SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ રક્તવતી લભક રતવતી અને લનિકાના પરિચય “ સ્વામી! આ નગરમાં ભદ્ર નામે સાથે વાહ હતા. તેની પદ્મશ્રી નામે પત્ની હતી. મનારથા અનુસાર પ્રાપ્ત થયેલા તેમના હું મનારથ નામે પુત્ર છું. હું યુવાવસ્થામાં આવ્યે એટલે સમાન કુલમાંથી મારે માટે પદ્માવતી ભાર્યાં લાવવામાં આવી. તેનાથી થયેલ મારી રક્તવતી નામે પુત્રી છે. તેણીની સાથેજ જન્મેલ દાસચેટી લસણુના જેવા મુખગંધવાળી હતી. આથી ખાલપણમાં ‘ લઘુનિકા ’ નામે એળખાતી તે મારા ઘરમાં મેાટી થવા લાગી. * [ ૨૮૫ ] કેાઇ એક વાર શિવગુપ્ત નામે ત્રિકાળદશી અને વિપુલ અવધિજ્ઞાની અનગાર અહીં આવ્યા. કામસ્થાન ઉપવનમાં રહેલા તેમને મેં મારા કુટુંબ સહિત વંદન કર્યું. તે ભગવાને કર્મના વિપાકને લગતી ધર્મકથા શરૂ કરી. જેમ કે— “ શ્રાવક ! કર્મની ગુરુકતાથી અને અશુભ કર્મના ઉદયથી જીવા નરકગામી થાય છે. શુભાશુભ કર્મના ઉદયથી તિય ચગતિ અને મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે. શુભ કર્માંના ઉદયથી દેવલાકમાં ગમન થાય છે. તીવ્ર અને અશુભ કર્મવાળા જીવા નારકામાં દીઘ આયુષ્યવાળા થાય છે; તિય ચામાં ખરામ વર્ણ, ખરાબ ગંધ, ખરાબ રસ અને ખરાખ સ્પર્શીવાળા તથા બેઢંગ આકૃતિવાળા થાય છે; મનુષ્યામાં જાતિહીન, ખરાખ વર્ણ, ખરામ ગંધ અને અનિષ્ટ સ્પર્શવાળા, ખરાબ આકૃતિવાળા, અનાદેય વચનવાળા અને કુસ’હૅનન– ખરામ શરીરબંધારણવાળા થાય છે. દેવામાં પણ તપ, નિયમ અને દાન( થી રહિત ), મિથ્યા તપથી દૂષિત એવા તેએ કિલ્મિષિક, આભિયાગિક અને દુર્ગંત દેવત્ત્વને પામે છે, અને ( શુભ ) કર્મોના ચય કરવામાં નિ`ળ તથા અલ્પ કાલસ્થિતિ-આયુષ્યવાળા થાય છે. જે અતિકિલષ્ટ અધ્યવસાયવાળા ન હાય તે તિર્યંચ અને મનુષ્યેામાં અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સ ંસ્થાન-આકૃતિ અને સહુનનવાળા થાય છે. વિશુદ્ધતર લેશ્યાવાળા તિર્યંચા સુષમા જેવા આરા ચાલતા હાય ત્યારે અકર્મ ભૂમિમાં વર્ષમાં ક્ષેત્રામાં પેદા થાય છે. વિશુદ્ધ ચારિત્ર્ય, દર્શન અને તાપધાનવાળા મનુષ્યા પણ દૈવલેાકમાંથી ચ્યવીને ઉત્તમ રૂપ, શ્રી અને લાવણ્યવાળા, માનનીય મહાવૈભવવાળા, વિનીત અને દાનશીલ થાય છે; અથવા અહમિન્દ્ર વિમાનમાંથી ચવેલા તેએ કલેશને ક્ષય કરીને નિર્વાણુને પ્રાપ્ત કરે છે. ” પછી કથાન્તરમાં મેં શિવગુપ્ત અનગારને પૂછ્યું, “ ભગવન્ ! આ છેકરીના વદનની ગંધ લસણુના જેવી શાથી છે ? ” એટલે તેએ કહેવા લાગ્યા, “ સાંભળ~~ Jain Education International રાવતી અને લનિકાના પૂર્વભવ— ભૂતકાળમાં ચક્રપુરમાં પુષ્પકેતુ નામે રાજા હતા. તે ત્રિ-ધર્મ, અર્થ અને કામના ૧. નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાને અહમિન્ત્ર કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy