SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ~~~~~~~~~~~ સમૂહ, મૃગેની રૂંવાટી, વિવિધ રંગના બકરાના વાળના કાંબળા, મણિ, શંખ, પરવાળાં, અને સોના-ચાંદીનાં આભરણે અને નાસિકાને પ્રિય લાગે એવાં ગંધદ્રવ્યે જયાં. એક સાર્થવાહની દુકાને હું ગયે. ખરીદનારાઓ તરફ તેનું ધ્યાન રોકાએલું હોવા છતાં તેણે મને આદરથી કહ્યું કે, “આસન ઉપર બેસો.” હું બેઠે. એક મુહૂર્તમાં જ સાર્થવાહને એક લાખ રૂપિયા મળ્યા. એટલે પ્રસન્નતાથી વિકસિત થએલા મુખવાળે તે મને વિનંતી કરવા લાગ્યો, “ સ્વામી પાદ! આજ તમે મારે ઘેર જમજે, કૃપા કરે.” મેં તેની વાત સ્વીકારી કે, “ભલે.” તેણે કહ્યું, “અહીં જ એક મુહુર્ત વિશ્રામ લે, એટલી વારમાં કોઈ કામે જઈને હું આવું છું.” પછી તેણે પોતાના આસન ઉપર રૂપાળી દાસીને બેસાડી, અને તે ગયે. તે દાસી, હું તેને પ્રશ્ન કરું એટલે, આડું જોઈને ઉત્તર આપતી હતી. મેં કહ્યું, “બાલિકે! પરાક્ષુખ થઈને કેમ બોલે છે? શું તું વિવેક જાણતી નથી?” તે બોલી, “મારા મુખમાંથી લસણુના જેવી પ્રતિકૂલ વાસ આવે છે, તે જાણવા છતાં હું તમારી સામે કેવી રીતે મુખ રાખું ?” કહ્યું, “તું દુઃખી ન થઈશ. ગંધદ્રવ્યના પ્રયોગથી તારા વાસની દુર્ગધ હું દૂર કરીશ. હું કહું તે તે દ્રવ્યો લાવ.” પછી હું બોલ્યો તે પ્રમાણે દ્રવ્યો તે લાવી. સર્વે ભેગાં કરી, ઘી સહિત ખરલ કરીને નળી ભર્યા. પછી તેની ગોળીઓ કરી, જે ગોળીઓ દુર્ગધને દૂર કરે છે અને કમળના જેવું સુગંધિત મુખ કરે છે. અનુક્રમે તે ગેળીઓ તેણે ખાધી, એથી તેનું મુખ સુગંધી થઈ ગયું. એટલામાં સાર્થવાહ આ દાસીનું મુખ તે પ્રકારે સુગંધી થયેલું જાણીને મને તે પોતાને ઘેર લઈ ગયે. પછી એકાન્ત સ્થાનમાં મને વિધિપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરીને મેં મહામૂલ્યવાન વસ્ત્રો પહેર્યા, એટલે કુશળ રીતિથી તૈયાર કરવામાં આવેલું ભેજન સોનારૂપાનાં વાસણમાં મારે માટે લાવવામાં આવ્યું. એમાં અડદિયા લાડુ, સુખડી, સેવ આદિ ભ, મૃદુ, વિશદ અને સ્વકસિદ્ધ–પિતાની મેળે સીજે કમદને ભાત, રાઈના સ્વાદથી મિશ્ર વિવિધ લેહ્યો, છહાને આનંદકર અને વિવિધ સંભારવાળાં અથાણું અને પેય હતાં. પરિજનોએ આદરપૂર્વક આણેલું ભેજન હું જમે, કલાદ-ચૂર્ણ (ચણાના લોટ)થી હાથમહે સાફ કર્યા, તથા આચમન કર્યું અને સુગંધી ફળથી મુખવાસ કરીને આસન ઉપરથી ઊડ્યો. વધેલું બધું દાસીઓ લઈ ગઈ. મારાં અંગે ઉપર નાસિકા અને મનને હાલાં લાગે એવાં સુગંધી દ્રવ્યોથી વિલેપન કરવામાં આવ્યું. પછી સાર્થવાહે બતાવેલા, સુગંધી પુથી છવાયેલા અને જેના ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથર્યું હતું એવા શયન ઉપર હું બેઠો. જેણે ભજન કરી લીધું હતું એવા મારી પાસે સાર્થવાહ બેઠો હતો. મેં તેને પૂછ્યું, “તમે “સ્વામીષાદ! આજે મારે ઘરે જમવાનું છે” એમ કહીને કયા કારણથી મને અહીં લાવ્યા છો?” એટલે તે કહેવા લાગ્ય ૧. મૂળમાં ભેજનવર્ણનનો આ પાઠ અશુદ્ધ છે. તેથી કેટલાક અર્થો અનુમાને કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy