SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] વસુદેવ–દ્ધિ'ડી : : પ્રથમ ખંડ : " આંગણામાં જ નાકરાએ આણેલા શેરડીના રસથી ભરેલા કળશ તેણે જોયા. પછી હ પામેલા તેણે શેરડીના રસથી શ્રીઋષભસ્વામીને પ્રતિલાલ્યા. અચ્છિદ્રપાણિ ભગવાને તેના સ્વીકાર કર્યા. પછી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી, વસુધારા થઇ, વળી દેવાએ દુદુભિ વગાડ્યાં, વસ્ત્રોની વૃષ્ટિ કરી, અને ‘ અહેાદાન ! ' એ પ્રમાણે આકાશમાં શબ્દ કર્યાં. · ગુરુનાં ચરણુ જ્યાં પડ્યાં હાય. તે સ્થાન પૂજનીય છે ’એ પ્રમાણે વિચારીને જ્યાં ભગવાન આદિજિન ઊભા રહ્યા હતા તે સ્થાને શ્રેયાંસે મણુિની પીઠિકા કરાવી. ત્યાં લેાજનસમયે તે અન કરતા હતા. આ પછી જ્યાં જ્યાં ઊભા રહીને ભગવાન ભિક્ષા ગ્રહણ કરતા હતા ત્યાં ત્યાં લેાકેા પણ મણિની પીઠિકા કરાવવા લાગ્યા. ઘણું કરીને તે સમયથી • બ્રહ્મપીઠ ’ ની પ્રવૃત્તિ થઇ.૨ આ અવસર્પિણીમાં પ્રથમ જિનેશ્વરને ભિક્ષા આપનાર શ્રેયાંસ ( પહેલા ) હતા. શ્રેયાંસને સામપ્રભ આદિએ પૂછેલા પ્રશ્ન શ્રેયાંસે આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરેલી સાંભળીને ઋષિએ તથા સામપ્રભ આદિ રાજાએ પરમ કુતૂહલથી શ્રેયાંસકુમારને પૂછવા લાગ્યા, “ સુમુખ ! ભગવાન પરમગુરુને ભિક્ષા આપવી જોઇએ. એમ તેં શી રીતે જાણ્યું? એનું ખરું રહસ્ય તુ કહે. ” શ્રેયાંસે કહ્યુ, “ પ્રભુને અન્નપાણી આપવુ જોઇએ એમ મેં કેવી રીતે જાણ્યુ તે સાંભળે. પછી શ્રવણુને સુખકારક થાય એવા શબ્દથી શ્રેયાંસે કહેવા માંડયું, “ જેમણે દીક્ષા લીધેલી છે એવા મારા પિતામહનું રૂપ જોઈને મને વિચાર થયા કે–આવુ રૂપ મે આ પહેલાં ક્યાં જોયેલું છે ? એમ વિચાર કરતાં અનેક ભવનુ જાતિસ્મરણુ મને થયું. ભગવાનને ભિક્ષા આપવી જોઇએ તે મેં આ રીતે જાણ્યું. ” આથી પરમ વિસ્મય પામેલા રાજાએ મેલ્યા, “ ભગવાન કયા ભવમાં કેવા હતા તે વૃત્તાન્ત તું કહે. ” એટલે શ્રેયાંસ કહેવા લાગ્યા— શ્રેયાંસે કહેલુ શ્રીઋષભદેવનુ પૂર્વભવનું' ચરિત્ર “ આથી સાતમા ભવમાં મદર, ગંધમાદન, નીલવંત અને માહ્યવંત પર્યંતાના મધ્યમાં આવેલા અને સીતા નામે મહાનદી વડે મધ્યમાંથી વિભક્ત થયેલા ઉત્તરકુરુમાં હું યુગલિક સ્ત્રી હતા, અને ભગવાન યુગલક પુરુષ હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષામાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના ભાગેાના ઉપભાગથી પ્રવ્રુદ્ધિત થયેલાં અમે એક વાર ઉત્તરકુરુદ્રહના દેવલાક સમાન સુન્દર તીરપ્રદેશમાં અશાક વૃક્ષની છાયામાં નવનીત સમાન મૃદુ સ્પર્શીવાળા વૈશ્ય મણિના શિલાતલ ઉપર સુખપૂર્વક એઠાં હતાં. તે વખતે એક દેવ ૧. પ્રવાહી પદાર્થો હાથમાં આવે છતાં તે હાથમાંથી પડે નહીં કે હાથ ઉભરાય નહીં એવી લબ્ધિ. ૨. બ્રહ્મપીઠ’ ને ખલે ‘ત્રિષ્ટિ’ આદિ અન્ય ચરિત્રગ્રન્થામાં આદિત્ય પીડ’ની આ રીતે પ્રવૃત્તિ થઇ, એમ ક્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy