્રિશેખર માટુ' સૈન્ય લઇને આવ્યે તેણે અમયુક્ત અને યુદ્ધ કરતા વિદ્વેગને નગર મહાર જીવતા પકડ્યો અને કેદમાં નાંખ્યા. તેને વારવાને અશક્ત એવા અમે પરિવાર સહિત નગરમાંથી નીકળ્યા, અને આ પર્વત ઉપર આવ્યા. અમારા પૂર્વ પુરુષાએ વસાવેલું અરિંજય નગર તેણે લીધું, અને અત્યારે તે ( એ નગર ) ભાગવે છે. પછી નૈમિત્તિકના આદેશ સવાદ પામ્યા ( અર્થાત્ તમે મળ્યા ). સંતુષ્ટ થયેલા અમે મદનવેગાને વરમાાં નિમિત્તે તમારી પાસે માકલી. તમે એ વસ્તુ સ્વીકારી. ( તમારી સહાયથી ) વેરથી મુક્ત થયા છીએ એમ માનતા અમે એ કન્યા તમને આપી. ” આ પ્રમાણે દધિમુખે કહ્યું.૧ ‘ એ ત્રિશેખર માયાવી છે, અને અસ્ત્રોમાં વિશારદ છે’ (એમ મને કહેવામાં આવતાં) મેં પણ તેની પરીક્ષા નિમિત્તે દધિમુખના ઉપદેશથી અન્ના સાધ્યાં, અને તે સિદ્ધ થયાં. પછી કેટલાક દિવસ વીત્યા બાદ મદનવેગા કન્યા કાઈ માનવને આપવામાં આવી છે’ એમ સાંભળીને રાષે ભરાયેલે ત્રિશેખર પેાતાના સૈન્ય અને વાહન સાથે આવ્યેા. ત્રિશેખરના સૈન્યથી ત્રાસ પામેલા લેાકેાને કાલાહુલ મેં સાંભળ્યે. એટલે મેં ધિમુખને કહ્યું, “ વિષાદ ન કરીશ. ત્યાં જઇને એ ત્રિશેખરનેા હું નાશ કરીશ, અને મારા સસરાને છેાડાવીશ. મૃત્યુથી પ્રેરાયેલેા ત્રિશેખર પાતે જ અહીં આવ્યેા છે, તેા ખરેખર આપણ્ કાર્ય સિદ્ધ થયુ છે. ” પછી હું કવચ પહેરીને જેને ધેાળા ઘેાડા જોડેલા હતા એવા, સુવર્ણ'ની ઘટડીઓથી શબ્દાયમાન, નિપુણ શિલ્પીએ ઘડેલા અને જેમાં અનેક પ્રકારનાં શસ્રો ભરેલાં હતાં એવા રથ ઉપર આરૂઢ થયા. ધિમુખ મારા સારથિ થયા. દવેગ, ચંડવેગ વગેરે ચેાદ્ધાએ પેાતાના રસાલા સહિત ઉત્તમ અશ્વ અને હસ્તીઓ ઉપર ઝડપથી બેઠા. પછી શત્રુએના અને અમારા સૈન્યનું યુદ્ધ થયું. પૂર્વે જેમને વિજય મન્યેા હતા એવા ત્રિશેખરના ચાદ્ધાએ કહેતા હતા, શરણાગતવત્સલ રાજાને પ્રણામ કરા, જેથી તમે અહીં જ નાશ ન પામેા. ” એટલે દડવેગે કહ્યુ, “ બડાઈ મારવાથી શું? સામર્થ્ય બતાવા; જે ભયભીત નહીં થતા હાય તે પ્રકટ થશે-માલૂમ પડશે. ” પછી ખાણુનાં જાળાં વડે એકબીજાને ઢાંકી દેતા શૂરવીરા યુદ્ધ કરવા લાગ્યા. ત્રિશેખરે તામસ શસ્ર મૂકયું, તેથી બધે અંધકાર થઇ ગયા. માત્ર શબ્દથી જ દુશ્મનના અથવા પેાતાના પક્ષ જાણીને (ચાહાએ) તર્જના કરવા લાગ્યા. અમારા સૈનિકા ( અથવા અમારી શ્રેણિ-હરોળમાં રહેલાએ ) ડરી ગયા. મારાં ખાણાના વરસાદથી તેનાં અસ્ત્રોને પરાસ્ત કરવામાં આવ્યાથી કાપે ચઢેલા માયાવી ત્રિશેખર, જાણે પર્વતને ઢાંકી દેતા મેઘ હોય તેમ, શૂર! હવે તારી જાતનું રક્ષણ કર' એ પ્રમાણે ગ ના કરતા આણ્યે. આકાશમાં અમુક પ્રકારના રંગ થવાથી જેમ મેઘ રોકાઇ જાય તેમ મે' પણ લઘુહસ્તપણે-ચતુરાઇથી તેની બાણવર્ષાને નિષ્ફળ બનાવી. પછી તેણે શિત 66 " ૧. ત્રિમુખના કથનના પૂર્વાનુસધાન માટે જીએ આ લંભકના પ્રારંભમાં પૂ. ર૯૯, Page #376 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લંભક [ ૩૨૧ ] કનક (કનકશક્તિ-સુવર્ણની શક્તિ) વગેરે શસ્ત્રો મારો વધ કરવાને માટે ફેંકયાં. હું પણ તેણે છેડેલાં શસ્ત્રોનું નિવારણ કરવા લાગ્યો અને અમોઘ બાણે વડે મેં તેનું મર્મસ્થાન વીંધી દેરી તૂટી ગઈ છે એવા ઈન્દ્રધ્વજની જેમ તે અચેતન થઈને ધરતી ઉપર પડ્યો. તેને નાંખ્યું. એટલે જેની આવી અવસ્થામાં જોઈને ડરેલે હેફગ પરિવાર સહિત નાસી ગયે. દધિમુખની આજ્ઞાથી નિર્ભય થઈને વિદ્યાધરે ગયા, નગર લીધું અને વિદ્યુગ રાજાને છોડાવ્યો. પછી શ્વસુર વડે અને પરિજન વડે પૂજાયેલે એવો હું અમરાપુરીના પ્રતિબિંબ સમાન અરિજયપુરમાં રહેવા લાગ્યા. દધિમુખ આદરથી મારી સેવા કરતો હતો. વિનીત તેમજ રૂપવાન અને કુલીન તે મદનગાની સાથે મારો સમય સુખપૂર્વક વીતતો હતો. મારા ઉપગની વિધિમાં કઈ પ્રકારની ઊણપ આવતી નહતી. દેવી મદનગા સગર્ભા થઈ અને ગર્ભની શોભાથી વૃદ્ધિ પામેલા લાવણ્યવાળી બની. દાસીઓએ જેને આદરપૂર્વક શૃંગાર ધારણ કરાવે છે એવી, સ્વચ્છ સુવર્ણ અને મણિનાં પ્રકાશમાન આભૂષણેથી વિભૂષિત અંગવાળી, અને વસન્તમાસની કુસુમિત ચંપકલતાની જેમ શોભતી મદનગા એક વાર મારી પાસે આવી. કુંડલયુગલ વડે અલંકૃત તેનું વદનકમળ, ચકવાથુગલ સહિત કમળની જેમ, અધિક શોભતું હતું. પછી હર્ષ પામેલા હદયવાળા મેં તેને કહ્યું, “ પ્રિયે વેગવતિ ! તે શાભાની પતાકા ગ્રહણ કરી છે (અર્થાત્ ઉત્કૃષ્ટ શોભા પ્રાપ્ત કરી છે ).” એટલે કુપિત થયેલી તે બોલી, “ જે તમારા મનમાં સ્વાધીન અને જાણે કે કંઈક ચિત્રાયેલી હોય તેવી છે તેની શોભાયમાન કહીને પ્રશંસા કરે છે. ” મેં કહ્યું, “તે તે દૂર છે; તું શા માટે ક્રોધ કરે છે? મારા હૃદયમાં તે. તું જ છે. મેં તો મશ્કરી કરી હતી, માટે તારે આ (કથનને) અપરાધ ન ગણવું.” એટલે તેણે કહ્યું “મારી સમીપમાં જેનું નામ લો છો તે જ તમારી પ્રિયા થાઓ.” પછી “લેકની વચ્ચે તેને સમજાવી શકાશે નહીં, ( એમ કરતાં) તે વધારે કાપવાળી થશે, માટે પછી તેને પ્રસન્ન કરીશ” એમ ધારીને તેને પ્રસન્ન કરવાના ઉપાયને વિચાર કરતો હું બેઠો. (૧૫) વેગવતી લંભક મુહુર્ત માત્રામાં મદનવેગા પ્રસન્ન મુખવાળી બનીને આવી. પ્રસન્ન થઈને તે આવી એટલામાં તે (બહાર) કોલાહલ થયો. “મહેલ સળગે છે” એમ કહીને તે ૧ મૂળમાં સચિવસત્થા (?) છે પણ ખંભાતની તાડપત્રની પ્રતમાં ક્ષત્તિળ%થા છે. તે ઉપરથી અનુવાદ કર્યો છે. “સુવર્ણની શક્તિ” અર્થ લેવાને આધાર એ છે કે મહાભારત આદિમાં શસ્ત્રાસ્ત્રોના વર્ણનમાં “સુવર્ણની શક્તિ ના ઉલ્લેખ આવે છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - [ ૩૨૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ઉતાવળે ઊઠી. સખ્ત પવનથી પ્રેરિત અને જેની શિખાઓને સમૂહ વધતું જતું હતું એ અગ્નિ મેં જોયે. મને લઈને તે વેગથી આકાશમાં ઊડી. પણ ત્યાર પછી તેણે મને છોડી દીધો. તે સમયે ઉત્તાન અને પહેલા કરેલા હાથવાળા તથા મને પકડવાની ઈચ્છા રાખતું હોય એવા માનસવેગને મેં જોયે, પછી તેણે (મદનગાએ) મને છોડી દઈને માનસવેગને નસાડ્યો. તે પણ નાસી ગયો. અવાજ કરે તો હું નીચે ઘાસની ગંજી ઉપર પડ્યો એટલે મારા શરીરને કોઈ પીડા થઈ નહીં. મેં માન્યું કે, “હે વિદ્યાધરણિમાં છું.” પછી મેં વિચાર કર્યો કે, “અરિજયનગર અથવા બીજું કઈ વિદ્યાધરોનું નગર કયી દિશામાં હશે?” એકાદ મુહૂર્ત પછી જરાસંધનું ગુણકીર્તન કરતા અને ગાતા પુરુષને મેં થોડેક દૂર છે. એટલે હું ઘાસની ગંજી ઉપરથી ઊતર્યો અને તેને પૂછ્યું, આ જનપદનું નામ શું? આ કયું નગર છે? અને અહીંને સ્વામી કોણ છે ?” તેણે કહ્યું, “તમે એને વિષે વાત સાંભળી હોય તે-ભારતવર્ષના તિલકરૂપ અને વિશેષ ગુણસંપન્ન આ મગધા જનપદ છે. દેવગૃહ સમાન આ રાજગૃહ નામે નગર છે. પ્રણામ કરતા સામંતરાજાઓના મુકુટમણિનાં કિરણેથી જેનું પાદપીઠ રંગાયેલું છે એ બ્રહદ્રથને પુત્ર જરાસંધ અહીં રાજા છે. તમે કયાંથી આવે છે કે જનપદ, નગર અને રાજાનાં નામ પણ જાણતા નથી?” મેં કહ્યું, “હું ક્યાંથી આવું છું તેનું તમારે શું કામ છે?” પછી મેં વિચાર્યું, “આ વિદ્યાધરઐણિ નથી. નગરમાં પ્રવેશ કરું પછી મનગમતા સ્થાને જઈશ.” પછી પુષ્કરિણીમાં હાથપગ ધોઈને હું નગરમાં પ્રવેશે. નગરની સમૃદ્ધિ જોતે હું ઘતશાલામાં પહેર્યો. ત્યાં મહાધનિક અમા, શ્રેષ્ઠીઓ, સાર્થવાહ પુરોહિત, તલવરો (નગરરક્ષક) અને દંડનાયક મણિ, રત્ન અને સુવણને રાશિ રચીને ધૂત રમતા હતા. હું તેમની પાસે ગયે. વિચિમત મુખવાળા તેઓ મારી તરફ જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા, “લે આવ્યા, બેસો. જે ઈચ્છા હોય તો ખેલ.” પછી હું બેઠો. તેઓ કહેવા લાગ્યા, “અહીં ઇભ્યપુત્ર પિતાની માલિકીના ધનથી રમે છે, તમે શેનાથી રમે છો?” મેં તેમને મારી અંગુઠી બતાવીને કહ્યું, “જુઓ.” તેઓએ તે તપાસી, અને (રત્નપરીક્ષામાં) કુશળ એવા તેઓએ કહ્યું, “આ હીરાનું મૂલ્ય એક લાખનું કહેવું છે.” પછી તેમણે અનુમતિ આપતાં હું ખેલવા લાગ્યું. જેનું મૂલ્ય કરવામાં આવ્યું છે એવા સુવર્ણ અને મણિના (ઢગલા) તેમણે કર્યા. તેમાં પણ મણિના જઘન્ય-નાના ઢગલા એક લાખના મૂલ્યના હતા, મધ્યમ ઢગલા બત્રીસ, ચાલીસ અને પચાસ લાખના મૂલ્યના હતા, ઉત્કૃષ્ટ ઢગલા એંશી લાખ, નેવું લાખ અને એક કરોડના મૂલ્યના હતા, તથા અતિ નિકૃષ્ટ પાંચસેના હતા. પછી પરાજય થતાં તેઓ બમણ-શ્રમણ દાવ મૂક્યા હતા. પછી મેં કહ્યું, ભલે, હવે લેખનો સરવાળો કરો.”એટલે સરવાળો કરવામાં આવ્યું. ત્યાં રહેલા મધ્યસ્થાએ કહ્યું, “પણા તરીકે આવેલા આર્ય એક કરોડ જીત્યા છે.” પછી સુવર્ણ, મણિ અને Page #378 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લભક [ ૩ર૩ ] માતીના જુદા જુદા વિભાગ કરીને ઢગલા કરવામાં આવ્યા. દ્યૂતશાલાના અધિપતિ પુરુષને મેં કહ્યું, “ જા, સૌમ્ય ! દીન, દુ:ખી અને અનાથ લેાકાને ખેલાવી લાવ; હું તેને આ ધન આપીશ. ” તે નીકળ્યા, અને ઘાષણા કરી કે, “ધનાથી, દુઃખી અને દરિદ્ર હાય તે દ્યૂતશાલામાં આવે. કાઇ દેવરૂપી પરાણેા ઇચ્છાનુસાર ધન આપે છે. ” એટલે માગણુ લેાકા ટાળાખંધ આવ્યા; અને હું તેમને સુવર્ણ, મણુિ અને મુક્તાફળ આપવા લાગ્યા. એટલે વિસ્મિત થયેલા લેાકેા કહેવા લાગ્યા, “આ માનવ નથી; નક્કી એ કુબેરના ભવનમાં રહેનારી કમલાક્ષ યક્ષ હશે, જે કાંચન અને મણિ પ્રત્યે, જાણે કે કચરા હાય તેમ, અવજ્ઞા ધરાવે છે. ” લેાકેા મારી સ્તુતિ કરતા હતા કે, “ લક્ષ્મી વડે વર્ધમાન એવા આ પૃથ્વીપતિ દેવ હશે. ” એટલામાં રાજપુરુષા આવ્યા. તેઓ કહેવા લાગ્યા, ચાલા, રાજા તમને મેલાવે છે. ’” તેમની સાથે હું નીકળ્યો, લેાકેા પણ પ્રીતિથી મારી પાછળ પાછળ આવવા લાગ્યા. રાજાના ચાદ્ધાઓએ લાકોને ધમકાવ્યા. ‘શું આ ધર્મ પુરુષના રાજકુલમાં પ્રવેશ કરાવ વામાં આવશે ?’ એ પ્રમાણે લેાકવાણી સાંભળતા હુ રાજકુલમાં પ્રવેશ્યા. દ્વારની નજીક આવ્યા ત્યારે તેએએ-રાજપુરુષાએ કહ્યું, “ રાજાને આની ખબર આપેા. ” પછી તેઓ મને એકાન્તમાં લઇ ગયા, અને મને મજબૂત રીતે મધ્યેા. જેનું કૌતુક દૂર થયુ છે એવા મને કેટલાકે। દાંત કકડાવીને કહેવા લાગ્યા, “ લે, રમ ! ” કેટલાક ખેલ્યા કે “ અહેા ! અકાર્ય છે, આ બિચારાની હત્યા થાય છે,” મેં કહ્યું, “ કહેા, મારા શે। અપરાધ છે, કે જેથી મારા છે ? (હું પૂછું છું, શાથી જે ) રાજકુલમાં મારે વિવાદ ન કરવા પડે, કારણ ત્યાં અવશ્ય મર્યાદા રાખવાની હાય છે, ” તેઓ આલ્યા, “ સાંભળેા, કહીએ છીએ-રાજા પ્રજાપતિ શર્માને નૈમિત્તિકે કહ્યું હતું કે, · રાજન ! કાલે તારા શત્રુના પિતા અહીં આવશે.’ રાજાએ પૂછ્યું, · તેને કેવી રીતે જાણુવા ? ’ તે એલ્યેા, ‘ દ્યૂતમાં કરાડ જીતીને તે લેાકાને આપશે. એ રીતે તારે તેને જાણવા. ' પછી રાજાની આજ્ઞાથી વ્રતશાલાઓમાં વિશ્વાસપાત્ર પુરુષાને રાખવામાં આવ્યા. તમે કરાડનું દાન આપ્યું છે. આ તમારા અપરાધ છે. ” k " એટલે મેં વિચાર કર્યાં, “અહા! પ્રમાદને કારણે હું આ આપત્તિ પામ્યા છું. જો બહાર મેં તેમને પૂછ્યુ હાત, અને તેમણે કારણુ કહ્યું હાત તે પરાક્રમ વડે અવશ્ય હું મારી જાતને મુક્ત કરત. અથવા બદ્ધ, પૃષ્ટ અને નિકાચિત પૂર્ણાંકમાં ભાગન્યા સિવાય છૂટકે નથી, એમાં વિષાદ શે ? સંસારી પ્રાણીઆને સુખદુ:ખ સુલભ હાય છે. ” આ પ્રમાણે હું વિચાર કરતા હતા. ત્યાં તે પુરુષા વાહન લઇને આવ્યા. તેઓ મેલ્યા, 66 આ પુરુષના ગુપ્ત રીતે નગરની બહાર લઇ જઇને વધ કરવાના છે. ” તેએએ મને લજ્જામાં–ચામડાના કોથળામાં નાખ્યા, અને ભસ્રા સહિત વાહનમાં નાખ્યા. પછી વાહનની ગતિથી તેઓ મને ક્યાંક લઈ જવા લાગ્યા. પછી મને ઉતારીને તે કહેવા લાગ્યા, 66 Page #379 -------------------------------------------------------------------------- ________________ -- - ---- - --- - - [ ૩૨૪] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : “આ મર્યાદાલેપ, અપયશ અને અધર્મનું ફળ પ્રજાપતિશર્માને માથે પડે, કે જે આવા પુરુષરનને વિનાશ કરાવે છે.” આમ બોલીને તેઓએ મને છિન્નકટક પહાડની સીધી કરાડમાં નાખે. ક્યાંય પણ અટક્યા સિવાય અવાજ કરતે પડ્યો, એટલું મેં જાણ્યું. ઉપરથી પેલા પુરુષોને અવાજ મેં સાંભળ્યો કે “આને કેઈએ ઝીલી લીધો છે.” “જેમ ચારદત્તને ભાઈંડ પક્ષીઓએ ઉપાડી લીધું હતું તેમ મારું પણ ભાગ્યવશાત્ બન્યું હશે. જેમ એ ચારુદત સાધુ સમીપે પહોંચ્યો હતો તેમ મને પણ સંપ્રાપ્તિ-લાભ સિદ્ધ થશે. જીવિતદાન આપનાર સિદ્ધોને નમસ્કાર હે” આ પ્રમાણે મનમાં વિચાર કરતા હતા, એટલામાં મને દૂર લઈ જઈને નીચે મૂકવામાં આવ્યું. મને નીચે મૂક્યું, એટલે પૂર્વે જેયેલ ચરણયુગલ મેં જોયું. સર્પ જેમ કાંચળીમાંથી નીકળે તેમ હું ભઆમાંથી નીકળે, તે મેં વેગવતીને રડતી જોઈ. મને આલિંગન કરીને, શોકનો ભાર બહાર કાઢતી, કરુણ રુદન કરતી તે કહેવા લાગી, “હા અદુઃખગ્ય ! હા અમારા જેવી અનેકના નાથ ! હા મહાકુલીન! હા મહાસત્વ ! (કેવા વિચિત્ર સંગોમાં) કેવી રીતે મેં તમને પાછા પ્રાપ્ત કર્યા છે. પૂર્વે તમે કેવું કર્કશ કર્મ કર્યું હશે, જેથી આવું દુઃખ પામ્યા છે ?” એટલે મેં તેને આશ્વાસન આપ્યું કે, “પ્રિયે શોક દૂર કર, હું ભવ્ય હવાને આદેશભવિષ્ય સાધુઓએ ભાખેલ છે. ઋષિઓ પૂજ્ય વચનવાળા હોય છે. (એટલે એ વાત સાચી છે). મેં પણ પૂર્વભવમાં કોઈને પીડા આપી હશે, જેથી આવું દુખ હું પામે. કર્મના વિપાકે આવા પ્રકારના છે, જેથી સુખને અંતે ભય ઉત્પન્ન થાય છે અને ભયસ્થાનમાં પરમ પ્રીતિ પેદા થાય છે. દુઃખમાં પડેલા બુદ્ધિમાને વિષાદ કરવો નહીં. સુખદુઃખની શંખલાઓ, આપણે ઈચ્છીએ નહીં તે પણ, આવે છે. તેમાં સુખમાં જે મદ ન કરે, દુઃખમાં જે વિષાદ ન પામે તે પુરુષ છે, બીજાઓ તે કચરા જેવા છે.” પછી મેં વેગવતીને પૂછયું “તેં મને (આ ભામાં) જાણે કેવી રીતે? આટલે સમય મહાપુરમાં અથવા તારા પોતાના ઘરમાં તું કેવી રીતે રહી હતી?” એટલે રોતી રોતી તે કહેવા લાગી, “સ્વામી ! હું જાગી ઊઠી, અને તમને શયનમાં નહીં જોતાં “મારા પ્રિયતમ ક્યાં હશે ? “એમ કરીને રડવા લાગી. મને શંકા હતી કે મારો ભાઈ માનસવેગ કદાચ તમારું હરણ કરી ગયે હશે ” પછી રોતાં રેતાં મેં રાજાને ખબર આપી કે “તાત ! આર્યપુત્ર કયાંય માલૂમ પડતા નથી.” એટલે રાજકુલ ખળભળી ઊઠયું, ઘણા કે તપાસ કરવા લાગ્યા, (અને કહેવા લાગ્યા, “દીપિકાએ લઈને બરાબર તપાસ કરેજે.” દ્વાર બંધ હોવાથી રાજભવનમાંથી બહાર નીકળવાનો તે કઈ માર્ગ જણાતે નહતું. રાત્રિ વિતીને પ્રભાત થયા પછી કંચુકીઓ અને દેવીઓએ તમને અમદવનમાં જોયા નહીં, એટલે દેવીએ અને રાજાએ મને કહ્યું, “બેટા ! સંતાપ છેડી દે, તારી પાસે વિદ્યાઓ છે, તેમને જાપ કરીને તારા પતિને વૃત્તાન્ત પૂછ.” પછી મેં સાવધાન થઈ, સ્નાન કરીને વિદ્યાનો જાપ કર્યો. તેણે મને તમારા સમાચાર કહ્યા. પછી રાજાને અને દેવીને Page #380 -------------------------------------------------------------------------- ________________ વેગવતી લંક [ ૩૫ ] ** * * ~ ~ *~-~ કહ્યું, “આર્યપુત્રનું માનસવેગે હરણ કર્યું હતું. તેમને આરોગ્ય છે. અત્યારે ભાગ્યવશાત વિદ્યાધરેએ તેમનો પરિગ્રહ કરેલો છે. આપણને તેઓ ભૂલી ગયા છે. તે વિદ્યાધરોની ભગિની મદનવેગા નામે છે. તે કન્યા તેઓ (આર્યપુત્રને) આપશે.” એટલે રાજાએ અને દેવીએ મને કહ્યું, “બેટા ! તું સંતાપ ન કરીશ. જીવતો નર ભદ્રા પામે. અવશ્ય તારા સ્વામીને અવિન છે. આ કાર્ય નિમિત્તે તું સ્વામી સાથે મળીશ. શું ગુણવતી ભાર્યાઓને તે ત્યાગ કરશે? પુત્રિ ! તું તારી ઈચ્છા પ્રમાણે સર્વત્ર જવાની શકિતવાળી છે; નિરુદ્વિગ્ન અહીં હઈશ તે એવી તું ઇચ્છાનુસાર પ્રિયતમ પાસે જઈ શકે છે. આ તારું પોતાનું જ ઘર છે. તું અમારી પુત્રીનું પણ અહીં આગમન થશે.” એટલે મેં કહ્યું, “સ વિદ્યા ધરીએ પિતાને પતિ સાથે હોય ત્યારે આકાશમાં વિચરે છે; કેવળ પોતાની ઈચ્છાથી જતી નથી. બહુ મહત્વનું કાર્ય હોય તે એકલી પણ જાય, પણ સપત્ની પાસે જવાનું મારે માટે ગ્ય નથી. જ્યાં મારા પ્રિયતમે મને રાખી ત્યાં જ મારે સમય ગાળવો જોઈએ. તમારા ચરણમાં રહેતી મને શે સંતાપ છે?” શરીરના સંરક્ષણ નિમિત્તે દેવીના આગ્રહથી (દિવસમાં) એક વાર ભજન કરતી હું. પિંજરમાંની એકાકી ચઢવાકીની જેમ, મહાપુરમાં આ પ્રમાણે સમય ગાળતી હતી. પછી એક વાર તમારા દર્શનની આકાંક્ષાવાળી હું દેવીની રજા લઈને, ગગનમાર્ગે ભારતવર્ષનું અવલોકન કરતી અમૃતધાર પર્વત ઉપર પહોંચી. તે પર્વત ઓળંગીને અરિજયપુરમાં પહોંચી. ત્યાં મદનગાને તમે મારા નામે સંબધી. તે રોષ પામી. મને પરમ સંતોષ થયો કે સ્વામી મારું સ્મરણ કરે છે.” મદનગા (રીસાઇને ચાલી ગઈ. પછી અગ્નિ વિકૃવીને તમારો વધ કરવાની ઈચ્છા રાખતી સૂર્પણખા (હેફગની પ્લેન ) મદનગાનું રૂપ ધારણ કરીને, તમને ઉપાડીને લઈ જવા લાગી. તે મારાથી અધિક વિદ્યાવાળી હોવાથી, તેનાથી દર નાસતી હું ડર પામી. “ હા ! સ્વામીનો વધ થાય છે !' એ પ્રમાણે શેક કરતી હું નીચે હાથ પહોળા કરીને ઊભી રહી. તમને પકડીને ઊભેલી તેણે મને રોષથી મુક્કો માર્યો. વિદ્યાથી હું માનસવેગનું રૂપ બતાવતી હતી. “દાસ માનસ વેગ ! મારા સ્વામીને મારવા ઈરછે છે?” એમ કહીને તમને મૂકીને તે મારી પાછળ દોડી. ડરીને નાસતી અને જિનગૃહને આશ્રયસ્થાન તરીકે ઈચ્છતી એવી હું દેડી, પણ જિનગૃહે પહોંચું તે પહેલાં જ તે પાપિણીએ મને પકડી અને પ્રહાર કર્યો, “તારે ઈચ્છિત પતિ હવે તારું રક્ષણ કરવામાં ઉદ્યત થાઓ” એમ કહીને, મારી વિદ્યાઓ પડાવી લઈને બડબડાટ કરતી તે ગઈ. પછી મને લાગેલા ઘાને અને વિદ્યાઓના હરણને નહીં ગણકારતી એવી હું “સ્વામી કયાં હશે? તેમનું શું થયું હશે ? ” એ પ્રમાણે તમારી શોધ કરતી, તે દિશાને અનુસરીને રડતી રડતી ભમવા લાગી. ખાવાપીવાની મને ઈચ્છા થતી નહતી. પછી મેં આકાશવાણી સાંભળી કે, “આ તારો પતિ છિન્નકટક ઉપરથી પડે છે, માટે શેકનો ત્યાગ કર.” પછી આ પ્રદેશ Page #381 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : માં આવીને મેં ભસ્મક પકડી લીધે, અને જેનું દુઃખ બમણું થયું છે એવી મેં તમને અહીં આણ્યા. હે નાથ ! આજથી મારે વિદ્યાપ્રભાવ નથી.” પછી અમે પાંચ નદીના સંગમ પાસે આવેલા આશ્રમપદમાં ગયાં. મારી પ્રિયા ધરણીગોચરી (માનવ સ્ત્રી જેવી-વિદ્યાઓ વગરની) થઈ હતી. પુલિનમાં અને પ્રવાહની પંક્તિઓમાં ઊતરીને અમે વરુણેદિકા નદીમાં સ્નાન કર્યું, અને સિદ્ધોને પ્રણામ કરીને બહાર નીકળ્યાં. ત્યાં મેં સ્વાદિષ્ટ ફલો લીધાં, અને અમે બંને જણાંએ તે ખાધાં. પાણી પીને, આચમન કરીને વનની વૃક્ષોની ઘટારૂપી વિભૂતિ અમે જોવા લાગ્યાં. વેગવતીને શોક દૂર કરવા માટે તેને પુનાગ, ફણસ, નાળિયેર, પારાપત (?), ભવગય (૨), નમેરુક (2) વગેરે વૃક્ષે હું બતાવતે હતા. પછી જાણે બાંધવજનેની વચ્ચે આવેલાં હોઈએ તેમ ઋષિઓની સમીપમાં રાત્રિ ગાળીને સવારમાં સૂર્યનાં કિરણેથી અંધકાર પરાસ્ત થયે તે સમયે, વિરમયથી જેમનાં નયને વિસ્તાર પામ્યાં છે એવા ઋષિઓ વડે જેવાતાં અને “નક્કી, આ કઈ દેવમિથુન કુતૂહલથી મનુષ્યલોકમાં આવ્યું છે ” એ પ્રમાણે તેમના વડે પ્રશંસા કરાતાં અમે આશ્રમપદમાંથી નીકળ્યાં. ઋષિઓના સ્થાનમાંથી નીકળેલાં અમે વેગવતીના હૃદય જેવા નિર્મળ ઉદકવાળા વરુણેદક આગળ પહોંચ્યાં. તે નદીના પુલિન અને દ્રહની શોભા જોતાં તથા જેણે વિવિધ ધાતુઓ રૂપી અંગરાગ કર્યો છે એવા તથા જાણે ગગનનું પ્રમાણ માપવાને ઊંચા થયેલા હોય તેવા તથા જેની તળેટી વરુણેદિકાનાં પાણી વડે પખાળાતી હતી એવા સીમનગને જોતાં અમે દૂર સુધી ગયાં. મેં વેગવતીને કહ્યું “પ્રિયે! આપણે વિદ્યા વગરનાં છીએ એમ માનીને તારે શેક કરે નહીં. આ પ્રદેશમાં નિદ્વિગ્નપણે સમય ગાળવાનું આપણે માટે શક્ય છે. અથવા તું ક્યાં કહીશ ત્યાં જઈશું.” એટલે તે બેલી, “સ્વામી! તમારા જીવનના રક્ષણ માટે પ્રયત્ન કરતાં થયેલ વિદ્યાભ્રંશ પણ મારે માટે ઉત્સવ છે. પત્નીએ પિતાના પ્રાણ વડે પણ પતિનું પ્રિય કરવું જોઈએ, એ લેકધર્મ છે. તમારી પાસે રહેતાં મને પ્રકટ આનંદ થાય છે.” (૧૬) બાલચન્દ્રા લંભક આ પ્રમાણે અ ન્યને અતિશય કરનારાં વચન વડે અમે એકમેકને પ્રીતિ ઉત્પન્ન કરતાં હતાં, ત્યાં હરિયાળાં પત્ર, પહલવ અને પુષ્પના સમુદાય વડે મંડિત, મનઃશિલ અને ૧. મૂળમાં તળાળ પાઠ છે, તે સ્થાને ઔચિત્યની દૃષ્ટિએ વાળ કાને અનુવાદ કર્યો છે. ૨. અહીં મળમાં શી નવરં (૧) પાઠ છે. પરંતુ આગળ “કેતુમતી લભક”( જુએ મૂલ, પૃ. ૩૧૯)માં સીમા ( બીજી પ્રત સીમન ) પાઠ છે. વળી અહીં વર્ણન પણ દેખીતી રીતે જ પર્વતનું છે. આથી સીમા પાઠ સ્વીકાર્યો છે Page #382 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - બાલચન્દ્રા લંભક [ ૩ર૭ ] ગેરુ વડે રંગાયેલા અંજનગિરિના શિખર સમાન સુશોભિત અને કુસુમભાર વડે નમેલી અને ભમરાઓ વડે શબ્દાયમાન સહકારલતા વડે આલિંગિત એવા અશોક તરુવરની નીચે નીલકમળના પત્રરાશિ જેવી શ્યામ શિલા ઉપર બેઠેલી, નાગપાશ વડે બંધાયેલી, જાણે કનકની બનાવેલી દેવતા હોય એવી કન્યાને અમે જોઈ. મેં વિચાર કર્યો, “શું આ વનદેવતા હશે? અથવા કેઈની આજ્ઞાથી આવું રૂપ ધારણ કરનારી અસરો હશે ?” તેને જોઈને વેગવતી મને કહેવા લાગી, “આર્યપુત્ર ? ઉત્તરશ્રેણિમાં આવેલા ગગનવલલભ નગરના અધિપતિ ચંદ્રાભની પુત્રી અને મેનકા દેવીથી જન્મેલી આ કન્યા મારી બાળપણની સખી બાલચન્દ્રા નામે છે. મોટા રાજકુલમાં જન્મેલી આ કન્યા અપરિણીત છે. તેને જીવિતદાન આપીને કૃપા કરો. વિદ્યાના પુરશ્ચરણમાં (ચકી જવાથી) પીડિત થયેલી અને નાગપાશ વડે બંધાયેલી તે પ્રાણસંશયમાં છે. તેનું જીવન જોખમમાં છે. તમારા પ્રભાવ વડે કઈ વસ્તુ અસાધ્ય નથી.” પછી તેના વચનનું અનુસરણ કરતા મેં દયા લાવીને “એમ થાઓ” એ પ્રમાણે કહીને તે વસ્તુ સવીકારી. બંધન વડે અત્યંત પીડાયેલી એવી તેને મેં ઉપાડી અને બોલાવી; છતાં ભયને કારણે, જેની દેરી છૂટી ગયેલી હોય એવી ઈન્દ્રયણિની જેમ, તે ધડાક દઈને ધરતી ઉપર પડી અને મૂચ્છ પામી. જેનું વિન દૂર થયું છે એવી તેનું પત્રપુટમાં ભરેલ પાણી છાંટવા વડે અમે સમાવાસન કર્યું, એટલે દક્ષિણ દિશાના પવન વડે વીંજાયેલી વસત ઋતુની નલિનીની જેમ તેની શોભા પાછી વળી. તે સ્વસ્થ થઈ અને વેગવતીને પ્રણામ કરીને તે કહેવા લાગી, “સખિ ! જીવિતદાન આપવા વડે તેં મારા પ્રત્યેનો સ્નેહ દર્શાવ્યું છે. વળી આ જીવિતદાન કરતાં ચડિયાતું બીજું કઈ દાન જીવેલકમાં નથી. ” પછી હાથ જોડીને, વાયુ વડે આંદલિત કમળની શેભાનું હરણ કરનારા, (મતીના) હાર જેવા ધવલ દંતરૂપી પત્રવાળા મુખકમળ વડે, પિતાના હોઠ હલાવતી તે વિનંતી કરવા લાગી, “દેવ ! અમારા કુલમાં વિશેષ કરીને દુખપૂર્વક સાધી શકાય એવી અને મહાઉપસર્ગવાળી મહાવિદ્યાઓ છે, પણ તમારી કૃપાથી મારી વિદ્યાઓ સિદ્ધ થઈ છે અને પ્રાણત્યાગના પ્રસંગે જીવિત પ્રાપ્ત થયું છે. ” એટલે મેં તેને કહ્યું, “ વિશ્વસ્ત થા. અમે તારાં સ્વજને છીએ. જે તને દુઃખ ન થતું હોય તો નિ:સંકેચપણે કહે કે–તમારા કુલમાં વિશેષ કરીને દુઃખપૂર્વક કેવી રીતે વિદ્યાઓ સિદ્ધ થાય છે?” પછી તે બોલી, “ તમારા તેજના પ્રભાવથી મને દુઃખ થતું નથી. બેસે, પછી તમને કહીશ” પછી હું વેગવતીની સાથે અશોક જન વડે સેવનીય એવા અશોક વૃક્ષની નીચે બેઠે. સરસ્વતી જેવા રૂપવાળી તે બાલચન્દ્રા પણ ત્યાં બેસીને પ્રત્યક્ષ કહેવા લાગી.વિઘુદષ્ટ્ર વિદ્યાધરને વૃત્તાન્ત. દેવ ! ભારતવર્ષને જેણે વિભાગ કર્યા છે એવો તથા પૂર્વ અને પશ્ચિમે લવણ ૧. મળમાં સુન્નાર છે. તેમાં ડુમયને અર્થ અસ્પષ્ટ છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ: www સમુદ્રમાં પોતાના બંને પાદ (તળેટીના ભાગ) જેણે મૂક્યા છે એવો વૈતાઢ્ય નામે પર્વત છે. ત્યાં વિદ્યાધરી વડે વસાયેલી એવી ઉત્તર અને દક્ષિણ એ બે શ્રેણિઓ છે. ત્યાં ઉત્તરશ્રેણિમાં ગગનમાં વિહાર કરવાને ટેવાયેલા એવા દેને વિસ્મય પમાડનારું ગગનવલભ નગર છે. ત્યાં વિદ્યાધરના બળના માહાસ્યનું મથન કરનાર વિદુષ્ટ્ર નામે રાજા હતા. તેણે વિદ્યાધરને વશ કર્યા હતા. એક સે દસ નગર વડે શોભાયમાન બને શ્રેણિઓને તે પિતાના પરાક્રમ વડે ભેગવતે હતા. એક વાર પશ્ચિમ વિદેહમાંથી પ્રતિમામાં રહેલા સાધુને પોતાના પ્રભાવ વડે આ પર્વત ઉપર લાવીને તે વિદ્ધષ્ટ્ર વિદ્યાધર રાજાઓને આજ્ઞા આપી, “ આ ઉત્પાત જે વધશે તે તેથી આપણે વિનાશ થશે, માટે જરાયે વિલંબ કર્યા વગર આયુધ ગ્રહણ કરી એકીસાથે તેને મારો. એમાં તમારે પ્રમાદ કરે નહીં.” પછી મોહવશ અને સાધુને મારવાની ઈચ્છાવાળા તેઓ આયુધ ઊંચાં કરીને ઊભા રહ્યા. તે વખતે દેવો વડે મોકલાયેલે નાગરાજ ધરણ અષ્ટાપદ પર્વત તરફ જતો હતો. તેણે આ અવસ્થામાં રહેલા વિદ્યાધરોને જયા, એટલે કૃદ્ધ થયેલા તેણે તેઓને કહ્યું, “ હે ઋષિઘાતકો ! તમે આકાશગામીઓ અહીં કેમ ભેગા થયા છો? ગુણ-દેષને વિચાર નહીં કરનારા એવા તમારું આમાં શ્રેય નથી.” આમ કહેતાં નાગરાજે તેઓની વિદ્યાઓ પડાવી લીધી. એટલે ભયથી ગદગદ્દ કંઠવાળા તેઓ વિનયપૂર્વક મસ્તક નમાવીને નાગરાજ પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, “દેવ! અમે તમારા શરણાગત છીએ. અમારા સ્વામી વિદ્યુદંષ્ટ્રના આદેશથી અમે તપસ્વીનો વધ કરવાને ઉઘુક્ત થયા હતા. અમે અજ્ઞાન છીએ, માટે કપ દૂર કરો. અમારા ઉપર કૃપા કરો. કહે, કોની પાસે આ સાધુની દીક્ષા થઈ હતી. ?” પછી આ પ્રકારનાં વચન વડે જેનો રોષ શાન્ત થયો છે એ તે નાગરાજ કહેવા લાગ્યા, “અરે! સાંભળે– સંજયંત અને જયંતને વૃત્તાન્ત - પશ્ચિમ વિદેહમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ સલિલવાળો સલિલાવતી વિજય છે, અને વિતશાક (જેમના શેક દૂર થયા છે એવા) જન વડે લેવાયેલી વીતશેકા નગરી છે. ત્યાં પ્રસિદ્ધ નિર્મળ વંશવાળે સંજય નામે રાજા હતા. તેની સત્યશ્રી દેવી હતી. તેમના બે પુત્ર સંજયંત અને જયંત નામે હતા. સ્વયંભૂ તીર્થંકર પાસે ધર્મ સાંભળવાથી જેને કામ પ્રત્યે વૈરાગ્ય થયે છે એવા તે રાજાએ, વસ્ત્રના છેડા ઉપર વળગેલા તૃણની જેમ, રાજ્યને ત્યાગ કરીને પોતાના પુત્રોની સાથે દીક્ષા લીધી અને શ્રમણ્ય પાળવા લાગે. જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે, વિવિધ તપ-ઉપધાનો વડે જેના કર્માશોની નિર્જરા થઈ છે એ તથા અપૂર્વકરણમાં આરૂઢ થયેલે તે ઘાતિ કર્મ અને ચાર અઘાતિકને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે. શિથિલાચારી તથા જેણે સંયમનો ભંગ કર્યો હતે એ જે જયંત હતે Page #384 -------------------------------------------------------------------------- ________________ બાલચન્દ્રાલ ભક [ ૩૨૯ ] તે કાળા કરીને હું ધરણુ થયા. સંજયતે પણુ અપૂર્વ સંવેગથી નવ પૂર્વના અભ્યાસ કર્યો અને જિનકલ્પની પરિકણા–અભ્યાસ નિમિત્તે ભાવના વડે ભાવિત આત્માવાળા તે એકાકી વિહાર કરવા લાગ્યા. પછી ઉત્તમ વી થી જેણે પેાતાની કાયા વાસરાવી છે એવા તથા ત્રણ પ્રકારના ઉપસર્ગ સહન કરનાર અને પ્રતિમામાં રહેલા સંજયંતને વિષ્ણુર્દૂ અહીં લાવ્યેા. એ સંજયંત મારા મેટા ભાઇ છે.” આ પ્રમાણે ધરશે કહ્યું. પછી વિશુદ્ધ થયેલી લેશ્યાવાળા, અપ્રતિપાતી એવા સૂક્ષ્મક્રિયા નામે શુકલધ્યાનમાં રહેલા ભગવાન સંજયંતને માહનીય કા તથા જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય અને અંતરાય કર્માંના ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમની પૂજા કરવાને દેવા અને વિદ્યાધરા આવ્યા. 55 ફરી પાછા ( વિદ્યાધરા ) દેવને ( નાગરાજને ) પૂછવા લાગ્યા, “ સ્વામી ! કહા, વિદ્યર્દૂ આ સાધુને અહીં શા માટે લાવ્યેા હતેા ? ” એટલે નાગરાજે કહ્યું, “ અમે જઇએ છીએ, સર્વજ્ઞ ભગવાન તમને એ બધુ... વિશેષપૂર્વક કહેશે. ' પછી તેઓ કેવલીની પાસે ગયા, અને વિનયપૂર્વક પ્રદક્ષિણા કરીને બેઠા. જેમણે સર્વ ભાવા જાણ્યા છે એવા મુનિ દેવા, અસુરા અને વિદ્યાધરોને ધર્મ માર્ગ અને ધર્મ માર્ગનું ફળ કહેવા લાગ્યા. જેમકે-“ અનાદિ સંસારરૂપી અટવીમાં ભ્રમણુ કરતા, વિવિધ પ્રકારના ઉપદ્રવથી હેરાન થયેલા, સાચી વસ્તુ નહીં જાણતા અને સુખની ઇચ્છા રાખતા જીવને જ્ઞાનાતિશય રૂપી સૂર્યના તેજ વડે સર્વ ભાવેશને પ્રકાશિત કરનારા અરિહંત ભગવંતાએ સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર્ય વડે વિશિષ્ટ એવા ધર્મ માર્ગ ના ઉપદેશ કરેલા છે. કર્મની લઘુતા વડે જેને ઉત્સાહ ઉત્પન્ન થયેલેા છે એવા, ( ધર્મ માર્ગને ) પ્રાપ્ત થયેલા, જેણે ગુણ-દોષ જાણ્યા છે એવા, ખરાબ માના ત્યાગ કરનારા, સ’સારરૂપી અટવીના પાર પામી ગયેલા અને જેણે કર્માં ખપાવ્યાં છે એવા જીવ ચારિત્ર્યરૂપી ભાતાની પ્રાપ્તિદ્વારા નિર્વાણરૂપી નગરમાં પહેાંચે છે, તે ધર્મ માર્ગનુ ફળ છે. ” એટલામાં વિદ્યાધરા પ્રણામ કરીને કેવલીને પૂછવા લાગ્યા, ભગવન્ ! વિદ્યુ ંબ્લૂ આપને અહીં શા કારણથી લાખ્યા હતા ? ’” એટલે કેવલી કહેવા લાગ્યા, << રાગ અને દ્વેષને વશ થયેલાં પ્રાણીઓને પ્રયેાજનવશાત કેપ અને પ્રસન્નતા થાય છે. વીતરાગ ભાવને લીધે મને તે એમાંથી એક પણ વસ્તુ નથી. એથી મારા અને તેના વેરાનુબંધ કહું છું ” વિદ્યાધરાએ કહ્યું “ (એ વૈરાનુબંધ) કેવી રીતે (થયા) ? ” એટલે જિન કહેવા લાગ્યા વિદ્યુષ્ય અને સ ંજયતના પૂર્વ ભવને વૈસ બધ— ,, “ આ જ ભારતવર્ષમાં સિંહપુર નગરમાં સિંહુસેન નામે રાજા હતા. સ્ત્રીજનામાં ૪૨ 66 Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : મુખ્ય અને અકૃષ્ણ (પવિત્ર) માનસવાળી તેની રામકૃષ્ણ નામે ભાર્યા હતી. તેને હિતેચ્છ શ્રીભતિ નામે પુરોહિત હતો. તેની પત્ની પિંગલા નામે હતી. તેઓની સાથે રાજા રાજ્યનું શાસન કરતો હતો. એક વાર વહાણમાગે સમુદ્રને પ્રવાસ કરવાની ઈચ્છાવાળો પશ્વિનીખેટનો વતની ભદ્રમિત્ર સાર્થવાહ સિંહપુર આવ્યું. તેણે વિચાર કર્યો; “સમુદ્રને પ્રવાસ વિધિથી ભરેલો છે, માટે બધું જ દ્રવ્ય લઈને જવું મારે માટે સારું નથી; વિશ્વાસપાત્ર કુળમાં એ દ્રવ્ય થાપણ તરીકે હું મૂકીશ.” તેણે શ્રીભૂતિ પુરોહિતને (વિવાસપાત્ર) જા. તે બહુમાનપૂર્વક શ્રીભૂતિ પાસે ગયે, વિનંતી કરતાં આનાકાનીપૂર્વક પુરોહિતે (થાપણ રાખવાનું) સ્વીકાર્યું. સીલ કરીને થાપણ મૂકવામાં આવી. પછી વિશ્વસ્ત એ સાર્થવાહ ગયા અને વેલાપત્તન(બંદર) ઉપર પહોંચે. વહાણ તૈયાર થયું અને પૂજા કરવામાં આવી. સમુદ્રના અનુકૂળ પવન વડે એક બંદરથી બીજા બંદરે જતું તે વહાણ, અપુણ્ય જનના મનોરથની જેમ નાશ પામ્યું અને પવનથી થયેલા પાણીના પરપોટાની જેમ (સમુદ્રમાં) વિલીન થયું. એક લાકડાના પાટિયાને આધારે ભદ્રમિત્ર સાર્થવાહ જેમ તેમ કરીને કિનારે પહોંચે. અનુક્રમે તે સિંહપુર ગયે અને પુરોહિતના ભવનમાં પ્રવેશે, પણ કલુષિત બુદ્ધિવાળા શ્રીભૂતિએ તેને ઓળખે નહીં-ઓળખાણ સ્વીકારી નહીં. અનેક પ્રકારે ખુશામદ કરવા છતાં તેણે એ વસ્તુ સ્વીકારી નહીં. પુરોહિતે તિરસ્કાર કરતાં તે રાજકુલમાં ગયે. ત્યાં પણ પ્રવેશ નહીં મળતાં દરરોજ રાજકુલના દ્વાર આગળ “પુરોહિત મારી થાપણ ઓળવે છે” એ પ્રમાણે પોકાર કરવા લાગ્યો. રાજાએ શ્રીભૂતિને પૂછયું કે, “આ શું છે?” તે બોલ્યો “સ્વામી ! ચિત્તભ્રમ થયો હોવાથી આ તે પ્રલાપ કરે છે. આપ જાણે છે કે હું તો વિપુલ ધનનું દાન કરું છું.” પછી રાજદ્વારમાં પ્રવેશ નહીં પામતો અને વિલાપ કરતે તે ભદ્રમિત્ર ભમતો હતો, અને રાજદ્વારે પોકાર પાડતા હતા કે “મારું રક્ષણ કરો.' આ સાંભળીને રાજા સિંહસેને મંત્રીને બોલાવ્યો અને કહ્યું “એના આ કાર્યની બાબતમાં તપાસ કરો.” મંત્રી રાજાની આજ્ઞાથી તેને પિતાને ઘેર લઈ ગયો અને બધું પૂછયું, તેનું કથન લખી લીધું અને તેને જમાડ્યો. કેટલાક દિવસ પછી ફરી પૂછયું, તે તેણે એજ વસ્તુ કહી. સુબુદ્ધિએ (મંત્રીએ) રાજાને નિવેદન કર્યું કે “એજ કારણ છે ” રાજા બોલ્યા, “પણ કયા ઉપાય વડે કહી શકાય ?” મંત્રીએ વિનંતી કરી, “સ્વામી ! તમે શ્રીભૂતિ સાથે છૂત રમવાની ગોઠવણ કરીને પછી મુદ્રાની અદલાબદલી કરો. પછી કઈ ન્હાને અંદરના ઉપસ્થાનગૃહ-દીવાનખાનામાં જઈને નિપુણુમતિ પ્રતિહારીને મુદ્રા હાથમાં આપીને પુરોહિતને ઘેર મોકલે. મુદ્રા સાથે કહેવડાવેલા સંદેશાથી પુરોહિતની પત્ની અવશ્ય થાપણુ આપી દેશે.” મંત્રીએ કહ્યું હતું તે પ્રમાણે રાજાએ કર્યું. પુરોહિતની ૧ મૂળમાં અસંપુનગમળોદ્દો છે. પણ મેં મgorગામોરો પાઠ લીધો છે, તથા સંપત્તિ સંપત્તોને સ્થાને વિપëિ સંvો પાઠ લીધે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ બાલચન્દ્રા લંભક [ ૩૩૧ ] સમક્ષ આક્રોશ કરતા ભદ્દમિત્રને રાજાએ થાપણ આપી દેતાં તે કૃતાર્થ થશે. શ્રીભૂતિને નગરમાંથી હાંકી મૂકવામાં આવ્યો; કલેશ પામતે અને રોષવિષને ત્યાગ નહીં કરતો તે કાળ કરીને અગધન (વમેલા ઝેરને ચૂસે નહીં તેવો ) સર્પ થ. સિંહચંદ્ર-પૂર્ણ ચંદ્રને સંબંધ અને તેમના પૂર્વભવ સિંહસેન રાજાને બે પુત્ર હતા.-સિંહચંદ્ર અને પૂર્ણચંદ્ર. મોટા પુત્ર સહિત રાજા અનાભિગ્રહિક (કોઈ પ્રકારની પકડ-ઝનૂન વગરનો ) મિથ્યાત્વી હતો અને દાનમાં રુચિ રાખનારા હતા. દેવી અને પૂર્ણ ચંદ્ર જિનવચનમાં અનુરકત હતાં. આ પ્રમાણે કાળ જતો હતે. ભવિતવ્યતા વડે ઘેરાયેલે રાજા એક વાર ભંડારમાં પ્રવે, અને ત્યાં જ્યારે રને ઉપર રાજાની દષ્ટિ ચટેલી હતી ત્યારે સર્ષ થયેલ પુરહિત તેને ડ. પછી સર્પ ચાલ્યા ગયે. રાજાના શરીરમાં વિષનો વેગ પ્રસરવા લાગ્યા. ચિકિત્સકે તેને પ્રતિકાર કરવા લાગ્યા. ગરુડતુંગ નામે ગારુડીએ સર્પોનું આવાહન કર્યું, નિરપરાધી સર્પોનું વિસર્જન કર્યું, પણ પેલે અગંધન સર્પ ઊભો રહ્યો. વિદ્યાબળ વડે ગારુડીએ તેને ઝેર ચૂસવાને પ્રેર્યો, પણ અતિશય માનને કારણે તેણે ઝેર ચૂસવાની ઈચ્છા કરી નહીં. પછી તેને બળતા અગ્નિમાં નાખવામાં આવતાં તે કાળ કરીને કોલવનમાં ચમર (એક પ્રકારને મુગ) થયો. વિષથી અભિભૂત થયેલા રાજા મરીને સલકીવનમાં હાથી . સિંહચંદ્ર રાજાને સિંહપુરમાં અભિષેક કરવામાં આવ્યું, અને પૂર્ણ ચંદ્ર યુવરાજ થયે. સિંહસેનનું મૃત્યુ સાંભળીને અનેક શિષ્યાઓના પરિવારવાળી અને તપ, સંયમ અને સ્વાધ્યાયમાં ઉઘુક્ત રામકૃષ્ણાની માતા-ડ્રીમતી નામે આર્યા સિંહપુરમાં આવી અને પ્રાસુક વસતિમાં રહી. પરિતેષથી પ્રસન્ન હદયવાળી દેવીએ પિતાના પુત્ર સાથે તેને આદરપૂર્વક વંદન કર્યું. આર્યાએ પણ ઉપદેશ આપે, “પુત્રિ! ધર્મના વિષયમાં પ્રમાદ ન કરીશ. માનવ જીવન ઉપદ્રવથી ભરેલું છે. પ્રિયજનના સંગનો અંત અવશ્ય વિયેગમાં આવે છે. સંધ્યાકાળનાં વાદળના જેવા ( નશ્વર) રંગવાળી રિદ્ધિ પણ લાંબા કાળ સુધી રહેતી નથી. પપમ-સાગરોપમ આયુષ્યવાળા, પિતાની ઈચ્છાને રુચે તેવાં મનહર શરીરોની વિમુર્વણું કરનારા, સર્વ પ્રદેશોમાં અપ્રતિતપણે ગતિ કરનારા તથા વિનયપૂર્વક પ્રણામ કરતી, આજ્ઞાનું રીતે સંપાદન કરતી, સદા અનુકૂળ વર્તન કરનારી અને સકલ કલાઓના સારને જાણનારી દેવીઓ વડે નિપુણપણે સેવન કરાતા, દેવકમાં વસતા દેવો પણ જીવનની અને વિષયની તૃપ્તિને પામતા નથી, તે પછી કેળની છાલ જેવા નિઃસાર શરીરવાળા, વિધ્રોથી ભરેલા, અપ જીવનવાળા, રાજા, ચોર, અગ્નિ અને જળને સાધારણ જેમને વૈભવ છે એવા અને પુરાણા ગાડાની જેમ અનેક ૧ અર્થાત માનવને વૈભવ એ છે કે રાજ લઈ જાય, ચાર ચારી જાય, અગ્નિ બાળી નાખે અને પાણી ખેંચી જાય; દેવી વૈભવ એવો નથી. Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : સાંધાઓવાળા મનુષ્યા સંકલ્પરૂપી વિસ્તૃત જળવાળા મનેારથસાગરને સામે પાર શાભા પ્રાપ્ત કરવાપૂર્વક કેવી રીતે જઇ શકે ? સ્થાવર-જંગમ સત્ત્વા નિર્જીવ થઈ જાય ત્યાર પછી પણ તેમના શરીરના અવયવા ઉપયેાગી થઇ પડે છે, પણ મનુષ્ય ભવ પ્રાપ્ત કરવાથી પ્રાયશ્ચિત્ત થાય છે ( અર્થાત્ માનવ શરીરના કેાઇ અવયવ કામ આવતા નથી. ). શરીર તે। આ પ્રકારનું હાવાથી ફેંકી દેવાના કામનુ અને અપવિત્ર છે, માટે જ્યાં સુધી તું રોગરહિત અને તપ તથા સંયમરૂપી સાધન કરવાને સમર્થ છે ત્યાં સુધી પરલેાકના હિતમાં તારી જાતને જોડ. ” આ પ્રમાણે આર્યાએ કહેતાં તેમને પગે પડીને ‘તમે સારું કહ્યું, તમારી આજ્ઞા હું સફલ કરીશ ' એ પ્રમાણે કહીને રામકૃષ્ણા ગૃહવાસના ત્યાગ કરીને શ્રમણી થઇ. સિંહચદ્ર રાજાએ પણ નાના ભાઇ ઉપર રાજ્યધુરાના ભાર મૂકીને શ્રમણુ તરીકે દીક્ષા લીધી, અને સમિતિએમાં અપ્રમત્ત અને ત્રણ ગુપ્તિવડે ગુપ્ત-રક્ષાયેલા થઇને તે વિહરવા લાગ્યા. રામકૃષ્ણાએ પણ કેટલાક કાળમાં બધુ કાલિક શ્રુત ગ્રહણ કરી લીધું'. ઉત્તમ ક્ષમા, માવ, આવ અને સતાષથી અને વિવિધ પ્રકારનાં તપ-ઉપધાનથી આત્માને ભાવતી તથા પ્રશસ્ત પરિણામવડે અને અનંતાનુબંધી કષાયના પક્ષને ક્ષીણુ કરવાની આનુપૂર્વી (ક્ષપકશ્રેણિ) વડે જેણે ક્રાતિક ખપાવેલાં છે એવી તેને કેવલજ્ઞાન-દન ઉત્પન્ન થયું. પછી આ પ્રમાણે કૃતાર્થ થયેલી હાવા છતાં ‘ આ પ્રવચનના ધર્મ છે ' એમ વિચારીને પ્રવૃતિનીની ઇચ્છાને અનુસરતી તથા તેની સાથે વિહાર કરતી રામકૃષ્ણા સિદ્ધપુર આવી, અને ત્યાં કેાઠાર-પ્રતિશ્રયમાં રહી. પ્રીતિથી જેનાં રેામાંચ ખડાં થયાં છે એવા પૂર્ણચન્દ્ર રાજા પણ પરમ ભકિતથી કેવલીને વંદન કરીને પૂછવા લાગ્યા, “ આપને સર્વ ભાવેા પ્રત્યક્ષ છે; અરિહંતને માટે કાઇ વસ્તુ ગુપ્ત નથી. તા કહેા, પૂર્વભવના કયા સંબંધને લીધે આ ભવમાં આપના અને મારા અધિક સ્નેહુ વધ્યેા હતેા ? '' કેવલીએ કહ્યું, “ અતીત કાળમાં સંસારમાં ભ્રમણ કરતા એકમેક જીવનાં સર્વ પ્રાણીએ એક પછી એક બાંધવ અને શત્રુ થયેલાં છે, નજદીકના સુહૃદયપણાને–મિત્રભાવને લીધે સ્નેહાધિકતા થાય છે. તે સાંભળ કાસલા જનપદમાં સંગમ નામે સનિવેશ છે. ત્યાં હું મૃગ નામે બ્રાહ્મણ હતા. મારી ભાએઁ મદિરા નામે હતી. તે ભવમાં તું મારી વારુણી નામે પુત્રી હતી. સ્વભાવની મૃદુતા અને સ્વાભાવિક વિનય તથા ઋજીભાવથી મને તે વ્હાલી હતી. ત્યાં હું વિવિધ શાસ્ત્રોમાં વિશારદ અને જિનવચનમાં અનુરક્ત હતા તથા ‘આ જિનધર્મ કરતાં બીજી કઈ વસ્તુ ઉત્તમ નથી ' એ પ્રમાણે મારી બુદ્ધિ નિશ્ચિત થયેલી હતી. તે કારણુથી હું સદા દયાળુ હતા, ધનમાં મારું મમત્વ નહાતુ અને માત્ર અન્ન અને વસ્ત્ર પૂરતા જ હું પરિગ્રહ રાખતા. કાઇ એક વાર દેવને માટે સૈાજન તૈયાર કરવામાં આવ્યું, (તે વખતે) સાધુએ ૧. પહેલાં ગાઢાર હાય, પણ પછીથી કપાય તરીકે વપરાતુ હાય ઍવુ સ્થાન, Page #388 -------------------------------------------------------------------------- ________________ બાલચન્દ્રા લંભક [૩૩૩] આવ્યા. “તેમને વહોરાવીએ” એ અમે ત્રણે જણને વિચાર થયો. “તું આપ” એમ કહીને (તે કામ માટે) વારુણીને નિયુક્ત કરી. તે સમયે તેને વિશુદ્ધતર ભાવ હતા. તે દાનફળથી રાજકુલમાં તારો જન્મ થયેલ છે. તારી માતા મંદિર હતી, તે પહેલાં કાળધર્મ પામીને પ્રતિષ્ઠ નગરમાં અતિબલ રાજાની સુમતિ દેવીની પુત્રી હીમતી નામે થઈ. તે યુવાવસ્થામાં આવી, એટલે પિતનપુરના અધિપતિ પૂર્ણભદ્ર રાજાને ભારે વૈભવપૂર્વક તે આપવામાં આવી. હું તારા પ્રત્યે બંધાયેલા નેહને લીધે દીક્ષા લેવાને અસમર્થ હો; આથી ગ્ય બ્રાહ્મણને પણ મેં તને આપી નહીં. આ કારણથી સ્ત્રીભાવપુરસ્કૃત કર્મનું ઉપાર્જન કરીને, જેણે શ્રમણ્ય કર્યું નથી પણ જેની વિષયતૃષ્ણા દૂર થઈ ગયેલી છે એ હું કાળ કરીને હીમતીના ગર્ભમાં રામકૃષ્ણા તરીકે જમે. હવે, પુરોહિતે એળવેલી થાપણ સિંહસેન રાજાએ યુક્તિપૂર્વક પાછી અપાવી તે લઈને પવિત્રની ખેટનિવાસી ભમિત્ર સાર્થવાહ પોતાના ઘર તરફ જતા હતા. (તે વખતે) તે વિચાર કરવા લાગે, “જેનું માત્ર જીવન બાકી રહેલું હતું એ હું જેમ તેમ કરીને સમુદ્રમાંથી અહીં પહે , માટે હવે મારે વેપાર કરવાની જરૂર નથી. જે મેં પૂર્વે મેળવેલું દ્રવ્ય છે તે વડે શ્રમણ-બ્રાહ્મણને ભાત-પાણી, શયન, આસન, ઔષધ, વસ્ત્ર અને પાત્ર આપતો અને અપાવતો હું કેટલેક કાળ કુટુંબની વચ્ચે વસીને, પછી મમત્વનો ત્યાગ કરીને દીક્ષા લઈશ. એમાં મારે પ્રમાદ કરે નહીં.” આ પ્રમાણે નક્કી કરી તે અટવીપ્રદેશમાં બેઠે. ભમિત્ર જ્યારે પ્રવાસમાં હતા ત્યારે દિવસ-રાત ખૂબ રુદન કરતી અને આહારની ઈચ્છા નહીં કરતી તેની માતા બિમાર થઈ. “અહે! પુત્રરૂપે ભદ્રામિત્રે કોઈ વેર વાળ્યું છે. તેને નહીં જોતી એવી હું જીવી શકું એમ નથી, વિવશ એવી હું પ્રાણ ત્યાગ કરીશ” (એમ કરતી) શેકપૂર્ણ હૃદયવાળી તે મરીને વાઘણ થઈ હતી. વનમાં આહારની શોધમાં તે ફરતી હતી. ધર્માભિમુખ એવા ભદ્રમિત્રને તેણે ખાધો તે માટે મોટો પુત્ર સિંહચન્દ્ર થયે. તું પૂર્વભવની વાણી છે. અધિક સનેહનું આ કારણ છે. સંસારની એ ગતિ છે કે બંધુ શત્રુભાવને પામે છે, જેમકે ભદ્વમિત્રની માતા. પરાયું હોય તે સ્વજન થાય છે, જેમકે ભમિત્ર. અથવા (સ્વજન ફરી વાર સ્વજન થાય છે, જેમકે-હે વારુણી! પૂર્વભવમાં પણ હું તારામાં નેહવાળો હતે.” ફરી વંદન કરીને પૂર્ણચંદ્ર કહેવા લાગ્યો, “સિંહસેનની શી ગતિ થઈ?” રામકૃબણાએ કહ્યું, “સાંભળ, સર્પ થયેલ શ્રીભૂતિ પુહિત સિંહસેનને કરડ્યો, એટલે તે કાળ કરીને સહલકીવનમાં હાથી થયે. વનચરોએ તેનું “અશનિવેગ” એવું નામ પાડયું. સ્વાધ્યાયમાં ઉદ્ય, કૃતસમુદ્રના પારને પામેલા અને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા સિંહચંદ્ર અણગાર એક વાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની ઈચ્છા રાખતા ગાડાંઓના સાથેની સાથે અટવીમાં પ્રવેશ્યા. ત્યાં સાથે મુકામ કર્યો, ગાડાં છેડ્યાં, બળદને પણ છેડયા અને તૃણુ તથા કાષ્ટ લાવનારાઓ ઊપડયા. સાર્થને શબ્દ સાંભળતા હાથી Page #389 -------------------------------------------------------------------------- ________________ - - - - - -- - [ ૩૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડઃ વેગથી તે પ્રદેશમાં આવે, ડરેલા લેકોએ દુર્ગ (જ્યાં જઈ શકાય નહીં એવું–રક્ષણ થાય તેવું સ્થાન) અને વિષમ ઝાડીઓમાં આશ્રય લીધો. સાધુ પણ જંતુરહિત પ્રદેશમાં સાગાર-પ્રતિમામાં રહ્યા. ગાડાંઓ જેતે અને તંબુઓ ફાડતો અશનિવેગ કરતો હતું. તેણે સાધુને જોયા. સાધુને જોતાં તેની દષ્ટિ પ્રસન્ન થઈ, હદય શાન્ત થયું અને તે વિચાર કરવા લાગે, “મેં આમને પહેલાં ક્યાં જોયા છે?” એ પ્રમાણે વિચારતાં તેને આ પ્રકારના જ્ઞાનને આવરનારાં કર્મોના ક્ષપશમથી જાતિસ્મરણ થયું. પછી જેને પૂર્વભવનું સમરણ થયું છે એ તે આંસુ સારતે સાધુથી થોડેક છેટે આવી તેમને પગે પડ્યો. તેમણે પણ પ્રતિમા પારીને વિચાર કર્યો, “ નક્કી, આ ભવ્ય અને જાતિસ્મરણવાળો છે તથા તેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલે છે.ઉપગ મૂકવાથી (અવધિ આદિ જ્ઞાન હોવાથી) તેમણે તેને ઓળખે, અને કહ્યું, “સિંહસેન ! વિષાદ ન કરીશ, તું દાનશીલતાને કારણે નરકમાં પડ્યો નથી, પણ અનિયંત્રિત ધનતૃષ્ણને લીધે તિર્યંચ થયે છે. ” આ પ્રમાણે કહેવામાં આવતાં હાથી અત્યંત વિસ્મિત થયે, “અહે! મારો પુત્ર મહાનુભાવ છે. અથવા મેં ખેટે વિચાર કર્યો. આ તપસ્વી કોઈ દેવ છેનિઃશંકપણે મારા મનની વાત પણ તે જાણે છે. (પછી હાથી ) તમારું ભલું થાઓ. આ દશામાં મારે માટે જે કલ્યાણકારી હોય તે વસ્તુને ઉપદેશ કરે.” સિંહચક્કે તેને કહ્યું, “સાંભળ-જેમને રાગ, દ્વેષ, મેહ નથી એવા, જીવ, અજીવ, બંધ અને મોક્ષના ખરા અર્થને જાણનાર અરિહંતે તત્વાર્થને કહે છે. કૃતકૃત્ય એવા તેમને વંચના કરવાનું પ્રયોજન નથી, માટે જિનવચનમાં વિશ્વાસ રાખ. મિથ્યાત્વ વડે ઢંકાયેલા, જિનવચનથી પરાભુખ, વૈરાગ્યના માર્ગથી દૂર રહેલા અને નેહાસક્ત એવા જીવને વિષયરૂપી રથી કરજ ઉત્પન્ન થાય છે. પછી કર્મની ગુરુકતાથી વિવિધ યુનિઓ વડે ગહન અને જેમાં ઘણાં જન્મ-મરણ છે એવા સંસારમાં તે ભમે છે. વિશુદ્ધપરિણામી અધ્યવસાયમાં રહેલા, જેણે કર્મોના રસને-કર્મોમાં ફલ ઉત્પન્ન કરનાર શક્તિને ક્ષીણ કરેલ છે એવા, જિનપ્રણીત મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયેલ છે એવા, આસવનું દ્વાર જેણે કર્યું છે એવા, તથા તારૂપી જળ વડે શુભાશુભ કર્મોના સંચયને જેણે ધોઈ નાખ્યા છે બંધ એવા (જીવન) સિલેક્તા–સિદ્ધ કીર્તિપણે પ્રાપ્ત થાય છે, એ વાતની ખાત્રી રાખીને હિંસાથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી શક્તિ અનુસાર વિરમ. તેથી નિર્વિદને તું સુગતિમાં અને સિદ્ધિમાં જવા ગ્ય થઈશ.” આ પ્રમાણે સાધુએ કહેતાં હાથી બે, “સાંભળે, ભગવન્! જીવન પર્યત હું બ્રહ્મચારી તરીકે વિચારીશ, બીજાં વ્રતો સંબંધમાં પણ હું દેશથી પ્રત્યાખ્યાન કરીશ.” પછી સાધુએ અરિહંત, સિદ્ધ અને સાધુની સાક્ષીએ તેને અણુવ્રત આપ્યાં. જેણે પંચનમસ્કાર ધારણ કર્યા છે એવા હાથીએ ૧. વિઘમાંથી છૂટી જવાય તે કંઈ નહીં, અને ન છુટાય તે આ અનશન છે–એ પ્રકારના નિશ્ચયયુક્ત કાર્યોત્સર્ગ. Page #390 -------------------------------------------------------------------------- ________________ - - - - - બાલચન્દ્રા લંભક [ ૩૩૫ ] - ~ ભાવથી તે સ્વીકાર્યા. “ષષ્ઠ અને અષ્ટમ ભક્તથી હું રહીશ” એ પ્રમાણે અભિગ્રહ કરીને, સાધુને વંદન કરીને, લોકોના અલ્પમાત્ર સંસર્ગને પણ ટાળતો તે ત્યાંથી ચાલ્યા ગયે, અને સંવિગ્ન થઈને પિતાને જાણે કે કૃતાર્થ માનત તે સતતપણે ત–ઉપધાન કરવાપૂર્વક વિચારવા લાગ્યા. પારણાના સમયે યતનાપૂર્વક ચાલતો, તથા ભારેલાં પ્લાન અને એની મેળે પડેલાં પીળાં પત્રને આહાર કરતે, અને વૈરાગ્યના માર્ગ ઉપર રહેલે તે એકવાર ગ્રીષ્મકાળમાં ઘણા કાદવવાળા અને થોડા પાણીવાળા સરોવરમાં પાણી પીવાને માટે ઊતર્યો. જેમ જેમ અંદર જતો ગયો તેમ તેમ તે પાણીમાં ખેંચતો ગયે, અને અલ્પ શક્તિને કારણે તે પાછો વળી શક્યો નહીં. તેણે વિચાર કર્યો, “તપથી કૃશ થયેલે હું કાદવમાંથી બહાર નીકળવાને અશક્ત છું; આવી અવસ્થામાં આહારનો ત્યાગ કરે તે મારે માટે શ્રેય છે. ” પછી તેણે જીવન પર્યંત ભક્તનો ત્યાગ કર્યો. હવે, વૈરાનુબંધને કારણે જેની જન્મની પરંપરા ચાલુ રહી છે એવો, ચમરના ભવમાં આવેલ જે પુરહિત હતો તે વનના દાવાનળની જવાળાથી દેહ દાઝી જતાં કાળ કરીને કુફ્ફટસર્પ થયો. વનના વિવરમાં ગયેલા તેણે હાથીને જે, અને રોષ ઉત્પન્ન થવાથી તેને તે કરડ્યો. પછી વિષ ચઢી જતાં નવકારને જાપ કરે તે હાથી “આ ઉત્તમ સમય છે; મારું શરીર જુદું છે, હું જુદો છું” એ પ્રમાણે માનતે પ્રશસ્ત ધ્યાનથી યુક્ત થઈને કાળધર્મ પામ્ય અને મહાશુક્ર કલપમાં શ્રીતિલક વિમાનમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયે. શુગાલદત્ત પારધિએ તેના દાંત અને મોતી લીધાં. ધનમિત્ર વાણિયો સીમાડાના ગામમાં વેપાર કરતે હતો. તેની સાથે પરિચય હોવાને લીધે પારધિએ તેને એ ભેટ તરીકે આપ્યાં. તે દાંત અને તે ઉત્તમ મતી “લક્ષણયુક્ત છે” એમ જાણીને ધનમિત્રે તને (પૂર્ણ ચંદ્રને) મિત્રતાથી આપ્યાં. સંતુષ્ટ થયેલા તે વૈભવ આપવા વડે તેને સત્કાર કર્યો. એ દાંત તારા સિંહાસનમાં જડેલા છે અને મોતી તારા ચૂડામણિમાં જડેલું છે, માટે સંસારની ગતિ એવી છે કે ભવાન્તરમાં ગયેલા પિતાના શરીરના અવયવો પ્રાપ્ત કરીને એ શોક કરવા લાયક વસ્તુમાં અજ્ઞાનને કારણે સન્તોષ થાય છે. વિશુદ્ધ સંયમસ્થાનો વડે ચારિત્ર્યશુદ્ધિમાં રહેલા તથા જેમને વૈરાગ્ય પડ્યો નથી એવા સિંહચંદ્ર અણગાર પણ દીર્ઘ ચારિત્ર્યપર્યાય પાળીને ઉપરિમ રૈવેયકમાં પ્રોતિકર વિમાનમાં એકત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે. એક શાખા ઉપરથી બીજી શાખા ઉપર કીડાપૂર્વક કૂદવાની ઈચ્છા કરતા વાનરયૂથના અધિપતિએ કુફ્ફટ સર્પને પકડ્યો અને તેને મારી નાખ્યું. તે પાંચમી પૃથ્વીમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકી થયા છે, અને ત્યાં પરમ અશુભ, જેમાં સુખ દુર્લભ છે એવી તથા જેને પ્રતિકાર કરી શકાય નહીં એવી વેદના અનુભવે છે.” ૧. પાંખવાળો ઊડતો સર્પ, જેનું મુખ ફુકડા જેવું હોય છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] વસુદેવ-હિંડી : ૪ પ્રથમ ખંડ : એ પ્રમાણે (રામકૃણા કેવલીએ) કહેતાં જેને તીવ્ર વૈરાગ્ય થયા છે એવા પૂર્ણચંદ્ર શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી (કેવલીને) વંદન કરીને તે પિતાને ઘેર આવે. રામકૃષ્ણ પણ ઘણા કાળ સુધી કેવલી પર્યાય પાળીને નિર્વાણ પામી. પિતાના રાજ્યમાં અમારિપટનું તથા વિધિથી પૌષધનું અનુપાલન કરતે અને શ્રમણબ્રાહ્મણની ભક્તિ કરતે તે પૂર્ણચંદ્ર રાજા પણ જિનપૂજામાં ઉદ્યત થઈને રાજ્યનું શાસન કરતો હતો દંડનીતિમાંના કપટપ્રયોગનું પ્રતિક્રમણ નહીં કરવાથી સ્ત્રીવેદનીય કર્મને અનુભાગી થયેલ તે ભક્તનો પરિત્યાગ કરીને મહાશુક્ર કપમાં વેઠ્ય વિમાનમાં સત્તર સાગરપમથી કંઈક ઓછા આયુષ્યવાળો દેવ થયે. જંબુદ્વીપના ભરતમાં વૈતાઢયની ઉત્તર શ્રેણિમાં નિત્યલોક(નિત્ય પ્રકાશમાન) મણિ કિરવડે પ્રકાશિત નિત્યલોક નામે નગર છે. ત્યાં શત્રુઓનો પરાજય કરવામાં સિંહ જે અરિસિંહ રાજા હતો. કમલ-વિરહિત શ્રી જેવી તેની શ્રીધરા નામે દેવી હતી. પછી આયુષ્યને ક્ષય થતા એલો પૂર્ણચંદ્ર દેવ વિમલ યશને ધારણ કરનારી યશોધરા નામે પુત્રી તરીકે શ્રીધરાના ગર્ભે જન્મે. ઊછેરની વિશેષતાથી ખેડ વગરના શરીરવાળી, નીરોગી, આદેય–આદરણીય વચનવાળી, વાકચાતુર્યવતી, રૂપસ્વિની, સ્વજનને બહુમાન્ય, આજ્ઞાકારી, પરિજને વિજ્ઞાન લાવણ્ય અને વિનયવડે અલંકૃત તે યુવાવસ્થામાં આવતાં ઉત્તર શ્રેણિમાં પ્રભંકરા નગરીમાં સૂર્યાવર્ત રાજાને ભારે વૈભવપૂર્વક આપવામાં આવી, અને તેની પણ તે માનીતી થઈ. કેટલેક કાળે સિંહસેનનો જીવ–શ્રીતિલકદેવ યવને યશોધરાના ગર્ભમાં પુત્ર તરીકે આવ્યું. જેના દોહદ પૂર્ણ કરવામાં આવ્યા છે એવી યશોધરાને કાળે કરીને રશ્મિવેગ નામે કુમાર થયે. અનુક્રમે તે માટે થયો અને કલાઓનો અભ્યાસ કર્યો. પછી યુવરાજના અભિષેકને પ્રાપ્ત થયે. કોઈ એક વાર ધર્મરુચિ અને ધર્મનંદ એ ચારણકમણવડે બોધ પામેલે સુર્યાવર્ત રાજા રશ્મિવેગને રાજ્યનો અધિકાર સેંપીને સાધુ થશે, અને સંયમ પાળવા લાગ્યો. જેણે ઘાતિકર્મ ખપાવ્યાં છે તથા જેણે વેગોને રોધ કર્યો છે એવો તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે. યશોધરાએ ગુણવતી આર્યાની પાસે દીક્ષા લીધી અને અગીઆર અંગમાં કુશળ એવી તે વિચારવા લાગી. અનિત્યતાના વિશેષને લીધે જેને વૈરાગ્ય થયે છે એવા રશ્મિવેગ રાજાએ, વસ્ત્રના છેડે વળગેલા તૃણની જેમ, રાજ્યનો ત્યાગ કરીને હરિમુનિચંદ્ર(અણગાર)ની પાસે સંયમ સવીકાર્યો. અનુક્રમે તેણે ઉદ્યોગ વડે નવ પૂર્વોનું અધ્યયન કર્યું. પરિપૂર્ણ ઘેર્યબળવાળે તે એકાકીવિહારપ્રતિમા સ્વીકારીને વિચારવા લાગ્યા. એક વાર તે કાંચનગુહામાં પ્રતિમામાં રહેલ હતા. પાંચમી પૃથ્વીમાંથી ઉદ્વર્તિત થયેલા-નીકળેલા અને અજગર થયેલા પુરેશહિતે તેને . પૂર્વના વેરના અનુબંધથી જેને તીવ્ર કેપ થયો છે એ તે અજગર તેને ગળી ગયે, પણ તેના પ્રત્યે દ્વેષ નહીં Page #392 -------------------------------------------------------------------------- ________________ - - બાલચન્દ્રા લંભક [૩૩૭ ] કરતે તથા પોતાના શરીરની બાબતમાં નિરપેક્ષ તથા જેના વૈર-કષાયનું વિશાધન થયું છે એ તે રશ્મિવેગ કાલધર્મ પામીને લાન્તક ક૯પમાં સુપ્રભ વિમાનમાં દેવ થયા. યશોધરા આર્યા પણ લાન્તક ક૫માં જ રુચક વિમાનમાં દેવપણાને પામી. માત્ર રૂપથી મૈથુન કરનારા અને તીવ્ર ભેગમાં આસક્ત એવા તેમણે ચૌદ સાગરોપમ એક ક્ષણની જેમ ગાળી નાખ્યા. તીવ્ર ક્રોધના પરિણામવાળે અજગર પણ અશાતા વેદનીય કર્મ ઉપાઈને પાંચમી પૃથ્વીમાં નારક થયો. ઉપરિમ રૈવેયકમાં રહેલા પ્રિયંકર વિમાનને વાસી દેવ ત્યાંથી એવીને આ જ ભારતમાં ચક્રપુર નગરમાં અપરાજિત રાજાની સુન્દરી નામે દેવીને ચક્રાયુધ નામે પુત્ર થયો. યુવાવસ્થામાં જ તે રાજત્વને પામ્યો. તેની મહાદેવી ચિત્રમાલા હતી. સુપ્રભ વિમાનને અધિપતિ (સિંહસેનને જીવ) વીને ચક્રાયુધ રાજાની ચિત્રમાલા રાણીને પેટે વાયુધ નામે કુમાર થયો અને તે માટે છે. તેની ભાર્યા રત્નમાલા હતી. પિહિતા સવ મુનિની પાસે બંધ અને મોક્ષનું સાચું સ્વરૂપ જાણીને તથા વાયુધ ઉપર રાજ્યનો ભાર મૂકીને ચકાયુધ સાધુ થયો. જેણે જિનવચન જાણ્યાં છે એવો, ક્ષમા, માર્દવ, આર્જવ અને સન્તોષ વડે જેણે પિતાના આત્માને ભાવે છે એવો તથા જેણે કર્મરૂપી મેલ ક્ષીણ કરી દીધો છે એવો તે નિર્વાણ પામે. રુચક વિમાનવાસી દેવ પણ રત્નમાલાના ગર્ભમાં રત્નાયુધ નામે કુમાર થયે. વજદિન સાધુ વડે બંધ પમાડાયેલા વજાયુધે રત્નાયુધને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લીધી. સંયમમાં રહેલા, જેણે ચાદ પૂર્વોનું અધ્યયન કર્યું છે એવા, જેણે સર્વ ભાવે જાણ્યા છે એવા, અજિન છતાં જિન-સર્વજ્ઞની જેમ વિચરતા તે ચક્રપુરમાં આવ્યા. પિતાની માતા સાથે રત્નાયુધ વંદન કરવાને નીકળ્યો. તેને વાયુપે શ્રમણધર્મ અને શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક કહો. કથાન્તરમાં તેઓ કહેવા લાગ્યા–“જીવદયાના પાલન નિમિત્તે ગૃહવાસીએ વિશેષ કરીને માંસનો ત્યાગ કરે. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલે, (માંસ) ખાતે, ઈચ્છાઓ વડે કલુષિત ચિત્તવાળા મનુષ્ય ઘણું પાપ ઉપાર્જન કરે છે. માંસને માટે જેટલા મોટા પ્રમાણમાં પ્રાણીઓનો વધ થાય છે તેટલા મોટા પ્રમાણમાં ચર્મ, શીંગડાં, દાંત, વાળ, પીંછાં વગેરે મેળવવાના કાર્યમાં થતું નથી. ચર્મ વગેરે તે એક વાર કાઢવામાં આવ્યાં હોય તેને લાંબા કાળ સુધી ઉપભોગ થાય છે; એક વાર ઉપકરણ બનાવવામાં આવ્યું હોય તે (અનેક વાર) ઉપગમાં આવે છે. પણ માંસનું તે દરરોજ ભેજન થાય છે, એટલે ૧. મૂળમાં ચમ-ઉલ-હંત-વા-fપછ–પુatવવનકે એમ છે. એમાં પુઢવિ શબ્દ અસંગત છે. આથી તેને સ્થાને ઉમદ કપીને અનુવાદ કર્યો છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] વિશેષે કરીને તાજા મારેલાં પ્રાણીઓનુ માંસ મીઠું અને રસા` કહેવાય છે; તેથી યતિએ કહે છે કે-પરલેાકના હિતની ઇચ્છા રાખનારે માંસ ખાવું નહીં. (તે ખાખતમાં) આ દૃષ્ટાન્ત છે— વસુદેવ-હિંડી : : : પ્રથમ ખંડ છ સુમિત્ર રાજાનું દૃષ્ટાન્ત અતીત કાળમાં આ જ ભારતવર્ષમાં છત્રાકાર નગર હતું. ત્યાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરનાર એવા પ્રીતિકર નામે રાજા હતા. સંસારભીરુ અને મેાક્ષના અભિલાષી એવા તે મેાક્ષમાર્ગને શેાધતે મતિસાગર સ્થવિરની પાસે જિનવચનના પરમાર્થ સાંભળીને, સર્પ જેમ કાંચળીના ત્યાગ કરે તેમ, રાજ્યના ત્યાગ કરીને શ્રમણ થયા. પુરોહિતના પુત્ર ચિત્રમતિએ પણ તેની સાથે દીક્ષા લીધી. અત્યંત સન્તાષપૂર્વક જેણે સૂત્ર અને અનુ અધ્યયન કર્યું છે તથા જેને ક્ષીરાસવલબ્ધિ૧ ઉત્પન્ન થઇ છે એવા તે તપમાં ઉદ્યત થયા. ગુરુની અનુજ્ઞા લઇને વિહરતા તે સાકેત નગરમાં ગયા. ત્યાં સુમિત્ર રાજાની પુત્રી, સુપ્રબુદ્ધા ગણિકાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિસેના નામે કન્યા હતી. કમલરહિત લક્ષ્મી જેવી રૂપાળી, લેાકેાનાં નયનને લેાભાવનાર વદન, દાંત, હાઠ, કપાલ, સ્તન, કર અને ચરણવાળી તે કન્યા ઉદ્યાનમાં રહેલા, વિદૃષ્ટ (ત્રણ કરતાં વધારે) ઉપવાસથી ક્ષીણ થયેલા દેહવાળા તથા પ્રશસ્ત ધ્યાનમાં જેનું ચિત્ત સ્થિર રહેલુ છે એવા પ્રીતિકર અણુગારને જોઇને વિનયપૂર્વક વંદન કરીને પૂછવા લાગી, “ ભગવાન્ ! આપના શાસનમાં આત્માને કેવા વણૅ વેલા છે ? ” ‘ આ ઉપદેશને યાગ્ય છે' એમ સાધુએ જ્ઞાનના ઉપયાગથી જાણીને તેને કહ્યું, “ સાંભળ— જેમણે જીવ, અજીવ, મધ, મેાક્ષના વિધાનાને સારી રીતે જોયાં છે એવા અરિહં તાએ યુવા, વૃદ્ધ આદિ પર્યાયેથી આત્મા યુક્ત છે' એમ પેાતાના ઉપદેશ દ્વારા કહ્યું છે. તેનાં નામા-જીવ, આત્મા, પ્રાણી, ભૂત, સત્ત્વ, સ્વયંભૂ વગેરે છે. તે જોન હાય તા પુણ્ય અને પાપનાં ફળેાની નિરર્થકતા થાય. વિવિધ કર્મનાં અનુભાગી પ્રાણીઓમાં પરિપાક પામતું પ્રત્યક્ષ દેખાય છે તે સુકૃત અને દુષ્કૃતનુ ફળ છે; માટે શ્રદ્ધા કરવા લાયક એવા જીવ છે, દ્રષ્યાથી તે નિત્ય છે, સંસારને આશ્રીને તે રૂપે ( સ્ત્રી, પુરુષ આદિ રૂપે દેખાય છે, તે ભાવના નાશ થતાં અશાશ્વત ( જીવ રૂપે શાશ્વત, પશુ પર્યાય રૂપે અશાશ્વત ) દેખાય છે, તે પ્રકારના યાગને પ્રાપ્ત કરીને પ્રમત્ત દેખાય છે, ઇન્દ્રિય સહિત હાવાથી કર્તા છે, પોતે કરેલાં શુભાશુભ કર્મોના ઉદયના ભક્તા છે, પેાતાનાં કર્મોથી અનેલાં સૂક્ષ્મ-ખાદર શરીર જેટલા પ્રમાણવાળા છે; રાગ-દ્વેષને વશ પડેલે તે કમલવડે કલંકિત થઈને નારક, તિય ઇંચ, માનવ અને દેવભવમાં ભ્રમણ કરે ૧. મુખમાંથી વાણી નીકળે તે સાંભળનારને દૂધ જેવી મધુર લાગે તેને ક્ષીરાસ્રવલબ્ધિ રહે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ બાલચન્દ્રા લંભક [ ૩૩૯ ] છે, સમ્યકત્વ અને જ્ઞાન પ્રાપ્ત થતાં તારૂપી જળવડે ( કમલ) પ્રક્ષાલિત થતાં મુક્ત થાય છે. ” આ પ્રમાણે અમૃતની જેમ સમાધિ ઉત્પન્ન કરનારું ભગવાન પ્રીતિકરનું વચન સાંભળતી બુદ્ધિસેના “તે એમજ છે” એમ કહી પ્રણામ કરીને વિનંતી કરવા લાગી, “ભગવન્! મને ગૃહવાસને ગ્ય વતનો ઉપદેશ કરે.” પછી સાધુએ તે વતે કહ્યાં. અણુવ્રત ગ્રહણ કરીને તે પ્રણામ કરીને ગઈ અને પ્રમાણે પાસિકા થઈ. ચિત્રમતિએ સાંભળ્યું કે, “ બુદ્ધિસેના રાજકન્યા પ્રીતિકરે ઉપદેશેલે ધર્મ સાંભળીને અરિહંતના શાસનમાં પ્રેમવાળી થઈ છે. ” એટલે તેણે ગુરુની અનુજ્ઞા માગી, “ મને રજા આપે, હું જાઉં છું, બુદ્ધિસેનાને હું દીક્ષા આપીશ.” મતિસાગર ગુરુએ રોકવા છતાં તે સાકેત ગ. વિનય-પ્રતિપત્તિમાં કુશળ તે કન્યાએ કથાઓમાં કુશળ એવા તેની પૂજા કરી. તે કન્યાને જોતાં તેની દષ્ટિ વિવેકરહિત બની અને હદય વ્યાકુળ થયું. તેણે વિચાર કર્યો કે, “અહો ! આવું રૂપ મેં પૂર્વે જોયું નથી. આશ્ચર્યની વાત છે !” આ પ્રમાણે જેની મનોવૃત્તિ દૂષિત થયેલી છે એવો તે સુમિત્ર રાજાની સેવા કરવા લાગ્યું. રાજાએ પણ જાણ્યું કે, “આ પ્રીતિકર રાજાના પુરોહિતને પુત્ર છે. ” માંસભક્ષણ વિષે ચર્ચા એક વાર સેવા નિમિત્તે તે રાજાને કહેવા લાગ્યા, “દેવ! મેં પૌરાગમ-રસાઈના શાસ્ત્ર-ને અભ્યાસ કરેલ છે, તે મારો એ પરિશ્રમ હવે સફળ થાઓ. તમારાં બળ અને તેજની વૃદ્ધિ માટે માંસની વાનીઓના પ્રકાર હું બનાવીશ. આજ્ઞા આપો.” એટલે સુમિત્રે કહ્યું, “ચિત્રમતિ ! પ્રાણિવધ વડે હું મારા પ્રાણુનું પાલન નહીં કરું. તારું બોલવું સારું નથી.” એટલે તે કહેવા લાગ્યો, “જે પોતે હણે-હણ અથવા અનુમોદન આપે તે પાપનો અનુભવ કરે છે, (એટલે તમારે વિચાર કરવાનો નથી. જે બીજાએ આણેલું માંસ વેચાતું લઈને ખાય તેને શે દોષ છે?” એટલે રાજા બોલ્યો, “સ્વાદિષ્ટ અને સેંઘા માંસની ઈચ્છા રાખતે ખરીદનાર વધમાં અનુમતિ આપે છે. ઘાતકે પણ જ્યાં માંસ ખવાતું હોય ત્યાં દૂર સુધી પણ માંસ લઈ જઈને વેચે છે. અભક્ષ્ય એવા કૂતરા, ગધેડા, કાગડા વગેરેને તેઓ મારતા નથી. ખરીદનારાઓ ઘણું છે એમ જાણીને જીવતાં પ્રાણુઓને તેઓ છાનાં રાખી મૂકે છે, અને મૂલ્ય મળે ત્યારે તે જ ક્ષણે તેમને નાશ કરે છે. એમ હોય તે પછી અનુમતિ કેમ ન ગણાય?” હવે ચિત્રમતિ બેલે, કુશળ ચિત્તવાળો જે અનાસક્તપણે ખાય છે તેને વધથી થતો દેષ સંભવતો નથી.” એટલે રાજાએ કહ્યું, “માંસભક્ષણમાં વધની અનુમતિ હોવાથી દોષ છે જ, ભંડારને દેશાન્તરમાં લઈ જવાની બુદ્ધિથી હાથને પીડા ન થાય એવું નથી. એ જ પ્રમાણે પિઠિયાને પીડા ન થાય તે ભંડાર દેશાન્તરમાં લઈ જઈ શકાય તેવી જ રીતે માંસ ઘણું અને સેંધું મળે, Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અને પ્રાણીઓના વધ પણ ન થાય એ વસ્તુ સંભવિત નથી. ” પછી ચિત્રમતિએ કહ્યું “જો બીજાએ મારેલાંનું માંસ ખાવામાં પ્રશસ્ત ચિત્તવાળાને પણ દોષ લાગે, તેા એ જ પ્રમાણે જેએ શ ંખ, મેાતી, દાંત, પીછાં, ત્રાણુ વગેરેના ઉપભાગ કરે છે તેઓ પણ માંસાહારીઓના સરખા થશે-ગણાશે. ” એટલે રાજાએ કહ્યુ, “ તેએ સરખા ન થાય. તેમાં તફાવત છે—તે વસ્તુ (શંખ, મેાતી, દાંત આદિ) ઘણા પુરુષાની પરંપરાથી પણ પ્રાપ્ત થાય છે; તૈયાર મળે છે તે પણ અનેક કારણથી ઉત્પન્ન થએલ હાય છે અને ઘણા કાળ સુધી તેના ઉપભાગ થઇ શકે છે. પેાતાની મેળે મરણ પામેલાં પ્રાણીઓનાં ( શરીરની એ વસ્તુઓને ) પણ ઉપભાગ થઇ શકે છે. માંસની બાબતમાં તેા ઘાતક હાય છે તે જ વેચનાર હાય છે. રસલેાલુપ મનુષ્ય હાય તા તે પોતે વધ કરે અથવા તેની અનુમતિ આપે એમાં રાગ એ કારણ છે-એ તફાવત છે. જો........૨ બંધનકર્તા થાય છે એમ તું માનતા હાય તા મધ પાડનાર અને વનને દવ લગાડનાર મનુષ્ય પણ નિર્દોષ થાય, કેમકે તેમનો મધ એકઠું કરવાની ઇચ્છા હેાય છે, અને નહીં કે મૃગ, સર્પ, કીર વગેરેના વધ કરવાની. માટે વધના કારણરૂપ વધને જ ટાળવા, જેમ મરણથી ડરનારાએ મરણના કારણને જ ટાળવું, જેમકે-કેાઇ રાજાનેા સ્વાદિષ્ટ ફળવાળા આંખેા હતા. તેથી તેણે ઘાષણા કરાવી કે, જે કેાઇ આપ્યા વગરનું એક પણ ફળ ચારશે તેના શારીર દંડ કરવામાં આવશે. તે સાંભળીને લેકે તે કળાનુ ગ્રહણ, ભક્ષણ અથવા દર્શન પણ દૂરથી ટાળતા હતા. તે જ પ્રમાણે પ્રાણિવધના ભીરુએ બંધ અને વધના હેતુરૂપ હાવાથી પ્રાણિવધના દૂરથી ત્યાગ કરવા. માંસના લાલચુએ વડે વધ કરાતાં પ્રાણીએની બાબતમાં જેએ પેાતે અનુમતિ આપે તે પૂર્વકૃત્યને કારણે પ્રકારનું મરણુ પામે છે; જે વધ કરનારાએ અને અનુમતિ આપનારાએ હાય છે તેઓ પણ પેાતાના દુષ્કૃત્યનું કુળ અનુભવશે. ” એટલે ચિત્રમતિ મેલ્યા, “તમને ઉત્તર આપવાને હું અશક્ત છું, પણ નિરામિષ આહાર કરતાં તમારા શરીરને હાનિ થશે, અને તેથી ધર્મ, અર્થ અને કામની હાનિ થશે. ’ જ આ પ્રકારનાં વચને વર્લ્ડ ( સુમિત્ર રાજાએ ) મુશ્કેલીથી ( માંસ ખાવાનું) સ્વીકાર્યું. ચિત્રમતિને બુદ્ધિસેના આપવામાં આવી. પછી તે સુમિત્ર રાજાની અનુકૂળ વચના વડે સેવા કરવા લાગ્યા. એ રીતે પરિવાર સહિત સુમિત્રને ચિત્રમતિએ માંસના પ્રકાશને ઉપદેશ કર્યા. માણિવધના કારણના એ ઉપયેગથી ઘણું પાપ ઉપાન કરીને નારક, તિર્યંચ અને હલકાં મનુષ્યેામાં કશ એવાં શારીરિક અને માનસિક દુઃખા વડે અનુબદ્ધ ઘણાં જન્મ મરણ અનુભવતા તે રાજા અપા પુદ્ગલપરિવ` સુધી સંસારમાં ભમ્યા. "" ૧. આ કોઇ પ્રકારની ઊન લાગે છે. ૨. મૂળમાં અહીં સવ્વપળ શબ્દ છે, તેની સંગતિ સમજાતી નથી. ૩. કેટલીક જ*ગલી પ્રજાએમાં અનિષ્ટ ટાળવા માટૅ વન બાળવાની બાધા લેવાય છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - - - - -- બાલચન્દ્રા લંભક [ ૩૪૧ ] આ પ્રમાણે (વાયુધના મુખેથી) સાંભળીને રત્નાયુધ રાજાએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને જીવન પર્યત માંસવિરતિ ગ્રહણ કરીને, પિતાને વંદન કરીને તે નગરમાં પ્રવેશ્યો. રાજ્યમાં તેણે અમારિ–પટલની ઘોષણા કરી, અને ઉત્તમ શીલવતેમાં રત એ તે માતાની સાથે રાજ્યનું શાસન કરવા લાગે. પાંચ પ્રકારની ભાવના વડે ભાવિત આત્માવાળા વજાયુધ જિનક૯૫ સ્વીકાર્યો. અજગર-નારક પણ પાંચમી પૃથ્વીથી ઉદ્વર્તિત થઈને ચક્રપુર નગરમાં જ દારુણ કસાઈની કટ્ટા નામે ભાર્યાને અતિકષ્ટ નામે પુત્ર થયોઅનુક્રમે મોટો થયેલ અને પ્રાણવધમાં આસક્તિવાળો તે વિચરતો હતે. વજાયુધ સાધુ એકાન્તમાં જીર્ણોદ્યાનમાં અહારાત્રિકી પ્રતિમામાં રહેલા હતા, તેમને અતિક જોયા. તેને જોઈને પૂર્વભવના વૈરાનુબંધથી જેને તીવ્ર રોષ ઉત્પન થયા છે એવા તેણે તલવાર મ્યાનમાંથી કાઢી. વધ કરવાના ઈરાદાથી તેણે દઢ, ઉત્તમ અને પ્રશસ્ત ધયાનમાં રહેલા ચિત્તવાળા તથા અખંડ ચારિત્ર્યવાળા વાયુધના ટુકડા કરી નાખ્યા, એટલે જેનું ધર્મસાધન અવિનષ્ટ છે એવા તે કાલધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં આવ્યા. અતિકઈ પણ ઘણું પાપ ઉપાર્જન કરીને દાવાગ્નિથી બળીને સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. ત્યાં ઉત્કૃષ્ટ શીત વેદનાથી અભિભૂત થઈને ખૂબ દુઃખ પામતો અને વિવશ એવો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો. દયાપર અને સત્ય તથા આર્જવથી સંપન એ રત્નાયુધ રાજા ઘણુ કાળ સુધી શ્રમ પાસક-પર્યાય પાળીને, પુત્રને રાજ્યલક્ષમી સોંપીને, અનશન કરી, સમાધિથી દેહનો ત્યાગ કરીને અચુત ક૯પમાં પુષ્પક વિમાનમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળે દેવ થ. ધારણ કરેલાં વ્રત અને શીલરૂપી રત્નમાલાવાળી રત્નમાલા દેવી પણ કાળ કરીને તેજ અચુત ક૯૫માં નલિની ગુમ વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થઈ. આયુષ્યનો ક્ષય થતાં રત્નાયુધ અને રત્નમાલા દેવ-ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમ વિદેહના પૂર્વ ભાગમાં સીતા મહાનદીના દક્ષિણ કિનારે નલિની વિજયમાં અશોકા નગરીમાં અરિંજય રાજાની બે ભાર્યાઓ સુત્રતા-જિનદત્તાની કુક્ષિમાં વિતિભય અને વિભીષણ નામે બે પુત્રો તરીકે જમ્યા, જેમાં એક બલદેવ હતો અને બીજે વાસુદેવ હતે. સુખપૂર્વક વૃદ્ધિ પામેલા તેઓ નલિની વિજયાર્ધના સ્વામિત્વને પ્રાપ્ત થયા. જેણે કામોનો ત્યાગ કર્યો નથી એવો વિભીષણ વિશુદ્ધ સમ્યકત્વ-દર્શનના ગુણથી બીજી પૃથ્વીમાં સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે. ભાઇના વિયેગથી દુઃખી થયેલા વિતિભયે સુસ્થિત અણુગારની પાસે દીક્ષા લીધી. તપ અને સંયમમાં ઉદ્યત એવો તે વિહરીને પાદપપગમન વિધિથી કાલધર્મ પામે, અને લાન્તક ક૯૫માં આદિત્યાભ વિમાનમાં અગીઆર સાગરોપમ કરતાં કંઇક અધિક આયુષ્યવાળો દેવ થયે. જેનામાં પ્રશસ્ત પરિણામની અધિકતા છે એ વિભીષણ Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ** ૧૧-૧w નારક પણ ઉદ્વર્તિત થઈને આ જ જંબદ્વીપમાં ઐરાવત વર્ષમાં અયોધ્યા નગરમાં શ્રી ધર્મ રાજાની સુસીમા દેવીમાં શ્રીદામ નામે કુમાર થયે. અનુક્રમે યૌવનમાં આવેલ તે વિહાર યાત્રામાં નીકળે. આદિત્યાભ-વિમાનવાસી દેવે પૂર્વ સ્નેહના અનુરાગથી તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે અનંતજિત અરિહંતની પાસે તેણે દીક્ષા લીધી, અને શ્રમય પાળીને કાળધર્મ પામી તે બ્રહ્મલોક કલ્પમાં ચંદ્રાભ વિમાનમાં દશ સાગરોપમ કરતાં કંઈક ન્યૂન આયુષ્યવાળા દેવ થયે. અતિકણ નારક પણ ત્યાંથી–સાતમી પૃથ્વીમાંથી ઉદ્વર્તન પામી, ઘણી તિર્યંચનિઓમાં ભ્રમણ કરી, કર્માશે કંઈક ઓછા થતાં, આ જ ભારતમાં યાવતિ નદીના કિનારે ત્રાષિગણે વડે સેવિત આશ્રમપદમાં એકશૃંગ તાપસની રકંદમણિકા નામે ભાર્યા જે જાતે નટી હતી તેની કુક્ષિામાં મૃગશૃંગ નામે પુત્ર થયે. બાલ્યાવસ્થા પૂરી થતાં તાપસકુમારોના સમૂહને જેણે ઉત્સાહ પેદા કર્યો છે એવા, પોતાની મેળે નીચે પડેલાં પીળાં પત્ર, પુષ્પ અને ફળનો આહાર કરતો તથા તાપસપર્યાય પાળીને તપશ્ચર્યા વડે ક્ષીણ થયેલા શરીરવાળો તે, વિકુલા વિમાનની મધ્યમાં બેઠેલા અને દેવની જેમ આકાશમાં વિચરતા વિદ્યાધરને જોઇને વિમિત થયે, અને “જે મારા સંયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા ભવમાં હું આ પ્રમાણે વિચ” એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામેલે તે વૈતાત્યમાં ગગનવલ્લભ નગરમાં વિદ્યાધરરાજા વજાદંષ્ટ્રની વિજિજડ્યા દેવીનો વિષ્ટ્ર નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે વિદ્યાબળથી વિદ્યાધરોના અધિપતિપણાને પામે. વાયુધ દેવ પણ સર્વાર્થસિદ્ધમાંથી ચવીને પશ્ચિમ વિદેહમાં વીતશેકા નગરીમાં સંજય રાજાની સત્યશ્રી દેવીનો સંજયંત નામે પુત્ર થયો. શ્રીદામ દેવ પણ ચંદ્રાભ વિમાનમાંથી ચાવીને તેને જ નાનો ભાઈ જયંત નામે થયે. જેમને કેવલજ્ઞાન થયું છે એવા સ્વયંભૂ અરિહંતની સમીપે જેના સંશયો છેદાઈ ગયા છે એવા સંજયે (સંજયંતે) દીક્ષા લીધી, અને તે ગણધર થયે. જેમણે પિતાના પૂર્વજને સાંભળ્યા છે એવા સંજયંત અને જયંતે અન્યદા દીક્ષા લીધી, પણ ચારિત્ર્યમોહનીયના ઉદયથી પ્રમત્તવિહારી એ જયંત કાળ કરીને આ ધરણ થયે. જેણે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરે છે એ હું સંજયંત જિનકલ્પ સ્વીકારીને પ્રતિમામાં રહેલ હત; વેરને અનુબંધ જેણે મૂક્યું નથી એવા વિદ્યષ્ટ્ર મને અહીં આણેલ છે. વેરનું કારણ આ છે. વળી ધ્યાનપૂર્વક સાંભળે–પર્વત અને પૃથ્વીમાં પડેલી રેખા સમાન કેપવાળા જીવો નરક-તિર્યંચ ગતિઓમાં વિવિધ દુઃખને અનુભવતા ઘણા કાળ સુધી કલેશ પામે છે. રેતીમાં પડેલી રેખા સમાન કેપવાળા મનુષ્યગતિના ભાગી થાય છે. પાણીમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૩ ] તે ક્રોધના ઢાષા કહેતા હાય તે પૃથ્વીમાં પડેલી રેખા સમાન તે પવન વડે પ્રેરાઈને સાત પડેલી રેખા સમાન કેાપવાળા દેવગતિને પામે છે; પણ જેએ ક્રોધરહિત હાય તે નિર્વાણુને યાગ્ય છે. માટે વિષ અને અગ્નિજવાળા સમાન ક્રોધના હિતાથી એ દૂરથી જ ત્યાગ કરવા. ઢોધ ચાર પ્રકારના છે-પ તમાં પડેલી રેખા સમાન, પૃથ્વીમાં પડેલી રેખા સમાન, રેતીમાં પડેલી રેખા સમાન અને પાણીમાં પડેલી રેખા સમાન. તેમાં પત્થર ઉપર જે રેખા પડે છે તે ન સાંધી શકાય તેવી હાય છે; એ જ પ્રમાણે પ્રતિકૂળ શબ્દાદિ અને વસ્તુએના પ્રસંગથી, પ્રિય વસ્તુના વિયેાગથી અથવા મનગમતી વસ્તુઓ નહીં મળવાથી પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર પ્રાણી ઉપર વ્યક્તિને જે ક્રોધ થાય છે તે એક જન્મ પર્યંત અથવા ઘણાં જન્માંતરા સુધી ચાલુ રહેતા તે પર્વતમાં પડેલી રેખા સમાન છે. એ જ પ્રમાણે વાયુ અને તડકાથી સાસાયેલી પૃથ્વીમાં ચીકાશના નાશ થતાં જે રેખા ઉત્પન્ન થાય છે બાર માસ સુધી તેમની તેમ રહે છે અને જ્યારે પાણી ભરાય ત્યારે સરખી થાય છે; એ પ્રમાણે જેને ઉત્પન્ન થયેલા ક્રોધ પેાતાની બુદ્ધિથી ક્ષમાગુણ્ણાનુ ચિન્તન કરતાં અથવા બીજો મનુષ્ય સાંભળીને માસ–સવસર જેટલે કાળે કરીને શાન્ત થાય તે છે. રેતીમાં ઈંડ વગેરે ખેંચવાથી જે રેખા ઉત્પન્ન થાય રાતમાં સરખી થઈ જાય છે; આ પ્રમાણે મનુષ્યને કાઇ કારણથી રાષાગ્નિ પેદા થયે હાય તે માસ, અમાસ કે સંવત્સર થતાં પશ્ચાત્તાપ વડે સીંચાતા એલાઇ જાય તે હૈતીમાં પડેલી રેખા સમાન છે. પાણીમાં હાથની આંગળી અથવા દંડ હલાવવામાં આવતાં જે રેખા થાય છે તે ઉત્પન્ન થતાંની સાથે જ સરખી થઈ જાય છે; એ પ્રમાણે જ્ઞાનીને કંઇક કારણુ મળતાં રાષ પેદા થાય, પણ પાણીના પરપાટાની જેમ તે ક્ષણે જ વિલય પામે તે પાણીમાં પડેલી રેખા સમાન છે. બીજા ઉપર રાષ પામેલા જે મનુષ્ય પેાતાના હૃદયમાં અમ ધારણ કરે છે, પણ તેને સફળ કરતા નથી તે ક્રોધાગ્નિથી દાઝતા, વિવર્ણ મુખવણું વાળા અને કર્કશ દેખાવવાળા બનીને નિરર્થક તપે છે. ક્રોધ પામેલેા જે મનુષ્ય બીજાને પીડા કરવા ઇચ્છે છે તે પહેલાં તેા પેાતાનુ જ શરીર રાષરૂપી અગ્નિની જ્વાળા વડે પ્રદીપ્ત કરે છે; પછી કારણુ અનુસાર ખીજાને તે દુ:ખ પેદા કરે અથવા ન કરે. જેમ અજ્ઞાનના ઢાષથી પેાતાની આંગળી સળગાવીને ખીજાને સળગાવવાની ઇચ્છાવાળા કાઇ મનુષ્ય પેાતાને તા દઝાડે જ છે, પછી બીજાને દઝાડે અથવા ન દઝાડે; એજ પ્રમાણે ક્રોધશીલ મનુષ્યની ખાખતમાં પણ જાણવું. અસમર્થ એવા જે ખૂબ રોષ પામીને આક્રેશ કરે તે ‘અવિનીત, અકુલીન અને જેણે ગુરુકુલનુ સેવન કર્યું નથી એવા ' તરીકે નિંદનીય થાય, રાજદરખારમાં જાય તે અહાનિ અથવા શરીરહાનિ પામે, અને પરલેાકમાં (હુલકા ) મનુષ્ય અને તિર્યંચના ભવને પ્રાપ્ત કરનાર થાય, પછી કર્કશ, નિષ્ઠુર અને કડવી વાણીરૂપ વચનઢાષથી રાષવશ થયેલા મનુષ્ય શસ્ત્ર અથવા ઈંડાદિથી પ્રહાર કરે, તેા તેના જેવા બળવાન વડે હણાતા તે દુ:ખ અને શરીરિવનાશ અનુભવે, અથવા રાજકુલમાં જાય તા બાલચન્દ્રા લ’ભક Page #399 -------------------------------------------------------------------------- ________________ _ _ [ ૩૪૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : વધ–બંધ-મરણ પામે; ચિત્તની કલુષિત અવસ્થા તથા દયાહીનતાને કારણે ઉપાર્જિત કરેલાં પાપકર્મનું દારુણ ફળ વિવશ એ તે દુર્ગતિમાં જઈને ભેગવે છે. સમર્થ હોય તે પણ નિરપરાધીને આક્રોશ–વધ-બંધ વડે પીડતો રોષવશતાથી બળતે આ ક્રૂર, નિર્દય, પાપાચારી, નહીં જોવા લાયક અને ત્યાગ કરવા લાયક છે” એ રીતે નિંદનીય થાય છે; પરલોકમાં પણ તે નિમિત્તે આક્રેશ, ત્રાસ અને તાડન પામતા અથવા સેંકડો વ્યાધિ વડે પીડાતે નરક-તિર્યંચ નિઓમાં દુઃખ-મરણને અનુભવતા ઘણા કાળે અશુભ ક્ષીણ થાય ત્યારે સુખ પામે છે, માટે ક્રોધને દૂરથી જ ત્યાગ કરવો. થાપણના અપહરણરૂપ પિતાનો દેષ ગણીને જે પુરોહિતે “મારા અપરાધને કારણે મને દેશવટો દેવામાં આવ્યું છે ” એમ વિચારીને પિતાના ક્રોધને ઓછો કર્યો હતો તે તે પ્રકારની દુઃખખલાને વીંટતે ઘણા કાળ સુધી તે શારીરિક અને માનસિક દુઃખે અનુભવત નહીં. આ અને બીજા પણ કષાયના દોષે છે. સંતાપ રહિત, જેની પાસે સુખપૂર્વક જઈ શકાય એવે, સૌમ્ય, અને સજજનેને બહુમાન્ય છે, ક્ષમાપક્ષનું સેવન કરનાર જીવ આ લેકમાં પૂજનીય અને યશસ્વી થાય છે, પરલેકમાં પણ મનુષ્યભવમાં અને દેવભવમાં લોકોનાં નયનને પ્રિય અને મધુર વાણીવાળો તે જીવ તે તે ભાવને યેગ્ય સુખે ભેગવતે સ્થાન અને પાત્ર માનને થાય છે. પિતાના કાર્યનું સાધન કરવામાં ઉઘત, અન્યને પીડા આપવામાં કાર્યસિદ્ધિ જેતે તથા ગુણદોષના વિચાર વગરનો કોઈ પણ બીજે મનુષ્ય અજ્ઞાનને કારણે કેપ કરે, તે બુદ્ધિમાને આ પ્રમાણે વિચાર કરવો– મૂઢતાને કારણે આ બિચારા રેષાગ્નિને પોતે જ સળગાવીને, પતંગિયું જેમ દીપકમાં પ્રવેશે તેમ, એના પરિણામી દષસમૂહને નહીં તો પોતે જ તેમાં પ્રવેશે છે, માટે રોષના દોષોને જાણતા અને અનુકંપાયુકત એવા મારે તેને શાન કરવા જોઈએ. ક્રોધ કરવાનું મને શોભતું નથી. વિષમ ભૂમિપ્રદેશમાં આવી પડેલા આંધળાની જેમ શોચનીય પક્ષમાં આવી પડેલા આ મનુષ્યને ઉપદેશરૂપી હાથ આપવા વડે મારે ઉપકાર કરવો જોઈએ. તેમાં જ પ્રવેશ કરવાનું મારે પોતાને માટે યોગ્ય નથી.” જે આ પ્રમાણે વિચાર કરે તેને રોષાગ્નિ, પાણીથી ભરેલા સરોવરને ન તપાવી શકે તેમ, તપાવી શકતો નથી. અથવા જિનવચનરૂપી જળ વડે સીંચાયેલા ચિત્તકમળાવાળો મનુષ્ય એમ વિચાર કરે કે –“દુઃખી એ સામે માણસ મને પીડા આપતાં શાન્તિ મેળવતા હોય તે તે બિચારો ભલે વિશ્રામ પામે આવી અવસ્થામાં રહેલા તેના ઉપર મારે ક્રોધ કરવો ન જોઈએ અથવા એના જેવા મારે થવું ન જોઈએ. આ નિમિત્તે ક્ષમારત્નને લાભ થાય છે એ મારે માટે જાણે કે સંતેષનું સ્થાન છે. જે મેં ભવાન્તરમાં કોઈને આ પ્રકારે કર્કશ વચનેથી પીડા આપી હોય અને તેનું આ ફળ હોય તે પણ ત્રણમક્ષ થાય છેશ્રણમાંથી છુટાય છે. એ પ્રિય વસ્તુમાં ક્રોધ કરવાનું મને શોભતું નથી. આ પ્રકારના Page #400 -------------------------------------------------------------------------- ________________ બાલચન્દ્રા ભક [ ૩૪૫ ] પ્રસંગમાં ક્ષમાપથ ઉપર રહેલા જીવો રેષરૂપી જંગલી દાવાનળના માર્ગને દૂરથી જ ત્યાગ કરીને નિર્વાણના માર્ગે ચઢીને ટૂંક સમયમાં દુખને અંત કરનારા થાય છે. ” પછી ફરી પાછું (વિદ્યાધરોએ સંજયંત કેવલીને ) પૂછયું, “ ભગવન! આ ભારતમાં કેટલા ધનાયક હતા? અથવા કેટલા થશે ?” એટલે કેવલીએ કહ્યું, “ અતીત કાળમાં અનંતા ધર્મનાયક થઈ ગયા છે અને ભવિષ્યકાળમાં અનંતા થશે. આ અવસપિ. ણીને આશ્રીને શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વાસુપૂજ્ય સુધીના, સુર-અસુર અને રાજાઓ વડે પ્રયત્નપૂર્વક પૂજાયેલા અને ભવ્ય અને રૂપી કુમુદાકરેને માટે ચંદ્ર સમાન, બાર અંગોને ઉપદેશ આપનાર બાર તીર્થકર થઈ ગયા છે; શ્રીવિમલનાથથી માંડીને શ્રી મહાવીર સુધીના બાર થશે.” એ પ્રમાણે કેવલીએ કહેતાં ચંદ્રાભદેવ અને ધરણે વંદન કરીને તેમને વનવવા લાગ્યા, “ ભગવાન ! અહીંથી ચવ્યા પછી અમારો સમાગમ થશે? અમને બેધિ અથવા આરાધના સુલભ છે ?” કેવલીએ કહ્યું, “તમે આ જ ભારતમાં મથુરા નગરીમાં મેરુમાલી રાજાની અનંતશ્રી-અમિતગતિ દેવીઓના પુત્ર મંદિર અને સુમેરુ નામે થશે. ત્યાં સુખપૂર્વક ઊછરીને તમે કલાગ્રહણ કરશે. વિમલનાથ અરિહંતના તીર્થકર–અતિશયથી વિચિમત થયેલે, વિમલ અને વિપુલ જ્ઞાનવાળા ભગવાન વિમલનાથે જેના પરલોક સંબંધી સંશોનું આવરણ છેદી નાખ્યું છે એ તથા દેવલોકના સંસમરણ દ્વારા પરલેક જેને પ્રત્યક્ષ થયે છે એ મેરુમાલી રાજા પરમ વૈરાગ્ય પામીને તમને બને જણને રાજ્ય આપી, દીક્ષા લઈને ગણધર થશે. ભગવાન વિમલનાથે જેમને જન્મના પ્રકાર કા છે તથા જેમને જાતિસ્મરણ થયું છે એવા તમે કેટલેક કાળે રાજ્ય ઉપરના મમત્વને ત્યાગ કરીને યથપદિષ્ટ સંયમનું પાલન કરતાં કર્મોને ખપાવીને સમેત પર્વત ઉપર મેક્ષમાં જશે.” આ પ્રમાણે જેમના સંશય દૂર થયા છે એવા દેવો અને વિદ્યાધર કેવલીને વંદન કરીને ઊભા રહ્યા. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ જેમનાં ક્ષીણ થયાં છે એવા સંજયંત કેવલી નિર્વાણ પામ્યા. દેએ તેમના પરિનિર્વાણ-મહત્સવ કર્યો. પછી ધરણને પગે પડીને વિદ્યાધરો વિનંતી કરવા લાગ્યા. “સ્વામી ! તમારે કેપ અમે જે અમારી વિદ્યાઓ પાછી આપવા વડે અમારા ઉપર કૃપા કરે.” એટલે ધરણે તેમને કહ્યું, “અરે, સાંભળો-આજથી તમને વિદ્યાઓ સાધવાથી જ વશ થશે. વિદ્યાઓ સિદ્ધ થઈ હશે તો પણ જિનગૃહમાં, અને સાધુને અથવા મિથુન(પતિ-પત્ની)નો અપરાધ કરતાં તમે વિદ્યાથી ભ્રષ્ટ થશે. પણ આ વિષ્ટ્રના વંશમાં મહાવિદ્યાઓ પુરુષને સિદ્ધ નહીં થાય. સ્ત્રીઓને માટે પણ તે ઉપસર્ગવાળી અને દુખપૂર્વક સાધી શકાય એવી થશે. અથવા દેવ, સાધુ અને મહાપુરુષના દર્શનથી એ વિદ્યાઓ સુખેથી સિદ્ધ થશે.” આ પ્રમાણે દેવની સમક્ષ વિદ્યાધરોની મર્યાદા સ્થાપીને ધરણ દેવોની સાથે ગયે. ભગવાન ४४ Page #401 -------------------------------------------------------------------------- ________________ * [ ૩૪૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : સંજયંતની આ પાદુકા છે. પાંચ નદીના સંગમ ઉપર આવેલે સિમણગ પર્વત તે કાળથી અમારી વિદ્યાસાધનની ભૂમિ છે. આ પ્રમાણે નિકાયવૃદ્ધોને ઘણી વાર કહેતાં મેં સાંભળ્યા હતા. વિદુષ્ટ્રના વંશમાં રાજાઓના અસંખ્ય સેંકડાઓ થઈ ગયા પછી થયેલા અરુણચંદ્ર રાજાની મેનકા દેવીની પુત્રી હું બાલચન્દ્રા નામે છું. નાગરાજાના શાપથી અમારા કુળમાં મહાવિદ્યાઓ કન્યાઓને દેખપૂર્વક સિદ્ધ થાય છે. માટે મેં તમને વિનંતી કરી કે તમારી કૃપાથી હું કૃતાર્થ થઈ છું. આર્યપુત્ર ! અમારા વંશમાં નયનચન્દ્ર નામે રાજા હતા. તેની મદનગા દેવીની કેતુમતી નામે પુત્રી હતી. રૂપાળી, વિદ્યાના પુરશ્ચરણથી દુઃખી થયેલી અને નાગપાશમાં બંધાયેલી તેને પુરુષોત્તમ વાસુદેવે ભરતનો વિજય કરતી વખતે જોઈ હતી, અને અનુકંપાપૂર્વક તેણે તેને છોડાવી હતી. કૃતાર્થ એવી તે કેતુમતી તેની જ ચરણસેવિકા થઈ હતી. એ જ પ્રમાણે માતા-પિતાની અનુજ્ઞા પામેલી હું તમારી સેવિકા થઇશ, માટે મને (તેમ કરવાની) રજા આપ; વર માગે, તમને હું શું આપું?” એટલે મેં કહ્યું, “બાલચ ! બાલચન્દ્ર જેવા સૌમ્ય મુખવાળી ! જે તે વર આપવાની ઈચ્છાવાળી હોય તે, મારા શરીરના રક્ષણ નિમિત્તે તારી બે વિદ્યાઓ વેગવતીને આપ. આ મારો વર છે.” એટલે વિનય વડે જેણે મસ્તક નમાવ્યું છે એવી તેણે “આપીશ” એમ કહીને તે વાત સ્વીકારી. પછી મને પ્રદક્ષિણા કરીને વેગવતીને લઈને પાડાનાં શીંગડાં, ગુટિકા (કસ્તુરી આદિની કાળી ગુટિકા ?) અને અળસીના ફૂલ જેવી નીલ પ્રભાવાળા આકાશમાં તે ઊડી. (૧૭) બંધુમતી લંભક તેઓ (બાલચન્દ્રા અને વેગવતી) ગઈ, એટલે હું દક્ષિણ દિશા તરફ ચાલે. વનાતરે, નદીઓ અને વિવિધ પર્વતે જોતાં મેં ઘણે રસ્તો વટાવ્યો, પણ હું શ્રમિત થયે નહીં. મેં વિચાર્યું કે, “મારા પ્રત્યે અનુકંપા ધરાવતી બાલચન્દ્રાનો આ પ્રભાવ છે.” રમણીયતા વડે જાણે કે મારું આમંત્રણ કરતું હોય એવું એક આશ્રમપદ મેં જોયું. હું ત્યાં પ્રવેશ્યા, એટલે ઋષિઓએ સ્વાગતથી મારું અભિનંદન કર્યું. મેં તેમને તપની બાબતમાં અવિશ્ન પૂછ્યું. તેઓએ અતિથિધર્મથી મારો સત્કાર કર્યો. પછી અમે બેઠા. ૧. આ લંભકના પ્રારંભમાં (પૃ. ૩૨૭) બાલચન્દ્રાના પિતાનું નામ ચંદ્રાભ આપ્યું છે. ૨. કથાના પૂર્વાનુસંધાન માટે જુઓ આ સંભકના પ્રારંભમાં પૃ. ૩૨૭. Page #402 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી સંભક [ ૩૪૭ ] વિવિધ કથાઓ શરૂ થઈ. મેં કહ્યું, “મને ધર્મોપદેશ કરો.” પછી તેઓએ સેવાલી ઋષિએ ઉપદેશેલે ધર્મ મને કહ્યો. ( વળી તેઓએ કહ્યું, “હે સેમ્ય ! આ ઉપરાંત બીજું સાંભળપ્રિયંગસુન્દરીને પરિચય ઉત્તમ વાતુ-નિવેશવાળી શ્રાવસ્તી નગરી છે. ત્યાં રાજાનાં લક્ષણેથી યુક્ત એણપુત્ર નામે રાજા છે. પ્રિયંગુનાં નવાં પુપની રાશિ સમાન (કાન્તિવાળી), લોકોનાં નયને માટે ઉત્સવ સમાન, ઉપભેગને યોગ્ય કુસુમિત ચંપકલતા જેવી, યુવતિજનોના સારભૂત રૂ૫ વડે નિર્મિત થયેલી લક્ષમી જેવી પ્રિયંગુસુન્દરી નામે પુત્રી છે. સંતુષ્ટ થયેલા પિતાએ તેને માટે સ્વયંવરને આદેશ કર્યો હતો. એક વાર આમંત્રેલા રાજાઓ તેમને આપવામાં આવેલા ઊતારાઓમાં રહ્યા. સારા દિવસે તેઓ (સ્વયંવરના) મંચ ઉપર બેઠા. સર્વે અલંકારોથી વિભૂષિત થયેલી રાજકન્યા પણ સ્વયંવરમંડપમાં પ્રવેશી. શરદઋતુના પ્રારંભકાળમાં ઊગેલી ચંદ્રલેખા જેવી તેને ક્ષત્રિયએ જોઈ. હદયના એકમાત્ર ભાજનરૂપ તેણની ઉપર ( ની) દષ્ટિ પડી. તેના રૂપતિશયથી વિચિમત થયેલા ક્ષત્રિય અનિમિષ નયનવાળા થયા. તેણે પણ રાજઓનું અવલોકન કર્યું, પણ કેઈ તેને એ નહીં. પાછી વળીને તે કન્યા, સમુદ્રના જળનાં મોજાં અથડાવાથી વળેલી નદીની જેમ, નગરમાં પ્રવેશી. “શું એક પણ ક્ષત્રિય તે કન્યાને રુપે નહીં ?' એમ બોલતા રાજાઓ ખળભળી ઊઠ્યા. તેઓએ એણપત્ર રાજાને કહ્યું, “તે રાજાઓનો અનાદર કેમ કર્યો ? આટલા બધા કુમારો બતાવવામાં આવ્યા, પણ તેમાંથી કોઈને (કન્યાએ) પસંદ કર્યો નહીં. ” એણી પુત્રે કહ્યું, “ જેને સ્વયંવર આપવામાં આવ્યું છે એવી કન્યા ઉપર મારો અધિકાર નથી. આમાં તમારે અનાદર કયાં થયો છે ? ” એટલે ક્રોધે ચડેલા રાજાઓ બોલ્યા, “ તું દુર બોલે છે; પરાક્રમને જય થાય છે; અમે બળ વાપરીએ તો અવશ્ય તે અમને વરશે.” એણીપુત્રે કહ્યું, “ પરાક્રમને જય થાય છે કે નથી થતો તે તો યુદ્ધમાં સ્પષ્ટ થશે. જે વિના કારણે ક્રોધ કરતા હો તે જેમ તમને રુચે તેમ કરે. ” એમ કહીને તે નગરમાં ગયા અને દરવાજા બંધ કર્યા એટલે રાજાએ કવચ પહેરીને તૈયાર થયા. એણપુત્ર પણ સૈન્ય સહિત બહાર આવ્યું. એક (એણીપુત્ર) અને ઘણા રાજાનું યુદ્ધ શરૂ થયું. તે અમને અદ્દભુત જેવું લાગતું હતું. કન્યાના રૂપથી હરાયેલા હૃદયવાળા, કીધયુક્ત અને જયની ઈચ્છાવાળા ક્ષત્રિયે યુદ્ધ કરતા હતા, પણ મહાસવવાળા એણપુત્ર વડે પરાજ્ય પમાડાયેલા તેઓ, સિંહથી ત્રાસ પામેલા હાથીઓની જેમ, ૧. આ વાકેને અર્થ અનુમાનથી કરેલ છે. ૨. આ પછી શુરૂદ્વીચ વ સલ્લા એ વાક્યખંડને અર્થ સમજાતું નથી, Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : દુઃખ પામવા લાગ્યા અને, સખ્ત પવનથી વાદળાંઓ વીખરાઈ જાય તેમ, દિશાઓમાં પલાયન કરી ગયા. એમાંથી કેટલાક માનને લીધે (પિતાનાં નગરમાં નહીં જતાં) આશ્રમમાં આવી પાખંડમાં પ્રવેશ્યા-તાપસ બની ગયા. કેટલાકેએ મત-પ્રપાત કર્યો. અમે પણ અહીં પાંચસો તાપસે છીએ. અમે પૂર્વે મિત્ર હતા, અને હવે નિર્વેદથી તાપસધર્મ સ્વીકાર્યો છે. અમારે માટે બીજો પ્રધાન ધર્મમાર્ગ નથી. અહીં તપ કરતા અમે રહીએ છીએ. તમે દેવોમાં ક્યા દેવ છે? જે તમે દર્શન આપવા વડે અમારા ઉપર કૃપા કરી છે, તે તમે ઉપદેશ આપ એમ અમે ઈચ્છીએ છીએ.” એટલે મેં કહ્યું, “ધ્યાનપૂર્વક સાંભળે– વસુદેવે તાપસેને કરેલે ઉપદેશ ત્રિલોકના ગુરુ તથા જીવ, અજીવ, બંધ અને મોક્ષનું સાચું સ્વરૂપ જેમણે જાયું છે એવા તીર્થકરે આ ભારતમાં પ્રધાન ધર્મોપદેશકે છે. તેમાં પ્રસિદ્ધ યશવાળા વીસ તીર્થકરો અનુક્રમે થઈ ગયા છે. સુર અને અસુર જેમનાં ચરણકમળમાં નમેલા છે એવા એકવીસમા નમિનાથ અરિહંતે ચાતુર્યામ ધર્મને ઉપદેશ કરે છે. તે આ પ્રમાણે મહાવતેનું વ્યાખ્યાન અહિંસા, સત્યવચન, અદત્તાદાન-વિરતિ અને સ્ત્રી, પશુ, સુવર્ણાદિના પરિગ્રહથી નિવૃત્તિ એ (ચાર મહાવ્રતો છે). તેમાં અહિંસા સકલ જીને અભય આપનારી છે, એટલે તેમાં દશ્ય અને અદશ્ય, પ્રધાન અને અપ્રધાન એ પ્રકારના વિકપનું પ્રજન નથી. છે પણ (બે પ્રકારના) સંસારના અને મુક્તિના છે. જેઓ નિર્વાણ પામ્યા તેમણે તો પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. જે સંસારના જીવો છે તેમના બે ભેદ છેએકેન્દ્રિય અને અનેકેન્દ્રિય. એકેન્દ્રિય જીવોના પાંચ ભેદ છે, તે જેમકે–પૃથ્વીકાયિક આદિ જાણવા, તે અવ્યક્ત લક્ષણવાળા છે. જે અનેકેન્દ્રિય જીવો છે તેમને પણ મોક્ષાભિલાષી જને જાણે છે. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારના લેગ વડે તેમને અનારંભ એ અહિંસા” નામથી ઓળખાય છે. ભાવથી જે શુદ્ધ, યથાર્થ, અહિંસાયુક્ત, અદુષ્ટ અને કર્કશતારહિત, તથા યથાસમય પરિમિત ભાષણ તે સત્ય વચન છે. બીજાએ જેને પરિગ્રહ કર્યો હોય કે ન કર્યો હોય, છતાં જે વસ્તુ આપવામાં આવેલી ન હોય તે અદત્તાદાનથી વિરત થયેલાએ ગ્રહણ કરવી નહીં; આપવામાં આવે તેમાં પણ જે ઉદ્દગમ અને ઉત્પાદનાથી 1. મસ્તકપાત-ઊંચા પર્વત ઉપરથી ભુસ્કો મારવો તે. ૨. કેમકે આ સર્વવિરતિ છે. ૩. અચચૈતન્ય હોવાથી સમજાય નહીં કે આ જીવ છે કે નહીં. ૪. ગૃહસ્થ તરફથી થતા આધાર્મિક આદિ ૧૬ દે તે ઉદ્દગમદેષ. સાધુ તરફથી થતા દે-માનપિંડ આદિનો સ્વીકાર, ધાત્રીદેષ, દૂતીદેષ, નિમિત્ત આદિને ઉત્પાદનદેષ કહેવામાં આવે છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી લંભક [ ૩૪૯ ] શુદ્ધ હોય તેને જ ઉપગ કરવો. કમળપત્રની જેમ નિલેપ અને વિષયને અભિલાષ નહીં રાખતા બ્રહ્મચારીએ ધર્મના સાધનરૂપ શરીરમાં નિર્મમત્વ રાખીને વિહરવું. ક્રોધ, માન, માયા અને લેભને ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ વડે નિગ્રહ કરે. બાહ્ય અને આત્યંતર તપ બાર પ્રકારનાં છે-અનશન, અવમોદરિકતા (ડું ખાવું, એકાસણું ઈત્યાદિ), વૃત્તિ સંક્ષેપ (ખાવા, પીવા અને ભેગવવાનાં દ્રવ્ય કમી કરવાં), રસપરિત્યાગ (વિગઈ ઇત્યાદિનો ત્યાગ), કાયાકલેશ (લેચ, આતાપના ઈત્યાદિ), સંલીનતા (અંગોપાંગ સંકેચી બેસવું તે), પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. આ માર્ગ જિનેશ્વરએ કહેલે છે. ભવ્ય, ધર્મમાર્ગ ઉપર રહેલા, જિનવચનમાં અનુરક્ત અને જેણે આસવને માર્ગ રોક્યો છે એવા જીવને નવાં કર્મોને ઉપચય થતો નથી અને પુરાણાં કર્મોને ક્ષય થાય છે. આથી કર્મોની નિર્જરા થતાં તે જીવ નિર્વાણ પામે છે. સંક્ષેપમાં આ ધર્મ છે. વનસ્પતિની વસિદ્ધિ પણ અઢાર હજાર શીલાંગથી અલંકૃત આ ધર્મનું જીવદયા એ મૂળ છે. કંદ, મૂલ, પુષ્પ, ફલ અને પત્રોનો ઉપભેગા કરવા વડે તમે જે વનસ્પતિકાયને પીડો છે, તે સત્ય આગમના પ્રમાણથી જીવે છે એ પ્રમાણે તમારે શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે-વિષયપલબ્ધિની બાબતમાં જેવી રીતે મનુષ્ય પાંચ ઈન્દ્રિયે વડે શબ્દાદિ વિષયોને જાણે છે તેવી રીતે આ વનસ્પતિ પણ જન્માક્તરની ક્રિયાઓને ભાવથી અને લબ્ધિથી સ્પર્શેન્દ્રિય (આદિના વિષયોને જાણે છે. જેમ પક્ષીભાવ સમાન હોવા છતાં સુઘરીનું ઘર-માળા બનાવવામાં જેવું કૌશલ્ય છે તેવું બીજાં પક્ષીઓમાં જોવામાં આવતું નથી; અથવા જેવું પિપટ અને મેનાનું વચન-કૌશલ્ય છે તેવું બીજાં પક્ષીઓનું નથી; ચઉન્દ્રિય ભમરાઓની વાંસમાં છેદ પાડવાની કળા જેવી રીતે તે તે જાતનાં બીજાં જંતુઓમાં નથી-એ જ પ્રમાણે વનસ્પતિ કાચિકેની પણ વિષયો પલબ્ધિ કંઈક લબ્ધિવિશેષથી કહેવામાં આવે છે. જેમકે–ગરવથી કંદલ, કુડવક આદિ વનસ્પતિની ઉત્પત્તિ થાય છે તેથી શબ્દપલબ્ધિ જણાય છે, (વૃક્ષે આદિને) આશ્રીને વલ્લી-લતા આદિનું ગમન થાય છે તેથી રૂપિપલબ્ધિ જણાય છે, ધૂપ કરવાથી કેટલાંક વૃક્ષે ખીલે છે તેથી ગધેપલબ્ધિ જણાય છે, પાણી પીવાથી શેરડી વગેરે ઊગે છે તેથી રસપલબ્ધિ માલુમ પડે છે, મૂળ વગેરે કાપી નાખવાથી વનસ્પતિનો સંકોચ થાય છે તેથી સ્પર્શેપલબ્ધિ જણાય છે, કમળ વગેરેનાં પત્રો બીડાઈ જવાથી નિદ્રા જાણ શકાય છે, પ્રમદાના પુરયુક્ત ચરણના તાડનથી અશોક વિકાસ પામે છે તેથી રાગ માલમ પડે છે અને સપ્તપર્ણને અકાળે પુષ્પ અને ફળ આવવા વડે હર્ષ જાણ શકાય છે. જેવી રીતે અને કેન્દ્રિય જીવ જાતિધર્મવાળા અને વૃદ્ધિધર્મવાળા હોય છે તથા આહાર વડે સિનગ્ધ કાન્તિવાળા, બલવાન, નીરોગી અને આયુષ્યવાન થાય છે Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૦ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ: તેમજ અતિ આહારથી કૃશ, દુલ અને વ્યાધિ વડે પીડાતા શરીરવાળા થઇને મરણુ પામે છે, તેવી રીતે વનસ્પતિકાયિકા પણ જાતિધર્મ અને વૃદ્ધિધર્મવાળા હોવાથી મધુર જળ વડે સીંચાતાં ઘણાં ફળવાળા, સ્નિગ્ધ પત્ર અને પલ્લવ વડે સુશેાભિત, ઘેરાવાવાળા અને દીર્ઘાયુ થાય છે, પણ તિકત, કટુ, કષાય અને ખાટાં પાણી વડે સીંચાતાં મ્લાન, ફિક્કાં અને કઠાર પત્રવાળાં થઇ ફળ વગરનાં બને છે અથવા નાશ પામે છે. આ વગેરે કારણેાથી વનસ્પતિકાયિકામાં જીવ છે એમ માનીને તેમની સારી રીતે રક્ષા કરવી. દરેક રીતે અગ્નિકાયથી જ કાર્ય કરતા તથા ગગન, ઇંધન અને પૃથ્વીને આશ્રીને રહેલાં ઘણાં સત્ત્વાના વિનાશ માટે પ્રવૃત્તિ કરતા, ઉદકના આરંભમાં તેને આશ્રીને રહેલાં સવાની તથા નિગેાદને આશ્રીને રહેલાં સત્ત્વાની વિરાધના કરનારાઓ કેવી રીતે અહિંસક હાઇ શકે ? પ્રાણાતિપાતની પ્રવૃત્તિ કરતા જે મનુષ્ય ‘હું અહિંસક છું' એમ કહે તે સત્યવાદી કેવી રીતે ગણાય ? તેથી તમે દુરાગમ( ખેાટા શાસ્ત્ર )ને અનુસરીને તપની બુદ્ધિથી જે કલેશ પામેા છે તે તપ હિંસાના દોષથી દૂષિત હાવાને કારણે કર્મની થાડી જ નિરા કરનાર અને ભવાન્તરમાં દુČત દેવ તરીકેના ઉપપાતના હેતુરૂપ થાય છે. પશુ જિનપ્રણીત માર્ગે ચાલનારા, જીવાનુ સ્વરૂપ જાણનારા અને સંયમને હાનિ પહોંચે નહીં તેવી રીતે તપ કરતા સાધુએ મહાનિ રાવાળા અને નિર્વાણુને ચાગ્ય થાય છે, અથવા મહુદ્ધિ ક દેવામાં ઉપપાત પામે છે. ઉદાહરણ તરીકે— કેાઈ એ પુરુષા એક નગરમાં પ્રવેશ્યા. તેમાંના એક મૂર્ખ કુહાડી લઇને સૂÜદયથી માંડીને લાકડાં કાપતા આખા દિવસમાં ઘણા પરિશ્રમે એક કાર્ષીણું કમાય, પણ કુશળ એવા બીજો થાડાક માલ લઇને તેના કલાપૂર્વક વેપાર કરતા અલ્પ પરિશ્રમથી ઘણું કમાય. “ દેવ ! તે જો તમે જન્મ-મરણથી ભરેલા સંસારનેા ત કરવા ઇચ્છતા હૈ। તેા કુધર્મના ત્યાગ કરીને જિનમતના સ્વીકાર કરા, એટલે એ વસ્તુ તમારા હિતને માટે થશે. ” પછી હર્ષને કારણે જેમને રામાંચ થયાં છે એવા તે મને કહેવા લાગ્યા, આ સુગતિ-માગ ના ઉપદેશ કરીને આપે અમારા ઉપર પરમ અનુગ્રહ કર્યો છે. અમે તે પ્રમાણે કરીશુ. ’ પછી ઉપદેશદાન વડે તાપસેાની પૂજા કરીને, પ્રીતિવડે વિકસિત એવાં તેમનાં નયનાની માળાઓ વડે અનુસરાતા, હું નીકન્યા અને ગેાકુળાથી આકી અને જેમાં ધાન્યા પાકતાં હતાં એવાં ગામ જોતા અનુક્રમે એક જનપદમાં પહાંચ્યા. ખરેખર, આ સ્વર્ગમાં વસનારા દેવ કાઇ કારણથી ધરણિતલ ઉપર ઊતરી આવ્યે છે, તેની પૂજા કરવી જોઇએ ' એ પ્રમાણે ખેલતા અને વિનયથી જેમણે મસ્તક નમાવ્યું છે એવા ત્યાંના નિવાસી ગૃહપતિએ વડે શયન, આસન, વજ્ર, પાન અને લેાજન આપવા વડે આદરપૂર્વક સેવાતા હું' સુખપૂર્વક મુકામ કરતા તથા શિરામણુ પામતા શ્રાવસ્તી નગરી આગળ પહોંચે. તેની સમી Page #406 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી સંભક ધમતી સંભક [ ૩૫૧ ] પમાં આવેલાં, પુપ અને ફળના ભારથી નમેલાં તરુવર વડે સુશોભિત ઉપવનમાં જેની હષ્ટિ વિશ્રામ પામેલી છે એવા મેં જાણે કે દેવરાજ ઈન્દ્રની બુદ્ધિથી નિર્માણ થયેલી હોય તેવી અને વિદ્યાધરના મુખ્ય નગરની શોભાને ધારણ કરતી તે નગરી જઈ. ત્યાં એક પ્રદેશમાં નગરના પ્રાકાર જેવા પ્રકારથી વીંટળાયેલું, જેની કાન્તિથી મનુષ્યલક વિસ્મિત છે એવું, ચંદરવા વડે દર્શનીય, સારી રીતે બાંધેલા છજાં, ચંદ્રશાલા-અગાશી, જાળિયાં, ગોખ અને કપોત પાલી-કિનારી વડે સુશોભિત તથા કનકની સ્તુપિકા (નાનો સૂપ) જેમાં છે એવું તથા ઔષધિ વડે પ્રજ્વલિત રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવું દેખાતું એક મંદિર મેં જોયું. “કયા દેવનું આ આયતન હશે ?' એમ વિચારતે હું મોટા દરવાજામાં થઈને અંદર પ્રવેશ્યા. ત્યાં એકસો આઠ થાંભલા વડે મંડિત અને વિવિધ પ્રકારની લાકડાની કતરણથી સુશોભિત મંડપ મેં જોયા. ત્યાં બ્રહ્માસનમાં બેસાડેલા, જાલગુહના મધ્યમાં રહેલા, સારી રીતે જડેલા ( કાળા ) રિઝમણિ વડે જેની કાયા બનાવેલી છે એવા, ઉત્તમ ઈન્દ્રનીલમણિથી જેનાં સ્નિગ્ધ શીંગડાં બનાવેલાં છે એવા, (લાલ) લેહિતાક્ષમણિ વડે જેનાં નયનને વિપુલ આકાર જડેલ છે એવા, મહામૂલ્યવાળી પરાગમણિ વડે જેની ખરીઓ ઘડેલી છે એવા તથા મહામૂલ્યવાન મુક્તાફળ વડે મિશ્ર કાંચનની ઘુઘરમાળ જેના ગળામાં પહેરાવેલી છે એવા ત્રણ પગવાળા મહિષને જોઈને મારી પહેલાં પ્રવેશેલા બ્રાહ્મણને મેં પૂછયું, “ આર્ય! તમે જાણો છો ? આ મહિષને શું રત્નની દુર્લભતાને કારણે ત્રણ પગવાળો બનાવેલું છે? અથવા બીજું કંઈ કારણ છે? જે તમે ( મારી જેમ) પરણાપરદેશી ન હ તે કહે.” એટલે તેણે કહ્યું, “ ભદ્રમુખ! એનું કારણ છે. જે તમારી સાંભળવાની ઈચ્છા હોય તે તમને કહું. ” પછી હું એક પ્રદેશમાં બેઠો. બ્રાહ્મણ કહેવા લાગે, “હું આ જ નગરમાં જન્મેલે અને ઊછરેલે ઈશર્મા નામે બ્રાહ્મણ છું. ગાન કરતા વિદ્વાને પાસે મૃગધ્વજનું ચરિત્ર મેં જે પ્રમાણે ઘણી વાર સાંભળ્યું છે તે પ્રમાણે તમને કહીશ. સાંભળે– મૃગધ્વજ કુમાર અને ભદ્રક મહિષનું ચરિત્ર જેણે શત્રુ-સામતને જીત્યા છે એ જિતશત્રુ નામે રાજા અહીં હતો. કીર્તિમતી દેવીથી થયેલ મૃગધ્વજ નામે તેને પુત્ર હતું. તે વિનીત, વિચક્ષણ, ધીર, ત્યાગી, સુખભિગમ્ય (જેની પાસે સુખપૂર્વક જઈ શકાય એવો ) અને પ્રજાનું હિત કરનાર તરીકે પ્રસિદ્ધ થયો હતો. તે જ કાળે કુણાલામાં અનેક કટિ ધનને અધિપતિ, ઘણા લોકોને બહુમાન્ય તથા રાજા જિતશત્રુના બીજા શરીર જેવો કામદેવ નામે એકી હતા. તે કઈ એક વાર શરદઋતુના ૧. આ પૂર્વના વિજયરાધGIRવયં એ વાક્યખંડનો અર્થ સ્પષ્ટ સમજતો નથી. ‘વિનયવડે નત ધરાના પ્રાકારના વલય જેવું ' એ તરજુમો થઈ શકે, પણ તેમાંથી કંઈ અર્થ નીકળતું નથી. Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૨ ] વસુદેવ-હિંડીઃ : પ્રથમ ખંડ : પ્રારંભકાળે ઉત્તમ કનકના જેવા કપિલ રંગનાં બંધાયેલાં કણસલાનાં ભારથી લચી પડેલાં શાલિવન-ડાંગરનાં ખેતરે તથા વિકાસ પામેલાં કમળાના રસમાં લાલુપ ભમરાઓના આનંદયુક્ત ગુંજારવ વડે શબ્દાયમાન સરોવર જેતે જેતે રમત કરતાં વાછરડાં અને તાજી વિયાયેલી ગાયના હંબારવ વડે અનુવાદિત ગોપીજનેના મધુર ગીતસાગરના ગંભીરતર શબ્દ વડે જેનું સ્થાન સૂચિત થતું હતું એવા પિતાના ગોકુળમાં પહોંચ્યા. ત્યાં કુસુમ વડે ધવલ, ભમરાઓના મધુર ગુંજારવ વડે શબ્દાયમાન સપ્તપર્ણ વૃક્ષની પાસે તે ઊભો રહ્યો. ગોકુળના અધિકારમાં નિયુક્ત થયેલ દંડક નામે મનુષ્ય તેની પાસે આવ્યું. તેની અનુમતિથી બધા ઊભા રહ્યા. નિંદસકના મંડપમાં રહેલા તેની પાસે ગોવાળિયાઓ ગોકુળને યોગ્ય ભેજન લાવ્યા. ભૂજન કરીને પછી કામદેવ દંડકની સાથે ગાય અને ભેંસની વાત કરતા બેઠે. ત્યાંથી થોડેક દૂર એક પાડો ફરતો હતો તેને દંડકે બોલાવ્યા, “ ભદ્રક! જલદી આવ. મારા અને તારા સ્વામી આવ્યા છે. તેમની પાસે આવ.” તે પાડો આ વચન સાંભળતાંની સાથે જ શ્રેણીની પાસે આવ્યા. દેખાવમાં તે લોકોને ભય પમાડનારો હતો. પણ શેઠની પાસે બેઠેલે દંડકે કહ્યું, “આ તો ભલે છે, માટે ડરશો નહીં. ” પછી તે પાડો જીભ બહાર કાઢીને માથું નમાવી શુંટણએ પડ્યો. કામદેવે ગોપને પૂછ્યું, “આ પાડો આવી રીતે કેમ પડ્યો? જે જાણતો હોય તે કહે.” તે બે, “ સ્વામી ! આ મરણથી ડરનાર છે. સાધુના ઉપદેશથી મેં તેને અભય આપ્યું છે, હવે તમારી પાસે તે અભય માગે છે.” શેઠે વિચાર્યું, “જેને જીવન પ્રિય છે એ આ તિર્યંચ અવશ્ય જાતિસ્મરણવાળો હશે.” આમ વિચારીને તેણે કહ્યું, “ ભદ્રક! આ ગેકુળમાં તું નિશ્ચિત્તપણે રહે, તને કંઈ ભય નથી. ” એટલે તે પાડે ઊઠીને સુખપૂર્વક ફરવા લાગ્યા. • કેટલાક દિવસ પછી શેઠ નગરમાં જવા નીકળ્યો. ભદ્રક પાડો પણ તે જાણીને પાછળ પાછળ જવા લાગ્યા. શેઠના નોકરો તેને અટકાવવા લાગ્યા, પણ શેઠે કહ્યું, “ ભદ્રક ભલે આવે, જે તેની ઈચ્છા હોય તો મારી સાથે તેને નગરમાં આવવા દે. એની રક્ષા કરજે, કોઈ તેને પીડા કરે નહીં.” પછી કામદેવ અનુક્રમે નગરમાં પહોંચે. ઘેર આવીને તેણે કોમ્બિક પુરુષને આજ્ઞા કરી, “ વલ્લભ અશ્વને જે ખોરાક આપે છે તે કંઈ વિચાર કર્યા વગર ભદ્રકને પણ આપજે. ” પછી ભદ્રક અબદ્ધ, અરુદ્ધ અને અયંત્રિતપણે શેઠના ભવનમાં રહેવા લાગ્યા. એક વાર ભદ્રકે સાંભળ્યું કે “શેઠ રાજદરબારમાં જાય છે. આથી તે પણ શેઠની પાછળ દોડ્યો. ગભરાયેલા લોકો કહેવા લાગ્યા, “પાડાના રૂપમાં રહેલા આ યમને દરથી જ ત્યાગ કરવો-તેનાથી દૂર નાસી જવું.” કામદેવ રાજ દ્વારે પહોંચે. પ્રતિહારે પુરુષને આજ્ઞા આપી, “આ પાડાને અટકાવો.” શેઠે કહ્યું, “આ તો ભદ્રક છે, તે ભલે પ્રવેશે. એને અટકાવશે નહીં. ” પછી પાડે અંદર પ્રવેશ્યા. રાજા નજરે પડ્યો એટલે તે તેને પગે પડ્યો. શેઠ રાજાને પ્રણામ કરીને ઊડ્યો, એટલે રાજાએ તેને પૂછયું, “આ Page #408 -------------------------------------------------------------------------- ________________ ધુમતી લાક [ ૩૫૩ ] 66 પાડા શાથી આ પ્રમાણે રહેલા છે પ્રણામ કરે છે? ” એટલે શેઠે કહ્યું, “ આ ભદ્રંક મહિષ તમારી પાસે અભય માગે છે. ” રાજાએ વિસ્મયપૂર્વક તેને જોયા અને કહ્યુ, “તિય ચ ચેાનિમાં આ આશ્ચર્ય છે, ભદ્રક ! તને અભય આપવામાં આવે છે. જા, જનપદેા સહિત મારી નગરીમાં તું સુખ પડે તેમ વિચર. ” પછી રાજાએ અમાત્યને આજ્ઞા આપી, “ નગરીમાં ઢઢા પિટાવા કે—જેને અભય આપવામાં આવ્યુ છે એવા ભદ્રક મહિષના જે અપરાધ કરશે તે મારા જ્યેષ્ઠ પુત્ર હશે તેા પણ મારે માટે વધ્યુ છે. ” અમાત્યે પણ રાજાની આજ્ઞા પ્રમાણે ઢંઢેરા પિટાન્યા. પ્રણામ કરીને મહિષ રાજભવનના આંગણામાંથી નીકળ્યેા. ‘ખરેખર આ ભદ્રક-ભલા છે' એ પ્રમાણે લેાકેામાં પણ તે પ્રસિદ્ધ થયા. તેનાં શિગડાં ઉપર વળગીને ક્રીડાપૂર્વક ભુસ્કા મારતાં ખાળકા વડે હેરાન કરાતા હૈાવા છતાં, જાણે પેાસ્તમયલેખ્યક ના બનાવેલા હાય તેમ, તે તેને પીડા કરતા નહાતા. શેઠના ઘરમાં તે તે પ્રિય પુત્ર જેવા હતા અને ગુરુના ઘેર જેમ શિષ્ય રહે તેમ રહેતા હતા. સુખપૂર્વક ફરીને રાત્રિના સમયે તે પાછા આવતા હતા. એક વાર મૃગધ્વજ કુમાર પેાતાના પરિવાર સહિત ઉદ્યાનની શાભા અનુભવીને નગ રમાં પાછા આવતા હતા. નિશ્ચિતપણે ફરતા ભદ્રક મહિષને તેણે જોયા. પછી તેના દર્શીનમાત્રથી જેને રાષ ઉત્પન્ન થયા છે. એવા મૃગધ્વજે તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને તેના પગ ઉપર એક ઘા કર્યાં. ક્રોધયુક્ત એવા તે ફરીવાર પ્રહાર કરવાને ઇચ્છતા હતા, પણ તેના માણસાએ પગે પડીને તેને અટકાવ્યે કે, “ દેવ ! આ પાડાને મહારાજાએ અભય આપેલુ છે, માટે તમે એના વધ કરવાને ચેગ્ય નથી. જવા દે. ” પછી આનાકાનીપૂર્ણાંક અટકીને તે નગરીમાં આવ્યે અને પેાતાના ભવનમાં રહ્યો. પાડા ત્રણ પગે ચાલીને દુ:ખપૂર્વક અનાથસ્ત ંભ આગળ પહેાંચ્યા. જેમને અનુકંપા થઇ છે એવા લેાકેાએ તેને જોયા. તેઓએ હાહાકાર કર્યો કે, “ અહા ! અકાર્ય થયું છે કે-બિચારા નિરપરાધી ભદ્રકની આ દશા કરવામાં આવી છે.” જેમણે કારણુ જાણ્યુ છે એવા અધિકારીઓએ નિર્દે શપૂર્વક રાજાને નિવેદન કર્યું કે, “ સ્વામી ! જેને અભય આપવામાં આવેલું છે એવા ભદ્રંક મહિષના એક પગ કુમારના મનુષ્યાએ કાપી નાખ્યા છે. ત્રણ પગ વડે ચાલીને તે અનાથસ્તંભ આગળ આવીને ઊભેા રહ્યો છે. આ ખાખતમાં સ્વામીની આજ્ઞા પ્રમાણુ છે. ” એટલે ક્રુદ્ધ થયેલા રાજા કહેવા લાગ્યા, “આ અપરાધમાં કુમાર મારે માટે વધ્યુ છે. જે મારા શાસનના ભંગ કરે તેનાં માણસાનું મારે કામ નથી. ( તાડના ) મસ્તક–ટાચ ( ઉપરની સૂચિ—મૂળના નાશ થાય તેા તાડના પણ નાશ થાય છે. ” અમાત્યે વિનંતી કરી, ૧, જે અનાથ વ્યક્તિને કઈ ફરિયાદ કરવી હાય તે અનાથસ્તભ નામથી ઓળખાતા સ્થાને જઈને ઊભી રહે એવી પ્રથા હાવી જોઈએ. ૪૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : “સ્વામી ! દેવી વિનંતી કરે છે કે-“છેલે પુત્રને હું અલંકાર પહેરાવું.” માટે તેમના ઉપર કૃપા કરો. માતા ભલે કુમારને મળે. આપે આજ્ઞા કરી છે તે પ્રમાણે તે કુમારનું જીવન હવે નથી, માટે દેવી વધ્યસત્કાર ભલે કરે.” એટલે રાજાએ કહ્યું, “ભલે, એમ થાઓ, પણ તેને જલદી પાછો લાવજે.” મંત્રીએ કહેલું નરકનું સ્વરૂપ પછી કુશળ એવા તે મંત્રીએ રાજાની નજર ચુકાવીને કુમારને એકાન્ત કઠામાં લઈ જઈને વૈરાગ્યમાર્ગને લગતી કથા તેને સંભળાવવી શરૂ કરી. તેણે મૃગધ્વજને કહ્યું, કુમાર ! હિંસાનું પ્રત્યક્ષ ફળ તમે જોયું. તમે રાજાને પ્રાણથી પણ વધારે પ્રિય હતા; પિતાએ આવી રીતે તમારું લાલન કર્યા પછી એક ક્ષણમાત્રમાં તે પાપના વિપાકને કારણે તમારો વધ કરવાની આજ્ઞા કરી છે. એમ જાણે કે-નિર્દય અને નૃશંસ એવા જે છ માંસ, રુધિર, પિત્ત, હૃદય, દાંત, પુચ્છ વગેરે મેળવવા માટે ખેચર, જળચર અને સ્થળચર પ્રાણીઓ ઉપર પ્રહાર કરે છે, કલુષિત ચિત્તવાળા જેઓ વિના કારણે પ્રહાર કરે છે, નિરપરાધીઓ ઉપર ક્રોધ કરે છે, બીજાના દુઃખમાં આનંદ પામે છે, અને સજજને વડે નિન્દનીય તથા નિર્દય એવા જેઓ બાળક, વૃદ્ધ અને શરણાગતનો વધ કરે છે તેઓ કાળ કરીને કર્મની ગુરુકતાને કારણે અવશપણે નરકમાં જાય છે. એ નરક શ્રવણ કરવામાં પણ પ્રતિકૂળ, જળભય વાદળાંઓ વડે છવાયેલી કૃષ્ણપક્ષની અમાવાસ્યા જેવાં અંધકારમય, ભયજનિત રુદન અને પ્રલાપોથી ભરપૂર, સડેલા માંસ જેવાં દુર્ગધમય, વીંછીના ડંખ સમાન દુસહ અને કર્કશ સ્પર્શવાળાં તથા જેમાં બહુ મુશ્કેલીથી ગતિ કરી શકાય એવાં હોય છે. નારક નામ-આયુ-ત્રકર્મના ઉદયકાળે, તે સમયે અનિષ્ટતર વેદનીય, અવ્યક્ત મનુષ્યદેહ જેવા, કૂબડા, દુઃખભાજન અને ખરાબ એવા અશુભ દેહને તથા તે ભવને યેગ્ય પાંચ પર્યાપ્તિઓને પ્રાપ્ત કરીને પાપના લેપથી મલિન અને જેની ઉપમા આપી શકાય નહીં એવાં ટાઢ, તાપ તથા ભૂખ-તરસની વેદનાથી કલેશ પામતા છે દીર્ધકાળ સુધી ત્યાં દુ:ખ પામે છે. એ ગહન અંધકારમાં એક નારકને બીજા ચાલતા નારકનો સ્પર્શ થાય તે વડે અથવા ભયંકર શબ્દ વડે તે જાણી શકે કે “બીજાઓ પણ અહીં છે;” માત્ર જિનેશ્વરોના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાનોત્પત્તિના સમયે જ્યારે શુભ પુગલના પરિણામ વડે જગત પ્રકાશિત થયું હોય ત્યારે તેઓ એકબીજાને જોઈ શકે. અથવા અવધિવિષયથી પરસ્પરને પૂર્વજન્મનો વૈરાનુબંધ જોઈને શૂલ, દંડ, ભિંડીમાલ, નારાજ, મુશળ વગેરે હથિયારે વિમુવીને તેઓ એકબીજાને મારે છે, પ્રહારથી ઘવાયેલાં શરીરવાળા તેઓ મૂચ્છ પામીને ક્ષણવારમાં પાછા સ્વાભાવિક-સાજા થઈને નખ અને દાંત વડે એકબીજાને પીડા આપે છે. તથા ક્રોધે ભરાયેલા અને અમર્ષથી જેમના દેહ બળી રહ્યા છે એવા તથા પાપકમી તેઓ પુરાણું વેરની યાદ આપતા એકબીજાનો વધ કરે છે. બીજાને વધ કરવા વડે Page #410 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી સંભક [૩૫૫] હર્ષિત થયેલા પરમાધાર્મિક અસુરે નારકાવાસમાં પ્રવેશ કરીને કીડા નિમિત્તે તેમને આ પ્રમાણે કરે છે-માંસપ્રિય મનુષ્યને કાતર વડે અનેક પ્રકારે કાપે છે, પોતાના જ માંસમાં આસક્ત એવા તેને કાપીને તપાવેલ સીસા અને ચાંદીનાં રસાયણના રસમાં મૂંજે છે, (પૂર્વજન્મના) દુષ્ટ વધ કરનારાઓ કર્કશ વચનવડે પિતાનાં દુઃખ કહેતાં કહાય, કૂટશાલ્મલી અને લેહકંટક(એ નરકનાં વૃક્ષવિશે ) વડે આકુળ થઈને કળકળાટ કરતા કરુણ વિલાપ કરે છે ત્યારે વિલાપ કરતા એવા તેઓને વાલકે (એ નામના નરકપાલ) બહાર ખેંચી કાઢે છે; ચીસો પાડતા એવા તેઓને વૈતરણિ (નામના નરકપાલ) હરિયાળાં વૃક્ષો વડે રમ્ય તીરપ્રદેશવાળી વૈતરણું બતાવે છે અને કહે છે, “આ શીતળ જળ પીઓ;” પછી પ્રસન્ન થતા તેઓ પૂર્વે જેમણે દુષ્કૃત કર્યા છે એવા તથા ચાલવાને દુર્બળ એવા નારકોને અંદર ફેકે છે અસિપત્ર નામે અસુરે બનાવેલું નયનમનહર અસિપત્રવન તેઓ નારકને બતાવે છે; પતંગિયાં જેમ દીપશિખામાં પ્રવેશ કરે તેમ તીક્ષણ તલવાર અને શક્તિઓથી ભરેલા પત્રવનમાં તેઓ ફરે છે. પ્રવેશ કર્યા પછી ક્ષણવારમાં જ તે વન તેમને દુઃખાભિઘાત કરનારું થાય છે. જેઓ અહીં (મનુષ્યલેકમાં) જીવને નિર્દયપણે મારતા હતા તેઓ પવનની ઝપટથી પડતાં પાંદડાં વડે ગાત્રો કપાઈ જતાં શરણરહિત બનીને ફાટ્યા સ્વરે આક્રંદ કરે છે. બીજા શ્યામ અને સબલ નામના પરમાધામિકે ઘેર રૂપવાળાં અને એક પગવાળાં ઢક અને કંક પક્ષીઓ ઉત્પન્ન કરીને (તેમની પાસે નારકેના શરીરની) ખેંચાખેંચી કરાવે છે, “હે સ્વામી! બચાવો” એમ બોલતા નારકને તેઓ કલંબવાલકામાં રગદળે છે, આગના ભડકા વિકવીને હસતા એવા તેઓ એમાં તેમને સળગાવે છે. પરસ્ત્રીમાં પ્રીતિ રાખનારા નારકોને નરકપાલની બુદ્ધિ વડે નિર્મિત થયેલી અગ્નિવર્ણ સ્ત્રીઓ સાથે તેઓ આલિંગન કરાવે છે.” આ પ્રમાણે નરકનું સ્વરૂપ સાંભળતા મૃગધ્વજ કુમારને “મેં આ પ્રકારનું દુઃખજાળ પૂર્વે કયાં અનુભવ્યું છે?” એ વિચાર આવતાં તેની આખી કાયા અને ગાત્રો કંપ્યાં, રોમાંચ ખડાં થયાં અને માર્ગણા–ગવેષણ કરતા તેને તે પ્રકારના આવરણના ક્ષપશમથી જાતિસ્મરણ થતાં જાણે એ દુઃખ તેની સમક્ષ વર્તમાન હોય એમ માન તે મૂછ પામે. મુહૂર્ત પછી સ્વસ્થ થઈને તે અમાત્યને કહેવા લાગ્યું, “આર્ય! નરકનું આવું સ્વરૂપ છે એમ તમે શી રીતે જાણે છે?” મંત્રીએ કહ્યું, “કુમાર ! શાસ્ત્રથી જાણું છું. વીતરાગના એ ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. જે મનુષ્ય રાગયુક્ત, દુષ્ટ કે મૂઢ હોય તે કાર્યસાધન નિમિત્તે કે અજ્ઞાનથી સાચું–જૂઠું બોલે, પણ જે રાગ, દ્વેષ અને મોહથી રહિત તથા વિમલ-વિપુલ જ્ઞાની હોય અને જે કૃતાર્થ થયા હોય તેઓ બીજાને રાગદ્વેષરહિત ઉપદેશ કરતાં સર્વશે અનવદ્ય એવું અસત્યસૃષ અને સત્ય જ બેલે, સૂર્યમાંથી અંધકારનો સંભવ જ નથી.” પછી મંત્રી કહેવા લાગે– ૧. નરકવર્ણનને આ પાઠ કટ હેવાથી કેટલેક સ્થળે અનુમાનથી અર્થાનુસંધાન કરવું પડયું છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૬ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : “ વિનયપૂર્ણાંક નમેલા સુર અને અસુર વડે જેમનાં ચરણકમલ પૂજાયેલાં છે એવા, સર્વજ્ઞ અને સČદશી શ્રી નમિ નામે અરિહંત અહીં હતા. તે ભગવાને કેવલજ્ઞાન વડે સારી રીતે જોયેલા ચાર ગતિ-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિવાળા સંસાર કહ્યો હતા. જેણે આસ્રવનું દ્વાર રોકયુ નથી એવા, કષાયને વશ પડેલેા અને જિનેશ્વરનાં વચનરૂપ અમૃતપાનને નહીં પામતા જીવ આ જન્મ, મરણ, રાગ, શાક, વધ અને મધ વડે બહુલ સંસારમાં જે રીતે ભમે છે, જે હેતુઓથી ભમે છે, જે એની સ્થિતિ છે, જે અનુભવ છે, નરક–તિર્યંચમાં જે પુષ્કળ દુ:ખ છે, દેવ-મનુષ્યમાં જે કલ્પનામાત્ર સુખ છે અને જે રિદ્ધિઓ છે તે બધું સર્વ ભાવદશી ભગવાને વિસ્તારથી વર્ણવ્યું હતું. સંસારમાં પણ મેાક્ષ-નિર્વાણુના માને પ્રાપ્ત થયેલા જ્ઞાનીનું, અને સંયમમાં અને તપમાં ઉદ્યમ કરતા તથા જેણે કમળ ખપાવ્યેા છે એવા શુદ્ધ ભવ્ય જીવનું સિદ્ધિવસતિમાં ગમન કેવી રીતે થાય છે ( તે પણ તેમણે કહ્યું હતું ). આ મારું ગુરુપરંપરાગત જ્ઞાન છે, નરકગતિનું કિંચિત્ માત્ર વર્ણન મેં' તમારી આગળ કર્યું. » ટ 6 એટલે મૃગધ્વજ કુમાર અમાત્યને કહેવા લાગ્યા, “ આ ! જે તમે નરકનું સ્વરૂપ કહ્યું તે સ મેં અનુભવ્યું છે. જે તમે શાસ્ત્રાધારે કહેા છે. તે સાચે જ સર્વજ્ઞને અનુમત છે; એમાં કંઇ શંકા નથી. તેા હું ક્રી નરકમાં કેવી રીતે ન પડું અને જન્મમરણની ઘટમાળમાંથી કેવી રીતે ઊગરી જાઉં તે કહેા. ” એટલે સન્તુષ્ટ થયેલેા મ ંત્રી આલ્યા, “ કુમાર ! · અરિહંતનું વચન સત્ય છે ’ એ પ્રમાણે ભાવથી રુચાવીને જે પહેલાં તેા (મનસા, વાચા, કર્માંણા ) ત્રિવિધ યાગથી ર્હિંસાવિત થાય છે, પરિમિત, અનવદ્ય અને સત્ય ખેલે છે, આપેલી અને કલ્પતી વસ્તુને શરીરને ટકાવવા નિમિત્તે જ ગ્રહણ કરે છે, પોતાના દેહમાં પણ મમત્વરહિત બનીને બ્રહ્મચારી રહે છે, પેાતાના વિષયેામાં આસક્ત એવી ઇન્દ્રિયાને રાકીને ક્રોધ, માન, માયા અને લેાલના ક્ષમા, માર્દવ, આવ અને સતાષ વડે પરાજય કરીને, તપને વિષે ખળને ગેાપવ્યા વગર ઉદ્યમ કરે છે તેને આસવના રાધ થવાને કારણે નવા ક સંગ્રહ થતા નથી અને પુરાણા કર્મની તપ વડે નિરા થાય છે; તેથી જેની કરજ દૂર થઇ ગઇ છે એવા તે કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં પરમપદને પામીને સિદ્ધ અને અવિચ્છિન્ન સુખના ભાગી થાય છે. ' ܕ 66 પછી કુમારે કહ્યું, “ આર્ય ! આ ઉપદેશ આપવા વડે તમે મારા ઉપર અતિ ઉપકાર કર્યા છે. તા જો પિતા મારા અપરાધની ક્ષમા આપતા હાય તા જેણે દુ:ખસમુદાયને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે એવા મારે ભાગાનું કઇ કામ નથી. જે મરણ પામીશ તે પણ સર્વોત્તમ ગતિને પામીશ. હું પોતાની મેળે જ દીક્ષા લઉં છું અને લેાચના આરંભ કરું છું. ” અમાત્યે તેના નિશ્ચય જાણીને માણસને આજ્ઞા કરી, “મારે ઘેર જા, અને રજોહરણ, પાત્ર તથા ઉપકરણેા જલદી લાવ. ” તે એ વસ્તુ શીઘ્રપણે લાવ્યેા. પછી જેનાં Page #412 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી લંભક [ ૩૫૭ ] કેશ અને આભરણ દૂર કરવામાં આવ્યાં છે એવા તેને અમાત્ય રજોહરણ અને પાત્ર આપ્યા, તથા કહ્યું, “કુમાર ! તમે સીમંધર અણગારના શિષ્ય છે, હું વ્રતા ચારણ કરું છું.પછી જેણે સામાયિક કર્યું છે એવા તેને રાજાની પાસે લઈ જવામાં આવ્યું. પાત્ર, ઓઢવાના વસ્ત્ર અને શુદ્ધ ચીવરથી યુક્ત, તથા જેણે પૂર્વ દેહાઈ ઢાંકેલો છે એવા, સફેદ વાદળાંઓના સમૂહ વડે જેનું અર્ધ બિંબ ઢંકાયેલું હોય એવા શિશિરઋતુના બાલ સૂર્ય સમાન તેને રાજાએ જે. રાજાએ વિચાર કર્યો, “અહો ! આ તેજસ્વી શ્રમણ શા કારણથી મારી પાસે આવે છે?” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો અને તેને ઓળખતે નહતો, એટલામાં તે અમાત્યે રાજાને પગે પડીને વિનંતી કરી, સ્વામી ! શ્રમણ વધ્ય કે અવધ્ય?” એટલે પાસે ગયેલા અને શ્રમણરૂપમાં રહેલા મૃગધ્વજને બાષ્પપૂર્ણ લોચને વડે પિતાએ જે. પછી સંતેષ પામેલા અને હર્ષને કારણે જેને રોમાંચ થયાં છે એવા તેણે ઊઠીને અમાત્યને આલિંગન આપ્યું અને કહ્યું, “અહો! તે મહામતિ છે, શાથી જે તે મારી આજ્ઞા પણ લોપી નહીં અને પુત્રવધમાંથી મને મુક્ત કર્યો. એ પછી તેણે પુત્રને અર્ધાસન ઉપર બેસાડ્યો અને આંસુ સારતાં કહ્યું, “પુત્ર ! તારી પ્રવજ્યા તે થઈ જ, પણ હવે રાજ્યાભિષેકને સ્વીકાર કર, હું તારે પ્રધાન થઈશ.” કુમારે કહ્યું, “તાત! રાજ્યમાં અથવા વિષયમાં મને લાભ નથી. નરકલેકની ભયજનક વેદનાઓથી હું ડરેલ છું, માટે મને રજા આપે.” પછી રાજાએ કહ્યું, “વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરજે, પણ અત્યારે તે ભેગે ભગવ.” એટલે તે બોલ્યો, જેમના જીવનકાળ નક્કી હોય તેમને માટે એ યોગ્ય છે, પણ અનિત્યતા વડે ઘેરાયેલાઓ માટે એ ગ્ય નથી. તાત! બળતા ઘરમાંથી નીકળી જવા માટે કોઈ સમયની રાહ જોતું નથી. એ જ પ્રમાણે દુઃખાગ્નિ વડે બળતા લેકમાં સર્વ ઉપદેશેલ નિગમમાર્ગ પ્રાપ્ત થયા પછી મારે પ્રમાદમાં કાળક્ષેપ કરવો જોઈએ નહીં. માટે વિના વિલંબે મને રજા આપ.” એટલે મૃગધ્વજને અવિચલ એવો તપસ્વી જાણુને રાજા કહેવા લાગ્યો, “પુત્ર! જે તારો આ જ નિશ્ચય હોય તો તારો નિષ્ઠમણુસત્કાર-દીક્ષા મહોત્સવ કરું; એથી મને શાંતિ થશે.” કુમાર બેલ્યો, “મને સત્કારથી હર્ષ નથી, મૃત્યુથી વિષાદ નથી.” રાજાએ કહ્યું, “પુત્ર ! ધર્મના વિષયમાં ઇક્ષવાકુઓને માટે આ ઉચિત ચેષ્ટા છે, એ મારા ચિત્તમાં નિશ્ચય થયેલ છે. પુત્ર! તું વીતરાગના માર્ગ ઉપર રહેલું છે તેથી પૂજા અને નિંદામાં તું ભેદ ગણુ નથી, તો પણ હું તારો સત્કાર કરીશ.” પછી રાજાએ કૌટુમ્બિક પુરુષને આજ્ઞા આપી, “એક હજાર પુરુષ વડે ઉપાડાતી શિબિકા અને કુમારના સ્નાન અને પ્રસાધન–અલંકરણની સામગ્રી જલદી લાવ.” તેઓએ આજ્ઞા પ્રમાણે કર્યું. પછી કનક, રત્ન અને માટીના ૧૦૮ કળશ વડે જેને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને, લાકડાના બનાવેલા પુરુષની જેમ, વસ્ત્ર અને આભરણથી જેના અંગને આભૂષિત કરવામાં આવ્યું હતું એ કુમાર દેવવિમાન જેવી શિબિકામાં બેઠે. જેના ઉપર કનકના દંડવાળું ધવલ છત્ર Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: ધરવામાં આવ્યું છે તથા બન્ને બાજુએ ચામર ઢાળવામાં આવે છે એવા તેને સિંહાસન ઉપર બેસાડવામાં આા, પરિવાર સહિત પિતા જેની પાછળ આવતા હતા એવા, નગરજનાનાં નયનકમળની માળાએવડે અનુસરાતા, પ્રાસાદતલ ઉપર રહેલી અને · સુપુરુષ ! ધર્મમાં તને અવિઘ્ન થાઓ ! ' એમ એલતી સુન્દર યુવતીઓની પુષ્પવૃષ્ટિ વડે ઢંકાતા, સૂર્ય-નિનાદથી દશે દિશાઓને પૂરતા તથા રાજાની આજ્ઞાથી થતી ભૂષણ અને વજ્રની વૃષ્ટિને અવિસ્મિતપણે જોતા તે અનુક્રમે નગરની બહાર નીકળ્યેા અને પ્રીતિકર ઉદ્યાનમાં પહેાંચ્યા. વસંતઋતુની જેમ તે ( ઉદ્યાનમાં ) પ્રવેશ્યા. સીમંધર અણુગાર નજરે પડ્યા એટલે શિખિકામાંથી તે નીચે ઊતર્યાં. પછી જિતશત્રુ રાજાએ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને સીમ ંધરને શિષ્યભિક્ષા આપી. સામાયિકના નિયમવાળા મૃગજ સાધુ થયા. મૃગધ્વજ વિષેની વાતચીતમાં આસક્ત ચિત્તવાળા રાજા, કામદેવ અને નગરજન નગરમાં પાછા આવ્યા. અમાત્ય પણ સાધુઓને વંદન કરીને ભદ્રંકની પાસે ગયા, અને તેને ધર્મ કહ્યો-“ સાંભળ, ભદ્રંક! રાજાએ તને અભય આપતાં તુ ભદ્રકપણું-સરળતાથી સુખપૂર્વક અને ઇચ્છા પ્રમાણે કરતા હતા. જે ક્રૂર હેાય તે આ લેાકમાં નિન્દનીય અને ઉદ્વેગને પાત્ર થાય છે; રુદ્રભાવથી જીવન જીવીને અશુભ વેરવાળા તે નારક અને તિય "ચના ભવમાં પેદા થઇને વિવિધ દુ:ખા અનુભવે છે, માટે તું કુમારને ક્ષમા કર. તારા નિમિત્તે કુમારે વીતરાગના માના આશ્રય કર્યો છે. નિમિત્ત વગર કોઇ કર્મ વિપાકમાં આવતું નથી, માટે સર્વ જીવના પૂ દુષ્કૃત અને પૂ સુકૃતના વિપાકમાં, પાતે કરેલાં કર્માંના અનુભાવથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અથવા ભાવ પૃથક્ પૃથક્ રીતે હેતુ અને છે. અરિહંત ભગવંતા ઉપશમની પ્રશંસા કરે છે, માટે જો દુ:ખામાંથી મુક્ત થવાની ઇચ્છા તુ રાખતા હાય તા ક્રોધના ત્યાગ કરીને શરદઋતુનાં જળ જેવા પ્રસન્ન હૃદયવાળા થા. ” એટલે અશ્રુપૂર્ણ હૃદયવાળા ભદ્રક અમાત્યને મસ્તકથી પ્રણામ કર્યા. પછી આ ઉપશાન્ત થયા છે એમ જાણીને અમાત્યે કહ્યું, “ ભદ્રક ! પડિતમરણુ મર. તેથી તું સદ્ગતિમાં જઇશ. ખાલમરણુ-અજ્ઞાનમરણુથી મરેલા કલુયુક્ત જીવેા દુ:ખથી ભરેલા સાંસારમાં ભ્રમણ કરે છે. આવી સ્થિતિમાં આવી પડેલા તને હવે જીવન કયાંથી ? અથવા હાયતા પણ કેવું ? માટે આ શરીર અને આહારના ત્યાગ કર. એટલે ભદ્રકે માથુ હલાવ્યું. પછી અમાસે એવી સ્થિતિમાં રહેલા તેને અર્હિંસા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યનાં ત્રતા આપ્યાં. તેણે ભાવથી એ સ્વીકાર્યાં. પછી આહારના ત્યાગ કરીને, અમાત્યે કહેલાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના નમસ્કારનાં પદોનુ મનથી ચિન્તન કરતા તે રહ્યો. ધીર થજે ' એમ કહીને અમાત્ય ગયા. કામદેવના પિરજના ઘાસ અને પાણી લઇને આવ્યા, પણ તેની ભદ્રકે ઇચ્છા કરી નહીં. પછી તેઓએ ભદ્રકના ઘા ધાઈને કષાય જળથી તે સીંચવા માંડ્યો, પણ ભદ્રકે માથું ધુણાવ્યું. પછી ‘ભદ્રકે અનશન કર્યું છે ' એમ જાણીને પુષ્પ—ગ ધથી તેની પૂજા કરીને શેઠના માણસે ગયા. નગરજને પણ તેની પૂજા કરવા "" લાગ્યા. શેઠ Page #414 -------------------------------------------------------------------------- ________________ અધુમતી લંભક [ ૩૫૯ ] દરરોજ ભદ્રકની આગળ અનિત્યભાવના, અશરણુભાવના તથા ઇક્ષ્વાકુએમાં શ્રેષ્ઠ બાહુબલિસ્વામી તથા અન્ય અણુગારાનાં ચિરત્ર વર્ણવતા હતા. પછી વૈરાગ્યના માર્ગ ઉપર રહેલા તે ભદ્રક મહિષ અઢારમા દિવસે કાલધમ પામ્યા. મૃગધ્વજ અણુગાર પણ લાગટ છઠે—છઠની તપશ્ચર્યાથી પેાતાની જાતને ભાવતા, પારણાના સમયે સાતમી પિંડૈષણાથી ભાત-પાણી મેળવીને ઉતિધમાં ભિક્ષા પારતા હતા. જેમની લેફ્યા વિશુદ્ધ થઇ છે એવા તેઓ શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયાપશમથી શ્રુતધર થયા. રાત્રિકાળે કાયાને વાસિરાવીને પ્રતિમામાં રહેતા, ત્રણ પ્રકારના ઉપસર્ગને સહુન કરતા, પ્રશસ્ત ધ્યાનવાળા તથા વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળા બાવીસમે દિવસે શુકલધ્યાનની મીજી ભૂમિકા એળંગી ગયેલા તથા ધ્યાનાન્તરમાં ( બીજા ધ્યાનની પરમ કક્ષામાં ) રહેલા અને અપૂર્વ કરણમાં પ્રવેશેલા, વૈય મણિની જેમ તેજના અપ્રતિહત સમુદાયવાળા, વિશુદ્ધ, વૃદ્ધિ પામેલા પરિણામવાળા, જેમનાં મેાહનીય, જ્ઞાનાવરણીય-દનાવરણીય તથા ઘાતિકર્મ ક્ષીણ થયાં છે એવા તેઓ કેવલી થયા. તેમના કેવલજ્ઞાનની ઉત્પત્તિથી હર્ષિત થયેલા યથાસ'નિહિત દેવા આવ્યા. દેવાએ ગગનમાં દુંદુભિ વગાડ્યાં, ભૂતાદિત પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ઋષિવાદિતા હર્ષ પામ્યા, મેઘકુમારે એ ગધેાદકની વૃષ્ટિ કરી, ગાંધર્વોએ મનેાહર ગાન કર્યુ અને દેવનતિકાએ નાચી. મૃગધ્વજ મહિષ ના દેવાએ કરેલા આ મહિમા સાંભળીને પરમ પ્રીતિથી પુલકિત થયેલાં ગાત્રવાળા જિતશત્રુ રાજા નગરજનેાની સાથે નીકળ્યેા. જેણે વાહનના ત્યાગ કર્યાં છે એવા તે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક કેવલીને વંદન કરીને ધ્રુવપદાની સમીપમાં બેઠા. પછી દેવ, મનુષ્ય અને અસુરની તે પદાની મધ્યમાં બેઠેલા ભગવાન અરિહંત મનેાહર સ્વરે ઉપદેશનાં વચન કહેવા લાગ્યા, “ જીવા છે, તે એ પ્રકારના છે–મુક્ત અને સ'સારી. મુક્ત છે તે શાશ્વત ભાવમાં રહેલા છે. સાંસારી જીવા દ્રવ્યાદેશથી નિત્ય છે, ભાષાદેશ-પર્યાયથી અનિત્ય છે. અવિરતિને લીધે પાત કરેલાં શુભાશુભ કર્મના પ્રાપ્ત થયેલા વિપાકને ભાગવતા, મિથ્યાત્વથી આવરાયેલા, તથા કલુષિત મન, વચન અને કાયાવાળા તેઓ પાપક ઉપાર્જન કરીને સંસારમાં ભમે છે. પણ કેટલાક હળુકમી જીવા પરિઘાલનાવિચારના વિશેષથી પ્રશસ્ત પરિણામને પ્રાપ્ત કરીને, જિનેશ્વરાએ ઉપદેશેલા માર્ગે ચઢી આસ્રવનું નિવારણ કરી, પૂર્વસંચિત કમળને તપસલિલ વડે ધાઇને નિર્વાણના ભાગી થાય છે; કંઇક કર્મો બાકી રહેલુ હાય તા પરિમિત મનુષ્યભવ અને દેવભવના ભાગી થઈને ટૂંક સમયમાં સિદ્ધàાકતા–સિદ્ધગતિને પામે છે. ” '' પછી કથાન્તરમાં રાજા પૂછવા લાગ્યા, ભગવન્ ! આપને અવિદિત હાય એવું કઈ નથી. તે અવસ્થામાં કાળ કરીને ભદ્રક મહિષ કયાં ગયા છે? ” એટલે કેવલી મેલ્યા, “ અત્યંત તીવ્ર રોષ ઉત્પન્ન થયેલેા હૈાવા છતાં અમાત્યે જિનેપદેશનાં ચંદન જેવાં શીતળ ૧. જેને કાઈને ઉપયેગ ન હેાય એવી, ફેંકી દેવા લાયક શિક્ષા તે ઉત્ત્તિતધર્મા ભિક્ષા. Page #415 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૦ ]. વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : વચનો વડે તેને બંધ કર્યો, એટલે ઉપશાન્ત થઈને, આહારનો ત્યાગ કરીને, અરિહંતનમસ્કારમાં લીન થઈને, પ્રાણત્યાગ કરીને તે અસુરરાજ ચમરના મહિષ–સૈન્યને અધિપતિ લેહિતાક્ષ દેવ થયે છે. મારી જ્ઞાનપત્તિથી હર્ષિત થઈને વંદન કરવા આવેલે તે આ રો” એમ કહીને ભગવાને તેને બતાવ્યું, એટલે પ્રણામ કરીને તે બે, “રાજન ! તે મહિષ હું અત્યારે આ રહ્યો.” ભગવંત કેવલીને નમસ્કાર કરીને લેહિતાક્ષ બેલ્યા, “એમનાથી શિક્ષા પામેલા એવા મારા માટે અમાત્યને ઉપદેશ રસાયણું સમાન થયે, તિર્યંચની દુર્ગતિથી હું છૂટ્યો, અને હવે તમારા દર્શન માટે આવ્યો છું.” કેવલીનું વચન સાંભળીને રાજાએ ફરી વાર તેમને પૂછયું, “ભગવન્! નિરપરાધી એવા તેના ઉપર આપે તલવારનો ઘા કર્યો, તે શું એનો અને આપને જન્માન્તરનો વૈરાનુબંધ હતો?” એટલે જેમને એ વધુ સુદણ છે એવા કેવલી કહેવા લાગ્યા, “સાંભળમૃગધ્વજ અને ભદ્રકન પૂર્વભવ-ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવને વૃત્તાન્ત આજ ભારતવર્ષમાં વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં ચમરચંચા નગરીમાં વિદ્યાધરરાજા મયૂરગ્રીવનો પુત્ર અશ્વશ્રીવ નામે હતો. તે વિદ્યાબળથી અને રાજનામ-ગોત્રકર્મના ઉદયથી સર્વ વિદ્યાધરોને અને ભારતના રાજાઓને જીતીને રત્નપુરમાં રહીને રાજ્યલક્ષમીને ભગવત હતો. તેનો હરિશ્મ નામે નાસ્તિકવાદી અમાત્ય હતો. તેનો મત એવો હતો કે શરીરથી ભિન્ન એ કંઈ આત્મા નથી, પુણ્ય-પાપ નથી, અને તેનું ફળ પ્રાપ્ત કરનાર પણ કોઈ નથી, નરક નથી, દેવલોક નથી; એ બધું શ્રુતિમાત્ર-સાંભળવામાં આવે છે એટલું જ છે (વાસ્તવિક નથી). તેને એક વાર અશ્વગ્રીવે કહ્યું, “અમારી ઘણી વિપુલ રિદ્ધિ, અવશ્ય કઈ પુણ્યફળને લીધે ઉપાજિત થયેલી હશે, તે હજી પણ શ્રમણ-બ્રાહ્મણે અને દીન જનેને દાન આપીએ અથવા શીલ અને કાળને ઉદ્દેશીને તપ કરીએ. તેથી અમારું પરકનું હિત થશે.” હરિશમશ્રએ કહ્યું, “સ્વામી ! જેને માટે પરલોકનું હિત માગીએ એ જીવ નથી. જે દેહથી ભિન્ન એવો જીવ હોય તે, પિંજરમાંથી નીકળતા પક્ષીની જેમ, શરીરમાંથી નીકળતે તે માલૂમ પડત. એમ જાણે કે–પાંચ મહાભૂતને “મનુષ્ય ” નામને કોઈ સંગ ઉત્પન્ન થાય છે, જેને અજ્ઞાન લેકે “જીવ” માને છે. જેવી રીતે દર્શનીય એવું ઈન્દ્રધનુષ્ય યહચ્છાએ ઉત્પન્ન થાય છે, અને પાછું યદચ્છાએ નાશ પામે છે, એવી રીતે આ સંસારમાં કઈ સારભૂત વસ્તુ નથી, જે શરીરને નાશ થતાં પરભવમાં સંક્રમણ પામતી હોય. પાપ નથી તેમજ પુણ્યનું ફળ નથી. નરકને ભય અને દેવલોકનું સૌખ્ય પંડિતોએ વર્ણ વેલું છે (કલપનામાત્ર છે), માટે પરલોકના (કાલપનિક ) હેતુને ત્યાગ કરો. “પરીક્ષકના મતથી જોતાં દેહથી ભિન્ન એ આત્મા નથી ” એ પ્રમાણે વિશ્વાસ રાખો.” ધર્માભિમુખ અશ્વગ્રીવને તે હરિમશ્ર આમ અનેક રીતે સમજાવતા હતા. Page #416 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી સંભક [ ૩૬૧ ] તે સમયે પિતનપુરમાં દક્ષ નામે રાજા હતો. ભદ્રા તેની અમહિષી હતી; તેની મૃગાવતી નામે પુત્રી હતી અને અચલ નામે પુત્ર હતો. તે મૃગાવતી કુમારી ઉત્તમ લક્ષવાળી અને રૂપાળી હતી, પછી યૌવનમાં આવેલી અને અતીવ લાવણ્યયુક્ત વર્ણવાળી મૃગાવતીને જે તે દક્ષ મદનવશ થયો. તેના વદનાસવને મદ, નયનને વિશ્રામ આપનારું રૂપ, મનહર હાસ્ય તથા ગાત્રસ્પર્શ (એ સર્વને) અન્ય યુવતિઓથી અસાધારણ માનતે તે વિચાર કરવા લાગ્યું, “આવું ચીર જે હું ન ભેગવું તો મારો મનુષ્ય જન્મ અને જીવન વૃથા છે. ” પછી તેણે નાગરિકવર્ગમાંથી પ્રધાન પુરુષોને બોલાવીને, તેમને પૂજા-સત્કાર કરી પૂછ્યું, “મારા પુરમાં અથવા અંતઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેને ભાગી કોણ થાય ?” તેઓ બેલ્યા, “સ્વામી! તમે.” પછી રાજાએ તેમને રજા આપી. વળી તેણે મૃગાવતીને કહ્યું, “પ્રિયે! બાલમૃગના જેવાં ચંચળ નયનેવાળી! મને જે, મારી ભાર્યા થા, મારા સકલ કેશને તું આજે જ સ્વીકાર કર.” તે બોલી, “તાત! મને અગ્ય વચન બોલવાને તમે યોગ્ય નથી. શું તમે પાપથી ડરતા નથી ? સજજને વડે નિન્દનીય આવાં વચનથી બસ કરો. તમે પણ જાણે આવું બોલ્યા નથી અને મેં સાંભળ્યું નથી (એમ માનો).” દક્ષ બોલ્યા, “મુગ્ધ! તું સાચી વસ્તુ જાણતી નથી. શું તે મહાપંડિત હરિશમશ્રને મત સાંભળ્યું નથી? વિદ્વાનોએ વર્ણવેલું પાપનું અથવા પુણ્યનું ફળ જે ભવાન્તરમાં અનુભવે એ શરીરથી ભિન્ન આત્મા જ નથી; માટે પાપ નથી. તે લક્ષમીની અવજ્ઞા ન કર.” પછી તેણે મધુર અને શૃંગારયુક્ત વચનો વડે તે બાલાને સમજાવી લીધી. પછી તેની સાથે વિષયસુખ અનુભવતો તે વિહરવા લાગ્યો. “પ્રજાને તેણે (પત્ની તરીકે) સ્વીકાર કર્યો,” તેથી પ્રજાપતિ કહેવાય. કઈ એક વાર સુખશયનમાં સૂતેલી મૃગાવતી દેવી સાત મહાસ્વને જોઈને જાગી, અને તેણે એ સ્વમો પ્રજાપતિને જણાવ્યાં. તેણે કહ્યું, “પ્રિયે ! જે પ્રકારનાં સવને તે જોયાં છે તે ઉપરથી તારો પુત્ર ભરતાર્ધનો સ્વામી થશે.” પછી મહાશુક કહપના અધિપતિને સામાનિક દેવ સત્તર સાગરોપમ સુધી સુરસુખ અનુભવીને, ચુત થઈને મૃગાવતીની કુક્ષિમાં આવ્યા. પછી જેના દેહદ પૂરા કરવામાં આવ્યા છે એવી મૃગાવતી દેવીએ પૂરે દહાડે અતસી પુષ્પના પુંજ જેવા (શ્યામ) વર્ણવાળા, વિકસિત કમળ જેવાં નયનવાળા, શ્રીવત્સથી અલંકૃત વક્ષસ્થળવાળા, ચંદ્ર, સૂર્ય, અંકુશ, સમુદ્ર, મંદર ચક્ર વડે અંક્તિ હસ્તકમળ અને ચરણકમળવાળા પુત્રને જન્મ આપે. ત્રિપૃષ્ઠ એવું તેનું યથાર્થ નામ પાડવામાં આવ્યું. શ્રીવત્સથી યુક્ત વક્ષ:સ્થળવાળે અને મોગરાના પુષ્પ જેવા ધવલ દેહવાળ અચલકુમાર શરદ ઋતુના ચંદ્ર જેવા પ્રિય દર્શનવાળો હતો. તે બને કુમારે ઊછરતા હતા. Page #417 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ—હિ'ડી : : પ્રથમ ખંડ : રથનૂપુરચક્રવાલ નગરમાં જ્વલનજટી નામે વિદ્યાધરરાજા હતા. તેની સુપ્રભા દેવી હતી, અસૂર્યના જેવા તેજયુક્ત તેમના અકીતિ નામે કુમાર હતા, અને સ્વય’પ્રભા પુત્રી હતી. તે કન્યા રૂપવતી હતી. તે રાજાના સભિન્નશ્રોત નામે નૈમિત્તિક હતા જ્વલનજટીએ તેને પૂછ્યું, “ આર્ય ! કહેા, સ્વયંપ્રભા કુમારી ને આપવી ? શું અશ્વથીવ રાજાને આપવી કે બીજા કેાઇ વિદ્યાધરને ? ’ તેણે નિમિત્તના ખળથી જોઇને કહ્યું, રાજા અશ્ર્વશ્રીવ અલ્પાયુ છે. આ કુમારી વાસુદેવની અગ્રમહિષી થશે. તે (વાસુદેવ) પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપૃષ્ઠ નામે છે, તેને એ કન્યા આપેા. મેં જ્ઞાનચક્ષુથી એ જોયુ છે. ’” રાજાએ સ્વીકાર્યું કે, “ એ વસ્તુ તમે કહેા છે તે પ્રમાણે છે. ” એ પ્રમાણે '' નક્કી થયું. [ ૩૬૨ ] જેને વિદ્યાધરા અને માનવા નમેલા હતા એવા અશ્વગ્રીવે નૈમિત્તિકને પૂછ્યું, “ભગવંત! મારા શત્રુ છે કે નથી ?” નૈમિત્તિકે જોઇને કહ્યુ, “છે.” તેણે પૂછ્યું, “તેને કેવી રીતે જાણવા ? ” નૈમિત્તિકે કહ્યું, “ જે તારા ચસિંહ દૂતનું અપમાન કરશે અને પશ્ચિમ પ્રદેશમાં હિમંત પર્યંતની સમીપે આયુધ વગર સહુને મારશે તેનાથી તારું મૃત્યુ થશે; એમાં સ ંદેહ નથી.” પછી તેણે પરીક્ષાપૂર્વક સર્વ રાજકુલામાં ચડિસ'ને માકલ્યા. તે સર્વ સ્થળેથી સન્માન પામીને આવતા હતા, પણ ‘પ્રેક્ષાગૃહમાં ગયેલા અમારા પિતાને તું હેરાન કરે છે' એમ કહીને પ્રજાપતિના પુત્રાએ તેનું અપમાન કર્યું. પણ સાચી હકીકત જાણતાં દક્ષે તે દૂતને મનાવ્યે કે, “ આ તેા તમારા જ કુમારા છે. તેઓ બાળક અને અજ્ઞાન છે, માટે મને ક્ષમા કરો.” એમ કહી સન્માન કરીને તેને વિદાય કર્યો. દૂતે અશ્વશ્રીવને પેાતાનુ સન્માન થયાનું કહ્યું, પણ અપમાન થયાનું કહ્યુ નહીં. પણ અશ્વશ્રીવે ( બીજી રીતે ) જાણી લીધું કે પ્રજાપતિના પુત્રાએ તેનું અપમાન કર્યું હતું. પછી તેણે (દક્ષને) કહેણુ માકલ્યું, “ કુમારે! ભલે અહીં આવે, મારે તેમને મળવું છે. ” દક્ષે કહેવરાવ્યું કે, “ તમારી જ આજ્ઞાથી તેઓ પશ્ચિમ દિશામાં સિંહના ભયનુ નિવારણ કરવા ગયા છે. ܕܕ થમાં બેઠેલા ત્રિપૃષ્ઠે સિંહને જોયા. · રથમાં બેઠેલા અને પગે ચાલનારનું યુદ્ધ અસમાન-અયેાગ્ય છે.' એમ વિચારીને તે રથમાંથી નીચે ઊતર્યાં. ફરી પાછુ તેણે વિચાર્યું, r સાયુધ અને નિરાયુધ લડે એ વૈ।ગ્ય નથી. ” એમ વિચારીને તેણે તલવાર ફેંકી દીધી. પછી ડામે હાથ પાછળ સ કાચીને તે ઊભું રહ્યો. સિ ંહે ત્રાપ મારી, અને તેના (જમણેા) હાથ માંમાં લીધે, એટલે તેણે સ'કાચેલા હાથ લાંખા કર્યાં. નહીં ગભરાયેલા ત્રિપૃષ્ઠ ૧. અહીં મૂળમાં ાઇિમે (પૂર્વીમાં) પાઠ છે, પણ ઘેાડી જ પંક્તિએ પછી ત્રિપુષ્ઠ પશ્ચિમ દિશામાં ગયાના ઉલ્લેખ આવે છે. કેતુમતી લલકમાં શ્રી શાન્તિનાથના ચરિત્રમાં આ કથા આવે છે ત્યાં અપરાન્તમાં-પશ્ચિમમાં સિહને મારવાની વાત આવે છે. આથી મૂળનાં પદ્ધિમ અને દ્ઘિમ એ બે પાઠમાં વૃદ્ધિમ પાઠ સાચા હેાય એ સભવિત જણાય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી લંભક [ ૩૬૩ ]. સિંહનું મુખ ચીરી નાખ્યું. પછી તેણે જૂના કપડાની જેમ હદયપ્રદેશ સુધી સિંહનું શરીર હાથથી ચીરી નાખ્યું. ત્રિપૃદ્ધે ફેંકી દીધેલો સિંહ અમર્ષથી તરફડત હતા. સારથિએ તેને કહ્યું, “તને પુરુષસિંહે માર્યો છે, કુપુરુષે માર્યો છે એમ હું માનીશ નહીં. ” એટલે પછી તેના પ્રાણુ ગયા. નગરમાં આવેલા ત્રિપૃષ્ઠ અશ્વગ્રીવને કહેવરાવ્યું કે, “રાજાએ સુખેથી રહે.” સિંહને આ પ્રમાણે મરાયેલે જાણ અશ્વગ્રીવને શંકા થઈ. તેણે સ્વયંપ્રભાની માગણી કરી, પણ તેના પિતા જવલન જટીએ તે આપી નહીં. પછી કાલક્ષેપને નહીં સહન કરી શકો તે જવલની ઉત્તમ લક્ષણેથી યુક્ત તે કન્યાને ત્રિપૃષ્ઠ પાસે લાવ્યા. સંન્નિશ્રોત નૈમિત્તિકે ત્રિપૃષ્ઠને કહ્યું, “દેવ! તમે ભરતાર્થના સ્વામી છે; માટે જયથી વૃદ્ધિ પામો.” ત્રિપૃષ્ઠને સ્વયંપ્રભા આપી હોવાનું સાંભળીને કાપેલ અશ્વગ્રીવ સૈન્ય-વાહન સહિત રથાવર્ત પર્વત ઉપર આવ્યા. ત્રિપૃષ્ઠ અને જવલન જટીના પક્ષના વિદ્યારે પણ ત્યાં ગયા. પછી માને અને વિદ્યાધરોનું યુદ્ધ છ માસ સુધી ચાલ્યું. પછી વિપૃષ્ઠ પિતાના ચક્રથી અશ્વગ્રીવનો વધ કર્યો, એટલે તે અશ્વગ્રીવ સાતમી પૃથ્વીમાં ગયે. આ ભારતમાં અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ પહેલે વાસુદેવ થયે. હરિશમશ્ન પણ મરીને સાતમી પૃથ્વીમાં જ નારક થયે. પછી “મારા વિદ્ગમાં આ બરાબર ઉપસ્થિત થયે” એમ વિચારતાં અવીવને હરિમથુ સાથે વેર થયું. અવધિ વિષયથી એકબીજાને જોતા અને તે જ ક્ષણે રોષથી પ્રદીપ્ત થયેલા તેઓ પોતે વિકૃર્વેલાં સેંકડો હથિયાર વડે એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત, ક્ષુધા અને તૃષાને અનુભવતા તથા ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના પરિણામથી કલુષિત હૃદયવાળા તેઓનાં તેત્રીસ સાગરોપમ વીતી ગયાં. નાસ્તિકવાદનું પ્રકાશન કરવાથી બંધાયેલ દર્શનમોહનીય કર્મના સંચય વડે દીર્ધકાળ સુધી દુઃખપરંપરા અનુભવીને હરિશ્મશ્ર મહિષ-અવસ્થામાં સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જેવી રીતે દેવ થયે તે સાંભળે– માયાની બહુલતાથી જેણે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું છે એવો તથા અશાતવેદનયની સાંકળમાં બંધાયેલો હરિશમશ્ર અંતે નરકમાંથી ઉદ્વતિત થઈને મત્સ્ય થયો. ત્યાં પણ પંચેન્દ્રિયના વધ અને માંસાહારમાં આસક્ત એ તે પૂર્વ કોટિ સુધી જીવીને, નારકનું આયુષ્ય બાંધીને છઠ્ઠી પૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ બાવીસ સાગરોપમ સુધી ત્યાંનાં પુદ્ગલેના પરિણામથી ઉત્પન્ન થયેલું અને પરસ્પરને પીડા કરવા નિમિત્ત દુઃખ અનુભવીને ઉદ્ધતિત થઈને સાપ થયે. ત્યાં પણ તે ભવ-નિમિત્તક રોષથી કલુષિત ચિત્તવાળે તે મરણ પામીને પાંચમી પૃથ્વીમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળે નારક થયે. ત્યાંથી તિર્યંચનું આયુષ્ય બાંધીને વાઘ થશે. ત્યાં પણ પ્રાણુ વધથી મલિન હૃદય ૧. કારણ કે હરિમથુને નાસ્તિકવાદને પ્રજાપતિએ સ્વીકાર્યો, તેને પરિણામે અશ્વગ્રીવના શત્રુ વિપૃષ્ણને જન્મ થયો. Page #419 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: વાળે તે મરીને ચોથી પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં દશ સાગરેપમ સુધી કલેશ અનુભવીને મરણ પામી કંકપક્ષી થયું. ત્યાં પણ જીવવધમાં ઉદ્યત અને દારુણ ચિત્તવાળો તે ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ સાત સાગરોપમ સુધી ઉત્કૃષ્ટ વેદના તથા પરમાધાર્મિક દે તરફની પીડા અનુભવીને પછી સાપ થયે. પછી દુઃખમરણ અનુભવીને બીજી પૃથ્વી શર્કરામભામાં ઉત્પન્ન થયે. ત્યાં ત્રણ સાગરોપમ સુધી દુખાગ્નિથી દાઝીને ઉદ્વર્તિત થઈ સંજ્ઞી પંચેન્દ્રિય થયા. ત્યાંથી મરીને રત્નપ્રભામાં નારક થયો. એક સાગરોપમ સુધી ત્યાં વસીને પંચેન્દ્રિય તિર્યંચ થયે. પછી ચઉન્દ્રિયમાં છ માસનું આયુષ્ય પાળીને ત્રીન્દ્રિય થયે. ત્યાં ઓગણપચાસ રાત્રિ-દિવસ જીવીને પછી દુઃખમરણથી પીડાયેલ તે દ્વીન્દ્રિય થયે. પછી તિર્યંચગતિ નામ-શેત્ર-આયુકમ ઉપાર્જિત કરવાથી જેને જન્મ થયે છે એ તે ઘરડી, અને જેને દૂધ આવતું નથી એવી ભેંસની કુક્ષિમાં બચ્ચા તરીકે પેદા થયે. ત્યાં પણ હરિશ્મન ભવમાં ઉપાર્જિત કરેલા આહારવિહ્વને લીધે દૂધ નહીં પામતે એ તે બાલ્યાવસ્થામાં જ મરણ પામીને બકરો છે. ત્યાં પણ ભરવાડ દૂધ લઈ લેતે હતો, તેથી તે મરણ પામે, અને પછી કામદેવની ભેંસના યૂથમાં ભેંસો પાડે થયો. દંડક ગોપે તેને જીવતાંવેંત જ મારી નાખ્યા. “બધું શન્ય છે એમ પૂર્વે તે માનતો હતો તથા શત્રુઓ પ્રત્યે નિર્દય હતો, તેથી અનેક જન્મ-મરણનાં દુઃખ તેણે પ્રાપ્ત કર્યા. પછી ફરી તે ભેંસને પાડે થે. માંસની ઈચ્છાવાળા દંડકે તેને, અશુભ કર્મને સંચય ઓછો થવાથી તે પૂર્વજન્મનું સ્મરણ કરતા હતા તે વખતે, મારી નાખે. એ પ્રમાણે તે સાત વાર જપે અને સાત વાર તેનો વધ કરવામાં આવ્યા. આઠમા જન્મમાં પૂર્વજન્મનું સમરણ કરતે, મરણથી ડરતો અને માતાના સ્તનપાનની ઈચ્છા નહીં કરે તે દંડકને પગે પડ્યો, કેઈ કારણથી ગોકુલમાં સાધુ આવ્યા હતા. તેમને દંડકે પૂછયું, “ભગવન્! આ પાડે જન્મતાંવેંત મારે પગે પડી રહ્યો છે અને સ્તનપાન ઈચ્છતો નથી, તેનું શું કારણ હશે?” સાધુએ અવધિજ્ઞાનથી સાચી વસ્તુ જાણીને કહ્યું, “દંડક! માંસની ઈચ્છાવાળા તે આ બિચારાને સાત વાર મારી નાખે, તેથી પૂર્વ જન્મનું સ્મરણ કરતો અને મરણથી ડરતે તે તારા પગમાં આળોટે છે. પૂર્વભવમાં કરેલા પ્રાણાતિપાતના દોષથી અવશ એ આ મરણદુઃખ અનુભવે છે. જે તું પણ મરણથી ડરતે હોય તે અનુકંપાવાળો અને દયાવાન થા. એથી તને પરલોકમાં ભય નહીં થાય નહીં તે જેવી રીતે આ દુઃખમરાને પ્રાપ્ત થયા છે તેવી રીતે તું પણ પ્રાપ્ત થઈશ.” પછી “આ આજથી મારો ભાઈ છે, મેં તને અભય આપ્યું છે” એમ કહીને દંડક તે પાડાને ઉછેરવા લાગ્યા. જેને કામદેવે અભય આપ્યું હતું તથા તમે અભયઘોષણા કરાવવા વડે જેના ઉપર કૃપા કરી હતી એ તે પાડો ગોકુળમાં “ભદ્રક' તરીકે ઓળખાતું હતું. જન્માક્તરના વેરભાવથી મેં તેના ઉપર ઘા કર્યો હતે. અમાત્યનાં વચનેથી સંબધ પામીને, સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે લેહિતાક્ષ દેવ થયે છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ બંધુમતી લંભક [ ૩૬પ ] જે મહાઆરંભ, પરિગ્રહ અને અધિકરણ(અસંયમ)વાળ હો, કામોને જેણે ત્યાગ કર્યો નહતું અને હરિશમશ્રના મતને અનુસરીને જેણે ધર્મને સંચય કર્યો નહતે એ તે હું અશ્વગ્રીવ તમતમાં પૃથ્વીમાં તેત્રીસ સાગરોપમ સુધી દુઃખ અનુભવીને અને તિર્યંચ, નારક તથા હલકાં મનુષ્યના ભવ વડે અનુબદ્ધ સંસારમાં ભમીને અહીં આવ્યા. અમાત્યનાં વચનમાંથી નીકળેલા જિનવચનરૂપી અમૃત વડે સીંચાયેલા હદયવાળે હું પ્રતિબંધ પામે. અનુભવેલા નરકઃખનું મરણ થવાથી જેને નિશ્ચય કર્યો છે એ હું પ્રવજ્યા લઈને તપોબળ વડે ઘાતિ કર્મનો પરાજય કરીને કૃતકૃત્ય એવો સર્વજ્ઞ થશે.” આ સાંભળીને જેને ધર્મરાગ પેદા થયે છે એ લેહિતાક્ષ દેવ ઊઠીને, કેવલીની પ્રદક્ષિણા કરીને, વિનયપૂર્વક પ્રણામ કરીને બોલ્યા, “ભગવન્! આપે મારા જે જન્મ કહા તે નિ:સંશય તે પ્રમાણે જ છે. અવધિવિષયથી તે હું જાણું છું, તથા આપે તે પ્રમાણે વર્ણવેલા એ જન્મનું મને સ્મરણ છે. અતીત કાળમાં મારી ભવ-પરંપરા પણ આપે નક્કી કર્યું તે પ્રમાણે જ છે. મિથ્યાત્વથી આવરાયેલા મેં ઉન્માર્ગ દર્શાવીને લોકોને બુદ્દબ્રાહિત કર્યા, તેનું ફળ હું પામે છું. હવે મારી બુદ્ધિ જિનવચનમાં રુચિવાળી થઈ છે, તેથી ફરી મોહ નહીં પામું.” એમ કહીને તે કેવલીના પગે પડ્યો. એ સમયે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવો જિતશત્રુ રાજા સિંહધ્વજ પુત્રને રાજ્ય આપીને ઘણા પરિવાર સહિત દીક્ષા લઈને અમાત્યની સાથે શ્રમણ થયે. લેહિતાક્ષ દેવે કામદેવને વિપુલ ધન આપ્યું. તેણે કામદેવને આજ્ઞા કરી, “ભગવાન મૃગધ્વજનું આયતન કરો અને તેમાં એમની પ્રતિમા મૂકો. મારી પણ ત્રણ પગવાળી આકૃતિ સ્થાપન કરો.” એમ કહીને દેવ ગયે. પર્ષદા પણ જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે પાછી ગઈ. વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મ જેનાં ક્ષીણ થયાં છે એવા ભગવાન મૃગધ્વજ માસક્ષપણ કરીને નિર્વાણ પામ્યા. કામદેવે સિંહ ધ્વજ રાજાની અનુમતિથી તેમનું આયતન કરાવ્યું. મૃગધ્વજની પ્રતિમા, તે પ્રતિમાને પ્રણામ કરતી પોતાની પ્રતિમા અને લેહિતાક્ષની ત્રણ પગવાળા મહિષની આકૃતિ (તેમાં કરાવવામાં આવી). રાજાની અનુમતિથી લેકેના સંબોધન નિમિત્તે તે ઋષિનું ચરિત્ર રચવામાં આવ્યું. તે ચરિત્ર પંડિત ગાય છે. પણ આ તે આઠ પેઢી પહેલાં બન્યું. તે કામદેવના વંશમાં અત્યારે કામદેવ નામનો શેઠ છે અને તે રાજા એણપુત્રને પોતાના શરીર જેટલે પ્રિય છે. તેની બંધુમતી નામની પુત્રી પ્રશસ્ત હાથ, પગ, જંઘા, ઉરુ, નિતંબ, કટિ, સ્તન, વદનચંદ્ર, આકૃતિ, ગમન અને વચનવાળી તથા સર્વ કલાઓમાં પણ નિપુણ છે. તેના રૂપથી વિસ્મિત થયેલા મહાધનિક પુરુષ તેનું માથું કરે છે, તે પણ શ્રેષ્ઠી તે કન્યા આપતું નથી. જે વરની તેને પિતામહ (આયતનમાં રહેલી કામદેવની મૂર્તિ) સૂચના કરશે તેને તે આપશે. જો તમે આ પ્રાસાદનું તથા સિદ્ધપ્રતિમાનું દર્શન કરવાની ઈચ્છાવાળા છે તે મુહૂર્ત માત્ર રાહ જુએ. Page #421 -------------------------------------------------------------------------- ________________ [ ૩}} ] વસુદેવ–દ્ધિ ડી : : પ્રથમ ખંડ : પુત્રી માટે વરની ઇચ્છા કરતા શેઠ અહીં આવશે અને ( આ પ્રાસાદનુ) ખત્રીસ કળવાળું તાળુ ઉઘાડશે. ” આમ કહીને બ્રાહ્મણ ગયા. બધુમતીનું પાણિગ્રહણુ " હું પણુ કુતૂહલથી તાલેાદ્ઘાટની વિદ્યાથી તાળુ' ઊઘાડીને અંદર ગયેા. દ્વાર પાછું હતું તે પ્રમાણે બંધ થઇ ગયું. સુરભિ ધૂપના ગધથી વ્યાપ્ત, મણિના દીપકેાથી પ્રકાશિત અને દેવવિમાન જેવે પ્રાસાદ મેં જોયા મેં' સિદ્ધપ્રતિમાને પ્રણામ કર્યાં. મુહૂત માત્ર પછી મેં શેઠનાં પરિજનાના શબ્દ સાંભળ્યો. પછી કામદેવની પ્રતિમાની પાછળ ચાંભલાના આંતરે હું ઊભેા રહ્યો. કમાડ ઉઘાડવામાં આવ્યું. મણિદીપકાના પ્રકાશમાં અને સૂર્યના તેજના પ્રકાશમાં કંઇ ભેદ નહાતા. થાડાં અને કીમતી આભૂષણ્ણા જેણે પહેર્યાં હતાં એવા વિનીત વેશવાળા અને રૂપમાં કામદેવ જેવા કામદેવને મે જોયા. તેણે ધવલ પુષ્પાથી પ્રતિમાનું અર્ચન કર્યું. મણિની ક્રસમધી ઉપર પહેલાં પૂજાયેલી પ્રતિમાએ હતી; પછી ધૂપ દઇને પ્રતિમાને પગે પડીને કામદેવ કહેવા લાગ્યા, “ પિતામહ ! મધુજનાને પ્રિય એવી મધુશ્રીની પુત્રી બધુમતીને માટે વર આપે અથવા બતાવેા. ” એમ કહીને તે ઉઠ્યો. મે પણ સરસ કમળના જેવા કામળ અને ઉત્તમ લક્ષણા વડે 'કિત એવા જમણા હાથ લાંખા કર્યા. સન્તાષથી વિકાસ પામેલાં નયનવાળા તેણે મારા હાથ પેાતાના હાથમાં પકડ્યો. ‘ દેવે અધુમતીને વર આપ્યા છે’એમ પિરજનાને કહેતા તે ( મને સાથે લઈ ) આગળ વાસીને દેવળમાંથી બહાર નીકળ્યા. વિનયથી પ્રણામ કરીને તેણે મને કહ્યુ, “ દેવ! વાહનમાં બેસે.” એટલે હું (વાહનમાં બેસી) ( ચાલ્યા. શેઠ મારી પાછળ આવતા હતા. સેવકેાના મુખેથી જેમણે હકીકત સાંભળી હતી એવા લેાકેા મારી સ્તુતિ કરતા હતા કે, “ અહા! ખરેખર આ દેવ અથવા વિદ્યાધર છે. ” ખીજાએ કહેતા હતા કે, “ બીજના ચન્દ્ર જેવા મનેાહર શરીરવાળા, ભ્રમર સહિત કમલપત્ર સમાન નયનવાળા, મણુિશિલાતલ સમાન વક્ષ:સ્થળવાળા, નગરની ભાગળ જેવા લાંબા અને ગાળ એ માહુવાળા, હાથમાં પકડી શકાય એવા રમણીય મધ્યભાગવાળા, કિસલય જેવા કામળ ઉત્તમ હાથવાળા તથા અશ્વના જેવી સ્થિર અને સહુત-સુડાળ કટિવાળા આ પુરુષ ખરેખર નાગકુમાર હુશે. ” આ પ્રશંસા કરતા લેાકેાના વાર્તાલાપ સાંભળતા હું નાગભવન જેવા શ્રેષ્ઠીના ભવન પાસે પહેાંચ્યા. ત્યાં ખારીએ અને જાળીઓમાં રહેલી સ્ત્રીએ ખેલતી હતી, “ અહા ! મધુમતી ધન્ય છે, જેને લેાકેાનાં નયનાને માટે વિશ્રામરૂપ અને ઘણા કાળે જેના રૂપાતિશયનું વર્ણન કરી શકાય એવા આ ( પતિ પ્રાપ્ત થયા છે). ” આ પ્રમાણે પ્રશંસા કરાતા હું ભવન આગળ પહેાંચ્યા, અને વાહનમાંથી ઊતર્યા. મારી અઘ્યપૂજા કરવામાં આવી, એટલે સુરભવન જેવા મનેાહર કામદેવના ભવનમાં હું' પ્રવેશ્યા. ,, પછી સુખાસનમાં બેઠેલા એવા મારા વરને ચેાગ્ય શણગાર કરવામાં આવ્યેા. જેમણે મંગલ વસ્ત્રાભૂષણે પહેર્યાં હતાં એવી અવિધવા સ્ત્રીએ આવી. ઘર ભરાઇ ગયું. પછી [કુરથી મિશ્રિત ફૂલની માળાવાળી, ઉત્તમ કુસુમનાં જેણે કુ ંડલ કર્યાં હતાં એવી, Page #422 -------------------------------------------------------------------------- ________________ બધુમતી લ`ભક [ ૩૬૭ ] ચૂડામણિનાં કિરણે। વડે જેના પ્રશસ્ત અખેડા રંગાયેલા છે. એવી, ઉજજવળ કનકનાં કુંડલાની પ્રભાથી અનુલિસ નયનાની કાન્તિ વડે સારી રીતે રંગાયેલ મુખારવિન્દવાળી, કનકનાં મનેાહર કડાં વડે મડિત અને રાતી હથેળીયુક્ત બાહુલતાવાળી, તરલ હાર વડે મંડિત પુષ્ટ સ્તનેાના ભારથી ખેદ પામતા મધ્યભાગવાળી, દારા વડે બંધાયેલા જાનમંડળની પુષ્ટતાથી પીડા પામતા ચરણકમળવાળી, કમળથી રહિત લક્ષ્મી જેવી શેાભાને ધારણ કરતી, સ્નાન અને પ્રસાધનનાં વિવિધ પાત્રા ઝાલવામાં રાકાયેલ દાસીજનાથી વીંટાયેલી અને ખારીક શ્વેત રેશમી વસ્ત્રનુ જેણે ઉત્તરીય ધારણ કરેલું હતુ એવી, ઉજજવળ વસ્ત્રોવાળી અધુમતી પરિજનાની સાથે બહાર આવી. તે સમયે ધેાયેલું અતિશ્વેત વસ્ત્ર ધારણ કરેલા અને કર્ણિકારની કેસરાના સમૂહ જેવા ગૌર તથા પુષ્ટ શરીરવાળા બ્રાહ્મણ આવ્યેા. તે મારા જયશબ્દ કરીને મધુર વચનથી કહેવા લાગ્યા, “ દેવ ! સાંભળેા, કામદેવ શ્રેષ્ઠી વૈશ્ય છે. હું સુક્ષ્મ નામના ઉપાધ્યાય છું. તમારી અનુમતિથી હું અગ્નિકા –લગ્નવિધિ કરીશ. ” મે કહ્યું, “શાસ્ત્ર પ્રમાણે કરા. ” એટલે તે આલ્યા, “ આ સર્વાર્થસિદ્ધિ શિલા ( બાજઠ ) ઉપર એસેા. ” તે બધુમતીને પણ મળવાન પુરુષ તેડીને મારી જમણી બાજુએ બેસાડી. પછી હર્ષ પામેલા વદનવાળા શ્રેષ્ઠીએ મને તેનું પાણિગ્રહણ કરાવ્યું. જેના હ્રાથમાં મંત્રેલા દ હતા એવા ઉપાધ્યાયે સાનાની ઝરી વડે સરસવમિશ્રિત પાણીથી પહેલાં અમારા અભિષેક કર્યો. પછી ચાંદી, સુવર્ણ અને માટીના કલોાથી પિરજનાએ અમને સ્નાન કરાવ્યું. સૂર્ય-નિનાદ અને મંગલ શબ્દો વડે અભિન દાયેલાં તથા રાજા વડે અલંકૃત થયેલાં અમે પાસેની વેદી આગળ ગયાં. ઉપાધ્યાયે વિધિપૂર્વક હામ કર્યાં. પત્ની સહિત મેં પણ અગ્નિદેવની પ્રદક્ષિણા કરી અને તેમાં ડાંગરની અંજલિએ નાખી. તમારી સંગતિ અજર થાએ ' એમ એટલતા ઉપાધ્યાયે મને વધાવ્યેા. પછી હું ભેાજનગૃહમાં પ્રવેશ્યા. સુખપૂર્વક બેઠેલે! હું મધુર રસવાળું લેાજન જમ્યા. મંગલ ગીતા વડે ગવાતા મેં બાકીના દિવસ ગાન્યા. સૂર્ય અસ્ત પામ્યા, સધ્યા વીતી ગઇ અને તારા દેખાવા લાગ્યા, એટલે ઉપાધ્યાયે બધુમતીને કહ્યું, “ ઉત્તર દિશામાં આ ધ્રુવને તુ જુએ છે? ” તેણે કહ્યું, “ જોઉં છું. ” પછી મણિદીપકા વડે પ્રકાશિત ગ ગૃહમાં અમે પ્રવેશ્યાં. મહામૂલ્યવાન શયનમાં હું અધુમતીની સાથે બેઠા. વિષયાપભાગથી મુદ્રિત માનસવાળા એવા મારી રાત્રિ સુખપૂર્વક વીતી ગઈ. ,, પછી શુભ દિવસે પ્રસાધન કરાવનારી દાસીએએ મારું પ્રસાધન કર્યું. કામદેવની ઈચ્છાથી રાજકુલમાં જવાના વિચારથી હું નીકળ્યા, તેા કુશળ શિલ્પીના બુદ્ધિસંસ્વથી નિર્મિત થયેલી, ભમરાઓના સમૂહને લાભ પમાડનાર નાના પ્રકારનાં કલ્પવૃક્ષે (નાં ચિત્રા)થી વિભૂષિત થયેલી, કુતૂહલપ્રિય જનાનાં નયનાને માટે મનેાહર અને જાણે કે દિવ્ય હાય તેવી ઊંચી શિખિકામે ભવનના દ્વારમાં જોઇ. બધુમતીની સાથે તેમાં હું આરૂઢ થયેા. તક્રિયાવાળા આસન ઉપર હું બેઠો. પછી ચામર ઢાળવાનું શરૂ થયું અને તરુણ યુવ Page #423 -------------------------------------------------------------------------- ________________ - - -- - --- - -- [ ૩૬૮ ]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : તિઓએ સફેદ છત્ર ધર્યું. પછી શંખ, સૂર્ય અને પટના ઉતાવળા શબ્દથી ક્ષોભ પામેલાં પ્રેક્ષકજને વડે જેવાતે હું નીકળ્યો. કેટલાક લોકો મારે જયશબ્દ કરતા હતા. કેટલાક બેલતા હતા, “ખરેખર, શેઠને દેવે જમાઈ આપે છે, આટલો રૂપાળો અને સૌમ્ય રૂપવાળે આ દેવ છે ” બીજાઓ બોલતા હતા, “વિદ્યાધર હશે.” “અહો રૂપ! હે કાતિ! અહા લાવણ્ય ! અહો કામદેવની કન્યા કૃતાર્થ થઈ છે!” એમ બોલતી, પ્રાસાદમાં રહેલી વિસ્મિત યુવતિઓ અમારા ઉપર કુસુમવૃષ્ટિ કરતી હતી તથા પાંચ પ્રકારનાં સુગંધી ગંધચૂર્ણ નાખતી હતી. પછી આ પ્રમાણે પ્રશંસા કરાતો હું અનુક્રમે રાજભવનમાં પહોંચે. મને જેવાના લોભથી આવેલાં અંતઃપુરનાં જન વડે બારીઓ, ગેખ, વેદિકાઓ અને જાળિયાં ભરાઈ ગયાં. મુહૂર્ત માત્રમાં જ રાજ્યમહત્તર-બહાર નીકળ્યા. તેમણે મહામૂલ્યવાન અર્થ વડે મારી પૂજા કરી. પ્રિયાની સાથે હું શિબિકામાંથી ઊતર્યો. જેને કામદેવ માર્ગ બતાવતું હતું એ હું આત્યંતર પસ્થાનમાં પ્રવેશ્યા. યક્ષાધિપતિ જેવા સૌમ્ય રૂપવાળા રાજાને મેં જોયે. મને જોઈને તે એકદમ સામે આવ્યું. મેં પણ તેને પ્રણામ કર્યા. તેણે મને મધુરતાથી કહ્યું, “ઘણાં હજાર વર્ષ જીવ, અને ગૃહિણીની સાથે હૃદય-ઈચ્છિત સુખો ભેગવ.પછી વસ્ત્રો અને આભૂષણે લાવવામાં આવ્યાં. હર્ષથી મુખર-વાચાળ બનેલા અને “કૃપા થઈ” એમ બેલતા શેઠે તે સ્વીકાર્યા. રાજાએ કહ્યું, “વધૂ-વરને લઈ જાઓ.” પછી હું રાજાના મહેલમાંથી નીકળે અને ફરી વાર શિબિકામાં બેઠે તથા પ્રેક્ષકજને વડે અનુસરા સસરાને ઘેર પહોંચે. જેનું કેતુકમંગલ કરવામાં આવ્યું છે એ હું શિબિકામાંથી ઊતર્યો અને ભવનમાં પ્રવેશ્યો. પ્રતિદિન જેના ભેગનો ઉદય વૃદ્ધિ પામતો હતો એવો હું ત્યાં રહેવા લાગ્યા. પરિજન સહિત શ્રેષ્ઠી જાણે હું દેવ હોઉં તેવી રીતે મારી તરફ જેતે હત-વર્તતું હતું. આ પ્રમાણે કેટલાક દિવસ સુખમાં વીતી ગયા. (૧૮). પ્રિયંગસુન્દરી લંક હે પત્ર! એ પ્રમાણે શ્રાવસ્તી નગરીમાં કેટલાક કાળ વીતી ગયા પછી એકવાર હું બંધુમતીની સાથે આત્યંતરે પસ્થાનમાં સુખાસન ઉપર બેઠા હતા. તે વખતે વિચિત્ર વસ્ત્ર અને આભરણથી વિભૂષિત થયેલી દાસીઓ સહસા અમારી પાસે આવી. એટલે બંધુમતીએ મને કહ્યું, “ સ્વામી ! આ પ્રિયંગુસુન્દરીની નર્તકીઓ છે.” તેઓએ મને પ્રણામ ક્યો, એટલે મેં તેમને કહ્યું, “સુખભાગિનીઓ અને સુભગાઓ થાઓ.” પછી ૧ આ લંભમાં તથા તે પછીના કેતુમતી સંભકમાં સંખ્યાબંધ પાઠો ભ્રષ્ટ હોવાથી કેટલેક સ્થળે પૂર્વાપરસંબંધ અને અર્થ અસ્પષ્ટ રહે છે. કેટલાક અર્થો કલ્પનાથી બેસાડવા પડ્યા છે, તે પણ કથાસન્દર્ભની દષ્ટિએ પૂરેપૂરે સન્તોષકારક અર્થ ન નીકળે એવું બન્યું છે, એવાં સ્થાનોને પૃથક નિર્દેશ સર્વત્ર કર્યો નથી. મૂલમાં સંપાદકોએ એવાં સ્થાન ઘણુંખરું પ્રશ્નાર્થ ચિહનથી બતાવ્યાં છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુ દરી લભક [ ૩૬૯ ] (6 ” ખીજીએ કહ્યું, * .. ** ,, ,, પદ્મિની છું. આ તેએ પાતાનાં નામે કહેવા લાગી. એકે કહ્યું, “હું કામપતાકા છું. હું વિલાસિની છું: ” ત્રીજીએ કહ્યું, “હું કિન્નરી છું. ” ચેાથીએ કહ્યું, “હું મધુરક્રિયા છું. ” પાંચમીએ કહ્યું, “ હું હ્રાસપેટ્ટલિકા છું. ” છઠ્ઠીએ કહ્યું, “ હું રજ:સેનિકા છું. ” સાતમીએ કહ્યું, “હું કૌમુદી છું. ” આઠમીએ કહ્યુ, “ હું પ્રમાણે આઠ જણીઓએ પાતાનાં નામ સંભળાવ્યાં. નામ સ'ભળાવ્યા પછી હાસ્ય વડે વિકસિત મુખકમળવાની તેઓએ બંધુમતીને વંદન કર્યું. બંધુમતીએ તે સર્વને અનુક્રમે આલિંગન કર્યું. પછી સુન્દર વચનેા ખેલતી એવી તે સર્વને મારી પ્રિયાએ પરિહાસપૂર્વક કહ્યું, “ સિખ ! તેં મને દર્શન આપ્યાંને લાંબે કાળ થઇ ગયા. તે તારી નિ:સ્નેહતા બરાબર મતાવી આપી! તેઓએ ‘ સાચુ છે ' એમ કહીને મારી પ્રિયાને પરિહાસપૂર્વક કહ્યું, “ અમારી સ્વામિની તા ( તમને મળવાને ) ઘણી ઉત્કંઠિત થઈ છે. એક પ્રિય મળે, એટલે કઇ ખીજું પ્રિય છે।ડી દેવાય ? ” પછી ચેાડી વારે બંધુમતીએ મને કહ્યુ, “ સ્વામી ! હું પ્રિયંગુસુન્દરી પાસે જાઉં છું. મારી એ પ્રિય સખીને મળ્યાંને ઘણા સમય વીતી ગયા છે. ” પછી મે તેને રજા આપી, એટલે પરિવાર સહિત તે ગઇ. 7 પછી તે નતિકાએ વડે વીંટળાયેલે હું પણ અશાકવનિકામાં ગયા. ત્યાં અગાઉથી રાખેલાં મુરજ, મુકુદ, વાંસળી, ક'સાલિકા આદિવાત્રિના સમૂહ મેં જોયા. ‘ બંધુમતીના વિરહમાં તેમને અસુખ ન થાય ” ( એમ કહીને ) મારા વિના અર્થે, મને સંભળાવવા માટે તે ન`કીએ યાદિત્રા લઈને નીચેના અતું ગાવા લાગી— . “ જેમકે કોઇ એક મોટો વિષ્ણુક–સા ણમ ( ગણવા લાયક ), ધિરમ ( તાલવા લાયક ), મેય ( માપવા લાયક ) અને પરીક્ષ્ય ( પરખવા લાયક) એ પ્રમાણે ચાર પ્રકારના માલ લઇને પેાતાના નગરમાંથી ખીજા નગર તરફ ચાલ્યે. વચમાં આવતી અટવીમાં એક સ્થળે સિહુને ભય હતા. તે જ સ્થળે મુકામ કરીને પડેલા વણિકા એકત્ર થઇને, આયુધ અને શસ્રો ધારણ કરીને સાવધાનતાપૂર્વક રહ્યા. સિંહુ આન્ગેા, એટલે તે ભયથી સંભ્રાન્ત થયા. પછી ત્યાં એક શિયાલણી આવી. તેની સાથે તે સિંહૈ રતિક્રીડા કરી. પછી તે વણિકા સહુના વધ કરવાના પ્રયત્ન કરવા લાગ્યા, પણુ કેટલાકાએ કહ્યુ, “ એના વધ કરવાથી શું ? જેણે શિયાલણીની સાથે રતિક્રીડા કરી એનામાં સિહત્વ શેનુ ? ” એમ કરીને તેઓ નિશ્ચિન્તપણે રહ્યા. ’ આ અર્થનું ગીત તે નકીએ હસતાં હસતાં વિશ્વસ્તપણે ગાતી હતી. મેં પણ ૧. મૂળમાં અહીં તથા તે પછી ‘ આઠમીએ ' સુધીના સ્થાને ગળાવ્ શબ્દ છે, પણ અનુવાદની સુરેખતા ખાતર મેં ‘ ત્રીજી ’, • ચેાથી ’ વગેરે શબ્દ મૂકી અનુવાદ કર્યા છે. v Page #425 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : 66 "" " હૃદયથી વિચાર્યું કે, “ આ ગીત મારા માટે છે. હું સિ'હું અને 'ધુમતી શિયાલણી. પછી મે' નિષ્ઠુરતાપૂર્વક તેના તિરસ્કાર કરીને કહ્યું, “ અયેાગ્ય ગાયન કરતી આ ધૂતારીએ જીએ ! ” તિરસ્કૃત થયેલી અને લજ્જા પામેલી તેએ પછી ચતુરાઇપૂર્વક ગાવા લાગી, તેમાં તેમણે ગીત–વાત્રિ અને નૃત્ય-અભિનયથી મને સારી રીતે સન્તાષ આપ્યા. પછી મેં તેને કહ્યું, “ સુન્દરીઓ ! હું વરદાન આપવાની ઇચ્છાવાળા છું; તમારી ઇચ્છા હોય તે વર માગેા, તે હું આપું. ” પછી તેઓએ કહ્યું, “ સ્વામી ! જો તમે અમને વરદાન આપવાના હા, તે તમે કયાંથી આવ્યા છે તે ( કહેવારૂપ ) વરદાન આપવા વડે અમારા ઉપર કૃપા કરો. ” એટલે મેં કહ્યુ, વેગવતીથી વિયેાગ પામેલે હું અહીં આવ્યે છું. પણ એક નકી એલી, “ તે પહેલાં ક્યાંથી ? ” હું ખેા, “ મદનવેગાના વિયાગથી. ” બીજી એલી, “ તે પહેલાં કયાંથી ? ” મેં કહ્યું, “ સેામશ્રી, રક્તવતી, પુડ્રા, અશ્વસેના, પદ્મા, કપિલા, મિત્રશ્રી, ધનશ્રો, સેામશ્રી, નીલયશા, ગન્ધ દત્તા, શ્યામલી, વિજયસેના અને શ્યામાના વિયાગથી. ” ખીજીએ કહ્યુ, “ તે પહેલા કયાંથી ? ” હું મેલ્યેા, “ શૌરિપુરમાં અંધકવૃષ્ણુિ રાજાના પુત્રા અને ધનસમૃદ્ધિવડે કુબેર જેવા સમૃદ્ધ સમુદ્રવિજય વગેરે દશ દશારા વસે છે. તેઓમાંના હું દશમા વસુદેવ નામના છું. વધૂના મરણથી વિયાગને પામેલે' હું તે ભાઇએની પાસેથી નીકળીને વિદ્યાધરા સહિત પૃથ્વીમાં ક્રૂરતા અહીં આવ્યે છું. એ પ્રમાણે, હે પોત્રા ! · પછી શું ? પછી શું? ' એમ પૂછતી, પરસ્પરને આઘી ઠેલીને સંઘર્ષથી કિલકિલાટ કરતી તે ન કીઓએ શારિપુર નગર સુધીના સર્વ વૃત્તાન્ત મારી પાસે પૂરેપૂરા કહેવરાવ્યેા. એટલામાં મેં જાણ્યું કે—“ મધુમતીના પતિ આર્યપુત્ર કાણુ છે, કેવા છે ? અથવા અહીં કયાંથી આવ્યા છે ? તે જાણી લાવા ” એમ કહીને આ નત્તિકાઓને પ્રિયંગુસુન્દરીએ માકલી હતી. તેઓએ છુપાવવા જેવી વાત પણ મારી સાથે પૂરેપૂરી કહેવરાવી. પછી દિવસ વીતી ગયા, અને સધ્યા થઈ. એ દેશકાળમાં પ્રિયંગુસુન્દરીએ જેનેા પૂજાસત્કાર કર્યા હતા એવી, દાસીઓના મને વર્તુલ વડે વીંટાયેલી બંધુમતી દીપિકાએના સમૂહ સાથે આવી. પેલી િકા પણ વંદન કરીને, જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે, પાછી ગઈ. અપૂર્વ ભૂષણ્ણા વડે વિભૂષિત “ આજે અંગવાળી તથા સૂક્ષ્મ કિટવાળી અધુમતીને જોઇને હું. વિચાર કરવા લાગ્યા, આના આટલા સુરૂપ-સમ્રુદય શાથી છે ? ” સુખાસન ઉપર બેઠેલી તેને મે' પૂછ્યું, “ સુન્દરિ ! તારા દિવસ સુખપૂર્વક ગયા ? ” બધુમતી ખેલી, “ સ્વામી ! જેવી રીતે મારા દિવસ ગયા તથા જે મેં સાંભળ્યું અને અનુભવ્યું. તે સર્વ સાંભળા 79 ૧ મૂળમાં વઘુમરવિષ્વસત્તો(? ) એ પ્રમાણે પાડે છે. વઘુમરળ( ? )ના અર્થ ‘ વધૂમરણ ' થઈ શકે? જો કે વસુદેવની કાઇ પત્નીના મરણની વાત કથામાં આવતી નથી-કદાચ સાચુ કારણ છુપાવવા માટે વસુદેવે આ કારણ આપ્યું. હાય. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રિયગુસુન્દરી લભક [ ૩૭૧ ] “ સ્વામી! તમે રજા આપી, એટલે અહીંથી નીકળીને રાજભવનમાં જઇ, રાજાને અને દેવીને વિનયપૂર્ણાંક પ્રણામાંજલિ કરીને પછી હું છĆન્ત:પુર ( જૂના અંત:પુર ) માં ગઇ. ત્યાં મેં મેગરાનાં પુષ્પ અને ચંદ્ર જેવી ઉજજવળ કાન્તિવાળાં વસ્ત્રો ધારણ કરેલી અને સદ્ગતિગમન માટે સજ્જ એવી એ આર્યોને જોઇ. તેમને અને દેવીઓને (રાણીઓને) વિનયથી વંદન કરીને હું એક સ્થાને બેઠી. પછી તે ભગવતી મધુર વાણીથી સાધુધર્મ અને ખાર પ્રકારના ગૃહસ્થધર્મ કહેવા લાગી, તેમના રૂપાતિશય અને તેજથી વિસ્મિત થયેલી દેવીએએ કથાંતરમાં તેમને પૂછ્યું, “ આર્યો ! કયા નિવેદથી તમે આ દુઘ્ધર મનજ્યા સ્વીકારી છે ?” પછી તે આર્યાએ કહ્યું, “ દેવીએ ! અમે જાતિસ્મરણવાળી છીએ. ” એટલે તેમને દેવીએએ કહ્યુ, “ આર્યોએ ! જાતિમરજીવાળાં મનુષ્યેા હોય છે એમ વાર્તાલાપમાં અમે સાંભળીએ છીએ, પણ (જાતિસ્મરણવાળાં તરીકે) પ્રત્યક્ષ તા ભગવતીએને અત્યારે જ જોયાં છે; તેા જો તમારા તપ-નિયમના અવરોધ થતા ન હોય તે! તમારાં જાતિસ્મરણું અને દીક્ષા તમારા મુખેથી કહેવાતાં અમે સાંભળવા ઇચ્છીએ છીએ.” જાતિસ્મરણ(વાળાં મનુષ્યના મેળાપ)થી હર્ષ પામેલી અને એકત્ર થયેલી સર્વ દેવીએએ આર્યાએને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “દેવીએ ! અમને પૂર્વભવમાં જે રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને આ ભવમાં અમારી દીક્ષા થઈ તે સાંભળે.— વિમલાલા અને સુપ્રભા આર્યઆની આત્મકથા હે દેવી ! આ શ્રાવસ્તી જનપદની ઉત્તર દિશામાં તેની લગેાલગ જ આવેલે, સ જનપદોમાં પ્રધાન એવે! કાસલા નામે જનપદ છે, ત્યાં સાકેત નામે પ્રધાન નગર છે. તે જનપદમાં પરમરમણીય એવું રમણીય નામે ગામ છે. ત્યાં માઠર અને નાગિલ નામે એ ગૃહપતિઓ રહેતા હતા. તેમની ભાર્યાઓ (અનુક્રમે) શુદ્ધોદની અને નાગદત્તા હતી. હું દેવીએ ! આજથી ત્રીજા ભવમાં અમે નાગશ્રી અને વિષ્ણુશ્રી નામની અન્યાન્યમાં અનુરક્ત અને સમાનવયસ્ક એવી તેમની દીકરીએ હતી. અમારા બન્નેના પિતાએનાં ખેતરા પણુ લગાલગ જ આવેલાં હતાં. પિતાની સૂચનાથી પશુસમુદાય, પક્ષીસંઘ અને મનુષ્યાથી એ ખેતરાનુ સરક્ષણ કરતી એવી અમે સતત આનંદ કરતી હતી. અમારાં તે ખેતરાથી થોડેક દૂર અસિતગિરિ નામે પર્વત છે. ત્યાં એક વાર અમે દેવાદ્યોત જોયેા. દેવાદ્યોતથી અધિક આશ્ચય પામેલા મહાજને ચારે બાજુનાં ગામામાંથી તે પર્વત ઉપર આવવા લાગ્યા. વિસ્મિત થયેલાં અમે કુતૂહલથી પર્વત ઉપર ચઢતાં હતાં ત્યાં ઘણા માણસા પાસેથી અમે સાંભળ્યું કે, “ કાઇ મહામુનિને અહીં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” પછી અમે જલદીથી તે પર્વત ઉપર ચઢી ગયાં, અને ત્યાં વિચિત્ર આભરણાથી ભૂષિત થયેલા દેવા અને અપ્સરાઓના સમુદાયને સંગીત, ગંધ, અને માલ્યથી મુનિવરને મહાત્સવ કરતા 66 ૧. જ્યાં વૃદ્ધ રાણી અને રાજાની સંબંધી વૃદ્ધ સ્ત્રીઓ રહેતી; હેાય તે સ્થાન. Page #427 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : જોયા. પછી અમારા ગામના સ્વામી દેવદત્ત મુનિને વંદન કરીને એલ્યે, “ ભગવન! તમે અમારા સ્વામી થઈને હવે ત્રૈલેાકયના સ્વામી થયા છે. ” પછી દેવદત્તનુ વચન સાંભળીને ‘(આ મુનિ) ખરેખર સાકેત નગરના સ્વામી હતા' એમ જાણીને દ્વિગુણિત સંવેગવાળાં બની અમે તે મુનિને જોવા માંડયાં. પછી દેવદત્તે તે મુનિને પૂછ્યું, “ભગવન્ ! આદિત્ય, સામવી, શત્રુત્તમ અને શત્રુન્નુમન રાજિષ એના એક ખીજામાં અત્યંત અનુરાગ શાથી હતા ? ” એટલે તે મુનિવરે દેવદત્તને આ પ્રમાણે કહ્યું.— આદિત્ય આદિ ચાર મુનિની કથા “ દેવદત્ત ! કાંકણુ દેશમાં સેાપારક નામે નગર છે. માધુકરી કરતા અને ષટ્ કર્મામાં નિરત એવા કાશ્યપ ગાત્રના કાશ્યપ નામે બ્રાહ્મણુ ત્યાં હતા. તેની ભાર્યાં રેવતી નામે હતી, પુત્ર શર્મા નામે હતેા અને પુત્રવધુ શ્યામલામા હતી. તેએએ એક વાર બ્રાહ્મ@ાને માટે આહાર તૈયાર કર્યાં. માસે।પવાસી સાધુ તે ઘરમાં પ્રવેશ્યા. પછી તેઓએ વિચાર કરીને પરમશ્રદ્ધાથી તે સાધુને વહેારાખ્યુ. વસુધારા આદિ પાંચ દિવ્યે ત્યાં પ્રકટ થયાં. પછી તેઓએ સાધુની પ્રતિલાલનાથી અને મૃત્યુ તથા માદવની સ ંપન્નતાથી મનુષ્યનુ આયુષ્ય માંધ્યું. પછી તેઓ કાલધર્મ પામીને ઉત્તર કુરુમાં ત્રણ પત્યેાપમના આયુષ્યવાળાં યુગલિયાં થયાં. પુત્ર અને માતાનું એક યુગલ થયું, તથા સસરા અને પુત્રવધૂનું એક યુગલ થયું. કહ્યું છે કે संसारगया जीवा, हिंडता अण्णमण्णजाई । माया जायइ भज्जा, सुण्हा तहेव ससुरस्स ॥ અર્થાત અનેક જન્મામાં ભમતા સંસારી જીવાની માતા પત્ની થાય છે અને તે જ પ્રમાણે પુત્રવધૂ સસરાની પત્ની થાય છે. ત્યાં ત્રણ પલ્યાપમનું આયુષ્ય પાળીને કાલધર્મ પામીને તે સાધ કલ્પમાં શક્રેન્દ્રરાજના અનીકાધિપતિ એવા ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા સામાનિક દેવા થયાં. ત્યાંથી ચીને ત્રણ જણાં વિજયપુરમાં અને એક જણ મથુરામાં જન્મ્યાં. સૌધમ માંથી વ્યવીને કાશ્યપ વિજયપુરમાં અરહદાસ સાવાહ થયા. શર્મા પણ ત્યાંથી ચવીને અરહદાસ સાર્થવાહના પુત્ર જિનદાસ થયા. રેવતી ચવીને વિજયપુરમાં જ પુષ્પકેતુ રાજાની પુષ્પવતી દેવીની પુષ્પદંતા પુત્રી થઇ. શ્યામલામા પણ ચ્યવીને મથુરા નગરીમાં શૈારિવીર રાજાની ધારિણી દેવીના સૂરદેવ નામે કુમાર થઇ. શૌરિવીર મરણ પામ્યા પછી શૂરદેવ રાજા થયા. પછી એક વાર જિનદાસે પુષ્પદંતા કન્યાને જોઇ. તેણે પણુ જિનદાસને જોયા. પૂના સંબંધને કારણે બન્નેને એકબીજા પ્રત્યે અનુરાગ થયા. પછી જિનદાસે અરહદાસને કહ્યું, “ તાત ! જો મને પુષ્પદંતા પ્રાપ્ત નહીં થાય તે હું પણ નહીં રહું Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી લ’ભક [ ૩૭૩ ] મરણુ મામીશ. માટે તમે પુષ્પકેતુ રાજા પાસે મારે માટે ( કન્યાની ) માગણી કરી. ” પછી અરહદાસ સાર્થવાહ મહામૂલ્યવાન ભેટછું લઇને પુષ્પકેતુ રાજા પાસે ગયા અને કહ્યું, “ સ્વામી ! મારા પુત્ર જિનદાસને પુષ્પદંતા કન્યા આપે; આ આપનું શુલ્ક છે. ” પણ પુષ્પકેતુ રાજાએ અરહદાસના સખ્ત તિરસ્કાર કરીને તેના નિષેધ કર્યા, એટલે તે ગયા. પછી સ્વયંવરને (ઇચ્છિત લગ્નને ) નહીં પ્રાપ્ત થયેલાં જિનદાસ અને પુષ્પદંતા હું સવિલંબિત અશ્વ ઉપર બેસીને નાસી ગયાં. ઘણાં હિંસક પશુઓથી ભરેલી ખિલવ ંતિકા નામે અટવીમાં તેએ પ્રવેશ્યાં. પછી જેમણે હાથમાં ધનુષ-માણુ ધારણ કરેલાં છે એવા ભીલે તે અટવીમાંથી યુદ્ધ કરવાને માટે આવ્યા. હુંસવિલખિત અશ્વ ઉપર બેઠેલા અને જેણે હાથમાં ખડ્ગ ધારણ કર્યું હતું એવા જિનદાસે તેમને! પરાજય કર્યો. પછી એ ભીલેાને ભગાડ્યા બાદ, તૃષાથી પીડાયેલા તે કાઇ વૃક્ષની નીચે આશ્રય લેવાને બેઠે. તેની નીચે પુષ્પદંતાને રાખીને અશ્વને સાથે લઈ તે પાણી શેાધવા માટે ગયા. ત્યાંથી થાડા અંતર ઉપર પર્વતની પાસે પાણીથી ભરેલું સરાવર તેણે જોયું. તેના કિનારે અશ્વને ઊભા રાખી પાણી પીવા માટે તે સરેશવરમાં ઊતર્યાં. પાણી પીતા હતા તે જ વખતે વાઘે તેને પકડ્યો. ભય પામેàા અશ્વ પેલા વૃક્ષ પાસે નાસી ગયા. તેને જોઇને કરુણ આક્રંદ કરતી પુષ્પદંતા સરાવર પાસે ગઇ. ત્યાં વાઘે ખાધેલું જિનદાસનુ શરીર જોઈને તે રડવા લાગી. અશ્વ પશુ, અગાઉ ભીલેાના હાથે ઘાયલ થયેલા હૈાવાથી, ત્યાં ઘેાડીવારમાં જ મરણ પામ્યા. પછી દીન અને કરુણ રુદન કરતી તે એકાકિની પુષ્પદંતાને ભૃગ્નપુટ અને વિગ્નપુટના તાબાના ચારીએ સાંજના સમયે પકડી પકડીને તેએ તેને સિ ંહશુદ્ધા ચારપલ્લીમાં લઇ ગયા. ત્યાં વિમિંઢ નામે ચાર-સેનાપતિ હતા. તેના એ બળવાન પુત્રા ભુગ્નપુટ અને વિભુગ્નપુટ હતા. તેમની સમક્ષ પુષ્પદંતાને હાજર કરવામાં આવી. તે પુષ્પદંતાને જોઇને એકબીજા સાથે લડવા લાગ્યા. એક એલ્યું, “મારા ચાર આને લાવ્યા છે. ’' બીજો પણ એ જ પ્રમાણે કહેવા લાગ્યા. પછી તેઓના પિતાએ તેમને અટકાવ્યા, અને પુષ્પદંતાને તેણે લીધી. લઇને મથુરામાં શૂરદેવ રાજાને તે આપી. તેણે વિમિઢને! સત્કાર કરીને વિદાય આપી. પુષ્પદંતાને તેણે પોતાની પટ્ટરાણી બનાવી. વાઘ વડે મરાયેલે પેલે જિનદાસ તે જ અટવીમાં વાનર થયેા. ત્યાં એને પેાતાના પૂર્વજન્મનું સ્મરણ હતું. એક વાર ત્યાં અગાઉથી સાથે આવીને રહ્યો હતે. સા માં સુરજ આદિ વાજીંત્રા જોઈને તેણે તે વગાડ્યાં અને નાચે પણ ખરા. આથી સંતુષ્ટ થયેલા વિષ્ણુકાએ ‘ આ આપણી આજીવિકા બનશે ’ એમ માનીને તેને પકડી લીધા. પકડીને મથુરામાં લઇ જઈને તે એની પાસે વાદ્યવિશેષા વગડાવવા લાગ્યા. તેઓએ રાજાને ૧૦૦૮ ના મૂલ્યથી તે વાનર વેચ્યા. પછી એક વાર તે વાનર પુષ્પદ તાને જોઇને સૂચ્છિત થઇને પડ્યો. ઘેાડી વારે Page #429 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ : ભાનમાં આવીને પુષ્પદંતાની આગળ તે અક્ષરો લખવા લાગ્યું કે, “હું જિનદાસ છું.” તે વાંચીને “અહો! અકાર્ય થયું !” એમ વિચાર કરતી પુષ્પદંતા દુઃખી અને શોકાતુર થઈ. વાનરે પૂર્વકાળના પ્રણયથી તેને પકડી, એટલે પુષ્પદંતાએ ફાટ્યા અવાજે ચીસ પાડી. તે શબ્દ સાંભળીને શૂરદેવ ત્યાં આવ્યું, અને દેવી તથા વાનરને જોઈને તેણે પુરુષોને આજ્ઞા આપી, “આ અપરાધમાં વાનર મારે માટે વધ્યું છે. ” વધસ્થાન ઉપર તેને લઈ જવામાં આવતો હતો ત્યાં વચ્ચે રાજમાર્ગ ઉપર ધર્મચિ સાધુને જોઈને, તે હાથ જોડીને પગે પડ્યો. પછી ધર્મચિએ તેને અનશન કરાવ્યું, અને શિક્ષાત્રતે તથા નવકારમંત્ર આપ્યાં. પછી એ વાનરને રાજપુરુષોએ વધ કર્યો, એટલે ફરી પાછો તે વિજ્યપુર નગરમાં પોતાનાં જ પૂર્વનાં માતા-પિતાને પુત્ર થયે. તેનું વાન્તામય નામ પાડવામાં આવ્યું. ત્યાં પણ તેને પૂર્વજન્મનું સ્મરણ હતું ધર્મરુચિ અણગાર વિહાર કરતા વિજયપુરમાં આવ્યા. તેને જોઈને વાત્તામયે અરહદાસને કહ્યું, “તાત! હું ધર્મરુચિ સાધુની પાસે દીક્ષા લઈશ.” અરદાસે કહ્યું, “પુત્ર! તને શાથી નિર્વેદ થયો છે, કે જેથી તું દીક્ષા લે છે? ” વાતામયે કહ્યું, “ગુરુ તમને તે કહેશે. ” પછી અરહદાસે ધર્મરુચિને વાતામયના નિર્વેદનું કારણ પૂછ્યું. એટલે ધર્મચિએ અવધિજ્ઞાનથી જાણીને તેના બને પૂર્વ અરહદાસને કહ્યા. તે સાંભળીને વાન્તામય સાથે અરહદાસે દીક્ષા લીધી. વિહાર કરતા તેઓ મથુરામાં આવ્યા. શૂરદેવ પુષ્પદંતાની સાથે વંદન કરવાને માટે નીકળ્યો. ધર્મરુચિ, અરહદાસ અને વાન્તામયને તેણે વંદન કર્યું. વંદન કરીને તેણે વાન્તાયને પૂછયું, “ભગવન્! આપને શાથી નિર્વેદ થયો છે, કે જેથી આવા રૂપસ્વી આપે યુવાવસ્થામાં જ દીક્ષા લીધી?” વાન્તામયે કહ્યું, રાજન ! પુષ્પદંતા દેવી મારા નિર્વેદનું કારણ છે.” એટલે વિસ્મય પામેલો રાજા બે, “પુષ્પદંતા દેવી, નિર્વેદનું કારણ કેવી રીતે ? ” વાન્તામયે કહ્યું, “ગુરુ તમને કહેશે.” પછી રાજાએ ધર્મરુચિને વાન્તામયના નિર્વેદનું કારણ પૂછયું. ધર્મરુચિએ અવધિજ્ઞાનથી એ કારણ સારી રીતે જાણેલું હતું. તેમણે વાન્તામયના પૂર્વ રાજાને કહ્યા. પછી જિનદાસ અને પુષ્પદંતાનું અશ્વ ઉપર બેસી પલાયન કરી જવું-ત્યાંથી માંડીને પ્રવ્રજ્યા સુધીની બધી હકીક્ત તેમણે કહી. “હે શરદેવ! આ પ્રમાણે પુષ્પદંતા દેવી વાન્તામયના નિર્વેદનું કારણ છે” એમ તેઓ બેલ્યા. ધર્મરુચિએ આ પ્રમાણે કહ્યું, એટલે જેને વૈરાગ્ય દ્વિગુણિત થયે છે એવા રાજાએ દેવીની સાથે દીક્ષા લીધી. લાંબા કાળ સુધી સંયમ પાળીને ધર્મરુચિ અણગાર સધર્મ ક૯૫માં સાધમવતંસક વિમાનમાં ઈન્દ્ર થયા. પેલાં અરહદાસ, વાન્તામય, શૂરદેવ અને પુછપદંતા તેમના જ સામાનિકો થયા. સધર્મેન્દ્ર બે સાગરોપમનું આયુષ્ય પાળ્યા પછી ત્યાંથી આવીને સારા કુળમાં જન્મ્યા અને ત્યાં એમનું નામ સુધર્મ પાડવામાં આવ્યું. અનુક્રમે સંબધ પામીને Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગસુંદરી સંભક [ ૩૭૫ ] તેમણે સ્થવિર પાસે દીક્ષા લીધી, અને ઉચ્ચ પ્રકારના તપ વડે યુક્ત એવા તેઓ જલૈષધિલબ્ધિથી સંપન્ન થયા. અરહદાસ, વાતામય અને શરદેવ એ દેવ પણ આયુષ્યને ક્ષય થતાં આવીને (અનુક્રમે) વારાણસી, ભધિલપુર અને ગજપુરમાં કરાલબ્રહ્મ, જિતશત્રુ અને અરિંદમ નામે રાજાઓ થયા. પુષ્પદંતા–દેવ પણ આયુષ્યને ક્ષય થતાં સૌધર્મમાંથી અવીને મથુરા નગરીમાં નિહિતશત્રુ રાજાની રત્નમાલા દેવીની કનકમાલા નામની પુત્રી થઈ. અનુક્રમે ઊછરેલી તે વનમાં આવીને રૂ૫-લાવણ્યમાં નિરૂપમ થઈ. તે કનકમાલાને અતિશય રૂપાળી સાંભળીને કરાલબ્રહ્મા, જિતશત્રુ અને અરિદમ રાજાએાએ તેનું માથું કરવા માટે તો મેકલ્યા, પણ તે દૂતન નિહતશત્રુ રાજાએ નિષેધ કર્યો. આથી તે રાજાઓએ પિતાનાં સર્વ સન્ય સાથે આવીને મથુરા નગરીને ઘેરો ઘાલ્યો. સુધર્મ અણગાર વિહાર કરતા મથુરા નગરીમાં આવ્યા, અને બહાર ઉદ્યાનમાં રહ્યા. કનકમાલાને પણ પિતાનાં કર્મોના અનુભાવથી જેમાંથી ઘણું રસી નીકળતી હતી એવો કોઢ થયે. પછી નિહતશત્રુ રાજા કનકમાલાને લઈને મથુરામાંથી નીકળે અને કરાલબ્રહ્મ, જિતશત્રુ અને અરિંદમ રાજાઓ આગળ તેને રજૂ કરી કે “આ તમારી કનકમાલા છે. ” પછી રોગગ્રસ્ત કનકમાલાને જોઈને વૈરાગ્ય પામેલા અને જેમના રાગદ્વેષ શાન્ત થયા છે એવા તે રાજાઓ એક બાજુથી મથુરામાં પ્રવેશ્યા. પછી કેટલાક દિવસ વીત્યા બાદ કનકમાલા સહિત તેઓએ સુધર્મ અણગારની પાસે દીક્ષા લીધી, અને ઘણા કાળ સુધી સંયમ પાળીને તેઓ સમાધિથી કાળધર્મ પામ્યા. સુધમ અણગાર પણ (કાળ કરીને) બ્રહ્મલેક કપમાં બ્રહ્માવતંસક વિમાનમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવેન્દ્ર થયા. કરાલબ્રહ્મ, જિતશત્રુ, અરિદમ અને કનકમાલા પણ બ્રહ્મલેક કપમાં અનુક્રમે ચંદ્રાભ, સૂર્યાભ, આદિત્યા અને શિષ્ટાભ વિમાનમાં બ્રહ્મના સામાનિક એવા સારસ્વત, આદિત્ય, વહિ અને વરુણ દેવ થયા. પછી દશ સાગરોપમનું આયુષ્ય પાળીને વેલા બ્રક્ષેન્દ્ર અહીં જ દક્ષિણાર્ધભારતમાં સાકેત નગરમાં ગરુડવાહન રાજાની પુંડરીકિણ દેવીને હરિવાહના નામે કુમાર થયા, અને ગરુડવાહનના મરણ પછી તે રાજા થયા. તે હરિવહન હું જ (કેવલી) છું. હે દેવદત્ત! બીજા જે સારસ્વત, આદિત્ય, વહ્નિ અને વરુણ દેવ હતા તેઓ પણ આયુષ્યને ક્ષય થતાં બ્ર કમાંથી આવીને આ જ દક્ષિણાર્ધભારતમાં અનુક્રમે ઋષભપુર, સિંહપુર, ચકપુર અને ગજપુર નગરમાં આદિત્ય, સોમવીર્ય, શત્રુત્તમ અને શત્રુદમન રાજાઓ થયા. તે આદિત્ય વગેરેને મેં મારી સુનંદા દેવીથી થયેલી શ્યામા, નંદા, નંદિની અને નંદમતી નામે પુત્રીઓ (અનુક્રમે) આપી, એટલે તે રાજાએ મારા જમાઈઓ થયા. પછી ઘણા કાળ સુધી રાજ્યલક્ષમી ભગવાને આદિત્ય વગેરે રાજાઓની સાથે મેં ૧. જલ-શરીરનો મેલ. તે કોઈને આપે અને તે ઔષધિનું કામ કરે એ પ્રકારની લબ્ધિ, Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : શત્રુન અણગારની પાસે દીક્ષા લીધી. શ્યામા વગેરે મારી એ પુત્રીઓએ પણ જિનદત્તા આર્યા પાસે દીક્ષા લીધી. પછી હે દેવદત્ત ! એક ગામથી બીજે ગામ વિહાર કરતે હું આ અસિતગિરિ ઉપર આવ્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મને ક્ષય થતાં આજે મને તિમિરથી રહિત એવું ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું છે. તે આદિત્ય વગેરેને પણ આજ રાત્રે કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. હે દેવદત્ત! આદિત્ય, સોમવીર્ય, શત્રુત્તમ અને શત્રુદમન રાજર્ષિઓને આ કારણથી એકબીજામાં ઉત્કૃષ્ટ અનુરાગ છે.” (આર્યાએ કહે છે કે, હરિવહન કેવલીએ આ પ્રમાણે કહ્યું, એટલે કેટલાકે ત્યાં પ્રત્રજ્યા લીધી અને કેટલાકે અણુવ્રતે ગ્રહણ કર્યા. અમે પણ માતાપિતાની અનુમતિ લઈને પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. હે દેવીઓ ! અમે આ પ્રમાણે પૂર્વભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું. દેવીઓ ! પછી એક વાર અમે બે જણ પિતાના ખેતરમાં ઘાસની પથારીમાં એકબીજાને વળગીને સૂતેલી હતી. તે વખતે બાજ પક્ષીઓ સાપને પકડ્યો હતે સાપને બાજ આકાશમાંથી લઈ જતો હતો તે વખતે છૂટી જવાથી તે સાપ અમારા ઉપર પડ્યો. તે અમને કરડ્યો તેથી ઝેર ચડવાથી મરણ પામેલી અમે સધર્મ ક૯પમાં દેવેન્દ્ર દેવરાજ શક્રની અગ્રમહિષીઓ થઈ. આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી આવીને આ જ દક્ષિણાર્ધભારતમાં પુપકેતુ નગરમાં પુષ્પદંત રાજાની પુછપચલા દેવીની વિમલાભા અને સુપ્રભા નામની બે પુત્રીઓ અમે થઈ. પૂર્વભવનું અમને સ્મરણ હતું. હે દેવીએ! અમારા જાતિસ્મરણની હકીકત આ પ્રમાણે છે. અમે શીખ્યા વગર જ પૂર્વજન્મની અને પૂર્વના દેવભવની કલાઓ જાણતી હતી. દેવલેકમાં દેવ અને દેવીએ સર્વે બતર કલાઓમાં નિપુણ હોય છે. મારી પુત્રીઓ પંડિતાઓ છે કે નહીં?” એ પ્રમાણે અમારી પરીક્ષા કરવા માટે હર્ષિત થયેલા રાજા (અમારા પિતા) એક વાર સમસ્યાનું ચરણ લઈને અમારી પાસે આવ્યા અને અમને કહ્યું, “હે પુત્રીઓ ! આ ચરણની પૂર્તિ કરો- સુaહ્યું હું તેલ (દુર્લભ વસ્તુ પણ તેમને દુર્લભ નથી). પછી અમે પણ પદને વિચાર કર્યો, અને (અમે પૈકી ) વિમલાલાએ આ પ્રમાણે અર્થવડે પાદપૂર્તિ કરી– मोक्खसुहं च विसालं, सबसुहं अणुत्तरं जं च । ને સુરિયસામurI, કુછદં તુચ્છદં તેર્લિ . (અર્થાત્ વિપુલ એવું મેક્ષસુખ અને અનુતર એવું સર્વાર્થસિદ્ધિનું સુખ, દુર્લભ હોવા છતાં પણ, જેમણે સારી રીતે શ્રમણ્ય પાળ્યું હોય તેમને માટે દુર્લભ નથી.) Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુરુન્દરી સંભક [ ૩૭૭ ] સુપ્રભાએ આ અર્થડે પાદપૂર્તિ કરી– सल्ले समुद्धरित्ता, अभयं दाऊण सबजीवाणं । जे सुट्ठिया दमपहे, ण दुल्लहं दुल्लहं तेसिं ॥ (અર્થાત શોને દૂર કરીને અને સર્વે ને અભય આપીને જેઓ સંયમના માર્ગ ઉપર સારી રીતે રહેલા હોય છે તેમને માટે દુર્લભ વસ્તુ પણ દુર્લભ નથી.) આ પ્રમાણે ભિન્ન રીતે પાદપૂર્તિ થતાં સન્તુષ્ટ થયેલ રાજા બે, “પુત્રીઓ ! હું વરદાન આપું છું; માટે હૃદયનું છેલ્લું વરદાન માગે.” એટલે અમે કહ્યું, “તાત ! જો તમે વરદાન આપતા હો તો અમે દીક્ષા લેવાને ઇચ્છીએ છીએ. ” અમે આમ કહ્યું એટલે વિષાદ પામેલા રાજા થોડીક વાર વિચાર કરીને પછી આશ્ચર્યજનક રીતે વિસ્મિત થઈને કહેવા લાગ્યા, “પુત્રીઓ ! તમે ઈવાકુવંશને છાજતું જ કર્યું છે; તમે ધર્મ કરો.” પછી અમે કહ્યું, તાત ! ઈશ્વાકુવંશને છાજતું શું છે ?” રાજા બોલ્યા, “પુત્રીઓ ! ઈવાકુવંશમાં સર્વે કન્યાઓ દીક્ષા લે છે.” પછી શિબિકાઓમાં બેઠેલી, દ્ધાઓના મોટા સમૂહ વડે અને સેંકડો મેટા રાજાઓ વડે અનુગમન કરાતે જેમનો માર્ગ છે એવી તથા (શિબિકામાં) વહન કરાતી એવી અમને વિપુલ ઋદ્ધિ અને સત્કારપૂર્વક બ્રાહ્મિલા આર્યા પાસે લઈ જઈને અને શિષ્યાઓ તરીકે તેમને આપીને રાજા પિતાના ભવનમાં પાછા આવ્યા. બ્રાવિલાયો આર્યાએ અમને દીક્ષા આપી અને શિક્ષા–શિખ્યાની યોગ્યતા આપી, એટલે શિક્ષા પામેલી અમે વિહાર કરતી અહીં આવી, હે દેવીઓ ! અમે બન્નેએ આ પ્રમાણે દીક્ષા લીધી હતી.” (બંધુમતી કહે છે કે પછી વિમલપ્રભા( વિમલભા) અને સુપ્રભા આર્યાઓને સત્કાર કરીને દેવીઓએ તેમને વિદાય આપી, એટલે તે ભગવતીઓ ગઈ. હે સ્વામી ! હું પણ દેવીઓ પાસેથી ઊઠીને પ્રિયંગુસુન્દરીની પાસે ગઈ. તે મને જોઈને સંજમપૂર્વક ઊઠી. સુખાસનમાં બેઠેલી એવી મને અર્ધવક આંખ કરીને તે પૂછવા લાગી. “તને જાણતી નથી અને જેતી નથી” એમ કહેવામાં આવતાં તે હાથ ધુણાવવા લાગી.' પછી મને તૈલાભંગ, માલીસ અને સ્નાન કરાવવામાં આવ્યું તથા હું જમી, એટલે પ્રિયંગુસુન્દરીએ પિતાનાં આભૂષણે તથા કટિમેખલા એકત્ર કરીને મને પહેરાવ્યાં. જ્યારે ૧ મૂળમાંની પુછડુ કુદાસજ એ ગાથાને આ અનુવાદ છે. પણ એ ગાથાને અર્થે અસ્પષ્ટ છે. તે પછી તરત Uતી. સિરિ એ ત્રણ પંક્તિને પાઠ આ ગાથાનું ટિપ્પણું છે, પણ પાછળથી તે મૂળમાં પેસી ગયું જણાય છે. તેને પણ અર્થ બેસાડી શકાતો ન હોઈ અનુવાદમાં તેને સમાવેશ કર્યો નથી. ૪૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : " કેડ ઉપર બંધાતી મેખલા શિથિલપણાને લીધે ખસી પડવા લાગી, ત્યારે આઠ પડ કરેલું ફૂલ રેશમી વસ્ર તેણે મારી કેડ ઉપર વીંટયું. પછી મને આલિંગન કરીને દ્વાર ઉપર આવીને તેણે કહ્યુ, “ હે મ્હેન ! તું જા. ’' પછી દેવી અને રાજાને વંદન કરીને હું અહીં આવી. હે સ્વામી ! આ પ્રમાણે મારા દિવસ ગયા, અને આ પ્રમાણે મેં સાંભળ્યું તથા અનુભવ્યું. "" પછી મધુમતી આનંદથી મારી સાથે રમી. પ્રિયંગુસુન્દરીએ મારું ઉત્થાન ( ગામ, નામ, ઠામ, કુલ, જાતિ ઇત્યાદિ ) નર્તકીઓ પાસેથી મેળવીને....? વળી કેટલાક દિવસ પછી તેનેા દ્વારપાલ મારી પાસે આવ્યેા. અશેકનિકામાં બીજાને દૂર કરીને એકાન્તમાં બેઠેલા મને પ્રણામ કરીને, તથા પગે પડીને ઊઠીને તેણે યથાનુવૃત્ત વચનમાલા કહી— ગંગરક્ષિતના વૃત્તાન્ત “ સ્વામી ! અહીં એણીપુત્ર રાજાના મહાદોવારિક ગંગપાલિત નામે હતા. તેની ભદ્રા ભાર્યાના પુત્ર હું ગંગરક્ષિત નામે છું. કેાઈ એક વાર હું મારા પ્રિય મિત્ર વીણાદત્તની સાથે શ્રાવસ્તીમાં ચાકમાં બેઠા હતા. તે વખતે રંગપતાકાની દાસીએ વીણાદત્તને ખેલાવ્યા, “ સ્વામી ! રંગપતાકા અને રતિસેનિકાના ફૂકડાઓનું યુદ્ધ થાય છે, માટે તેના પ્રેક્ષકા તરીકે તમે અહીં આવા-એમ સ્વામિની કહે છે, ” વીણાદત્તે ( મને સાથે લઇ જવાની ઇચ્છાથી ) મારા સામું જોયું, એટલે તે દાસી મેલી, “ દૂર રહેલે આ ગણુકાના રવિશેષ કયાંથી જાણે ? ” એટલે હું સહસા ચિઢાઈને વીણાદત્તની સાથે ત્યાં જ ગયે. અમને આસને આપવામાં આવ્યાં અને ગંધ-માલ્ય વડે સત્કાર-પૂજા કરવામાં આવી. ત્યારપછી કૂકડાઓનું તે યુદ્ધ શરૂ થયું. એક લાખની હાડ બાંધવામાં આવી. વીણાદત્તે રંગપતાકાના કૂકડા લીધા. પછી તેણે કૂકડાને લડાવ્યા. રિતસેનાના ફૂંકડાના પરાજય થયા. રતિસેનિકા એક લાખ હારી. પછી દશગણુા દાવ મૂકવામાં આવ્યેા. પછી બીજી વખતે, તિસેનાના કૂકડા મેં લીધા, અને તેને મે' લલકાર્યું. એટલે બીજી વાર તે કૂકડાઓનું યુદ્ધ થયું. હવે રિતસેના જીતી. પછી હું ત્યાં જ રહ્યો. ઉપર એઢેલા વજ્રથી જેણે પેાતાના હાથ ઢાંકેલા છે એવી મારી દાસીએ બીજે દિવસે, મને બતાવીને, એકસો આઠ દીનાર તિસેનાને આપ્યા. એ પ્રમાણે ત્યાં સુખપૂર્વક મારા સમય વીતવા લાગ્યા. કેટલા કાળ ગયા તે પણ હું જાણુતા નહાતા. એક વાર ગણિકાનાં પરિજનાએ કરુણ રુદન કર્યું. ‘આ શું છે? ' એમ ખેલતા હું સહસા ઊઠ્યો, તેા મારા પિતા મરણ પામ્યા હૈાવાનું મે' સાંભળ્યુ. પછી જેને શેાક ૧ અહીં મૂળ પ્રતામાંથી કેટલાક પાઠ પડી ગયા જણાય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી સંભક [ ૩૭૯ ] ઉત્પન્ન થાય છે એ ત્વરાપૂર્વક મારે ઘેર આવ્યું. ત્યાં હું જતું હતું ત્યારે ઘણા લેકેનું વચન મેં સાંભળ્યું કે, “બાર વર્ષને અંતે, પિતાનું મરણ થતાં આ ઘેર આવ્યું છે. ” પછી (પિતૃમરણ ઉપરાંત લેનિન્દારૂપ) બીજો સંતાપ જેને થયે છે એ હું જલદીથી મારા ઘરમાં પ્રવેશ્યો. શોકથી વિષણુ હૃદયવાળી મારી માતાને મે જોઈ. તેની સાથે ઘણું રુદન કરીને શોકથી વ્યાપ્ત હૃદયવાળા મેં જેમ તેમ કરીને દિવસ ગાળ્યા. પછી લોકપ્રસિદ્ધ ઉત્તરક્રિયાઓ કરીને હું માતાની પાસે બેઠે. મારો બાલમિત્ર મર્કટક નામે હતો. તેની પત્ની આવીને માતાને કહેવા લાગી, મહાદેવારિકની માતાને જય થાઓ.” માતાએ કહ્યું “હું ગમે તેની માતા હેલું પણ મશ્કરી શું કામ કરે છે? મને હેરાન ન કર” મને યાદ આવ્યું કે, “મેં ઘણું દ્રવ્ય ગુમાવ્યું છે, તેથી મારી માતાએ આમ કહ્યું.” પછી થોડી વારે મર્કટક આવ્યું અને મને આલિંગન કરીને કહેવા લાગ્યું, “આવ, મિત્ર! તને રાજા બોલાવે છે.” એટલે તેની સાથે હું રાજદરબારમાં ગયે. રાજાએ સત્કાર કરીને મને દ્વારના અધિકાર ઉપર સ્થાપિત કર્યો-વારિક બનાવે. હવે, મધ્યાહ્ન વીતી ગયા પછી પ્રથિકા(વાંસના બનાવેલા પાત્રવિશેષ)માં ભાત લઈને તથા જમણા હાથમાં ખ્યાલે લઈને દાસીએ જેમ કૂતરાને બોલાવવામાં આવે તેમ, મને બેલા. હું ત્યાં ગયે. ક્રોધાવિષ્ટ થયેલ હું બે, “આ ખ્યાલે તારા માથામાં ફેડું છું.” પણ તેણે મને તિરસ્કૃત અને લજજાવિષ્ટ કર્યો. તે બોલી, “આ ભાત લઈને તું કાં તે કૂતરાને નાખ અથવા ફેંકી દે. ભલે તે તું ન રાખીશ; પણ હે પંડિત ! પ્રવૃત્ત થયેલાની નિવૃત્તિ નથી. આ પ્રમાણે વિચારીને, એકવાર રાજદરબારમાં પ્રવૃત્ત થયેલા એવા તારે નિવૃત્ત થવાનું નથી–પાછા વળવાનું નથી. એટલે હું વિચાર કરવા લાગ્યા, “અહા ! મારા પિતાએ દુષ્કર એવું દોવારિકપણું કર્યું હતું. ” આ પ્રમાણે મારો સમય વીતતે હતે. એક વાર ઉત્પલમાલા નામે દાસીને “તું આચારનું ઉલ્લંઘન કરે છે” એમ કહીને (તેણે કંઈક અનિષ્ટ ચેષ્ટા કરી હોવાથી) મેં ઠપકો આપે. ગુસ્સે થઈને તે મને કહેવા લાગી, “તારુ હવે મત આવ્યું છે.” એટલામાં રાજા પાસેથી મર્કટક આવીને કહેવા લાગે, “અહ, વયસ્ય ! તે રાજાને પ્રસન્ન કર્યા છે. એકાન્તમાં અંગચેષ્ટા કરતી આ ઉત્પલમાલાને તેં મારી હતી; પ્રાસાદની ઉપર ગોખમાં બેઠેલા રાજાએ તે જોયું હતું. આથી સંતુષ્ટ થયેલા રાજાએ મને મોકલ્યો કે, “જા ગંગરક્ષિતને બોલાવ.” માટે આવ, આપણે રાજા પાસે જઈએ. ” પછી હું મર્કટકની સાથે રાજા પાસે ગયે, અને પ્રણામ કરીને થોડેક દૂર ઊભો રહ્યો. પછી રાજાએ મારે ગ્ય સત્કાર કર્યો અને કન્યા-અન્ત:પુરની વ્યવસ્થા ઉપર મારી નિમણૂક કરી. સમય જતાં એકવાર હું પ્રિયંગુસુન્દરીને ઘેર ગયે. તે વખતે તેને ભેજનને Page #435 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : સમય હતે. સતુષ્ટ થયેલી તેણે મને કહ્યું, “ગંગરક્ષિત! જમવા બેસ, આ સમય છે.” તમે તે અચેતન છે” એમ ચારે બાજુથી હાસ્યપૂર્વક બેલતી દાસીઓએ મને હાથ પકડીને બેસાડ્યો. પછી મારે માટે ભેજનવિધિ લાવવામાં આવી. પછી વિવિધ પ્રકારનું ભેજન પીરસ્યું, એટલે કૌમુદિકા બેલી, “આ પંડિત ભજન કરી રહ્યા છે તેમને આપણે જોઈએ; તેથી આપણે પણ ભજન કરવાનું શીખીશું.” મને વિચાર થે કે, “વૈભવપૂર્વક સારી રીતે જમું” પછી બધું લઈને, ભેગું કરીને જાણે બિલમાં–દરમાં નાખતો હોઉં તેમ મેં કેળિયે ભર્યો. એટલે તેઓ ખડખડાટ હસીને કહેવા લાગી, “અહો ! વેશ્યાની પાસે રહીને પરંપરાથી બહુ સારું વિજ્ઞાન મેળવ્યું છે !” પછી આચમન કરીને હું કન્યા-પ્રિયંગુસુન્દરી પાસેથી નીકળે, એટલે તે દાસીઓ પૈકી એકે તમારી છરી તો જોઈએ” એમ કહીને મારી છરી લીધી, બીજીએ મારો તલવાર લઈ લીધી. તેઓ બેલવા લાગી, “ત્રલતાના કામમાં વળી આયુધની શી જરૂર છે?” એટલે મેં તેઓને કહ્યું, “સુન્દરીઓ ! અહીં ત્રિવર્ગમાં ત્રણ પ્રકારના પુરુષોને વિચાર કરવામાં આવે છે, જેમ કે –ઉત્તમ, મધ્યમ અને અધમ. તેમને રોકવા) માટે શસ્ત્ર ધારણ કરાય છે. ઉત્તમ પુરુષને દષ્ટિથી જોવામાં આવતાં તે (અપરાધ કરતો ) અટકી જાય છે, મધ્યમને કહેવામાં આવે અથવા રોકવામાં આવે એટલે તે અટકે છે અને અધમ પુરુષ પ્રહારથી અટકે છે. અંતે શસ્ત્રનું પણ કામ પડે છે. વળી સંક્ષેપથી કહેતાં, ત્રિવર્ગમાં ત્રણ પ્રકારના પુરુષો હોય છે–મિત્ર, શત્રુ અને મધ્યસ્થ-તટસ્થ, એ પ્રમાણે ત્રણ.” એટલે તેઓએ મને કહ્યું, “મિત્ર અને શત્રુનો વિશેષ–તફાવત અમને કહે.” તેમને કહ્યું, “મિત્ર હિત કરનાર હોય છે, શત્રુ અહિત કરનાર હોય છે, જે હિત કરનાર કે અહિત કરનાર હિતે નથી તે મધ્યસ્થ છે.” એટલે ફરી પાછી તેઓ મને પૂછવા લાગી, “આ ત્રણમાંથી અમારી સ્વામિનીના તમે કોણ છો (-મિત્ર, શત્રુ કે મધ્યસ્થ)?” કહ્યું, “હું સ્વામિનીને દાસ છું.” એટલે તેઓ બેલી, “અરે ! પ્રલા૫ કરો છો; “ત્રણ પ્રકારના પુરુષ હોય છે” એમ કહીને હવે કહે છે કે “હું ચેથ (ચેથા પ્રકારનો પુરુષ) દાસ છું.” પછી વિચાર મેં કર્યો કે, “આ તે ઉપાધિ આવી પડી”. ઘણીવાર સુધી વિચાર કરીને મેં કહ્યું, “હું મિત્ર છું.” એટલે તેઓ હસીને કહેવા લાગી, “શું મિત્ર હિત કરનાર જ હોય કે બીજું કંઈ અપ્રિય પણ કરે?” મેં કહ્યું, “પોતાના જીવિત વડે પણ મિત્ર તે પ્રિય કરે.” એટલે તેઓ મને માથેથી પકડીને બોલી, “જો તમે સ્વામિનીના મિત્ર છે તે સ્વામિનીને માથું આપે.” મેં કહ્યું “લઈ લે.” એટલે તેઓ બેલી, “આ વરદાન હમણાં તમારી પાસે રહેવા દે, કામ પડતાં લઈશું ” હવે ફરી કોઈ એક વાર હું કન્યા-પ્રિયંગુસુંદરી પાસે ગયે હતો. તેના હાથમાં 1, અતઃપુરની દેખરેખ રાખનાર અધિકારીઓ-કંચુકીઓ હાથમાં વેવલતાનેતર છે રાખતા. Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુરુન્દરી લંક [ ૩૮૧ ] હાર જઈને હું બોલ્યા, “અહો સ્વામિનિ ! હારની કેવી શોભા છે!” તેણે મને કહ્યું, “લઈ લે. ” હું બોલ્યો, “મારે નથી જોઈત.કૌમુદિકાએ મને કહ્યું, “નથી શું જોઈતો?” એટલે હું બે , “ભલે, સાચવીશ.” તે બોલી, “કંઈક જૂઠી વાત છે.” કંઈક બનાવટ છે” એમ વિચાર કરીને હું નીકળ્યો. પછી મધ્યાહ્નકાળે ઘેર આવ્યો, ત્યારે રુદન કરતી મારી માતાએ મને કહ્યું, “તેં મારો વિનાશ કર્યો. ” મેં કહ્યું, “શું કારણ છે?એટલે માતા બોલી, “આ કોમુદિકા અહીં હાર ફેંકી દઈને કેમ ગઈ?.” “હા! કષ્ટની વાત છે! મારે નાશ થયો !” એમ બોલતો હું કન્યાની પાસે ગ. કન્યાને પગે પડ્યા પછી ઊઠીને મેં આ વચનથી વિનંતી કરી કે, “સ્વામિનિ ! પ્રસન્ન થાઓ; હાર અહીં મંગાવી લે, તેથી મને જીવિતદાન આપ્યું ગણાશે.” એટલે કન્યા બોલી, “ડરીશ નહીં, મારે હાર તારે ઘરે ભલે રહ્યો. ” હવે, એક વાર કિન્નરી (નામે સ્ત્રી) મારી પાસે આવીને આક્રોશ કરવા લાગી, ગાળો દેવા લાગી અને કંઈક પરિહાસ પણ કરવા લાગી. હું ગુસ્સે થઈને મારવા દોડયો, ત્યારે તે ઘરમાં પેસી ગઈ. હું પણ તેની પાછળ ગયે. તેણે મને કહ્યું, “આ સ્થાન કર્યું છે તે પહેલાં જાણી લેજે, પછી મને સ્પર્શ કરજે.” એટલે હું ભયથી અટકી ગયો. એટલામાં કન્યાને પ્રિયંગુસુન્દરીને) સહસા મેં મારે પગે પડતી જોઈ. તે મને કહેવા લાગી, “તમારી કૃપાથી હું જીવન ઈચ્છું છું.” એટલે મેં ખડ્ઝ ખેંગ્યું. તે બોલી, “હું તો જીવતી પણ મરેલી જ છું.” પછી મેં તેનો ચેટ પકડીને ઊંચી કરી. તે બોલી, “મારું માથું કાપી નાખો.” એટલે દુઃખ અને ભયથી જેનું હૃદય છવાઈ ગયું છે એવો હું વિચારમાં પડી ગયો, અને તે વખતે કૌમુદિકાનાં વચને મારા હૃદયમાં અથડાવા લાગ્યાં. દાસીઓ મને કહેવા લાગી, “દેવીની વિજ્ઞપ્તિ સાંભળો. તમે પૂર્વે જે કહ્યું હતું કે-પિતાના જીવવડે પણ મિત્ર પ્રિય કરે છે, તેનો સમય આવી પહોંચે છે. સ્વામિની જે કહે છે તે કરે, અથવા તમારે મરવું પડશે. તમને જેમ યોગ્ય લાગે તેમ કરીને તે આર્યપુત્રને (વસુદેવને ) અહીં લા. જે તે (વસુદેવ ) નથી, તે તે (પ્રિયસુંદરી ) પણ નથી, અને તે તમે પણ નથી.” પછી “ભલે” એમ કહીને તે પ્રિયંગુસુન્દરીને માટે હું તમારી પાસે આવ્યો છું. માટે હે સ્વામી! તમારા પ્રતાપથી દેવીનું તેમજ મારું જીવન ટકી શકે એમ છે. ” (ગંગરક્ષિતે આ પ્રમાણે કહ્યું, એટલે હું બે, “વિચાર કરીશ.” તેણે પણ કહ્યું, “ભલે, એમ થાઓ.” પછી તે મારી પાસેથી જલદીથી નીકળે. હું પણ વિચાર ૧. આ તથા પછીની કંડિકાનો પાઠ મૂળમાં અશુદ્ધ અને ભ્રષ્ટ છે, વાકાને બંધ પણ શિથિલ છે. આથી અર્થ અસ્પષ્ટ રહે છે અને પૂર્વાપર સંબંધ બેસતું નથી. મૂળ ગ્રન્થને કેટલાક ભાગ અહીં ખંડિત થયા હોય એ અસંભવિત નથી, Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૨ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ અંક : કરવા લાગ્યું, “શું કરવું? આ વસ્તુ મારા કુળને અનુચિત છે, તેમાં અધર્મ, અપયશ, અપકીર્તિ અને જીવનું જોખમ છે સર્વ કારણેથી જોતાં પંડિતજનને માટે પરસ્ત્રીગમન ગ્ય નથી, તે પછી રાજકન્યા સાથે સમાગમ તે સુખદ કેવી રીતે હોઈ શકે ?” તે જ દિવસે બહુરૂપ નામનો ઘણા પરિવારવાળે નટ પુરુહૂત અને વાસવનું જેમાં નાટક કરવામાં આવ્યું હતું અને પરસ્ત્રીના સંગથી દૂર રહેવાને જેમાં ઉપદેશ કરવામાં આવ્યો હતે એવું નાટક અમારા ગૃહાંગણમાં જ ભજવતો હતો. તે નાટકનો અર્થ આ પ્રમાણે હતે.– પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દષ્ટાન્ત વૈતાદ્યની દક્ષિણ એણિમાં રત્નસંચયપુરીમાં ઇન્દ્રકેતુ નામે વિદ્યાધરરાજા હતે. તેના પુરુહૂત અને વાસવ નામના બે પુત્રો મોટા વિદ્યાધર હતા. વિકુલા રાવણ ઉપર બેસીને ગગનમાર્ગે આખાયે ભારતવર્ષમાં ફરતો વાસવ ગૌતમ ઋષિને રમણીય આશ્રમ જોઈને ઝટ કરતા તેમાં ઊતર્યો. ગોતમ તાપસનું નામ પૂર્વે કાશ્યપ હતું અને તે તાપસીનો અધિપતિ હતો. પછી એકવાર તે ગાયન હેમ કરવા લાગ્યો. આથી રૂઠેલા તાપસોએ તેને અંધકૃપમાં નાખે. કાન્દપિક નામનો દેવ તેનો પૂર્વકાળને મિત્ર હતા, તેણે આ જાણ્યું. કૂવા આગળ આવીને, વૃષભનું રૂપ ધારણ કરીને તેણે પિતાનું પૂછડું અંધકૂપમાં લટકાવ્યું. ગૌતમ પુંછડે વળગ્યે, એટલે તેને બહાર કાઢ્યો. આથી “અંધગૌતમ” એવું તેનું નામ પડયું. દેવે તેને કહ્યું, “દેવો અમેઘદશી હોય છે, તારી ઈચ્છા હોય તે વરદાન માગ, તે હું તને આપું.” તેણે કહ્યું, “ વિષ્ટાશ્રવ તાપસની ભાર્યા મેનકાની પુત્રી અહલયા મને અપાવો.” દેવે તે કન્યા તેને અપાવી પછી તે તાપસે તે આશ્રમપદમાંથી નીકળીને અયોધન રાજાના દેશના સીમાડા ઉપર રમણીય અટવીમાં આશ્રમ કર્યો. અયોધન રાજા પણ દેવની આજ્ઞાથી કેથળાઓમાં ડાંગર ભરી લાવીને ગૌતમ ઋષિને આપતો હતો. પછી ગૌતમ ઋષિની ગેરહાજરીમાં સ્ત્રીલેલુપ તે વાસવે ગતમઋષિની ભાર્યા અને વિષ્ણાશ્રવ તથા મેનકાની પુત્રી અહલ્યાને જોઈને તેની સાથે સંસર્ગ કર્યો. પુષ્પ, ફળ અને સમિધને માટે ગયેલ ગૌતમ પાછો આવ્યો. તેને જોઈને ડરેલા વાસ બળદનું રૂપ ધારણ કર્યું. ગતમ ઋષિએ તેને જે અને પરસ્ત્રીગમનના દેષથી તેને મારી નાખે.” આ સાંભળીને મારો ધર્મસંવેગ દ્વિગુણિત થયે. (પણ પછી ) મેં વિચાર્યું, “આ બાબતમાં એક ક્ષણનું પણ અતિક્રમણ કરવામાં મારે માટે શ્રેય નથી. આવતી કાલે જઈશ.” હવે, અર્ધ રાત્રિની વેળાએ દુઃખથી ભરેલા અવાજવાળો શબ્દ સાંભળીને હું જાગે, અને જાગીને મેં એક દેવીને જોઈ. તેણે મને આંગળીના ઇશારાથી બોલાવ્યો, અને હું પણ તેની પાસે ગયે. પછી તે મને અશોકવનિકામાં લઈ જઈને આ પ્રમાણે કહેવા લાગી, “પુત્ર ! સાંભળ– Page #438 -------------------------------------------------------------------------- ________________ - ૧ પ્રિયંગુસુંદરી લંક [ ૩૮૩] કામ પતાકાને સંબંધ ચંદનપુર નગરમાં અમોઘરિપુ નામે રાજા હતા, તેની ચારુમતી નામે દેવી હતી અને ચારચંદ્ર કુમાર હતે. વસુમિત્રને પુત્ર સુષેણ તેને અમાત્ય હતું. રાજાનાં સર્વ કાર્યોને તેઓ (વસુમિત્ર અને સુષેણ) સંભાળતા હતા. ત્યાં અનંગસેના નામે ગણિકા હતી, તેની પુત્રી કામ પતાકા નામે કન્યા હતી. દુર્મુખ નામે દાસ હતું, તેને રાજાએ દાસીએની વ્યવસ્થામાં નિયુક્ત કર્યો હતો. રૂપમાં, જ્ઞાનમાં અને બુદ્ધિમાં ચંદનપુરમાં તે કામપતાકા જેવી કન્યા બીજી કોઈ નહતી. એક વાર રાજભવનમાંથી બહાર નીકળતી કામ પતાકાને જોઈને દુર્મુખે કહ્યું, “મારી સાથે રહીશ?” પછી તેને નહીં ઈચ્છતી એવી કામ પતાકાને ક્રોધ પામેલા દુર્મુખે હાથથી પકડી ત્યારે તે બેલી, “જે જિનશાસન મને રુચેલું હોય, તે આ સત્ય વચનવડે આ દુર્મુખના મુખમાંથી હું મુકાઉં. ” તેણે એમ કહ્યું, એટલે દેવતાના પ્રભાવથી મેં વિફરીને એ ફાટેલા દાસને એકાન્તમાં પૂર્યો. કામ પતાકા પણ પિતાના ભવનમાં ગઈ. દુર્મુખ દાસ તેના ઉપર ગુસ્સે થયે. હવે, એક વાર વાસવ, શાંડિલ્ય, ઉદકબિંદુ આદિ તાપસોએ પુષ્પ-ફળ વગેરે લાવીને રાજાને ભેટ ધરી, અને પછી તેઓએ નિવેદન કર્યું કે, “અમારા આશ્રમમાં યજ્ઞ છે, માટે તેનું રક્ષણ કરવાને તમે યેગ્ય છે.” પછી વસુમિત્ર અને સુષેણ અમાત્ય સાથે મંત્રણ કરીને રાજાએ ચારુચંદ્ર કુમારને કહ્યું, “તું તાપસના આશ્રમમાં જા; ત્યાં યજ્ઞનું રક્ષણ કરજે.” પછી ઘણું વાહન અને સૈન્ય સાથે તથા ઘણુ મનુષ્યો સહિત તે કુમાર આશ્રમમાં પહોંચે. તે યજ્ઞ થયો તે વખતે ચિત્રસેના, કલિંગસેના, અનંગસેના અને કામ પતાકા (ગણિકાઓ) એક બીજાની ચડસાચડસીમાં પ્રેક્ષાઓ આપતી હતી-નૃત્યાદિ કરતી હતી. દુર્મુખ દાસે કામ પતાકાને વારો જાણીને સૂચિનાટ્ય (સાય ઉપર નૃત્ય)ની આજ્ઞા કરી. પછી તે સોયો વિષવાળી કરીને કામ પતાકાના નૃત્યસ્થાન ઉપર તેણે રાખી. તે જાણીને કામ પતાકાએ માનતા કરી કે, “જે આ પ્રેક્ષામાંથી હું પાર ઊતરીશ તો જિનવરેન અષ્ટાહિક મહામહોત્સવ કરાવીશ.” પછી ચોથ ભક્ત કરીને તે પ્રેક્ષામાંથી પાર ઊતરી. વિષયુક્ત તે સોયે દેવતાએ હરી લીધી. નૃત્યથી સંતુષ્ટ થયેલા ચારુચન્દ્ર કુમારે ત્યાં કડાં, બાજુબંધ આદિ સર્વ આભરણે તથા છત્ર-ચામરો પણ કામ પતાકાને આપી દીધાં. પછી લોકો પાછા વળ્યા, એટલે આભરણ વગરના રૂપવાળા કુમાર પણ આવ્યા. આભરણુ અને મુગટ વગરને તેને જોઈને રાજા વિચાર કરવા લાગ્યો, “આ કુમાર નિસ્તેજ શરીરવાળો અને ચિન્તામગ્ન કેમ દેખાય છે?” કુમારનાં પરિજનોને રાજાએ પૂછ્યું, “કુમારે આમરણ કોને આપ્યાં ?” તેઓએ કહ્યું, “આભરણે અને છત્ર-ચામર કામ પતાકાને આપ્યાં છે. ” Page #439 -------------------------------------------------------------------------- ________________ * [ ૩૮૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : (આ તરફ) કામ પતાકા સર્વ પ્રયત્નથી જિનેશ્વરનો મહિમા કરવા લાગી. ચારચન્દ્રકુમાર પણ માત્ર ભ્રમરનું સ્પંદન કરતા હત–માત્ર ભ્રમર હલાવી શકતો હતો. નાન, ગંધમાલ્ય કે ભેજન અને આસનશયનને તે ઇચ્છતો ન હતો. તે માતાને માત્ર એટલું કહેતું હતું કે, “જિનવરને મહિમા કરો.” પછી દેવીએ “ભલે” એમ કહ્યું. તે સાંભળીને રાજાએ દેવીને કહ્યું, “ ચારુચ કાશ્યપકુલને વૃદ્ધિ પમાડે છે.” દેવીએ કહ્યું, “અનંગસેના વડે.” તે અનંગસેના રાજાની પાસે જ હતી. એટલે રાજાએ અનંગસેનાને પૂછયું, “અનંગસેને! શું કામ પતાકા શ્રાવિકા છે?” એટલે અનંગસેનાએ કહ્યું, “સ્વામી ! આ બાબતમાં જે સત્ય હકીકત છે તે સાંભળો– સ્વામિદરને વૃત્તાન્ત હે સ્વામી ! અહીં વર્ષાકાળમાં ચંદનપુરને વતની સ્વામિદત્ત નામનો પરદેશી વાણિયે આવ્યા હતા. તે અરિહંતના શાસનમાં રત હતો. કામ પતાકાને તે ચેલે હતો અને તેના હૃદયમાં રમતો હતો. કામ પતાકાએ મને તે કહ્યું. “કામ પતાકા કન્યા તેને આપું” એમ વિચારીને હું પણ તેને ઘેર લાવી, પણ તેણે કામ પતાકાને ઈચ્છી નહીં. પછી તેના પગ જોઈને શયન-આસન આપી સત્કાર કરીએ” એમ અમે ધાર્યું, પણ “મારે પૌષધ છે.” એમ કહીને તેને માટે કરેલી વસ્તુને પણ તેણે ઈચ્છી નહીં. પછી અમે તેને ધર્મ પૂક્યો, એટલે તેણે અમને સાધુધર્મ અને શ્રાવકધર્મ કદા. વળી તે કહેવા લાગે અણુવ્રતેના ગુણદોષ વારાણસી નગરીમાં અરહદાસ નામે શ્રાવક સાર્થવાહ હતું, તેની પત્ની જિનદાસી હતીતેમને પુત્ર હું સ્વામિદત્ત નામે છું. મારી પત્ની મુનિદત્તા છે. મેં સ્વદારસન્તોષનું વત ગ્રહણ કર્યું છે, તે વ્રતનો ત્યાગ કરીને હું બીજી કોઈ સ્ત્રીની સાથે વસતા નથી.” તે સ્વામિદર અમને અણુવ્રતાના ગુણ-દેષ (અણુવ્રતના પાલનના ગુણ અને ભંગના દોષ) આ પ્રમાણે કહેવા લાગ્યા.– પહેલા વ્રતના ગુણ-દેષ વિષે મમ્મણ અને યમપાશનું દષ્ટાન્ત વારાણસી નગરીમાં જ દુર્મર્ષણ નામે રાજા હતું, તેની સુમંજરી દેવી હતી. ત્યાં યમદંડ નામે ચેર પકડનાર આરક્ષક હતો. ત્યાં યમપાશ નામે ચાંડાલ વસતા હતા. નલદામ નામે વાણિયે હતું, અને તેને પુત્ર મમ્મણ હતું, રાજાએ જેને અભય આપ્યું હતું એવી ચમરી ગાય તે બન્નેએ જોઈ. મમ્મણે પિતાને કહ્યું, “આને મારો” પિતાએ ૧. માત્ર ભ્રમરનું સ્પન્દન કરતે કુમાર બોલે છે, માટે કાશ્યપકુળ તેનાથી વૃદ્ધિ પામશે. અર્થાત્ તે આવશે. ૨. કારણ કે અનંગસેના એ કામ પતાકાની માતા છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ - - * . - ક પ્રિયંગસુન્દરી સંભક [ ૩૮૫ ] તેને મારવાની ઈચ્છા કરી નહીં, એટલું જ નહીં પણ પુત્રને પણ વાર્યો કે, “મારીશ નહીં.” પણ પિતાનું ધ્યાન નહોતું ત્યારે પુત્રે તે ચમરી ગાયને મારી. પિતાએ આ જોયું. પછી ચેરશાહ યમદંડ મમ્મણને પકડીને રાજા પાસે લઈ ગયો. રાજાએ પૂછતાં તે મૂગો જ રહ્યો. યમદંડે તેના પિતાને સાક્ષી તરીકે જણાવ્યું. રાજાએ તેને બોલાવ્યા. પૂછવામાં આવતાં તેણે કહ્યું, “સ્વામી! મારા પુત્રે અપરાધ કર્યો છે.” રાજાએ યમપાશ ચાંડાલને બોલાવીને કહ્યું, “મમ્મણને માર.” ત્યારે ચાંડાલે કહ્યું, “સાંભળે, સ્વામી! હસ્તિશીષ નગરમાં દમદત્ત નામે વાણિયે હતે. એકવાર તેણે અનંતનાથ જિનેશ્વરની પાસે દીક્ષા લીધી, અને તેમના પ્રભાવથી સર્વોષધિ સંપન્ન થયે. અહીં આવીને તે સ્મશાનની પાસે પ્રતિમામાં રહો. જેને કંઈક બિમારી થઈ હતી એ મારો પુત્ર અતિમુક્તક તે સાધુના ચરણ સમીપે ગયો, અને તે નીરોગી થયો. તેણે મને કહ્યું. ઉપસર્ગ. વાળે એ હું પણ પરિવાર સહિત તેમની પાસે ગયે. ઉપસર્ગથી મુક્ત થયેલા એવા મેં શ્રાવકધર્મ અને અણુવ્રતો ગ્રહણ કર્યા. તેથી, હે સ્વામી! હું ને મારતો નથી. જે કદી સ્વામી મારું માથું કાપી નાખે, તે પણ નહીં મારું.” પછી રાજાએ તેને સત્કાર કરીને વિદાય આપી, નલદામને પણ તેવી જ રીતે વિદાય આપી; બીજા ચાંડાલે મમ્મણને વધ કર્યો. હિંસા નહીં કરતા અને હિંસા કરતા મનુષ્યના આ ગુણ-દેષ છે. બીજા વ્રતના ગુણદોષ વિષે ધારણ અને રેવતિનું દષ્ટાન્ત હવે અસત્યભાષણના દે–પિતનપુર નગરમાં ધારણ અને રેવતિ એ બે વણિક મિત્રે રહેતા હતા. એક વાર ધારણે રેવતિના હાથથી એક લાખનો માલ ભર્યો, એકે બીજાને લાખ આપવા એમ નકકી થયું. તે માલથી વેપાર કરતા ધારણ ઈશ્વર-ખૂબ સમૃદ્ધ થયે. રેવતિએ તે ધન માગ્યું. ધારણ નામકર થયે. રેવતિએ રાજાને જણાવ્યું કે, “મારે સાક્ષી નથી.” કારકિએ રાજાની આગળ તુલા ઉભી કરી અને કહ્યું, “જે ધારણ દેવાદાર હોય તે તુલા પડે-નમો.” એટલે તે પડી-નમી. વળી કહ્યું, “રેવતિ દેવાદાર ન હોય તો તુલા પડશે નમશે નહીં. ” એટલે તુલા પડી–નમી નહીં. રાજાએ વતિને લાખ ધન અપાવ્યું, અને “આ તો અસત્યભાષી છે” એમ કરીને ધારણની જીવ કપાવી નાખી. અસત્યભાષણના આ દોષે અને ગુણ છે. ૧. જેના શરીરની કોઈ પણ વસ્તુ ઔષધનું કામ કરે એવી લબ્ધિ. ૨. જેમના ઉપર ગુન્હો કર્યાની શંકા હોય એવા મનુષ્યની પરીક્ષા પ્રાચીન કાળમાં અગ્નિદિવ્ય, જલદિવ્ય વગેરેથી કરવામાં આવતી. અહીં પણ તુલાથી એવી પરીક્ષા કરવાની વાત છે. સામા પલ્લામાં કંઈપણુ વજન મૂકયા સિવાય માણસને તુલામાં બેસાડવામાં આવે, અને તુલા જે નમે તે તે ગુનેગાર અને નમે નહીં તે તે ગુનેગાર નહીં–એ રીતે નિર્ણય હોવાની માન્યતા હશે, એમ ઉપરના ઉલેખ ઉપરથી જણાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : : ત્રીજા વતના દોષ વિષે મેરનું અને ગુણ વિષે જિનદાસનું દષ્ટાન્ત મગધા જનપદમાં વડુક ગામમાં અરહદત્તને પુત્ર મેરુ નામે ગામને મુખી રહે હતું. ત્યાં ઉગ્રસેન નામે બીજે કણબી રહેતું હતું. રાતે પાણી પડે ત્યારે ક્યારાઓને પાળ બાંધી, કયારાએ પાણીથી ભરીને, પાણ કેટલું આવ્યું તેની તપાસ ઉગ્રસેન કરતે હોય ત્યારે મેરુ મુખી તેના કયારાઓની પાળ ભાંગીને પિતાના કયારા ભરી લેતો હતે. આ જોઈને ઉગ્રસેને રાજાને ફરિયાદ કરી. તેણે પોતાના સાક્ષી તરીકે મેરુના પિતાને બતાવ્યું. પૂછવામાં આવતાં, મેના પિતાએ જે બન્યું હતું તે કહ્યું. રાજાએ સત્યવાદી એવા અરહદત્તને સત્કાર કર્યો, મુખીને શૂળીએ ચઢાવ્ય અને ઉગ્રસેનને મુખીનું ખેતર આપ્યું. અથવા અદત્તાદાનના વિષયમાં આ બીજું પ્રશસ્ત ઉદાહરણ–વસન્તપુર નગર, ત્યાં જિતશત્રુ રાજ અને જિનદાસ શ્રાવક હતો. એક વાર સવારમાં નીકળેલો જિતશત્રુ રાજા ઘોડે ખેલાવતો હતો. ત્યાં એનું કુંડળ પડી ગયું. માણસોને તેણે આજ્ઞા કરી, “મારું કુંડળ કોણે લીધું છે તેની તપાસ કરો” તે પ્રદેશમાં થઈને જતો જિનદાસ કુંડળ પડેલું જેઈને પાછો વળે. માણસોએ વિચાર્યું, “આ પાછો કેમ વળે?” પછી તે માણસો તે પ્રદેશમાં ગયા, તે તેમણે કુંડળ જોયું. તે લઈને તેમણે રાજા પાસે રજૂ કર્યું. રાજાએ પૂછયું, “ક્યાંથી મળ્યું ?” તેઓ બેલ્યા, “જિનદાસ પાસેથી.” પછી તેઓ ગયા. કુદ્ધ થયેલે રાજા બોલવા લાગ્યું, “જિનદાસ ઢેગી શ્રાવક છે.” પછી જિનદાસને બેલાવીને તલવારથી તેનું માથું છેદવાની રાજાએ આજ્ઞા કરી, પણ તે તલવાર ફૂલની માળા થઈ ગઈ. એટલે રાજાએ ફરી કહ્યું, “એને દોરડાથી ફાંસી આપે.” પણ એ દોરડું રત્નમાલા થઈ ગયું. એટલે “આ અપરાધી નથી ” એમ વિચારીને રાજાએ માણસોને બોલાવ્યા. બોલાવીને તેમને પૂછયું, “કુંડળ જિનદાસ પાસેથી મળ્યું એમ તમે શા ઉપરથી કહો છો?” તેમણે જે બન્યું હતું તે કહ્યું. રાજાએ જિનદાસને સત્કાર કરીને તેને વિદાય આપી. ચેથા વ્રતના દેશ વિષે કરાલપિંગનું અને ગુણ વિષે જિનપાલિતનું દૃષ્ટાન્ત ચોથા વ્રત વિષે-વસન્તપુર નગર હતું, ત્યાં નલપુત્ર રાજા હતો. કારલિપિંગ તેને પુરોહિત હતા. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ “હું વરદાન આપું છું” એમ તેને કહ્યું. પુરોહિતે કહ્યું, “જે રૂપાળી સ્ત્રીને હું જોઉં તેને લઉં.” રાજાએ કહ્યું, “જે સ્ત્રી તારી ઈચ્છા કરે તેને તું લેજે. નહીં ઈચ્છા કરતી સ્ત્રીને તું ગ્રહણ કરીશ અથવા તેની પ્રાર્થનામાગણી કરીશ તે વ્યભિચારીની જે સજા છે તે હું તને કરીશ.” ત્યાં પુષ્યદેવ નામે વાણિયે તે પુરોહિતને મિત્ર હતો, તેની પદ્મશ્રી પત્ની હતી અને વિદ્યુલતિકા દાસી હતી. તે વિદ્યુલતિકાને પુરોહિતે કહ્યું, “પદ્મશ્રી મને ઈ છે તેમ તું કર.” તેણે પદ્મશ્રીને કહ્યું. પદ્મશ્રીએ પોતે પુરોહિતને કહ્યું, “તમારા મિત્રને ખબર પડશે.” પુરોહિત બોલે, “તે નહીં જાણે તેમ કરીશ.” પુરોહિતનું આ ચરિત્ર પદ્મશ્રીએ પુષ્યદેવને કહ્યું. પછી Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી સંભક [ ૩૮૭ ] w પુરોહિતે રાજાને (કોઈ એષધિ અથવા મન્નથી) મસ્તકવેદના પેદા કરી. રાજાએ પુરેહિતને બોલાવ્યું કે, “મને સાજો કર.” તેણે રાજાને સાજો કર્યો. પછી પુરોહિતે રાજાને કહ્યું, “આ પુષ્યમિત્ર કિજંપી દ્વીપમાં કિંજપી પક્ષીઓ લાવવા માટે ભલે જાય તે પક્ષીઓ સુન્દર રૂપવાળાં હોય છે અને મધુર બોલે છે.” રાજાએ પુષ્યમિત્રને બેલાવીને કહ્યું, “કિજંપી પક્ષીઓ લાવવા માટે કિજંપી દ્વીપમાં જા.” તેણે હા પાડી. પુરોહિતનું ચરિત્ર પણ તેણે જાણ્યું હતું. પોતાના ઘરમાં તેણે ભેંયરું દાવ્યું. વિશ્વાસપાત્ર માણસેને ત્યાં રાખ્યા અને કહ્યું, “પુહિતને બાંધીને છાની રીતે મને ઍપજે અને તમે છાની રીતે નીકળી જજે.પુરોહિત (પિતાના ઘેરથી) નીકળે, દાસીએ તેને છાની રીતે લાવીને પલંગ ઉપર બેસાડ્યો, એટલે તે ભેંયરામાં પડ્યો. પેલા માણસોએ તેને બાંધીને પુષ્યમિત્રને સે. પુષ્યમિત્રે તેને છાની રીતે રાખે. પછી છ મહિને પાછો આવીને તે રાજાને કહેવા લાગ્યું, “મેં ઘણું કિંજપી પક્ષીઓ પકડ્યાં છે, પણ એક પક્ષી આયું છે, તે જુઓ.” તેણે તે પુરોહિતને મીણથી ખરડીને વિવિધ પ્રકારનાં પીંછાં વડે મંડિત કર્યો હતો. રાજાએ પૂછ્યું, “એ પક્ષી કેવું બેલે છે?” પુરોહિતને આર મારવામાં આવતાં તે બોલ્યો, “કિજં૫, કિંજપં” આ સાંભળીને રાજા પરમ આશ્ચર્ય પામ્યા. પણ દાંત હોવાથી તેને ઓળખે (કારણ પક્ષીને દાંત ન હોય). પીંછાંઓ વડે વીંટાયેલા પુરોહિતને તેણે જોયે. રાજાએ પુષ્યદેવને પૂછયું, “આ શું?” તેણે કહ્યું, “આ દુઃશીલ છે, તેને નહીં ઈચ્છતી સ્ત્રીને તે ગ્રહણ કરે છે અને જુએ છે.” પછી રાજાએ લેઢાની સ્ત્રી પ્રતિમા સાથે પુરોહિતને આલિંગન કરાવ્યું, એટલે તે મરણ પામ્યા. (મિથુનથી) નિવૃત્ત નહીં થવાના આ દે છે. હવે પ્રશસ્ત ઉદાહરણ–મથુરામાં અજિતસેન નામે રાજા હતો. તેની પટ્ટરાણું મિત્રવતી નામે હતી. એક વાર યવન રાજાએ અજિતસેન રાજાને એક સુન્દર, શુદ્ધ અને મેટું નૂપુર ભેટ તરીકે મોકલ્યું હતું. રાજાએ તે મિત્રવતીને આપ્યું. મિત્રવતીએ રાજાને કહ્યું, “ સ્વામી ! બીજું આવું ઘડાવો.” રાજાએ સેનીઓના મહાજનને બોલાવ્યું. તેને નમૂને આપીને કહ્યું, “બીજું આવું ઘડે.” “આ પરમ નિપુણ છે” એમ કહીને મહાજને તે નૂપુર જિન પાલિત સોનીના પુત્રને આપ્યું. તેણે ભેંયરામાં ગુપ્ત રીતે નૂપુર ઘડયું અને ઘડીને રાજા પાસે લાવ્યું. રાજા તે જોઈને પરમ વિસ્મય પામે. તે સનીને જોઈને મદનનાં બાણવડે પ્રહાર પામેલી દેવી ઉન્મત્ત થઈ. રાજાએ આ રહસ્ય જાણુને દેવીને કહ્યું, “જિનપાલિત પાસે જા.” સર્વ અલંકારથી આભૂષિત થઈને તે જિનપાલિત પાસે ગઈ. એટલે તેણે કહ્યું, “હું તો નપુંસક છું.” આથી વૈરાગ્ય પામીને અને સ્વસ્થ થઈને તે પાછી આવી. રાજાએ જિનપાલિતને સત્કાર કર્યો. પછી રાજાએ મિત્રવતીને ત્યાગ કર્યો. પાંચમા વ્રતના ગુણ-દેણ વિષે ચારુનંદી અને ફશુનંદીનું દાન વસન્તપુરમાં જિતશત્રુ રાજા હતો. તેનાં બે ગેકુળ હતાં. તે બે ગોકુળમાં ચારુનંદી Page #443 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: અને ફશુનંદી નામે બે ગોવાળિયા હતા. જે ગાયો રૂપાળી તથા વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિ વડે કલ્યાણકારક, ભદ્ર, ખેડ વગરની અને સારાં આંચળવાળી (ખૂબ દૂધ આપનારી) હોય તેમને ચારુનંદી રાજાના આંકથી આંકતો હતે; અને જે ગાયે વિરૂપ તથા વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિમાં ખેડવાળી, મારકણું, ભૂખરી અને દૂધ નહીં આપનારી હોય તેમને પિતાના આંકથી આંકો હતો. જે ગાયો સુંદર તથા વર્ણ, રૂપ, આકાર અને આકૃતિમાં કલ્યાણકારક, ભદ્ર અને સારાં આંચળવાળી હોય તેમને ફશુનંદી પિતાના આંકથી અક્ત હતું, અને જે ગાયે વિરૂપ અને વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિમાં ખોડવાળી, ભૂખરી અને મારકણી હોય તેમને રાજાના આંકથી આંકતે હતે. એકવાર જિતશત્રુ રાજાએ ચારુનદીના ગોકુળમાં જઈને ચારુનદીને પૂછયું, “મારી કેટલી ગાયે છે?” રાજાના આંકથી અંકાયેલ અને તેના પિતાના આંકથી અંકાયેલ એવા ગાયના બનને વર્ગો જોઈને રાજા સતુષ્ટ થયે. પછી તે ફશુનંદીના ગોકુળમાં ગયે. ફગુનંદીએ પણે રાજાના અને પિતાના આંકથી અંકિત થયેલી ગાય તેને બતાવી. તે જોઈને ક્રોધ પામેલા રાજાએ તે ફશુનંદીને વધ કરાવ્યું, તે ગોકુળ ચારુનંદીને આપ્યું તથા તેને સત્કાર કર્યો.” સ્વામિદર પાસેથી આ ઉપદેશ સાંભળીને અમે બંને જણ બેધ પામ્યાં. તે સ્વામિદત્ત શ્રાવકની પાસે અમે પાંચ અણુવ્રતે ગ્રહણ કર્યા. કામ પતાકા અને હું તે ઉપદેશ સાંભળીને શ્રાવિકાઓ થઈ.” વળી અનંગસેનાએ દુર્મુખના દોષ પણ ત્યાં કા, જેમકે-તેણે કામ પતાકાને પકડી હતી તે દેષ, અને વિષવાળી સોય નૃત્યસ્થાનમાં રાખી હતી તે દેષ. પછી રાજાએ દુર્મુખના વધની આજ્ઞા કરી. ત્રષિદત્તા અને એણપુત્રને કથાસંબંધ પછી ઉદકબિન્દુ આદિ તાપસ બિવ આદિ ફળે લઈને શુનક છેદ ઉપાધ્યાયને નિમિત્તે ત્યાં આવ્યા. તેઓએ રાજા અમોઘરિપુને ફળોની ભેટ ધરી અને વિનંતી કરી કે, “દેવ! રંગમંડપમાં નૃત્ય કરતી કામ પતાકાને જોઈને સુનક છેદ ઉપાધ્યાય બીમાર થયો છે. માટે હે દેવ! ધર્મ ગણીને કામ પતાકા તેને આપે. જે નહીં આપો તો કામદેવનાં બા વડે પીડાયેલો તે પ્રાણત્યાગ કરશે.” રાજાએ કહ્યું, “કામ પતાકા તે કુમારને આપી છે; બીજી જે કોઈ ગણિકા તમને ગમતી હશે તે આપી શકાશે.” એટલે તેઓ બોલ્યા, “અમારે બીજીનું કામ નથી.” પછી રાજાએ તેમને નિષેધ કર્યો, અને “અહીં વિશ્રામ ” એમ કહીને તેમને ઉતારો આપે. પછી મોટી ધામધૂમથી યજ્ઞ થયો. દેવી આવી અને તે બિવ આદિ ફળો જોઈને રાજાને કહેવા લાગી, “હે સ્વામી! આ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુંદરી સંભક [ ૩૮૯ ] બિલવ આદિ ફળે મનહર, પ્રમાણયુક્ત અને સ્વાદિષ્ટ છે. એ કયાંથી આવ્યાં છે? અને કોણ તે લાવ્યું છે?” પછી તે રાજાએ તાપસ–ષિઓને બેલાવીને તે બિલવ આદિ ફળની ઉત્પત્તિ પૂછી. તેમાંથી જે ઉદકબિન્દુ નામે તાપસ હતે તેણે રાજાને હરિવંશની ઉત્પત્તિ કહી અને જણાવ્યું કે, “તેમનાં (હરિવર્ષમાંથી લાવવામાં આવેલાં) વૃક્ષોની પ્રસૂતિ તે આ ફળ છે.” પછી કામપ્રતાકા કન્યાની સાથે કુમારનું લગ્ન થયું. પછી દેવીએ રાજાને કહ્યું, “સ્વામી ! જ્યાં આ બિલ્વ આદિ ફળ હોય ત્યાં જઈએ.” પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યાએ વારવા છતાં દેવીના ખોટા આગ્રહને કારણે રાજા ચંપાનગરી ગયે, અને ત્યાંજ ઉદ્યાનમાં રહ્યો. ત્યાંજ ચંડકૌશિક નામે કુલપતિ હતે. દેવીએ અને રાજાના સૈન્ય પુષ્પ અને ફળને માટે તે આખું ઉદ્યાન લૂંટયું અને તેને વિનાશ કર્યો. આથી ક્રોધ પામેલા ચંડકૌશિકે રાજાને શાપ આપે કે, “દુરાચારી! તે મારું ઉદ્યાન લૂંટયું અને તેનો નાશ કર્યો છે, માટે મૈથુનકાળે તારા માથાના સો ટુકડા થઈ જશે અને તું મરણ પામીશ.” આ સાંભળીને ભય પામેલે રાજા ત્યાંથી નીકળીને નંદનવનમાં ગયે, અને રાજ્યનો ત્યાગ કરીને તેણે તાપસ તરીકેની દીક્ષા લીધી, અને દેવી તથા મંજુલા ધાત્રીની સાથે તપશ્ચર્યા કરવા લાગ્યા. પછી કોઈ એક વાર રાજાના વલ્કલ વસ્ત્રમાં શુક્રષદૂગલ આવ્યાં. દેવીએ તે વલ્કલ પહેર્યું. તે પુદ્ગલ તેની નિમાં પ્રવેશ્યાં. તે દેવીએ સમય જતાં પુત્રીને જન્મ આપ્યો. તેનું ઋષિદત્તા નામ પાડવામાં આવ્યું. દેવી, મંજુલા ધાત્રી અને રાજા વનનાં બિલવફળ વડે તેનું પાલન કરતા હતા. રાજા પ્રત્યેની અત્યંત આસક્તિપૂર્વક તે સ્ત્રી કાળધર્મ પામી. ઊછરેલ ઋષિદના યુવાવસ્થામાં આવી અને અતીવ રૂપથી સુરૂપ થઈ. કોઈ એક વાર શાન્તવેગ અને પ્રશાન્તવેગ નામના બે આકાશચારી અણગારો તે આશ્રમમાં આવ્યા. તેઓ તે આશ્રમમાં રાજાને અને બાલિકાને ધર્મ કહેવા લાગ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને ઋષિદત્તા શ્રાવિકા થઈ. જેના હાથમાં ઢાલ-તરવાર છે એવો પુરુષ તે આશ્રમમાં એકવાર આવ્યો. એની પાછળ સૈન્ય આવ્યું. તે રાજાને પગે પડ્યો. રાજાએ પૂછયું, “તું કોણ છે? અને ક્યાંથી આવે છે ?એટલે તે બોલ્યો, “હું શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ નામે છું, અને ચારુમતી દેવીને (અમેઘરિપુની પત્નીને) ભત્રીજો અને તમારે ભાણેજ છું.” તે સાંભળીને સતુષ્ટ થયેલા રાજાએ તેને સાષિદત્તા આપી. પછી તે ષિદત્તાની સાથે તેનું લગ્ન થયું. ૧. કથાસંબંધ અનુસાર, શતાયુધની બહેનનું લગ્ન અમેધરિપુ સાથે અને અમેધરિપુની બહેનનું લગ્ન શતાયુધ સાથે થયું હોવું જોઈએ. શિલાયુધ એ રીતે અમેધરિપુનો ભાણેજ અને તેની પત્ની ચામતીન ભાઈને છોકરા-ભત્રીજે થાય. મૂળમાં મરો શબ્દ છે, તેને ભત્રીજો અર્થ અનુમાનથી કર્યો છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ અન્યદા તે ઋષિદત્તાને ત્રાતુકાળમાં ગર્ભ રહ્યો. તે શિલાયુધ કુમાર પણ કેટલાક દિવસ પછી ગયે. ઋષિદનાનો ગર્ભ વધવા લાગે. વિષફળને આહાર કરવાથી મંજુલિકા મરણ પામી. ઋષિદત્તાએ પણ ગ્ય સમયે પુત્રને જન્મ આપે. પ્રસૂતિ થતાં વેંત જ સૂવારોગથી તે મરણ પામી. આથી તેને પિતા મૂચ્છ પામે. ડીવાર પછી ભાનમાં આવતાં બન્ને હથેળીઓ વડે કુમારને લઈ, ખોળામાં મૂકી કરુણ આકન્દ કરતે તે વિચાર કરવા લાગ્યા, “ આને હું કેવી રીતે જિવાડીશ? એમ કહી આંસુ સારતે એકાકી એવો તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પછી તે ઋષિદત્તા વ્યંતરી થઈ. તેણે મૃગીનું રૂપ કર્યું. તેની સાથે એક નાની મૃગલી હતી. બે કાળા કૂતરાઓની સાથે સમૂહમાં ભમતી તે મઠના આંગણામાં આવી. એક મૃગીએ છોકરાને લીધે, બીજી મઠમાં ગઈ પછી પિતાની જીભ વડે બાળકને ચાટતી તે તેના વદન આગળ સ્તન રાખીને ઊભી રહી. આ જોઈને રાજા શાનિત પામ્યો. આ પ્રમાણે એ મૃગી વારંવાર આવીને તે બાળકને દૂધ પાતી હતી. પછી તે બાળક મોટો થયે. એક વાર સમિધને માટે ગયેલા તેને સર્પ કરડ્યો અને જેને વિષ ચડયું છે એ તે મરવા લાગે. મૃગીએ આવીને તેને જીભથી ચાટ્યો, નિર્વિષ કર્યો અને જિવાડ્યો. હે પુત્ર! જે મૃગી તે હું પૂર્વે ત્રાષિદત્તા હતી. પછી મેં દિવ્ય દેવીરૂપ ધારણ કરીને તે સર્પની તર્જના કરી અને કહ્યું, “ચાંડાલ ચંડકૌશિક ! હજી પણ ક્રોધ ત્યજતો નથી?” એ પ્રમાણે ત્યાં જેને પૂર્વવૈર સ્મરણ કરાવવામાં આવ્યું છે એવો તે સર્પ તે રમ્ય આશ્રમપદમાં અનશન કરીને પોતાની જાતને ખપાવીને થોડા સમયમાં કાળધર્મ પામ્યો. પછી મેગિરિના નંદનવનમાં બલકૂટ ઉપર બેલ નામના દેવ તરીકે તે આવ્યા. આ તરફ શ્રાવસ્તી નગરીમાં શતાયુધ રાજા કાળધર્મ પામે. શિલાયુધ રાજા થયે. તે રાજાને મરણ પામેલે જાણીને સર્વે સામંત રાજાઓ સામે થયા. તે શિલાયુધ સંન્ય અને વાહન સહિત નીકળી તે સર્વેને પરાજય કર્યો અને તેમને નમાવ્યા. પછી ફરી શ્રાવસ્તીમાં આવીને તે અદ્યાનમાં રહ્યો. પછી હું ઋષિદત્તા તાપસીનું રૂપ ધારણ કરીને અરણ્યનાં પુષ્પ-ફળ લઈને રાજાના અગ્રદ્વાર આગળ ઊભી રહી. પછી દ્વારપાળોએ રાજાને નિવેદન કર્યું કે, “તાપસી દ્વાર ઉપર ઊભી છે. ” રાજાએ કહ્યું, “તે ભલે અંદર આવે.” પછી ઘણા જનવડે સંકુલ એવા રાજાના સભામંડપમાં તે તાપસી પુત્રની સાથે પ્રવેશી. સર્વ વર્ણો અને સાધુઓના હિતમાં રત એવા રાજાને તેણે જે. પછી અરણ્યનાં પુષ્પ-ફળો વડે રાજાનું અભિનંદન કરીને તે તાપસીએ કહ્યું, “રાજન ! આ તારો પુત્ર છે, તારા જ ગાત્રમાંથી ઉદ્દભવે છે, તેનો પુત્ર તરીકે સ્વીકાર કર.” એટલે રાજાએ કહ્યું, “કેમાં એમ સંભળાય છે કે જે કોઈ આશ્રમમાં રહે છે તે સર્વે સત્યવાદીઓ હોય છે, પણ તું તે તાપસી હોવા છતાં મિથ્યા બોલે છે. અપુત્ર એવા મને પુત્ર કયાંથી?” Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી લ‘ભક [ ૩૯૧ ] એટલે તાપસીએ કહ્યું, “ દર્પણુના મંડળમાંથી જેમ ખિખમાંથી પ્રતિષિ`બ થાય છે તેવી રીતે તારી પાસે આવેલા તારા પેાતાના પુત્રને પુત્ર તરીકે તું ઓળખતા નથી ? ” એટલે રાજા એણ્યેા, “ તાપસ ! જે પરાયા પુત્રને માટે ‘આ મારા પુત્ર છે ' એમ કહે છે તે પરસીગમનમાં જે દાષા રહેલા છે તે દેાષા વડે લેપાય છે. ” પછી તાપસીએ કહ્યું, “ કૂકડે કૂક ! તને પારકી સ્ત્રીનેા દોષ લાગી જાય છે! તારી પેાતાની સ્રીમાં ઉત્પન્ન થયેલે આ તારા જ પુત્ર છે. '' એટલે રાજા ખેલ્યા, “ આ મારા પુત્ર કેવી રીતે ? કયારે જન્મ્યા ? સ્વદારમાં થયા કે પરદારમાં ? સત્ય કહે. ” રાજાએ આ પ્રમાણે કહ્યુ, એટલે તે તાપસી તે બાળકને રાજાની સમીપમાં મૂકીને ચાલી ગઇ. તે સમયે આકાશવાણી થઈ કે, “હું રાજાઓમાં સિંહ સમાન ! અમેાધરથના દોહિત્ર અને ઋષિદત્તાના પુત્ર આ તુજ છે ( અર્થાત્ આ તારાજ પુત્ર છે ). ” " 66 ,, પછી પરિજન સહિત રાજાએ આકાશવાણી સાંભળીને આ મારા પુત્ર થાય છે ' એમ કરી તે ખાળકને લઇને ખેાળામાં એસાડ્યા, માથુ સૂછ્યું અને દ.ડ-ભટ--ભાજિકાને કહ્યું કે, “ આ મારા પુત્ર છે, એનું સંરક્ષણ કરા. ” પછી તેણે પૂછ્યું, “ તાપસી ક્યાં ગઇ ? ” પુરુષાએ કહ્યુ, આ જાય. રાજા ઊઠીને તેની પાછળ દોડ્યા, અને તે આ રહી, આ રહી ' એમ કરતાં આશ્રમ સુધી ગયા. ત્યાં ઋષિદત્તા( વ્યંતરી )ને જોઈને સંતુષ્ટ અને શાન્ત થયા. પછી તે તાપસી દિવ્ય દેવરૂપ ધારણ કરીને, પ્રભા-સમ્રુદય વડે ઉદ્યોત કરતી, રાજાને અને પેાતાના પિતાને ધર્મ કહેવા લાગી. " એ સમયે ખલ નામે દેવ ત્યાં આવ્યા. તેણે દેવીને વંદન કરીને કહ્યુ, “હું અહીં ચડકોશિક સર્પ હતા. હે ભગવંત ! તમારા ગુણવડે કરીને મેં દેવત્વ પ્રાપ્ત કર્યું. ” એમ કહીને ફરીવાર વંદન કરી તે પાળે ગયા. અમેાધરથ રાજા વગેરે ખીજાએ પણ ધર્મ ને પામ્યા. ધર્મ પરાયણ એવા તેમને અષ્ટાપદ પર્યંત ઉપર લઇ જઈને દેવીએ શાન્તવેગ તથા પ્રશાન્તવેગ અણુગારોને શિષ્ય તરીકે સાંપ્યા. પછી તેઓ સાધુ થયા. જે પેલા બાળક હતા તેજ આ એણીપુત્ર રાજા. સાગરભિન્નમાં વસતી, જવલનપ્રભ( નામના દેવ )ની ભાર્યા. હું નાગિની છું. ” એટલે મે તે દેવીને કહ્યું, “ દૈવિ ! તમારું ભવન સાગરભિન્ન શાથી કહેવાય છે ? કયારે અને કેણે તે ભેવું હતું ? ” તે એલી, “ હે પુત્ર! તું ધ્યાન રાખીને સાંભળ; હું તને સર્વ કહીશ— સગરના પુત્રાએ અષ્ટાપદમાં ખાઈ ખેદવી-તેમનુ દહન સાકેત નગરમાં ઇક્ષ્વાકુ વશમાં જન્મેલા એ ભાઈએ જિતશત્રુ અને સુમિત્ર એ ૧. આ પૂર્વે રાજાનુ નામ સત્ર અમેરિપુ આપેલુ‘ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : રાજાએ હતા. તેમની બન્નેની એ ભાર્યાઓ હતી—વિજયા અને વૈજય'તી. તે બન્નેએ આ પ્રમાણે ચાદ મહાસ્વપ્ના જોયાં. તે જેમકે ગજ, વૃષભ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસર, સાગર, વિમાન અને ભવન, રત્નાના સમૂહ અને અગ્નિ. તે રાજાએએ સ્વપ્નપાઠકાને એ સ્વપ્ના કહ્યાં. તેઓએ એ સ્વપ્ને સમજાવ્યાં કે, “ પુત્રમાંથી એક તીર્થંકર થશે, બીજો ચક્રવતી થશે. ” કાળે કરીને તે સ્ત્રીઓને પ્રસૂતિ થઇ. ખાર દિવસ થતાં જિતશત્રુએ પુત્રનું નામ અજિત પાડયું, અને સુમિત્ર સગર પાડ્યું. અનુક્રમે ઊછરેલા તેએ ચૈાવનમાં આવ્યા, અને તેમને ઉત્તમ રાજકન્યાઓનુ પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. અન્યદા જિતશત્રુ રાજાએ પેાતાના પુત્ર અજિતને રાજ્યગાદી ઉપર બેસાડ્યા, અને ભાઈના પુત્ર સગરને યુવરાજપદે સ્થાપિત કર્યાં. પછી જિતશત્રુ રાજા શ્રોઋષભદેવના તીર્થોમાં વિરાની પાસે સયમ સ્વીકારીને સિદ્ધિમાં ગયા. પછી અજિત રાજા પણ ઘણા કાળ સુધી રાજ્યનું પાલન કર્યા પછી તે રાજ્યના ત્યાગ કરીને તીર્થંકર થયા. સગર પણુ ચૌદ રત્ના અને નવ નિધિના અધિપતિ એવા ચક્રવતી થયા. તે સગરના જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રા હતા. હાર અને મુકુટને ધારણ કરનારા તે સર્વે પિતાની રજા માગી, ચક્રવતીનાં રત્ના અને નિધિઓને સાથે લઇને વસુધામાં વિચરવા લાગ્યા. સર્વ જનાને હિરણ્ય-સુવર્ણ આદિ સોંપત્તિ આપતા અને યશ તથા કીર્ત્તિ ઉપાર્જન કરતા તેઓ અષ્ટાપદ પર્યંત આગળ પહોંચ્યા. ત્યાં સિદ્ધોને વંદન કરીને જિનાયતન, સ્તૂપરચના આદિ તથા પ્રતિમા જોઇને તેએ અમાત્યને પૂછવા લાગ્યા, આ આયતન કાણે કરાવેલુ છે ? અને કયારે કરાવેલું છે ? એટલે અમાત્યે કહ્યું— અષ્ટાપદ તીર્થની ઉત્પત્તિ અને સિદ્ધ્ગડિકા 66 “ અહીં ઉત્તમ લક્ષણૢાથી યુક્ત ઋષભ નામે રાજા હતા, જેમણે પ્રજાઓને પૂર્વે વ્યવસ્થિત કરી હતી. જેમણે રાગને દમ્યા છે, કામભાગેાથી જે વિરક્ત થયા છે તથા કર્માને જેમણે ધમી નાખ્યાં છે એવા તે મહાત્મા ભગવાન ઉત્તમ શ્રામણ્ય પાળીને દશ હજાર અણુગારાની સાથે આ પર્વત ઉપર મેાક્ષમાં ગયેલા છે; તેમનુ આ આયતન અને સ્તૂપરચના છે. ભરત નામે તેમના પુત્ર પ્રથમ ચક્રવતી, ચાદ રત્ના અને નવ નિધિના અધિપતિ હતા. તેણે આ આયતન, પ્રતિમા અને સ્તૂપ કરાવેલાં છે. સમુકુટ કેવલજ્ઞાની ( જેમને ગૃહવાસમાં કેવલજ્ઞાન થયું હતુ) એવા તે ભગવાન ( ભરત ) શ્રામણ્ય સ્વીકારીને મેક્ષે ગયા. ભરતનાં જેવાંજ ગુણ, વિનય અને માહાત્મ્યથી ૧. અર્થાત્ એક રાણીએ સ્વપ્નમાં વિમાન જોયું અને બીજીએ ભવન જોયું. જે ઊલાકમાંથી આવે છે તેની માતા વિમાન જીએ છે અને અધેલામાંથી આવે છે તેની માતા ભવન જુએ છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી સંભક [ ૩૯૩ ] યુક્ત, પણ માત્ર રત્ન અને દેવતાઓથી રહિત એવો તેમને આદિત્યયશ નામે પુત્ર હતું, જેને સ્વયં ઈન્દ્ર રાજા તરીકે અભિષેક કર્યો હતો. તે આદિત્યયશે સકલ ભારતવર્ષને ભેળવીને દીક્ષા લીધી. તેને પુત્ર મહાયશ, તેને અતિબલ અને તેને બલભદ્ર, તેને બલવીર્ય, તેને કાર્તવીર્ય, તેને જલવીય અને તેનો દંડવીર્ય થયો. ઝષભસ્વામીને જે ઉત્તમ મહામુકુટ હતો તે તેઓએ મસ્તકથી ધારણ કર્યો, પરંતુ બીજાઓ તે મુકુટને ધારણ કરી શક્યા નહીં. પછી ભગવાન પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવની પરંપરામાં થયેલા તથા આયુષ્ય, ઉચ્ચત્વ અને પરાક્રમની બાબતમાં અનુક્રમે ઊતરતા એવા ચાર લાખ રાજાઓ (રાજ્ય) જોગવીને સિદ્ધિમાં ગયા સવ િથ દ ગાથા, પૂર્વ ઘારિયા ગાથા, તેજ મા૦િ ગાથા. એ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. સ્થાપના નીચે પ્રમાણે છે – ક ૦ હા સર્વાર્થ . ક્ષ | ૪૦ | ૨૦ | ૪૦ ૪૦ જ . સિ! ૪૦ ल० ૧૪ ૧૫ ૧૪] ૧ ૧૪૧ [૧૪] ૧ | ૧૪ : ૧ | ૧૪ [ ૧ ૧૪ ૧૪ ૨ | ૧૪ ૨ | ૧૪ ૨ | ૧૪ ૨ ૧૪ ૨ ૧૪ | ૨ | ૧૪| ૨ | ૧૪ ૨ ૧, પણ આ ગાથાઓને અર્થ કોઈ પણ પ્રતમાં જોવામાં આવતો નથી. ૨. આ ઠેકાણે મૂળ ગ્રંથમાં સિદ્ધગંડિકાના વિષયને લગતી સમિ ૨ ક્રો, gd gggરિણા, અને તેન પરં સાવઢિયાઆ પ્રમાણે ત્રણ પ્રાચીન ગાથાઓને આધાર ટાંકવામાં આવ્યો છે. મૂળમાં આખી ગાથાઓ ઉદ્દત કરેલી નથી, પણ માત્ર પ્રથમાક્ષર જ ટકેલા છે, તેથી ગાથાઓને પૂરે ભાવાર્થ સમજી શકાતો નથી. વળી આ ગાથાઓ ક્યા ગ્રંથની છે એ તપાસ કરવા છતાં તેમનું મૂળ સ્થળ જડી શક્યું નથી, તેમજ આ પછી પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં આ વિષયને લગતી જે માત્ર એક સ્થાપના આપવામાં આવી છે તેને અંગે પાછળની બધી પ્રતિઓમાં " स्थापना चात्र चिरन्तना केनापि वैगुण्येन नन्दीग्रन्थेन सह विसंवादान्न सम्यगवगम्यते, ततस्तचर्णिवृत्तिસંવાહિની સ્થાતિ અર્થાત્ આ ઠેકાણે આપેલી પ્રાચીન પ્રતિની સ્થાપના કોઈ ભૂલના પરિણામે નંદીસૂત્ર સાથે મેળબેસતી ન હોવાથી બરાબર સમજાતી નથી, એ કારણથી નંદીસૂત્રની ચૂણિ અને વૃત્તિ સાથે મેળ ખાતી સ્થાપનાઓ આપી છે—” આ પ્રમાણેની નોંધ છે. એટલે એ પ્રત્યંતરમની સ્થાપનાઓ ઉપરાંત જિજ્ઞાસુઓના સતિષ માટે નંદીસૂત્ર આદિ શાસ્ત્રોના અનુસારે સિદ્ધચંડિકાના વિષયની વિશિષ્ટ સમજ આ નીચે આપવામાં આવે છે– ૧) પ્રથમ તીર્થકર ભગવાન શ્રી–ષભદેવના વંશમાં ભરતચક્રવતીઆદિત્યયશ, મહાયશ વગેરે એક પછી એક ૫૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ --- -- -- - [ ૩૯૪ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પછી આ સાંભળીને સંતુષ્ટ અને વિમિત મનવાળા થયેલા જવુકુમાર વગેરે કુમારોએ “અમારું કુળ જય પામે છે” એ પ્રમાણે ઉત્કૃષ્ટિ-સિંહનાદથી ગગનતલ ભરી દીધું. પછી જહૂનુ વગેરે કુમારે પરસ્પરને કહેવા લાગ્યા, “આપણી પાસે પણ તે જ રત્નો છે, તે જ નિધિઓ છે, તે જ વસુધા અને રાજાઓ છે; તો સર્વ રત્નમય જિનાયતન આપણે કરીએ.” આ પ્રમાણે તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. પછી તે જહુનુ વગેરે કુમારએ પિતાનાં માણસોને આજ્ઞા આપી, “અષ્ટાપદ જેવા પર્વતની શોધ કરે.” તેઓએ શોધ કરી, પણ અંતે “અષ્ટાપદ જેવો પર્વત નથી” એ પ્રમાણે તેમણે નિવેદન કર્યું. પછી તે કુમારોએ અમાત્યને પૂછયું, “આયતન કયાં સુધી રહેશે?” એટલે અમાત્યે કહ્યું, “આ અવસર્પિણી સુધી રહેશે, એમ મેં કેવલી જિનોની પાસે સાંભળ્યું છે. ” પછી તે કુમાર એકબીજાને કહેવા લાગ્યા, “આ પર્વતનું જ રક્ષણ કરીએ, કેમ કે કાળદેષથી ભગ્રસ્ત થયેલા ચૌદ લાખ રાજાઓ મેક્ષમાં ગયા અને એક રાજા સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ગયે, તે પછી ચૌદ લાખ રાજાઓ મેક્ષમાં ગયા અને એક રાજા સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ગયા; આ પ્રમાણે ચૌદ લાખ રાજા મેક્ષમાં અને એક રાજા સર્વાર્થસિદ્ધમાં એમ ત્યાંસુધી સમજવું કે ચૌદ લાખને આંતરે સર્વાર્થસિદ્ધમાં ગયેલા એક એકની સંખ્યા પણ અસંખ્યાતી થાય. ત્યારબાદ ચૌદ લાખ રાજા મોક્ષે, બે સર્વાર્થસિદ્ધ, ચૌદ લાખ રાજા મેલે, બે સર્વાર્થસિદ્ધ એમ ત્યાંસુધી જાણવું કે ચૌદ લાખ મોક્ષે જનારના ગાળામાં સર્વાર્થસિદ્ધમાં જનાર બે બેની સંખ્યા પણું અસંખ્યાતી થાય. આ મુજબ ચૌદ લાખ મેલે જનારા રાજાઓના ગાળામાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત એમ પચાસ સુધી સર્વાર્થસિદ્ધમાં જનાર રાજાઓની દરેક સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી સમજવું. આ પહેલી સિદ્ધગરિકા અનુલેમસિદ્ધગડિકા” નામે જાણવી. સ્થાપના एसा पढमा अणुलोमसिद्धगंडिया १ ૧૪ | ૧૪ || ૧૪ इत्तिया लक्खा सिद्धा । ५ ६ जाव ५० | इत्तिया सव्वढे पत्थडे ૧૪] ૧૪ } $ત્તિયા ઢાં સિદ્ધા ૧૪ { ૧૪ | ૧૪ ૧૪ ૧૪ | जाव ५० इत्तिया सव्वढे पत्थडे gવન-| gવમ- | gવમઃ | gવમ- | gવમ- | gવમ- | gવમ ના | સંઘના | સંન્ના | સંવેના | સંવેદના | સંવેદના | સંવેદના (૨) આ પછી સંલગ્નપણે બીજી “ પ્રતિલોમસિદ્ધગંડિકા ” ચાલુ થાય છે. તે આ પ્રમાણે-ચૌદ લાખ રાજાઓ સર્વાર્થસિદ્ધમાં ગયા અને એક રાજ મેક્ષમાં ગયે, ફેર ચૌદ લાખ રાજાઓ સર્વાર્થસિદ્ધમાં ગયા અને એક રાજા મોક્ષે ગયે; આ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચૌદ લાખના આંતરામાં મોક્ષે ગયેલા એક એકની સંખ્યા અસંખ્યાતી થાય. આ રીતે સર્વાર્થસિદ્ધમાં જનાર ચૌદ લાખને આંતરે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત એમ પચાસ સુધી મેસે જનારા દરેકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી સમજવું. આ બીજી સિદ્ધગડિકાને “પ્રતિલામસિદ્ધગંડિકા ” કહેવામાં આવે છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રિયગુસુદરી લભક [ ૩૯૫ ] ' મનુષ્યા પેદા થશે, જે આયતનના વિનાશ કરશે. ” પછી તેમણે તે પર્વતને ચારે ખાજીએ પહેલા કાંડતલ સુધી દડરત્ન વડે છિન્નકટક કરી નાખ્યા ( અર્થાત્ ચઢવાના રસ્તા કાપી નાખ્યા ) અને ખાઇ ખેાદવા લાગ્યા. એટલે ત્રાસ પામેલેા જવલનપ્રભ નાગ ઊઠ્યો અને આવીને કુમારને કહેવા લાગ્યા, “ અરે! અરે! મારા ભવનદ્વારને ભાંગશે। નહીં. ’ આથી કુમારોએ તેને કહ્યું, “ આ ભૂમિ કેાની છે ? ” નાગ ખેલ્યા, “ તમારી છે, પરન્તુ તા પણ ભાંગશેા નહીં, કારણ હું પહેલાંથી અહીં રહું છું. ” જો અમારી ભૂમિ છે તા * ૧૪ ૧ ૧૪ ૧ स्थापना મ संखेज्जा ૧૪ r ૧૪ ૧૪ ३ ૧૪ २ ३ વમ સ્વમसंखेजा संखेजा एसा बिइया पडिलोमसिद्धगंडिया २ ૧૪ ૪ ૧૪ ૪ મ संखेजा ૧૪ ५ ૧૪ ५ વમ संखेज्ज। ૧૪ ફ્ ૧૪ ६ મ संखेजा ૧૪ जाव ५० इत्तिया सिद्धा ૧૪ इत्तिया लक्खा सव्वट्टे पत्थडे इत्तिया लक्खा सवट्ठे पत्थडे जाव ५० इत्तिया सिद्धा મ संखेजा ' (૩) ખીજી સિદ્ધગડિકાની લગાલગ અનુસંધાનમાં ત્રીજી ‘ સમસ ંચસિદ્ધ્ગ'ડિકા ' શરૂ થાય છે. તે આ પ્રમાણેબે લાખ રાજાએ મેક્ષમાં અને બે લાખ રાન્ત સર્વાર્થસિદ્ધમાં, ફેર પાછા બે લાખ રાનએ મેક્ષમાં અને એ લાખ સર્વાસિદ્ધમાં; આ પ્રમાણે ત્યાંસુધી જાણવું કે મેક્ષમાં જનાર અને સર્વાસિધ્ધમાં જનાર બે લાખની સખ્યા ( સરવાળે નહીં) અસંખ્યાતી થાય. આ જ રીતે ત્રણ લાખ, ચાર લાખ, પાંચ લાખ, છ લાખ, સાત લાખ એમ એક પછી એક સરખી સખ્યાવાળા અસંખ્યાતા લાખ પર્યંત મેક્ષે અને સર્વાસિષ્ઠે ગયેલા રાજાઓની દરેક લાખની સખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી સમજવું. આ ત્રીજી · સમસ`ખ્યસિદ્ધંગ ડિકા ’ જાણવી. स्थापना एसा तइया सम संखासिद्धगंडिया ३ ! इत्तिया लक्खा सिद्धा ૨|૩|૪|૧ ૬ ૭ ८ ९ १० एवं जाव असंखा आवलियादुगाए इत्तिया लक्खा सव्वट्ठे २ ३ ४ ५ ६ ७ ८ ९ १० एगुत्तरा दो वि गच्छंति (૪) ત્રીજી સિદ્ધગંડિકાના અનુસંધાનમાં સલગ્નપણે ચેાથી ચિત્રાંતરસિદ્ધ્ગ'ડિકા શરૂ થાય છે, જેના ચાર પ્રકાર છે—૧ પહેલી એકાદિએકાધિકચિત્રાંતરસિદ્ધગડિકા, ૨ બીજી એકાદ્વિચધિકચિત્રાંતરસિદ્ધગડિકા, ૩ ત્રીજી એકાદિત્યધિકચિત્રાંતરસિદ્ધગડિકા અને ૪ ચેાથી વિષમેાત્તરચિત્રાંતરસિદ્ધગડિકા, આ ચાર પ્રકાર પૈકી પહેલી ચિત્રાંતરગંડિકામાં એક મેાક્ષે, એ સર્વા સિદ્ધમાં, ત્રણ મેાક્ષે, ચાર સર્વાસિદ્ધમાં, આમ એક એકની વૃદ્ધિએ સિદ્ધિમાં જનાર અને સર્વા་સિધ્ધમાં જનારની સખ્યા ત્યાંસુધી સમજવી કે તે બન્નેય સખ્યા અસંખ્યાતી થાય. આ પહેલી એકાદિએકાત્તરચિત્રાંતરસિદ્દગંડિકા જાણવી. Page #451 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૬ ] વસુદેવ—હિ'ડી: : પ્રથમ ખંડ : તું શા માટે અટકાવે છે ?' એ પ્રમાણે કુમારીએ તેના તિરસ્કાર કર્યા, એટલે તે પાતાના ભવનમાં ગયા. પછી તે કુમારેશ પૂર્વ દિશામાં પ્રવાહ-નદી સુધી ગયા. ત્યાંથી દડરત્ન વડે ખાદીને ગંગાને ઉદ્ધતિત કરીને તે પર્વતની ખાઇ સુધી લાવ્યા. ખાઇમાં પડતી ગંગા અતિશય શાલાવાળી લાગી. પછી સન્તુષ્ટ થયેલા તે કુમારેએ સૂર્યના શબ્દથી મિશ્ર એવા ઉત્કૃષિ-સિ’હનાદરૂપી કાલાહલ કર્યાં. તે શબ્દ સાંભળીને, જળ વડે પુરાતું પેાતાનું स्थापना इत्तिया सिद्धा इत्तिया सव्वद्वे ૨ | ૪ | ૬ | ૮ ૧૦ ૧૨/૧૪ ૧૬ ૧૮ जाव असंखा આ પછી એક માક્ષે, ત્રણ સર્વાસિષ્ઠે, પાંચ માક્ષે, સાત સર્વાસિષ્ઠે, એમ એ એની વૃદ્ધિએ ત્યાંસુધી વધવું કે એ રીતે મેાક્ષમાં અને સર્વાસિધ્ધમાં જનારની સખ્યા અસંખ્યાતી થાય. આ બીજી ‘એકાદ્વિત્યુત્તરચિત્રાંતરગ’ડિકા’ જાણવી, स्थापना- एसा बितिया एगाइबिउत्तर चित्तंतर सिद्धगंडिया ४-२ इत्तिया सिद्धा १ ५ ९ १३ १७ २१ २५ २९ ३३ एवं एगा इबिउत्तरिया इत्तिया सव्वद्वे ३ ७ ११ १५ १९ २३ २७ ३१ ३५ जाव असंखा આ પછી લગાલગ ત્રીજી એકાદિચધિચિત્રાંતરગંડિકામાં એક મેક્ષે, ચાર સર્વાસિષ્ઠે, સાત મેક્ષે, દસ સર્વાસિષ્ઠે, એમ ત્રણ ત્રણ વધતાં ત્યાંસુધી વધવું કે ચાવત્ મુક્તિમાં જનાર અને સર્વાસિધ્ધમાં જનારની ત્રણત્રણની વૃદ્ધિવાળી સખ્યા અસંખ્યાતી થાય. આ ત્રીજી ‘એકાદિયુત્તરચિત્રાંતરસિદ્ધગડિકા ' ાણવી. एसा तइया एग।इतिउत्तर चित्तंतरसिद्धगंडिया ४-३ स्थापनाइत्तिया सिद्धा 1 ७ १३ १९ २५ ३१ ३७४३ ४९ एवं एगाइतिउत्तरिया इत्तिया सव्व ૪૧૦૦૧૬ ૨૨ ૨૮/૩૪૪૦૪૬ાખ૨ जाव असंखा ત્રીજી ચિત્રાંતરગ ડિકાની લગાલગ ચેાથી ‘ વિષમાત્તરચિત્રાંતરસિદ્ધગડિકા' શરૂ થાય છે, જેના અસ`ખ્યાતા પ્રકાર થઈ શકે છે. તેને સમજવાની રીત આ પ્રમાણે છે—એક પક્તિમાં અથવા ઉપર નીચે ઓગણત્રીસ તગડા મૂકવા, જે પૈકી પહેલા તગડામાં કાંઇ ઉમેરવાનું નથી, પણ ખીજા અઠ્ઠાવીસ તગડામાં અનુક્રમે નીચેની સખ્યા ઉમેરવાની છે— दुग २ पण ३ नवगं ४ तेरस ५ सत्तरस ६ दुवीस ७ छच्च ८ अट्ठेव ९ । बारस १० चउदस ११ तह अट्ठवीस १२ छव्वीस १३ पणवीसा १४ ॥ १ ॥ पक्कारस १५ तेवीसा १६ सीयाला १७ सतरि १८ सत्तहत्तरिया १९ । दुग २० दुग २१ सत्तासीर २२ इगहत्तरिमेव २३ बावडी २४ ॥ २ ॥ एसा पढमा एगाइएगुत्तरचित्तंतरसिद्धगंडिया ४-१ १ ३ ५ ७ ९ ११ १३ १५ १७ एवं एगाएगुत्तरिया Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુન્દરી લ’ભક [ ૩૯૭ ] ભવન જોઇને રાષાગ્નિ વડે પ્રજવલિત થઇને ધમધમતા જ્વલનપ્રભ નાગે બહાર આવીને તે સૈન્યમાંના રાજાઓ, અમાત્ય અને પ્રાકૃત મનુષ્યાને છેાડી દઇને જહૂનુ વગેરે સાઠ હજાર કુમારીને પેાતાના વિષથી ખાળી નાખ્યા. પછી ખાકી રહેલા રાજાઓ, અમાત્ય અને સૈન્ય એ સૌ સાકેત નગરમાં આવ્યાં. બ્રાહ્મણપુત્રનું મરણ દર્શાવવા વડે સગરને પુત્રમરણનુ નિવેદન बंभणपुत्तमरणकारणेण सगरस्स ते अमच्चेणं । धम्माणुरागरत्तस्स पुत्तमरणं तेहिं कहियं ॥ अउणत्तरि २५ चवीसा २६ छायाल २७ सयं २८ तहेव छब्बीसा २९ । एए किर पक्वा बीअतिगाईसु अणुकमसो ॥ ३ ॥ અર્થાત્ ખીજા, ત્રીજા આદિ તગડાએમાં અનુક્રમે એ ૨, પાંચ ૩, નવ ૪, તેર ૫, સત્તર ૬, બાવીસ ૭, ૭ ૮, આઠ ૯, ખાર ૧૦, ચૌદ ૧૧, અઠ્ઠાવીસ ૧૨, છવીસ ૧૩, પચીસ ૧૪, અગીઆર ૧૫, તેવીસ ૧૬, સુડતાલીસ ૧૭, સિત્તેર ૧૮, સત્યાતેર ૧૯, એક ૨૦, એ ૨૧, સત્યાસી ૨૨, ઇકેાતેર ૨૩, ખાસડ ૨૪, આગણ્યાતૅર ૨૫, ચોવીસ ૨૬, શ્વેતાલીસ ૨૭, સેા ૨૮, અને છવીસ ૨૯ ઊમેરવા, ઉપર જણાવ્યા પ્રમાણેની સખ્યા ઓગણત્રીસ તગડામાં ઉમેર્યા પછી જે સખ્યા થાય તેટલા તેટલા એક પછી એક સિદ્ધિમાં અને સર્વાર્થસિદ્ધ દેવલેાકમાં જનારા રાજાએ સમજવા. અર્થાત ત્રણ મેક્ષમાં, પાંચ સર્વાર્થાંમાં, આઠ મેક્ષમાં, ખાર સર્વામાં, સાળ મેક્ષમાં, વીસ સર્વાંઈમાં—આ ક્રમથી ઓગણત્રીસમા સ્થાનમાં ઓગણત્રીસ મેક્ષમાં ગયા. આ પહેલી ‘ વિષમેાત્તરચિત્રાંતરસિદ્ધગડિકા ' જાણવી. स्थापना इत्तिया सिद्धा ३ ८ १६ २५ ११ १७ २९ १४ ५० ८० ५ ७४ ७२ ४९ २९ एवं तिगाइया दुगाइपक्खेवा पढमा विसमुत्तरचित्तंतरइत्तिया सव्वट्ठे ५ १२ २० ९ १५ ३१ २८ २६ ७३ ४ ९० ६५ २७ १०३ ० सिद्धगंडिया 9 આ પછી બીજી ′ વિષમે।ત્તરચિત્રાંતરસિદ્ધગડિકા ' શરૂ થાય છે. તેની રીતિ આ પ્રમાણે છે—ઉપર જણાવેલી પહેલી વિષમેાત્તરચિત્રાંતરગ ડિકાના છેલ્લા આંકડાને એગણત્રીશ વાર અનુક્રમે અથવા ઉપર નીચે લખી, ઉપર જણાવ્યા મુજબ પહેલા 'કને છેડીને ખાકીનાં અઠ્ઠાવીસ સ્થાનમાં ઉપર ટૂળ પળ નાં॰ ગાથામાં જણાવેલા ધ્રુવ પ્રક્ષેપા–ઉમેરણાને ઉમેરતાં જે સખ્યા થાય તેટલા તેટલા એકાંતરે સર્વાર્થસિદ્ધ અને મેાક્ષમાં જનારા રાજાએ સમજવા. આ રીતિ મુજખ આવી અસ`ખ્યાતી વિષમેત્તરચિત્રાંતરસિદ્ધગડિકા થાય છે. આ વિષમેાત્તરચિત્રાંતરસિદ્ધગડિકાઓ પૈકી પહેલી ગડિકામાં પહેલુ' સ્થાન સિદ્દિગતિસૂચક અને બીજી ગડિકામાં પહેલું સ્થાન સર્વાર્થ સિદ્ધગતિસૂચક, ત્રીજી ગડિકામાં પાછું પહેલું સ્થાન મેક્ષગતિસૂચક અને ચેાથી ગંડિકામાં પહેલુ સ્થાન સર્વા સિદ્ધગતિસૂચક; એમ એકી વિષમાત્તર ગડિકાનુ' પ્રથમ સ્થાન મેાક્ષગતિસૂચક અને બેકી સિદ્ધગડિકાનુ' પ્રથમ સ્થાન સર્વાĆસિદ્દગતિસૂચક સમજવુ, જેમકે—બીજી વિષમેાત્તરચિત્રાંતરગ ડિકામાં ઓગણત્રીસના આ કને ઓગણત્રીસ વાર લખી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે બે, પાંચ, નવ આદિ ધ્રુવ ઉમેરણાને ઉમેરતાં જે સ ંખ્યા થાય તેને વિષે આ પ્રમાણે સમજવું—એગણત્રીસ રાજાએ સર્વાસિદ્ધમાં ગયા અને એકત્રીસ રાજાએ મેાક્ષમાં ગયા, ચાત્રીસ સર્વાસિધ્ધમાં ગયા અને આડત્રીસ મેાક્ષમાં ગયા; આ પ્રમાણે છેવટે પંચાવન રાજાએ સર્વાસિમાં ગયા. આ બીજી · વિષમાત્તરચિત્રાંતરસિંગ ડિંકા ' જાણવી, Page #453 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ અંક: (અર્થાત તેઓએ ધર્માનુરાગમાં રક્ત એવા સગરને બ્રાહ્મણપુત્રના મરણના બહાનાથી તેના પુત્રનું મરણ અમાત્ય દ્વારા કહ્યું.) આ ગાથાનો અર્થ આ પ્રમાણે- પછી તે અમાત્ય સાકેત નગરમાં આવીને બીજા અમાત્ય, રાજાઓ અને વૈદ્યો સાથે મંત્રણા કરીને રાજા સગરને પુત્રોના મરણની ખબર સંભળાવવા માટે આ પ્રમાણે યુક્તિ કરી. જેને સર્પે દંશ કર્યો હતો એવા, બંધુજને વડે વીંટળાયેલા અને મૃત્યુને વશ થયેલા બ્રાહ્મણપુત્રને ઉપાડીને રાજભવનમાં પ્રવેશાર્થે. વારંવાર કરુણ રુદન કરતા તેના સ્વજનો રાજાને કહેવા લાગ્યા, “અમારે આ એકને એક પુત્ર સર્પદંશથી મરણ પામે છે, માટે હે રાજન! તે જીવે તેમ કરો.” પછી તે રાજાએ વૈદ્યોને બોલાવીને કહ્યું, “આ બ્રાહ્મણ જીવે તેમ કરો” એટલે વૈદ્યોએ કહ્યું, “રાજન ! જેને ઘેર આ પહેલાં કોઈ માણસ મરણ પામ્યું ન હોય તેના ઘરની રાખ મંગાવે, એટલે બ્રાહ્મણને અમે જિવાડીએ.” રાજાએ માણસેને આજ્ઞા આપી, “જે ઘરમાં કોઈ માણસ પૂર્વે મરણ પામ્યું ન હોય તે स्थापना રિયા સવ્ય ૨ ૪જર રાખ૪૦૬૧૦૬ ૨૧ ૧૦૦૮ પ par વીશા | | | | | | | | | | | | વિમુત્તરચિત| રિયા સિ%ા ૨૨૪૬૨૪૪૧૪૨ ૬ ૨૦ ૧૧૬ ૧૧ ૧૨ ૧ | સિદ્ધિ આ પછી ત્રીજી કે વિષમેત્તરચિત્રાંતરસિદ્ધગડિકા' આવે છે. બીજી વિષમેત્તરગંડિકાના અંતમાં આવતા પંચાવનના અંકને ઉપર નીચે ઓગણત્રીસ વાર લખી તેમાં ઉપર જણાવેલા પણ નવ તેરસ૮ ગાન છુવાકેને ઉમેરતાં જે સંખ્યા થાય તે દ્વારા ત્રીજી “વિષમજ્વરચિત્રાંતરસિદ્ધગડિકા' જાણવી. स्थापना દરિયા વગેરે ''''''3°11 જુલા સંદચા વિલકુત્તર .... इत्तिया सिद्धा ५५/६ ०६८/७७६३/६९/८१६६/१०२१३२) ५७ १२६१२४/१०१८, एसा तइया विसमुत्तरફુરિયા સચ્ચઢે બાદ ૪૬ ૧૬૮૨૮ ૦ ૧૨૬ ૧૬ ૧૪૨૧૧ चित्तंतरसिद्धगंडिया ઉપર જણાવવામાં આવ્યું તેમ, દરેક વિષમત્તરગંડિકાના અંતમાં આવતી અંતિમ સંખ્યાને ઓગણત્રીસ વાર લખી તેમાં પ્રવપ્રક્ષેપને ઉમેરવાથી આગળઆગળની વિષમજ્વરચિત્રાંતરસિદ્ધગંડિકા થાય છે, જે ત્યાં સુધી જાણવી થાવત બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનના પિતા જિતશત્રુરાજા થયા. ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભગવાન શ્રીકૃષભદેવના વંશમાં થયેલ રાજાઓ પૈકી કોઈપણ રાજા મોક્ષગતિ કે સર્વાર્થસિદ્ધ દેવલોક સિવાય બીજી કોઈ ગતિમાં ગયે નથી. આ સિદ્ધગડિકામાં આવતા “સર્વાર્થસિદ્ધગતિ” શબ્દનો અર્થ પાંચ અનુત્તરવિમાન કરે, ૧ મળમાં પશુપરિમય પાઠ છે, પણ દર્શને અનુસરી મદરિમય પાઠ કપ્યો છે, Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રિય’ગુસુન્દરી લ‘ભક [ ૩૯૯ ] ઘરની રાખ જલદી લાવા.” પછી તે માણુસા આપુ' નગર રખડીને રાજા પાસે પાછા આવીને કહેવા લાગ્યા, “ જેવું કાઈ માણસ પૂર્વે મયું ન હાય એવું કાઇ અમને મળ્યું નથી ” પછી રાજાએ વૈદ્યોને કહ્યું, “ મારા ઘેરથી રાખ મંગાવા; મારા ઘરમાં પૂર્વે કાઇ મર્યું નથી અને ભવિષ્યમાં કોઇ મરશે નહીં, '' એટલે અમાત્યે રાજાને કહ્યુ, ' તમારા વશમાં પણું હજારા રાજાઓ મરીને સ્વર્ગમાં અને માક્ષમાં ગયા છે. "" રાજા આલ્બે, “ મારા વંશમાં પૂર્વે કાણુ મરણ પામ્યા છે, તે મને “ કહું' છુ, રાજન્ !— ,, કહી. અમાત્ય મેલ્યા, જે આ અવસર્પિણીમાં ત્રીજા આરાના છેવટના ભાગમાં વિમલવાહનથી નાભિ સુધીના સાત કુલકરા થયા. તેઓ પણ કાલધર્મ પામીને સ્વર્ગમાં ગયા. આઠમા શ્રીઋષભદેવ, નાભિના પુત્ર, ઇક્ષ્વાકુ વંશમાં પ્રથમ રાજા અને પ્રથમ તીર્થંકર હતા તે અષ્ટાપદ પર્વત ઉપર કાલધર્મ પામીને મેાક્ષમાં ગયા હતા. ચૌદ રત્નનેા સ્વામી, નવ નિધિના અધિપતિ, ચાસઠ હજાર મહિલાઓના પતિ અને સમુકુટ કેવલજ્ઞાની એવા તેમના ભરત નામે પુત્ર સંચમ સ્વીકારીને કાળધમ પામી મેાક્ષમાં ગયા. સકલ અભરત ઉપર જેના સ્વય' ઇન્દ્રે અભિષેક કર્યા હતા અને જેની પાસે માત્ર (ચક્રવતીનાં ) રત્ના નહાતાં એવા ભરતના પુત્ર આદિત્યયશ ભાગ ભાગવીને મરણ પામી મેક્ષમાં ગયા. ઇક્ષ્વાકુ વંશમાં આદિત્યયશથી માંડી જિતશત્રુ સુધીના અસ ંખ્ય રાજાએ સંયમ સ્વીકારીને,કાળધર્મ પામી મેાક્ષમાં અથવા સ્વર્ગમાં ગયા છે. તમારા જ પિતા સુમિત્ર રાજા શ્રીઅજિતનાથ તીર્થંકરની પાસે સયમ સ્વીકારીને, મરણ પામી સ્વર્ગČમાં ગયા છે. હું રાજન્! લાકમાં જન્મ પછી મરણુ એ નિયમ છે. कामं मरणं जायइ, जम्मं, जम्माओ मरणं भवे एवं । धम्माणुरायरत्तस्स पुत्तमरणं तेहिं भण्णइ || ( અર્થાત્ મરણ જરૂર થાય છે, જન્મ થાય છે અને જન્મ પછી તે જ પ્રમાણે મરણુ થાય છે; ધર્માનુરાગમાં રક્ત રાજાને પુત્રમરણુ તે લેાકેાએ-આ રીતે–કહ્યું. ) હે રાજન! બીજું પણ એ કહેવાનુ કે જનુકુમાર વગેરે તમારા સાઠ હજાર પુત્રાને કાપ પામેલા જવલનપ્રભ નાગે દષ્ટિવિષના અગ્નિ વડે ખાળીને ભસ્મરાશિ કર્યો છે. ’ પછી પાતાના સ્વજન-પૂર્વજ રાજાઓનુ, પિતાનું અને પુત્રાનું મરણુ સાંભળીને જેનું ભાન ચાલ્યું ગયું છે અને જેના સાંધાએ ઢીલા થઇ ગયા છે એવા તે રાજા ધસ દઇને ધરણીતલ ઉપર પડ્યો. પછી સુખદાયક અને શીતલ એવા તાડના પંખાના પવનથી આશ્વાસિત થતાં ભાન આવતાં તે અમાત્યને પૂછવા લાગ્યા, “ ક્રુદ્ધ થયેલા જ્વલનપ્રભ નાગે હૃષ્ટિવિષના અગ્નિથી મારા પુત્રાને કેવી રીતે ખાળી નાખ્યા ? તેમ કરવાનું શું કારણ હતું ? ” એટલે અમાત્યે અન્યું હતું તે સ` કહ્યું. Page #455 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૦ ] ભાગીરથિકુમારે ગ'ગાને સમુદ્રગામિની કરી એટલામાં અષ્ટાપદ સમીપના પ્રદેશમાં વસનારા લેાકસમૂહે। રાજાની પાસે આવી, તેને પગે પડીને વિનંતી કરવા લાગ્યા, “ સ્વામી ! કુમારેએ મહાનદી ગંગાને અષ્ટાપદમાં આણી છે; હવે માગ નહીં મળતાં તે નદી સર્વે જનપદેાના જળ વડે વિનાશ કરે છે; માટે હું મહારાજ ! ગંગા મહાનદીને એક માગે સમુદ્રગામિની કરવાને-સમુદ્ર તરફ વાળવાને તમે ચેાગ્ય છે. ” પછી રાજાએ પેાતાના બાળક પુત્ર ભાગીરથિને આજ્ઞા આપી, “ રાજાએ અને અમાત્યેાની સાથે ઇડરન લઇને તું અષ્ટાપદ પર્વત પાસે જા. ત્યાં અર્ધ્ય, બલિ, ગ ંધ, ધૂપ અને માહ્ય વડે જ્વલનપ્રભ નાગની પૂજા કરીને, તેની અનુજ્ઞા લઈને દડરત્ન વડે ખેાદતા તુ ગગા મહાનદીને એક માગે સમુદ્રમાં લઇ જજે. ” પછી ભાગીરથિકુમાર રાજાની આજ્ઞા સ્વીકારીને, દડરત્ન લઇને, સૈન્ય અને વાઢુન સહિત તથા રાજાએ અને અમાત્યાને સાથે લઈને અષ્ટાપદ્મ પર્વત પાસે ગયા. ત્યાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા ગ્રહણ કરીને, દર્ભના સંથારા ઉપર રહીને જ્વલનપ્રભ નાગનુ ધ્યાન ધરતા તે બેઠે. પછી અષ્ટમ ભક્ત સમાપ્ત થતાં તે જ્વલનપ્રભ નાગ ભાગીરથ પાસે આવ્યેા. પછી વસુદેવ–હિ'ડી : : પ્રથમ ખંડ : ભાગીથિએ અર્ધ્ય, બલિ, ગંધ, માલ્ય અને ધૂપવડે તેના સત્કાર કર્યાં, એટલે તે એલ્કે, “ તારું શું કાર્ય કરું ? ” કુમારે કહ્યું, “તમારી કૃપાથી દડરત્ન ગ્રહણ કરીને મહાનદી ગગાને એક માગે સમુદ્રગામિની કરીશ. ” એટલે નાગે કહ્યું, “ જા, જલદી તેમ કર. ભરતમાં જે નાગા છે તે સર્વે` મારા વશવતી છે. ” પછી ભાગીરથિકુમાર રથ ઉપર બેસીને ઈડરત્ન વડે ગ ંગાનદીને, હસ્તિનાપુરને સ્પર્શ કરે તેમ કુરુજનપદના મધ્યમાં થઈને અને કાસલા જનપદની દક્ષિણમાં થઈને, ખેંચી જવા લાગ્યા. પશ્ચિમમાં જ્યાં નાગેાનાં ભવનને ( નદીના પ્રવાહથી ) ઇજા આવતી હતી ત્યાં તે અલિ આપતા હતા. તે સમયથી નાગલિ શરૂ થયા. પ્રયાગની ઉત્તરે થઇ, કાશીની દક્ષિણે થઇ, કાઇક સ્થળે વિન્ધ્યમાં થઇ, મગધા જનપદની ઉત્તરે થઇ અને અંગા જનપદની દક્ષિણે થઇ, હજારા નદીએ વડે વૃદ્ધિ પામતી ગંગાને તેણે સાગરમાં ઉતારી. ત્યાં ગંગાસાગર નામનું તીર્થં થયું. જલ્તુએ તેને પૂર્વે ખેંચી હતી, તેથી તે નદી જાહ્નવી કહેવાય છે. પછી ભાગીથિએ ખેંચી તેથી ભાગીરથી કહેવાય છે. ગંગા મહાનદીને સાગરમાં ઉતારીને ભાગીરથ સાકેત નગર ગયે અને સગર ચક્રવતીને નિવેદન કર્યું કે, “ મે ગંગાને સાગરમાં ઉતારી છે. ” ગાથા ततो अव्वत्तगं पुत्तं, भागीरहि भरहसामियं ठविय । पव्वज मन्भुवगतो अजियजिदिस्स पासम्म || ( અર્થાત્ પછી નાના પુત્ર ભાગીરથને ભરતના સ્વામી તરીકે સ્થાપિત કરીને સગરે શ્રીઅજિતનાથ જિનેશ્વર પાસે દીક્ષા લીધી ) Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રિય ગુસુન્દરી લભક [ ૪૦૧ ] સગર રાજાના પુત્રાએ ભેદી નાખ્યું હતું, તેથી તે ભવન ( અમારું ભવન ) “ સાગરભિન્ન ’ ( સગરના પુત્રાવડે ભેઢાયેલું) કહેવાય છે. ત્યાં હું જવલનપ્રભ નાગની ભાર્યા તરીકે ઉત્પન્ન થઇ. મારા પુત્ર આ એણીપુત્ર રાજા ઉદ્યાનમાં મારું આયતન કરાવીને, ત્યાં મારી મૂર્તિ સ્થાપિત કરીને દરરાજ ગ ંધ, માલ્ય અને ધૂપ વડે પૂજા કરે છે. હું પણ પૂર્વ સ્નેહથી સાન્નિધ્ય કરતી તેને ઇચ્છિત ભાગા આપુ છું. પછી પુત્રીની ઇચ્છાવાળા તે કાઇ એક વાર અષ્ટમ ભક્તથી મને આરાધીને કહેવા લાગ્યા, “ મને પુત્રી આપ. ” સંભ્રાન્ત થયેલી હું... · તેને પુત્રી કેવી રીતે થાય ? ’ એને વિચાર કરવા લાગી. 66 એ સમયે નાગરાજ ધરણુ અષ્ટાપદ પર્વત ઉપર જતા હતા. અમે પણ ત્યાં ગયાં અને ધર્માચા-શાન્ત અને પ્રશાન્ત નામે અણુગારા જેએ અધિજ્ઞાની હતા તેમને વિનયપૂર્વક વંદન કર્યાં અને ત્યાં અમે સંશયે પૂછવા લાગ્યાં. હવે નાગરાજ ધરણે તે ભગવાને પૂછ્યું, “હું સુલભ એાધિવાળા છુ કે દુ`ભ એધિવાળા ? અહીંથી ઉદ્ધતિ થઇને હું કયાં પેદા થઈશ ? એટલે તેઓએ નાગરાજ ધરણને કહ્યું, “તું આ ઇન્દ્રપણાથી ઉદ્ધૃતિ થઇને ઍરવત વર્ષોમાં અવસિ ણીમાં ચાવીસમા તીર્થંકર થઇશ. અલા, અક્કા, સતેશ, સૌત્રામણિ, ઇન્દ્રા અને ઘનવિદ્યુતા એ તારી જે છ અગ્રમહિષીએ છે. તેમાંની અલ્લા સિવાય બાકીની પાંચ તારા ગણધર થશે. તે પૈકી એક દૈવી અલ્લા આજથી સાતમે દિવસે ઉદ્ધતિ ત થઈને આ ભારતવષ માં એણીપુત્ર રાજાની પુત્રી થશે. અધ ભરતના સ્વામી( કૃષ્ણ )ના પિતા સાથે ભેગા ભાગવીને, સંયમ સ્વીકારીને તે સિદ્ધિમાં જશે, ' એ સાંભળીને સન્તુષ્ટ થયેલા નાગરાજ ધરણુ દેવીએની સાથે જે પ્રમાણે આન્યા હતા તે પ્રમાણે પાછે ગયા. મે' પણ તે ભગવાને વંદન કરીને પૂછ્યું, “ આ અલ્લાદેવી અને ધરણુ પૂર્વભવમાં કાણુ હતાં ? ” એટલે તે અણુગારા કહેવા લાગ્યા— પ્રિયગુસુન્દરીના પૂર્વ ભવ મથુરા જનપદમાં સુગ્રામ નામે ગામ હતું. ત્યાં સામ્ય નામે બ્રાહ્મણ હતા તેની સામદત્તા ભાર્યા હતી. પરમ રૂપવડે દનીય, અરિહંતના શાસનમાં પ્રીતિવાળી અને કામણે!ગેાના અભિલાષથી જે વિરક્ત થઇ છે એવી તેની ગગશ્રી નામે પુત્રી હતી. ત્યાં યક્ષિલ નામે બ્રાહ્મણ તે ગંગશ્રીનુ માગુ કરતા હતા, પણ ગગશ્રી તેને ઇચ્છતી નહાતી. પછી ગગશ્રીને નહીં મેળવી શકતા એવા તેણે વરુણ પરિવ્રાજકની પાસે પત્રિાજક તરીકેની દીક્ષા લીધી. પેલી ગગશ્રીએ પણ સુત્રતા આર્યાની પાસે દીક્ષા લીધી. પેલા ૫૧ 66 Page #457 -------------------------------------------------------------------------- ________________ - - - - - - [ ૪૦૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: યક્ષિલ પરિવ્રાજકે પણ ગંગશ્રીને દીક્ષિત થયેલી સાંભળીને સાધુની પાસે દીક્ષા લીધી. તેની સાથે ત્રિદંડીઓને પાઠ (સમુદાય?) પણ સાધુઓની પાસે પ્રવ્રજિત થયે. પછી એ બને કાળધર્મ પામતાં, યક્ષિલ ધરણેન્દ્ર થયે અને ગંગશ્રી તે જ ધરણની અલા નામે અગ્રમહિષી થઈ. આજથી સાતમે દિવસે તે ઉદ્ધતિત થશે.” પછી મેં આવીને પુત્રને-એણીપુત્રને કહ્યું, “પરમ રૂપ વડે દર્શનીય એવી પુત્રી તને થશે.” પછી તે દેવી સાતમે દિવસે ઉદ્ધતિત થઈને એણપુત્ર રાજાની પુત્રી તરીકે (તેની રાણીના ગર્ભમાં) આવી, અને યોગ્ય સમયે તેનો જન્મ થયે. પ્રિયંગુલતાની મંજરી જેવા વર્ણ અને કાન્તિવાળી હોવાથી તેનું નામ પ્રિયંગુસુન્દરી પાડવામાં આવ્યું. અનુક્રમે તે ઊછરી અને રૂ૫ વડે કરીને અત્યંત રૂપાળી એવી તે યુવાવસ્થામાં આવી. પછી સંતુષ્ટ થયેલા પિતાએ તેને સ્વયંવર આપે. પછી અર્ધભરતના સ્વામી જરાસંધ વગેરે સર્વે રાજાઓ તે સાંભળીને આવ્યા. પછી પ્રિયંગુસુન્દરીએ મને પૂછ્યું, સ્વયંવરમાં જાઉં?” કહ્યું, “તારે (થનાર) પતિ હજી આવ્યા નથી.”હે પુત્ર! પછી તે પ્રિયંગુસુન્દરીએ રાજાઓને સ્વયંવરમાં ઈછયા નહીં. આથી તેઓ મારા પુત્ર એણપુત્ર સાથે યુદ્ધ કરવાને આવ્યા. પછી એક જ રથવાળા એણપુત્રે મારી આજ્ઞાથી જરાસંધ વગેરે તે સર્વે રાજાઓને ચારે દિશાઓમાં ભગાડી મૂક્યા. પછી એણીપુત્ર રાજાએ મને પૂછ્યું, “કયા કારણથી કન્યા વરને ઈચ્છતી નથી ?” મેં કહ્યું, “આ કન્યા તે સર્વે નરેન્દ્રોના અધિપતિના પિતાની ભાર્યા થશે. તે હજી આવ્યું નથી. જ્યારે આવશે ત્યારે તને કહીશ.” હે પુત્ર! બંધુમતીની સાથે તું અંતઃપુરમાં ગયો હતો ત્યારે પ્રિયંગુસુન્દરીએ તને જે હતો. ત્યારથી કામનિમિત્ત બિમારી વડે તે હર્ષ રહિત-દુઃખી છે. અષ્ટમ ભક્ત વડે મને આરાધીને પગે પડીને તેણે કહ્યું, “દાદી ! તમારા પ્રભાવથી આર્ય પુત્રની સાથે મારે મેળાપ થશે.” મારી જ સૂચનાથી ગંગરક્ષિત તારી પાસે આવ્યો હતો. પણ તેને તેં ના પાડી. એ કાર્ય માટે હું તારી પાસે આવી છું; માટે હે પુત્ર ! તું નિશ્ચિતપણે અંત:પુરમાં પ્રવેશ કર, હું રાજાને પણ સમાચાર આપીશ. ગંગરક્ષિતે જે માટે તેને વિનંતી કરી હતી તે શીધ્રપણે કર. હે પુત્ર! “દેવદર્શન અમેઘઅનિષ્ફળ હોય છે” એમ લોકકથામાં કહેવામાં આવે છે, માટે તું વર માગ. હું તને વર આપનાર છું.” પછી મેં પણ તે દેવીની પ્રદક્ષિણા કરીને, મસ્તક ઉપર અંજલિ કરીને-હાથ જોડીને કહ્યું, “હે માતા! જ્યારે કારણ પડતાં હું તમારું સ્મરણ કરું ત્યારે તમારે પણ મને સંભાર. આ જ મારો વર છે. ” પછી વસુદેવના વચનથી દેવી જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે પાછી ગઈ. ૧. મૂળમાં વ વચન પાઠ છે. આખી કથા વસુદેવની આત્મકથા તરીકે ચાલે છે, એટલે “વસુદેવના વચનથી’ એમ કહેવું એ કથાસન્દર્ભની રીતે ઉચિત નથી. પણ મૂળ પાઠને અનુસરીને અહીં અનુવાદ કર્યો. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંગુસુંદરી લંક [ ૪૦૩] પછી તે દેવીએ રાજાને કહ્યું કે, “પ્રિયંગુસુન્દરીને પતિ આ છે; તેને અંત:પુરમાં પ્રવેશ કરાવો.” વિસ્મય પામેલા એવા મારી ચમત્કારોથી ભરેલી તે રાત્રિ વીતી ગઈ. પછી બીજે દિવસે મુહર્ત જેટલો સૂર્ય ઊગે. સૂર્યોદયને એક મૂહુર્ત થયું ત્યારે ગંગરક્ષિત આવ્યો અને મને પ્રણામાંજલિ કરીને વીનવવા લાગ્યું, “સ્વામી! તે દિવસે મેં તમને કહ્યું ત્યારે તમે બેલ્યા હતા કે “વિચાર કરીશ.” તો જે તમે એ બાબતમાં વિચાર કર્યો હોય તે કૃપા કરે.પછી મેં ઘણી વાર સુધી વિચાર કરીને કહ્યું, “ઉદ્યાનમાં સમાગમ ભલે થાય.” પછી મેં ગંગરક્ષિતને વિદાય આપી. મેં પણ મારી જાતને પ્રસંગને અનુરૂપ સજજ કરી. પછી પાછલા પહોરે શેરીમાંથી મીકળતા મને જોઈને લોકો કહેવા લાગ્યા, “અહો આ કોઈ દિવ્ય પુરુષ છે.” આ પ્રમાણે લેકે વડે શંકા કરતે હું પરમ રમ્ય ઉદ્યાનમાં ગયે, અને ત્યાં નાગગૃહમાં બલિ આપવા નિમિત્તે કન્યા આવી. પછી ગંગરક્ષિત આખા ઉદ્યાનમાં (કોઈ માણસ તે નથી એની) તપાસ કરીને, જેમાં એકલી કન્યા રહેલી છે એવા તે નાગગૃહના દ્વારનું રક્ષણ કરવા લાગ્યો. ગાન્ધર્વ વિવાહધર્મથી તે કન્યા સાથે વિવાહ કરીને હું ત્યાં અતુલ ભેગો ભેગવવા લાગ્યા. પછી ગંગરક્ષિતે મને કહ્યું, “સ્વામી! હવે દેવીને રજા આપો.એટલે પ્રિયંગુસુન્દરીએ મને કહ્યું, “નાથ! અવિષ્ણુ એવી મારે ત્યાગ કરો તમારે માટે યોગ્ય નથી.” આ પ્રમાણે, લાંબા કાળથી જેનું ચિન્તન કરાતું હતું એવા પ્રિયંગુસુન્દરીના મનોરથો હું પૂરત હતે. પછી ફરી પાછું ગંગરક્ષિતે કહ્યું, “વામી! તમે જલદીથી સ્ત્રીવેશ ધારણ કરે, કારણ કે અંતઃપુર (રાણુઓ) પ્રવેશ કરે છે.” એટલે આનાકાનીપૂર્વક દુ:ખ સહિત એ વસ્તુ મેં સ્વીકારી. પછી મેં સ્ત્રીનો વેશ ધારણ કર્યો, એટલે વાહનમાં બેસાડીને પ્રયત્નપૂર્વક મને કન્યાના વાસગૃહમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં દેવલેકના જેવા ભેગે હું ભેગવવા લાગ્યા. પછી પ્રભાત થતાં ગંગરક્ષિત આવ્યું અને દેવીને કહેવા લાગ્યું, સ્વામીને રજા આપે.એટલે દેવીએ તેને પગે પડીને કહ્યું, “સાત દિવસનું વરદાન આપ” (અર્થાત સાત દિવસ સુધી વસુદેવ અહીં રહેશે). એટલે ભયભીત થયેલે ગંગરક્ષિત બાલવા લાગે, “અહે ! મારો નાશ થયો!' પછી સપ્તાહ પૂરો થતાં તેણે કહ્યું, “સ્વામિનિ ! હવે રજા આપ.” એટલે સ્વામીએ (વસુદેવે ) કહ્યું, “અમને પણ એક સપ્તાહ આપ.” હું નાશ પામ્યો !” એમ બોલતે તે ગયે અને ફરી પાછો સાતમે દિવસે આવ્યા. એટલે તેને ફરી પાછું કોમુદિકાએ કહ્યું, “અમે શું ખાસડાં ખાધાં? એમને જેમ સાત દિવસનું વરદાન આપ્યું તેમ અમને પણ આપ.” એ પ્રમાણે ત્યાં મારા એકવીસ દિવસ મુહૂર્તની જેમ વીતી ગયા. - હવે, જેના હોઠ અને કંઠ સુકાઈ ગયા છે એ તથા ડરેલે ગંગરક્ષિત આવીને મને વિનંતી કરવા લાગે, “સ્વામી! અંતઃપુરમાં, અમાત્ય, દાસીઓ અને નેકમાં Page #459 -------------------------------------------------------------------------- ________________ [૪૦૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : તથા સર્વ જનમાં એ વાત જાણીતી થઈ ગઈ છે અને નગરીમાં પણ વાત ફૂટી ગઈ છે કે, “કન્યાન્તપુરમાં કે શિયાળ ભમે છે.” એટલે કૌમુદિકાએ કહ્યું, “જે નગરીમાં આ બધું ફૂટી ગયું હશે તે સ્વામિપાદ અહીં જ રહેશે.” પછી ગંગરક્ષિતનું એ દીન કરુણ રૂપ જોઈને મેં તેને કહ્યું, “ તું ડરીશ નહીં, જા, રાજાને કહે કે–તમારી પાસે આવેલી દેવીએ (ઋષિદરાએ) જે કહ્યું હતું તે તે પ્રમાણે જ છે. કન્યાને પતિ અંતાપુરમાં પ્રવેશ્ય છે. ” મેં આમ કહ્યું, એટલે તે નીકળે અને રાજા પાસે ગયે. પ્રિયંગુસુન્દરીનું પાણિગ્રહણ પછી થેડી વારમાં કિલકિલાટ કરતી કમુરિકા આવી અને સ્વામિપાદ (એણપુત્ર રાજા) વડે સત્કારાયેલે ગંગરક્ષિત આ. કડાંઓ વડે જેની ભુજાઓ ખંભિત થયેલી છે. (અર્થાત્ પ્રતિદાન તરીકે અપાયેલાં કડાં જેણે પહેર્યા છે) એવો તથા સતુષ્ટ થયેલે તે મને પગે પડીને ઊભા રહો, અને કન્યાએ (પ્રિયંગુસુન્દરીએ) કહ્યું એટલે મેં તેને આલિંગન આપ્યું તથા તેને સત્કાર કર્યો. રાજાને છાજે એવો મારો લગ્ન-મહત્સવ નરપતિએ-એણપુત્ર કર્યો, અને પ્રિયંગુરુન્દરી અને બંધુમતી એ બને પ્રિયાઓની સાથે ત્યાં હું ઉત્તમ ભેગો ભેગવવા લાગે. “રૂપમાં અને યૌવનમાં તે નગરીમાં તથા લેકમાં પ્રિયંગુસુન્દરી જેવી કેઈ નથી” એ પ્રમાણે હૃદયમાં હું વિચાર કરતા હતા. “માટે અતીત અને અનાગત (થઈ ગયેલી અને થવાની) ભાર્યાઓથી મારે બસ થાઓ, મારે અહીંજ રહેવું જોઈએ” એમ વિચાર કરતે હું ઊંઘી ગયે. (૨૧) કેતુમતી લંભક [ અહીં પ્રિયંગુસુન્દરી સંભકનું સવિસ્તર વર્ણન કરીને– પછી પ્રભાવતી મને પ્રિયંગુસુન્દરી પાસેથી સુવર્ણપુરીમાં સમશ્રીની પાસે લઈ ગઈ. ત્યાં ગુપ્ત રીતે વસતા મને માનસવેગે . તેણે મને બાંધ્યો. વેગવતીના બધા માણસો ૧ “વસુદેવ-હિંડી ” ની કોઈ પણ હાથપ્રતમાં ૧૯-૨૦ લભક મળતા નથી. સર્વ પ્રતોમાં ૧૮ મા પ્રિયંગસુન્દરી લંભક પછી તુરત ૨૧ મે કેતુમતી સંભક આવે છે. ૨ મોટા કેંસમાં મૂકેલો ગ્રન્થભાગ ખરેખર “વસુદેવ-હિંડી' પ્રથમ ખંડો નથી, પણ દ્વિતીય ખંડ અથવા મધ્યમ ખંડ સાથે સંબંધ જોડી દેવા માટે પાછળથી કઈ વિદ્વાને એ ભાગ અહીં મૂકો જણાય છે, પણ સર્વે હાથપ્રતમાં તે મળે છે, એટલે મૂળ સંપાદકોએ પણ તે આ રીતે જુદે પાડીને લીધે છે, અને તેને અહીં અનુવાદ પણ કરવામાં આવ્યા છે. મધ્યમ ખંડના ૭૧ લંભક પ્રથમ ખંડને અંતે આવતા નથી, પણ તેમના સન્દર્ભ પ્રિયંગ્રસન્દરી સંભક સાથે જોડાયેલ છે, “સવિસ્તર વર્ણન કરીને ” એમ કહેવાનો અર્થ એટલો જ કે “મધ્યમ ખંડના ૧ લંકા એમાં સમાઈ જાય તેવી રીતે.’ મધ્યમ ખંડ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ ઉપઘાત, Page #460 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૦૫ ] મારા પક્ષમાં ઊભા રહ્યા કે, “શા માટે બાંધો છે?” માનસવેગ બે, “ મારી બેનને આ પિતાની મેળે પાડ્યો છે.” પેલે (વસુદેવ) બેલ્યો, “મારી ભાર્યાને તું હરી ગયો છે.” માનસવેગે કહ્યું, “એ તે મને પૂર્વે અપાઈ ચુકેલી હતી, માટે આ બાબતને ન્યાય કર જઈએ.” પછી વ્યવહારના સંબંધથી-ન્યાય કરવા માટે બલસિંહની વૈજયન્તી પુરીમાં તેની સાથે તથા અંગારક, હેફગ અને નીલકંઠની સાથે હું યુદ્ધ કરવા લાગ્યો. પ્રભાવતીએ આપેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે એ ચારે જણાને મેં પરિવાર સહિત જીતી લીધા. માનસ વેગ જ્યારે સામગ્રીને શરણે ગયો ત્યારે તેને છોડવામાં આવ્યું. તેની માતાએ મારી પાસે પુત્રભિક્ષાની યાચના કરી–પોતાના પુત્રને જીવિતદાન આપવા વિનંતી કરી. સામગ્રીની પ્રતિજ્ઞા પૂરી કરવા તેને ઘાયલ કરીને પછી છોડી દીધું. આ પ્રમાણે પરાજિત થયેલ તે કિંકરની જેમ મારી સેવા કરવા લાગ્યા. સમશ્રીએ મને કહ્યું, “આપણે મહાપુર જઈએ. ” પછી માનસવેગે વિકલા વિમાન વડે અમે મહાપુર ગયાં. પછી માનસવેગને વિદાય કર્યો. શંખરથનો દૂત અશ્વો લઈને સોમદેવની પાસે આવ્યો. સોમદેવે તેને પૂછયું, “શંખરથ દેવપુત્ર કેવી રીતે છે ? ” એટલે તે કહેવા લાગે મિથિલામાં સુમેરુ રાજા હતા. ધારિણી દેવીથી થયેલા તેના ત્રણ પુત્ર નમિ, વિનમિ અને સુમિ નામના હતા. તેમાંના બેની સાથે રાજાએ દીક્ષા લીધી. બને જણા નિર્વાણ પામ્યા. અષ્ટાંગ મહાનિમિત્ત જાણીને શિથિલાચારી બનીને વિચરતો નમિ કુંભારની શાલામાં નિન્ય ભાષણ કરીને પુરુષપુર ગયે. ત્યાં અલંબુષા કન્યાને તેણે જોઈ. ભેજન કરીને ગુફામાં રહેલા અને લક્ષણોથી સૂચિત થયેલા (સારા લક્ષણવાળા) તેને અમાત્યે કહ્યું, “ રાજ્ય અને કન્યા ગ્રહણ કરો.” પછી સર્વ અલંકારથી વિભૂષિત થયેલે તે (નગરનો) રાજા લોકોના વિસ્મય નિમિત્તે તેની સામે ગયે. કૃત્રિમ મંજૂષામાં મૂકીને તેનેનમિતે લાવવામાં આવ્યું. અલબુષાને શંખરથ પુત્ર થયે. આ કારણથી તે દેવપુત્ર કહેવાય છે. ૫ ]. એક વાર હું ઘેડેસવારી કરતો હતો ત્યારે હેફગ મને હરી ગયે. દૂર ગયા પછી મેં એની પીઠ ઉપર ઘા કર્યો. તેણે મને છોડી દીધે, એટલે નીચે મોટા ધરામાં હું પડ્યો. પછી ધરામાંથી હું બહાર નીકળ્યો અને સપાટ પ્રદેશ ઉપર પહોંચ્યો. મેં વિચાર્યું, “આ કર્યો પ્રદેશ હશે ? ” એટલામાં જેના ઉપર ચઢવાને કોઈ પ્રકારનો આધાર નથી એવા ૩ માનસવેગ સોમશ્રીને બહુ સતાવે છે ત્યારે સામગ્રી તેના રુધિરમાં સ્નાન કરવાની પ્રતિજ્ઞા કરે છે. મધ્યમ ખડમાં આવતા આ પ્રસંગને નિદેશ અહીં જણાય છે. પ્રથમ ખંડનાં આ વસ્તુને નિર્દેશ જોવામાં આવતો નથી. ૪, વત્તવયં માસળ ને બદલે જન્વયં માસિકળ પાઠ લેવામાં આવે તો તે વ્રત છોડેલાં છે એમ કહીને એ અર્થ થાય. ૫, આ કથનની કઈ સંબદ્ધતા સમજાતી નથી. Page #461 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : છિન્નકટક પહાડ ઉપરથી ધવલ પાંખવાળાં પક્ષીઓની જેમ નીચે ઊતરતા બે ચારણશ્રમણને મેં જોયા. તેઓ ક્ષણવારમાં ધરણિતલ ઉપર આવ્યા. વિદ્યાધરની ગતિ કરતાં પણ એમની શીતર ગતિ હોય એમ મને લાગ્યું. પછી મેં તેમને ઓળખ્યા કે, “આ ચારણશ્રમણ ભગવંત છે. ” મેં પ્રદક્ષિણા કરીને તેમને વંદન કર્યા. જાણે સમાધિનું નિધાન હોય એવા, સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષે વડે સંકીર્ણ અને સામ્ય એવા મૃગો તથા પક્ષીઓ વડે લેવાયેલા એક આશ્રમપદમાં તેમની સાથે હું પહે. વિવિધ પ્રકારના તપ વડે કૃશ થયેલા શરીરવાળા અગત્ય, કૌશિક વગેરે ઋષિઓ જાણે શરીરધારી યમ અને નિયમ હોય તેવા એ સાધુઓને જોઈ પરમ પ્રીતિવાળા થઈને, બહુમાનપૂર્વક પ્રણામ કરીને “તપોધનેને સ્વાગત છે !” એમ બોલીને ઊભા રહ્યા. ઈર્યાવહી પડિક્કમીને જેમણે કાર્યોત્સર્ગ કરે છે એવા તે મુનિઓ પ્રાસુક ભૂમિભાગમાં બેઠા. મેં તથા ત્રષિઓએ તેમને પૂછયું, “ભગવંત! આપ ક્યાંથી આવો છે ?” તેઓએ કહ્યું, “ સાંભળ: વૈતાઢ્યની તળેટી સાથે સંબદ્ધ, આઠ યોજનની ઊંચાઈને ધારણ કરનાર અને વિવિધ ધાતુઓને અંગરાગ જેણે કર્યો છે એવા અષ્ટાપદ પર્વત ઉપર અમે ગયા હતા. ત્યાં પરમ ગુરુ શ્રીષભદેવ તીર્થકરની પરિનિર્વાણ ભૂમિમાં પ્રથમ ચક્રવતી રાજા ભારતની આજ્ઞાથી દેવાધિષ્ઠિત વર્ધકીરને સંપૂર્ણ આદરથી સુખપૂર્વક જેનું નિર્માણ કરેલું છે એવું સર્વરત્નમય, તે પર્વતના મુકુટ જેવું તથા દેવ, દાનવ અને વિદ્યાધરેએ પ્રયત્નપૂર્વક જેનું પૂજન કરેલું છે એવું જિનાયતન છે. તેની પ્રદક્ષિણા કરતા અમે પૂર્વ તરફના દ્વારથી અંદર પ્રવેશ્યા. પછી આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરની પ્રમાણ તથા વર્ણથી યુક્ત એવી મૂર્તિઓનાં અમે દર્શન કર્યા. એ મૂતિઓ દેવોને પણ વિસ્મય પમાડનારી છે, તે મનુષ્યનું તે શું કહેવું ? પરમ સંવિગ્ન એવા અમે એ પ્રતિમાઓને વંદન કરીને તથા રસ્તુતિ કરીને ઊભા રહ્યા. ઘણા દિવસ સુધી ત્યાં રહેલા અમને એ આયતનની પ્રભાના ઉદ્યોતને કારણે દિવસ કે રાત્રિની પણ ખબર પડતી નહતી. ત્યાંથી પાછા વળતાં અમે સમેતપર્વત ઉપર આવ્યા. ત્યાં પ્રસિદ્ધ યશવાળા ઓગણીસ તીર્થકરોની પરિનિર્વાણભૂમિને વંદન કરીને પછી ચક્રાયુધ મહર્ષિની આ નિશીથિકા-નિર્વાણભૂમિ જે કેટિશિલા નામે પ્રસિદ્ધ છે અને જેને શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મહિલનાથ, મુનિસુવ્રતસ્વામી અને નમિનાથ એ તીર્થંકરનાં તીર્થોમાં ઘણું નિર્વાણાભિમુખ અણગારેએ સેવેલી છે તેનું દર્શન કરવાને અમે આવ્યા છીએ.” પછી સતોષથી જેમને રોમાંચ થયાં છે એવા તે ઋષિઓ તથા હું આ સાંભળીને તેમને ફરી વિનંતી કરવા લાગ્યા, “જે આપને સંયમમાં વિન્ન થતું ન હોય તે શ્રી શાંતિનાથની અને મહાનુભાવ ચકાયુધની ઉત્પત્તિ કહે. આપના વચનને અનુસારે તે સાંભળવાની (અમારી ઇચ્છા છે. ).” એટલે એક સાધુએ કહ્યું, “એમાં કંઈ વિન થતું Page #462 -------------------------------------------------------------------------- ________________ - - - - - -- - - -- - - - - - - - કેતુમતી સંભક [૪૭] નથી, તમે જે વિષે પ્રશ્ન કર્યો છે તે તીર્થકર-કથા હેઈ ભયજનોને પ્રીતિ ઉત્પન્ન કરનાર અને પ્રશસ્ત છે. શ્રી શાન્તિનાથ તીર્થકરનું ચરિત્ર હું તમને સમાપ્તિ સુધી કહીશ. શ્રીશાન્તિનાથનું ચરિત્ર-અધિગ્રીવ અને ત્રિપૃષ્ઠને વૃત્તાન્ત આજ ભારતમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં ઘણા રથ, અશ્વ, હાથી અને મનુષ્ય જેમાં છે એવું રથનપુરચક્રવાલ નગર છે. ત્યાં પ્રદીપ્ત અગ્નિ સમાન તેજવાળે જવલન જટી રાજા હતો, તેની ભાર્યા વાયુવેગા હતી. સૂર્ય જેવા દીપ્ત તેજવાળે અને વિપુલ કીર્તિવાળો તેણનો અર્ક કીતિ નામે પુત્ર હતો, અને સહસ્રરશ્મિ સૂર્યની પ્રભા જેવી આદરપાત્ર, ચાંદની રાત જેવી રમણીય અને જાણે કાદવથી રહિત કમલિની હોય તેવી સ્વયંપ્રભા કન્યા હતી. અનુક્રમે ઊછરેલી, કલાઓમાં નિપુણ અને દેવતા જેવી રૂપમતી અને અકૃત્રિમ તેજ અને લાવણ્યયુક્ત શરીરવાળી તે કન્યા વિદ્યાધરલોકમાં ઉદાહરણરૂપ થઈ. અભિનંદન અને જયનંદન ચારણશ્રમણે પાસે ધર્મ સાંભળીને તેણે સમ્યકત્વ સ્વીકાર્યું. એકવાર પર્વના દિવસે પૌષધ પાળીને જિનમન્દિરની પૂજા કરીને તે પિતાની પાસે આવી (અને કહેવા લાગી કે), “તાત! શેષ લો.” રાજાએ મસ્તક નમાવીને તે સ્વીકારી. પછી પરિષથી વિકાસ પામેલાં નયન-યુગલ વડે તે રાજાએ કન્યાને અવલોકી. તેણે વિચાર્યું, “અહો ! આવા સુન્દર રૂપવાળી આ કન્યા ગ્ય વરને કેવી રીતે પામશે ?” આ પ્રમાણે વિચાર કરીને તેણે રજા આપી કે, “જા, બેટા ! પૌષધનું પારણું કર.” પછી એકાન્ત પ્રદેશમાં રાજાએ સુશ્રુત વગેરે મંત્રીઓને કહ્યું, “અરે ! સાંભળો, સ્વયંપ્રભા કન્યા યુવાવસ્થામાં આવી છે, કુલ, રૂપ અને જ્ઞાનમાં તેને યોગ્ય હોય એવો વર વિચાર કરીને સૂચવો.એટલે સુકૃત મંત્રીએ કહ્યું, “સાંભળે, સ્વામી ! રત્નપુરમાં મયૂરગ્રીવ રાજાને નીલાંજના રાણીથી થયેલ પુત્ર અશ્વગ્રીવ વિદ્યાધરોને અધિપતિ છે અને દક્ષિણાર્ધ– ભરતને રાજા છે. રાજાઓ પણ તેની આજ્ઞા વહન કરે છે. તેને એ કન્યા આપવી જોઈએ.” બહુત મંત્રીએ કહ્યું, “સ્વયંપ્રભા સ્વામિની માટે અશ્વગ્રીવ યોગ્ય વર નથી. તે વન વટાવી ગયો હોઈ આધેડ વયમાં છે. વિશુદ્ધ કુલ અને શીલવાળા અને દેવકુમારે જેવા રૂપાળા બીજા ઘણું વિદ્યાધરો ઉત્તરશ્રેણિમાં છે, તેમાંથી કેઈને માટે વિચાર કરો.” આ સમયે બોલવાની તક મળતાં સુમતિ મંત્રીએ કહ્યું, “દેવ ! બહુશ્રુતે ઠીક કહ્યું છે. પ્રભંકરા નગરીમાં મેઘવાહન રાજા છે. તેની મહાદેવી મેઘમાલિની છે. તેનો પુત્ર વિદ્યાધર વિદ્યપ્રભકુમાર પ્રશસ્ત લક્ષણેથી યુક્ત સર્વ અંગવાળો અને કલાઓનો પરમાર્થ જાણનારોપારગામી છે. તેની બહેન તિર્માલા રૂપમાં અજોડ છે. જિનમન્દિરના ઉત્સવમાંથી પાછા વળતાં મેં તેને જોઈ હતી. મેં વિચાર્યું, “ક્યા વિદ્યાધર રાજાની આ પુત્રી હશે ?” પછી અર્કકીર્તિ યુવરાજને માટે આ યોગ્ય છે” એમ માનતો હું તેની પાછળ ચાલે, અને તે પણ પરિવાર સહિત પિતાના નગરમાં ગઈ. મહાપ્રભાવશાળી વિધ...ભને ત્યાં મેં જોયે, Page #463 -------------------------------------------------------------------------- ________________ વસુદેવહિ...ડી : [ ૪૦૮ ] ,, t તેનાં કુલ અને શીલની હકીકત જાણીને હું અહીં આવ્યા છે, માટે વિદ્યુત્પ્રભ કન્યાને યેાગ્ય વર છે. આ પછી શ્રુતસાગરે કહ્યું, “ સ્વામી ! આ કન્યા અજોડ રૂપવાળી, કલાવિશારદ, લક્ષણા અને સામુદ્રિક ચિહ્નાથી યુક્ત, જેણે યશ પ્રાપ્ત કર્યા છે એવી તથા સર્વ વિદ્યાધરા વડે પ્રાનીય છે. એ સંબધમાં રાજાઓને કાઇ વિરોધ નથી, માટે સ્વયં પ્રભાના સ્વયંવર થાય એ મને રુચે છે. રાજાઓને ખબર આપેા. ” : : પ્રથમ ખંડ : આમ કહેવામાં આવતાં જવલનજટી રાજાએ શ્રુતસાગરની બુદ્ધિ-સલાહુ ગ્રહણ કરીને મંત્રીઓના સત્કાર કર્યાં. પછી સભિન્નશ્રોતા નૈમિત્તિકને મેલાવીને, સુખાસન ઉપર બેસાડીને રાજાએ વિનયપૂર્ણાંક પૂછ્યું, “ આ ! યુવાવસ્થામાં આવેલી આ કન્યા શુ અશ્વશ્રીવને આપવી કે બીજા કેાઈ વિદ્યાધરને ? અથવા સ્વયંવરમાં તે ઇચ્છિત વરને વરે ? ” આ પ્રમાણે પૂછ્યું, એટલે જ્યાતિષના પારગામી સ`ભિન્નશ્રોતાએ વિચાર કરીને કહ્યુ, “ સાંભળેા, મહારાજ ! સાધુઓ કહે છે કે-પ્રથમ જિનેશ્વર ભગવાન ઋષભસ્વામી અષ્ટાપદ ઉપર સમેાસર્યા ત્યારે ભરત રાજાએ તેમને ભાવી જિના, ચક્રવતીએ અને બલદેવ–વાસુદેવા સંબંધમાં પ્રશ્ન કર્યા હતા. પછી જે કાળે જે થવાના હતા અને જેમના જે પ્રભાવ થવાને હતા તે સર્વ ભગવાને સમજાખ્યું. તેમાંથી ભગવાને કહ્યા મુજબ દસ અરિહંતા અને ચાર ચક્રવતીએ થઇ ગયા છે. અત્યારે પ્રજાપતિ રાજાના પુત્રા અચલ ને ત્રિપૃષ્ઠ એ બલદેવ અને વાસુદેવ છે. આ તે પ્રાચીન શ્રુતિ-પરંપરા થઇ. પણ નિમિત્તને અનુસારે કહું છું કે— અશ્વશ્રીવને! સમરમાં પરાજય કરીને વિદ્યાધર-શ્રેણિ સહિત અ ભરતને ત્રિપૃષ્ઠ ભાગવશે, અને તમને વિદ્યાધરાનું સ્વામિત્વ આપશે. આ કન્યા તેની અગ્રમહિષી થશે, અને પુત્રવતી થશે, એમાં શકા નથી. આ પ્રમાણે નૈમિત્તિકે કહ્યું, એટલે સન્તુષ્ટ થએલા રાજાએ પુષ્કળ વસ્ત્રો અને ગંધ-માલ્ય આપવા વડે સત્કાર કરીને તેને વિદાય આપી અને કહ્યું કે, “ તમે જે કહ્યું છે તે યથાર્થ છે. ” પછી પાતનપુરના અધિપતિ પ્રજાપતિ રાજા પાસે ( તેના પુત્રને ) કન્યા આપવા નિમિત્તે તેણે મરીચી નામે દૂતને મેકલ્યા. આ તરફ, અશ્વબિન્દુ નામના નૈમિત્તિકને પૂછવામાં આવતાં તેણે અધગ્રીવને જણાવ્યુ, “ તારા શત્રુ છે, એને કેવી રીતે જાણવા, એ માટે કારણુ કહું છું—જે ચડિસંહ દૂતનું અપમાન કરે અને અપરાન્તમાં-પશ્ચિમમાં દુષ એવા સિહુના નાશ કરે તેને (તારા શત્રુ) જાણજે. ” પછી અશ્વથીવે સર્વ રાજકુલેમાં તેને માકલ્યા. સત્કાર પામેલા તે ભેટણાં લઇને પાછા આવવા લાગ્યા. ચંડસિંહ દૂતને ભેટણા માટે પાતનપુરમાં મેકલ્યા. અચલ અને ત્રિપુણે તેનુ અપમાન કર્યું. અચલ-ત્રિપૃષ્ઠને ખખર પડે નહીં તેવી રીતે સત્કાર કરીને રાજાએ તેને વિદાય કર્યો. અધીવે વિદ્યાધરા માકલી જ્વલનટીને કહેવરાવ્યુ કે, “ પશ્ચિમ દિશામાં સિંહના ભય છે; મહાબળવાન એવા તારા પુત્રા તેના વિનાશ કરે. ” તે સાંભળીને ત્રિપૃષ્ઠ તે પ્રદેશમાં ગયા. તેઓએ Page #464 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંબક [ ૪૦૯ ] (ત્રિપૃષ્ઠ અને તેના ભાઈઓએ) મહાસત્વશાળી સિંહને જોયો. “આ પગે ચાલે છે, રથમાં બેઠેલા એવા મને એની સાથે લડવાનું શોભતું નથી,” એમ વિચારી ત્રિપૃષ્ઠ ધરતી ઉપર ઊતર્યો. ફરી તેણે વિચાર્યું, “આ આયુધ વગરને છે, આયુધવાળા એવા મારે માટે તેની સાથે લડવાનું યોગ્ય નથી.” એમ કરીને તેણે ખડ્ઝ પણ મૂકી દીધું. બાહુના પ્રહારથી જ તેણે સિંહને મારી નાખે. અશ્વગ્રીવને સમાચાર મોકલવામાં આવ્યા. તે સાંભળીને તે અત્યંત વિસ્મય પામ્યું કે, અહો ! ધરણિગેચર માનવનું કેવું અદ્દભુત કમ છે !” પછી શંકા પામેલે અશ્વગ્રીવ સ્વયંપ્રભાનું મારું કરવા માટે જવલનજી પાસે વારંવાર દૂત મોકલવા લાગ્યો. આથી વિલંબના ભયથી પરિવાર સહિત જવલન જટીએ રાત્રે લઈ જઈને તે કન્યા ત્રિપૃષ્ઠને આપી. લગ્ન થઈ ગયા પછી જેણે સાચી હકીકત જાણું છે એવા હરિશ્મથુ અમાત્યે રાજા અશ્વગ્રીવને ખબર આપી. એટલે ક્રોધ પામેલા અશ્વગ્રી બળવાન વિદ્યાધરને આજ્ઞા આપી કે, “પ્રજાપતિના એ ધરણિગોચર પુત્રોને મારીને, જવલન જટીને બાંધીને સ્વયંપ્રભાને જલદી મારી પાસે લાવે.” હરિશ્મથુએ મુખ્ય મુખ્ય સામંતને આજ્ઞા આપી. તેઓએ વિદ્યાધર દૂતને મોકલ્યો. તેણે જઈને જ્વલન જટી અને પ્રજાપતિને કહ્યું, “ જલદી કન્યા આપો, રાજગામી ભેટ તરીકેનાં રત્ન આપો અને શરણાગત વત્સલ એવા અશ્વગ્રીવને શરણે આવ.” જવલનજીએ કહ્યું, “કન્યાદાન થઈ ગયા પછી કન્યા ઉપર સ્વજને અથવા રાજાનો અધિકાર નથી.” ત્યારપછી પોતાના દાંતની કાન્તિવડે આકાશને પ્રકાશિત કરતાં ત્રિપૃષ્ઠ કહ્યું, “જો તમારે સ્વામી સમર્થ હોય તો મારો પરાજય કરીને કન્યાને ભલે હરી જાય. સૈન્ય સહિત આ હું બહાર આવું છું. જેની પાસેથી માંસનો ટુકડો પડાવી લીધું હોય એવા પક્ષીની જેમ તે શા માટે બહ કોલાહલ કરે છે?” આ પ્રમાણે કહીને તને રજા આપી. તેણે અશ્વગ્રીવને આ જણાવ્યું. અશ્વગ્રી વિદ્યાધરોને આજ્ઞા આપી કે, “ તમે જલદી જઈને તેને નાશ કરો.” એટલે વિવિધ પ્રકારનાં યાન-વાહનો વિકુવીને વિદ્યાધરો તે પ્રદેશમાં પહોંચ્યા. ત્રિપૃષ્ઠના હિતેષી જ્વલન જટીએ, સમ્ર પવન જેમ વાદળોને દૂર કરે તેમ, તેઓને પાછા કાઢ્યા અને કહ્યું, “તમે (મારી સાથે યુદ્ધ કરીને) નાશ ન પામશો, જાઓ જેથી તમારા સ્વામી પરગ્રીવને આટલું (અમારું પરાક્રમ) બતાવો-વર્ણ. જે તે મરવાને શક્તિ માન હોય તો અહીં જલદી આવે.” પછી જેમને (યુદ્ધ કરવાનો અવકાશ મળે નથી એવા તેઓ પાછા જઈને પિતાના સ્વામી અશ્વગ્રીવની આગળ ત્રિપૃષનો પ્રભાવ નિવેદન કરવા લાગ્યા કે, “ સ્વામી! ખરેખર તે અમારી પાછળ રથાવર્ત પર્વત ઉપર આવી રહ્યો છે.” તે સાંભળીને અશ્વગ્રીવે સે એકત્ર કર્યા. પછી વિદ્યાધરોના સમૂહ વડે વીંટળાયેલે તે ૧. અપમાન બતાવવા માટે અશ્વગ્રીવને બદલે ખગ્રીવ કહ્યો છે. પર Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : આવ્યું. રથાવર્ત ઉપર તેના સૈન્ય મુકામ કર્યો. પછી તાલપિશાચ, ધાન, શિયાળ અને સિંહાદિનાં ભીષણ રૂપ ધારણ કરીને જળ અને અગ્નિનાં શસ્ત્રો ફેંકતા અને આહ્વાન કરતા તે વિદ્યાધર ત્રિપૃષ્ઠના સૈન્યનો પરાજય કરવા લાગ્યા. પછી ત્રિપૃષ્ઠના પક્ષના માનવ ૮ અહા ! કન્યા નિમિત્તે લેકનો આ ક્ષય થઈ રહ્યો છે. હવે કોણ આપણું શરણ થશે?’ એ પ્રમાણે વિચાર કરતા, કોઈ પ્રકારનો પ્રતિકાર કયો સિવાય ઊભા રહ્યા. આ અવસ્થામાં આવેલા લોકોને જોઈને જવલન જટીએ ગરુડધ્વજ(વાસુદેવ-ત્રિપૃષ્ઠ)ને કહ્યું, “દેવ ! રથ ઉપર ચઢે, તમારી સામે ચેષ્ટા કરવાની અને માયા-ઈન્દ્રજાળ પ્રયોજવાની આ લેકેની શી શક્તિ છે ?” આમ કહેવામાં આવતાં પિતાના સિન્યને આશ્વાસન આપતો ત્રિપૃષ્ઠ રથ ઉપર બેઠો. પછી તેણે મહાનાદ કરનાર શંખ વગાડ્યો. ક્ષેભ પામેલા સમુદ્ર જે તેને ગંભીર શબ્દ, જાણે કે વજપાત હોય તેમ, સાંભળીને આન્દ કરતા કેટલાક બનાવટી વિદ્યાધરો પલાયન કરી ગયા, કેટલાક કાયરોનાં હાથમાં પકડેલાં શો પડી ગયાં અને કેટલાક પાંખ કપાયેલ પક્ષીઓની જેમ ધરણીતલ ઉપર પડ્યા. શરદઋતુ જેમ શારદ-શરદકાળના જળને પ્રસન્ન-સ્વચ્છ કરે તેમ ત્રિપૃછે પિતાના સૈન્યને પ્રસન્ન કર્યું. પછી દ્ધાઓને આયુધસંઘટ્ટ પ્રતિદિન વધવા લાગ્યા. બલદેવ અને વાસુદેવ જયવડે વૃદ્ધિ પામવા લાગ્યા અને અશ્વગ્રોવનું સૈન્ય ત્રાસ પામવા લાગ્યું. પછી ત્રિપૃષ્ઠ અશ્વશીવ પાસે દૂત મોકલ્યા કે, “આ યુદ્ધ તે આપણા બે વચ્ચે ઊભું થયું છે, એમાં ગરીબેને વધ કરવાથી શું? સસલું જેમ સિંહને જગાડીને સંતાઈ જાય તેમ તું સંતાયેલ શા માટે રહે છે ? જે રાજ્યની ઈચ્છા હોય તે એક રથ સાથે આવીને એકલા મારી સાથે યુદ્ધ કર. અથવા મારે શરણે આવ.” પછી “ભલે” એમ કહીને અશ્વગ્રીવે તે સ્વીકાર્યું. પછી બનેનાં સે પ્રેક્ષકે થયાં. વિક્રેશ કરતા શ્રષિવાદિત અને ભૂતવાદિત વ્યંતરો વડે આકાશ છવાઈ ગયું. ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવ યુદ્ધ કરવા લાગ્યા. વ્યંતરે વાસુદેવના રથ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પછી અત્યંત રોષથી રાતી આંખેવાળે વિદ્યાધરોને અધિપતિ અશ્વગ્રીવ જે જે અસ્ત્રો પ્રજાપતિના પુત્ર ત્રિપૃષ્ટ ઉપર છોડતે હતો તે તે અસ્ત્રોને ભીતિ વગરના હદયવાળે ત્રિપૃષ્ઠ, દિવાકર સૂર્ય જેમ અંધકારને પ્રતિકાર કરે તેમ વિવિધ અસ્ત્રો વડે જ, પ્રતિકાર કરતા હતા. પછી અશ્વગ્રીવે હજાર આરાવાળું ચક્ર ત્રિપૃષ્ઠના વધ માટે મૂકહ્યું. તે ચક ત્રિપૃષ્ઠની પ્રદક્ષિણા કરીને તેના ચરણ આગળ રહ્યું અને હાથમાં લેતાં જ પ્રકાશમાન થયું. મધ્યાહ્નકાળના સૂર્ય જેવા તે ચક્રને તેણે અશ્વગ્રીવનો વિનાશ કરવા માટે મૂક્યું અને અશ્વગ્રીવનું મસ્તક લઈને તે પાછું આવ્યું. આકાશમાં રહેલા વ્યંતરોએ શબ્દ કર્યો કે, “ભારતવર્ષમાં આ વાસુદેવ ઉત્પન્ન થયા છે.” પછી અશ્વગ્રીવના પક્ષના વિદ્યાધરે ડરીને પલાયન કરવા લાગ્યા. જવલન જટીએ Page #466 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લ‘ભક ૧. [ ૪૧૧ ] મધુર વચનથી તેમનુ આશ્વાસન કર્યું કે, “ ઉત્તમ પુરુષા શરણાગતવત્સલ હેાય છે. તમે વાસુદેવને શરણે જાએ. તમને ભય નહીં થાય. ” એટલે પાછા આવીને તેઓ પ્રણામ કરીને વાસુદેવને કહેવા લાગ્યા, “ દેવ ! અમે તમારી આજ્ઞાને વશ છીએ; અમારા અપરાધ ક્ષમા કરો. ” પછી હર્ષિત માનસવાળા ત્રિપૃષ્ઠે પ્રસન્ન વદનચ' વડે તેમને અભય આપ્યુ અને ‘મારી બાહુચ્છાયા વડે રક્ષાયેલા તમે પાતપેાતાનાં રાજ્યમાં સુખેથી રા' એમ કહીને તેમના ચેગ્યતા અનુસાર સત્કાર કર્યા. પછી વિદ્યાધરી સહિત ભરતક્ષેત્રના રાજાએ અત્યંત પ્રીતિવાળા થઈને ત્રિપૃષ્ઠનેા અભિષેક કરવા લાગ્યા. મેટા સૈન્ય સહિત સેાળ હજાર રાજાએ જેની પાછળ પાછળ આવતા હતા એવા તે બલભદ્રદેશ તરફ ચાલ્યે.. એક ચેાજન લાંબી અને એક યેાજન પહેાળી કોટિશિલાને તેણે વિના યત્ને લીલાપૂર્વક પેાતાના એ હાથ વડે છત્રની જેમ ધારણ કરી. તેનું એ ગુણમાહાત્મ્ય જોતા રાજાએ પરમ વિસ્મય પામ્યા. સતુષ્ટ થયેલા તેઓએ ત્રિપૃષ્ઠને દાસ-દાસીઓ સહિત કન્યા આપી. સેાળ હજાર દેવીઓમાં સ્વયં પ્રભા પટ્ટરાણી થઈ. જ્વલનજટી વિદ્યાધરાને અધિપતિ થયા. રત્નમાલા જેવી દેદીપ્યમાન વિદ્યુત્પ્રભની વ્હેન જ્યેાતિમાલાને ત્રિપૃષ્ઠ - કીર્તિને માટે લાવ્યેા. પ્રણામ કરતા હજારા રાજાઓના મુકુટમણિનાં કિરણુજળ વડે જેના પાદપીઠ ઉપર અભિષેક થતા હતા એવા ત્રિપૃષ્ઠના સમય આ પ્રમાણે વિષયસુખ અનુભવતાં વીતવા લાગ્યું. શ્રીશાન્તિનાથની પૂર્વ ભવકથામાં અમિતતેજના ભવ, શ્રીવિજય આદિના સંબંધ સ્વય’પ્રભાએ પ્રજાપતિના કુળરૂપી આકાશના સૂર્ય સમાન શ્રીવિજય અને વિજયભદ્ર એ એ પુત્રાને તથા કમલવાસિની લક્ષ્મી જેવી સુરૂપ, વાદળાંઓના પટમાંથી નીકળેલા ચંદ્રના ખંખ જેવી કીર્તિમાન અને લક્ષણશાસ્ત્રમાં પ્રશંસા પામેલા ઉત્તમ રૂપવાળી ચૈાતિપ્રભા નામની કન્યાને જન્મ આપ્યું. અર્ક કીર્તિને જ્યેાતિમાલાથી સુરકુમાર જેવા મનેાહર શરીરવાળા અને વાદળાંના પટલમાંથી નીકળેલા દિવાકર સૂર્ય જેવા તેજસ્વી અમિતતેજ નામે પુત્ર થયા, અને પેાતાની ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારી દેવાંગનાઓને પણ વિસ્મય પમાડનારી અને જેના શરીર અને લક્ષણના ગુøાનુ લાંબા કાળે વર્ણન કરી શકાય એવી સુતારા નામે પુત્રી થઇ. પછી અભિન ંદન અને જગનદન ચારણશ્રમણેાએ કહેલુ' સંસારનું સ્વરૂપ સાંભળીને જ્વલનજટી રાજા અકીકતને રાજ્યલક્ષ્મી સાંપીને શ્રમણુ થયેા. જ્યેાતિપ્રભા કન્યાને યૌવનમાં આવેલી જોઇને ત્રિપૃષ્ઠ વાસુદેવે વિપુલમતિ, મહામતિ, સુબુદ્ધિ અને સાગર એ ચારે મંત્રીઓની સલાહ લઈને, સ્વયંવર રાપીને સર્વ રાજાઓને ખબર આપી, અને અકીર્તિને સૂચના આપી—“ વિદ્યાધરા સહિત તારે જ્યેાતિપ્રભાના આ સ્વયંવરમાં વિના વિલ`એ હાજરી આપવી. ” જેણે ( પુત્રીને પરણાવવારૂપ ) પોતાના કાર્યને નિશ્ચિત કર્યું નથી એવા અકીર્તિ એ સચિવા Page #467 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : k સાથે મંત્રણા કરીને ત્રિપૃષ્ઠને સમાચાર માકલ્યા કે, હું તમને વિનંતી કરું છું, કૃપા કરા; સુતારા કન્યાને પણ તમારા ચરણમાં એકત્ર થયેલા રાજાઓમાં સ્વયંવર આપે. ” ત્રિપૃષ્ઠ પણુ ‘ ભલે ’એમ કહીને તે સ્વીકાર્યું. પછી રાજાએ એકત્ર થયા. અર્કકીતિ અમિતતેજ કુમાર અને સુતારા કન્યાને લઇને ભારે સમૃદ્ધિપૂર્વક પાતનપુર આવ્યેા. રાજાઓને ચાગ્યતા પ્રમાણે ઉતારા આપવામાં આવ્યા. સૂચવવામાં આવેલાં સ્થાનામાં તે રહ્યા. પછી, કમળથી ઢાંકેલા કનકના જળપૂર્ણ કુભા જેની બન્ને બાજુએ મૂકવામાં આવેલા છે. એવી મણિમંડિત કમાન વડે અલંકૃત, સરસ અને સુગંધી પુષ્પમાળાઆથી વીંટાયેલા સેંકડો સ્ત ંભાથી યુક્ત, સુવર્ણ કમળની માળાઓવાળી પૂતળીઓના જેમાં મોટા સમૂહ છે એવા, પાંચ વર્ણનાં પુષ્પો વડે જેની ભૂમિ ઢંકાયેલી છે એવા તથા ઘ્રાણુ અને મનને પ્રિય લાગે એવા ધૂપથી મઘમઘતા સ્વયંવરના મંડપ સજ્જ કરવામાં આવ્યેા. પછી પાતપેાતાનાં ચિહ્નોવડે અલંકૃત અને વિભૂષિત થયેલા વિદ્યાધરા સહિત રાજાએ, દેવકુમારની જેમ, મચ ઉપર બેઠા. પછી. સાક્ કરવામાં આવેલા તથા પાણીથી છાંટેલા અને સ્વચ્છ, ઊંચી કરવામાં આવેલી પતાકાએના સમૂહવડે સુશોભિત, તથા જળ અને સ્થળમાં થયેલાં પુષ્પા વેરેલાં હોવાથી હસતા હાય તેવા પાતનપુરના રાજમાર્ગ ઉપર થઈને ત્રિપૃષ્ઠ રાજા સર્વ પ્રધાનમંડળની સાથે ચિત્રા અને સ્વાતિનક્ષત્રની જેમ શાભતી, વિદ્યાધરા વડે વસાયેલાં વિમાન જેવી શિબિકામાં બેઠેલી તથા સેંકડા માંગલેા વડે સ્તવન કરાતી જ્યેાતિપ્રભા અને સુતારા કન્યાઓને ભારે સમૃદ્ધિપૂર્વક આગળ કરીને નીકળ્યેા, અને મંડપમાં પહોંચ્યા. કન્યાઓ શિબિકાઓમાંથી નીચે ઊતરી. વિશેષ વિસ્મય વડે સુન્દરતર નયનકમળવાળા રાજાઓએ તેમને જોઇ. પછી ચિત્રકરીએ તેમને પ્રત્યેક રાજાનાં કુલ, શીલ, રૂપ અને જ્ઞાન કહેવા લાગી. પેાતાની દ્રષ્ટિથી તે રાજાએ તરફ જોતી અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્ર તરફ્ જતી ગંગા અને સિન્ધુ જેવી તે બે કન્યાએ અનુક્રમે અમિતતેજ અને શ્રીવિજય પાસે ગઇ. તેમાં તેમની દ્રષ્ટિએ ઠરી અને હૃદય પ્રસન્ન થયાં. કન્યાએએ રત્નમાલાએ અને કુસુમમાલાએ વડે તેમનું અર્ચન કર્યું. પૃથ્વીપતિઓએ કહ્યું, “ અહા ! ઉત્તમ વરણી થઈ, પાયસમાં ઘીની ધારાએ પડી અને ઉદ્યમ સાથે સિદ્ધિએ જોડાઇ. ” પછી પ્રશસ્ત તિથિ, કરણ અને મુહૂર્તોમાં તેમનાં વિવાહેતુક કરવામાં આવ્યાં. જેમને સત્કાર કરવામાં આવ્યેા હતેા એવા રાજાઓને વિદાય આપવામાં આવી. જેમણે વૈભવ અને ધન વહેંચ્યાં નથી એવા અમિતતેજ અને શ્રીવિજયના સમય વિષયસુખના અનુભવ કરતાં વીતવા લાગ્યા. અભિનંદન અને જગનદન ચારણશ્રમણેાને પેાતાના નગરમાં સમેાસરેલા સાંભળીને વિદ્યાધરાના અધિપતિ કીતિ તેમને વાંદવાને ગયા. અભિનદન શ્રમણ તેને વિષયાના ઢાષા કહેવા લાગ્યા, જેમકે-“ શબ્દાદિ ઇન્દ્રિયવિષયામાં આસકત થયેલાં પ્રાણીએ ઘણું Page #468 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [૪૧૩ ] પાપ ઉપાર્જન કરે છે અને તે વડે સંચિત કરેલ બદ્ધ, પૃષ્ટ અને નિકાચિત કર્મ વડે કરીને દુઃખથી ભરેલા આ સંસારમાં ભમે છે.” આથી જેને સંવેગ પ્રાપ્ત થયો છે એવા અકીતિએ રાજ્યનો ત્યાગ કરીને તથા રાજ્યના ઉપર અમિતતેજને અભિષેક કરીને દીક્ષા લીધી. જેણે કામગને ત્યાગ કર્યો નથી એવો વિપૃષ્ઠ પણ કાલધર્મ પામે. કોઈ એક વાર સુવર્ણકુંભ નામે અણગાર પોતાના ગણસહિત પિતનપુરમાં આવ્યા. તે સાંભળીને અચલ આદરપૂર્વક નીકળ્યો અને સાધુને વંદન કરીને પૂછવા લાગ્યા, “ભગવન! મારા પ્રિય ભાઈ ત્રિપૃષ્ઠની ગતિ કહે.” એટલે સાધુએ અવધિથી જોઈને કહ્યું, “અચલ! જેણે આવકારને રોકયું નહોતું એવો ત્રિપૃષ્ઠ રોદ્ર અધ્યવસાયથી ઘણું અશાતાવેદનીય કર્મ ઉપાજીને, નરકનું આયુષ્ય બાંધીને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયે છે, અને ત્યાં પરમ અશુભ તથા જેની ઉપમા આપી શકાય નહીં એવી વેદના નિરંતર અનુભવે છે. ” આ પ્રમાણે કહેવામાં આવતાં અચલ મૂછ પામ્યું. તેને ભગવાને આધાસન આપ્યું અને કહ્યું, “તું વિષાદ કરીશ નહીં. આદિતીર્થકર ભગવાન ઋષભદેવે ત્રિપૃષ્ઠને માટે તે પહેલે વાસુદેવ અને છેલ્લો તીર્થ કર થશે એમ કહેલું છે, તે એ પ્રમાણે જ થશે. સંગનો અંત વિયોગમાં જ આવે છે. પ્રાણીને પોતે કરેલાં શુભાશુભ કર્મો તિર્યંચ, માનવ અને દેવની તે તે યોનિઓમાં અનુભવતાં કારણવશાત એકબીજા પ્રત્યે પ્રીતિ અથવા વેર થાય છે. એમાં કોઈ નિયમ નથી (અર્થાત આજે પ્રીતિ કે વેર હોય એટલે કાલે એ પ્રમાણે જ રહે એવું નથી). વળી શોક કઈ પ્રજનને સિદ્ધ કરતે નથી, કેવળ ધર્મ, અર્થ અને કામને ક્ષીણ કરે છે, માટે બુદ્ધિમાન પુરુષે તેને ત્યાગ કરવો અને પિતાના હિતમાં આદર કરે.” સુવર્ણકુંભ અણગાર આ પ્રમાણે બલ્યા, એટલે અચલે તેમને વંદન કરીને કહ્યું, “હું તેમ કરીશ, પહેલાં પુત્રોને રાજ્યાધિકારમાં નિયુક્ત કરું.” પછી શ્રીવિજયને રાજા તરીકે અને વિજયભદ્રને યુવરાજ તરીકે રાજ્યાભિષેકથી અભિષેક કરીને અચલે ઘણા રાજાઓના પરિવાર સહિત સુવર્ણકુંભ અણગારના ચરણમાં દીક્ષા લીધી, અને પરમ સંવિગ્ન એવો તે સૂત્ર અને અર્થનો અભ્યાસ કરીને, તપસંયમમાં સ્થિર રહીને વિહરવા લાગ્યું. શ્રીવિજય પણ વાસુદેવના જેવા ભેગો ભેગવવા લાગ્યા. જાણે દેવગણની મધ્યમાં રહેલ ઇન્દ્ર હોય તેમ હજારો રાજાઓ વડે વીંટળાયેલે શ્રીવિજય એક વાર સભામાં બેઠો હતો. ત્યાં સામ્ય રૂપવાળો એક બ્રાહ્મણ આવીને જ્યાશીષ આપીને કહેવા લાગ્યા, “સાંભળે, હું તિષવિદ્યાને પારગામી છું, તેથી જ્ઞાનચક્ષુથી મેં જે જોયું છે તે સાંભળવાને તમે ચગ્ય છો. પિતનપુરના અધિપતિના મસ્તક ઉપર આજથી સાતમે દિવસે વીજળી પડશે, એમાં શક નથી.” આમ બોલીને તે ઊભે રહ્યો. પછી મહાદેષવાળું તે વચન સાંભળીને આખી સભા તથા રાજાઓ ક્રોધ પામ્યાં. રેષથી ભરેલાં નયનેવાળા વિજયભટ્ટે કહ્યું, “જ્યારે પિતનપુરના અધિપતિના Page #469 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૪ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : : માથે વીજળી પડશે ત્યારે તારા માથે શું પડશે ? ” એટલે તેણે જવાબ આપ્યા, “ દેવ! કાપ કરશે! નહીં, એ સમયે મારા ઉપર આભરણેાની વર્ષા થશે. ” તેણે આમ કહ્યું, એટલે ભયભીત હૃદયવાળા શ્રીવિજય રાજાએ કહ્યુ, “ આ ! તમને વિદ્યાપ્રાપ્તિ કયાંથી થઈ ? ” અશકિત એવા તે બ્રાહ્મણ ખેલ્યું, “ સાંભળેા, જ્યારે ખલદેવસ્વામીએ (અચલે) દીક્ષા લીધી ત્યારે હું શાંડિલ્યાયન પણ મારા પિતાની સાથે પ્રત્રજિત થયા હતા. મે અષ્ટાંગ મહાનિમિત્તના અભ્યાસ કર્યો. પછી વિહાર કરતા હું પદ્મિનીખેટમાં આવ્યા. ત્યાં મારી ફ્રાઇ હિરણ્યલામા અને તેની પુત્રી ચંદ્રયશા છે. ચંદ્રયશા ખાલ્યાવસ્થામાં હતી ત્યારે જ તેનું વાગ્યાન મને કરવામાં આવ્યુ હતુ. આથી તેને જોઇને મ ંદપુણ્યવાળા એવા હું ક ભારની ગુરુકતાથી ીક્ષામાંથી ચૂકી ગયા. વિષયસુખના અભિલાષી એવેાહુ મહાન ધનપ્રાપ્તિના આ સમય જોઈને અહીં આવ્યા છે. "" ' ' પછી તેનું વચન પૂરું' થયુ, એટલે મંત્રીએ શ્રીવિજયના ભયનુ નિવારણ કરવા માટે વિચાર કરવા લાગ્યા. એક એલ્યે, “સમુદ્રમાં વીજળી કઇ કરી શકતી નથી, માટે સ્વામીને જલદી ત્યાં લઇ જાએ.” બીજાએ કહ્યુ, “દુ:ખમાકાળમાં પણ વૈતાઢ્ય પર્વત ઉપર વીજળી કે વા પડતાં નથી; ત્યાં ગુપ્ત પ્રદેશમાં આટલા દિવસેા ગાળી નાખવા જોઇએ. ’ ત્રીજા ખેાલ્યા, “ ભાવીને ઉદ્યઘવાનું શકય નથી. સાંભળે-એક બ્રાહ્મણ હતા. ઘણી માનતા કરવાથી તેને પુત્ર થયા હતા. તે ગામમાં એક રાક્ષસને કુટુંબના અનુક્રમે ખાવાને માટે માણુસ આપવામાં આવતા હતા. તેમાં બ્રાહ્મણને વારે। આવ્યે. આથી બ્રાહ્મણી ભૂતગૃહની પાસે રાતી હતી. આથી ભૂતાને અનુક ંપા થઇ. ભૂતાએ કહ્યું, ‘તું રડીશ નહીં, તારા પુત્રનું રાક્ષસથી રક્ષણ કરીશું. ' પછી છેાકરાને રાક્ષસ આગળ લઇ જવામાં આવ્યા, પણ ભૂતાએ તેને ત્યાંથી ઉપાડીને ગુફામાં રાખ્યા. પછી ભૂતા જઇને કહેવા લાગ્યાં, ‘તારા પુત્રને અમુક સ્થળે રાખેલા છે, ' પણ ત્યાં એ છેાકરાને અજગર ગળી ગયા. પણ એમ સાંભળવામાં આવે છે કે-તપ વડે ઘાર ઉત્પાતાને રાકવાનું પણ શકય છે,' માટે આપણે સર્વે સ્વામીની શાન્તિ માટે તપ કરીએ,’ચાથાએ કહ્યું, “ પાતનપુરના અધિપતિ ઉપર વીજળી પડશે એમ બ્રાહ્મણે કહ્યું છે, શ્રીવિજય રાજા ઉપર પડશે એમ કહ્યું નથી, માટે સાત રાત્રિ માટે બીજાને રાજા તરીકે સ્થાપિત કરીએ તા સારું. ” પછી નૈમત્તિકે કહ્યુ, “ શાખાશ, મહામંત્રી! એમજ કરવું જોઈએ; રાજાના જીવનનું રક્ષણ કરવા નિમિત્તે હું પણ આવ્યેા છું. નિયમમાં રહેલા રાજા ઉપસને નિષ્ફળ કરશે. ” નૈમિત્તિકનુ વચન સ્વીકારીને અંત:પુર સહિત રાજા જિનાયતનમાં આવ્યા. પ્રજા સહિત મંત્રીએ તેની જગાએ વૈશ્રમણની પ્રતિમાના અભિષેક કર્યો, અને રાજા તરીકે ૧. મૂળમાં વિદ્યા પાઠ છે, તેને વિન્ન કર્યા છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંભક [ ૪૧૫ ] તેની સેવા થવા લાગી. દર્ભના સંથારામાં રહેલે તથા સંવિગ્ન એ શ્રીવિજય પણ સાત રાત્રિ સુધી આરંભ અને પરિગ્રહને ત્યાગ કરીને તથા બલાચારી રહીને પૌષધ પાળવા લાગ્યા. જળના ભાર વડે ગુરુક, પવનના વેગથી વિસ્તાર પામતા, વીજળીથી પ્રકાશિત થયેલાં પડખાંવાળા તથા ભયજનક અને નિષ્ફર ગજિત-શબ્દવાળા મેઘ સાતમે દિવસે ચારે બાજુ પેદા થયા. પછી મધ્યાહનકાળે મહેલન અને વૈશ્રમણની પ્રતિમાને સૂર કરતી વીજળી પડી. “નમો અરિહંતાણું' કહીને પ્રજાએ રાજાને અભિનંદન આપ્યાં, અને રાજા પૈષધશાળામાંથી બહાર નીકળે. સંતુષ્ટ થયેલા પરિજનોએ, રાહુના મુખમાંથી નીકળેલ જાણે ચંદ્ર હોય એવા તેને જે. બ્રાહ્મણ શાંડિલ્યાયન ઉપર રાજાએ અને અંતઃપુરમાં વસનારી રાણીઓએ આભરણની વૃષ્ટિ કરી. તેને સત્કાર કરીને તથા પશ્વિની ખેટનગર તથા વૈશ્રમણની પ્રતિમા આપીને તેને વિદાય કર્યો. પછી અંતઃપુરમાં રહેલો નિરદ્વિગ્ન એવો શ્રીવિજય ઉપવનમાં અને કયારેક વિદ્યાધરશ્રેણિઓમાં ઈચ્છાનુસાર વિહાર કરવા લાગ્યા. એક વાર સુતારા દેવી સાથે તે તિવનમાં ગયા હતા. ત્યાં વિચરતાં તેણે જાણે રત્નથી જડેલા હોય તેવા મૃગને જોયો. સુતારાએ તેને વિનંતી કરી, “સ્વામી ! આ મૃગબાળકને પકડે; અતિરૂપસ્વી એ તે મારું ક્રીડનક-રમવાની વસ્તુ થશે. ”તેના મતને અનુસરતો શ્રીવિજય મૃગની પાછળ જવા લાગ્યા. મૃગ આઘા જવા લાગ્યું અને થોડે દૂર જઈને તે ઊડ્યો. આ બાજુથી શ્રીવિજયે દેવીને ભયશબ્દ સાંભળે કે, “મને કુફ્ફટ સર્પ કરડ્યો છે, તે સ્વામી! મને બચા” જેનું કાર્ય થયું નથી એ શ્રીવિજય તે સાંભળીને પાછો વળ્યો અને ધરતી ઉપર પડેલી સુતારાને તેણે જોઈ. મંત્ર અને ઔષધ વડે તે સુતારાની ચિકિત્સા કરવા લાગ્યો, પણ મન્ટોષની કારી ચાલી નહીં. પછી જેની આંખ ભમી ગઈ છે એવી સુતારા ક્ષણમાત્રમાં મરણ પામી. વિષાદ પામેલે, વિલાપ કરતે તથા જેણે મરવાનો નિશ્ચય કર્યો છે એ શ્રીવિજય ચિતા રચીને, તેમાં અગ્નિ મૂકીને, દેવી સુતારાને લઈને ચિતા ઉપર ચઢ્યો. તેના કેશ વડે પિતાને બાંધીને તે રહ્યો અને “બીજા ભવમાં પણ આ મારી પ્રિયા થશે” એમ શોચતે બેઠે. આજુબાજુ, પિતનપુરમાં ઘેર ઉત્પાત પેદા થયા, સહસા ધરતી કંપી, ઉલ્કાઓ પડી, મધ્યાહુને પણ સૂર્ય નિસ્તેજ થઈ ગયે, પર્વને દિવસ-અમાસ નહીં હોવા છતાં પણ રાહુએ સૂર્યને ઘાસ કર્યો, રજ વડે દિશાઓનાં મુખે છવાઈ ગયાં, કઠોર પવન વાયા, પ્રજા ઉદ્વિગ્ન થઈ, યુવરાજ સહિત રાજાઓ અને અંત:પુરનાં જન ક્ષોભ પામ્યાં તથા સ્વયંપ્રભા ગભરાઈ ગઈ. હવે, તે દેશકાળમાં આ ઉત્પાત જોઈને શશબિન્દુ નૈમિત્તિકે કહ્યું, “આ જે Page #471 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ઉત્પાતો થાય છે તે રાજા ઉપરનો તીવ્ર ભય નિવેદન કરે છે. અત્યારે શ્રીવિજયનું જીવન જોખમમાં છે, માટે તેની જલદી શોધ કરો.” તે સાંભળીને ભયથી સંજાન્ત અને કિ કર્તવ્યમૂઢ થયેલા રાજાઓ પરિજનોની સાથે ઊભા રહ્યા. તે સમયે પશ્ચિની બેટ વાસી, તિષપારગામી શાંડિત્યાયન “ડરશે નહીં” એમ બેલતે રથમાં બેસીને આવી પહોંચે. લોકોએ પણ તેની તરફ મુખ કર્યું. તે પણ સ્વયંપ્રભા દેવીને વધામણું કરીને, આશ્વાસન આપતે આગળ ઊભો રહ્યો. દેવીએ તેને વિનયપૂર્વક પૂછયું, “આર્ય! શ્રીવિજય રાજાને ક્ષેમ અને આરોગ્ય હશે?” એટલે નૈમિત્તિકે કહ્યું, “મહારાજને કુશળ છે, ઘણા કાળ સુધી તેઓ પ્રજાઓને પાળશે. એમને માત્ર માનસિક દુઃખ હતું, થેંડીક વારમાં તેમના સમાચાર આવશે.” તેનું એ વચન સાંભળીને પરિવાર સહિત સ્વયંપ્રભા શાન્ત થઈ. થોડીક વાર પછી ચપલ ગતિવાળો અને વિદ્યુત સમાન ઉજજવળ કુંડલવાળે કઈ પુરુષ ગગનમાર્ગે આવતો દેખાયો. તે જોઈને વિસ્મત થયેલા સર્વે તેને અવલકવા લાગ્યા. પેલે પુરુષ એ સ્થળમાં આવે અને “મને અનુજ્ઞા આપો” એમ કહીને નીચે ઊતર્યો. પછી પાસે આવી જયાશીષ આપીને તે કહેવા લાગ્યા, “શ્રીવિજય રાજાને કલ્યાણ છે, મેટા પ્રાણત્યાગ–મૃત્યુમાંથી તે બચ્યા છે.” તેને પૂછવામાં આવ્યું, “કેવી રીતે ?” એટલે તે કહેવા લાગ્યું– સંન્નિશ્રોત નેમિત્તિક પુત્ર હું દીપશિખ નામે છે. વૈતાઢ્યના શિખર ઉપર રથનપુરચક્રવાલના અધિપતિના ઉદ્યાનની શોભા અનુભવીને અમે પિતા-પુત્ર અમારા તિવન પ્રદેશ તરફ જતા હતા. ત્યાં ચમરચચાના અધિપતિ અશનિઘોષને કોઈ સ્ત્રીને હરી જતાં અમે જે. પછી તે સ્ત્રી “હા શ્રીવિજય! હા અમિતતેજ! મારું રક્ષણ કરો, અશરણ અને અવશ એવી મારું હરણ થાય છે. એ પ્રમાણે આક્રંદ કરતી હતી. તે સાંભળીને અમે પાછળ પડ્યા તે, ગ્રહથી અભિભૂત જાણે ચિંતા હોય તેવી આપશ્ચત સુતારા દેવીને અમે જોઈ. “હે દુરાચારી! તારા આ પ્રયત્ન દુષ્ટ છે; હવે તારું કંઈ નહીં ચાલે!” એમ બોલતા અમે બન્ને જણા યુદ્ધ કરવાને તૈયાર થયા. પણ સુતારાએ અમને કહ્યું, “યુદ્ધ કરવાથી બસ થાઓ; તમે જલદી તિવનમાં જાઓ, ત્યાં સ્વામી વેતાલવિવાથી પિડાય છે; જીવતા એવા તેમનું તમે આશ્વાસન કરી શકો તે પ્રયત્ન કરો.” પછી અમે તેના વચનથી જલદી તિવનમાં પહોંચ્યા. અગ્નિની જવાળાઓ વડે વીંટાયેલ, જાણે સુવર્ણમય હોય તેવા રાજાને અમે દેવીને પ્રતિરૂપ (બનાવટી દેવી) સાથે જોયા. મારા પિતાએ વિદ્યાથી મંત્રેલા પાણી વડે ચિતા છાંટી, એટલે વેતાલવિદ્યા અટ્ટહાસ્ય કરીને નાસી ગઈ. વિસ્મિત થયેલા શ્રીવિજયે પૂછયું, “આ શું છે ? ” અમે દેવીના હરણની વાત તેમને કરી. આથી તે ખૂબ વિષાદ પામ્યા, એટલે Page #472 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૧૭ ] મારા પિતાએ તેને કહ્યું કે, “ તમારે શેક ન કરે, થોડા સમયમાં તે અશનિષ તમારે પગે પડશે.” એ સમયે તમને સમાચાર આપવા માટે મારા પિતાએ મને મોકલ્યા.” પત્રની જેમ પ્રમાણપૂર્વક કુશળ સાંભળીને રાજમાતા સ્વયંપ્રભાએ બને નૈમિત્તિકને સત્કાર કર્યો. “દૂત મોકલજે” એ પ્રમાણે વિજયભદ્રને સૂચના આપીને, મરીચિ મહત્તરક તથા દીપશિખ નૈમિત્તિકની સાથે તે આકાશમાર્ગે ઊડી અને તિવનમાં ગઈ. બૃહસ્પતિ સહિત ચન્દ્ર હોય તેવા, સંન્નિશ્રોત્ર સહિત શ્રીવિજયને તેણે જોયો. તેણે માતાને પ્રણામ કર્યા. માતાએ પણ આંસુ સારીને તેને અભિનંદન આપ્યાં, એટલે તેણે જે અનુભવ્યું હતું તે કહ્યું. એટલામાં યુવરાજ-વિજયભદ્ર સૈન્ય સહિત આવી પહોંચે અને પ્રણામ કરીને વિનવવા લાગે, “વિવાદથી બસ કર, હવે સુતારા દેવીને છોડાવવાનો ઉપાય વિચારો.” તેનું સમર્થન કરી રાજાએ તેને પાછો પોતાના નગરમાં મોકલ્યા. પિતાના સહિત પાંચમી શ્રી વિજય ગગનમાર્ગે જલદી જઈને રથનપુરચક્રવાલ નગરમાં પ્રવેશ્યા. તેઓ અમિતતેજને મળ્યા અને બધી વાત તેને નિવેદન કરી. તે વૃત્તાન્ત સાંભળીને સંબ્રાન્ત થયેલા અમિતતેજે શ્રીવિજય સાથે નક્કી કરીને તથા મંત્રીઓ સાથે મંત્રણા કરીને મરીચિ દૂતને ચમરચંચા નગરીમાં અશનિષ પાસે મોકલ્યો. તેણે સૂચના મુજબ અશનિઘોષને કહ્યું કે, “સુતારા દેવીને મોકલે. ” પણ અશનિષે તે સ્વીકાર્યું નહીં. પછી, “આ વસ્તુ તમારે માટે હિતકારી નથી ” એમ કહીને દૂત પાછો વન્ય અને અમિતતેજને વાત કરી. તે સાંભળીને શુદ્ધ થએલા તેણે યુદ્ધના આરંભની તૈયારી કરી. શ્રીવિજયને તેણે વિદ્યાઓ આપી–પ્રહરણાવરણ અને બંધનમાની. એમાંની પ્રત્યેક વિદ્યા સાત રાત્રિ સુધી જાપ કરીને તેણે સાધી. વિદ્યાસિદ્ધ એવા શ્રીવિજયને અમિતતેજે (પિતાના) પુત્રની સાથે મોકલ્યા. આ સામંતે પણ મોકલ્યા, જેમકે રશ્મિવેગ, અમિતવેગ, આદિત્યયશ, અર્ક કીર્તિ, અર્કરથ, એકરથ, ચિત્રરથ, ભાનુસેન, ભાનુપ્રભ, ભાનુવેગ, ભાનુદેવ, અર્કપ્રભ, અર્કદેવ, દિવાકરપ્રભ, દિવાકરેદેવ, પ્રભાકર વગેરે પાંચસે અને બીજા પણ બળવાન વિદ્યાધરે (મોકલવામાં આવ્યા). તે મહાપ્રભાવશાળી વિદ્યાધર વડે વીંટળાયેલે શ્રી વિજય અમરચંચા ગયે. અશનિષને વિદ્યામાં પિતાનાથી અધિક જાણીને અમિતતેજ રાજા સર્વ વિદ્યાનું છેદન કરનારી મહાકાલ વિદ્યાની સાધના માટે તૈયારી કરવા લાગ્યો. પછી તે સહસ્રરમિ–સૂર્ય સમાન પોતાના પુત્ર સહસ્રરમિ સાથે વિદ્યાસાધન માટે) હીમંત પર્વત ઉપર ગયે. ત્યાં ભગવાન સંજયંત અને નાગરાજ ધરણની પ્રતિમાઓ છે. તેમના ચરણમાં માસિક ભક્તથી, સસરાત્રિકી પ્રતિમાથી (અમિત ૧. સંભિન્નોત્ર અને દીપશિખ એ બે નૈમિત્તિક, મરીચિ મહત્તરક, રાજમાતા સ્વયંપ્રભા અને શ્રી વિજય પિત–એ પ્રમાણે પાંચ જણ. ૫૩ Page #473 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - [ ૪૧૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : તેજ આરાધના કરવા લાગે); સહસ્રરમિ તેનું રક્ષણ કરતા હતા. આ પ્રમાણે અમિતતેજની વિદ્યાના સાધન માટેની તૈયારી હતી. આ બાજુ, શ્રીવિજયને આવેલે જાણીને અશનિષે પોતાના યુદ્ધસજજ પુત્રો શતષ, સહસૉષ, મહાઘેષ, ભીમશેષ આદિને મોટી સેના સાથે મોકલ્યા. તેમની તથા પરિવાર સહિત શ્રીવિજયની વચ્ચે એક માસથી કંઇક ઓછા સમય સુધી સ્વાભાવિક તેમજ વિદ્યાવિકપિત તથા શસ્ત્રોથી સંકુલ એવું યુદ્ધ થયું. અશનિષના પુત્ર નાસી ગયા. પછી તેમને નાઠેલા જોઈને અત્યંત રોષ પામેલે અશનિષ વિદ્યાધરોની સાથે નીકળે. તે શ્રીવિજયની સામે આવ્યો. રેષાવિષ્ટ તથા જેને પ્રહાર નિષ્ફળ જતે નથી એવા શ્રીવિજયે તેના ઉપર ખડ્ઝથી ઘા કર્યો અને બે ટુકડા કર્યા, એટલે બે અશનિષ થયા. ફરી પાછો શીઘ્રતાથી ઘા કર્યો, એટલે તે બન્નેના ચાર અશનિષ થયા. એ પ્રમાણે જેમ જેમ પ્રહાર કરવામાં આવતો તેમ તેમ અશનિઘોષની સંખ્યા વધતી. અનેક અશનિષ જઈને વિસ્મિત થયેલ શ્રી વિજય પ્રહાર કરતાં થાકી ગયે. માયાવી અશનિષે ભયંકર પરાક્રમથી શ્રીવિજયની સેનાને પરાજિત કરી. હવે, તે સમયે અમિતતેજને મહાજાલિની વિદ્યા સિદ્ધ થઈ. એટલે તે જલદી ચમરચંચા આવ્યું. અમિતતેજને આવતે જોઈને શ્રીવિજયના પક્ષની કુમારસેનાને (અમિતતેજના પુત્રની સેનાને) ધીરજ આવી. હવે, તે અશનિષ સિદ્ધ વિદ્યાવાળા અને મહાપ્રભાવવાળા અમિતતેજને જોઈને, હદયમાં ડર પામીને, સર્વ જનનો ત્યાગ કરીને નાસી ગયે. તેના પક્ષના વિદ્યાધરો પણ સર્વ દિશાઓમાં નાસી ગયા. “ જ્યારે તેઓ પલાયન ન કરે ત્યારે તેમના ઉપર આક્રમણ કરજે” એમ કહીને અમિતતેજે મહાજાલ વિદ્યાને રજા આપી. “એને તું છોડીશ નહી” એમ કહીને અશનિષ ઉપર વિદ્યામુખી વિદ્યા મૂકી. મહાજાલ વિદ્યાથી મોહિત થયેલા અને જેમની ગતિમાં ભંગ થયે છે એવા વિદ્યાધર શરણાગત વત્સલ અમિતતેજને શરણે આવ્યા. વિદ્યામુખી વિદ્યા વડે પી છે કરાતે અને શરણસ્થાન નહીં પામતે અશનિષ દક્ષિણાર્ધભારતમાં ઊતર્યો. ત્યાં સીમણગ પર્વત ઉપર નાભિરાજાના પુત્ર, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું આયતન છે, તથા ભગવાનના સમોસરણ-સ્થાનમાં ગજ ધ્વજ સ્થાપવામાં આવે છેત્યાં તે પહં. ચૌદ પૂર્વરૂપ સમુદ્રના પારગામી થયેલા અને ઉત્તમ સંયમ ગ વડે પિતાની જાતને ભાવતા તથા તે સમયે, તે પ્રદેશમાં એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને રહેલા અચલ બલદેવને મોહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણ થતાં વિમલ, અનંત અને અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. નજદીકમાં રહેલા દેવ ઉત્સવ કરવાને આવ્યા. દેવસંપાતને જોઈને અભિનંદન, જગવંદન, જવલન જટી, અર્ક કીર્તિ, પુષકેતુ, વિમલમતિ આદિ એ ચારણશમણે આવ્યા અને Page #474 -------------------------------------------------------------------------- ________________ તુમતી સંભક [ ૪૧૯ ] પ્રસન્ન મનવાળા તથા “ભગવાન કેવલીને નમસ્કાર” એમ બોલીને વંદન કરતા તેઓ પ્રદક્ષિણા કરીને ઊભા રહ્યા. અમિતતેજ વડે મૂકાયેલી વિદ્યાથી હેરાન કરાતે અશનિષ પણ બલભદ્રને શરણે આવ્યું, એટલે વિદ્યામુખી વિદ્યાએ તેને છોડ્યો. પછી વિદ્યામુખીએ આ વતુ અમિતતેજને નિવેદન કરી. તેણે પણ મરીચિને મોકલ્યા કે, “સુતારાને લઈને બલભદ્રના સમોસરણમાં જલદી આવ.” પછી વિદ્યાધરો અને વિદ્યાધરના અધિપતિઓ સહિત અમિતતેજ સીમણુગ ઉપર પહોંચે, અને કેવલીને તથા ચારણ મહર્ષિઓને પરમ ભક્તિથી વંદન કરીને હાથ જોડીને ધરતી ઉપર બેઠો. ચમચંચા ગયેલા મરીચિએ નિયમ અને ઉપવાસમાં રત એવી સુતારાને અશનિષની માતા પાસે જઈ. અશનિઘોષની માતા પણ તેને લઈને તે પ્રદેશમાં–સીમણગ પર્વત ઉપર પહોંચી. તેણે શ્રી વિજય અને અમિતતેજને સુતારા સોંપી. એ સમયે શ્રી વિજય અને અમિતતેજને જોઈને અશનિષે તેમને ખમાવ્યા. પછી જેમનાં વેર દૂર થયાં છે એવા એ સર્વ દે અને અસુરો ભગવાન કેવલીને મહિમા કરીને તેમને સંશયે પૂછવા લાગ્યા. ત્યાં કથાન્તરમાં અશનિષ અમિતતેજને વિનંતી કરી, “સ્વામી! જે કારણથી મેં સુતારા દેવીનું હરણ કર્યું તે સાંભળે એક સપ્તાહના ઉપવાસ કરીને, ભગવાન સંજયંતના આયતનમાં ભ્રામરી વિદ્યા સાધીને પાછો વળતો હું તિવનની પાસેથી પસાર થતો હતો. તારા જેવી કાતિવાળી સુતારા દેવીને મેં ત્યાં જોઈ. તેને જોતાં મને પરમ સ્નેહાનુરાગ ઉત્પન્ન થયે. ત્યાંથી દૂર જવાને હું શક્તિમાન થે નહીં. પછી મૃગબાળકના રૂપવડે શ્રીવિજયને મેહાવી તથા વેતાલ વિદ્યાને પ્રયોગ કરવાવડે તેને વ્યાકુળ કરીને, સ્નેહથી-નહીં કે દુષ્ટભાવથી-સુતારા દેવીને લઈને હું ચાલ્યો. આ મહાનુભાવ સુતારા પણ ચંદ્રની પ્રભા જેવા વિમલ સ્વભાવવાળી છે. તમારી આશાતેના કરતા મેં મહાન અપરાધ કર્યો છે. પ્રણામ કરતા એવા મને ક્ષમા કરો”—એમ બોલતે તે ચરણમાં પડ્યો. પ્રસન્ન ચિત્તવાળા તે અમિતતેજે પણ તેને “ભલે” એમ કહ્યું. પછી અશનિઘોષના વચનથી જેને સંશય થયો છે એ અમિતતેજ કેવલીને પૂછવા લાગ્યો, “ભગવદ્ ! કયા પૂર્વ સંબંધથી અશનિઘુષને સુતારામાં સનેહ થયો, જે કારણથી તેણે સુતારાનું હરણ કર્યું ?” એટલે કેવલી કહેવા લાગ્યા, “સાંભળ– અમિતતેજ, શ્રીવિજય, અશનિૉષ અને સુતારાને પૂર્વભવ આ જ ભારતમાં મગધા જનપદમાં અચલગ્રામમાં ધરણિજ૮ નામે બ્રાહ્મણ રહેતો હતું. તેની યશોભદ્રા ભાર્યા હતી, અને નંદિભૂતિ તથા શ્રીભૂતિ પુત્ર હતા. તેની દાસી કપિલિકા હતી, અને તેણીને પુત્ર કપિલ નામે હતે. ધરણિજઢ બ્રાહ્મણના પુત્રને વેદ ભણાવતા હતા. કપિલક પણ તે વેદપાઠ હૃદયથી ધારણ કરતા હતા. અનાદરને નહીં સહન કરી શકો તે કપિલ એક વાર રત્નપુર નગરમાં ગયા. ત્યાં Page #475 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૦ ] વસુદેવ–હિં ડી : : પ્રથમ ખંડ 6 શ્રીસેન રાજા હતા. તેની અભિનદિતા અને સિંહન'દિતાએ એ ભાર્યાઓ હતી, અને તેમના ઇન્દુસેન અને ખિન્દુસૈન એ પુત્રી હતા. ત્યાં સાત્મકી નામે બ્રાહ્મણુ ઉપાધ્યાય હતા; તેની પાસે હું બ્રાહ્મણ છું.' એમ કહીને કપિલ ગયા. સાત્યકીના શિષ્યાને એ પ્રશ્નોત્તરી કરવા લાગ્યા. તે સાંભળીને સાત્યકીએ તેને એ શિષ્યાના ઉપાધ્યાય અનાન્યેા. સાત્મકીની બ્રાહ્મણી જ મુકા હતી, અને તેની પુત્રી સત્યભામા હતી. સંતુષ્ટ થયેલા સાત્યકીએ કપિલને સત્યભામા આપી. અનુક્રમે લેાક વડે પૂજાતા તે કપિલ ભારે વૈભવવાળા થયા. એક વાર તે પ્રેક્ષણક-પેખણુ જોવાને ગયા હતા, અને વરસાદ પડવા લાગ્યા. એટલે તે કપિલ વસ્ત્રોને બગલમાં મારી પાતાને ઘેર આવ્યેા. (કપડાં ભીંજાયાં હશે એમ ધારીને ) બ્રાહ્મણી વસ્રો લઇને બહાર આવી. તે ખેલ્યા, “ મારા એવા પ્રભાવ છે, જેથી વસ્ત્રો ભીંજાયાં નથી. ” બ્રાહ્મણીએ વિચાર્યું, “ નક્કી, કોઈ મને નહીં જુએ ' એમ ધારીને આ નગ્નાવસ્થામાં જ ઘેર આવ્યા છે; ગાત્રા ભીનાં છે તે ઉપરથી લાગે છે કે વસ્ત્રો પહેર્યાં નહીં હાય. તેા શું આ અકુલીન હશે ? ” એમ વિચાર કરતી તે કપિલમાં મદ સ્નેહવાળી થઈ. ** કેટલાક સમય પછી, જેના વૈભવ ક્ષીણ થયા છે એવા ધરણુજઢ કપલની સ`પત્તિ સાંભળીને આવ્યા. ‘તાત આવ્યા છે’ એમ કહીને કિપલે તેને વંદન કર્યાં. ભાજનના સમયે ‘કચાં ભાજન થશે ? ’ એમ વિચારીને કપિલે સત્યભામાને કહ્યું, “ મારી તબિયત સારી નથી, માટે હું તાતની સાથે નહીં જમ્મુ, લેાજનસ્થાના જુદાં જુદાં રચા. ” પિતાપુત્રથી વિરુદ્ધ એવા આ આચાર જોતી બ્રાહ્મણી કપિલથી વધારે વિરક્ત થઇ, અને ધરણિજતની વિનયપૂર્વક ભક્તિ કરીને તથા તેને બ્રાહ્મણના સત્યના સેાગન આપીને પૂછવા લાગી, “ કપિલ તમારા પુત્ર અથવા બ્રાહ્મણુ છે કે નહીં ? ” તેણે સત્યભામાને સાચી વાત કહી. પછી ધરણુજઢને કપિલે વિદાય આપી. પછી સત્યભામા શ્રીસેન રાજા પાસે ગઇ કે, “ મને પિલથી મુક્ત કરા, એ અકુલીન છે; જો મારું રક્ષણ નહીં કરા તે તમારી સમક્ષ પ્રાણત્યાગ કરવાના મેં નિશ્ચય કર્યો છે. '' રાજાએ કપિલને મેલાન્યા અને કહ્યું, “ આ બ્રાહ્મણીને મુક્ત કર; તે ભલે ધમ કરે. ” કપિલ ખેલ્યા, “ તેના વિના હું જીવવાને સમર્થ નથી. ” રાજાએ કહ્યું, “ જ્યાંસુધી તેના કાપ દૂર થાય ત્યાંસુધી તારી પત્ની અહીં ભલે રહે, જેથી એ આત્મઘાત ન કરે. ” કપિલે ‘ ભલે ' એમ કહીને તે વસ્તુ સ્વીકારી. ઉપવાસમાં રત એવી તે સત્યભામા દેવી પાસે રહેવા લાગી. ' પ્રકૃતિથી સરલ, · જિનવચન સત્ય છે’ એમ જેણે સ્વીકાર કર્યા હતા એવા, દયાપર અને દાનરત રાજાએ તપશ્ચર્યાથી ક્ષીણ થયેલા અમિતતેજ, આદિત્ય અને મુનિચંદ્ર અણગારીને માસક્ષપણુના પારણામાં વહેારાખ્યું. Page #476 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૨૧ ] ઇન્દુસેન અને બિન્દુસેનને સંબંધ તે રાજાની અભિનંદિતા અને સિંહનંદિતા એ બે ભાર્યાઓ હતી. અભિનંદિતાના બે પુત્રો હતા-ઈન્દુસેન અને બિન્દુસેન. કોશાબમાં બલ રાજા હતો, તેની શ્રીમતી ભાર્યા હતી અને શ્રીકાન્તા પુત્રી હતી. તે રાજાએ તે શ્રીકાન્તા ઇન્દુસેનને આપી હતી. પરિવાર સહિત તે કન્યાને તેણે અનંતમતિ ગણિકાની સાથે (સાસરે) મોકલી હતી. તે ઈસેન અને બિન્દુસેન અનંતમતિ ગણિકાને કારણે “આ મારી છે, મારી છે” એમ કહીને દેવરમણ ઉદ્યાનમાં યુદ્ધ કરવા લાગ્યા. પછી બને પ્રત્યે એકસરખો નેહ હોવાથી તેમજ મૃદુ ચિત્તને કારણે તેમને અટકાવી શકવાને અસમર્થ એ રાજા “આ લોકેનું મરણ હું ન જેઉં” એમ વિચારીને, તાલપુટ વિષથી ભાવેલું કમળ સુંધીને બન્ને દેવીઓની સાથે મરણ પામ્યો. “કપિલને વશ હું ન થાઉં” એમ વિચારતી સત્યભામાં બ્રાહ્મણ પણ તેજ રીતે કમળ સૂધીને મરણ પામી. પછી તે ચારે જણાં (મરીને) જંબદ્વીપમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં જન્મ્યાં. ત્યાં શ્રીસેન અને અભિનંદિતાનું એક મિથુન થયું તથા સિંહનંદિતા અને સત્યભામાનું બીજું મિથુન થયું. શ્રીસેન અને સિંહનંદિતા પુરુષ થયાં, તથા બાકીનાં (અભિનંદિતા અને સત્યભામા ) સ્ત્રી થયાં. એક વિદ્યાધર વિમાનમાર્ગે આવીને, આકાશમાં રહીને, પિલા ઈનસેન અને બિન્દુસેનની વચ્ચે ઊભું રહીને તેમને આ અર્થને બંધ કરવા લાગ્યો કે, “હે ઉત્તમ કુમાર ! આ તરફ મુખ રાખીને મારું વચન સાંભળો મણિકુંડલી વિદ્યાધરને સંબંધ આ જ જંબુદ્વીપમાં મહાવિદેહ વર્ષમાં સીતા મહાનદીની ઉત્તરે પુષ્કલાવતી નામે વિજય છે. ત્યાં વિદ્યાધરો અને ચારણે જેમાં વસે છે એ, રમણીય, નવા શિખરો વડે મંડિત, તથા શરદકાળનાં અબ્રોની શોભા જેવી શોભાવાળો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં પંચાવન નગરો વડે મંડિત એવી ઉત્તરશ્રેણિમાં આવેલા આદિત્યાભ નગરમાં સકુંડલી નામે રાજા વસે છે, તેની પત્ની અજિતસેના છે, તેને પુત્ર હું મણિકુંડલી નામે છું. એક વાર જિનેશ્વરી પ્રત્યેની ભક્તિથી જિવંદન કરવા માટે હું પુંડરીકિણી નગરીમાં ગયા હતા. ત્યાં અમિત યશ જિનવરને વંદન કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, જરા, મરણ અને કલેશને નાશ ૧. અભિનંદિતા અને સિંહનદિતાના (તાલિં) ઇન્દુસેન અને બિસેન એ બે પુત્રો હતા, એમ અગાઉ (પૃ. ૪૨૦) કહ્યું છે, પરંતુ એ બને પુત્રો એકલી અભિનંદિતાના હતા એમ અહીં તેમજ મણિકંડલીની પૂર્વભવકથામાં કહ્યું છે. ત્રિષષ્ટિના પાંચમા પર્વનો પ્રારંભમાં બને પુત્રો શિખિનંદિતા (સિંહનંદિતા)ના હોવાનું જણાવ્યું છે. અર્થાત હેમચન્દ્રના કથન અનુસાર પણ બે પુત્રો એક રાણીના હતા. “વસુદેવ-હિ ડી ' કારે બનેને અભિનંદિતાના ગયા છે, Page #477 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : કરનારું ધ વચન સાંભળીને, એ હાથ જોડીને કથાન્તરમાં તેમને હું મારા પૂર્વભવ પૂછવા લાગ્યા. તે ભગવાન કહેવા લાગ્યા— મણિકુંડલી, ઇન્દુસેન અને બિન્દુસેનના પૂર્વભવ “ પશ્ચિમ પુષ્કરામાં સીતાદા નદીની દિક્ષણે સલિલાવતી નામે વિજય છે. ત્યાં ધવલ અને ઊંચા પ્રાકાર-કિલ્લાવાળી, માર ચાજન લાંખી અને નવ ચેાજન પહેાળી એવી વીતશેાકા નગરી છે. તે નગરીમાં ચાદ રત્નાના અધિપતિ તથા નવ નિધિ વડે સમૃદ્ધ કાશવાળા રત્નધ્વજ નામે ચક્રવતી વસતા હતા. પરમ રૂપવડે દર્શનીય એવી કનકશ્રી અને હેમમાલિની એ તેની એ ભાર્યાઓ હતી. કનકશ્રીની કનકલતા અને પદ્મલતા એ એ પુત્રીએ હતી. હેમમાલિનીની પુત્રી પદ્મા હતી. તે પદ્માએ અજિતસેના આર્યો પાસે ધર્મ સાંભળીને કર્મના વ્યય( ક્ષયેાપશમ )થી ઉત્પન્ન થતા વ્રતના સ્વીકાર કર્યાં. ખાસઢ ચેાથ ભક્ત કરીને તથા નિયાણું કરીને તે કાલધર્મ પામી અને સાધર્મ કલ્પમાં મહુદ્ધિ ક દેવી થઇ. કનકશ્રી હતી તે સંસારમાં ભમીને હું મણિકુંડલી વિદ્યાધર થયા. કનકલતા અને પદ્મલતા પણ સંસારમાં ભમીને આ જ રત્નપુરમાં શ્રીસેન રાજાની અભિન ંદિતા રાણીના ઇન્દુસેન અને બિન્દુસેન એ બે પુત્રા થયા. તે પદ્મા પણ સાધર્મ કલ્પમાંથી ચવીને કાશાંખી નગરીમાં અનંતમતિ ગણિકા થઈ. તે ઇન્દુસેન અને મિન્દુસેન એ મન્ને જણા અનંતમતિ ગણિકાને કારણે અત્યારે દેવરમણુ ઉદ્યાનમાં યુદ્ધ કરે છે. ” આ પ્રમાણે ભગવાન અમિતયશે કહ્યુ. માટે જેને પૂર્વભવનુ સ્મરણ કરાવવામાં આવ્યુ છે એવા હુ તે જિનવરને નમસ્કાર કરીને તમારા પ્રત્યેના પૂર્વ સ્નેહાન્નુરાગથી અહીં આવ્યા છું, તેા આ અનંતમતિ પૂર્વભવમાં તમારી મ્હેન હતી અને હું તમારી માતા હતા, માટે પૂર્વભવના તમારા પિતા રત્નધ્વજ ચક્રવતીને સભાર ભાગા ઘણુ વેર કરાવનારા છે, માટે માહિત બુદ્ધિવાળા ન થશે; રાગદ્વેષને વશ થઇને તમારાં પેાતાનાં ગાત્રા ઉપર જ પ્રહાર ન કરશેા; કારણકે જેમને નિગ્રહ કરવામાં આન્ગેા નથી એવા રાગ અને દ્વેષ એ એ જેટલુ' નુકસાન કરે છે તેટલું નુકસાન ખૂબ અપમાન કરાયેલા સમર્થ શત્રુ પણ કરી શàા નથી. રાગદ્વેષ કરનારાએ આ લાકમાં શ્રમ, અપયશ તથા ગુણ્ણાના વિનાશને પામે છે અને પરલેાકમાં શારીરિક અને માનસિક દુઃખ પામે છે. ધિક્ ! ધિક્ ! અહા ! અકાય છે કે રાગદ્વેષવડે સેવાતા જીવ, પેાતે જાણુતા હાવા છતાં, કટુ રસવાળા અતુલ ફળને ( વિષમ પરિણામને ) પ્રાપ્ત કરે છે. જો રાગદ્વેષ ન હાત તે દુઃખ કેાણુ પામત ? કેાના સુખથી વિસ્મય થાત ? અને કાણુ માક્ષ ન પામત? માટે તે રાગદ્વેષનેા ત્યાગ કરેા અને નિત્ય પેાતાના ધ્યેયનું ચિન્તન કરી; જે રાગદ્વેષ દ્વારા તમે લાભને ઇચ્છા છે, તેને કારણે પછીથી ઘણા ગુણવાળી વસ્તુને ચૂકી Page #478 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંભક [ કર૩ ] જાઓ છે. આ યુદ્ધને ત્યાગ કરે, હવે સંયમયુદ્ધ વડે યુદ્ધ કરે; ખરેખર, તમે આ દેહવડે મોક્ષમાં જશે (અર્થાત્ તમે ચરિમશરીરી છો).” (મણિકુંડલી વિદ્યાધરનું) આ વચન સાંભળીને તે બન્ને જણાએ–ઇન્દુસેન અને બિન્દુસેને કવચનો ત્યાગ કરી દીધો, અને જેમને પૂર્વભવનું મરણ થયું છે એવા તેઓ કહેવા લાગ્યા, “અહો ! ભેગો અતિવિષમ છે; અરે ! રાગને વશ પડેલા, મેહિત હૃદયવાળા તથા વિષયરૂપી માંસની તૃષ્ણવાળા અમે પ્રિય એવા આત્માને ત્યાગ કર્યો. અહો ! જરા, મરણ અને રોગથી ભરેલા તથા સ્તર એવા ભવસમુદ્રમાં અમે અમારા આત્માને નાખે. ભવસમુદ્રના માર્ગને ઉપદેશ કરનારા ભેગોને આ અમે ત્યાગ કરીએ છીએ; મોહપાશે છેદીને હવે અમે શ્રેયને સ્વીકારીશું.” કરતલની અંજલિ કરીને-હાથ જોડીને પ્રસન્ન મનવાળા તેઓએ મણિકુંડલીને કહ્યું કે, “અમે તમારા ઉપદેશને ઈચ્છીએ છીએ-સ્વીકારીએ છીએ. ” પછી તેમણે સત્કાર કરીને મણિકુંડલીને વિદાય આપી. પછી વિખ્યાત કીર્તિવાળા અને ધીર એવા તેઓએ ચાર હજારની સેના સાથે પરવરીને ભારે સમૃદ્ધિપૂર્વક ધર્મરુચિ અણુગારની પાસે દીક્ષા લીધી. દઢ અને કઠિન એવા કર્મરૂપી વૃક્ષોના વનને તરૂપી તીક્ષણ પરશુ વડે ખેદ પામ્યા સિવાય સાફ કરીને મહાભાગ એવા તેઓ સિદ્ધિમાં ગયા. આ ઉપરાંત, શ્રીસેન વગેરે પેલા ચાર જ હતા તેઓ ઉત્તરકુરુ ક્ષેત્રના પ્રભાવથી ત્યાં કલ્પવૃક્ષ વડે ઉત્પન્ન થયેલા ઉત્તમ વિષયસુખ અનુભવતાં ત્રણ પલ્યોપમ સુધી જીવીને, કમળ પરિણામથી દેવનું આયુષ્ય બાંધીને, સુખપૂર્વક કાળ કરીને સૌધર્મ કપમાં ચારે દેવ થયા. રત્નોની કાન્તિ વડે અંધકાર જ્યાં નાશ પામે છે, અને ઇચ્છિત તથા પ્રશસ્ત સુખ વડે જે પરિપૂર્ણ છે એવા તે સ્વર્ગમાં વૈમાનિકના ઉત્તમ શરીરમાં ત્રણ પાપમ સુધી વસ્યા પછી આવીને આ જ ભારતમાં તેઓ ઉત્પન્ન થયા. હે અમિતતેજ ! તેમાં જે શ્રીસેન રાજા તે તું જ છે, સત્યભામાં બ્રાહ્મણ તે તારી બહેન સુતારા છે, જે અભિનંદિતા દેવી તે શ્રીવિજય થયો છે, અને સિંહનંદિતા તે શ્રીવિજયની બહેન તિપ્રભા થઈ છે. પેલે જે કપિલ સ્વભાવથી માયાબહુલ હતો તે સત્યભામાના વિયેગથી દુઃખ પામી, આર્તધ્યાનયુક્ત થઈ, શોક કરતાં મરીને, તિર્યંચ ગતિનું નામ-ગોત્ર કર્મ ઉપાર્જન કરીને, ઘણા તિર્યંચભમાં ભમીને કશે કંઈક પાતળા પડતાં ભૂતરત્ના અટવીમાં ઐરાવતી નદીના કિનારે જટિલકોશિક તાપસની પવનવેગા પત્નીના ગર્ભમાં ધમ્મિલ્લ નામે બાળક થયો. મોટો થતાં દીર્ધકાળ સુધી અજ્ઞાન-તપ કરીને, ગગનમાર્ગે જતા વિમાનમાં રહેલા વિદ્યાધરને જોઈને તેણે નિયાણું કર્યું કે, “જે મારા આ તપનું ફળ હોય તો હું પણ આવતા ભવમાં આવી રીતે કરું. ” પછી તે કાળ કરીને આ જ ભારતમાં ઉત્તર શ્રેણિમાં ચમચંચા નગરીમાં ઈન્દ્રાશનિ વિદ્યાધરની આસુર દેવીનો પુત્ર અશનિષ થયો. પછી Page #479 -------------------------------------------------------------------------- ________________ ર | [ કર૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ નં : સુતારા કે જે (પૂર્વભવની) સત્યભામાં હતી તેને કપિલના ભાવના નેહ વડે બંધાયેલો અને તેને અનુસરતો અશનિશેષ હરી ગયો.” આ પ્રમાણે કેવલીએ કહ્યું, એટલે પિતાના પૂર્વભવો સાંભળીને અમિતતેજ, શ્રીવિજય, અશનિઘોષ અને સુતારા વિસ્મય પામ્યાં. અમિતતેજ પણ કેવલીને વંદન કરીને ફરી વાર પૂછવા લાગ્યું, “ભગવન! હું ભવ્ય છું કે અભવ્ય?” ભગવાને કહ્યું, “તું ભવિક છે. આજથી નવમા ભાવમાં આ જ ભારતવર્ષમાં તું પાંચમે ચક્રવતી અને સળગે તીર્થંકર થઈશ. શ્રી વિજય પણ તારે પ્રથમ ગણધર થશે.” આ સાંભળીને અમિતતેજ અને શ્રીવિજય એ બને જણાએ ગૃહવાસને યેગ્ય શીલવતને સ્વીકાર કર્યો. અશનિષ વગેરે ઘણા રાજાઓએ, રાજ્યધુરાના કાર્યને ત્યાગ કરીને, દીક્ષા લીધી. સ્વયંપ્રભા વગેરે દેવીઓએ ત્યાં જ દીક્ષા લીધી. પછી કેવલીને નમીને સવે પોતાનાં નગરમાં ગયા, અને જિનપૂજા, દાન અને પૌષધમાં રત, દયાવાન, સત્યભાષી, સ્વદારસંતોષી તથા બીજાને આપીને પછી ભેજન કરનારા તેઓ પિતાનાં રાજ્યમાં વિષયસુખ અનુભવતા વિહરવા લાગ્યા. એક વાર જિનભવનની સમીપે પૌષધશાળામાં જેણે પિષધ સ્વીકાર્યો છે એ અમિતતેજ વિદ્યાધરને ધર્મ કહેતે હતો. તે સમયે સંયમ, તપ અને વિનયથી યુક્ત તથા જિનવરની ભકિનથી મુદિત મનવાળા બે ચારણ મુનિઓ રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવા રાજાના ભવનમાં ભકિતવેગથી ઊતર્યા. તેમને જોઈને રાજા સામે આવ્યું, અને પરમ સંતુષ્ટ થયેલા તેણે તેમને અભિવંદન કર્યું. તે ચારણથમણે પણ ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક જિનવરને વંદન કર્યા પછી અમિતતેજ રાજાને આ વચન કહેવા લાગ્યા કે, દેવાનુપ્રિય ! અતિ દુર્લભ એવું મનુષ્યપણું પામીને જન્મ, જરા અને મરણના પ્રવાહને પાર ઊતરવાના સાધનરૂપ જિનવચનમાં ક્ષણવાર પણ પ્રમાદ કરશો નહીં.” આ પ્રમાણે ઉપદેશ કરીને, તપના ગુણની રિદ્ધિ દેખાડતા તથા પ્રસન્ન મનવાળા ચારણશ્રમણે જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. વિષયસુખ અનુભવતા તથા તીર્થનો મહિમા કરતા તે શ્રી વિજય અને અમિતતેજ આ પ્રમાણે હર્ષપૂર્વક સમય વીતાવતા હતા. કોઈ એક વાર પિતાના પરિવાર સાથે રહેલે અમિતતેજ પોતાના ભવનમાં સિંહા સન ઉપર બેઠો હતો. એ દેશકાળમાં જેમણે માસક્ષપણ કરેલું છે એવા કેઈ તપિલબ્ધિસંપન્ન સાધુ ભિક્ષાને માટે ત્યાં આવ્યા. વિનય-ભક્તિયુક્ત અમિતતેજે તેમની સામે જઈને, તથા પરિવાર સહિત તેમને વંદન કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, યથેસિત વિપુલ ભાત પાણી તેમને વહેરાવ્યું. ત્યાં સુગંધી ગંદકની વૃષ્ટિ થઈ, પાંચ વર્ણનાં પુપ પડ્યાં, વસુધારા થઈ, દેવતાઓએ દુંદુભિ વગાડ્યાં અને વસ્ત્રોની વૃષ્ટિ કરીઆકાશમાં “અહે! દાન!” એવી ઘોષણા થઈ. પછી સાધુ ગયા. Page #480 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [૪૨૫ ] શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં અપરાજિતને ભવ હજાર વર્ષ સુધી રાજયલક્ષમી ભગવ્યા પછી અમિતતેજ અને શ્રી વિજય બને જણા એક વાર સાથે નંદનવનમાં ગયા હતા. ત્યાં ફરતા તેમણે વિપુલમતિ અને મહામતિ ચારણ શ્રમણને જોયા; તેમને વંદન કરીને તેઓએ ધર્મકથાની વચમાં પિતાના આયુષ્યનું પરિમાણુ પૂછયું. પછી ચારણશ્રમણએ કહ્યું કે, “તમારા આયુષ્યના છવીસ દિવસ બાકી છે.” એટલે તેઓને પરમ ભક્તિથી વંદન કરીને તે બન્ને જણ પિતાનાં નગરોમાં ગયા અને કલ્યાણ નિમિત્તે તેમણે અષ્ટાહિકામોત્સવ કરાવ્યા પછી એ રીતે પુત્રને રાજ્ય આપીને અમિતતેજ અને શ્રીવિજયે અભિનંદન અને જગનંદન સાધુઓની પાસે દીક્ષા લીધી, અને પાદપિપગમન વિધિથી કાળ કરીને તેઓ પાનક કપમાં અનુક્રમે નંદાવર્ત અને સ્વસ્થિત વિમાનમાં વીસ સાગરોપમના આયુષ્યવાળા દિવ્યચંડ અને મણિચૂડદે થયા. લાંબા કાળે જેમનું વર્ણન કરી શકાય તથા જેમની ઉપમા દુર્લભ છે એવા વિષયોના સાગરમાં ત્યાં રહેલા તેઓ આયુષ્યને ક્ષય થતાં આવીને-આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં સીતા મહાનદીના દક્ષિણ કિનારે સુભગા નગરીમાં સ્તિમિતસાગર રાજા હતો તેની વસુધરી અને અણુધરી નામે બે ભાર્યાઓ હતી, તેમના ગર્ભમાં તે બે જણ નિરંતર આનંદમય તથા શ્રીવત્સ વડે અલંકૃત વક્ષસ્થળવાળા જાણે કે મધુ અને માધવ-ચૈત્ર અને વૈશાખ માસ હોય તેવા અપરાજિત અને અનંતવીર્ય કુમારો થયા. તેમને એક કુમાર કુમુદદળ જે ઊજળો હતે, બીજે કુવલયના પત્રરાશિ જેવો શ્યામ હતું. તેઓ અનુક્રમે મોટા થયા. તિમિતસાગર રાજાએ અપરાજિત અને અનંતવીર્યને રાજ્ય આપીને સ્વયંપ્રભ સાધુની પાસે દીક્ષા લીધી, અને ઉગ્ર તપ કરતો તે સમાધિથી કાળ કરીને અમર અસુરેન્દ્ર થયા. અપરાજિત અને અનંતવીર્ય રાજ્યને ઉપગ કરવા લાગ્યા. એક વિદ્યારે તેમને મિત્રતાથી વિદ્યાઓ આપી, અને તે સાધવાની વિધિને પણ ઉપદેશ કર્યો. બર્બરી અને ઉચિલાતિકા નામની તેમની બે દાસીઓ અત્યંત મધુર સ્વરવાળી અને સંગીતવિદ્યામાં નિષ્ણાત હતી. તે બબરી અને ચિલતિકા વડે નાટકોમાં ગવાતા તથા ગીત અને નૃત્યમાં અતિ રાગાનુરક્ત એવા તેઓ બેઠા હતા. એ સમયે ત્યાં નારદ આવ્યા. બર્બરી અને શિલાતિકાના નાટકમાં અનુરક્ત એવા તેઓએ નારદને આદર ન આપે તથા સત્કાર ન કર્યો. આથી નારદ ક્રોધ પામ્યા. કઠુલ્લ નારદના વિદ્યા, જ્ઞાન, શીલ અને રૂપને અનુરૂપ એવા નારદે સર્વ ક્ષેત્રમાં સર્વ કાળે થાય છે. વિદ્યાધરરાજા દમિતારિ પાસે જઈને નારદ તેને કહેવા લાગ્યા, “અપરાજિત અને અનંતવીર્યની બર્બરી અને ચિલાતી દાસીઓનું નાટક દિવ્ય છે, તે જો તું ન ગ્રહણ ૧. બર્બર દેશની. ૨. ચિલતિકા-કિરાતિકા-કિરાતજાતિની (સરખા ચિલાતીપુત્ર') ૫૪ Page #481 -------------------------------------------------------------------------- ________________ [ ક૨૬ ]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: કરે તે તે નાટકથી રહિત એવા તને રાજ્યથી, વાહનથી અથવા વિદ્યાધરપણાથી શું?” નારદ પાસેથી આ સાંભળીને દમિતાએિ અપરાજિત અને અનંતવીર્ય પાસે દૂત મોકલ્યા. કેટલાક આચાર્યો એમ કહે છે કે, “દમિતારિ વિદ્યારે પિતે જ તે દાસીઓ વિષે જાણ્યું હતું.” પછી તેણે દૂત મોકલ્યો કે, “રનો રાજગામી હોય છે, માટે દાસીઓને મોકલો.” ‘બળવાનનો વિરોધ કરવો ઉચિત નથી' એમ ધારી તે બે ભાઈઓ બોલ્યા, “ઠીક કહ્યું, અમે વિચાર કરીએ છીએ.” એમ કહીને દૂતને રજા આપી. પછી તેમને વિચાર થે, આકાશગમનના અભિમાનથી દમિતારિ આપણે પરાજય કરે છે, માટે આપણે પૂર્વે ગ્રહણ કરેલી વિદ્યાઓ સાધીએ અને પછી તેના અભિમાનનો નાશ કરીએ.” એ દેશકાળમાં તેમની ભવિતવ્યતાને કારણે પૂર્વભવની વિદ્યાઓ પણ તેમને ઉપસ્થિત થઈ. વિદ્યાઓએ તેમને કહ્યું “દેવ! અમે તમારી વશવતી છીએ; તમે જે વિદ્યાઓ સાધવા ઈચ્છે છે તે જ અમે આ ઉપસ્થિત થયેલી છીએ.” સંતુષ્ટ થએલા તેઓએ એ વિદ્યાઓની પૂજા કરી. ફરી વાર દમિતારિએ દૂત મોકલ્યા. ગર્વ પૂર્વક ભાષણ કરતા તે દૂતનું તેમણે શાન્તિથી સ્વાગત કર્યું અને કહ્યું, “ દમિતારિ રાજા અમારે માટે સેવન કરવા લાયક છે; છોકરીઓને-દાસીઓને લઈ જાઓ.” પછી બર્બરી અને ચિલાતિકાનું રૂપ ધારણ કરીને તેઓ દૂતની સાથે દમિતારિ પાસે ગયા. જેમણે પ્રણામ કર્યા છે એવા તેમને દમિતારિએ સૌમ્ય ચક્ષુથી જયા અને કહ્યું, “કનકશ્રી કન્યાની સાથે તમે રમે.” વિનયપૂર્વક પ્રણામ કરીને તેમણે કનકશ્રીને મધુર વચનથી બોલાવી. કનકશ્રીએ આદરપૂર્વક અપરાજિત અને અનંતવીર્યના કુલ, શીલ, રૂપ અને જ્ઞાન વિષે પૂછયું. પોતે એકબીજાના ગુણેથી સમન્વિત છે” (એમ તેઓએ કહ્યું). પછી અનંતવીર્ય વિષેની વાતચીતમાં પ્રેમ ધારણ કરતી તે કન્યાને અપરાજિતે કહ્યું, “દેવિ ! જે તમારી આજ્ઞા હોય તે અપરાજિત અને અનંતવીર્યને અહીં લાવીએ; અમારે એ પ્રભાવ છે” આ પ્રમાણે કહેવામાં આવતાં તેણે સ્વીકાર્યું કે, “તેમ કરે.” કેટલાક કહે છે કે “પેલી નતિકાએએજ કન્યાને રાજકુમારમાં આસક્તિવાળી કરી હતી” ( અર્થાત સાચી નર્તિકાઓને મોકલવામાં આવી હતી.) પછી તેઓએ પિતાનાં સાચાં રૂપ દર્શાવ્યાં. વિમિત થયેલી તે કન્યા અનંતવીર્ય પાસે ગઈ અને કહેવા લાગી, “દેવ! આ પ્રાણ તમારે વશ છે. સ્વામી ! મારા ઉપર તમારો અધિકાર છે. પણ મારા પિતા વિદ્યાબળ વડે સમર્થ છે, તે જીવનનો અંત આણે એવી પીડા તમને કરશે, માટે અહીંથી ચાલ્યાં જઈએ. એથી નિર્વિધ્ર થશે. પેલા બે જણે તેને કહ્યું, “રાજાને અથવા વિવાદ કરતા બીજા ગમે તેને જીતવાને અમે સમર્થ છીએ; ગમન માટે નિ:શંકપણે વિચાર કરી લે.” આ પ્રમાણે કહેવામાં આવતાં તમારું વચન પ્રમાણે છે” એમ કહીને મદનથી મોહિત થયેલી તે કન્યા ચાલી નીકળી. અપરાજિત અને અનંતવી પોતે જ ઘોષણા કરી કે, “ કનકશ્રી કુમારોને અપરાજિત અને અનંતવીર્ય હરો જાય છે, જેની શક્તિ હોય તે અટકાવે,” એમ કહીને, Page #482 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ કર૭ ] જેમણે વિમાન વિકુવ્યું છે એવા તેઓ ગયા. તે પછી હલ, મુસલ, ગદા આદિ રત્નો તેમની સમક્ષ ઉપસ્થિત થયાં. દમિતારિએ મોકલેલા વિદ્યાધરો યુદ્ધ કરવા લાગ્યા, તેમને પણ તેમણે પરાજય કર્યો. તેમને પ્રભાવ જોઈને તથા વિદ્યાધરને પરાજિત થયેલા જાણીને કોપે ચઢેલે દમિતારિ નીકળે. ભૂતરત્ના અટવીની ઉપર એકત્ર થઈ (દમિતારિ તથા બીજા વિદ્યાધર) વિદ્યાઓથી યુદ્ધ કરવા લાગ્યા. પણ એ વિદ્યાઓનું નિવારણ કરાચેલું જેઈને તેમણે અસ્ત્રોનું આવાહન કર્યું. તે અસ્ત્ર પણ જ્યારે નિરર્થક કરવામાં આવ્યાં ત્યારે જેનાં આયુધો ક્ષીણ થયાં છે એવા દમિતારિએ અનંતવીર્યના વધ માટે ચક્ર મૂક્યું. પણ તે તેના ચરણની આગળ પડ્યું. અનંતવીયે હાથમાં લીધું, એટલે તે જાજવલ્યમાન થયું. પછી ચક્રધારી એવા તેણે દમિતારિને માર્યો. દમિતારિ મરણ પામે, એટલે જેને વિજય પ્રાપ્ત થયો છે એવા અનંતવીર્યને અવિવાદિત અને ભૂતવાદિત વ્યંતરોએ અભિનંદન કર્યું કે, “વિજયાર્ધના સ્વામી બલદેવ અને વાસુદેવ ઉત્પન્ન થયા છે.” આ સાંભળતાં “અમારું શરણ થાઓ” એમ કહીને વિદ્યાધરોએ અનંતવીર્યને પ્રણામ કર્યા. તેણે કહ્યું, “નિશ્ચિત્ત થાઓ.” વિદ્યાધરેએ પ્રણામ કર્યા તે વખતે, “અહીં અરિહંત રહેલા છે, તેમની આશાતના ન થાઓ” એમ વિચારીને તેઓ કાંચનગિરિની ઉપર ઊતર્યા. વર્ષોપવાસી તથા કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા કીર્તિધર અણુગારને ત્યાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું હતું, તથા નજદીકમાં રહેલા દેવ વડે તેમનો મહિમા કરાતો હતો. અનંતવીર્ય અને અપરાજિત એ બને ભાઈઓએ કેવલીને વિનયપૂર્વક વંદન કર્યા અને ઉપાસના કરતા તેઓ કેવલીની પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ધર્મ કહેવાયા પછી કથાન્તરમાં કનકશ્રીએ કેવલીને પૂછયું, “ભગવન્! હું પૂર્વભવમાં કોણ હતી?” એટલે મુનિવર કહેવા લાગ્યા– કનકશ્રીને પૂર્વભવ “ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે ગામ છે. ત્યાં શ્રીદવા નામે ગરીબ શ્રી વસતી હતી. તે એક વાર ફરતી ફરતી શ્રીપર્વત ઉપર ગઈ. ત્યાં એકાન્તમાં બેઠેલા સર્વયશ સાધુને તેણે જોયા; તેમને વંદન કરીને તથા તેમના ચરણમાં ધર્મ સાંભળીને તેણે ધર્મચક્રવાલ નામની તપશ્ચર્યા સ્વીકારી. ઓગણચાલીસ ચતુર્થ ભક્ત કરીને તપના પારણમાં તેણે સુવ્રત સાધુને હરાવ્યું. ધર્મ ગ્રહણ કર્યા પછી તે વિચિકિત્સાવાળી-ધર્મને ફલમાં સંદેહવાળી થઈ. હવે, એક વાર સર્વયશ સાધુને વંદન કરવા માટે નીકળેલી તે શ્રીદતા વિદ્યાધરયુગલને જોઈને વ્યાકુળ ચિત્તવાળી થઈ. એ વિચિકિત્સાદેષની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને તે-જંબુદ્વીપમાં પૂર્વવિદેહમાં, રમણીય વિજયમાં, વૈતાઢ્ય પર્વત Page #483 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૮ ] વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : ઉપર સુમન્દિર નગરમાં કનકપૂજ્ય નામે રાજા વસતા હતા, તેની ભાર્યાં વાયુવેગા નામે હતી, તેનેા પુત્ર હું કીર્ત્તિધર નામે છું. મારી ભાર્યા અનલવેગા છે, તેના પુત્ર આ દમિતારિ રાજા હતા, તેની ભાર્યાં મદિરા છે, તેની પુત્રી તું કનકશ્રી થઇ. રાજય ઉપર દમિતારને સ્થાપન કરીને, શ્રીશાન્તિનાથ જિનેશ્વરની પાસે દીક્ષા લઈને હું અહીં સાંવત્સરિકી મહાપ્રતિમામાં રહ્યો. માહનીય, જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણુ થતાં આજે મને કેવળજ્ઞાન થયું. પેાતાના કર્મ થી ઉત્પન્ન થયેલી પેલી વિચિકિત્સાના દોષથી તું પિયરના વિયેાગથી ઉત્પન્ન થયેલા પિતૃમરણને અહીં પ્રાપ્ત થઇ છે. ” ,, આ દુ:ખની વાત સાંભળીને જેને કામભાગેા પ્રત્યે નિવેદ થયા છે. એવી કનકશ્રી ખલદેવ અને વાસુદેવને વિનંતી કરવા લાગી, “ મને રજા આપા, હું તપશ્ચર્યા કરીશ; અત્યંત વિષમ અને ઘણાં વેરની પરંપરાને ઉત્પન્ન કરનાર ભાગાથી મને ખસ થાશે. ” તેણે આમ કહ્યુ, એટલે ખલદેવ અને વાસુદેવ કહેવા લાગ્યા, “તને ધર્માંમાં અવિઘ્ન થાઓ; પણ સુભગા નગરીમાં જઈને સ્વય’પ્રભ જિનેશ્વરની પાસે તું તપ કરજે. આ પ્રમાણે કહ્યા પછી તે મુનિવરને નમસ્કાર કરી, વિમાનમાં બેસી તેએ સુભગા નગરીમાં ગયાં. ત્યાં અન ંતવીયના પુત્ર અનતસેન સાથે યુદ્ધ કરતા વિદ્યાધરરાજાઓને તેમણે જોયા. ત્યાં (વિદ્યાધર રાજાએ) સુધાષ અને વિદ્યુ ષ્ટ્રને તે યુદ્ધમાં મારીને, જેમણે સર્વ શત્રુસામતાને નમાવ્યા છે, જેઓ વિજયાના અધિપતિપણાને તથા ખલદેવ-વાસુદેવપણાને પામ્યા છે, જેમને સર્વ રત્ના ઉત્પન્ન થયાં છે તથા જે સેાળ હજાર રાજાઓના સ્વામી છે એવા તેઓ ઇષ્ટ વિષયસુખ અનુભવતા વિહરવા લાગ્યા. પછી સ્વયં પ્રભ જિનવર વિહાર કરતા સુભગા નગરીમાં સમાસર્યાં. જિનેશ્વરનુ આગમન સાંભળીને ખલદેવ અને વાસુદેવ પેાતાના પરિવાર સહિત જિનવરની પાસે વંદન કરવાને ગયા. કનકશ્રી પણ ત્યાં ગઇ, અને જિનવરની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લઇ, ઉગ્ર તપ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જેણે કર્મને ધાઇ નાખ્યાં છે એવી તે સિદ્ધિમાં ગઇ. તે બલદેવ અને વાસુદેવ જિનેશ્વરને વંદન કરીને પરિવાર સહિત ફરી પાછા નગરીમાં આવ્યા અને ઇચ્છિત ભાગેા ભાગવવા લાગ્યા. રાજકન્યા સુમતિના સંબધ ખલદેવની—અપરાજિતની વિરતા નામે ભાર્યા હતી, તેની પુત્રી સુમતિ નામે કન્યા રૂપ અને ગુણવાળી હતી. જેણે જીવ અને અજીવને જાણ્યા છે એવી તથા અણુવ્રતા અને ગુણુત્રતા જેણે ધારણ કર્યા છે એવી તે જિનશાસન વડે ભાવિત બુદ્ધિવાળી હતી. ૧. શ્રી શાન્તિનાથને જન્મ તે! હજી હવે થવાના છે; તેમના ચરિત્રની આ ભૂમિકા છે; એટલે આ શાન્તિનાથ તે સેાળમા તીર્થંકર અને ચક્રવર્તીથી ભિન્ન એવા જંબૂદ્વીપના વિદેહમાં રમણીય વિજયમાં થયેલા તીર્થંકર છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંભક [ ૪૨૯ ] કાઇ એક વાર શ્રદ્ધા, સ ંવેગ, વિનય અને ભક્તિથી જિનપૂજા કર્યાં પછી, પારણાની વેળાએ સાધુનું આગમન જોઇને તે ઊઠી અને તેણે સાધુને વહેારાખ્યું. ત્યાં વસુધારાનુ પડવું આદિ પાંચ દિવ્યે ઉત્પન્ન થયાં. સતુષ્ટ થયેલા ખલદેવ અને વાસુદેવે ‘ આ કન્યા કાને આપવી ?' એમ વિચાર કરી, ઇહાનદ મંત્રી સાથે મંત્રણા કરીને સ્વયંવર સ્થાપિત કર્યા. સેા સ્ત ંભ વડે યુકત એવા સ્વયંવરના મંડપ કરવામાં આવ્યો. જ્યારે બધી વસ્તુ તૈયાર થઇ ત્યારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા અને મુકુટધારી એવા સેાળ હજાર રાજાએ તથા સર્વ વિદ્યાધરાને પરિવાર સહિત આમત્રણ આપવામાં આવ્યું. ‘ સુમતિ કન્યાને સ્વયંવર છે ’ એ જાણીને તે સર્વે બહુમાનપૂર્વક સુભગા નગરીમાં આવ્યા. તે એ સ્વયંવરમ ડપમાં પ્રવેશ્યા અને અગાઉથી સજ્જ કરવામાં આવેલાં સિ'હાસના ઉપર ક્રમ અનુસાર બેઠા. પછી સ્નાન કરીને જેણે લિકમ કર્યું છે એવી, અત્યંત આદરપૂર્વક અલંકૃત કરાયેલી તથા જેના ઉપર સફેદ છત્ર ધરવામાં આવ્યું છે એવી સુમતિ કન્યા, લક્ષ્મી જેમ પદ્મસરમાં પ્રવેશે તેમ, એ સ્વયંવરમાં પ્રવેશી. તે દેશકાળમાં, પ્રશસ્ત વેડૂય મણિના નિર્મળ સ્તંભવાળા, પવનના ખળ વડે પ્રેરા ચેલી અને નાચતી એવી ધવલ ધ્વજપતાકાવાળા તથા આકાશતલના તિલક સમાન દિવ્ય વિમાનમાં એસીને ( એક દેવી આવી ). તેજખળ વડે સમન્વિત એવી તે દેવીને-કનક. શ્રીને લેાકાએ અને રાજાઓએ આવતી જોઇ, તે સ્વયંવરમડપ ઉપર આવીને આકાશમાં સિહાસન ઉપર બેઠી. એ સમયે પૂનેહાનુરાગથી તે કનકશ્રીએ -દેવીએ રક્ત કમળ અને રક્ત મણિ જેવા જમણા હાથના અગ્રભાવ ઊંચા કરીને મનેાહેર વાણી ઉચ્ચારી કે, “ ધનશ્રી ! તારા પૂર્વભવને યાદ કર. પુષ્કરવર દ્વીપામાં, પૂર્વભરતમાં, નંદનપુરમાં મહેન્દ્ર રાજા હતા. તેની ભાર્યા અનંતતિ હતી. તેની બે પુત્રીએ કનકશ્રી અને ધનશ્રી સુકુમાર તથા સુરૂપ અને અન્યાન્યમાં અનુરક્ત હતી. તે કોઈ એક વાર શ્રીપર્યંત ઉપર ગઇ. ત્યાં શિલાતલ ઉપર બેઠેલા નંદગિરિ અણુગારને તેમણે જોય. તેઓએ તેમને વંદન કર્યા. તે સાધુની પાસે ધર્મ સાંભળીને બન્ને જણીઓએ સમ્યકત્વ બ્રહણ કર્યું. એક વાર ત્રિપુરના અધિપતિ વીરાંગનૢ વિદ્યાધરે અશેાકવાટિકામાંથી તે ખન્નેનુ હરણ કર્યું. અવશ એવી તેએને ભીમાટવીમાં વીરાંગદની ભાર્યો વજ્રશ્યામલિનીએ છેાડાવી, વિદ્યાધરે આપણામાં સંક્રામિત કરેલી પત્રલઘુવિદ્યાર પણ તેણીએ નિષ્ફળ કરી. તેથી વેલુવનમાં વાંસના જાળા ઉપર (આપણે પક્યાં ); ત્યાં અનશન કરીને હું જે કનકશ્રી કનકશ્રીથી ભિન્ન છે. મિતારિની પુત્રી ક્નકથી તે ૧. આ સ્વયંવરમાં આવનાર કની દમિતારિની પુત્રી મેક્ષમાં ગયેલી છે. (પૃ. ૪૨૮ ). ૨. ઊંચેથી નીચે પડતાં વાગે નહીં એવું, પત્ર જેવુ' હળવુ શરીર થાય તેવી વિદ્યા. કનકશ્રી અને ધનશ્રી કદાચ ઊંચેથી પડે તેા મરે નહીં એટલા માટે વિદ્યાધરે તેમનું હરણ કરતાં એ વિદ્યા તેમનામાં સંક્રાન્ત કરી, પણ તેની પત્નીએ તે નિષ્ફળ કરી; કારણ કે કન્યાઓ જીવતી હોય તે જ તેના પતિ તેમનામાં આસક્ત થવાના સંભવ રહે. Page #485 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : તે નવમિકા નામે શકની અઠ્ઠમહિષી થઈ, અને તું જે ધનશ્રી તે વૈશ્રમણની ભાર્યા થઈ. દેવસૌખ્ય ભગવ્યા પછી ત્યાંથી વીને તું અહીં બલદેવની પુત્રી સુમતિ થઈ છે. નંદીશ્વર દ્વીપમાં આપણા ગમનને તથા જિનેશ્વરને નિમિત્ત માંડેલા જિન-ઉત્સવને યાદ કર; ચારણશ્રમણે આપણે માટે બાંધેલી મર્યાદાનું તથા તેમના ઉત્તમ વચનનું સ્મરણ કર, જેમકે-“તમે બીજા ભવમાં સિદ્ધિમાં જશે તથા જે કન્યા દેવલોકમાંથી પહેલી આવે તેને બીજીએ આવીને પ્રતિબધ કરે.” માટે હે હે ! પૂર્વભવને યાદ કર અને મારી સાથે પૂર્વભવમાં કરેલી પ્રતિજ્ઞાનું પણ સ્મરણ કર. ભેગોને પ્રસંગ કરીશ નહીં. સંસારરૂપી ભયંકર અટવીમાં જે વિનાશને ન ઈચ્છતી હોય તો લાખો ભવમાં પણ ન મળે એવા યતિધર્મને તે સ્વીકાર કર.” આ પ્રમાણે વચન સાંભળીને જે વ્યાકુળ થઈ છે તથા જેની ચેષ્ટાઓ નષ્ટ થઈ છે એવી તે સુમતિ મૂછ પામી. સોનાની ઝારીમાંથી સંભ્રમપૂર્વક રેડેલી શીતલ જળની ધારા વડે જેના ઉપર સિંચન કરવામાં આવ્યું છે તથા એ રીતે જેની શરીરષ્ટિ શીતળ થઈ છે એવી તે તાડને વીંજ ઢળવા વડે ઉત્પન્ન થતા પવનને સ્પર્શ થતાં થોડી વારે સ્વસ્થ થઈ, અને જેનું મુખ દેવામાં આવ્યું છે તથા વસ્ત્રો સંકેરવામાં આવ્યાં છે એવી તે હાથ જોડીને વિનયપૂર્વક રાજાઓના સમૂહને વિનંતી કરવા લાગી, “તમારી અનુજ્ઞાથી હું પ્રવજ્યાનો સ્વીકાર કરીશ.” વિચિમત થયેલા રાજાઓ કહેવા લાગ્યા, “ધર્મમાં તને અવિન થાઓ, ઈચ્છિત સ્થાનને તું પ્રાપ્ત કર.” પછી સંતુષ્ટ થયેલા બલદેવ અને વાસુદેવે અત્યંત આદરપૂર્વક તેને દીક્ષા મહોત્સવ કર્યો, શક્રની અમહિષીઓએ અને વેશ્રમણની અગ્રમહિષીઓએ દીક્ષા લેતી સુમતિની ભારે આદરપૂર્વક પૂજા કરી. સાતસો કન્યાઓની સાથે સુત્રતા આર્યોની પાસે દીક્ષા લઈને, તપ ઉપાઈને તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જેણે કર્મોને ખપાવ્યાં છે એવી તે સિદ્ધિમાં ગઈ. પછી વિશુદ્ધ સમ્યગ દર્શનવાળા, દાન ઉપર પ્રીતિવાળા, સર્વે પ્રાણીઓ પ્રત્યે દયાવાળા, અપરાધીઓ તેમજ નિરપરાધીઓ માટે સદાકાળ શરણાગત વત્સલ અને જિનેશ્વર તથા સાધુની પૂજામાં રત એવા તે અપરાજિત અને અનંતવી રાશી લાખ પૂર્વ સુધી નિરુઢિપણે ભોગ ભેગવ્યા. પછી જેણે અશાતા વેદનીય કર્મ ઉપાર્જિત કર્યું છે અને નારકનું આયુષ્ય બાંધ્યું છે એ અનંતવીર્ય કાળ કરીને બેતાલીસ હજાર વર્ષને આયુષ્યવાળો (નારકી) થઈ પહેલી પૃથ્વીમાં ગયો. સનેહને કારણે ધરણેન્દ્ર વારંવાર તેની વેદનાને પ્રતિકાર કરતો હતો. ભાઈને વિયેગથી દુખી થયેલા તથા જેણે પુત્ર ઉપર રાજ્યનો ભાર નાખે છે એવા અપરાજિતે રાજરિદ્ધિને ત્યાગ કરીને, સોળ હજાર રાજાઓની સાથે, યશોધર ગણધરની પાસે દીક્ષા લીધી, અને ઘણા કાળ સુધી તપ કર્યા પછી દેહ છૂટી જતાં તે આરણ-અચુત ક૫માં સુરેન્દ્ર થયે. પ્રશસ્ત પરિણામવાળે અનંતવીર્ય પણ નરકમાંથી ઉદ્વર્તિત થઈને-જંબુદ્વીપના ભરત Page #486 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૩૧ ] માં વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં ગગનવલ્લભ નગરમાં મેઘવાહન રાજા હતા, તેની ભાર્યા મેઘમાલિની હતી, તેમને પુત્ર મેઘનાદ નામે થયો. અનુક્રમે મેટ થયેલે તે એકસો દશ નગરનાં રાજ્ય ઉપર પુત્રોને સ્થાપીને વિદ્યાધર અને ચક્રવતીના ભેગો ભેગવવા લાગ્યા. કોઈ એક વાર મેરુપર્વત ઉપર ગયેલા તેણે નંદનવનમાં સિદ્ધાયતનમાં પ્રજ્ઞપ્તિની ભાવથી પૂજા કરી. તે સમયે દેવ ઊતરી આવ્યા ત્યાં અચુતેન્દ્રવડે બોધ પમાડાયેલા મેઘનાદે, રાજ્યધુરા પુત્રને સંપીને, અમૃતગુરુ સાધુની પાસે દીક્ષા લીધી. એક વાર ગિરિનંદન પર્વત ઉપર ચઢીને તે એકરાત્રિકી પ્રતિમામાં રહેલા હતા. તે સમયે અશ્વગ્રીવના પુત્રે તેમને ઉપસર્ગો કર્યા. તે ઉપસર્ગો સમ્યફ પ્રકારે સહન કરીને, પ્રતિમા પારીને, ઘણા કાળ સુધી સંયમ અને તપમાં રત રહેવાપૂર્વક વિહારીને દેહ છૂટી જતાં તે અશ્રુત ક૯૫માં (ઈન્દ્રના) સામાનિક દેવ થયા. શ્રી શાન્તિનાથની પૂર્વભવકથામાં વાયુધને ભવ જેની ઉપમા ન આપી શકાય એવું દિવ્ય સુખ ત્યાં અનુભવીને ચુત થયેલે અપરાજિત દેવ–આજ જંબુદ્વીપમાં, પૂર્વ વિદેહમાં, સીતા મહાનદીના દક્ષિણ કિનારે, મંગલાવતી વિજયમાં, રત્નસંચય નગરીમાં ક્ષેમંકર નામે રાજા હતો, તેની રત્નમાલા નામે ભાર્યા હતી, તેમને વાયુધ નામે કુમાર થયે. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યો. તેની ભાર્યા લહમીમતી હતી. દેવ-આયુષ્યને ક્ષય થતાં મેઘનાથ દેવ સહસ્ત્રાયુધ નામે તેમને પુત્ર થયો તે પણ અનુક્રમે મોટો છે. તેની ભાર્યા કનકશ્રી હતી અને તેને પુત્ર શતબલી હતી. હવે એક વાર ક્ષેમકર રાજા મણિ અને રત્ન વડે મંડિત દિવ્ય સભામાં, પુત્ર, દૌહિત્ર અને પૌત્રે વડે પરિવરાયેલે બેઠો હતે. ઈશાન ક૯૫ને વાસી ચિત્રચૂડ નામે નાતિકવાદી ત્યાં વાદ કરવાને માટે આવ્યા. જિનવચનમાં વિશારદ એવા વાયુધે વાદમાં તેને પરાજ્ય કર્યો. મિથ્યાત્વનું વમન કરીને ચિત્રચૂડે સમ્યકત્વને સ્વીકાર કર્યો. પરમ સંતુષ્ટ થયેલા ઈશાનેન્દ્ર વાયુધનું અભિનંદન કર્યું અને તેને સત્કાર કર્યો, તથા જિનભક્તિના રાગથી “એ તીર્થકર થશે.” એમ કહ્યું. જેણે વસંતકાળનાં રૂપોનો કરંડિયે પિતાના હાથમાં રાખે છે એવી સુદર્શના નામે ગણિકા એક વાર વાયુધની પાસે આવી, અને તે પુપે બતાવીને તેણે વજાયુધને વિનંતી કરી, “દેવ ! લક્ષમીમતી દેવી વિનવે છે કે– સ્વામી ! સુરનિપાત ઉદ્યાનમાં વસંતની શોભા અનુભવવાને આપણે જઈશું. ” પછી કુમાર સાતસો રાણીઓની સાથે ૧, અહીં સન્દર્ભ બરાબર બેસતા નથી. સિદ્ધાયતનમાં પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરવાનો આશય શો? પ્રજ્ઞપ્તિની પૂજા હોય અને દે આવે, એ પણ બેસતું નથી. પ્રજ્ઞપ્તિ પૂજા હોય તે સમયે દે અનાયાસે આવ્યા હોય ? Page #487 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ર ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નીકળે, અને પ્રિયદર્શના વાટિકામાં સર્વની સાથે ક્રીડા કરવા લાગ્યો. તે કુમારને જલ ક્રિીડામાં પ્રસક્ત જોઈને તેને વધ કરવાની ઈચ્છાવાળા તેને વેરી વિદ્યુદંષ્ટ્ર દેવે તેના ઉપર પહાડ નાખે અને નીચે બલવાન નાગપાશથી તેને બાંધ્યું. એ ઉપસર્ગને જોઈને વજાયુધ કુમાર ડર્યો નહીં. તે પર્વતને ભેદીને અને તે બળવાન નાગપાશને છેદીને કુમાર દોડ્યો, અને ત્યાં ઈન્ડે તેની પૂજા કરી. પછી તે ઉદ્યાનની શોભા અનુભવીને કુમાર નગરમાં ગયે અને ત્યાં ઇચ્છિત ભેગે ભેગવવા લાગે. હવે, લોકાન્તિક દેવો વડે પ્રતિબંધ પમાડાયેલા ક્ષેમકર રાજાએ સર્વ રિદ્ધિપૂર્વક વાયુધ કુમારનો રાજ્યાભિષેક કરીને દીક્ષા લીધી અને ઘાતી કર્મનો ક્ષય થતાં જેને કેવળજ્ઞાન થયું છે એવા તેમણે તીર્થ પ્રવર્તાવ્યાં-તીર્થકર થયા. વજાયુધના આયુધગૃહમાં એક હજાર યક્ષેથી યુક્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી તે ચક્રના માર્ગને અનુસરતા તે વજાયુધે આખો મંગલાવતી વિજય છો, અને નિદ્વિગ્ન એવો તે દેના જેવા ચક્રવતીના ભેગો ભેગવવા લાગ્યો. વાયુધ ચક્રવતીએ પોતાના પુત્ર સહસ્રાયુધને યુવરાજ તરીકે સ્થાપિત કર્યો. વિષયસુખ અનુભવતાં તેમને સમય આ પ્રમાણે વીતતે હતે. બત્રીસ હજાર રાજાઓ વડે પરિવરાયેલ અને શીર્ષરક્ષક, અંગરક્ષક, પુરોહિત, મંત્રી અને મહામંત્રી સહિત વાયુધ વિશાળ રત્નમંડિત સભામાં સિંહાસન ઉપર બેઠો હતું. તે સમયે થરથર કંપતા અને ભયને લીધે ગદગદ સ્વરવાળો એક વિદ્યાધર “શરણ! શરણુ! “એમ બોલતો વાયુધ રાજા પાસે આવ્યો. જેણે હાથમાં ઢાલ-તલવાર લીધાં છે એવી તથા લલિત અને નમેલી અંગયષ્ટિવાળી કોઈ વિદ્યાધરકુમારી ત્વરાપૂર્વક તેની પાછળ આવી. આકાશમાં રહીને તે બોલી, “સ્વામી ! આ વિદ્યાધરને તમે મૂકી દે આ પાપીએ મારે અવિનય કર્યો છે, જેથી અમે તેને શિક્ષા કરીશું.” જેણે પિતાના હાથમાં ગદા ધારણ કરેલી છે એ એક વિદ્યાધર તેની પાછળ આવ્યું અને વાયુધ આદિ તે રાજાઓને કહેવા લાગ્યા, “અરે ! આ પાપીને અવિનય સાંભળે– શાતિમતી તથા અજિતસેનને સંબંધ અને તેમને પૂર્વભવ આ જ જંબુદ્વીપમાં, પૂર્વ વિદેહમાં, સુકચ્છ વિજયમાં વૈતાઢ્ય પર્વત ઉપર કપુર નગરમાં શુકદત્ત નામે રાજા વસે છે, તેની ભાર્યા યશોધરા છે. તેને હું પવનવેગ નામે પુત્ર છું. ત્યાં જ વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં કિન્નરગીત નગર છે, ત્યાં રાજા દીચૂડ છે, તેની ભાર્યા ચંદ્રકીર્તિ છે. તેની સુકાન્તા પુત્રી છે, તે મારી ભાર્યા છે. તેનાથી થયેલી મારી આ શાન્તિમતી પુત્રી મણિસાગર પર્વત ઉપર પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધતી હતી ત્યારે આ પાપીએ તેને ઉપાડી. તે જ સમયે શાન્તિમતીને ભગવતી પ્રકૃતિ સિદ્ધ થઈ. તેનાથી પલાયન કરતા તે અહીં તમારે શરણે આવ્યો છે. ભગવતી પ્રજ્ઞપ્તિની પૂજા કરવા માટે હું તે પ્રદેશમાં ગયો હતો. ત્યાં શાન્તીમતીને નહીં જોતાં મેં આગિની વિદ્યાનું (સમાચાર Page #488 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [૪૩૩ ]. જણાવનારી વિદ્યાનું) આવાહન કર્યું. પ્રજ્ઞપ્તિ દ્વારા (ખરી હકીકત) જાણુને હું અહીં આવે. એના (વિદ્યાધરના) આ દોષે છે, માટે દેના સમૂહરૂપ એવા તેને ત્યાગ કરો. હે નરોત્તમ! દેષના ભંડારરૂપ એવા તેને જે તમે ત્યાગ કરે તે ગદાના એક જ પ્રહાર વડે તેના સર્વ દોષને હું નાશ કરું.” તે વિદ્યારે આમ કહ્યું, એટલે અવધિજ્ઞાન વડે જાણીને વાયુધ (સભામાં બેઠેલા) તે રાજાઓને કહેવા લાગ્યા, “હે નરેશ્વર ! આમને પૂર્વ સંબંધ સાંભળો– જંબુદ્વીપમાં ઐરાવત વર્ષમાં વિધ્યપુર નગરમાં વિશ્વદર રાજાની ભાર્યા સુલક્ષણ હતી, તેને નલિનકેતુ પુત્ર હતા. તે જ નગરમાં ધર્મમિત્ર સાર્થવાહ હતા, તેની ભાર્યા શ્રીદતા હતી. તેમને પુત્ર દત્ત હતા, પ્રભંકરા નામે દત્તની ભાર્યા હતી. રૂપ-યૌવનવતી તે પ્રભંકરા દત્તની સાથે ઉદ્યાનમાં ગઈ હતી ત્યારે વિષયસુખમાં લુબ્ધ થયેલા નલિનકેતુએ તેને જોઈ અને તેનું હરણ કર્યું. તેના વિયેગથી દુખી થઈને ઉદ્યાનમાં ફરતો દત્ત સુમનષિના ચરણમાં ગયા. તે સમયે જ એ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચાર પ્રકારના દે તેમને મહિમા કરવા લાગ્યા. તે ષિની એ રિદ્ધિ જોઈને દત્ત ઉપશાન્ત થયો. ભગવાન શ્રષિ પણ નિર્વાણ પામ્યા. જેને સંવેગ થયે છે એવો દત્ત પણ ગયે અને તે મરીને-જંબુદ્વીપમાં સુકચ્છ વિજયમાં વૈતાલ્ય પર્વત ઉપર સુવર્ણ તિલક નગરમાં મહેન્દ્રવિક્રમ રાજા વસતે હતો, તેની પત્ની અનિલગા હતી, તેના ગર્ભમાં અજિતસેન નામે વિદ્યાધરકુમાર થયે. તેની ભાર્યાનું નામ કમલા હતું. વિધ્યદત્ત રાજા મરણ પામ્યું, એટલે જેણે સર્વ સામતેને નમાવ્યા છે એ પેલે નલિનકેતુ રાજા થયે. એક વાર પ્રશંકરાની સાથે બેઠેલા નલિનકેતુએ પહાડના શિખર જેવા આકારવાળા, જામરાવલી જેવા ચામ, ગંભીર ગરવ વડે શબ્દાયમાન, અનેક વર્ણવાળા, ચારે તરફથી આકાશને છાઈ દેતા, તથા તીક્ષણ વીજળી વડે જેમની નિરંતરતા અને નિબિડ શોભાનું દર્શન કરાવાતું હતું એવા મેઘને જોઈને તેમજ ફરી વાર તે જ મેઘને સખ્ત અને આકરા પવન વડે મુહૂર્ત માત્ર પછી વિલય પામતા જોઈને, રિદ્ધિઓના ઉદય અને વિનાશનો તથા અનિત્ય-ભાવનાને વિચાર કરતાં, રાજરિદ્ધિનો ત્યાગ કરીને ક્ષેમંકર જિનવરની પાસે દીક્ષા લીધી, અને તે નિર્વાણ પામે. મૃદુતા અને માર્દવથી સંપન્ન તથા પ્રકૃતિથી ભદ્ર એવી તે પ્રભંકરા પણ સુસ્થિતા આર્યો પાસે ચાંદ્રાયણુ અને પૌષધ કરીને, પછી મરણ પામીને આ તારી પુત્રી શાતિમતી થઈ છે. તે દત્ત પણ મરણ પામીને આ અજિતસેન થયો છે. પરભવના સંબંધથી તેણે એનું હરણ કર્યું હતું. માટે (હે પવનવેગ !) તેને આ અપરાધની ક્ષમા કર, વૈરાનુબંધ ન કરીશ; અનુપશાન્ત ઘણા વેરની પરંપરાઓ પામે છે. ૫૫ Page #489 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ( વાયુધ ચક્રવતી સભામાંના રાજાને કહે છે કે ) આ વાત સાંભળીને ઉપશાન્ત થયેલાં તથા જેમણે વેર છેડી દીધુ છે એવાં આ ત્રણે જણાં ( શાન્તિમતી, અજિતસેન અને પવનવેગ ) ક્ષેમ’કર જિનેશ્વરની પાસે દીક્ષા લેશે. આ શાન્તિમતી પણ દીક્ષા લઇને, રત્નાવલિ તપ કરીને ઈશાન કલ્પમાં દેવેન્દ્ર થશે. તે જ સમયે આ અજિતસેન અને પવનવેગને કેવલજ્ઞાન થશે, એટલે ઇશાનેન્દ્ર તેમની જ્ઞાનાત્પત્તિના મહેાત્સવ કરશે, અને પેાતાના શરીરની પણ (તે કાળે પેાતાનું જે મૃત શરીર પડ્યું હશે તેની) પૂજા કરશે. તે ઈશાનેન્દ્ર આગામી ભવમાં મેાક્ષમાં જશે. ” આ પ્રમાણે વાયુષે કહ્યું, એટલે વિસ્મિત મનવાળા તે સર્વ રાજાએ કહેવા લાગ્યા, “ અહા ! આશ્ચય છે !” પેલાં ત્રણ જણે પણ વાયુધને પ્રણામ કરીને, ક્ષેમ કર જિનેશ્વર પાસે જઇને દીક્ષા લીધી. યુવરાજ સહસ્રાયુધની યતના નામે ભાર્યા હતી. તેમના પુત્ર કનકશક્તિ હતા. મંગલાવતી વિજયમાં સુમન્દિર નગરમાં મેરુમાલી રાજા હતા, તેની મલ્લા કેવી હતી; તેમની કનકમાલા પુત્રો હતી. તે કન્યા કનકશક્તિને આપવામાં આવી હતી. તેજ વિજયમાં શક્રસાર નગર હતુ, ત્યાં રાજા અજિતસેન હતા, તેની ભાર્યો પ્રિયસેના હતી; વસન્તસેના તેમની પુત્રી હતી. કનકમાલા સહિત એવા કનકશક્તિએ તે વસન્તસેનાને ગ્રહણ કરી હતી. તે વસન્તસેના પણ કનકશક્તિની ભાર્યો થઈ. તે કનકશક્તિ વિદ્યાધર થયા અને તે પ્રિયાએ સાથે પૃથ્વીમાં સર્વત્ર ક્રવા લાગ્યા. એક વાર પ્રિયા સહિત તે હિંમત પર્વતના શિખર ઉપર ગયા હતા. ત્યાં કરતાં તેણે વિપુલમતિ ચારણુ શ્રમણને જોયા. તેમને વંદન કરીને, ધર્મ' સાંભળીને, રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને તેણે દીક્ષા લીધી. કનકશક્તિની એ ભાર્યાઓએ પણ વિપુલમતિ આર્યોની પાસે દીક્ષા લીધી, અને તે તપમાં ઉદ્યત તથા ઘણા લેાકેા વડે પૂજનીય એવી આર્યોએ થઇ. પેલા કનકશક્તિ પણ વિહાર કરતાં સિદ્ધિપર્વત ઉપર જઇને પૃથ્વીશિલાપટ્ટ ઉપર એકરાત્રિકી પ્રતિમામાં રહ્યા. ત્યાં હિમચૂડ નામે દેવ તેમને ઉપસ કરવા લાગ્યા. એટલે ક્ષેાભ પામેલા વિદ્યાધરાએ ઉપસતું કારણ પૂછીને, આ નિર્દોષને ઉપસ કરે છે ’ એ જાણીને હિમચૂડને ત્રાસ પમાડ્યો. પછી પ્રતિમા પારીને વિહાર કરતા કનકશક્તિ રત્નસ ંચય નગરમાં ગયા અને ત્યાં સુરનિપાત ઉદ્યાનમાં રહ્યા. ત્યાં પણ તે એકરાત્રિકી પ્રતિમામાં રહ્યા. પ્રતિમામાં રહેલા અને પરમ ધ્યાનથી યુક્ત તે ભગવાનને અપ્રતિહત અને અનંત એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં આવેલા દેવા જ્ઞાનેાપત્તિના 6 ૧. ચારભ્રમણનુ નામ વિપુલમતિ છે એ જોતાં આર્યાંનુ નામ પણ વિપુલમતિ હાય એ ચેાગ્ય લાગતું નથી. કદાચ પ્રતામાં કંઇક અશુદ્ધિ હોય. ત્રિષષ્ટિના પાંચમા પર્વના ત્રી સમાં આ પ્રસંગ વર્ણવાયેા છે ત્યાં આર્યાનું નામ વિમલમતિ આપ્યુ છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [૩૫]. મહિમા કરવા લાગ્યા. ભય પામેલ હિમચૂડ પણ સમોસરણ–વ્યાખ્યાનભૂમિમાં આવ્યા. બત્રીસ હજાર રાજાઓ સાથે આવેલ વાયુધ રાજા પણ જ્ઞાનત્પત્તિનો મહિમા કરીને અને ધર્મ સાંભળીને પાછો નગરમાં ગયે. હવે, ભગવાન ક્ષેમંકર અરિહંત પોતાના ગણની સાથે રત્નસંચય પુરીમાં સમોસર્યા. વાયુધ પણ વંદન કરવા નીકળ્યો. તીર્થકરનાં વચન સાંભળીને પ્રતિબંધ પામેલા તેણે સહસાયુધને રાજ્ય ઉપર સ્થાપીને, સાત પુત્ર, ચાર હજાર મુકુટધારી રાજાઓ અને રૂપગુણશાળી એવી ચાર હજાર રાણુઓની સાથે પોતાના પિતાના (ભગવાન ક્ષેમકરના) ચરણમાં દીક્ષા લીધી, તથા જેણે સૂત્ર તથા અર્થનું ગ્રહણ કર્યું છે તથા જે ઉત્તમ ચારિત્ર્યથી યુક્ત છે એવો તે વિહાર કરવા લાગ્યા. એક વાર તે વાયુધ સિદ્ધપર્વત ઉપર ગયા અને ત્યાં “નમે સિદ્ધાણું” કરીને, જેણે શરીર વસરાવ્યું છે તથા શુશ્રુષાને ત્યાગ કર્યો છે એવા તે, “મને જે કોઈ ઉપસર્ગો થશે તે સર્વે સહન કરીશ” એવો નિશ્ચય કરીને, વજીના સ્તંભની જેમ, સાંવત્સરિકી પ્રતિમામાં રહ્યા. અશ્વગ્રીવના પુત્ર મણિકંઠ અને મણિકેતુ સંસારમાં ભમીને અસુરકુમારે થયા હતા, તેઓ તેમને નાના પ્રકારના ઉપસર્ગો કરવા લાગ્યા. એ ભગવાન વજાયુધ પણ જ્ઞાન વડે કરીને અવિશેષિત મન વડે-રાગદ્વેષ વગર તે સમ્યક્ પ્રકારે સહન કરતા હતા. એ દેશકાળમાં ઉત્તરકિય રૂપવાળી રંભા અને તિલોત્તમા આવી, પછી તેમના વડે ત્રાસ પમાડાયેલા અસુરકુમારે નાસી ગયા. પછી રંભા અને તિત્તમ ભગવાનને વંદન કરીને તથા નૃત્ય બતાવીને પાછી ગઈ. સંયમપરાયણ એવા વાયુધ સાંવત્સરિકી મહાપ્રતિમા પારીને વિચરતા હતા. સહસાયુધ રાજા પણ પિહિતાસવ ગણધરની પાસે ધર્મ સાંભળીને, પુત્ર શતબલી કુમારને રાજ્યાભિષેક કરીને, તે ગણધરની પાસે જ દીક્ષા લઈને વાયુધને જઈ મળે. તે બને પિતાપુત્ર ઘણાં વર્ષો સુધી તપ કરીને, ઇષ~ાશ્માર નામે રમણીય પર્વત ઉપર ચઢીને, પાદપપગમન વિધિથી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરીને ઉપરિમ રૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિવાળા અહમિન્દ્રો થયા, શ્રીશાન્તિનાથની પૂર્વભવસ્થામાં મેઘરથને ભવ પછી અહમિન્દ્રનું સુખ અનુભવ્યા પછી ચુત થઈને-આજ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં, પુષ્કલાવતી વિજ યમાં, પુંડરીકિણી નગરીમાં રાજ ઘનરથ હતો, તેની બે દેવીઓ પ્રીતિમતી અને મને હરી હતી, તેમના ગર્ભમાં વાયુધ મેઘરથ નામે પુત્ર થ અને સહસાયુધ ૧, મૂળમાં વારોથળો ૨ ચમો એવા શબ્દ છે. વાળનો અથ “વ” કલ્પનાથી કર્યો છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : દરથ નામે પુત્ર થયે. સુખપૂર્વક ઊછરેલા તેઓ કલાઓમાં નિપુણ થયા. મેઘરથકુમારની બે ભાયીઓ પ્રિય મિત્રો અને મનેરમા હતી. પ્રિયમિત્રાને પુત્ર નંદિષણ હતું અને મનેરમાનો મેધસેન હતે. દઢરથની સુમતિ ભાર્યા હતી અને તેને પુત્ર રથસેનકુમાર હતે. બે કૂકડાઓ અને તેમને પૂર્વભવ હવે, એક વાર અંતઃપુરમાં રહેલો અને સિંહાસન ઉપર આરૂઢ થયેલો ઘનરથ પત્રો. દોહિત્રો અને પૌત્રો વડે વીંટળાઈને બેઠો હતો. વાદની ઇચ્છાવાળી સુષેણ નામે ગણિકા એક કુકડો લઈને રાજાની પાસે આવી અને કહેવા લાગી, “સ્વામી ! હેડને અંત આવે ત્યારે જે એક લાખ પ્રતિમૂલ્ય મળે તો મારો કૂકડો આપના ચરણમાં યુદ્ધ કરે.” રાણી મનહરી ત્યાં આવી. તે રાણીએ દાસીને કહ્યું, “મારા કુકડા વાતુંડને અહીં લાવો; સુષેણું કહે છે તેટલી હેડ પણ ભલે મુકાઓ.” પછી દાસીએ (સાઠમારીમાં) સજજ એવા તે કૂકડાને મેદાનમાં ઉતાર્યો અને સુન્દર રૂપવાળા તથા સમાન બળવાળા તે કૂકડાઓ ત્યાં યુદ્ધ કરવા લાગ્યા. ઘનરથ રાજાએ કહ્યું, “આમાંથી એકે કૂકડો જીતશે નહીં. ” મેઘરથ કુમારે કહ્યું, સ્વામી ! એનું રહસ્ય શું?” ફરી મેઘરથે કહ્યું, “બેમાંથી એકે નહીં તે તેનું કારણ સાંભળ જંબુદ્વીપમાં, એરવત વર્ષમાં રત્નપુર નગરમાં ધનવાસુ અને ધનદત્ત નામના ગાડું ચલાવનારા બે વાણિયા હતા. તે બન્ને સાથે વેપાર કરતા હતા. જેમની ધનની આશા શાન્ત થઈ નથી એવા તે બે જણ ઘણા પ્રકારનો માલ લઈને ગામ અને નગરોમાં વેપાર કરતા ફરતા હતા. ઘણા ભારથી દુઃખી થયેલા, ભૂખ-તરસથી ત્રાસેલા, ઠંડી અને ગરમીથી સંસાયેલાં અંગવાળા, ડાંસ અને મચ્છરોથી પીડાયેલા શરીરવાળા, જેમનાં સર્વ ગાત્રો દખતાં હતાં એવા તથા નાસાભેદ-નાથ ઘાલવાથી અને (પરોણાના) પ્રહારથી ભાંગી પડેલા બળદને તેઓ ચલાવતા હતા. માયા, નિતિ અને ઉત્કચના-અનેક પ્રકારનાં કપટ કરનારા, ખોટાં ત્રાજવાં અને ખાટાં તેલથી વેપાર કરતા, મિથ્યાત્વથી માહિતી મતિવાળા, નિર્દય, કર્કશ, લોભ અને કલિથી ગ્રસ્ત તથા આર્તધ્યાનવાળા તેઓએ તિર્યંચનું આયુષ્ય બાંધ્યું. એક વાર રાગદ્વેષ નિમિત્તે તેમની વચ્ચે લડાઈ થઈ. યુદ્ધ કરતા તેઓ એકબીજાને મારીને ફરીથી તે જ એરવત વર્ષમાં સુવર્ણ કુલા નદીના કિનારે હાથીઓના યૂથમાં પર્વતના શિખર જેવા આકારવાળા તથા સર્વાંગસુન્દર શરીરવાળા હાથી થયા. વનચર મનુષ્યએ તેમનાં તામ્રકલ અને વેતક્રાંચન એવાં નામ પાડ્યાં, એટલે તેઓ એ રીતે પ્રસિદ્ધ થયા. તેમની વચ્ચે યૂથને માટે એક વાર ઝઘડો થયો. એકબીજાને મારીને તેઓ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં અયોધ્યા નગરીમાં નંદિમિત્રના માનીતા પયૂથમાં પાડાઓ થયા. ત્યાં શત્રુંજય રાજાની દેવાનંદ દેવીના ધરણીસેન અને નંદિપેણ Page #492 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંભક [૪૩૭ ] નામે બે પુત્રો હતા. તેઓએ એ પાડાઓએ લડાવ્યા. એટલે એકબીજાને મારીને તેઓ તે જ અયોધ્યાનગરીમાં મેંઢા થયા. અનુક્રમે ઊછરેલા તેઓ કાલ અને મહાકાલ એ નામથી (ઓળખાયો). ત્યાં પણ યુદ્ધ કરતા અને ભેદાયેલાં મસ્તક અને કપાળમાંથી નીકળતા રુધિર વડે તરબોળ થયેલા તેઓ મરીને આ કૂકડાઓ થયા. આથી પૂર્વના સંબંધથી ઉત્પન્ન થયેલા વેરવાળા અને જેમની વધની ઈચ્છા દૂર થઈ નથી એવા એ બન્ને એકબીજાને જોઈને રોષયુક્ત થઈને આ લઢવા લાગ્યા છે.” મેઘરથ કુમારે કહ્યું, “સ્વામી! આ કૂકડાઓ વિદ્યાધર સહિત છે (અર્થાત્ તેઓ વિદ્યાધરો વડે અધિષિત છે.)” વનરથે કહ્યું, “વિદ્યાધર સહિત કેવી રીતે ?” એટલે મેઘરથ બે, “કેવી રીતે વિદ્યાધર સહિત છે, તે સાંભળે ચંદ્રતિલક-વિદિતતિલકને સંબંધ અને તેમને પૂર્વભવ જંબુદ્વિપના ભારતમાં વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં સુવર્ણનાભ નામે નગર છે. ત્યાં ગરુડવેગ રાજા છે, તેની વૃતિસેના ભાર્યા છે, જેના ચંદ્રતિલક અને વિદિતતિલક એ બે પુત્ર છે. તેઓ એક વાર મેરુના શિખર ઉપર જિનપ્રતિમાઓને વંદન કરવા માટે ગયા. ત્યાં ફરતાં તેઓએ શિલાતલ ઉપર સુખપૂર્વક બેઠેલા ચંદનસાગરચંદ્ર નામે ચારણશ્રમણને જોયા. તેમને વંદન કરીને તેમના ચરણમાં તે બે જણે ધર્મ સાંભળે. કથાને અંત આ જાણીને તે બન્ને જણાએ પિતાના પૂર્વભવ પૂછયા. અતિશયજ્ઞાની તે ભગવાન તેમને કહેવા લાગ્યા– ધાતકીખંડમાં પૂર્વ એરવતમાં વજપુરમાં અભયઘોષ રાજા હતા, તેની દેવી સુવર્ણ તિલકા હતી; વિજય-જયંત એ તેમના બે પુત્રો હતા. તે જ રાતમાં સુવર્ણ દુર્ગ નગર હતું. ત્યાં શંખ રાજા હતા, તેની પૃથ્વી દેવી હતી, તેમની પૃથ્વસેના પુત્રી હતી. તે કન્યા અભયઘોષ રાજાએ આપેલી હતી. એક વાર એક દાસી વસંતનાં પુષ્પો લઈને અભયાષ રાજાની પાસે આવી અને સુવર્ણતિલકા દેવી તરફથી વિનંતી કરવા લાગી, “ સ્વામી ! વસન્તક્રીડા કરવા માટે છલેક ઉદ્યાનમાં જઈએ.”કેટિમૂલ્યથી બનાવેલાં ઉત્તમ યુક્તિ-કુસુમો (અમુક વસ્તુઓ મેળવીને તૈયાર કરેલાં બનાવટી પુ) પૃથ્વીસેના રાજા પાસે લાવી. તે લઈને રાજા છલેક ઉદ્યાનમાં જવા નીકળ્યો. ત્યાં સેંકડો રાણીઓ વડે વીંટાયેલે તે ક્રીડા કરવા લાગ્યા. ત્યાં ફરતી પૃથ્વીસેના રાણીએ દંતમથન નામે સાધુને જોયા. તેમને વંદન કરીને તથા તેમની પાસે ધર્મ સાંભળીને જેને કામ પ્રત્યે નિર્વેદ થયો છે એવી તે પૃથ્વી સેના રાજાને વિનંતી કરવા લાગી, “હું દિવ્ય સુખને પ્રાપ્ત કરીશ.” રાજાએ અનુજ્ઞા આપી, એટલે તે સાધ્વી થઈ. રાજા પણ તે ઉદ્યાનની શોભા અનુભવીને નગરમાં ગયે. Page #493 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: અન્યદા અભયશે અનંતનાથ જિનેશ્વરને પારણાના સમયે વિપુલ ભાત પાણી વહોરાવ્યું. ત્યાં “અહો ! દાન !” એવી ઘોષણા થઈ, વસુધારા થઈ, પાંચ વર્ણનાં પુપની તથા વસ્ત્રોની વૃષ્ટિ થઈ અને દેએ દેવદ્યોત કર્યો. જેમની પૂજા કરવામાં આવી છે એવા મુનિવર પાછા વળ્યા. રાજા પણ યથાસુખ વિહરવા લાગ્યા. ઘાતકર્મને ક્ષયથી અનંતનાથ જિનેશ્વરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શિષ્યગણેથી વીંટાયેલા તેઓ ફરી વાર વિહાર કરતા વાપુરમાં આવ્યા. જિનેશ્વરનું આગમન સાંભળીને અભયશેષ રાજા સર્વ રિદ્ધિપૂર્વક તેમને વંદન કરવાને નીકળ્યો. ત્યાં ધર્મરત્ન સાંભળીને, વિજય અને જયંત એ બે પુત્રોએ જેને દીક્ષા મહોત્સવ કર્યો છે એવા તે રાજાએ રાજરિદ્ધિને ત્યાગ કરીને દીક્ષા લીધી. વીસ કારની–સ્થાનકની જેણે બરાબર આરાધના કરીને પોતાની જાતને ભાવી છે એવા તેણે તીર્થકરનું આયુષ્ય બાંધ્યું. ઘણા કાળ સુધી વિહર્યા બાદ આયુષ્ય ક્ષીણ થતાં તે પુત્રની સાથે અચુત ક૫માં ઉત્પન્ન થયે. ત્યાં બાવીસ સાગરોપમ સુધી દિવ્ય સુખ અનુભવીને મૃત થઈને તે–આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પંડરીકિ નગરીમાં રાજા હેમાંગદ હતો, તેની પટ્ટરાણી વામાલિની હતી, તેને પુત્ર ઘનરથ થે. તે ઘનરથ તમારો પૂર્વજન્મને પિતા છે. જે વિજય અને જયંત હતા તે તમે બે ભાઈઓ થયા છો. આ તમારો પૂર્વભવ છે.” આ પ્રમાણે સાંભળીને, તે સાધુને પ્રણામ કરીને તે ચંતિલક અને વિદિતતિલક અહીં તમારા નગરમાં તમારા પ્રત્યેના પૂર્વાનુરાગથી આવ્યા છે. હે સ્વામી! તમારું દર્શન કરવાની ઈચ્છાવાળા, અહીં આવેલા તેઓએ આ કૂકડાઓમાં પોતાની જાતને સંક્રમિત કરી છે.” મેઘરથે આ પ્રમાણે કહ્યું, એટલે તે વિદ્યારે પિતાનું રૂપ ધારણ કરીને, ઘનરથના ચરણમાં નમસ્કાર કરીને પિતાના નગરમાં ગયા. અન્યદા તેઓએ ભગવર્ધન મુનિવરના ચરણમાં દીક્ષા લીધી અને જેમણે કર્મોને ધોઈ નાંખ્યાં છે એવા તેઓ સિદ્ધિમાં ગયા.” આ વાત સાંભળીને જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવા તે બંને કુકડા ઘનરથને ચરણે નમીને, અનશન કરીને (કાળ કરી) ભૂતારમણ અટવીમાં મહદ્ધિક ભૂતે થયા. અનેક રૂપ ધારણ કરનારા તે ભૂતો દિવ્ય વિમાન વિકુવીને, તેમાં મેઘરથકુમારને બેસાડીને, આખી પૃથ્વીમાં ફરીને, ફરી વાર કુમારને પાછો લાવીને વંદન તથા પ્રદક્ષિણા કરીને, અને રાજભવનમાં ત્રણ વાર રત્નની વૃષ્ટિ કરીને પિતાના સ્થાને ગયા. રતિસાગરમાં રહેલા તે ઘનરથ વગેરે ઇચ્છિત ભેગે જોગવતા હતા. વિષયસુખ અનુભવતા તથા નાટકમાં અનુરક્તા એવા તેમને સમય, સ્વર્ગમાં જેમ સુરેન્દ્રોને સમય વીતે તેમ, વીતતે હતે. અન્યદા દીક્ષાને સમય જાણીને કાતિક દે વડે પ્રતિબંધ પમાડાયેલા ઘનારથે મેઘરથકુમારને રાજ્ય ઉપર સ્થાપીને તથા દઢરથને યુવરાજ બનાવીને દીક્ષા લીધી અને તે Page #494 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લ‘ભક [ ૪૩૯ ] તપ કરવા લાગ્યા. જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે એવા તે ભળ્યેાને ખાધ પમાડતા વિહરવા લાગ્યા. મેઘરથ પણ મહામાંડિલક થયા. એકવાર તે દેવાદ્યાનમાં ગયા. પ્રિયમિત્રા દેવી સહિત તે ત્યાં ઇચ્છાનુસાર રમણુ કરતા હતા. ત્યાં અશે!કવૃક્ષની નીચે મણિ-કનક શિલાપટ્ટ ઉપર તે બેઠા. જેમણે હાથમાં તલવાર, શક્તિ, ભાલા, તામર, મુદ્દાર અને પરશુ રાખેલ છે એવા, શરીર ઉપર ભસ્મનેા અંગરાગ કર્યા છે એવા, મૃગચર્મનાં વસ્રોવાળા, કપિલ રંગના છૂટા કેશવાળા, જેમણે કાળા સર્પનાં લાંબાં ઉત્તરસંગ કર્યાં છે એવા, જેમણે (ગળા ઉપર) અજગર વીંટાળ્યા છે એવા, લાંબાં ઉરુ, ઉત્તર અને વદનવાળા, ઘા, ઊંદર, નાળિયા અને કાચંડાનાં જેમણે કર્ણાભૂષણુ કર્યા છે એવા તથા સમૂહુરૂપે અનેક રૂપ ધારણુ કરનારા ઘણા ભૂતાએ ત્યાં તેની સામે નૃત્ય કર્યુ એ સમયે કુવલયદલ જેવા શ્યામ ગગનમાં થઇને આવતું, સુવર્ણુ અને મણુિની તૂપિકાવાળું અને પવનથી નચાવાતી પતાકાવાળું ઉત્તમ દિવ્ય વિમાન તેણે જોયુ. તેમાં સિંહાસનમાં બેઠેલા, વિચિત્ર અને ઉત્તમ આભૂષણૈાથી વિભૂષિત અંગવાળા તથા કમળ જેવાં સુન્દર નયનવાળા કાઇ વિદ્યાધરને તેણે જોયા. ઉત્તમ યૌવન©ાથી યુક્ત એવી કૈાઇ વિદ્યાધરતરુણી તેની પાસે બેઠી હતી. તેને જોઇને પ્રિયમિત્રાએ મેઘરથને પૂછ્યું, “ સ્વામી ! આ કાણુ છે ? વિદ્યાધર છે કે દેવ છે ? ” એટલે મેઘરથ કહેવા લાગ્યા, “ દૈવિ ! સાંભળ, તને હું કહું છું— સિંહરથ વિદ્યાધરને સબધ અને તેને પૂર્વભવ જંબુદ્રીપના ભરતમાં, વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં અલકાપુરી નગરના અધિપતિ વિદુરથ રાજા હતા, તેની અત્રમહિષી માનસવેગા હતી; તેના આ સિંહૅરથ નામના પુત્ર પ્રસિદ્ધ વિદ્યાધર-ચક્રવતી છે. ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમ વિદેહના પૂર્વ ભાગમાં, સીતાદા નદીની ઉત્તરે સુવર્ણ વિજયમાં ખડ્ગપુરમાં અમિતવાહન અરિહંતને વંદન કરીને તે પાછા વળેલા છે. અહીં તેની ગતિ પ્રતિહત થઇ છે; મને જોઇને ક્રોધ પામેલેા તે વિમાનમાંથી ઊતરીને અમપૂર્વક મને હાથથી ઉપાડશે. તેણે એ જ પ્રમાણે કર્યું. એ વિદ્યાધરે ) મને ઉપાડયા, એટલે તેના દરૂપી વિશાળ પર્વતનું વિદારણુ કરવા માટે આ ડાખા હાથ વડે તેના ઉપર મેં આક્રમણ કર્યું; એટલે તેણે મેટા સ્વરે ચીસ પાડી. એટલે પુત્ર સહિત તેની પત્ની અને વિદ્યાધરા ભય પામ્યાં તથા મારે શરણે આવ્યાં. ’૧ ૧. ‘તેણે એ જ પ્રમાણે કર્યું....શરણે આવ્યાં ' ( મૂળમાં તદેવ...સળમુવયા ) સુધીના પાઠ ગ્રન્થસન્નઈમાં બરાબર બેસતા નથી. વિદ્યાધર કાણુ છે, એ વિષે રાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં મેઘરથ રાજાના આ ઉત્તર છે. તેમાં આ બધી હકીક્ત યુક્ત નથી. મૂળ ગ્રન્થને પાઢ અહીં ભ્રષ્ટ હાવાથી સર્જા કંઈક તૂટક બન્યા જાય છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - [ ૪૪૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? પ્રિય મિત્રાએ પૂછ્યું, “આ વિદ્યાધર પૂર્વભવમાં કોણ હતો?” એટલે મેઘરથ કહેવા લાગ્યા પુષ્કરવર દ્વીપાર્ષમાં પૂર્વ ભારતવર્ષમાં સંઘપુર નગરમાં રાજ્યગુપ્ત નામે ગરીબ મનુષ્ય રહેતો હતો, તેની ભાર્યા શંખિકા નામે હતી. તે રાજ્યગુપ્ત એક વાર પિતાની પત્નીની સાથે સંઘગિરિ ઉપર ગયે હતું. ત્યાં વિદ્યાધરને ધર્મ કહેતા સર્વગુપ્ત સાધુને તેણે જોયા. તે બન્ને જણાએ પણ ધર્મ સાંભળીને બત્રીસ ઉપવાસ ગ્રહણ કર્યા. ત્રીસ ચેથ ભક્ત કરીને, તેના પારણામાં ધૃતિવર સાધુને વહરાવીને તે બન્ને જણાંએ સર્વગુપ્ત સાધુની પાસે દીક્ષા લીધી. રાજગુપ્ત આયંબિલ વર્ધમાન તપ કરીને તથા અનશનથી કાળ કરીને બ્રહ્મલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળે દેવ થયો. તે ત્યાંથી યુત થઈને માનસવેગાના ગર્ભમાં સિહરથ નામને આ પરાક્રમી રાજા થયે. તેની પૂર્વકાળની ભાર્યા જે શંખિકા હતી, તે જ આ મદનવેગા થઈ છે, ફરી વાર પણ તે એની પત્ની થઈ છે.” આ વૃત્તાન્ત સાંભળીને સિંહરથ રાજા મેઘરથ રાજાને પ્રણામ કરીને વિમાનમાં બેસીને પિતાના નગરમાં ગયા અને પોતાના નગરતિલક પુત્રને રાજ્યાભિષેક કરીને, રાજરિદ્ધિને ત્યાગ કરીને તેણે ઘરથ તીર્થકરના ચરણમાં દીક્ષા લીધી; ઉત્તમ તપ કરીને આયુષ્ય ક્ષીણ થતાં તે નિર્વાણ પામે. મેઘરથ પણ ઉદ્યાનની શોભા અનુભવીને પુંડરીકિણી નગરીમાં ગયે. પારેવા અને બાજનું આગમન ભૂષણ અને આભૂષણેને ત્યાગ કરીને પૌષધને યેગ્ય આસન ઉપર બેઠેલો મેથરથ એક વાર રાજાઓને સમ્યક્ત્વરત્નના મૂળભૂત, જગતના જીવનું હિત કરનાર, મોક્ષફળને આપનાર અને દુઃખથી મુકાવનાર ધર્મ કહેતા હતા. એ દેશકાળમાં ભય પામેલે અને થરથર કંપતે એક પારે “રાજનું! શરણ ! શરણ ! ” એમ બોલતે પૌષધશાળામાં આવ્યો રાજાએ “તને અભય છે ” એમ કહ્યું, તથા “તું ડરીશ નહીં” એમ કહેવામાં આવતાં તે ત્યાં જ રહ્યો. તેની પાછળ એક બાજ આવી પહોંચે, અને મનુષ્યવાણું બેલતો તે આકાશમાં રહીને રાજાને કહેવા લાગ્યું, “આ પારેવાને છોડી દે, એ મારો ભય છે.” મેઘરથે કહ્યું, “એ શરણાગત છે, માટે આપી ન શકાય. ” બાજ બે, “નરવર ! જે તું એ પારે મને નહીં આપે તો ભૂખે થયેલે હું કોને શરણે જાઉં ? ” મેઘરથે કહ્યું, “જે જીવન તને પ્રિય છે તે નિ:સંશય સર્વ જીવને તે તેમજ (પ્રિય ) છે. કહ્યું છે કેબીજાના પ્રાણીને નાશ કરીને જે પિતાને થોડા દિવસ માટે જિવાડે છે, તે પોતાને જ નાશ કરે છે. દુઃખથી કંટાળેલો જે મનુષ્ય બીજાને મારીને તે દુખને પ્રતિકાર કરે છે તે એ હિંસા નિમિતે ફરી વાર ઘણું દુઃખ પામશે.” Page #496 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૪૧ ] જેને આ પ્રમાણે ઉપદેશ આપવામાં આવ્યા છે એવા બાજે કહ્યું, “ભૂખના દુઃખથી પીડાતા એવા મારું મન ધર્માભિમુખ ક્યાંથી હોય ?” મેઘરથે કહ્યું, “ભૂખનો પ્રતિકાર કરવા માટે હું તને બીજું માંસ આપું પારેવાને તું છોડી દે.” બાજ બે, “પિતાની મેળે મરેલાંનું માંસ હું ખાતું નથી, તરફડતા પ્રાણીને મારીને તેનું માંસ ખાઉં છું.” મેઘરથે કહ્યું, “જેટલું પારેવાનું વજન થાય તેટલું માંસ મારા શરીરમાંથી લે. ” “ભલે” એ પ્રમાણે બાજે કહ્યું. પછી બાજના વચનથી પારેવાને તુલામાં ચડાવીને રાજા બીજી બાજુએ પિતાનું માંસ કાપીને ચડાવવા લાગ્યો. પણ જેમ જેમ પિતે માંસ મૂકવા માંડ્યો તેમ તેમ પારેવાનું વજન વધારે થવા માંડ્યું. આ જાણીને રાજા પોતે જ તુલામાં બેસી ગયે. “અરે! અરે ! રાજેશ્વર ! આવું સાહસ કેમ કર્યું? ખરેખર, આ બધું કૃત્રિમ છે, પારેવાનું વજન આટલું બધું ન થાય!” એ પ્રમાણે (લોકેએ હાહાકાર કર્યો). એ દેશકાળમાં એક દિવ્યરૂપધારી દેવે પિતાનું સ્વરૂપ બતાવ્યું, અને કહ્યું, “રાજન્ ! તું આટલે દયાવંત છે, માટે લાભે તને સુલબ્ધ છે.” પછી રાજાની પૂજા કરીને તથા તેને ખમાવીને દેવ ગયા. પછી વિસ્મિત થયેલા રાજાઓ પારેવા અને બીજાને ગયેલા જોઈને મેઘરથને પૂછવા લાગ્યા, “પૂર્વભવમાં આ કોણ હતા ?” એટલે મેઘરથ રાજા કહેવા લાગ્યો– પારેવા અને બાજને પૂર્વભવ આ જ જંબુદ્વીપમાં એરવત વર્ષમાં પવિનીટ નગરમાં સાગરદત્ત નામે વાણિ રહેતું હતું. તેની વિજયસેના ભાર્યા હતી, તેના ધન અને નંદન એ બે પુત્રો હતા. તેઓ વેપાર કરતાં એક વાર નાગપુર ગયા. શંખ નદીના કિનારે રને કારણે તેમની વચ્ચે ઝગડો થયે. યુદ્ધ કરતા તેઓ અગાધ પ્રવાહમાં પડ્યા. ત્યાં મરણ પામીને તેઓ આ પક્ષીઓ-પારે અને બાજ થયા. મોટા થયા પછી એકબીજાને જોઈને પૂર્વરને કારણે તેઓ એકબીજાને વધ કરવાની ઈચ્છાવાળા થયા. એ પક્ષીઓને આ પૂર્વભવ કહો. સુરૂપ યક્ષને સંબંધ અને તેને પૂર્વભવ હવે, દેવને પૂર્વભવ તથા જે કારણે તેનું અહીં આગમન થયું તે સાંભળે– જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં સીતા નદીના દક્ષિણ કિનારે રમણીય વિજયમાં શુભા નગરીમાં તિમિતસાગર નામે રાજા હતા. વસુંધરી અને અણુધરી એ બે તેની ભાર્યાઓ હતી. આથી ચોથા ભવમાં તે રાજાને, અણુધરીના ગર્ભથી થએલે હું અપરાજિત નામે પુત્રબલદેવ હતા. વસુન્દરીની કુખથી ઉત્પન્ન થયેલે મારો અનંતવીર્ય નામનો બીજો ભાઈ મહદ્ધિક વાસુદેવ હતા. ત્યાં અમારે શત્રુ દમિતારિ નામે વિદ્યાધર હતા તે સમયે Page #497 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ ૩ કનકશ્રી કન્યાને કારણે અમે તેના વધ કર્યાં હતા. તે દમિતાર ઘણા કાળ સુધી સ’સારમાં ભમીને આ જ ભરતમાં અષ્ટાપદ પર્વતની તળેટીમાં નિકટી નદીને કિનારે સેામપ્રભ તાપસના પુત્ર થા, અને અજ્ઞાનતપ કરીને કાળધર્મ પામેલે તે આ સુરૂપ યક્ષ થયા. પ્રાણીઓ પ્રત્યેનું વેર જેણે દૂર કર્યું છે એવા હું એકાગ્ર મનવાળા થઈને અહીં પોષધશાળામાં બેઠા હતા. પેાતાની સભામાં બેઠેલે ઈશાનેન્દ્ર મારું ગુણુકીર્તન કરતા હતા કે, “ મેઘરથને ધર્મ માંથી ક્ષેાભ પમાડવાને ઇન્દ્ર સહિત દેવા પૈકી પણ કાણુ સમર્થ છે ?” ઇશાનેન્દ્રનું વચન સાંભળીને અસહિષ્ણુતાને પામેલા આ સુરૂપ યક્ષ મને ક્ષેાભ પમાડવાની ઇચ્છાથી અહીં આવ્યેા. પૂર્વકાળના વેરથી જેમને રાષ ઉત્પન્ન થયા છે તથા પાતપાતાના પુરુષાર્થથી જેઓ યુક્ત છે એવાં તથા આકાશમાં રહેલાં તે પક્ષીઓને તેણે ઢાડતાં જોયાં. તે બન્ને પક્ષીઓમાં પ્રવેશ કરીને, મનુષ્યભાષી એવા તે યક્ષે મને ક્ષેાભ પમાડવા આ પ્રકારનું કાર્ય કર્યું. પણ મને ક્ષેાભ પમાડવાને અસમર્થ તથા જેની પ્રતિજ્ઞા ભાંગી ગઈ છે એવા તે ઉપશાન્ત થઈને હમણાં મને ખમાવીને ગયા. ” પૂર્વભવનું સ્મરણ કરીને જેમણે વેર છેાડી દીધુ છે એવાં તે પક્ષીઓ પણ ભક્તપરિજ્ઞા—અનશન કરીને ભવનવાસી દેવા થયાં. મેઘરથ રાજા પણ તે પૌષધ પારીને ઇચ્છિત ભાગે! ભાગવવા લાગ્યા. ,, જેના સંવેગ વૃદ્ધિ પામ્યા છે એવા તે રાજા કેાઈ એક વાર અષ્ટમ ભક્ત સ્વીકારીને, પરિષહાને છાતી સેાંપીને ( અર્થાત્ પરિષહાની સામે થઇને) કાયાત્સ કરીને રહ્યો. ઇશાનેન્દ્રે તેને જોઈને હાથ જોડી પ્રણામ કર્યા કે, “ ભગવાનને નમસ્કાર. ” દેવીએ તેને પૂછવા લાગી, “તમે કાને પ્રણામ કર્યા ? ” ( એટલે ઇશાનેન્દ્રે કહ્યું, ) “હું ત્રિલેાકસુન્દરી ! મેઘરથ નામે આ મહાત્મા રાજા જે ભવિષ્યત જિન-થનાર તીર્થ કર−છે, તે પ્રતિમામાં રહેલ છે; તેને મેં... પ્રણામ કર્યાં. ઇન્દ્ર સહિત દેવા પણ એને શીલવ્રતાના વિષયમાં ક્ષેાભ પમાડવાને સમર્થ નથી. ” આ વસ્તુને નહીં સહન કરી શકતી અને મેઘરથને ક્ષેાભ પમાડવા ઇચ્છતી સુરૂપા અને અતિરૂપા દેવીએ દિવ્ય ઉત્તરવૈક્રિય રૂપા વિષુવીને આવી. મદનનાં શાને ઉદ્દીપિત કરનાર અનુલેામ ઉપસર્ગો મેઘરથને આખી રાત કર્યા પછી પણ તેને ક્ષેાભ પમાડવાને અશક્ત એવી તે દેવીએ પ્રભાતકાળે તેની સ્તુતિ કરીને તથા નમસ્કાર કરીને ગઇ. મેઘરથ પણ સૂર્ય ઊગતાં કાર્યાત્સગ અને પૌષધ પારીને ઇચ્છિત ભાગે ભેગવવા લાગ્યા. મેઘરથના તે શ્રદ્ધા-સ ંવેગ જોઈને પ્રિયમિત્રા દેવી પણ સંવેગવાળી થઇ. એક વાર ધનરથ તીર્થંકરનું આગમન સાંભળીને મેઘરથ અને પ્રિયમિત્રા અને જણ તેમને વંદન કરવાને નીકળ્યાં. ભગવાનનું વચન સાંભળીને જેને વૈરાગ્ય થયા છે એવા મેઘરથે Page #498 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૪૩ ] દરથને રાજ્ય આપવા માંડયું, પણ તેણે તે ન ઈછયું. એટલે રાજ્યસન ઉપર પુત્ર મેઘસેનનો વૈભવપૂર્વક અભિષેક કરીને તથા દરથના પુત્ર રથસેન કુમારનો યુવરાજપદે અભિષેક કરીને–જેને વૈરાગ્ય અધિક વૃદ્ધિ પામ્યો છે એવા, શીલવતેથી યુક્ત તથા મોક્ષસુખની અભિલાષા રાખતા એવા ધીર અને વિખ્યાત યશવાળા મેઘરથે દરથની સાથે તથા ચાર હજાર રાજાઓ અને સાત પુત્રની સાથે મોહજાળને છેદીને દીક્ષા લીધી. પછી પિતાના દેહને વિષે પણ નિરપેક્ષ, વૃતિબળથી યુક્ત તથા સમિતિ અને સમાધિથી યુક્ત એ તે ધીર ઉગ્ર તપ કરવા લાગ્યું. ઉત્તમ તપથી મુક્ત થઈ વિહાર કરતા એવા તેણે વિસ સ્થાનકમાંથી એક વડે તીર્થકર નામકર્મ બાંધીને એક લાખ પૂર્વ સુધી શ્રામણ્ય પાળ્યું. અગીઆર અંગેને ધારણ કરનાર એવા તેણે સિંહનિક્રીડિત તપ કરીને, દઢરથની સાથે અંબરતિલક પર્વત ઉપર ચઢી અનશન કર્યું, અને ધૃતિરૂપી નિશ્ચલ કચ્છ જેણે બાંધે છે તથા જેનાં શેડાંજ કર્મો અવશિષ્ટ રહ્યાં છે એ તે દરથની સાથે સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં દેવ થયે. શ્રીશક્તિનાથનું ચરિત્ર ત્યાં વિમાનના સમૂહમાં સારભૂત, પરમ તપ-નિયમમાં નિરત થઈને જેઓ સવાર્થ. સિદ્ધ દેવતાઓ તરીકે ઉત્પન્ન થયા છે તેઓને માટે પણ દુર્લભતર એવાં રૂપ, પ્રાસાદ અને વિષયસુખથી યુક્ત એવા તે સુરકમાં અહમિંદ્રપણાને તેત્રીસ સાગરોપમ સુધી અનુભવ્યા પછી એવીને-આ જ ભારતમાં, કુરુ જનપદમાં હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજા હતો, તેની દેવી અચિરા નામે હતી, સુખશયનમાં રહેલી અને ચૌદ સ્વપ્ન જેવા વડે હર્ષ પામેલી એવી તેની કુક્ષિમાં મેઘરથ દેવ ઉત્પન્ન થયો. તે દેશમાં એ પર્વે ઉત્પન્ન થયેલ દારુણ અશિવ-ઉપદ્રવનું નિવારણ, પ્રયત્ન કરવા છતાં પણ, એ રાજા કરી શકો નહતા. પણ તીર્થકર માતાના ગર્ભમાં આવતાં તે ઉપદ્રવ શાન્ત થયે, એટલે ઉપદ્રવ રહિત પ્રજાઓ આનંદ પામી. પછી નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસ પૂરા થતાં ભગવાનને જન્મ થયો. પ્રસન્ન મનવાળી દિશાકુમારીએાએ તેમનું જાતકર્મ કર્યું. પિતાની બુદ્ધિની રુચિ અનુસાર પાંચ ક્રિયરૂપ જેણે કર્યા છે એવા શતકતુ ઈન્દ્ર ચાર પ્રકારના દેવનિકા સાથે મેરુના શિખર ઉપરની અતિપાંડુકંબલશિલા ઉપર તીર્થકરના અભિષેકથી ભગવાનને યથાવિધિ અભિષેક કર્યો, અને તેમના પિતાના ભવનમાં રત્નવર્ષા કરીને ઈન્દ્ર તેમને પાછો લાવ્યા. દેવે પોતાનાં સ્થાનેએ ગયા. સંતુષ્ટ થયેલાં માતાપિતાએ અશિવ-ઉપદ્રવની શાન્તિનો વિચાર કરીને તેમનું “શાન્તિ” એવું નામ પાડ્યું. દેવતા વડે પરિગૃહીત થયેલા, અને સુકૃતનું જાણે પ્રતિબિંબ ન હોય એવા અતિશયયુક્ત દેહવાળા, શરદકાળના પૂર્ણ ચંદ્ર જેવા સૌમ્ય વદનચંદ્રવાળા, શિશિરકાળના બાલસૂર્ય જેવા તેજયુક્ત, મનુષ્યોને પ્રીતિ ઉત્પન્ન કરનાર, સંતોષથી વિસ્તાર પામેલાં નયનકમળની Page #499 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૪] • વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: માળા વડે ચિરકાળ સુધી દર્શન કરષા લાયક, નંદનવન અને મલયપર્વતમાં ઉત્પન્ન થયેલાં પુષ્પોની સુગંધવાળા સુખદાયક પવનની જેમ ઘાણને અમૃત જેવી પ્રસન્નતા આપે. નાર શીતળ અને સુરભિ સુગંધ જેમને છે એવા, પગની આંગળીઓના પ્રશસ્ત સમૂહ વડે જેમણે કમળવનની શોભાનો સ્વીકાર કર્યો છે એવા, બળવાન મૃગરાજને પણ શિક્ષણ આપવાને સમર્થ તથા લક્ષણશાસ્ત્રને અનુકૂલ એવી સ્વચ્છેદ લલિત ગતિવાળા, સુરદુંદુભિ તેમજ જળભર્યા મેઘના જેવી હૃદયહારી મધુર વાણવાળા, વિશુદ્ધ જ્ઞાન-રત્ન વડે પ્રકાશિત સૂક્ષમ શાસ્ત્રોના નિર્ણયને સમજનારા, ઉત્તમ સંહનનવાળા, મહાસત્વશાલી, અનંતવીર્ય, દાતા, શરણ લેવા લાયક, દયાપર તથા વૈર્યમણિની જેમ નિરુપલેપ એવા તે ભગવાન સુખપૂર્વક ઊછરતા હતા, કૃતપ્રયત્ન એવા દે પણ તેમના ગુણસાગરને પાર પામવાને સમર્થ નથી, તે પૃથગૂજન-સામાન્ય મનુષ્યનું શું કહેવું ? પછી યૌવનને પ્રાપ્ત થયેલા તેમણે પચાસ હજાર વર્ષને કુમારકાળ ગાળે. વિશ્વસેન રાજાએ પિતે તેમને રાજ્યાભિષેકથી અભિષેક કર્યો. યશોમતી નામે ભગવાનની અગ્રમહિષી હતી. દઢરથ દેવ પણ મૃત થઈને તેના ગર્ભમાં આવે અને ચક્રાયુધ નામે કુમાર થયે. રૂપશાલી તથા જેનાં સર્વ અંગે પ્રશસ્ત લક્ષણો વડે અંકિત છે એવો તે સુરકુમારની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામતે હતો. શ્રીશાન્તિસ્વામીને માંડલિકકાળ પણ પચીસ હજાર વર્ષ હતો. અન્યદા તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેમણે તેની પૂજા કરી. પછી ચક્રરત્ન વડે માર્ગ દર્શાવવામાં આવતાં દક્ષિણ અને નૈઋત્ય ભરતને જીતતા, માગધ, વરદામ અને પ્રભાસતીથકુમારોએ આદરપૂર્વક જેમનું સન્માન કર્યું છે એવા, સિધુદેવીએ જેમની પ્રાર્થના કરી છે એવા, વૈતાલ્યકુમાર દેવે જેમને પ્રણામ કર્યા છે એવા, રત્ન વડે પરિગ્રહીત તે ભગવાન, કાળાં વાદળાંઓના સમૂહ વડે ગળાયેલા ચંદ્રની જેમ તમિસગુહામાંથી બહાર નીકળીને અનુક્રમે ચુકલહિમવંત વર્ષધર પર્વત આગળ ગયા. ત્યાં નિવાસ કરતા દેવે પ્રણામ કરીને, “દેવ ! હું તમારે આજ્ઞાવતી છું” એમ કહીને તેમની પૂજા કરી. પછી ઋષભકૂટ પર્વતને પિતાના નામ વડે અંકિત કરીને, શરણે આવેલા વિદ્યાધર વડે પૂજાયેલા, ગંગાદેવી વડે સત્કાર કરાયેલા તથા સર્વે નવ નિધિઓ વડે પૂજાયેલા તેઓ ખંડપ્રપાત ગુફા દ્વારા વૈતાઢ્ય પર્વતને ઓળંગીને, ભારે રિદ્ધિપૂર્વક જઈને ગજપુર-હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. ઉપદ્રવ અને ઉપસર્ગ વગરના આખા ભારતવર્ષનું પાલન કરતાં તેમણે પચીસ હજાર વર્ષ વિતાવ્યાં. પછી આદર્શગ્રહ-અલંકારગૃહમાં ગયેલા શાન્તિસ્વામીએ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. કાન્તિક દે તેમને બેધ પમાડવાને ઉપસ્થિત થયા. પ્રશસ્ત વાણુ વડે તે દેવો તેમને અભિનંદન આપવા લાગ્યા. પછી એક વર્ષ સુધી ધનનું દાન કરીને તથા પિતાના Page #500 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૪૫ ] પુત્ર ચકાયુધનો રાજ્યાભિષેક કરીને, ચાર પ્રકારના દેવનિકા વડે મહિમા કરાતા ભગવાને છઠ ભકત કરીને, જેઠ માસના કૃષ્ણ પક્ષની ચદશના દિવસે, એક હજાર દે વડે વહન કરાતી સર્વાર્થસિદ્ધ શિબિકા દ્વારા સહસ્ત્રાપ્રવનમાં આવીને, દેવતાઓએ આપેલું એક દેવદૂષ્ય લઈને એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર પ્રકારના જ્ઞાનવાળા તેઓ સોળ માસ સુધી વિહાર કરીને તે જ સહસામ્રવનમાં આવ્યા, અને ત્યાં એકત્વ-વિતર્ક-અવિચારી નામના બીજા શુકલ ધ્યાનને વટાવી ગયેલા તથા શુકલધ્યાનના ત્રીજા ભાગને અભિમુખ થયેલા તેમને મોહનીય, જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણ થતાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. પછી ભવનાધિપતિ અને વિમાનાધિપતિ દેવ ગંધદક અને પુષ્પની વૃષ્ટિ કરતા આવ્યા અને ભગવાનને વંદન કરીને અત્યંત પ્રસન્ન મનવાળા તેઓ ઊભા રહ્યા. વ્યંતરોએ ચારે બાજુ એક જન જેટલું, દેવલોકના જેવું મંડલ કર્યું. પછી હર્ષથી જેમનાં નયનો વિકાસ પામ્યાં છે એવા વૈમાનિક, તિષ્ક અને ભવનપતિ દેએ અનુક્રમે મણિ, રત્ન અને કનકનાં કશીશાંવાળા રત્ન, કનક અને ચાંદીના પ્રાકારો ક્ષણવારમાં નિર્માણ કર્યા. તે પ્રત્યેક પ્રાકારને રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવાં ચાર દ્વારા બનાવવામાં આવ્યાં. વિકસિત મુખવાળા જગદ્દગુરુ ભગવાન જેની નીચે બેઠા હતા તે નંદીવત્સ વૃક્ષ પણ જગતનાં લેકેનાં નયનને રમણીય લાગતા અને કલ્પવૃક્ષ જેવા સુન્દર રતાશક (ચિત્યવૃક્ષ) વડે ઢંકાયું. તેની નીચે રહેલું, પાદપીઠ સહિત આકાશસ્ફટિકનું બનેલું સિંહાસન દેવને પણ વિસ્મય પમાડનાર હતું. તેની ઉપર ગગનપ્રદેશના અલંકારરૂપ અને પૂર્ણ ચંદ્રના પ્રતિબિંબ જેવું છત્રાતિછત્ર હતું. ભવ્ય જનના બેધ અર્થે ભગવાન પૂર્વ દિશા તરફ મુખ કરીને બિરાજ્યા. ચામર ઢાળવામાં રોકાયેલા યક્ષો ઊભા રહ્યા. સુવર્ણમય સહસ્ત્ર પાંદડીઓવાળું, બાલસૂર્યના બિંબ જેવું ધર્મચક્ર તીર્થકરના ચરણમાં રહેલું હતું. વિજે. વડે દિશાઓ સુશોભિત થઈ. સંતુષ્ટ થયેલા દેએ દુંદુભિષ કર્યો. નર્તિકાઓએ નૃત્યવિધિ દર્શાવી. ગંધર્વોએ ગાન કર્યું. ભૂતોએ સિંહનાદ કર્યા અને જાંભક દેએ રૂપવૃષ્ટિ કરી. સિદ્ધ-ચારણેએ સ્તુતિ કરી. પછી વૈમાનિક દેવીઓ ભગવાનને પ્રદક્ષિણ તથા પ્રણિપાત કરીને ભવિષ્યના સાધુઓના સ્થાનની દક્ષિણે અગ્નિકોણમાં બેઠી. ભવિષ્યના સાધ્વીગણુની પશ્ચિમે તથા ભગવાનની નૈઋત્યમાં વ્યંતર અને જ્યોતિષ્ક દેવીઓ બેઠી. પશ્ચિમ દ્વારની ઉત્તરે ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવો બેઠા. વૈમાનિક દે ઉત્તર દ્વાર આગળ બેઠા. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ પૂર્વ તરફ બેઠાં. દેવતાના આગમન વડે સૂચિત થયેલે સ્વામીન કેવલજ્ઞાનોત્પત્તિને મહોત્સવ જેવાને ચક્રાયુધ રાજા પણ નીકળે અને પરમ સંવિસ એવો તે તીર્થકરને નમસ્કાર કરીને બેઠો. ૧. ભગવાન શાન્તિનાથે હજી ધર્મદેશના આપી નથી તેમજ સાધુઓ અને સાધ્વીઓ આ ધર્મદેશના સાંભળ્યા પછી થવાનાં છે. એટલે અહીં ભવિષ્યના સાધુઓ અને સાધ્વીઓની વાત છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: દેવ અને મનુષ્યની પર્ષદાના મધ્યમાં રહેલા ભગવાન–જાણે કે ધવલ છત્ર વડે કરીને ચન્દ્રયુક્ત, ઢળાતા ચામર વડે જાણે કે હંસયુક્ત, દેવસુન્દરીઓનાં વદનકમળ વડે કમલયુકત, સુરાસુરો વડે જાણે કે ગજકુલ જેની નજીકમાં છે એવા કુસુમિત વન(સેવવન ?)યુકત, ચારણશ્રમણોના આગમન વડે જાણે કે પ્રસન્ન જળાશયયુક્ત, ઊંચી કરવામાં આવેલી વિવિધ ધ્વજપતિઓ વડે જાણે કે વિધુરલતાથી અલંકૃત ધવલ મેઘની ઘટાથી વીંટાયેલા હોય તેવા, વિનયથી પ્રણામ કરતાં મનુષ્યવૃન્દો વડે જાણે કે ફલભારની ગુરુ કતાને લીધે નમેલા ડાંગરના છોડ સહિત હોય એવા, જાણે કે બીજા શરદકાળ જેવા લાગતા હતા. પછી શ્રવણને માટે અમૃત સમાન (ભગવાનની વાણીનું પાન કરવાને) તૃષિત થયેલી તે પર્ષદાને તીર્થંકર નામકર્મના ઉદયને લીધે શ્રીશાન્તિનાથ ભગવાન પરમ મધુર, જન સુધી પહોંચતા તથા કાનવાળાં પ્રાણીઓને માટે સ્વભાષાપરિણામી–તેમની પિતાની જ ભાષામાં સમજાતા સ્વરથી ધર્મ કહેવા લાગ્યા–“લેકમાં જે છે તે સર્વ–જીવ અને અજીવમાં આવી જાય છે. તેમાં અજીવો ચાર પ્રકારના છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય અને પુદ્દગલાસ્તિકાય. એમાં જે પુદ્ગલાસ્તિકાય છે તે રૂપી છે, બાકીના અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય છે તથા પુદગલેને અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહના-અવકાશ આપે છે. પુદ્ગલથી જીવેને શરીર, ઈન્દ્રિય, ક્રિયાઓ અને શ્વાસોચ્છવાસની પ્રાપ્તિ થાય છે. જો બે પ્રકારના છે-સંસારી અને સિદ્ધ. એમાં જે સિદ્ધ છે તેઓ કૃતકૃત્ય થયેલા છે. સંસારી જો બે પ્રકારના છેભવ્ય અને અભવ્ય. તે બધા અનાદિ કર્મના સંબંધથી ભવના યોગથી ઉત્પન્ન થયેલા છે. મોહજનિત કર્મ એ શરીરપુગલને યોગ્ય વરતુ ગ્રહણ કરવામાં નિમિત્ત છે. એવી જ રીતે જીવે પોતે કરેલાં શુભાશુભ કર્મના ઉદયથી આ દુઃખભરપૂર સંસાર ઉત્પન્ન થાય છે. પણું ભવ્ય જીને, તેઓ કર્મની સ્થિતિની હાનિમાં વર્તતા હોય ત્યારે, લબ્ધિને આશ્રીને, પરિણામદ્વારા લેહ્યા–ભાવનાની વિશુદ્ધિ થતાં, કેવલી પ્રણત ધર્મ સાંભળીને, મરણ જેવામાં આવતાં છતાં વિપુલ દર્શનમોહનીયના ક્ષપશમથી, અભયઘોષ એ આનંદ થાય છે. પછી વૈરાગ્ય ઉત્પન્ન થતાં, મહાદરિદ્ર જેમ ઉપદ્રવ વગરના નિધિના સંગ્રહ કરે તેમ, જિનવચનના ગ્રહણના ઉત્સાહવાળા તે ભવ્ય છે ચારિત્ર્યહનીયનો ક્ષય થતાં, જંગલમાં ભૂલા પડેલા મનુષે ભય વગરના મહાસાર્થમાં પ્રવેશે તેમ, ચારિત્ર્યનો સ્વીકાર કરે છે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉત્સર્ગ સમિતિ એ નામની પાંચ સમિતિઓ વડે યુકત, મન, વાણી અને કાયમાં ગુપ્ત એવા તેઓ બાહા અને આત્યંતર તપ વડે ઘાતકર્મ તથા અઘાતી કર્મને ૧. આ વાકયખંડને અથ અસ્પષ્ટ છે, Page #502 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લંભક [ ૪૪૭ ] ક્ષય કરીને, કેવલી થઈને નિર્વાણમાં જાય છે. જેમનાં ડાંક કર્મો અવશિષ્ટ રહ્યાં છે તથા જેઓ દેશવિરતિવાળા છે એવા જીવો દેવ અને મનુષ્યભવની પરંપરા અનુભવીને પરિમિત કાળમાં સિદ્ધિવસતિમાં વસનારા થાય છે. જિનશાસનથી પરામુખ, જેમણે આસવદ્વાર રોક્યાં નથી એવા તથા વિષયસુખપરાયણ, કષાયરૂપી વિષ વડે વ્યાપ્ત એવા જે જીવો હોય છે તેઓ પાપકર્મની બહુલતાથી નારક, તિર્યંચ અને મનુષ્યમાં જેમને પ્રતિકાર કરી શકાય નહીં એવાં, જેમાંથી બહાર નીકળી શકાય નહીં એવાં તથા લાંબે કાળે જેમનું વર્ણન કરી શકાય એવાં વિવિધ પ્રકારનાં દુઃખ અનુભવતાં ઘણા સમય સુધી કલેશ પામે છે. એમાં પણ જેઓ અભવ્ય છે તેઓ ઘુવડ પક્ષી જેમ સૂર્યોદય જેવાને માટે અગ્ય છે, કેરડુ મગ જેમ રઈને માટે અગ્ય છે અને ઘણું કાંકરાવાળા ભૂમિભાગની માટી જેમ ઘડો બનાવવાને માટે અયોગ્ય છે તેમ મોક્ષમાર્ગને માટે અગ્ય હોઈ તેમને માટે આ સંસારનો છેડો નથી.” એ પ્રમાણે ભગવાને ઘણું પર્યાયવાળે ઉપદેશ કર્યો. “ભગવાનને નમસ્કાર ! ઉત્તમ ઉપદેશ કર્યો!' એમ કહીને પર્ષદાએ ભગવાનને પ્રણામ કર્યા. એ સમયે તીર્થકરના વચનથી સંબધ પામેલા અને જેને તીવ્ર વૈરાગ્ય થયો છે એવા અને નિરપેક્ષ ચકાયુધ રાજાએ, ભેગવવાથી પ્લાન થયેલી પુષ્પમાળાની જેમ, • રાજભવનો ત્યાગ કરીને ઘણા પરિવાર સહિત દીક્ષા લીધી, અને એ સમોસરણમાં જ તેમને ભગવાને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. અત્યંત આનંદિત થયેલા અને વિકાસ પામેલાં નયનકમળોવાળા ઈન્દ્રોએ તેમનો દીક્ષા મહોત્સવ કર્યો. લેકગુરુ તીર્થંકરની પ્રદક્ષિણા કરીને દેવો અને મનુષ્ય પોતાના સ્થાનેએ ગયા. ભવ્ય જનરૂપી કમલવનનું બોધન-વિકાસ કરતા જિનચંદ્ર જ્યાં જ્યાં વિહરતા હતા ત્યાં ત્યાં પચીસ જન સુધીના ભૂમિપ્રદેશો એકસરખા સપાટ, પગે ચલાય એવા, દિવ્ય સુગંધવાળા ગોદક વડે છંટાયેલા તથા વૃન્તસ્થાયી (દાંડી નીચે અને પુષ્પ ઉપર એવી રીતે સીધાં પડેલાં) પાંચ પ્રકારનાં પુષ્પોની વૃષ્ટિની શોભાને ધારણ કરનારા થતા હતા. સર્વ ઋતુનાં કુસુમ, ફળ અને શાભાસમુદયથી યુકત એવાં વૃક્ષો ઉપસર્ગરહિત બનતાં હતાં–પુષ્પાદિને કઈ તડતું નહોતું. ધર્મકાર્યના સાધનમાં ઉદ્યત એવી પ્રજાઓ આનંદ પામતી હતી. જેમણે વેર અને અસહિષ્ણુતાનો ત્યાગ કર્યો છે એવા તથા સુખાભિમ-જેમની પાસે સુખપૂર્વક જઈ શકાય એવા, દાન અને દયામાં રત એવા રાજાઓએ રાજ્યકાર્ય કેઈકને સેંપીને દીક્ષા લીધી. નરેન્દ્રપુત્રો, રાજપુત્રો અને અભ્યાએ રિદ્ધિવિશેષને ત્યાગ કરીને તીર્થકરના ચરણને આશ્રય લીધો અને સંયમ સ્વીકાર્યો. બ્રાહ્મણે, વેશ્યો અને સ્ત્રીઓએ તે તે પ્રકારના વૈભવ છોડીને, વિષયસુખ પ્રત્યે નિરપેક્ષ થઈને, દીક્ષા લીધી અને તેઓ શ્રમણ્ય પાળતાં વિહરવા લાગ્યાં. શ્રમણ્ય પાળવાને અસમર્થ એવા કેટલાકેએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અને તેઓ તપમાં ઉદ્યત થઈને રહેવા લાગ્યા. Page #503 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૮ ] વસુદેવ–હિંડી : : પ્રથમ ખંડ : ચક્રાયુધ વગેરે સ્વામીના-તીથંકરના છત્રીસ ગણુધરા શ્રુતના નિધિએ અને સ લબ્ધિવડે સંપન્ન હતા. જિનેશ્વરના સાધુઓની સંખ્યા ખાસઠ હજાર હતી, સાધ્વીઓની સંખ્યા એકસઠ હજાર છસેા હતી, શ્રાવકાની સંખ્યા બે લાખ ચાલીસ હજાર હતી અને શ્રાવિકાઓની સ`ખ્યા ત્રણ લાખ નવ હજાર હતી. ભગવાનની ઊંચાઈ ચાલીસ ધનુષ્ય હતી. સાળ માસ વડે ન્યૂન એવાં પચીસ હજાર વર્ષ સુધી જગતમાં ઉદ્યોત કરીને, વિદ્યાધરા અને ચારણેા વડે સેવાયેલા સમ્મેત પર્વતના શિખર ઉપર એક માસના ઉપવાસ કરી, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની તેરશે ચંદ્રા ભરણી નક્ષત્ર સાથે યાગ થયા તે સમયે નવ સેા અણુગારા સાથે ભગવાને પાદાપગમન કર્યું . લેાકસ્થિતિ-મર્યાદા પ્રમાણે દેવા જિનભકિત કરવાને માટે આવ્યા. જેમણે કર્મોના ક્ષય કર્યા છે એવા શ્રીશાન્તિનાથ ભગવાન તે મુનિએની સાથે નિર્વાણુ પામ્યા. સુરા અને અસુરાએ તેમના શરીરને વિધિપૂર્વક સંસ્કાર કર્યાં, અને જિનેશ્વરના ગુણામાં અનુરક્ત એવા તેએ જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે પાછા ગયા. પછી પેાતાના ગણુસહિત વિશુદ્ધ અને નિરામયપણે વિહરતા, જિનેશ્વરની જેમ લેાકેાનાં સંશતિમિરના નાશ કરતા, શરદકાળના ચંદ્રના કિરણ જેવા ધવલ યશવડે ત્રિભુવનને બ્યાસ કરતા ચક્રાયુધ મહિષ ઘણાં વષ વિચર્યા પછી મેાહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયક ના ક્ષય થતાં કેવલી થયા. ત્રિદેશપતિ ઇન્દ્રે જેમના ચરણકમળમાં પ્રણામ કર્યાં છે એવા તથા જેમના કર્મશે! નાશ પામ્યા છે એવા, તથા વીતરાગના શ્રમણવૃધ્રુવડે પરિવરાયેલા તેઓ અનુક્રમે આ પરમપવિત્ર કેાટિશીલા ઉપર નિર્વાણુ પામ્યા. ભક્તિવશ હાઇને આદરપૂર્વક આવેલા દેવતાઓએ તેમના નિર્વાણુમહિમા કર્યો. ત્યારથી શ્રીશાન્તિનાથ અરિહ ંતની નિરંતર સિદ્ધિ પામતી ખત્રીશ પુરુષપરંપરા સુધીમાં ચક્રાયુધ મહામુનિના ચરણકમળથી અંકિત થયેલી આ શિલા ઉપર જેમના પર્યાયેા સંક્ષિપ્ત થયા છે ( જેમણે ચાર અધાતીક ખપાવ્યાં છે) એવા સંખ્યાતા કરાડ ઋષિએ સિદ્ધિ પામ્યા છે. શ્રીકુન્ટુનાથનું ચરિત્ર અધ પલ્યાપમ કાળ ગયા પછી શ્રીકુન્થુનાથ અરિહંત (જેમનુ નામ એ ભવમાં સિંહાવતુ હતુ) જ બુદ્વીપના પુષ્કલાવતી વિજયમાં વિપુલ રાજરિદ્ધિના ત્યાગ કરીને, નિરવદ્ય એવી પ્રવ્રયાને સ્વીકારીને ઘણાં લાખ પૂર્વ સુધી તપ કરીને, અગીઆર અંગાના વેત્તા થઈ પાપ અને કર્માંના મલને દૂર કરીને, તીથંકરનામકર્મ રૂપી મહારત્ન ઉપાર્જન કરીને, સવા - સિદ્ધ મહાવિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી નિરુપમ સુખ અનુભવ્યા પછી સ્મ્રુત થઈનેહસ્તિનાપુરમાં દાન અને દયાના વિષયમાં શૂર એવા શૂર રાજાની મહાસ્વપ્નેાના દર્શનથી આનંદિત થયેલા હૃદયવાળી શ્રી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તારાધિપતિ ચન્દ્ર જયારે અનેક ૧. કારણ કે સેાળ માસ સ્થપર્યાય હતેા. · Page #504 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૪૯ ] ઉત્તમ યોગોમાં હતું ત્યારે, પૂરા દિવસે તેમને જન્મ થયો. સતુષ્ટ થયેલી દિશાદેવતાઓએ જેમનું જાતકર્મ કર્યું છે એવા ભગવાનને સે સુરેશ્વર સહિત ઈન્ડે મંદરપર્વતના અલંકારભૂત અતિપાંડુકંબલશિલા નામની ચૂલિકા ઉપર તે જ ક્ષણે લાવીને, તીર્થંકરના અભિષેકથી તેમને અભિષેક કરીને તેમને જન્મભવનમાં પાછા લાવીને મૂક્યા. જ્યારે સ્વામી-ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે (ભૂમિ ઉપર રહેલો) રત્ન વડે ચિત્રિત સ્તૂપ માતાએ સ્વપ્નમાં જોયો હતેશને અર્થ ભૂમિ થાય છે, આથી તેમનું “કુન્થ” એવું નામ પાડવામાં આવ્યું ? દેવો વડે પરિગ્રહીત થયેલા અને વૃદ્ધિ પામતા ભગવાનના મુખપદ્યની શોભાથી નિસ્તેજ થતું વાદળાંથી મુક્ત થયેલે પૂર્ણચન્દ્ર પણ જાણે શંકાયુક્ત હતો, ભમરાઓ જેમના ઉપર રહેલા છે એવાં ધવલ કમળ નયનયુગલની શેભાથી ઉદ્દભ્રમિત થઈને જાણે રાત્રિએ પ્લાન થતાં હતાં, શ્રીવત્સના લાંછનના મિષથી સુવિશાળ લકમીએ તેમના વક્ષસ્થલને આશ્રય લીધું હતું, હાથીઓની ઉત્તમ સુંઢ પણ તેમના ઉયુગલના આકારનું અનુકરણ કરતી હતી, કુરુવિન્દ આવર્તી જંઘાઓની શોભા પ્રાપ્ત કરવાને અસમર્થ હતા, ટપકતા મદજળ વડે ભીના કપોલવાળા હાથીઓ પણ ભગવાનની લીલાપૂર્વકની ગતિની કલાને-એક અંશને પણ નહીં પામતાં લજિજત થતા હતા, જળના ભારથી નીચે આવેલા મે પણ ભગવાનના સ્વરની એ ગંભીરતા અને મધુરતાને આશ્રય કરવાને અસમર્થ હોઈ દુઃખ પામતા હતા. એ પ્રમાણે વિમિત થયેલા દેવો અને મનુષ્ય જેમના ગુણનું રટણ કરતા હતા એવા ભગવાનને ત્રેવીસ હજાર સાતસે અને પચાસ વર્ષ કુમારકાળ વીતી ગયે. પછી સૂર્યની પ્રભાવડે અનુલિપ્ત કમળ જેવાં સુન્દર લેશનવાળા તથા પ્રથમ પ્રજાપતિ રાજા રાષભદેવની જેમ પ્રજાનું હિત કરનાર ભગવાનને શૂર રાજાએ પોતે રાજ્યાભિષેક કર્યો. પાકશાસન ઈન્ડે જેમનાં ચરણકમળ પૂજ્યાં છે એવા, કમળરજના રાશિ અને કાંચન સમાન દેહકાન્તિવાળા, લેકોનાં લોચનરૂપી કુમુદને માટે શરદકાળના ચંદ્ર સમાન, ચન્દ્રનાં કિરણ જેવા ઉજજવળ, અતિશયયુક્ત અને ભવ્ય જનેને પરિતોષ ઉત્પન્ન કરનાર ચરિત્રવાળા ભગવાને સમસ્ત રાજ્યનું શાસન કરતાં ત્રેવીસ હજાર સાતસે અને પચાસ વર્ષ એક દિવસની જેમ વિતાવ્યાં. ૧. સામાન્ય રીતે તીર્થંકરના અભિષેક સમયે ચેસઠ ઇન્દ્રોના આગમનને ઉલ્લેખ મળે છે; પણ અહીં સો ઇન્દ્રોની વાત છે. “સ ઇન્દ્રોને માટે મૂળમાં પુરી રસાળ પાઠ છે, તેને સંપાદકોએ શંકાસ્પદ ગણેલો છે. ૨. નાઓ-ધૂમ વળવનિતં શું શુમિનિ તેન કુંથુનિn ( આવશ્યક નિર્યુક્તિ, ગા. ૧૧૦૦) | તે ઉપર આચાર્ય મલયગિરિની વૃત્તિ-ગનની ને કુર્થ-મનોરતે મહી (fથતં) સૂપ - વિચિત્ર રદ્વા પ્રતિવૃદ્ધવતી તે રળેન માવાન નામતઃ કુન્શનના છે (ત્રીજો ભાગ, પૃ. ૬૦૨). ૫૭ Page #505 -------------------------------------------------------------------------- ________________ - -- --- -- ------- [ ૪૫૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ પછી તેમના આયુધગ્રહમાં જાણે બીજું સૂર્યમંડલ હાય એવું પ્રકાશમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેમ કરવાને આચાર હોવાથી, રત્નની પૂજા કરવામાં આવી. ચક્રરત્નનું અનુસરણ કરીને લવણસમુદ્ર અને ચુદ્ઘહિમવત વડે પરિગત એ વિદ્યાધરે સહિત ભારતવર્ષ જીતીને, દેવને પણ વિસ્મય ઉત્પન્ન કરનારી સમૃદ્ધિ સાથે તેઓ પાછા ગજપુર-હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. અસંખ્ય પૂર્વ પુરુષની પરંપરાથી આવેલી અને ચૌદ રત્ન રૂપી અલંકારોને ધારણ કરનારી રાજ્યલક્ષ્મીનું પરિપાલન કરતા અને ચારિત્ર્યહનીય કર્મના ક્ષયની રાહ જેતા તથા પ્રણામ કરતા હજારે રાજાઓના મુકુટમણિનાં કિરણેથી જેમનું પાદપીઠ રંગાયેલું છે એવા તેઓ ત્રેવીસ હજાર સાતસો અને પચાસ વર્ષ સુધી ચક્રવત્તના ભેગે ભેગવતા વિહાર કરવા લાગ્યા. એક વાર આદર્શગ્રહ-અલંકારગૃહમાં પ્રવેશેલા, રિદ્ધિની અનિત્યતાનું ચિન્તન કરતા અને પ્રશસ્ત પરિણામના માર્ગ ઉપર રહેલા ભગવાનને સારસ્વત આદિ કાતિક દેએ બોધ કર્યો કે, “સ્વામી ! સંસારની ગતિ અને મોક્ષમાર્ગ આપને વિદિત છે, માટે ભવ્યજનેને બેધ પમાડવા માટે દીક્ષા લેવાનો વિચાર કરે, આપના ઉપદેશને આશ્રય કરીને શ્રમરૂપી વણિકના સાથે સંસારરૂપી મહાસમુદ્રને તરી જાઓ.” આ પ્રકારનાં વચન વડે અભિનંદન કરીને દેવે અદશ્ય થયા. ઉત્તમ પુરુ વડે લેવાયેલ આ માર્ગ છે, આ નિમિત્તે ધનને ત્યાગ કરે જોઈએ” એમ વિચારીને એક વર્ષ સુધી કિમિછિત દાન વડે લોકોને આનંદિત કરીને, ચંદ્ર જ્યારે કૃત્તિકા નક્ષત્રના વેગમાં આવે ત્યારે, ત્યાં આવેલા અને સંતુષ્ટ થયેલા ઈન્દ્રોએ આણેલી તથા ત્રિભુવનની વિભૂતિરૂપ વિજયા શિબિકામાં બેસીને દે અને રાજાઓ વડે વહન કરાતા, જેમને માટે મંગલ કમ કરવામાં આવ્યું છે એવા, જેમની શોભાનો ઉત્કર્ષ સેંકડો લોકોનાં નયનેને સ્પર્શ કરતો હતો એવા, આનંદિત થયેલા જભક દેવતાઓના ગણોએ સુગંધી વૃક્ષનાં પાંચ વર્ણનાં પુષ્પોની જેમના ઉપર વૃષ્ટિ કરી હતી એવા, સુરકિંકરેના સમૂહના તુર્ય, ગીત અને વાદિત્ર વડે મિશ્રિત શબ્દ વડે અનુસરતા તથા હાથ જોડીને ઊભેલા ચારણે વડે અહે! દેવેને પણ વિરમય પમાડનારી આવી રાજ્યલક્ષમી પર કેટલી નિઃસંગતા છે!” એ પ્રમાણે રતુતિ કરાતા ભગવાન સહસ્સામ્રવનમાં પહોંચ્યા. સિદ્ધોને પ્રણામ કરીને તેમણે દીક્ષા લીધી તેમના આ ત્યાગથી વિસ્મિત થયેલા એક હજાર ક્ષત્રિાએ તેમની સાથે દીક્ષા લીધી. પછી મતિ, શ્રત, અવધિ અને મન પર્યવ એ પ્રમાણે ચાર પ્રકારનાં જ્ઞાનને ધારણ કરનાર ભગવાન કુંથુનાથ સેળ માસ સુધી વિહાર કરીને, ઉપવાસના પારણામાં દાતાજનનાં હૃદયાને વસુધારાની વૃષ્ટિવડે, શરદકાળને ચંદ્ર જેમ કુમુદને પ્રસન્ન કરે તેમ, પ્રસન્ન કરતા ફરી સહસ્ત્રાભ્રવનમાં આવીને વૃક્ષોના સમૂહમાં તિલક સમાન તિલકવૃક્ષની નીચે બેઠા. ઉત્તમ Page #506 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [ ૪૫ ] ક્ષમા, માવ, આર્જવ અને નિર્લોભતા વડે પોતાના આત્માને ભાવતા તેમને મોહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. તે જ સમયે દે અને દાનવો પરમગુરુ તીર્થકરને મહિમા કરવાને માટે આવ્યા. વિનયથી જેમનાં મસ્તક નમેલાં છે એવા તેમણે પહેલાં તો સસરણભૂમિને સુગંધી જળ વડે છાંટી, અને જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ વર્ણનાં સુગંધી વૃત્તપ્રતિષ્ઠાન (દાંડી નીચે અને પુષ્પ ઉપર રહે એવી રીતે સીધાં પડેલાં) પુપની વૃષ્ટિ વડે શોભા કરી. કાળા અગરના ધૂપથી જાણે મેઘ વડે ઘેરાયેલી હોય એવી દિશાઓ તેમણે કરી. પછી પિતાના પરિવાર સહિત ભગવાનની સ્તુતિ કરતા ત્રિદશપતિઓ-ઈન્દ્રો હાથ જોડીને, પ્રદક્ષિણા કરીને ગ્ય સ્થાનમાં બેઠા. ભગવાનનું વચનામૃત સાંભળતા મનુષ્ય પણ તે જ અનુક્રમે બેઠા. પછી શ્રવણ અને મનને મને હર લાગે એવા સ્વરથી શ્રીજિનેશ્વર છે જીવકાય અને અજીવનું સ્વરૂપ પર્યાય સહિત કહેવા લાગ્યા–“અગ્નિવડે પરિણામિત-તપેલે લોઢાને ગેળો જેમ પાણીને ગ્રહણ કરે છે તેમ અરૂપી જીવે રાગદ્વેષનિમિત્તિક કર્મ પુદગલેને ગ્રહણ કરે છે. ઉદયને પ્રાપ્ત થયેલાં કર્મ વડે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી ભરેલો તથા ભયજનક આ સંસાર ઉત્પન્ન થાય છે. પ્રશસ્ત પરિણામને પ્રાપ્ત થયેલા, જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગ ઉપર પ્રેમ રાખનારા, જ્ઞાનપ્રાપ્તિ માટે જેણે પ્રયત્ન કર્યો છે એવા, વિશુદ્ધ થતા ચારિત્ર્યવાળા અને જેણે આમ્રવને રોયે છે એવા જીવને નવા કર્મને ઉપચય થતું નથી, અને બાહા તથા આત્યંતર તપ વડે પૂર્વ સંચિત કર્મનો ક્ષય થાય છે. પછી અઘાતી કર્મ અને ઘાતી કર્મ જેણે ખપાવ્યાં છે એવા તે જીવની પરમ પદ–મોક્ષમાં પ્રતિષ્ઠા થાય છે.” આ પ્રમાણે શ્રીકુન્થનાથે અરિહંતે વિસ્તારપૂર્વક કહેતાં “ઉત્તમ વચન કહ્યાં!” એમ કહીને પર્ષદાએ મસ્તકથી તેમને પ્રણામ કર્યા. જેને તીવ્ર સંવેગ થયે છે એવા સ્વયંભૂ ક્ષત્રિયે તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી, અને ભગવાને તેમને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. દેવોએ તેમની પૂજા કરી. તીર્થકરની રિદ્ધિથી વિમિત થયેલા દે અને મનુષ્ય પોતપોતાના સ્થાનકે ગયા. શ્રીકુન્થનાથના સ્વયંભૂ આદિ સાઠ હજાર શિષ્ય હતા, રક્ષિતા આદિ સાઠ હજાર અને આઠસો શિષ્યાઓ હતી, એક લાખ નેવ્યાસી હજાર શ્રાવક હતા અને ત્રણ લાખ એકાસી હજાર શ્રાવિકાઓ હતી. પછી ભાવિકજનેના બેધમાં ઉદ્યત એવા ભગવાન ત્રેવીસ હજાર સાતસો પચાસ વર્ષ સુધી નિરુપસર્ગ પણે વિહરીને સમેત પર્વતના શિખર ઉપર માસોપવાસ કરીને ચંદ્ર કૃતિકા નક્ષત્રના યુગમાં આવ્યો તે સમયે સિદ્ધિમાં ગયા. દેએ તેમનો નિર્વાણુમહોત્સવ કર્યો. ભગવાન કુન્થનાથના તીર્થમાં અઠ્ઠાવીસ પુરુષપરંપરા સુધીમાં આ એક્ષ Page #507 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૨ ] વસુદેવRsિ'ડી : : પ્રથમ ખંડ : ભૂમિમાં–ચક્રાયુધ મહર્ષિએ અનુગૃહીત કરેલી આ શિલા ઉપર જેએ જન્મ-મરણથી વિમુક્ત થયા છે એવા સંખ્યાતા કરાડ શ્રમણેા સિદ્ધિમાં ગયા છે. શ્રીઅરનાથનું ચરિત્ર પડ્યેાપમના ચેાથા ભાગ જેટલેા કાળ વ્યતીત થયા પછી શ્રીઅરનાથ અરિહંત ( જેમનું નામ એ ભવમાં ધનપતિ હતું) પૂવિદેહમાં મંગલાવતી વિજયમાં મહામાંડલિક–રાજ્યના ત્યાગ કરીને શ્રમણ થયા. અગીઆર અંગમાં વિશારદ એવા તે ઘણાં કરાડ વર્ષ સુધી તપ-સંયમ પાળીને, તીર્થંકરનામ-ગાત્ર કર્મ ઉપાર્જન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરાપમ સુધી ઉત્તમ વિષયસુખ અનુભવ્યા પછી ચવીને— આ જ ભરતમાં હસ્તિનાપુર નગરમાં પ્રણામ કરતા જના વડે સુખપૂર્વક દર્શન કરવા લાયક, વિશુદ્ધ અને સમ્યક્ દનવાળા સુદર્શન રાજાની તીર્થંકરની વાણીની જેમ નિન્દનીય વસ્તુથી વર્જિત, ચંદ્રપ્રભા જેવા સ્વભાવવાળી, જેમાં સારી રીતે હેામ કરવામાં આવ્યે છે એવા હુતાશન-અગ્નિ જેવી તેજસ્વી, દેવીઓને પણ વિસ્મય પમાડનાર રૂપના ઉત્કર્ષ વાળી અને જેણે મહાપુરુષની ઉત્પત્તિ અને આગમન સૂચવનાર સ્વપ્ના જોયાં છે એવી દેવી નામે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. નવ માસ પૂરા થયા અને દશમા શરૂ થયા, તારાધિપતિ ચન્દ્ર રેવતી નક્ષત્રના યેાગમાં આળ્યે અને પૂર્વદિશાના વદનમાં અલંકારરૂપે જીવ ( ગુરુગ્રહ ) રહેલા હતા તે સમયે જીવાને ઉપકારક શ્રીઅરનાથના જન્મ થયા. પછી હુ પામેલાં હૃદયવાળી દિશાદેવતાઓએ જેમનુ જાતકર્મ કર્યું છે એવા ભગવાનને સુરાધિપાએ ગિરિરાજ મનેારમ-મેરુના શિખર ઉપર લઇ જઈને તૌ કરાભિષેકથી તેમના અભિષેક કર્યા. સહસ્રનિધિ ઇન્દ્ર તેમને પાછા જન્મભવનમાં લાખ્યા. તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નમય અર્ ( ચક્રના આરા ) જોયા હતા, તેથી તેમનુ નામ ‘અર' પાડવામાં આવ્યું. દેવતાવડે પરિગૃહીત ભગવાન ઊછરતા હતા, પરિતાષથી વિકાસ પામતાં નયનવાળા ટાકા વડે તેઓ દર્શન કરાતા હતા. વાદળાંઓના ગહન પટલ જેના ઉપરથી ખસી ગયે છે એવા પૂર્ણ ચન્દ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળા, ૧ભ્રમર સહિત એવાં સહસ્રપત્ર કમળ જેવાં નેત્રવાળા, મુખકમળને શાલા અર્પનાર બહુ ઊંચી નહીં એવી અને ઉત્તમ નાસિકાવાળા, વિદ્રુમવૃક્ષના પદ્મવ જેવા હાઠવાળા, મેાગરાની કળીઓ જેવા સ્નિગ્ધ દાંતવાળા, શ્રીવત્સ વડે અંકિત પહેાળા વક્ષ:સ્થળવાળા, ભુજંગની ફણાની ઉપમા આપી શકાય એવા ખાડુવાળા, મદમદ વાતા પવન વડે સહેજ નમેલા કમળ કમળની સુન્દર રેખા વડે અલ'કૃત હથેળીવાળા, સુરપતિ ઇન્દ્રના શસ્ર-વજ્ર સમાન મધ્યભાગવાળા, ખિડાયેલા કમળ સમાન ગંભીર ૧, અહીં સુમરિૐ હૈં હિવુદ્દો એ વાકયખંડના અર્થ સમજાતા નથી. Page #508 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી સંભક [૪૫૩] નાભિકેશવાળા, સરખાં પાસાંયુક્ત ઉદરવાળા, સારા બાંધાવાળા, ઉત્તમ અશ્વ જેવા કટિપ્રદેશવાળા, હાથીનાં બચ્ચાંની સૂંઢ જેવી આકૃતિયુક્ત ઉરુવાળા, (માંસપેશીઓ વડે) ઢંકાયેલા તથા દઢ એવા ઢીંચણ અને સાંધાવાળા, કુરુવિન્દાવર્ત નાભિવાળા, સેનાના કાચબા જેવી સુન્દર આકૃતિયુક્ત અને નખરૂપી મણિનાં કિરણે વડે પ્રકાશિત ચરણારવિન્દવાળા, જલભર્યા મેઘની ઘેાષણુ જેવા અવાજવાળા તથા બાલચન્દ્ર જેવા પ્રિયદર્શન એવા ભગવાને - કુમારકાળમાં એકવીસ હજાર વર્ષ વીતાવ્યા. પછી પિતાએ રાજ્યધુરાના કાર્યમાં તેમને નિયુક્ત કર્યા. માંડલિકની રાજ્યલમીનું નિરુપદ્રવપણે પાલન કરતા તથા વાદળાંમાંથી મુક્ત થયેલા ચન્દ્રના કિરણ જેવા ધવલ યશ વડે સકલ જીવલેકને વ્યાસ કરતા એવા તેમનાં એકવીસ હજાર વર્ષ વીતી ગયાં. પૂર્વનાં સુતા વડે ઉપાર્જિત કરેલું તથા હજાર દે વડે પરિવરાયેલું ચક્રરત્ન તેમને ઉપસ્થિત થયું. તે ચક્રના માર્ગે અનુગમન કરતા તેમણે ચાર હજાર વર્ષમાં સકલ ભારતવર્ષ ઉપર વિજય કર્યો. ભરતની જેમ દેવ અને રાજાઓ વડે પૂજાયેલા તેમણે એકવીસ હજાર વર્ષ સુધી ચક્રવતીના ભેગે ભેગવતાં વિહાર કર્યો. વિનયથી જેમણે અંગ અને મસ્તક નમાવ્યાં છે એવા કાતિક દેએ જેમને બંધ કર્યો છે અને જેમને મત્સર નાશ પામે છે એવા તથા જેમને માટે મંગલકમ કરવામાં આવ્યાં છે એવા ભગવાન, કુબેરને પણ વિરમય પમાડનારી બુદ્ધિ વડે, એક વર્ષ સુધી મણિ અને કનકની વૃષ્ટિ કરીને-કાંચનમય વિચિત્ર અને ઉત્તમ સુભાવાળી, કલ્પવૃક્ષનાં કુસુમમાં લુબ્ધ ભમરાઓવડે શબ્દાયમાન, વિદ્વમ, ચન્દ્ર, કાન, પવ, અરવિન્દ, નીલ અને સ્ફટિક મણિઓ વડે અંકિત સ્કૂપિકાઓ જેમાં છે એવી, મરક્ત, વેડૂર્ય અને પુલકમણિ વડે વિચિત્રિત વેદિકાવાળી, કાળા અગરના ધૂપવડે વાસિત ગશીર્ષ ચંદનના સમૂહ વડે દિશાઓને સુરભિયુક્ત કરતી, પતાકાઓના સમૂહ વડે ઉજવેલ, ઘણા કાળે વર્ણન કરી શકાય એવી તથા દેવે અને મનુષ્ય વડે વહન કરાતી વૈજયંતી શિબિકામાં બેસીને નગરમાંથી બહાર નીકળ્યા. ચંદ્ર જ્યારે રેવતી નક્ષત્રના દેશમાં આવ્યું ત્યારે તેમણે સહસામ્રવનમાં એક હજાર ક્ષત્રિની સાથે દીક્ષા લીધી. મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર જ્ઞાનવાળા તેઓ સોળ માસ સુધી વિહાર કરીને, તે જ સહસામ્રવનમાં આવીને તે સમયને કુસુમોના સમૂહ વડે સુશોભિત, કેફિલના મધુર ટહુકાર વડે શબ્દાયમાન અને ભમરાઓના સમૂહને લીધે અંદરના ભાગમાં શ્યામ એવા આમ્રવૃક્ષની નીચે બેઠા. પ્રશસ્ત ધ્યાનમાં રહેલા અને જેમનાં મેહનીય, જ્ઞાનાવરણય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોને ક્ષય થયે છે એવા તેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. પછી જેમણે હાથ જોડેલા છે એવા દેવ અને દાનવોએ વાદળાંની મલિનતામાંથી મુક્ત થયેલા ચંદ્રની જેમ અધિકતર સૌમ્ય દર્શનવાળા ભગવાનનો મહિમા કર્યો. જન સુધી પહોંચતા સ્વર વડે ભગવાને ધર્મ કહ્યો-“જન્મ, મરણ, વધ, બંધન અને વેદનાથી Page #509 -------------------------------------------------------------------------- ________________ [૪૫૪] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પ્રચુર આ સંસાર છના પ્રમાદથી ઉત્પન્ન થાય છે. તેમાંથી મુક્ત થવાને માટે ક્ષમા, માર્દવ, આર્જવ, નિ:સંગતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ પ્રમાણે દશવિધ માર્ગ છે. આ ઉપાયથી જેમણે કર્મોને ક્ષય કર્યો છે એવા સિદ્ધો સિદ્ધશિલામાં અનંત અને અવ્યાબાધ સુખ અનુભવે છે. સંસાર (ખપા ન હોય પણ) પરિમિત કર્યો હોય તેમણે અણુવ્રત અને શિક્ષાત્રત સહિત ગૃહસ્થ ધર્મ પાળ.” સર્વ ભાવને જાણનારા અરિહંતે આ પ્રમાણે ઉપદેશ કર્યો. જીવ અને અજીવના તે સ્વરૂપને સાંભળીને જેમણે કામભેગોને ત્યાગ કર્યો છે એવા કુંભ રાજાએ શ્રમણ ધર્મને સ્વીકાર કર્યો અને ભગવાને તેમને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. તેમને મહત્સવ કરીને દેવે અને મનુષ્ય જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. ભગવાનના કુંભ વગેરે સાઠ હજાર શિષ્યો હતા, તેટલી જ શિષ્યાઓ હતી, એક લાખ ચોરાશી હજાર શ્રાવક હતા, તથા ત્રણ લાખ ચોરાશી હજાર શ્રાવિકાઓ હતી. વીતરાગ તથા જેમનાં કર્મો નાશ પામ્યાં છે એવા શ્રીઅરનાથ તીર્થકર એકવીસ હજાર વર્ષ સુધી નિર્વાણનો માર્ગ પ્રકાશીને, સમેત પર્વતના શિખર ઉપર એક માસના ઉપવાસ કરીને સિદ્ધિમાં ગયા. દેવોએ તેમને નિર્વાણમહિમા કર્યો. શ્રીઅરનાથના તીર્થમાં વીસ પુરુષપરંપરા સુધીમાં શીલ જેમનું ધન છે એવા બાર કરોડ શ્રમણે કેટિશિલા ઉપર સિદ્ધિમાં ગયા છે. શ્રીમલ્લિનાથ અરિહંતના તીર્થમાં વીસ પુરુષપરંપરા સુધીમાં છ કરોડ શ્રમણે અહીં જ પરિનિર્વાણ પામ્યા છે. મુનિસુવ્રત ભગવાનના તીર્થમાં ઉત્તમ વ્રતવાળા ત્રણ કરોડ મુનિઓ અહીં પરમપદ પામ્યા છે. પ્રણામ કરતા ઈન્દ્ર વડે વંદન કરાયેલાં જેમનાં ચરણકમળ છે એવા લેકગુરુ શ્રી નમિનાથના તીર્થમાં જેમનાં કર્મનાં આવરણ દૂર થયાં છે એવા એક કરોડ શ્રમણો આ શિલા ઉપર સિદ્ધિ પામ્યા છે. આથી તે કોટિશિલા કહેવાય છે. એ શિલા સુરાસુર વડે પૂજાયેલી, મંગલ, વંદનીય અને પૂજનીય છે. એ કારણથી અમે અહીં આવ્યા છીએ. જે તમે પૂછ્યું કે અમે કહ્યું છે.” | (ચારણશ્રમણોએ) આ પ્રમાણે કહ્યું, એટલે “ઉત્તમ કહ્યું!” એમ બોલતાં અમે વિનયપૂર્વક તે શ્રમને પ્રણામ કર્યા. પછી ચારણુ ભગવંત અંતર્ધાન થયા. શ્રી શાન્તિનાથના આ શાન્તિકર ચરિત્રનું ચિન્તન કરતે હું બેઠો. એ સમયે ખભા ઉપર જેણે હાડકાંની માલા પહેરી છે એવી તથા હિમ વડે કરમાયેલી પદ્મિની જેવા નિસ્તેજ શરીરવાળી, નવયૌવનમાં રહેલી એક સ્ત્રીને મેં જોઈ. તાપસોને મેં પૂછયું, “ભદ્ર આકૃતિવાળી અને સુખભાગિની આ સ્ત્રી કયા કારણથી આશ્રમમાં રહે છે? ૧. કથાના અનુસંધાન માટે જુઓ આ લંભકના પ્રારંભમાં પૃ. ૪૦૬-છ. Page #510 -------------------------------------------------------------------------- ________________ કેતુમતી લ’ભક [ ૪૫૫ ] અથવા એવું કયું તપ છે, જેથી એ પ્રાણુસંશયમાં રહેલી છે ( અર્થાત્ એનુ જીવન જોખમમાં આવી પડયું છે) ? ” એટલે તાપસેા કહેવા લાગ્યા, “તેનું કારણ સાંભળેા— ઇન્દ્રસેનાના સબધ અહીં વસતપુર નામે નગર છે. વચ્છિલના પુત્ર જિતશત્રુ ત્યાં હાલમાં રાજા છે. મગધના રાજા જરાસંધે પેાતાની કાલિંદસેના અગ્રમહિષીથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રસેના નામે પુત્રી તેને આપી હતી. એ જિતશત્રુ પરિવ્રાજકાના ભક્ત હતા. આથી અંત:પુરમાં પ્રવેશ વાની જેમને રજા આપવામાં આવી છે એવા તેના (ગુરુ) શંખ અને બીજા યાગીએ અનિયંત્રિતપણે અંતઃપુરમાં પ્રવેશતા અને ત્યાંથી બહાર જતા હતા. સ્વસમય અને પરસમય( સ્વમત અને પરમત )માં કુશળ તથા જિતશત્રુના બહુમાન્ય એવા શૂરસેન નામે પિરત્રાજક તેના ઘરમાં રહેતા હતા. તેણે ઇન્દ્રસેનાને વિદ્યાથી વશ કરી. પછી ‘ આ ઇન્દ્રસેના તારામાં આસક્ત છે' એમ રાજાએ જાણીને તે શૂરસેનનેા નાશ કરીને, તેને ગહન વનના એક પ્રદેશમાં ફેંકી દીધા. પશુ તે પરિત્રાજકમાં આસક્ત માનસવાળો અને તેના વિયાગમાં શાક કરતી ઇન્દ્રસેના પિશાચાવિષ્ટ-ગાંડી થઇ ગઇ. ‘ હું એ ભદતને જોઈશ!' એ પ્રમાણે વિલાપ કરતી તેને બંધન, રુંધન, યજ્ઞ, ધૂણી આપવી, ઔષધ પાવાં આદિ ક્રિયાએવ ચિકિત્સકે! સ્વસ્થ કરી શકયા નહીં. જેણે સાચી હકીકત જાણી છે એવા જરાસ ંધે કહેવરાખ્યું કે, “ મારી પુત્રી બંધનમાં કલેશ પામતી ન મરે, તેને છેડા, કેાઇ આશ્રમપદમાં તે ભલે રહે, અનુક્રમે તે સ્વસ્થ થશે. ” તે વચનને પ્રમાણુ કરતા જિતશત્રુ રાજાએ તેને બંધનમાંથી છેાડી. ૮ આ તારા પ્રિયતમ છે ’ એમ કહીને શૂરસેનનાં અસ્થિ તેને બતાવવામાં આવ્યાં. એ અસ્થિઓને એકત્ર કરીને, વસ્ર વડે બાંધીને તેણે માળા કરી. પછી તે માળાને તેણે કંઠમાં બાંધી. રાજાના કંચુકીએ તેને પરિચારિકાએની સાથે અહીં લાવીને રાખી. પછી તેએ આ વૃત્તાન્ત અમને કહીને ગયા. વિનંતી કરવા છતાં આ ઇન્દ્રસેના ભેાજન કરવાને ઇચ્છતી નથી. એ કારણથી તે આવી અવસ્થાને પામી છે. તમે મહાપ્રભાવશાળી દેખાએ છે. જો તમારા કોઇ શક્તિવિશેષ હૈાય તે તેને મુક્ત કરા-સ્વસ્થ કરેા, જેથી એ બિચારી જીવે. એથી તમે ઋષિએ અને રાજાનુ પણ પ્રિય કર્યું ગણાશે. ’ મેં કહ્યું, “ એમ થાઓ; તમને જો આ વસ્તુ અભિપ્રેત છે તે પ્રયત્ન કરીશ. ” પછી સંતુષ્ટ થયેલા તે તાપસેાએ રાજાને ખબર આપી. ત્યાંથી કંચુકીને મેાકલવામાં આવ્યેા. તે ઇન્દ્રસેનાને અને મને તેડી ગયા. વિનયપ્રતિપત્તિપૂર્વક બહુમાનથી જિતશત્રુએ મારા સત્કાર કર્યાં. મેં' ચિકિત્સા કરી, એટલે દેવી સ્વસ્થ થઈ ગઈ. કેતુમતીનું પાણિગ્રહણ હવે, એક વાર પ્રતિહારીએ આવીને મને વિનંતી કરી, “ સાંભળેા સ્વામી ! રાજાની ' Page #511 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૬ ] સહેાદરા મ્હેન કેતુમતી નામે છે. તાજા કમળ જેવા કામલ ચરણુયુગલવાળો, ( સ્નાયુએમાં ) ગૂઢ રહેલ શિરાઓ અને રામકૃષવાળી, કુરુવિન્દાવત જેવી ગાળાકાર જ ધાવાળી, કદલીસ્તંભ જેવા ઉરુવાળી, કટિમેખલાયુક્ત સુવિશાલ જઘનવાળી, મોટા ધરાના આવત જેવી ઊંડી નાભિવાળી, ત્રિવલીયુક્ત તથા હાથમાં સહેલાઇથી પકડી શકાય એવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, સરખા અને હારવડે શેાભાયમાન સ્તનેાવાળી, કિસલયેાની સુન્દરતાનું હરણ કરનાર ઘાટીલી હશૈલીયુક્ત મૃદુ ખાહુલતાવાળી, આભૂષણૢા વડે શે ભાયમાન કખુકડવાળી, પ્રવાલદલ જેવા અધરાવાળી, યુક્ત, ઉન્નત અને ઘાટીલી નાસિકાવાળી, નીલકમળનાં પત્ર જેવાં વિશાળ નયનવાળી, વૃદ્ધિ પામેલા, સૂક્ષ્મ, શ્યામ અને સ્નિગ્ધ કેશવાળી, સુન્દર કાનવાળી, ( કુંડલાના ) ચલનદ્વારા થતા ઘણુથી સુંવાળા થયેલા હાય તેવા સુન્દર ગાલવાળી, પ્રસન્ન કલહંસ જેવી ગતિવાળી, શુચિ પ્રભાવડે સુભગ એવી દાંતની કાન્તિવાળી તથા સ્વાભાવિક રીતે જ મધુર વાણીવાળી છે. વધારે શું કહેવું ? તે કન્યા જાણે કે કમલવનથી રહિત એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી છે. રાજા તે કન્યા તમને આપવાની ઇચ્છા રાખે છે, આથી તે તમારા ગુણામાં રમે છે-ગુણ્ણાનુ ચિન્તન કરે છે. ” આમ કહીને પ્રતિહારી ગઈ. વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : : પછી પરિતાષથી પ્રસન્ન મુખચંદ્રવાળા રાજાએ ઉત્તમ તિથિએ વિધિપૂર્વક મને કેતુમતીનું પાણિગ્રહણ કરાવ્યું. ‘હું આપના આજ્ઞાકારી છું' એમ ખેલતા તેણે મને ઘણેા પ્રદેશ આપ્યા. ઇચ્છિત લેાજન, વસ્ત્ર, ગંધ અને માલ્ટવર્ડ તે મારી સેવા કરવા લાગ્યું. ઉપચારપૂર્વકની સેવાએ વડે મને પણ કેતુમતીએ વશ કર્યાં. હૃઢ થયેલા પ્રણયવાળી તેણે સુખમાં રહેલા મને પૂછ્યું, “ આ પુત્ર! આપણા વડીલેા કયાં છે ?” મે મારી ઉત્પત્તિ અને શારિપુરમાંથી કારણસર થયેલું મારું' નિર્ગમન કહ્યાં. તે સાંભળીને દિવાકર સૂર્ય વડે વિકાસ પામેલા શતપત્ર કમળની જેમ તેનું વદન-શતપત્ર અધિક શાલી ઊડ્યુ. આ પ્રમાણે વસતપુરમાં વસતાં મારા સમય સુખપૂર્વક જતા હતા. "L એક વાર જિતશત્રુ રાજા આવીને મને વિનંતી કરવા લાગ્યા, “સ્વામી ! સાંભળેા– જરાસંધ રાજા ફરી ફરી કહેવરાવે છે કે, ‘ જેણે મારી ઇન્દ્રસેના પુત્રીને જીવિતદાન આપ્યુ છે તેનુ' દન કરવા ઇચ્છુ છું, માટે તેને મેકલે. ’ પણ તમારું અહીંથી ગમન થાય એ વસ્તુને ટાળવા માટે મેં તમને એ કહ્યુ નહાતુ, પણ અત્યારે જરાસંધના ભિકશાં દૂત આવીને કહે છે કે, ‘ તમારા અનેવી પાતાના પ્રિયકર હાવાથી તેમનુ દČન કરવાની રાજા જરાસંધની ઈચ્છા છે, માટે વિલંબ કર્યા સિવાય તેમને મારી સાથે મેાકલા. એમ કરવાથી સારું થશે. ' તા હવે તમારી શી ઇચ્છા છે તે જણાવેા. ’” મે કહ્યું, “ તમે આકુળ ન થશેા; જો તે રાજાના આગ્રહ છે, તે હું જઇશ,” પછી જિતશત્રુ ‘ભલે’ એમ કહીને ગયા. આ વાત સાંભળીને કેતુમતી મને કહેવા લાગી, “ આ પુત્ર ! તમે રાજગૃહ જા છે, પણ તમારા વડે ત્યાગ કરાયેલી એવી મારે કેવી રીતે પ્રાણુ ધારણ કરવા ? ” મેં કહ્યું, ' Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવતી સંભક | [ ૧૭ ] “સુતનું! તું ઉદાસ ન થઈશ; તારા ભાઈને ઠપકો મને ન મળે એટલા માટે હું જાઉં છું. તે રાજા મને રજા આપશે, એટલે તુરત જ જલદીથી હું આવીશ, એ વાત તારા હૃદયમાં ધારણ કરજે.” આ પ્રમાણે તેને સમજાવતાં મારા કેટલાક દિવસો વીતી ગયા. (૨૨) પ્રભાવતી લંભક પિતાનું કાર્ય સાધવામાં પરાયણ એ દૂત હદયહારી વચને વડે મને ગમન માટે પ્રેરવા લાગ્યો. પછી જિતશત્રુ રાજાએ આપેલ યોદ્ધાઓ, સેવકો અને સૈન્ય વડે પરિવરાયેલે હું ગાય, ભેંસે અને ધન-ધાન્ય વડે સમૃદ્ધ ગૃહપતિઓથી સંકીર્ણ એવાં નજદીકનાં ગામ જેતો દૂતની સાથે સાથે નીકળે. સુખપૂર્વક મુકામ અને શિરામણ કરતા અમે પૃથ્વીના તિલક સમાન મગધ જનપદમાં પહોંચ્યા. એક સંનિવેશમાં અમે પડાવ નાખ્યો. પ્રભાતે મને દૂત વીનવવા લાગ્યા, “ સાંભળે, ડિભકે મારી પાસે માણસ મોકલે છે. તમને રાજા આજે મળશે. રાજાના રથ અહીં છે. એ રથમાં તમે બેસે, આપણે જલદી જઈએ. આપણા પરિવાર-રસાલાના માણસે પછીથી આવશે.” પછી તેની અનુકૂલ પ્રવૃત્તિથી અને રાજા પ્રત્યેના ગોરવથી હું રથ ઉપર બેઠે. દૂત પણ પછી તે પ્રમાણે બેઠે. સારથિઓએ ઘેડા હાંકયા. તે ઘડાઓ દિવસને પાંચમે ભાગ થતાં સુધીમાં તે શીઘ્રતાથી ઘણાં યજન વટાવી ગયા. નગરની પાસે દઢ અને કઠિન શરીર અને હસ્તવાળા સેળ જેટલા મનુષ્ય ઊભેલા હતા. તેઓ મને પ્રણામ કરીને શીવ્રતાપૂર્વક મારી પાસે ઊભા રહ્યા. તેઓએ અંદરોઅંદર કંઈક વાર્તાલાપ કર્યો. પછી તે મને કહ્યું, “સ્વામી અહીં થોડીક વાર આરામ લેડિંભક તમારી પાસે આવશે તેની સાથે નગરમાં પ્રવેશ કરજે.” “ભલે” એમ કરીને અમે એક ઉદ્યાનમાં ગયા. રથમાંથી અમે ઊતર્યા. ત્યાં એક પુષ્કરિણી હતી. તેના કિનારે બેસીને મિશ્રપાદ દૂતને મેં પૂછ્યું, પૃથ્વીપટના અલંકાર સમાન આ ઉપવનની વાડ શાથી ભાંગી ગઈ છે ?” તેણે કહ્યું, “આ ઉદ્યાનનો સ્વામી ઘણું સમયથી પ્રવાસમાં ગયેલ છે, આથી તેની સંભાળ નહીં લેવાયાને કારણે તે રમણીય લાગતું નથી. આથી લેકે ઘણું કરીને નજદીકનાં ઉદ્યાનમાં રમણ કરે છે.” વસુદેવને કેદ કરવા માટે જરાસંધને પ્રયત્ન આ પ્રમાણે તે મારી સાથે વાર્તાલાપ કરતે હતે એવામાં જેમણે કેડ બાંધી છે એવા ચાર પુરુષે પુષ્કરિણમાં હાથપગ ધોઈને મારી પાસે આવ્યા. બે જણે મારા પગ પકડ્યા, બે જણે હાથ દબાવ્યા, અને બાકીના પિતાના હાથમાં જુદા ૧ મૂળમાં વિવરમંચું પાઠ છે, તેને સ્થાને મંદ પાઠ લીધે છે. ૫૮ Page #513 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૮ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : ' જુદા પ્રકારનાં હથિયારો લઈને પાછળ ઊભા રહ્યા. વાર્તાલાપમાં જેનું ધ્યાન હતુ એવા મને તેમણે માંધ્યા. મે' પૂછ્યું, “ મે કયે અપરાધ કર્યાં છે, જેથી મને માંધા છે?” દૂતે કહ્યુ, “ આ અમારું' સ્વેચ્છાપૂર્ણાંકનું આચરણ નથી. રાજાને નૈમિત્તિકે કહ્યું હતું કે, ગાંડી થયેલી તારી પુત્રી ઇન્દ્રસેનાને જેણે મુક્ત-સ્વસ્થ કરી છે તે તારા શત્રુના પિતા છે. ’ આ જ તમારા અપરાધ છે. ” હુ બેલ્થેા, “ શત્રુના પિતા હું હાવાના આદેશ (નૈમિત્તિક ) કર્યા છે, પણ હું શત્રુ કેવી રીતે ? ” તે એક્લ્યા, “ બીજના નાશ કરવાથી અંકુરના નાશ થયેલા જ છે, એવી રાજાની સમજ છે. ” પછી તેએ મને વૃક્ષાથી ગહન એવા પ્રદેશમાં લઇ ગયા. પછી વજ્ર મુષ્ટિવાળા એકલા એવા મે તેમના ઉપર પ્રહાર કર્યો. ૮ જીવલેાકને ખરાખર જોઇ લેા ' ( કારણ કે તમારા જીવનના અંતકાળ છે) એમ ખેલતા હું તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને તેમની પાસે ઊભું રહ્યો. મને ભય ન હતા. નવકાર મંત્ર જેનુ ખળ છે એવા ( અર્થાત્ નવકારના જાપ કરતા) મને કોઇએ ઉપાડ્યો, પણ તે ઉપાડનારનું રૂપ હું જોઈ શકતા નહાતા. મેં વિચાર્યું, “ ખરેખર, કાઇ દેવતા મારા પ્રત્યે અનુકંપા ધરાવે છે. ” દૂર સુધી લઇ જઇને મને ભૂમિ ઉપર મૂકવામાં આવ્યા. સૌદામિની-વીજળી જેવી દીપ્તિમાન, સૂક્ષ્મ અને ધવલ હંસલક્ષણુ નામનું વજ્ર જેણે શરીર ઉપર પહેર્યુ હતુ એવી, ફેણના પટ વડે ઢંકાયેલી ત્રિપથગા ગંગા જેવી દેખાતી એક વૃદ્ધ સ્ત્રીને મે જોઇ, ‘ આ સ્ત્રી જ મને અહીં લાવી છે' એમ ધારીને પ્રણામ કરીને તેને મેં પૂછ્યું, “ ભગતિ ! તમે કેણુ છે એ જાણવાને હું ઇચ્છું છું. જેવી રીતે તમે છવતદાન આપીને મારા ઉપર અનુક ંપા દર્શાવી છે તેવી રીતે કૃપા કરી, આ વસ્તુ કહેા. ” પછી પ્રસન્ન હૃષ્ટિ વડે પ્રીતિ ઉત્પન્ન કરતી એવી તેણે કહ્યુ, પુત્ર ! હજારો વર્ષ સુધી જીવતા રહે. સાંભળ—— 66 દક્ષિણ શ્રેણિમાં વૈજયંતી નામે વિદ્યાધરનગરી છે. ત્યાં નરસિહુ નામે રાજા હતા, તેની ભાર્યાં હું ભાગીરથી નામે છું. મારા પુત્ર ખસિહુ નામે છે, તે હાલમાં નગરીનુ પાલન કરે છે. પુષ્કલાવતીમાં મારા જમાઇ ગાંધાર છે, તે મારી પુત્રી અમિતપ્રભાના પતિ છે. મારી દૌહિત્રી પ્રભાવતી છે; તમારું સ્મરણ કરતી તે સુખ પામતી નથી. મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને આ કહ્યું. પછી તેનાં માતા-પિતાને આ વસ્તુની ખબર આપીને હું તમારી પાસે આવી, તેા કહેા, તમને કયાં લઈ જાઉં ? ” મેં કહ્યું, “ દૈવિ ! પ્રભાવતી મારું પ્રિય અને હિત કરનાર છે. જો પ્રસન્ન થયાં હા તા મને ત્યાં લઇ જાઓ.” એટલે હર્ષિત મનવાળી તે મને ક્ષણવારમાં પુષ્કલાવતો લઇ ગઈ; અને ઉપવનમાં મને બેસાડ્યો. દેવીની પાસે ઉદ્યાનપાલિકાને મેકલી કે, “ રાજાને કહેાકુમારને હું લાવી છું. ” થાડીક વાર પછી કંચુકીએ અને પિરવાર સહિત પ્રતિહારીએ આવ્યાં. નમેલી એવી પ્રતિહારીએ મને અભિનંદન કરીને મંગલકમ પૂર્વક મને સ્નાન કરાવ્યુ. જેણે આખું વસ્ત્ર પહેર્યું છે એવા તથા જેનુ રક્ષાકમ કરવામાં આવ્યું છે એવા Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવતી સંભક [૪૫૯ ] મારે માટે છત્રવાળો રથ લાવવામાં આવ્યા. તેમાં હું બેઠે, અને જેને જયશબ્દ કરવામાં આવતું હતું એ હું નગરમાં પ્રવેશ્યા. જેમાં તારણ અને વનમાલાઓ બાંધવામાં આવી હતી અને ધજા-પતાકાઓ ફરકાવવામાં આવી હતી એવા નગરમાં લોકે મને જેતા હતા (અને કહેતા હતા) કે, આ મનુષ્ય નથી, ખરેખર દેવ છે.” આ પ્રકારનાં વચને સાંભળો તથા પ્રેક્ષકજનો વડે જેનો માર્ગ રોકાઈ ગયે છે એ હું મુશ્કેલીએ રાજભવન આગળ પહોંચ્યા. ત્યાં હું રથમાંથી ઊતર્યો, એટલે મને અર્થ અને પાદશૌચ આપવામાં આવ્યાં. પ્રતિહાર જેને માર્ગ બતાવતો હતે એવો હું સભામંડપમાં પ્રવેશ્યા. ત્યાં મંત્રી, પુરોહિત અને નૈમિત્તિક સહિત બેઠેલા, નિધિ સહિત જાણે કુબેર હોય તેવા ગાન્ધાર રાજાને મેં જોયે. હું પ્રણામ કરતું હતું ત્યાં જ તેણે મારો હાથ પકડીને મને અર્ધા આસન ઉપર બેસાડ્યો. વિરમયથી જેનું મુખ પહેલું થયું છે એ અને પરિતેષથી જેનાં રોમાંચ ખડાં થયાં છે એ તે મને જોવા લાગ્યો. ‘કુમાર ! તમારું સ્વાગત હા! ભદ્ર! તમારું સ્વાગત હો ! ” એ પ્રમાણે મધુર વચન બોલતા તેણે કંચુકીઓને આજ્ઞા આપી કે, “કુમાર વિશ્રામ લે તે માટે શયન તૈયાર કરે.” પછી જાણે લક્ષમીનું ગૃહ હોય તેવા અને મણિરત્નથી જડેલી જેની ફરસબંધી હતી એવા એક વાસગૃહમાં તેઓ મને લઈ ગયા. સ્વચ્છ અને સુગંધી રેશમી વસ્ત્રના ઓછાડવાળા શયન ઉપર હું બેઠો. પ્રભાવતીનું પાણિગ્રહણ - થોડીક વાર પછી ઉત્તમ કનકમાંથી બનાવેલી જાણે દેવતા (દેવતાની મૂર્તિ) હોય એવી, સહેજ ફિકકા ગાલ અને વદનવાળી, અંજન વગરનાં અને વિલાસયુક્ત ધવલ નયનેવાળી, લાવણ્યપૂર્ણ કર્ણયુગલવાળી, સીધી, બહુ ઊંચી નહીં એવી અને ઘાટીલી નાસિકાવાળી, અશોકના પલવ જેવા રાતા અધરોષ્ઠવાળી, મંગલ નિમિત્તે એકાવલિ હારવડે આભૂષિત કંઠવાળી, અલંકારરહિત શરીરવાળી, કોમલ બાહુલતાવાળી, રક્ત કમલ જેવા હસ્તકમલવાળી, પુષ્ટ અને ઉન્નત સ્તનના ભારથી ખેદ પામતા મધ્યભાગવાળી, મધ્યસ્થ– ઉદાસીન મનુષ્યને પણ મેહ ઉત્પન્ન કરનારી, વિસ્તીર્ણ નિતંબવાળી, ગેળ, સરખા અને પરસ્પર અંતર વગરના ઉવાળી, પ્રશસ્ત જંઘાવાળી, માંસલ, સુકુમાર અને ધરણીતલ ઉપર પગલાં મૂકતા સુન્દર ચરણવાળી, ધવલ રેશમી વસ્ત્ર જેણે ધારણ કર્યું છે એવી, દયાને જેમ ક્ષમાઓ અનુસરે તેમ, વિનીત વેશવાળી અલંકાર-સુન્દરીઓ વડે અનુસરાતી તથા ધાત્રીની સાથે આવતી પ્રભાવતીને મેં ઈ. મારા પ્રત્યેના નેહથી બંધાયેલી અને ખેતીની માળા જેવાં આંસુ સારતી તે મારી પાસે આવી અને આ પ્રમાણે બેલી કે, “કુમાર! અક્ષત અને સમગ્ર શરીરવાળા તમે મૃત્યુના મુખમાંથી બહાર નીકળ્યા, તેથી અમને આનંદ થાય છે.” મેં કહ્યું, “પ્રભાવતિ! Page #515 -------------------------------------------------------------------------- ________________ [૪૬૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ખરું જોતાં દેવીને મોકલીને તેં જ મને જીવિતદાન આપ્યું છે.” એટલે ધાત્રીએ કહ્યું, “પાપ દૂર થયાં છે, અને તમારાં કલ્યાણ નજરે પડે છે. દેવ! આ પુષ્પ-ગંધ લે.” પછી પ્રભાવતી પ્રત્યેના બહુમાનથી એ પુષ્પગંધને મેં સ્વીકાર કર્યો. પછી પરાગમ-પાકશાસ્ત્ર અનુસાર તૈયાર કરેલું ભેજન લાવવામાં આવ્યું. પછી ધાત્રીએ કન્યાને કહ્યું, “પુત્રિ! તું પણ સનાન કરી લે, ભેજન કરીને પછી મળજે.” તે વચનને અનુસરી પ્રભાવતી ગઈ. ચતુર ચિત્રકારોએ કરેલા ચિત્રકામ જેવું મનોહર, સંગીતને અનુસરીને ગવાતા ગીત જેવું વર્ણયુક્ત, બહત કવિએ રચેલા પ્રકરણની જેમ મનહર રસવાળું, પ્રિયજનની અભિમુખ દષ્ટિ જેવું સ્નિગ્ધ, સર્વ ઔષધેવડે જેની ગંધયુક્તિ (ગંધનું મિશ્રણ) કરવામાં આવેલ હોય એવું સુરભિ અને જિનેન્દ્રના વચન જેવું ૫ ભેજન હું પણ જમવા લાગ્યા. જમ્યા પછી શાન્ત થઈને હું બેઠો તથા તંબોલ લીધું, એટલે મને નાટક બતાવવામાં આવ્યું. પછી પરમ પ્રીતિયુક્ત એ હું સાંજે સંગીત સાંભળી સૂઈ ગયે, અને (સવારે) મંગલગીત સાંભળીને ઊઠ્યો. પછી ઉત્તમ મુહૂર્ત રાજાએ પોતે, પ્રકૃતિવિદ્યાની જેમ, પ્રભાવતી મને આપી. ઉપાધ્યાયે અગ્નિમાં હેમ કર્યો, ડાંગરની અંજલિઓ નાખવામાં આવી, ધૂપ દર્શાવવામાં આવ્યા, અને અમે સપ્તપદી ફર્યા. “પ્રભાવતી મારા સર્વ કેશ ઉપર અધિકાર ધરાવે છે” એમ બોલતા, લાંબા કાળથી વિચારેલા મને રથની પ્રાપ્તિથી જાણે કે વિમિત અને હર્ષિત નયનવાળા રાજાએ મંગલ તરીકે અમને બન્નેને બત્રીસ કટિ ધન આપ્યું. ઘણા દિવસ સુધી આવતા અને ઈચ્છાનુસાર ધારણ કરેલી નેપચ્ચ લક્ષ્મી-અસમૃદ્ધિ જેમણે ધારણ કરી છે એવા વિદ્યાધર વડે જાણે અમે અલકાપુરીમાં રહેતા હોઈએ તેમ સેવા કરાતાં, પ્રણામ કરતા જન અને સેવકે જેમની આજ્ઞા ઉઠાવતા હતા એવાં તથા વિષયસુખના સાગરમાં રહેલાં એવા અમારે સમય સુખપૂર્વક વીતતે હતો. (૨૩) ભદ્રમિત્રા-સત્યરક્ષિતા લંભક એક વાર સંગીત સાંભળવા વડે સાંજ વિતાવીને હું સુખપૂર્વક સૂતેલો હતો ત્યારે કેઈક વડે હરણ કરાતો હું જાગી ઊઠ્યો અને વિચારવા લાગ્યું કે, “શીતલ પવન મને સ્પર્શ કરે છે, માટે હું કયા પ્રદેશમાં છું?” પછી મેં આંખો ઉઘાડી. ચંદ્રિકાના પ્રકાશમાં ખરમુખી-કરડા મોઢાવાળી અને ખર–તીવ્ર દષ્ટિથી મને અવકતી એક સ્ત્રીને મેં જોઈ. ૧, સંગીત પક્ષે વિવિધ અક્ષરે, અને ભોજન પક્ષે વિવિધ વાનીઓ. Page #516 -------------------------------------------------------------------------- ________________ ભદ્રમિત્રા-સત્યરક્ષિતા સંભક [ ૪૬૧ ] મને વિચાર થયે, “વિશ્વસનીય એવું આ સ્ત્રીરૂપ ધારણ કરીને કોઈ મને દક્ષિણ દિશા તરફ હરી જાય છે. એની સાથે જ હું નાશ પામીશ; એની ઈચ્છા પૂર્ણ ન થાઓ.” એમ વિચારીને મેં મૂઠીથી તેને તાળવામાં ઘા કર્યો, એટલે તે હેફગ થઈ ગયો. હું પણ નીચે ઊંડા જળમાં પડ્યો. “શું આ સમુદ્રનું જળ હશે કે બીજું હશે ?” એમ વિચારતા મને જળના શુભત્વ, સુરભિત્વ અને વેગથી માલુમ પડ્યું કે “આ નદીનું પાણી છે. ” પછી હું નદીના ઉત્તર કિનારે ઊતર્યો. ત્યાં રાત્રિને બાકીને ભાગ વિતાવીને, દિશાઓ સૂર્ય વડે પ્રકાશિત થઈ તે સમયે પ્રભાતમાં ત્યાંથી થોડે દૂર આવેલા, અગ્નિહોત્ર કરવાને કારણે ધૂમાડાવાળા, જેમાં ઝુંપડીએનાં આંગણુઓમાં હરિનાં બચ્ચાં નિશ્ચિત્તપણે સૂઈ રહેલાં હતાં એવા, નિર્ભયપણે ચરતાં પક્ષીઓ વડે રમણીય તથા જેમાં અખોડ, પ્રિયાલ, કેલ, સિંદુક, ઇંગુદ, કંસાર, નીવારને (એ ફળો અને ધાન્યનો) સંગ્રહ કરવામાં આવેલ હતું એવા આશ્રમપદમાં હું ગયે. ત્યાં મહર્ષિઓ મારી પાસે આવ્યા. તેઓએ સ્વાગતથી અને અર્થથી મારી પૂજા કરી. મેં પણ વંદન કરીને તેમનું કુશળ પૂછયું, અને કહ્યું, “આ કયે પ્રદેશ છે?” એટલે હાસ્ય કરીને તેઓ બોલ્યા, “ખરેખર આ૫ ગગનચારી લાગે છે, જેથી આ પ્રદેશને જાણતા નથી. હે સૌમ્ય! આ મેદાવરી નદી છે, અને વેતા જનપદ છે. તમે અહીં આગમન કર્યું તેથી અમારા ઉપર અનુગ્રહ થયે છે, માટે હવે તમને શેવાળ, કુમળાં અંકુરો અને એની મેળે પડેલાં પુષ્પ-ફળોને આહાર કરનારા ઋષિઓ બતાવીએ.” મેં પણ મધ્યમ વયમાં રહેલા, સૂક્ષમ અને ઘવલ વસ્ત્ર ધારણ કરેલા અને હૃદયમાં રહેલી કેઈક વસ્તુ આંગળીઓ વડે વિચારતા (આંગળીઓ ગણતા) એક માણસને જે. તે મને જોઈને સંભ્રમપૂર્વક ઊડ્યો અને પ્રણામ કરીને મને અવેલેકતો તે મારી પાછળ પાછળ આવવા લાગ્યા. પછી હું કુસુમિત આમ્રવૃક્ષની છાયામાં બેઠો. તે મનુષ્ય હાથ જેડીને મને વીનવવા લાગ્યા, “સ્વામી ! શાસ્ત્ર પ્રમાણ વડે કરીને હું તમારી મહાનુભાવતા સૂચવું છું–કહું છું. કિરીટના સ્થાનરૂપ એવું તમારું મસ્તક છત્રાકાર છે, મુખ પૂર્ણચન્દ્રના બિંબની કાતિનું હરણ કરનારું છે, વેત કમળ જેવાં લોચન છે, સર્પની ફેણ જેવા બાહુઓ છે, ઉત્તમ નગરના કમાડ જેવું, લક્ષમીના નિવાસસ્થાનરૂપ વક્ષસ્થળ છે, વા જેવો મધ્યભાગ છે, કમલકેશ જેવી નાભિ છે, કટિ મૃગરાજને ઉપહાસ કરનારી છે, હાથીના બચ્ચાની મૃદુ સૂંઢ જેવા ઉરુ છે, કુરુવિન્દાવર્ત જેવી ગોળ ઘાઓ છે, અને ચરણયુગલ ઉત્તમ લક્ષણેનું સ્થાન છે, સકલ મહીમંડલનું પાલન કરવાને ગ્ય એવા ઉત્તમ પુરુષોની બુદ્ધિઓ પણ ઉત્તમ જ હોય છે. હું કહું છું કે-ઉપદેશરૂપી હાથને આધાર આપીને ભવસમુદ્રમાં ડૂબતા એવા માટે આપ ઉદ્ધાર કરો.” ઋષિઓએ પણ કહ્યું, “સૌમ્ય! પિતનપુરના અધિપતિને આ સુચિત્ર નામે અમાત્ય Page #517 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૨ ] વસુદેવ–દ્ધિ...ડી : : પ્રથમ ખંડ : ધાર્મિક, પ્રજાહિત કરનાર અને સ્વામીભક્ત છે; તેના ઉપર કૃપા કરે. ” મેં કહ્યું, “ કારણુ સાંભળીને કહીશ કે મારી બુદ્ધિનું આ કાર્ય છે કે નથી ( અર્થાત્ મારી બુદ્ધિ અહીં ઉપયાગની થઈ પડે છે કે નહીં.)” એટલે અમાત્ય પ્રણામ કરીને કહેવા લાગ્યા, “સાંભળેા– ** 57 શ્વેતા જનપદના અધિપતિ વિજય રાજાની સાથે જ ઊછરેલા હું તેનેા સચિવ છું. એક વાર એક મહાધનિક સાવાહ પાતનપુરમાં આવ્યા હતા; તેને બે ભાયોએ હતી, પણ પુત્ર એક હતા. કેટલાક સમય પછી તે સાર્થવાહ મરણુ પામ્યા, તેની પત્નીએ વચ્ચે ધનને માટે કલહ થયા ( બન્ને કહેવા લાગી ) કે, “હું પુત્રની માતા છું, માટે મારા અધિકાર છે; તારા અધિકાર શાના ? ” આ પ્રમાણે વિવાદ કરતી તે બન્ને જણીએ રાજદરબારમાં આવી. મને રાજાએ આજ્ઞા આપી કે, “આ કાર્યમાં કેમ હૅકીકત છે તેની તપાસ કરો. ” પછી મેં વેપારીઓ સમક્ષ તે સ્ત્રીઓને પૂછ્યું, “ તમને પુત્રના જન્મ થયા તે કાઇ જાણે છે ? ” તેઓ ખાલી, “ કાઇ જાણતું નથી. ” છેકરા પણ ખેલ્યા, “ મારે તેા બન્ને સરખા સ્નેહવાળી છે; મારી જનેતા કેણુ છે તે હું જાણતા નથી. ” એ સમયે મૂંઝાઈને, • વિચાર કરીશ ’ એમ કહીને તે બન્ને જણીઓને 'મે' રજા આપી. કેટલાક સમય પછી તેઓ ફરી પાછી આવી, એટલે કાધે ભરાયેલેા રાજા મને કહેવા લાગ્યા, “તેં સામાના સમૂહમાં મને હલકા પાડ્યો છે. એવા મંત્રી ડાય ખરા, જે ઘણે કાળે પણ વ્યવહાર-ઝગડાના નિણૅય લાવવાને અસમર્થ હાય ? તે હવે આ કાર્યના નિર્ણય કર્યા સિવાય મારી સામે દેખાઇશ નહીં. ” પછી ‘ રાજાએ કેપ અને પ્રસન્નતામાં અનુક્રમે યમ અને કુબેરના જેવા હાય છે ’એમ વિચારીને ડરેલેા હું ગુસ પણે આશ્રમમાં વસ્યું–અહીં આવ્યેા. મારે માટે જે કરવા લાયક હાય તે કહેા. ” 66 મેં તેને કહ્યું, “ વિષાદના ત્યાગ કરો; આ કાર્યને જોઈને તેના નિ ય લાવવાને આપણે શક્તિમાન છીએ. ” એટલે સ ંતુષ્ટ થયેલા તે મેલ્યા. “ સ્વામી! જો એમ ડાય તા નગરમાં જઇએ. ” મેં પણ તે સ્વીકાર્યું. પછી પેાતાના પરિવાર વડે વીંટાયેલા અમાત્ય આવ્યો. અમે ગેાદાવરી નદી ઊતર્યાં. ત્યાં સ્નાન કરીને તથા આહ્નિક-દિનકૃત્ય કરીને શીઘ્રપણે ચાલતા અવેા ઉપર બેસીને અમે પાતનપુરમાં આવ્યા. નગરમાં પ્રવેશ કરતા એવા મને વિસ્મિત અને પ્રશંસા કરતા લેકે જોતા હતા કે, શું આ દેવ અથવા વિદ્યાધર નગરમાં પ્રવેશ્યા છે? ” આ પ્રમાણે ખેલતા લાકા વડે હૃષ્ટિએ દ્વારા અનુસરાતા હું રાજભવન જેવા અમાત્યના ભવનમાં પ્રવેશ્યા. મારી અપૂજા કર્યા બાદ મને આદરપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું. જમ્યા પછી મારેા બાકીનેા દિવસ સુખપૂર્વક વીતી ગયા. ', રાત વીતી ગઈ અને પ્રભાત થયુ, એટલે અમાત્ય મને વીનવવા લાગ્યા, “ સ્વામી! હવે તે સાÖવાહનું કુલ જીએ. ” મેં કહ્યું, “ભલે” પછી હું પણ માહ્યોપસ્થાન-બહારના દીવાનખાનામાં આા. ત્યાં વેપારીએ અને સાથે વાઢુ-પત્નીએ અગાઉથી આવ્યાં હતાં. Page #518 -------------------------------------------------------------------------- ________________ ભદ્રમિત્રા-સત્યરક્ષિતાલ ભક [ ૪૬૩ ] ,, તેઓએ મને પ્રણામ કર્યાં. વ્યવહારના નિર્ણય કરવાને માટે તે સ્ત્રીઓને મેં અવલેાકી. પછી મેં કરવત મંગાવી. પશુ માણુસેને મેં ગુપ્ત રીતે કહ્યુ, “ ાકરાને પીડા ન થાય તેમ કરજો, પણ તીવ્ર ભય તા દર્શાવો. ” તેએએ “ભલે” એમ કહીને એ વચન સ્વીકાર્યું". મહામૂલ્યવાન આસન ઉપર બેઠેલા મેં તે સાર્થવાહપત્નીઓને કહ્યું, “ વિવાદથી ખસ કરી, તમને બન્ને જણીઓને ધન સરખા ભાગે વહેંચી આપવામાં આવશે; છેાકરાના પણ બે ભાગ કરી. ” તેમાંથી એક સ્ત્રીએ ‘ એમ થાએ ' કહીને તે વચન સ્વીકાર્યું; પણ મૂઢ અનેલી ખીજી સ્ત્રી કંઇ પણુ મેલી નહીં. પછી કરવતિયાઓએ ખાળકની ઉપર યંત્ર વડે સૂત્રપાત કર્યા-ઢોરીનુ નિશાન કર્યુ, અને તેના માથા ઉપર કરવત મૂકી. મેં કરવતિયાઓને કહ્યું, “સૂત્રને ભેદ્યા વગર-સૂત્રની હદ લેાખ્યા વગર બાળકને ચીરી નાખેા. ” એટલે મરણના ભયથી વ્યાકુલ થયેલા તે બાળક વિલાપ કરવા લાગ્યા. તેને એ અવસ્થામાં જોઇને ધનલાભથી હર્ષ પામેલી અને પરપુત્રના વધથી જેને દુઃખ નથી એવી એક સ્ત્રીનુ' વદન સૂર્યંનાં તેજ વડે ખીલેલા કમળની જેમ વિકાસ પામ્યું. પુત્રના દુ:ખથી જેનુ હૃદય કંપ્યુ' છે એવી તથા અશ્વપૂર્ણ મુખવાળી ત્રીજી સ્રીએ ગદ્ગદ્ ક કહ્યું, “સ્વામી ! સાંભળેા, એ મારા પુત્ર નથી, પેલીના જ પુત્ર છે; એના વિનાશ ન થાઓ.” એટલે મે' અમાત્ય સહિત સભાસદોને કહ્યું, “અરે! તમે જોયુ...? આમાંથી એક સ્ત્રીએ ધન ઇચ્છયું, પણ બાળકની પરવા કરી નહીં; ખીજીએ ધનના ત્યાગ કર્યા, પણ બાળકની-માળકના જીવનની ઇચ્છા કરી; માટે જે બાળક પ્રત્યે અનુકપા રાખે છે તે જ તેની માતા છે, એમાં સદૈહ નથી. જે દયાહીન છે તે માતા નથી. '’ એ પ્રમાણે મે' કહ્યું, એટલે સર્વે એ મને મસ્તકથી પ્રણામ કર્યા કે, “ અહા ! આશ્ચય ની વાત છે. દેવ ! આપના સિવાય આ કાર્ય ના નિણૅય કહેવાને બીજો કેાણુ સમ છે ? ” પછી અમાત્યે બાળકની માતાને કહ્યું, “ તુ ધનની સ્વામિની છે, આ પાપિણીને તારી ઇચ્છાનુસાર અન્ન આપજે.” એમ કહીને તેને રજા આપી. પેાતનપુરના અધિપતિ, પુરેાહિત અને અમાત્યેાની સાથે, દેવતાની જેમ, મારી સેવા કરવા લાગ્યા. કનકના દડાથી ખેલતી એ કન્યાઓને એક વાર અમાત્યના ભવનમાં મે' જોઇ. એક દાસીને મે' પૂછ્યું, “ આ કેાની કન્યાએ છે ? ” એટલે તેણે કહ્યુ, “ સાંભળેા દેવ !— ભદ્રમિત્રા-સત્યરક્ષિતાનું પાણિગ્રહણ આમાંથી જે કન્યા પ્રિયંગુની તાજી ઊગેલી મજરી જેવી શ્યામ, ઘાટીલા, સુકુમાર અને પ્રશસ્ત ચરણવાળી, સરખાં, ઉત્તમ અને ( સ્નાયુઓમાં ) ઢંકાયેલ મસ્તક, ઢીંચણુ અને જઘાવાળી, પરસ્પર અંતર વગરનાં અને સાથે રહેતાં ઉરુવાળી, વિચ્છિન્ન-કૃશ કટિવાળી, ગંભીર નાભિકેાશવાળી, ત્રિવલિ વડે વિભક્ત સુન્દર મધ્યભાગવાળી, કામળ અને મૃદુ ૧, મૂળમાં વજીવ શબ્દ છે; તેનેા આ અ ક્લ્પનાથી કર્યા છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૪] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? બાહલતાવાળી, પ્રસન્ન મુખવાળી, બિંબ જેવા હેઠવાળી, સ્નિગ્ધ અને ધવલ દાંતવાળી, વિશાળ અને ધવલ આંખવાળી, સરખા કાનવાળી, સૂક્ષમ અને કાળા વાળવાળી, સ્વભાવથી મધુર વાણવાળી તથા સંગીતવિદ્યામાં જેણે પરિશ્રમ કર્યો છે એવી-નિપુણ છે તે અમારા સ્વામીની ભદ્રાદેવીથી થયેલી ભદ્દમિત્રા નામે પુત્રી છે. પણ જે આ કન્યા કર્ણિકારની કેસરાઓ જેવી પિીત કાન્તિવાળી, સુવર્ણકુંડલના છેડા વડે ઘસાતા કપિલવાળી, ખીલેલા કમળ જેવા કમળ મુખવાળી, નીલ કમલ જેવાં નયનવાળી, રક્ત કમળ જેવા રાતા અધરવાળી, કુમુદની કળીઓ જેવા દાંતવાળી, કુસુમની માળા જેવા બાહુયુગલવાળી, કમલ-મુકુલની ઉપમા આપી શકાય એવા સ્તનવાળી, કૃશાદરી, સુવર્ણની કટિમેખલા વડે અલંકૃત વિશાળ નિતંબવાળી, કદલીતંભ જેવા ઉરુયુગલવાળી, કુરુવિન્દાવર્ત જેવી ગેળ જઘાવાળી, કનકના કાચબાની ઉપમા આપી શકાય એવા ચરણવાળી અને નૃત્યમાં નિપુણ છે તે સૌમ્ય પુરોહિતની કુંદલતા ક્ષત્રિયાણીથી થયેલી સત્યરક્ષિતા નામે પુત્રી છે. સાથે ઊછરેલી, સમાન વયવાળી, એકબીજાના પિતાના ઘરમાં અવિભક્તિપૂર્વક–ભેદભાવ વગર માન પામતી અને યુવાવસ્થામાં આવેલી આ કન્યાઓ થોડા સમયમાં જ તમારી સેવા કરનારીઓ થશે. સ્વામિનીએ વાત કરતી હતી ત્યારે આ પ્રમાણે મેં સાંભળ્યું હતું. ” આમ કહીને પ્રણામ કરીને દાસી ગઈ. પછી શુભ દિવસે અમાત્ય અને પુરોહિત સહિત રાજાએ ભારે સમૃદ્ધિપૂર્વક મને તે કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. ત્રણે જણે-રાજા, પુરોહિત અને અમાત્યે અમને પ્રતિદાન આપ્યું. મનને અનુકૂળ એવા વિષયે પગની સંપદાથી હાથણીઓની સાથે રહેલા ઉત્તમ હાથીની જેમ તે ભદ્રમિત્રા અને સત્યરક્ષિતાની સાથે રમણ કરતા એવા મારા દિવસો મુહૂર્તની જેમ વીતી ગયા. જેમને વિશ્વાસ, પ્રણય અને અનુરાગ ઉત્પન્ન થયે છે એવી પ્રિયાએ કથાન્તરમાં મને પૂછયું, એટલે મેં તેમને મારા વડીલેને પરિચય આપ્યો તથા સંગીત અને નૃત્યની બાબતમાં વિશેષ પણ કહ્યા. ત્યાં રહેલા એવા મારો સમય આ રીતે સુખપૂર્વક વીતતો હતે. (૨૪) પદ્માવતી લૅભક કેલ્લયર નગરનું દર્શન કરવાને ઉત્સુક એ હું તે બન્ને જણીઓને ખબર આપ્યા સિવાય એક વાર એકલે નીક, અને ગાથી ભરપૂર જનપદે જેતે નૈઋત્ય માર્ગે ચાલ્યો. જનપદના મનુષ્ય મને શયન, આસન, ભેજન અને વસ્ત્ર વડે નિમંત્રણ–આવકાર આપતા હતા. સુખપૂર્વક મુકામ અને શિરામણ કરતે હું સૌમનસ નામે વનદેવતાના આયતનમાં અન્નપાણીનું દાન જ્યાં આપવામાં આવતું હતું એવા તથા પ્રપા(પરબ)મંડપવડે જ્યાં દિશાઓ અલંકૃત છે એવા, વાદળાંઓના વેગને અવરોધ કરનારા ઊંચા પ્રાસાદની Page #520 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી સંભક [ ૪૬૫ ] પંક્તિ વડે સંકીર્ણ તથા રજતગિરિ-વૈતાઢ્ય જેવા કિલ્લા વડે રક્ષાયેલા કોલ્લયરનગરમાં પહોંચે. વિશ્રામ લેવાની ઈચ્છાવાળા મેં એક અશોકવનમાં પ્રવેશ કર્યો, ત્યાં પુષ્પયુક્ત કુમ, ગુલમ અને અનેક લતાઓનાં ફૂલ ચૂંટવામાં રોકાયેલા માળીઓએ મને જે. શંકા પામીને એકબીજાને મને બતાવતા તેઓ મારી પાસે આવીને વીનવવા લાગ્યા, “આજ્ઞા કરે; દેવ! શું કાર્ય કરીએ?” મેં કહ્યું, “અમે અહીં વિસામો લઈશું; અમે પરદેશથી આવેલા છીએ.” પછી રાજી થયેલા તેઓ મને પોતાના ઘરમાં લઈ ગયા. ત્યાં મધ્યભાગમાં મને આસન આપ્યું અને નિરાંતે હું બેઠો, એટલે મને આદરપૂર્વક સ્નાન કરાવ્યું. તેઓએ સંપૂર્ણ ભેજન પણ આપ્યું. ભેજન કરીને હું બેઠો. યૌવનમાં નહીં આવેલી એક કુમારિકા ત્યાં કુસુમ અને ગંધના કાર્યમાં રોકાયેલા માણસને પ્રેરતી હતી કે, “હું કુમારી પાસે જાઉં ત્યાં સુધીમાં પુષ્પો જલદી તૈયાર કરો.” મેં તે કન્યાને પૂછયું, “કેણ કુમારી? કેવી છે? અને કોની છે?” તે બોલી, “દેવ! રાજા પદ્યરથની અગ્રમહિષીની એ પુત્રી છે. ચતુર ચિત્રકારોએ ચીતરેલી ભગવતી લક્ષમીની જેમ લોકોનાં નયનને મનોહર લાગતી તે કન્યાનું યુવતીની કલાઓના વિષયમાં કૌશલ્યને આ પ્રમાણે વર્ણવતા આચાર્યોને મેં સાંભળ્યા છે કે-રાજકન્યા પદ્માવતી નિઃસંશય મૂર્તિમતી સરસ્વતી અથવા મેધા હશે.” પછી મેં તે કન્યાને સૂચના કરી, “વિવિધ વર્ણ અને ગંધવાળાં પુ લાવ, એટલે તારે માટે (રાજકન્યાને આપવાની) ભેટ તૈયાર કરું.” હર્ષ પામેલી એવી તે પુ લાવી. તે પુ વડે મેં શ્રી-લક્ષમીને ગ્ય હેય એવી શ્રીદામ-પુષ્પમાળા તૈયાર કરી. તે લઈને તે કન્યા ગઈ, અને પછી આવીને મને પગે પડીને કહેવા લાગી, “દેવ! તમારી કૃપાથી મેં રાજકુમારીને સત્કાર કર્યો. ” મેં કહ્યું, “કેવી રીતે ?” એટલે તે બોલી, “સાંભળે મને પ્રવેશ આપવામાં આવ્યું, એટલે હું પોતે રાજભવનમાં ગઈ. રાજકુમારીને મેં માળાની ભેટ ધરી. માળા ઊંચી કરીને જેતી, અને પરિતોષથી વિકાસ પામતાં નયનયુગલવાળી તે કંઈક વિચારીને મને પૂછવા લાગી, “બાલિકે ! આ નિપુણતા તને કેણે શીખવી?” મેં તેને વિનંતી કરી, “ સ્વામિનિ ! અમારે ઘેર આજે ક્યાંકથી એક અતિથિ આવ્યા છે, તેમણે આદરપૂર્વક આ માળા બનાવી છે. ” એટલે તે ફરીવાર અખ્ખલિત અક્ષરે બોલી, “તમારા એ અતિથિ કેવા છે? અને કયી વયમાં રહેલા છે?” મેં કહ્યું, “અહીં નગરમાં અથવા રાજાની સભામાં એવા પુરુષને મેં પૂર્વે કદિ જે નથી. હું તર્ક કરું છું કે તે દેવ અથવા વિદ્યાધર હશે. તેઓ નવયૌવનમાં રહેલા છે.” પ્રીતિ વડે રોમાંચિત થયેલા શરીરવાળી તેણે મને બે વસ્ત્રો અને બે કડાં આપીને વિદાય આપી અને કહ્યું કે, “બાલિકે! તમારા અતિથિ અહીં સ્થિરતા કરે-વિશેષ વસવાટ કરે તેમ હું કરીશ.” પછી હું અહીં આવી. ૫૪ Page #521 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૬ ] વસુદેવહિંડી : : પ્રથમ ખંડ : દિવસ પૂરા થયા, એટલે રાજા પદ્મરથના ખાડું સમાન અમાત્ય થાડા પરિવાર–સેવકા સાથે રથ લઈને આવ્યે. મને તે બહુમાનપૂર્વક પેાતાને ઘેર લઇ ગયા. અર્ધ્ય થી મારા સત્કાર કરવામાં આવ્યેા, એટલે હું ઘરમાં પ્રવેત્સ્યા. ત્યાં વિનયવાળાં પરિજનાને મે' જોયાં, જેનેા સત્કાર કરવામાં આવ્યેા છે એવા તથા મહામૂલ્યવાન શયનમાં રહેલા મારી રાત્રી વીતી ગઈ. બીજે દિવસે સુખાસનમાં રહેલા મને અમાત્ય પ્રણામ કરીને પૂછવા લાગ્યા, “ સ્વામી ! હરિવંશની ઉત્પત્તિ મને કહેા; હિર કાણુ હતા? અથવા (તેના વંશના) રાજાએ કેવા હતા?” એટલે પૂર્વે સાધુએની પાસે ધારણ કરેલું હરિવ ંશનું કથાનક મે તેને કહ્યુ, “સાંભળા, શાસ્ત્રને અનુસા૨ે તમને કહીશ. ” પછી આન ંદિત મનવાળા તેને હું કહેવા લાગ્યા— હરિવંશની ઉત્પત્તિ ,, "" વત્સા નામે જનપદ છે. ત્યાં કૌશાંખી નામે નગરી છે. પ્રણામ કરતા જા જેની સન્મુખ ઊભા રહેતા હતા એવા સન્મુખ નામે રાજા ત્યાં હતા. વીરક નામે વણકરની ભાર્યાં વનમાલા અત્યંત રૂપાળી હાવાથી તે રાજાએ ગુપ્ત રીતે તેનું હરણ કર્યું. વનમાલાથી વિચાગ પામેલા, વિલાપ કરતા અને ભ્રાન્તચિત્ત એવા વીરક ખાલતપસ્વી–તાપસ થયેા. વનમાલા પણુ, વનમાલાની જેમ, એ રાજાની માનીતી હતી, એક વાર વનમાલાની સાથે ગેાખમાં બેઠેલા સન્મુખ રાજાએ અવસ્થાન્તરમાં-દયાજનક અવસ્થામાં રહેલા વીરકને જોઇને વિચાર્યું, “ અહા ! મેં અકાર્ય કર્યું...! આ બિચારા મારા દેાષને લીધે જ દુ:ખ પામ્યા છે. ” વનમાલાએ પણ એ વસ્તુ તે જ રીતે સ્વીકારી. પછી જેમને સવેગ ઉત્પન્ન થયા છે એવાં તથા મહાભદ્રં-ભદ્ર પ્રકૃતિથી જેમણે મનુષ્યનુ આયુષ્ય માંધ્યું છે એવાં તે એ ઉપર વીજળી પડી. તેઓ હિરવર્ષમાં મિથુન તરીકે ઉત્પન્ન થયાં. વીરક પણ કાળધર્મ પામીને સૌધર્મ કલ્પમાં ત્રણ પત્યેાપમની સ્થિતિવાળા અને દિવ્ય ભાગેામાં પ્રસક્ત એવા ફિલ્મિષિક દેવ થયા. મિથુનનું પૂર્ણાંકોટિ આયુષ્ય જ્યારે ખાકી રહ્યું ત્યારે વીરક દેવે તેમની સાથેનુ પેાતાનુ વેર સંભારીને તે આયુષ્ય એક લાખ વર્ષ. બનાવીને—રાજધાની ચંપામાં ઇક્ષ્વાકુકુળના ચદ્રકીર્તિ રાજા અપુત્ર મરણ પામ્યા હતા અને નાગરિકા રાજાની આકાંક્ષા કરતા હતા ત્યાં આ મિથુન ભલે નરકગામી થાય ’ એમ વિચારીને હિરવર્ષમાંથી તેને ઉપાડી લાવ્યેા. ચિત્રસ નામનાં ( હરિવનાં ) વૃક્ષાને ત્યાં લાવીને વીરકે કહ્યું, “આ વૃક્ષેાનાં માંસના રસ વડે ભાવિત એવાં ફળ આ મિથુનને આપજો, ” દિવ્ય પ્રભાવ વડે તેણે તેની-મિથુનની સેા ધનુષ્યની ઊંચાઇ કરી. તે હિર નામે રાજા હતા, તેની હિરણી દેવી હતી; તેમને પૃથ્વીપતિ નામે પુત્ર હતા. તેના મહાકગિર, તેનેા હિમગિરિ, પછી વરિ, પછી નરગિર અને ઇન્દ્રગિરિ ૧. આ વસ્તુ સામાન્યતઃ ન બને, નિકાચિત આયુષ્યમાં ફેરફાર ન થાય, છતાં પૂર્વ કાર્ટિનુ આયુષ્ય ફેરવીને વીરક દેવે પેલા મિથુનનુ એક લાખ વર્ષોંનું આયુષ્ય બનાવ્યુ તેને એક આશ્ચર્ય' લેખવામાં આવે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી સંભક [૪૬૭ ]. થયા. એ અનુક્રમે શેષ કમથી માધવ (હરિ) તથા ઈન્દ્રગિરિના તે વંશમાં અસંખ્યય રાજાઓ થઈ ગયા. ઈન્દ્રગિરિને પુત્ર દક્ષ નામે રાજા “પ્રજાપતિ” કહેવાતો હતો. તેની ઈલા દેવી હતી, તેનો ઈલ નામે પુત્ર હતો. પુત્ર નિમિત્તે રાજાની સાથે રૂઠેલી તે ઈલા પુત્રને લઈને પોતાના પરિવાર સહિત તેની પાસેથી ચાલી ગઈ હતી. ઈલાએ તામ્રલિપ્ત દેશમાં ઈલાવર્ધન નગર વસાવ્યું. ઈલ કુમારે માહેશ્વરી નગરી વસાવી. ઇલનો પુત્ર પુલિન નામે હતે. લંગડી મૃગલીને વાઘની સામે ઊભેલી જોઈને, “આ ક્ષેત્રનો પ્રભાવ છે” એમ વિચારીને તેણે ત્યાં કુંડિની નગરી વસાવી. તે વંશમાં ઈન્દ્રપુરને અધિપતિ વરિમ નામે રાજા હતા, તેણે સંયતી અને વનવાસી એ બે નગરી વસાવી. તેના વંશમાં કેલ્લયર નગરમાં કુણિમ રાજા થયો. તેના વંશમાં મહેન્દ્રદત્ત થયો. તેના પુત્રો રિષ્ટનેમિ અને મત્સ્ય હતા, તેમના આધિપત્યમાં ગજપુર-હસ્તિનાપુર અને ભધિલપુર હતાં, તથા તેમને સો પુત્ર હતા. તેના વંશમાં અયધનુ રાજા થયે, તેણે શોધ્યા નગર વસાવ્યું. તેના વંશમાં મૂલ રાજા થયે, વંધ્ય તેને પુરોહિત હતો. તેના વંશમાં વિશાલ રાજા થયે, તેણે મિથિલા નગરી વસાવી. તેના કુળમાં હરિસેન, તેના કુળમાં નભસેન, તેના કુળમાં શંખ, પછી ભદ્ર, તથા તેના વંશમાં અભિચંદ્ર થયો. પછી ઉપરિચર-જેના પગ પૃથ્વીને અડતા નહતા એવો વસુ રાજા થયે, “બકરીથી ઉત્પન્ન થયેલા અજ અથવા છગલ (બકરા) વડે યજ્ઞ કરે” એ સંબંધમાં શક્તિમતીમાં નગરી પર્વત અને નારદ વચ્ચે થયેલા વિવાદમાં પશુધના સમર્થનમાં ખોટું વચન કહેવારૂપી સાક્ષીકાર્ય તેણે કર્યું હોવાથી દેવતા વડે પછાડાયેલે તે નરકગતિમાં ગયે. જેમને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો એવા તેના છ પુત્રને અધિષિત દેવતાએ નાશ કર્યો. બાકી રહેલા સુવસુ અને પૃથધ્વજ નાસી ગયા. તેમને સુવસુ મથુરામાં રહ્યો. પૃથધ્વજ રાજાના વંશમાં સુબાહુ, તેનો દીર્ઘબાહુ, પછી વાબાહ, પછી અર્ધબાહ, પછી ભાનુ, તેના વંશમાં સુભાનુ, અને પછી યદુ થયા. યદુના વંશમાં શૌરિ અને વીર થયા. શૌરિએ શૌરિપુર વસાવ્યું, અને વીરે સૌવીર વસાવ્યું. સૌવીર રાજાના અંધકવૃષ્ણિ અને ભેજવૃષ્ણિ બે પુત્રો હતા. અંધકવૃષ્ણિના સમુદ્રવિજય આદિ દસ પુત્ર-સમુદ્રવિજય, અક્ષભ, સ્વિમિતિ, સાગર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ છે, અને કુન્તી અને માદ્રી એ બે પુત્રીઓ છે. ભેજવૃષ્ણિને પુત્ર ઉગ્રસેન છે. આ મુખ્ય રાજાઓનું નામ સંકીર્તન મેં કર્યું છે.” પદ્માવતીનું પાણિગ્રહણ આ સાંભળીને અમાત્ય અત્યંત હર્ષ પામ્યા. વંદન કરીને તેણે કહ્યું, “સ્વામી ! તમારે (જવાને માટે) ઉત્સુક ન થવું, અમે લાંબા સમય સુધી સેવા કરવાની ઈચ્છાવાળા છીએ.” આ પ્રમાણે ત્યાં મારા કેટલાક દિવસો વીતી ગયા. પવરથ રાજાએ શુભ દિવસે મને તેડાવીને, જાણે બીજી પધલતા હોય તેવી, પદ્માવતી કન્યા મને આપી. વિધિપૂર્વક Page #523 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] વસુદેવ—હિ ડી : : પ્રથમ ખંડ : પાણિગ્રહણુ થયુ. પરિતાષથી પ્રફુલ્લિત થયેલ હૃદયવાળા શ્વસુર જેના પાિગ-સુખસગવડ સબંધી ચિન્તા કરતા હતા એવા તથા મનને અનુકૂળ ભાષણ કરનાર પિરજન વડે સેવાતા એવા હુ, સહસ્રનયન ઇન્દ્ર જેમ શચીની સાથે રમણ કરે તેમ, તે પદ્માવતીની સાથે પ્રસન્ન થઈને રમણ કરતા હતા. એક વાર મે' દેવી પદ્માવતીને પૂછ્યું, “ દેવિ ! જેનુ કુલ અને શીલ જાણવામાં આવ્યું નથી એવા મને રાજાએ તારું કન્યાદાન શી રીતે કર્યું? એટલે હસીને તે કહેવા લાગી— 66 ** આ પુત્ર! મના ગંધરિદ્ધિથી સમૃદ્ધ અને વનના એકાન્ત પ્રદેશમાં રહેલ કુસુમિત ચન્દનવૃક્ષ વિષે ભ્રમરાને શું કહેવું પડે છે ? કારણે સાંભળેા–વિશ્વાસપાત્ર જ્ઞાનવાળા, તથા જેના આદેશ સિદ્ધ થાય છે એવા નૈમિત્તિકને રાજાએ એક વાર સત્કાર કરીને પૂછ્યું હતું કે, “ ભગવત ! પદ્માવતી કન્યાને ચેાગ્ય વર મળશે? આ સંબંધમાં જે વસ્તુ હાય તે મને યથાવત્ કહેા. ” જેણે નિમિત્ત જાણ્યું છે એવા તે કહેવા લાગ્યા, “ રાજા ! આ સંબંધમાં નિશ્ચિન્ત થા; પ્રણામ કરતા હજારા રાજાએ વડે જેનાં ચરણકમળ પૂજાયેલાં છે એવા પૃથ્વીપતિને તારી પુત્રી પદ્માવતી પતિ તરીકે મેળવશે. ” પિતાએ તેને પૂછ્યું, “ તે કયાં છે ? અને તેને કેવી રીતે જાણવા ? ” એટલે નૈમિત્તિક ખેલ્યા, “ તે ઘેાડા સમયમાં જ અહીં આવશે, પદ્માવતીને માટે શ્રીદામ મેાકલશે, અને રિવંશની યથાર્થ ઉત્પત્તિ કહેશે. ” આમ કહીને તે ગયા. પછી તે આદેશ પ્રમાણુ કરીને પિતાએ મને કહ્યું, “ બેટા ! જે પુરુષ તારે માટે શ્રીદામ મેાકલે તેના વિષે અમાત્યને સૂચના કરજે. આ રીતે અમે તમને જાણ્યા હતા. "" .. આ પ્રમાણે તે પ્રિયવાદિની પદ્માવતીનાં હાસ્ય, વચન, ગીત, ગતિ, સ્થિત ( ઊભાં રહેવુ તે ) અને નયનકટાક્ષમાં રાચતા એવા હું એક વાર સ્નાન કરવાને માટે તેની સાથે બહેાળા પાણીવાળા સરેાવરમાં ઊતર્યાં. તેમાં જળચર પક્ષીઓની આકૃતિવાળાં, ઉપરથી કૂદકા મારવાનાં સ્થાનેા બનાવેલાં હતાં. પછી હુ ક્રીડા કરતા લાકડાના એક કલહુંસ ઉપર બેઠા, એટલે તે હહંસ દૂર ઊડ્યો. મેં વિચાર્યું, “ આ રૂપ ધારણ કરીને કાઇ મારું હરણ કરી જાય છે. ” ક્રોધ પામીને હુંસ ઉપર મેં ઘા કર્યા; એટલે તે હેગ થઇ ગયા. હું પણું તે સરાવરના જળમાં પડ્યો. આ પછી ત્યાં વિષયસુખના સાગરમાં રહેલા અને પદ્માવતીની સાથે રમણ કરતા એવા મારા સમય સુખપૂર્વક વીતવા લાગ્યું. (૨૫) પદ્મશ્રી લલક મદનથી માહિત થયેલા મનવાળા અને પ્રમદવનના મધ્યમાં રહેલા હું પુષ્કરણીની પાસે કદલીલતાઓનાં બનેલાં મેાહનગૃહામાં ક્રીડાપૂર્વક નિરીક્ષણ કરતી દેવી પદ્માવતીને Page #524 -------------------------------------------------------------------------- ________________ પદ્મશ્રી લંક [ ૪૬૯ ] અનુસરત ફરતા હતા ત્યારે વાવની પાસે આવેલી તેણે “આર્ય પુત્ર! આપણે સ્નાન કરીએ” એમ કહીને મને ઉપાડ્યો. મેં વિચાર્યું, “નકકી, એને વિદ્યાપ્રભાવ હશે, જેથી તેણે પ્રયત્નપૂર્વક મને ઉપાડ્યો. પછી તેણે મને પાણીમાં દાખલ કર્યો. એ પાણીને વિસ્તાર કેટલો છે તે મારા સમજવામાં આવતું નહોતું. પણ જ્યારે તે મને દૂર સુધી લઈ ગઈ ત્યારે મને સમજ આવી કે, “આ પદ્માવતી નથી; તેનું રૂપ ધારણ કરીને કોઈ મને છેતરવાની ઈચ્છા કરે છે, ભલે તેની સાથે હું નાશ પામીશ, પણ તેની ઈચ્છા પૂરી નહીં થાય.” પછી મેં તેના ઉપર ઘા કર્યો, એટલે તે હેફગ થયો, અને નાસી ગયે. હું વનલતા ઉપર પડ્યો. નીચે ઊતર્યા પછી વિચાર કરતાં મારા મનમાં એમ નિશ્ચય થયો કે, “નકકી, તેણે પદ્માવતીનું હરણ કર્યું હશે. અથવા મારાથી વિગ પામેલી તે પ્રાણનો ત્યાગ કરશે.” એ પ્રમાણે સંક૯પે કરતો અને જેને ચિત્તવિસ્મૃતિ થઈ છે એવો હું પ્રલાપ કરવા લાગ્યો, “ચક્રવાક ! તારી સહચરી જેવી દેવીને તેં જોઈ હશે ! હંસ! તારી ગતિનું અનુકરણ કરતી મારી પ્રિયાના સમાચાર કહે ! મૃગ ! તારા જેવી આંખવાળી મારી પ્રિયા કઈ ગતિને પામી છે તેની ખબર આપ!” આ પ્રમાણે જેને જેને જેતે હતે તેને તેને હું પૂછતો હતો. વધારે શું કહેવું? “પદ્માવતી અહીં છે,” એમ માનતે હું તેને જોવાને) વૃક્ષો અને પત્થરો-ખડકો ઉપર ચઢતા હતા. [ પથર અને ડુંગર એ શબ્દો એકાર્થક છે. વૃક્ષ ઉપર ચઢીને તેને જોઉં છું. ]ર ફરી પાછું ભાન આવતાં હું નીચે ઊતરતે હતો. વનવાસી મનુષ્યએ મને આ પ્રમાણે પ્રલાપ કરતે જે હતો-“પદ્માવતિ! પદ્માનને ! પદ્મ જેવા સુગંધી વદનવાળી! કમળના ગર્ભ જેવા વર્ણવાળી! મને બોલાવ! મને બોલાવ! શા માટે મને ઉત્તર આપતી નથી?” આ પ્રમાણે વચન સાંભળતા તેઓ મને ઘણુ વાર સુધી અવલોકીને ચાલ્યા ગયા. થોડી વાર પછી આવીને, અને પગે પડીને તેઓ કહેવા લાગ્યા, “આ, તમને અમે દેવી પદ્માવતી બતાવીએ.” તે વચન અમૃતની જેમ મારા મનમાં ઠર્યું. પછી મોટા નિવેશવાળી અને દુર્જનના હૃદયની જેમ (બહારથી જાણી શકાય નહીં એવી પલ્લીમાં હું ગયો. ત્યાં પલ્લીના સ્વામીની સૂચનાથી (મારું સ્વાગત કરવા માટે) ઘણું માણસો નીકળ્યા. તેઓએ સેંકડે કૌતુકપૂર્વક અને સ્નાન કરાવ્યું. ત્યાં પ્રવેશ કરતા મને જોઈને લોકે એકબીજાને કહેવા લાગ્યા, “અમેઘપ્રહારી રાજાની જાણ બહાર આ અટવીમાં પ્રવેશેલે આ શું કોઈ દેવ, વિદ્યાધર કે ગર્વ છે?” પછી હું રાજભવનમાં પહોંચે. વયેવૃદ્ધ સ્ત્રીઓએ થોડેક દૂર ઊભેલી એક કન્યા મને બતાવીને કહ્યું, “આ પદ્માવતી દેવી છે, તેની પાસે જાઓ.” તેને જોઈને “આ દેવી છે” એ પ્રમાણે વિચાર કરતાં, શરદકાળના જળની જેમ, મારું ચિત્ત પ્રસન્ન થયું, બુદ્ધિ સ્વાભાવિક થઈ અને તેને હું અવલોકવા લાગ્યા. ૧. વિકમેવશયમાંને ઉર્વશીથી વિગ પામેલા પુરુરવાને પ્રલાપ આ સાથે સરખાવો. ૨. કોઈ હાથપ્રતના હાંસિયામાંનું આ ટિપ્પણું મૂળ ગ્રન્થમાં પેસી ગયું જણાય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? એટલે મને માલૂમ પડ્યું કે, “આ પાવતીના જેવી છે, પણ તે પોતે નથી.” પછી પરિજન સહિત મારું અભિનંદન કરતા પલ્લી પતિએ મને તેનું પાણિગ્રહણ કરાવ્યું, એટલે ભ્રમરી જેમ પુષ્પયુક્ત ચંપકવૃક્ષનું સેવન કરે તેમ, તે મારી સેવા કરવા લાગી. ઘણુ સનેહપૂર્વક મેં તેને પૂછ્યું, “પ્રિયે! ઉન્મત્ત થયેલા અને જેનું કુલ અને શીલ જાણવામાં આવ્યું નથી એવા મને તારું દાન કેમ અપાયું?” એટલે તે બેલી, “સાંભળે, આર્યપુત્ર!– અમોઘવહારીને પૂર્વવૃત્તાન્ત (શત્રુઓ વડે) પરાજિત થયેલા મારા પિતામહ અમેઘપ્રહારો આ દુર્ગને આશ્રય કરીને સામંત રાજાઓને સતાવે છે. મારા રૂ૫ વિષે સાંભળતા તે રાજાઓ અનેક પ્રકારે મારું માથું કરે છે, પણ “રખેને હું આક્રમણને પાત્ર થાઉં” એમ વિચારીને મારા પિતામહ તેમાંથી કેઈને મારું કન્યાદાન આપતા નથી. એક વાર કેલ્લયર નગર ગયેલા અમારા માણસેએ તમને પૂર્વે જોયેલા હોવાથી, અટવીમાં તમને ઓળખ્યા. તેમણે રાજાને નિવેદન કર્યું કે, “સ્વામી! પદ્માવતીથી વિયોગ પામીને વિલાપ કરતા પવરથ રાજાના જમાઈને અમે વનમાં જોયા છે. ” તે સાંભળીને તુષ્ટ થયેલા અને અહે! કાર્ય થઈ ગયું !” એમ બોલતા તેમણે મારી માતા શ્રીની સાથે વાતચીત કરીને તુરત તમને અહીં તેડાવી લીધા. આ સમાચાર જાણીને સખીઓએ મને પરિહાસપૂર્વક કહ્યું, “પદ્મશ્રી ! તારું યૌવન સફળ થયું છે, તારા ઉપર દેવ પ્રસન્ન થયા છે, શાથી જે પદ્મરથ રાજાની પુત્રી પદ્માવતીને પ્રિયતમ તારો પતિ થશે. ” (તમને મારું કન્યાદાન આપવાનું) આ કારણ છે.” આ પ્રમાણે ત્યાં મારો સમય વીતતે હતો. પદ્મશ્રીએ મને પૂછ્યું, એટલે મારે વંશ પણ મેં તેને કહ્યો. મારા વંશ વિષે સાંભળીને વસન્તકાળની આમ્રલતાની જેમ તે અધિકતર શોભાને પામી. પછી તે ગર્ભવતી થઈ, અને કાળે કરીને તેણે કુમારને જન્મ આપે. “તમારા શત્રુઓને આ જીર્ણ કરશે” એમ કહીને તેનું જ એવું નામ પાડવામાં આવ્યું. (૨૬) લલિતશ્રી લંભક પદ્મશ્રીને અને પુણ્યના ઉત્સંગમાં જેનું માથું છે એવા પુત્રને છોડીને એક વાર અટવીમાંથી હું એકલે નીકળ્યો. અનુક્રમે હું કાંચનપુર નગરમાં પહોંચ્યા. ત્યાં એક ઉપવનમાં આસન બાંધીને બેઠેલા, નાસિકાના અગ્રભાગ ઉપર જેણે દષ્ટિ સ્થિર કરી છે એવા, Page #526 -------------------------------------------------------------------------- ________________ લક્ષિતશ્રી લલક [ ૪૭૧ ] તથા સહેજ ખુદ્દા વદનવાળા પરિવ્રાજકને મે જોયા. પછી ઘણીવારે તેણે મારા ઉપર નજર માંડી. ‘ આ દીક્ષિત અને વૃદ્ધ છે' એમ માનીને મેં પણ તેને વંદન કર્યા. તેણે મધુર વાણીથી મને કહ્યું, “ ભલે આવ્યા ! અહીં વિશ્રામ કરો. ” 66 પ્રકૃતિ-પુરુષના વિચાર ** બેસીને મેં તેને પૂછ્યું, “ભગવન્ ! તમે શેનુ ચિન્તન કરતા હતા ?” તે એલ્યે, “ ભદ્રમુખ ! હું' પ્રકૃતિ-પુરુષનુ ચિન્તન કરતા હતા. ” મેં કહ્યું, “તમારું પ્રકૃતિ-પુરુષનું ચિન્તન કેવુ છે ? ” એટલે તે કહેવા લાગ્યા, “ પુરુષ ચેતન, નિત્ય, અક્રિય, ભ્રાહ્તા અને નિર્ગુણુ છે. તેને પણ શરીરને આશ્રીને બંધ થાય છે અને જ્ઞાનથી મેાક્ષ થાય છે. પ્રકૃતિ સત્વાદિષ્ણુયુક્ત, અચેતન, સક્રિય અને પુરુષને ઉપકાર કરનારી છે. ’’ મેં કહ્યું, “ ભઈત! આ પ્રકારનું ચિન્તન કેાણ કરે છે ? ” તે મેલ્યા, “ પ્રકૃતિના વિકારરૂપે બનેલુ મન. ” મેં કહ્યું, “ તમને જો વાંધા ન હાય તા, આ સંબ ંધમાં વિચાર કરવા યેાગ્ય છે. સાંભળે!–અચેતન એવા મનને પુરુષ અથવા પ્રકૃતિને આશ્રીને ચિન્તન સંભવી શકે નહીં. પુરુષમાં રહેલી ચેતના વિસ્મરણશીલ નથી, તેથી તે મનને ભાવિત કરવા-જ્ઞાનમય કરવા અસમર્થ છે, જો ચેતના મનને ભાવિત કરનારી અને તેા મન પુરુષ થાય; પણ એમ થતું નથી. અનાદિ કાળથી બનેલા અને અપરિણામી-નિત્ય એવા પુરુષને જો (આ પ્રકારનું) ચિન્તન ઉત્પન્ન થાય, તેા પૂર્વ ભાવના પરિત્યાગથી અને ઉત્તરભાવ-પછીના ભાવના સ્વીકારથી ભાષાન્તરને પ્રાપ્ત થયેલા તે (પુરુષ-આત્મા ) અનિત્યતાને પામે. જો એમ થાય તેા તેથી ( તમારા ) સિદ્ધાન્તને વિરોધ થાય છે. મનના ચિન્તનને આશ્રીને જે રીતે વિચાર કર્યો તેજ વસ્તુ અહીં પ્રકૃતિના સંબ ́ધમાં સમજવી; (કારણ કે તમારા મત મુજબ, મન પ્રકૃતિના જ વિકાર છે). અચેતન એવા ઘટાદિનું પુરુષ કે પ્રકૃતિ સંબંધમાં અથવા બન્નેના સંબંધમાં ચિન્તન ઘટી શકે નહીં એ વસ્તુ જોવામાં આવેલી છે-સિદ્ધ છે. ” એટલે પરિત્રાજક કહેવા લાગ્યા, “ પ્રકૃતિ-પુરુષના સર્ચંગ થતાં આ સર્વ ચૈાગ્ય થશે; પ્રકૃતિ અને પુરુષ એ બન્ને એકલાં હાય તેા તેમના નિયત પરિણામ--નિયત સ્વભાવ આ વસ્તુ માટે અસમર્થ રહેશે. પુરુષ ( સચેતન છે), પ્રકૃતિ અચેતન છે; સારથિ અને અશ્વના સામર્થ્ય વડે રથની ગતિની જેમ, એ બન્નેના સ ંચાગથી ચિન્તન ઉત્પન્ન થશે. ” મેં કહ્યું, “ જે પરિણામી બ્યા હાય છે તેમાં જ આ વિશેષ સભવે છે, જેમકે-મેળવણુ અને દૂધના સંચાગથી દહીંના પિરણામ થાય છે. રથની ક્રિયા-ગતિના હેતુરૂપ જે સારથિ અને અશ્વ તમે કહ્યા તેઓ ચેતના વડે પ્રેરાયેલા પ્રયત્નને પ્રાપ્ત થાય છે ( તેથી રથ ચાલે છે—એમાં આત્મા વિષે શું થાય છે ? ). ” પરિવ્રાજકે કહ્યુ, “ અંધ અને પશુના સંચાગ વડે ઇચ્છિત સ્થાન પ્રત્યેના ગમનની જેમ, ધ્યાન કરતા પુરુષને ચિન્તન ઉત્પન્ન ૧. કારણ પરિત્રાજકના મત મુજબ મન એ પ્રકૃતિના વિકાર છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : થશે. ’મેં કહ્યું, “ અંધ અને પશુ અને સક્રિય અને સચેતન છે. ( જ્યારે આપણા ચર્ચાવિષયમાં પુરુષ સચેતન અને પ્રકૃતિ અચેતન છે. ) પરિસ્પ-ચેષ્ટા જેનુ લક્ષણ છે એવી ક્રિયા છે, તેનાથી ખેાધ જેનું લક્ષણ છે એવુ જ્ઞાન થાય છે. શ્રોત્રન્દ્રિયમાં પરિણત થયેલા-જેની શ્રવણશક્તિ અત્યંત તીવ્ર છે એવા અંધ શબ્દ વડે વસ્તુ જાણે છે. એ સંબંધમાં દેવદત્ત ( અંધ ) અને યજ્ઞદત્ત( પંગુ )નું ઉદાહરણ છે. હૃષ્ટાન્તથી વિશેષ બતાવું છું કે-વિશુદ્ધ અને જ્ઞાની એવા પુરુષને વિપરીત પ્રત્યય-વિપરીત જ્ઞાન સંભવતુ નથી. ( અથવા ખીજો અ-આ હૃષ્ટાન્ત વડે અનેક સામાન્ય જ્ઞાના જેમાં અંતર્ગત છે એવું વિશેષ જ્ઞાન વિશુદ્ધ જ્ઞાની એવા પુરુષને થવાના સ ંભવ નથી ). પ્રકૃતિના નિશ્ચેતનપણાને લીધે માત્ર એકલુ જ્ઞાન કાર્ય સાધક થતું નથી; જેમકે—વિકારના જ્ઞાનમાત્રથી રાગના નાશ થતા નથી, પણ સૂચના અનુસાર અનુષ્ઠાનથી ( ઓષધા અને પથ્યાદિ વડે ) થાય છે. સાચે જ, આત્મા એ જ્ઞાનસ્વભાવ છે, પાતે જ કરેલાં જ્ઞાનાવરણીય કર્મને વશ વતા એવા તેને વિપરીત પ્રત્યય-વિપરીત જ્ઞાન કે સંશય થાય છે; જેમ પાતે જ કરેલા ત ંતુએથી વીંટાયેલા કેશેટાના કીડાની ગતિનેા રેધ થાય છે તેમ. તે જ આત્માને જ્ઞાનાવરણીયના ક્ષયેાપશમથી દેશજ્ઞતા-મત્યાદિ જ્ઞાન થાય છે; જ્ઞાનાવરણીયના ક્ષયથી સર્વજ્ઞતા થાય છે અને તે સિદ્ધ કહેવાય છે; કરહિત એવા તેને વિપરીત પ્રત્યય થતા નથી. એકદેશને જાણનારા કરતાં સર્વજ્ઞના વિશેષ છે, તેથી પૂર્વગતિ ઉપલબ્ધ થાય છે; જેવી રીતે લાખ, કપાત ( અથવા લાખનાં ખનાવેલાં કપાત ) આદિ બ્યામાં ઊંચાઇ અને ઘેરાવા એ સામાન્ય ધર્મ છે, તથા કૃષ્કૃત્વ, સ્થિરત્વ, ચિત્રલ૧ ( રંગ આદિ ) વિશેષષમાં છે; તે બાબતમાં આંખે ઓછું દેખાતું હાય ( અથવા પ્રકાશ મન્દ હાય ) તા જ સંશય અથવા વિપરીત પ્રત્યય થાય, તે વસ્તુઓ અત્યત પાક્ષ-દૂર અથવા પ્રત્યક્ષ હાય તા ન થાય; માટે તમારા આ મેાક્ષના ઉપદેશ શુદ્ધ નથી. રાગદ્વેષથી અભિભૂત થયેલા અને વિષયસુખની અભિલાષા રાખતા જીવ, દીવા જેમ તૈલાદિનું ગ્રહણ કરે છે તેમ, કર્મોને ગ્રહણ કરે છે, કર્મથી સંસાર ઉત્પન્ન થાય છે; વૈરાગ્યના માર્ગો ઉપર રહેલા, હળુકમી, જ્ઞાની, સંયમથી જેણે આત્સવને રોકયેા છે એવા તથા તપ વડે ઘાતી અને અઘાતી કર્મોને જેણે ખપાવ્યાં છે એવા જીવને નિર્વાણની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે સંક્ષેપ-સાર છે. ” આ પ્રકારનાં વચને વડે સંતુષ્ટ થયેલા તે પરિવ્રાજકે મને કહ્યું, “ આપણે મઠમાં જઇએ, ત્યાં વિશ્રામ કરજો. ” લેાકેા તેને માટે લેાજન લાવ્યા. મને શાસ્રોના વિપુલ જ્ઞાનવાળા જાણીને તે પરિવ્રાજક જમ્યા પછી મને હપૂર્વક કહેવા લાગ્યા— ભદ્રસુખ! સર્વેના અને વિશેષે કરીને ગુણવાનાના હું સુમિત્ર છું ( અર્થાત્ મારું નામ સુમિત્ર છે ). ભિક્ષુકધર્મ થી વિરુદ્ધ એવું હું તમને કહું છું—કન્યાલક્ષણમાં જેની ૧. મૂળમાં પતિવ્રુઘ્નોદ્ધા છે, તેના અર્થ પૂરતા સ્પષ્ટ થતા નથી. 66 Page #528 -------------------------------------------------------------------------- ________________ - - લલિતશ્રી લંક | [ ૭૩ ] પ્રશંસા કરેલી છે એવાં ઘાટીલાં અંગવાળી, મૃદુ, પરિમિત અને મધુર વચન વડે શ્રવણ અને મનનું હરણ કરનારી, લલિત ગતિ વડે હંસોનું અનુસરણ કરનારી અને કુલવધૂના વેશનું અનુવર્તન કરનારી ગણિકાપુત્રી લલિતશ્રી પૃથ્વી પતિની ભાર્યા થવાને ગ્ય છે, એમ શાસ્ત્રકારે કહે છે. તે પુરુષષિણી છે, અને જાણે ચિત્રકર્મમાં આલેખેલી હોય એવી (સુન્દર) તે મારી પાસે વારંવાર આવે છે. મેં તેને પૂછયું હતું કે, “પુત્રિ! તું યોવનવતી અને કલાઓમાં નિપુણ છે, પણ પુરુષ પ્રત્યે તને છેષ કયા કારણથી છે?” લલિતશ્રીને પૂર્વભવ તેણે કહ્યું, “તાત! એનું કારણ છે, તે હું તમને કહું છું. આ પૂર્વે કેઈ યતિ અથવા ગુરુને-વડીલને મેં તે કહ્યું નથી. આ પહેલાંના ભાવમાં હું એક વનપ્રદેશમાં મૃગલી હતી. સોનેરી પીઠવાળા મૃગની હું વલભી હતી, અને તે પણ અનેક પ્રકારે મારા ચિત્તને અનુકૂળ વર્તન કરતો હતો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં પારધિઓએ મૃગોના યૂથ ઉપર હુમલો કર્યો, એટલે તે યૂથ ચારે બાજુએ નાસી ગયું. તે મૃગ પણ મારે ત્યાગ કરીને ત્વરાપૂર્વક નાસી ગયે. સગર્ભા અને પરાક્રમ વગરની એવી મને નિર્દય પારધિઓએ પકડી, અને ધનુષ્યથી (છડેલા બાણ વડે) તેઓએ મારે વધ કર્યો, એટલે હું અહીં જન્મી. બાલ્યાવસ્થામાં રાજાના આંગણામાં ક્રીડા કરતાં મને મૃગનું બચ્ચું નજરે પડવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું. એટલે મારા મનમાં નિશ્ચય થયે, “અહો ! બળવાન એવા પુરુષે કપટી અને અકૃતજ્ઞ હોય છે. પેલો મૃગ મને એવી રીતે ભેળવીને, એક પ્રદેશમાં મારો ત્યાગ કરીને ચાલે ગયે. આજથી મારે પુરુષને જોવાનું પણ કામ નથી.” હે તાત! આ કારણથી હું પુરુષ પ્રત્યે શ્રેષવાળી છું.” મેં (પરિવ્રાજકે) તેને કહ્યું, “આ નિશ્ચય તારે માટે યોગ્ય છે.” હવે, એ કન્યા તમારી (વસુદેવની) શુશ્રષા કરવાને યોગ્ય છે, માટે તે સુખી થાય એવા ઉપાયનું ચિન્તન કરે.” મેં વિચાર કરીને પરિવ્રાજકને કહ્યું, “ભલે એમ થાઓ; કઈ વસ્ત્ર તૈયાર કરે; લલિતશ્રીના ચિત્તનું આકર્ષણ કરવા માટે, અને એમ કરવામાં તમારું પ્રિય થાય છે એમ ધારીને એ વસ્ત્ર ઉપર અભિપ્રેત વસ્તુનું આલેખન કરીશ.” તે બોલ્યો, “અગાઉથી સજજ કરેલી વિવિધ રંગની પીંછીઓ તૈયાર છે.” પછી મેં (પરિવ્રાજક પાસેથી) સાંભળેલું મૃગચરિત તેના ઉપર આલેખ્યું. યૂથ નાસી ગયું તે વખતે ચારે બાજુ દષ્ટિ કરીને તે મૃગીને નહીં તે, અને તેથી ઉદાસ થઈને આંસુ સારતે તથા દાવાનળની જવાળાએમાં પિતાની જાતને ફેંકી દેતો કનકની પીઠવાળો મૃગ મેં દર્શાવ્ય-ચીતર્યો. જેમાં દાવાનળરૂપી વિનાશને વૃત્તાન્ત ચીતરે છે એવું તથા ચક્ષુરમણીય એવું તે હરિનું Page #529 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૪ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : ચરિત જેતે હું બેઠો હતે. એવામાં ગણિકાની દાસી સુમિત્રની પાસે આવી અને તે ચિત્રકામને જોઈને ચાલી ગઈ. થોડીવાર પછી મારી પાસે આવીને તે કહેવા લાગી, “આર્ય! તમને વાંધો ન હોય તે આ ચિત્રપટ થોડીક વાર માટે આપો. અમારી સ્વામિની તે જેવાને ઇચ્છે છે.” મેં તેને કહ્યું, “બાલિકે ! આ સ્વચરિત મેં મારા વિદ–આશ્વાસનને માટે ચીતર્યું છે, આ પ્રકારે તેં વિનયપૂર્વક યાચના કર્યા પછી હું તને તે કેમ નહીં આપું? પણ તે પાછું લાવજે.” “ભલે” એમ કહીને, ચિત્ર લઈને તે ગઈ અને બીજે દિવસે આવીને કહેવા લાગી— આય! સુમિત્રશ્રીની પુત્રી, અમારી સ્વામિની લલિતશ્રીને મેં કહ્યું હતું, “આ પટ જુઓ.” ચિત્રપટ હું તેની પાસે લઈ ગઈ, અને તેને તે વિષે કહ્યું, “સ્વામિનિ ! તે આર્યને તેમનું આ સ્વચરિત સહીસલામત પાછું આપવાનું છે.” પછી ધ્યાનથી નિશ્ચલ આંખવાળી તે પહોળા કરવામાં આવેલા પટને ઘણી વાર સુધી જોઈને અશ્રુજળ વડે ધેવાતાં કપલ અને પધારવાળી તથા અન્યમનસ્ક થઈ. મેં તેને વિનંતી કરી, “શા કારણે આ રુદન કરો છો? શા માટે અન્યમનસ્ક થાઓ છે? અથવા શું પરિજનો ઉપર તમારો અધિકાર નથી કે જેથી પોતાની જાતને પીડા આપ છો?” એટલે તેણે પોતાનાં આંસુ લૂક્યાં અને મને કહ્યું, “સખિ! સ્ત્રીજને છીછરા હૃદયવાળાં, કાર્યકાર્યની ગણના નહીં કરનારા અને અદીર્ધદશી હોય છે. પ્રિયજનના સંબંધમાં મેં કંઈક દુષ્ટ વસ્તુ વિચારેલી હતી, તેથી પિતાના એ અપાંડિત્ય-સૂર્ણપણાની નિન્દા કરતી એવી મને શોક થયે. માટે મને કહે-સજીવન હોય એવું આ મૃગયૂથ જેમણે આલેખેલું છે તે આર્ય કયી વયમાં રહેલા છે?” મેં કહ્યું, “યૌવનના ઉદયમાં રહેલા છે. એમના રૂપનું અનુસરણ કદાચ બીજે કામદેવ કરી શકે, એ હું તર્ક કરું છું.” પછી “ ગ્ય છે” એમ કહીને, હર્ષ પામેલી તેણે પોતાની માતાને વિનંતી કરી, “માતા ! તાત સુમિત્રના મઠમાં અતિથિ રહેલા છે; કાલ પ્રભાતે તેમની પૂજા કરજે.” હર્ષિત થયેલી માતાએ તે સ્વીકાર્યું કે, “પુત્રિ! તને જે રુચે તે થાઓ.” પછી આજે તેણે મને આજ્ઞા કરી છે કે, “તે આર્ય અતિથિને વિનંતી કરી કે અમારા ઘરમાં આસનપરિગ્રહ કરે.” (આ પ્રમાણે દાસીએ કહ્યું.)” મેં કહ્યું, “આ વિષયમાં ભદંતનું કથન પ્રમાણ છે.” એટલે તેણે સુમિત્રને પ્રણામ કરીને કહ્યું, “તાત ! પુત્રી લલિતશ્રી વિનંતી કરે છે કે-તમારા જે અતિથિ છે તેમને અમારે ઘેર પણ પ્રવેશ કરાવીને અમારો પરિચય કરાવે.” એટલે “કાર્ય થયું” બોલતે તથા જેણે બલિકર્મ કર્યું છે એવો સુમિત્ર મને ગણિકાને ઘેર લઈ ગયે. સુમિત્રે વર્ણન કર્યું હતું તેવી લલિતશ્રીને મેં જોઈ. અર્થથી મારી પૂજા કરવામાં આવી. કુતૂહલથી આકર્ષાયેલી ગણિકાઓ એકત્ર થઈ. લલિતશ્રીનું ચિત્ત જાણી લઈને હસતી એવી તેઓએ Page #530 -------------------------------------------------------------------------- ________________ હિણું લંભક [૪૭૫ ] મને શણગાર કર્યો. “કુળના ભાગને ઈચ્છનારને વિશિષ્ટતર રસની પ્રાપ્તિ થશે.” એમ બેલતી તેઓએ, સુમિત્રની સાથે વાત કરીને પછી, લલિતશ્રીની સાથે મને સ્નાન કરાવ્યું. જ્યાં મોતીની ઝાલરો લટકાવવામાં આવી હતી એવા, જેની ભૂમિ ઉપર સુગંધી પુષ્પ વેરેલાં હતાં એવા તથા નાસિકાને ગમે તેવા ૫ વડે સુવાસિત વાસગૃહમાં હું મંગલપૂર્વક પ્રવેશે. પછી મને આનંદ કરાવીને, જેને અભિપ્રાય સિદ્ધ થયે છે એ સુમિત્ર ભદંત ગયે. આનંદિત થઈને પાંચ પ્રકારનાં વિષયસુખેને અનુભવ કરતે હું પણ અયંત્રિતપણે વિહાર કરવા લાગ્યો. પ્રસંગ લાવીને કથાન્તરમાં મેં લલિતશ્રીને મારું એાળખાણ આપ્યું. આથી અધિક વિનયશીલ થઈને, સ્ના જેમ ચંદ્રનું અનુસરણ કરે તેમ, તે મને અનુકૂળ વર્તવા લાગી. આ પ્રમાણે બનાવટી મૃગની ભાવના વડે પ્રાપ્ત કરેલી તે લલિતશ્રી સાથે મારે સમય સુખપૂર્વક વિતતે હતો. (૨૭ રવિણ લંભક એક વાર લલિતશ્રીને કહ્યા સિવાય હું એકલે નીકળ્યો અને કુશળ જનો વડે વસાયેલા કેસલા જનપદમાં પ્રવે. અષ્ટ રહેલી દેવતા મને કહેવા લાગી, “પુત્ર વસુદેવ ! હિણી કન્યા મેં તને આપી છે; સ્વયંવરમાં તેને જોઈને પણવ (વાઘવિશેષ) વગાડજે.” તે વસ્તુ મેં સ્વીકારી. રેહિણને સ્વયંવર ભારતના પ્રધાન નરપતિઓના આવાસ વડે મંડિત એવા રિખપુરમાં પહે, વારિત્ર વગાડનારાઓની સાથે હું એક પ્રદેશમાં રહ્યો, અને મેં ઘેાષણ સાંભળી કે, “કાલે, રાત્રિ વીતીને પ્રભાત થશે ત્યારે, રુધિર રાજાની મિત્રદેવી રાણીથી થયેલી પુત્રી રોહિણકુમારીના સ્વયંવરમાં રાજાઓએ સજજ થઈને હાજર રહેવું.” રાત્રિ વીતી ગઈ અને સૂર્યનાં કિરણે વડે કમલવન વિકાસ પામવાને સમય થયો ત્યારે ઉત્તમ વસ્ત્રોની શોભા વડે અલંકૃત થયેલા રાજાઓ મંચ ઉપર આરૂઢ થયા. પછી હું પણ ૫ણવ વગાડનારાઓની સાથે પણ હાથમાં લઈને એક મંચ ઉપર આરૂઢ થયે. પછી કંચુકીઓ અને વૃદ્ધ વડે પરિવરાયેલી તથા સંપૂર્ણ ચંદ્રમંડલ જેવા આકારવાળા ઉપર ધરાતા છત્ર વડે કરીને, ઢોળાતા ધવલ ચામરયુગલવાળી જાણે બીજી રતિ હોય એવી રહિણું સ્વયંવરભૂમિમાં આવી પહોંચી. પુત્ર સહિત જરાસંધ, ૧. અર્થાત અમે ફળભાગ માગીએ તે અમને પણ વિશિષ્ટતર રસની સંપ્રાપ્તિ કેમ નહીં થાય ? એવો કંઇક વિનોદ-શૃંગારાત્મક અર્થ લાગે છે. લલિત પ્રીની સખીઓ આ પ્રમાણે વિદમાં કહીને પછી વરકન્યાને સ્નાન કરાવે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કંસ અને ધનપતિ, મારા વડીલો (મોટા ભાઈઓ), પાંડુ, દમશેષ, સગ, દ્રુપદ, શલ્ય, સોમક, સંજય, ચંદ્રાભ, શત્રુંજય, પું, કાલમુખ, કપિલ, પદ્યરથ, શ્રીદેવ આદિ ઉત્તમ કુલ, શીલ, જ્ઞાન અને રૂપ વડે સંપન્ન રાજાઓ લેખિકાએ રોહિણને બતાવ્યા. કમળ જેવાં નયનવાળી, પધરના ભાર વડે ખેદ પામતા અને કમળપત્રો જેવા કેમળ ચરણવાળી, રૂપતિશયમાં આસક્ત થયેલા રાજાઓની દષ્ટિમાળા વડે પરિગ્રહીત થયેલી, પણ તેમાં જેનાં ચક્ષુ આસકત થતાં નથી એવી, તથા જળભર્યા મેઘની ગર્જના વડે પરિતોષ પામેલી મયૂરીની જેમ, મારા વડે પણવના શબ્દથી બોધ પમાડાયેલી તથા આનંદથી વિકસિત થયેલી આંખવાળી તે રોહિણીએ, કુવલયશ્રી જેમ કમલવનને આશ્રય કરે તેમ, મારે આશ્રય કર્યો. મારો કંઠ તેણે પુષ્પમાળાથી બાંધે અને હૃદય રૂપના ઉત્કર્ષથી બાંધ્યું. મારા મસ્તક ઉપર અક્ષત નાખીને તે ઊભી રહી. આથી ક્ષોભ પામેલા રાજાઓ “કન્યા કોને વરી?” એ પ્રમાણે પૂછવા લાગ્યા. કેટલાક બોલવા લાગ્યા, “વાદ્ય વગાડનારાને વરી છે.” એ સમયે દંતવકત્રે રુધિર રાજાને કહ્યું, “રુધિર ! તારા કુલ ઉપર જે તારો અધિકાર નથી તે ઉત્તમ વંશમાં પેદા થયેલા આ વસુધાધિને શા માટે એકત્ર કર્યા છે?” રુધિરે ઉત્તર આપે, “જેને સ્વયંવર આપવામાં આવ્યું છે એવી કન્યા ઈચ્છિત ભરતારને વરે છે; એમાં અમારે શે દેષ? અને હવે, કુલીન પુરુષે પરસ્ત્રી સંબંધી શો વિચાર કરવાને હેય?” દંતવકત્રે કહ્યું, “તેં તારી પુત્રીને સ્વયંવર આપ્યો હતો, તે પણ મર્યાદાનું ઉલંઘન કરવું યોગ્ય નથી. આ વરને ત્યાગ કરીને ક્ષત્રિમાંથી એકને તે ભલે વરે.” આ પ્રમાણે બોલતા દંતવકત્રને મેં કહ્યું, “અરે દંતવકત્ર! સભામાં ભમીને તારા નામ જેવું જ વક્ર વચન તું શું છે ? ક્ષત્રિયોનાં કુલેમાં લેખન આદિ શિક્ષા–કલાઓને શું નિષેધ કરેલો છે, કે જેથી પણ હાથમાં લઈને ઊભેલા મને “અક્ષત્રિય” કહીને તું દૂષણ આપે છે?” એ સાંભળીને દમણે કહ્યું, “જેને વંશ જાણવામાં આવ્યો નથી તેને કન્યા આપવી એગ્ય નથી; આની પાસેથી લઈને, ક્ષત્રિયો જેને વિષે અનુમત હેય તેને એ કન્યા આપે.” વસુદેવ અને સમુદ્રવિજયનું મિલન એ સમયે વિદુરે કહ્યું, “એમ ન બોલ; એને વંશ પૂછવો જોઈએ.” મેં પણ કહ્યું, “વિવાદ કરતા આ લોકની વચ્ચે કુળની વાત કરવાને શું સમય છે? મારું બાહુબળ જ મારું કુળ કહેશે.” આ પ્રમાણે ગર્વયુક્ત વચન સાંભળીને જરાસંધ કહેવા લાગ્યા, રુધિર અને હિરણ્યનાભને પકડે, આનું શું કામ છે?” પછી રાજાઓ સંભ પામ્યા. ૧. સરખા પ્રાકૃત સાહિત્યમાં સ્થળે સ્થળે નજરે પડતા બોતેર કલાઓને રૂઢ નિર્દેશઃ દિશાવિચાળે સરળતનવાળું વાવરિજા. અર્થાત તેર ક્લાઓના પ્રારંભમાં લેખનક્તા છે. એમાં ગાયન અને વાદન પણ આવી જાય છે. એ કલાઓ શીખવાનું ક્ષત્રિય માટે અનુચિત નથી, એમ વસુદેવ કહે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ રોહિણી સંભક [ ૪૭૭ ] W પુત્ર સહિત રુધિર રાજા પણ મને અને રોહિણને લઈને રિઝપુરમાં પ્રવેશે, અને શાસજજ થઈને સૈન્ય સહિત તે તૈયાર થયે. અરિજયપુરના અધિપતિ વિદ્યાધરરાજા દધિમુખે મને તે સમયે દર્શન આપ્યું. જેણે પ્રણામ કર્યા છે એવા તેણે વિદ્યા વડે બનાવેલા રથ ઉપર હું બેઠો. તે મારો સારથિ થયે, અને અમે નગરમાંથી બહાર નીકળ્યા. પછી વિવિધ આયુધથી ભરેલા ઉત્તમ રથની ધજાઓને સમૂહ જેમાં છે એવું, મુખના પવનથી પૂરાતા શંખશબ્દથી કોલાહલમય, જેમનાં કુંભસ્થળ ઉપરથી મદજળ ઝરતું હતું એવા મત્ત હાથીઓના દંતશળના સામસામા સંઘર્ષણને લીધે શબ્દાયમાન, ત્વરા કરતા અશ્વોની આકરી ખરીઓના ઘાને લીધે ઊડતી પૃથ્વીની રજને લીધે જેમાં આંખને વિષયદર્શન રોકાઈ ગયેલ છે એવું તથા ક્રોધાવિષ્ટ થયેલા દ્ધાઓએ છોડેલા શરસમૂહને લીધે સૂર્યનાં કિરણ જેમાં ઢંકાઈ ગયાં છે એવું ક્ષત્રિયોના સૈન્ય અને નગરના સૈન્ય વચ્ચેનું યુદ્ધ થયું. હિરણ્યનાભ સહિત રુધિર રાજાનો ક્ષત્રિયોએ પરાજય કર્યો અને તે નાસી ગયે. દધિમુખની સાથે હું ઊભું રહ્યો, મને એવી રીતે ઊભો રહેલે જઈ રાજાઓ વિસ્મય પામ્યા કે, “અહો ! આ પુરુષ મહાસત્ત્વશાળી છે, કે જે એકલે અનેકની સામે ઊભે રહ્યો છે.” પછી પાંડુરાજાએ કહ્યું, “ક્ષત્રિયોનો એ ધર્મ નથી કે એકની સાથે ઘણું લેકે યુદ્ધ કરે.” પણ જરાસંધે સૂચના કરી, “ ઊભા રહે, એક એક જણ તેને યુદ્ધ આપે જે તેને જીતે તેની રોહિણી.” એ વચનને પ્રમાણુ કરતો શત્રુંજય નામને રાજા બાણની વૃષ્ટિ કરતો મારી પાસે આવી પહોંચે. તેના ધનુષમાંથી છૂટેલાં બાણે મેં શીવ્રતાપૂર્વક અર્ધચંદ્ર બાણથી છેદી નાખ્યાં. તે નાસી ગયે, એટલે પ્રતિકૂલ વચન બેલતે દંતવકત્ર આવ્યું. તેનું શિર ખુલ્લું કરીને (મુગટ ફેંકી દઈને), ધ્વજ અને તિસઢ ફેંકી દઈને મેં તેને રથ ભાંગી નાખે. પછી કાલમેઘની જેમ ગર્જના કરતે કાલમુખ આવ્યો, પણ તેને મેં પ્રભાવહીન બનાવી દીધો. તે સર્વને પરાજિત થયેલા જોઈને અધિરાજે (જરાસંધે) મારા મોટા ભાઈ સમુદ્રવિજયને આજ્ઞા કરી, “તમે એના ઉપર વિજય મેળવીને, ક્ષત્રિયાની અનુમતિથી, રહિણી કન્યાને મેળવે.” તેમણે પણ તે સ્વીકાર્યું. મારી સામે તેઓ બાણ છોડવા માંડ્યા. હું તેમને પ્રહાર કરતા નહોતે માત્ર તેમનાં શસ્ત્રો છેદી નાખતો હતો. તેમને ક્રોધે ભરાયેલા જોઈને, પહેલાંથી લખી રાખેલું, મારા નામથી અંક્તિ થયેલું બાણ તેમના ચરણમાં મેં નાખ્યું. તે વાંચીને, તેને અર્થ સમજીને, ભાથો છોડી દઈને શરદકાળના પલદ્રહની જેમ તેઓ શાન્ત થયા. પછી હું આયુધ લીધા વગર તેમની પાસે ગયો. મને આવતો જોઈને અશ્રુજળથી પૂર્ણ નયનવાળા તેઓ રથ ઉપરથી નીચે ઊતર્યા. તેમના ચરણમાં પડતા એવા મને તેઓએ આલિંગન આપ્યું. અમે બન્ને જણ રડ્યા. અમારા તે સમાગમ વિષે સાંભળતા ૧મૂળમાં તિસઢય શબ્દ છે; તે કોઈ શસ્ત્રવિશેષ હશે એવી કલ્પના થાય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અક્ષેાલ વગેરે મારા ખીજા ભાઇએ પણુ આવ્યા. કપિલ, અંશુમાન, પુંડૂક, પદ્મરથ, દમઘેષ આદિ ખાંધવા પણ જેને રાહિણી વરી તે ખરેખર આ વસુદેવ છે' એમ ખેલતા આવ્યા. જેમનાં મુખ પ્રશાન્ત થયાં છે એવા ક્ષત્રિયા પણ ‘આશ્ચર્ય છે!' એમ આલવા લાગ્યા. જેણે સાચી હકીકત જાણી છે એવા અને અત્યંત સતાષ પામતા રુધિરરાજા પુત્ર સહિત આવી પહાંચે. સર્વે પેાતાના આવાસે ગયા. રાજાએ કાસલાધિપતિ રુધિર રાજાને અભિનંદન આપ્યુ, “ તમે કૃતાર્થ થયા છે કે તમારી પુત્રી હરિવંશકુલરૂપી ગગનના ચંદ્ર વસુદેવના પત્નીત્વને પામી છે. "" પછી અમારા માટાભાઇ સમુદ્રવિજયે કંચુકીને આજ્ઞા કરી, ‘ જાએ, વધૂ માટે વો અને ભૂષણ, કુસુમ તથા સુગંધી પદાર્થો લઇ જાઓ. ' પછી કપિલ, કંસ આદિ અનેક જણે વિવિધ વસ્ત્ર અને મહામૂલ્યવાન આભરણા વડે આવાસ ભરી ઢીધા. કંચુકીએ આજ્ઞાના અમલ કર્યો. પછી શેાભીતા સ્વજન( સમુદ્રવિજય )ને હસ્તે ( ઇરાદાપૂર્વક ) પરાજિત થયેલા એવા મારું લગ્ન થયું. રુધિરે રાજાએને સત્કાર કર્યાં. મારા માટા ભાઈએ કુખ્ત, વામન, ચિલાત આદિ નાટકિયાએ સહિત તથા મણિ, કનક અને ચાંદીનાં વાસણા સાથે ખત્રીસ કોટિ ધન રાહિણીને આપ્યુ, પ્રશસ્ત લક્ષણવાળા ચાસઠ હસ્તી આપ્યા અને સેાનાના પલાણુથી મ'ડિત થયેલા આઠસે અવેા આપ્યા. વિવાહકૌતુકના દિવસેા વીતી ગયા, એટલે રાજાએ પેાતપેાતાના દેશમાં ગયા. "" એક વર્ષ વીતી ગયા પછી મારા વડીલેાએ રુધિર રાજાને કહ્યુ, “ અમે રાજકન્યાને તેડી જઈએ, લાંખા કાળ પછી પત્ની સહિત કુમારને સ્વજના ભલે મળે, ’ એટલે રુધિર વીનવવા લાગ્યા, “ દેવ ! એમ થશે; પણ કુમાર હજી કેટલાક સમય ભલે રહે અને અમારી પ્રીતિ અનુભવે. પ્રસ્થાનના સમયે જેમની આંખેા અશ્રુથી ભરાયેલી છે એવા વડીલેા મને કહેવા લાગ્યા, * કુમાર ! હવે તું પરિભ્રમણ બંધ કર, અમને મળ્યા પછી તું ચાલ્યા ન જઇશ. જે તારી વહુએ છે તે પણ શા માટે પીયરમાં રહે ? તું ઘેર ન આવીને અમને અનાથ બનાવે એ ધર્મ નથી. ” મેં સ્વીકાર્યું કે, “ તમે જેમ આજ્ઞા આપે છે! તે પ્રમાણે કરીશ. કૃત્રિમ મરણના નિમિત્તથી મેં તમને બન્યા તે મારા અપરાધની ક્ષમા કરો. ” તેઓ મેલ્યા, “ એમાં તારા અપરાધ નથી; હવે જો તું દન નહીં આપે તે અપરાધ થશે. ” કંસે પણ પ્રણામ કરીને કહ્યું, “ દેવ ! શૂરસેના દેશ ઉપર તમારા અધિકાર છે; હું તા તમારા અંગરક્ષક છું. આમ કહીને તેઓ ગયા. ભાર્યા સહિત હું રુધિર રાજાના ભવનમાં, રાહિણીની સાથે મારાં વડીલા સ`બધી વાત કરતા, સુખપૂર્વક વિદ્ધરતા હતા. મે તેને પૂછ્યું, “ દૈવિ ! ક્ષત્રિયસભાને ત્યાગ કરીને તું મને કેમ વરી ? ” તે એલી, “ આ પુત્ર! રાહિણી નામે વિદ્યાદેવતાની હું સદા પૂજા કરું છું. જેને સ્વયંવર આપવામાં આવ્યા છે. એવી મેં તેનું આરાધન કરીને કહ્યું, “ વિ! ,, ,, Page #534 -------------------------------------------------------------------------- ________________ દેવી લ‘ભક નવું હવે સાફ, ન ઝુહે–સીહા તમે( ૧ ) વસમિ | તે ઝુલતુ મે વસાય, ( તદ્દા ) નન્હા । જીજિજ્ઞામિ ॥ ( અર્થાત્ ચક્ષુ તે રૂપમાં આસક્ત થાય છે, કુલ-શીલને હું જોઇ શક્તી નથી; માટે એવી કૃપા કરા, જેથી હું છેતરાઉં નહીં. ) ” [ ૪૭૯ ] << દેવીએ મને આજ્ઞા કરી, પુત્રિ ! તુ દશમા દશાર વસુદેવની ભાર્યો થઈશ. પણવ વગાડતા એવા તેને તારે જાણવા. ” આ રીતે દેવીના આદેશથી મેં તમને એળખ્યા. ’ બલરામના જન્મ નવ માસ એક વાર ચાર મહાસ્વપ્ના જોઇને રાહિણી જાગી ઊઠી, અને તેનું ફળ મને પૂછવા લાગી. મેં તેને અભિન ંદન આપ્યુ કે, “ પ્રિયે ! તને પૃથ્વીપતિ પુત્ર થશે. વીત્યા પછી તેણે શંખ, મોગરાનાં પુષ્પ અને ચંદ્ર જેવા ધવલ તથા શ્રીવત્સથી અંકિત હાઇ જાણે ખીજો મૃગલાંછન ચંદ્ર હાય એવા પુત્રને જન્મ આપ્યા. પરિજનાની અનુમતિથી તેનું રામ એવું નામ પાડવામાં આવ્યું. તેને જોતા હુ આનંદ પામવા લાગ્યા. ( ૨૮ ) દેવકી લભક (?) કોઇ એક વાર સુખપૂર્વક સૂતેલા હું ‘ કુમાર ! જાગે !' એ પ્રમાણે મધુર શબ્દ સાંભળવાથી જાગ્યા અને મંગલ વચને સાંભળતા ઊઠ્યો, તે સમયે એક સામ્ય દેવતાને મેં જોઇ. તે મને આંગળીએથી ખેલાવવા લાગી. હું તેની પાસે ગયા. તે ખેલી, “હું બાલચન્દ્રાની આજી ધનવતી નામે છું. પુત્ર! વેગવતીને વિદ્યાએ સિદ્ધ થઇ છે. બાલચન્દ્રા પણ તને પ્રણામ કરીને વીનવે છે કે-દર્શન આપવા વડે કૃપા કરો. ’’ અભિજ્ઞાન-નિશાની પૂર્ણાંકનું તેનુ વચન સાંભળીને મેં તેને કહ્યું, “ મને ત્યાં લઇ જા તે પશુ, પતા અને નદીએ સહિત જનપદો જોતા એવા મને વૈતાઢ્ય ઉપર લઇ ગઇ અને ગગનન દન નગરમાં મારા પ્રવેશ કરાવ્યેા. ત્યાં મેં વેગવતીને જોઇ; તથા મારા આગમનથી . પરમ આનંદિત થયેલી, ખાલચન્દ્ર જેવા મનેાહર રૂપવાળી, બાલસૂર્ય વડે ખીલેલા કમળ જેવી કામળ, તથા શબ્દાયમાન એવી ટિમેખલા વડે વીંટાયેલા વિશાળ જઘનના ભાર વડે ખેદ પામતી લલિત ગતિવાળી ખાલચન્દ્રાને પણ જોઇ. તે બન્ને જણીઓએ મને પ્રણામ કર્યાં. વસુદેવનુ ગૃહાગમન ચન્દ્રાલ રાજાએ અને મેનકા દેવીએ વેગવતી અને ધનવતીની અનુમતિથી મને Page #535 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૦ ] વસુદેવ-હિં'ડી : : પ્રથમ ખંડ : ખાલચન્દ્રા આપી. શુભ મુહૂર્ત રાજવૈભવને છાજે એવા અમારા લગ્નમહાત્સવ થયા. ઘણા દિવસ વીત્યા પછી અમને બન્નીશ સુવર્ણ કાટિ ધન, કુશળ પરિચારિકા તથા પાત્ર, શયન, આસન અને આભૂષણના વૈભવ આપવામાં આવ્યેા. પછી વેગવતી અને ખાલચન્દ્રાને મેં કહ્યું, “ દેવીએ ! મને વડીલેાએ કહ્યું હતું કે-‘તું અમને મળ્યા પછી ચાલ્યા ન જઇશ, આપણે સાથે રહીશું. તું વિદ્યમાન હાય એટલે વહુઓ પણ પેાતાનાં પીયરમાં ન રહે. ' માટે તમને જો રુચતુ હાય તા શૌરિપુર જઇએ. ” એટલે મનમાં સંતાષ વ્યક્ત કરતી એવી તે બન્નેએ એકી સાથે મને વિનંતી કરી, “ આય પુત્ર ! તમારા જો આવા નિશ્ચય થયા છે, તેા જરૂર દેવાએ કૃપા કરી હશે. વધારે શું કહીએ? પણુ જો અમે પ્રત્યે તમારું બહુમાન હોય તે અહીં વિદ્યાધરલેાકમાં અમારી જે લિંગની ( સપત્નીએ ) તમારું સ્મરણ કરતી વસે છે તેએ અહીં રહેલા એવા તમને ભલે મળે, તેઓ આવી પહેાંચશે, એટલે વડીલેાની સમીપે જઇશું. ” મેં કહ્યું, “ ભલે. ” પછી મારા પાતાના હાથે લખેલા, અભિજ્ઞાન સહિત પત્રા મેં ધનવતીના હાથમાં આપ્યા. તે પત્રા લઈને તે ગઈ. પછી શુભ દિવસે મારા હૃદયને વશવી તથા પ્રફુલ્લિત હૃદયવાળી એવી શ્યામલી, નીલયશા, મદનવેગા અને પ્રભાવતી પેાતાના પરિવાર સહિત, સિતાએ જેમ મહેાષિ પાસે આવે તેમ, આવી. દેવીઓની સાથે રહેલેા જાણે દેવ હાઉં તેમ, રાજાએ મારી પૂજા કરી અને તેની સાથે હું રમણ કરવા લાગ્યું. પછી પ્રયાણુને દિવસ નક્કી કરવામાં આવ્યેા. વિષુવે લા વિમાનદ્વારા બાલચન્દ્રા અમને લઇ જવા લાગી. અમે શારિપુર નગર પહેાંચ્યાં. મારા જ્યેષ્ઠ સહેાદર અર્ધ્ય લઈને સામે આવ્યા. પત્ની સહિત મે તેમને પ્રણામ કર્યા. અગાઉથી સજ્જ કરેલું ભવન અમને આપવામાં આવ્યું. પરિવાર સહિત હું તેમાં પ્રવેશ્યા. પાછળ રહેલ પત્નીને પણ ગુરુજનાની અનુમતિથી તેડી લાવવામાં આવી, તે—શ્યામા, વિજયસેના, ગન્ધ દત્તા, સેામશ્રી, ધનશ્રી, કપિલા, પદ્મા, અશ્વસેના, પુંડ્રા, રક્તવતી, પ્રિયંગુસુન્દરી, સેામશ્રી, મધુમતી, પ્રિયદના, કેતુમતી, ભદ્રમિત્રા, સત્યરક્ષિતા, પદ્માવતી, પદ્મશ્રી, લલિતશ્રી મને હિણી. પાતપાતાના પરિવાર સહિત આ સ્રીએ અક્રૂર આદિ કુમારોની સાથે આવી. પછી ભાગીરથી (પ્રભાવતીની મેાટી મા ), હિરણ્યવતી (નીલયશાની માતા) અને ધનવતીને વિદાય આપવામાં આવી. મેં પણ આચાર જાણીને કુમારા અને પિરવાર સહિત રાણીના તથા કુટુંબીઓ અને સંબંધીઓના વસ્ત્રાભરણેાથી સત્કાર કર્યાં. અત્યંત પ્રીતિ અનુભવતા હું પણ ગાત્રની સાથે સુખપૂર્વક વિહરવા લાગ્યા. અનાથાને માટે મે શાલા-આશ્રયસ્થાન કરાવ્યું. ત્યાં મનેાહર અન્નપાણી આપવાના કામ માટે વૃત્તિ–પગાર બાંધીને માણસાને રાખ્યા. કસના પૂર્વ ભવ કંસે મંત્રીઓનું રંજન કરી, તેમના પ્રેમ મેળવી ઉગ્રસેનને કેદ કર્યાં હતા. પિતા Page #536 -------------------------------------------------------------------------- ________________ દેવકી લંભક [ ૪૮૧ ] પ્રત્યેના તેના પૂર્વભવના શ્રેષનું કારણ અતિશયજ્ઞાની સાધુએ મને કહ્યું હતું. તે કંસ પૂર્વભવમાં બાલતપસ્વી હતો. માસક્ષપણ કરતો કરતો તે મથુરાપુરીમાં આવ્યો. માસે માસે બહાર નીકળીને તે પારણું કરતો હતો. આ રીતે તે પ્રસિદ્ધ થયો. ઉગ્રસેને તેને નિમંત્રણ આપ્યું કે, “ભગવાને મારે ઘેર પારણું કરવું. ” પરંતુ પારણાને સમયે ચિત્ત બીજે રોકાયેલું હોવાથી ઉગ્રસેન તેને ભૂલી ગયે, પેલો તપસ્વી પણ અન્યત્ર જમે. એ જ પ્રમાણે બીજા અને ત્રીજા પારણા સમયે પણ થયું. આથી શ્રેષ પામેલો તે તાપસ “હું ઉગ્રસેનના વધને માટે જન્મ લઈશ” એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામી ઉગ્રસેનની ગૃહિણીના ઉદરમાં ઉત્પન્ન થયેલ. તેણુને ગભરના ત્રીજા મહિને રાજાના ઉદરનું બલિમાંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે. મંત્રીઓએ સરસ બલિમાંસની રચના માટે માંસનાજ રંગનું વસ્ત્ર તૈયાર કરીને, દેવીની નજર પડે તેમ ( રાજાના ઉદર ઉપર તે મૂકી) તેમાં માંસ કાપ્યું. પછી તે માંસ રાણીની પાસે લાવવામાં આવ્યું. તે ખાધા પછી જેને દેહદ પૂરે થયો છે એવી રાણીને અનુક્રમે ઉગ્રસેન (જીવતો) બતાવવામાં આવ્યો. (આ અમંગળ દેહદ થયેલ હોવાથી) “મારા ગર્ભમાં વધેલે આ પુત્ર નિ:સંશય કુળને વિનાશ કરનાર થશે” એમ વિચારીને રાણીએ તેને કાંસાની પેટીમાં સુવાડીને યમુનામાં વહેતો મૂકો. શરિપુરના રસ-વણિકે (તેલ વગેરે પ્રવાહી પદાર્થોને ધંધો કરનાર વાણિયાએ) તેને લીધે. મારી પાસે તે ઊછર્યો. મેં આ પ્રમાણે કારણ જાણીને, “ઉગ્રસેનને આ જન્મશત્રુ છે” એમ વિચારીને ઉગ્રસેનને છોડાવવા માટે પ્રયત્ન કર્યો નહીં. અનાવૃષ્ટિ આદિ મારા પુત્રને કલાઓ શીખવવા માટે કલાચાર્યને રાખવામાં આવ્યું. પછી કંસ પણ મને બહુમાનપૂર્વક મથુરા લઈ ગયે, મારો આદરસત્કાર કર્યો, અને વિશેષ કરીને મારા પ્રત્યે વિનીત થઈને રહેવા લાગ્યા. પરિજન સહિત એવા મારો સમય શૂરસેન દેશના વનખંડોમાં આ રીતે વીતવા લાગે. દેવકીનું પાણિગ્રહણ દેવક રાજાની પુત્રી દેવકીને વરવાને મૃત્તિકાવતી જવા માટે એક વાર કંસની અનુમતિથી અમે નીકળ્યા. માર્ગમાં નેમિનારદ મળ્યા, તેમને મેં પૂછયું, “આર્ય! દેવકી રાજકન્યાને તમે અવશ્ય પૂર્વે જોઈ હશે, માટે તેનાં વિનય, રૂપ અને જ્ઞાન વિષે કહો.” એટલે નારદે કહ્યું, “(દેવકીને) હું જાણું છું. હે સેમ્ય! સાંભળ–અંગબિન્દુ (શરીર ઉપરનાં ગેળ બિન્દુઓ) અને ઉત્તમ લક્ષણે વડે આકીર્ણ દેહવાળી, બાન્ધવજનોનાં નયનરૂપી ૧. રસ-વણિકે કંસને લાવીને વસુદેવને સોંપે હતે: આથી કંસ વસુદેવની પાસે ઊછર્યો હતો. જુઓ પૃ. ૧૫૧, Page #537 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૨ ]. વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : કુમુદે માટે ચંદ્રલેખા સમાન, લેખન આદિ કલાઓમાં યુવતિજનને કુશળતા જેણે મેળવી છે એવી, લક્ષણવતી, દુઃખપૂર્વક જેનું રૂપ અવલેકી શકાય એવી, પૃથ્વી પતિની ભાર્યા થવાને યોગ્ય, લોકે વડે વર્ણન કરવા લાયક તથા વિનીત એવી તે દેવકી રૂ૫ વડે કરીને દેવતાઓ સમાન છે.” મેં પણ નારદને કહ્યું, “આર્ય! જેવી રીતે તમે તેને વિષે મને કહ્યું તેવી રીતે મારે વિષે યથાર્થ હકીકત તેને કહે.” “ભલે ” એમ કહીને નારદ આકાશમાં ઊડ્યા. અમે સુખપૂર્વક મુકામ તથા શિરામણ કરતા મૃત્તિકાવતી નગરી પહેચ્યા. કંસે અનેક પ્રકારે દેવક રાજા પાસે કન્યાનું માથું કર્યું. પછી રાજાએ વિચાર કરીને શુભ દિવસે દેવકો કન્યા (મને) આપી. લગ્ન થઈ ગયા પછી રાજાને છાજતી રિદ્ધિથી કેટલાયે ભાર સુવર્ણ અને મણિઓ, મહામૂલ્યવાન શયન, આસન, વસ્ત્ર અને પાત્રોનો અનેક પ્રકારનો વૈભવ, અનેક દેશોમાં ઉત્પન્ન થયેલું વિપુલ સેવકનું વૃન્દ તથા જેમાં એક કરોડ ગાયે છે એવું તથા નંદગેપ જેને માલીક છે એવું ગોકુલ- આ સર્વ અમને આપવામાં આવ્યું. પછી સસરાની અનુમતિથી, દેવ સમાન રિદ્ધિ સાથે, હું મૃત્તિકાવતીની બહાર નીકળે. રાજઓ પાછા વળ્યા. હું અનુક્રમે મથુરા પહશે. આનંદ ચાલતો હતો ત્યારે એક વાર કંસ મારી પાસે આવીને પગે પડીને વીનવવા લાગે, “દેવ! જે હું યાચું તે મને આપો ” મેં કહ્યું, “આપીશું, જલદી કહે.” એટલે હર્ષિત મનવાળે તે હાથ જોડીને બોલ્યો, “દેવકીના સાત ગર્ભે મને આપજો ” મેં “ભલે ” એમ કહીને તે સ્વીકાર્યું. કંસ ગયો ત્યારપછી મેં સાંભળ્યું કે-“(દેવકીના લગ્ન સમયે) મદિરાથી મત્ત થયેલી કંસની પત્ની વયશાએ કુમારશ્રમણ અતિમુક્તકને, તેઓ પિતાના દિયર હેવાથી, લાંબા સમય સુધી હેરાન કર્યા હતા. આથી તે ભગવાને જીવ શાને શાપ આપ્યો હતો કે, “હે ઉત્સવમાં મત્ત થયેલી ! જેના પ્રસંગમાં–લગ્નમાં તું આનંદિત થઈને નાચે છે તેનો સાતમો પુત્ર તારા પિતા અને પતિનો વધ કરનાર થશે.” આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. ડરેલા એવા કંસે પણ સાત ગર્ભની માગણી કરી.” (મેં વિચાર્યું, ) “શુદ્ધ હૃદયવાળા એવા મેં જે સ્વીકાર્યું છે તેજ ભલે થાઓ.” આ પ્રમાણે સમય વીતતો હતો. ત્યાં દેવકીના છ પુત્રોને મારા વચનના દેષથી દુરાત્મા કંસે વધ કર્યો કોઈ એક વાર દેવકી સાત મહાનો જોઈને મને કહેવા લાગી, જેમકે-“મેં સાત સ્વપ્નો જોયાં છે.” મેં કહ્યું, “સુતનુ ! તે આ તારો સાતમે પુત્ર, અતિમુક્ત કુમારશ્રમણે નિર્દેશ કર્યો હતું તે પ્રમાણે, કંસ અને જરાસંધને ઘાત કરનાર થશે, માટે વિષાદને ત્યાગ કર. ચારણુશમણે સત્ય વચન વાળા હોય છે. ” આનંદિત થયેલી દેવકીએ “બરાબર ” એમ ૧. જેના રૂ૫નું અવલોકન કરવામાં પણ આંખે ઝંખવાઈ જાય એવી જાજવલ્યમાન. Page #538 -------------------------------------------------------------------------- ________________ દેવકી લ’ભક [ ૪૮૩ ] કહીને તે વચન સ્વીકાર્યું. કેટલાક દિવસે વીત્યા પછી ગર્ભ વૃદ્ધિ પામ્યા, એટલે દેવીએ દાસીએ મેાકલીને એકાન્તમાં મને વિનંતી કરી, “ આર્યપુત્ર! કૃપા કરી; દેવ! મારા સાતમા ગર્ભનું રક્ષણ કરા. છેવટે મારા એક પુત્ર તેા ભલે જીવે. એમાં ( પ્રતિજ્ઞાભંગનું ) જે પાપ થાય તે અમને થશે. ” મેં પણ તેઓની આગળ સ્વીકાર્યું કે, “ એમ કરીશ, નિશ્ચિંત થા, હમણાં ચૂપ રહે. ” પ્રસવકાળે ક ંસે મેકલેલા કંચુકીએ દિવ્ય પ્રભાવથી ગાઢ નિદ્રામાં પડ્યા. પછી કુમાર જન્મ્યા; જાતકર્મ કર્યાં પછી હું તેને બહાર લઇ ગયે. તે સમયે ચંદ્ર શ્રવણુ નક્ષત્રના ચેાગમાં રહેલા હતા, વરસાદ વરસતા હતા, દેવતા અષ્ટપણે ( અમારી ઉપ૨ ) છત્ર ધરતી હતી, ( અમારી ) બન્ને ખાજુએ દીપિકાએ રહેલી હતી અને શ્વેત વૃષભ અમારી આગળ ઊભા રહેલેા હતેા. આ પ્રભાવથી વિસ્મિત થયેલા ઉગ્રસેને મને કહ્યું, “ વસુદેવ! આ મહાઅદ્ભુત કયાં લઇ જાય છે ? ” મેં પશુ તેને વચન આપ્યુ, આ મહાઅદ્દભુત થાય છે માટે તમે અમારા રાજા થશે; આ ગુપ્ત વાત કાઇને કહેવી નહીં. ” પછી યમુના નદીએ માર્ગ આપ્યા, એટલે તેમાં હું ઊતર્યાં, અને વ્રજમાં–ગાકુળમાં પહાંચ્યા. ત્યાં નંદ ગેાપની પત્ની યશેાદાએ એ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યા હતા તેને એ કુમાર સેપ્ચા, અને પુત્રીને લઇને પાછા જલદીથી પેાતાના ભવનમાં હું' આવ્યેા. દેવકીની સમીપમાં કન્યાને રાખીને હું તરાપૂર્ણાંક ચાલ્યા ગયા. કંસની પરિચારિકાએ પણ તે સમયે જાગી, અને કંસને આ વાતની ખબર આપી. • ભલે અલક્ષણા થાય' એમ કરીને કંસે તે કન્યાનુ નાક કપાળ્યું ** .. (6 કેટલાક દિવસા ગયા પછી, ઘણી સ્ત્રીઓ વડે વીંટળાયેલી તથા ધવલ વજ્રને ધારણ કરનારી દેવકી ગાયાના માની પૂજા કરતી પુત્રને જોવાને માટે વ્રજમાં ગઇ. ( તે સમયથી ) જનપદામાં ગામા –ગાયાને પૂજવાના વિધિ પ્રો. કંસે પણ નૈમિત્તિકને પૂછ્યું, · અતિમુક્ત શ્રમણુના આદેશમાં વિસંવાદ કેમ થયા ? ” નૈમિત્તિકે કહ્યું, “ એ ભગવાનના વચનમાં વિસ ંવાદ ન થાય; (એ પુત્ર) વ્રજમાં ઊછરે છે. '' પછી કૃષ્ણની શંકા કરતા એવા કંસે તેને વિનાશ કરવાને માટે કૃષ્ણુયક્ષેાને આદેશ કર્યા. તેઓ નદગાપના ગાકુળમાં પહેાંચ્યા. ત્યાં તેમણે ગધેડા, ઘેાડા અને આખલા છૂટા મૂકયા. તે લેાકેાને પીડા કરવા લાગ્યા. પણ કૃષ્ણે તેમના નાશ કર્યાં મેં પણુ છાની રીતે કૃષ્ણનું રક્ષણ કરવા માટે સંકષ્ણુને ઉપાધ્યાય તરીકે ત્યાં રાખ્યા. તેણે કૃષ્ણને કલાઓ શીખવી. નૈમિત્તિકનુ વચન પ્રમાણ કરતા એવા કસે સત્યભામા કન્યાના ઘરમાં ધનુષ્ય રાખ્યું કે— જે આ ધનુષ્યને ચઢાવશે તેને સત્યભામા કન્યા આપવામાં આવશે. ’ એક વાર સત્યભામા કન્યાની ઇચ્છા કરતા અનાધૃષ્ટિ વ્રજમાં થઇને આન્યા; બલદેવ અને કૃષ્ણે તેની પૂજા કરી. પ્રસ્થાનના સમયે કૃષ્ણે તેને રહસ્ય બતાવ્યું ( અર્થાત્ ‘હું તારા ભાઈ છું' એમ અનાવૃષ્ટિને કહ્યું). પછી વટવૃક્ષમાં તેના રથના ધ્વજ ભરાઈ Page #539 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૪ ] ગયા. વડની શાખા ભાંગવાને જ્યારે અનાધૃષ્ટિ અશક્ત હતેા ત્યારે કૃષ્ણે તે ભાંગી નાંખી. પછી ગર્જના કરીને તેણે રથ નગરમાં પ્રવેશાત્મ્યા. તેઓ સત્યભામાને ઘેર પહોંચ્યા. અનાવૃષ્ટિ ધનુષ્ય ચઢાવી શકયા નહીં, ત્યારે કૃષ્ણે તે ચઢાવ્યું. પછી મારી પાસે આવીને તે કહેવા લાગ્યા, “ તાત ! મેં સત્યભામાને ઘેર ધનુષ્ય ચઢાવ્યું છે. ” મેં કહ્યું, પુત્ર ! ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને તે સારું કર્યું છે. પૂર્વે એ પ્રમાણે નક્કી કરવામાં આવેલુ છે કે-જે એ ધનુષ્ય ઉપર દોરી ચઢાવે તેને એ સત્યભામા કન્યા આપવી. ઋૠ 66 વસુદેવ—હિંડી : : : પ્રથમ ખંડ : સમાપ્ત ૧. આ પછીના ભાગ હાથપ્રતામાં મળતા નથી, એટલે ‘ વસુદેવ-હિ’ડી ' ના પ્રથમ ખંડ અહીંથી અધૂરા જ રહે છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૧ તિ હ ર ७ ८ ૯ ૧૧ ૧૬ ૨૬ જીરું ૧૦ ૩૩ ૩ ૧૫ २७ ૨૦ ૩૨ ૧૪ ७ ૪ ૧૧ [ પૃ. ૧૭–૪, ૮ નયા હ; પૃ. પૃ. ૨૨-૫, ૭, ૨૦, ૨૧, ૨૩, ******* % % * * * * * * * * * ૦ ૧૦ ૧૩ ૧૫ ૧૯, ૫, ૧૯; ૩૧; ૫, ૨૩, ૫. ૨૬, પૃ. ૨૪-૨૧; }, ૨૬-૫, ૨૬, ૨૭, ૨૯; પૂ. ૨૭-૫. ૧૬; તથા પૃ. ૨-પ. ૨૮ માં • પાલી * ને બદલે * પાલિ * વાંચવુ, ] ૪૯ ૩૧ ઉપાશ્ચાત અશુદ્ ૧૫ તેને સાહિત્યક પછી એ એ નામકરના ગ્રન્થામાં ગ પાંચરાત્ર ભાષાન્તર ધારણી પુત્ર ઉતર્યા છે. યા વા ઉજ્જવળ વગરની વાય? ॥ કર્યાં કમાનાં છપાવતા સુધારા અને ઉમેરા સુધારા હૃદયવાળ પહેલ કાય રિલા શુદ્ધ તે તે સાર્તા ત્યિક પણ એ નામકરણમાં ગ્રન્થામાં જે શિક્ષંગ પંચરાત્ર ધારિણી પુત્ર! ઊતર્યાં. છે. ક એવા @arty 401 વગરના વાનો કર્યાં કર્મોનાં છુપાવતો ब्रहमचराणा પહેારે ક્રોધ છેતરેલા Y પ્રતિ ૭૯ ૐ ૧ ૮૫ re ૯૪ ૧૧૩ ૧રર ૧૨૫ ૧૨૯ ૧૪૩ ૧૫૦ ૧પર ૧ ૧૦ 1t ૧૬ ૧૭ ૧૧ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૪ ==>> ** ૧૨° ૧૮૩ ८ ૧૪ ७ ૨૧ ૨૧ ૧ ૯ ૧૮ ૨૦ ८ ” જ જ ૩ જી - ૫ ૧૯૦ ૧૯૨ ૨૧ ૧૯૨ ૩૧ ૧૯૩ ૨૧ ૧૯૩ ૩૧ ૧૯૬ ૩૧ ४ અનુષ કાટુમ્બિકાના અનથ પ ધમ્મિલ વીતાવી ’ખરાઅર રહેલી લી વધેલાં કરતી થવારી ઇચ્છે છે ઘૂસરી વસુદેવ રહેલાને ગ્રિષ્મનુ વૃક્ષ:સ્થળ વૃક્ષાસ્થળ શ્રી શિક્ષતાથી બનાવ્યાં આગળ ફાઇનાયે ત્યાય મે ગુફામાં પેસી પર્વતના ચઢાવવાળા અનુભવ સાથેના રાશ્રયાયી . કૌટુમ્બિકાના અન ચૂપ ધમ્મિલ વટાવી “ભરાભર રહેલી વધેલા કરતી હતી થનારી ઓ ધૂંસરી વાસુદેવ રહેલાને ગ્રીષ્મૠતુ વક્ષસ્થળ નાસ્થળ શ્રેષ્ઠી કહેવા શીકતાથી બતાવ્યાં આંગળ ફાઇનાંયે ત્યાગ અમે ગુઢ્ઢામાંથી નીકળી પતનાં ચઢાવાળો અનુભાવ સાયના શયાયી Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પૃ8 પંક્તિ * $ $ પહેલા જાણે ધારણું ૨૦૩ ત્રિી જેમના .. પૂછ પંક્તિ અશુદ્ધ અશુદ્ધ શુદ્ધ ૧૯૮ ૨ વીતા વીત્યા ૨૮૭ ૧૪ પિતપોતાના પિતાપિતાનો ૧૯૮ ૨૯ પહેલાં ૨૯૦ ૧ આવવી આવતી ૧૯૯ ૪ જાણે હું ૨૯૭ ૨૦ કારણ ૨૦૦ ૨૨ શ્રેણી ૨૯૮ ૩ સંભોગમુખ સંભોગસુખ જેમનાં ૩૦૧ ૨૪ ભગવાન ભગવદ્ २०८ પિતાને પિતાના ૩૦૧ ૩૧ દુર્ભાગનામકમેદય દુર્ભાગનામકર્મોદય ૨૧૨ ૨૮ રથનુપૂરચક્રવાલ રથનપુરચક્રવાલ ૩૦૭ ૬ બનેને બનેને ૨૧૩ ૧૩ સ્વયંભુ સ્વયંભૂ ૩૦૮ ૬ ૨૧૮ ૯ કરનાર કરતા ૩૧૩ ૨૪ થયા થતા ૨૨૦ ૩ એ નિઃશીલ નિઃશીલ ૩૧૫ પિતાના પિતાનાં લાબે લાગે ૩૨૦ ૯ અસ્ત્રા અસ્ત્રો ૨૨૫ ૧૦ માતા માતા ! ૩૨૧ ૨ વીંધી વીંધી નાખ્યું. ૨૨૮ ૧૮ ધન દાન એટલે જેની ૨૪૦ ૨૨ અનાર્ય વદની અનાર્ય વેદની ૩૨૧ ૪ નાખ્યું. એટલે જેની – ૨૪૩ ૧૫ બહુબલિ બાહુબલિ ૩૨૫ અહીં હોઈશ તે – ૨૪૪ ૭ જેમને મહાવરણને જેમનાં મોહનીય, ૩૨૫ ૮ તું તું અહીં હશે તે અંતરાય ચલિત જ્ઞાનાવરણીય, દર્શ- ૩૨૭ આર્યપુત્ર ? આર્યપુત્ર! થયે નાવરણીય અને ૩૨૭ ૨૨ વિશેષ વિશેષ અંતરાયકર્મ ૩૩૪ ૨૩ જેણે બંધ ચલિત થયાં સવેએ સએ નિત્યક નિત્યાલોક ૨૫૦ જેવાં ૩૩૬ ૧૨ થતાં ૨૫૨ ૨૨ ભગવાન ભગવાન ૨૫૩ ૧૫ કરતા ૩૩૮ મોક્ષના મોક્ષનાં ૨૫૪ ૨૧ ઉચ્છવાસ ઉચ્છવાસ ૩૪૨ ચાવીને મ્યવીને ૨૫૭. આજ્ઞાની આજ્ઞાથી ૩૪૨ ૨૬ વિદ્ય વિદર્દકે ૧૪ ઘત દત ૩૪૪ ૧૫ પાત્ર માનને માનને પાત્ર ૨૭૭ ભગવાન ભગવદ્ ૨૭૯ ૧૨ વૈતાદ્ય ૩૫૧ ૫ બાંધેલા બાંધેલાં ૨૭૯ ૨૮ ગરુડવેગને ગડગે ૩૫૧ ૦૨ાધ૦ ૦૫૦ ૨૮૦ પહેલા પહેલાં જે જેતે જોત જોતા, ૨૮૦ ૨૧ કુતુહલ કુતૂહલ ૩૫૨ બેઠેલે બેઠેલા ૨૮૩ ૧૯ છે? “ તેણે કહ્યું ” છે?” તેણે કહ્યું “ ૩૫૯ ૧૧ ઘાતકર્મ અંતરાય કર્મ ૨૮૪ ૧૪ નળી નળીમાં ૩૬૧ ૨૬ મંદર ચક્ર મંદર અને ચક્ર २८९ २० વીતે ૩૬૨ ૨૯ अपच्छिमे अपच्छिमे ૩૭૪ બંધ ૨૪૫ જેવ થતા . ૨ ૨ ૨ ૨૪ રા. કહ્યું ૩૩૮ કરતાં ૨૭૩ A. જુએ ૩૪૫ 0 વૈતાઢ્ય = P P રીતે Page #542 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ`ક્તિ ૩૬૫ ૐ ૩૭૦ ૧૬ ૩૭૨ ૧૩ ૩૭૪ ૨૮ ૩૭૫ ૯ ૩૭૯ ૪ ૩૮૦ ૨૪ ૩૮૫ ૩૮૯ ૩૯૦ - ૩૯૭ ૩૯૮ ૪૦૩ ૨૫ ८ દુ ૨૮ ૨૮ 3 હું ૨૮ ૪૦૩ ૪૦૫ ४०७ ૧૧ ૪૦૯ ૨૪ ૪૦૯ ૨૫ ૪૧૪ ૨૩ ૪૧૮ ૩૦ અશુદ્ ૐ', જેણે આવ્યા છેં.” માન માવ સાધર્માવત સક સૌધર્માવત સક આવ્યા છેં. સન્ય મે વિચારમેં' જ્વ ત્યાંજ જિવાડીશ ? શુદ્ધ એકી ન્દને મૂ કરતા ખંડનાં જયનંદન જા ખરગ્રીવને સવે જગવંદન સૈન્ય ૪૮૭ ૪૨૩ ૩૦ ૪૨૪ ૪૨૭ ૪૩૦ ૪૩૨ ૧ ૪૩૭ ૨૧ ૪૪૩ ૨૭ ૪૪૧ ૧ ૪૪; ૨૧ ૪૪૮ २७ જિવાડીશ ?’ એક વિષમાત્તર ૪૫૧ ૧૩ ૪૬૬ ૩ ૪૬૬ ૬ ૪૬૯ ૧૦ ૪૭૮ ૨૯ ૪૭૯ ૧ ४८० } ७ ૧૭ ===&T મેં વિચાર પૃષ્ઠ પંક્તિ સન્દર્ભને મુ કરાતા ખંડમાં જગતન જા, ખરચીવ સમક્ષ સર્વે જગનંદન ૪૮૧ ૪૮૧ ૨૬ } અશુદ્ ક અનિધાષ પારણમાં આવે વાટિકામાં રાજાએ પા કરવા અથ સવાર્થસિદ્ધ નિમિત્તિક પરિજાના વશને સંકલ્પે ક્ષત્રિય સભાને कुले મનમાં તમારા વિક્વેલા શુદ્ધ ક્રૂ' અશનિધાષ પારણામાં ચ્યવે વાપિકામાં રાજાને પાછા કરવા અર્થ સર્વાં સિદ્ધ નિમિત્તક પરિજનાને વંશના સકા ક્ષત્રિય સભાના 1 # ઉમેરા ઉપાદ્ધાત, પૃ. ૧, ૫૧૧ ઉપર નીચેનું ટિપ્પણુ ઉમેરા—લલકાની અંતિમ પુષ્પિકાને સમાવેશ ભાષાન્તરમાં કર્યાં નથી. જે પુષ્પિકાઓમાં કર્તા તરીકે સધદાસણના નામેાલ્લેખ છે તે નીચે પ્રમાણે છેઃ તમારા મનમાં વિષુવેલા પહેલા શ્યામા—વિયા લંભકને અ ંતે-કૃતિશ્રી( સિરિ )Äષાસાળિવિરચિત્તે ( રણ ) વધુàવવિંદી (डीए) सामाविजयालंभो पढमो सम्मत्तो ( મૂલ, પૃ. ૧૨૨ ) ખીજા શ્યામલી લંભકને અ ંતે-કૃતિ સંધવાસનળિવિર સાહિમો વિડ્યો ।। ( મૂલ, પૃ. ૧૨૬ ) ( ત્રીજા ગન્ધદત્તા લંભકને અ ંતે—કૃતિ શ્રીસંઘવાસાળિવિષિતે વસ્તુવિંૌધવત્તામો તજ્જ્ઞો સમ્મો ।। ( મૂલ, પૃ. ૧૫૬ ) ચેાથા નીલયશા લંભકને અંતે--કૃતિ સિસિંધવાસાળિવિરડ્યાણ વઘુદિંડી, વલ્ભોનીનસારુંમો સમ્મત્તો ! (મૂલ, મૃ. ૧૮૧) Page #543 -------------------------------------------------------------------------- ________________ ४८८ पांयमा सोमश्री ने मत-इति सिरिसंघदासगणिविरइए वसुदेवाहंडीए सोमसिरीलंभो पंचमो सम्मत्तो ॥ (भूस, पृ. १८४) ४ भित्रश्री-धनश्री सनाने अते-इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए मित्तसिरि-धणसिरिलंभो छटो सम्मत्तो ॥ (भूस, पृ. १५८) सातमा पिता ने माते-इति सिरिसंघदासगणिविरइए वसुदेव हिंडीए कविल(लालंभो सत्तमो सम्मत्तो ॥ (भूम, पृ. २००) यामा पा ने मत-इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए पउमाए लंभो अट्ठमो सम्मत्तो ॥ ( भू, पृ. २०६) नवमा अश्वसेना ने आते-इति संघदासगणिविरइए वसुदेवहिंडीए आससेणाए नवमो लंभो समत्तो ॥ (भूस, पृ. २०८) इसमा । सामने आते-इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए पुंडालभो दसमो सम्मत्तो । (भूम, पृ. २१७) अगामारमा २४वती ने सात-इति सिरिसंघदासगणिविरइए वसुदेहिंडीए रत्तवतीलंभो एकादसमो सम्मत्तो ॥ ( भूस, पृ. २२०) मारमा सोमश्री ने सात-इति सिरिसंघदासगणिविरहए वसुदेवहिंडीए सोमसिरिलंभो पुवभवसंबंधो बारसमो सम्मत्तो ॥ (भू, पृ. २२४ ) तेरमा रावती ने मत-इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए वेगवतीए तेरसमो लभो सम्मत्तो ॥ ( भूत, पृ. २२८) यौहमा भानवे ने मत--इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए मयणवेगालंभो चउसमो सम्मत्तो ॥ ( भूत, पृ. २४७) सोगमा मासयन्द्रा लाने सात-इति सिरिसंघदासगणिविरइए वसुदेवहिंडीए बालचंदालभो सोलसमो सम्मत्तो ॥ (भूमपृ. २६५) ભાષાન્તર, ૫, ૧૩૧, પં૧૯ ઉપર નીચેનું ટિપ્પણું ઉમેર–આ પ્રાકૃત પદ્ય નવા પાઠાન્તર ' સાથે ઉત્તરાધ્યયન સૂત્ર ( અધ્યયન ૧૩, સૂત્ર ૧૬ )માં આ પ્રમાણે મળે છેઃ सव्वं विलवियं गीयं, सव्वं नÉ विडंबणा । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ Page #544 -------------------------------------------------------------------------- ________________ Jain bellona For Private & Personal use only nehierary.org