SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ-હિંડી [ ૮૩ ] એટલે ધમિલે વિચાર કર્યો કે, “ નક્કી, એ જ વિદ્યાધરને મેં મારી નાખે છે.” પછી તેણે કહ્યું, “હે સુતનુ! તલવારની તીણતાની પરીક્ષા કરવાના કુતૂહલમાં મેં તેને કાપી નાખે, તે મરણ પામ્યા છે. એટલે તે સાંભળીને વિષણ અને દીન મનવાળી તે થેડીકવાર તો વિષાદ પામી. તેણે કહ્યું, “પૂર્વે કરેલાં કર્મો દુર્લદય છે.” ધમ્મિલ્લે કહ્યું, “સુન્દરિ! તું ખેદ ન કરીશ.” એટલે તે બોલી, “અહે! સાધુનું અમેઘ વચન નિષ્ફળ નથી જતું. આર્યપુત્ર! હું જાઉં છું અને આ વૃત્તાન્ત તેની બહેનને જણાવું છું. જે તેઓ તમારામાં અનુરક્ત હશે તે ભવનની ઉપર રાતી પતાકા ચડાવીશ. જે વિરક્ત હશે તો વેત પતાકા ચડાવીશ. વેત પતાકા દેખાય તો તમે અહીંથી ચાલ્યા જજે.” આમ કહીને તે ગઈ. તે પતાકા ચડાવે એની રાહ જોતો ધમ્મિલ્લ ભવનની સામે જેતે ઊભે. ડીવારમાં વેત પતાકા નજરે પડી. પદ્માવતીનું પાણિગ્રહણ એટલે “તે કન્યાઓ મારામાં અનુરક્ત નથી” એમ સમજીને ધમ્મિલ ત્યાંથી નીકળે, અને કનકવાલુકા નદીના કિનારે કિનારે ચાલતો સંવાહ નામે જંગલી કટ(પહાડી ગામ)માં આવી પહોંચ્યો. ત્યાં ચંપાનગરીના રાજાને ભાઈ અને કપિલા નામે રાણના પેટે જન્મેલ સુદત્ત નામે રાજા હતા. તેની રાણી વસુમતી અને પુત્રી પદ્માવતી નામે હતી. ધમિલ્લ એ કઈટમાં પ્રવેશ્યા, અને જોયું તે, એક સ્ત્રી શૂળના રોગથી કંપતી બેઠી હતી. તેને જોઈને અનુકંપા પામેલા મિલે તેની વાત-પિત્તાદિક પ્રકૃતિ જાણીને અનુકૂળ ઔષધ આપ્યું. એથી તે સ્વસ્થ થઈ ગઈ. પછી ધમ્મિલ નગરમાં પ્રવેશ્યા. તેણે કરેલા આ ઉત્તમ કાર્યની વાત રાજાએ સાંભળી. પછી રાજાએ તેને પિતાના ભવનમાં બોલાવ્યા, અને ત્વચાના રોગથી કુરૂપ બનેલી પિતાની પુત્રી પદ્માવતી તેને સંપીને કહ્યું, “આર્યપુત્ર! આને સાજી કરે.” શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં બસ્મિલ્લે તેના ઉપચારનો પ્રારંભ કર્યો. પિતાનાં કર્મોના ઉપશમથી તથા ઔષધના પ્રભાવથી રાજકન્યાનું શરીર પહેલાંના જેવું થયું, અને તે લક્ષમી સમાન રૂપવાળી બની. સતુષ્ટ થયેલા રાજાએ તે કન્યા ધમ્મિલને આપી, અને શુભ દિવસે તેમનું લગ્ન થયું. તેની સાથે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી પાંચ પ્રકારના માનુષી કામગ ભેગવતે ધમ્મિલ રહેવા લાગે. ધમિલ્લનું ચંપામાં આગમન અને મત્ત હાથીને નિગ્રહ એક વાર સુદર રાજાએ કહ્યું “મારા ભાઈ(ચંપાનગરીના રાજા)ની સાથે સંધિ કેણ કરાવી આપશે?ધમ્બિલે કહ્યું, “સ્વામી ! સામ, ભેદ અને દામના પ્રગથી હું કરાવી આપીશ, માટે નિશ્ચિત્ત થાઓ.” પછી રાજાએ તેનું માથું સુંઘીને રજા આપી, એટલે પ્રિયજનના દર્શન માટે ઉત્સુક ધમિલ ત્યાંથી નીકળે. જુદાં જુદાં ગામોમાં મુકામ કરતે તે ચંપાનગરી પહેચે. ત્યાં સારા શુકનથી પ્રસન્ન થયેલા હૃદયવાળો તે નગરીમાં પ્રવેશ્ય, અને રાજમાર્ગ ઉપર ચાલવા લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy